PDF/HTML Page 61 of 4199
single page version
અહીં આ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની વાત નથી. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખો જીવ પદાર્થ કેવો છે તે સિદ્ધ કર્યું છે. પછી જીવનું સ્વસમય-પરસમયરૂપ પરિણમન સ્પષ્ટ કર્યું છે.
જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે.
(૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ-વ્યય-
થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે.
(૨) દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. (૩) અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણપર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણપર્યાયવાળી છે. (પ) તેનું સ્વ-પરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે. જોયું? જ્ઞાનમાં અનંતને
(૬) વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય-
(૭) અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો
નથી-પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે.
હવે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે.
જે શુદ્ધચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમભાવરૂપ અશુદ્ધભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દ્રષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દ્રષ્ટિ-રુચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદ્ભૂતવ્યવહારપ્રાણ છે. એ સ્વસમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. આ ધર્મકથા છે, ભાઈ! આ સિવાય બધી વિકથા છે. આકરી વાત લાગે પણ વસ્તુસ્વરૂપ જેમ છે તેમ છે.
આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સદ્ભૂત વ્યવહાર છે. દર્શનજ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યક્રત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે.
PDF/HTML Page 62 of 4199
single page version
અને પરસ્વભાવરૂપ-મોહરાગદ્વેષરૂપ થઈને રહે તે પરસમય છે. અર્થાત્ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી ચ્યુત થઈને પુણ્ય-પાપ વા રાગદ્વેષને એકપણે એકકાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે.
એકપણે સ્વસ્વરૂપે પરિણમે તે સ્વસમય અને અન્યપણે-રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે.
PDF/HTML Page 63 of 4199
single page version
अथैतद्बाध्यते–
बंधकहा
હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છેઃ-
એકત્વનિશ્ચિય–ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.
ગાથાર્થઃ– [एकत्वनिश्चयगतः] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [समयः] સમય છે તે [लोके] લોકમાં [सर्वत्र] બધેય [सुन्दरः] સુંદર છે [तेन] તેથી [एकत्वे] એકત્વમાં [बंधकथा] બીજાના સાથે બંધની કથા [विसंवादिनी] વિસંવાદ-વિરોધ કરનારી [भवति] છે.
ટીકાઃ– અહીં ‘સમય’ શબ્દથી’ સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ- કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે- ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની
PDF/HTML Page 64 of 4199
single page version
આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પરસમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય-સ્વસમયરૂપ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ– નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.
હવે સમયના દ્વિવિધપણામાં આચાર્યદેવ બાધા બતાવે છે. આ ગાથાનું મથાળું છે. (પર્યાયમાં) એકપણું (સ્વસમયપણું) ન થતાં દ્વિવિધપણું થવું તે વિસંવાદ- અસત્યપણું છે એમ કહે છે.
એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. જયસેન આચાર્યદેવે એકેન્દ્રિયથી માંડી બધા જીવો એક દ્રવ્યપણે (દ્રવ્યે એકપણે) હોવાથી સુંદર છે એમ સામાન્યપણે કહ્યું છે. અહીં કહે છે કે એકત્વનિશ્ચયને પ્રાપ્ત-અર્થાત્ ભગવાન શુદ્ધસ્વભાવી ચૈતન્યઘન પ્રભુ જે નિજ શુદ્ધાત્મા એના એકત્વમાં પરિણમે એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમે તે સમય છે અને તે બધે સુંદર છે. તેથી એકત્વમાં બીજાની સાથે બંધની કથા, નિમિત્તના સંબંધની કથા કહેવી તે વિસંવાદ છે, અસત્ય છે. વિસંવાદ એટલે અસત્ય એમ જયસેનાચાર્યે અર્થ કર્યો છે.
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, એની સાથે એકત્વ પરિણમન તે સુંદર છે- શોભાસ્પદ છે. વસ્તુ સુંદર છે, અને તેનું પરિણમન પણ સુંદર છે; કેમકે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનમાં વસ્તુ જેવી સુંદર છે તેવી ખ્યાલમાં આવે છે. એકલો આત્મા જે ત્રિકાળદ્રવ્ય છે તે ત્રણે કાળ સુંદર છે, ભલે એકેન્દ્રિયમાં- નિગોદમાં હોય તો પણ સુંદર છે. અહીં તો એથી વિશેષ કહે છે કે જે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામમાં આત્માના સુંદરપણાના સ્વરૂપની હયાતીનું ભાન થયું તે પણ સુંદર છે, સત્ય છે. વસ્તુ શ્રદ્ધા-જ્ઞાનમાં આવતાં સુંદરતાની પરિણતિ થઈ ત્યારે તેને સુંદર કહેવામાં આવે છે, એને જ સત્યાર્થ કહેવામાં આવે છે. ત્રિકાળ, ધ્રુવ આત્મા સત્યાર્થ તો છે જ, પણ એ સત્યાર્થને પ્રતીતિ અને જ્ઞાનમાં લીધાં ત્યારે તેને સત્યાર્થ કહેવામાં આવે છે.
PDF/HTML Page 65 of 4199
single page version
આ વસ્તુના એકત્વમાં બીજાની સાથે અર્થાત્ કર્મના નિમિત્તથી થતા વિકારો- દયા દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભ કે હિંસા, જૂઠ આદિ અશુભભાવ-સાથે એકત્વપણાની બંધકથા-બંધભાવ વિસંવાદ ઊભો કરે છે, તેથી તે અસત્ય છે. અબંધસ્વભાવી ભગવાન આત્માની સાથે બંધભાવનું એકત્વ તે અસત્ય છે, દુઃખ ઉત્પન્ન કરનારું છે તેથી અસુંદર છે એમ કહે છે. દ્રવ્યના એકપણામાં જે સ્વગુણપર્યાયરૂપ સ્વભાવપરિણમન કહ્યું છે એમાં કર્મના નિમિત્તથી જે અશુદ્ધ પરિણમન થાય તે પરસમયપણું છે, તે અસત્ય છે અને બાધા-આપત્તિ ઉત્પન્ન કરનારું છે.
આત્મા પોતાના સ્વભાવગુણપર્યાયપણે પરિણમે છે સ્વસમય અર્થાત્ એકત્વનિશ્ચયગત તે સ્વસમય છે. અને વિભાવપણે પરિણમે અર્થાત્ કર્મપુદ્ગલના પ્રદેશોમાં (સ્થિત થઈ) પરિણમે તે પરસમય છે. પરસમયપણું એ દ્વિવિધપણું ઉત્પન્ન કરે છે. સ્વસમય અને પરસમય એ બેમાં પરસ્પર વિરોધ છે. સ્વસમયનું પરિણમન છે તેમાં વિભાવનું પરિણમન થવું તે વિરોધ છે, કેમકે તેમાં સ્વનિશ્ચયગત રહ્યો નહીં. ધ્રુવપણે (સુંદર) રહ્યો, પણ પરિણમનમાં સ્વગુણપર્યાયપણે (સુંદર) રહ્યો નહીં, અને વિકારરૂપ (વિરોધરૂપ) પરિણમન થઈ ગયું. પુદ્ગલકર્મના નિમિત્તે થતા વિકારી પરિણમનમાં દ્વિવિધપણું -બાધાપણું બતાવ્યું, પોતાના સ્વભાવમાં સ્થિતિ થતાં સ્વસમયપણું -સુંદરપણું કહ્યું.
પ્રવચન નંબર ૮–૧૦, તારીખ ૬–૧૨–૭પ થી ૮–૧૨–૭પ
એકત્વનિશ્ચિયને પ્રાપ્ત જે સમય નામનો પદાર્થ છે તે પોતાના ગુણપર્યાયપણે પરિણમે-અભેદ-રત્નત્રયપણે પરિણમે તે લોકમાં બધે સુંદર છે. દ્રવ્યાર્થિકનયનો વિષય એવો જે ધ્રુવ આત્મા તેના લક્ષે જે પરિણમન થયું તે પર્યાય છે, તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. અહીં સ્વપર્યાયરૂપ પરિણમનને આત્મા કહ્યો છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી, ધ્રુવ આત્મા એની અહીં વાત નથી. એકત્વનિશ્ચયગત કહેતાં દ્રવ્ય જે પોતે ધ્રુવ તેમાં એકત્વ પણે પરિણમે અર્થાત્ પોતાના સ્વગુણપર્યાયપણે પરિણમે તેને સ્વસમય કહેવામાં આવ્યો છે અને તે લોકમાં સર્વત્ર સુંદર છે.
પરના સંબંધથી પરિણમન થાય તે બાધારૂપ છે. તે સત્ય નથી. જયસેનાચાર્યદેવે તેને અસત્યાર્થ કહ્યું છે. એકત્વમાં બીજા સાથેના સંબંધની કથા વિસંવાદિની છે, વિરોધ ઉત્પન્ન કરનારી છે. વસ્તુ પોતે ધ્રુવ આત્મા છે. તેના આશ્રયે શુદ્ધ ગુણપર્યાયપણે પરિણમે તે સ્વસમય છે. આવું સ્વસમયનું પરિણમન છોડીને નિમિત્તાધીન થઈ પરિણમે તે દ્વિવિધવિરોધપણું ઉત્પન્ન કરનારું છે.
PDF/HTML Page 66 of 4199
single page version
આ ગાથા ગંભીર છે, ભાઈ? જયસેન આચાર્યદેવની ટીકામાં ‘એકત્વ- નિશ્ચયગત’ના ત્રણ અર્થ કર્યા છે. (૧) એકેન્દ્રિયાદિ બધા પદાર્થોમાં (જીવ) દ્રવ્ય છે તે સુંદર છે. (૨) એકત્વનિશ્ચયગત એટલે પોતાના સ્વગુણની પર્યાયપણે પરિણમે તે સુંદર છે. (અહીં બીજા બોલમાં વિકારી અને અવિકારી બધી પર્યાયોપણે પરિણમે તેની વાત છે). (૩) એકત્વનિશ્ચયગત કહેતાં અભેદરત્નત્રયપણે શુદ્ધ પરિણમે તે સુંદર છે, સત્ય છે.
એકેન્દ્રિયાદિમાં દ્રવ્ય છે તે સુંદર જ છે, પણ તે બેસે કોને? કહે છે કે જેને અભેદરત્નત્રયનું પરિણમન થયું છે એવા જ્ઞાનીને બધા સુંદર છે એમ બેસે છે. અજ્ઞાનીને ક્યાં ખબર છે? અહીં ‘સમય’માં ભેદ પાડવા નથી, પણ ‘સ્વસમય’ અને ‘પરસમય’ એમ પરિણતિના બે ભેદ પડે છે. ‘સમય’ તો સમય જ છે. પોતાના ધ્રુવ આત્માની સાથે એકત્વપણે પરિણમન થાય તે ‘સ્વસમય’ છે, અને ધ્રુવ સાથે એકત્વપણું છોડી રાગ સાથે એકત્વપણે પરિણમે તે ‘પરસમય’ છે. આ બેપણું જ અસત્ય છે. (યથાર્થ દ્રષ્ટિથી) એમાં બેપણું કેમ હોઈ શકે?
ઘણી ઊંડી ચીજ છે, ભાઈ! ધ્યેય તો જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ જ છે, તેમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એ ધ્રુવ સાથે એકત્વ થઈને શુદ્ધ પરિણમે તે ‘સ્વસમય’ અને ધ્રુવને છોડી દઈ રાગ-વિકારને આધીન થઈ મિથ્યા પરિણમે તે ‘પરસમય’ છે. તે દ્વિવિધપણું છે, તે વિરોધ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય અને તેના લક્ષે જે શુદ્ધ પરિણમન થયું તે વ્યવહાર-સદ્ભૂત વ્યવહાર. આ સદ્ભૂત પરિણમન જે છે તે સમય- આત્મા એમ અહીં કહ્યું છે. કર્તા-કર્મ અધિકાર, ગાથા ૭૧ (ટીકા) માં આ વાત લીધી છે. ત્યાં કહ્યું છે-“આ જગતમાં વસ્તુ છે તે (પોતાના) સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ-ભાવ છે; માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોઘાદિનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” જુઓ, વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, પરંતુ પરના કર્તાપણાથી-વિભાવથી જુદું બતાવી જે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન તેને અહીં આત્મા કહ્યો છે.
કર્મના નિમિત્તથી રાગાદિનું પરિણમન થાય તે આત્મા નહીં એમ સિદ્ધ કર્યું છે. દયા, દાન, વ્રત, આદિના વિકલ્પપણે પરિણમવું તે જીવનું પરિણમન નથી. ધ્રુવને ધ્યેય બનાવી, નિર્મળપણે પરિણમે તે ‘સ્વ-આત્મા’ અને કર્મસંબંધે વિકારપણે પરિણમે તે ‘પર-આત્મા’. સ્વભાવપણે પરિણમવું તે જીવનું કર્મ છે, વિભાવપણે પરિણમવું તે જીવનું કર્મ નહીં, તે બાધા છે, આપત્તિ છે.
નિયમસાર ગાથા પ૦ માં એમ કહ્યું છે કે નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવે સ્વયં આમ કહ્યું છે. વિકારી પર્યાય તો પરદ્રવ્ય છે, પણ
PDF/HTML Page 67 of 4199
single page version
નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહેવામાં આવી છે. મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે ને? તેથી તે પરદ્રવ્ય કહી છે. ત્યાં દ્રષ્ટિનું ધ્યેય એકમાત્ર ધ્રુવ દ્રવ્ય બતાવવું છે એટલે નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે; તે સ્વદ્રવ્ય નહીં, કારણ કે નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. સમ્યગ્દર્શનનો વિષય તો એકલો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળી છે. તેમાં નિર્મલ પર્યાયને પણ સાથે ભેળવે તો દ્રષ્ટિ એકદમ વિપરીત થઈ જાય. મોક્ષમાર્ગની પર્યાયને પરદ્રવ્ય કહી, કેમકે તેમાંથી નવી પર્યાય આવતી નથી. જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, એમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી પણ બીજી નવી પર્યાય આવતી નથી. આ અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. છતાં અહીં તો પરિણમનની અપેક્ષા છે એટલે નિર્મળ પર્યાયને સ્વ- આત્મા, સ્વસમય કહેલ છે.
અહા! શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે મેં જિનેશ્વરદેવના ઉપદેશને બરાબર જાણીને પૂર્વાપર વિરોધ રહિત જે છે તે વાત અહીં મૂકી છે. અહીં એક વાત અને બીજે બીજી એમ વિરોધ નથી. અપેક્ષાથી સમજે તો સમજાય અને વિરોધ રહે નહીં એવી વાત છે.
નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે ત્યાં એમ કહ્યું છે કે જે આ ટીકા થઈ એનો કરનારો હું નથી. ગણધરોથી રચાયેલી ટીકા એના કરનારા અમે તે મંદબુદ્ધિ કોણ? તેથી ખરેખર આ ટીકા તો ગણધરદેવથી ચાલી આવે છે. એમાં કહ્યું છે કે કારણ પરમાત્મા-જે ધ્રુવ વસ્તુ છે તે એક જ મોક્ષમાર્ગનો હેતુ છે. તેની જે મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે માટે પરદ્રવ્ય છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાયને નાખે તે તો મહા વિપરીત દ્રષ્ટિ થઈ જાય છે.
અહાહા...! શું શાસ્ત્રો છે! સમયસાર, નિયમસારમાં ગજબ વાતો કરી છે. ભાઈ, ભગવાનની ગાદીએ બેસીને જે વાત ચાલે ત્યારે તો ભગવાન કહે છે એમ અંદરથી આવે છે. નિયમસારમાં દ્રષ્ટિનો વિષય જે ધ્રુવદ્રવ્ય તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી, અને અહીં સમયસારમાં પરિણમન અપેક્ષાએ નિર્મળ પર્યાયને સ્વ-આત્મા કહ્યો.
અહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે, કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સંકર, વ્યતિકર આદિ સર્વ દોષો આવી પડે.
PDF/HTML Page 68 of 4199
single page version
લોકમાં રહેલા સઘળાં પદાર્થો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી એટલે કે પોતામાં રહેલા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતા હોવાથી સુંદરતા શુદ્ધતા પામે છે. તે કોઈ દ્રવ્યોમાં પરની અપેક્ષા નથી. જીવ અને પુદ્ગલ બન્ને વિભાવપણે પરિણમે છે છતાં તેમના વિભાવ પરિણમનમાં પરની અપેક્ષા નથી, સ્વયં વિભાવપણે પરિણમે છે. બીજા ચાર દ્રવ્યોમાં વિભાવ નથી, સ્વભાવ પરિણમન છે. આ રીતે સર્વ દ્રવ્યોનું સમયપણું સિદ્ધ કર્યું.
અન્ય પ્રકારે માને તો એમાં સર્વ સંકર આદિ દોષો આવી પડે છે. ‘सर्वेषाम् युगपत् प्राप्ति स संकरः।’ બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઈ જાય એ સંકર દોષ છે. તથા ‘परस्पर विषयगमनं’ તે વ્યતિકર દોષ છે. ચેતન જડમાં અને જડ ચેતનમાં આવે તે વ્યતિકર દોષ છે. ‘આલાપ પદ્ધતિ’ માં આઠ દોષોનું વર્ણન આવે છે. આ ન્યાયનો વિષય છે. અહીં કહે છે કે લોકમાં છ દ્રવ્યો એકત્વનિશ્ચયગત હોવાથી તેમને આ દોષો લાગુ પડતા નથી. અન્યથા માનવા જતાં દોષોની આપત્તિ આવે છે. વસ્તુમાં દોષ નથી. વિપરીત માન્યતામાં દોષ છે.
વીતરાગ માર્ગ અને તેનું સ્વરૂપ શું છે તેની વાત ચાલે છે. કેવળી પરમાત્મા જિનેશ્વરદેવ એ જ એક સાચા દેવ છે. જગતમાં દેવ હોય તો આ એક જ છે. તેઓ પોતાની દિવ્યશક્તિ કેવળજ્ઞાન દ્વારા બધું જાણે છે. લોકાલોક જાણે છે. તેમનું કહેલું આ તત્ત્વ છે. તેને આચાર્ય ભગવંતો આડતિયા થઈને બતાવે છે.
બધાં દ્રવ્યો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. અન્ય પ્રકારે એમાં સંકરાદિ દોષ આવી પડે છે, એટલે કે ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પોતે સ્વાધીન એકરૂપ ન રહેતાં બીજામાં ભળી જાય અર્થાત્ બે થઈને એક થઈ જાય ઈત્યાદિ દોષ આવી પડે છે. દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે સ્વતંત્ર ન રહે, પરપણે થઈ જાય, પરમાં ભળી જાય ઈત્યાદિ આપત્તિ આવી પડે છે.
અરે! પોતે આત્મા છે એની એને ક્યાં કિંમત છે? એને તો ધૂળની (પૈસાની), પુણ્યની, ભણતરની અને કાંતો ક્ષયોપશમરૂપ જ્ઞાનની (વિદ્વતાની) કિંમત ભાસે છે. પણ એ બધું તો પર છે.
હવે કહે છે કેવા છે તે પદાર્થો? ‘પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી’. પરમાણુ હો કે આત્મા હો, આકાશ હો કે કાળ હો, દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણસમૂહને ચુંબે છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયોને અડે છે, પણ પરને અડતું નથી. પોતાના
PDF/HTML Page 69 of 4199
single page version
દ્રવ્યમાં અંતર્મગ્ન અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો -ધર્મો અને તેમની અવસ્થાઓને સ્પર્શે છે, પણ પરના ગુણ-પર્યાયોને સ્પર્શતું નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ (ટીકા) માં અલિંગ-ગ્રહણના બોલમાં તો એમ આવે છે કે દ્રવ્ય પોતાના ગુણોના ભેદને સ્પર્શતું નથી. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો એકલા અભેદને સિદ્ધ કરવો છે. ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ જે દ્રષ્ટિનો વિષય છે તે ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી એમ ત્યાં કહ્યું છે. ત્યાં દ્રવ્યના અંદર અંદર બે અંશ વચ્ચેની વાત છે. જ્યારે અહીં તો દ્રવ્ય પરને સ્પર્શતું નથી એવી છ દ્રવ્યોની મર્યાદા સિદ્ધ કરવાની વાત છે. આ તો અલૌકિક માર્ગ છે, ભાઈ!
પહેલાં કહ્યું કે સમયમાં સ્વસમય અને પરસમય એમ જે દ્વિવિધપણું આવે છે તે વિસંવાદ ઉપજાવે છે. માટે તેનો (બે-પણાનો) નિષેધ છે. (ત્યાં રાગ આત્માનું સ્વરૂપ નથી એમ બતાવવું હતું)
નયચક્રમાં કહ્યું છે કે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે પ્રમાણ પૂજ્ય નથી. એકલો સ્વભાવ ધ્રુવ અખંડાનંદ પ્રભુ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. (તેમાં પર્યાય નિષિદ્ધ છે) માટે નિશ્ચયનય તે પૂજ્ય છે.
ત્યારે અહીં તો કહે છે કે સ્વપણે પોતાનું પરિણમન કરે તે સ્વસમય છે -તે આત્મા છે. જે અપેક્ષાથી વાત કરી હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
સર્વ પદાર્થો પોતાના અંતર્મગ્ન અનંત ધર્મોના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, અડે છે, આલિંગન કરે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહાહા...! એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી. આત્મા કર્મને સ્પર્શતો નથી, કર્મ આત્માને સ્પર્શતું નથી. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો નથી. એકપ્રદેશી પરમાણુમાં આકાશ જે અનંત પ્રદેશી સર્વવ્યાપી છે તેમાં જેટલા (અનંત) ગુણોની સંખ્યા છે એટલા જ ગુણોની સંખ્યા છે. તે પરમાણુ દ્રવ્ય પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે તોપણ તે બીજા પરમાણુને સ્પર્શ કરતો નથી. રૂપી રૂપીને સ્પર્શતું નથી; કારણ કે એકબીજાનો એકબીજામાં અભાવ છે. અભાવમાં ભાવનું સ્પર્શવું કેમ બને? તેઓ (દ્રવ્યો) પરસ્પર સ્પર્શતા નથી એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને, પરમાણુ આકાશને, આકાશ પરમાણુને, પરમાણુ આત્માને, આત્મા પરમાણુને, આત્મા આકાશને, આકાશ આત્માને પરસ્પર અડતા નથી. આકાશ નામનો પદાર્થ છે. તેમાં અનંત પરમાણુ રહ્યા છે, ત્યાં જ નિગોદના અનંત જીવો પડયા છે, પણ કહે છે કે કોઈ કોઈને અડતા નથી. એક નિગોદનો જીવ બીજા જીવને સ્પર્શતો નથી. આ તો ગજબ વાત છે, ભાઈ!
PDF/HTML Page 70 of 4199
single page version
તેથી કર્મ જીવને હેરાન કરે છે એ વાત ઊડી જાય છે. “અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.” જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે એમ કથન શાસ્ત્રમાં આવે તેને પકડી પાડે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ અને આત્મા એકબીજાને સ્પર્શ કરતા નથી. માટે કોઈ કહેતું હોય કે કર્મથી જ્ઞાન રોકાય તો એ વાત ત્રણકાળમાં સત્ય નથી.
શાસ્ત્રમાં કોઈ ઠેકાણે પરસ્પર વિરુદ્ધ કથન આવે તો ત્યાં વિધવિધ પ્રયોજન સિદ્ધ કરવા વિવક્ષાભેદ હોય છે, વિરુદ્ધ તો કાંઈ હોતું નથી. એક આચાર્યનો મત તે જ અનંત આચાર્યોનો મત છે. મુનિ હો કે સમકિતી-બધા દિગંબર સંતોનો એક પ્રવાહમાં એક જ મત હોય છે.
અહા! પોતે જ્ઞાનનો સમુદ્ર છે. સમજવું, સમજવું, સમજવું, એ એના જ્ઞાનનો સ્વભાવ છે. કઈ અપેક્ષાનું કથન છે તે બરાબર સમજાતાં ગમે તેટલાં પડખાંથી કહેવામાં આવે છતાં એમાં એને વિરોધ ન આવે.
એક નિગોદના શરીરમાં અનંત જીવ છે. એક એક જીવને તેજસ અને કાર્માણ એમ બબ્બે શરીર હોય છે. પરંતુ તે એક જીવ બીજા જીવને અડતો નથી. તથા જીવ શરીરને પણ અડતો નથી. જુઓ, પરથી પૃથકતા. (આવી દરેક દ્રવ્યની સ્વતંત્રતા જિનેશ્વરના માર્ગમાં બતાવવામાં આવી છે) વસ્તુનું સ્વરૂપ જ આવું છે. પરિચય ન હોય એટલે ઝીણું પડે, પણ બરાબર સમજવા જેવું છે.
એક સિદ્ધ પરમાત્મા છે તેના પેટમાં (ક્ષેત્રમાં) અનંતા બીજા સિદ્ધ છે. છતાં એક સિદ્ધ બીજા અનંતા સિદ્ધોને અડતા નથી પરસ્પર સ્પર્શ કરતા નથી. એકદમ ભેદ કરીને સમજાવ્યું છે. દરેક દ્રવ્ય સ્વયંસિદ્ધ પોતે પોતામાં પરિણમી રહ્યું છે. પરને અને એને કાંઈ સંબંધ નથી.
જુઓ, આ આંગળીમાં અનંત પરમાણુઓ છે. તેઓ એકબીજાને સ્પર્શતા નથી, કેમકે એકબીજા વચ્ચે તદ્ન અભાવ છે, અન્યત્વ છે. એકદ્રવ્યમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણ વચ્ચે પરસ્પર અન્યત્વની વાત શાસ્ત્રમાં (પ્રવચનસારમાં) આવે છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો અતદ્ભાવરૂપ અન્યત્વ કહ્યું છે. દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ત્યાં ક્ષેત્રભિન્નતા નથી, અતદ્ભાવ છે, એક છે તે અન્ય નથી એવો ભાવ છે. પણ અહીં તો દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે અભાવરૂપ અન્યત્વ છે એની વાત છે.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે સ્પર્શાદિ ઈન્દ્રિયો વસ્તુને સ્પર્શીને તેનું જ્ઞાન કરે છે. પણ અહીં કહે છે કે એમ છે નહીં. ઈન્દ્રિય છે તે સ્પર્શ વિના જ જાણે છે. ઈન્દ્રિય અને વસ્તુ
PDF/HTML Page 71 of 4199
single page version
પરસ્પર સ્પર્શતાં જ નથી, પણ પરસ્પર સન્નિકટ છે, નજીક છે એટલે સ્પર્શે છે એમ કહેવામાં આવે છે.
હવે ક્ષેત્રથી વાત કરે છે. ‘અત્યંત’ નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, જ્યાં આકાશનો એક પ્રદેશ છે ત્યાં અનંત આત્મા છે. (એક આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો એવા અનંત આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો આકાશના એક પ્રદેશે છે). અત્યંત નિકટ એકક્ષેત્રે આત્મા રહ્યો હોવા છતાં આકાશને આત્મા અડતો નથી. જ્યાં આકાશ છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં આકાશ છે, તોપણ આત્મા પોતાનું ક્ષેત્ર છોડીને આકાશના ક્ષેત્રમાં જતો નથી, અને આકાશ પોતાનું ક્ષેત્ર છોડી આત્મામાં આવતું નથી. આકાશના એક પ્રદેશે અનંત જીવ, અનંત પરમાણુ, ધર્મ, અધર્મ, કાળાણુ, બધાં અત્યંત નિકટ રહેલા છે. તોપણ તેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. એક જ ક્ષેત્રમાં ભેગા હોવા છતાં ભિન્ન રહે છે. પરરૂપે નહીં પરિણમવાના કારણે અનંત વ્યક્તિઓ નાશ પામતી નથી. જેટલી ચીજ સંખ્યામાં છે તેટલી સંખ્યામાં કાયમ રહે છે. અનંત પ્રગટતા નાશ પામતી નથી એટલે અનંત વસ્તુ અનંતપણે પોતાની રહે છે. જેટલાં દ્રવ્યો છે તેમાં એક પણ દ્રવ્યનો નાશ થતો નથી. બધાં દ્રવ્યો ટંકોત્કીર્ણ જેવાં છે તેવાં સ્થિત રહે છે, ટાંકણાથી કોતરીને બનાવ્યાં હોય તેવાં શાશ્વતરૂપે રહે છે.
પ્રવચનસાર (ગાથા ૬૭) માં આવે છે કે વિષયો શું કરે? શરીર, વાણી, મન, સારો આહાર ઈત્યાદિ તને શું કરે? એ કાંઈ જીવને વિકાર ઉપજાવે છે? વિષયો તો અકિંચિત્કર છે. એ તને અડતા નથી, તું એને અડતો નથી. વિષયો જીવને રાગ ઉપજાવે છે એમ છે જ નહીં. રાગ તો જીવ પોતે કરે છે તો થાય છે. સુંવાળા માખણ જેવા કોમળ બાળકના શરીરને શું આત્મા ચુંબન કરે છે? અહીં ના પાડે છે. અહીં તો કહે છે કે હોઠ એને અડતોય નથી, અને એથી તને રાગ થાય છે એમેય નથી. રાગ તો તું સ્વયં કરે તો થાય છે. આવી વાત છે, ભાઈ!
વળી ‘સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.’ સમસ્ત વિરુદ્ધ કાર્ય એટલે કે દ્રવ્યની પર્યાયમાં જે ઉત્પાદ, વ્યય છે તે પરસ્પર વિરુદ્ધ છે. ધવલમાં આવે છે કે એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય, ઉપજવું અને વિણસવું એમ બે થાય છે તે વિરુદ્ધ છે જે સમયે દ્રવ્યની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ તે ભાવરૂપ છે અને વ્યય તે અભાવરૂપ છે. તેથી ઉત્પાદ -વ્યયને વિરુદ્ધ કહેવામાં આવે છે. એમ
PDF/HTML Page 72 of 4199
single page version
હોવા છતાં ગુણ ગુણપણે ત્રિકાળ કાયમ રહે છે તેથી તે અવિરુદ્ધ છે. આવું વિરુદ્ધ- અવિરુદ્ધ વસ્તુનું સ્વરૂપ જ છે.
આત્મામાં વિરુદ્ધધર્મત્વ નામની એક શક્તિ છે. આ ત્રિકાળ શક્તિની વાત છે જે વડે આત્મામાં તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું હોય છે. એટલે કે આત્મા સ્વપણાને છોડે નહીં અને પરપણાને ગ્રહે નહીં એવી શક્તિ છે. પણ અહીં તે વાત નથી.
અહીં તો એક સમયમાં પર્યાયમાં જે ઉત્પાદ-વ્યય છે તે પરસ્પર વિરુદ્ધભાવ છે એમ કહ્યું છે. અને ગુણ કાયમ રહે તે અવિરુદ્ધભાવ છે. આમ વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્ય એટલે અનંત દ્રવ્યોના ઉત્પાદ-વ્યયરૂપ વિરુદ્ધભાવ અને ગુણરૂપ અવિરુદ્ધભાવ; એ બન્નેના હેતુપણાથી તેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે. એટલે કે દ્રવ્યના ગુણપર્યાયરૂપ સ્વરૂપવડે વિશ્વના સમસ્ત પદાર્થો જેમ છે તેમ ટકી રહે છે. અહા! વિશ્વમાં અનાદિથી દરેક વસ્તુ એમ ને એમ ટકી રહી છે. ‘ઉત્પાદવ્યયધ્રુવયુક્તં સત્’ તે સત્ અનાદિથી એમ ને એમ ટકી રહ્યું છે. (ઉત્પાદવ્યયરૂપ પર્યાયથી સમયે સમયે બદલતા સમસ્ત પદાર્થો પોતાના સ્વરૂપે ટકી રહ્યા છે).
આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધની કથાથી વિસંવાદની આપત્તિ આવે છે. હવે અહીં જીવની વિશેષ વાત કરે છે. જીવ નામના સમયને કર્મના નિમિત્તથી વિભાવભાવરૂપ બંધભાવથી વિસંવાદ ખડો થાય છે, આપત્તિ આવી પડે છે. એકડે એક અને બગડે બે. બે થયા એટલે બગડયું. બે થયા ત્યાં બંધ થયો. એક સ્વભાવભાવ અને એક વિભાવભાવ એમ બે થયા એ બંધકથાથી-બંધભાવથી વિસંવાદની આપત્તિ આવે છે. બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે કે વિભાવ-રાગદ્વેષ-તેમાં સ્થિત થવું તે પરસમયપણું છે. એક સમયમાં આત્મામાં વિભાવનું ઉત્પન્ન થવું તે પરસમયપણું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને સ્વભાવથી વિરુદ્ધ રાગનું ઉત્પન્ન થવું તે દ્વિવિધપણું છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા વિભાવમાં આવી પડે તે દુઃખરૂપ છે, તેથી તે સુંદર નથી. શોભાસ્પદ નથી.
ભગવાને આ જગતમાં છ દ્રવ્યો જોયાં છે. તે છયે દ્રવ્યો પોતપોતામાં છે; પણ જીવ નામના સમયને બંધકથાથી જ એટલે કે કર્મના -નિમિત્તના સંબંધના ભાવથી જ અર્થાત્ દુઃખરૂપ ભાવથી હોવાથી વિસંવાદ આવે છે, એટલે કે અસત્યપણું ઊભું થાય છે.
આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સમય છે. તેને કર્મના નિમિત્તના સંબંધની અપેક્ષા આવતાં પરિણમનમાં વિકાર ઉત્પન્ન થાય છે- એ જ વિસંવાદ છે અને દુઃખ ઉત્પન્ન કરનાર છે.
PDF/HTML Page 73 of 4199
single page version
સમયનું (આત્માનું) એકપણું ઊભું છે, છતાં તે એકપણામાં ઊભા ન રહેતાં (તેમાં સન્મુખ ન થતાં) કર્મના પ્રદેશમાં સ્થિત થાય છે એટલે કે રાગદ્વેષમાં એકપણું કરે છે તે પરસમયપણું છે, અને તે જ વિસંવાદ છે, દુઃખ છે, અનંત સંસારનું મૂળ છે. ભાઈ! એ દુઃખના ઘેરાવામાં ઘેરાવાનું છે. ભલે એમ માને કે અમે સુખી છીએ, પણ એ તો તેનો મૂઢભાવ છે.
સ્વસમયપણે પરિણમે એ તો સુંદર છે. પણ એના ઠેકાણે પરસમયપણે પરિણમન થયું ત્યાં જ એકમાં બીજી વાત ઊભી થઈ. એક જીવ નામનો સમય, તેને સ્વસમયરૂપ-પરસમયરૂપ દ્વિવિધપણું કેમ હોય? ન જ હોય. બેપણું અનાદિથી પોતે ઊભું કર્યું છે. પોતાના આત્માને છોડીને, શુભરાગ કે અશુભરાગ સાથે એકત્વપણું કર્યું એ બેપણું છે. એ પરસમય છે અને પોતાના શુદ્ધ આત્મા સાથે એકત્વપણે નિર્મળ પરિણમે તે સ્વસમય છે, તે સુંદર છે.
જગતમાં બધા પદાર્થો ભિન્ન ભિન્નપણે પોતાના સ્વરૂપે રહ્યા છે. ત્યારે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે તેને વળી આ બંધપણું શું? માટે (ખરેખર તો) સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે. રાગપણે પરિણમવું અને એમાં ટકવું એવું જે પરસમયપણું એ વિસંવાદ છે, ઝઘડો છે. તેમાં જીવની શોભા, સુંદરતા નથી.
નિશ્ચયથી સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે. બીજી ચીજ સાથે નિમિત્તરૂપે અવસ્થા થવી તે બંધઅવસ્થા છે. તે બંધઅવસ્થાથી જીવમાં વિસંવાદ ખડો થાય છે, અસત્યાર્થપણું ઉત્પન્ન થાય છે. આત્માને રાગ સાથે એકત્વ થતાં, આત્માનું એકપણું કે સુખપણું ઉત્પન્ન થતું નથી; પણ દુઃખપણું ઉત્પન્ન થાય છે. તેથી તે શોભા પામતું નથી. માટે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે, એકમાં એકત્વ થવું એ જ સુંદર છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા-એમાં પર્યાયને વાળતાં આનંદની દશા ઉત્પન્ન થાય છે તે આત્માની શોભા છે. એથી ઊલટું રાગમાં એકત્વ થવું તે આત્માની અશોભા અને દુઃખરૂપ દશા છે.
PDF/HTML Page 74 of 4199
single page version
अथैतदसुलभत्वेन विभाव्यते
एयत्तस्सुवलंभो णवरि ण
હવે તે એકત્વની અસુલભતા બતાવે છેઃ-
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ
ગાથાર્થઃ– [सर्वस्य अपि] સર્વ લોકને [कामभोगबन्धकथा] કામભોગસંબંધી બંધની કથા તો [श्रुतपरिचितानुभूता] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [विभक्तस्य] ભિન્ન આત્માનું [एकत्वस्य उपलम्भः] એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી [केवलं] એક તે [न सुलभः] સુલભ નથી.
ટીકાઃ– આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે) તોપણ, પૂર્વે અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઈન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી
PDF/HTML Page 75 of 4199
single page version
કામભોગનીકથા તો સૌને સુલભ (સુખે પ્રાપ્ત) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (-ઢંકાઈ રહ્યું છે) તે - પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી (-પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થઃ– આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) -એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહી, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્વ થવું એ સુલભ નથી, કેમ કે અનંતકાળથી કર્યું નથી; માટે અસુલભછે એટલે કે દુર્લભ છે એમ હવે ગાથામાં કહે છે. અરે! માણસને ન સમજાય એ મનમાંથી કાઢી નાખવું જોઈએ, કારણકે આત્મા-એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી, સમજે એવી લાયકાતવાળો છે. માટે બુદ્ધિ થોડી, અને અમે ન સમજી શકીએ એ વાત કાઢી નાખવી આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી, પરંતુ યથાર્થ રુચિનું કામ છે.
પ્રવચન નંબર ૧૦–૧૨, તારીખ ૮–૧૨–૭પ થી ૧૦–૧૨–૭પ
સર્વ લોકને કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. જયસેન આચાર્યદેવે કામ, ભોગ અને બંધ એમ ત્રણેની કથા સાંભળવામાં આવી ગઈ છે એમ લીધું છે. કામ એટલે ઈચ્છા અને ભોગ એટલે ઈચ્છાનું ભોગવવું તે; એવા કામભોગની કથા એટલે કે એવા ભાવ સંબંધી બંધની કથા તો અનંતવાર સાંભળવામાં આવી ગઈ છે. અહા! અનંતવાર સાંભળી છે.
PDF/HTML Page 76 of 4199
single page version
જયસેન આચાર્યદેવે સ્પર્શન્દ્રિય અને રસના-ઈન્દ્રિય એ બેના વિષયસેવનને ‘કામ’ માં ગણ્યા છે અને ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને કર્ણેન્દ્રિય એ ત્રણના વિષયોને ભોગમાં લીધા છે. (આ પાંચેમાં અંદરના ભાવની વાત છે). આવી કામભોગની કથા જીવને વારંવાર સાંભળવામાં અને પરિચયમાં આવી ગઈ છે. રાગની -વિકલ્પની જીવને આદત પડી ગઈ છે, અર્થાત્ રાગનો અનુભવ, રાગનું વેદવું અનંતવાર કર્યું છે તેથી તે એને સુલભ છે.
અરેરે! મનુષ્યપણું એને અનંતવાર મળ્યું છે, એ કાંઈ પહેલુવહેલું નથી. જીવ તો અનાદિઅનંત છે ને? એટલે અનંતકાળમાં મનુષ્યપણું તો અનંતવાર મળ્યું છે. એમાં કોઈકવાર તો દયા, દાન, પૂજા આદિના શુભરાગની અને કોઈકવાર હિંસા, જૂઠ, ચોરી આદિના અશુભરાગની-એમ પુણ્ય-પાપના ભાવોની એને આદત પડી ગઈ છે. એટલે કહે છે કે રાગભાવનું થવું અને રાગભાવનું ભોગવવું એ તો અનંતવાર શ્રવણમાં, પરિચયમાં અને અનુભવમાં આવી ચૂકયું છે, તેથી તે સુલભ છે.
પરંતુ, અરે! રાગથી ભિન્ન ભગવાન આત્માનું એકત્વપણું એણે કદી સાંભળ્યું નથી. એટલે કે રાગથી ભિન્ન પડી નિર્મળ પર્યાયથી અંદર જ્ઞાયકની દ્રષ્ટિ કરવી એવું કદીય સાંભળ્યું નથી. આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ રાગથી ભિન્ન છે, તે રાગના લક્ષે જણાય નહીં. પણ રાગની ભિન્ન પડેલી નિર્મળ દશામાં શુદ્ધ આત્મા જણાય છે એવી વાત કદીય સાંભળી નથી, પછી પરિચયમાં અને અનુભવમાં તો ક્યાંથી આવી હોય!
ભગવાન કુંદકુંદાચાર્યદેવ નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતા. આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન કરતા હતા. તે મહાવિદેહમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. સીમંધર એટલે સ્વરૂપની પૂર્ણતાની સીમા ધરનારા ‘સીમંધર નાથ’. તેમની પાસે તે સાક્ષાત્ સદેહે ગયા હતા. ત્યાં કેવળી અને શ્રુતકેવળીની વાણી સાંભળી, તેમણે આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે કે- ભિન્ન આત્માનું એકપણું એટલે કે પરથી ભિન્ન રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવું એકપણું એણે અનંતકાળમાં કદીય સાંભળ્યું નથી. મુનિરાજ પદ્મનંદીએ કહ્યું છે ને કે-
निश्चितं स
અધ્યાત્મની (રાગથી ભિન્ન આત્માની) વાર્તા પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી - રુચિ લાવીને સાંભળી છે તે ભવિષ્યમાં મોક્ષનું ભાજન થાય છે. અહીં કહે છે કે ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મામાં એકપણું માની એકાગ્ર થવું એ એણે કદી સાંભળ્યું નથી. રાગનું અને
PDF/HTML Page 77 of 4199
single page version
પરનું લક્ષ છોડી ધ્રુવસ્વભાવમાં લક્ષ કરવું, શુદ્ધાત્મામાં એકપણારૂપ પરિણમન કરવું એવી વાત કદી સાંભળી નથી તેથી પરિચયમાં અને અનુભવમાં પણ આવી નથી, તેથી તે એકની પ્રાપ્તિ સુલભ નથી.
આવા એક ધ્રુવસ્વભાવને દ્રષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દ્રષ્ટિનો વિષય માને છે તે ભૂલ છે. (દ્રષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે) નિયમસારમાં કહ્યું છે કે અંતઃતત્ત્વસ્વરૂપ ભગવાન આત્મા અને બહિઃતત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે. (તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે તે રાગ છે અને એકપણું (નિજ ધ્રુવસ્વભાવ) તે સમ્યક્દર્શનનો વિષય છે. અહીં કહે છે કે આવી એકપણારૂપ પરિણમનની વાત અનંતકાળમાં સાંભળી જ નથી તેથી તે સુલભ નથી.
આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે તોપણ, પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. અહીં સમસ્ત જીવલોક લીધો છે. એમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં બધાં જ સંસારી પ્રાણીઓ આવી ગયાં. એ બધા જીવોએ, કામ કહેતાં શુભાશુભ ઈચ્છાનું થવું અને ભોગ કહેતાં એનું ભોગવવું-એ સંબંધી વાત-જે એકપણાથી વિરુદ્ધ છે અને આત્માનું અત્યંત બૂરું કરનારી છે તોપણ અનંતવાર સાંભળી છે. અહીં સર્વ જીવલોકમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય એમ સઘળા એકેન્દ્રિય જીવો પણ એમાં આવી ગયા.
બટાટાની એક રાઈ જેટલી કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે, એકેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. કહે છે કે આ નિગોદના જીવોએ પણ રાગની એકતાની વાત (કામભોગની વાત) અનંત વાર સાંભળી છે. પણ એમને તો કાનેય નથી તો કેમ કરી સાંભળી છે? ભાઈ, એ વિકલ્પને અનુભવે છે ને? એકેન્દ્રિયાદિ જીવો કર્ણેન્દ્રિય ન હોવા છતાં અનંતકાળથી રાગ વેદે છે. રાગ સાથે એકતા અનુભવે છે તેથી બંધકથા સાંભળી છે એમ કહેવામાં આવે છે. અનાદિથી કેટલાક જીવો એવાછે કે જે નિગોદમાં પડયા છે અને કદી બહાર નીકળ્યા નથી અને નીકળશે નહીં; એવા જીવોએ પણ રાગના એકત્વની વાત સાંભળી છે એટલે કે રાગનો અનુભવ એકત્વપણે કરી રહ્યા છે અને તેનો જ પરિચય છે.
અહા! આ રાગના એકત્વની બંધકથા વિસંવાદી છે, જીવનું અત્યંત બૂરું કરનારી છે, અકથ્ય દુઃખો આપનારી છે. રાગ વિકલ્પ છે-પુણ્યનો કે પાપનો. એને કરવો
PDF/HTML Page 78 of 4199
single page version
અને ભોગવવો એ જીવને અત્યંત દુઃખદાયક છે, કેમકે એકપણાથી વિરુદ્ધ છે. અરેરે! તો પણ અનાદિકાળથી જીવને તેની જ વાત અનંતવાર સાંભળવામાં આવી છે. ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે, અને ઈન્દ્રિયો તરફના વલણનો ભાવ એ કામભોગસંબંધી કથા છે, -માત્ર દુઃખની કથા છે. એ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવી ગઈ છે. પરંતુ રાગથી ભિન્ન ભગવાન ધ્રુવ ત્રિકાળ છે એનું લક્ષ કરીને વેદન થવું જોઈએ તે વેદન એને કદી આવ્યું નથી.
હવે વિશેષ કહે છે કે કેવો છે આ જીવલોક? ‘સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે.’ જેમ ઘંટીના બે પડની વચ્ચે જે દાણો હોય તે પીસાઈ જાય છે તેમ આ સમસ્ત જીવલોક અનાદિથી સંસારરૂપી ચક્ર કહેતાં પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક્રની મધ્યમાં પીસાઈ રહ્યો છે, દુઃખી દુઃખી થઈ રહ્યો છે.
વળી તેને ‘નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત ભ્રમણ પ્રાપ્ત થયું છે.’ નિરંતરપણે વિકારમાં સ્થિત હોવાથી તેને પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ અનાદિથી છે. દ્રવ્યપરાવર્તન કહેતાં આ જગતમાં જે અનંત અનંત પુદ્ગલ પરમાણુઓ છે તેનો સંબંધ એને અનંતવાર થઈ ચૂક્યો છે. આ શરીરનાં રજકણો માટી (પુદ્ગલ) છે, અને આ પૈસા, ધન, ભવન ઈત્યાદિ (કર્મ નોકર્મ) પણ ધૂળ (પુદ્ગલ) નાં રજકણો છે, કહે છે કે એ બધા પુદ્ગલો અનંતવાર સંબંધમાં આવી ગયા છે. આ ધનસંપત્તિ, રૂપાળું શરીર, ભવન ઈત્યાદિનો સંબંધ એ કાંઈ નવું નથી, અપૂર્વ નથી; એકમાત્ર શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ અપૂર્વ છે. એવાય અનંત પુદ્ગલો છે જે જીવના સંબંધમાં આવ્યા નથી, છતાં તેનું લક્ષ રાગ ઉપર છે તેથી અનંત પરાવર્તનમાં બધાય પુદ્ગલથી સંબંધની લાયકાતવાળો જીવ છે એમ કહ્યું છે.
વળી જીવ નિરંતરપણે અનંત ક્ષેત્રપરાવર્તન કરી ચૂક્યો છે. ચૌદ બ્રહ્માંડનું ક્ષેત્ર છે. તેમાં દરેક પ્રદેશમાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અનાદિની ચીજ છે ને? તેથી દરેક ક્ષેત્રે અનંત વાર પરિભ્રમણ કરી ચૂક્યો છે. ભાવપાહુડમાં આવે છે કે હજારો રાણીઓ છોડી, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પરંતુ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જે આત્મા તેની દ્રષ્ટિ અને અનુભવ કરવાં જોઈએ તે ન કર્યા. એવાં દ્રવ્યલિંગ ધારણ કરી મુનિપણાં લઈને પણ દરેક પ્રદેશે અનંતવાર જન્મ- મરણ કરી ચૂક્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો, મર્યો છે; કોઈ ક્ષેત્ર બાકી નથી. આમ જીવે અનંત ક્ષેત્રપરાવર્તન કર્યાં છે.
વળી જીવે નિરંતરપણે અનંત કાળપરાવર્તન કર્યાં છે. કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગ છે. તે દરેક દશ કોડાકોડી સાગરોપમ છે. એક સાગર અસંખ્ય
PDF/HTML Page 79 of 4199
single page version
અબજ વર્ષોનો થાય છે. આ ઉત્સર્પિણી, અવસર્પિણીકાળના દરેકના પ્રથમ સમયથી માંડી ક્રમશઃ દરેક સમયમાં જીવે જન્મ, મરણ કર્યાં છે. આમ એક એક સમયે જન્મ- મરણ કરતાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અહા! પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન શું છે તેની વાત કદી સાંભળી નથી.
પૈસા, સંપત્તિ વગેરે અનંતવાર આવ્યા અને ગયા. આ મોટા શરાફ, વકીલ અને ડોકટરના ધંધાની વાત એ તો દુઃખની, પીડાની કથા છે. ભાઈ! તેં તારી વાત સાંભળી નથી. સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કહે છે તેની વાત કદી સાંભળી નથી, એ પરમ આનંદનો નાથ છે; પ્રભુ! અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. જેમ સકરકંદ છે, એની લાલ છાલનું લક્ષ છોડી દો તો એ એકલી મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા છે. પુણ્ય અને પાપ એ લાલ છાલ જેવા છે. એ પુણ્ય-પાપ વિનાનો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આ સાંભળ્યું નથી કોઈ દિવસ. જે સાંભળવાનું છે તે ન સાંભળ્યું અને જે સાંભળવાનું નથી તે સાંભળ્યું. અહા! રૂપિયા ક્યાં એના છે, છતાં રૂપિયા મારા છે એ માન્યતા મૂઢની છે. જડ છે તે જીવના ક્યાંથી થાય? જડ છે એને આપે કોણ? રાખે કોણ? અને એની રક્ષા કરે કોણ? એનું આવવું, જવું એ આપમેળે એનાથી છે. એ જડની રક્ષા જડથી થાય છે. એમાં આત્મા શું કરે? આવી વાત કદીય સાંભળી નહીં. તેથી પ્રતિસમય જન્મ-મરણ સહિત અનંત કાળમાં દુઃખથી જ રખડી રહ્યો છે.
વળી જીવ નિરંતરપણે અનંત ભવપરાવર્તન કરી ચૂક્યો છે. મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચના ભવો અનંતવાર થઈ ચૂકયા છે. રાજા, મહારાજા, શેઠ અને કરોડપતિના ભવ અનંતવાર મળ્યા છે, ભાઈ! પણ એ બધા ભિખારાની જેમ હમણાં પણ દુઃખી છે, કેમકે એમને આત્માના આનંદની ખબર નથી. ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહા! દુનિયા મૂર્ખ છે, આત્માને સમજ્યા વિના મૂર્ખ છે. રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મૂર્ખ છે. અરે! અનંત અનંત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે, અને આ કરો ને તે કરો, એમ પુણ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી, અનંત ભવનાં કષ્ટ સહ્યાં છે, ભાઈ! નિગોદનાં દુઃખોની કથા તો કોણ કહી શકે? આ રાગકથા, બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે. વળી જીવને અનંત ભાવપરાવર્તન થયાં છે. શુભ અને અશુભ ભાવરૂપી ભાવપરાવર્તન અનંતવાર થઈ ગયાં છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ શુભભાવ જીવે અનંતવાર કર્યા છે. એકેન્દ્રિયને પણ શુભભાવ હોય છે. આમ દયા, અહિંસા આદિના
PDF/HTML Page 80 of 4199
single page version
શુભભાવ અને રળવું, કમાવું, પરિગ્રહ રાખવો, અને વિષયવાસના આદિ પાપભાવોનું પરાવર્તન જીવે અનંત વાર કર્યું છે. આવા પંચપરાવર્તનરૂપ અનંત પરાવર્તોને લીધે જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થયું છે. તેથી સંસારચક્રના ચક્રાવામાં પીસાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે.
હવે કહે છે કે સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. જેનું રાજ્ય હોય તેનો સિક્કો (ચલણ) તે રાજ્યમાં ચાલે છે. અહીં પરમાત્મા કહે છે કે અકેન્દ્રિયથી માંડીને બધા સંસારી અજ્ઞાની જીવોમાં મિથ્યાત્વરૂપી વિપરીત માન્યતાનો સિક્કો ચાલે છે. મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય વિશ્વમાં ચાલી રહ્યું છે. હજારો રાણી છોડીને નગ્ન દિગંબર સાધુ થયો, પણ અંતરમાં શુદ્ધ જ્ઞાનને ગ્રહ્યું નહીં. મિથ્યા અભિમાન કરીને ભ્રમણાને વશ થયો. એકછત્ર રાજ્યથી વશ કરનાર વિપરીત શ્રદ્ધા અર્થાત્ પરમાં સાવધાનીરૂપ મોટા મોહના ભૂતને આધીન થયો. આ મોહનું ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે.
નવો આખલો હોય તે ગાડાની ધૂંસરી નીચે જલદી આવે નહીં, એને પલોટવો પડે; પણ અભ્યાસ થઈ ગયા પછી બળદ હોય તે ઝટ દઈને ધૂંસરી નીચે દાખલ થઈ જાય છે. તેમ જીવને અનાદિનો અભ્યાસ-આદત થઈ ગયેલ છે. અમારે બૈરાંછોકરાં પાળવાં જોઈએ, અમારે વ્યવહાર પાળવો જોઈએ, ધંધામાં ધ્યાન રાખવું જોઈએ એમ નિરંતર પરસન્મુખ થઈ રાગદ્વેષ કર્યા કરે છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા પ્રત્યે રુચિ કરવાને બદલે અનેક પ્રકારના પુણ્ય-પાપના ભાવોમાં રોકાઈ બળદની જેમ ભાર ઉપાડે છે, રાગ-દ્વેષનો બોજો ઉપાડે છે. વીતરાગી સંતો તેને કરુણા કરી માર્ગ બતાવે છે.
પુણ્ય-પાપના વિકલ્પોની એકતામાં બળદની જેમ મજૂરી કરે છે. પાંચ- પચીસલાખ રૂપિયા (ધૂળ) હોય, તેને મેળવવાની, સાચવવાની, અને આપવા-લેવાની એ બધી મજૂરી છે. મોહરૂપી ભૂત આ બધી મજૂરી કરાવે છે. પાપ કરીને સ્ત્રી-પુત્રને પોષે, છોકરા-છોકરી પરણાવે ઈત્યાદિ. ભાઇ! આ તો વીતરાગી સંતોની વાત. તે જગતને જાહેર કરે છે કે આ મોહરૂપી ભૂત જગત પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે.
વળી તેને જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, તેથી આકળો બનીને મૃગજળ જેવા વિષયગ્રામને ઘેરો ઘાલે છે. મોહવશ, વસ્તુના સ્વરૂપની ભ્રમણાને લીધે, આ જોઈએ અને તે જોઈએ એમ તૃષ્ણારૂપી રોગ તેને થયો છે. આ તૃષ્ણારૂપી રોગથી તે અત્યંત પીડિત છે. આ પીડાનો દાહ તેને બાળે છે. બળતરાનો