PDF/HTML Page 1021 of 4199
single page version
કરે; જેવી રીતે જીવ દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્યવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્યવ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્યવ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.”
પ્રશ્નઃ– તો મડદું કેમ બોલતું નથી?
ઉત્તરઃ– અરે ભાઈ! આ બોલવાની ભાષા છે એ તો જડની પર્યાય છે. જડ પુદ્ગલો વ્યાપ્યવ્યાપક થઈને ભાષાપણે પરિણમે છે, જીવ તેમાં વ્યાપ્યવ્યાપકપણે નથી. અરે ભગવાન! પોતાની પર્યાય સ્વયંસદ્ધિ પોતાથી થાય છે અને પરની પર્યાય પરથી થાય છે એમ જેને નિર્ણય નથી તેને આત્મા સ્વતંત્ર આનંદકંદ પ્રભુ કર્મના ઉદયના સંબંધરહિત છે (અર્થાત્ રાગ રહિત છે) એ કેમ બેસે? દ્રવ્યને નિમિત્તનો સંબંધ નથી; પર્યાયમાં નિમિત્તનો સંબંધ છે. પણ દ્રવ્ય તો તે પર્યાયથી પણ ભિન્ન છે. આવી વાત કાને પણ ભાગ્ય વિના પડતી નથી. આ તો દિવ્યધ્વનિમાં આવેલી પરમ સુખની પ્રાપ્તિની વાત છે.
સમયે સમયે જીવ જીવની પર્યાયથી યુક્ત છે અને જડ જડની પર્યાયથી યુક્ત છે. આત્મા પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે અને પર પદાર્થ પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે. આમ છે તો એકબીજાની પર્યાયને કરી દે એમ હોઈ શકે નહિ.
કર્મ કરે, કર્મ કરે-એમ જૈનમાં પણ મોટી ગડબડ ચાલે છે. પણ પૂજાની જયમાલામાં તો સ્પષ્ટ આવે છે-
જડ કર્મ તેની પોતાની સત્તામાં રહે છે. તે મારી સત્તામાં આવે તો મને નુકશાન કરે. પણ કર્મ મારી સત્તામાં તો આવતાં નથી. અહાહા...! મારી પર્યાયને કર્મનો ઉદય અડતો પણ નથી. એકની સત્તાને બીજાની સત્તા અડતી નથી. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમાત્માએ જોયેલી વાત છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી યુક્ત સ્વયંસિદ્ધ વસ્તુ છે. અરે ભાઈ! કયા સમયે દ્રવ્ય પોતાની અનંત પર્યાયથી યુક્ત નથી?
સંતોએ આગમચક્ષુ કહ્યા છે. આ આંખ છે એ તો જડ છે. સર્વ જીવ ઈન્દ્રિયચક્ષુ છે, ભગવાન કેવળી જ્ઞાનચક્ષુ છે અને છદ્મસ્થ જ્ઞાની આગમચક્ષુ છે. ભાઈ! આ ઇન્દ્રિયપ્રત્યક્ષની ચીજ નથી.
અહીં દ્રવ્યથી પર્યાય ભિન્ન છે એ વાત નથી. દ્રવ્યની પર્યાય દ્રવ્ય પોતે કરે છે,
PDF/HTML Page 1022 of 4199
single page version
પર નિમિત્ત નહિ -એમ અહીં સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો પર્યાય દ્રવ્યથી ભિન્ન છે. પરમાત્મપ્રકાશની ગાથા ૬૮ માં કહ્યું છે કે જીવ બંધ અને મોક્ષની પર્યાયને કરતો નથી. પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. અહાહા...! જે (જ્ઞાનની) પર્યાય દ્રવ્યને જાણે તે પર્યાય દ્રવ્યમાં જતી નથી અને દ્રવ્ય પર્યાયમાં જતું નથી. પર્યાય લોકાલોકને જાણે પણ તે પર્યાય લોકાલોકમાં જતી નથી અને લોકાલોક પર્યાયમાં પેસતા નથી, આવી જ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. આમ પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતે પોતાથી જ થાય છે.
અહીં દ્રવ્ય-પર્યાયની ભિન્નતાની વાત નથી. અહીં તો એટલું સિદ્ધ કરવું છે કે પોતાની પર્યાયમાં વ્યાપ્યવ્યાપકપણે આત્મા છે અને જડની પર્યાયમાં વ્યાપ્યવ્યાપકપણે જડ છે. અહીં તો બે દ્રવ્યોના ભેદની વાત છે. આત્મા પોતાના પરિણામને કરે અને પરના પરિણામને પણ કરે એમ નથી. લોકો કહે છે કે એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ. એમ જીવ પોતાના વિકારને પણ કરે અને પરનું કાર્ય પણ કરે એમ છે નહિ. વિકારી પર્યાય વિકારરૂપ પોતાથી છે, પરથી નથી. પરવસ્તુ આત્માની પર્યાયને કરે, અશુદ્ધતાને કરે એવું જાણપણું અજ્ઞાન છે અને આત્મા પરનું કાર્ય કરે એમ જાણવું એ પણ અજ્ઞાન છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનની હીણી પર્યાય થાય એમ છે નહિ; કેમકે જ્ઞાનાવરણીય કર્મ પરદ્રવ્ય છે અને જ્ઞાનની હીણી દશા જીવમાં પોતામાં પોતાથી થાય છે. અહીં સિદ્ધાંત કહે છે કે-‘બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.’ વિકારી પર્યાયનું સત્ત્વ પોતાથી છે. જો એમ ન હોય તો એક સમયની પર્યાયનો લોપ થઈ જાય અને તો દ્રવ્યનો પણ લોપ થઈ જાય, દ્રવ્ય સિદ્ધ ન થાય.
એક સમયની પર્યાય ચાહે તો મિથ્યાત્વની હો, રાગદ્વેષની હો કે વિષયવાસનાની હો-તે પર્યાય જો જડકર્મથી થાય તો તે પર્યાયની સત્તા પરથી થઈ. તો પર્યાયની સત્તાનો લોપ થઈ ગયો. પર્યાયનો લોપ થતાં દ્રવ્ય પણ સિદ્ધ ન થયું. આમ સર્વદ્રવ્યોનો લોપ થઈ જાય. અરે ભાઈ! ત્રણ કાળની પર્યાયોનો પિંડ અને અનંત ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. માટે પોતાની પર્યાય પોતાથી થાય, પરથી ન થાય એમ સિદ્ધ થાય છે અને તે યથાર્થ છે.
વિકાર છે તે એક સમયનું સત્ છે, મિથ્યાત્વ ઉત્પન્ન થાય તે પણ તે સમયનું સત્ છે. તે જો દર્શનમોહનીય કર્મથી થાય એમ માને તો પર્યાયની સ્વતંત્રતાનો નાશ થઈ જાય, તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય. આમ સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.
ફરી આ અર્થેને દ્રઢ કરે છેઃ-
‘एकस्य हि द्वौ कर्तारो न स्तः’ એક દ્રવ્યના બે કર્તા ન હોય. એટલે કે એક
PDF/HTML Page 1023 of 4199
single page version
દ્રવ્યની પરિણતિના બે કર્તા ન હોય. દ્રવ્યની પરિણતિ તે વસ્તુ છે અને દ્રવ્ય પણ વસ્તુ છે. દ્રવ્યની વિકારી પર્યાય પણ વસ્તુ છે; તે વિકાર અવસ્તુ નથી. પર્યાય પણ પર્યાયપણે વસ્તુ છે. આત્માની અશુદ્ધ પરિણતિ આત્મા પણ કરે અને જડકર્મ પણ કરે-એમ એક પરિણતિના બે કર્તા ન હોય. ભાષાની પરિણતિને ભાષાવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ હોતું નથી એમ અહીં કહે છે.
‘च’ વળી ‘एकस्य द्वे कर्मणी न’ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. વિકારી પરિણામ પણ જીવનું કર્મ અને જડકર્મનો જે બંધ થાય એ પણ જીવનું કર્મ એમ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. જડકર્મના ઉદયની પર્યાય થઈ તે પુદ્ગલનું કર્મ અને જીવમાં જે વિકારી પરિણામ થયા તે પણ પુદ્ગલનું કર્મ એમ એક દ્રવ્ય બે દ્રવ્યોનાં કાર્ય ન કરે. કેટલી સ્પષ્ટતા કરી છે! જીવ બોલવાનો રાગ પણ કરે અને બોલવાની ભાષા પણ કરે એમ એક દ્રવ્ય બે કાર્ય ન કરે એમ સિદ્ધાંત કહે છે.
કેટલાક અત્યારે એમ કહે છે કે વિકાર પરથી થાય છે, પોતાથી નહિ-એમ ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે! લોકોને સત્ય મળ્યું જ નથી ત્યાં શું થાય? ભાઈ! આ તો પ્રભુનો માર્ગ શૂરાનો છે, કાયરનું કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે-
વિકાર પર કરાવે, મારા પુરુષાર્થના દોષથી ન થાય-એમ જે માને તે કાયર છે કેમકે એને પુરુષાર્થ જ જાગ્રત નહિ થાય. તે અજ્ઞાની કાયર છે. અહીં કહે છે કે એક દ્રવ્યનાં બે કર્મ એટલે કાર્ય ન હોય. જડ કર્મ પોતાનું પણ કાર્ય કરે અને જીવના વિકારનું કાર્ય પણ કરે-એમ ન હોય. અરે પ્રભુ! સમજ્યા વિના ‘જય ભગવાન, જય ભગવાન’ કરે પણ એ માર્ગ નથી. તથા આ બહારની પંડિતાઈનો માર્ગ નથી. આ તો વસ્તુના સ્વરૂપની યથાર્થ દ્રષ્ટિ કરવાનો માર્ગ છે. ખરેખર તો જે સમ્યગ્દ્રષ્ટિ છે તે જ પંડિત છે; સ્વામી કાર્તિકેયે પણ એમ કહ્યું છે.
‘च’ અને ‘एकस्य द्वे क्रिये न’ એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પૂર્વની પર્યાય પલટીને આત્મા વિકારરૂપે થાય અને જડકર્મરૂપે પણ થાય એમ એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી. ‘यतः’ કારણ કે ‘एकम् अनेकम् न स्यात्’ એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. કેટલું સ્પષ્ટ કર્યું છે! પોતાની પર્યાય પરદ્રવ્યરૂપ ન થાય અને પરદ્રવ્યની પર્યાય પોતાની પર્યાયરૂપ અર્થાત્ જીવરૂપ ન થાય. એક દ્રવ્ય અનેક દ્રવ્યની પરિણતિને ન કરે એમ કહે છે.
પ્રત્યેક દ્રવ્યની પર્યાય એક પછી એક નિયમસર થવાની હોય તે જ થાય છે. નિર્વિકારી પર્યાય પણ પોતાથી એક પછી એક ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે. સર્વ-
PDF/HTML Page 1024 of 4199
single page version
વિશુદ્ધજ્ઞાન અધિકારમાં (ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં) ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. એક દ્રવ્યની પરિણતિ બીજા દ્રવ્યની પરિણતિરૂપ ન થાય. બીજા દ્રવ્યની પરિણતિ પોતાના દ્રવ્યરૂપ ન થાય.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એવો પાઠ છે કે-જડ કર્મની કોઈ અચિંત્ય શક્તિ છે કે તે કેવળજ્ઞાનને રોકે છે. એ તો પુદ્ગલમાં ઉત્કૃષ્ટ પરિણમન કેવું થાય એની ત્યાં વાત કરી છે. ત્યાં ઉપકારનું-નિમિત્તનું પ્રકરણ છે. એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ નથી તેને કેવળજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે.
વળી કોઈ એમ કહે કે વિકાર થવામાં પ૦ ટકા આત્માનો અપરાધ અને પ૦ ટકા કર્મનો અપરાધ છે-તો એમ નથી. સો એ સો ટકા આત્મા પોતાના વિકારનો કર્તા છે, અને નિમિત્તનું એમાં કાંઈ કર્તવ્ય નથી, એક ટકો પણ નહિ. આત્માના સો ટકા આત્મામાં, અને નિમિત્તના સો ટકા નિમિત્તમાં છે, કેમકે તેમનો એકબીજામાં અભાવ છે. જીવની વિકારી પર્યાય થાય એમાં કર્મની પર્યાયનો અભાવ છે અને કર્મના ઉદયમાં જીવના વિકારી પરિણામનો અભાવ છે. એકબીજામાં અભાવ હોય તો જ ભિન્ન રહી શકે.
અહો! દિગંબર આચાર્યોએ અજબ-ગજબનું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રસ્વામીએ કેવા કળશ રચ્યા છે! લોકોએ પોતાની દ્રષ્ટિ (અભિપ્રાય) છોડીને શાસ્ત્ર શું કહે છે તે તરફ પોતાની દ્રષ્ટિ લગાવવી જોઈએ.
પ્રશ્નઃ– વિકાર કર્મજનિત છે એમ શાસ્ત્રમાં ઠેકઠેકાણે આવે છે ને?
ઉત્તરઃ– હા, પણ એ તો વિભાવ પોતાનો (ચૈતન્યમય) સ્વભાવ નથી અને નિમિત્તાધીન થવાથી થાય છે એ અપેક્ષાએ એને કર્મજનિત કહ્યો છે. સ્વભાવજનિત નથી માટે વિકારને કર્મજનિત કહ્યો છે, પણ કર્મ છે તે પલટીને જીવના વિકારરૂપ પરિણમ્યું છે એમ નથી, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
‘આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો.’
જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રોકે એ તો વ્યવહારનયનું કથન છે. એટલે શું? એટલે એમ છે નહિ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહેવામાં આવ્યું છે. અરે! લોકોને આવો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પરંતુ આ મનુષ્યભવમાં કરવા જેવું આ જ છે. યથાર્થ નિર્ણય ન કર્યો તો ભાઈ! અહીંથી છૂટીને કયાં જઈશ? ચોરાસીના ચક્કરમાં ગોથાં ખાઈશ. ભાઈ! એકવાર ભૂતાર્થદ્રષ્ટિથી મિથ્યાત્વને છેદીને સમકિત પ્રગટ કર. આ જ કરવા યોગ્ય છે.
અરે ભાઈ! મારી પર્યાય પર કરે અને પરની પર્યાય હું કરું એ તારી મોટી
PDF/HTML Page 1025 of 4199
single page version
ભ્રમણા છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એટલે નિશ્ચયથી આ વસ્તુસ્થિતિ કહી એટલે વ્યવહારથી બીજું (અન્યથા) કથન છે એમ આવી ગયું. નિશ્ચયથી કહ્યું તે સત્યાર્થ છે એમ નિર્ણય કરવો અને વ્યવહારનયથી કહ્યું હોય તે એમ નથી પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે, એમ સમજવું. જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાય એ તો કથનશૈલી છે. કથન બે પ્રકારે છે, વસ્તુ તો એક જ છે. વ્યવહારના કથનને એમ જ (જેમ લખ્યું હોય તેમ જ) માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે-“વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે.” વળી ત્યાં કહ્યું છે કે સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ વ્યવહારને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, પણ એમ છે નહિ. (ખરેખર વ્યવહાર મોક્ષમાર્ગ તે મોક્ષમાર્ગ નથી.) મોક્ષમાર્ગ બે માનવા તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેને ઉપાદેય માને તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપનું નિરૂપણ કરતો નથી, પણ કોઈ અપેક્ષાથી નિરૂપણ કરે છે.
શુદ્ધનય ભૂતાર્થ છે. જેવી વસ્તુની સ્થિતિ હોય તેવું નિરૂપણ કરે છે. પંડિત શ્રી ટોડરમલજીને આચાર્યકલ્પ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રનાં રહસ્ય ખોલીને મોક્ષમાર્ગ-પ્રકાશકમાં ભરી દીધાં છે. અહીં કહે છે-શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. આનાથી વિરુદ્ધ તે અનિયમ છે. જેને સમ્યગ્દર્શન થાય તે સ્વાશ્રયથી-નિશ્ચયથી થાય, વ્યવહારથી કે પરથી ન થાય એ નિયમ છે, આ સિદ્ધાંત છે.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે. તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે-એમ હવે કહે છેઃ-
‘इह’ આ જગતમાં ‘मोहिनाम्’ મોહી (અજ્ઞાની) જીવોનો ‘परं अहं कुर्वे’ પરદ્રવ્યને હું કરું છું ‘इति महाहंकाररूपं तमः’ એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર-‘ननु उच्चकैः दुर्वारं’ કે જે અત્યંત દુર્નિવાર છે તે-‘आसंसारतः एव धावति’ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. શું કહે છે? હું દેશની સેવા કરું છું, પરની દયા પાળું છું, પરને સુખી કરું છું, પરને મારી શકું છું અને બચાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે અજ્ઞાનીઓને પરદ્રવ્યના કર્તાપણાનો અહંકાર છે, પણ તે અજ્ઞાન છે. કુંભાર કહે કે ઘડાની પર્યાય મારાથી થઈ, બાઈ કહે કે દાળ-ભાત આદિ રસોઈ મેં કરી, ગુમાસ્તો કહે કે મેં સારા અક્ષરે નામું લખ્યું અને શેઠ કહે કે મેં વેપાર કર્યો-આ પ્રમાણે પરદ્રવ્યની ક્રિયાનો પોતાને કર્તા માને તે બધા અહંકારરૂપ અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા મિથ્યાદ્રષ્ટિ છે.
PDF/HTML Page 1026 of 4199
single page version
આવો માર્ગ શ્રી સીમંધર ભગવાને ધર્મસભામાં કહ્યો છે અને તે જ માર્ગ શ્રી કુંદકુંદાચાર્ય અહીં લાવ્યા છે. અજ્ઞાની માને કે ‘परं अहं कुर्वे’ પર દ્રવ્યને હું કરું છું. પણ પરદ્રવ્યને કોણ કરે? પરદ્રવ્યનો અર્થ અહીં પરદ્રવ્યની પર્યાય કરવો. અહાહા...! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાને હું કરું છું એમ જે માને છે તે અહંકારી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ છે. હું બીજાઓને સુંદર વક્તવ્ય-વ્યાખ્યાન વડે સમજાવી દઉં એમ અજ્ઞાની માને છે. બીજાને કોણ સમજાવી દે? અરે ભાઈ! ભાષા તો જડ છે. તે જડના પોતાના કારણે થાય છે. જીભ, હોઠ આદિ હલે તે પોતાના કારણે હલે છે, તે આત્માના વિકલ્પને કારણે હલે છે એમ નથી. ભાષા જે શબ્દનો વિકાર છે તે તો પોતાના કારણે પોતે ભાષારૂપ થાય છે. અને સમજનાર પણ પોતે પોતાની યોગ્યતાથી પોતાના કારણે સમજે છે. આવું જ વસ્તુસ્વરૂપ છે. આ મોટાં કારખાનાં ચાલે તે સમયે તે તે પુદ્ગલોની જે પર્યાય થવા યોગ્ય હોય તે પુદ્ગલોથી થાય છે. ત્યાં બીજો કોઈ (ઉદ્યોગપતિ આદિ) એમ કહે કે મારાથી કારખાનાં ચાલે છે તો તે પરદ્રવ્યના કર્તાપણાના અહંકારરસથી ભરેલો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યના કર્તાપણાનો મહા અહંકાર છે અને તે અજ્ઞાન છે. આવું અજ્ઞાન તેમને અનાદિ સંસારથી ચાલ્યું આવે છે અને તે દુર્નિવાર છે, ટાળવું મહા કઠણ છે. આ અજ્ઞાન મહા પુરુષાર્થ વડે જ ટાળી શકાય એમ છે.
હવે કહે છે-‘अहो’ અહો! ‘भूतार्थपरिग्रहेण’ પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી ‘यदि’ જો ‘तत् एकवारं विलयं व्रजेत्’ તે એક વાર પણ નાશ પામે ‘तत्’ તો ‘ज्ञानघनस्य आत्मनः’ જ્ઞાનઘન આત્માને ‘भूयः’ ફરીથી ‘बन्धनम् किं भवेत्’ બંધન કેમ થાય? જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને તે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.
હું પરદ્રવ્યની ક્રિયાને કરું છું એવું મોહી જીવોને અનાદિ સંસારથી અજ્ઞાન ચાલ્યું આવે છે. અનાદિ સંસાર એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પરાવર્તન જીવને અનાદિથી છે. શુભાશુભભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે. પણ તે અજ્ઞાન છે. આ અજ્ઞાન અત્યંત દુર્નિવાર છે. રાગને ઘટાડી મંદરાગપણે વા શુભરાગ રૂપે પરિણમવું એ તો સહેલી વાત છે. એવા શુભભાવ એણે અનંતવાર કર્યા છે. પણ સમ્યગ્દર્શન પામવા માટે શુભરાગ કાંઈ વસ્તુ નથી. ભાઈ! આ તો ધર્મની પહેલી સીડીની વાત છે. અહીં કહે છે કે ‘भूतार्थपरिग्रहेण’-અહો! પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? કદી ન થાય.
PDF/HTML Page 1027 of 4199
single page version
ભૂતાર્થ નામ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવરૂપ શુદ્ધ ચૈતન્યમય વસ્તુ. અહાહા! તેનો સમસ્ત પ્રકારે એકવાર અનુભવ કરે તો મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. સમયસારની ૧૧મી ગાથા જૈનશાસનનો પ્રાણ છે. ત્યાં પણ એમ કહ્યું છે કે ‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’–ભૂતાર્થ નામ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. અહાહા...! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વયંજ્યોતિ સુખધામ અંદર પર્યાય વિનાની પોતાની ચીજ પડેલી છે. તેનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં તેનો અનુભવ થાય છે તે સમ્યગ્દર્શન છે. તે ધર્મનું પ્રથમ પગથિયું છે. આ સિવાય બીજા બધા ક્રિયાના વિકલ્પો ફોક છે, નિરર્થક છે.
‘ભૂતાર્થપરિગ્રહેણ’-આને માટે પરમાર્થનય શબ્દ કહ્યો છે. ભૂતાર્થ નામ પરમાર્થનય. પરમાર્થ એટલે-પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી એવો જે અર્થ એટલે પદાર્થ. અહાહા...! ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે ભગવાન આત્મા તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કહ્યો છે. લૌકિકમાં તો પરનું કાંઈક કરે તેને પરમાર્થ કહે છે. અહીં તો પરનું કરે એને તો અજ્ઞાન કહ્યું છે. હું દાન આપું, હું આહાર આપું, હું કપડાં આપું, હું બીજાને સુખી કરું એવો પરની ક્રિયા કરવાનો ભાવ છે તે અહંકાર છે અને તે મિથ્યાત્વ છે, પરમાર્થ નથી. ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા પરમાર્થ છે, ભૂતાર્થ છે.
ભગવાન ત્રિલોકનાથ ભૂતાર્થ પદાર્થ છે. પ્રભુ! આ અલૌકિક ચીજ છે! એક સમયમાં ભૂતાર્થ-છતી ચીજ, પલટાતી પર્યાય વિનાની ચીજ એવી ત્રિકાળી એકરૂપ ચીજ તેને અહીં ભૂતાર્થ કહી છે. અહીં ભૂતાર્થપરિગ્રહેણ-એમ જે કહ્યું છે એના માટે ચાર શબ્દ કહ્યા છે. ભૂતાર્થ એક, પરમાર્થનય બે, શુદ્ધ દ્રવ્યના અનુભવનું જેમાં પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય ત્રણ અને અભેદનય ચાર. અહાહા! અભેદ એકરૂપ ત્રિકાળી નિત્યાનંદ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ સદ્રશસ્વભાવ જે પ્રત્યેક પર્યાયમાં અન્વયરૂપ રહે તે સદા એકરૂપ ચીજને અહીં અભેદનય કહેલ છે. પર્યાયબુદ્ધિ છોડીને ત્રિકાળી છતા પદાર્થનો અનુભવ કરવાનું અહીં કહેલું છે, કેમકે પરમાર્થરૂપ ભૂતાર્થનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અરે ભાઈ! પાંચ પરાવર્તનરૂપ સંસારમાં શુભાશુભભાવરૂપ પરાવર્તન તું અનંતવાર કરી ચૂકયો છે. શુભભાવ તો તું અનાદિ સંસારથી કરતો આવ્યો છું અને મેં શુભભાવ કર્યા એવા અહંકારરૂપે જ તું પરિણમ્યો છું. ભગવાન! અંદર પંચપરાવર્તનના ભાવથી ભિન્ન તારી ચીજ શુદ્ધ જ્ઞાયકભાવે પડી છે તેનો આશ્રય કર. કેમકે તે વડે સમ્યગ્દર્શન થાય છે.
ભગવાનનો માર્ગ અતિ સુક્ષ્મ છે. લોકો તો બાહ્ય શુભભાવમાં અને પરદ્રવ્યની ક્રિયામાં અનાદિકાળથી અહંપણું કરી રહ્યા છે. પોતાની જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ ‘अहम्’ તે બાજુ પર રહી ગઈ છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે ‘अहम्’–હું એવો
PDF/HTML Page 1028 of 4199
single page version
અનુભવ રહી ગયો છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ બાળગોપાળ સર્વમાં બિરાજે છે. બાળગોપાળ તો દેહની અવસ્થા છે, પણ અંદર જ્ઞાયક પ્રભુ ત્રિકાળ છતી ચીજ બિરાજે છે. તે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી તેથી તે પોતાને માનતો નથી, તેને અનાદિથી રાગનું જ, શુભાશુભભાવનું પરિગ્રહણ છે. અહીં કહે છે કે ભાઈ! રાગનું ગ્રહણ તો અનંતવાર કર્યું, પણ એ તો અભૂતાર્થ ચીજ છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે. એ ભૂતાર્થના પરિગ્રહથી- આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે.
ચોથી ગાથામાં કહ્યું છે કે-રાગની કથા, બંધનની કથા તો અનંતવાર સાંભળી છે, એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. અહીં કહે છે કે ભગવાન! એક વાર ગુલાંટ ખા. પ્રભુ! એક વાર પલટો ખા. ભૂતાર્થને પકડીને ભૂતાર્થનો અનુભવ કર. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે, અને તે ભૂતાર્થનય છે. અરે ભાઈ! આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવ ન કર્યો તો જિંદગી એમ ને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે.
કોઈ કહે છે કે દિગંબર છે તેને સમકિત તો છે, ભેદજ્ઞાન તો છે. હવે વ્રત ધારણ કરે તો ચારિત્ર થઈ જાય. એમ ન હોય પ્રભુ! લોકોને નિશ્ચય સમકિતની ખબર નથી અને બહારની તત્ત્વાર્થ-શ્રદ્ધા, વ્યવહાર-શ્રદ્ધાના રાગને ધર્મ માને છે. પણ માર્ગ એમ નથી, ભાઈ! ઊંધું માનવામાં તો આત્માની છેતરપીંડી છે. પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માનો જ્યાં અનુભવ નથી ત્યાં જે ક્રિયાકાંડ છે તે બધો અજ્ઞાનભાવ છે, સંસારભાવ છે. બહારથી ઉપવાસાદિ કરે પણ એ બધાં બાળતપ છે. આવી ક્રિયા તો અનંતકાળમાં જીવે અનંતવાર કરી, પણ મિથ્યાત્વ ટળ્યું નહિ તો શું કર્યું? આવી વાત આકરી લાગે પણ શું થાય? આચાર્યદેવ કહે છે કે એકવાર ભૂતાર્થ પદાર્થ તારી પરમાર્થ ત્રિકાળી ધ્રુવ વસ્તુનો અનુભવ કર.
કળશટીકામાં આવે છે કે પઠનપાઠન, પંચપરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન, સ્તુતિ ઇત્યાદિ બધું તો જીવે અનંતવાર કર્યું છે. લોકોને બિચારાઓને અભ્યાસ નહિ; ઉપરથી થોડું સાંભળી લે, નિર્ણય કરે નહિ અને અહોનિશ વેપારધંધા ઇત્યાદિ અશુભમાં વ્યર્થ સમય ગાળે. પણ ભાઈ! તું કયાં જઈશ એ વિચારતો નથી! ત્યાં રળવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અધિક આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા માથે અનંત સંસારની ડાંગ ઊભેલી જ છે.
જો ગુલાંટ ખાય તો એક ક્ષણમાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ (કળશ ૩૪માં) કહ્યું છે કે-છ માસ અભ્યાસ કર. એક-
PDF/HTML Page 1029 of 4199
single page version
વાર લગની લગાડ; તને તત્ત્વની ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. છ માસ લગાતાર પ્રયત્ન કર. જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય અને તેને કોઈ પૂછે કે-તારું નામ શું? તારું ઘર કયું? તારી શેરી કઈ? તો બાળક કહે કે ‘મારી બા’. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે. તેમ પ્રભુ! તને અનંતકાળથી આત્માનો વિરહ છે. અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભાઈ! સઘળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે, કેમકે ભગવાન અમૃતસ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડી તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા, ત્યાં જા.
શાસ્ત્રમાં આવે છે કે-જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે અને આત્મા દૂર છે. પરમાત્મપ્રકાશ દોહા ૩૬માં આવે છે કે જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાનીને આત્મા હેય છે અને જ્ઞાનીને રાગ હેય છે અને ત્રિકાળી શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ઉપાદેય છે. અરે ભગવાન! તારી બલિહારી છે, પણ તારી તને ખબર નથી. આ બહારની લક્ષ્મી, આબરૂ, વિષય, વાસના, વગેરે ભાવ તો પાપભાવ છે. અને પઠન, પાઠન, સ્તુતિ, ભક્તિ વગેરે જે શુભભાવ આવે તેને પણ ભગવાન ઝેર કહે છે. એ ઝેરથી અમૃતની-આત્માની પ્રાપ્તિ નહિ થાય. ભગવાનનો આ માર્ગ છે; લોકોએ તેને બગાડી નાખ્યો છે. કળશ ૧૮૯માં કહ્યું છે કે-‘विषं एत प्रणीतं’–શુભક્રિયારૂપ વિકલ્પો વિષ છે. અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એકનો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૂતાર્થ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે.
મેરુ પર્વતથી ઉપર પ્રથમ સ્વર્ગ સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તે સ્વર્ગનો સ્વામી શક્ર-ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. તે હવે પછી મનુષ્યનો દેહ પામી કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષપદ પામશે. તેની સ્ત્રી ઇન્દ્રાણી-શચી છે. તે જન્મી ત્યારે મિથ્યાદ્રષ્ટિ હતી કેમકે સમકિત હોય તો સ્ત્રી પર્યાયમાં જન્મે નહિ. ઉપજે ત્યારે મિથ્યાત્વસહિત હોય છે, પછી સમકિતને પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્રાણી પણ એક ભવ કરીને મોક્ષ પામશે. અન્ય સંપ્રદાયમાં મલ્લિનાથને સ્ત્રી પર્યાય ઠરાવી છે તે જૂઠું છે. સ્ત્રી પર્યાયમાં મોક્ષ માને તે બધું કલ્પિત છે. અહા! સંપ્રદાયમાંથી નીકળવું લોકોને કઠણ પડે અને તેમાંથી નીકળે તો શુભભાવમાંથી નીકળવું કઠણ પડે. અહીં તો કહે છે કે-ભૂતાર્થ શુદ્ધ ચિદ્રૂપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ! ત્રિકાળી શુદ્ધ ધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ
PDF/HTML Page 1030 of 4199
single page version
ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૂતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય.
દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. છતાં દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. અહીં કહે છે કે સર્વ વિકલ્પોને છોડી દે અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એકવાર અનુભવ કર. અરે ભાઈ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેના અનુભવથી સમ્યગ્દર્શન થાય છે. એ સિવાય બહારથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવતત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી.
કળશટીકામાં છઠ્ઠા કળશમાં કહ્યું છે કે – “इमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वा” – જીવ- અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના અનાદિ સંબંધને છોડીને જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. ભાવાર્થ આમ છે-સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. નવતત્ત્વના ભેદવાળી દ્રષ્ટિ એ મિથ્યાત્વ છે.
‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’–સૂત્રમાં એકવચન છે. ત્યાં અભેદની વાત છે. ભૂતાર્થનું ગ્રહણ કરવાથી નવતત્ત્વની પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. અથવા ભૂતાર્થની શ્રદ્ધા કરવાથી આ ત્રિકાળી ચીજ તે ભૂતાર્થ છે અને સંવર આદિ નવતત્ત્વ છે તે એમાં નથી એવું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થાય છે અને તે સમ્યગ્દર્શન છે.
અહો! ભૂતાર્થ એટલે પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે (અજ્ઞાન) એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? એકવાર પણ સ્વસન્મુખપણે અંતર્દ્રષ્ટિ થઈ પછી તેનો નાશ થતો નથી. દ્રવ્યનો નાશ થાય તો દ્રષ્ટિની પર્યાયનો નાશ થાય. પણ દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાનઘન સદા મોજુદ છે. તેથી અનુભવની દ્રષ્ટિનો નાશ થતો નથી. કેટલી જોરદાર દ્રઢતાથી વાત કરી છે. (સમ્યગ્દર્શન) પડી જાય એ વાત અહીં લીધી નથી. આ તો વીરની વાતો છે. ત્યાં કાયરનું કામ નથી. કહ્યું છે ને કે-
એ ઊભા ખડ સૂકશે, નહિ ચરશે હરણ.
સમકિતી સિંહ જે માર્ગે વિચર્યા અને તેની જે વાણી આવી તે, આ એકાંત છે એવાં ભય અને શંકા જેને લાગે તે કાયર નહિ સ્વીકારે. બાપુ! આ વીતરાગની વાણી સાંભળવા મળે એ મહાભાગ્ય હોય તો મળે છે અને ધીર-વીરને તે પચે છે.
અહીં કહે છે-ભૂતાર્થનો અનુભવ કરતાં એક વાર મિથ્યાત્વનો નાશ થાય તો જ્ઞાનઘન આત્માને ફરીથી બંધ કેમ થઈ શકે? આવી આ અપ્રતિહત સમ્યગ્દર્શનની વાત
PDF/HTML Page 1031 of 4199
single page version
છે. આચાર્યદેવ છે તો છદ્મસ્થદશામાં પણ જોરદાર વાત કરી છે. આ પંચમ આરાના મુનિનું કથન છે. અમૃતચંદ્રદેવે હજાર વર્ષ પહેલાં આ વાત કરી છે. આત્માને પંચમ આરાથી શું સંબંધ છે? બહુ ઊંચી વાત કરી છે. એક તો ભૂતાર્થના પરિગ્રહની વાત કરી અને બીજી વાત એ કરી કે એકવાર મિથ્યાત્વનો નાશ થાય પછી મોહ ફરીથી ઉત્પન્ન નહિ થાય, ફરી બંધન નહિ થાય. ચારિત્રના દોષનો થોડો બંધ છે પણ તે મુખ્ય નથી. અલ્પ સ્થિતિ-રસ પડે છે તેને બંધ ગણવામાં આવ્યો નથી.
પ્રભુ! તું જેમાં ઉદયભાવનો પ્રવેશ નથી એવો જ્ઞાનઘન આત્મા છો. એનું એકવાર યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય. અહાહા...! અપ્રતિહત ક્ષયોપશમ સમકિત છે તે ક્ષાયિક સમકિત સાથે જોડાઈ જશે. અહીં પડવાની વાત કરી નથી. જે ચડયા તે પડે કેવી રીતે? ભગવાન ચિદાનંદ પર આરૂઢ થયા તે કેમ પડે? અરે! આ તો વીરોનો વીરપંથ છે. કાયરનાં અહીં કામ નથી. કોઈ પડી જાય તો? અરે! અહીં પડવાની કયાં માંડી?
મીરાબાઈના નાટકમાં વૈરાગ્યનું દ્રશ્ય આવે છે. રાણો કહે છે કે મીરાં! તું મારા રાજ્યમાં આવ, તને પટ્ટરાણી બનાવું. ત્યારે જવાબમાં મીરાં કહે છે-
અહા! આવું દ્રશ્ય જોઈને વૈરાગ્યની ધૂન ચઢી જતી. એમ ધર્મી જીવ કહે છે કે-
અમે ભગવાન આત્માની પ્રતીતિ કરી છે, હવે અમારે બીજાનો પ્રેમ ન હોય.
સીતાજીનું અપહરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો. પછી ત્યાં બગીચામાં સીતાજીને મનાવવા જાય છે. ત્યારે સીતાજી રાવણને કહે છે-રામચંદ્ર સિવાય સ્વપ્ને પણ અમને બીજો પતિ ન હોય. રાવણ! દૂર ઉભો રહેજે; નહિતર સતીના મુખમાંથી નીકળેલાં વચન તને ભસ્મ કરી દેશે. હું તો પતિવ્રતા સ્ત્રી છું. બીજાનું લક્ષ અમને સ્વપ્ને પણ ન હોય. એમ અહીં ધર્મી કહે છે કે અમને એકવાર ભેદજ્ઞાન થયું છે. હવે અમે પડવાના નથી. ફરીને અમને બંધ નહિ થાય. અહાહા...! જગતને ઉપદેશ આપતા આચાર્યદેવ કેટલા જોરથી વાત કરે છે!
એકવાર સમ્યગ્જ્ઞાન પ્રગટ થયા પછી અજ્ઞાન કેમ આવે? અને ફરી બંધ કયાંથી થાય? કદી ન થાય.
PDF/HTML Page 1032 of 4199
single page version
‘અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે. પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું.’
પોતાના ત્રિકાળી સ્વભાવને ભૂલીને રાગ અને પરવસ્તુ મારાં છે અને હું તેનો કર્તા છું એવું મોહરૂપી અજ્ઞાન અનાદિનું છે. આમ તો અજ્ઞાન એક એક સમયનું છે. બીજા સમયે બીજું, ત્રીજા સમયે ત્રીજું એમ પરંપરાથી પ્રવાહરૂપે અજ્ઞાન અનાદિનું છે. અજ્ઞાનની પર્યાયનો પ્રવાહ અનાદિથી છે તેથી અજ્ઞાન અનાદિનું કહ્યું છે. એવી પર્યાયને ગ્રહણ કરવી તે પર્યાયબુદ્ધિ છે. આ પર્યાયબુદ્ધિનો ત્યાગ કરીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યનું ગ્રહણ કરવું તે જૈનધર્મ છે. જૈનધર્મ છે તે પર્યાય છે પણ તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે-અને તેને પરમાર્થનયનું ગ્રહણ કહે છે. અહીં ભાવાર્થમાં પરમાર્થનયનું ગ્રહણ એમ એક જ શબ્દ લીધો છે. ટીકામાં ભૂતાર્થ, પરમાર્થ, શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને અભેદનયનું ગ્રહણ એમ ચાર શબ્દ લીધા હતા. તે બધાનો એક જ અર્થ છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યક્ત્વ ઉપજે છે.
જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરપ્રકાશક છે. તેથી અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ એટલે પોતાનો આત્મા સદા જાણવામાં આવે જ છે. પરંતુ તેની દ્રષ્ટિ સ્વ ઉપર જતી નથી. તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ રહે છે. તેથી પોતાને પોતે જણાતો હોવા છતાં દ્રષ્ટિ અન્યત્ર રહેતી હોવાથી અજ્ઞાની હું આ (આત્મા) છું એમ માનતો નથી. તેને કહે છે-ભાઈ! તારી મહત્તા અપરંપાર છે. ત્રણલોકનો નાથ અનંતગુણની સમૃદ્ધિથી ભરેલો તું ચિદાનંદ ભગવાન છે. તારી દ્રષ્ટિ તું ત્યાં સ્થાપ. તેથી મિથ્યાત્વનો નાશ થઈને તને સમ્યગ્દર્શન થશે અને પછી ફરીથી મિથ્યાત્વ નહિ થાય. રાગ અને પર્યાય પરથી દ્રષ્ટિ હઠાવીને તારી ચૈતન્યમય ત્રિકાળી ચીજ પ્રતિ દ્રષ્ટિ કર.
શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ-રાગ અને નિમિત્ત તરફ ઝુકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝુકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની
PDF/HTML Page 1033 of 4199
single page version
પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે.
અરે ભાઈ! શુભભાવનો તને કેમ આટલો પ્રેમ છે? શુભભાવ તો અભવિને પણ થાય છે. નિગોદના જીવને પણ શુભભાવ થતા હોય છે. શુભભાવ એ તો કર્મના સંગે થતો વિકાર છે. લસણની એક બારીક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અને તે દરેકમાં અનંત નિગોદિયા જીવ હોય છે. તે દરેક જીવને ક્ષણે શુભ ક્ષણે અશુભ એવા ભાવ થયા કરે છે. માટે શુભભાવ એ કોઈ નવી અપૂર્વ ચીજ નથી. નિયમસારમાં (શ્લોક ૧૨૧માં) આવે છે કે કથનમાત્ર એવા વ્યવહારરત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે અનંતવાર કર્યા છે. અરે ભાઈ! ભવના ભાવ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને ગુલાંટ ખા. શ્રદ્ધાની પર્યાય શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં અંદર જાય તે અપૂર્વ ચીજ છે. પલટો ખાઈને તું અંતરમાં-વસ્તુમાં ઢળી જા. તેથી તને અલૌકિક અનુભવ સહિત સમ્યગ્દર્શન થશે. આ રાગની મંદતા અને પરલક્ષી જાણપણું એ કોઈ ચીજ નથી. પરમાર્થનયના ગ્રહણથી મિથ્યાત્વનો નાશ થાય એ મુદની ચીજ છે.
ભગવાન આત્મા શુદ્ધચૈતન્યમય વસ્તુમાં ઝુકાવ કરવાથી જે ભૂતાર્થનો અનુભવ થયો તે અનુભવથી મિથ્યાત્વનો નાશ થાય છે, કષાયની મંદતાથી મિથ્યાત્વનો નાશ થતો નથી. કષાયની મંદતા હોય તો અનંતાનુબંધી અને દર્શનમોહનો રસ થોડો પડે છે. પણ એ કાંઈ ચીજ નથી. રાગ મંદ થાય તે કાંઈ વસ્તુ નથી, કેમકે શુભના કાળમાં મિથ્યાત્વનો રસ મંદ હો પણ એનાથી કાંઈ મિથ્યાત્વનો નાશ થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે અને તે અનંત તીર્થંકરોએ એમ જ જાણી છે અને કહી છે.
અહીં આચાર્યદેવ કહે છે કે એકવાર અનુભવ થયો પછી બંધન કેમ થાય? સ્વરૂપની સાવધાનીમાં અનુભવના કાળે દર્શનમોહનો નાશ થાય છે. ત્યાં પ્રથમ ઉપશમ સમકિત થઈને ક્ષયોપશમ સમકિત થાય છે. તે ક્ષયોપશમ પણ પડવાનું નથી એમ કહે છે. દ્રવ્યનો અભાવ થાય તો ક્ષયોપશમ સમકિત પડી જાય એમ જોરદાર વાત કરી છે. મિથ્યાત્વ ગયા પછી રાગથી અલ્પબંધન થાય તે અહીં ગણતરીમાં નથી, કેમકે જે ભાવથી અનંત સંસાર વધે તે ભાવને સંસાર અને બંધન (મુખ્યપણે) કહેવામાં આવ્યું છે.
એકવાર જ્ઞાન થઈને ક્ષાયિક સમકિત ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. મિથ્યાત્વ છે એ જ આસ્રવ-બંધ છે. શક્તિરૂપ સ્વભાવનો-મોક્ષસ્વરૂપ સ્વભાવનો અનુભવ થયો તેને વ્યક્તિરૂપ મોક્ષ થશે જ થશે, પડવાની વાત જ નથી.
PDF/HTML Page 1034 of 4199
single page version
ફરીને વિશેષતાથી કહે છેઃ- * કળશ પ૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘आत्मा’ આત્મા તો ‘सदा’ સદા ‘आत्मभावान्’ પોતાના ભાવોને ‘करोति’ કરે છે અને ‘परः’ પરદ્રવ્ય ‘परभावान्’ પરના ભાવોને કરે છે; ‘हि’ કારણ કે ‘आत्मनः भावाः’ પોતાના ભાવો છે તે તો ‘आत्मा एव’ પોતે જ છે અને ‘परस्य ते’ પરના ભાવો છે. તે ‘परः एव’ પર જ છે (એ નિયમ છે). આત્મા કાં તો પોતાના શુદ્ધ ચૈતન્યપરિણામને કરે, કાં તો પોતાના અશુદ્ધ ચૈતન્યપરિણામને કરે. કાં તો પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન પરિણામને કરે, કાં તો મિથ્યાત્વરાગદ્વેષના પરિણામને કરે; પણ પરદ્રવ્યના પરિણામને કદીય ન કરે. પોતાના ભાવને પોતે કરે અને પરના ભાવને પર કરે છે. જ્ઞાનાવરણીય કર્મના આસ્રવના છ કારણ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યાં છે. ત્યાં છ કારણરૂપ જે જીવના પરિણામ તેનો કર્તા જીવ છે પણ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા આત્મા નથી. ષોડશકારણ ભાવનાના પરિણામનો કર્તા આત્મા છે પણ તીર્થંકરપ્રકૃતિનો જે બંધ થાય તેનો કર્તા આત્મા નથી. જ્ઞાનીને કર્તાબુદ્ધિથી શુભભાવ થતા નથી; પણ પરિણમન છે તે અપેક્ષાએ તેને કર્તા કહેવાય છે. શુભભાવ કરવા લાયક છે એવી બુદ્ધિ તો સમકિતીને ઉડી ગઈ હોય છે. તેથી પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે શુભભાવનો કર્તા હો, પણ તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો જે બંધ થાય છે તેનો તે કર્તા નથી. અકર્મદશા હતી તે પલટીને તીર્થંકરનામ-કર્મરૂપ દશા થઈ તેનો આત્મા કર્તા નથી; તેનો કર્તા કર્મ-પુદ્ગલ છે. દયા, દાન આદિના ભાવ થાય તેનું જ્ઞાનીને પરિણમન હોય પણ તે દયાના ભાવ વડે પરની દયા પાળી શકે છે એમ નથી. પરના પરિણામને આત્મા કરી શકે એમ છે જ નહિ. પરના ભાવનો કર્તા પરદ્રવ્ય છે. બોલવાની ભાષાની જે પર્યાય છે તે પરનો ભાવ છે. તે તે પરમાણુ તે ભાવના કર્તા છે. બોલવાના રાગરૂપ પરિણામ થાય તેનો કર્તા આત્મા છે. રાગનું પરિણમન થાય છે તે અપેક્ષાએ જ્ઞાનીને તેનો કર્તા કહેવામાં આવે છે. પણ તે રાગ કરવા લાયક છે એમ જ્ઞાની માનતા નથી. રાગના સ્વામીત્વપણે જ્ઞાની પરિણમતા નથી. પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું છે કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પરની સેવા કરી શકું છું, બીજાનું દુઃખ ટાળી શકું છું, બીજાને આહાર-પાણી, કપડાં ઇત્યાદિ દઈ શકું છું. આવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. ક્ષાયિક સમકિતી હોય એવા મુનિને પણ રાગ આવે છે, પરિણમનની અપેક્ષાએ તે એના કર્તા છે, પણ એ કરવા લાયક છે એમ તે માનતા નથી. [પ્રવચન નં. ૧૪૭ થી ૧પ૨ * દિનાંક પ-૮-૭૬ થી ૧૦-૮-૭૬]
PDF/HTML Page 1035 of 4199
single page version
अविरदि जोगो मोहो कोहादीया इमे भावा।। ८७।।
પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છેઃ-
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭.
ગાથાર્થઃ– [पुनः] વળી, [मिथ्यात्वं] જે મિથ્યાત્વ કહ્યું તે [द्विविधं] બે પ્રકારે છે- [जीवः अजीवः] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [तथा एव] અને એવી જ રીતે [अज्ञानम्] અજ્ઞાન, [अविरतिः] અવિરતિ, [योगः] યોગ, [मोहः] મોહ અને [क्रोधाद्याः] ક્રોધાદિ કષાયો- [इमे भावाः] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકાઃ– મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં ________________________________________________________________________ * ૮૬ મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘पुनः’ શબ્દ છે.
PDF/HTML Page 1036 of 4199
single page version
આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે. ભાવાર્થઃ– પુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. અહીં એમ જાણવું કેઃ-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે. * * * સમયસાર ગાથા ૮૭ઃ મથાળું પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છેઃ- * ગાથા ૮૭ઃ ટીકા ઉપરનું પ્રવચન * મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ- જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જે મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે.’ જુઓ, લીલો, પીળો, વાદળી જે મોરનો રંગ છે તે મોરનો ભાવ છે માટે તેઓ મોર જ છે. દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે મોરની પર્યાય નથી; તે દર્પણની સ્વચ્છતાનો વિકારમાત્ર છે; માટે તે દર્પણ જ છે. અરીસામાં જે અવસ્થા થઈ તે અરીસાથી
PDF/HTML Page 1037 of 4199
single page version
થઈ છે, મોરને લઈને તે થઈ નથી. મોરમાં જે રંગ દેખાય છે તે મોર છે અને અરીસામાં જે છે તે અરીસાની સ્વચ્છતાના વિકારમાત્રથી થયેલી અરીસાની અવસ્થા છે. મોર મોરમાં છે અને અરીસામાં જે દેખાય છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે.
પ્રશ્નઃ– મોર નિમિત્ત તો છે?
ઉત્તરઃ– હા, મોર નિમિત્ત છે એનો અર્થ જ એ કે અરીસાની અવસ્થા મોરથી થઈ નથી. અને ત્યારે તો તે નિમિત્ત કહેવામાં આવે છે; મોરથી જો તે અરીસાની અવસ્થા થઈ છે એમ કહો તો મોર અરીસાની અવસ્થાનું ઉપાદાન થઈ જાય.
અન્યમતવાળા ઇશ્વરને કર્તા માને છે અને કોઈ જૈનો વિકારનો કર્તા કર્મને માને છે તો તે બન્ને માન્યતા એક સરખી જૂઠી છે. અરીસાની અવસ્થા અરીસાની સ્વચ્છતાના વિકારને લઈને થઈ છે, મોરને લઈને તે થઈ નથી.
‘તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.’
જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જડની પર્યાય છે. જડની પર્યાયનો ભાવ જડરૂપ છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એ જડની અવસ્થા જડમાં થાય છે. મિથ્યાદર્શન તે દર્શનમોહનીય કર્મની પર્યાય, અજ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાય અને અવિરતિ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. ક્રોધ, માન, માયા અને લોભ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. કર્મનો ઉદય આવે તે જડની પર્યાય છે. કર્મના ઉદયથી જીવમાં વિકાર થાય છે એમ નથી. દર્શનમોહનીય કર્મની પર્યાય તે અજીવના દ્રવ્યસ્વભાવથી થઈ છે. જીવે મિથ્યાત્વના ભાવ કર્યા તો ત્યાં દર્શનમોહનીય કર્મની પર્યાય થઈ એમ નથી. અને દર્શનમોહકર્મનો ત્યાં જડમાં ઉદય આવ્યો તો અહીં જીવમાં મિથ્યાત્વની પર્યાય થઈ એમ નથી. પરમાણુની પર્યાય ત્યાં પોતાના દ્રવ્યસ્વભાવથી થઈ છે, અજીવ વડે થઈ છે માટે તે અજીવ જ છે.
જીવમાં મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના પરિણામ થાય તે જીવ વડે થાય છે માટે તે જીવ જ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી તે માને છે કે રાગ થાય છે તે કર્મકૃત છે. અહીં તો ચોકખી વાત કરી છે કે પાણી ઉનું થાય છે તે અગ્નિ વિના ઉનું થાય છે. અગ્નિની પર્યાય અગ્નિમાં છે તે અગ્નિ જ છે અને પાણીની ઉષ્ણ પર્યાય પાણીમાં છે. પાણી અગ્નિથી ઉષ્ણ થયું છે એમ નથી. ચોખા પાકે છે તે ચોખાની પોતાની પર્યાય છે, ઉના પાણીથી ચોખા પાકે છે એમ છે નહિ.
PDF/HTML Page 1038 of 4199
single page version
કેટલાક કહે છે કે-વિકાર કર્મથી થાય અને પોતાથી પણ થાય એમ માનીએ તો અનેકાંત થાય. અરે ભાઈ! એ અનેકાંત છે જ નહિ. વિકાર પોતાથી થાય અને કર્મથી ન થાય એ સાચું અનેકાંત છે. જેમ કુંભારથી ઘડો થયો નથી, અગ્નિથી પાણી ઉષ્ણ થયું નથી તેમ નિમિત્તથી જીવમાં વિકાર થયો નથી. (નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી).
લોકોને લાગે કે આ તો સાધારણ ભૂલ છે. પણ ભાઈ! આ તો મોટી મૂળમાં ભૂલ છે. ચારિત્રમોહનો ઉદય છે માટે અહીં અવ્રતના પરિણામ થાય છે એમ નથી. અવિરતિ આદિ ભાવ પોતાથી થાય છે. કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે, કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય છે કે કર્મના ઉદયથી અવિરતિ-વિષયવાસનાના ભાવ થાય છે એમ છે નહિ. દર્શનમોહની પર્યાય તે અજીવનો ભાવ છે અને તેથી અજીવ જ છે. જ્ઞાનાવરણીય કર્મ તે અજીવનો ભાવ છે અને તેથી તે અજીવ જ છે. અને જીવમાં અજ્ઞાન થાય તે જીવથી પોતાથી થાય છે માટે તે જીવ જ છે. મિથ્યાશ્રદ્ધા જીવની પર્યાયમાં જીવથી થાય છે માટે તે જીવ છે અને દર્શનમોહકર્મની પર્યાય છે તે અજીવ છે.
બહુ સ્પષ્ટ વાત છે કે કર્મથી જીવને વિકાર થતો નથી. કર્મને લઈને જો જીવની ભૂલ હોય તો કર્મ ટળે તો ભૂલ મટે; પોતાના પુરુષાર્થથી ભૂલ મટે એમ ન રહ્યું! પણ એમ છે નહિ. પોતાના પુરુષાર્થથી ભૂલ મટે છે.
રાગ દ્વેષને કથંચિત્ પુદ્ગલના પરિણામ કહ્યા છે એ બીજી વાત છે. ત્યાં તો પોતાના સ્વભાવમાં રાગ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. રાગ જીવનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થતાં (સમ્યગ્દર્શન થતાં) સમકિતીને આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય તેનું વ્યાપ્ય છે. વળી રાગ એની પર્યાયમાંથી ભિન્ન પડી જાય છે. એટલે કર્મ વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય-એમ ગણીને નિમિત્તની મુખ્યતાથી રાગને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
અહીં કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વના ભાવ છે ત્યાં સુધી મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગ દ્વેષ તે જીવની પર્યાય છે. તે જીવ જ છે. પરના કારણે, કર્મના કારણે બીલકુલ તે પર્યાય થઈ નથી. કુંભારથી ઘડો બીલકુલ થયો નથી. ગાથા ૩૭૨ માં સ્પષ્ટ કહ્યું છે કે-“જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે.” અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અહીં ગુણનો અર્થ પર્યાય થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી તે પર્યાય ઉત્પન્ન થાય છે. મિથ્યાદર્શનની પર્યાય પણ પર્યાયની યોગ્યતાથી પોતામાં ઉત્પન્ન થાય છે; પરથી કે કર્મથી બીલકુલ નહિ. તેમ
PDF/HTML Page 1039 of 4199
single page version
આત્માથી કર્મબંધનની પર્યાય ઉત્પન્ન કરાવાની અયોગ્યતા છે. કર્મબંધની પર્યાય પોતાની યોગ્યતાથી કર્મબંધપણે ઉત્પન્ન થાય છે.
ત્યારે કોઈ એમ કહે કે વિકાર થવામાં પ૦ ટકા કર્મના અને પ૦ ટકા જીવના રાખો. અહીં કહે છે કે સો એ સો ટકા વિકાર જીવના પરિણામમાં પોતાથી થાય છે; કર્મના કારણે એક ટકો પણ નહિ. ઉપાદાનના સો એ સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે. આત્મામાં મિથ્યાત્વનો ભાવ થયો તે સો એ સો ટકા પોતાથી થયો છે; એક ટકો પણ નિમિત્તના-દર્શનમોહકર્મના કારણે જીવમાં મિથ્યાત્વભાવ થયો નથી.
લોકો તો ખાવું, પીવું, રળવું ઇત્યાદિ બહારમાં અશુભમાં રોકાઈ ગયા છે. તેમને આનો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પણ ભાઈ! આનો યથાર્થ નિર્ણય કર્યા વિના તને કેટલું નુકશાન થઈ રહ્યું છે તેની તને ખબર નથી. અરે! પછી તું સર્વશક્તિ (નિર્ણય કરવાની) ખોઈ બેસીશ. અહીં નિર્ણય કરાવે છે કે-જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી મિથ્યાત્વાદિપણે પરિણમે છે અને પોતાના સવળા પુરુષાર્થથી મિથ્યાત્વાદિના નાશપણે (સમ્યક્ત્વાદિપણે) પરિણમે છે; તેમાં પરદ્રવ્યનું રંચમાત્ર પણ કારણ નથી. પરદ્રવ્ય પરદ્રવ્યમાં સ્થિત છે. તે પોતાની સત્તામાં આવતું નથી. પરદ્રવ્યની સત્તા પોતામાં આવી જાય તો પરદ્રવ્યની સત્તાનો નાશ થઈ જાય. આત્મા પરદ્રવ્યની સત્તામાં પ્રવેશ કરે તો પરદ્રવ્યની પર્યાય કરી શકે. પરંતુ પરદ્રવ્યની સત્તામાં આત્મા જાય તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. (કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડતું નથી). એક સમયની પર્યાયસત્તા પણ પોતાની પોતામાં રહે છે. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે પોતે પરનું કાંઈ કરે અને પર પોતાનું કાંઈ કરે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી.
નિગોદના જીવથી માંડી પરમાણુ આદિ સર્વદ્રવ્યો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી વિકાર આદિ ઉત્પન્ન થાય છે, પરને લઈને બીલકુલ ઉત્પન્ન થતો નથી. પૂજાની જયમાલામાં આવે છે કે-
કર્મ છે એ તો જડની પર્યાય છે. ભૂલ તો પોતામાં પોતાના કારણે થાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા પોતાના ષટ્કારકથી જીવમાં વિકાર થાય છે. નિશ્ચયથી વિકાર પરકારકોની અપેક્ષા વિના પોતાથી થાય છે. જેમ કુંભાર વડે ઘડો કરાવાની અયોગ્યતા છે તેમ કર્મ વડે જીવનો વિકાર કરાવાની અયોગ્યતા છે.
માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે
PDF/HTML Page 1040 of 4199
single page version
ઊપજે છે. તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
અરે! જેને બે દ્રવ્યો વચ્ચે ભિન્નતા કરવાની તાકાત નથી તેને રાગ અને સ્વભાવને ભિન્ન કરવાની તાકાત કયાંથી આવશે? રાગથી ભિન્ન અંદર જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય અતીન્દ્રિય આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે. તેનો આશ્રય કરવાથી ધર્મની દશા- આનંદની દશા ઉત્પન્ન થાય છે. વ્યવહારથી કે રાગથી ધર્મની દશા ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી એમ આચાર્યદેવ કહે છે.
કોઈ એમ કહે કે સમ્યગ્દર્શન થયા પછી જે અવ્રતના પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના કારણે થાય છે; તેને કહે છે કે એમ નથી. જુઓ, બળદેવે વાસુદેવનું મડદું છ માસ માટે ખભે ફેરવ્યું ત્યાં ચારિત્રમોહના ઉદયના કારણે તે ભાવ આવ્યો હતો એમ નથી. તે ભાવ સ્વયં પોતાના કારણે થયેલો છે, ચારિત્રમોહનો ઉદય તો નિમિત્તમાત્ર છે.
એક છૂટો પરમાણુ સૂક્ષ્મ છે. તે સ્થૂળ સ્કંધમાં ભળતાં સ્થૂળતાને ધારણ કરે છે. તો તે સ્થૂળને લઈને સૂક્ષ્મમાંથી સ્થૂળ થયું એમ બીલકુલ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે. બીજા પરમાણુમાં બીજાને સ્થૂળ કરવાની અયોગ્યતા છે. તે પરમાણુની સ્થૂળ થવાની પોતાની યોગ્યતા છે માટે તે સૂક્ષ્મ પલટીને સ્થૂળ થાય છે.
રાગથી આત્માને લાભ થાય, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદર્શન છે. પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત કરી છે તે ઉપચારથી કરી છે. વળી રાગ પોતે કરે અને નાખે કર્મના માથે તો તે પણ અનીતિ-અન્યાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે તારો સંસાર તારા અપરાધથી છે; તારો અપરાધ એટલો કે પોતાને ભૂલીને પરને તું પોતાનું માને છે. શ્રીમદ્ રાજચંદ્રજી સમ્યગ્દષ્ટિ અનુભવી પુરુષ હતા. અલ્પકાળમાં મોક્ષ જવાના છે. તેમની ક્ષયોપશમ શક્તિ અજબ હતી. તેમણે સંક્ષેપમાં કહ્યું છે કે-જીવ પોતાના અપરાધથી સંસારમાં રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી.
અહો! દિગંબર સંતોએ અલૌકિક માર્ગ કહ્યો છે. કહે છે કે-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તે જીવ જ છે. વિકારમાત્રથી એટલે પોતાની વિકૃત અવસ્થાથી જીવમાં વિકાર થયો છે, નિમિત્તથી થયો છે એમ બીલકુલ નથી. જેમ લીલી, પીળી આદિ અવસ્થાપણે અરીસો