Page 17 of 297
PDF/HTML Page 41 of 321
single page version
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂયારદિ ગ્રહ, ભૂત, વ્યંતર, પિશાચ, જોગણી, ચંડિકદિક અને મણિભદ્રદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થઃ — આ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે છેઃ —
અર્થઃ — આયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇન્દ્ર પણ મરણથી બચાવી શકતો નથી.
ભાવાર્થઃ — આયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ કોઈ પણ કોઈને પણ આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
Page 18 of 297
PDF/HTML Page 42 of 321
single page version
અર્થઃ — દેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા માટે છોડત?
ભાવાર્થઃ — સર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તો તેને કોણ છોડે?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છેઃ —
અર્થઃ — હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચરિત્રસ્વરૂપ (આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ જ પરમાર્થરૂપ (વાસ્તવિક – સાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે. નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડો – એમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દ્રઢ કરે છેઃ —
અર્થઃ — ઉત્તમ ક્ષમદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ હણે છે.
Page 19 of 297
PDF/HTML Page 43 of 321
single page version
ભાવાર્થઃ — પરમાર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. ક્રોધદિરૂપ ભાવ કરે છે ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમદિરૂપ ભાવ કરે છે ત્યારે પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમદિ) ભાવોથી, જન્મમરણ રહિત થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — મિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ — એ સહિત આ જીવને અનેક
Page 20 of 297
PDF/HTML Page 44 of 321
single page version
દેહોમાં જે સંસરણ અર્થાત્ ભ્રમણ થાય છે તેને ‘સંસાર’ કહીએ છીએ. તે કેવી રીતે? એ જ કહીએ છીએઃ – એક શરીરને છોડી અન્યને ગ્રહણ કરે; વળી પાછો નવું શરીર ગ્રહણ કરી, પાછો તેને પણ છોડી, અન્યને ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણી વાર ( શરીરને) ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે.
ભાવાર્થઃ — એક શરીરથી અન્ય શરીરની પ્રપ્તિ થયા કરે તે જ સંસાર છે.
હવે એ પ્રમાણે સંસારમાં સંક્ષેપથી ચાર ગતિ છે તથા અનેક પ્રકારનાં દુઃખ છે. ત્યાં પ્રથમ જ નરકગતિનાં દુઃખોને છ ગાથાઓ દ્વારા કહે છેઃ —
અર્થઃ — પાપના ઉદયથી આ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે; ત્યાં પાંચ પ્રકારનાં વિવિધ ઘણાં દુઃખ સહન કરે છે, જેમને તિર્યંચદિ અન્ય ગતિઓનાં દુઃખોની ઉપમા આપી શકાતી નથી.
ભાવાર્થઃ — જે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ કરે છે, પરનારીને વાંચ્છે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસક્ત છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિ કઠોરભાષી, પાપી, ચુગલીખોર, (અતિ) કૃપણ, દેવ-શાસ્ત્ર-ગુરુ નિંદક, અધમ, દુબુરદ્ધિ, કૃતઘ્ની અને ઘણો જ શોક-દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખને સહે છે.
હવે ઉપર કહેલાં પાંચ પ્રકારનાં દુઃખ ક્યાં ક્યાં છે તે કહે છેઃ —
Page 21 of 297
PDF/HTML Page 45 of 321
single page version
અર્થઃ — અસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, (પોતાના) શરીરથી જ ઉત્પન્ન થયેલાં દુઃખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં દુઃખ તથા પરસ્પર કરેલાં દુઃખ — એ પ્રમાણે પાંચ પ્રકારનાં દુઃખ છે.
ભાવાર્થઃ — ત્રીજા નરક સુધી તો અસુરકુમારદેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છે – અનેક પ્રકારથી દુઃખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેવ અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ, દુર્ગંધદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી (આપસ-આપસમાં) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુઃખને વિશેષ (ભેદ) કહે છેઃ —
અર્થઃ — જ્યાં શરીરને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રગ્નિમાં પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
Page 22 of 297
PDF/HTML Page 46 of 321
single page version
અર્થઃ — એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
ભાવાર્થઃ — આ ગાથામાં નરકનાં દુઃખોનું વચન અગોચરપણું કહ્યું છે.
હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે તે કહે છેઃ —
અર્થઃ — નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર ક્રુધિત છે.
ભાવાર્થઃ — ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી (જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે.
અર્થઃ — પૂર્વભવમાં જે સ્વજન – કુટુંબી હતો તે પણ આ નરકમાં ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.
Page 23 of 297
PDF/HTML Page 47 of 321
single page version
ભાવાર્થઃ — એવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે તો પણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છેઃ —
અર્થઃ — એ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે; ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ પામે છે. ‘अपि’ શબ્દથી સમ્મૂર્છન થઈ છેદનદિકનાં દુઃખ પામે છે.
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ, સિંહ – વાઘ અદિ વડે ભક્ષણ થતો તથા દુષ્ટ મનુષ્ય (મ્લેચ્છ, પારધી, માછીમાર અદિ) વડે માર્યો જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર – ભયાનક દુઃખોને અતિશય સહન કરે છે.
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ
Page 24 of 297
PDF/HTML Page 48 of 321
single page version
દુઃખ પામે છે, તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી અન્ય કોણ રક્ષણ કરે?
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળીને (કદચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પયારપ્તિ જ પૂરી ન થાય.
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે. ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છેઃ —
Page 25 of 297
PDF/HTML Page 49 of 321
single page version
અર્થઃ — અથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્ત-પાદદિ અંગ અને આંગળાં અદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ) દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે છે.
વળી તે કેવો થાય, તે કહે છેઃ —
અર્થઃ — ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માત- પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છેઃ —
અર્થઃ — આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામ – આયુ અદિ દુષ્કર્મના વશે એવાં દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા, દાન, વ્રત, તપ અને ધ્યાનદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે.
Page 26 of 297
PDF/HTML Page 50 of 321
single page version
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગદિ જોવામાં આવે છે.
અર્થઃ — પુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. જુઓ, અભિમાનયુક્ત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થઃ — કોઈ જાણે કે ‘જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે’, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાનદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કહેવી?
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
Page 27 of 297
PDF/HTML Page 51 of 321
single page version
અર્થઃ — આ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે.
ભાવાર્થઃ — મોટા પુણ્યવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ ઓછપ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી (કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
અર્થઃ — કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની પ્રપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
અર્થઃ — જો કોઈ નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રપ્તિ હોતી નથી અને જો ધન-ધાન્યની પ્રપ્તિ થઈ જાય છે તો (કદચિત્) મરણ પણ થઈ જાય છે.
Page 28 of 297
PDF/HTML Page 52 of 321
single page version
અર્થઃ — આ મનુષ્યભવમાં કોઈને સ્ત્રી દુરાચરણી છે, કોઈને પુત્ર જુગાર અદિ દુર્વ્યસનોમાં લવલીન છે, કોઈને શત્રુ સમાન કલહકારી ભાઈ છે તો કોઈને પુત્રી દુરાચરણી છે.
અર્થઃ — કોઈને તો સારો પુત્ર હોય તે મરી જાય છે, કોઈને ઇષ્ટ સ્ત્રી હોય તે મરી જાય છે તો કોઈને ઘર-કુટુંબ સઘળું અગ્નિ વડે બળી જાય છે.
અર્થઃ — ઉપર પ્રમાણે મનુષ્યગતિમાં નાના પ્રકારનાં દુઃખોને સહવા છતાં પણ આ જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી અને પાપારંભને છોડતો નથી.
અર્થઃ — ધનવાન હોય તે નિર્ધન થઈ જાય છે, એ જ પ્રમાણે નિર્ધન હોય તે ઇશ્વર થઈ જાય છે. વળી રાજા હોય તે કિંકર થઈ
Page 29 of 297
PDF/HTML Page 53 of 321
single page version
જાય છે. અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.
અર્થઃ — કર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.
ભાવાર્થઃ — પુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.
હવે ચાર ગાથામાં દેવગતિનાં દુઃખોનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — અથવા (કદચિત્) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે ત્યાં તેને પણ મહાન ૠદ્ધિધારક દેવોની ૠદ્ધિસંપદા જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે.
અર્થઃ — મહર્દ્ધિકદેવોને પણ ઇષ્ટ ૠદ્ધિ અને દેવાંગનદિનો વિયોગ થતાં દુઃખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
Page 30 of 297
PDF/HTML Page 54 of 321
single page version
હવે શારીરિક દુઃખથી માનસિક દુઃખ મોટું છે — એમ કહે છેઃ —
અર્થઃ — કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે – મોટું છે; જુઓ, માનસિક દુઃખ સહિત પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થઃ — મનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ ભાસે છે.
અર્થઃ — દેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
ભાવાર્થઃ — અન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે, કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી એમ કહે છેઃ —
Page 31 of 297
PDF/HTML Page 55 of 321
single page version
અર્થઃ — એ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખસાગરરૂપ ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.
ભાવાર્થઃ — ચારગતિરૂપ સંસાર છે. અને ચારે ગતિઓ દુઃખરૂપ જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું?
હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તેથી તે જે યોનિમાં ઊપજે છે ત્યાં જ સુખ માની લે છેઃ —
અર્થઃ — હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે – ક્રીડા કરે છે.
હવે કહે છે કે — આ પ્રાણીનો એક જ ભવમાં અનેક સંબંધ થાય છે.
Page 32 of 297
PDF/HTML Page 56 of 321
single page version
અર્થઃ — એક જીવને એક ભવમાં આટલા સંબંધ થાય છે તો પછી ધર્મરહિત જીવોને અન્ય ભવોના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ ક્યા ક્યા છે? તે કહીએ છીએઃ — પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો, માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને (પરસ્પર) થયા. તેમની કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએઃ —
માલવદેશની ઉજ્જયની નગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે સોળ કરોડ દ્રવ્યનો સ્વામી હતો. તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે નાખી આવી
સ્ત્રીને સોંપી. તેનું (પુત્રીનું) નામ કમળા રાખ્યું — તથા પુત્રને ઉત્તરદિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના વણજારાએ તેને (પુત્રને) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન) પતિ-પત્ની થયાં. પછી આ ધનદેવ વ્યાપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું સર્વ વૃતાંત કહ્યું, તે નીચે પ્રમાણે છેઃ
Page 33 of 297
PDF/HTML Page 57 of 321
single page version
આ ઉજ્જયિની નગરીમાં એક સોમશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દ્રશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં હાસ્ય કર્યું કે
તરુણ સ્ત્રી, અહો વિધાતાએ ખરી વિપરીતતા રચી છે!’ ઉપર્જિત કર્મ અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ હાસ્યના પાપથી અગ્નિભૂત અને સોમભૂત બંને ભાઈ મરીને આ વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને) વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ. એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળીને કમળાને જતિસ્મરણજ્ઞાન થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે તું સાંભળ.
૧. મારો ભરથાર જે ધનદેવ તેના સંયોગથી તું જન્મ્યો માટે મારો પણ તું (શોક) પુત્ર છે.
૨. ધનદેવ મારો સગો ભાઈ છે તેનો તું પુત્ર છે, માટે તું મારો ભત્રીજો પણ છે.
૩. તારી માતા વસંતતિલકા છે તે જ મારી પણ માતા છે, માટે તું મારો ભાઈ પણ છે.
૪. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો દિયર પણ છે.
Page 34 of 297
PDF/HTML Page 58 of 321
single page version
૫. મારો ભરથાર ધનદેવ છે તે મારી માતા વસંતતિલકાનો પણ ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
૬. હું વસંતતિલકાની શોક્ય થઈ, તેથી ધનદેવ મારો શોકપુત્ર થયો અને તેનો તું પુત્ર છે માટે તું પૌત્ર પણ છે.
એ પ્રમાણે વરુણને તે છ પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી વસંતતિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે? કે મારા પુત્રને આ પ્રમાણે છ પ્રકારથી તારો સંબંધ સંભળાવે છે? ત્યારે કમળા બોલી કે તારી સાથે મારે પણ છ પ્રકારથી સંબંધ છે. તે તું પણ સાંભળ!
૧. પ્રથમ તો તું મારી માતા છે, કારણ કે હું ધનદેવની સાથે તારા જ ઉદરથી યુગલરૂપે ઊપજી છું.
૨. ધનદેવ મારો ભાઈ છે, તેની તું સ્ત્રી છે, માટે તું મારી ભોજાઈ (ભાભી) પણ છે.
૩. મારો ભરથાર ધનદેવ છે, તેની તું પણ સ્ત્રી છે, માટે તું મારી શોક પણ છે.
૪. તું મારી માતા છે અને તારો ભરથાર ધનદેવ પણ થયો એટલે ધનદેવ મારો પિતા થયો, તેની તું માતા છે, માટે તું મારી દાદી પણ છે.
૫. ધનદેવ તારો પુત્ર છે અને તે મારો પણ શોકપુત્ર છે, તેની તું સ્ત્રી થઈ, માટે તું મારી પુત્રવધૂ પણ છે.
૬. હું ધનદેવની સ્ત્રી છું અને તું ધનદેવની માતા છે, માટે તું મારી સાસુ પણ છે
આ પ્રમાણે વસંતતિલકા વેશ્યા પોતાના છ પ્રકારના સંબંધ સાંભળીને ચિંતામાં વિચારગ્રસ્ત હતી ત્યાં જ પેલો ધનદેવ આવ્યો. તેને
Page 35 of 297
PDF/HTML Page 59 of 321
single page version
જોઈને કમળા બોલી કે તારી સાથે પણ મારા છ પ્રકારના સંબંધ છે. તે સાંભળઃ —
૧. પ્રથમ તો તું અને હું બન્ને આ જ વેશ્યાના ઉદરમાંથી જોડકારૂપે સાથે જન્મ્યાં છીએ, માટે તું મારો ભાઈ છે.
૨. પછી તારો અને મારો વિવાહ થયો, તેથી તું મારો પતિ પણ છે.
૩. વસંતતિલકા મારી માતા છે અને તેનો તું ભરથાર છે. માટે તું મારો પિતા પણ છે.
૪. વરુણ તારો નાનો ભાઈ છે અને તે મારો કાકો થયો, તેનો તું પિતા છે, એટલે કાકાનો પિતા હોવાથી તું મારો દાદો પણ થયો.
૫. હું વસંતતિલકાની શોક છું અને તું મારી શોકનો પુત્ર છે, તેથી તું મારો પુત્ર પણ છે.
૬. તું મારો ભરથાર છે અને તારી માતા વસંતતિલકા મારી સાસુ થઈ, એ સાસુનો તું ભરથાર થયો, એટલે તું મારો સસરો પણ થયો.
એ પ્રમાણે એક જ ભવમાં એક જ જીવને અઢાર સંબંધ થયા.❃ તેનું અહીં ઉદાહરણ કહ્યું. એમ આ સંસારની વિચિત્ર વિટંબણા છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ❃. એ અઢાર નાતાની કથા અન્ય ગ્રંથો ઉપરથી અહીં લખી છે. તે ગાથાઓઃ
Page 36 of 297
PDF/HTML Page 60 of 321
single page version
હવે પાંચ પ્રકારના સંસારનાં નામ કહે છેઃ —
અર્થઃ — સંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧) દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્ આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકદિ ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ; – એ પ્રમાણે પાંચ પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છેઃ —
અર્થઃ — આ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં જ્ઞાનાવરણદિ કર્મપુદ્ગલો તથા ઔદરિકદિ શરીરરૂપ નોકર્મ-પુદ્ગલોને મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ-કષાયવશ જ્ઞાનાવરણદિ કર્મોના સમય- પ્રબદ્ધને અભવ્યરશિથી અનંત ગુણા તથા સિદ્ધરશિથી અનંતમા ભાગે પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ) સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં