Page 112 of 380
PDF/HTML Page 141 of 409
single page version
स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् ।
सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ।।७७।।
तृतीयव्रतस्वरूपाख्यानमेतत् ।
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्य- संचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે? ૭૭.
અન્વયાર્થઃ — [ग्रामे वा] ગ્રામમાં, [नगरे वा] નગરમાં [अरण्ये वा] કે વનમાં [परम् अर्थम्] પારકી વસ્તુને [प्रेक्षयित्वा] દેખીને [यः] જે (સાધુ) [ग्रहणभावं] તેને ગ્રહવાના ભાવને [मुंचति] છોડે છે, [तस्य एव] તેને જ [तृतीयव्रतं] ત્રીજું વ્રત [भवति] છે.
ટીકાઃ — આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ
૧૧૨ ]
Page 113 of 380
PDF/HTML Page 142 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं द्रष्ट्वा स्वीकारपरिणामं यः परित्यजति, तस्य हि तृतीयव्रतं भवति इति ।
चतुर्थव्रतस्वरूपकथनमिदम् । વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકાર- પરિણામને (અર્થાત્ તેને પોતાની કરવાના — ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.
[હવે ૫૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮.
અન્વયાર્થઃ — [स्त्रीरूपं द्रष्ट्वा] સ્ત્રીઓનું રૂપ દેખીને [तासु] તેમના પ્રત્યે [वांच्छाभावं निवर्तते] વાંછાભાવની નિવૃત્તિ તે [अथवा] અથવા [मैथुनसंज्ञाविवर्जितपरिणामः] મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે [तुरीयव्रतम्] ચોથું વ્રત છે.
ટીકાઃ — આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
Page 114 of 380
PDF/HTML Page 143 of 409
single page version
कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरि- त्यागेन, अथवा पुंवेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षण- शुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति ।
स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम् ।
व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ।।७9।।
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાના — ચિત્તવાંછાના — પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.
[હવે ૫૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને — નિજ સ્વરૂપને — છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૭૯.
અન્વયાર્થઃ — [निरपेक्षभावनापूर्वम्] ૧નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં
૧૧૪ ]
૧. મુનિને મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી
Page 115 of 380
PDF/HTML Page 144 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि पंचमव्रतस्वरूपमुक्त म् ।
सकलपरिग्रहपरित्यागलक्षणनिजकारणपरमात्मस्वरूपावस्थितानां परमसंयमिनां परम- जिनयोगीश्वराणां सदैव निश्चयव्यवहारात्मकचारुचारित्रभरं वहतां, बाह्याभ्यन्तरचतुर्विंशति- परिग्रहपरित्याग एव परंपरया पंचमगतिहेतुभूतं पंचमव्रतमिति ।
तथा चोक्तं समयसारे — પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) [सर्वेषां ग्रन्थानां त्यागः] સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, [चारित्रभरं वहतः] ૧ચારિત્રભર વહનારને [पंचमव्रतम् इति भणितम्] પાંચમું વ્રત કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર રહેલા) પરમસંયમીઓને — પરમ જિનયોગીશ્વરોને — સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને, બાહ્ય-અભ્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. [આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.]
૨પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
૧. ચારિત્રભર = ચારિત્રનો ભાર; ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા.
૨. શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને
અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષનો પરંપરાહેતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને
મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ
થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના
પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષનો
પરંપરાહેતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના
પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ
પ્રગટ્યો જ નથી
Page 116 of 380
PDF/HTML Page 145 of 409
single page version
निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि ।
न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम् ।।८०।।
‘‘[ગાથાર્થઃ — ] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.’’
વળી (૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. ૮૦.
અન્વયાર્થઃ — [श्रमणः] જે શ્રમણ [प्रासुकमार्गेण] પ્રાસુક માર્ગે [दिवा] દિવસે [युगप्रमाणं] ધુરાપ્રમાણ [पुरतः] આગળ [खलु अवलोकयन्] જોઈને [गच्छति] ચાલે છે,
૧૧૬ ]
*આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ; આયતન.
Page 117 of 380
PDF/HTML Page 146 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्रेर्यासमितिस्वरूपमुक्त म् ।
यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन्
स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति ।
व्यवहारसमितिस्वरूपमुक्त म् । इदानीं निश्चयसमितिस्वरूपमुच्यते । अभेदानुपचाररत्नत्रयमार्गेण
परमधर्मिणमात्मानं सम्यग् इता परिणतिः समितिः । अथवा निजपरमतत्त्वनिरतसहज-
परमबोधादिपरमधर्माणां संहतिः समितिः । इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र
परमनिश्चयसमितिमुपयातु भव्य इति ।
[तस्य]
તેને [ईर्यासमितिः] ઈર્યાસમિતિ [भवेत्] હોય છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
હવે નિશ્ચયસમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યક્ ‘ઇતિ’ (-ગતિ) અર્થાત્ પરિણતિ તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.
[હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છેઃ]
*પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો
જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર
ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ
તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ
સમજી લેવું.]
Page 118 of 380
PDF/HTML Page 147 of 409
single page version
मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च ।
भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ।।८१।।
त्रसहतिपरिदूरा स्थावरणां हतेर्वा ।
सकलसुकृतसीत्यानीकसन्तोषदायी ।।८२।।
समितिविरहितानां कामरोगातुराणाम् ।
ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्ते : ।।८३।।
[શ્લોકાર્થઃ — ] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઇતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યક્પણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[શ્લોકાર્થઃ — ] જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી ક્લેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[શ્લોકાર્થઃ — ] અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર ( – ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ (અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર). ૮૩.
૧૧૮ ]
Page 119 of 380
PDF/HTML Page 148 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्र भाषासमितिस्वरूपमुक्त म् ।
कर्णेजपमुखविनिर्गतं नृपतिकर्णाभ्यर्णगतं चैकपुरुषस्य एककुटुम्बस्य एकग्रामस्य वा महद्विपत्कारणं वचः पैशून्यम् । क्वचित् कदाचित् किंचित् परजनविकाररूपमवलोक्य त्वाकर्ण्य च हास्याभिधाननोकषायसमुपजनितम् ईषच्छुभमिश्रितमप्यशुभकर्मकारणं
[શ્લોકાર્થઃ — ] જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છે — મોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
અન્વયાર્થઃ — [पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्] પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો [परित्यज्य] પરિત્યાગીને [स्वपरहितं वदतः] જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને [भाषासमितिः] ભાષાસમિતિ હોય છે.
ટીકાઃ — અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. ક્યાંક ક્યારેક કાંઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં
Page 120 of 380
PDF/HTML Page 149 of 409
single page version
पुरुषमुखविकारगतं हास्यकर्म । कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि कर्कशवचः । परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं परनिन्दा । स्वस्य भूताभूतगुणस्तुतिरात्म- प्रशंसा । एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य स्वस्य च परस्य च शुभशुद्धपरिणतिकारणं वचो भाषासमितिरिति ।
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः —
स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः ।
कथमिह न विमुक्ते र्भाजनं ते विमुक्ताः ।।’’
तथा च — અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે. — આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવદ્યથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’’
વળી (૬૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
૧૨૦ ]
*પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ.
Page 121 of 380
PDF/HTML Page 150 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्रैषणासमितिस्वरूपमुक्त म् । तद्यथा —
मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः संयुक्त मन्नं नवकोटिविशुद्धमित्युक्त म्; अतिप्रशस्तं मनोहरम्; हरितकायात्मकसूक्ष्मप्राणि-
[શ્લોકાર્થઃ — ] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને — મુનિજનોને અંતર્જલ્પથી ( – વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્જલ્પની ( – ભાષા બોલવાની) તો વાત જ શી? ૮૫.
– પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થઃ — [परेण दत्तं] પર વડે દેવામાં આવેલું, [कृतकारितानुमोदनरहितं] કૃત- કારિત-અનુમોદન રહિત, [तथा प्रासुकं] પ્રાસુક [प्रशस्तं च] અને *પ્રશસ્ત [भक्तं ] ભોજન કરવારૂપ [संभुक्ति :] જે સમ્યક્ આહારગ્રહણ [एषणासमितिः] તે એષણાસમિતિ છે.
ટીકાઃ — અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે —
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના
એવું.
Page 122 of 380
PDF/HTML Page 151 of 409
single page version
संचारागोचरं प्रासुकमित्यभिहितम्; प्रतिग्रहोच्चस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षा- शुद्धिनामधेयैर्नवविधपुण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलुब्धताभक्ति ज्ञानदयाक्षमाऽभिधान- सप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परम- तपोधनः तस्यैषणासमितिर्भवति । इति व्यवहारसमितिक्रमः । अथ निश्चयतो जीवस्याशनं नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति ।
तथा चोक्तं समयसारे (?) —
સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન) — એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. +પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ — એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા — એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક) ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કે — જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે.
એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ- આહાર અને મન-આહાર — એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.’’
રહો,)’ એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ;
આદરસન્માન. [આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના
સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી,
પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ
ભિક્ષા દે છે.]
ગાથાની તાત્પર્યવૃત્તિ-ટીકામાં) અવતરણરૂપે છે.
૧૨૨ ]
Page 123 of 380
PDF/HTML Page 152 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अशुद्धजीवानां विभावधर्मं प्रति व्यवहारनयस्योदाहरणमिदम् ।
इदानीं निश्चयस्योदाहृतिरुच्यते । तद्यथा —
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः —
परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी ।
दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ।।’’
— અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ —
‘‘[ગાથાર્થઃ — ] જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે ( – અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય ( – સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે; તેથી તે શ્રમણો અનાહારી છે.’’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત ( – શાસ્ત્રાજ્ઞા મુજબનું)
Page 124 of 380
PDF/HTML Page 153 of 409
single page version
तथा हि —
ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम् ।
प्राप्नोतीद्धां मुक्ति वारांगनां सः ।।८६।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्त म् । સમૂળગી બાળી નાખે છે.’’
વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભક્તના હસ્તાગ્રથી ( – હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્ તપને) તપીને, તે સત્ તપસ્વી ( – સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને ( – મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
અન્વયાર્થઃ — [पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી [प्रयत्नपरिणामः] પ્રયત્નપરિણામ તે [आदाननिक्षेपणसमितिः] આદાનનિક્ષેપણસમિતિ [भवति] છે [इति निर्दिष्टा] એમ કહ્યું છે.
ટીકાઃ — અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
૧૨૪ ]
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને
*હિત-મિત = હિતકર અને માપસર
Page 125 of 380
PDF/HTML Page 154 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अपहृतसंयमिनां संयमज्ञानाद्युपकरणग्रहणविसर्गसमयसमुद्भवसमितिप्रकारोक्ति रियम् । उपेक्षासंयमिनां न पुस्तककमण्डलुप्रभृतयः, अतस्ते परमजिनमुनयः एकान्ततो निस्पृहाः, अत एव बाह्योपकरणनिर्मुक्ताः । अभ्यन्तरोपकरणं निजपरमतत्त्वप्रकाशदक्षं निरुपाधिस्वरूपसहज- ज्ञानमन्तरेण न किमप्युपादेयमस्ति । अपहृतसंयमधराणां परमागमार्थस्य पुनः पुनः प्रत्यभिज्ञानकारणं पुस्तकं ज्ञानोपकरणमिति यावत्, शौचोपकरणं च कायविशुद्धिहेतुः कमण्डलुः, संयमोपकरणहेतुः पिच्छः । एतेषां ग्रहणविसर्गयोः समयसमुद्भवप्रयत्नपरिणाम- विशुद्धिरेव हि आदाननिक्षेपणसमितिरिति निर्दिष्टेति ।
परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री ।
भवसि हि परमश्रीकामिनीकांतकांतः ।।८७।।
આ, ૧અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ૨ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અભ્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ — હેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂકતી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
[હવે ૬૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.
૧. અપહૃતસંયમી = અપહૃતસંયમવાળા મુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ — એ બધાં એકાર્થ છે.]
૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. [ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગ- ચારિત્ર અને શુદ્ધોપયોગ — એ બધાં એકાર્થ છે.]
Page 126 of 380
PDF/HTML Page 155 of 409
single page version
मुनीनां कायमलादित्यागस्थानशुद्धिकथनमिदम् ।
शुद्धनिश्चयतो जीवस्य देहाभावान्न चान्नग्रहणपरिणतिः । व्यवहारतो देहः विद्यते;
तस्यैव हि देहे सति ह्याहारग्रहणं भवति; आहारग्रहणान्मलमूत्रादयः संभवन्त्येव । अत
एव संयमिनां मलमूत्रविसर्गस्थानं निर्जन्तुकं परेषामुपरोधेन विरहितम् । तत्र स्थाने
शरीरधर्मं कृत्वा पश्चात्तस्मात्स्थानादुत्तरेण कतिचित् पदानि गत्वा ह्युदङ्मुखः स्थित्वा
તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ – સહનશીલતા – ક્ષમા અને મૈત્રીભાવ હોય છે). હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ). ૮૭.
અન્વયાર્થઃ — [परोपरोधेन रहिते] જેને પરના ઉપરોધ વિનાના ( – બીજાથી રોકવામાં ન આવે એવા), [गूढे] ગૂઢ અને [प्रासुकभूमिप्रदेशे] પ્રાસુક ભૂમિપ્રદેશમાં [उच्चारादित्यागः] મળાદિનો ત્યાગ હોય, [तस्य] તેને [प्रतिष्ठासमितिः] પ્રતિષ્ઠાપન સમિતિ [भवेत्] હોય છે.
ટીકાઃ — આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવને) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું ( – ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને,
૧૨૬ ]
Page 127 of 380
PDF/HTML Page 156 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
चोत्सृज्य कायकर्माणि संसारकारणं परिणामं मनश्च संसृतेर्निमित्तं, स्वात्मानमव्यग्रो भूत्वा ध्यायति यः परमसंयमी मुहुर्मुहुः कलेवरस्याप्यशुचित्वं वा परिभावयति, तस्य खलु प्रतिष्ठापनसमितिरिति । नान्येषां स्वैरवृत्तीनां यतिनामधारिणां काचित् समितिरिति ।
जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम् ।
सहितमुनिगणानां नैव सा गोचरा स्यात् ।।८८।।
भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम् ।
जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम् ।।८9।।
કાયકર્મોનો ( – શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર ( – એકાગ્ર) થઈને ધ્યાવે છે અથવા ફરીફરીને કલેવરનું ( – શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને ખરેખર પ્રતિષ્ઠાપનસમિતિ હોય છે. બીજા સ્વચ્છંદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી.
[હવે ૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી. ૮૮.
[શ્લોકાર્થઃ — ] હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિને — કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે તથા તારી સત્-દીક્ષારૂપી કાન્તાની ( – સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે તેને — હવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને તું પામીશ. ૮૯.
Page 128 of 380
PDF/HTML Page 157 of 409
single page version
सपदि याति मुनिः परमार्थतः ।
किमपि केवलसौख्यसुधामयम् ।।9०।।
व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत् ।
क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् । मोहो
[શ્લોકાર્થઃ — ] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. ૯૦.
અન્વયાર્થઃ — [कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्] કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના [परिहारः] પરિહારને [व्यवहारनयेन] વ્યવહારનયથી [मनोगुप्तिः] મનોગુપ્તિ [परिकथिता] કહેલ છે.
ટીકાઃ — આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા
૧૨૮ ]
*મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત
કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન,
વચન કે કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ
સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.
Page 129 of 380
PDF/HTML Page 158 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
दर्शनचारित्रभेदाद् द्विधा । संज्ञा आहारभयमैथुनपरिग्रहाणां भेदाच्चतुर्धा । रागः प्रशस्ताप्रशस्तभेदेन द्विविधः । असह्यजनेषु वापि चासह्यपदार्थसार्थेषु वा वैरस्य परिणामो द्वेषः । इत्याद्यशुभपरिणामप्रत्ययानां परिहार एव व्यवहारनयाभिप्रायेण मनोगुप्तिरिति ।
चिंतासनाथमनसो विजितेन्द्रियस्य ।
श्रीमज्जिनेन्द्रचरणस्मरणान्वितस्य ।।9१।।
છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે. — ઇત્યાદિ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે.
[હવે ૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત્ જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અભ્યંતર સંગ રહિત છે અને જે શ્રીજિનેંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ૯૧.
*અશુભપરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત્ અશુભપરિણામરૂપ ભાવપાપાસ્રવોનો ત્યાગ
*પ્રત્યયો = આસ્રવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન – રક્ષણ કરવું તે ગુપ્તિ છે. ભાવપાપાસ્રવો તેમ જ ભાવપુણ્યાસ્રવો સંસારનાં કારણો છે.)
Page 130 of 380
PDF/HTML Page 159 of 409
single page version
इह वाग्गुप्तिस्वरूपमुक्त म् ।
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या श्रोतव्या च सैव स्त्रीकथा । राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः । चौराणां चौरप्रयोगकथनं चौरकथाविधानम् । अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा भक्त कथा । आसामपि कथानां परिहारो वाग्गुप्तिः । अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः । अन्येषां अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्तिः इति ।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः —
અન્વયાર્થઃ — [पापहेतोः] પાપનાં હેતુભૂત એવાં [स्त्रीराजचौरभक्त कथादिवचनस्य] સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [परिहारः] પરિહાર [वा] અથવા [अलीकादिनिवृत्तिवचनं] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [वाग्गुप्तिः] તે વચન- ગુપ્તિ છે.
ટીકાઃ — અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના ( – સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે. — આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧૩૦ ]
Page 131 of 380
PDF/HTML Page 160 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि —
ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम् ।
प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः ।।9२।।
‘‘[શ્લોકાર્થઃ — ] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં. — આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે — કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).’’
વળી (આ ૬૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ- વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
અન્વયાર્થઃ — [बंधनछेदनमारणाकुंचनानि] બંધન, છેદન, મારણ ( – મારી નાખવું), આકુંચન ( – સંકોચવું) [तथा] તથા [प्रसारणादीनि] પ્રસારણ ( – વિસ્તારવું) ઇત્યાદિ