Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 68-102 ; 4. Ekatvanupreksha; 5. Anyatvanupreksha; 6. Ashuchitvanupreksha; 7. Aashravanupreksha; 8. Sanvaranupreksha; 9. Nirjaranupreksha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 17

 

Page 37 of 297
PDF/HTML Page 61 of 321
single page version

છે તેમાંથી એટલી જ (કર્મવર્ગણાઓ) સમયે સમયે ખરી જાય છે. વળી
એ જ પ્રમાણે ઔદારિકાદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના
સમયથી માંડીને આયુ સ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ
પ્રમાણે અનાદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ
કરવું વા છોડવું થયા જ કરે છે.
હવે ત્યાં એક પરાવર્તનના પ્રારંભમાં પ્રથમ સમયના સમય-
પ્રબદ્ધમાં જેટલા પુદ્ગલપરમાણુને જેવા સ્નિગ્ધ-રૂક્ષ-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ
તીવ્ર-મંદ-મધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી
ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનોકર્મપરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત
વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી
રીતે જેવા ને તેવા જ (કર્મ-નોકર્મપરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને
અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે
આ જીવે આ લોકમાં અનંતા પરાવર્તન કર્યાં.
હવે ક્ષેત્રપરાવર્તન કહે છેઃ
सो को वि णत्थि देसो लोयायासस्स णिरवसेसस्स
जत्थ ण सव्वो जीवो जादो मरिदो य बहुवारं ।।६८।।
सः कः अपि नास्ति देशः लोकाकाशस्य निरवशेषस्य
यत्र न सर्वः जीवः जातः मृतः च बहुवारम् ।।६८।।
અર્થઃઆ સમગ્ર લોકાકાશનો એવો કોઈ પણ પ્રદેશ નથી કે
જ્યાં આ સર્વ સંસારી જીવો અનેક વાર ઊપજ્યામર્યા ન હોય.
ભાવાર્થઃસર્વ લોકાકાશના પ્રદેશોમાં આ જીવ અનંતવાર
ઊપજ્યો-મર્યો છે. એવો એક પણ પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં (આ
જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના
પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને
સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપ્તક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે
છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશી છે. તે જેટલા પ્રદેશ

Page 38 of 297
PDF/HTML Page 62 of 321
single page version

છે તેટલી વાર તો ત્યાં જ એ જ અવગાહના પામે છે, વચ્ચે અન્ય
જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી.
ત્યાર પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં
ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં) મહામચ્છની ઉત્કૃષ્ટ
અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ
પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.
હવે કાળપરાવર્તન કહે છેઃ
उवसप्पिणिअवसप्पिणिपढमसमयादिचरमसमयंतं
जीवो कमेण जम्मदि मरदि य सव्वेसु कालेसु ।।६९।।
उत्सर्पिणीअवसर्पिणीप्रथमसमयादिचरमसमयान्तम्
जीवः क्रमेण जायते म्रियते च सर्वेषु कालेषु ।।६९।।
અર્થઃઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી
માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમપૂર્વક સર્વકાળમાં ઊપજે
તથા મરે છે (તે કાળપરાવર્તન છે).
ભાવાર્થઃકોઈ જીવ, દસ કોડાકોડી સાગરનો જે
ઉત્સર્પિણીકાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે, પછી બીજી ઉત્સર્પિણીના
બીજા સમયમાં જન્મે, એ જ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં
જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય
સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે
અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો (ક્રમવાર) પૂર્ણ
કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં
પણ અનંત કાળ થાય છે.
હવે ભવપરાવર્તન કહે છેઃ
णेरइयादिगदीणं अवरट्ठिदिदो वरट्ठिटी जाव
सव्वट्ठिदिसु वि जम्मदि जीवो गेवेज्जपज्जंतं ।।७०।।

Page 39 of 297
PDF/HTML Page 63 of 321
single page version

नैरयिकादिगतीनां अपरस्थितितः वरस्थितिः यावत्
सर्वस्थितिषु अपि जायते जीवः ग्रैवेयकपर्यन्तम् ।।७०।।
અર્થઃસંસારી જીવ, નરકાદિ ચાર ગતિની જઘન્ય સ્થિતિથી
માંડીને ગ્રૈવેયકપર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં જન્મે છે.
ભાવાર્થઃનરકગતિની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે.
તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ
કરીને જન્મે, પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી બે
સમય અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમપૂર્વક તેત્રીસ
સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. પણ વચ્ચે-વચ્ચે ઓછું-વત્તું આયુષ્ય લઈ
જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચગતિનું જઘન્ય આયુ
અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક
થઈ, પછી એક સમય અધિક-અધિકના ક્રમથી (એ તિર્યંચગતિનું ઉત્કૃષ્ટ)
ત્રણ પલ્ય આયુ પૂર્ણ કરે; પણ વચ્ચે ઓછું
વત્તું આયુ પામે તેની અહીં
ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જઘન્ય આયુથી માંડીને ઉત્કૃષ્ટ
ત્રણ પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જઘન્ય દસ
હજાર વર્ષથી માંડીને અંતિમ ગ્રૈવેયકની એકત્રીસ સાગર સુધીનું
સમય-સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે; તેને ભવપરાવર્તન કહે છે.
નવ ગ્રૈવેયકની આગળ ઊપજવાવાળો એક બે ભવ કરીને મુક્ત જ
થાય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. એ ભવપરાવર્તનનો પણ અનંત
કાળ છે.
હવે ભાવપરાવર્તન કહે છેઃ
परिणमदि सण्णिजीवो विविहकसाएहिं ट्ठिदिणिमित्तेहिं
अणुभागणिमित्तेहिं य वट्टंतो भावसंसारे ।।७१।।
परिणमते संज्ञिजीवः विविधकषायैः स्थितिनिमित्तैः
अनुभागनिमित्तैः च वर्त्तमानः भावसंसारे ।।७१।।
અર્થઃભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ અનેક પ્રકારના કર્મોના

Page 40 of 297
PDF/HTML Page 64 of 321
single page version

સ્થિતિબંધના તથા અનુભાગબંધના કારણરૂપ અનેક પ્રકારના કષાયોરૂપે
પરિણમે છે.
ભાવાર્થઃકર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં
સ્થાનક અસંખ્યાતલોકપ્રમાણ છે. તેમાં એક સ્થિતિબંધસ્થાનમાં
અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન અસંખ્યાતલોકપ્રમાણ છે. વળી
યોગસ્થાન છે તે જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગે છે. તેને આ જીવ
પરિવર્તન કરે છે. તે કેવી રીતે? કોઈ સંજ્ઞી મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્ત જીવ
પોતાને યોગ્ય સર્વ જઘન્ય જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિની સ્થિતિ અંતઃકોડાકોડી
સાગર પ્રમાણ બાંધે, તેનાં કષાયસ્થાન અસંખ્યાત લોકમાત્ર છે. તેમાં સર્વ
જઘન્યસ્થાન એકરૂપ પરિણમે. તેમાં તે એક સ્થાનમાં અનુભાગબંધના
કારણરૂપ સ્થાન એવા અસંખ્યાતલોકપ્રમાણ છે, તેમાંથી એક (સ્થાન)
સર્વજઘન્યરૂપ પરિણમે, ત્યાં તેને યોગ્ય સર્વજઘન્ય યોગસ્થાનરૂપ પરિણમે
ત્યારે જ જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન અનુક્રમથી પૂર્ણ
કરે; પણ વચમાં અન્ય યોગસ્થાનરૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી.
એ પ્રમાણે યોગસ્થાન પૂર્ણ થતાં અનુભાગસ્થાનનું બીજું સ્થાન પરિણમે.
ત્યાં પણ એ જ પ્રમાણે સર્વ યોગસ્થાન પૂર્ણ કરે. ત્યાર પછી ત્રીજું
અનુભાગસ્થાન થાય. ત્યાં પણ તેટલાં જ યોગસ્થાન ભોગવે. એ પ્રમાણે
અસંખ્યાતલોકપ્રમાણ અનુભાગસ્થાન અનુક્રમે પૂર્ણ કરે ત્યારે બીજું
કષાયસ્થાન લેવું. ત્યાં પણ ઉપર કહેલા ક્રમપૂર્વક અસંખ્યાત લોકપ્રમાણ
અનુભાગસ્થાન તથા જગત્શ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન
પૂર્વોક્ત ક્રમપૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કષાયસ્થાન લેવું; એ પ્રમામે ચોથું
પાંચમુંછઠ્ઠું આદિ અસંખ્યાત લોકપ્રમાણ કષાયસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક
પૂર્ણ કરે ત્યારે એક સમય અધિક જઘન્યસ્થિતિસ્થાન લેવું. તેમાં પણ
કષાયસ્થાન, અનુભાગસ્થાન અને યોગસ્થાન ઉપર કહેલા ક્રમપૂર્વક
ભોગવે. એ પ્રમાણે બે સમય અધિક જઘન્યસ્થિતિથી માંડી ત્રીસ
કોડાકોડી સાગર સુધી જ્ઞાનાવરણકર્મની સ્થિતિ પૂર્ણ કરે. એ પ્રમાણે સર્વ
મૂળકર્મપ્રકૃતિઓ તથા ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્રમ જાણવો. એ રીતે
પરિણમતાં-પરિણમતાં અનંત કાળ વ્યતીત થાય છે; તેને એકઠો કરતાં

Page 41 of 297
PDF/HTML Page 65 of 321
single page version

એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો
આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃ
एवं अणाइकालं पंचपयारे भमेइ संसारे
णाणादुक्खणिहाणे जीवो मिच्छत्तदोसेण ।।७२।।
एवं अनादिकालं पञ्चप्रकारे भ्रमति संसारे
नानादुःखनिधाने जीवः मिथ्यात्वदोषेण ।।७२।।
અર્થઃએ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં આ જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર? અનેક
પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો) છે.
હવે એવા સંસારથી છૂટવાનો ઉપદેશ કરે છેઃ
इय संसारं जाणिय मोहं सव्वायरेण चइऊणं
तं झायह ससहावं संसरणं जेण णासेइ ।।७३।।
इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा
तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।।७३।।
અર્થઃઉપર કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે
ઉદ્યમ કરી, મોહને છોડી હે ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન
કર કે જેથી સંસારપરિભ્રમણનો નાશ થાય.
(દોહરા)
પંચપરાવર્તનમયી, દુઃખરૂપ સંસાર;
મિથ્યાકર્મ ઉદય થકી, ભરમે જીવ અપાર.
ઇતિ સંસારાનુપ્રેક્ષા સમાપ્ત.
q

Page 42 of 297
PDF/HTML Page 66 of 321
single page version

૪. એકત્વાનુપ્રેક્ષા
इक्को जीवो जायदि इक्को गब्भम्हि गिह्णदे देहं
इक्को बाल-जुवाणो इक्को वुड्ढो जरागहिओ ।।७४।।
एकः जीवः जायते एकः गर्भे गृह्णाति देहं
एकः बालः युवा एकः वृद्धः जरागृहितः ।।७४।।
અર્થઃજીવ છે તે એકલો ઊપજે છે, તે એકલો જ ગર્ભમાં
દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન
અને તે એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે.
ભાવાર્થઃજીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે.
इक्को रोई सोई इक्को तप्पेइ माणसे दुक्खे
इक्को मरदि वराओ णरयदुहं सहदि इक्को वि ।।७५।।
एकः रोगी शोकी एकः तप्यते मानसैः दुःखैः
एकः म्रियते वराकः नरकदुःखं सहते एकः अपि ।।७५।।
અર્થઃજીવ એકલો જ રોગી થાય છે, જીવ એકલો જ શોકાર્ત
થાય છે, જીવ એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે, જીવ એકલો
જ મરે છે અને જીવ એકલો જ દીન બની નરકનાં દુઃખો સહન કરે છે.
ભાવાર્થઃજીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ
કરે છે.
इक्को संचदि पुण्णं इक्को भुंजेदि विविहसुरसोक्खं
इक्को खवेदि कम्मं इक्को वि य पावए मोक्खं ।।७६।।
एकः संचिनोति पुण्यं एकः भुनक्ति विविधसुरसौंख्यं
एकः क्षपति कर्म्म एकः अपि च प्राप्नोति मोक्षम् ।।७६।।

Page 43 of 297
PDF/HTML Page 67 of 321
single page version

અર્થઃજીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો
જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે,
અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃજીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે
અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે.
सुयणो पिच्छंतो वि हु ण दुक्खलेसं पि सक्कदे गहिदुं
एवं जाणंतो वि हु तो वि ममत्तं ण छंडेइ ।।७७।।
स्वजनः पश्यन्नपि स्फु टं न दुःखलेशं अपि शक्नोति ग्रहीतुम्
एवं जानन् अपि स्फु टं ततः अपि ममत्वं न त्यजति ।।७७।।
અર્થઃસ્વજન અર્થાત્ કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ
આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને
અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ
કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થઃપોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ
ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ
સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છેઃ
जीवस्स णिच्छयादो धम्मो दहलक्खणो हवे सुयणो
सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ ।।७८।।
जीवस्य निश्चयतः धर्मः दशलक्षणः भवेत् स्वजनः
सः नयति देवलोके सः एव दुःखक्षयं करोति ।।७८।।
અર્થઃઆ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ
ક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે
છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશને (મોક્ષને) કરે છે.

Page 44 of 297
PDF/HTML Page 68 of 321
single page version

ભાવાર્થઃધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું
જાણઃ
सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो भिण्णं
जम्हि दु मुणिदे जीवे होदि असेसं खणे हेयं ।।७९।।
सर्वादरेण जानीहि एकं जीवं शरीरतः भिन्नम्
यस्मिन् तु ज्ञाते जीवे भवति अशेषं क्षणे हेयम् ।।७९।।
અર્થઃહે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી
ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો
ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થઃજ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો
હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન
ઉપદેશ છે.
(દોહરો)
એક જીવ પર્યાય બહુ, ધારે સ્વ-પર નિદાન;
પર તજી આપા જાણકે, કરો ભવ્ય કલ્યાણ.
ઇતિ એકત્વાનુપ્રેક્ષા સમાપ્ત.

Page 45 of 297
PDF/HTML Page 69 of 321
single page version

૫. અન્યત્વાનુપ્રેક્ષા
अण्णं देहं गिह्णदि जणणी अण्णा य होदि कम्मादो
अण्णं होदि कलत्तं अण्णो वि य जायदे पुत्तो ।।८०।।
अन्यं देहं गृह्णाति जननी अन्या च भवति कर्मतः
अन्यत् भवति कलत्रं अन्यः अपि च जायते पुत्रः ।।८०।।
અર્થઃઆ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી
અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે તથા પુત્ર
છે તે પણ અન્ય ઊપજે છે; આ સર્વ કર્મસંયોગથી આવી મળે છે.
एवं बाहिरदव्वं जाणदि रूवादु अप्पणो भिण्णं
जाणंतो वि हु जीवो तत्थेव य रज्जदे मूढो ।।८१।।
एवं बाह्यद्रव्यं जानाति रूपात् स्फु टं आत्मनः भिन्नं
जानन् अपि स्फु टं जीवः तत्रैव च रज्यति मूढः ।।८१।।
અર્થઃએ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્યવસ્તુઓને
આત્માના સ્વરૂપથી ન્યારી (ભિન્ન) પ્રગટપણે જાણવા છતાં પણ આ
મૂઢ
મોહી જીવ તે પરદ્રવ્યોમાં જ રાગ કરે છે, પરંતુ એ મોટી
મૂર્ખતા છે.
जो जाणिऊण देहं जीवसरूवादु तच्चदो भिण्णं
अप्पाणं पि य सेवदि कज्जकरं तस्स अण्णत्तं ।।८२।।
यः ज्ञात्वा देहं जीवस्वरूपात् तत्त्वतः भिन्नम्
आत्मानं अपि च सेवते कार्यकरं तस्य अन्यत्वम् ।।८२।।
અર્થઃજે જીવ પોતાના આત્મસ્વરૂપથી દેહને પરમાર્થપણે
ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છેધ્યાવે છે તેને આ અન્યત્વભાવના
કાર્યકારી છે.

Page 46 of 297
PDF/HTML Page 70 of 321
single page version

ભાવાર્થઃજે દેહાદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું
સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
(દોહરો)
નિજ આતમથી ભિન્ન પર, જાણે જે નર દક્ષ;
નિજમાં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
ઇતિ અન્યત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૬. અશુચિત્વાનુપ્રેક્ષા
सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं
मलमुत्ताण य गेहं देहं जाणेहि असुइमयं ।।८३।।
सकलकुथितानां पिण्डं कृमिकुलकलितं अपूर्वदुर्गन्धं
मलमूत्राणां च गृहं देहं जानीहि अशुचिमयम् ।।८३।।
અર્થઃહે ભવ્ય! તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે
એ દેહ? સઘળી કુત્સિત્ અર્થાત્ નિંદનીય વસ્તુઓનો પિંડસમુદાય છે.
વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા
જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થઃઆ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કેઆ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના
સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
सुट्ठु पवित्तं दव्वं सरससुगंधं मणोहरं जं पि
देहणिहित्तं जायदि घिणावणं सुट्ठु दुग्गंधं ।।८४।।

Page 47 of 297
PDF/HTML Page 71 of 321
single page version

सुष्ठु पवित्रं द्रव्यं सरससुगन्धं मनोहरं यदपि
देहनिक्षिप्तं जायते घृणास्पदं सुष्ठु दुर्गन्धम् ।।८४।।
અર્થઃરૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે
પણ આ દેહમાં નાખતાંની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય
બની જાય છે.
ભાવાર્થઃઆ દેહને ચંદન-કપૂરાદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય
થઈ જાય છે, મિષ્ટાન્નાદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલાદિરૂપ
પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી
અસ્પર્શ્ય થઈ જાય છે.
ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છેઃ
मणुयाणं असुइमयं विहिणा देहं विणिम्मियं जाण
तेसिं विरमणकज्जे ते पुण तत्थेव अणुरत्ता ।।८५।।
मनुजानां अशुचिमयं विधिना देहं विनिर्मितं जानीहि
तेषां विरमणकार्ये ते पुनः तत्र एव अनुरक्ताः ।।८५।।
અર્થઃહે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય
બનાવ્યો છે, ત્યાં આવી ઉત્પ્રેક્ષાસંભાવના જાણ કેએ મનુષ્યોને
વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા
દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.
વળી એ જ અર્થને દ્રઢ કરે છેઃ
एवंविहं पु देहं पिच्छंता वि य कुणंति अणुरायं
सेवंति आयरेण य अलद्धपुव्वं ति मण्णंता ।।८६।।
एवंविधं अपि देहं पश्यन्तः अपि च कुर्वन्ति अनुरागम्
सेवन्ते आदरेण च अलब्धपूर्वं इति मन्यमानाः ।।८६।।
અર્થઃપૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં
પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી

Page 48 of 297
PDF/HTML Page 72 of 321
single page version

પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છેસેવે છે, પણ
તે મહાન અજ્ઞાન છે.
હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફલ
છે એમ કહે છેઃ
जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं
अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स ।।८७।।
यः परदेहविरक्तः निजदेहे न च करोति अनुरागम्
आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य ।।८७।।
અર્થઃજે ભવ્ય, પરદેહ જે સ્ત્રી આદિના દેહ તેનાથી વિરક્ત
થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં
ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.
ભાવાર્થઃકેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી)
નથી, પરન્તુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને
ભાવના સત્યાર્થ કહેવાય છે.
(દોહરો)
સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ;
તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
ઇતિ અશુચિત્વાનુપ્રેક્ષા સમાપ્ત.

Page 49 of 297
PDF/HTML Page 73 of 321
single page version

૭. આuાવાનુપ્રેક્ષા
मणवयणकायजोया जीवपएसाण फंदणविसेसा
मोहोदएण जुत्ता विजुदा वि य आसवा होंति ।।८८।।
मनवचनकाययोगाः जीवप्रदेशानां स्पन्दनविशेषाः
मोहोदयेन युक्ताः वियुताः अपि च आस्रवाः भवन्ति ।।८८।।
અર્થઃમન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે
તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ
(ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ-
કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.
ભાવાર્થઃમન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું
ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે
ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણસ્થાન
સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકષાયોથી સહિત હોય છે
તેને સાંપરાયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમા ગુણસ્થાન
સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ.
જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા
જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાસ્રવ કહીએ છીએ.
હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ
છે એમ વિશેષપણે કહે છેઃ
मोहविवागवसादो जे परिणामा हवंति जीवस्स
ते आसवा मुणिज्जसु मिच्छत्ताई अणेयविहा ।।८९।।
मोहविपाकवशात् ये परिणामा भवन्ति जीवस्य
ते आस्रवाः मन्यस्व मिथ्यात्वादयः अनेकविधाः ।।८९।।

Page 50 of 297
PDF/HTML Page 74 of 321
single page version

અર્થઃમોહકર્મના ઉદયવશે આ જીવને જે પરિણામ થાય છે
તે જ આસ્રવ છે, એમ હે ભવ્ય? તું પ્રગટપણે જાણ! તે પરિણામ
મિથ્યાત્વાદિ અનેક પ્રકારના છે.
ભાવાર્થઃકર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્વ, અવિરતિ,
પ્રમાદ, કષાય અને યોગએમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિ-
અનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાત્વાદિ ચાર જ છે અને તે
મોહકર્મના ઉદયથી થાય છે; તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે
છે પણ કાંઈ સ્થિતિ-અનુભાગને કરતો નથી, તેથી તે બંધના કારણમાં
પ્રધાન (મુખ્ય) નથી.
હવે પુણ્ય-પાપના ભેદથી આસ્રવને બે પ્રકારનો કહે છેઃ
कम्मं पुण्णं पावं हेउं तेसिं च होंति सच्छिदरा
मंदक साया सच्छा तिव्वकसाया असच्छा हु ।।९०।।
कर्म पुण्यं पापं हेतवः तयोः च भवन्ति स्वच्छेतराः
मन्दकषायाः स्वच्छाः तीव्रकषायाः अस्वच्छाः स्फु टम् ।।९०।।
અર્થઃકર્મ છે તે પુણ્ય અને પાપ એવા બે પ્રકારનાં છે. તેનું
કારણ પણ બે પ્રકારનું છેઃ એક પ્રશસ્ત અને બીજું અપ્રશસ્ત. ત્યાં
મંદકષાયરૂપ પરિણામ છે તે તો પ્રશસ્ત એટલે શુભ છે તથા
તીવ્રકષાયરૂપ પરિણામ છે તે અપ્રશસ્ત એટલે અશુભ છે એમ પ્રગટ
જાણો.
ભાવાર્થઃશાતાવેદનીય, શુભઆયુ, ઉચ્ચગોત્ર અને શુભનામ
એ પ્રકૃતિઓ તો પુણ્ય (શુભ) રૂપ છે તથા બાકીનાં ચાર ઘાતિકર્મો,
અશાતાવેદનીય, નરકાયુ, નીચગોત્ર અને અશુભનામ એ બધી પ્રકૃતિઓ
પાપરૂપ છે. તેમના કારણરૂપ આસ્રવ પણ બે પ્રકારના છે. ત્યાં
મંદકષાયરૂપ પરિણામ છે તે તો પુણ્યાસ્રવ છે તથા તીવ્રકષાયરૂપ
પરિણામ છે તે પાપાસ્રવ છે.
હવે મંદ-તીવ્ર કષાયનાં પ્રગટ દ્રષ્ટાંત કહે છેઃ

Page 51 of 297
PDF/HTML Page 75 of 321
single page version

મંદ-તીવ્રકષાયનાં પ્રગટ દ્રષ્ટાંત
सव्वत्थ वि पियवयणं दुव्वयणे दुज्जणे वि खमकरणं
सव्वेसिं गुणगहणं मंदकसायाण दिट्ठंता ।।९१।।
सर्वत्र अपि प्रियवचनं दुर्वचने दुर्जने अपि क्षमाकरणम्
सर्वेषां गुणग्रहणं मन्दकषायाणां दृष्टान्ताः ।।९१।।
અર્થઃસર્વ જગ્યાએ શત્રુ-મિત્રાદિમાં પ્રિય-હિતરૂપ વચન
બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ
જીવોના ગુણ જ ગ્રહણ કરવા
એ સર્વ મંદકષાયી જીવોનાં દ્રષ્ટાંત છે.
अप्पपसंसणकरण पुज्जेसु वि दोसगहणसीलत्तं
वेरधरणं च सुइरं तिव्वकसायाण लिंगाणि ।।९२।।
आत्मप्रशंसनकरणं पूज्येषु अपि दोषग्रहणशीलत्वम्
वैरधारणं च सुचिरं तीव्रकषायाणां लिङ्गानि ।।९२।।
અર્થઃપોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ
ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી
हरिततृणाङ्कुरचारिणि, मन्दा मृगशावके भवति मूर्च्छा
उन्दरनिकरोन्माथिनि, माज्जारे सैव जायते तीव्रा ।।
(શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય૧૨૧)
અર્થઃલીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ
ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના
સમૂહનું ઉન્મંથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ
લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી જાય
તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના
ખાદ્યપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્ય પદાર્થ
મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં
પણ તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને
તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.

Page 52 of 297
PDF/HTML Page 76 of 321
single page version

રાખવું;એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિંતવન નિષ્ફળ છેઃ
एवं जाणंतो वि हु परिचयणीए वि जो ण परिहरइ
तस्सासवाणुवेक्खा सव्वा वि णिरत्थया होदि ।।९३।।
एवं जानन् अपि स्फु टं परित्यजनीयान् अपि यः न परिहरति
तस्य आस्रवानुप्रेक्षा सर्वा अपि निरर्थका भवति ।।९३।।
અર્થઃઆ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય
પરિણામોને છોડતો નથી તેનું સર્વ આસ્રવચિંતવન નિરર્થક છેકાર્યકારી
નથી.
ભાવાર્થઃઆસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય
છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો.
એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી.
एदे मोहजभावा जो परिवज्जेइ उवसमे लीणो
हेयमिदि मण्णमाणो आसवअणुपेहणं तस्स ।।९४।।
एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः
हेयं इति मन्यमानः आस्रवानुप्रेक्षणं तस्य ।।९४।।
અર્થઃજે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા,
મિથ્યાત્વાદિ પરિણામોને છોડે છેકેવો થયો થકો? ઉપશમપરિણામ જે
વીતરાગભાવ તેમાં લીન થયો થકો; તથા એ મિથ્યાત્વાદિ ભાવોને હેય અર્થાત્
ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો
તેને આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
(દોહરો)
આસ્રવ પંચ પ્રકારને, ચિંતવી તજે વિકાર;
તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
ઇતિ આસ્રવાનુપ્રેક્ષા સમાપ્ત.
❃ ❃ ❃

Page 53 of 297
PDF/HTML Page 77 of 321
single page version

૮. સંવરાનુપ્રેક્ષા
હવે સાત ગાથા દ્વારા સંવરાનુપ્રેક્ષા કહે છે
सम्मत्तं देसवयं महव्वयं तह जओ कसायाणं
एदे संवरणामा जोगाभावो तह च्चेव ।।९५।।
सम्यक्त्वं देशव्रतं महाव्रतं तथा जयः कषायाणाम्
एते संवरनामानः योगाभावः तथा च एव ।।९५।।
અર્થઃસમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો
અભાવએ સંવરનાં નામ છે.
ભાવાર્થઃપૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ
પાંચ પ્રકારના આસ્રવ કહ્યા હતા. તેમને અનુક્રમપૂર્વક રોકવા એ જ સંવર
છે. તે કેવી રીતે? મિથ્યાત્વનો અભાવ તો ચોથા ગુણસ્થાનમાં થયો એટલે
ત્યાં મિથ્યાત્વનો સંવર થયો. અવિરતિનો અભાવ એકદેશપણે તો દેશવિરતિ
નામના પાંચમા ગુણસ્થાનમાં તથા સર્વદેશપણે છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં થયો
એટલે ત્યાં અવિરતિનો સંવર થયો, અપ્રમત્તગુણસ્થાનમાં પ્રમાદનો અભાવ
થયો એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાને
કષાયનો અભાવ થયો એટલે ત્યાં કષાયનો સંવર થયો તથા અયોગી
જિનમાં યોગોનો અભાવ થયો એટલે એ અયોગીસ્થાને યોગનો સંવર થયો.
એ પ્રમાણે સંવરનો ક્રમ છે.
હવે એ જ વિશેષપણે કહે છેઃ
गुत्ती समिदी धम्मो अणुवेक्खा तह य परिसहजओ वि
उक्किट्ठं चारित्तं संवरहेदू विसेसेण ।।९६।।
गुप्तयः समितियः धर्मः अनुप्रेक्षाः तथा च परीषहजयः अपि
उत्कृष्टं चारित्रं संवरहेतवः विशेषेण ।।९६।।
અર્થઃકાય-વચન-મન એ ત્રણ ગુપ્તિ, ઇર્યા-ભાષા-એષણા

Page 54 of 297
PDF/HTML Page 78 of 321
single page version

-આદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ
દશલક્ષણધર્મ, અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા
સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચારિત્ર;
એટલાં વિશેષપણે સંવરનાં
કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ
गुत्ती जोगणिरोहो समिदी य पमादवज्जणं चेव
धम्मो दयापहाणो सुतच्चचिंता अणुप्पेहा ।।९७।।
गुप्तिः योगनिरोधः समितिः च प्रमादवर्जनं चैव
धर्मः दयाप्रधानः सुतत्त्वचिन्ता अनुप्रेक्षा ।।९७।।
અર્થઃયોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી
યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ
છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવાદિ તત્ત્વો અને નિજસ્વરૂપનું ચિંતવન
તે અનુપ્રેક્ષા છે.
सो वि परीसहविजओ छुहादिपीडाण अइरउद्दाणं
सवणाणं च मुणीणं उवसमभावेण जं सहणं ।।९८।।
सः अपि परीषहविजयः क्षुधादिपीडानां अतिरौद्राणाम्
श्रवणानां च मुनीनां उपशमभावेन यत् सहनम् ।।९८।।
અર્થઃઅતિ રૌદ્ર ભયાનક ક્ષુધાદિ પીડાને ઉપશમભાવ અર્થાત્
વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો
જય કર્યો કહે છે.
अप्पसरूवं वत्थुं चत्तं रायादिएहिं दोसेहिं
सज्झाणम्मि णिलीणं तं जाणसु उत्तमं चरणं ।।९९।।
आत्मस्वरूपं वस्तु त्यक्तं रागादिकैः दोषैः
स्वध्याने निलीनं तत् जानीहि उत्तमं चरणम् ।।९९।।
અર્થઃજે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગાદિ દોષરહિત ધર્મ

Page 55 of 297
PDF/HTML Page 79 of 321
single page version

-શુક્લધ્યાન પૂર્વક લીન થવું તેને હે ભવ્ય! તું ઉત્તમ ચારિત્ર જાણ!
હવે કહે છે કેઆ પ્રમાણે સંવરને જે આચરતો નથી તે
સંસારમાં ભમે છેઃ
एदे संवरहेदू वियारमाणो वि जो ण आयरइ
सो भमइ चिरं कालं संसारे दुक्खसंतत्तो ।।१००।।
एतान् संवरहेतून् विचारयन् अपि यः न आचरति
सः भ्रमति चिरं कालं संसारे दुःखसन्तप्तः ।।१००।।
અર્થઃજે પુરુષ ઉપર પ્રમાણે સંવરનાં કારણોને વિચારતો છતો
પણ તેને આચરતો નથી તે દુઃખોથી તપ્તાયમાન થતો થકો ઘણા કાળ
સુધી સંસારમાં ભ્રમણ કરે છે.
હવે કહે છે કે કેવા પુરુષને સંવર થાય છેઃ
जो पुण विसयविरत्तो अप्पाणं सव्वदा वि संवरइ
मणहरविसएहिंतो तस्स फु डं संवरो होदि ।।१०१।।
यः पुनः विषयविरक्तः आत्मानं सर्वदा अपि संवृणोति
मनोहरविषयेभ्यः तस्य स्फु टं संवरः भवति ।।१०१।।
અર્થઃજે મુનિ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયો થકો મનને
પ્યારા જે વિષયો તેમનાથી આત્માને સદાય નિશ્ચયથી સંવરરૂપ કરે છે
તેને પ્રગટપણે સંવર થાય છે.
ભાવાર્થઃમનને ઇન્દ્રિય-વિષયોથી રોકી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં
રમાડે તેને સંવર થાય છે.
(દોહરો)
ગુપ્તિ સમિતિ વૃષ ભાવના, જયન પરીષહકાર;
ચારિત ધારે સંગ તજી, સો મુનિ સંવરધાર.
ઇતિ સંવરાનુપ્રેક્ષા સમાપ્ત.

Page 56 of 297
PDF/HTML Page 80 of 321
single page version

૯. નિર્જરાનુપ્રેક્ષા
હવે નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કરે છે.
बारसविहेण तवसा णियाणरहियस्स णिज्जरा होदि
वेरग्गभावणादो णिरहंकारस्स णाणिस्स ।।१०२।।
द्वादशविधेन तपसा निदानरहितस्य निर्जरा भवति
वैराग्यभावनातः निरहंकारस्य ज्ञानिनः ।।१०२।।
અર્થઃજ્ઞાની પુરુષને બાર પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય
છે. કેવા જ્ઞાનીને થાય છે? જે નિદાન અર્થાત્ ઇન્દ્રિયવિષયોની વાંચ્છા
રહિત હોય તથા અહંકાર
અભિમાનથી રહિત હોય તેને, વળી શા વડે
નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી અર્થાત્ સંસાર-દેહ-ભોગ પ્રત્યે વિરકત
પરિણામોથી થાય છે.
ભાવાર્થઃતપ વડે નિર્જરા થાય છે; પણ જે જ્ઞાન સહિત
તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં
હિંસાદિક હોવાથી, એવાં તપથી તો ઊલટો કર્મબંધ થાય છે. વળી
તપ વડે મદ કરે, બીજાને ન્યૂન ગણે, કોઈ પૂજાદિક ન કરે તેના
પ્રત્યે ક્રોધ કરે;
એવા તપથી તો બંધ જ થાય. ગર્વ રહિત તપથી જ
નિર્જરા થાય. વળી તપથી આલોકપરલોકમાં પોતાનાં ખ્યાતિ-લાભ
-પૂજા અને ઇન્દ્રિયોના વિષય-ભોગ ઇચ્છે તેને તો બંધ જ થાય.
નિદાન રહિત તપથી જ નિર્જરા થાય; પણ જે સંસાર-દેહ-ભોગમાં
આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી તેથી તેને
નિર્જરા પણ થતી નથી. નિર્જરા તો વૈરાગ્યભાવનાથી જ થાય છે એમ
જાણવું.
હવે નિર્જરા કોને કહેવી તે કહે છેઃ