Page 10 of 238
PDF/HTML Page 21 of 249
single page version
મૂળ ગુણ પાળે, પણ એ તો રાગ છે, તેમાં હિત માને એ મિથ્યાશ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે.
તેને આત્માના જ્ઞાન ને આનંદની ખબર નથી તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના
છે. મિથ્યાશ્રદ્ધાવાળાને જરીયે સુખ નથી એમ કહ્યું. મિથ્યાશ્રદ્ધા એટલે શું? આપણે કુદેવ-
કુશાસ્ત્ર-કુગુરુને માનતા નથી, આપણે પંચમહાવ્રત પાળીએ છીએ, માટે આપણને
મિથ્યાશ્રદ્ધા નથી; પણ એ પંચમહાવ્રત રાગ છે, એને પાળું ને એ મારા છે એ માન્યતા
પોતે જ મિથ્યાશ્રદ્ધા છે, તેથી તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ભલે તે જીવ દિગંબર સાધુ
થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ એ ભાવ મને હિતકર છે એમ માને છે તેને
મિથ્યાદર્શનનું ઝેર ચઢેલું છે, તેને આત્માના અમૃતનો જરીયે સ્વાદ હોતો નથી. ૪.
अप्पा झायहि णिम्मलउ जिम सिव–सुक्ख लहेहि।। ५।।
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. પ.
અત્યારે તો આત્માનો અનાદર કરે છે, ભગવાને કહ્યું કે દયા-દાન-વ્રતાદિ આત્માના
હિતનું કારણ નથી એને તો તું માનતો નથી. ભગવાનનો તો તું અનાદર કરે છે તો
સ્વર્ગમાંથી ભગવાન આગળ સાંભળવા જઈશું એ ખોટી ભ્રમણા છે.
હોય! લુહાર કહે કે ભાઈ! એ બળદ અહીં તે પાછો આવતો હશે? ખસ્સી કરાવવામાં
તો બહુ ત્રાસ થાય ને તે અહીં પાછો ડોકાતો હશે?-એમ વાત આવે છે. તેમ અહીં કહે
છે કે જેને ૮૪ લાખ યોનિના ત્રાસ લાગ્યા છે ને ફરી હવે મારે આ ગતિમાં નથી
આવવું-તેને માટે આ વાત છે.
ટૂંકી ને ટચ વાત કરી છે કે ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો પરભાવને છોડી દે. તેનો
Page 11 of 238
PDF/HTML Page 22 of 249
single page version
Page 12 of 238
PDF/HTML Page 23 of 249
single page version
તરફ છે તેનો પલટો મારીને અંદર સ્વ તરફ કરજે; તેનાથી શાંતિ ને શિવસુખ પામીશ,
એ સિવાય મોક્ષના સુખની પ્રાપ્તિનો બીજો ઉપાય વીતરાગ પરમેશ્વરના માર્ગમાં નથી
અને બીજે તો છે જ નહીં. હવે છઠ્ઠી ગાથા કહે છેઃ-
મલિન જ આત્મા કહે છે તે પણ ખોટું; ત્રણ પ્રકારે આત્મા છે, તે કહે છેઃ-
पर झायहि अंतर सहिउ बाहिरु चयहि णिभंतु ।। ६।।
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વરૂપ. ૬.
પર્યાયમાં છે. બહિરાત્માપણું એટલે કે પુણ્ય-પાપના રાગને પોતાના માનવો એ એની
પર્યાયમાં છે, અંતરાત્માપણું એટલે કે આત્મા શુદ્ધ છે એમ માનવું તે એની પર્યાયમાં છે
અને પૂરણ પરમાત્મપણે પરિણમવ્રું એ પણ એની પર્યાયમાં છે.
તો પ્રગટ પૂરણ પર્યાયની અપેક્ષાએ પરમાત્માની વાત કરે છે.
નિર્મળતાની -અપૂર્ણ નિર્મળ દશાની અપેક્ષાએ અંતરાત્મા કહેવામાં આવે છે.
નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે, તે
બર્હિતત્ત્વ છે, તેને આત્માના હિતરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના
સંસર્ગમાં આવીને ક્યાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન
આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિભાવ કે કર્મજન્ય
સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “આહાહા! આહાહા!”-
એમ પરમાં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન
થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે
તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ કહે છે.
Page 13 of 238
PDF/HTML Page 24 of 249
single page version
એટલે કે રાગની ભિન્નતા અને આત્માની એકતામાં રાગનો ત્યાગ વર્તે છે. બહિરાત્મા
નગ્ન દિગંબર થઈને અઠ્ઠાવીસ મૂળગુણ પાળે, ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન
કરે પણ અંતરમાં રાગનો અત્યાગ ને રાગની સાથે એકત્વબુદ્ધિ પડી છે તે બહિરાત્મા
બાહ્યબુદ્ધિમાં રાજી થનાર મિથ્યાદ્રષ્ટિ છે. શરીરમાં નીરોગતા મારા આત્માને સાધન થશે,
રોગ વખતે શરીરમાં પ્રતિકૂળતા હતી હવે શરીરમાં નીરોગતા થઈ, પૈસાદિની સગવડતા
થઈ, હવે હું નીરાંતે ધર્મધ્યાન કરી શકીશ-એમ આત્મા સિવાય રજકણથી માંડી
બાહ્યઋદ્ધિમાં ક્યાંય અનુકૂળતા કલ્પી જવાય ને પ્રતિકૂળતાના ગંજમાં એના કારણે
ક્યાંય અણગમો થાય એની બુદ્ધિ બાહ્યમાં રોકાયેલી હોવાથી તે બહિરાત્મા છે.
હરખના સડકે ચઢેલો તારો ભાવ એ બહિરાત્મા છે, તથા પ્રતિકૂળતામાં ખેદે ચઢેલો તારો
ભાવ એ પણ બહિરાત્મા છે. એ ભ્રાંતિ-શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે.
મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે.
Page 14 of 238
PDF/HTML Page 25 of 249
single page version
ભૂતનૈગમનયથી અંતરાત્મા ને બહિરાત્મા તો છે પણ આ તો પ્રગટ પર્યાયની વાત છે.
પરમાત્માનું સ્વરૂપ જાણીને અંતરાત્મા થઈને બહિરાત્મપણું છોડીને પરમાત્માનું ધ્યાન
કરવું એ ગાથાનો સાર છે. ત્રણ પ્રકારની પર્યાય બતાવીને હેતું શું?-કે દરેક જીવમાં
ત્રણ પ્રકારની શક્તિ પડી છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ જાણી અંતરાત્મા થઈ
બહિરાત્મપણું છોડી પરમાત્માનું ધ્યાન કરવું તે હેતુ છે, તે સાર છે. હવે સાતમી ગાથા
કહે છે;
सो बहिरप्पा जिण–भणिउ पुण संसार भमेइ ।। ७।।
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
થયો ત્યાં હું પંડિત છું એમ માને-એ બધા મિથ્યાદર્શનથી મોહિત થયેલા જીવો છે. મારુ
સ્વરૂપ એક સમયમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે-એનો આશ્રય કરતો નથી ને કર્મના
ઉદયથી મળેલી બાહ્ય ને અભ્યંતર સામગ્રીમાં, મિથ્યાશ્રદ્ધા દ્વારા હુંપણું સ્વીકારતો, એમાં
હું છું, એ મારા છે એમ માનતો થકો મિથ્યાત્વથી મોહિત થયેલો પરમાત્માને નથી
જાણતો. પોતાનું સ્વરૂપ જે અનંત જ્ઞાન, દર્શન ને આનંદ આદિની સમૃદ્ધિવાળું છે તેને
તે જાણતો નથી. ફક્ત બહારની અલ્પજ્ઞ અવસ્થા, રાગની અવસ્થા અને બહારના
અનુકૂળ-પ્રતિકૂળ સંયોગના અસ્તિત્વના સ્વીકારવામાં તેની દ્રષ્ટિ પડી છે.
Page 15 of 238
PDF/HTML Page 26 of 249
single page version
सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।। ८।।
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.
Page 16 of 238
PDF/HTML Page 27 of 249
single page version
Page 17 of 238
PDF/HTML Page 28 of 249
single page version
પોષા, પ્રતિક્રમણમાં સામાયિકના નામ ધરાવીને બેઠો પણ પૂરણ શુદ્ધ સ્વરૂપ અખંડ
આત્માનો અંદર શ્રદ્ધામાં આદર નથી ત્યાં તેને દયા-દાન આદિ વિકલ્પ ઊઠે એ પરનો
જ એકલો આદર વર્તે છે તેથી તેને એકલો પરમાત્માનો જ ત્યાગ વર્તે છે, તેને પરમ
સ્વભાવનો ત્યાગ વર્તે છે.
દ્રષ્ટિમાં ત્યાગ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાય એ ભાવથી લાભ માનતો નથી. જે
ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે તેનાથી લાભ માને શી રીતે? સ્વરૂપમાં એકાગ્ર થઈશ
તો લાભ થશે એમ માને છે.
એક કણનો આદર છે તેને આખા ચૌદ બ્રહ્માંડનો ભોગ છે.-આવી વસ્તુસ્થિતિ છે
બાપુ!
સામગ્રીને પોતાની માને છે તે સંસારમાં રખડશે કારણ કે તેની દ્રષ્ટિમાંથી સ્વભાવની
અધિકતા છૂટી ગઈ છે, ને બહારની અધિકતા દ્રષ્ટિમાંથી જતી નથી તેથી તે નવા કર્મો
બાંધશે ને ચાર ગતિમાં રખડશે. અંતરાત્મા તો શુભાશુભ રાગના અભાવસ્વભાવ
સ્વરૂપ પૂરણ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો-ચોથા ગુણસ્થાનથી આત્માનો
અનુભવ કરતો થકો ‘પ્રગટ લહે ભવપાર’ શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરનાર,
પરભાવનો ત્યાગ કરનાર ક્રમે ક્રમે સંસારને મૂકી દેશે, તેને સંસાર રહેશે નહીં-એવા
જીવને પંડિત, જ્ઞાની, વીર ને શૂરવીર કહેવામાં આવે છે. ૮.
सो परमप्पा जिण–भणिउ एहउ जाणि णिमंतु ।। ९।।
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિર્ભ્રાન્ત.
ન હતા, દ્રષ્ટિમાંથી એકત્વબુદ્ધિમાંથી રાગ-દ્વેષ છૂટયા હતા પણ સ્થિરતા દ્વારા પૂરણ
છૂટયા ન હતા, એ રાગાદિ પરમાત્માને પૂરણ છૂટી ગયા છે, આઠ કર્મના રજકણને ને
પુણ્ય-પાપના મલિનભાવને પરમાત્માએ છોડયા છે.
Page 18 of 238
PDF/HTML Page 29 of 249
single page version
પરમાત્મા તો એને કહીયે કે જેને શરીર નથી, રાગ નથી, જે શુદ્ધ અભેદ એક છે, તેમને
અશુદ્ધતા નથી, બેપણું નથી. પહેલાં કર્મરૂપી શત્રુ હતા તેને જીત્યા માટે જિનેન્દ્ર છે.
આવા સિદ્ધ ભગવાનને વિષ્ણુ કહીયે. જગતને રચે તે વિષ્ણુ નથી. ભગવાન પરમાત્મા
એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞાતા તરીકે જાણે, એક સમયમાં યુગપત્
જાણે, એક સમયમાં પૂરું જાણે માટે તેને વિષ્ણુ કહે છે.
નહીં થાય. ભગવાનનો એક સમયનો એક પર્યાય આવડો કે ત્રણકાળ ત્રણલોકને
યુગપત્પણે જાણે-એવા જ્ઞાનનો સ્વીકાર શું રાગથી કરી શકે? રાગના આશ્રયે સ્વીકાર
થાય? પર્યાયથી સ્વીકાર થાય પણ એ પર્યાયના આશ્રયે શું સ્વીકાર થાય? સર્વજ્ઞ
સ્વરૂપી પ્રભુ તેનો આશ્રય લીધા વિના પર્યાયમાં સર્વજ્ઞપણાનો નિર્ણય ન થાય.
સર્વજ્ઞસ્વભાવી આત્મસ્વરૂપનો નિર્ણય થતાં તેને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જશે ને વીતરાગ
પર્યાય પણ થઈ જશે. એનું નામ જ પુરુષાર્થ છે, પુરુષાર્થ એટલે કાંઈ ખોદવું છે?
અંતરની દશા કર્તૃત્વમાં હતી તે અંતરમાં અકર્તૃત્વમાં ગઈ એ પુરુષાર્થ છે.
વિષ્ણુ કહેવામાં આવે છે, એ સિવાય જગતનો કર્તા-હર્તા બીજો કોઈ વિષ્ણુ છે નહીં.
સ્વ-પર તત્ત્વનો ભેદ પાડીને જાણે તેને બુદ્ધ કહીયે. સર્વજ્ઞ પરમાત્મા પોતાના સ્વરૂપને
પૂરણ જાણે ને લોકાલોકને પણ જાણે-એ સ્વપરને જાણનારા સર્વજ્ઞદેવને બુદ્ધ કહેવાય
છે. એકલા ક્ષણિકને જાણે તે બુદ્ધ નથી.
પરિણમી ગઈ છે માટે તેને શિવ કહે છે. અકષાય સ્વભાવે પરિણમીને વીતરાગ દશાએ
પરિણમી ગયા તેને શાંત કહીયે, તેને પરમાત્મા કહીયે.-એમ જિનેન્દ્રદેવે કહ્યું છે, માટે તું
ભ્રાંતિ રહિતપણે પરમાત્મસ્વરૂપને જાણ ને રાગ-દ્વેષને છોડ. પરમાત્મસ્વરૂપ તો તારી
શક્તિમાં પડયું જ છે તેને જાણ ને રાગ-દ્વેષને છોડ.
પરમાત્મા હોઈ શકે નહીં.
Page 19 of 238
PDF/HTML Page 30 of 249
single page version
सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ।। १०।।
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦
બધાં મારા છે એમ માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. જ્ઞાન આનંદ આદિ
ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં જ નથી એવા શુભાશુભ વિકલ્પો, ચાર ગતિ, લેશ્યા, છકાય,
કષાય આદિ ભાવો પરભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. શરીરથી માંડીને રાગની
મંદતા તીવ્રતાના શુભાશુભભાવ એ બધા આત્માથી બાહ્ય છે.
મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા મૂઢ કહ્યો છે. અખંડ જ્ઞાનાનંદમૂર્તિ આત્મા સિવાયના જે કોઈ
બર્હિભાવો મારા છે, શ્રાવકના છ પ્રકારના વ્યવહાર કર્તવ્યના ભાવો એ શુભ રાગ છે
ને પંચમહાવ્રતાદિનું આચરણ એ મુનિનો શુભ રાગ છે. એ આચરણ મારું છે, એ
આચરણથી મારું હિત થાય એમ માનનાર બહિર્દષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, અન્તર્દષ્ટિ
નથી.-એમ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે.
ભાવથી જે લાભ માને તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. શુભ આચરણ મારું સ્વરૂપ છે
અથવા તે મારા કલ્યાણનું સાધન છે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પરમાર્થે વ્યવહાર
આવશ્યક, શુભ વિકલ્પ વૃત્તિ એ બધા પર છે, વિભાવ છે, વિકાર છે, સદોષ છે.
વાણી,
Page 20 of 238
PDF/HTML Page 31 of 249
single page version
Page 21 of 238
PDF/HTML Page 32 of 249
single page version
હિત થશે એમ માનનાર એ વિભાવને જ-એ બહિરભાવને જ આત્મા માને છે.
સ્વભાવનું સાધન માને, સ્વભાવને ને વિકારને એક માને તે વિકારને જ-દેહાદિને જ
આત્મા માને છે. તેની દ્રષ્ટિ ચિદાનંદ જ્ઞાયક ઉપર નથી પણ તેની દ્રષ્ટિ ખંડખંડ આદિ
ભાવ ઉપર પડી છે. તે અપંડિત કહ્યો છે. આત્મા જેવો છે તેવો જેણે જાણ્યો ને માન્યો
તેને પંડિત કહ્યો છે. તો તેનાથી વિરુદ્ધ જે વિકલ્પ રાગ આદિને પોતાનું સ્વરૂપ માને
તેને અપંડિત કહીયે, મૂરખ કહીયે, બહિરાત્મા કહીયે.
અલ્પ અવસ્થા, પુણ્ય-પાપના વિકલ્પો કે સંયોગી બાહ્ય ચીજ મને હિતકર છે, સાધન
છે, મારા છે, એવી માન્યતાવાળાને બહિરાત્મા કહે છે.
વ્યવહાર તરીકે આવ્યા વિના રહેતો નથી. જેમ એકરૂપ અખંડ ચૈતન્યવસ્તુ આત્મા છે ને
જેમ શરીર આદિ જડરૂપ પદાર્થ પણ છે અને શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન થતાં જેમ શરીર
આદિ બીજી ચીજ કાંઈ વઈ જતી નથી તેમ અંદરમાં પૂરણદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી વ્યવહારના ભાવ હોય છે, પણ તે પર તરીકે હોય છે, સ્વ તરીકે ખતવવા
માટે હોતા નથી.
એ આત્માનું કર્તવ્ય નથી. કમજોરીના કાળમાં એ ભાવ આવે છતાં એ હિતકારી નથી.
હિતકારી નથી તો એ ભાવ લાવે છે શું કામ?-ભાઈ! બાપુ! એ ભાવને તે લાવતો
નથી પણ આવે છે. પરંતુ એ વિકલ્પો આત્માને કલ્યાણ કરનાર છે કે આત્માનું સ્વરૂપ
છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારા સ્વરૂપમાં હું છું ને તે ભાવો મારામાં નથી તેનું
નામ અનેકાન્ત કહેવામાં આવે છે.
વિકૃતરૂપને પોતાનું સ્વરૂપ માને છે તેથી વિકૃતરૂપને કેમ છોડે? તેથી તે વિકૃતિમાં જ
ફરી ફરી ભ્રમણ કરશે. સંસારમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. ૧૦
અંતરાત્માની વિશેષ વાત કહે છેઃ-
Page 22 of 238
PDF/HTML Page 33 of 249
single page version
इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।। ११।।
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧
થઈ શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન્ન જે પદાર્થ કહ્યાં તે આત્મા થઈ શકતા નથી,
શકતા નથી, તે પદાર્થો આત્માપણે થઈ શકતા નથી. શુદ્ધ જ્ઞાનની મૂર્તિ ચૈતન્યસૂર્ય
પ્રભુરૂપે પુણ્ય-પાપના ભાવ કે શરીર થઈ શકતા નથી. દેહાદિ જે બાહ્ય કહ્યાં તે આત્મા
આત્મા થઈ જતા નથી.
સ્ફટિકની સાથે રાતા-પીળા ફૂલ પડયાં હોય તો એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જાય? અને
સ્ફટિકમાં રાતી-પીળી ઝાંય દેખાય એ ઝાંય કાંઈ સ્ફટિકરૂપે થઈ જાય?
શ્રી જિન વીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે...
અને જે લાલ-પીળી ઝાંય પડી તે સ્ફટિકપણે થાય? તેમ ભગવાન આત્માથી બાહ્ય જે
પદાર્થ તે આત્મા થઈ શકતા નથી. પુણ્યા-પાપના વિકલ્પો ને શરીરાદિ બાહ્ય પદાર્થ
કોણ થઈ શકતા નથી?-કે વિભાવ શરીર ને વાણી આત્મારૂપે થઈ શકતા નથી.
પોતે પોતાને ભૂલી ગયો...કહે છે કે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા શું કાંઈ વિભાવરૂપે થાય?
એ આત્મા શું કાંઈ શરીરરૂપે થાય? એ આત્મા શું કાંઈ વાણીરૂપે થાય? વિભાવના
વાણીમાં કાંઈ આત્મા આવે? શુભભાવના વિકલ્પમાં જો આત્મા આવે તો આત્મા
શુભભાવરૂપે થઈ જાય. પણ આત્મા એમાં આવે નહીં. કેમ કે વિભાવ એ તો બાહ્યચીજ
Page 23 of 238
PDF/HTML Page 34 of 249
single page version
पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।। १२।।
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨.
Page 24 of 238
PDF/HTML Page 35 of 249
single page version
એકાકાર થઈ તે પૂર્ણાનંદરૂપી નિર્વાણ ને મુક્તિ પામશે.
એમાં ને એમાં ઘોલન કરતાં નિર્વાણને પામશે, આત્મા ચૈતન્યજ્યોત જ્ઞાયક છે એમ
જાણ્યું ને એમાં ને એમાં સ્થિર થશે એટલે વિતરાગતાને પામશે; વચ્ચે વ્યવહાર આવશે
એની અહીં વાત પણ કરી નથી.
પ્રભુ, ચૈતન્યપ્રકાશની મૂર્તિ! પ્રકાશનો પ્રકાશક; રાગનો, જડનો પ્રકાશક આત્મા અને
પોતાના સ્વરૂપનો પણ પ્રકાશક એવો પ્રકાશક સ્વરૂપ ભગવાન આત્મા જાણ્યો કે હું તો
સ્વપરનો પ્રકાશક પ્રકાશનો પુંજ આત્મા છું-એમ જાણીને તેમાં જ સ્થિરતા કરતાં કરતાં
નિર્વાણને પામશે.
એટલે સંસારમાં રખડશે. આત્માને આત્મા જાણે તો મુક્તિ ને આત્માને પરરૂપે જાણે તો
સંસારભ્રમણ, વિકાર તે સંસાર છે, વિકારને પોતારૂપે માનશે તો એમાં ને એમાં રહેશે,
વિકારમાં ને વિકારમાં રહેશે, સંસારમાં ને સંસારમાં રહેશે.
મુક્તિ અને સંસારની બન્ને વાત એક ગાથામાં સમાવી દીધી.
Page 25 of 238
PDF/HTML Page 36 of 249
single page version
યોગસારશાસ્ત્રમાં વર્ણવ્યો છે. તેમાં બાર ગાથા થઈ ગઈ છે. હવે ૧૩ મી ગાથા કહે છેઃ-
तो लहु पावहि परम–गई फुडु संसारु ण एहि ।।१३।।
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩.
આવે છે. પુણ્ય-પાપના રાગ રહિત શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન કરીને પુણ્ય-પાપના
ભાવને રોકીને સ્વરૂપમાં લીન થાય તેને તપ કહેવામાં આવે છે અને તે તપથી મુક્તિ
થાય છે.
ઈચ્છા નથી એવા જ્ઞાન-દર્શન ને આનંદમય આત્માના શ્રદ્ધા-જ્ઞાન ને લીનતા વડે-શુદ્ધ
સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગની લીનતા વડે સંવર ને નિર્જરા થાય છે.
ઉપવાસ આદિ કરે ને તેમાં રાગની મંદતા હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે પણ
તેને ધર્મનું સ્વરૂપ કહેવામાં આવતું નથી કે તેનાથી જન્મ-મરણના અંત આવતા નથી.
ભગવાન આત્મા પોતાના વીતરાગી નિર્દોષ અકષાય સ્વરૂપને જાણીને તેમાં લીન થાય
તેનું નામ ઈચ્છારહિત કહેવામાં આવે છે ને તેનાથી જન્મ-મરણના અંત આવે છે.
Page 26 of 238
PDF/HTML Page 37 of 249
single page version
ઠીકપણું લાગતું હોય તે ત્યાંથી ખસે કેમ? માટે ભગવાન આત્મા જ્ઞાન-દર્શન-આનંદ
સ્વરૂપ છે તેને જાણ, કેમ કે તે ઈચ્છા વિનાની ચીજ છે. તેથી ઈચ્છા વિનાની જે ચીજ
છે તેના લક્ષે ઈચ્છાને ટાળીને વીતરાગસ્વરૂપમાં ઠરે તેને ઈચ્છારહિત તપ કહે છે.
પવિત્ર આનંદસ્વરૂપમાં ઠરે ને લીન થાય એટલે ઈચ્છા રોકાઈ ગઈ ને સ્વરૂપમાં લીન
થયો તેને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે.
થાય છે તેને પરમાત્મા તપ અને ધર્મ કહે છે. આહાર ન લેવો કે અમુક રસ ન લેવો-
એ તો બધી લાંઘણ છે, ચારિત્રની રમણતા તે તપ છે. અનાદિથી રાગમાં રમે છે,
પુણ્ય-પાપના રાગના વિકલ્પમાં રમે છે તે સંસાર છે. એ પુણ્ય-પાપના રાગથી ખસીને
જેમાં એ પુણ્ય-પાપ નથી એવા ભગવાન આત્માના સ્વભાવમાં ઠરવું તે તપ ને
મુક્તિનો ઉપાય છે.
જાણવું હોય તો કેટલા ઉપવાસ કરે ત્યારે નામ જણાય? મારે તમારું નામ પૂછવું નથી,
ઉપવાસ કરીને તમારું નામ જાણવું છે, તો કેટલા ઉપવાસ કરવાથી નામ જણાય?
ભાઈ! પૂછવું પડે ને?-કે તમારું નામ-ઠામ શું? જ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો નાશ થઈ શકે
છે. તેથી આત્મા પોતાના આત્માનું પ્રથમ જ્ઞાન કરે કે જાણનાર દેખનાર તે આત્મા-એમ
આત્માનો વિશ્વાસ ને શ્રદ્ધા-જ્ઞાન કરીને, રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે ત્યારે તપ થાય
છે ને તેને ધર્મ કહેવામાં આવે છે.
પડતું નથી. જેણે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવનો વિશ્વાસ કરીને, વિશ્વાસે તેમાં
રમીને તે દ્વારા જેણે પરમ ગતિને પ્રાપ્ત કરી તે ફરીથી સંસાર પામતો નથી. અતીન્દ્રિય
આનંદમાં જે લીન થયો, પૂરણ લીનતા પામ્યો તે હવે ત્યાંથી પાછો ખસે-એમ
ત્રણકાળમાં બનતું નથી. માખી જેવું પ્રાણી પણ સાકરની મીઠાસમાં લીન થયા પછી તેની
પાંખ ચોંટી જાય કે બાળકના આંગળાથી થોડી દબાય તોપણ માખી તે મીઠાસને છોડતી
નથી, ઉડતી નથી. તેમ આનંદસ્વરૂપ આત્માનો જેને વિશ્વાસ આવ્યો છે, આત્માનું જ્ઞાન
કરીને તેનો વિશ્વાસ આવ્યો ને તેમાં ઠરે છે, તપે છે, લીનતા કરે છે તે અલ્પકાળમાં
પર્યાયમાં મુક્તદશાને પામે છે ને પછી તે સંસારમાં ફરી અવતરતો નથી. ૧૩.
Page 27 of 238
PDF/HTML Page 38 of 249
single page version
इउ जाणेविणु जीव तुहुं तहभाव हुं परियाणि ।। १४।।
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવો જાણ. ૧૪.
Page 28 of 238
PDF/HTML Page 39 of 249
single page version
મોક્ષનું કારણ છે, દેહની ક્રિયા મોક્ષનું કારણ નથી એમ કહે છે! મોક્ષ પણ આત્માના
પરિણામથી થાય, દેહની ક્રિયાના નિમિત્તથી થાય નહીં. સ્વભાવની મહિમાનું જ્ઞાન,
સ્વભાવની મહિમાનો વિશ્વાસ, સ્વભાવની મહિમામાં લીનતારૂપ સ્વ-અભિમુખના
પરિણામ એ જ ભગવાન આત્માને મુક્તિનું કારણ છે, પણ બે-પાંચ લાખ રૂપિયા દાન
દેવાથી કાંઈ મુક્તિ કે ધર્મ થઈ જતો નથી. અરે! દાનના શુભરાગના પરિણામ તો બંધનું
કારણ છે-એમ અહીં વાત ચાલે છે, કેમ કે એ તો પરસન્મુખતાના પરિણામ છે. ધર્મીને
દયા-દાન આદિના પરિણામ હોય ખરા, આવે ખરા, પણ એ જાણે છે કે આ
બંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને બંધનું કારણ છે, ને સ્વસન્મુખતાના
અબંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને છૂટવાનું કારણ છે.
મિથ્યાદ્રષ્ટિ હો જે અશુદ્ધ પરિણામ થયા તે બંધનું જ કારણ છે. સમ્યગ્દ્રષ્ટિને પણ
વ્રતાદિના જેટલા પરિણામ આવે તે પરસન્મુખતાના પરિણામ છે ને જેટલા
પરસન્મુખતાના પરિણામ છે તેટલું બંધનું કારણ છે તથા જેટલા સ્વસન્મુખતાના
પરિણામ છે તે જ પરિણામ પૂરણ શુદ્ધ પરિણામરૂપી મુક્તિનું કારણ છે.
પરિણામનું જ્ઞાન કર. પૂર્ણાનંદના નાથની સન્મુખના પરિણામને તું જાણ અને તેની
વિમુખના પરિણામને તું જાણ. આ તો સમ્યગ્દ્રષ્ટિને કહે છે કે જ્ઞાન તો બન્નેનું કરવાનું
છે. સમકિતીને પણ વિષય-કષાયના કામ-ક્રોધના પરિણામ આવે છે, દયા-દાન-વ્રત-
ભક્તિના પરિણામ આવે છે પણ એને તું બંધના કારણ જાણ.
સમયની પર્યાયમાં સમાઈ જાય છે-એવો ભગવાન આત્મા સાધકપણામાં સ્વસન્મુખના
પરિણામને અને પરસન્મુખના પરિણામને બરાબર જાણી શકે છે.
ચાર-છ કલાક બોલાય નહીં કે પડખું ફરી શકાય નહીં ત્યાં હાય હાય! ક્યાંય સખ
પડતું નથી! અકળામણ અકળામણ થાય છે! પણ અકળામણ શેની છે? અકળામણ તો
તારા રાગની છે, પડખું ન ફરવાની નથી. પરનું કરે કોણ? અહીં તો કહે છે કે જડની
અવસ્થાના અભિમાનના પરિણામ બંધના કારણ છે. તને ખબર નથી બાપુ! ભગવાન
આત્મા ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે તેની સન્મુખના પરિણામ તે એક જ તને હિતકર અને
કલ્યાણનું કારણ છે, એ સિવાય કોઈ તને હિતકર કે કલ્યાણનું કારણ છે નહીં.
Page 29 of 238
PDF/HTML Page 40 of 249
single page version
રાગએ-એ સર્વે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ એક વીતરાગ ભાવ છે. ભગવાન
આત્માના અંતર શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, નિર્વિકલ્પતા, વીતરાગતા,
શુદ્ધ સ્વરૂપને અવલંબીને થયેલા શુદ્ધતાના પરિણામ એ એક જ સંવર-નિર્જરારૂપ છે ને
તે એક જ મુક્તિનો ઉપાય છે. ૧૪.
तो वि ण पावहि सिद्धि–सुहु पुणु संसारु भमेस ।। १५।।
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય.
શુભભાવ સાધક છે નહીં. પંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના પરિણામ,
જાવજીવ બ્રહ્મચર્ય પાળવાના પરિણામ, એક લંગોટી માત્ર પણ ન રાખવાના પરિણામ,
નવમી ગ્રૈવયેક જાય એવા શુભ પરિણામ-એ બધાય બંધના કારણ છે. આત્માના ભાવ
વિનાનું એ પુણ્ય મુક્તિનું કારણ નથી. આત્માના ભાન સહિત એ હોય તો તેને તેમાં
નિમિત્ત કહેવામાં આવે છે એટલે કે તે મુક્તિનું કારણ તો છે જ નહીં.
તોપણ તે મુક્તિના સુખને પામતો નથી એટલે કે તેને સંવર-નિર્જરા થતી નથી.
પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના ભાવ શુદ્ધ ઉપાદાનથી પ્રગટ કર્યા ત્યારે
વ્રતાદિના પરિણામ કે જે બંધના કારણ છે તેને નિમિત્ત તરીકે કહેવાય. નિમિત્ત દેખીને
વાત કરી ત્યાં તેને વળગ્યો!
થશે એમ માને છે તે જીવો ચાર ગતિમાં રખડશે. તેને જન્મ-મરણના અંતનો કાંઈ પણ
લાભ નહીં થાય. દેહ ને રાગથી ભિન્ન એવો જે પરમાત્માનો નિજસ્વભાવ તેને જે
જાણતો નથી તે ભલે અશેષ શુભભાવ કરે પણ એનાથી જરીએ ધર્મ થતો નથી. આટલું
કરવા છતાં-ઊંચામાં ઊંચા શુભભાવો ને તેની ક્રિયાઓ કરવા છતાં તે સિદ્ધના સુખને
પામતો નથી. ભગવાન આત્મામાં આનંદ ભર્યો છે પણ તેનો વિશ્વાસ કરતો નથી ને
શુભભાવમાં વિશ્વાસ કરે કે આનાથી મુક્તિ થશે તે ચાર ગતિમાં રખડશે એટલે કે તેને
આત્માના આનંદની પ્રાપ્તિ થશે નહીં ને ચાર ગતિમાં ફરી ફરીને રખડશે.