Page 586 of 655
PDF/HTML Page 641 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪૦ ] [ પ૮૭
ત્રીજું સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિધ્યાન માત્ર કાયયોગના ધારકને હોય છે. (ગુણસ્થાન ૧૩ નો છેલ્લો ભાગ).
ચોથું વ્યુપરતક્રિયાનિવર્તિધ્યાન યોગરહિત-અયોગી જીવોને હોય છે. (ગુણસ્થાન ૧૪)
(૧) કેવળી ભગવાનને અતીન્દ્રિયજ્ઞાન હોય છે, તેનો અર્થ એવો નથી કે તેમને દ્રવ્યમન નથી. દ્રવ્યમનનો તેમને સદ્ભાવ છે, પણ તેમને મનોનૈમિત્તિક જ્ઞાન નથી કેમકે માનસિક જ્ઞાન તો ક્ષાયોપશમરૂપ છે, અને કેવળી ભગવાનને ક્ષાયિકજ્ઞાન હોવાથી તેનો અભાવ છે.
(૨) મનોયોગ ચાર પ્રકારના છે-૧- સત્ય મનોયોગ, ૨-મૃષા મનોયોગ, ૩- સત્યમૃષા મનોયોગ, ૪-અસત્યમૃષા મનોયોગ એટલે કે જેમાં સત્યપણું, અને મૃષાપણું એ બન્ને નથી, આને અનુભય મનોયોગ પણ કહેવાય છે. કેવળી ભગવાનને આ ચારમાંથી પહેલો અને ચોથો મનોયોગ વચનના નિમિત્તે ઉપચારથી કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– કેવળીને સત્યમનોયોગનો સદ્ભાવ હોય તે તો બરાબર છે, પણ તેમને વસ્તુનું યથાર્થ જ્ઞાન છે અને સંશય તથા અનધ્યવસાયરૂપ જ્ઞાનનો અભાવ છે તેથી તેમને અનુભય અર્થાત્ અસત્યમૃષા મનોયોગ કેવી રીતે સંભવે છે?
ઉત્તરઃ– સંશય અને અનધ્યવસાયના કારણરૂપ જે વચન તેનું નિમિત્તકારણ મન હોય છે, તેથી તેમાં શ્રોતાના ઉપચારથી અનુભયધર્મ રહી શકે છે, માટે સંયોગી જિનને અનુભય મનોયોગનો સદ્ભાવ ઉપચારથી કહેવામાં આવે છે. આ રીતે સયોગી જિનને અનુભયમનોયોગ સ્વીકારવામાં કાંઈ વિરોધ નથી. કેવળીના જ્ઞાનના વિષયભૂત પદાર્થો અનંત હોવાથી, અને શ્રોતાને આવરણકર્મનો ક્ષયોપયમ અતિશયરહિત હોવાથી કેવળીના વચનોના નિમિત્તે સંશય અને અનધ્યવસાયની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી અનુભય મનોયોગનો સદ્ભાવ ઉપચારથી કહેવામાં આવે છે. (શ્રી ધવલા પુસ્તક ૧ પા. ૨૮૨ થી ૨૮૪ તથા ૩૦૮)
કેવળી ભગવાનને ક્ષાયોપશમિકજ્ઞાન (ભાવમન) નહિ હોવા છતાં તેમને સત્ય અને અનુભય એ બે પ્રકારના મનોયોગની ઉત્પત્તિ કહેવામાં આવી છે તે ઉપચારથી કહેવામાં આવી છે. ઉપચારથી મનદ્વારા એ બન્ને પ્રકારનાં વચનોની ઉત્પત્તિનું વિધાન કરવામાં આવ્યું છે. જેમ બે પ્રકારના મનોયોગ કહ્યા છે તેમ બે પ્રકારના વચનયોગ પણ કહેવામાં આવ્યા છે, તે પણ ઉપચારથી છે કેમ કે કેવળી ભગવાનને બોલવાની ઇચ્છા નથી, સહજપણે દિવ્યધ્વનિ છે. (શ્રી ધવલા પુસ્તક ૧ પા. ૨૮૩ તથા ૩૦૮)
Page 587 of 655
PDF/HTML Page 642 of 710
single page version
પ૮૮ ] [ મોક્ષશાસ્ત્ર
શંકા–ક્ષપક (-ક્ષપકશ્રેણીવાળા) અને ઉપશમક (-ઉપશમશ્રેણીવાળા) જીવોને સત્યમનોયોગ અને અનુભવમનોયોગનો સદ્ભાવ ભલે હો, પણ બાકીનાં બે- અસત્યમનોયોગ અને ઉભયમનોયોગનો સદ્ભાવ શી રીતે છે? કેમ કે તે બન્નેમાં રહેવાવાળો અપ્રમાદ તે અસત્ય અને ઉભયમનોયોગના કારણભૂત પ્રમાદનો વિરોધી છે અર્થાત્ ક્ષપક અને ઉપશમક પ્રમાદરહિત હોય છે, માટે તેને અસત્યમનોયોગ અને ઉભયમનોયોગ કઈ રીતે હોય?
સમાધાનઃ– આવરણ કર્મયુક્ત જીવોને વિપર્યય અને અનધ્યવસાયરૂપ અજ્ઞાનના કારણભૂત મનનો સદ્ભાવ માનવામાં અને તેથી અસત્ય તથા ઉભયમનોયોગ માનવામાં કાંઈ વિરોધ નથી; પરંતુ તે કારણે ક્ષપક અને ઉપશમક જીવો પ્રમત્ત માની શકાય નહિ, કેમ કે પ્રમાદ મોહનો પર્યાય છે.
નોંધઃ– સમનસ્ક (-મનસહિત) જીવોને જ્ઞાનની ઉત્પત્તિ મનોયોગથી થાય છે-એમ માનવામાં દોષ છે. કેમ કે એમ માનવામાં કેવળજ્ઞાનથી વ્યભિચાર આવે છે પણ સમનસ્ક જીવોને ક્ષાયોપશમિકજ્ઞાન થાય છે તેમાં મનોયોગ નિમિત્ત છે-એ વાત સાચી છે. બધાં વચનો થવામાં મન નિમિત્ત છે એમ માનવામાં દોષ છે, કેમ કે એમ માનવાથી કેવળીભગવાનને મન નિમિત્ત નથી તેથી તેમને વચનનો અભાવ થશે.
પ. ક્ષપક અને ઉપશમક જીવોના વચનયોગ સંબંધી
શંકાઃ– જેમને કષાય ક્ષીણ થઈ ગયા છે તે જીવોને અસત્યવચનયોગ કેમ હોઈ શકે?
સમાધાનઃ– અસત્યવચનનું કારણ અજ્ઞાન છે, તે બારમા ગુણસ્થાન સુધી હોય છે, તે અપેક્ષાએ અસત્યવચનનો સદ્ભાવ બારમા ગુણસ્થાન સુધી હોય છે; અને તેથી ઉભયસંયોગજ સત્યમૃષાવચન પણ બારમા ગુણસ્થાન સુધી હોય છે, તેમાં કાંઈ વિરોધ નથી.
શંકાઃ– વચનગુપ્તિનું પૂરી રીતે પાલન કરનારા કષાયરહિત જીવોને વચનયોગ કેમ સંભવે?
સમાધાનઃ– કષાયરહિત જીવોમાં અન્તર્જલ્પ હોવામાં કાંઈ વિરોધ નથી.
Page 588 of 655
PDF/HTML Page 643 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪૧-૪૨-૪૩-૪૪] [ પ૮૯
અર્થઃ– [एकाश्रये] એક (શ્રુતજ્ઞાની) ના આશ્રયે રહેનારાં [पूर्वे] શુક્લધ્યાનના પહેલા બે ભેદો [सवितर्कवीचारे] વિતર્ક અને વિચારસહિત છે. પરંતુ-
અર્થઃ– [द्वितीयम्] ઉપર કહેલાં બે શુક્લધ્યાનમાંથી બીજું [अवीचारं] વીચારથી રહિત છે, (પણ સવિતર્ક હોય છે).
૧. ૪૨ મું સૂત્ર ૪૧ મા સૂત્રના અપવાદરૂપ છે, એટલે કે શુક્લધ્યાનનો બીજો ભેદ વીચારરહિત છે. જેમાં વિતર્ક અને વીચાર બન્ને હોય તે પહેલું પૃથક્ત્વવિતર્ક શુક્લધ્યાન છે, અને જે વીચારરહિત તથા વિતર્કસહિત, મણિના દીપકની સમાન અચલ છે તે બીજું-એકત્વવિતર્ક શુક્લધ્યાન છે; તેમાં અર્થ, વચન અને યોગનું પલટવું દૂર થયું હોય છે એટલે કે તે સંક્રાંતિરહિત છે. વિતર્કની વ્યાખ્યા ૪૩ માં સૂત્રમાં અને વીચારની વ્યાખ્યા ૪૪ મા સૂત્રમાં આવશે.
૨. સૂક્ષ્મ કાયયોગના અવલંબનથી જે ધ્યાન થાય છે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ (ત્રીજું) શુક્લધ્યાન કહેવાય છે; અને જેમાં આત્મપ્રદેશોમાં પરિસ્પંદ પેદા કરવાવાળી શ્વાસોચ્છ્વાસાદિ સમસ્ત ક્રિયાઓ નિવૃત થઈ જાય છે તેને વ્યુપરતક્રિયાનિવર્તિ (ચોથું) શુક્લધ્યાન કહેવાય છે. ।। ૪૧-૪૨।।
અર્થઃ– [श्रुतम्] શ્રુતજ્ઞાનને [वितर्कः] વિતર્ક કહેવાય છે.
નોંધઃ– ‘શ્રુતજ્ઞાન’ શબ્દ શ્રવણપૂર્વક જ્ઞાનનું ગ્રહણ સૂચવે છે. મતિજ્ઞાનના ભેદરૂપ ચિંતાને પણ તર્ક કહેવાય છે, તે અહીં ગ્રહણ કરવો નહીં. ।। ૪૩।।
અર્થઃ– [अर्थ व्यंजन योगसक्रान्तिः] અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ (- બદલવું) તે [वीचारः] વીચાર છે.
Page 589 of 655
PDF/HTML Page 644 of 710
single page version
પ૯૦ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થસંક્રાન્તિ–અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ અને સંક્રાન્તિ એટલે
અથવા પર્યાયને છોડી દ્રવ્યને ધ્યાવે તે અર્થસંક્રાન્તિ છે.
વ્યંજનસંક્રાન્તિ–વ્યંજન એટલે વચન અને સંક્રાન્તિ એટલે બદલવું તે. શ્રુતના
છોડીને કોઈ અન્યનું અવલંબન કરવું તથા તેને છોડીને કોઈ
અન્યનું અવલંબન કરવું તે વ્યંજનસંક્રાન્તિ છે.
યોગસંક્રાન્તિ–કાયયોગને છોડીને મનોયોગ કે વચનયોગને ગ્રહણ કરવો અને
એ લક્ષમાં રાખવું કે જે જીવને શુક્લધ્યાન વર્તે છે તે જીવ નિર્વિકલ્પદશામાં જ છે, તેથી તેને આ સંક્રાંતિની ખબર નથી; પણ તે દશામાં તેવી પલટના છે તે કેવળજ્ઞાની જાણે છે.
ઉપર કહેલ સંક્રાંતિ-પરિવર્તનને વીચાર કહેવાય છે. જ્યાં સુધી એ વીચાર રહે ત્યાં સુધી તે ધ્યાનને સવીચાર (અર્થાત્ પહેલું પૃથક્ત્વવિતર્ક) કહેવાય છે. પછી ધ્યાનમાં દ્રઢતા થાય છે ત્યારે તે પરિવર્તન બંધ થઈ જાય છે, તે ધ્યાનને અવીચાર (અર્થાત્ બીજું એકત્વવિતર્ક કહેવાય છે.)
પ્રશ્નઃ– કેવળીભગવાનને ધ્યાન હોય? ઉત્તરઃ– ધ્યાનનું લક્ષણ‘એકાગ્ર ચિંતાનિરોધ’ છે. એક એક પદાર્થનું ચિંતવન તો ક્ષયોપશમજ્ઞાનીને હોય, કેવળીભગવાનને તો યુગપત્ સકલ પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ કરે છે; એવો કોઈ પદાર્થ બાકી રહ્યો નથી કે જેનું તેઓ ધ્યાન કરે. કેવળીભગવાન કૃતકૃત્ય છે, તેમને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી; આથી તેમને ખરેખર ધ્યાન નથી. તોપણ આયુ પૂર્ણ થતાં તથા અન્ય ત્રણ કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં યોગનો નિરોધ અને કર્મોની નિર્જરા સ્વયમેવ થાય છે, અને ધ્યાનનું કાર્ય પણ યોગનો નિરોધ અને કર્મની નિર્જરા થવી તે છે, તેથી કેવળીભગવાનને ધ્યાન જેવું કાર્ય દેખીને ઉપચારથી તેમને શુક્લધ્યાન કહેવાય છે. ખરેખર ધ્યાન તેમને નથી. ।। ૪૪।।
અહીં ધ્યાનતપનું વર્ણન પૂરું થયું.
જો કે અનુપ્રેક્ષા અને ધ્યાનમાં કાંઈ અંતર નથી, પણ તેના ફળ અપેક્ષાએ ભિન્નતા
Page 590 of 655
PDF/HTML Page 645 of 710
single page version
અ. ૯. સૂત્ર ૪૪ ] [ પ૯૧ છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે તેમાં અનિત્યતા વગેરેનું ચિંતવન કરવાથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન કરી શકાય છે અને તેને વધારી શકાય છે. ધ્યાનનું ફળ એ છે કે તેમાં ચિત્તને અનેક વિષયોથી હટાવીને એક વિષયમાં સ્થિર કરી શકાય છે. આ કારણે અનુપ્રેક્ષા પછી ધ્યાનનું સ્વરૂપ, લક્ષણ તથા ભેદ વર્ણવીને તે બન્નેને જુદા લખવામાં આવ્યા છે. (તત્ત્વાર્થસાર અધ્યાય ૭. ગાથા ૪૩. ટીકા)
આ નવમા અધ્યાયના પહેલા અઢાર સૂત્રોમાં સંવર અને તેના કારણોનું વર્ણન કર્યું. ત્યારપછી નિર્જરા અને તેના કારણોનું વર્ણન શરૂ કર્યું. નિર્જરા તપથી થાય છે (तपसा निर्जरा च-સૂત્ર ૩), તેથી સૂ. ૧૯-૨૦ માં તપના બાર પ્રકાર વર્ણવ્યા, ત્યારપછી છ પ્રકારના અંતરંગતપના ભેદોનું વર્ણન અહીં સુધી કર્યું.
વગેરે સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક સ્પષ્ટીકરણ
૧. કેટલાક જીવો કેવળ વ્યવહારનયનું જ અવલંબન કરે છે, તેમને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધનસાધ્યભાવની દ્રષ્ટિ છે, તેથી તેઓ વ્યવહારમાં જ ખેદખિન્ન રહે છે. તેઓ નીચે પ્રમાણે વર્તે છે-
શ્રદ્ધા સંબંધમાં– ધર્મદ્રવ્યાદિ પરદ્રવ્યોની શ્રદ્ધા કરે છે. જ્ઞાન સંબંધમાં–દ્રવ્યશ્રુતના પઠન પાઠનાદિ સંસ્કારોથી અનેક પ્રકારના વિકલ્પ
જાળથી કલંકિત ચૈતન્યવૃત્તિને ધારણ કરે છે.
કર્મકાંડોને અચલિતપણે આચરે છે, તેમાં કોઈ વેળા પુણ્યની રુચિ કરે છે, કદાચિત્ દયાવંત થાય છે.
અનુકંપા અને કોઈવાર આસ્તિતક્યમાં વર્તે છે; તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદ્રષ્ટિ આદિ ભાવો ઉત્પન્ન ન થાય તેવી શુભોપયોગરૂપ સાવધાની રાખે છે; કેવળ વ્યવહારનયરૂપ ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલય, પ્રભાવના એ અંગોની ભાવના ચિંતવે છે અને તે બાબતનો ઉત્સાહ વારંવાર વધારે છે.
પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે દુર્ધર ઉપધાન કરે છે- આરંભ કરે છે, શાસ્ત્રનું રૂડા પ્રકારે બહુમાન કરે છે, ગુરુ વગેરેમાં ઉપકારપ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ, વ્યંજન અને તે બન્નેની શુદ્ધતામાં સાવધાન રહે છે.
Page 591 of 655
PDF/HTML Page 646 of 710
single page version
પ૯૨ ] [ મોક્ષશાસ્ત્ર
બધાથી વિરતિરૂપ પંચમહાવ્રતમાં સ્થિરવૃત્તિ ધારણ કરે છે; યોગ (- મન-વચન-કાય) ના નિગ્રહરૂપ ગુપ્તિઓનાં અવલંબનનો ઉદ્યોગ કરે છે; ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત છે.
વિવિક્તશય્યાસન અને કાયકલેશમાં નિરંતર ઉત્સાહ રાખે છે; પ્રાયશ્વિત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનને અર્થે ચિત્તને વશ કરે છે.
વીર્યાચાર સંબંધમાં– કર્મકાંડમાં સર્વશક્તિપૂર્વક વર્તે છે. આ જીવો ઉપર પ્રમાણે કર્મચેતનાની પ્રધાનતાપૂર્વક અશુભભાવની પ્રવૃત્તિ છોડે છે, પણ શુભભાવની પ્રવૃત્તિને આદરવા યોગ્ય માનીને અંગીકાર કરે છે; તેથી સકલ ક્રિયાકાંડના આડંબરથી પર, દર્શન-જ્ઞાન-ચારિત્રની ઐક્ય પરિણતિરૂપ જ્ઞાનચેતનાને તેઓ કોઈ પણ કાળે પામતા નથી.
તેઓ ઘણા પુણ્યના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિ ધારી રહે છે તેથી સ્વર્ગલોકાદિ ક્લેશપ્રાપ્તિ કરીને પરંપરાએ લાંબા કાળ સુધી સંસાર-સાગરમાં પરિભ્રમણ કરે છે. (જુઓ, શ્રી પંચાસ્તિકાય, ગાથા ૧૭૨ ટીકા)
૨. પ્રશ્નઃ– આ અધિકારમાં જે જે કાર્યો સંવર-નિર્જરારૂપ કહ્યાં છે તે કાર્યોને કેવળ વ્યવહારાલંબી જીવ પણ આદરે છે, છતાં તેને સંવર-નિર્જરા કેમ થતાં નથી?
ઉત્તરઃ– આ અધિકારમાં જે કાર્યો સંવર-નિર્જરારૂપ કહ્યાં છે તે વ્યવહારલંબી જીવના શુભભાવરૂપ નથી. કેવળ વ્યવહારાલંબી તો મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે શુભભાવને ધર્મ માને છે તથા તેને ધર્મમાં મદદગાર માને છે, તેથી તેને શુદ્ધતા પ્રગટે નહિ અને સંવર-નિર્જરા થાય નહિ. જે જીવોને શુદ્ધ નિશ્ચયનયનું આલંબન હોય તેઓ સમ્યગ્દ્રષ્ટિ છે, તેઓ શુભ ભાવને ધર્મ માનતા નથી. તેમને રાગદ્વેષ ટાળવાનો પુરુષાર્થ કરતાં અશુભ ટળીને જે શુભ રહી જાય છે તેને તેઓ ધર્મ માનતા નથી; તેથી ક્રમેક્રમે વીતરાગભાવ વધારીને, તે શુભભાવને પણ તેઓ ટાળે છે. એવા જીવોના વ્યવહારને આ અધિકારમાં ઉપચારથી સંવર-નિર્જરાનું કારણ કહેલ છે.
આ ઉપચાર પણ જ્ઞાનીના શુભભાવરૂપ વ્યવહારને લાગુ પડે છે, કેમ કે તેમને તે વ્યવહારની હેયબુદ્ધિ હોવાથી તેને ટાળે છે. અજ્ઞાની તો વ્યવહારને જ ધર્મ માનીને આદરે છે તેથી શુભરાગને તો ઉપચારથી પણ સંવર-નિર્જરાનું કારણ કહેવાય નહિ.
Page 592 of 655
PDF/HTML Page 647 of 710
single page version
અ. ૯. સ્પષ્ટીકરણ ] [ પ૯૩
ખરી રીતે તો શુદ્ધભાવ જ સંવર-નિર્જરારૂપ છે. જો શુભભાવ ખરેખર સંવર- નિર્જરાનું કારણ હોય તો કેવળ વ્યવહારાલંબીને બધા પ્રકારનો નિરતિચાર વ્યવહાર છે તેથી તેને શુદ્ધતા પ્રગટવી જોઈએ. પરંતુ રાગ સંવર નિર્જરાનું કારણ છે જ નહિ. અજ્ઞાની શુભભાવને ધર્મ માનતો હોવાથી તથા શુભ કરતાં કરતાં ધર્મ થશે એમ માનતો હોવાથી અને શુભ-અશુભ બન્ને ટાળતાં ધર્મ થશે એમ નહિ માનતો હોવાથી તેનો તમામ વ્યવહાર નિરર્થક છે, તેથી તેને વ્યવહારાભાસી કહેવામાં આવે છે.
આવો વ્યવહાર (-જે ખરેખર વ્યવહારાભાસ છે તે) ભવ્ય તેમજ અભવ્ય જીવોએ અનંતવાર કર્યો છે અને તેના ફળમાં અનંતવાર નવમી ગ્રેવેયકે ગયા છે, પણ તેનાથી ધર્મ થયો નથી. ધર્મ તો શુદ્ધ નિશ્ચયસ્વભાવના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ થાય છે.
શ્રી સમયસારજીમાં કહ્યું છે કે-
कुव्वंता वि अभव्वो अण्णाणी मिच्छदिठ्ठी दुण।। २७३।।
જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ વળી તપ–શીલને, કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.
અર્થઃ– જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે.
ટીકાઃ– શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તો પણ તે નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત) અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનથી શૂન્ય છે.
ભાવાર્થઃ– અભવ્ય જીવ મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ ચારિત્ર પાળે તોપણ નિશ્ચયસમ્યગ્જ્ઞાન-શ્રદ્ધા વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. (શ્રી સમયસાર પા. ૩૩પ-૩૩૬)
નોંધઃ– અહીં અભવ્ય જીવનો દાખલો આપ્યો છે, પણ આ સિદ્ધાંત વ્યવહારનો આશ્રય લેનાર બધા જીવોને એક સરખી રીતે લાગુ પડે છે.
૩. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. તેથી તેને નિશ્ચય કહ્યો છે. વ્રત, તપાદિ કાંઈ સાચો મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને
Page 593 of 655
PDF/HTML Page 648 of 710
single page version
પ૯૪ ] [ મોક્ષશાસ્ત્ર મોક્ષમાર્ગ કહ્યો, તેથી તેને વ્યવહાર કહેવાય છે. એ પ્રમાણે ભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે નિશ્ચયનય અને અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે વ્યવહારનય કહ્યા છે એમ જાણવું. પણ એ બન્નેને સાચા મોક્ષમાર્ગ જાણીને તેને ઉપાદેય માનવા તે તો મિથ્યાબુદ્ધિ જ છે. (જુઓ, શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક. પા. ૨પ૪)
૪. નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ જીવને ધર્મ કે સંવર-નિર્જરા થાય નહિ, શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર નિશ્ચય- વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ; માટે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાની પહેલી જરૂર છે.
सम्यग्द्रष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्त
અર્થઃ– [सम्यग्द्रष्टि श्रावक विरति] સમ્યગ્દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, વિરત મુનિ, [अनन्तवियोजक दर्शनमोहक्षपक] અનંતાનુબંધીનું વિસંયોજન કરનાર, દર્શનમોહનો ક્ષય કરનાર, [उपशमक उपशान्तमोह] ઉપશમશ્રેણી માંડનાર, ઉપશાંતમોહ, [क्षपक क्षीणमोह] ક્ષપકશ્રેણી માંડનાર, ક્ષીણમોહ અને [जिनाः] જિન- એ સર્વેને (અંતર્મુહૂર્તપર્યંત પરિણામોની વિશુદ્ધતાની અધિકતાથી, આયુકર્મને છોડીને) પ્રતિસમય [क्रमशः असंख्येयगुणनिर्जराः] ક્રમથી અસંખ્યાતગુણી નિર્જરા થાય છે.
(૧) અહીં પ્રથમ સમ્યગ્દ્રષ્ટિની-ચોથા ગુણસ્થાનની દશા જણાવી છે. જે અસંખ્યાતગુણી નિર્જરા કહી છે તે, સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની તદ્ન નજીકની આત્માની દશામાં થતી નિર્જરા કરતાં અસંખ્યાતગુણી સમજવી. પ્રથમોપશમ સમ્યક્ત્વની ઉત્પતિ પહેલાં ત્રણ કરણ થાય છે તેમાં અનિવૃત્તિકરણનાઅંત સમયમાં વર્તતી વિશુદ્ધતાથી વિશુદ્ધ જે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિ તેને આયુ સિવાયના સાત કર્મોની જે નિર્જરા થાય છે તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અસંયતસમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તપર્યંત સમયે સમયે થાય છે એટલે કે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિની નિર્જરા કરતાં સમ્યગ્દ્રષ્ટિને ગુણશ્રેણી નિર્જરામાં અસંખ્યગુણા દ્રવ્ય છે. આ ચોથા ગુણસ્થાનવાળા અવિરતિ સમ્યગ્દ્રષ્ટિની નિર્જરા છે.
(૨) તે જીવ જ્યારે પાંચમું ગુણસ્થાન-શ્રાવકપણું પ્રગટ કરે ત્યારે અંતર્મુહૂર્તપર્યંત નિર્જરા થવા યોગ્ય કર્મપુદ્ગલરૂપ ગુણશ્રેણી નિર્જરાદ્રવ્ય ચોથા ગુણસ્થાન કરતાં અસંખ્યાતગુણા છે.
Page 594 of 655
PDF/HTML Page 649 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪પ ] [ પ૯પ
(૩) પાંચમાથી અસંખ્યાતગુણી નિર્જરા સકળસંયમરૂપ અપ્રમત્તસંયત (સાતમું) ગુણસ્થાન પ્રગટે ત્યારે થાય છે. પાંચમા પછી પ્રથમ સાતમું ગુણસ્થાન પ્રગટે છે અને પછી વિકલ્પ ઉઠતાં છઠ્ઠું પ્રમત્ત ગુણસ્થાન આવે છે. સૂત્રમાં ‘વિરત’ શબ્દ કહ્યો છે તેમાં સાતમું અને છઠ્ઠું બન્ને ગુણસ્થાનવાળા જીવોનો સમાવેશ થાય છે.
(૪) ત્રણ કરણના પ્રભાવથી ચાર અનંતાનુબંધી કષાયને બાર કષાય તથા નવ નોકષાયરૂપ પરિણમાવી દે તે જીવોને અંતર્મુહૂર્તપર્યંત સમયે સમયે અસંખ્યાતગુણી દ્રવ્યનિર્જરા થાય છે. અનંતાનુબંધીની આ વિસંયોજના ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું એ ચાર ગુણસ્થાનોમાં થાય છે; તે ચારે ગુણસ્થાનમાં જે અનંતવિયોજક છે તે પોતાના ગુણસ્થાનમાં પોતાની પૂર્વની નિર્જરાથી અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
(પ) અનંત વિયોજકથી અસંખ્યાતગુણી નિર્જરા દર્શનમોહના ક્ષપકને (તે જ જીવને) થાય છે. પહેલાં અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી દર્શનમોહના ત્રિકને ક્ષપાવે એવો ક્રમ છે.
(૬) દર્શનમોહના ક્ષપક કરતાં ‘ઉપશમક’ ને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. પ્રશ્નઃ– ઉપશમકની વાત દર્શનમોહના ક્ષપક પછી કેમ કરી? ઉત્તરઃ– ક્ષપકનો અર્થ ક્ષાયિક થાય છે, અહીં ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે; અને ‘ઉપશમક’ કહેતાં દ્વિતીયોપશમ સમ્યક્ત્વયુક્ત ઉપશમશ્રેણીવાળો જીવ સમજવો. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ કરતાં ઉપશમશ્રેણીવાળાને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે તેથી પહેલાં ક્ષપકની વાત કરી છે અને ક્ષપક પછી ઉપશમકની વાત કરી છે. ક્ષાયક સમ્યગ્દર્શન ચોથે, પાંચમે, છઠ્ઠે અને સાતમે ગુણસ્થાને પ્રગટે છે અને જે જીવ ચારિત્રમોહનો ઉપશમ કરવાને ઉદ્યમી થયેલ છે. તેને આઠમું, નવમું અને દસમું ગુણસ્થાન હોય છે.
(૭) ઉપશમક જીવ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અગીયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને હોય છે.
(૮) ઉપશાન્તમોહવાળા જીવ કરતાં ક્ષપકશ્રેણીવાળાને અસંખ્યાત ગુણી નિર્જરા હોય છે; આ જીવને આઠમું, નવમું અને દશમું ગુણસ્થાન હોય છે.
(૯) ક્ષપકશ્રેણીવાળા જીવ કરતાં બારમા ક્ષીણમોહ ગુણસ્થાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે.
(૧૦) બારમા ગુણસ્થાન કરતાં જિનને (તેરમા અને ચૌદમા ગુણસ્થાને) અસંખ્યાતગુણી નિર્જરા હોય છે. જિનના ત્રણ ભેદ છે- (૧) સ્વસ્થાન કેવળી,
Page 595 of 655
PDF/HTML Page 650 of 710
single page version
પ૯૬ ] [ મોક્ષશાસ્ત્ર (૨) સમુદ્ઘાત કેવળી અને (૩) અયોગ કેવળી. આ ત્રણેમાં પણ વિશુદ્ધતાના કારણે ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા છે. અત્યંત વિશુદ્ધતાને કારણે સમુદ્ઘાત કેવળીને નામ, ગોત્ર અને વેદનીયકર્મની સ્થિતિ આયુકર્મ સમાન થઈ જાય છે.
આ સૂત્રમાં નિર્જરા માટે પ્રથમ પાત્ર સમ્યગ્દ્રષ્ટિ જણાવેલ છે, તેથી એમ સિદ્ધ થાય છે કે સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
આ સૂત્રમાં નિર્જરાના દસ પાત્રોનો જે અનુક્રમ આપ્યો છે તેનો અર્થ એમ ન સમજવો કે વિરત ગુણસ્થાનવાળા જીવ કે જેને ત્રીજા પાત્રમાં મૂકેલ છે તેના કરતાં ચોથા અને પાંચમાં પાત્રમાં મૂકેલા ચોથા કે પાંચમા ગુણસ્થાનવર્તી અનંતાનુબંધીના વિસંયોજકને કે દર્શનમોહના ક્ષપકને વધારે નિર્જરા થાય છે. પણ એમ સમજવું કે તે તે ગુણસ્થાનવર્તી જીવ જો અનંતવિયોજક થાય કે દર્શનમોહ ક્ષપક થાય તો તે જીવને પહેલાં કરતાં અસંખ્યાતગુણી દ્રવ્યનિર્જરા થાય છે. ।। ૪પ।।
पुलाकबकुशकुशीलनिर्ग्रंथस्नातका निर्ग्रंथा।। ४६।।
નિર્ગ્રંથ અને સ્નાતક- એ પાંચ પ્રકારના [निर्ग्रथाः] નિર્ગ્રંથ (-સાધુ) છે.
(૧) પુલાક–જે ઉત્તરગુણોની ભાવનાથી રહિત હોય અને કોઈ ક્ષેત્ર તથા કાળમાં કોઈ મૂળગુણમાં પણ અતિચાર લગાડે, તથા જેને અલ્પ વિશુદ્ધતા હોય તેને પુલાક કહે છે. (જુઓ, સૂત્ર ૪૭ માં આપેલ પ્રતિસેવનાની વિગત)
(૨) બકુશ–જે મૂળગુણોનું નિર્દોષ પાલન કરે છે પણ શરીર તથા ઉપકરણોની શોભા વધારવા માટે ધર્માનુરાગના કારણે કાંઈક ઇચ્છા રાખે છે તેને બકુશ કહે છે.
(૩) કુશીલ– તેના બે પ્રકાર છે-૧. પ્રતિસેવના કુશીલ અને ૨. કષાય કુશીલ. જેને શરીરાદિ તથા ઉપકરણાદિથી પૂર્ણ વિરક્તતા ન હોય, અને મૂળગુણ તથા ઉત્તરગુણની પરિપૂર્ણતા હોય, પરંતુ ઉત્તરગુણમાં કાંઈક વિરાધના કોઈ વાર થતી હોય તેને પ્રતિસેવના કુશીલ કહે છે. અને જેમણે સંજ્વલન સિવાય બીજા કષાયોને જીતી લીધા હોય તેને કષાય કુશીલ કહે છે.
Page 596 of 655
PDF/HTML Page 651 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪૬-૪૭ ] [ પ૯૭
(૪) નિર્ગ્રંથઃ– જેમને મોહકર્મ ક્ષીણ થઈ ગયું છે તથા જેમને મોહકર્મના ઉદયનો અભાવ છે એવા બારમા તથા અગીઆરમા ગુણસ્થાનવર્તી મુનિને નિર્ગ્રંથ કહે છે.
(પ) સ્નાતકઃ– સમસ્ત ઘાતીકર્મોનો નાશ કરનાર કેવળી ભગવાનને સ્નાતક કહે છે. (આમાં તેરમું તથા ચૌદમું બન્ને ગુણસ્થાન સમજવા.)
બાર, તેર અને ચૌદમા ગુણસ્થાને બિરાજતા જીવો પરમાર્થનિર્ગ્રંથ છે, કેમ કે તેમને સમસ્ત મોહનો નાશ થયો છે; તેઓને નિશ્ચયનિર્ગ્રંથ કહેવાય છે. બીજા સાધુઓ જો કે સમ્યગ્દર્શન અને નિષ્પરિગ્રહપણાને લીધે નિર્ગ્રંથ છે અર્થાત્ તેઓ મિથ્યાદર્શન તથા વસ્ત્ર, આભરણ, હથિયાર, કટક, ધન-ધાન્ય વગેરે પરિગ્રહથી રહિત હોવાથી નિર્ગ્રંથ છે, તોપણ તેમને મોહનીયકર્મનો અંશે સદ્ભાવ છે, તેથી તેઓ વ્યવહારનિર્ગ્રંથ છે.
(૧) પ્રશ્નઃ– પુલાક મુનિને કોઈ અવસરમાં કોઈ એક વ્રતનો ભંગ ક્ષેત્ર- કાળને વશ હોય છે, છતાં તેને નિર્ગ્રંથ કહ્યા, તો શ્રાવકને પણ નિર્ગ્રંથપણું કહેવાનો પ્રસંગ આવશે?
ઉત્તરઃ– પુલાક મુનિ સમ્યગ્દ્રષ્ટિ છે અને પરવશથી કે જબરજસ્તીથી વ્રતમાં ક્ષણિક દોષ થઈ જાય છે;પણ યથાજાતરૂપ છે તેથી નૈગમનયે તે નિર્ગ્રંથ છે; શ્રાવકને યથાજાતરૂપ (નગ્નપણું) નથી તેથી તેને નિર્ગ્રંથપણું કહેવાય નહિ.
(૨) પ્રશ્નઃ– જો યથાજાતપણાને લીધે જ પુલાક મુનિને નિર્ગ્રંથ કહેશો તો ઘણા મિથ્યાદ્રષ્ટિઓ પણ નગ્ન રહે છે, તેમને પણ નિર્ગ્રંથ કહેવાનો પ્રસંગ આવશે?
ઉત્તરઃ– તેમને સમ્યગ્દર્શન નથી. એકલું નગ્નપણું તો ગાંડાને, બાળકને તથા તિર્યંચોને પણ હોય છે, પરંતુ તેથી તેને નિર્ગ્રંથ કહેવાય નહિ. જે સમ્યગ્દર્શન- જ્ઞાનપૂર્વક સંસાર અને દેહ ભોગથી વિરક્ત થઈ નગ્નપણું ધારે તેને નિર્ગ્રંથ કહેવાય, બીજાને નહિ. ।। ૪૬।।
संयमश्रुतप्रतिसेवनातीर्थलिंगलेश्योपपादस्थानविकल्पतःसाध्याः।। ४७।।
અર્થઃ– ઉપર કહેલા મુનિઓ [संयम श्रुत प्रतिसेवना तीर्थ] સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, [लिंग लेश्या उपपाद स्थान] લિંગ લેશ્યા ઉપપાદ અને સ્થાન-એ
Page 597 of 655
PDF/HTML Page 652 of 710
single page version
પ૯૮] [ મોક્ષશાસ્ત્ર આઠ અનુયોગોદ્વાર [विकल्पतः साध्या] ભેદરૂપથી સાધ્ય છે અર્થાત્ આ આઠ પ્રકારથી તે પુલાકાદિ મુનિઓમાં વિશેષ ભેદ પડે છે.
(૧) સંયમઃ– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુને સામાયિક અને છેદોપસ્થાપન એ બે સંયમ હોય છે; કષાયકુશીલ સાધુને સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસાંપરાય એ ચાર સંયમ હોય છે; નિર્ગ્રંથ અને સ્નાતકને યથાખ્યાતચારિત્ર હોય છે.
(૨) શ્રુતઃ– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુ વધારેમાં વધારે સંપૂર્ણ દસ પૂર્વધારી હોય છે; પુલાકને જઘન્ય આચારંગમાં આચારવસ્તુનું જ્ઞાન હોય છે અને બકુશ તથા પ્રતિસેવના કુશીલને જઘન્ય આઠ પ્રવચનમાતાનું જ્ઞાન હોય છે એટલે કે આચારાંગના ૧૮૦૦૦ પદોમાંથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરમાર્થ વ્યાખ્યાન સુધી આ સાધુઓનું જ્ઞાન હોય છે; કષાયકુશીલ અને નિર્ગ્રંથને ઉત્કૃષ્ટજ્ઞાન ચૌદપૂર્વનું હોય છે અને જઘન્ય જ્ઞાન આઠ પ્રવચનમાતાનું હોય છે. સ્નાતક તો કેવળજ્ઞાની છે તેથી તેઓ શ્રુતજ્ઞાનથી પર છે.
(૩) પ્રતિસેવના (=વિરાધના) -પાંચમહાવ્રતો અને રાત્રિભોજનનો ત્યાગ એ છમાંથી કોઈ એકની વિરાધના પુલાકમુનિને પરવશથી કે જબરજસ્તીથી થઈ જાય છે. મહાવ્રતોમાં તથા રાત્રિભોજન ત્યાગમાં કૃત, કારિત, અનુમોદનાથી પાંચે પાપોનો ત્યાગ છે તેમાં કોઈ પ્રકારમાં સામર્થ્યની હીનતાથી દૂષણ લાગે છે; ઉપકરણ-બકુશ મુનિને કમંડળ, પીંછી, પુસ્તકાદિ ઉપકરણની શોભાની અભિલાષાના સંસ્કારનું સેવન હોય છે તે વિરાધના જાણવી, તેમ જ શરીર-બકુશમુનિને શરીરના સંસ્કારરૂપ વિરાધના હોય છે; પ્રતિસેવનાકુશીલમુનિ પાંચ મહાવ્રતની વિરાધના કરતા નથી પણ ઉત્તરગુણમાં કોઈ એકની વિરાધના કરે છે; કષાયકુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતકને વિરાધના હોતી નથી.
(૪) તીર્થ– આ પુલાકાદિ પાંચે પ્રકારના નિર્ગ્રંથો સમસ્ત તીર્થંકરોના ધર્મશાસનમાં થાય છે.
(પ) લિંગ– તેના બે પ્રકાર છે-૧-દ્રવ્યલિંગ અને ૨-ભાવલિંગ. ભાવલિંગી પાંચે પ્રકારના નિર્ગ્રંથો હોય છે. તેઓ સમ્યગ્દર્શનસહિત સંયમ પાળવામાં સાવધાન છે. ભાવલિંગને દ્રવ્યલિંગ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. યથાજાતરૂપ લિંગમાં કોઈને ભેદ નથી પણ પ્રવૃત્તિરૂપ લિંગમાં ફેર હોય છેઃ જેમ કે-કોઈ આહાર કરે છે, કોઈ અનશનાદિ તપ કરે છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ અધ્યયન કરે
Page 598 of 655
PDF/HTML Page 653 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪૭ ] [ પ૯૯ છે, કોઈ તીર્થમાં વિહાર કરે છે, કોઈ અનેક આસનરૂપ ધ્યાન કરે છે; કોઈ દૂષણ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત્ત લે છે, કોઈ દૂષણ લગાડતા નથી, કોઈ આચાર્ય છે, કોઈ ઉપાધ્યાય છે, કોઈ પ્રવર્તક છે, કોઈ નિર્યાપક છે, કોઈ વૈયાવૃત્ય કરે છે, કોઈ ધ્યાનમાં શ્રેણીનો પ્રારંભ કરે છે; ઈત્યાદિ રાગવિકલ્પરૂપ દ્રવ્યલિંગમાં મુનિગણોને ભેદ હોય છે. મુનિના શુભભાવને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. તેના પ્રકારો ઘણા છે; તે પ્રકારોને દ્રવ્યલિંગો કહેવામાં આવે છે.
(૬) લેશ્યા– પુલાકમુનિને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને છએ લેશ્યા પણ હોય છે. કષાયથી અનુરંજિત યોગ- પરિણતિ તે લેશ્યા છે.
પ્રશ્નઃ– બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ કઈ રીતે હોય?
ઉત્તરઃ– તે બન્ને પ્રકારના મુનિને ઉપકરણની કાંઈક આસકિત હોવાથી કોઈક વખતે આર્ત્તધ્યાન પણ થઈ જાય છે અને તેથી તેમને કૃષ્ણાદિ અશુભલેશ્યા પણ હોઈ શકે છે.
કષાયશીલમુનિને કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ ચાર લેશ્યાઓ હોય છે. સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તીને તથા નિર્ગ્રંથને શુક્લલેશ્યા હોય છે. સ્નાતકને ઉપચારથી શુક્લલેશ્યા છે; અયોગકેવળી લેશ્યારહિત છે.
(૭) ઉપપાદ (=જન્મ)-પુલાક મુનિનો ઉત્કૃષ્ટ જન્મ અઢાર સાગરના આયુ સાથે બારમા સહસ્ત્રાર કલ્પમાં થાય છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ જન્મ બાવીસ સાગરના આયુ સાથે પંદરમા આરણ અને સોળમા અચ્યૂત સ્વર્ગમાં થાય છે. કષાયકુશીલ અને નિર્ગં્રથનો ઉત્કૃષ્ટ જન્મ તેત્રીસ સાગર આયુ સાથે સર્વાર્થસિદ્ધિમાં થાય છે. આ સર્વેનો જઘન્ય જન્મ સૌધર્મ સ્વર્ગમાં બે સાગર આયુ સાથે થાય છે. સ્નાતક કેવળી ભગવાન છે તેમનો ઉપપાદ નિર્વાણમોક્ષપણે થાય છે.
(૮) સ્થાનઃ- તીવ્ર કે મંદ કષાય હોવાના કારણે અસંખ્યાત સંયમલબ્ધિસ્થાનો હોય છે; તેમાં સૌથી નાનું સંયમ-લબ્ધિસ્થાન પુલાક મુનિને અને કષાયકુશીલને હોય છે. એ બન્ને યુગપત્ અસંખ્યાત૧ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે; એ અસંખ્યાત લબ્ધિસ્થાનો પછી આગળનાં લબ્ધિસ્થાનો પુલાક મુનિ પ્રાપ્ત કરી શકતા નથી. કષાયકુશીલ મુનિ તેનાથી આગળ અસંખ્યાત૨ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.
અહીં બીજી વાર કહેલા આ અસંખ્યાત લબ્ધિસ્થાનથી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ મુનિ એ ત્રણ યુગપત્ (-એકસાથે) અસંખ્યાત૩ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.
Page 599 of 655
PDF/HTML Page 654 of 710
single page version
૬૦૦ ] [ મોક્ષશાસ્ત્ર
આ ત્રીજી વાર કહેલા અસંખ્યાત લબ્ધિસ્થાને બકુશ મુનિ અટકી જાય છે- આગળનાં સ્થાનો પ્રાપ્ત કરી શકતાં નથી, પ્રતિસેવનાકુશીલ ત્યાંથી આગળ અસંખ્યાત૪ લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરી શકે છે.
આ ચોથી વાર કહેલાં અસંખ્યાત લબ્ધિસ્થાનોથી આગળ અસંખ્યાતપ લબ્ધિસ્થાનો કષાયકુશીલ પ્રાપ્ત કરી શકે છે, તેથી આગળનાં સ્થાનો પ્રાપ્ત કરી શકતાં નથી.
આ પાંચમીવાર કહેલા લબ્ધિસ્થાનોથી આગળ કષાયરહિત સંયમ લબ્ધિસ્થાનોને નિર્ગ્રંથ મુનિ પ્રાપ્ત કરી શકે છે. તે નિર્ગ્રંથમુનિ પણ આગળના અસંખ્યાત લબ્ધિસ્થાનોની પ્રાપ્તિ કરી શકે છે, પછી અટકી જાય છે. ત્યાર પછી એક સંયમલબ્ધિસ્થાનને પ્રાપ્ત કરીને સ્નાતક નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે સંયમલબ્ધિનાં સ્થાનો છે, તેમાં અવિભાગપ્રતિચ્છેદોની અપેક્ષાએ સંયમની પ્રાપ્તિ અનંત-અનંતગુણી થાય છે. ।। ૪૭।।
૧. આ અધ્યાયમાં આત્માની ધર્મપરિણતિનું સ્વરૂપ કહ્યું છે; તે પરિણતિને ‘જિન’ કહેવામાં આવે છે.
૨. અપૂર્વકરણ પરિણામને પામેલા પ્રથમોપશમ સમ્યક્ત્વસન્મુખ જીવોને ‘જિન’ કહેવામાં આવે છે. (ગોમ્મટસાર-જીવકાંડ ગાથા ૧, ટીકા, પાનું ૧૬) ત્યાંથી શરૂ થઈને પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરનારા બધા જીવો સામાન્યપણે ‘જિન’ કહેવાય છે. શ્રી પ્રવચનસારના ત્રીજા અધ્યાયની પહેલી ગાથામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે-“બીજા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના જીવો ‘એકદેશ જિન’ છે, કેવળીભગવાન ‘જિનવર’ છે અને તીર્થંકરભગવાન ‘જિનવરવૃષભ’ છે.” મિથ્યાત્વ, રાગાદિને જીતવાથી અસંયત સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક તથા મુનિને ‘જિન’ કહેવામાં આવે છે; તેમાં ગણધરાદિ શ્રેષ્ઠ છે તેથી તેમને ‘શ્રેષ્ઠ જિન’ અથવા ‘જિનવર’ કહેવાય છે અને તીર્થંકરદેવ તેમનાથી પણ પ્રધાન છે તેથી તેમને ‘જિનવરવૃષભ’ કહેવાય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૧ ટીકા) શ્રી સમયસારજીની ૩૧ મી ગાથામાં પણ સમ્યગ્દ્રષ્ટિને ‘જિતેન્દ્રિય જિન’ કહ્યા છે.
સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિ અને અધઃકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનું સ્વરૂપ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક પા. ૨૬૨ થી ૨૭૦ સુધીમાં આપ્યું છે. ગુણસ્થાનોનું સ્વરૂપ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના છેલ્લા અધ્યાયમાં આપ્યું છે, ત્યાંથી સમજી લેવું.
૩. સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. એમ બતાવવા આ શાસ્ત્રમાં પહેલા અધ્યાયનું પહેલું જ સૂત્ર ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ મૂકયું છે. ધર્મમાં
Page 600 of 655
PDF/HTML Page 655 of 710
single page version
અ. ૯ ઉપસંહાર ] [ ૬૦૧ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે અને સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતના અપૂર્વકરણથી સંવર-નિર્જરાની શરૂઆત થાય છે. આ અધિકારના બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનને સંવરનિર્જરાના કારણ તરીકે જુદું કહ્યું નથી, તેનું કારણ એ છે કે આ અધ્યાય ૪પ મા સૂત્રમાં તેનો સમાવેશ થઈ જાય છે.
૪. ‘જિનધર્મ’ નો અર્થ ‘વસ્તુસ્વભાવ’ થાય છે. જેટલે અંશે આત્માની સ્વભાવદશા (-શુદ્ધદશા) પ્રગટે તેટલે અંશે જીવને ‘જિનધર્મ’ પ્રગટયો કહેવાય. જિનધર્મ એ કોઈ સંપ્રદાય, વાડો કે સંઘ નથી પણ આત્માની શુદ્ધદશા છે; અને આત્માની શુદ્ધતામાં તારતમ્યતા હોવા છતાં શુદ્ધપણું તો એક જ પ્રકારનું હોવાથી જિનધર્મમાં ફાંટાઓ હોઈ શકે નહિ. જૈનધર્મના નામે જે વાડાઓ જોવામાં આવે છે તેને ખરી રીતે ‘જિનધર્મ’ કહી શકાય નહીં. જિનધર્મ ભરતક્ષેત્રમાં પાંચમા આરાના છેડા સુધી રહેવાનો છે એટલે ત્યાંસુધી પોતાની શુદ્ધતા પ્રગટ કરનારા મનુષ્યો આ ક્ષેત્રે હોય જ, અને તેમને શુદ્ધતાના ઉપાદાનકરણની તૈયારી હોવાથી આત્મજ્ઞાની ગુરુ અને સત્શાસ્ત્રોનું નિમિત્ત પણ હોય જ. જૈનધર્મના નામે કહેવામાં આવતા શાસ્ત્રોમાંથી કયા શાસ્ત્રો પરમ સત્યના ઉપદેશક છે તેનો નિર્ણય ધર્મ કરવા માગતા જીવોએ અવશ્ય કરવો જોઈએ. જ્યાં સુધી પોતે યથાર્થ પરીક્ષા કરીને સત્શાસ્ત્રો કયા છે તેનો નિર્ણય જીવ ન કરે ત્યાં સુધી ગૃહીતમિથ્યાત્વ ટળે નહિ; ગૃહીતમિથ્યાત્વ ટળ્યા વગર અગૃહીતમિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન તો થાય જ શી રીતે? તેથી પોતામાં જિનધર્મ પ્રગટ કરવા માટે અર્થાત્ સાચા સંવર-નિર્જરા પ્રગટ કરવા માટે જીવોએ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ.
પ. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્મસ્વભાવનું ભાન કરીને, અજ્ઞાનમોહને જીતીને રાગ-દ્વેષના સ્વામી થતા નથી; તે હજારો રાણીઓના સંયોગ વચ્ચે હોવા છતાં ‘જિન’ છે. ચોથા અને પાંચમા ગુણસ્થાને વર્તતા જીવોનું આવું સ્વરૂપ છે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય કેવું છે એ બતાવવા માટે અનંત જ્ઞાનીઓએ આ સ્વરૂપ કહ્યું છે. તે સમ્યગ્દ્રષ્ટિ જીવોને પોતાના શુદ્ધપર્યાયના પ્રમાણમાં સંવર-નિર્જરા થાય છે.
૬. સમ્યગ્દર્શનના માહાત્મ્યને નહિ સમજનારા મિથ્યાદ્રષ્ટિ જીવોની બાહ્ય સંયોગો અને બાહ્ય ત્યાગ ઉપર દ્રષ્ટિ હોય છે, તેથી તેઓ ઉપરના કથનનો આશય સમજી શકતા નથી, અને સમ્યગ્દ્રષ્ટિના અંતર પરિણમનને તેઓ જાણી શકતા નથી. માટે ધર્મ કરવા માગતા જીવોએ સંયોગદ્રષ્ટિ છોડીને વસ્તુસ્વરૂપ સમજવાની અને યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટ કરવાની આવશ્યકતા છે. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન અને તે પૂર્વકના સમ્યક્ચારિત્ર વિના સંવર-નિર્જરા પ્રગટ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ નવમા અધ્યાયના ૧૯ મા સૂત્રની ટીકા ઉપરથી માલુમ પડશે કે મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ
Page 601 of 655
PDF/HTML Page 656 of 710
single page version
૬૦૨ ] [ મોક્ષશાસ્ત્ર સાધવાયોગ્ય પદાર્થ નથી. આ જગતમાં બે જ માર્ગ છે-મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ.
૭. સમ્યક્ત્વ તે મોક્ષમાર્ગનું મૂળ છે અને મિથ્યાત્વ તે સંસારમાર્ગનું મૂળ છે. જેઓ સંસારમાર્ગથી વિમુખ થાય તે જીવો જ મોક્ષમાર્ગ (અર્થાત્ ધર્મ) પામી શકે છે. સમ્યગ્દર્શન વગર જીવને સંવર-નિર્જરા થાય નહીં; તેથી બીજા સૂત્રમાં સંવરના કારણો જણાવતાં તેમાં પ્રથમ ગુપ્તિ જણાવ્યા પછી બીજાં કારણો કહ્યાં છે.
૮. એ ખાસ ધ્યાનમાં રાખવાયોગ્ય છે કે આ શાસ્ત્રમાં આચાર્ય મહારાજે મહાવ્રતો કે દેશવ્રતોને સંવરના કારણો તરીકે ગણાવ્યાં નથી; કેમ કે સાતમા અધ્યાયના પહેલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે તે શુભાસ્રવ છે. મહાવ્રત તે સંવરનું કારણ નથી એમ ૧૮ મા સૂત્રની ટીકામાં જણાવ્યું છે.
૯. ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, દશ પ્રકારના ધર્મ, પરિષહજય અને ચારિત્ર એ સર્વે સમ્યગ્દર્શન વગર હોય નહિ-એમ સમજાવવા માટે ચોથા સૂત્રમાં ‘सम्यक्’ શબ્દ વાપરવામાં આવ્યો છે.
૧૦. ધર્મના દસ પ્રકાર છઠ્ઠા સૂત્રમાં બતાવ્યા છે. તેમાં ‘उतम’ વિશેષણ વાપર્યું છે; તે એમ સૂચવે છે કે તે ધર્મના પ્રકારો સમ્યગ્દર્શનપૂર્વક જ હોઈ શકે. ત્યાર પછી અનુપ્રેક્ષાનું સ્વરૂપ સાતમા સૂત્રમાં અને પરિષહજયનું સ્વરૂપ ૮ થી ૧૭ સુધીના સૂત્રોમાં કહ્યું છે. નોકર્મ અને બીજી બાહ્ય વસ્તુઓની જે અવસ્થાને લોકો પ્રતિકૂળ ગણે છે તેને અહીં પરિષહ કહેવામાં આવ્યા છે. આઠમા સૂત્રમાં ‘परिसोढव्याः’ શબ્દ વાપરીને તે પરિષહોને સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. નિશ્ચયથી પરિષહ શું છે અને ઉપચારથી પરિષહ શું કહેવાય-એ નહિ જાણનારા જીવો સૂત્ર ૧૦-૧૧ નો આશ્રય લઈ (-કુતર્ક વડે) એમ માને છે કે-‘કેવળીભગવાનને ક્ષુધા અને તૃષાના વ્યાધિરૂપ નિશ્ચયપરિષહ હોય છે, અને છદ્મસ્થ રાગી જીવોની માફક કેવળીભગવાન પણ ક્ષુધા અને તૃષાનો વ્યાધી ટાળવા અશન-પાન ગ્રહણ કરે છે. અને રાગી જીવોની માફક ભગવાન પણ અતૃપ્ત રહે છે.’ પરંતુ તેમની એ માન્યતા ખોટી છે. સાતમા ગુણસ્થાનથી જ આહારસંજ્ઞા હોતી નથી (ગોમ્મટસાર જીવકાંડ ગાથા-૧૩૯ મોટી ટીકા. પા. ૩પ૧-૩પ૨). એમ છતાં જેઓ ભગવાનને અશન-પાન માને છે તેઓ ભગવાનને આહારસંજ્ઞાથી પણ પર થયેલા માનતા નથી (જુઓ, સૂત્ર ૧૦-૧૧ ની ટકા)
૧૧. ભગવાન જ્યારે મુનિપદે હતા ત્યારે તો કરપાત્રી હોવાથી પોતે જ આહાર માટે નીકળતા અને દાતાર શ્રાવક જો યોગ્ય ભક્તિ-પૂર્વક તે વખતે વિનંતિ કરે તો ઊભા રહી કરપાત્રમાં તેઓ આહાર લેતા. પરંતુ વીતરાગી થયા પછી પણ અસહ્ય વેદનાના કારણે ભગવાન આહાર લે છે એમ જેઓ માને છે તેઓને ‘ભગવાનને કોઈ
Page 602 of 655
PDF/HTML Page 657 of 710
single page version
અ. ૯ ઉપસંહાર] [ ૬૦૩ ગણધર કે મુનિ આહાર લાવી દે છે, તેઓ પોતે જતા નથી’ એમ માનવું પડે છે. હવે છદ્મસ્થદશામાં તો ભગવાન આહાર માટે કોઈ પાસે માગણી કરે નહિ અને વીતરાગ થયા પછી આહાર લાવવા માટે શિષ્યો પાસે માગણી કરે-એ તો ઘણી તાજૂબી ભરેલી વાત છે. વળી ભગવાનને અશન-પાનના સીધા દાતાર તો તે આહાર લાવનાર મુનિ થયા. ભગવાન કેટલો આહાર લેશે, શું શું લેશે, પોતે જે કાંઈ લઈ જશે તે બધું ભગવાન લેશે, તેમાંથી કાંઈ વધારશે કે નહિ?- એ વગેરે બાબત ભગવાન પોતે પ્રથમથી નક્કી કરીને મુનિને કહે, કે આહાર લાવનાર મુનિ પોતે નક્કી કરે? તે પણ વિચારવા લાયક પ્રશ્નો છે. વળી નગ્ન મુનિ પાસે પાત્ર તો હોય નહિ તેથી તે તો આહાર લાવવા માટે નિરુપયોગી છેઃ તેથી, ભગવાન પોતે મુનિદશામાં નગ્ન હતા છતાં તેઓ વીતરાગ થયા પછી તેમના ગણધરાદિને પાત્ર રાખનારાં એટલે કે પરિગ્રહધારી કલ્પવા પડે અને ભગવાન તે પાત્રધારી મુનિને આહાર લાવવાની આજ્ઞા કરી એમ માનવું પડે. પણ એ બધું અસંગત છે.
૧૨. વળી જો ભગવાન જાતે અશન-પાન કરતા હોય તો ભગવાનની ધ્યાનમુદ્રા ટળી જાય કેમ કે અધ્યાનમુદ્રા સિવાય પાત્રોમાં રહેલો આહાર જોવાનું, તેના કટકા કરવાનું, કોળિયા લેવાનું, દાંતથી ચાવવાનું, ગળે ઉતારવાનું-એ વગેરે ક્રિયાઓ થઈ શકે નહિ. હવે જો ભગવાનને અધ્યાનમુદ્રા કે ઉપરની ક્રિયાઓ સ્વીકારીએ તો તે પ્રમાદ દશા થાય છે. વળી આઠમા સૂત્રમાં પરિષહો ‘परिसोढव्याः’ એવો ઉપદેશ આપે છે, અને ભગવાન પોતે જ તેમ કરી શકતા નથી એટલે કે ભગવાન અશક્ય કાર્યોનો ઉપદેશ આપે છે એવો તેનો અર્થ થતાં ભગવાનને મિથ્યા ઉપદેશી કહેવા પડે.
૧૩. ૪૬ મા સૂત્રમાં નિર્ગ્રંથોના ભેદ જણાવ્યા છે તેમાં ‘બકુશ’ નામનો એક પ્રકાર જણાવ્યો છે; તેમને ધર્મ પ્રભાવનાના રાગથી શરીર ઉપરનો તથા શાસ્ત્ર, કમંડળ, પીંછી ઉપરનો મેલ કાઢવાનો રાગ થઈ આવે છે. તે ઉપરથી કેટલાક એમ કહેવા માગે છે કે તે ‘બકુશ’ મુનિને વસ્ત્ર હોવામાં વાંધો નથી. પરંતુ તેમનું એ કથન ન્યાયવિરુદ્ધ છે, એમ છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રની ટીકામાં જણાવ્યું છે (જુઓ, પાનું ૪૧૨). વળી મુનિનું સ્વરૂપ નહિ સમજનારા એમ પણ કહેવા માગે છે કે મુનિને શરીરની રક્ષા માટે વસ્ત્રની ભાવના હોય તોપણ તેઓ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે. એ વાત પણ ખોટી છે. આ અધ્યાયના ૪૭ મા સૂત્રની ટીકામાં સંયમલબ્ધિસ્થાનોનું સ્વરૂપ આપ્યું છે તે ઉપરથી માલુમ પડશે કે બકુશમુનિ ત્રીજીવારના સંયમલબ્ધિસ્થાને અટકી જાય છે અને કષાયરહિત દશા પ્રાપ્ત કરી શકતા નથી; તો પછી ઋતુ વગેરેની વિષમતાથી શરીરની રક્ષાને માટે રાખવામાં આવતી વસ્ત્ર વગેરે
Page 603 of 655
PDF/HTML Page 658 of 710
single page version
૬૦૪ ] [ મોક્ષશાસ્ત્ર વસ્તુઓ પ્રત્યે રાગવાળા સમ્યગ્દ્રષ્ટિ તો મુનિપદ પ્રાપ્ત કરી શકે નહિ અને સર્વથા અકષાયદશાની પ્રાપ્તિ તો તેઓ ન જ કરી શકે એ દેખીતું જ છે.
૧૪. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રના સ્વરૂપ સંબંધમાં થતી ભૂલો અને તેનું નિરાકરણ તે તે વિષયોને લગતા સૂત્રોની ટીકામાં આપ્યું છે, ત્યાંથી સમજી લેવું. કેટલાક જીવો આહાર ન લેવો તેને તપ માને છે; પણ તે માન્યતા યથાર્થ નથી. તપની તે વ્યાખ્યામાં થતી ભૂલો ટાળવા માટે સમ્યક્તપનું સ્વરૂપ ૧૯ મા સૂત્રની ભૂમિકામાં તથા ટીકા-પારા પ માં આપ્યું છે, તે સમજવું.
૧પ. મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે મુમુક્ષુ જીવોએ ઉપરની બાબતોનો યથાર્થ વિચાર કરીને સંવર-નિર્જરાતત્ત્વોનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. જે જીવો અન્ય પાંચ તત્ત્વો સહિત આ સંવર તથા નિર્જરાતત્ત્વની શ્રદ્ધા કરે છે, જાણે છે તે પોતાના ચૈતન્યસ્વરૂપ સ્વભાવભાવ તરફ વળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તથા સંસારચક્રને તોડી નાખીને અલ્પકાળમાં વીતરાગચારિત્રને પ્રગટ કરી નિર્વાણ પામે છે.
૧૬. આ અધ્યાયમાં સમ્યક્ચારિત્રનું સ્વરૂપ કહેતાં તેના અનુસંધાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું સ્વરૂપ પણ જણાવ્યું છે. (જુઓ, સૂત્ર ૩૬-૩૯) ચારિત્રના વિભાગમાં યથાખ્યાતચારિત્ર પણ સમાઈ જાય છે; ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે પરમ યથાખ્યાતચારિત્ર પ્રગટ થતાં ચારિત્રની પૂર્ણતા થાય છે, અને તે જ સમયે જીવ નિર્વાણ દશા પામે છે-મોક્ષ પામે છે. ૪૯ મા સૂત્રમાં સંયમલબ્ધિસ્થાનનું કથન કરતાં તેમાં નિર્વાણપદ પ્રાપ્ત થવા સુધીની દશાનું વર્ણન જણાવ્યું છે. એ રીતે આ અધ્યાયમાં સર્વે પ્રકારની ‘જિન’ દશાનું સ્વરૂપ ઘણાં ટૂંકા સૂત્રોદ્વારા આચાર્યભગવાને જણાવ્યું છે.
Page 604 of 655
PDF/HTML Page 659 of 710
single page version
ભૂમિકા
૧. આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્યદેવે પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ-કલ્યાણમાર્ગ છે. ત્યાર પછી સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે એમ જણાવીને તે સાત તત્ત્વોનાં નામ જણાવ્યા અને દસ અધ્યાયમાં તે સાત તત્ત્વોનું વર્ણન કર્યું. તેમાં આ છેલ્લા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન કરીને આ શાસ્ત્ર પૂરું કર્યું છે.
૨. મોક્ષ સંવર-નિર્જરાપૂર્વક થાય છે; તેથી નવમા અધ્યાયમાં સંવર-નિર્જરાનું સ્વરૂપ કહ્યું; અને અપૂર્વકરણ પ્રગટ કરનારા સમ્યકત્વસન્મુખ જીવોથી શરૂ કરીને ચૌદમા ગુણસ્થાને બિરાજતા કેવળી ભગવાન સુધીના તમામ જીવોને સંવર-નિર્જરા થાય છે એમ તેમાં જણાવ્યું. તે નિર્જરાની પૂર્ણતા થતાં જીવ પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બિરાજે છે; તે દશાને મોક્ષ કહેવાય છે. મોક્ષદશા પ્રગટ કરનાર જીવોએ સર્વ કાર્ય સિદ્ધ કર્યું હોવાથી ‘સિદ્ધ ભગવાન’ કહેવાય છે.
૩. કેવળીભગવાનને (તેરમા તથા ચૌદમા ગુણસ્થાને) સંવર નિર્જરા થતા હોવાથી તેમનો ઉલ્લેખ નવમા અધ્યાયમાં કરવામાં આવ્યો છે; પણ ત્યાં કેવળજ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું નથી. કેવળજ્ઞાન તે ભાવમોક્ષ છે અને તે ભાવમોક્ષના બળે દ્રવ્યમોક્ષ (સિદ્ધદશા) થાય છે. (જુઓ, પ્રવચનસાર અ. ૧. ગા. ૮૪. જયસેનાચાર્યની ટીકા) તેથી આ અધ્યાયમાં પ્રથમ ભાવમોક્ષરૂપ કેવળજ્ઞાનનું સ્વરૂપ જણાવીને પછી દ્રવ્યમોક્ષનું સ્વરૂપ જણાવ્યું છે.
અર્થઃ– [मोहक्षयात्] મોહનો ક્ષય થવાથી (અંતર્મુહૂર્તપર્યંત ક્ષીણકષાય નામનું ગુણસ્થાન પામ્યા બાદ) [ज्ञानदर्शनावरण अंतराय क्षयात् च] જ્ઞાનાવરણ, દર્શનાવરણ
Page 605 of 655
PDF/HTML Page 660 of 710
single page version
૬૦૬ ] [ મોક્ષશાસ્ત્ર અને-અંતરાય-એ ત્રણે કર્મોનો એકી સાથે ક્ષય થવાથી [केवलम्] કેવળજ્ઞાન- ઉત્પન્ન થાય છે.
૧. જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞતા પ્રગટે છે. જ્યારે જીવ સંપૂર્ણ વીતરાગ થાય ત્યારે કર્મ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ એવો હોય છે કે મોહકર્મ જીવના પ્રદેશે સંયોગરૂપે રહે જ નહિ, એને મોહકર્મનો ક્ષય થયો કહેવાય છે. જીવની સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થયા પછી અલ્પકાળમાં તુરત જ સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે તેને કેવળજ્ઞાન કહેવાય છે, કારણ કે તે જ્ઞાન શુદ્ધ, નિર્ભેળ, અખંડ, રાગ વગરનું છે. તે દશામાં જીવને ‘કેવળી ભગવાન’ કહેવાય છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ કેવળી કહેવાતા નથી, પરંતુ ‘કેવળ’ અર્થાત્ શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ ‘કેવળી’ કહેવાય છે. ભગવાન યુગપદ્ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે અનાદિનિધન નિષ્કારણ અસાધારણ સ્વસંવેધમાન ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (-એકલો, નિર્ભેળ, શુદ્ધ અખંડ) છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૩૩)
૨. આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે-
કહીયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવાર્ણ. ૧૩૩.
ભગવાન પરને જાણે છે-એ વ્યવહાર કથન છે. વ્યવહારે કેવળજ્ઞાન લોકાલોકને યુગપત્ જાણે છે એમ કહેવાય છે; કેમ કે ભગવાન સંપૂર્ણ જ્ઞાનપણે પરિણમતા હોવાથી કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય તેમના જ્ઞાન બહાર નથી. નિશ્ચયથી તો કેવળજ્ઞાન પોતાના શુદ્ધસ્વભાવને જ અખંડપણે જાણે છે.
૩. કેવળજ્ઞાન સ્વરૂપથી ઉત્પન્ન થયું છે, સ્વતંત્ર છે તથા અક્રમ છે. તે જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાનાવરણકર્મનો કાયમને માટે ક્ષય થાય છે, તેથી તે જ્ઞાનને ક્ષાયિક જ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ સમયે કેવળદર્શન અને સંપૂર્ણ વીર્ય પણ પ્રગટે છે અને દર્શનાવરણ તથા અંતરાયકર્મનો સર્વથા ક્ષય થાય છે.
૪. કેવળજ્ઞાન થતાં ભાવમોક્ષ થયો કહેવાય છે (આ અરિહંતદશા છે) અને આયુષ્યની સ્થિતિ પૂરી થતાં ચાર અઘાતિકર્મનો અભાવ થઈને દ્રવ્યમોક્ષ થાય છે;