Swami Kartikeyanupreksha (Gujarati). Kartikeyanupreksha; Mangalacharan; Gatha: 1-27 ; 1. Adhruvanupreksha; 2. Asharananupreksha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 17

 

Page -3 of 297
PDF/HTML Page 21 of 321
single page version

ગાથા

વિષય
પૃષ્ઠ
ગાથા
વિષય
પૃષ્ઠ

૯૦

પુણ્ય-પાપના ભેદથી
આસ્રવના બે પ્રકાર ... ૫૦
૧૪૨
વિકલત્રય જીવોનાં સ્થાન૮૬
૧૪૩
અઢી-દ્વીપ બહારના
તિર્યંચોની સ્થિતિ ...... ૮૭

૯૧૯૧

મંદ તીવ્ર કષાયનાં
દ્રષ્ટાંત .................... ૫૧
૧૪૪
જલચર જીવોનાં સ્થાન૮૭

૯૩૯૪

આસ્રવભાવના કોને નિષ્ફળ
સફળ .................... ૫૨
૧૪૫૧૪૬ ભવનત્રિક, કલ્પવાસી ને
નારકીઓનાં સ્થાન૮૭૮૮

૯૫૧૦૧

૮. સંવરાનુપ્રેક્ષા
૫૩૫૫
૧૪૭૧૫૧ તેજ, વાત, પૃથ્વી અદિ

૯૫૯૬

સંવરના નામ અને હેતુ૫૩
જીવોની સંખ્યા ૮૮૯૦
-

૯૭૯૯

ગુપ્તિ, સમિતિ, ધર્મ,
અનુપ્રેક્ષા, ચરિત્રનું
સ્વરૂપ ................... ૫૪
૧૫૨
સાન્તર
નિરન્તરનું કથન ૯૦
૧૫૩૧૬૦ સંખ્યા-અપેક્ષાએ
જીવોનાં અલ્પબહુત્વનું
કથન .............. ૯૧
૯૩

૧૦૦-૧૦૧ સંવરશૂન્યને સંસારભ્રમણ

અને આત્મનિષ્ઠને ..........
સંવરસ્ફુરણ.............. ૫૫
૧૬૧૧૬૫ સર્વજીવોનાં ઉત્કૃષ્ટ
જઘન્ય આયુષ્ય ૯૧૯૫

૧૦૨૧૧૪

૯.નિર્જરાનુપ્રેક્ષા
૫૬૬૨
૧૬૬૧૭૫ જીવોનાં શરીરોની ઉત્કૃષ્ટ

૧૦૨૧૦૫નિર્જરાનું કારણ, સ્વરૂપ,

જઘન્ય અવગાહના ૯૫૯૯
ભેદ અને વૃદ્ધિ.... ૫૬-૫૮
૧૭૬
જીવનું લોકપ્રમાણપણું અને

૧૦૬૧૦૮ નિર્જરાની વૃદ્ધિનાં સ્થાન ૫૮

દેહપ્રમાણપણું .......... ૯૯

૧૦૯૧૧૪અધિક નિર્જરા કોને થાય

૧૭૭
જીવ સર્વથા સર્વગત
નથી ................... ૧૦૦
છે? ................ ૫૯૬૨
૧૭૮૧૮૦ ગુણ-ગુણી પ્રદેશથી

૧૧૫૨૮૩ ૧૦. લોકાનુપ્રેક્ષા

૬૩૧૫૨
અભિન્ન છે, ભિન્ન .......
માનવામાં દોષ૧૦૦
૧૦૧

૧૧૫૧૨૦ લોકાકાશનું સ્વરૂપ તથા

વિસ્તાર ........... ૭૦૭૩
૧૮૧૧૮૪ જીવ પંચભૂતોનો વિકાર
હોવાનો નિષેધ તથા તેની
યથાતથ સિદ્ધિ૧૦૧
૧૦૩

૧૨૧

‘લોક’ શબ્દની નિરુક્તિ ૭૩

૧૨૨૧૩૩ જીવોના ભેદ .... ૭૩

૮૧
૧૮૫૧૮૭ દેહ અને જીવમાં

૧૩૪૧૩૮ પયારપ્તિનું વર્ણન . ૮૧

૮૪
એકત્વ ભાસવાનું
કારણ ........ ૧૦૩
૧૦૪

૧૩૯૧૪૧ પ્રાણોનું સ્વરૂપ, સંખ્યા

અને સ્વામી...... ૮૫૮૬

Page -2 of 297
PDF/HTML Page 22 of 321
single page version

ગાથા

વિષય
પૃષ્ઠ
ગાથા
વિષય
પૃષ્ઠ
૨૨૦૨૨૧ વ્યવહારકાળ તથા તેની

૧૮૮૧૯૧ જીવ સ્વયં કર્તા, ભોક્તા,

સંખ્યા ........ ૧૧૯૧૨૦
પુણ્ય-પાપને તીર્થ
છે. ........... ૧૦૫
૧૦૬
૨૨૨-૨૨૩ કારણ-કાર્યનું નિરૂપણ૧૨૧
૨૨૪
૨૨૫ અનેકાંતાત્મક વસ્તુને જ ....

૧૯૨૧૯૯ જીવના

બહિરાત્મા,
-
અથરક્રિયાકારીપણું ૧૨૧
૧૨૨
અંતરાત્મા ને પરમાત્મા
૨૨૬૨૨૮ સર્વથા એકાન્તમાં
ત્રણ ભેદ તથા તેમનું
સ્વરૂપ ....... ૧૦૭
૧૧૦
અથરક્રિયાકરિત્વનો
અભાવ ...... ૧૨૨
૧૨૩

૨૦૦૨૦૧ જીવને અનદિથી

૨૨૯૨૩૨ પૂર્વ-ઉત્તર ભાવમાં
સર્વથા શુદ્ધ માનવાનો
નિષેધ ................. ૧૧૧
કારણકાર્યપણું ૧૨૩૧૨૫
૨૩૩-૨૩૫ સર્વથા અન્ય, એક,

૨૦૨૨૦૩ અશુદ્ધતા

શુદ્ધતાનું
અણુમાત્ર માનવામાં
દોષ .......... ૧૨૫
૧૨૬
કારણ અને બંધનું
સ્વરૂપ ................ ૧૧૨
૨૩૬
સર્વ દ્રવ્યોમાં
ભિન્નભિન્નપણું..... ૧૨૭

૨૦૪૨૦૫ જીવ જ ઉત્તમ તત્ત્વ છે

શાથી?....... ૧૧૨૧૧૩
૨૩૭૨૩૯ દ્રવ્યનું ગુણ-પર્યાય ને

૨૦૬૨૦૭ પુદ્ગલદ્રવ્યનું

ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી .......
યુક્તપણું ..... ૧૨૭
૧૨૮
સ્વરૂપ ....... ૧૧૩૧૧૪

૨૦૮૨૧૦ પુદ્ગલને જીવનું ને

૨૪૦-૨૪૨ દ્રવ્ય, પર્યાય ને ગુણનું
જીવને અન્ય જીવનું
ઉપકારીપણું . ૧૧૪
૧૧૫
સ્વરૂપ ....... ૧૨૯૧૩૦
૨૪૩૨૪૪ દ્રવ્યમાં અવિદ્યમાન

૨૧૧

પુદ્ગલની કોઈ અપૂર્વ
શક્તિ ................. ૧૧૫
પર્યાયની જ ઉત્પત્તિ
કાળદિ
લબ્ધિથી ..... ૧૩૦
૧૩૧

૨૧૨૨૧૬ ધર્મ-અધર્મ-આકાશ-કાળનું

સ્વરૂપ ....... ૧૧૬૧૧૮
૨૪૫
દ્રવ્ય અને પર્યાયને કથંચિત્
ભેદાભેદ .............. ૧૩૧

૨૧૭૨૧૮ પરિણામનું કારણ દ્રવ્ય

છે, અન્ય તો નિમિત્તમાત્ર
છે ............ ૧૧૮
૧૧૯
૨૪૬
દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા
ભેદ માનવામાં દોષ ૧૩૨

૨૧૯

બધાં દ્રવ્યો કાળદિ
લબ્ધિ સહિત છે. ... ૧૧૯
૨૪૭૨૪૯ વિજ્ઞાન-અદ્વૈત મતમાં
દોષનું નિરૂપણ૧૩૨૧૩૩

Page -1 of 297
PDF/HTML Page 23 of 321
single page version

ગાથા
વિષય
પૃષ્ઠ

ગાથા

વિષય
પૃષ્ઠ
૨૮૫
ત્રસપણું ચિંતામણિ જેવું
દુર્લભ ................. ૧૫૩

૨૫૦૨૫૨ નસ્તિક મહાઅસત્યવાદી

છે ............ ૧૩૩૧૩૫
૨૮૬૨૮૭ ત્રસમાં પણ પંચેન્દ્રિયપણું

૨૫૩૨૬૦ સામાન્ય-વિશેષ

દુર્લભ ................. ૧૫૪
જ્ઞાનનું સ્વરૂપ૧૩૫૧૩૮
૨૮૮૨૮૯ ક્રૂર પરિણામીને નરક

૨૬૧

અનેકાંતસ્વરૂપ વસ્તુને
કથંચિત્ એકાન્તપણું ૧૩૯
ગતિ; ત્યાંથી નીકળી ......
તિર્યંચનાં દુઃખ ...... ૧૫૫

૨૬૨

શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ
વસ્તુને પ્રકાશે છે. .. ૧૪૦
૨૯૦૨૯૯ મનુષ્યત્વ, આર્યત્વ, ઉચ્ચ
કુળ, નીરોગપણું,
સત્સમાગમ, સમ્યક્ત્વ,
ચરિત્ર વગેરે પામવું
અનુક્રમે દુર્લભ
છે. ........... ૧૫૫-૧૫૯

૨૬૩૨૬૫ શ્રુતજ્ઞાનના ભેદરૂપ નયોનું

સ્વરૂપ ....... ૧૪૦૧૪૧

૨૬૬

સાપેક્ષ તે સુનય અએ
નિરપેક્ષ તે દુર્નય.... ૧૪૨

૨૬૭

અનુમાન પ્રમાણનું
સ્વરૂપ ................ ૧૪૨
૩૦૦
દુર્લભ મનુષ્યપણું
પામી વિષયોમાં રમનાર
રાખને માટે રત્નને
બાળે છે .............. ૧૫૯

૨૬૮૨૭૮ નયોના ભેદ (નૈગમ

અદિ) ....... ૧૪૩૧૪૯

૨૭૯૨૮૦ તત્ત્વનું શ્રવણ, જ્ઞાન,

૩૦૧
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ
બોધીને દુર્લભમાં દુર્લભ
જાણી તેનો મહાન આદર
કરો.................... ૧૫૯
ધારણ, ચિંતવન કરવાવાળા
વિરલા છે; તત્ત્વનું ગ્રહણ
કરનાર તત્ત્વને જાણે
છે ..................... ૧૫૦
૩૦૨૪૩૭ ૧૨. ધાર્માનુપ્રેક્ષા

૨૮૧૨૮૨ અજ્ઞાની સ્ત્રી-અદિને

૧૬૧૨૫૦
વશ થાય છે. જ્ઞાની
નહિ. .................. ૧૫૧
૩૦૨૩૦૪ સર્વજ્ઞ અને તેમના દ્વારા
ઉપદિષ્ટ દ્વિવિધ
ધર્મ............૧૬૧
૧૬૨

૨૮૩

લોકાનુપ્રેક્ષાના ચિંતવનનું
માહાત્મ્ય ............. ૧૫૧
૩૦૫૩૦૬ ગૃહસ્થધર્મના બાર

૨૮૪૩૦૧ ૧૧. બોધિાદુર્લભાનુપ્રેક્ષા

ભેદ ................... ૧૬૩
૧૫૩૧૬૦
૩૦૭
સમ્યક્ત્વ પામવાની
યોગ્યતા ............... ૧૬૩

૨૮૪

નિગોદથી નીકળી
સ્થાવરપણું દુર્લભ... ૧૫૩

Page 0 of 297
PDF/HTML Page 24 of 321
single page version

ગાથા

વિષય
પૃષ્ઠ ગાથા
વિષય
પૃષ્ઠ

૩૦૮૩૦૯ ત્રણે પ્રકારનાં

૩૨૫૩૨૭ સમ્યક્ત્વનું
સમ્યક્ત્વ કેવી રીતે
થાય? .........૧૬૪
૧૬૫
માહાત્મ્ય .... ૧૭૮૧૭૯
૩૨૮૩૯૦ અગિયાર પ્રતિમાનું
સ્વરૂપ ....... ૧૭૯૨૧૪

૩૧૦

બે સમ્યક્ત્વ, અનંતાનુબંધી
વિસંયોજન અને દેશવ્રત
ઉત્કૃષ્ટ અસંખ્ય વાર ગ્રહે
છોડે ....................૧૬૬
૩૯૧
અંત સમયે આરાધના
કરવાનું ફળ ૨૧૫
૩૯૨૪૦૮ ઉત્તમ ક્ષમદિ મુનિધર્મનું
વર્ણન
૨૧૮૨૩૪

૩૧૧૩૧૨ તત્ત્વાર્થશ્રદ્ધાન નિરૂપણ૧૬૬

૪૦૯૪૧૩ કેવળ પુણ્યને અર્થે

૩૧૩૩૧૭ સમ્યગ્દ્રષ્ટિના

ધર્મ અંગીકાર ન
કરવો ૨૩૫-૩૨૭
પરિણામ..... ૧૭૧૧૭૩

૩૧૮

મિથ્યાદ્રષ્ટિનું સ્વરૂપ ૧૭૪
૪૨૪
સમ્યક્ત્વના નિઃશંકિતદિ
આઠ ગુણ

૩૧૯૩૨૦ વ્યંતરદિ કાંઈ આપતા

૨૪૪
નથી .......... ૧૭૫૧૭૬
૪૨૫૪૨૬ નિઃશંકિતદિ દેવ ગુરુમાં
લાગુ પાડવા ૨૪૫

૩૨૧૩૨૨ જન્મ-મરણ, દુઃખ-સુખ,

૪૨૭૪૩૪ ધર્મનું
રોગ, દરિદ્ર વગેરે
સંબંધમાં સમ્યગ્દ્રષ્ટિનાં
વિચાર ................ ૧૭૬
માહાત્મ્ય ૨૪૬-૨૪૮
૪૩૫૪૩૬ ધર્મ રહિતની નિંદા ૨૪૯
૪૩૭
ધર્મ આચરો ને પાપ
છોડો

૩૨૩

પૂર્વોક્ત ગાથા પ્રમાણે જે
જાણે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ;
શંકા કરે તે
મિથ્યાદ્રષ્ટિ ........... ૧૭૭
૨૫૦
૪૩૮૪૮૮ બાર પ્રકારનાં તપનું
વર્ણન
૨૫૧૨૮૬
૪૮૯
ગ્રંથરચનાનું પ્રયોજન ૨૮૩

૩૨૪

આજ્ઞાસમ્યક્ત્વનું
૪૯૦
અનુપ્રેક્ષાનું ફળ ૨૮૪
સ્વરૂપ ................ ૧૭૭
૪૯૧
અન્ત્ય મંગલ ૨૮૪

Page 1 of 297
PDF/HTML Page 25 of 321
single page version

श्रीपरमात्मने नमः।
સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
ગુજરાતી ભાષાનુવાદ
મંગલાચરણ
(દોહા)
પ્રથમ ૠષભ જિન ધર્મકર, સન્મતિ ચરમ જિનેશ;
વિઘનહરણ મંગલકરણ, ભવતમ-દુરિત-દિનેશ. ૧.
વાણી જિનમુખથી ખરી, પડી ગણધિપ-કાન;
અક્ષર-પદમય વિસ્તરી, કરહિ સકલ કલ્યાણ. ૨.
ગુરુ ગણધર ગુણધર સકલ, પ્રચુર પરંપર ઔર;
વ્રતતપધર તનુનગનધર, વંદો વૃષ શિરમૌર. ૩.
સ્વામી કર્ત્તિકેય મુનિ, બારહ ભાવના ભાય;
કર્યું કથન વિસ્તારથી, પ્રાકૃત-છંદ બનાય. ૪.
સંસ્કૃત ટીકા તેહની, કરી સુઘર શુભચંદ્ર;
સુગમ-દેશભાષામયી, કરું નામ જયચંદ્ર. ૫.
ભણો ભણાવો ભવ્યજન, યથાજ્ઞાન મનધાર;
કરો નિર્જરા કર્મની, વાર વાર સુવિચાર. ૬.

એ પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણપૂર્વક પ્રતિજ્ઞા


Page 2 of 297
PDF/HTML Page 26 of 321
single page version

કરી સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશભાષામય વચનિકા કરીએ છીએ; ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં અર્થ લખીશ; તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી લેશો*.

શ્રીમાન્ સ્વામી કર્ત્તિકેયાચાર્ય, પોતાનાં જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન-વૈરાગ્ય ઊપજવાં તથા વિશુદ્ધતા થવાથી પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિધ્નપણે ગ્રંથની સમપ્તિ ઇત્યદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર કહે છેઃ

तिहुवणतिलयं देवं वंदित्ता तिहुवणिंदयपरिपुज्जं
वोच्छं अणुपेहाओ भवियजणाणंदजणणीओ ।।।।
त्रिभुवनतिलकं देवं वंदित्वा त्रिभुवनेन्द्रपरिपूज्यं
वक्ष्ये अनुप्रेक्षाः भविकजनानन्दजननीः ।।।।

અર્થઃત્રણ ભુવનના તિલક અને ત્રણ ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્યજીવોને આનંદ ઉપજાવવાવાળી અનુપ્રેક્ષા કહીશ.

ભાવાર્થઃઅહીં ‘દેવ’ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા, વિજિગીષા, દ્યુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ અદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને) ભિન્ન દર્શાવવા માટે અહીં ‘त्रिभुवनतिलकं’ એવું વિશેષણ આપ્યું છે. તેનાથી અન્ય દેવનો વ્યવચ્છેદ (નિરાકરણખંડન) થયો. *અહીં ભાષાનુવાદક સ્વર્ગીય પં. જયચંદ્રજીએ સમસ્ત ગ્રંથની સંક્ષિપ્ત સૂચનારૂપ પીઠિકા લખી છે, પણ તેને અહીં નહિ મૂકતાં આધુનિક પ્રથાનુસાર અમે ભૂમિકામાં (પ્રસ્તાવનામાં) લખી છે.


Page 3 of 297
PDF/HTML Page 27 of 321
single page version

વળી ત્રણભુવનના તિલક તો ઇન્દ્ર પણ છે, એટલે તેનાથી (જિનદેવને) ભિન્ન દર્શાવવા માટે ‘त्रिभुवनेंद्रपरिपूज्यं’ એવું વિશેષણ અહીં આપ્યું; તેનાથી ત્રણ ભુવનના ઇન્દ્રો વડે પણ પૂજનીક એવા દેવ છે તેમને અહીં નમસ્કાર કર્યા છે.

અહીં આ પ્રમાણે સમજવું કેએવું દેવપણું તો શ્રી અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુએ પાંચ પરમેષ્ઠીમાં જ સંભવે છે, કારણ કેપરમ સ્વાત્મજનિત આનંદ સહિત ક્રીડા, કર્મને જીતવારૂપ વિજિગીષા, સ્વાત્મજનિત પ્રકાશરૂપ દ્યુતિ, સ્વસ્વરૂપની સ્તુતિ, સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ, લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યદિ દેવપણાની એકદેશ વા સર્વદેશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે.

‘मं’ એટલે પાપ, તેને ‘गल’ એટલે ગાળે, તથા ‘मंग’ એટલે સુખ તેને ‘ल’ એટલે લતિદદતિ અર્થાત્ આપે તેને ‘મંગલ’ કહીએ છીએ. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છેશાંતભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે.

વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એ છે; પણ ચિંતવન તો અનેક પ્રકારનાં છે અને તેને કરવાવાળા પણ અનેક છે. તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં ‘भव्यजनानंदजननीः’ એવું વિશેષણ આપ્યું છે. તેથી જે ભવ્યજીવોને મોક્ષપ્રપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.

બીજું અહીં ‘अनुप्रेक्षाः’ એવું બહુવચનરૂપ પદ છે, ત્યાં અનુપ્રેક્ષા સામાન્ય ચિંતવન એક પ્રકારરૂપ છે તોપણ (વિશેષપણે તેના) અનેક પ્રકાર છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા બે ગાથાસૂત્રોમાં કહે છેઃ


Page 4 of 297
PDF/HTML Page 28 of 321
single page version

अद्ध्रुव असरण भणिया संसारामेगमण्णमसुइत्तं
आसव-संवरणामा णिज्जर-लोयाणुपेहाओ ।।।।
इय जणिऊण भावह दुल्लह-धम्माणुभावणा णिच्चं
मणवयणकायसुद्धी एदा उद्देसदो भणिया ।।।। युग्मम्
अध्रुव अशरणं भणिताः संसारमेकमन्यमअशुचित्वम्
आस्रवसंवरनामा निर्जरालोकानुप्रेक्षाः ।।
इति ज्ञात्वा भावयत दुर्लभधर्मानुभावनाः नित्यम्
मनोवचनकायशुद्धया एताः उद्देशतः भणिताः ।।

અર્થઃહે ભવ્યાત્મન્? આટલાં જે અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ) ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મએ બાર છે.

ભાવાર્થઃએ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ; વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજું કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત્વ કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવોનો ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધ્રુવાનુપ્રેક્ષા કહે છેઃ

પાઠાંતરઃ दस दो य भणिया हु।


Page 5 of 297
PDF/HTML Page 29 of 321
single page version

૧. અધા્રુવાનુપ્રેક્ષા
जं किंचि वि उप्पप्णं तस्स विणासो हवेइ णियमेण
परिणामसरूवेण वि ण य किंचि वि सासयं अत्थि ।।।।
यत्किंचिदपि उत्पन्नं तस्य विनाशो भवति नियमेन
परिणामस्वरूपेणपि न च किंचिदपि शाश्वतमस्ति ।।।।

અર્થઃજે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.

ભાવાર્થઃસર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઇચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા) ચિંતવવી યોગ્ય છેઃ

હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છેવિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? મનુષ્યપણું છે તે જીવ અને પુદ્ગલના સંયોગજનિત પર્યાય છે અને ધન-ધાન્યદિક છે તે પુદ્ગલના પરમાણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવુંવિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છેઃ

जम्मं मरणेण समं संपज्जइ जोव्वणं जरासहियं
लच्छी विणाससहिया इय सव्वं भंगुरं मुणह ।।।।

Page 6 of 297
PDF/HTML Page 30 of 321
single page version

जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितम्
लक्ष्मीः विनाशसहिता इति सर्वं भंगुरं जानीहि ।।।।

અર્થઃહે ભવ્ય! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!

ભાવાર્થઃજેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રપ્તિમાં હર્ષ, અપ્રપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રપ્તિમાં વિષાદ અને અપ્રપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.

अथिरं परियणसयणं पुत्तकलत्तं सुमित्तलावण्णं
गिहगोहणाइ सव्वं णवघणविंदेण सरिच्छं ।।।।
अस्थिर परिजनस्वजनं पुत्रकलत्रं सुमित्रलावण्यम्
गृहगोधनदि सर्वं नवघनवृन्देन सदृशम् ।।।।

અર્થઃજેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન અદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે.

ભાવાર્થઃએ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો.

सुरधणुतडिव्व चवला इंदियविसया सुभिच्चवग्गा य
दिट्ठपणट्ठा सव्वे तुरयगया रहवरादी य ।।।।
सुरधनुस्तडिद्वच्चपला इन्द्रियविषयाः सुभृत्यवर्गाश्च
दृष्टप्रणष्टाः सर्वे तुरगगजाः रथवरादयश्च ।।।।

Page 7 of 297
PDF/HTML Page 31 of 321
single page version

અર્થઃઆ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહ અને સારા ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.

ભાવાર્થઃઆ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ નોકર, ઘોડા, હાથી અને રથદિકની પ્રપ્તિથી સુખ માને છે પરંતુ એ સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે.

હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ

पंथे पहियजणाणं जह संजोओ हवेइ खणमित्तं
बंधुजणाणं च तहा संजोओ अद्ध्रुओ होइ ।।।।
पथि पथिकजनानां यथा संयोगो भवति क्षणमात्रम्
बन्धुजनानां च तथा संयोगः अध्रुवः भवति ।।।।

અર્થઃજેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.

ભાવાર્થઃઆ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને ભૂલે છે, પણ એ બંધુવગારદિનો સંયોગ માર્ગના પથિકજન જેવો જ છે, થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને સ્વરૂપને ન ભૂલવું.

હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છેઃ

अइललिओ वि देहो ण्हाणसुयंधेहिं विविहभक्खेहिं
खणमित्तेण वि विहडइ जलभरिओ आमघडओ व्व ।।।।
अतिललितः अपि देहः स्नानसुगन्धैः विविधभक्ष्यैः
क्षणमात्रेण अपि विघटते जलभृतः आमघटः इव ।।।।

Page 8 of 297
PDF/HTML Page 32 of 321
single page version

અર્થઃજુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે.

ભાવાર્થઃએવા આ શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.

આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છેઃ

जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं
सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं ।।१०।।
या शाश्वता न लक्ष्मीः चक्रधराणां अपि पुण्यवताम्
सा किं बध्नति रतिं इतरजनानां अपुण्यानाम् ।।१०।।

અર્થઃજે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણ્યકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે.

ભાવાર્થઃએ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે.

આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેઃ

कत्थवि ण रमइ लच्छी कुलीणधीरे वि पंडिए सूरे
पुज्जे धम्मिट्ठे वि य सुरूवसुयणे महासत्ते ।।११।।
कुत्र अपि न रमते लक्ष्मीः कुलीनधीरे अपि पण्डिते शूरे
पूज्ये धर्मिष्ठ अपि च सरूपसुजने महासत्त्वे ।।११।।

અર્થઃઆ લક્ષ્મીસંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી.


Page 9 of 297
PDF/HTML Page 33 of 321
single page version

ભાવાર્થઃકોઈ જાણે કેહું મોટા કુળનો છું, મારે પેઢી દર પેઢીથી આ સંપદા ચાલી આવે છે તો તે કયાં જવાની છે? હું ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છુંવિદ્યાવાન છું, તો તેને કોણ લઈ શકવાનું છે? ઊલટા મને તેઓ આપશે જ; હું સુભટ છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી પાસેથી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે, છતાં જાય કેવી રીતે? હું મહા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને વધારીશ જ, છતીને વે ક્યાં જવા દઈશ?

એ સર્વ વિચારો મિથ્યા છે;

કારણ કે આ સંપદા જોત-જોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી તે રહેતી નથી.

હવે કહે છે કેલક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ? તેનો ઉત્તરઃ

ता भुंजिज्जउ लच्छी दिज्जउ दाणे दयापहाणेण
जा जलतरंगचवला दो तिण्ण दिणणि चिट्ठेइ ।।१२।।
तावत् भुज्यतां लक्ष्मीः दीयतां दाने दयाप्रधानेन
या जलतरङ्गचपला द्वित्रिदिननि चेष्टते ।।१२।।

અર્થઃઆ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે એટલે જ્યાં સુધી તે બેત્રણ દિવસ સુધી ચેષ્ટા કરે છેમોજૂદ છે ત્યાં સુધી તેને ભોગવો વા દયાપ્રધાની થઈને દાનમાં આપો.

ભાવાર્થઃકોઈ કૃપણબુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર રાખવા ઇચ્છે છે તેને ઉપદેશ છે કેઆ લક્ષ્મી ચંચળ છે, સ્થિર રહેવાની નથી, માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન (મોજૂદ) છે ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનદિમાં ખરચો તથા ભોગવો.


Page 10 of 297
PDF/HTML Page 34 of 321
single page version

પ્રશ્નઃએને ભોગવવામાં તે પાપ ઉત્પન્ન થાય છે તે પછી એને ભોગવવાનો ઉપદેશ અહીં શા માટે આપો છો?

સમાધાનઃમાત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે તથા કોઈ કારણે તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ (ખેદ) ઘણો થાય છે અને વળી આસક્તપણાથી નિરંતર કષાયભાવ તીવ્ર-મલિન રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છેમલિન રહેતા નથી; વળી ઉદારતાપૂર્વક ભોગસામગ્રીમાં ખરચતાં જગત પણ જશ કરે છે ત્યાં પણ મન ઉજ્જ્વલ (પ્રસન્ન) રહે છે, કોઈ અન્ય કારણે તે વિણસી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી ઇત્યદિ, તેને ભોગવવામાં પણ, ગુણ થાય છે; પરંતુ કૃપણને તો તેનાથી કાંઈ પણ ગુણ (ફાયદો) નથી, માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે છે તો તેને કાંઈ અહીં ભોગવવાનો ઉપદેશ છે જ નહિ.

जो पुण लच्छिं संचदि ण य भुंजदि णेय देदि पत्तेसु
सो अप्पाणं वंचदि मणुयत्तं णिप्फलं तस्स ।।१३।।
यः पुनः लक्ष्मीं संचिनोति न च भुङ्क्ते नैव ददति पात्रेषु
सः आत्मानं वंचयति मनुजत्वं निष्फलं तस्य ।।१३।।

અર્થઃપરંતુ જે પુરુષ લક્ષ્મીનો માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી, તથા ભોગવતો પણ નથી, તે તો માત્ર પોતાના આત્માને જ ઠગે છે; એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છેવૃથા છે.

ભાવાર્થઃજે પુરુષે, લક્ષ્મી પામીને તેને માત્ર સંચય જ કરીને પણ દાન કે ભોગમાં ન ખરચી, તો તેણે મનુષ્યપણું પામીને શું કર્યું? મનુષ્યપણું નિષ્ફળ જ ગુમાવ્યું, અને પોતે જ ઠગાયો.

जो संचिऊण लच्छिं धरणियले संठवेदि अइदूरे
सो पुरिसो तं लच्छिं पाहाणसमणियं कुणदि ।।१४।।

Page 11 of 297
PDF/HTML Page 35 of 321
single page version

यः सचित्य लक्ष्मीं घरणीतले संस्थापयति अतिदूरे
सः पूरुषः तां लक्ष्मीं पाषाणसमनिकां करोति ।।१४।।

અર્થઃજે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.

ભાવાર્થઃજેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ.

अणवरयं जो संचदि लच्छिं ण य देदि णेय भुंजेदि
अप्पणिया वि य लच्छी परलच्छीसमणिया तस्स ।।१५।।
अनवरतं यः संचिनोति लक्ष्मीं न च ददति नैव भुङ्क्ते
आत्मीया अपि च लक्ष्मीः परलक्ष्मीसमनिका तस्य ।।१५।।

અર્થઃજે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે.

ભાવાર્થઃલક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને, તે લક્ષ્મી પેલાની (તેના ખરા મલિકની) છે અને પોતે તો માત્ર રખેવાળ (ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે.

लच्छीसंसत्तमणो जो अप्पाणं धरेदि कट्ठेण
सो राइदाइयाणं कज्जं साहेदि मूढप्पा ।।१६।।
लक्ष्मीसंसक्त मनाः यः आत्मानं धरति कष्टेन
स राजदायादीनां कार्यं साधयति मूढात्मा ।।१६।।

અર્થઃજે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું જ કાર્ય સાધે છે.

ભાવાર્થઃલક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા


Page 12 of 297
PDF/HTML Page 36 of 321
single page version

તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.

जो वड्ढारदि लच्छिं बहुविहबुद्धीहिं णेय तिप्पेदि
सव्वारंभं कुव्वदि रत्तिदिणं तं पि चिंतेदि ।।१७।।
ण य भुंजदि वेलाए चिंतावत्थो ण सुवदि रयणीये
सो दासत्तं कुव्वदि विमोहिदो लच्छितरुणीए ।।१८।।
यः वर्धापयति लक्ष्मीं बहुविधबुद्धिभिः नैव तृप्यति
सर्वारम्भं कुरुते रत्रिदिनं तमपि चिन्तयति ।।१७।।
न च भुङ्क्ते वेलायां चिन्तावस्थः न स्वपिति रजन्याम्
सः दासत्वं कुरुते विमोहितः लक्ष्मीतरुण्याः ।।१८।।

અર્થઃજે પુરુષ અનેક પ્રકારની કળાચતુરાઈબુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ, મસિ અને કૃષિ અદિ સર્વ આરંભ કરે છે, રત્રિ-દિવસ તેના જ આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.

ભાવાર્થઃજે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં ‘મોહલ્યા’ એવું નિંદ્ય નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.

હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છેઃ

जो वड्ढमाणलच्छिं अणवरयं देदि धम्मकज्जेसु
सो पंडिएहिं थुव्वदि तस्स वि सहला हवे लच्छी ।।१९।।
यः वर्धमानलक्ष्मीं अनवरतं ददति धर्मकार्येषु
सः पण्डितैः स्तूयते तस्य अपि सफला भवेत् लक्ष्मीः ।।१९।।

Page 13 of 297
PDF/HTML Page 37 of 321
single page version

અર્થઃજે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય છે અને તેની જ લક્ષ્મી સફળ છે.

ભાવાર્થઃલક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને પરોપકાર ઇત્યદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.

एवं जो जणित्ता विहलियलोयाण धम्मजुत्ताणं
णिरवेक्खो तं देदि हु तस्स हवे जीवियं सहलं ।।२०।।
एवं यः ज्ञात्वा विफलितलोकेभ्यः धर्मयुक्तेभ्यः
निरपेक्षः तां ददति खलु तस्य भवेत् जीवितं सफलम् ।।२०।।

અર્થઃ જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંછારહિત થઈને, તે લક્ષ્મીને આપે છે તેનું જીવન સફળ છે.

ભાવાર્થઃપોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંછારહિતપણે ધર્માત્મા તથા દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ જીવિત સફળ છે.

હવે આગળ મોહનું માહાત્મ્ય દર્શાવે છેઃ

जलबुब्बुयसरिच्छं धणजोव्वणजीवियं पि पेच्छंता
मण्णंति तो वि णिच्चं अइबलिओ मोहमाहप्पो ।।२१।।
जलबुद्बुदसदृशं धनयौवनजीवितं अपि पश्यन्तः
मन्यन्ते तथपि नित्यं अतिबलिष्ठं मोहमाहात्म्यम् ।।२१।।

અર્થઃઆ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બુદબુદની (પરપોટા) માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છેએ જ મોહનું મહા બળવાન માહાત્મ્ય છે.


Page 14 of 297
PDF/HTML Page 38 of 321
single page version

ભાવાર્થઃવસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન, જ્વરદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યદિ અનેક કારણો છે, પરંતુ આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ, શોક ઇત્યદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરાવે છે.

હવે આ કથનને સંકોચે છેઃ

चइऊण महामोहं विसए मुणिऊण भंगुरे सव्वे
णिव्विसयं कुणह मणं जेण सुहं उत्तमं लहए ।।२२।।
त्यक्त्वा महामोहं विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान्
निर्विषयं कुरुत मनः येन सुखं उत्तमं लभध्वे ।।२२।।

અર્થઃહે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય.

ભાવાર્થઃઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને પ્રાપ્ત થશે.

(દોહરો)
द्रव्यदृष्टितैं वस्तु थिर, पर्यय अथिर निहरि
उपजत विनशत देखिकैं हरष विषाद निवरि ।।
ઇતિ અધ્રુવાનુપ્રેક્ષા સમાપ્ત.
r

Page 15 of 297
PDF/HTML Page 39 of 321
single page version

૨. અશરણાનુપ્રેક્ષા
तत्थ भवे किं सरणं जत्थ सुरिंदाण दीसदे विलओ
हरिहरबंभादीया कालेण य कवलिया जत्थ ।।२३।।
तत्र भवे किं शरणं यत्र सुरेन्द्राणां दृश्यते विलयः
हरिहरब्रह्मदिकाः कालेन च कवलिताः यत्र ।।२३।।

અર્થઃજે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રુદ્ર અને બ્રહ્મા અર્થાત્ વિધાતા તથા અદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.

ભાવાર્થઃશરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ?

હવે તેનું દ્રષ્ટાંત કહે છેઃ

सीहस्स कमे पडिदं सारंगं जह ण रक्खदे को वि
तह मिच्चुणा य गहिदं जीवं पि ण रक्खदे को वि ।।२४।।
सिंहस्य क्रमे पतितं सारंगं यथा न रक्षति कः अपि
तथा मृत्युना च गृहीतं जीवं अपि न रक्षति कः अपि ।।२४।।

અર્થઃજેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.

ભાવાર્થઃજંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દ્રષ્ટાંત જાણવું. હવે એ જ અર્થને દ્રઢ કરે છે.


Page 16 of 297
PDF/HTML Page 40 of 321
single page version

जइ देवो वि य रक्खदि मंतो तंतो य खेत्तपालो य
मियमाणं पि मणुस्सं तो मणुया अक्खाया होंति ।।२५।।
यदि देवः अपि च रक्षति मन्त्रः तन्त्रः च क्षेत्रपालः च
म्रियमाणं अपि मनुष्यं तत् मनुजाः अक्षयाः भवन्ति ।।२५।।

અર્થઃમરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર, ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે જ નહિ.

ભાવાર્થઃલોકો જીવવાને માટે દેવપૂજા, મંત્ર-તંત્ર અને ઔષધી અદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા (શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.

હવે એ જ અર્થને ફરીથી દ્રઢ કરે છેઃ

अइबलिओ वि रउद्दो मरणविहीणो ण दीसदे को वि
रक्खिज्जंतो वि सया रक्खपयारेहिं विविहेहिं ।।२६।।
अतिबलिष्ट अपि रौद्रः मरणविहीनः न दृश्यते कः अपि
रक्षमाणः अपि सदा रक्षाप्रकारैः विविधैः ।।२६।।

અર્થઃ આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્રભયાનક અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.

ભાવાર્થઃગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર અદિ રક્ષાના અનેક પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.

હવે પરમાં શરણ કલ્પે તેના અજ્ઞાનને દર્શાવે છેઃ

एवं पेच्छंतो वि हु गहभूयपिसायजोइणीजक्खं
सरणं मण्णइ मूढो सुगाढमिच्छत्तभावादो ।।२७।।