Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 103-128 ; 10. Lokanupreksha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 17

 

Page 57 of 297
PDF/HTML Page 81 of 321
single page version

નિર્જરાનું સ્વરૂપ
सव्वेसिं कम्माणं सत्तिविवाओ हवेइ अणुभाओ
तदणंतरं तु सडणं कम्माणं णिज्जरा जाण ।।१०३।।
सर्वेषां कर्मणां शक्तिविपाकः भवति अनुभागः
तदनन्तरं तु शटनं कर्मणां निर्जरां जानीहि ।।१०३।।

અર્થઃસમસ્ત જે જ્ઞાનાવરણદિ આઠ કર્મની શક્તિ એટલે ફળ દેવાના સામર્થ્યનો વિપાક થવોઉદય થવો, તેને અનુભાગ કહીએ છીએ. તે ઉદય આવીને તુરત જ તેનું ખરવું-ઝરવું થાય તેને હે ભવ્ય! તું કર્મની નિર્જરા જાણ!

ભાવાર્થઃકર્મ, ઉદય આવીને, ખરી જાય તેને નિર્જરા કહીએ છીએ.

તે નિર્જરા બે પ્રકારની છે, તે કહે છેઃ

નિર્જરાના બે પ્રકાર
सा पुण दुविहा णेया सकालपत्ता तवेण कयमाणा
चादुगदीणं पढमा वयजुत्ताणं हवे बिदिया ।।१०४।।
सा पुनः द्विविधा ज्ञेया स्वकालप्राप्ता तपसा क्रियमाणाः
चातुगरतिकानां प्रथमा व्रतयुक्तानां भवेत् द्वितीया ।।१०४।।

અર્થઃઉપર કહેલી નિર્જરા બે પ્રકારની છે. એક તો સ્વકાળપ્રાપ્ત અને બીજી તપ વડે થાય તે. તેમાં પ્રથમની સ્વકાળપ્રાપ્ત નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.

ભાવાર્થઃનિર્જરા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી


Page 58 of 297
PDF/HTML Page 82 of 321
single page version

થતાં ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સવિપાકનિર્જરા કહીએ છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.

હવે નિર્જરાની વૃદ્ધિ શાથી થાય છે તે કહે છેઃ

उवसमभावतवाणं जह जह वड्ढी हवेइ साहूणं
तहं तह णिज्जर वड्ढी विसेसदो धम्मसुक्कादो ।।१०५।।
उपशमभावतपसां यथा यथा वृद्धिः भवति साधोः
तथा तथा निर्जरावृद्धिः विशेषतः धर्मशुक्लाभ्याम् ।।१०५।।

અર્થઃમુનિજનોને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.

હવે એ વૃદ્ધિનાં સ્થાન કહે છેઃ

मिच्छादो सद्दिट्ठी असंखगुणकम्मणिज्जरा होदि
तत्तो अणुवयधारी तत्तो य महव्वई णाणी ।।१०६।।
पढमकसायचउण्हं विजोजओ तह य खवयसीलो य
दंसणमोहतियस्स य तत्तो उवसमगचत्तरि ।।१०७।।
खवगो य खीणमोहो सजोइणाहो तहा अजोईया
एदे उवरिं उवरिं असंखगुणकम्मणिज्जरया ।।१०८।।
मिथ्यात्वतः सद्दृष्टिः असंख्यगुणकमरनिर्जरो भवति
ततः अणुव्रतधारी ततः च महाव्रती ज्ञानी ।।१०६।।
प्रथमकषायचतुर्णां वियोजकः तथा च क्षपकशीलः च
दर्शनमोहत्रिकस्य च ततः उपशमकचत्वारः ।।१०७।।

Page 59 of 297
PDF/HTML Page 83 of 321
single page version

क्षपकः च क्षीणमोहः सयोगिनाथः तथा अयोगिनः
एते उपरि उपरि असंख्यगुणकमरनिर्जरकाः ।।१०८।।

અર્થઃપ્રથમોપશમસમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે ત્રણ કરણવર્તી (અધઃકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એ ત્રણ કરણમાં વર્તતા) વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાદ્રષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંયતસમ્યગ્દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી થાય છે.

તેનાથી અનંતાનુબંધીકષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે તેને અપ્રત્યાખ્યાનાવરણદિરૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને અસંખ્યાત ગણી થાય છે.

તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ.

હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએઃ

जो विसहदि दुव्वयणं साहम्मियहीलणं च उवसग्गं
जीणिऊण कसायरिउं तस्स हवे णिज्जरा विउला ।।१०९।।
यः विषहते दुर्वचनं साधर्मिकहीलनं च उपसर्गम्
जित्वा कषायरिपुं तस्य भवेत् निर्जरा विपुला ।।१०९।।

Page 60 of 297
PDF/HTML Page 84 of 321
single page version

અર્થઃજે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ અદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે;એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.

ભાવાર્થઃકોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારદિ દોષ લાગતાં આચાયારદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપેનિરાદર કરે તોપણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે.

रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं
पावफलं मे एदं मया वि जे संचिदं पुव्वं ।।११०।।
ऋणमोचनवत् मन्यते यः उपसर्गं परीषहं तीव्रम्
पापफलं मे एतत् मया अपि यत् संचितं पूर्वम् ।।११०।।

અર્થઃજે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને (શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.

जो चिंतेइ सरीरं ममत्तजणयं विणस्सरं असुइं
दंसणणाणचरित्तं सुहजणयं णिम्मलं णिच्चं ।।१११।।
यः चिन्तयति शरीरं ममत्वजनकं विनश्वरं अशुचिम्
दर्शनज्ञानचरित्रं शुभजनकं निर्मलं नित्यम् ।।१११।।

અર્થઃજે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું, વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચરિત્રને શુભજનક (સુખ ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.

ભાવાર્થઃશરીરને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ


Page 61 of 297
PDF/HTML Page 85 of 321
single page version

માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિર્જરા અવશ્ય થાય.

अप्पाणं जो णिंदइ गुणवंताणं करेदि बहुमाणं
मणइंदियाण विजई स सरूवपरायणो होदि ।।११२।।
आत्मानं यः निन्दयति गुणवतां करोति बहुमानम्
मनइन्द्रियाणां विजयी स स्वरूपपरायणो भवति ।।११२।।

અર્થઃજે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો જ આદર કરે છે તથા પોતાનાં મન-ઇન્દ્રિયોને જીતે છેવશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે.

ભાવાર્થઃમિથ્યાત્વદિ દોષોનો નિરાદર કરે તો તે મિથ્યાત્વદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.

तस्स य सहलो जम्मो तस्स वि पावस्स णिज्जरा होदि
तस्स वि पुण्णं वढ्ढदि तस्स य सोक्खं परं होदि ।।११३।।
तस्य च सफलं जन्म तस्य अपि पापस्य निर्जरा भवति
तस्य अपि पुण्यं वर्धते तस्य च सौख्यं परं भवति ।।११३।।

અર્થઃજે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃજે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વગારદિનાં સુખ ભોગવી (અનુક્રમે) મોક્ષને પ્રાપ્ત થાય છે.

હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે


Page 62 of 297
PDF/HTML Page 86 of 321
single page version

जो समसोक्खणिलीणो वारंवारं सरेइ अप्पाणं
इंदियकसायविजई तस्स हवे णिज्जरा परमा ।।११४।।
यः समसौख्यनिलीनः वारंवारं स्मरति आत्मानम्
इन्द्रियकषायविजयी तस्य भवेत् निर्जरा परमा ।।११४।।

અર્થઃજે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ પરમચરિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.

ભાવાર્થઃઇન્દ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.

(દોહરો)
પૂર્વે બાંધ્યાં કર્મ જે, ખરે તપોબલ પાય;
સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
ઇતિ નિર્જરાનુપ્રેક્ષા સમાપ્ત.

Page 63 of 297
PDF/HTML Page 87 of 321
single page version

૧૦. લોકાનુપ્રેક્ષા

હવે લોકાનુપ્રેક્ષાનું વર્ણન કરીએ છીએ. ત્યાં પ્રથમ જ લોકનો આકારદિ કહીશું. તેમાં કંઈક ગણિતને પ્રયોજનરૂપ જાણીને તેનો સંક્ષેપમાં ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક છે. તેમાં, પહેલુંસંકલન એટલે જોડી દેવું તેસરવાળો કરવો તે; જેમ કેઆઠ ને સાતનો સરવાળો કરતાં પંદર થાય. બીજુંવ્યવકલન એટલે બાદબાકી કાઢવી તે, જેમ કે આઠમાંથી ત્રણ ઘટાડતાં પાંચ રહે. ત્રીજું ગુણાકાર; જેમ કે આઠને સાતથી ગુણતાં છપ્પન થાય. ચોથુંભાગાકાર; જેમ કે આઠને બેનો ભાગ આપતાં ચાર થાય. પાંચમુંવર્ગ એટલે બરાબરની સંખ્યાની બે રાશી ગુણતાં જેટલા થાય તેટલા તેના વર્ગ કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠ્ઠુંવર્ગમૂળ એટલે જેમ ચોસઠનું વર્ગમૂળ આઠ. સાતમુંઘન એટલે ત્રણ રશિ બરાબર ગુણતાં જે થાય તે; જેમ કે આઠનો ઘન પાંચસો બાર તથા આઠમુંઘનમૂલ એટલે પાંચસો બારનું ઘનમૂળ આઠ. એ પ્રમાણે પરિકર્માષ્ટક જાણવું.

વળી ત્રૈરશિક છે, જેમાં એક પ્રમાણરશિ, એક ફળરશિ તથા એક ઇચ્છારશિ; જેમ કે કોઈ વસ્તુ બે રૂપિયાની સોળ શેર આવે તો આઠ રૂપિયાની કેટલી આવે? અહીં પ્રમાણરશિ બે છે, ફળરશિ સોળ છે તથા ઇચ્છારશિ આઠ છે. ત્યાં ફળરશિને ઇચ્છારશિ સાથે ગુણતાં એક સો અઠ્ઠાવીસ થાય, તેને પ્રમાણરશિની બે સંખ્યાથી ભાગ આપતાં ચોસઠ શેર આવેએમ જાણવું.

વળી ક્ષેત્રફળએટલે જ્યાં સમાન ખંડ (ભાગ) કરીએ તેને ક્ષેત્રફળ કહીએ છીએ; જેમ કે ખેતરમાં દોરી માપીએ ત્યારે કચવાંસી, વિસવાંસી, વીઘા કરીએ છીએ તે ક્ષેત્રફળ કહેવાય છે; જેમ કેએંશી હાથની દોરી હોય, તેના વીસ ગુંઠા કરતાં ચાર હાથનો ગૂંઠો થાય. એ


Page 64 of 297
PDF/HTML Page 88 of 321
single page version

પ્રમાણે એક દોરી લાંબુપહોળું ખેતર હોય તેના ચાર ચાર હાથના લાંબાપહોળા ખંડ કરીએ તો વીસને વીસે ગુણતાં ચારસો થાય, તેને કચવાંસી કહે છે. તેની વીસ વિસવાંસી થઈ, તેનો એક વીઘો થયો. એ પ્રમાણે ચોરસ, ત્રિકોણ વા ગોળ અદિ ખેતર હોય તેને સમાન ખંડથી માપી ક્ષેત્રફળ લાવવામાં આવે છે; એ જ પ્રમાણે લોકના ક્ષેત્રને યોજનદિની સંખ્યા વડે જેવું ક્ષેત્ર હોય તેવા વિધાનથી ક્ષેત્રફળ લાવવાનું વિધાન ગણિતશાસ્ત્રથી જાણવું.

અહીં લોકના ક્ષેત્રમાં અને દ્રવ્યોની ગણનામાં અલૌકિક ગણિત એકવીસ છે, તથા ઉપમાગણિત આઠ છે. ત્યાં સંખ્યાતના ત્રણ ભેદ છે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અસંખ્યાતના નવ ભેદ છેતેમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે પરીતાસંખ્યાત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે યુક્તાસંખ્યાત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત. એ પ્રમાણે અસંખ્યાતના નવ ભેદ થયા. વળી અનંતના પણ નવ ભેદ છે. તે આ પ્રમાણેજઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી પરીતાનંત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી અનંતાનંતએ પ્રમાણે અનંતના નવ ભેદ છે. એ પ્રમાણે સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ તથા અનંતના નવ મળી અલૌકિક ગણિતના એકવીસ ભેદ થયા.

ત્યાં જઘન્યપરીતાસંખ્યાત (નું માપ) લાવવા માટે જંબૂદ્વીપ જેવડા લાખ-લાખ યોજનના વ્યાસવાળા તથા હજાર-હજાર યોજન ઊંડા ચાર કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ, ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં છેંતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ; તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ; ત્યાં જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે


Page 65 of 297
PDF/HTML Page 89 of 321
single page version

અનવસ્થાકુંડ કરી તેમાં સરસવ ભરીએ અને શલાકાકુંડમાં એક સરસવ બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને નાંખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ ભરાતો જાય. જ્યારે છેંતાલીસ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેંતાલીસ અંકોના ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.

તેમાંથી એક સરસવ ઘટાડતાં તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય, તથા બે સરસવ પ્રમાણ જઘન્ય સંખ્યાત કહેવાય, તથા વચ્ચેના બધાય મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.

વળી તે જઘન્ય પરીતાસંખ્યાતના સરસવની રશિને એક એક વિખેરી એક એક ઉપર તે જ રશિને સ્થપિ પરસ્પર ગુણતાં અંતમાં જે રશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક) ભેદ જાણવા.

વળી જઘન્ય યુક્તાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાત વડે એક વાર પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત કહેવાય


Page 66 of 297
PDF/HTML Page 90 of 321
single page version

છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત થાય છે. વચ્ચેના નાના ભેદ મધ્યમ યુક્તાસંખ્યાતના જાણવા.

હવે એ જઘન્ય અસંખ્યાતાસંખ્યાતપ્રમાણ ત્રણ રશિ કરવી. એક શલાકારશિ, એક વિરલનરશિ, એક દેયરશિ. ત્યાં વિરલનરશિને વિખેરી એક એક જુદા જુદા કરવા, એક એકના ઉપર એક એક દેયરશિ મુકવી. તેને પરસ્પર ગુણતાં જ્યારે સર્વ ગુણાકાર થઈ રહે ત્યારે એક રૂપ શલાકારશિમાંથી ઘટાડવું. વળી ત્યાં જે રશિ થઈ તે પ્રમાણે વિરલન દેયરશિ કરવી. ત્યાં એ વિરલનને વિખેરી એક એકને જુદા કરી એક એકના ઉપર દેયરશિ મૂકવી અને તેનો પરસ્પર ગુણાકાર કરતાં જે રશિ ઊપજે ત્યારે એક શલાકારશિમાંથી પાછો ઘટાડવો. વળી જે રશિ ઉપજી તેના પ્રમાણમાં વિરલન દેયરશિ કરવી. પછી વિરલનને વિખેરી દેયને એક એકના ઉપર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો અને એક રૂપ શલાકામાંથી ઘટાડવું. એ પ્રમાણે વિરલનરશિ દેય વડે ગુણાકાર કરતા જવું તથા શલાકામાંથી ઘટાડતા જવું, એમ કરતાં કરતાં જ્યારે શલાકારશિ પૂરેપૂરી નિઃશેષ થઈ જાય ત્યારે જે કંઈ પ્રમાણ આવે તે મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તેટલા તેટલા પ્રમાણ શલાકા, વિરલન, દેય

એ ત્રણ રશિ ફરી કરવી. તેને પણ ઉપર

પ્રમાણે કરતાં જ્યારે શલાકારશિ નિઃશેષ થઈ જાય ત્યારે જે મહારશિ પ્રમાણ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તે રશિ પ્રમાણ ફરીથી શલાકા, વિરલન, દેયરશિ કરી તેને પૂર્વોક્ત વિધાનથી ગુણતાં જે મહારશિ થઈ તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. ત્યાં શલાકાત્રયનિષ્ઠાપન એક વાર થયું.

વળી તે રશિમાં અસંખ્યાતાસંખ્યાત પ્રમાણ છ રશિ બીજી મેળવવી. તે છ રશિ આ પ્રમાણે(૧) લોકપ્રમાણ ધર્મદ્રવ્યના પ્રદેશ, (૨) અધર્મદ્રવ્યના પ્રદેશ, (૩) એક જીવના પ્રદેશ, (૪) લોકાકાશના પ્રદેશ, (૫) તે લોકથી અસંખ્યાત ગણા અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ જીવોનું પ્રમાણ, તથા (૬) તેનાથી અસંખ્યાત ગણા સપ્રતિષ્ઠિત પ્રત્યેક


Page 67 of 297
PDF/HTML Page 91 of 321
single page version

વનસ્પતિ જીવોનું પ્રમાણ. એ છ રશિ મેળવી પૂર્વોક્ત પ્રકારથી શલાકા, વિરલન, દેયરશિના વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. ત્યાં જે મહારશિ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. તેમાં ચાર રશિ બીજી મેળવવી. તે આ પ્રમાણે(૧) વીસ કોડાકોડી સાગરપ્રમાણ કલ્પકાળના સમય, (૨) સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન, (૩) અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન તથા (૪) યોગના અવિભાગપ્રતિચ્છેદ. એ પ્રમાણે ચાર રશિ મેળવી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. એ પ્રમાણે કરતાં જે પ્રમાણ થયું તે જઘન્ય પરિતાનંતરશિ થઈ. તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત થાય છે. અને વચ્ચેના જુદાજુદા ભેદ મધ્યમના જાણવા.

વળી જઘન્ય પરીતાનંત રશિનું વિરલન કરી એક એક ઉપર એક એક જઘન્ય પરીતાનન્ત સ્થાપન કરી પરસ્પર ગુણતાં જે પ્રમાણ થાય તે જઘન્ય યુક્તાનંત જાણવું. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના છે. વળી જઘન્ય યુક્તાનંતને જઘન્ય યુક્તાનંત વડે એક વાર પરસ્પર ગુણતાં જઘન્ય અનંતાનંત થાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે, તથા વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ યુક્તાનંતના જાણવા.

હવે ઉત્કૃષ્ટ અનંતાનંતને લાવવાનો ઉપાય કહે છેઃ

જઘન્ય અનંતાનંત પ્રમાણ શલાકા, વિરલન, દેયએ ત્રણ રશિ વડે અનુક્રમે પ્રથમ કહ્યા પ્રમાણે શલાકાત્રય નિષ્ઠાપન કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં સિદ્ધરશિ, નિગોદરશિ, પ્રત્યેક વનસ્પતિ સહિત નિગોદરશિ, પુદ્ગલરશિ, કાળના સમય તથા આકાશના પ્રદેશએ છ રશિ મધ્યમ અનંતાનંતના ભેદરૂપે મેળવીને શલાકાત્રય નિષ્ઠાપન પૂર્વવત્ વિધાનથી કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં ફરી ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અગુરુલઘુ ગુણના અવિભાગપ્રતિચ્છેદ મેળવતાં જે મહારશિપ્રમાણ રશિ થઈ તેને ફરી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરતાં જે કોઈ મધ્યમ


Page 68 of 297
PDF/HTML Page 92 of 321
single page version

અનંતાનંતના ભેદરૂપ રશિ થાય તેને કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદનો સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી, ત્યારે કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રશિ થાય છે.

ઉપમાપ્રમાણ આઠ પ્રકારથી કહ્યું છેઃપલ્ય, સાગર, સૂચ્યંગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગત્શ્રેણી, જગત્પ્રતર અને જગત્ઘન. તેમાં પલ્યના ત્રણ પ્રકાર છેવ્યવહારપલ્ય, ઉદ્ધારપલ્ય તથા અદ્ધાપલ્ય. ત્યાં વ્યવહારપલ્ય તો રોમોની સંખ્યા પ્રમાણ જ છે. ઉદ્ધારપલ્ય વડે દ્વીપ- સમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ તથા દેવદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.

હવે તેમનું પરિમાણ જાણવા માટે પરિભાષા કહે છેઃ

અનંત પુદ્ગલના પરમાણુઓના સ્કંધને એક અવસન્નાસન્ન કહે છે, તેનાથી આઠ આઠ ગુણા ક્રમથી બાર સ્થાનક જાણવાં. સન્નાસન્ન, તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ, કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ બાર સ્થાનક છે. આ આંગળ છે તે ઉત્સેધઆંગળ છે, એ વડે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે તથા દેવોનાં નગર-મંદિરદિનું વર્ણન કરવામાં આવે છે. વળી ઉત્સેધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને પર્વતદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે, બે પાદનો એક વિલસ્ત (વેંત) થાય છે, બે વિલસ્તનો એક હાથ થાય છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો એક ધનુષ થાય છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન થાય છે.

અહીં પ્રમાણાંગુલ વડે ઊપજ્યો એવો, એક યોજન પ્રમાણ ઊંડો અને પહોળો એક ખાડો કરવો અને તેને ઉત્તમ ભોગભૂમિમાં ઊપજેલા,


Page 69 of 297
PDF/HTML Page 93 of 321
single page version

જન્મથી માંડીને સાત દિવસ સુધીના, મેંઢાના વાળના અગ્રભાગ વડે, ભૂમિ સમાન અત્યંત દાબીને ભરવો; એ પ્રમાણે ભરતાં તે ખાડામાં પિસ્તાળીસ અંકો પ્રમાણ રોમ સમાય છે. તેમાંથી દર સો સો વર્ષ વીત્યે એક એક રોમ કાઢવો; એ પ્રમાણ કરતાં એ ખાડો તદ્દન ખાલી થતાં જેટલાં વર્ષ થાય તેટલાં વર્ષને એક વ્યવહારપલ્ય કહે છે. એ વર્ષોના અસંખ્યાત સમય થાય છે.

વળી એક એક રોમના, અસંખ્યાત કરોડ વર્ષના જેટલા સમય થાય, તેટલા તેટલા ખંડ કરવામાં આવે તે ઉદ્ધારપલ્યના રોમખંડ છે અને તેટલા સમય ઉદ્ધારપલ્યના છે.

એ ઉદ્ધારપલ્યના અસંખ્યાત વર્ષના જેટલા સમય થાય તેટલા, એક એક રોમના ખંડ કરતાં એક અદ્ધાપલ્યના રોમખંડ થાય છે, તેના સમય પણ તેટલા જ છે. દશ કોડાકોડી પલ્યનો એક સાગર થાય છે.

વળી એક પ્રમાણાંગુલપ્રમાણ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક સૂચ્યંગુલ કહીએ છીએ. તેના પ્રદેશ અદ્ધાપલ્યના અર્ધછેદોનું વિરલન કરી એક એક અદ્ધાપલ્ય તે ઉપર સ્થાપી પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તેટલા તેના પ્રદેશ છે. તેના વર્ગને એક પ્રતરાંગુલ કહીએ છીએ. સૂચ્યંગુલના ઘનને એક ઘનાંગુલ કહીએ છીએ. એક અંગુલ લાંબા, પહોળા અને ઊંચા ભાગને ઘનાંગુલ કહીએ છીએ. સાત રાજુ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક જગત્શ્રેણી કહીએ છીએ. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છેઃ

અદ્ધાપલ્યના અર્ધછેદોના અસંખ્યાતમા ભાગના પ્રમાણનું વિરલન કરી એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રશિ આવે તે જગત્શ્રેણિ છે. જગત્શ્રેણિનો વર્ગ છે તે જગત્પ્રતર છે અને જગત્શ્રેણિનું ઘન છે તે જગત્ઘન છે. તે જગત્ઘન સાત રાજુ લાંબો, પહોળો, ઉંચો છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું; વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોમ્મટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.


Page 70 of 297
PDF/HTML Page 94 of 321
single page version

દ્રવ્યમાં સૂક્ષ્મ તો પુદ્ગલપરમાણુ, ક્ષેત્રમાં આકાશનો પ્રદેશ, કાળમાં સમય તથા ભાવમાં અવિભાગપ્રતિચ્છેદ. એ ચારેને પરસ્પર પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે દ્રવ્યમાં તો મહાસ્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં કેવળજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે, અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રત્રિદિવસ છે, ત્રીસ રત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે. ઇત્યદિ જાણવું.

હવે પ્રથમ જ લોકાકાશનું સ્વરૂપ કહે છેઃ

सव्वायासमणंतं तस्स य बहुमज्झसंट्ठिओ लोओ
सो केण वि णेव कओ ण य धरिओ हरिहरादीहिं ।।११५।।
सर्वाकाशमनन्तं तस्य च बहुमध्यसंस्थितः लोकः
सः केन अपि नैव कृतः न च धृतः हरिहरदिभिः ।।११५।।

અર્થઃઆકાશદ્રવ્યનો ક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિ મધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. તે (લોક) કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરદિએ ધારેલો વા રાખેલો નથી.

ભાવાર્થઃઅન્યમતમાં ઘણા કહે છે કે‘‘લોકની રચના બ્રહ્મા કરે છે, નારાયણ રક્ષા કરે છે, શિવ સંહાર કરે છે; કાચબાએ વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.’’ઇત્યદિ અનેક કલ્પિત વાતો કહે છે. તે સર્વનો નિષેધ આ સૂત્રથી જાણવો. આ લોક કોઈએ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વજ્ઞે દીઠો છે અને તે જ વસ્તુસ્વરૂપ છે.

હવે આ લોકમાં શું છે? તે કહે છેઃ


Page 71 of 297
PDF/HTML Page 95 of 321
single page version

अण्णोण्णपदेसेण य दव्वाणं अच्छणं भवे लोओ
दव्वाण णिवत्तो लोयस्य वि मुणह णिच्चत्तं ।।११६।।
अन्योन्यप्रदेशेन च द्रव्याणां आसनं भवेत् लोकः
द्रव्याणां नित्यत्वात् लोकस्य अपि जानीहि नित्यत्वम् ।।११६।।

અર્થઃજીવદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.

ભાવાર્થઃછ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (છએ) દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.

હવે કોઈ તર્ક કરે કેજો તે નિત્ય છે તો આ ઊપજે-વિણસે છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છેઃ

परिणामसहादादो पडिसमयं परिणमंति दव्वणि
तेसिं परिणामादो लोयस्स वि मुणह परिणामं ।।११७
परिणामस्वभावात् प्रतिसमयं परिणमन्ति द्रव्यणि
तेषां परिणामात् लोकस्य अपि जानीहि परिणामम् ।।११७।।

અર્થઃઆ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો.

ભાવાર્થઃદ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા. અહીં કોઈ પૂછે કેપરિણામ એટલે શું? તેનો ઉત્તરઃપરિણામ નામ પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી, તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.


Page 72 of 297
PDF/HTML Page 96 of 321
single page version

હવે લોકનો આકાર તો નિત્ય છેએમ ધારીને તેના વ્યાસદિ (માપ) કહે છેઃ

सत्तेक्क-पंच-इक्का मूले मज्झे तहेव बंभंते
लोयंते रज्जूओ पुव्वावरदो य वित्थारो ।।११८।।
सप्त-एकः-पंच-एकाः मूले मध्ये तथैव ब्रह्मान्ते
लोकान्ते रज्जवः पूर्वापरतः च विस्तारः ।।११८।।

અર્થઃલોકનો નીચે મૂળમાં પૂર્વ-પશ્ચિમ તો સાત રાજુ વિસ્તાર છે, મધ્યમાં એક રાજુ વિસ્તાર છે. ઉપર બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજુનો વિસ્તાર છે.

ભાવાર્થઃઆ લોકના નીચલા ભાગમાં પૂર્વ-પશ્ચિમદિશામાં સાત રાજુ પહોળો છે, ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્યલોકમાં એક રાજુ રહે છે, પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ પહોળો થાય છે, પછી ઘટતો ઘટતો અંતમાં એક રાજુ રહે છે, એ પ્રમાણે થતાં દોઢ મૃદંગ ઊભાં મૂકીએ તેવા આકાર થાય છે.

હવે દક્ષિણ-ઉત્તર વિસ્તાર વા ઉંચાઈ કહે છેઃ

दक्खिण-उत्तरदो पुण सत्त वि रज्जू हवंति सव्वत्थ
उड्ढो चउदश रज्जू सत्त वि रज्जू घणो लोओ ।।११९।।
दक्षिणोत्तरतः पुनः सप्त अपि रज्जवः भवन्ति सर्वत्र
ऊर्ध्वः चतुर्दश रज्जवः सप्त अपि रज्जवः घनः लोकः ।।११९।।

અર્થદક્ષિણ-ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર સાત રાજુ છે, ઉંચાઈ ચૌદ રાજુ છે તથા સાત રાજુનું ઘનપ્રમાણ છે.

ભાવાર્થઃદક્ષિણ-ઉત્તર સર્વત્ર સાત રાજુ પહોળો અને ચૌદ રાજુ ઊંચાઈમાં છે એવા લોકનું ઘનફળ કરવામાં આવે ત્યારે તે ૩૪૩ ઘનરાજુ થાય છે. એક રાજુ પહોળાઈ, એક રાજુ લંબાઈ તથા એક રાજુની ઊંચાઈવાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે.


Page 73 of 297
PDF/HTML Page 97 of 321
single page version

હવે ત્રણ લોકની ઊંચાઈના વિભાગ કહે છેઃ

मेरुस्स हिट्ठभाए सत्त वि रज्जू हवेइ अहलोओ
उड्ढम्हि उड्ढलोओ मेरुसमो मज्झिमो लोओ ।।१२०।।
मेरोः अधोभागे सप्त अपि रज्जवः भवति अधोलोकः
ऊर्ध्वे ऊ र्ध्वलोकः मेरुसमः मध्यमः लोकः ।।१२०।।

અર્થઃમેરુના નીચેના ભાગમાં સાત રાજુ અધોલોક છે, ઉપર સાત રાજુ ઊર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.

હવે ‘લોક’ શબ્દનો અર્થ કહે છેઃ

दीसंति जत्थ अत्था जीवादीया स भण्णदे लोओ
तस्स सिहरम्मि सिद्धा अंतविहीणा विरायंते ।।१२१।।
दृश्यन्ते यत्र अर्थाः जीवदिकाः स भण्यते लोकः
तस्य शिखरे सिद्धाः अन्तविहीनाः विराजन्ते ।।१२१।।

અર્થઃજ્યાં જીવદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે; તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે.

ભાવાર્થઃવ્યાકરણમાં દર્શનના અર્થમાં ‘लुक्’ નામનો ધાતુ છે; તેના આશ્રયાર્થમાં અકાર પ્રત્યયથી ‘લોક’ શબ્દ નીપજે છે. તેથી જેમાં જીવદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક’ કહેવામાં આવે છે. તેના ઉપર અંત(ભાગ)માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે.

હવે, આ લોકમાં જીવદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ જ જીવદ્રવ્ય વિષે કહે છેઃ

एइंदिएहिं भरिदो पंचपयारेहिं सव्वदो लोओ
तसणाडीए वि तसा ण बहिरा होंति सव्वत्थ ।।१२२।।

‘वायरा’ એવો પણ પાઠ છે. તેનો એવો અર્થ છે કે સર્વ લોકમાં પૃથ્વીકાયદિક

સ્થૂલ તથા ત્રસ નથી.

Page 74 of 297
PDF/HTML Page 98 of 321
single page version

एकेन्द्रियैः भृतः पंचप्रकारैः सर्वतः लोकः
त्रसनाडयां अपि त्रसा न बाह्याः भवन्ति सर्वत्र ।।१२२।।

અર્થઃઆ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છેબહાર નથી.

ભાવાર્થઃસમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ (જીવો) ભિન્નપ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસનાડીમાં જ છે.

હવે બાદર-સૂક્ષ્મદિ ભેદ કહે છેઃ

पुण्णा वि अपुण्णा वि य थूला जीवा हवंति साहारा
छविहसुहुमा जीवा लोयायासे वि सव्वत्थ ।।१२३।।
पूर्णाः अपि अपूर्णाः अपि च स्थूलाः जीवाः भवन्ति साधाराः
षडविधसूक्ष्माः जीवाः लोकाकाशे अपि सर्वत्र ।।१२३।।

અર્થઃજે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે; તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના છ પ્રકાર છે.

હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છેઃ

पुढवीजलग्गिवाऊ चत्तरि वि होंति बायरा सुहुमा
साहारणपत्तेया वणप्फ दी पंचमा दुविहा ।।१२४।।
पृथ्वीजलग्निवायवः चत्वारः अपि भवन्ति बादराः सूक्ष्माः
साधारणप्रत्येकाः वनस्पतयः पंचमाः द्विविधाः ।।१२४।।

Page 75 of 297
PDF/HTML Page 99 of 321
single page version

અર્થઃપૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણએવા ભેદથી બે પ્રકારની છે.

હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છેઃ

साहारणा वि दुविहा अणाइकाला य साइकाला य
ते वि य बादरसुहुमा सेसा पुण बायरा सव्वे ।।१२५।।
साधारणाः अपि द्विविधाः अनदिकालाः च सदिकालाः च
ते अपि च बादरसूक्ष्माः शेषाः पुनः बादराः सर्वे ।।१२५।।

અર્થઃસાધારણ જીવો બે પ્રકારના છેઃ અનદિકાલીન એટલે નિત્યનિગોદ તથા સદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે.

ભાવાર્થઃપૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદ એ બંનેએ પ્રમાણે છ પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.

હવે સાધારણનું સ્વરૂપ કહે છેઃ

साहारणणि जेसिं आहारुस्सासकायआऊणि
ते साहारणजीवा णताणंतप्पमाणाणं ।।१२६।।
साधारणनि येषां आहारोच्छ्वासकायआयूंषि
ते साधारणजीवाः अनन्तानन्तप्रमाणानाम् ।।१२६।।

અર્થઃજે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ, કાય અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.

વળી ગોમ્મટસારમાં કહ્યું છે કે


Page 76 of 297
PDF/HTML Page 100 of 321
single page version

‘जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अणंताणं
चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।
(ગોમ્મટ૦ જીવ૦ ગા૦ ૧૯૩)
यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम्
चंक्रमति यत्र एकः चंक्रमणं तत्र अनन्तानाम् ।।

અર્થઃજ્યાં એક સાધારણ નિગોદ જીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.

ભાવાર્થઃએક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.

હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છેઃ

ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं
ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।।१२७।।
न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम्
ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।।१२७।।

અર્થઃજે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા.

હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છેઃ

पचेया वि य दुविहा णिगोदसहिदा तहेव रहिया य
दुविहा होंति तसा वि य वितिचउरक्खा तहेव पंचक्खा ।।१२८।।