Page 370 of 642
PDF/HTML Page 401 of 673
single page version
ગાથાર્થઃ — [यथा नाम] જેવી રીતે — [कः अपि पुरुषः] કોઈ પુરુષ [स्नेहाभ्यक्तः तु] (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને [च] અને [रेणुबहुले] બહુ રજવાળી (ધૂળવાળી) [स्थाने] જગ્યામાં [स्थित्वा] રહીને [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત (નાશ) [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः तु] રજનો બંધ (ધૂળનું ચોંટવું) [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે થાય છે [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ છે [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. [एवं] એવી રીતે — [बहुविधासु चेष्टासु] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [वर्तमानः] વર્તતો [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [उपयोगे] (પોતાના) ઉપયોગમાં [रागादीन् कुर्वाणः] રાગાદિ ભાવોને કરતો થકો [रजसा] કર્મરૂપી રજથી [लिप्यते] લેપાય — બંધાય છે.
ટીકાઃ — જેવી રીતે — આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ
Page 371 of 642
PDF/HTML Page 402 of 673
single page version
भूमौ स्थितः, शस्त्रव्यायामकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचिताचित्तवस्तूनि निघ्नन्, रजसा बध्यते । तस्य कतमो बन्धहेतुः? न तावत्स्वभावत एव रजोबहुला भूमिः, स्नेहानभ्यक्तानामपि तत्रस्थानां तत्प्रसङ्गात् । न शस्त्रव्यायामकर्म, स्नेहानभ्यक्तानामपि तस्मात्
तत्प्रसङ्गात् । नानेकप्रकारकरणानि, स्नेहानभ्यक्तानामपि तैस्तत्प्रसङ्गात् । न सचित्ता-
चित्तवस्तूपघातः, स्नेहानभ्यक्तानामपि तस्मिंस्तत्प्रसङ्गात् । ततो न्यायबलेनैवैतदायातं, यत्तस्मिन्
पुरुषे स्नेहाभ्यङ्गकरणं स बन्धहेतुः । एवं मिथ्याद्रष्टिः आत्मनि रागादीन् कुर्वाणः, स्वभावत
एव कर्मयोग्यपुद्गलबहुले लोके कायवाङ्मनःकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचित्ता- चित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा बध्यते । तस्य कतमो बन्धहेतुः ? न तावत्स्वभावत एव
આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે — લેપાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું ( – સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત
કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે — મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક ( – રાગાદિભાવો – ) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન- મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો
Page 372 of 642
PDF/HTML Page 403 of 673
single page version
कर्मयोग्यपुद्गलबहुलो लोकः, सिद्धानामपि तत्रस्थानां तत्प्रसङ्गात् । न कायवाङ्मनःकर्म,
यथाख्यातसंयतानामपि तत्प्रसङ्गात् । नानेकप्रकारकरणानि, केवलज्ञानिनामपि तत्प्रसङ्गात् । न
सचित्ताचित्तवस्तूपघातः, समितितत्पराणामपि तत्प्रसङ्गात् । ततो न्यायबलेनैवैतदायातं, यदुपयोगे
रागादिकरणं स बन्धहेतुः ।
છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત- સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત
યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.
ભાવાર્થઃ — અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે — મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં — બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાત — બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં ( – કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.
અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે — અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.
Page 373 of 642
PDF/HTML Page 404 of 673
single page version
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत् ।
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।१६४।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [बन्धकृत्] કર્મબંધ કરનારું કારણ, [न कर्मबहुलं जगत् ] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [न चलनात्मकं कर्म वा] નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [न नैककरणानि] નથી અનેક પ્રકારનાં કરણો [वा न चिद्- अचिद्-वधः] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [उपयोगभूः रागादिभिः यद्-ऐक्यम् समुपयाति] ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે [सः एव केवलं] તે જ એક ( – માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ – ) [किल] ખરેખર [नृणाम् बन्धहेतुः भवति] પુરુષોને બંધનું કારણ છે.
ભાવાર્થઃ — અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪.
સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી — એમ હવે કહે છેઃ —
Page 374 of 642
PDF/HTML Page 405 of 673
single page version
ગાથાર્થઃ — [यथा पुनः] વળી જેવી રીતે — [सः च एव नरः] તે જ પુરુષ, [सर्वस्मिन् स्नेहे] સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને [अपनीते सति] દૂર કરવામાં આવતાં, [रेणुबहुले]
Page 375 of 642
PDF/HTML Page 406 of 673
single page version
यथा स एव पुरुषः, स्नेहे सर्वस्मिन्नपनीते सति, तस्यामेव स्वभावत एव रजोबहुलायां
भूमौ तदेव शस्त्रव्यायामकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात्; तथा सम्यग्द्रष्टिः, आत्मनि रागादीनकुर्वाणः सन्, तस्मिन्नेव स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके तदेव कायवाङ्मनःकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य बन्धहेतोरभावात् ।
બહુ રજવાળી [स्थाने] જગ્યામાં [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः] રજનો બંધ [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે [न] નથી થતો [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) [एवं] એવી રીતે — [बहुविधेसु योगेषु] બહુ પ્રકારના યોગોમાં [वर्तमानः] વર્તતો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [उपयोगे] ઉપયોગમાં [रागादीन् अकुर्वन्] રાગાદિકને નહિ કરતો થકો [रजसा] કર્મરજથી [न लिप्यते] લેપાતો નથી.
ટીકાઃ — જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને — તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો – લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ ( – રાગમાં જોડાણ) તેનો અભાવ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો
Page 376 of 642
PDF/HTML Page 407 of 673
single page version
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्वयापादनं चास्तु तत् ।
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्रगात्मा ध्रुवम् ।।१६५।।
અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्मततः लोकः सः अस्तु] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [परिस्पन्दात्मकं कर्म तत् च अस्तु] તે મન-વચન -કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [तानि करणानि अस्मिन् सन्तु] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [च] અને [तत् चिद्-अचिद्-व्यापादनं अस्तु] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [अहो] અહો! [अयम् सम्यग्द्रग्-आत्मा] આ સમ્યગ્દ્રષ્ટિ આત્મા, [रागादिन् उपयोगभूमिम् अनयन्] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [केवलं ज्ञानं भवन्] કેવળ (એક) જ્ઞાનરૂપે થતો – પરિણમતો થકો, [कुतः अपि बन्धम् ध्रुवम् न एव उपैति] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો! દેખો! આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.)
ભાવાર્થઃ — અહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત — એ બંધનાં કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે. ૧૬૫.
Page 377 of 642
PDF/HTML Page 408 of 673
single page version
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः ।
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ।।१६६।।
जानात्ययं न खलु तत्किल कर्मरागः ।
र्मिथ्याद्रशः स नियतं स च बन्धहेतुः ।।१६७।।
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [तथापि] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते] જ્ઞાનીઓને નિરર્ગલ ( – મર્યાદારહિત, સ્વચ્છંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [सा निरर्गला व्यापृतिः किल तद्-आयतनम् एव] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [ज्ञानिनां अकाम-कृत-कर्म तत् अकारणम् मतम्] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [जानाति च करोति] જાણે પણ છે અને (કર્મને ) કરે પણ છે — [द्वयं किमु न हि विरुध्यते] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
ભાવાર્થઃ — પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધનાં કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને — બંધના કારણને — નિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક — વાંછા વિના — પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
‘‘જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.’’ આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
Page 378 of 642
PDF/HTML Page 409 of 673
single page version
परजीवानहं हिनस्मि, परजीवैर्हिंस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्याास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात्सम्यग्द्रष्टिः ।
શ્લોકાર્થઃ — [यः जानाति सः न करोति] જે જાણે છે તે કરતો નથી [तु] અને [यः करोति अयं खलु जानाति न] જે કરે છે તે જાણતો નથી. [तत् किल कर्मरागः] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [तु] અને [रागं अबोधमयम् अध्यवसायम् आहुः] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [सः नियतं मिथ्यादृशः] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે [च] અને [सः बन्धहेतुः] તે બંધનું કારણ છે. ૧૬૭.
હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે [मन्यते] એમ માને છે કે [हिनस्मि च] ‘હું પર જીવોને મારું છું ( – હણું છું) [परैः सत्त्वैः हिंस्ये च] અને પર જીવો મને મારે છે’, [सः] તે [मूढः] મૂઢ ( – મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ — ‘પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે’ — એવો અધ્યવસાય ધ્રુવપણે ( – નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’ એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે — મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે — સમ્યગ્દ્રષ્ટિ છે.
નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે — પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે
Page 379 of 642
PDF/HTML Page 410 of 673
single page version
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत् —
ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — (હે ભાઈ! ‘હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; [त्वं] તું [आयुः] પર જીવોનું આયુકર્મ તો [न हरसि] હરતો નથી, [त्वया] તો તેં [तेषाम् मरणं] તેમનું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?
(હે ભાઈ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ
Page 380 of 642
PDF/HTML Page 411 of 673
single page version
मरणं हि तावज्जीवानां स्वायुःकर्मक्षयेणैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य हर्तुं शक्यं, तस्य स्वोपभोगेनैव क्षीयमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य मरणं कुर्यात् । ततो हिनस्मि, हिंस्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम् ।
जीवनाध्यवसायस्य तद्विपक्षस्य का वार्तेति चेत् — [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; પર જીવો [तव आयुः] તારું આયુકર્મ તો [न हरन्ति] હરતા નથી, [तैः] તો તેમણે [ते मरणं] તારું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?
ટીકાઃ — પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં (અર્થાત્ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું ( – થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે ( – નિશ્ચિતપણે) અજ્ઞાન છે.
ભાવાર્થઃ — જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.
વ્યવહાર આ પ્રમાણે છેઃ — પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ ( – પર્યાયનો વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘આણે આને માર્યો’, તે વ્યવહાર છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે, તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા.
ફરી પૂછે છે કે ‘‘(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?’’ તેનો ઉત્તર કહે છેઃ —
Page 381 of 642
PDF/HTML Page 412 of 673
single page version
परजीवानहं जीवयामि, परजीवैर्जीव्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः ।
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत् —
ગાથાર્થઃ — [यः] જે જીવ [मन्यते] એમ માને છે કે [जीवयामि] હું પર જીવોને જિવાડું છું [च] અને [परैः सत्त्वैः] પર જીવો [जीव्ये च] મને જિવાડે છે, [सः] તે [मूढः] મૂઢ ( – મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ — ‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે ( – અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ‘પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ —
Page 382 of 642
PDF/HTML Page 413 of 673
single page version
जीवितं हि तावज्जीवानां स्वायुःकर्मोदयेनैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैव उपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात् । अतो जीवयामि, जीव्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम् ।
ગાથાર્થઃ — [जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; [त्वं] તું [आयुः च] પર જીવોને આયુકર્મ તો [न ददासि] દેતો નથી [त्वया] તો (હે ભાઈ!) તેં [तेषाम् जीवितं] તેમનું જીવિત (જીવતર) [कथं कृतं] કઈ રીતે કર્યું?
[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; પર જીવો [तव] તને [आयुः च] આયુકર્મ તો [न ददति] દેતા નથી [तैः] તો (હે ભાઈ!) તેમણે [ते जीवितं] તારું જીવિત [कथं नु कृतं] કઈ રીતે કર્યું?
ટીકાઃ — પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું ( – થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે ( – મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી ‘હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે ( – નિયતપણે) અજ્ઞાન છે.
ભાવાર્થઃ — પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.
Page 383 of 642
PDF/HTML Page 414 of 673
single page version
दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिः —
परजीवानहं दुःखितान् सुखितांश्च करोमि, परजीवैर्दुःखितः सुखितश्च क्रियेऽहमित्य- ध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः ।
દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [यः] જે [इति मन्यते] એમ માને છે કે [आत्मना तु] મારા પોતાથી [सत्त्वान्] હું (પર) જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [सः] તે [मूढः] મૂઢ ( – મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ — ‘પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે — સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ —
Page 384 of 642
PDF/HTML Page 415 of 673
single page version
ગાથાર્થઃ — [यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને [त्वं] તું [कर्म] તેમને કર્મ તો [न ददासि] દેતો નથી, તો (હે ભાઈ!) તેં [ते] તેમને [दुःखितसुखिताः] દુઃખી-સુખી [कथं कृताः] કઈ રીતે કર્યા?
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી – સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી,
Page 385 of 642
PDF/HTML Page 416 of 673
single page version
सुखदुःखे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव, तदभावे तयोर्भवितुमशक्यत्वात्; स्वकर्म च नान्ये- नान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैवोपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य सुख- दुःखे कुर्यात् । अतः सुखितदुःखितान् करोमि, सुखितदुःखितः क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम् ।
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ।।१६८।।
તો (હે ભાઈ!) [तैः] તેમણે [दुःखितः] તને દુઃખી [कथं कृतः असि] કઈ રીતે કર્યો?
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી -સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [त्वं] તને [सुःखितः] સુખી [कथं कृतः] કઈ રીતે કર્યો?
ટીકાઃ — પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ભાવાર્થઃ — જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખ-દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इह] આ જગતમાં [मरण-जीवित-दुःख-सौख्यम्] જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ — [सर्वं सदैव नियतं स्वकीय-कर्मोदयात् भवति] બધુંય સદૈવ નિયમથી ( – ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [परः पुमान् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् कुर्यात्] ‘બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે’ [यत् तु] આમ જે માનવું
Page 386 of 642
PDF/HTML Page 417 of 673
single page version
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् ।
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति ।।१६९।।
[एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [ये परात् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો — [अहंकृतिरसेन क र्माणि चिकीर्षवः] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’ એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાની — મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની — વાંછા કરનારા છે) તેઓ — [नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થઃ — જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ —
Page 387 of 642
PDF/HTML Page 418 of 673
single page version
यो हि म्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात् । ततः मयायं मारितः, अयं जीवितः, अयं दुःखितः कृतः, अयं सुखितः कृतः इति पश्यन् मिथ्याद्रष्टिः ।
ગાથાર્થઃ — [यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
ટીકાઃ — જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડ્યો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડ્યું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી -દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય — એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते]
Page 388 of 642
PDF/HTML Page 419 of 673
single page version
परजीवानहं हिनस्मि, न हिनस्मि, दुःखयामि, सुखयामि इति य एवायमज्ञानमयो- ऽध्यवसायो मिथ्याद्रष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः ।
अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति — જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ ( – વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાવાર્થઃ — જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ — એમ જાણવું. ૧૭૦.
હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.
ટીકાઃ — ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને ( – મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.
ભાવાર્થઃ — મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.
હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે — ઠરાવે છે (અર્થાત્ * જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય ( – સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા
Page 389 of 642
PDF/HTML Page 420 of 673
single page version
य एवायं मिथ्याद्रष्टेरज्ञानजन्मा रागमयोऽध्यवसायः स एव बन्धहेतुः इत्यव- મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ —
ગાથાર્થઃ — ‘[सत्त्वान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું *અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [ पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.
‘[ सत्त्वान् ] હું જીવોને [मारयामि च जीवयामि] મારું છું અને જિવાડું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.
ટીકાઃ — મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય ( – સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા
અભિપ્રાય કરવો — એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.