PDF/HTML Page 2881 of 4199
single page version
અનશન, ઉણોદર આદિ બાર પ્રકારનાં તપ કર્યા, ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પ કર્યા, બાર બાર મહિનાના ઉપવાસ આદિ આકરાં તપ કરી શુક્લલેશ્યા પૂર્વક તે અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો; પણ અરે! એ શુભરાગ જાણવાલાયક ચેત્ય પદાર્થથી હું ચેતનારો જ્ઞાયક ભિન્ન છું એમ ભેદજ્ઞાન ન કર્યું! પણ બાપુ! વિના ભેદજ્ઞાન કલ્યાણ તો શું કલ્યાણની શરૂઆતેય થતી નથી.
ભગવાને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આદિ નવ પદાર્થ કહ્યા છે. તેમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધ આદિ પાપભાવો છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યભાવો છે. ભગવાન આત્મા એ બન્નેથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ છે. શું કીધું? પ્રત્યેક જીવ અંદર શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ છે. અહાહા..! પ્રત્યેક જીવ અંદર જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ છે.
આ શક્કરિયું હોય છે ને? સક્કરકંદ, તેના ઉપરની જે લાલ છાલ છે એનો કુચા જેવો ફીકો સ્વાદ હોય છે. તેને કાઢી નાખો તો અંદરમાં એકલો સાકર-મીઠાશનો પિંડ છે. તેમ પર્યાયમાં જે આ શુભાશુભભાવોના વિકલ્પ ઉઠે છે તે લાલ છાલ જેવા છે. એનું લક્ષ છોડી દો તો અંદર ભગવાન આત્મા એકલો જ્ઞાન ને આનંદનો રસકંદ છે.
ભાઈ! આ શરીર રૂપાળું દેખાય છે ને? એ શરીર તો ધૂળ-માટી છે. બળશે ત્યારે એટલી (શરીરના જેટલી) રાખેય નહિ થાય, અને એય પવનથી ક્યાંય ઉડી જશે. અને જીવ, વિના ભેદજ્ઞાન ક્યાંય ચાલ્યો જશે. એટલે તો કહ્યું છે કે-
અહાહા...! ચેતનારાને ચેત એમ સાવધાન કરે છે. અહા! મહાભાગ્ય હોય ત્યારે આવી વીતરાગની વાણી કાને પડે છે. અહીં પૂછે છે- ભગવાન! ચેતનારો આત્મા અને ચેત્ય વિકાર- એ બન્ને એક જેવાં ભાસે છે તો ભગવતી પ્રજ્ઞા વડે તેઓનો ભેદ કેવી રીતે કરી શકાય? એને સમ્યગ્દર્શન અને આત્માનુભાવ કેમ થાય એવો મુદની રકમનો પ્રશ્ન શિષ્યે કર્યો છે.
તેનું સમાધાન આચાર્યદેવ કરે છેઃ - ‘આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઇને પટકવાથી તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.’
આ પત્થરના ડુંગર નથી હોતા? લાખો મણ પત્થર હોય એવા પત્થરના ડુંગરે ડુંગર હોય છે, એમાં પત્થરો બધા એક જેવા દેખાય છે પણ એક નથી હોતા.
PDF/HTML Page 2882 of 4199
single page version
એટલે જેને એ ડુંગરો તોડવા હોય છે તેઓ એમાં જે સફેદ કે લાલ આદિ રગો દેખાય છે ત્યાંથી ખોદી એમાં સુરંગ નાખી ફોડે છે; એટલે હજારો મણ પત્થર જુદા-જુદા પડી જાય છે. જુદે જુદા જ હતા તે આ રીતે જુદા પડી જાય છે.
તેમ આનંદરસકંદ પ્રભુ આત્મા અને પુણ્યપાપના ભાવ એક નથી, તેઓ કદીય એક થયા જ નથી. બે વચ્ચે સંધિ - સાંધ છે. કળશ ૧૮૧માં આવશે કે બે વચ્ચે સંધિ એટલે સાંધ-તડ છે; બે નિઃસંધિ-એક થયેલ નથી. અહા! ત્રિકાળી અકૃત્રિમ પ્રભુ આત્મા ને ક્ષણિક કૃત્રિમ વિકારના ભાવ - બે કદી એક થયા જ નથી. જેમ બે પત્થર વચ્ચે સાંધ છે તેમ ભગવાન આત્મા અને રાગ - વિકાર વચ્ચે સાંધ છે. માટે સ્વાનુભવમાં સમર્થ એવી પ્રજ્ઞાછીણીને - વર્તમાન જ્ઞાનની દશાને - અંતર એકાગ્ર કરતાં બન્ને જુદા પડી જાય છે.
અંદરમાં (-પર્યાયમાં) રાગનો વિકલ્પ ઊઠે છે તે સૂક્ષ્મ છે; (પરદ્રવ્યની અપેક્ષા અહીં વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે); અને ભગવાન જાણનારો અંદર એથીય અતિ સૂક્ષ્મ રહેલો છે. બેનાં પોતપોતાનાં નિયત - નિશ્ચિત લક્ષણો છે. બંધનું લક્ષણ રાગ છે અને જ્ઞાન ને આનંદ આત્માનું લક્ષણ છે અહા! જાણનાર... જાણનાર... જાણનાર તે આત્મા અને રાગ... રાગ... રાગ તે બંધ. બીજી રીતે કહીએ તો નિરાકુલતા લક્ષણ આત્મા છે અને આકુળતા લક્ષણ બંધ છે. બંધની - રાગની દશા પર તરફની દિશાવાળી છે. આ પ્રમાણે બન્નેનાં ભિન્નભિન્ન લક્ષણો છે. આ લક્ષણોથી બન્ને વચ્ચે સાંધ છે, એકપણું નથી.
અહા! અનાદિથી પર તરફના વલણવાળી રાગની દશા ને અંતરંગ જ્ઞાનની દશા- બેને ઊંડે ઊંડે એક માની આત્મા રાગી છે એમ એણે માન્યું છે, પણ અહીં કહે છે-એ બે વચ્ચે નિજ નિજ લક્ષણોથી અંતરંગ સંધિ-સાંધ છે. પ્રજ્ઞાછીણીને અર્થાત્ જ્ઞાનની દશાને અંતર્મુખ કરી સાવધાન થઇને સાંધમાં પટકતાં બન્ને ભિન્ન પડી જાય છે. અહા! જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી તેને અંતર-એકાગ્ર કરતાં તે એવી અંતરમાં સ્થિર થાય છે કે બન્ને જુદા પડી જાય છે, આનું નામ સમ્યગ્દર્શન ને ભેદવિજ્ઞાન છે.
ભાઈ! આ તો અંતરની ક્રિયા છે. આ વિના બહારની લાખ ક્રિયા કરે તોય ધર્મ થાય એમ નથી. રાગ અને આત્માને ભિન્ન કરવાની કળા-ભેદજ્ઞાનકળા એ એક જ ધર્મ પામવાની કળા છે. બાપુ! ત્રણે કાળ પરમાર્થનો આ એક જ માર્ગ છે. ભગવાન તીર્થંકરદેવોએ જગતને પરમાર્થનો આ માર્ગ જાહેર કર્યો છે અને સંતો જગતને તે બતાવે છે.
અહા! આચાર્યદેવ કહે છે - રાગ અને આત્માને આ રીતે પ્રજ્ઞા વડે છેદી શકાય છે એમ અમે જાણીએ છીએ. આમાં મહાસિદ્ધાંત રહેલો છે. શું? કે અમે જે
PDF/HTML Page 2883 of 4199
single page version
ભેદવિજ્ઞાનની વાત કહીએ છીએ તે સ્વાનુભવપ્રમાણ છે. અમે ભેદવિજ્ઞાન કર્યું છે અને તે અમે તને કહીએ છીએ. અમારે કોઈ કેવળીને પૂછવું પડે કે અમને ધર્મ થયો છે કે નહિ એમ છે નહિ.
ઘણાને તો આ સાંભળવુંય કઠણ પડે. પણ શું થાય? આવું પહેલાં સમજવું પડશે હોં. માર્ગ તો જે છે તે આ છે. આની સમજણ જ નથી તે અંતરમાં કેમ કરીને વળશે? સત્યનું જેવું સ્વરૂપ છે તેવું જાણ્યા વિના સત્ય તરફ કેવી રીતે વળે? અરે! આમ ને આમ જીવ અનંતકાળથી રઝળી રહ્યો છે. અનંતકાળમાં એણે નરક ને નિગોદના અનંત અનંત ભવ કર્યા, એકલા દુઃખના વાસા પ્રભુ! વળી કદાચિત્ મોટો અબજોપતિ શેઠ થયો, મોટો રાજા થયો એને ગ્રૈવેયકનો દેવ થયો. અહા! પણ એણે રાગ ને આત્માની વચ્ચે સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણી મારીને બેને જુદા કર્યા નહિ!
ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે હોં બાપુ! બહારમાં તને કોઈ શરણ નથી. અંદર એક આત્મા જ શરણ છે. આ પુણ્ય-પાપના ભાવો અશરણ છે, ભગવાન આત્મા જ એક શરણ છે. માટે પુણ્ય - પાપનું લક્ષ છોડી અંદર સાવધાન થા. સ્વરૂપના શરણમાં જતાં તને અતીન્દ્રિય આનંદ થશે.
અહા! ધ્રુવને ધ્યાનમાં લેતા અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં-શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અહા! પહેલાં જ્ઞાનની દશા રાગમાં તન્મય - એકાગ્ર હતી તે હવે ધ્રુવધામ પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ત્યાં રાગ ભિન્ન પડી ગયો અને તત્કાલ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યગ્દર્શન ને આનું નામ ધર્મ છે.
અહો! ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જાણ્યું કે - આ આનંદસ્વરૂપ છે તે હું છું, રાગ હું નહિ; રાગની મારામાં નાસ્તિ છે. જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન થતાં પર્યાયમાં જ્ઞાન આવ્યું. રાગ આવ્યો નહિ, રાગ જ્ઞાનથી ભિન્ન પડી ગયો. આનું નામ ભેદજ્ઞાન છે. અહો! પુણ્ય-પાપરૂપ અશુચિથી ભિન્ન કરી પરમ પવિત્ર પ્રભુ આત્માને પ્રાપ્ત કરાવનારું ભેદજ્ઞાન કોઈ અલૌકિક છે. આચાર્યદેવે કળશમાં કહ્યું છે ને કે -
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। [કળશ-૧૩૧]
આજ પર્યંત જે મુક્તિ પામ્યા છે તે આ ભેદજ્ઞાનથી પામ્યા છે, તથા સંસારમાં જે અદ્યાપિ બંધનમાં છે અને રઝળે છે તે ભેદજ્ઞાનના અભાવના કારણે જ રઝળે છે.
જેમ બીજ ઉગે એના તેર દિવસ પછી પૂનમ થાય છે તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને ઉગે છે તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યગ્દર્શન પછી ભેદજ્ઞાનના બળે
PDF/HTML Page 2884 of 4199
single page version
આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો તે ચારિત્ર છે. આનંદનું પ્રચુર સ્વસંવેદન એ ચારિત્રની મહોર-મુદ્રા છે. આવા ચારિત્રપૂર્વક જીવની મુક્તિ થાય છે. અહીં કહે છે - એ સર્વ ભેદજ્ઞાનનો મહિમા છે. વિના ભેદજ્ઞાન ચારિત્ર તો શું સમ્યગ્દર્શનેય (ચોથું ગુણસ્થાનેય) સંભવિત નથી. સમજાણું કાંઈ...?
હવે આ મૂળ વાતમાં જ લોકોને વાંધા છે; એમ કે રાગથી -વ્યવહારથી થાય. અહીં કહે છે - રાગથી - વ્યવહારથી ભિન્ન પડે તો થાય, ભેદજ્ઞાનથી થાય. લ્યો, હવે આવી વાત! બાપુ! આ તો ભગવાન કેવળીની વાણી! જેની ઇન્દ્રો ને ગણધરો સેવા કરે ને બહુ નમ્ર થઇ વિનય પૂર્વક વાણી સાંભળે - અહા! તે વાણી કેવી હોય? દયા પાળો ને ધર્મ થઈ જશે એવી વાતો તો કુંભારેય કરે છે. પરમાત્મા કહે છે - ભાઈ! તું તારી દયા કર. પરની દયા તું કરવા જાય છે પણ એ તો રાગ છે, બંધ છે; ધર્મ નથી. અહા! એનાથી ભિન્ન પડી અંદર સ્વસ્વરૂપમાં એકાગ્ર થાય તે સ્વદયા છે અને તે ધર્મ છે.
હવે કહે છે - ‘આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે.’
જોયું? ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે કેમકે તે પુદ્ગલાદિ સર્વ અન્ય દ્રવ્યોમાં નથી. પોતામાં હોય ને પરમાં ન હોય તે અસાધારણ છે. આ રીતે ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે. હવે કહે છે -
‘તે (ચૈતન્ય) પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે.’
જુઓ, શું કહે છે? કે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે તે તે સમસ્ત સહવર્તી પર્યાયો (-ગુણો) આત્મા છે -એમ લક્ષણથી ઓળખવું. જુઓ, અહીં ગુણને પર્યાય કહ્યું છે. દ્રવ્યમાં એટલો ભેદ પડયો ને? માટે ગુણને પર્યાય કહ્યું છે. જ્ઞાનગુણની સાથે જે જે બીજા અનંત ગુણ સહવર્તી છે તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું.
વળી તે ચૈતન્ય નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું - લક્ષણથી ઓળખવું. શું કીધું? કે ચૈતન્ય જે જે નવી નવી પર્યાયને ગ્રહણ કરીને પૂર્વની પર્યાયથી નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ જાણવું. સંક્ષેપમાં જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણ-પર્યાયો આત્મા છે એમ જાણવું (આમાં નિર્મળ પર્યાયો લેવી.)
PDF/HTML Page 2885 of 4199
single page version
જુઓ, આમાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યનું સ્વરૂપ બતાવ્યું. ‘उत्पादव्ययध्रौव्ययुक्तम सत्’– એમ ભગવાન ઉમાસ્વામીનું સૂત્ર છે ને? એનો આમાં ખુલાસો કર્યો. પણ આ સિવાય ‘હું આત્મા છું ને આ જ્ઞાન ગુણ છે’ - એવો ભેદ પાડતાં જે વૃત્તિ - વિકલ્પ ઉઠે એ રાગ છે ને એ બંધની પંક્તિમાં છે. એમાં ચૈતન્યનો અંશ નથી માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે.
આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને તે ગુણ ને પર્યાય - એમ બે રૂપે છે. સમયે સમયે નથી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો, પૂર્વની પર્યાયને છોડતો (નિવર્તતો), ગુણોપણે કાયમ રહેતો આત્મપદાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય, ગુણ ને પર્યાયરૂપ આત્મા જોયો એની આ વાત છે. આત્મામાં જ્ઞાન.. જ્ઞાન... જ્ઞાન,- આનંદ... આનંદ.. આનંદ- એ બધા ગુણો સહવર્તી - એક સાથે રહે છે. (વર્તે છે), અહા! સત્ના સત્ત્વરૂપ ત્રિકાળી ગુણ-સ્વભાવોને અહીં સહવર્તી કહ્યા છે. ભગવાન આત્મા એ બધા ગુણોમાં પ્રવર્તે છે, વ્યાપે છે. અને જે જે નવી નવી અવસ્થા ક્રમે થાય છે તેને ક્રમવર્તી કહી છે, ગુણો નવા નવા થતા નથી. આ પ્રમાણે સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો - એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું- લક્ષણથી ઓળખવું, કારણ કે આત્મા એ જ એક લક્ષણથી લક્ષ્ય છે.
શું કીધું? ચૈતન્યના સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો - એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું - લક્ષણથી ઓળખવું કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. જાણવાનો ગુણ અને જાણવાની પર્યાય - એ લક્ષણથી જ આત્મા જાણવામાં આવે છે. અહા! આ એક જ એનો ઉપાય છે. શરીરની કોઈ ક્રિયા કે રાગની કોઈ ક્રિયાથી આત્મા જાણવામાં આવે એવું એનું સ્વરૂપ જ નથી.
આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે એ તો ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય એમ ચૈતન્યસામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, અર્થાત્ આત્મા એનાથી - ધ્રુવ ચૈતન્યસામાન્ય જણાતો નથી. પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વ પર્યાયથી નિવર્તતો આત્મા તે તે (નિર્મળ) પર્યાયમાં જાણવામાં આવે છે. (કે આ ચૈતન્યગુણથી લક્ષિત છે તે આત્મા છે).
અહા! અંતરમાં ચૈતન્યલક્ષણ આત્મા છે એમ જાણીને બહિર્મુખ દ્રષ્ટિ છોડી અંદર શુદ્ધ ચૈતન્યમાં અંતદ્રષ્ટિ કરતાં જે જણાય છે તે ભગવાન આત્મા છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. ચૈતન્યગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે અને જ્ઞાન-દર્શનની પર્યાય તે વ્યક્તરૂપ લક્ષણ છે. અંતર્લક્ષ કરતાં આ જ્ઞાનગુણસ્વરૂપ છે તે આત્મા છે એમ જ્ઞાન (પ્રગટ) થવું તે સમ્યગ્જ્ઞાન છે. ભેદજ્ઞાન છે. આ શાસ્ત્ર-ભણતર તે જ્ઞાન-એમ નહિ, પણ ભગવાન જ્ઞાનસ્વરૂપમાં અંતર ઢળેલી જ્ઞાનની દશા જે પોતાના
PDF/HTML Page 2886 of 4199
single page version
જ્ઞાનાનંદસ્વરૂપને જાણે છે - અનુભવે છે તે જ્ઞાન છે. અહા! અનંતકાળમાં જે એક ક્ષણવાર પણ નથી કર્યું એવું આ જ્ઞાન - ભેદજ્ઞાન એનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. સમજાણું કાંઈ...?
અહા! આ સમયસાર તો અશરીરી - સિદ્ધ બનવા માટેનું અમોઘ પરમાગમ શાસ્ત્ર છે, કેમકે તે એનાથી (શાસ્ત્રથા) લક્ષ છોડાવી અંતર્લક્ષ - સ્વરૂપનું લક્ષ કરાવે છે. અહા! આના (અંતર્લક્ષના) અભ્યાસ વિના બહારનો (વ્રત, તપ, ભક્તિનો) અભ્યાસ પ્રભુ! તું કરે પણ એ તો જિંદગી બરબાદ કરવા જેવું છે; અર્થાત્ એ ચારગતિની રખડપટ્ટી માટે જ છે. અહા! બહુ આકરી વાત, પણ આ સત્ય વાત છે.
નરકના એક ભવ સામે સ્વર્ગના અસંખ્ય ભવ - એમ એણે નરકના અનંત અને એનાથી અસંખ્યાતગુણા અનંત સ્વર્ગના ભવ કર્યા છે. તે સ્વર્ગમાં શું પાપ કરીને ગયો હશે? ના... અહા! તે વ્રત, તપ, ભક્તિ દયા, દાન ઇત્યાદિના પુણ્યભાવ કરીને સ્વર્ગમાં ગયો છે. અહા! આવા, આવા પુણ્યના ભાવ એણે અનંત - અનંત વાર કર્યો છે પણ એનાથી - રાગથી ભિન્ન હું ચૈતન્ય લક્ષણથી લક્ષિત ભગવાન આત્મા છું એમ ભાન કર્યું નહિ. અહા! આવા પોતાના સ્વરૂપને જાણ્યા-અનુભવ્યા વિના બાપુ! એ બધા વ્રતાદિના પુણ્યભાવ થોથેથોથાં છે, નકામાં છે; બંધન ખાતે જ છે. સમજાણું કાંઈ...?
દસમા ભવે ભગવાન મહાવીરનો જીવ સિંહની અવસ્થામાં હતો. ત્યારે એકવાર હરણ ફાડી ખાતો હતો. ત્યારે બે ચારણઋદ્ધિધારી મુનિવરો એની પાસે આવ્યા. અહા! સિંહ તો સ્તબ્ધ થઈ ગયો. ત્યારે મુનિવરોએ સિંહને કહ્યું અરે! આ શું? અમોએ ભગવાન પાસેથી સાંભળ્યું છે કે - ‘તું તીર્થંકરનો જીવ છો અને દસમા ભવે મહાવીર તીર્થંકર થઈશ.’ અહા! આ સાંભળી સિંહ વિચારમાં પડી ગયો કે -અરે! આ હું શું કરું છું? અને આ પવિત્ર મુનિવરો શું કહે છે? અહા! હું કોણ છું? આમ વિચાર સાથે આંખમાં પ્રશ્ચાત્તાપનાં આંસુથી ધારા વહેવા લાગી અને પલકવારમાં તો શુભાશુભ વિકલ્પોને તોડી ચૈતન્યપરિણતિને ચૈતન્યલક્ષિત સ્વસ્વરૂપમાં જોડી દીધી. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય - એમ ચૈતન્યસ્વરૂપમાં એ ઉતરી ગયો અને તત્કાલ ભવબીજને છેદનારું સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. અહા! માનો ભવનો અંત કર્યો.
અહા! આવો પ્રભુ! તું ચિન્માત્ર આત્મા છો. તું સ્ત્રી નહિ, પુરુષ નહિ ને નપુંસકેય નહિ, પુણ્ય ને પાપેય તું નહિ અને પુણ્ય - પાપનો કરનારોય તું નહિ. અહા! ચૈતન્યની નિર્મળ પરિણતિમાં જણાય છે એવો ચિન્માત્ર પ્રભુ આત્મા છો. એ જ કહે છે કે-
‘વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે.’
PDF/HTML Page 2887 of 4199
single page version
શું કહ્યું? કે જ્યાં એક ચેતનગુણ છે ત્યાં બીજી અનંત શક્તિઓ-ચારિત્ર, સુખ, વીર્ય, જીવત્વ, કર્તા, કર્મ, કરણ આદિ એકરૂપ અવિનાભાવે છે; અને જ્યાં ચેતનની એક સમયની પર્યાય છે ત્યાં સાથે એ અનંતગુણની દશાઓ એક અવિનાભાવી છે. અહા! આવો આત્મા જાણનમાત્રસ્વરૂપ ચૈતન્યપ્રકાશથી ભરપૂર ચૈતન્યસૂર્ય છે. આ આંખે દેખાય છે ને? એ તો જડ સૂર્ય છે; એને તો ખબરેય નથી કે હું પ્રકાશનું બિંબ છું. આ તો એક સમયની ચૈતન્યપરિણતિમાં જે પૂરણ ચૈતન્યસ્વભાવી ચૈતન્ય પ્રકાશનો ગોળો જણાય છે તે ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા છે એમ વાત છે. અહા! આવો ચિન્માત્ર પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરવો એમ કહે છે? પણ અંદર નજરુ કરે તો નિશ્ચય થાય ને? પણ એ અંદર જુએ જ નહિ તો શું નિશ્ચય કરે?
ભાઈ! અમારી પાસે તો આ (- આત્માની) વાત છે. અહા! જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું તેવું આચાર્ય કુંદકુંદદેવે ગાથામાં કહ્યું છે; અને ગાથાના ભાવોને, જેમ કોઈ બળુકી બાઈ ગાયના આંચળમાંથી દોઈને દૂધ કાઢે તેમ, આચાર્ય અમૃતચંદ્રદેવે દોહી દોહીને બહાર કાઢયા છે. અહો! કોઈ અદ્ભુત અલૌકિક ટીકા છે!
પ્રશ્નઃ - પણ આટલું બધું યાદ શી રીતે રહે? ઉત્તરઃ - રસ-રુચિ હોય તો બધું યાદ રહે. એમાં શું છે? જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય - પુરુષાર્થ કામ કર્યો વિના રહેતો નથી.
હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છેઃ- ‘બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.’
શું કીધું? કે રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય - પાપના ભાવ એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય - પાપના ભાવ કાંઈ આત્માનું લક્ષણ નથી અહા! પાપભાવ તો નહિ પણ પુણ્યના ભાવ પણ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા! પુણ્યભાવથી અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ કરતાં કરતાં આત્મા જણાય એમ કોઈ કહે તો એ ખોટું છે. અહા! એ બંધભાવથી અબંધ આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય.
એ રાગાદિક પુણ્ય-પાપના ભાવ આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા નથી. એટલે શું? કે તેઓ આત્મદ્રવ્ય સાથે સદાય રહેતા હોય એમ દેખાતું નથી. જુઓ, શરીરાદિની તો અહીં વાત જ નથી લીધી કેમકે તેઓ તો પ્રગટ જુદેજુદા છે. અહીં કહે છે - જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગાદિ એવું દેખાતું નથી. તેઓ સદાયચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. અહા! બંધલક્ષણવાળા પુણ્ય - પાપના ભાવો ચૈતન્ય
PDF/HTML Page 2888 of 4199
single page version
ચમત્કાર પ્રભુ આત્મામાં જાણવામાં આવે છે, પણ પોતાનાથી પૃથક્ છે. એમ જાણવામાં આવે છે, તેઓ આત્મા છે એમ પ્રતિભાસતા નથી, પણ ભિન્ન પ્રતિભાસે છે.
‘વળી, જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે.’
અહા! આ જાણન... જાણન... જાણન... ગુણ અને એની અવસ્થા આત્માની સાથે જેમ સદાય રહેતી દેખાય છે તેમ પુણ્ય - પાપના ભાવો આત્માની સાથે સદા રહેતા દેખાતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. જેમ શરીરાદિ વિના આત્મલાભ સંભવે છે. તેમ રાગાદિ વિના પણ આત્મલાભ સંભવે છે. ભગવાન આત્મામાં રાગાદિ નથી. તેથી રાગથી ભિન્ન પડી જ્યાં અંતરમાં આત્માનુભવ કરે છે તો અંદર રાગરહિત આત્માનો લાભ થાય છે. વળી જ્યાં રાગાદિક હોતા નથી ત્યાંપણ ચૈતન્ય તો હોય છે. જેમકે સિદ્ધ ભગવાનમાં રાગ નથી છતાં ચૈતન્ય હોય છે. જો રાગાદિ અર્થાત્ પુણ્ય - પાપના ભાવ આત્મા હોય તો જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગાદિ હોવા જોઈએ. પરંતુ એમ છે નહિ. સિદ્ધ દશામાં જ્ઞાન-દર્શન હોય છે પણ રાગાદિ સર્વથા હોતા નથી. માટે રાગાદિ અર્થાત્ બંધ આત્માથી ભિન્ન છે, આત્માની ચીજ નથી.
‘વળી જે, રાગાદિકનું ચૈતન્યની સાથે જ ઉપજવું થાય છે તે ચેત્યચેતકભાવની અતિ નિકટતાને લીધે જ છે, એ દ્રવ્યપણાને લીધે નહિ;.....’
અહા! જે સમયે જ્ઞાનની દશા ઉત્પન્ન થાય છે તે જ સમયે પુણ્ય - પાપના ભાવ ઉત્પન્ન થાય છે તે જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાને લીધે છે; પણ એમ નથી કે જ્ઞાન ને રાગ એકદ્રવ્યમય છે, અર્થાત્ એક છે માટે એક જ સમયે ઉત્પન્ન થાય છે. બન્નેનું એકસમયમાં ઉત્પન્ન થવું પોતપોતાથી છે, કોઈ કોઈથી ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. રાગ છે માટે જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ છે નહિ. જેમ અગ્નિને જોનારી આંખ અગ્નિથી એક નથી તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા ને રાગ એક નથી. અગ્નિને દેખવાના કાળે આંખ અગ્નિને દેખે છે, પણ આંખ અગ્નિરૂપ થઈ જતી નથી, વા અગ્નિ આંખમાં પેસી જતી નથી. તેમ ચૈતન્ય - આંખ રાગને દેખે છે, પણ ચૈતન્ય રાગરૂપે થઈ જતું નથી, વા રાગ ચૈતન્યરૂપ થઈ જતો નથી. આ પ્રમાણે રાગ ને જ્ઞાન એકદ્રવ્યમય નથી, પણ ભિન્ન પદાર્થો જ છે. અનાદિથી બે એકરૂપે ભાસે છે એ અજ્ઞાનજનિત ભ્રમ છે. અહા! અહીં એનો (ભ્રમનો) નાશ કેમ થાય એની વાત કરે છે.
અહો! કેવી ટીકા! આચાર્યદેવે એકલાં અમૃત ઘોળ્યાં છે. અહો! લોકોનાં ભાગ્ય છે કે જંગલમાં અતીન્દ્રિય આનંદમાં રહેનારા મુનિવરને વચ્ચે વિકલ્પ આવ્યો ને આવું શાસ્ત્ર શાસ્ત્રના કારણે બની ગયું. અહો! સંતોએ મોક્ષમાર્ગ સરળ કરી દીધો છે.
PDF/HTML Page 2889 of 4199
single page version
દીપચંદજીએ લખ્યું છે કે સંતોએ માર્ગ સરળ કરી દીધો છે પણ લોકો તેને સમજવાની દરકાર કરતા નથી. અહા! એમના દુર્ભાગ્યનું શું કહેવું?
જુઓ, અરીસામાં જે મોઢું દેખાય છે તે અને સામે ઊભેલા પુરુષનું મોઢું છે તે- બન્ને ભિન્ન છે. બહાર ઊભેલા પુરુષનું મોઢું કાંઇ અરીસામાં ગયું નથી. અરીસામાં જે દેખાય છે તે તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. તેવી રીતે ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં પુણ્ય - પાપના ભાવ જણાય છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે. જ્ઞાનમાં કાંઇ પુણ્ય-પાપના ભાવ ઘુસી ગયા નથી. જાણવાલાયક રાગ ને જાણનાર જ્ઞાન બન્ને ભિન્ન જ છે.
અરીસામાં સામે અગ્નિ હોય તો અગ્નિ દેખાય છે. તો શું અગ્નિ અરીસામાં ઘુસી ગઈ છે? ના; અરીસામાં તો અરીસાની અવસ્થા છે. અરીસા ભણી હાથ લંબાવો તો કાંઇ અરીસો ઉષ્ણ થયેલો માલુમ પડતો નથી. તેવી રીતે ભગવાન આત્મા ચેતક છે, જાણનાર અરીસો છે. એમાં પુણ્ય-પાપના ભાવ દેખાય છે એ જાણનાર અરીસાની ચેતકની સ્વચ્છતા છે. પુણ્ય - પાપના ભાવ છે પણ તે ભાવ કાંઇ જ્ઞાનમાં - આત્મામાં પેઠા નથી, તેઓ એનાથી ભિન્ન જ છે. બન્ને એક કાળમાં સાથે છે એ જ્ઞેયજ્ઞાયકભાવની નિકટતા છે. પણ તેથી જ્ઞાન અને રાગાદિભાવ કાંઇ એક નથી. જ્ઞેય જે રાગ તે કાંઈ જ્ઞાયકરૂપ વા જ્ઞાનરૂપ થયો નથી અને જ્ઞાયક જે આત્મા તે કાંઈ રાગરૂપ થયો નથી. રાગ છે માટે જ્ઞાયકનું જ્ઞાન છે એમ નથી, અને રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ થઈ ગયું છે એમ નથી. બન્ને ભિન્ન જ છે. ઝીણી વાત પ્રભુ!
હવે દ્રષ્ટાંત આપીને આ વાતને વધારે સ્પષ્ટ કરે છેઃ- ‘જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે - ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે - રાગાદિપણાને નહિ.’
શું કહે છે? કે આ ઘડો, કપડાં, કોલસા, વીંછી, સર્પ ઈત્યાદિ જે જે પદાર્થો દીપક વડે પ્રકાશવામાં આવે છે તે તે પદાર્થો દીપકના પ્રકાશકપણાના ભાવને જ પ્રસિદ્ધ પ્રગટ કરે છે, ઘટાદિપણાને નહિ.
દીવો છે ને દીવો? તે ઘટપટાદિને પ્રકાશવાના કાળે ખરેખર તો પોતાની પર્યાયને જ પ્રકાશે છે કે જેમાં એ ઘટપટાદિ પ્રકાશિત થાય છે. ઘટપટાદિને જો ખરેખર દીવો પ્રકાશે તો દીવો ઘટપટાદિરૂપ થઈ જાય. પણ દીવો ઘટપટાદિરૂપ થતો નથી, કે ઘટપટાદિ દીવામાં જતા નથી. ઘટપટને પ્રકાશતો દીવો શું ઘટપટરૂપે થઈ જાય છે? ના; તો શું પ્રકાશિત ઘટપટ દીવામાં જાય છે? ના. વાસ્તવમાં તો દીવો ઘટપટાદિને પ્રકાશતો જ નથી પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ સ્વપરપ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, ઘટાદિપણાને નહિ. દીવો ઘટપટને પ્રકાશે છે એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે
PDF/HTML Page 2890 of 4199
single page version
તો દીવો પોતાનો સ્વપરને પ્રકાશવાના એક પ્રકાશસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે દીપક ઘટપટરૂપે ને ઘટપટ દીપકરૂપે કદીય થતા નથી.
તેમ, કહે છે, આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે - રાગાદિપણાને નહિ. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે, ચેતકસ્વભાવી છે. તે રાગાદિ-પુણ્ય-પાપના ભાવોને જાણવાના કાળે ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાયને જ જાણે છે કે જેમાં એ પુણ્ય - પાપના ભાવ જણાઈ રહ્યા છે. પુણ્ય -પાપ આદિ ભાવોને જો ખરેખર આત્મા જાણે (- સ્પર્શે) તો આત્મા પુણ્ય - પાપ આદિરૂપ થઈ જાય. પણ આત્મા કદીય પુણ્ય - પાપ આદિ ભાવરૂપ થતો નથી અહા! પુણ્ય-પાપ આદિ ભાવોને જાણતાં શું જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવરૂપ થાય છે? ના વાસ્તવમાં તો જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણતું (સ્પર્શતું નથી) પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ જાણવાના સ્વપરપ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, રાગાદિપણાને નહિ. જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણે છે એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે તો જ્ઞાન પોતાના દ્વૈતરૂપ સ્વપરને પ્રકાશવાના એક જ્ઞાનસ્વભાવને - ચેતકસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવોરૂપે ને પુણ્ય-પાપ આદિ ભાવો જ્ઞાનરૂપે કદીય થતા નથી. અહા! જાણવાના કાળે જ્ઞાનમાં પુણ્ય - પાપ આદિ - બંધ આવતો નથી અર્થાત્ રાગાદિબંધ જ્ઞાનરૂપ થઈ જતો નથી, વળી રાગાદિ - બંધ છે તો જ્ઞાનનો પ્રકાશ થયો છે એમ પણ નથી. જ્ઞાનનો તો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. જે નિરંતર પ્રકાશે છે. અહા! આવું વસ્તુનું સ્વરૂપ જાણી તેને અંતર- અનુભવમાં લેવું તે સમકિતનું કારણ થાય છે.
અહા! સર્વજ્ઞ પરમેશ્વરથી પ્રરૂપિત વીતરાગ માર્ગ સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહિ. અહા! એનો એક એક શબ્દ અને એની એક એક પંક્તિ અદ્ભુત ન્યાયથી ભરેલી અલૌકિક છે. આમાં તો એકલું અમૃત છે ભાઈ!
હવે કહે છે - ‘આમ હોવા છતાં તે બન્નેની (-આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિકાળથી એકપણાનો વ્યામોહ (-ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.’
આત્મા અને રાગનો લક્ષણ - ભેદ હોવા છતાં અજ્ઞાનીને અનાદિ કાળથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ એટલે ભ્રમ છે, ભ્રાન્તિ છે. શિષ્ય પૂછે છે કે તે ભ્રમ- વ્યામોહ કોઈ રીતે છેદી શકાય કે નહિ? તો કહે છે -
તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે. શું કીધું? કે પ્રજ્ઞા - સમ્યગ્જ્ઞાનની દશા વડે અવશ્ય છેદાય ને બીજી કોઈ રીતે ન છેદાય. અહા! જેમ અંધકાર દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે તેમ ભ્રમ - વ્યામોહ છેદવાનો ઉપાય એક સમ્યગ્જ્ઞાન છે.
PDF/HTML Page 2891 of 4199
single page version
અહા! આત્મા અને રાગને જુદા પાડનારું ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન જ ભ્રમ મટાડવાનું સાધન છે. આ જ ધર્મ ને આ જ મોક્ષમાર્ગ છે.
‘આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા.’
આત્માનું લક્ષણ ચૈતન્ય છે ને બંધનું લક્ષણ રાગ છે. બન્નેને લક્ષણભેદ છે તેથી બન્ને ભિન્ન ભિન્ન છે. બન્નેની ભિન્નતા લક્ષમાં લઈ જ્ઞાનની દશાને સ્વ તરફ વાળી સ્વાનુભવ કરવો તે બન્નેને ભિન્ન કરવાનો ઉપાય છે; અને એને જ પ્રજ્ઞાછીણી કહે છે.
‘આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી. માત્ર એક સ્કંધ દેખાય છે; તેથી અનાદિ અજ્ઞાન છે.’
આત્મા તો સ્પર્શાદિ રહિત અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પરમાણુઓનો સ્કંધ છે. છદ્મસ્થને એટલે અલ્પજ્ઞાનીને બન્ને ભિન્ન છે એમ જ્ઞાનમાં ભાસતું નથી; માત્ર એક સ્કંધ દેખાય છે. અહા! અજ્ઞાનીને રાગાદિરૂપ ભાવબંધ જણાય છે. અહા! એની અનાદિથી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગાદિમાં - પુણ્ય - પાપના ભાવમાં -જ રમતુ છે અંદર આનંદ રસકંદ પ્રભુ પોતે વિરાજે છે એની એને ખબરેય નથી. અહા! પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનું એને ભાન નથી, તેથી માત્ર વિકાર જે જણાય છે તે હું છું - એમ તેને અનાદિ અજ્ઞાન છે.
‘શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમના લક્ષણ જુદાં જુંદા અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞેય જ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે.’
જોયું? શ્રી ગુરુઓનો ઉપદેશ એ નિમિત્ત છે, ને અંદર નિર્ણય કરવો તે ઉપાદાન છે. શું નિર્ણય કરવો? કે આ જાણવું.... જાણવું...જાણવું છે એ તો ચૈતન્યમાત્ર આત્માનું લક્ષણ છે અને રાગાદિ પુણ્ય - પાપના ભાવ જે થાય છે તે બંધનું લક્ષણ છે. તે રાગાદિ ભાવ સ્વ-લક્ષને છોડી પરનું લક્ષ કરે ત્યારે ઉત્પન્ન થાય છે. તેથી પરલક્ષી જે ભાવ છે તે બંધનું લક્ષણ છે.
અરે! એને ભવનો ભય નથી; અહા! અહીંથી મરીને હું ક્યાં જઈશ એનો વિચાર જ નથી. બાપુ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે; એની તો ભસ્મ થઈ જશે, પણ તું ક્યાં જઈશ? તું તો અવિનાશી શાશ્વત તત્ત્વ છે ને પ્રભુ! તો મરીને ક્યાં રહીશ? મિથ્યાત્વમાં રહીશ તો ચારગતિમાં ચોરાસીલાખ યોનિમાં જ રખડવું પડશે, અહા! અહીં ચારગતિના છેદનો આચાર્યદેવ ઉપાય બતાવે છે કહે છે-
PDF/HTML Page 2892 of 4199
single page version
પર તરફના લક્ષવાળા જે રાગાદિભાવો છે તે બંધ છે અને ભગવાન આત્મા ચૈતન્યલક્ષણ છે. અહા! બન્નેને લક્ષણભેદથી જુદા જાણી આત્માને અનુસારે આત્માનુભવ કરવો તે ધર્મ છે. અનાદિથી રાગને અનુસરીને જે અનુભવ છે તે અધર્મ છે અને તે અનુભવ દુઃખરૂપ છે. પણ રાગથી જુદા પડી સ્વ-આશ્રયમાં રહી સ્વાનુભવ કરવો તે ધર્મ છે અને તે આનંદરૂપ છે. ચૈતન્યની જાણન પર્યાયને રાગથી ભિન્ન કરી સ્વાભિમુખ કરતાં જે સ્વાનુભવ થયો તે ધર્મ છે અને તેને અહીં પ્રજ્ઞાછીણી કહી છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– ચૈતન્યભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને?
ઉત્તરઃ– પરમ પારિણામિક ભાવ છયે દ્રવ્યોમાં છે, માટે અહીં ચૈતન્યલક્ષણથી લક્ષિત જ્ઞાયકભાવ જ લેવો. અહા! અનંતગુણમંડિત એક જ્ઞાયકભાવ - ચિન્માત્રભાવ જ આત્મા છે. આવા પોતાના સ્વસ્વરૂપમાં વર્તમાન પરિણતિને વાળવી - ઢાળવી તે ધર્મ છે.
પ્રશ્નઃ– તો જીવોની દયા પાળવી તે ધર્મ નહિ?
ઉત્તરઃ– ના; તે ધર્મ નહિ, કેમકે એ તો પરજીવોના લક્ષે થતો શુભરાગ છે, એ તો બંધનું લક્ષણ છે એમ અહીં કહે છે; અને એનાથી પુણ્યબંધ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ માને એ મિથ્યાત્વ છે. આવી વાત છે.
અરે! ભાઈ, તે પરની દયા પાળવાની અનંતકાળથી ચિંતા કરી છે, પણ અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેની તો એક વાર દયા કર. પરની દયા કરવાના ભાવમાં તારી અદયા - હિંસા થઈ રહી છે તે તો જો પ્રભુ! અહા! અનંત અનંત શક્તિઓનો પિંડ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છે, તેને જાણન પર્યાયમાં જ્ઞેય બનાવી એની પ્રતીતિ કરવી તે સ્વદયા નામ અહિંસા ધર્મ છે.
‘દયા ધર્મનું મૂળ છે’ - એમ કહે છે ને? તે દયા તે આ સ્વદયા હોં. બાકી સ્વદયાને છોડી, પરદયામાં રાચવું એ તો વાસ્તવમાં સ્વરૂપની હિંસા ને ઘાત છે. બાપુ! દયા, અદયાને પરની સાથે નિશ્ચયથી સંબંધ જ નથી, કેમકે પર જીવો બચે છે એ તો પોતાના આયુને લઈને બચે છે, ટકે છે. એની દયા પાળવી એમ કહેવું એ વ્યવહાર છે. અશુભથી બચવા ધર્માત્માને પણ એવા શુભભાવ આવે છે, પરંતુ એ ધર્મ નથી. (ધર્માત્મા એને ધર્મ માનતા પણ નથી)
આત્માનું ચૈતન્ય લક્ષણ છે ને બંધનું લક્ષણ રાગાદિ છે, તોપણ માત્ર જ્ઞેય- જ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે, એટલે શું? કે જે સમયે જ્યાં પોતાની જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે જ સમયે ત્યાં રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે. બન્નેના ભાવ તો ભિન્ન ભિન્ન છે, પણ બન્નેનાં કાળ અને ક્ષેત્ર એક
PDF/HTML Page 2893 of 4199
single page version
છે તેથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. એક છે, વા એક થાય છે એમ નહિ, પણ અજ્ઞાની એક માને છે તેથી એક જેવા થઈ રહ્યા છે એમ કહ્યું છે. વાસ્તવમાં તો તેઓ ભિન્ન જ છે, એક નથી, એક થયા નથી.
રાગ જ્યાં આત્માથી ભિન્ન છે ત્યાં આ શરીર ને સ્ત્રી-પુત્ર-પરિવાર, દીકરા- દીકરીયું ને પૈસા-એ બધાં એનાં ક્યાં રહ્યાં? એ તો ક્યાંય દૂર રહી ગયાં. એને પોતાનાં માનવાં એ તો નર્યું સ્થૂળ ગાંડપણ છે. અરે! પોતાના શાશ્વત શુદ્ધ ચૈતન્યનો નકાર કરીને, પરને પોતાનાં માની એ ચારગતિમાં અનંતકાળથી દુઃખભારને વહેતો પરિભ્રમણ કરે છે! તેને અહીં દુઃખથી છૂટવાનો આચાર્યદેવ ઉપાય બતાવે છે. કહે છે-
‘તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે.’
જેમ લાકડાના બે ટુકડા કરનારું શસ્ત્ર તીક્ષ્ણ કરવત હોય છે તેમ પ્રજ્ઞાછીણી અર્થાત્ અંતર્મુખ વાળેલી જ્ઞાનની દશા-તે આત્મા અને રાગને જુદા પાડવા માટેનું તીક્ષ્ણ કરવત છે. અહીં કહે છે-જ્ઞાન (-આત્મા) અને રાગની સૂક્ષ્મ સંધિ-સાંધને શોધીને તે સાંધમાં સાવધાન થઈને અર્થાત્ અંતઃપુરુષાર્થ વડે તીક્ષ્ણ પ્રજ્ઞા-કરવતને પટકવી. એમ કરતાં જ્ઞાન રાગથી છૂટું પડી જશે એને શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકમેક થશે. ઝીણી વાત છે પ્રભુ! જ્યાં અંતર્મુખ વળેલું જ્ઞાનસ્વભાવમાં એકમેક થયું ત્યાં સ્વ સ્વપણે અને રાગ પરપણે-એમ બન્ને જુદેજુદા દેખાવા લાગશે. અહા! જ્ઞાન સ્વસ્વરૂપમાં એકાગ્ર થતાં તેમાં રાગ પરપણે જણાય છે. આ પ્રમાણે જ્ઞાન ને રાગ બન્ને ભિન્ન પડી જાય છે.
લ્યો, આ ઉપદેશ ને આવો મારગ! કોઈને થાય કે-પાંચ દસ લાખનું દાન કરવાનું કહે કે પાંચ દસ ઉપવાસ કરવાનું કહે તો સહેલું પડે. પણ બાપુ! એવું તો અનંતવાર કર્યું છે; એની ક્યાં નવાઈ છે? અનાદિથી જ તું કરી રહ્યો છો. પરંતુ એ કાંઈ ધર્મ કે મોક્ષમાર્ગ નથી. ખરેખર તો અંદર અતીન્દ્રિય આનંદની-શુદ્ધિની પ્રગટતા થઈ તેની વૃદ્ધિ થવી તે તપ છે, અને તે ચારિત્ર છે. બાકી વ્રત આદિના શુભભાવ એ તો બંધનું લક્ષણ છે. એને તું ધર્મ માને છે એ તો દ્રષ્ટિનો મહાન ફેર છે. (એ દ્રષ્ટિ સમ્યક્ નથી).
હવે કહે છે- ‘એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.’
કહે છે-આ પ્રમાણે ભેદજ્ઞાન સિદ્ધ થતાં અખંડ એક જાણગ... જાણગ જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્માનું વલણ કરી તેમાં એકાગ્ર થવું ને દયા, દાન, વ્રત આદિ બંધને અજ્ઞાનમય ભાવ જાણી હેય કરવા. આ રીતે બન્નેને ભિન્ન કરવા.
PDF/HTML Page 2894 of 4199
single page version
અહાહા...! ભગવાન આત્મા અંદરમાં ચિન્મૂર્તિ પ્રભુ આનંદ-અમૃતનો સાગર છે. એમાં જે રાગની વૃત્તિ ઉઠે તે ઝેર છે. અહા! એ ઝેર ને અમૃતની વચ્ચે તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી નાખતાં બંને જુદા પડી જાય છે અને ત્યારે તે (-પ્રજ્ઞા) જ્ઞાન-અમૃતનું પાન કરે છે એનું નામ ભેદજ્ઞાન, સમ્યગ્જ્ઞાન અને ધર્મ છે. અહો! મોક્ષનું મૂળ આ ભેદવિજ્ઞાન જ છે. રાગને રાગ-પર જાણીને રાગથી જુદું રહેનારું અને આનંદ-અમૃતનું પાન કરનારું જ્ઞાન મોક્ષ પામે છે. ભાઈ! જન્મ-મરણનો અંત લાવવાનો આ ભેદજ્ઞાન જ એક ઉપાય છે. બાકી બધાં (વ્રત, તપ આદિ વિકલ્પો) થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
ભેદજ્ઞાનને એક ન્યાયે વિકલ્પ પણ કહે છે. એ બે વચ્ચે હોય છે ને? બેનું લક્ષ રહે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે. રાગ અને આત્મા બેને ભિન્ન જાણવા એમ આવ્યું ને? તેથી જ્યાં સુધી બેનું લક્ષ છે ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ છે. પણ અંદરમાં જ્ઞાયકમાં-એકમાં જાય છે તો ભેદવિજ્ઞાનનું નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. અહીં આ ગાથામાં પ્રજ્ઞાછીણી શબ્દે સ્વાનુભવ-જ્ઞાન સમજવું, માત્ર વિકલ્પ નહિ.
અરે! એને આ સમજવાની ક્યાં ગરજ છે? અરેરે! પ્રભુ! તું કોણ છો? આ સમજ્યા વિના અંદર ત્રણલોકનો નાથ તું ક્યાં જઈશ એનો વિચાર છે તને? અહીં સહેજ પણ પ્રતિકૂળતા ગોઠતી નથી તો મિથ્યાત્વના ફળમાં ભવિષ્યે અનંતી પ્રતિકૂળતા આવશે તેને કેમ સહન કરીશ? અહા! ધર્મ- સ્થાનકમાં પણ તને પંખા જોઈએ! થોડી પ્રતિકૂળતાને અવગણીને તું ધર્મશ્રવણના કાળમાં ચિત્તને એકાગ્ર ન કરે તો તું ક્યાં જઈશ પ્રભુ? અહા! જગતને ખબર નથી; જગત આંધળે-આંધળું છે, પણ બાપુ! પરચીજ અનુકૂળ-પ્રતિકૂળ છે એવા ભાવમાં તું અનંતકાળ સંસારમાં રખડીશ. અહા! એવા ભાવનું ફળ એવું જ છે ત્યાં શું થાય?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
અહો! ભેદજ્ઞાનનો આ અલૌકિક કળશ છે. અરે! અનંતકાળમાં એણે એક ક્ષણવાર પણ ભેદજ્ઞાન કર્યું નથી!
અહા! આ આત્મા ચૈતન્યપ્રકાશનું પૂર છે. જેમ નદીમાં ઘોડાપૂર હોય છે ને? તેમ આ દેહમાં બિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું પૂર છે. અહાહા...! તું એકલો ચૈતન્યરસનો-આનંદરસનો-દરિયો પ્રભુ છે. પણ એની વર્તમાન દશામાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય તે ઝેર છે. અહા! આ ઝેરને છૂટું પાડવાની અહીં વાત છે. તો કહે છે-રાગનું લક્ષ મટાડી વર્તમાન જ્ઞાનની દશા ચિદાનંદઘન પ્રભુ આત્મા પ્રતિ ઢળી જાય ત્યાં રાગાદિ પુણ્ય-પાપના ભાવ ભિન્ન પડી જાય છે. આ રીતે સ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા તે પ્રજ્ઞાછીણી છે.
PDF/HTML Page 2895 of 4199
single page version
અહીં કહે છે- ‘इयं शिता प्रज्ञाछेत्री’ આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી ‘निपुणैः’ પ્રવીણ પુરુષો વડે ‘कथम् कपि’ કોઈપણ પ્રકારે (-યત્નપૂર્વક) ‘सावधानैः’ સાવધાનપણે (નિષ્પ્રમાદપણે) ‘पातिता’ પટકવામાં આવી થકી,’ आत्म–कर्म–उभयस्य सूक्ष्मे अन्तः– सन्धिबन्धे’ આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં ‘रभसात्’ ‘શીધ્ર ‘निपतति’ પડે છે.
જુઓ, આ સ્વભાવનો પુરુષાર્થ અને ભેદજ્ઞાનનો ઉપાય!
જેમ લગ્નમાં ‘સમય વર્તે સાવધાન’ કહે છે ને? આઠ વાગે લગ્નનો ટાઈમ હોય તો સમય થઈ જતાં કહે કે-ટાઈમ થઈ ગયો છે, અંદરથી કન્યાને લાવો. એમ અહીં કહે છે-રાગથી છૂટા પડવાનો તારો ટાઈમ થઈ ગયો છે, માટે અંદરમાં-સ્વભાવમાં જા અને રાગને ભિન્ન પાડ. ભાઈ! કરવાનું હોય તો એક આ કરવાનું છે. બાકી તો બધું થોથેથોથાં છે.
જોયું? આ પ્રજ્ઞારૂપી છીણી કોના વડે પટકવામાં આવે છે? ‘પ્રવીણ પુરુષો વડે.’ લ્યો, આનું નામ તે પ્રવીણ પુરુષ જે ભેદજ્ઞાન કરે છે. દુનિયામાં પ્રવીણ-ચતુર કહેવાય તે આ નહીં. દુનિયાના કહેવાતા પ્રવીણ પુરુષો તો બધા પાગલ છે. મૂર્ખ છે; કેમકે તેઓ સ્વભાવનો પુરુષાર્થ ક્યાં કરે છે? તેઓ તો પુરુષાર્થહીન નપુંસક છે. આ તો જે સ્વભાવના પુરુષાર્થ વડે ભેદવિજ્ઞાન પ્રગટ કરે તે પ્રવીણ-નિપુણ પુરુષ છે એમ વાત છે.
અહાહા...! કહે છે-પ્રવીણ પુરુષો વડે પ્રજ્ઞાછીણીને નિષ્પ્રમાદપણે મહા યત્ન વડે પટકવામાં આવતાં... , ક્યાં? આત્મા અને કર્મ-બન્ને વચ્ચેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં અર્થાત્ અંદરની સાંધના જોડાણમાં. જેમ જંગલમાં લાખો મણ પત્થરોનો પહાડ હોય છે એમાં વચ્ચે વચ્ચે લાલ, ધોળી એવી રગ હોય છે. એ રગ એ બે પત્થરો વચ્ચે સાંધ છે અર્થાત્ બે પત્થરો એક થયા નથી એનું ચિન્હ છે. તેથી સાંધમાં સુરંગ ફોડતાં પત્થરો જુદા પડી જાય છે. તેમ જ્ઞાન અને આનંદ જેનું સત્ત્વ છે એવો ભગવાન આત્મા જ્ઞાનાનંદરસકંદ પ્રભુ છે, એમાં જે દયા, દાન આદિ શુભ પરિણામ ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભ પરિણામ થાય છે તે મૂળ વસ્તુભૂત નથી. અર્થાત્ આત્મા અને શુભાશુભ પરિણામ બન્ને એક નથી. બન્નેમાં લક્ષણભેદે ભેદ છે, સાંધ છે. ભગવાન આત્મા અને રાગાદિ વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતરંગ સાંધ છે. અહીં કહે છે-એ બન્નેની અંતરંગ સંધિના બંધમાં બહુ યત્ન વડે પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તત્કાલ બન્ને ભિન્ન પડી જાય છે. ‘
પ્રગટ દશા જે અનાદિથી રાગ તરફ વળેલી છે તે ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા તરફ વળે ને ઢળે તે પ્રજ્ઞાછીણી છે અને તે સાંધમાં પડતાં તત્કાલ આત્મા અને કર્મ જુદા પડી જાય છે.
PDF/HTML Page 2896 of 4199
single page version
જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા આત્માથી જુદી નથી, પણ રાગ છે તે આત્માથી જુદો છે. મીણમાં સિંહનો આકાર છે તે મીણ સ્વરૂપ છે, સિંહ સ્વરૂપ નથી. તેમ ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય તે જ્ઞાન આત્મસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી. તેથી રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ વળતાં રાગ ભિન્ન પડી જાય છે અને જ્ઞાન જ્ઞાનને (-આત્માને) અનુભવે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ અહીંથી શરૂ થાય છે.
પાછળથી ભાગલા પાડવા હોય તો પાડી શકાય એટલા માટે પહેલાંના મકાનમાં ઓસરીમાં બબ્બે થાંભલીઓ ભેગી રાખતા. જ્યારે ભાઈઓ જુદા પડે એટલે થાંભલીઓ વચ્ચે ચણતર કરી લો. ‘ભાઈઓ એક બીજાથી જુદા છે એટલે ગમે ત્યારે જુદા પડે જ. તેમ અહીં આત્મા અને કર્મ બે જુદી વસ્તુઓ છે. આત્મા એકલો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, અને કર્મ-પુણ્ય-પાપની વૃત્તિ ઉઠે તે આકુળતાસ્વરૂપ-દુઃખસ્વરૂપ છે. બન્ને વચ્ચે ભાવભેદે ભેદ-સાંધ છે, તિરાડ છે. એટલે વિવેકી પુરુષો દ્વારા અંદર સૂક્ષ્મ સાંધમાં ભગવતી પ્રજ્ઞા નાખવામાં આવતાં, તે સાંધને ભેદીને સરરરાટ અંદર શુદ્ધ સ્વરૂપમાં ઉતરી જાય છે, પ્રવેશી જાય છે ને રાગને ભિન્ન કરી દે છે. આવી વાત છે! સમજાણું કાંઈ...?
ભેદવિજ્ઞાનમાં પ્રવીણ એવા પુરુષો ‘कथम् अपि’ એટલે ‘કોઈ પણ રીતે’ અતિ નિષ્પ્રમાદી થઈને પ્રજ્ઞાછીણી પટકે છે. ‘कथम् अपि’ –કોઈ પણ રીતે એટલે શું? એટલે કે મહાયત્ન વડે, અંતર-એકાગ્રતાનો અતિ ઉગ્ર પુરુષાર્થ કરીને. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ? વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ન કરે. તેમ ચૈતન્યમાં સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવવા ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે.
હવે બે વચ્ચે પ્રજ્ઞાછીણી કેવી રીતે પડે છે? તો કહે છે-
‘आत्मानम् अन्तः– स्थिर–विशद–लसद्–धाम्नि चैतन्यपूरे मग्नम्’ આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં મગ્ન કરતી ‘च’ અને ‘बन्धम् अज्ञानभावे नियमितम्’ બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી- ‘अभिमतः भिन्नभिन्नौ कुर्वती’ એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
અહા! આત્મા છે તે અનાદિ-અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃ સિદ્ધ વસ્તુ છે; એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય, ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. અહા! પ્રજ્ઞાછીણી આત્માને આવા ચૈતન્યપૂરમાં-ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય-એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપ્રવાહમાં મગ્ન કરતી પડે છે; અને તે બંધને અજ્ઞાનભાવમાં
PDF/HTML Page 2897 of 4199
single page version
નિશ્ચલ-સ્થિત કરે છે. આ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે.
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ બહારના સંયોગો નાશવાન છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે; અને તેઓ પોતપોતાના કારણે પલટી જશે. અહા! આને નિત્ય ધ્રુવધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માની નજરુ નથી તેથી અનિત્ય ને અસ્થિર પદાર્થોને નિત્ય ને સ્થિર કરવા મથે છે. આ બધી ક્ષણિક ચીજો પોતાની સાથે સદા રહે એમ તે ઇચ્છે છે, પણ એ એનો મોહજનિત અજ્ઞાનભાવ છે, ભ્રાન્તિ છે.
વળી પરલક્ષે જે શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે તે બંધ છે ને તે અજ્ઞાનભાવ છે. ‘બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચલ કરતી’ એમ કહ્યું ને! રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે તેથી તે અજ્ઞાનમય ભાવ છે, અંધકાર છે. અંદરમાં સાવધાન થઈ ને અર્થાત્ ઉપયોગની જાગૃતિ રાખીને પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તે સૂક્ષ્મ સંધિને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજીકોર અંધકારસ્વરૂપ રાગ-બન્નેને ભિન્ન પાડી દે છે. અહા! ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એમ ચોતરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. બંધના-રાગના કોઈ અંશને જ્ઞાનમાં ભેળવતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધમાં-રાગમાં ભેળવતી નથી. અહા! આવી ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનચેતના એ એક જ મોક્ષનો ઉપાય છે.
ભાઈ! તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. અહા! તેને જાણ્યા વિના અજ્ઞાનભાવે શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તેં બંધનું-રાગનું જ સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાનચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અહો! એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત? વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. અહા! આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આ રીતે જ પામે છે. સમજાણું કાંઈ...?
‘અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે.’ ભગવાન આત્મા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસત્તાસ્વરૂપ ત્રિકાળી ભિન્ન ચીજ છે; અને. તેવી રીતે રાગાદિ વિકારના ભાવો ભિન્ન ચીજ છે. અનાદિથી અજ્ઞાન વડે બેને એક માન્યા છે. તેથી બન્નેને જુદા કરવા તે (ધર્મરૂપ) કાર્ય છે. અહીં કહે છે-તે બેને ભિન્ન કરવારૂપ કાર્યનો કર્તા આત્મા છે. કોઈ બીજો ઈશ્વર આ કાર્યને કરે છે એમ છે નહિ. અહા! સ્વતઃસિદ્ધ વસ્તુઓનો કર્તા કોઈ બીજો ઈશ્વર છે એ માન્યતા તદ્ન જૂઠી-અસત્ય છે. હવે કહે છે-
PDF/HTML Page 2898 of 4199
single page version
‘ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે.
લ્યો, લોકો સાધનની રાડો પાડે છે ને? આ એનો અહીં ખુલાસો કરે છે કે નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી. સત્યાર્થદ્રષ્ટિએ જોઈએ તો આત્માથી રાગાદિ બંધને ભિન્ન પાડવામાં કર્તાય આત્મા છે ને કરણેય આત્મા છે; કેમકે કરણ કર્તાથી ભિન્ન હોતું નથી. આ બંને (કર્તા ને કરણ) આત્માની પર્યાયની વાત છે. આમ તો એક પર્યાયમાં છયે કારકો હોય છે, પણ અહીં બેને મુખ્ય લીધા છે. માટે આત્માથી અભિન્ન એવી બુદ્ધિ જ-ભગવતી પ્રજ્ઞા જ આ કાર્યમાં કરણ છે. શું કીધું? કે પરસન્મુખની દિશાવાળા રાગાદિ વિકારના ભાવોને, સ્વસન્મુખની દશાવાળી પ્રજ્ઞા જ- સ્વસંવેદનજ્ઞાનની દશા જ ભિન્ન કરવાનું સાધન છે. જેમ લાકડાના બે કટકા કરનારું તીક્ષ્ણ કરવત હોય છે તેમ અંદરમાં સ્વાભિમુખ તીક્ષ્ણ પ્રજ્ઞા-એ જ રાગ ને આત્માને જુદા કરવાનું કરવત છે.
હવે કહે છે- ‘આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યસ્વભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે.’
અહા! હું એક શુદ્ધ ચિન્માત્ર જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ આત્મા છું. અહા! આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે-એમ સ્વને ઓળખી, તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞા છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, -એમ જાણવું. લ્યો, ‘ણમો સિદ્ધાણં’ -એવું સિદ્ધપદ આ રીતે પમાય છે.
પ્રભુ-આ રાગ અને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે. તેથી તને આત્મલાભ થશે, અંદર અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને તને પોતાથી જ ખાત્રી થશે કે હવે મને જન્મ-મરણ નથી; કોઈને પૂછવું નહિ પડે.
અહા! આ જે સમજશે નહિ તે ચારગતિમાં રખડશે. વર્તમાનમાં આ બધા ઘણા શેઠીઆઓ છે ને? શું થાય? તેઓ બિચારા ઢોરમાં જશે. કેમ? કેમકે નરકમાં જાય એવા તીવ્ર પાપના ક્રૂર હિંસાદિના પરિણામ તેમને નથી, પણ ધનના લોભમાં તેમને માયા- કપટ-કુટિલતાના આડાઈના પરિણામ છે તેથી તેઓ મરીને ઢોરમાં જ જાય, ઢોરને કૂંખે જ જન્મ લે.
મોટા કરોડ પતિ-લક્ષ્મીપતિ છે તોય?
PDF/HTML Page 2899 of 4199
single page version
હા, તોય; અંદર જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીને ઓળખ્યા વિના આ બહારની લક્ષ્મી- ધૂળના પતિ બધા કૂડ-કપટના પરિણામને લીધે ઢોરમાં જ જશે. અહા! અને જેઓ ઈંડા આદિ માંસાહાર કરે છે તેઓનું સ્થાન નરકાદિ જ છે. અરરર! જેને અડાય નહિ તેને ભોજનમાં લેવું એ તો મહાપાપ છે. લ્યો, કળશ પૂરો થયો.
PDF/HTML Page 2900 of 4199
single page version
आत्मबन्धौ द्विधा कृत्वा किं कर्तव्यमिति चेत्–
बंधो छेदेदव्वो सुद्धो अप्पा य घेत्तव्वो।। २९५।।
बन्धरछेत्तव्यः शुद्ध आत्मा च गृहीतव्यः।। २९५।।
‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯પ.
ગાથાર્થઃ– [तथा] એ રીતે [जीवः बन्धः च] જીવ અને બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [छिद्येते] છેદાય છે. [बन्धः] ત્યાં, બંધને [छेत्तव्यः] છેદવો અર્થાત્ છોડવો [च] અને [शुद्धः आत्मा] શુદ્ધ આત્માને [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ– આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બન્ને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થઃ– શિષ્યે પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
શિષ્યનો પ્રશ્ન છે કે-બંધ-રાગ અને આત્માને ભગવતી પ્રજ્ઞા વડે જુદા પાડવા એ તો જાણ્યું પણ ‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-