Page 77 of 297
PDF/HTML Page 101 of 321
single page version
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ) તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
ભાવાર્થઃ — જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયદિકને ત્રસ કહેવામાં આવે છે.❃ ગોમ્મટસારમાં કહ્યું છે કે —
થાય છે તથા જે સંમૂર્ચ્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
અદરક – હળદી વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે; જેમકે ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે; જેમ કે ઇક્ષુ – વેંત અદિ. કોઈ વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે ચણા – ઘઉં વગેરે, કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ અદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે અને તે સંમૂર્ચ્છન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
Page 78 of 297
PDF/HTML Page 102 of 321
single page version
હવે પંચેન્દ્રિયોના ભેદ કહે છેઃ —
पंचक्खा वि य तिविहा जलथलआयासगमिणो तिरिया ।
पत्तेयं ते दुविहा मणेण जुत्ता अजुत्ता य ।।१२९।।
पञ्चाक्षाः अपि च त्रिविधाः जलस्थलआकाशगमिनः तिर्यञ्चः ।
प्रत्येकं ते द्विविधा मनसा युक्ताः अयुक्ताः च ।।१२९।।
અર્થઃ — જળચર, થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય-
કરતાં સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતાં પાછી વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી અપ્રતિષ્ઠિત સમજવી.
છાલ, નવી કુંપલ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતાં બરાબર સમભંગે તૂટી જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત પ્રત્યેક છે.
Page 79 of 297
PDF/HTML Page 103 of 321
single page version
તિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેઓમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છેઃ —
અર્થઃ — એ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમ્મૂર્ચ્છન પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે ગર્ભજ જ છે તથા થલચર અને નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫) ભેદો કહે છેઃ —
હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી હોય તેને અપ્રતિષ્ઠિતપ્રત્યેક જાણવી.
Page 80 of 297
PDF/HTML Page 104 of 321
single page version
અર્થઃસર્વ તિર્યંચોના પંચાશી (૮૫) ભેદ છે. ત્યાં ગર્ભજના આઠ છે, તે પર્યાપ્ત – અપર્યાપ્તથી સોળ (૧૬) ભેદ થયા, અને સમ્મૂર્ચ્છનના તેવીસ ભેદ છે તે પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્તથી (ગુણતાં) ઓગણસીતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી (૮૫) ભેદ છે.
ભાવાર્થઃ — પૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જલચર, થલચર અને નભચર (જીવો) છે; તેના સંજ્ઞી, અસંજ્ઞી ભેદથી છ ભેદ થયા. વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંજ્ઞી આઠે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમ્મૂર્ચ્છનના પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજ્ઞિજલચર, સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંજ્ઞિનભચર તથા અસંજ્ઞિનભચર એ છ ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા. તે બધા પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્ત ભેદ કરી ગણતાં (૬૯) ઓગણસીતેર ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ ઓગણસીતેર મળી પંચાશી (૮૫)
હવે મનુષ્યના ભેદ કહે છેઃ —
અર્થઃ — આર્યખંડમાં, મ્લેચ્છખંડમાં, ભોગભૂમિમાં તથા કુભોગભૂમિમાં મનુષ્ય છે. તે ચારે (પ્રકારના) મનુષ્યોના પર્યાપ્ત તથા નિવૃરત્તિ-અપર્યાપ્તથી આઠ પ્રકાર થયા.
Page 81 of 297
PDF/HTML Page 105 of 321
single page version
અર્થઃ — સમ્મૂર્ચ્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લબ્ધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી — સંક્ષેપતાથી સંગ્રહ કરી — કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે જીવસમાસ કહ્યા.
હવે પયારપ્તિનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થઃ — આત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પયારપ્તિ કહીએ છીએ. તેના છ પ્રકાર છે.
હવે શક્તિનું કાર્ય કહે છેઃ —
Page 82 of 297
PDF/HTML Page 106 of 321
single page version
અર્થઃ — એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેને પયારપ્તિ કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તનો કાળ કહે છેઃ —
અર્થઃ — આ જીવ, પયારપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મનપયારપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્ત કહે છે, અને જ્યારે મનપયારપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ભાવાર્થઃ — અહીં સંજ્ઞીપંચેન્દ્રિય જીવની અપેક્ષા લક્ષમાં લઈ આ પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીરપયારપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-અશ્રિત કથન છે.
બનાવે છે. જ્યાં સુધી શરીરપયારપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.
Page 83 of 297
PDF/HTML Page 107 of 321
single page version
હવે લબ્ધ્યપર્યાપ્તનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવ શ્વાસના અઢારમા ભાગમાં મરણ પામે, એક પણ પયારપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ્યપર્યાપ્તક કહે છે.
પર્યાપ્ત છે. પરંતુ નિવૃરત્તિ (શરીરપયારપ્તિ બનવી)ની અપેક્ષાએ પૂર્ણ નથી તેથી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત કહેવાય છે.
છે અને તેટલાં જ ક્ષુદ્રમરણ થાય છે. તે કેવી રીતે તે કહે છેઃ —
ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૬૦, ચાર ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તના ૪૦ તથા
Page 84 of 297
PDF/HTML Page 108 of 321
single page version
હવે એકેન્દ્રિયદિ જીવોની પયારપ્તિની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — એકેન્દ્રિયની ચાર, વિકલત્રયની પાંચ અને સંજ્ઞીપંચેન્દ્રિયની છ એ પ્રમાણે ક્રમથી પયારપ્તિ હોય છે, વળી લબ્ધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પયારપ્તિ નથી.
ભાવાર્થઃ — એકેન્દ્રિયદિકની ઉપર પ્રમાણે ક્રમથી પયારપ્તિ કહી. અહીં અસંજ્ઞીનું નામ પણ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છ તથા અસંજ્ઞીને પાંચ પયારપ્તિ જાણવી. વળી નિર્વૃત્ત્યપર્યાપ્ત ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લબ્ધ્યપર્યાપ્ત જોકે પંચેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૨૪ જન્મ-મરણ થાય છે અને એકેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તક જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મરણ કરે છે. એ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ થાય છે.
ગણતાં આઠ ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા એકેન્દ્રિય જીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.
Page 85 of 297
PDF/HTML Page 109 of 321
single page version
ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ સૂચવે છે. એ પ્રમાણે પયારપ્તિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણોનું સ્વરૂપ અને સંખ્યા કહે છેઃ —
અર્થઃ — મન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુનો ઉદય એના સંયોગથી તો ઊપજે – જીવે તથા એના વિયોગથી મરે તેને પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થઃ — ‘જીવ’ એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને ‘જીવ’ સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તજીવોને અનુક્રમે છ – સાત – આઠ – નવ – દશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે છેઃ —
Page 86 of 297
PDF/HTML Page 110 of 321
single page version
અર્થઃ — બંને પ્રકારના અપર્યાપ્ત ( નિવરૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્તક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. ચાર ઇન્દ્રિય, — અસંજ્ઞી તથા સંજ્ઞીપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થઃ — નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્ત એકેન્દ્રિયોને ત્રણ, બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છ તથા અસંજ્ઞી – સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છેઃ —
અર્થઃ — બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થઃ — પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ નથી.
Page 87 of 297
PDF/HTML Page 111 of 321
single page version
હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત્પર્વત માફક છે એમ કહે છેઃ —
અર્થઃ — મનુષ્યક્ષેત્રની બહાર – માનુષોત્તર પર્વતની પેલી બાજુથી અંતના સ્વયંપ્રભદ્વીપના અર્ધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
ભાવાર્થઃ — હેમવત્ક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
હવે જલચરજીવોનાં સ્થાન કહે છે.
અર્થઃ — લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી-વ્યંતરનાં સ્થાન કહે છેઃ —
Page 88 of 297
PDF/HTML Page 112 of 321
single page version
અર્થઃ — ખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા વ્યંતરદેવોનાં નિવાસ છે. વળી એ બંનેનાં તિર્યગ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થઃ — એક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે; તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોળ હજાર યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ વ્યંતરોનાં નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજનપ્રમાણ પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી તિર્યગ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓનાં નિવાસ કહે છે —
અર્થઃ — એક રાજુ પ્રમાણ તિર્યગ્લોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની સંખ્યા કહે છેઃ —
Page 89 of 297
PDF/HTML Page 113 of 321
single page version
અર્થઃ — અગ્નિકાય અને વાયુકાયના બાદરપયારપ્તિ સહિત જીવ છે તે યથાનુક્રમ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ તથા કંઈક ન્યૂન લોકપ્રદેશપ્રમાણ જાણવા.
ભાવાર્થઃ — અગ્નિકાયના જીવ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ તથા વાયુકાયના કંઈક કમ લોકપ્રદેશપ્રમાણ છે.
હવે પૃથ્વી અદિની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — પૃથ્વીકયિક, અપકયિક, પ્રત્યેકવનસ્પતિકયિક, સપ્રતિષ્ઠિત વા અપ્રતિષ્ઠિત અને ત્રસ એ બધા પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો છે તે જુદા જુદા અસંખ્યાત જગત્શ્રેણિપ્રમાણ છે.
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર લબ્ધ્યપર્યાપ્તક જીવ છે તે અસંખ્યાતલોકપ્રમાણ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે.
Page 90 of 297
PDF/HTML Page 114 of 321
single page version
અર્થઃ — સિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંતગુણા નિગોદજીવ છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
અર્થઃ — સમ્મૂર્ચ્છનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને) કહે છેઃ —
અર્થઃ — દેવ, નારકી, લબ્ધ્યપર્યાપ્તક તથા સમ્મૂર્છનમનુષ્ય એટલા તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થઃ — એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર (અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ – નારકીનું તો બાર મુહૂર્તનું અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન ઊપજે તો બાર મુહૂર્ત સુધી જ ન ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા
Page 91 of 297
PDF/HTML Page 115 of 321
single page version
ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકીના સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃ —
અર્થઃ — મનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા છે.
અર્થઃ — પંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિય — એ લબ્ધ્યપર્યાપ્તકજીવ સંસંખ્યા દ્વારા અનુક્રમે વિશેષ અધિક છે. કંઈક અધિકને વિશેષધિક કહે છે.
અર્થઃ — ચતુન્દ્રિય, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ ઇન્દ્રિય — એ પયારપ્તિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ જાણો.
Page 92 of 297
PDF/HTML Page 116 of 321
single page version
અર્થઃ — સૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક ભાગ તો પર્યાપ્ત છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
ભાવાર્થઃ — બાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત ઘણા છે.
અર્થઃ — સૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપ્તક- જીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થઃ — સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત થોડા છે.
અર્થઃ — અનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે અને તે પછીના નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
Page 93 of 297
PDF/HTML Page 117 of 321
single page version
અર્થઃ — સાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના નરકમાં ઘણું દુઃખ છે.
અર્થઃ — કલ્પવાસી દેવોથી ભવનવાસી દેવ અને વ્યંતર દેવ એ બંને રશિ તો અસંખ્યાતગુણા છે તથા જ્યોતિષી દેવ વ્યંતર દેવોથી સંખ્યાતગુણા છે.
હવે એકેન્દ્રિયદિ જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ ગાથામાં કહે છેઃ —
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષનું છે તથા સાધારણ સૂક્ષ્મ-બાદર, નિત્ય-ઇતરનિગોદ અને બધાય સૂક્ષ્મ પૃથ્વી -અપ-તેજ-વાયુકયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
હવે બાદર જીવોનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ —
Page 94 of 297
PDF/HTML Page 118 of 321
single page version
અર્થઃ — પૃથ્વીકયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષનું છે, અપ્કયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ હજાર વર્ષનું છે.
હવે બે ઇન્દ્રિય અદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણ ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચાર ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છેઃ —
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છ્વાસના અઢારમાં ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયદિથી માંડીને કર્મભૂમિનાં તિર્યંચ- મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે પહેલાનાથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.
Page 95 of 297
PDF/HTML Page 119 of 321
single page version
હવે દેવ-નારકીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃ —
અર્થઃ — દેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થઃ — આ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે. વિશેષ ત્રિલોકસાર અદિ ગ્રંથોમાંથી જાણવું.
હવે એકેન્દ્રિય અદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના દસ ગાથામાં કહે છેઃ —
અર્થઃ — એકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર યોજન છે.
Page 96 of 297
PDF/HTML Page 120 of 321
single page version
અર્થઃ — બે ઇન્દ્રિયમાં શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજન લાંબી છે; ત્રણ ઇન્દ્રિયમાં ગોભિકા અથાત્ કાનખજૂરો મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચાર ઇન્દ્રિયમાં ભ્રમર મોટો છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં સંમૂર્ચ્છન મચ્છ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં જાણવા.
હવે નારકીના ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ —
અર્થઃ — સાતમા નરકમાં નારકીજીવનો દેહ પાંચસો ધનુષ ઊંચો છે; તેના ઉપર દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ, બીજામાં પંદર ધનુષ દશા આની, અને પહેલામાં સાત ધનુષ તેર આની — એ પ્રમાણે જાણવું. તેમાં ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
હવે દેવોની અવગાહના કહે છેઃ —