PDF/HTML Page 241 of 4199
single page version
ઓટ એમ વૃદ્ધિ અને હાનિના પ્રકારો સમુદ્રમાં થાય છે એ સત્ય છે. પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે. સમુદ્ર અને ચંદ્રને એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આમ- વર્તમાન ભેદદ્રષ્ટિથી જોતાં વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે, તોપણ નિત્યસ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. વૃદ્ધિ-હાનિને ગૌણ કરીને નિત્ય-સ્થિર સમુદ્રસ્વભાવને જોતાં અનિયતપણું જૂઠું છે. સમુદ્રનું મધ્યબિંદું જ્યાં છે ત્યાં એકરૂપ સ્થિર સ્વભાવે સમુદ્ર છે. એ નિત્ય-સ્થિર સ્વભાવમાં વૃદ્ધિ-હાનિ છે નહીં. આ દ્રષ્ટાંત થયું.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માને, વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોવામાં આવે તો અનિયતપણું-ઓછું-અધિકપણું છે. જ્ઞાનની પર્યાયમાં ઓછું, અધિક જ્ઞાન થાય છે. કોઈવાર નવપૂર્વની લબ્ધિ પ્રગટે એવી જ્ઞાનની પર્યાય થાય છે તો વળી કોઈવાર અક્ષરના અનંતમા ભાગે પર્યાયમાં ઉઘાડ દેખાય છે. ડુંગળી, લસણ, મૂળા આદિ કંદમૂળમાં નિગોદના જીવો છે. એક રાઈ જેટલી કટકીમાં અસંખ્યાત શરીર છે. એક એક શરીરમાં આજ સુધી જેટલા સિદ્ધ થયા એના કરતાં અનંતગુણા જીવ છે. છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ મોક્ષે જાય છે. એમ આજસુધી અનંતકાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે. એ અનંત સિદ્ધોથી અનંતગુણા નિગોદ જીવ છે. નિગોદના જીવોની પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગનો વિકાસ છે. તેમાંથી કોઈ જીવ બહાર નીકળી મનુષ્ય થઈ દ્રવ્યલિંગી સાધુ થાય અને પર્યાયમાં નવપૂર્વની લબ્ધિ પ્રગટ પણ કરે. આમ આત્માને વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોતાં અનિયતપણું સત્યાર્થ છે. વ્યવહારનયથી પર્યાયમાં વૃદ્ધિ-હાનિ છે એ સત્ય છે.
તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ), ઉત્પાદ-વ્યયરહિત ધ્રુવ આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે. આત્મસ્વભાવમાં વૃદ્ધિ-હાનિ નથી, ઉત્પાદ-વ્યયમાં વૃદ્ધિ-હાનિ ભલે હો. પર્યાયમાં કેવલજ્ઞાન થાય તોપણ ધ્રુવસ્વભાવમાં કાંઈ ઓછપ ન આવે અને નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ થઈ જાય એટલે નિત્ય-સ્વભાવ, ધ્રુવસ્વભાવમાં કાંઈ વધી જાય એમ નથી. પર્યાયમાં હીનાધિકતા હો, વસ્તુ તો જેવી છે તેવી ધ્રુવ ધ્રુવ ધ્રુવસ્વભાવ જ રહે છે.
અહાહા...! વિષય તો એ ચાલે છે કે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિની પર્યાયમાં એકપણું નથી, વૃદ્ધિ-હાનિ થાય છે. પર્યાયના લક્ષે જોતાં એ વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે. સત્યાર્થનો અર્થ ‘છે.’ હવે પર્યાયના લક્ષે ત્રિકાળી આત્મા અનુભવમાં આવતો નથી, દૂર રહે છે. તથા આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં થાય છે. તેથી ધ્રુવ, નિશ્ચલ નિત્યાનંદસ્વભાવ ભગવાન આત્માની સમીપ જઈને-
PDF/HTML Page 242 of 4199
single page version
એટલે પર્યાયગત હીનાધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં અનિયતપણું જૂઠું છે, હીનાધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહો- એ બધું એકાર્થવાચક છે. સમયસાર ગાથા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક (ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાર્થવાચી છે.
ત્રિકાળી જ્ઞાયકભાવ પર્યાયથી અધિક છે. એટલે પર્યાયથી ભિન્ન છે. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને તેમાં જ દ્રષ્ટિ કરતાં પર્યાય લક્ષમાં રહી નહીં અર્થાત્ અનુભવમાં આવી નહીં માટે અનિયતપણું અસત્યાર્થ થઈ ગયું. પર્યાયમાં હીનાધિકતા થાય છે એ અપેક્ષાએ અવસ્થાવિશેષ આત્માની અંદર છે, બીજા પદાર્થમાં-જડમાં નથી. પણ તે અંતર્મુખ વસ્તુમાં દ્રષ્ટિ કરવાથી હીનાધિકપણું અસત્યાર્થ થઈ જાય છે. આમ મુખ્ય-ગૌણની વાત છે.
ભાઈ! લક્ષ્મી-પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે, એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ.
ચોથો બોલઃ– જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. સોનામાં પીળાશ, ચીકાશ, વજન આદિ છે ને? ભેદદ્રષ્ટિથી જોતાં સુવર્ણમાં એ પીળાશ, ચીકાશ, વજન આદિ છે એ સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. સુવર્ણ, સુવર્ણ, સુવર્ણ એમ એકલા સુવર્ણની જ દ્રષ્ટિ કરતાં શું ચીકાશ, પીળાશ, આદિ દેખાય છે? એકરૂપ સામાન્ય સુવર્ણની દ્રષ્ટિમાં ચીકાશાદિ સર્વ વિશેષો વિલય થઈ જાય છે. દ્રષ્ટિમાં એકલું સામાન્ય સુવર્ણ આવ્યું ત્યાં પીળાશાદિ ભેદો અસ્ત થઈ જાય છે, એ ભેદો દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આ દ્રષ્ટાંત થયું.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે.-સત્યાર્થ છે. શું કહે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભેદોથી જોતાં આવું વિશેષપણું આત્મામાં છે. પુદ્ગલાદિ બીજા કોઈ દ્રવ્યમાં એવા ભેદો નથી એ અપેક્ષાએ સત્યાર્થ છે. (પરમાણુ આદિમાં જ્ઞાન, દર્શન નથી) તોપણ જેમાં
PDF/HTML Page 243 of 4199
single page version
સર્વ વિશેષો વિલય થઈ ગયા છે. એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના અઢારમા બોલમાં આવે છે કે આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. ‘લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે.’ અહીં જ્ઞાનગુણની મુખ્યતાથી વાત કરી છે, પરંતુ બધા ગુણભેદ એમાં લઈ લેવા. ત્રિકાળીમાં કોઈ ગુણભેદ છે નહીં. એક સામાન્ય જ્ઞાયકભાવ- ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ પડતાં ગુણભેદ અસ્ત થઈ જાય છે, અસત્યાર્થ થઈ જાય છે. આત્મસ્વભાવની સમીપ જઈને એટલે કે ભૂતાર્થ સ્વભાવને મુખ્ય કરીને એનો આશ્રય કરવામાં આવે અને ગુણભેદને ગૌણ કરવામાં આવે તો જ્ઞાન, દર્શન આદિ ભેદો અભૂતાર્થ છે. સોનામાં ભેદ અપેક્ષાએ ચીકાશ, વજન આદિ ભેદો છે. પણ ભેદને જોતાં જ્ઞાનમાં અંશ જણાય છે, આખી સુવર્ણ-વસ્તુ દ્રષ્ટિમાં આવતી નથી. અને આખી વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા વિના સુવર્ણનું યથાર્થ જ્ઞાન થતું નથી.
સોનીને ત્યાં કોઈ સોનાનો દાગીનો વેચવા લઈ જાય તો સોની ઘાટની કિંમત ચૂકવતો નથી, કેમકે ઘાટ એને મન કાંઈ નથી. એના જ્ઞાનમાં તો સોનાની કિંમત છે. એવી રીતે જ્ઞાનીના જ્ઞાનમાં પર્યાયવિશેષ કે ગુણવિશેષ કાંઈ નથી. ગાથા ૭ માં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન, દર્શન આદિ ભેદો નથી. તો પ્રશ્ન ઊઠે કે તે ભેદ શું જડમાં છે? ના, જડમાં નથી. જ્ઞાન, દર્શન આદિ છે તો આત્મામાં, પણ જ્ઞાનીને ભેદ ઉપર લક્ષ નથી; કેમકે ગુણભેદની દ્રષ્ટિ કરતાં સામાન્ય ત્રિકાળ ધ્રુવ આખી આત્મવસ્તુ અનુભવમાં આવતી નથી, આખી વસ્તુનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનીને એક જ્ઞાયકભાવ જ મુખ્ય છે, એને એની જ કિંમત છે. તેથી દ્રવ્યદ્રષ્ટિ થતાં ગુણભેદ કાંઈ નથી, અસત્યાર્થ છે.
જ્ઞાનપર્યાય જ્યાંસુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાંસુધી દ્રવ્યનું જ્ઞાન નથી, ત્યાંસુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં આખા દ્રવ્યનું-પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાનથવું તે પરિજ્ઞાન-પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું, કે ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. (એ તો અજ્ઞાન છે). પરિપૂર્ણની પ્રતીતિ તે સમ્યગ્દર્શન અને પરિપૂર્ણમાં સ્થિરતા તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં સ્થિરતા એ ચારિત્ર એમ નહીં, એ તો પર્યાયો છે. પરિજ્ઞાન એ પર્યાય છે. એ પર્યાયમાં આત્મા જેવો પરિપૂર્ણ છે એને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન આવે, પરંતુ આખો આત્મા પર્યાયમાં આવતો નથી.
PDF/HTML Page 244 of 4199
single page version
ભાઈ! આ તો કેવળજ્ઞાનીના કેડાયતીની વાણી છે. કેવળીના વિરહ ભૂલાવે એવી વાત છે. જગતનાં ભાગ્ય કે સમયસાર જેવું શાસ્ત્ર રહી ગયું, આવી વાણી ભરતક્ષેત્રમાં રહી ગઈ. અહો! જૈનદર્શન કોઈ અદ્ભુત અલૌકિક છે. તેમાં મૂળસ્વરૂપ-નિશ્ચયસ્વરૂપ તો યથાર્થ છે જ કે જે બીજે કયાંય નથી, પણ પર્યાય કે જે વ્યવહાર છે એનું સ્વરૂપ પણ જૈનદર્શનમાં જેવું બતાવ્યું છે એવું બીજે કયાંય નથી, એકેક ભેદોનું જ્ઞાન કરાવી પછી એનો નિષેધ કરે છે. સમયસાર ગાથા પ૦ થી પપ માં “ભિન્નભિન્ન શુભભાવ છે, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે”-એમ કેવળજ્ઞાનમાં જે વ્યવહાર જણાયો એ વ્યવહારનું જ્ઞાન કરાવી ત્રિકાળીની દ્રષ્ટિમાં એનો નિષેધ કરે છે.
આમ છે, ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એનો પત્તો લાગી ગયો તો ખલાસ. એના સંસારનો અંત આવી જશે, પછી ભલે વર્તમાનમાં ચારિત્ર ન હોય. દર્શન પાહુડમાં આવે છે કે-सिज्झंति य चरियभट्टा दंसणभट्टा न सिज्झंति– ચારિત્રથી ભ્રષ્ટ તો મુક્તિને પામે છે, પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ જીવ મુક્તિ પામતો નથી. સમ્યગ્દર્શન છે પણ જેને ચારિત્ર નથી તે શ્રદ્ધાનના બળે તે સ્વરૂપમાં રમણતા કરી મોક્ષને પામશે. પરંતુ જેને શ્રદ્ધા જ નથી એ સ્થિરતા શામાં કરશે? એને આત્માની સ્થિરતા બની શકતી નથી. અહાહા...! આત્માનો એકરૂપ સ્વભાવ-જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એવો જે અનાદિ-અનંત ધ્રુવ, ધ્રુવ ચૈતન્યભાવનો એકસદ્રશ પ્રવાહ (પર્યાયરૂપ નહીં) છે તે વ્યવહારનયના આલંબનથી (ભેદના લક્ષે) પ્રાપ્ત થતો નથી. સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ પંડિત શ્રીજયચંદજીએ જ્યાં અર્થ કર્યો છે ત્યાં (ગાથા ૩૧૧-૩૧૨માં) આ વાત લીધી છે કે આત્માને દયા, દાન, ભક્તિ આદિના રાગથી તથા મતિ, શ્રુત આદિ પર્યાયથી તો અનાદિથી જાણ્યો છે. પણ રાગ અને પર્યાયને જાણતાં એકરૂપ સ્વભાવ જાણવામાં આવતો નથી. તેથી એ પર્યાયોમાં (ભેદોમાં) ભેદને ગૌણ કરીને અભેદરૂપ અનંત એકભાવરૂપ ચૈતન્યને ગ્રહણ કરી વસ્તુનું-દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું છે. ભાઈ! આત્માની આવી યથાર્થ સમજણ વિના જે કાંઈ ક્રિયાકાંડ કરે તે વ્યર્થ છે, એકડા વિનાનાં મીંડાં છે.
પાંચમો બોલઃ– જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ-તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું
PDF/HTML Page 245 of 4199
single page version
ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? જળ તો સ્વભાવથી ઠંડું છે, પણ પોતાની યોગ્યતા અને અગ્નિના નિમિત્તથી પર્યાયમાં ઉષ્ણ થાય છે. ઉષ્ણતા પોતાની પર્યાયમાં પોતાથી છે, અગ્નિ તો નિમિત્તમાત્ર છે. પાણીની ઉષ્ણ અવસ્થા અગ્નિથી થઈ છે એમ નથી. ઉષ્ણ અવસ્થા થવાની તે સમયે જન્મક્ષણ છે તો થઈ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ ટીકામાં આવો પાઠ છે. હવે પર્યાયદ્રષ્ટિથી જોતાં જળમાં ઉષ્ણપણું છે તે સત્ય છે. અવસ્થાથી જોતાં જળને ઉષ્ણતા સાથે સંયુક્તપણું છે તે ભૂતાર્થ છે, તોપણ એકાંતશીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. પાણીનો સ્વભાવ તો એકાંત શીતળ છે. અવસ્થામાં ઉષ્ણપણું છે તે કાળે પણ પાણીનો સ્વભાવ શીતળ જ છે. એવા જળના ત્રિકાળ સ્વભાવની સન્મુખ થઈને જોવામાં આવે તો ઉષ્ણપણું અસત્યાર્થ છે-અભૂતાર્થ છે.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? ભગવાન આત્માની પર્યાયમાં જેટલો કર્મનો સંબંધ પામીને વિકાર ઉત્પન્ન થાય છે એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં સત્યાર્થ છે. વેદાંતની જેમ રાગ અને પર્યાય નથી એમ નહીં. તોપણ જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે કે જીવસ્વભાવમાં અંદર ઊંડા ઊતરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે. અહાહા! ભગવાન તારી ચીજ એકાંત બોધરૂપ છે. ભાષા જુઓ. પોતે એકાંત જ્ઞાનસ્વરૂપ છે. કોઈ ઈશ્વરે આત્માને જ્ઞાનસ્વરૂપ બનાવ્યો છે એમ નથી. જ્ઞાનસ્વભાવ એ આત્માનું સહજ રૂપ છે. અગ્નિના નિમિત્તે પાણી પર્યાયમાં ઉષ્ણ થયું છે ત્યારે પણ પાણીનો શીતળતારૂપ સ્વભાવ તો અંદર પડેલો જ છે. તેમ ભગવાન આત્માને વર્તમાન પર્યાયમાં કર્મના સંબંધથી વિકારી દુઃખરૂપ દશા છે, ત્યારે પણ આત્માનો સહજ આનંદ, બોધરૂપ સ્વભાવ અંદર પડેલો જ છે. એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે વર્તમાન વિકારી દશાને ગૌણ કરી એક જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં આનંદનો અનુભવ થાય છે એ અપેક્ષાએ દુઃખરૂપ- સંયુક્તપણારૂપ દશા અસત્યાર્થ છે, જૂઠી છે. બહુ ઝીણી વાત, ભાઈ!
મૂળ વાત જ અત્યારે તો આખી ગુલાંટ ખાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. પૂજા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બંધાવો એટલે કલ્યાણ થઈ જશે એવું બધું સંપ્રદાયમાં ચાલે છે. મંદિર બંધાવવામાં મંદકષાય હોય તોપણ તે શુભભાવ છે, બંધન છે. બનારસીદાસે સિદ્ધાંતમાંથી કાઢી સમયસાર નાટક મોક્ષદ્વારમાં કહ્યું છે કે છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતને કે જેને ત્રણ કષાયનો અભાવ છે અને પ્રચુર આનંદનું સ્વસંવેદન પર્યાયમાં વર્તે છે તેને પણ જે શુભભાવરૂપ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે એ ‘જગપંથ’ છે.
PDF/HTML Page 246 of 4199
single page version
પરમાદી જગકૌં ધુકૈ, અપરમાદી સિવ ઓર.’ ૪૦
અહાહા...! અંતરમાં જેને આનંદનો અનુભવ વર્તે છે, જેને પરદ્રવ્યનું કર્તાપણું તો દૂર રહો, રાગનું કર્તાપણું પણ છૂટી ગયું છે એવા નિર્ગ્રંથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભરાગ આવે છે તે ‘જગપંથ’ છે.
કુંદકુંદાચાર્યદેવ સ્વયં પુણ્ય-પાપ અધિકારમાં ફરમાવે છે કે પુણ્ય છે એ સંસારમાં દાખલ કરે છે, એને ભલું કેમ કહેવાય? જ્યાંસુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાંસુધી અશુભથી બચવા શુભરાગ આવે, પરંતુ શ્રદ્ધામાં સાધકને એ હેય છે, કેમકે એ ‘જગપંથ’ છે. મુનિને પણ જેટલો શુભરાગ આવે છે એ પ્રમાદ છે અને સંસારનું કારણ છે. ભાઈ એકાંત બોધસ્વરૂપ જે જ્ઞાયકભાવ તે એકના લક્ષ વિના જે કોઈ પરના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે એ ‘જગપંથ’ છે, પછી ભલે એ શુભરાગ ભગવાનની ભક્તિ કે સ્મરણનો હો કે મહાવ્રત સંબંધી હો. કાયરનાં તો કાળજાં કંપી ઊઠે એવી આ વાત છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ-
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’
અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષસ્વરૂપે બિરાજે છે. એવા નિજસ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા-નિર્મળ દશા ઉત્પન્ન થાય એ મોક્ષપંથ છે. અંતરસ્વભાવના આશ્રયમાં જે અપ્રમત્તભાવ ઉત્પન્ન થાય તે શિવમાર્ગ- મુક્તિમાર્ગ છે. તથા જે પંચપરમેષ્ઠીમાં ભળેલા છે, ‘णमो लोए सव्वसाहूणं’ એમ જેમને ગણધરદેવના નમસ્કાર પહોંચે છે તેવા ભાવલિંગી મુનિ હોય એમને પણ જેટલા પર તરફના લક્ષે શુભરાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ-સંસારપંથ છે. આકરી વાત છે, ભાઈ! લોકોએ ધર્મ શું છે એ કદી સાંભળ્યું નથી.
શાસ્ત્રમાં પાંચ પાંડવોનું દ્રષ્ટાંત આવે છે. પાંચે પાંડવો શેત્રુંજા પર્વત ઉપર ધ્યાનમાં ઊભા છે. ત્યાં દુર્યોધનનો ભાણેજ આવીને તેમને લોઢાના ધગધગતા દાગીના શરીર પર પહેરાવે છે. પાંચે પાંડવો આત્મ-અનુભવી છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતો છે. એમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પરંતુ નકુલ અને સહદેવને એવો શુભ વિકલ્પ આવ્યો કે મોટાભાઈને શું થતું હશે? કેમકે તેઓ સહોદર અને સાધર્મી છે એટલે આવો વિકલ્પ બે ભાઈઓને આવ્યો. તો તેના ફળમાં સર્વાર્થસિદ્ધિના દેવનું ત્રેત્રીશ સાગરની સ્થિતિવાળું આયુષ્ય બંધાઈ ગયું. તેત્રીસ સાગર સુધી
PDF/HTML Page 247 of 4199
single page version
કેવળજ્ઞાનથી દૂર થઈ ગયા, અને ત્યારપછી પણ મનુષ્ય થઈને મોક્ષે જશે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ જુદી ચીજ છે. નિર્ગ્રંથ મુનિરાજને બીજા ધર્માત્મા ઉપર લક્ષ ગયું એના ફળમાં કેવળજ્ઞાનથી દૂર થઈ, તેત્રીસ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિના આયુષ્યનું બંધન થયું. એક સાગરમાં દશ ક્રોડાકોડી પલ્યોપમ જાય, અને એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજવર્ષ થાય.
પ્રશ્નઃ– આ શું બહુ મોટો દંડ નથી? કાકડીના ચોરને શું ફાંસીની સજા નથી.?
ઉત્તરઃ– ના. એ શુભભાવનું ફળ જ સંસાર છે.
ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ભાવલિંગી સંતને એમ કહે છે કે તારી દશા અંતર અવલંબનથી જેટલી નિર્મળ થઈ એ મોક્ષપંથ છે, અને દશામાં જેટલો પરલક્ષી પાંચ મહાવ્રતનો, ૨૮ મૂળગુણના પાલનનો રાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ છે, સંસાર છે. લોકો સ્ત્રી, કુટુંબ-પરિવારને સંસાર માને છે, પણ ખરેખર એ સંસાર નથી. એ તો બધી પર ચીજ છે આત્માનો સંસાર બહારમાં નહીં, પણ અંદર એની દશામાં જે મિથ્યા શ્રદ્ધા, રાગ અને દ્વેષ છે, તે છે. જો સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ સંસાર હોય તો મરણ થતાં એ સઘળાં તો છૂટી જાય છે તો શું એ સંસારથી છૂટી ગયો? ના. એ બધાં સંસાર નથી. ‘संसरणम् इति संसारः’ ભગવાન એમ કહે છે કે તારી ચીજ જે ચિદાનંદઘન છે એમાંથી ખસી તું જેટલો મિથ્યાત્વ, રાગ અને દ્વેષમાં આવ્યો એ સંસાર છે.
અતીન્દ્રિય આનંદરૂપ અનુભવથી છૂટી ભાવલિંગી સંત છઠ્ઠે ગુણસ્થાને આવે છે એ પ્રમાદ છે. વિકલ્પ જે ઊઠે છે તે આળસ છે. ભાઈ! તું સ્વરૂપની સાચી શ્રદ્ધા તો કર. શ્રદ્ધામાં ગોટાળા હશે તો તારા આરા નહીં આવે, સંસારમાં રખડવાનું જ થશે. પાગલ-મોહ-ઘેલી દુનિયા ગમે તે કહે, એનાં સર્ટિફિકેટ કામમાં નહીં આવે.
ભગવાન ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગ-સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે.
મૃગની નાભિમાં કસ્તુરી છે એની એને ખબર નથી. તેની સુવાસ બહારથી આવે છે એમ જાણી એ જ્યાં છે ત્યાં જોતો નથી. પણ બહાર શોધે છે. એમ અજ્ઞાની જીવ જાણે જ્ઞાન અને આનંદ પરમાંથી આવે છે એમ બહાર શોધે છે, પરંતુ જ્યાં છે, ત્યાં અંદર
PDF/HTML Page 248 of 4199
single page version
પોતામાં જોતો નથી તેથી ચતુર્ગતિભ્રમણરૂપ સંસાર છે. અહીં કહે છે કે આત્મા પોતે એકાંત જ્ઞાનરૂપ, આનંદરૂપ, સહજ સ્વભાવ છે. એ સ્વભાવને મુખ્ય કરી તેનો આશ્રય કરવાથી રાગાદિ સાથે સંયુક્તપણું અભૂતાર્થ-અસત્યાર્થ થઈ જાય છે અને તે ધર્મ છે, મુક્તિમાર્ગ છે.
આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. (૧) અનાદિકાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે. (૨) કર્મના નિમિત્તથી થતા નર-નારકાદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન ગતિરૂપે દેખાય છે. ઘડીકમાં મનુષ્ય તો ઘડીકમાં દેવ ઇત્યાદિ ભિન્ન ભિન્ન ગતિપણે દેખાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. એને ૯૬ હજાર રાણીઓ, ૯૬ ક્રોડ પાયદળ, ૯૬ ક્રોડ ગામ, ૭૨ હજાર નગર, અને હીરાના તો ઘરે પલંગ હતા; પણ આયુષ્ય પૂરું થયું અને બીજી ક્ષણે સાતમી રૌરવ નરકમાં ગયો. અત્યારે સાતમી નરકમાં છે. ભગવાન કહે છે કે મિથ્યાશ્રદ્ધાનું ઘૂંટણ અને અનંતાનુબંધી કષાયને ૭૦૦ વર્ષ સેવીને તેત્રીસ સાગરોપમના આયુષ્યે સાતમી નરકે છે. સાતસો વર્ષના જેટલા શ્વાસ થાય તેમાં એક શ્વાસના કલ્પિત સુખના ફળમાં ૧૧ લાખ ૯૬ હજાર નવસોપંચોતેર પલ્યોપમનું દુઃખ ત્યાં ભોગવશે. ભાઈ! આ તો ભગવાનના માર્ગની ગણતરી પણ જુદી જાતની છે. આ રીતે કર્મના નિમિત્તમાં થવાવાળી નર, નારકાદિ ભિન્ન ભિન્ન પર્યાયોમાં આત્મા દેખાય છે. વર્તમાનમાં સમર્થ રાજા હોય અને બીજી જ ક્ષણે નરકમાં જન્મે. આવું અનંતવાર થઈ ગયું છે. (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે. જ્ઞાનાદિ પર્યાયોમાં હીનાધિકતા થાય છે. પર્યાયમાં હીનાધિકતા થવી એ પર્યાયનો સ્વભાવ છે, તેથી નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી. (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. બીજા દ્રવ્યોમાં નથી એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણભેદ વિશેષ અપેક્ષાએ આત્મામાં છે. એકરૂપ સામાન્ય સ્વભાવમાં એ નથી. (પ) કર્મના નિમિત્તથી થતા મોહ-રાગ-દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહારનયનો વિષય છે. ભાષા જુઓ. અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ કહ્યું? પર્યાયમાં અશુદ્ધતા થઈ છે એ અપેક્ષાએ અશુદ્ધ અને પોતામાં પોતાથી થઈ છે અને પરથી નહિ એ અપેક્ષાએ દ્રવ્યાર્થિક કહ્યું છે. ત્રિકાળ આનંદરૂપ જે પોતે એની પર્યાયમાં જે અશુદ્ધતા છે એ દ્રવ્યનું પોતાનું પર્યાયરૂપ પરિણમન છે. એ પોતામાં છે, બીજા દ્રવ્યમાં નથી અને બીજા દ્રવ્યથી પણ નથી.
PDF/HTML Page 249 of 4199
single page version
અશુદ્ધ દ્રવ્ય-દ્રવ્ય તો અશુદ્ધ કદી હોતું જ નથી. પણ પર્યાયમાં આ દ્રવ્ય અશુદ્ધ એ અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહ્યું. પરમાં નહિ અને પરથી નહિ એ બતાવવા અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહ્યું છે. તારી સત્તામાં-પર્યાયમાં આ પાંચે ભાવો છે એ અપેક્ષાએ દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહીને વ્યવહારનયનો વિષય કહ્યો. વ્યવહારનયનો વિષય એટલે પર્યાયનો વિષય. અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, વ્યવહારનય કહો કે પર્યાયાર્થિકનય કહો-એ બધું એકાર્થવાચક છે. અશુદ્ધતા તો પર્યાયમાં છે પણ અહીં અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ લીધું? દ્રવ્ય પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ દ્રવ્યની પર્યાય પોતાથી પોતામાં અશુદ્ધ થઈ છે, કર્મથી કે કર્મમાં અશુદ્ધ પર્યાય થઈ નથી એમ સિદ્ધ કરવા દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું છે.
પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાયદ્રષ્ટિથી સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી. અને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. અશુદ્ધ દ્રવ્યાર્થિકનય પર્યાયની સત્તાને બતાવે છે, પણ એનાથી એકરૂપ સ્વભાવભાવ ચિદાનંદમૂર્તિ જ્ઞાયકભાવ નજરમાં આવતો નથી. અને જ્ઞાયકને જાણ્યા વિના અખંડ એક આત્માનું જ્ઞાન કેમ થાય? પાંચ પ્રકારમાં તો આત્મા અનેકરૂપે દેખાય છે. પણ વસ્તુ તો અંદર અખંડ એકરૂપ ત્રિકાળ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વભાવથી ભરપૂર ભરેલી ગોદામ છે. એવા આત્માનું ભેદદ્રષ્ટિ-અંશદ્રષ્ટિ-પર્યાયદ્રષ્ટિથી જ્ઞાન થતું નથી. માટે વ્યવહારનયથી પ્રતિપક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય અર્થાત્ નિશ્ચયનયને મુખ્ય કરી આત્માના એકસ્વભાવને જ્ઞાનમાં ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ માત્ર જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો પિંડ, ઝળહળ જ્યોતિ, એકરૂપ આખું ચૈતન્યબિંબ તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિકભાવોથી રહિત જોવામાં આવે તો પાંચે ભાવોથી જે અનેકરૂપપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. અંદર જે પૂર્ણાનંદસ્વરૂપ, જ્ઞાનઘન, ધ્રુવ જ્ઞાયકભાવ છે એમાં દ્રષ્ટિ કરી આશ્રય કરતાં આ પાંચ પર્યાયરૂપ ભાવો જૂઠા થઈ જાય છે.
બાપુ! આ તો જન્મ-મરણ જેનાથી મટે એની વાત છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે મોક્ષપાહુડ ગાથા ૧૬માં એમ કહ્યું છે કે-“परदव्वादो दुग्गई सद्दव्वादो हु सग्गई होई” -જેટલું લક્ષ પરદ્રવ્ય ઉપર જશે એટલો રાગ ઉત્પન્ન થશે, અને એના ફળમાં ચાર ગતિ મળશે. સિદ્ધગતિ નહીં મળે. ભાઈ, ત્રણલોકના નાથ પણ તારી અપેક્ષાએ પરદ્રવ્ય છે. એના લક્ષથી રાગ જ ઉત્પન્ન થશે, એનાથી પુણ્યબંધ થશે અને એથી સ્વર્ગાદિ મળશે. પણ એ બધી દુર્ગતિ છે. મનુષ્યમાં પૈસાવાળા થાય એ પણ દુર્ગતિ છે. અને સ્વદ્રવ્યના આલંબનથી સુગતિ-સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. બે શબ્દોમાં તો આખો સિદ્ધાંત મૂકી દીધો છે. આ તો અજર-અમર પ્યાલા છે.
PDF/HTML Page 250 of 4199
single page version
અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંતધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા અનંતધર્મસ્વરૂપ છે. આત્મામાં ગુણો અને પર્યાયો એ બધા આત્માએ ધારી રાખેલા ભાવ હોવાથી એ આત્માના ધર્મ છે. પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા છે તે પર્યાયે ધારી રાખેલ છે તેથી ધર્મ છે. એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ધર્મો તો સ્વાભાવિક છે. અને પર્યાયમાં જે પુણ્ય-પાપ આદિ છે તે કર્મના સંયોગથી થાય છે અને એનાથી આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે. રાગ-દ્વેષાદિ તીવ્ર હોય તો નરક કે તિર્યંચાદિમાં જાય છે અને મંદ હોય તો દેવ કે મનુષ્ય થાય છે. એ બધી સંસારની પ્રવૃત્તિ છે. તે સંબંધી જે સુખદુઃખ આદિ થાય છે તેને આત્મા ભોગવે છે. ખરેખર તો નરક કે સ્વર્ગમાં કયાંય સુખ નથી પણ તેની કલ્પના કરીને આત્મા સુખદુઃખ ભોગવે છે. મનુષ્ય કરતાં સ્વર્ગમાં ઘણી અનુકૂળ સામગ્રી છે. પણ એના પર લક્ષ જતાં પાપભાવ થાય છે અને એ દુઃખરૂપ જ છે. સ્વર્ગના જીવો પણ દુઃખી જ છે. વર્તમાન પર્યાયમાત્રને જ જોવી, રાગાદિને જોવા એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે. તેને અનાદિ-અનંત એક આત્માનું જ્ઞાન નથી.
ભગવાન આત્મા છે, છે, છે-એમ ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ-એકસદ્રશ પ્રવાહ અનાદિ-અનંત છે. આવા એકરૂપ આત્માનું જ્ઞાન પર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવોને હોતું નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. જૈનમત સિવાયના અન્યમતમાં સર્વજ્ઞ જ નથી. તેથી એમાં આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવનાર પણ કોઈ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે અંતરમાં જે પૂર્ણ ‘જ્ઞ’ સ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ પડયો છે એના પૂર્ણ અવલંબનથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી. અને એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી એ આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ (બીજામાં નથી એવો) ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. એને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પર્યાય છે ખરી, પણ હું પર્યાય જેટલો જ છું એવો પક્ષપાત છૂટી જાય છે. પર્યાયનો નાશ થઈ જાય છે એમ નહીં, પણ હું અખંડ એક જ્ઞાયકભાવ છું એમ દ્રષ્ટિ થતાં પોતાને વર્તમાન રાગાદિ પર્યાય જેટલો માન્યો છે એ પક્ષપાત મટી જાય છે.
શરીર, કર્મ આદિ પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી એકરૂપ જ્ઞાયકભાવનો જીવ અનુભવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવોરૂપ પરિણમતો નથી. આત્મામાં બે ભાગ પડે છે. એક ધ્રુવ, ધ્રુવ એક જ્ઞાયકભાવ તે દ્રવ્ય અને બીજી વર્તમાન પર્યાય. જેમાં રાગદ્વેષાદિ ભાવો થાય છે. એમાં પર્યાયદ્રષ્ટિ એ વ્યવહારદ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિ છે. એ પર્યાયની દ્રષ્ટિ છોડીને એનાથી પ્રતિપક્ષ
PDF/HTML Page 251 of 4199
single page version
શુદ્ધનયનો જે વિષય એકરૂપ ચૈતન્યમાત્ર અનંત અનંત ગુણોનો પિંડ આનંદકંદ ભગવાન આત્મા છે એ એકની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પરના સંબંધથી જે રાગાદિ ઉત્પન્ન થાય છે એ રૂપે તે પરિણમતો નથી. અરાગી જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અને અશુદ્ધતા નાશ પામે છે. અને તેથી કર્મ બંધાતાં નથી અને સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવમાં પ્રવૃત્તિ પુષ્ટ થતાં વિકારી પરિણમનથી નિવૃત્તિ થઈ જાય છે અને આત્મા એકલો સિદ્ધ ભગવાન થઈ જાય છે.
અહા! બહારથી ક્રિયા કરતા હોય એને એમ લાગે કે આ તો કોઈ એલ.એલ.બી. ની ઊંચી વાતો છે, પણ એમ નથી. આ તો પહેલા એકડાની વાત છે. જૈનધર્મ એણે સાંભળ્યો નથી. જૈનધર્મ એ કોઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરીને અજ્ઞાન અને રાગદ્વેષને જીતવાં એનું નામ જૈનધર્મ છે.
માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે, જુઓ, ભાષા કેવી લીધી છે? વ્યવહારને ગૌણ કરીને, અભાવ કરીને એમ લીધું નથી. પર્યાય નથી એમ નથી, પણ એ દ્રષ્ટિનો વિષય નથી. તથા શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. શુદ્ધનયનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેનું જ આલંબન લેવાનું કહ્યું છે. ભગવાનની મૂર્તિનું આલંબન એ તો પરનું આલંબન છે. અહીં તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવના આલંબનની વાત છે.
પરવસ્તુ અને આત્માને તો કાંઈ સંબંધ જ નથી. ભાઈ! તારી પર્યાયનું પણ લક્ષ કરવા જેવું નથી તો પરદ્રવ્યનું લક્ષ કરવાનું તો કયાં રહ્યું? પ્રવચનસાર ચરણાનુયોગ અધિકારમાં આચાર્યદેવે લીધું છે કે જ્યારે કોઈ જીવ આત્મજ્ઞાનપૂર્વક વૈરાગ્ય પ્રગટ થવાથી દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તે કુટુંબીજનો પાસે રજા લેવા જાય છે. પિતા પાસે જઈને એમ કહે છે કે-‘આ પુરુષના શરીરના જનકના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી. હવે હું મારી નિર્મળ પર્યાયનો જનક જે અનાદિ-અનંત ત્રિકાળી દ્રવ્ય તેની પાસે જવા માગું છું, મને રજા આપો.’ એવી જ રીતે સ્ત્રી પાસે જઈને એમ કહે છે કે-‘આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતી નથી. હવે હું અનાદિ-અનંત ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જે મારી સ્ત્રી એની પાસે જવા માગું છું.’ હે માતા-પિતા! મારી ચીજ જે મારી પાસે છે એની પાસે હું જવા માગું છું. બહારમાં જે વિકલ્પો ઊઠે છે તે પણ મારી ચીજ નથી, તો પર દ્રવ્યોની સાથે તો મારે સંબંધ જ કેવો?’ આત્માને પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ છે જ નહીં.
PDF/HTML Page 252 of 4199
single page version
હવે આગળ કહે છે કે-વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું (શુદ્ધનયનું) પણ આલંબન રહેતું નથી. પર્યાયમાં જ્યાંસુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાંસુધી દ્રવ્ય તરફ ઝુકાવ કરવાનો રહે છે. દ્રવ્ય પ્રતિ ઝુકાવથી જ્યાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટી જાય પછી દ્રવ્યનું આલંબન કરવાનું રહેતું નથી.
પર્યાયાર્થિક નયને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધનયને સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. પૂર્ણ પ્રાપ્તિ થઈ ગયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. પૂર્ણ દશામાં તો ભેદાભેદનું જ્ઞાન થયા કરે છે. આ કથનથી એમ ન સમજવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ છે. પર્યાયમાં રાગ અને દુઃખ છે એ જૂઠું છે એમ નથી. એ તો દ્રષ્ટિના વિષયને મુખ્ય કરીને, પર્યાયને ગૌણ કરીને જૂઠી કહી છે. અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે, અને તેથી મિથ્યાત્વ આવી જશે. વેદાંત આત્માને સર્વવ્યાપક માને છે અને પર્યાયમાં ભેદ અને અનેકતાને સ્વીકારતો જ નથી. એ મતવાળા સંસારને અવસ્તુ માને છે. એવી માન્યતાપૂર્વક શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાદ્રષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાના શ્રદ્ધાનથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.
પર્યાયનયથી આત્માને જે કર્મનો સંબંધ, રાગ, અનેકતા તથા ગુણભેદ છે તે સત્ય છે, તે અવસ્તુ નથી; પરંતુ તેના લક્ષે સમ્યગ્દર્શનાદિ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનના પ્રયોજનની સિદ્ધિ તો એકમાત્ર અભેદ, અખંડ, એકરૂપ ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કરી આશ્રય કરવાથી થાય છે. તેથી જ દિગંબર સંતોએ પ્રયોજનની- સમ્યગ્દર્શન આદિની સિદ્ધિ હેતુ ત્રિકાળીને મુખ્ય કરી, નિશ્ચય કહી સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. તથા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી અસત્યાર્થ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. આમ છતાં પર્યાય છે જ નહીં એમ માનીને દ્રવ્યનો આશ્રય કરવા જાય તો તે બનતો નથી, કેમકે દ્રવ્યનો આશ્રય તો પર્યાય કરે છે. માટે પર્યાય નથી એમ માનતાં આશ્રય કરવાવાળું કોઈ રહેતું નથી. અને તો પછી જેનો આશ્રય કરવો છે એ દ્રવ્યવસ્તુ પણ દ્રષ્ટિમાં આવતી નથી.
આનંદઘનજી એક ઠેકાણે લખે છે કેઃ-
સુગુરા હોય
PDF/HTML Page 253 of 4199
single page version
ગગનમંડળમાં આત્મા શરીરથી, કર્મથી અને વર્તમાન પર્યાયથી ભિન્ન અધબીચ-અદ્ધર રહેલો છે. એ આખા આત્મામાં અમૃત ભર્યું છે. અંદરમાં અતીન્દ્રિય આનંદથી ભરેલો અમૃતનો સાગર છે. જેને માથે સુગુરુ છે, જેને સુગુરુની દેશના પ્રાપ્ત થઈ છે કે-સત્યાર્થ ચીજવસ્તુ આત્મા અનાકુળ અતીન્દ્રિય સુખથી ભરચક ભરેલો છે, તે એમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી સુખામૃતનું પાન ભરીભરીને કરે છે. પરંતુ જે અજ્ઞાની છે તે બહારમાં-ધન, પૈસા, સ્ત્રી, આબરૂમાં સુખ શોધે છે તેની પ્યાસ બુઝાતી નથી. તે દુઃખી જ રહે છે.
ભાઈ! આત્મા વીતરાગસ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણઆનંદસ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણજ્ઞાનસ્વરૂપ, શ્રદ્ધાની અપેક્ષાએ પૂર્ણશ્રદ્ધાસ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણઈશ્વરસ્વરૂપ આત્મા છે. આવા ભેદો ભેદ અપેક્ષાએ સત્ય છે. છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી પર્યાયદ્રષ્ટિ છે. પર્યાયદ્રષ્ટિ જ્યાંસુધી છે ત્યાંસુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈ પૂર્ણાનંદની સત્તાનું-એક અખંડ અભેદ વસ્તુનું અવલંબન લઈ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર. આ સમ્યગ્દર્શનની રીત છે.
આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું. મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. પર્યાયને અસત્યાર્થ કહી તો એ છે જ નહીં એમ ન માનવું. સ્યાદ્વાદને સમજી એટલે પર્યાયને ગૌણ કરીને અસત્ય અને દ્રવ્યને મુખ્ય કરીને તેને સત્ય કહ્યું છે એમ સમજી જિનમતમાં કહેલા એક વીતરાગસ્વરૂપ ત્રિકાળી આત્માનું સેવન કરવું. પર્યાય છે જ નહીં એવી માન્યતા એ જિનમત નથી, તથા પર્યાયનો આશ્રય કરવો એ પણ જિનમત નથી. એ તો મિથ્યાત્વ છે.
આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યે પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધસ્પૃષ્ટાદિરૂપ દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે, પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં બદ્ધસ્પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. કેમકે અભેદમાં પર્યાયનો ભેદ નથી તથા અભેદની દ્રષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. તેથી અભેદનો અનુભવ કરાવવા માટે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે.
વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. શુદ્ધનય હો કે વ્યવહારનય, એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. ત્રિકાળ જ્ઞાનગુણ જેનું લક્ષણ છે એવા દ્રવ્યનો અનુભવ કરીને જે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણજ્ઞાન છે. એ અવયવી છે અને નય તેના અવયવ છે. ભાવશ્રુતપ્રમાણજ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો
PDF/HTML Page 254 of 4199
single page version
એક ભાગ તે નય છે. શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડે જ્ઞાયકને જાણતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (ભાવશ્રુતજ્ઞાન સીધું રાગ કે નિમિત્તની અપેક્ષા વિના સ્વને જાણે છે). શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા એને શ્રુતજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તો નય પણ પરોક્ષ જ છે.
શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત આત્મા બદ્ધ-સ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. આત્મામાં જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન એવા સામર્થ્યરૂપ ચૈતન્યસ્વભાવ પરોક્ષ છે. વળી તેની વ્યક્તિ (શક્તિમાંથી પ્રગટ થવારૂપ વ્યક્તતા) કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે. (મતિ-શ્રુતાદિ જ્ઞાનમાં કર્મનું નિમિત્ત છે) તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. આત્મા વસ્તુ, જ્ઞાન શક્તિમાન ગુણ, એની મતિ-શ્રુત આદિ પ્રગટ વ્યક્તતા ત્રણે આવી ગયાં. એમાં સત્નું સત્ત્વ ભગવાન આત્મા, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવ (ગુણ) પરોક્ષ છે. અને એવા દ્રવ્યનું આલંબન લેવાથી શક્તિમાંથી મતિ-શ્રુતાદિ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્ત છે. પહેલાં કહ્યું કે શુદ્ધનયનો વિષય પરોક્ષ છે, એ તો ત્રિકાળીની વાત કરી. હવે એ ત્રિકાળી ધ્યેયમાં એકાગ્ર થઈને જે મતિ, શ્રુત પર્યાય પ્રગટી એ કથંચિત્ જ્ઞાન-ગમ્ય-જ્ઞાન જ્ઞાનને સીધું પરની મદદ વિના જાણે છે એ અપેક્ષાએ પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે.
અને સંપૂર્ણ જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. શું કહ્યું? કેવળજ્ઞાન પર્યાય પ્રગટ નથી, પણ આ શુદ્ધનય બતાવે છે કે આ સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું છે તે વધીને કેવળજ્ઞાન થશે. ધવલમાં એ પાઠ છે કે-મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. પરોક્ષજ્ઞાનમાં એ પ્રતીતિમાં આવી ગયું છે કે આ મતિ-શ્રુતાદિ પર્યાય વધીને કેવળજ્ઞાન થશે જ. જયધવલમાં પણ લીધું છે કે-કેવળજ્ઞાન અવયવી છે અને મતિ, શ્રુત એના અવયવો છે. અવયવથી અવયવી જાણવામાં આવે છે. થાંભલાની એક હાંસ જોતાં જેમ આખા થાંભલાનો નિર્ણય થઈ જાય છે તેમ આત્મામાં મતિ-શ્રુત અવયવ પ્રગટ થતાં એમાં કેવળજ્ઞાનરૂપ અવયવીની પ્રતીતિ થઈ જાય
PDF/HTML Page 255 of 4199
single page version
છે. છદ્મસ્થને કેવળજ્ઞાન નથી, પણ શુદ્ધનય પરોક્ષપણે એમ બતાવે છે કે આ વર્તમાન વર્તતું જ્ઞાન પૂર્ણ થશે એ કેવળજ્ઞાન છે. શ્રીમદે પણ લીધું છે ને કે-શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છા-ભાવના એની જ છે એ અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું. ઉપરોક્ત ન્યાયે તે પરોક્ષ છે. આવો સર્વજ્ઞનો (સ્યાદ્વાદ) માર્ગ છે.
મતિ-શ્રુતજ્ઞાન એ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિ-શ્રુત એ સાધક છે અને કેવળજ્ઞાન સાધ્ય છે. અષ્ટપાહુડમાં ચારિત્રપ્રાભૃતની ચોથી ગાથામાં તો મોક્ષમાર્ગની-જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયને ‘અક્ષય-અમેય’ કહી છે. સમયસારમાં મતિ-શ્રુતજ્ઞાન એ ‘ઉપાય’ છે અને કેવળજ્ઞાન-મોક્ષ એ ‘ઉપેય’ છે. એમ કહ્યું છે. ‘ઉપાયના’ જ્ઞાનમાં ‘ઉપેય’ ની પ્રતીતિ આવી જાય છે. નવતત્ત્વની પ્રતીતિમાં મોક્ષની પ્રતીતિ આવે છે કે નહીં? નવતત્ત્વની અભેદ શ્રદ્ધામાં મોક્ષની શ્રદ્ધા આવી જાય છે. તત્ત્વાર્થસૂત્રમાં જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એકવચનમાં લીધું છે. જેવું શક્તિમાં જ્ઞાન પૂર્ણ છે એવી આ મતિ-શ્રુત પર્યાય પૂર્ણ થઈ જશે એવી પરોક્ષ પ્રતીતિ શ્રુતજ્ઞાનમાં આવે છે.
હવે કહે છે-જ્યાંસુધી આ નયને (શુદ્ધનયને) જીવ જાણે નહીં ત્યાંસુધી આત્માના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. શુદ્ધનયનો વિષય અખંડ, એક પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા આત્મામાં ઝૂકીને પર્યાય જ્યાંસુધી તેને જાણે નહીં ત્યાંસુધી તેનાં શ્રદ્ધા-જ્ઞાન થતાં નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધ-સ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘન આત્માને જાણી (અંતર્મુખ થઈને જાણી) શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. સંતો પ્રસિદ્ધ કરીને કહે છે કે પૂર્ણજ્ઞાન-ઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ-શ્રદ્ધા કરો. આ શુદ્ધનય અખંડ, એક, ત્રિકાળી, ધ્રુવ, પરમસ્વભાવ જ્ઞાયકભાવને દેખાડે છે. તેની અંતર્મુખ થઈ શ્રદ્ધા કરો.
અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખ્યે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તરઃ-
દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં-સર્વજ્ઞના શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમ- પ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે, પ્રમાણથી અનુમાન-જ્ઞાનમાં પરિપૂર્ણ ધ્રુવ આત્માને જાણી શુદ્ધનયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું. ભાવશ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે એમાં આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ પ્રત્યક્ષ જણાતા નથી. આ રીતે જ્ઞાનની
PDF/HTML Page 256 of 4199
single page version
પર્યાયમાં અખંડ, અભેદ, પૂર્ણ આત્મા જે જ્ઞેય છે એનું જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું. કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અમને પ્રત્યક્ષ દેખાય તો જ માનીએ એમ એકાંત ન કરવો.
હવે શુદ્ધનયને મુખ્ય કરી કળશરૂપ કાવ્ય કહે છેઃ-
અમૃતચંદ્રાચાર્યદેવ જગતના જીવોને ઉદ્દેશીને કહે છેઃ- ‘जगत् तम् एव सम्यक्स्वभावम् अनुभवतु’ જગતના પ્રાણીઓ એ સમ્યક્ સ્વભાવનો અનુભવ કરો- એટલે પર્યાયમાં એનો સાક્ષાત્કાર કરો, એનું વેદન કરો. સમ્યક્ એમ એક શબ્દમાં તો બાર અંગનો સાર મૂકી દીધો છે. એક ઠેકાણે સ્તુતિકાર ભગવાનની સ્તુતિ કરતાં કહે છેઃ -
નિજસત્તાએ શુદ્ધ, સહુને
નાથ! આપ આખા જગતને નિજસત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખી રહ્યા છો. પ્રત્યેક આત્મા શુદ્ધ પરિપૂર્ણ ભગવાનમયી છે એમ આપના જ્ઞાનમાં દેખી રહ્યા છો.
અહાહા...! ભાઈ, ભગવાને જોયું છે કે તું અંદર પરિપૂર્ણ શુદ્ધ છો ને! તને અપૂર્ણ અને વિપરીત માનતો એ તારું અપમાન છે. (અનાદર છે) જેમ કોઈ અબજપતિને નિર્ધન કહેવો એ એનું અપમાન છે તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને દરિદ્રી માનવો એ એનું અપમાન છે. અહીં કહે છે કે અંદર ત્રિકાળ ધ્રુવ જ્ઞાનાનંદસ્વભાવી અખંડ એકસ્વભાવ આત્મા છે તેનો અનુભવ કરો, એની સન્મુખ જ્ઞાન અને દ્રષ્ટિ કરીને વેદન કરો. આવા સત્યસ્વભાવની પ્રતીતિને સમ્યગ્દર્શન કહે છે. એ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે છે એને અનુભવ કહે છે. આનંદનું વેદન એ અનુભવની મહોર-છાપ-મુદ્રા-ટ્રેડમાર્ક છે. સમયસાર ગાથા પ ની ટીકામાં આવે છે કે-જેમ ડુંગરમાંથી પાણી ઝરે એમ મારો આનંદકંદ ડુંગર આત્મા છે એમાં દ્રષ્ટિ પડતાં મને નિરંતર આનંદ ઝરે છે. એવા આનંદ ઝરતા પ્રચુર સ્વસંવેદનથી મારા નિજવિભવનો જન્મ છે. અનુભવ આનંદના વેદન સહિત જ હોય છે.
ભગવાન આત્મા જ્ઞાન, આનંદ એમ અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આચાર્ય કહે છે કે-એવા આત્માનો સાક્ષાત્કાર કરો, તેથી અતીન્દ્રિય આનંદ થશે. આત્માને છોડીને
PDF/HTML Page 257 of 4199
single page version
બહારમાં-સ્ત્રી, પુત્ર કે આબરૂમાં-કયાંય સુખ નથી. એ બધાં તો દુઃખનાં બાહ્ય નિમિત્તો છે. બનારસીદાસે સમયસારનાટકમાં કહ્યું છેઃ-
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.”
આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દ્રષ્ટિ થાય છે દ્રષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે.
હવે કહે છે કે આ સમ્યક્સ્વભાવનો જગત અનુભવ કરો કે ‘यत्र’ જ્યાં ‘अमी बद्धस्पृष्टभावादयः’ આ બદ્ધસ્પૃષ્ટાદિ ભાવો ‘एत्य स्फुटं उपरि तरन्तः अपि’ સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. આ બદ્ધસ્પૃષ્ટાદિ પાંચે ભાવો સ્પષ્ટપણે ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ પૂર્ણજ્ઞાયકભાવની ઉપર ઉપર તરે છે તોપણ ‘प्रतिष्ठाम् न हि विदधति’ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, અંદર પ્રવેશ પામતા નથી. કર્મના સંબંધરૂપ બંધભાવ, અનેરી અનેરી ગતિરૂપ ભાવ, જ્ઞાનની હીનાધિક દશા કે રાગાદિ ભાવો-એ પર્યાયભાવો જ્ઞાયકભાવની ઉપર ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતા નથી. જેમ પાણીના દળની ઉપર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર ઉપર જ રહે છે, અંદર પ્રવેશ પામતું નથી, તેલની ચીકાશ અંદર જતી નથી તેવી રીતે અનાદિ-અનંત સહજ વિજ્ઞાનઘનસ્વભાવમાં દયા- દાન-પૂજા-ભક્તિનો રાગ તો પ્રવેશ પામતો નથી પણ એ રાગને જાણનારી જ્ઞાનની ક્ષયોપશમરૂપ અનિયત અવસ્થા પણ અંદરમાં પ્રવેશ પામતી નથી. કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય અને અનેકરૂપ છે. આત્મતત્ત્વ નિત્ય, ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપર ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે? દ્રષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે.
અહીં પ્રશ્ન થાય છે કે-રાગની પર્યાય વ્યય પામીને અંદર ધ્રુવમાં ભળી જાય છે ને? સમાધાનઃ– ના, બિલકુલ ભળતી નથી. રાગનો નાશ થાય છે ત્યારે તે અંદર પારિણામિકભાવરૂપ થઈ જાય છે. આત્મામાં જે વર્તમાન રાગ થાય તે બીજા સમયે નાશ
PDF/HTML Page 258 of 4199
single page version
પામી જાય છે. તે યોગ્યતારૂપે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. પણ એમ નથી કે તે અશુદ્ધતારૂપે દ્રવ્યમાં ભળીને રહે છે. પર્યાયની અશુદ્ધતા દ્રવ્યમાં જતી નથી. તેવી જ રીતે ક્ષાયોપશમિકભાવ હો કે ક્ષાયિકભાવની પર્યાય હો, તેની સ્થિતિ પણ એક સમય છે. બીજે સમયે તેનો વ્યય થતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
આ દ્રવ્યસ્વભાવ ‘समन्तात् द्योतमानम्’ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. ઔદયિક ભાવ હો, ઉપશમ હો, ક્ષયોપશમભાવ હો કે ક્ષાયિકભાવ હો-એ બધી પર્યાયોમાં સામાન્ય એક ધ્રુવસ્વભાવ, જ્ઞાયકભાવ, કાયમ, ત્રિકાળ પ્રકાશમાન છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ એની દરેક પર્યાયમાં ધ્રુવ, ધ્રુવ, ધ્રુવપણે પ્રકાશમાન રહે છે. એવા શુદ્ધસ્વભાવનો ‘अपगतमोहीभूय’ મોહરહિત થઈને જગત અનુભવ કરો. હે જગતના જીવો, મિથ્યાત્વરૂપી મોહને છોડીને એક જ્ઞાયકભાવનો અનુભવ કરો; બાર અંગનો આ સાર છે.
ભગવાન! તારી પાસે આખો આત્મા પડયો છે ને? પાસે ક્યાં? તું જ એ છે. પર્યાય પાસે કહેવામાં આવે છે. પર્યાય એ તું નથી. પર્યાયબુદ્ધિ-અંશબુદ્ધિ-વ્યવહારબુદ્ધિ એ તો અજ્ઞાન છે. પ્રવચનસાર ગાથા ૯૩ માં ‘पज्जयमूढा हि परसमया’ એમ કહ્યુ છે. એક સમયની પર્યાયમાં મૂઢ છે એ મિથ્યાદ્રષ્ટિ છે. સ્વરૂપ જે પૂર્ણ છે એનો આદર છોડી એક સમયની પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના વિકલ્પોનો આદર એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વરૂપ અજ્ઞાન છે તો જીવની પર્યાય, પણ એમાં મોહકર્મનો ઉદય નિમિત્ત છે. (મોહકર્મે કરાવી નથી) પર્યાયમાં ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ કે રાગની મંદતા હોય, પણ એની રુચિ-પ્રેમ જે છે એ મિથ્યાત્વ છે. આચાર્ય કહે છે કે મોહકર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ મોહનો ત્યાગ કરીને, પર્યાયની રુચિ મટાડીને, પર્યાયની પાછળ જે અખંડ એક પૂર્ણ ધ્રુવ ચૈતન્યસ્વભાવ આત્મા પ્રકાશમાન રહેલો છે, તેનું લક્ષ કરી તેનો અનુભવ કરો. એમ કરતાં સમ્યગ્દર્શન છે.
અહાહા...! અતીન્દ્રિયના આનંદસ્વરૂપ આત્માની રુચિ થતાં ઈન્દ્રના ઈન્દ્રાસનના ભોગ સડેલા કૂતરા અને બિલાડા જેવા (અરુચિકર) લાગે છે. જ્ઞાનીને પણ જ્યાંસધી પૂર્ણ વીતરાગતા પર્યાયમાં પ્રગટે નહિં ત્યાંસુધી શુભ-અશુભ બન્ને રાગ આવે છે. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી વગેરે અનેક ભોગો તેને હોય છે; પણ તે કાળા નાગ જેવા, ઉપસર્ગ સમાન લાગે છે. એને એમાં હોંશ, ઉત્સાહ નથી. શાંતિનાથ, કુંથુનાથ અરનાથ તીર્થંકર હતા, સાથે ચક્રવર્તી પણ હતા. ૯૬ હજાર રાણીઓ હતી. પણ તે પ્રત્યેના ભોગને (રાગને) ઝેર સમજતા હતા. સમયસાર મોક્ષ-અધિકારમાં પુણ્યભાવને ઝેરનો ઘડો કહ્યો છે.
PDF/HTML Page 259 of 4199
single page version
ભગવાન આત્મા અમૃતકુંભ છે. આ તો માખણ-માખણની વાતો છે. કહ્યું છે ને-
‘ગગનમંડલમેં ગૌઆ વિહાની, વસુધા દૂધ જમાયા, માખન થા સો વિરલા રે પાયા, યે જગત છાસ ભરમાયા... સંતો અબધુ સો જોગી રે મિલા, હીનપદકા રે કરે નિવેડા, ઐસો જોગી ગુરુ મેરા!’
ભાઈ! આ તો સમોસરણમાં જગદ્ગુરુ ભગવાનના મુખેથી નીકળેલી સાર વાત છે. જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. બાકી લોકોને તો પુણ્યભાવ-શુભભાવની રુચિ, પૈસા, સ્ત્રી આદિનો પ્રેમ હોવાથી આ વાત કઠણ પડે છે. પણ શું થાય? જ્યાં પરમસ્વભાવ ધ્રુવ ચૈતન્યભાવની આગળ ક્ષાયિકભાવ એ પણ અપરમભાવ છે (અપ્રતિષ્ઠિત છે) ત્યાં પછી રાગની તો વાત જ શી? (રાગની-શુભરાગની કોઈ પ્રતિષ્ઠા નથી).
અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધનયના વિષયરૂપ ત્રિકાળી આત્મા-પર્યાયરહિત શુદ્ધાત્માનો અનુભવ કરો. આનંદકંદમાં ઝૂલનારા, વનવાસી, નગ્ન દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. અને એ જ ભગવાનનો ઉપદેશ છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે. ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઊઠે તો વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. ત્યાં ને ત્યાં તાડપત્ર મૂકીને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો તે લઈ લે છે. આખું સમયસાર આ રીતે બન્યું છે. અહાહા...! લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી એવા મુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધાત્માનો અનુભવ કરો.
હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ-
‘यदि’ જો ‘कः अपि सुधीः’ કોઈ સુબુદ્ધિ કહેતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘भूतम् भान्तम् अभूतम् एव बन्धं’ ભૂતકાળમાં વીતી ગયેલા, વર્તમાનમાં વર્તતા અને ભવિષ્યમાં પ્રગટ થવા યોગ્ય -એમ ત્રણે કાળના પુણ્ય અને પાપના ભાવોને પોતાના આત્માથી ‘रभसात्’
PDF/HTML Page 260 of 4199
single page version
તત્કાળ-શીઘ્ર ‘निर्भिद्य’ ભિન્ન કરીને (જાણીને) -જુઓ, અહીં શું કહે છે? રાગથી કે પૈસા ખર્ચવાથી ધર્મ થાય એવી માન્યતાવાળાનું ધર્મમાં કોઈ સ્થાન નથી એમ કહે છે. થેલામાં કડવું કરિયાતું ભર્યું હોય અને ઉપર નામ લખે સાકર તેથી કાંઈ કરિયાતું સાકર ન થઇ જાય. એમ પરની ક્રિયા અને રાગની ક્રિયા કરે અને નામ ધર્મનું આપે તો એ કાંઈ ધર્મ ન થઈ જાય. એ તો મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યગ્દ્રષ્ટિ શુભાશુભ બન્ને ભાવને પોતાનાથી ભિન્ન જાણે છે. એ બન્ને પ્રકારના વિકલ્પોને તત્કાળ આત્માથી ભિન્ન જાણીને તથા ‘मोहं’ તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને ‘हठात्’ પોતાના બળથી (પુરુષાર્થથી) ‘व्याहत्य’ રોકીને-એટલે શુભભાવથી ધર્મ થશે એવી મિથ્યા માન્યતાને પોતાના સ્વભાવના પુરુષાર્થ વડે રોકીને -નાશ કરીને ‘अन्तः’ અંતરંગમાં પૂર્ણાનંદનો નાથ છે એનો ‘किल अहो कलयति’ અભ્યાસ કરે- દેખે-અનુભવ કરે, સાક્ષાત્કાર કરે તો ‘अयम् आत्मा’ આ આત્મા ‘आत्मानुभव–एक गम्य–महिमा’ પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો - દેવ-ગુરુ-શાસ્ત્રથી કે તેમની ભક્તિના રાગથી નહીં, પણ પોતાના અંતરઅનુભવથી જ જણાવાયોગ્ય છે એવો- ‘व्यक्तः’ વ્યક્ત છે. વ્યક્ત એટલે પ્રગટ છે. એક સમયની પર્યાયથી રહિત ત્રિકાળી વસ્તુ આત્મા પોતાની અપેક્ષાએ અનુભવગમ્ય છે તેથી વ્યક્ત છે. એક સમયની જ્ઞાન-વીર્ય આદિની પ્રગટ-વ્યક્ત પર્યાયની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ આત્મા અવ્યક્ત કહી છે. વળી ‘ध्रुवं’ ભગવાન આત્મા કોઈથી ચળે નહીં તેવો નિશ્ચલ છે, ‘शाश्वतः’ શાશ્વત કહેતાં ઉત્પત્તિ-વિનાશરહિત છે. શરીર, કર્મ તથા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન આત્માનો અંતરંગમાં અનુભવ કરે તો આત્મા પ્રગટરૂપ, નિશ્ચલ અને શાશ્વતરૂપે રહેલો છે. વળી ‘नित्यं कर्मकलङ्क–पङ्क–विकल’ નિત્ય કર્મ-કલંક-કર્દમથી રહિત છે. દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ તો અનાદિ-અનંત કર્મકલંકથી રહિત અંદરમાં પોતે ‘स्वयं देवः’ સ્તુતિ કરવા યોગ્ય દેવ ‘आस्ते’ બિરાજમાન છે.
આ જે ભગવાન થઈ ગયા તેમની કે સ્વર્ગના દેવની વાત નથી. આ તો પોતે સ્વયં દેવ છે એની વાત છે. દેહદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર પરમાત્મસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. પરમાત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય કયાંથી? આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ દેવ છે. પણ અરે! ‘નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ.’ -નજરની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજરને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છઠ્ઠે-સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની) વાત તો અલૌકિક છે.