PDF/HTML Page 21 of 53
single page version
જ્ઞાન તો નિજભાવમાં સ્થિર બેઠા છે, તે કાંઈ વિકલ્પમાં કે વાણીમાં જતા નથી, તેથી
જ્ઞાની તો સ્થિર જ છે. અહો, જ્ઞાનીની આવી અંર્તદશાને વિરલા જ ઓળખે છે.
બાહ્યદ્રષ્ટિથી જોનારા જીવો જ્ઞાનીને ઓળખી શકતા નથી.
નથી; તેમ ધર્માત્મા શરીરાદિની ચેષ્ટા કરતા દેખાય, ભાષામાં પણ બોલાય કે આ મારું ઘર
વગેરે, પણ અંતરની દ્રષ્ટિમાં ભાન છે કે હું તો ચૈતન્ય છું, મારા ચૈતન્યભાવ સિવાય
બીજી કોઈ વસ્તુ જરાપણ મારી નથી; મારી ચેતના પરભાવની જનેતા નથી.–આવું
ભેદજ્ઞાન એકક્ષણ પણ છૂટતું નથી, ને પરભાવ સાથે કે સંયોગ સાથે જરાય એકતા થતી
નથી.
અત્યંત ભિન્ન અનુભવ્યું છે એવા ચૈતન્યદ્રષ્ટિવંત ધર્માત્માને, પરવસ્તુ પોતાની માનીને
તેનો પ્રેમ થતો નથી, તેનો સાચો પ્રેમ તો પોતાની ચૈતન્યલક્ષ્મીમાં જ છે. આ દ્રષ્ટાંતથી
ધર્મીને પરપ્રત્યેના પ્રેમનો અભાવ બતાવ્યો છે. પોતાના ચૈતન્ય સિવાય જગતમાં ક્્યાંય
પરપ્રત્યે તેને આત્મબુદ્ધિથી રાગ થતો નથી, માટે તે અલિપ્ત છે.
સાચો પ્રેમ ને એકતા આત્મામાં જ છે. પર ઉપર રાગ દેખાય છે પણ તેમાં ક્્યાંય પરમાં કે
રાગમાં અંશમાત્ર સુખબુદ્ધિ નથી. રાગ અને સ્વભાવ વચ્ચે તેને મોટી તિરાડ પડી ગઈ છે,
અત્યંત ભેદ પડી ગયો છે, તે કદી એકતા થાય નહીં. રાગ અને જ્ઞાનને તે જુદા ને જુદા જ
અનુભવે છે. આવી જ્ઞાનદશાવત સમ્યગ્દ્રષ્ટિનો મહિમા અપાર છે. જેમ નાળિયેરમાં અંદર
ટોપરાનો ગોટો કાચલીથી જુદો જ છે, તેમ ધર્માત્માના અંતરમાં ચૈતન્ય–
PDF/HTML Page 22 of 53
single page version
દેખતો નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
તે લેપાતા નથી. ગૃહસ્થપણું છે–પણ તે તો હાથમાં પકડાઈ ગયેલા ઝેરી સર્પ જેવું છે.
જેમ હાથમાં પકડેલો પર્સ ફેંકી દેવા માટે છે, પોષવા માટે નથી, તેમ ધર્મીને અસંયમના
જે રાગાદિ છે તેને તે સર્પ જેવા સમજીને છોડવા માંગે છે; તે રાગને પોતાનો સમજીને
પોષવા માટે નથી. પોતાના ચૈતન્યસ્વભાવની અનુભૂતિથી ભિન્ન જાણીને અભિપ્રાયમાં
તો તે સમસ્ત પરભાવોને છોડી જ દીધા છે કે આ ભાવો હું નથી. સ્વાનુભવવડે
સ્વપરનો વિવેક થયો છે એટલે સ્વતત્ત્વમાં જ પ્રીતિ છે ને પરની પ્રીતિ છુટી ગઈ છે.
સમ્યગ્દર્શનનો ભાવ વિષય–કષાયોથી અલિપ્ત છે. એકસાથે જુદી જુદી બે ધારા ચાલી
રહી છે: એક સમ્યક્ત્વાદિ શુદ્ધભાવની ધારા, ને બીજી રાગધારા, તેમાં ધર્મીને
શુદ્ધભાવની ધારામાં તન્મયપણું છે, ને તેના જ વડે ધર્મીની સાચી ઓળખાણ થાય છે.
અજ્ઞાની કેટલી રાગધારને દેખે છે તેથી ધર્મીને તે ઓળખી શકતો નથી.
ગૃહીતમિથ્યાત્વ છે. ધર્મીને એવા કુમાર્ગનો આદર હોય નહીં. તેણે તો ચૈતન્યના અનંત
ગુણના રસથી ભરપૂર અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીત કરી છે,
તેની સાથે નિઃશંકતા વગેરે આઠ ગુણ હોય છે; તેને તીવ્ર અન્યાયનાં કર્તવ્ય હોય નહીં,
માંસ ઈડાં વગેરે અભક્ષ્ય ખોરાક હોય નહીં, મહા પાપના કારણરૂપ એવા સપ્ત વ્યસન
(–શિકાર, ચોરી, જુગાર, પરસ્ત્રીસેવન વગેરે) તેને હોય નહીં, અરે, જિજ્ઞાસુ–સજ્જનને
પણ એવાં પાપકાર્ય ન હોય તો સમ્યગ્દ્રષ્ટિને તો કેમ હોય? ચોથાગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને
ભલે સંયમદશા નથી છતાં તેને અલૌકિક જ્ઞાન–વૈરાગ્યદશા હોય છે, સ્વરૂપમાં
આચરણરૂપ સ્વરૂપા ચરણદશા છે, મિથ્યાત્વ કે અનંતાનુબંધી ક્રોધાદિ તેને થતા જ નથી.
અતીન્દ્રિયઆનંદ તે ધર્મીના જ્ઞાનમાં વર્તે છે તેથી બીજે ક્્યાંય તેને સંતોષ કે આનંદ
થતો નથી. વિષયોની ગૃદ્ધી નથી પણ તેનો ખેદ છે. ધર્મને નામે તે કદી સ્વચ્છંદ પોષે
નહીં. અસંયમ
PDF/HTML Page 23 of 53
single page version
તેને હવે સ્વચ્છંદ કેવા? પર્યાયેપર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહીને મોક્ષને સાધી રહ્યું
છે, અને એમાં જ સાચો વૈરાગ્ય છે. જ્યાં રાગનું કર્તવ્ય જ ઊડી ગયું ત્યાં તેનું જોર તૂટી
ગયું છે, એટલે અસંયમદશા હોવા છતાં કષાયો મર્યાદામાં આવી ગયા છે, તેના શ્રદ્ધા–
જ્ઞાન મલિન થતા નથી. આવું સમ્યગ્દર્શન જે જીવ પામ્યો તે ઈંદ્ર વડે પણ પ્રશંસનીય છે.
અહો, આવા આવા કપરાકાળે પણ અંતરમાં ઊતરીને જે આત્મદર્શન પામ્યો તે ધનય
છે. તે તો આત્માના કપરાકાળે પણ અંતરમાં ઊતરીને જે આત્મદર્શન પામ્યો તે ધન્ય
છે. તે તો આત્માના અતીન્દ્રિયઆંનદ દરબારમાં જઈને બેઠો, પંચપરમેષ્ઠીની નાતમાં
ભળ્યો. શાસ્ત્રોએ જે ચૈતન્યવસ્તુનો અનંતો મહિમા ગાયો છે તે ચૈતન્યવસ્તુ તેણે
પોતામાં પ્રાપ્ત કરી લીધી, પોતામાં તેનો અનુભવ કરી લીધો. તે સુકૃતી છે–જગતનું
ઉત્કૃષ્ટ કાર્ય તેણે કરી લીધું છે. તેથી તે ધન્ય છે.......ધન્ય છે...ધન્ય છે!
વૈરાગ્યધારાને બરાબર જાળવી રાખજે, ફરીફરીને તેની ભાવના
કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવપ્રસંગે
જાગેલી વૈરાગ્યભાવનાને યાદ રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને
ભૂલી જઈશ નહીં.
પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સંબંધી જાગેલી કોઈ ઊર્મિઓને,
તથા તેના પ્રયત્ન વખતના ધર્માત્માઓના ભાવોને યાદ કરીને
ફરી ફરીને તારા આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે.
PDF/HTML Page 24 of 53
single page version
ધાનતરાયજીના નીચેના કાવ્યમાં જોવા મળશે. શ્રાવણમાસ નુતન
વર્ષાવડે પુથ્વીને અમીસીંચન કરીને નવપલ્લવિત કરે છે તેમ
સમ્યકત્વદશારૂપી શ્રાવણમાસ આવતાં અસંખ્યપ્રદેશી ચૈતન્યપૃથ્વી
ધર્મના આનંદમય અંકુરો વડે કેવી મજાની નવપલ્લવિત થાય છે! તે
અહીં બતાવ્યું છે. શ્રાવણમાસમાં સમકિત–શ્રાવણનું આ ભાવવાહી
કાવ્ય
બીતી કુરીતિ મિથ્યામતિ ગ્રીષ્મ, પાવસ સહજ સુહાયો....
બોલે વિમલ વિવેક પપીહા, સુમતિ સુહાગિન ભાયો....
સાધકભાવ–અંકૂર ઊઠે બહુ જિત–તિત હરષ છવાયો....
શ્રાવણમાસની ઉપમા આપીને, પોતાની પરિણતિની અપૂર્વતાનું વર્ણન કરતાં સાધક કહે
છે કે–
આત્મા સંતપ્ત હતો, હવે સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં આનંદ સહજ
PDF/HTML Page 25 of 53
single page version
દૂર થઈ ગયો,–સમક્તિ થતાં આવો આનંદમય શ્રાવણમાસ આવ્યો.
ભેદીને સમ્યકત્વ થતાં સ્વાનુભવરૂપી વીજળી ઊઠી; અને ચૈતન્યની સમ્યક્ પ્રીતિ–
ગાઢરુચિરૂપ વાદળાની ઘરનોર ઘટા છવાઈ ગઈ. સ્વ–પરની ભિન્નતાનો નિર્મળ વિવેક
થતાં ભેદજ્ઞાનરૂપી ચાતક આનંદિત થઈ ને પીયુ–પીયુ બોલવા લાગ્યા; અને સુહાગી
એવી સુમતિ (સમ્યક્મતિ–શ્રુતદશા) ને પ્રસન્નતા થઈ.–મારા આત્મામાં આવા
સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવ્યો છે.
આનંદથી વિકસીત થાય છે....મોર કળા કરીને પ્રસન્નતાથી નીચે તેમ સાધકની
જ્ઞાનકળા આનંદથી ખીલી ઊઠી છે. ચોમાસામાં પૃથ્વી લીલાઅંકૂરથી શોભી ઊઠે તેમ
સમ્યકત્વરૂપી શ્રાવણમાં સાધકભાવના ઘણા અંકૂર મારા આત્મામાં ઊગી નીકળ્યા છે....
ધર્મનાં અંકૂરથી લીલોછમ મારો આત્મા શોભી રહ્યો છે ને જયાંત્યાં સર્વત્ર અસંખ્ય
આત્મપ્રદેશોમાં હર્ષ–અતીન્દ્રિયઆનંદ છવાઈ રહ્યો છે.–અહા, આવો સમ્યકત્વરૂપી–
શ્રાવણ મારા આત્મામાં આવ્યો છે....
જરાય દેખાતી નથી, ભ્રમણાનો મૂળમાંથી છેદ થઈ ગયો છે; અને ચૈતન્ય વીતરાગી
સમરસરૂપી જળનાં ઝરણાં આત્મામાં વહેવા લાગ્યા છે. આવા સરસ મજાના આનંદકારી
શ્રાવણની વર્ષા વચ્ચે ચૂંવાક વગરના પોતાના નિજાનંદમય સ્વઘરમાં બેઠેલા ભૂધરજી
હવે નિજઘરથી બહાર શા માટે નીકળે? એ તો પોતાના આનંદધામમાં બેઠા–બેઠા
સમ્યકત્વરૂપી શ્રાવણની મોજ માણે છે,–આવો શ્રાવણ હવે અમારે આવી ગયો છે.
ગંભીરતામાં જ સમાઈ જાય છે. (સં.)
PDF/HTML Page 26 of 53
single page version
જાણવામાં–શ્રદ્ધવામાં–અનુભવવામાં કુશળ છે....ગુણોથી તેઓ ગંભીર છે, ચૈતન્યના
અનંતગુણોનો કબાટ તેમને ઊઘડી ગયો છે. આવા મોક્ષમાર્ગી ગુણગંભીર આચાર્ય
ભગવાન ધર્મીજીવો વડે વંઘ છે... તેને અમે વંદીએ છીએ.
કરતાં જ્ઞાનનું બળ અનંતું ખીલી જાય છે, તે જ્ઞાન અતીન્દ્રિય થઈને સ્વભાવનું પ્રત્યક્ષ
સંવેદન કરે છે.
નહિ ઘરે કોઈ સારા મોટા મહેમાન પધાર્યા હોય ત્યારે તેની સન્મુખ થઈને આદર
સત્કાર કરે છે કે–આવો પધારો! પણ જો મહેમાનની સામે જુએ નહિ ને બીજાની સામે
જુએ તો તેમાં મહેમાનનો અનાદર થાય છે. જેનો આદર કરવો હોય તેની સન્મુખ થવું
જોઈએ. તેમ આ આત્મા ‘હરિ’ એટલે ચિદાનંદસ્વભાવના સામર્થ્ય વડે વિભાવને
હરનારો ‘સિંહ,’ સર્વ પદાર્થમાં શ્રેષ્ઠ એવો ‘ઈન્દ્ર,’ આવો મોટો ભગવાન, તેને આંગણે
પધરાવીને સત્કાર કરવાની આ વાત છે. શ્રદ્ધા–જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરીને
એટલે પરસન્મુખ ભાવોથી જુદો પડીને જ આ ચૈતન્યભગવાનનો આદરસત્કાર ને
સ્વીકાર થાય છે.–એકલા રાગની કે પરની સન્મુખ રહીને ચૈતન્યપ્રભુનો આદરસ્વીકાર
થઈ શકતો નથી.–સંતો તો અંર્તસન્મુખ થઈને સર્વજ્ઞપદને આદરી રહ્યા છે–સિદ્ધપદને
સાધી રહ્યા છે....ચૈતન્યઘરમાં સિદ્ધનો સત્કાર
PDF/HTML Page 27 of 53
single page version
સંતમુનિવરોની શી વાત! આખા સ્વભાવને સ્વીકારનારી પર્યાય પણ અનંતગુણના
રસથી ઉલ્લસતી આનંદરૂપ થઈ ગઈ છે. અહા, અનંતગુણથી ગંભીર એવા
ચૈતન્યતત્ત્વને સાધનારા જીવની દશા પણ મહાગંભીર હોય છે....
આચાર્ય છે; તેઓ કહે છે કે અહા! આચાર્ય ભગવંતો જ્ઞાનાદિ પંચાચારમાં પૂરા છે, ધીર
અને ગુણગંભીર છે; પંચેન્દ્રિયરૂપ હાથીને વશ કરવામાં દક્ષ છે. ગમે તેવા ઘોર ઉપસર્ગો
આવે તોપણ પોતાના સ્વરૂપની સાધનાથી તેઓ ડગતા નથી એવા અત્યંત ધીર છે,
અને ગુણોથી ગંભીર છે. રત્નત્રયમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર કહ્યા પણ એવા તો અનંત
ગુણોવડે જેઓ ગંભીર છે, સ્વભાવના અનુભવમાં અનંતગુણોનું કાર્ય એક સાથે થઈ
રહ્યું છે–એવા ગંભીર ગુણવાળા આચાર્યભગવંતો વંદનીય છે; તે આચાર્યભગવંતોને
ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખને છેદવા માટે પૂજીએ છીએ.
જુદી જ વર્તે છે, ત્યાં વચ્ચે પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વંદન–નમસ્કાર વગેરેનો ભાવ
આવે છે. અંદર તો ચૈતન્યના સ્વભાવમાંથી અનંત ગુણના અતીન્દ્રિય આનંદનો નિર્મળ
ફૂવારો ઊછળે છે; ને પરને નમસ્કાર વગેરેનો શુભભાવ તે વ્યવહાર આચારમાં જાય છે.
તેમાં પણ કહે છે કે ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે પૂજીએ છીએ, એટલે નિશ્ચય–
વ્યવહાર બંનેની ઓળખાણપૂર્વક અમે તે આચાર્ય ભગવંતોને પૂજીએ છીએ; એકલા
રાગમાં ઊભા રહીને નથી પૂજતા, અંદર રાગથી પાર ચૈતન્યસ્વભાવની સન્મુખતાપૂર્વક
તે વીતરાગી આચાર્ય ભગવંતોને અમે પૂજીએ છીએ–આ રીતે નિશ્ચય–વ્યવહાર સહિત
ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે આચાર્યભગવંતોને વંદીએ છીએ–પૂજીએ છીએ.
છે. તેઓ જ્ઞાનાદિની શુદ્ધ પરિણતિરૂપે પરિણમી રહ્યા છે. જ્ઞાની આવા
PDF/HTML Page 28 of 53
single page version
નમસ્કારમાં પરલક્ષ હોવાથી શુભરાગ છે; તે શુભરાગથી ચૈતન્યપરિણમન જુદું છે–એમ
તે જ્ઞાની જાણે છે. અહા, સંતો ચૈતન્યની આરાધનામાં શૂરા છે. ચૈતન્યસ્વભાવના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય, તે રત્નોને સાધવામાં શૂરવીર આચાર્ય–ઉપાધ્યાય–
સાધુઓ છે.
પર્યાયમાં પણ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં રત્નો પ્રગટે છે, ગુરુદેવ પ્રમોદથી
કહે છે કે હે રતનીયા! તું તો અનંત ચૈતન્યરત્નને ધરનારો રતનીયો છો....તું દીન નથી.
અનંત મુક્તિરત્નો, આનંદમય રત્નોનો તું ભંડાર છો....અરે હીરા! ચૈતન્યના અનંતા
હીરાનો તું ભંડાર છો, તેની સન્મુખ થતાં તને રત્નત્રય અને મોક્ષ પ્રગટશે.
વેદન મને મારા સ્વસંવેદનમાં થયું તેવા જ જ્ઞાન–આનંદનું વેદન તે બધા પંચપરમેષ્ઠી
ભગવંતો કરી રહ્યા છે. જુઓ તો ખરા, સાધકના સ્વસંવેદનજ્ઞાનનું મહાન સામર્થ્ય!
આવી તાકાત શુભ વિકલ્પમાં નથી. સ્વસંવેદન જ્ઞાનમાં વિકલ્પ સમાઈ શકે નહિ.
વિકલ્પથી જુદું કામ કરનારું જ્ઞાન જ પંચપરમેષ્ઠી વગેરેના સ્વરૂપનો સાચો મહિમા જાણે
છે; અને તે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના અનંત આનંદમયમાં પ્રવૃત્તિ કરે છે;
આનંદધામ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તે મોક્ષને સાધે છે–એવા સંતોના અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યપરિણમનને ઓળખીને અમે ભક્તિથી તેને વંદીએ છીએ.
સ્વયં તૃપ્ત થયા તે હવે દુઃખજનક વિષયોને કેમ વાંછે?–આવા પરમ નિઃકાંક્ષભાવવાળા
જૈનસાધુઓ હોય છે. સ્વભાવનું પરમ સુખ ચાખ્યા વગર વિષયોની વાંછા જીવને
ખરેખર માટે નહિ. પુણ્યરાગની વાંછા તે પણ વિષયોની જ વાંછા છે. રાગ વગરના
અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ ચાખ્યા વગર રાગની ને વિષયોની વાંછા મટે નહિ, ને
એવા જીવને સાધુપણું ક્્યાંથી હોય? સાધુઓ તો ચૈતન્યસુખનાં અમૃતથી તૃપ્ત–તૃપ્ત
હોવાને લીધે પરમ નિષ્કાંક્ષ છે. પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે તેમાં
PDF/HTML Page 29 of 53
single page version
ઉપાધ્યાયાદિ સાધુ ભગવંતોને અમે ભક્તિથી ફરી ફરીને વંદન કરીએ છીએ.
ચૈતન્યભાવમાં વર્તે છે, રાગાદિમાં તે ખરેખર વર્તતા નથી. રાગપરિણતિ અને
ચૈતનાપરિણતિ બંને તદ્ન જુદું કામ કરે છે.
આનંદનો અનુભવ કરીને જેઓ વિષયોથી સદા વિરકત છે ને આત્મામાં સદા અનુરકત
છે એવા ચાર આરાધનાના આરાધક સાધુઓ, મોક્ષની સન્મુખ છે ને ભવથી વિમુખ છે;
એવા સાધુઓની પવિત્ર ચેતન્યદશા અમને વંઘ છે, અમે તેને વંદીએ છીએ.
અંતર્મંથના કરે છે કે અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે,
એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી;
શુભભાવો અનંતવાર કર્યા છતાં ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, તો તે
રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે, તેની પ્રતીત
પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે.–આમ ચૈતન્યવસ્તુને પકડવાનો
અંતર્મુખ ઉધમ તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
PDF/HTML Page 30 of 53
single page version
ધર્માત્માના નિમિત્તે તે ઉત્સવ ઉજવાય છે તે ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી જીવ
પહોંચે તો તેને મહાન આત્મલાભ થાય. અંતરંગ હાર્દને ઓળખ્યા વગર એકલા
બહારના ઠાઠ–માઠ કે નૃત્ય–ગાનમાં ધર્માત્માનો સાચો મહિમા પ્રસિદ્ધ થઈ
શકતો નથી. એટલે મુમુક્ષુ જીવની ભક્તિ માત્ર ભજન–સંગીત કે નૃત્ય–ગાનમાં
જ સમાપ્ત થતી નથી પણ તેનાથી આગળ વધીને ધર્માત્માના ઊંડા હદયમાં
પ્રવેશીને તેની ચેતના સુધી પહોંચી જાય છે. ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી
પહોંચીને તેના સાચા મહિમાને પ્રસિદ્ધ કરતી એક નાનકડી નાટિકા અહીં આપી
છે–જે સર્વે મુમુક્ષુઓને આનંદ આપશે. (સં.)
ચિતિ:– વાહ સખી! અદ્ભૂત છે આ ધર્માત્મા! ચેતનાની પ્રાપ્તિ માટે આપણે આ
PDF/HTML Page 31 of 53
single page version
–જો તો ખરી બેન! કેવી અદ્ભુત છે એમની મુદ્રા! કેવો પુણ્યપ્રભાવ એમની મુદ્રા
પર ઝળકી રહ્યો છે!! ને કેવી મહાન પ્રભાવનાનાં કાર્યો તેઓ કરી રહ્યાં છે!!
ચિતિ:–(ઊંચે–નીચે જોઈને–) બેન, બીજું તો કાંઈ મને દેખાતું નથી; તું બતાવ!
જ્ઞપ્તિ:–
પુણ્યપ્રભાવ આ વૈરાગ્યરસઝરતી મુદ્રા, અને આ પ્રભાવનાનાં કાર્યો–એ
કોઈની સાથે આ ધર્માત્માની ચેતના તન્મય નથી. આ જ્ઞાની–ધર્માત્માની
ચેતના તો એમના આત્મા સાથે જ તન્મય છે, ને એ ચેતનાથી જ તેઓ
પૂજય છે, તેનાથી જ તેઓ વીતરાગ છે, તેને લીધે જ તેઓ મહાન અને
મોક્ષના સાધક છે.
નમું તેહ જેથી થયા અરિહંતાદિ મહાન.
ચિતિ:– ભલે ગંભીર હોય, ને ભલે ઊંડી હોય, પણ આપણે શીખવી તો છે જ ને!
જ્ઞપ્તિ:–
ચિતિ:– હા બેન, પણ હવે આપણે માત્ર બહારના ઉત્સવની ધામધૂમથી સંતોષ નહિ
PDF/HTML Page 32 of 53
single page version
પણ તેમના જેવી ચેતના પ્રાપ્ત કરીને ‘અપૂર્વ ભાવમહોત્સવ’ ઊજવીશું. –
ચેતનારૂપ સ્વયં બનીને.....આનંદ–ઉત્સવ કરશું......
સમ્યક્સુખડી લેવા ચાલો....સંતજનોના ચરણે.....
જીવન અમારૂં સુખી થાયે......ગુરુજીનાં શરણે.....
ભક્તિથી સૌ શિર ઝુકાવો જ્ઞાનીઓનાં ચરણે.....
જીવને કેમ ગમતું હશે? જીવ પોતાને ભૂલીને આ પીંજરાને
જ પોતાનું સ્વરૂપ માની બેઠો. તેથી પીંજરાથી જીવ છૂટો
પડતાં ખોટી રીતે દુઃખી થાય છે.
આત્માનું શું કાંઈ ઓછું થઈ ગયું? અહીં કે બીજે ગમે ત્યાં
આત્મા પોતાના જ્ઞાન–આનંદાદિ અનંત ગુણોસહિત જ
સદાય બિરાજી રહ્યો છે, તેનું અસ્તિત્વ કદી મટી જતું નથી,
કે તેનો કોઈ જ ગુણ ઓછો થતો નથી. પછી ખેદ શેનો?
માત્ર મોહનો. મોહનું દુઃખ મરણ કરતાંય વધારે છે. માટે
મોહ છોડ.
PDF/HTML Page 33 of 53
single page version
જ્ઞાનીને સ્વસંવેદનના બળે ચૈતન્યસ્વભાવ બધાથી અત્યંત
દેખાતો નથી, એને તો સંયોગો અને પરભાવો જ દેખાય છે તેથી
તે તો તેને જ આત્મા માને છે; પણ તે ખરેખર આત્મા નથી,
આત્મા તો તે બધાથી જુદો ચૈતન્યસ્વભાવ છે–એ વાત અહીં
સમજાવે છે; અને તેનો અનુભવ કરવાનું કહે છે.
અનુભવ્યો, તેનું અદ્ભૂત શાંતરસમય વર્ણન ગાથા ૩૮ માં કર્યૃં; અને બીજા જીવોને
આવા શાંતરસમય આત્માનો અનુભવ કરવાની પ્રેરણા કરી.
અનાત્મવાદી અજ્ઞાની જીવ આઠ બોલ દ્ધારા દલીલ કરીને કહે છે કે–તે કર્મ વગેરે જ
અમને તો દેખાય છે, તે કર્મ વગેરેથી જુદો બીજો તો કોઈ જીવ અમારા જોવામાં
આવતો નથી!
સ્વાનુભવથી–એ ત્રણેથી તારી વાત ખોટી ઠરે છે. આગમ–યુક્તિ અને સ્વાનુભવદ્ધારા
આચાર્યદેવ અજ્ઞાનીના આઠે બોલનું ખંડન કરીને એ અપૂર્વ ન્યાય સિદ્ધ કરે છે કે–
PDF/HTML Page 34 of 53
single page version
ભેદજ્ઞાનીઓ પોતાના અંતરમાં સ્વસંવેદનવડે પ્રત્યક્ષ અનુભવે છે; ભગવાનના
આગમમાં પણ જીવને ચૈતન્યસ્વભાવરૂપ જ કહ્યો છે, રાગાદિને જીવ નથી કહ્યો; અને
યુક્તિઓ વડે પણ જીવ રાગાદિથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જ સાબિત થાય છે–માટે હે
જીવ! તું બીજો નકામો કોલાહલ છોડીને, આવા જીવને તારા અંતરમાં અનુભવવાનો
ઉધમ કર. એકલક્ષે એવો ઉધમ કરતાં છમહિનામાં તો તને પુદ્ગલથી ભિન્ન
ચૈતન્યપ્રકાશથી ઝળહળતો તારો આત્મા તારા અંતરમાં જ દેખાશે.
છે–તે સ્વાનુભવગમ્ય થઈ શકે છે એમ બતાવે છે:–
તેનાથી જુદો કોઈ જીવ અમને દેખાતો નથી, માટે તે રાગ–દ્ધેષાદિ જ જીવ છે!
રાગ–દ્ધેષ વગરનો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, જ્ઞાન તે કાંઈ રાગ–દ્ધેષવાળું કાળું હોય?
સમ્યક્મતિશ્રુતજ્ઞાનમાં જીવ રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપે અનુભવાય છે.
કાંઈ ચૈતન્યપણું નથી, એ તો ચૈતન્યથી ખીલી છે–ચૈતન્ય વગર છે–ચૈતન્યથી જુદી
જાતના છે, માટે તે રાગાદિકભાવો ખરખેર જીવ નથી. જેનામાં ચેતનપણું ન હોય તેને
PDF/HTML Page 35 of 53
single page version
નથી, ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી જુદો છે. ને ભેદજ્ઞાનીઓ જ્ઞાન અને રાગની
ભિન્નતાને ઓળખીને, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને સાક્ષાત અનુભવે છે. અહા! અમને
તો આવો જુદો ચિદાનંદ જીવ સાક્ષાત્ દેખાય છે. હે ભાઈ! તું અંતરમાં ચૈતન્યભાવનો
અભ્યાસ કર તો તને પણ તારા અંતરમાં રાગના વિલાસથી જુદો, ચૈતન્યસ્વભાવથી
વિલસતો તારો આત્મા સાક્ષાત્ અનુભવમાં આવશે, જેના અનુભવથી તને મહાન
આનંદ થશે.
આવો જીવ સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, એકવાર આવા આત્માને તું અંદર
ઊતરીને જો તો ખરો.... એની સન્મુખ થતાં જ તને ભવના અંતના ભણકાર આવી જશે
ને આનંદમય નિર્વાણપુરીનાં દરવાજા ખુલી જશે.
આગમની પણ સાક્ષી આપી.
આવ્યો છે....તેનું સરસ વર્ણન ‘આજ મેરે સમકિત–સાવન આયો’ એ ભજનમાં કર્યું છે.
(આ જ અંકમાં તે ભજન અર્થસહિત આપ્યું છે.’
પણ અત્યંત જુાદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–એમ આચાર્યદેવ બહુ સરસ રીતે
સમજાવશે, ને પછી એવા આત્માના અનુભવ માટે મીઠાસથી પ્રેરણા આપશે કે હે ભાઈ!
જો તું બીજો કોલાહલ છોડીને, અમે કહીએ છીએ તેવા જીવને તારા અંતરમાં દેખવાનો
એકાગ્રચિત્તથી છમહિના અભ્યાસ કરીશ તો તને પણ જરૂર અમારી જેમ રાગાદિથી
ભિન્ન ચૈતન્યસ્વભાવનો અનુભવ થશે.
PDF/HTML Page 36 of 53
single page version
દેખાતો નથી, માટે કર્મ તે જ જીવ છે!
આવે છે;–રાગ વગર, ઈદ્રિયની અપેક્ષા વગર જ્ઞાની અંતરમાં પોતાના આત્માને એક
જ્ઞાયકસ્વભાવપણે સાક્ષાત્ અનુભવે છે.–આવો અનુભવ કરે ત્યારે આત્માને ખરેખર
માન્યો કહેવાય. અજ્ઞાનીને કર્મ જ દેખાય છે, કર્મથી જુદો જીવ દેખાતો નથી; જ્ઞાનીને
જ્ઞાનસ્વભાવમાં કર્મ દેખાતું નથી. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં આત્મામાં કર્મનો સંબંધ
જ ક્્યાં છે? કર્મના સંબંધ વગરનો આત્મા જ્ઞાનસ્વભાવપણે ધર્મીને અનુભવાય છે.
કર્મની કીડાથી અત્યંત જુદી મારી ચેતનાની કીડા છે.–આવો અનુભવ કરે તેઓ જ
સત્યાર્થવાદી છે, તેઓ જ સત્ય આત્માને જાણનાર છે; પણ બીજા કે જેઓ આત્માને
કર્મવાળો જ દેખે છે–તેઓ પરમાર્થવાદી નથી, આત્માને તેઓ જાણનારા નથી. અરે, કર્મ
તો જડ પુદ્ગલની રચના છે–એને જીવ કોણ કહે! સર્વજ્ઞ ભગવાને તો એને અજીવ કહ્યું
છે, તે ચેતના વગરનું છે; ને જીવનો તો ચૈતન્ય–સ્વભાવરૂપ કહ્યો છે. આવા આત્માને હે
જીવ! તું જાણ.
જીવ અમને દેખતો નથી!
ચેતનરસ નથી. આત્મા તો ચેતનરસથી ભરેલો છે, તે ચેતનરસથી ભરેલો આત્મા
રાગાદિ અધ્યવસાનોથી તદ્ન જુદો ભેદજ્ઞાની સાક્ષાત્ અનુભવે છે, માટે
PDF/HTML Page 37 of 53
single page version
સંતતિમાં વચ્ચે રાગાદિ અધ્યવસાન નથી.
રાગાદિ નથી; માટે રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
ધર્માત્મા–ભેદજ્ઞાની
અનુભૂતિમાં રાગાદિનો અભાવ છે.
પણ તારો આત્મા રાગાદિ વગરનો, જ્ઞાનસ્વભાવરૂપ દેખાશે.
શરીર છે તે જ જીવ છે, એનાથી જુદો કોઈ જીવ નથી–એમ અજ્ઞાનીએ
ચોથા બોલમાં કહ્યું હતું.
થઈ ગયું? જીવ તો ચેતનરૂપ હોય. શરીર તો ચેતના વગરનું અજીવ છે.
જ્ઞાની તો પોતાના આત્માને જડ શરીરથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપે
સ્પષ્ટ અનુભવે છે.
ચેતનના વિવેક વગરના છે; તેઓ મૃતકકલેવર એવા શરીરમાં મોહી રહ્યા
છે, ને ચૈતન્યઅમૃતસ્વરૂપ
PDF/HTML Page 38 of 53
single page version
ભાસતું નથી. જ્ઞાનીને તો સ્પષ્ટ ભેદજ્ઞાન છે કે જડ શરીરના અસ્તિત્વમાં હું નથી, હું તો
મારા ચૈતન્યઅસ્તિત્વમાં છું. મારી ચૈતન્યસત્તામાં જડ સત્તા નથી, જડ સત્તામાં હું નથી,
આત્માનો કોઈ પણ ગુણ કે પર્યાય અચેતન શરીરમાં નથી. આમ જડ–ચેતન બંનેનું
અસ્તિત્વ સર્વથા જુદું છે. તેનું ભેદજ્ઞાન કરીને ધર્મીજીવ પોતાને શરીરાદિ સમસ્ત
અચેતનથી અત્યંત જુાદો, પરમ ચૈતન્યસ્વરૂપે અનુભવે છે. અતીન્દ્રિયજ્ઞાનમાં સ્વસંવેદન
વડે આવા આત્માનો અનુભવ થાય છે. શરીરનો સંયોગ છતાં શરીરથી ભિન્ન આત્મા
અનુભવમાં આવી શકે છે. ચૈતન્યના અનુભવમાં શરીર કાંઈ ભેગું નથી આવતું,
અનુભવથી તે જુદું જ રહે છે. આ રીતે ચૈતન્યસ્વરૂપ આત્મા શરીરથી તદ્ન જુદો છે.
શુભાશુભરાગને બાદ કરીને જો તો તને પણ તારો આત્મા ચૈતન્યસ્વરૂપ દેખાશે.
આત્માનો સ્વભાવ તો સુખ છે, ને પુણ્ય–પાપનું ફળ દુઃખ છે, તેને આત્મા કેમ કહેવાય?
શુભાશુભકર્મ તરફ ઢળતો ભાવ દુઃખરૂપ છે, ચેતનસ્વભાવ તરફ ઢળતો ભાવ સુખરૂપ
છે–આ રીતે તે શુભાશુભનો સમાવેશ આત્માના સ્વભાવમાં થતો નથી; તેઓ આત્માના
સ્વભાવ સાથે સંબંધંવાળા નથી પણ જડ કર્મ સાથે સંબંધવાળા છે. આ રીતે તારો
જ્ઞાનસ્વભાવ શુભાશુભકર્મોથી અત્યંત જુદો છે. આવા ભિન્ન સ્વરૂપને ઓળખીને
ભેદજ્ઞાન કરતાં તને પણ શુભાશુભ સમસ્ત કર્મોથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ
સાક્ષાત્ અનુભવમાં આવશે. પુણ્ય–પાપકર્મ અને શુભાશુભભાવ આત્મા છે એવો તારો
ભ્રમ ભેદજ્ઞાન વડે મટી જશે. એક તરફ આત્માનો ચેતનસ્વભાવ, તેમાં જેટલું સમાય
તેટલો તું; અને બીજી તરફ ચેતનસ્વભાવથી જુદા જે કોઈ ભાવો હોય તે જીવ નહિ, તે
જીવનો સ્વભાવ નહિ એટલે કે પુદ્ગલનો સ્વભાવ છે, અજીવ છે.–આવા
PDF/HTML Page 39 of 53
single page version
તને જરૂર પુદ્ગલથી ભિન્ન તારા ચૈતન્યનો અપૂર્વ વિલાસ અનુભવમાં આવશે.
કદી દેખાતો નથી.
તરફનો ભાવ છે, તેનાથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે, તે ભેદજ્ઞાનવડે અનુભવમાં
આવે એવો છે.
ભાવ છે. ચૈતન્યનું સુખ તો તદ્ન અનાકુળ પરમ શાંત છે, તેમાં સાતાની પણ અપેક્ષા
નથી. આવું સુખ જેની સન્મુખતાથી પ્રગટે તેને ખરેખર જીવ કહીએ છીએ. ધર્મીજીવ
આત્માની સન્મુખ થઈને આવા આત્માને સાક્ષાત્ અનુભવે છે. માટે હે ભાઈ! તું પણ
‘સાતા–અસાતાથી જુદો જીવ નથી’ –એવી તારી મિથ્યા હઠને છોડ, ને અમે કહીએ છીએ
તે રીતે જ્ઞાનસ્વભાવી આત્માને દેખવાનો તારા અંતરમાં અભ્યાસ કર. છમાસના
અભ્યાસમાં તો તારા હદયમાં સ્વાનુભૂતિથી આત્મા શોભી ઊઠશે.
જ્ઞાનસ્વભાવનું જે અતીન્દ્રિયસુખ,–તેમાં તું છો; તે સાચું જીવનું સ્વરૂપ છે. આવા સ્વરૂપે
આત્માને અનુભવમાં લે.
PDF/HTML Page 40 of 53
single page version
રાગથી જુદો તો જ્ઞાનનો કોઈ સ્વાદ અમને દેખાતો નથી, તદ્ન કર્મ વગરનો તો કોઈ
જીવ દેખાતો નથી, માટે આત્મા અને કર્મનો સંયોગ તે જીવ છે!
અનુભવે છે. શીખંડમાં પણ ખરેખર દહીં અને ખાંડનો સ્વાદ જુદો જ છે, મીઠાસ અને
ખટાશ તે કાંઈ એક નથી; તેમ આત્મામાં શાંતઅનાકૂળ મીઠોરસ તે તો ચૈતન્યનો સ્વાદ
છે, ને આકુળતા–રાગાદિ તે કર્મ તરફનો ખાટો સ્વાદ છે, તે બંનેને એકતા નથી પણ
તદ્ન ભિન્નતા છે. જ્ઞાની સ્વાનુભવમાં પોતાના આત્માને ચૈતન્યસ્વાદપણે, કર્મથી
સર્વથા જુાદો જ અનુભવે છે.
અનુભવ ક્્યાંથી થશે? માટે તારી તે હઠ છોડ અને નકામો કોલાહલ છોડીને, અમે જે
રીતે કહીએ છીએ તે રીતે આત્માને લક્ષમાં લઈને તેના અનુભવમનો ઉધમ કર, તો
છમાસમાં તને પણ જરૂર તારા આત્માનો અનુભવ થશે, ને પુદ્ગલકર્મોથી ભિન્ન
ચેતનાવડે તારો આત્મા શોભી ઊઠશે.
જીવ છે, કર્મથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી!
તેનાથી જુદી જ છે. આઠ લાકડા ભેગા થઈને તેમાંથી લાકડાનો ખાટલો થાય, પણ કાંઈ
આઠ લાકડામાંથી માણસ ન થાય, માણસ તો જુાદો જ છે. આઠ લાકડાથી ખાટલો જુદો
નથી પણ ખાટલામાં સૂનારો માણસ તો તેનાથી જુદો જ છે.