Moksha Shastra (Gujarati). Sutra: 19-27 (Chapter 6),1 (Chapter 7); Upsanhar (Chapter 6); Seventh Chapter Pg 439 to 490.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 25 of 36

 

Page 426 of 655
PDF/HTML Page 481 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૯-૨૦ ] [ ૪૨પ

ટીકા

૧. આ સૂત્રને સત્તરમા સૂત્રથી જુદું લખવાનું કારણ એ છે કે આ સૂત્રમાં જણાવેલી બાબત દેવાયુના આસ્રવનું પણ કારણ થાય છે.

ર. અહીં ‘स्वभाव’ નો અર્થ ‘આત્માનો શુદ્ધ સ્વભાવ’ એમ ન સમજવો; કેમ કે નિજસ્વભાવ બંધનું કારણ હોય નહિ. અહીં ‘स्वभाव’ નો અર્થ ‘કોઈએ શીખવ્યા વગર’ એમ થાય છે. માર્દવ પણ આત્માનો એક શુદ્ધભાવ છે. પરંતુ અહીં ‘मार्दव’ નો અર્થ ‘શુભભાવરૂપ (મંદકષાયરૂપ) સરળ પરિણામ’ એમ કરવો; કેમ કે શુદ્ધભાવરૂપ માર્દવ છે તે બંધનું કારણ નથી પણ શુભભાવરૂપ માર્દવ છે તે જ બંધનું કારણ છે. ।। ૧૮।।

બધાં આયુઓના આસ્રવનું કારણ
निःशीलव्रतत्त्वं च सर्वेषाम्।। १९।।

અર્થઃ– [निःशोलव्रतत्त्वं च] શીલ અને વ્રતનો અભાવ તે પણ [सर्वेषाम्] બધા પ્રકારનાં આયુના આસ્રવનું કારણ છે.

ટીકા

૧. પ્રશ્નઃ– જે વ્રત અને શીલ રહિત હોય તેને દેવાયુનો આસ્રવ કેમ થાય? ઉત્તરઃ– ભોગભૂમિના જીવોને શીલ-વ્રતાદિ નથી તોપણ દેવાયુનો જ આસ્રવ થાય છે.

ર. એ વાત ખાસ લક્ષમાં રાખવી કે મિથ્યાદ્રષ્ટિને સાચાં શીલ કે વ્રત હોતાં નથી. મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેવા શુભરાગરૂપ શીલવ્રત પાળતો હોય તોપણ તે સાચાં શીલવ્રતરહિત જ છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી જીવ અણુવ્રત કે મહાવ્રત ધારણ કરે તેટલાથી તે જીવ આયુના બંધરહિત થઈ જતો નથી; સમ્યગ્દ્રષ્ટિનાં સાચાં અણુવ્રત અને મહાવ્રત દેવાયુના આસ્રવનું કારણ છે કેમ કે તે પણ રાગ છે. માત્ર વીતરાગભાવ જ બંધનું કારણ ન થાય; કોઈ પણ પ્રકારનો રાગ હોય તે તો આસ્રવ અને બંધનું કારણ થાય જ. હવે પછીના (ર૦ મા) સૂત્રમાં તે સ્પષ્ટ કર્યું છે. ‘બાળતપ’ આસ્રવનું કારણ છે એમ ૧ર તથા ર૦ મા સૂત્રમાં કહ્યું છે. ।। ૧૯।।


Page 427 of 655
PDF/HTML Page 482 of 710
single page version

૪૨૬ ] [ મોક્ષશાસ્ત્ર

દેવાયુના આસ્રવનું કારણ
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य।। २०।।

અર્થઃ– [सरागसंयम संयमासंयम अकामनिर्जरा बालतपांसि] સરાગસંયમ, સંયમાસંયમ, અકામનિર્જરા અને બાળતપ [देवस्य] તે દેવાયુના આસ્રવનાં કારણો છે.

ટીકા

૧. આ સૂત્રમાં જણાવેલા ભાવોના અર્થ પૂર્વે ૧ર મા સૂત્રની ટીકામાં આવી ગયા છે. જુઓ પાનું ૪૩૧. પરિણામો બગડયા વગર મંદકષાય રાખીને દુઃખ સહન કરવું તે અકામનિર્જરા છે.

ર. મિથ્યાદ્રષ્ટિને સરાગસંયમ અને સંયમાસંયમ હોતાં નથી પણ ‘બાળતપ’ હોય છે; માટે બાહ્ય વ્રત ધારણ કર્યાં હોય તે ઉપરથી તે જીવને સરાગસંયમ કે સંયમાસંયમ છે-એમ માની લેવું નહિ. સમ્યગ્દર્શન થયા પછી પાંચમા ગુણસ્થાને અણવ્રત અર્થાત્ સંયમાસંયમ અને છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત અર્થાત્ સરાગસંયમ હોય છે. સમ્યગ્દર્શન હોવા છતાં અણુવ્રત કે મહાવ્રત ન હોય એમ પણ બને છે. તેવા જીવોને વીતરાગદેવનાં દર્શન-પૂજા, સ્વાધ્યાય, અનુકંપા ઇત્યાદિ શુભભાવ હોય છે; પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી તે જાતના શુભભાવ હોય છે; પણ ત્યાં વ્રત હોતાં નથી. અજ્ઞાનીના માનેલાં વ્રત અને તપને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. ‘બાળતપ’ શબ્દ તો આ સૂત્રમાં જણાવ્યો છે અને બાળવ્રતનો સમાવેશ ઉપરના (૧૯ મા) સૂત્રમાં થાય છે. (જુઓ, સૂત્ર ૧ર તથા ર૧ની ટીકા.)

૩. અહીં પણ એ જાણવું કે સરાગસંયમ અને સંયમાસંયમમાં જેટલો વીતરાગીભાવરૂપ સંયમ પ્રગટયો છે તે આસ્રવનું કારણ નથી પણ તેની સાથે જે રાગ વર્તે છે તે આસ્રવનું કારણ છે. ।। ર૦।।

દેવાયુના આસ્રવનું કારણ (ચાલુ)
सम्यक्त्वं च।। २१।।

અર્થઃ– [सम्यक्त्वं च] સમ્યગ્દર્શન પણ દેવાયુના આસ્રવનું કારણ છે અર્થાત્ સમ્યગ્દર્શન સાથે રહેલો રાગ તે પણ દેવાયુના આસ્રવનું કારણ છે,

ટીકા

૧. જો કે સમ્યગ્દર્શન શુદ્ધભાવ હોવાથી તે કોઈ પણ કર્મના આસ્રવનું કારણ


Page 428 of 655
PDF/HTML Page 483 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨૨ ] [ ૪૨૭ નથી તોપણ તે ભૂમિકામાં જે રાગાંશ મનુષ્ય અને તિર્યંચને હોય છે તે દેવાયુના આસ્રવનું કારણ થાય છે. સરાગસંયમ અને સંયમાસંયમ સંબંધમાં પણ એ જ પ્રમાણે છે તે ઉપર કહેવાઈ ગયું છે.

ર. દેવાયુના આસ્રવનાં કારણ સંબંધી ર૦ મું સૂત્ર કહ્યા પછી આ સૂત્ર જુદું લખવાનું પ્રયોજન એ છે કે, સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય તથા તિર્યંચને જે રાગ હોય છે તે વૈમાનિક દેવાયુના જ આસ્રવનું કારણ થાય છે, હલકા દેવોનાં આયુનું કારણ તે રાગ થતો નથી.

૩. સમ્યગ્દ્રષ્ટિને જેટલા અંશે રાગ નથી તેટલા અંશે આસ્રવ-બંધ નથી અને જેટલા અંશે રાગ છે તેટલા અંશે આસ્રવ-બંધ છે. (જુઓ, શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા ર૧ર થી ર૧૪) સમ્યગ્દર્શન પોતે અબંધ છે અર્થાત્ તે પોતે કોઈ પ્રકારના બંધનું કારણ નથી. મિથ્યાદ્રષ્ટિને કોઈ પણ અંશે રાગનો અભાવ હોય એમ બનતું જ નથી તેથી તે સંપૂર્ણપણે હંમેશાં બંધભાવમાં જ હોય છે.

અહીં આયુકર્મના આસ્રવ સંબંધી વર્ણન પૂરું થયું. ।। ર૧।।

હવે નામકર્મના આસ્રવનું કારણ જણાવે છે-
અશુભનામકર્મના આસ્રવનું કારણ

योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः।। २२।।

અર્થઃ– [योगवक्रता] યોગમાં કુટિલતા [विसंवादनं च] અને વિસંવાદન

અર્થાત્ અન્યથા પ્રવર્તન તે [अशुभस्य नाम्नः] અશુભનામકર્મના આસ્રવનું કારણ છે.

ટીકા

૧. આત્માના પ્રદેશોનું પરિસ્પંદન તે યોગ છે (જુઓ, આ અધ્યાયના પહેલા સૂત્રની ટીકા). એકેલો યોગ માત્ર સાતાવેદનીયના આસ્રવનું કારણ છે. યોગમાં વક્રતા હોતી નથી પણ ઉપયોગમાં વક્રતા (-કુટિલતા) હોય છે. જે યોગની સાથે ઉપયોગની વક્રતા રહેલી હોય તે અશુભનામકર્મના આસ્રવનું કારણ છે. આસ્રવના પ્રકરણમાં યોગનું મુખ્યપણું છે અને બંધના પ્રકરણમાં બંધપરિણામોનું મુખ્યપણું છે; તેથી આ અધ્યાયમાં અને આ સૂત્રમાં યોગ શબ્દ વાપર્યો છે. પરિણામોનું વક્રપણું જડ-મન, વચન કે કાયા-માં હોતું નથી તેમ જ યોગમાં પણ હોતું નથી પણ ઉપયોગમાં હોય છે. અહીં આસ્રવનું પ્રકરણ હોવાથી અને આસ્રવનું કારણ યોગ હોવાથી, ઉપયોગની


Page 429 of 655
PDF/HTML Page 484 of 710
single page version

૪૨૮ ] [ મોક્ષશાસ્ત્ર વક્રતાને ઉપચારથી યોગ-વક્રતા કહેલ છે; યોગના વિસંવાદન સંબંધમાં પણ તે પ્રમાણે સમજી લેવું.

ર. પ્રશ્નઃ– વિસંવાદનનો અર્થ અન્યથા પ્રવર્તન એવો થાય છે અને તેનો સમાવેશ વક્રતામાં થઈ જાય છે છતાં ‘વિસંવાદન’ શબ્દ જુદો શા માટે કહ્યો?

ઉત્તરઃ– જીવની પોતાની અપેક્ષાએ યોગ વક્રતા કહેવાય છે અને પરની અપેક્ષાએ વિસંવાદન કહેવાય છે. મોક્ષમાર્ગમાં પ્રતિકૂળ એવી મન-વચન-કાયા દ્વારા ખોટી પ્રયોજના કરવી તે યોગ વક્રતા છે અને બીજાને તેમ કરવાનું કહેવું તે વિસંવાદન છે. કોઈ જીવ શુભ કરતો હોય તેને અશુભ કરવાનું કહેવું તે પણ વિસંવાદન છે. કોઈ જીવ શુભરાગ કરતો હોય અને તેમાં ધર્મ માનતો હોય તેને એમ કહેવું કે, શુભરાગથી ધર્મ ન થાય પણ બંધ થાય અને સાચી સમજણ તથા વીતરાગ ભાવથી ધર્મ થાય; આવો ઉપદેશ આપવો તે વિસંવાદન નથી કેમ કે તેમાં તો સમ્યક્ ન્યાયનું પ્રતિપાદન છે, તેથી તે કારણે અશુભ બંધ થાય નહિ.

૩. આ સૂત્રના ‘च’ શબ્દમાં મિથ્યાદર્શનનું સેવન, કોઈનું ખોટું વાંકું બોલવું. ચિત્તનું અસ્થિરપણું, કપટરૂપ માપ-તોલ, પરની નિંદા, પોતાની પ્રશંસા ઇત્યાદિનો સમાવેશ થઈ જાય છે. ।। રર।।

શુભનામકર્મના આસ્રવનું કારણ
तद्विपरीतं शुभस्य।। २३।।

અર્થઃ– [तत् विपरीतं] તેનાથી અર્થાત્ અશુભનામકર્મના આસ્રવનાં જે કારણો કહ્યાં તેનાથી વિપરીતભાવો [शुभस्य] શુભનામકર્મના આસ્રવનાં કારણો છે.

ટીકા

૧. બાવીસમાં સૂત્રમાં યોગની વક્રતા અને વિસંવાદનને અશુભકર્મના આસ્રવનાં કારણો કહ્યાં છે તેનાથી વિપરીત એટલે સરળતા હોવી અને અન્યથા પ્રવૃત્તિનો અભાવ હોવો તે શુભનામકર્મના આસ્રવનાં કારણો છે.

ર. અહીં ‘સરળતા’ શબ્દનો અર્થ ‘પોતાના શુદ્ધસ્વભાવરૂપ સરળતા’ એમ ન સમજવો પણ ‘શુભભાવરૂપ સરળતા’ એમ સમજવો. અન્યથા પ્રવૃત્તિનો અભાવ તે પણ શુભભાવરૂપ સમજવો. શુદ્ધભાવ તો આસ્રવ-બંધનું કારણ હોય નહિ. ।। ર૩।।


Page 430 of 655
PDF/HTML Page 485 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૨૯

તીર્થંકરનામકર્મના આસ્રવનાં કારણો
दर्शनविशुद्धर्विनयसम्पन्नता शीलव्रतेष्वनतीचारोऽभीक्ष्मज्ञानोपयोग–
संवेगौशक्तितस्त्यागतपसी साधुसमाधिर्वैयावृत्यकरणमर्हदाचार्य–
बहुश्रुतप्रवचनभक्तिणवश्यकापरिहाणिर्मार्गप्रभावना–

प्रवचनवत्सलत्वमितिती–थकरत्वस्य।। २४।।

અર્થઃ– [दर्शनविशुद्धिः] ૧-દર્શનવિશુદ્ધિ, [विनयसम्पन्नता] ર-

વિનયસમ્પન્નતા, [शीलव्रतेषु अनतोचारो] ૩-શીલ અને વ્રતોમાં અનતિચાર, [अभिक्ष्णज्ञानोपयोगः] ૪-નિરંતર જ્ઞાનોપયોગ, [संवेगः] પ-સંવેગ અર્થાત્ સંસારથી ભયભીત હોવું, [शक्तितः त्याग तपसी] ૬-૭-શક્તિ અનુસાર ત્યાગ તથા તપ કરવો, [साधुसमाधिः] ૮-સાધુ-સમાધિ, [वैयावृत्यकरणम्] ૯-વૈયાવૃત્ય કરવી, [अर्हत् आचार्य बहुश्रुत प्रवचन भक्तिः] ૧૦-૧૩-અર્હત્-આચાર્ય-બહુશ્રુત (ઉપાધ્યાય) અને પ્રવચન પ્રત્યે ભક્તિ, [आवश्यक अपरिहाणिः] ૧૪-આવશ્યકમાં હાનિ ન કરવી, [मार्गप्रभावनाः] ૧પ-માર્ગ પ્રભાવના અને [प्रवचनवत्सलत्वम्] ૧૬-પ્રવચન-વાત્સલ્ય [इति तीर्थंकरत्वस्य] એ સોળ ભાવના તીર્થંકરનામકર્મના આસ્રવનાં કારણો છે.

ટીકા

૧. આ બધી ભાવનાઓમાં દર્શનવિશુદ્ધિ મુખ્ય છે, તેથી પ્રથમ જ તે જણાવેલ છે; તેના અભાવમાં બીજી બધી ભાવના હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થતો નથી, અને તેના સદ્ભાવમાં બીજી ભાવનાઓ હોય કે ન હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થાય છે.

ર. અહીં જણાવેલી સોળ ભાવના સંબંધમાં વિશેષ કહેવામાં આવે છે-

(૧) દર્શનવિશુદ્ધિ

દર્શનવિશુદ્ધિ એટલે સમ્યગ્દર્શનની વિશુદ્ધિ. સમ્યગ્દર્શન પોતે આત્માનો શુદ્ધ પર્યાય હોવાથી તે બંધનું કારણ નથી, પણ સમ્યગ્દર્શનની ભૂમિકામાં એક ખાસ પ્રકારની કષાયની વિશુદ્ધિ થાય છે તે તીર્થંકરનામકર્મના બંધનું કારણ થાય છે. દ્રષ્ટાંતઃ- વચનકર્મને (અર્થાત્ વચનરૂપી કાર્યને) યોગ કહેવાય છે. પરંતુ ‘વચન યોગ’નો અર્થ ‘વચનદ્વારા થતું આત્મકર્મ તે યોગ’ એવો થાય છે, કેમ કે જડ વચન કાંઈ બંધનું કારણ નથી. આત્મામાં જે આસ્રવ થાય છે તે આત્માની ચંચળતાથી થાય છે,


Page 431 of 655
PDF/HTML Page 486 of 710
single page version

૪૩૦ ] [ મોક્ષશાસ્ત્ર પુદ્ગલથી થતો નથી; પુદ્ગલ તો નિમિત્તમાત્ર છે. સિદ્ધાંતઃ- દર્શનવિશુદ્ધિને તીર્થંકરનામકર્મના આસ્રવનું કારણ કહ્યું છે, ત્યાં ખરેખર દર્શનની શુદ્ધિ પોતે આસ્રવ- બંધનું કારણ નથી પણ રાગ જ બંધનું કારણ છે. તેથી દર્શનવિશુદ્ધિનો અર્થ ‘દર્શન સાથે રહેલો રાગ’ એમ સમજવો યોગ્ય છે. કોઈ પણ પ્રકારના બંધનું કારણ કષાય જ છે, સમ્યગ્દર્શનાદિ બંધનાં કારણ નથી. સમ્યગ્દર્શન કે જે આત્માને બંધથી છોડાવનારું છે તે પોતે બંધનું કારણ કેમ થઈ શકે? તીર્થંકરનામકર્મ તે પણ આસ્રવ- બંધ જ છે; તેથી તેનું કારણ પણ સમ્યગ્દર્શનાદિ ખરેખર નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવને જિનોપદ્રિષ્ટ નિર્ગ્રંથ મોક્ષમાર્ગમાં જે દર્શન સંબંધી ધર્માનુરાગ થાય છે તે દર્શનવિશુદ્ધિ છે. સમ્યગ્દર્શનના શંકાદિ દોષો ટળી જવાથી તે વિશુદ્ધિ થાય છે. (જુઓ, તત્ત્વાર્થસાર અધ્યાય ૪, ગાથા ૪૯ થી પર ની ટીકા પા. રર૧.)

(ર) વિનયસંપન્નતા

૧. વિનયથી પરિપૂર્ણ રહેવું તે વિનયસંપન્નતા છે. સમ્યગ્જ્ઞાનાદિ ગુણોનો તથા જ્ઞાનાદિ ગુણસંયુક્ત જ્ઞાનીનો આદર ઉત્પન્ન થવો તે વિનય છે. આ વિનયમાં જે રાગ છે તે આસ્રવ-બંધનું કારણ છે.

ર. વિનય બે પ્રકારના છે-એક શુદ્ધભાવરૂપ વિનય છેઃ તેને નિશ્ચયવિનય પણ કહેવામાં આવે છે; પોતાના શુદ્ધસ્વરૂપમાં ટકી રહેવું તે નિશ્ચયવિનય છે. આ વિનય બંધનું કારણ નથી. બીજો શુભભાવરૂપ વિનય છે, તેને વ્યવહારવિનય પણ કહેવામાં આવે છે. અજ્ઞાનીને સાચો વિનય હોતો જ નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભભાવરૂપ વિનય હોય છે અને તે તીર્થંકરનામકર્મના આસ્રવનું કારણ છે. છઠ્ઠા ગુણસ્થાન પછી વ્યવહારવિનય હોતો નથી પણ નિશ્ચયવિનય હોય છે.

(૩) શીલ અને વ્રતોમાં અનતિચાર

‘શીલ’ શબ્દના ત્રણ અર્થ થાય છેઃ- ૧. સત્સ્વભાવ, ર. સ્વદારા સંતોષ અને ૩. દિગ્વ્રત વગેરે સાત વ્રત જે અહિંસાદિ વ્રતના રક્ષણાર્થ હોય છે તે. સત્ સ્વભાવનો અર્થ ક્રોધાદિ કષાયને વશ ન થવું તે. આ શુભભાવ છે, અતિમંદ કષાય હોય ત્યારે તે થાય છે. ‘શીલ’નો પહેલો અને ત્રીજો અર્થ અહીં લેવો; બીજો અર્થ ‘વ્રત’ શબ્દમાં આવી જાય છે. અહિંસા આદિ વ્રતો છે. અનતિચાર એટલે દોષ રહિતપણું,

(૪) અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ

અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ એટલે સદા જ્ઞાનોપયોગમાં રહેવું તે; સમ્યગ્જ્ઞાનદ્વારા પ્રત્યેક કાર્યમાં વિચાર કરીને તેમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનોપયોગનો અર્થ છે. જ્ઞાનનું સાક્ષાત્


Page 432 of 655
PDF/HTML Page 487 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૩૧ તેમ જ પરંપરા ફળ વિચારવું. અજ્ઞાનની નિવૃત્તિ અને હિતાહિતની સમજણ સાચા જ્ઞાનથી જ થાય છે; તેથી તે પણ જ્ઞાનોપયોગનો અર્થ છે. માટે સાચા જ્ઞાનને પોતાનું હિતકારી માનવું જોઈએ. જ્ઞાનોપયોગમાં જે વીતરાગતા છે તે બંધનું કારણ નથી પણ જે શુભભાવરૂપ રાગ છે તે બંધનું કારણ છે.

(પ) સંવેગ

નિત્ય સંસારના દુઃખોથી ભીરુતાનો ભાવ તે સંવેગ છે; તેમાં જે વીતરાગભાવ છે તે બંધનું કારણ નથી પણ જે શુભરાગ છે તે બંધનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિઓને જે વ્યવહાર સંવેગ હોય છે તે રાગભાવ છે; જ્યારે નિર્વિકલ્પદશામાં ન રહી શકાય ત્યારે તેવો સંવેગભાવ નિરંતર હોય છે.

(૬–૭) શક્તિ અનુસાર ત્યાગ તથા તપ

૧. ત્યાગ બે પ્રકારના છે- શુદ્ધભાવરૂપ અને શુભભાવરૂપ; તેમાં જેટલે અંશે શુદ્ધતા હોય તેટલે અંશે વીતરાગતા છે અને તે બંધનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભભાવરૂપ ત્યાગ શક્તિ-અનુસાર હોય છે; શક્તિથી હીન કે અધિક હોતો નથી, શુભરાગરૂપ ત્યાગભાવ બંધનું કારણ છે.

‘ત્યાગ’નો અર્થ ‘દાન દેવું’ એવો પણ થાય છે. ર. ઇચ્છા-નિરોધ તે તપ છે એટલે કે શુભાશુભભાવનો નિરોધ તે તપ છે; આ તપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેને નિશ્ચયતપ કહેવાય છે. સમ્યગ્દ્રષ્ટિને જેટલે અંશે વીતરાગભાવ છે તેટલે અંશે નિશ્ચયતપ છે અને તે બંધનું કારણ નથી; પણ જેટલે અંશે શુભરાગરૂપ વ્યવહારતપ છે તે બંધનું કારણ છે. મિથ્યાદ્રષ્ટિને સાચું તપ હોતું નથી; તેના શુભરાગરૂપ તપને ‘બાળતપ’ કહેવામાં આવે છે. ‘બાળ’નો અર્થ અજ્ઞાન, મૂઢ એવો છે. અજ્ઞાનીના તપ વગેરેના શુભભાવ તીર્થંકરપ્રકૃતિના આસ્રવનું કારણ થઈ શકે જ નહિ.

(૮) સાધુસમાધિ

સમ્યગ્દ્રષ્ટિ સાધુને તપમાં તથા આત્મસિદ્ધિમાં વિઘ્ન આવતું દેખીને તે દૂર કરવાનો ભાવ અને તેમને સમાધિ ટકી રહે એવો ભાવ તે સાધુસમાધિ છે; આ શુભરાગ છે. આવો રાગ યથાર્થપણે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, પણ તેઓને તે રાગની ભાવના હોતી નથી.

(૯) વૈયાવૃત્યકરણ

વૈયાવૃત્ય એટલે સેવા; રોગી, નાની ઉંમરના કે વૃદ્ધ મુનિઓની સેવા કરવી તે


Page 433 of 655
PDF/HTML Page 488 of 710
single page version

૪૩૨ ] [ મોક્ષશાસ્ત્ર વૈયાવૃત્યકરણ છે. ‘સાધુસમાધિ’માં સાધુનું ચિત્ત સંતુષ્ટ રાખવું એવો અર્થ થાય છે અને ‘વૈયાવૃત્યકરણ’માં તપસ્વીઓને યોગ્ય સાધન એકઠું કરવું કે જે સદા ઉપયોગી થાય-એવા હેતુથી જે દાન દેવામાં આવે તે વૈયાવૃત્ય છે, પણ સાધુસમાધિ નથી. સાધુઓના સ્થાનને સાફ રાખવું, દુઃખનું કારણ ઊપજતું દેખી તેમના પગ દાબવા વગેરે પ્રકારે સેવા કરવી તે પણ વૈયાવૃત્ય છે; આ શુભભાવ છે.

(૧૦ થી ૧૩) અર્હત્–બહુશ્રુત અને પ્રવચનભક્તિ

ભક્તિ બે પ્રકારની છે- એક શુદ્ધભાવરૂપ અને બીજી શુભભાવરૂપ, સમ્યગ્દર્શન તે પરમાર્થ ભક્તિ એટલે કે શુદ્ધભાવરૂપ ભક્તિ છે. સમ્યગ્દ્રષ્ટિની નિશ્ચયભક્તિ શુદ્ધાત્મતત્ત્વની ભાવનારૂપ છે; તે શુદ્ધભાવરૂપ હોવાથી બંધનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભભાવરૂપ જે સરાગભક્તિ હોય છે તે પંચપરમેષ્ઠીની આરાધનારૂપ છે (જુઓ, શ્રી હિંદી સમયસાર, આસ્રવ-અધિકાર ગાથા ૧૭૩ થી ૧૭૬, જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા, પા. રપ૦).

૧. અર્હત્ અને આચાર્યનો સમાવેશ પંચપરમેષ્ઠીમાં થઈ જાય છે. સર્વજ્ઞકેવળી જિન ભગવાન અર્હત્ છે; તેઓ સંપૂર્ણ ધર્મોપદેશના વિધાતા (કરનાર) છે; તેઓ સાક્ષાત્ જ્ઞાની પૂર્ણ વીતરાગ છે. ર. સાધુસંઘમાં જે મુખ્ય સાધુ હોય તેમને આચાર્ય કહેવામાં આવે છે; તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રના પાલક છે અને બીજાને તેમાં નિમિત્ત થાય છે; તેમને ઘણી વીતરાગતા પ્રગટી હોય છે. ૩. બહુશ્રુતનો અર્થ ‘બહુ જ્ઞાની,’ ‘ઉપાધ્યાય’ કે ‘સર્વ શાસ્ત્રસંપન્ન’ એમ થાય છે; ૪. સમ્યગ્દ્રષ્ટિની શાસ્ત્રભક્તિ તે પ્રવચનભક્તિ છે. આ ભક્તિમાં જેટલો રાગ ભાવ છે તે આસ્રવનું કારણ છે એમ સમજવું.

(૧૪) આવશ્યક અપરિહાણિ

આવશ્યક અપરિહાણિનો અર્થ ‘આવશ્યક ક્રિયાઓમાં હાનિ થવા ન દેવી’ એમ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યારે શુદ્ધભાવમાં ન રહી શકે ત્યારે અશુભભાવ ટાળતાં શુભભાવ રહી જાય છે; આ વખતે શુભરાગરૂપ છ આવશ્યક ક્રિયાઓ તેમને હોય છે. તે આવશ્યક ક્રિયાના ભાવમાં હાનિ ન થવા દેવી તેને આવશ્યક અપરિહાણિ કહેવાય છે. આ ક્રિયા આત્માના શુભભાવરૂપ છે પણ જડ શરીરની અવસ્થામાં આવશ્યક ક્રિયા હોતી નથી. શરીરની ક્રિયા આત્માથી થઈ શકતી નથી.

(૧પ) માર્ગપ્રભાવના

સમ્યગ્જ્ઞાનના માહાત્મ્ય વડે, ઇચ્છાનિરોધરૂપ સમ્યક્તપ વડે તથા જિનપૂજા ઇત્યાદિ


Page 434 of 655
PDF/HTML Page 489 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૩૩ વડે ધર્મને પ્રકાશિત કરવો તે માર્ગપ્રભાવના છે. પ્રભાવનામાં સર્વથી ઉત્તમ આત્મપ્રભાવના છે-કે જે રત્નત્રયના તેજથી દેદીપ્યમાન થતાં સર્વોત્કૃષ્ટ ફળ આપે છે. સમ્યગ્દ્રષ્ટિને શુભરાગરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ છે. પરંતુ સમ્યગ્દર્શનાદિરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ નથી.

(૧૬) પ્રવચનવાત્સલ્ય

સાધર્મીઓ પ્રત્યે પ્રીતિ તે વાત્સલ્ય છે. વાત્સલ્ય અને ભક્તિમાં એ ફેર છે કે, વાત્સલ્ય તો નાના-મોટા બધા સાધર્મીઓ પ્રત્યે હોય છે અને ભક્તિ પોતાથી જે મોટા હોય તેમના પ્રત્યે હોય છે. શ્રુત અને શ્રુતના ધારણ કરનાર બન્ને પ્રત્યે વાત્સલ્ય રાખવું તે પ્રવચન વાત્સલ્ય છે. આ શુભરાગરૂપ ભાવ છે, તે આસ્રવ- બંધનું કારણ છે.

૩. તીર્થંકરોના ત્રણ પ્રકાર

તીર્થંકરદેવો ત્રણ પ્રકારના છે- (૧) પંચ કલ્યાણિક (ર) ત્રણ કલ્યાણિક અને (૩) બે કલ્યાણિક. જેમને પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બંધાયેલી હોય તેઓને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણિક હોય છે. જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં જ ગૃહસ્થ અવસ્થામાં તીર્થંકરપ્રકૃતિ બંધાય તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણિક હોય છે અને જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં મુનિ દીક્ષા લીધા પછી તીર્થંકરપ્રકૃતિ બંધાય તેને જ્ઞાન અને નિર્વાણ એ બે જ કલ્યાણિક હોય છે. બીજા અને ત્રીજા પ્રકારના તીર્થંકરો મહાવિદેહક્ષેત્રમાં જ થાય છે. મહાવિદેહમાં જે પંચ-કલ્યાણિક તીર્થંકરો છે, તેમના સિવાયના બે કે ત્રણ કલ્યાણિકવાળા તીર્થંકરો પણ હોય છે; તથા તેઓ મહાવિદેહના જે ક્ષેત્રે બીજા તીર્થંકરો ન હોય ત્યાં જ થાય છે. મહાવિદેહક્ષેત્ર સિવાય ભરત- ઐરાવત ક્ષેત્રોમાં જે તીર્થંકરો થાય છે તેઓ નિયમથી પંચકલ્યાણિક જ હોય છે.

૪. અરિહંતોના સાત પ્રકાર

ઉપર તીર્થંકરોના જે ત્રણ પ્રકાર કહ્યા તે ત્રણ પ્રકાર અરિહંતોના સમજવા અને તે ઉપરાંત બીજા પ્રકારો નીચે મુજબ છે-

(૪) સાતિશય કેવળી– જે અરિહંતોને તીર્થંકરપ્રકૃતિનો ઉદય હોતો નથી પરંતુ ગંધકુટી ઇત્યાદિ હોય છે તેમને સાતિશય કેવળી કહેવાય છે.

(પ) સામાન્ય કેવળી– જે અરિહંતોને ગંધકુટી ઇત્યાદિ વિશેષતા ન હોય તેમને સામાન્ય કેવળી કહેવાય છે.


Page 435 of 655
PDF/HTML Page 490 of 710
single page version

૪૩૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૬) અંતકૃત કેવળી– જે અરિહંતો કેવળજ્ઞાન પ્રગટ થતાં લઘુ અંતર્મુહૂર્તકાળમાં જ નિર્વાણ પામે છે તેમને અંતકૃત કેવળી કહેવાય છે.

(૭) ઉપસર્ગ કેવળી– જેઓને ઉપસર્ગ અવસ્થામાં જ કેવળજ્ઞાન થયું હોય તે અરિહંતોને ઉપસર્ગ કેવળી કહેવાય છે (જુઓ, સત્તાસ્વરૂપ ગુજરાતી પા. ૩૮-૩૯). કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ હોઈ શકે જ નહિ.

અરિહંતોના આ ભેદો પુણ્ય અને સંયોગની અપેક્ષાએ સમજવા; કેવળજ્ઞાનાદિ ગુણોમાં તો બધાય અરિહંતો સમાન જ છે.

પ. આ સૂત્રનો સિદ્ધાંત

(૧) જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવને અથવા તે પ્રકૃતિને જે જીવ ધર્મ માને અગર તો તેને ઉપાદેય માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તે રાગને-વિકારને ધર્મ માને છે. જે શુભભાવે તીર્થંકરનામકર્મનો આસ્રવ-બંધ થાય તે ભાવને કે તે પ્રકૃતિને સમ્યગ્દ્રષ્ટિઓ ઉપાદેય માનતા નથી. સમ્યગ્દ્રષ્ટિને જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પુણ્યભાવ છે, તેને તેઓ આદરણીય માનતા નથી (જુઓ, પરમાત્મપ્રકાશ અધ્યાય ર, ગાથા પ૪ની ટીકા, પાનું ૧૯પ).

(ર) જેને આત્માના સ્વરૂપનું ભાન નથી તેને શુદ્ધભાવરૂપ ભક્તિ અર્થાત્ ભાવભક્તિ તો હોતી જ નથી પણ આ સૂત્રમાં કહેલી સત્ પ્રત્યેના શુભરાગવાળી વ્યવહારભક્તિ અર્થાત્ દ્રવ્યભક્તિ પણ ખરેખર હોતી નથી. લૌકિક ભક્તિ ભલે હોય (જુઓ, પરમાત્મપ્રકાશ, અધ્યાય ર, ગાથા ૧૪૩ ની ટીકા, પા. ૨૦૩, ર૮૮).

(૩) સમ્યગ્દ્રષ્ટિ સિવાયના જીવોને તીર્થંકરપ્રકૃતિ હોય જ નહિ. સમ્યગ્દર્શન વગર કોઈ પ્રકારનો ધર્મ હોતો નથી. આથી સમ્યગ્દર્શનનું પરમ માહાત્મ્ય ઓળખીને જીવોએ તે પ્રાપ્ત કરવા માટે મથવું જોઈએ. સમ્યગ્દર્શન સિવાય ધર્મની શરૂઆત બીજી કોઈ નથી એટલે કે સમ્યગ્દર્શન તે જ ધર્મની શરૂઆત છે અને સિદ્ધદશા તે ધર્મની પૂર્ણતા છે. ।।ર૪।।

હવે ગોત્રકર્મના આસ્રવનાં કારણો કહે છે-

નીચ ગોત્રકર્મના આસ્રવનાં કારણો
परात्मनिंदाप्रशंसे सदसद्गुणोच्छादनोद्भावने च
नीचैर्गोत्रस्य।। २५।।

અર્થઃ– [पर निंदा आत्म प्रशंसे] બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરવી,


Page 436 of 655
PDF/HTML Page 491 of 710
single page version

અ. ૬ સૂત્ર ૨૬-૨૭ ] [ ૪૩પ [सत् गुण उच्छादन असत् उद्भावने च] તેમજ પ્રગટ ગુણોને ઢાંકવા અને ન હોય તેવા ગુણોને જાહેર કરવા તે [नीचैः गोत्रस्य] નીચગોત્રકર્મના આસ્રવનાં કારણો છે.

ટીકા

એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા તિર્યંચો, નારકીઓ તથા લબ્ધિ- અપર્યાપ્તક મનુષ્યો તે બધાને નીચ ગોત્ર છે, દેવોને ઉચ્ચ ગોત્ર છે, ગર્ભજ મનુષ્યોને બન્ને પ્રકારનાં ગોત્રકર્મો હોય છે. ।। રપ।।

ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનું કારણ

तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य।। २६।।

અર્થઃ– [तत् विपर्ययः] તે નીચગોત્રના આસ્રવનાં કારણોથી વિપરીત અર્થાત્

પરપ્રશંસા, આત્મનિંદા વગેરે [च] તેમજ [नीचैःवृत्ति अनुत्सेकौ] નમ્ર વૃત્તિ હોવી તથા મદનો અભાવ-તે [उत्तरस्य] બીજા ગોત્રકર્મના એટલે કે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનાં કારણો છે.

ટીકા

અહીં નમ્રવૃત્તિ હોવી અને મદનો અભાવ હોવો તે અશુભભાવનો અભાવ સમજવો; તેમાં જે શુભભાવ છે તે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનું કારણ છે. ‘અનુત્સેક’નો અર્થ અભિમાન ન હોવું એમ થાય છે. ।। ર૬।।

અહીં સુધી સાત કર્મના આસ્રવનાં કારણોનું વર્ણન કર્યું. હવે છેલ્લા અંતરાયકર્મના આસ્રવનું કારણ જણાવીને આ અધ્યાય પૂરો કરે છે.

અંતરાયકર્મના આસ્રવનું કારણ
विध्नकरणमन्तरायस्य।। २७।।

અર્થઃ– [विध्नकरणम्] દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીર્યમાં વિધ્ન કરવું તે [अंतरायस्य] અંતરાયકર્મના આસ્રવનું કારણ છે.

ટીકા

આ અધ્યાયના ૧૦ થી ર૭ સુધીના સૂત્રોમાં કર્મના આસ્રવનું જે કથન કર્યું છે તે અનુભાગસંબંધી નિયમ બતાવે છે. જેમ કે, કોઈ પુરુષના દાન દેવાના ભાવમાં કોઈએ અંતરાય કર્યો તો, તે સમયે તેને જે કર્મોનો આસ્રવ થયો તે જો કે સાતે કર્મોમાં વહેંચાઈ ગયો તોપણ, તે વખતે દાનાંતરાયકર્મમાં પ્રચૂર (ઘણો) અનુભાગ પડયો અને


Page 437 of 655
PDF/HTML Page 492 of 710
single page version

૪૩૬ ] [ મોક્ષશાસ્ત્ર અન્ય પ્રકૃતિઓમાં મંદ અનુભાગ પડયો. પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગને આધીન છે તથા સ્થિતિ અને અનુભાગબંધ કષાયભાવને આધીન છે. ।। ર૭।।

ઉપસંહાર

૧. આ આસ્રવ અધિકાર છે. કષાયસહિત યોગ હોય તે આસ્રવનું કારણ છે. તેને સાંપરાયિક આસ્રવ કહેવામાં આવે છે. કષાય શબ્દમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણેનો સમાવેશ થઈ જાય છે; તેથી અધ્યાત્મશાસ્ત્રોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય તેમ જ યોગને આસ્રવના ભેદ ગણવામાં આવે છે. તે ભેદોને બાહ્યરૂપથી માને પણ અંતરંગમાં તે ભાવોની જાતિને યથાર્થ ન ઓળખે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને આસ્રવ થાય છે.

ર. આ વ્યવહાર શાસ્ત્ર હોવાથી યોગને આસ્રવનું કારણ કહી યોગના પેટાવિભાવ પાડી સકષાય અને અકષાય યોગને આસ્રવ કહ્યો છે.

૩. અજ્ઞાની જીવોને રાગ-દ્વેષ, મોહરૂપ જે આસ્રવભાવ છે તેનો નાશ કરવાની તો તેને ચિંતા નથી અને બાહ્યક્રિયાને તથા બાહ્ય નિમિત્તોને મટાડવાનો ઉપાય તે જીવો રાખે છે; પરંતુ એના મટાડવાથી કાંઈ આસ્રવ મટતા નથી. દ્રષ્ટાંતઃ દ્રવ્યલિંગી મુનિ અન્ય કુદેવાદિકની સેવા કરતા નથી, હિંસા તથા વિષયમાં પ્રવર્તતા નથી. ક્રોધાદિ કરતા નથી તથા મન-વચન-કાયાને રોકવાના ભાવ કરે છે તોપણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ હોય છે; વળી એ કાર્યો તેઓ કપટ વડે પણ કરતા નથી, કેમ કે જો કપટથી કરે તો તે ગ્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? સિદ્ધાંતઃ આથી એમ સિદ્ધ થાય છે કે બાહ્ય શરીરાદિની ક્રિયા તે આસ્રવ નથી પણ અંતરંગ અભિપ્રાયમાં જે મિથ્યાત્વાદિ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે, તેને જે જીવ ન ઓળખે તે જીવને આસ્રવતત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી.

૪. સમ્યગ્દર્શન થયા વગર આસ્રવતત્ત્વ જરા પણ ટળે નહિ; માટે જીવોએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો સત્ય ઉપાય પ્રથમ કરવો જોઈએ. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન વગર કોઈ પણ જીવને આસ્રવ ટળે નહિ અને ધર્મ થાય નહિ.

પ. મિથ્યાદર્શન તે સંસારનું મૂળ કારણ છે અને આત્માના સાચા સ્વરૂપનો અવર્ણવાદ તે મિથ્યાત્વના આસ્રવનું કારણ છે; માટે પોતાના સ્વરૂપનો તેમ જ આત્માના શુદ્ધ પર્યાયોનો અવર્ણવાદ ન કરવો એટલે કે સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજીને પ્રતીતિ કરવી (જુઓ, સૂત્ર ૧૩ તથા તેની ટીકા).

૬. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સમિતિ, અનુકંપા, વ્રત, સરાગસંયમ, ભક્તિ, તપ, ત્યાગ, વૈયાવૃત્ય, પ્રભાવના, આવશ્યકક્રિયા ઇત્યાદિ જે શુભભાવ છે તે બધા આસ્રવ-બંધનાં


Page 438 of 655
PDF/HTML Page 493 of 710
single page version

ઉપસંહાર ] [ ૪૩૭ કારણો છે એમ આ અધ્યાયમાં જણાવ્યું છે; મિથ્યાદ્રષ્ટિને તો તેવા શુભભાવ ખરેખર હોતા નથી, તેના વ્રત-તપના શુભભાવને ‘બાળવ્રત’ને ‘બાળતપ’ કહેવાય છે.

૭. માર્દવપણું, પરની પ્રશંસા, આત્મનિંદા, નમ્રતા, અન્ઉત્સેકતા-એ શુભરાગ હોવાથી બંધનાં કારણો છે; તથા રાગ તે કષાયનો અંશ હોવાથી તેનાથી ઘાતિ તેમ જ અઘાતિ બન્ને પ્રકારના કર્મો બંધાય છે તથા તે શુભભાવ હોવાથી અઘાતિ કર્મોમાં શુભઆયુ, શુભગોત્ર, સાતાવેદનીય તથા શુભનામકર્મો બંધાય છે; અને તેનાથી વિપરીત અશુભભાવો વડે અઘાતિ કર્મો અશુભ બંધાય છે. આ રીતે શુભ કે અશુભ બન્ને ભાવો બંધનું જ કારણ છે, એટલે એ સિદ્ધાંત ઠરે છે કે શુભ કે અશુભભાવ કરતાં કરતાં તેનાથી કદી શુદ્ધતા પ્રગટે જ નહિ.

૮. સમ્યગ્દર્શન તે આત્માનો પવિત્ર ભાવ છે, તે પોતે બંધનું કારણ નથી; પણ સમ્યગ્દર્શનની ભૂમિકામાં શુભ રાગ હોય ત્યારે તે રાગના નિમિત્તે કેવા પ્રકારના કર્મનો આસ્રવ થાય તે અહીં જણાવ્યું છે. વીતરાગતા પ્રગટતાં માત્ર ઇર્યાપથ આસ્રવ હોય છે. આ આસ્રવ એક જ સમયનો હોય છે (અર્થાત્ તેમાં લાંબી સ્થિતિ હોતી નથી તેમ જ અનુભાગ પણ હોતો નથી.) આ ઉપરથી સિદ્ધ થયું કે સમ્યગ્દર્શન પ્રગટયા પછી જેટલા જેટલા અંશે વીતરાગતા હોય છે તેટલા તેટલા અંશે આસ્રવ અને બંધ હોતાં નથી તથા જેટલે અંશે રાગ-દ્વેષ હોય છે તેટલે અંશે આસ્રવ અને બંધ થાય છે. આથી જ્ઞાનીને તો અંશે આસ્રવ-બંધનો અભાવ નિરંતર વર્તે છે. મિથ્યાદ્રષ્ટિને તે શુભાશુભરાગનું સ્વામીત્વ હોવાથી તેને કોઈ પણ અંશે રાગ-દ્વેષનો અભાવ થતો નથી અને તેથી તેને આસ્રવ-બંધ ટળતાં નથી. સમ્યગ્દર્શનની ભૂમિકામાં આગળ વધતાં જીવને કેવા પ્રકારના શુભ ભાવો આવે છે તેનું વર્ણન હવે સાતમા અધ્યાયમાં કરીને આસ્રવનું વર્ણન પૂર્ણ કરશે. ત્યાર પછી આઠમા અધ્યાયમાં બંધતત્ત્વનું અને નવમા અધ્યાયમાં સંવર તથા નિર્જરાતત્ત્વનું સ્વરૂપ કહેશે. ધર્મની શરુઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન થતાં સંવર થાય છે, સંવરપૂર્વક નિર્જરા થાય છે અને નિર્જરા થતાં મોક્ષ થાય છે, તેથી મોક્ષતત્ત્વનું સ્વરૂપ છેલ્લા અધ્યાયમાં જણાવ્યું છે.

૯. આ અધ્યાયમાં, જીવના વિકારીભાવોને પરદ્રવ્યો સાથે કેવો નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે તે પણ સમજાવ્યું છે. જીવમાં થતી પચ્ચીસ પ્રકારની વિકારી ક્રિયા અને તેનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય તેનું વર્ણન પણ આ અધ્યાયમાં આપ્યું છે.

આ પ્રમાણે શ્રી ઉમાસ્વામીવિરચિત મોક્ષશાસ્ત્રની
ગુજરાતી ટીકામાં છઠ્ઠો અધ્યાય પૂરો થયો.

Page 439 of 655
PDF/HTML Page 494 of 710
single page version

મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા
અધ્યાય સાતમો

ભૂમિકા

‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે’ એમ આચાર્ય ભગવાને આ શાસ્ત્ર શરુ કરતાં પહેલા જ સૂત્રમાં કહ્યું છે; તેમાં ગર્ભિતપણે એમ આવ્યું કે તેનાથી વિરુદ્ધ ભાવો અર્થાત્ શુભાશુભભાવો તે મોક્ષમાર્ગ નથી પણ સંસારમાર્ગ છે. એ રીતે તે સૂત્રમાં જે વિષય ગર્ભિત રાખ્યો હતો તે વિષય આ છઠ્ઠા-સાતમા અધ્યાયોમાં આચાર્યદેવે સ્પષ્ટ કર્યો છે. છઠ્ઠા અધ્યાયમાં કહ્યું કે શુભાશુભ બન્ને ભાવો આસ્રવ છે, અને તે વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે આ સાતમા અધ્યાયમાં મુખ્યપણે શુભાસ્રવને જુદો વર્ણવ્યો છે.

પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં જે સાત તત્ત્વો કહ્યાં છે તેમાંથી આસ્રવતત્ત્વના અજાણપણાના કારણે જગતના જીવો પુણ્યથી ધર્મ થાય છે’ એમ માને છે. વળી કેટલાક શુભયોગને સંવર માને છે, તથા વ્રત-મૈત્રી વગેરે ભાવના, કરુણાબુદ્ધિ વગેરેથી ધર્મ થાય અથવા તો તે ધર્મનું (સંવરનું) કારણ થાય-એમ કેટલાક માને છે. પણ તે માન્યતા અજ્ઞાન ભરેલી છે. એ અજ્ઞાનતા દૂર કરવા માટે આ એક અધ્યાય ખાસ જુદો રચ્યો છે અને તેમાં એ વિષયને સ્પષ્ટ કર્યો છે.

ધર્મની અપેક્ષાએ પુણ્ય અને પાપનું એકત્વ ગણવામાં આવે છે. એ સિદ્ધાંત શ્રી સમયસારમાં ૧૪પ થી ૧૬૩ ગાથા સુધીમાં સમજાવ્યો છે. તેમાં પહેલા જ ૧૪પ મી ગાથામાં કહ્યું છે કે અશુભકર્મ કુશીલ છે અને શુભકર્મ સુશીલ છે એમ લોકો માને છે, પણ જે સંસારમાં દાખલ કરે તે સુશીલ કેમ હોય? -ન જ હોઈ શકે. ત્યારપછી ૧પ૪ મી ગાથામાં કહ્યું છે કે-જે જીવો પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા-જો કે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ-અજ્ઞાનથી પુણ્યને ઇચ્છે છે. આ પ્રમાણે ધર્મ અપેક્ષાએ પુણ્ય-પાપનું એકત્વ જણાવ્યું છે. વળી શ્રી પ્રવચનસાર ગાથા ૭૭ માં પણ કહ્યું છે કે- પુણ્ય-પાપમાં વિશેષ નથી (અર્થાત્ સમાનતા છે) એમ જે માનતો નથી તે મોહથી આચ્છન્ન છે અને ઘોર અપાર સંસારે ભમે છે.

ઉપરના કારણોથી આ શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું એકત્વ સ્થાપન કરવા માટે


Page 440 of 655
PDF/HTML Page 495 of 710
single page version

૪૪૦ ] [ મોક્ષશાસ્ત્ર આચાર્યદેવે તે બન્નેને આસ્રવમાં જ સમાવી દઈને તેને લગતા છઠ્ઠો અને સાતમો એ બે અધ્યાય કહ્યા છે; તેમાં છઠ્ઠો અધ્યાય પૂરો થયા પછી આ સાતમા અધ્યાયમાં આસ્રવ અધિકાર ચાલુ રાખ્યો છે અને તેમાં શુભાસ્રવનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જણાવ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને થતા વ્રત, દયા, દાન, કરુણા, મૈત્રી વગેરે ભાવો પણ શુભઆસ્રવો છે અને તેથી તેઓ બંધનું કારણ છે; તો પછી મિથ્યાદ્રષ્ટિ જીવને (-કે જેને સાચાં વ્રત જ હોઈ શકતા નથી) તેના શુભભાવ ધર્મ, સંવર કે તેનું કારણ શી રીતે થઈ શકે? કદી થઈ શકે જ નહિ.

પ્રશ્નઃ– શુભભાવ તે પરંપરાઓ ધર્મનું કારણ છે એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેનો શું અર્થ છે?

ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી શકતા નથી ત્યારે રાગ-દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે પણ પુરુષાર્થ નબળો હોવાથી અશુભભાવ ટળે છે અને શુભભાવ રહી જાય છે. તેઓ તે શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી પણ તેને આસ્રવ જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભભાવ ટળી જાય ત્યારે જે શુભભાવ ટળ્‌યો તેને શુદ્ધભાવ (-ધર્મ) નું પરંપરા કારણ કહેવામાં આવે છે, સાક્ષાત્ પણે તે ભાવ શુભાસ્રવ હોવાથી બંધનું કારણ છે અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.

અજ્ઞાની તો શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માને છે અને તેને તે ભલો જાણે છે, તેથી તેનો શુભભાવ સાક્ષાત્ બંધનું કારણ છે અને તેને થોડા વખતમાં ટાળીને અશુભભાવરૂપે પોતે પરિણમશે; આ રીતે અજ્ઞાનીના શુભભાવ તો અશુભભાવનું (પાપનું) પરંપરા કારણ કહેવાય છે એટલે કે તે શુભ ટાળીને જ્યારે અશુભપણે પરિણમે ત્યારે પૂર્વનો જે શુભભાવ ટળ્‌યો તેને અશુભભાવનું પરંપરા કારણ થયું કહેવાય છે.

આટલી ભૂમિકા લક્ષમાં રાખીને આ અધ્યાયના સૂત્રોમાં રહેલા ભાવો બરાબર સમજવાથી વસ્તુસ્વરૂપની ભૂલ ટળી જાય છે.

વ્રતનું લક્ષણ

हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम्।। १।।

અર્થઃ– [हिंसा अनृत स्तेय अब्रह्म परिग्रहेभ्यो विरतिः] હિંસા, જૂઠું, ચોરી,

મૈથુન અને પરિગ્રહ (અર્થાત્ પદાર્થ) પ્રત્યે મમત્વરૂપ પરિણામ-એ પાંચ પાપોથી (બુદ્ધિપૂર્વક) નિવૃત્તિ તે [व्रतम्] વ્રત છે.


Page 441 of 655
PDF/HTML Page 496 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૪૧

ટીકા

૧. આ અધ્યાયમાં આસ્રવતત્ત્વનું નિરુપણ કર્યું છે; છઠ્ઠા અધ્યાયના બારમા સૂત્રમાં વ્રતી પ્રત્યેની અનુકંપા સાતા વેદનીયના આસ્રવનું કારણ છે એમ કહ્યું હતું, પણ ત્યાં મૂળ સૂત્રમાં ‘વ્રતી’ની વ્યાખ્યા કરવામાં આવી ન હતી, તેથી અહીં આ સૂત્રમાં વ્રતનું લક્ષણ આપવામાં આવ્યું છે. આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં કહ્યું છે કે निःशल्यो व्रतो -મિથ્યાદર્શન વગેરે શલ્યરહિત જીવ જ વ્રતી હોય છે એટલે મિથ્યાદ્રષ્ટિને કદી વ્રત હોતાં જ નથી, સમ્યગ્દ્રષ્ટિ જીવને જ વ્રત હોઈ શકે. મિથ્યાદ્રષ્ટિના શુભરાગરૂપ વ્રતને ભગવાને બાળવ્રત કહ્યાં છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૧પર તથા તેની ટીકા.) ‘બાળ’નો અર્થ અજ્ઞાન છે.

ર. આ અધ્યાયમાં મહાવ્રત અને અણુવ્રત પણ આસ્રવરૂપ કહ્યાં છે, માટે તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનો સાધક છે તેથી મહાવ્રત અને અણુવ્રત પણ બંધના સાધક છે અને વીતરાગભાવરૂપ ચારિત્ર તે મોક્ષનું સાધક છે; આથી મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી. સર્વ કષાયરહિત જે ઉદાસીનભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે તથા બીજી હરિતકાયનો અહાર કરે છે પણ તેને ધર્મ માનતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ મુનિ અને શ્રાવક હિંસાદિ તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મંદ કષાયરૂપ મહાવ્રત-અણુવ્રતાદિ પાળે છે, પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.

૩. પ્રશ્નઃ– જો એ પ્રમાણે છે તો મહાવ્રત અને દેશવ્રતને ચારિત્રના ભેદોમાં શા માટે કહ્યાં છે? (જુઓ, રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૪૯-પ૦)

ઉત્તરઃ– ત્યાં તે મહાવ્રતાદિને વ્યવહારચારિત્ર કહેલ છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. નિશ્ચયથી તો જે નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે. સમ્યગ્દ્રષ્ટિના ભાવ મિશ્રરૂપ છે એટલે કંઈક વીતરાગરૂપ થયા છે અને કંઈક સરાગ છે; આ કારણે જ્યાં અંશે વીતરાગચારિત્ર પ્રગટયું છે ત્યાં જે અંશે સરાગતા છે તે મહાવ્રતાદિકરૂપ હોય છે, આવો સંબંધ જાણીને તે મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે; પણ તે પોતે સાચું ચારિત્ર નથી, પરંતુ શુભભાવ છે-આસ્રવભાવ છે. તે શુભભાવને ધર્મ માનવો તે માન્યતા આસ્રવતત્ત્વને સંવરતત્ત્વ માનવારૂપ છે તેથી તે માન્યતા ખોટી છે. (જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક પા. ર૩૧-ર૩૩)

ચારિત્રનો વિષય આ શાસ્ત્રના ૯ મા અધ્યાયના ૧૮ મા સૂત્રમાં લીધો છે, ત્યાં તે બાબતની ટીકા લખી છે તે અહીં પણ લાગુ પડે છે.


Page 442 of 655
PDF/HTML Page 497 of 710
single page version

૪૪૨ ] [ મોક્ષશાસ્ત્ર

૪. વ્રત બે પ્રકારનાં છે-નિશ્ચય અને વ્યવહાર. રાગ-દ્વેષાદિ વિકલ્પ રહિત થવું તે નિશ્ચયવ્રત છે (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૩પ ટીકા.) સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્થિરતાની વૃદ્ધિરૂપ નિર્વિકલ્પ દશા તે નિશ્ચયવ્રત છે, તેમાં જેટલા અંશે વીતરાગતા છે તેટલે અંશે સાચું ચારિત્ર છે; અને સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ જે શુભભાવ તે અણુવ્રત-મહાવ્રત છે, તેને વ્યવહારવ્રત કહેવાય છે. આ સૂત્રમાં વ્યવહારવ્રતનું લક્ષણ આપ્યું છે; તેમાં અશુભભાવ ટળે છે પણ શુભભાવ રહે છે, તે પુણ્યાસ્રવનું કારણ છે.

પ. શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાય ર, ગાથા-પર ની ટીકામાં વ્રત તે પુણ્યબંધનું કારણ છે અને અવ્રત તે પાપબંધનું કારણ છે એમ જણાવીને, આ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે. -

“તેનો અર્થ એ છે કે-પ્રાણીઓને પીડા દેવી, જૂઠ્ઠાં વચન બોલવા, પરધન હરવું, કુશીલનું સેવન અને પરિગ્રહ તેનાથી વિરક્ત થવું તે વ્રત છે; એ અહિંસાદિ વ્રત પ્રસિદ્ધ છે. તે વ્યવહારનયે એકદેશ વ્રત છે-એ દેખાડવામાં આવે છે.

જીવઘાતમાં નિવૃત્તિ-જીવદયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનમાં નિવૃત્તિ-સત્ય વચનમાં પ્રવૃત્તિ, અદત્તાદાન (ચોરી)થી નિવૃત્તિ-અચૌર્યમાં પ્રવૃત્તિ ઇત્યાદિ સ્વરૂપથી તે એકદેશ વ્રત છે.” (પરમાત્મપ્રકાશ પા. ૧૯૧-૧૯ર) અહીં અણુવ્રત અને મહાવ્રત બન્નેને એકદેશ વ્રત કહ્યાં છે.

ત્યારપછી તરત જ નિશ્ચયવ્રતનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે (નિશ્ચયવ્રત એટલે સ્વરૂપસ્થિરતા અથવા સમ્યક્ચારિત્ર)-

“અને રાગદ્વેષરૂપ સંકલ્પ વિકલ્પોના કલ્લોલોથી રહિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિમાં શુભાશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે.” (પરમાત્મપ્રકાશ પા. ૧૯ર)

સમ્યગ્દ્રષ્ટિને શુભાશુભનો ત્યાગ અને શુદ્ધનું ગ્રહણ તે નિશ્ચયવ્રત છે અને તેમને અશુભનો ત્યાગ અને શુભનું ગ્રહણ તે વ્યવહાર વ્રત છે-એમ સમજવું. મિથ્યાદ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર બેમાંથી એકે પ્રકારના વ્રત હોતાં નથી. તત્ત્વજ્ઞાન વગર મહાવ્રતાદિકનું આચરણ તે મિથ્યાચારિત્ર જ છે. સમ્યગ્દર્શનરૂપ ભૂમિ વગર વ્રતરૂપી વૃક્ષ થાય જ નહિ.

૧. વ્રતાદિ શુભોપયોગ વાસ્તવમાં બંધનું કારણ છે. પંચાધ્યાયી ભા. ર ગા. ૭પ૯ થી ૬ર માં કહ્યું છે કે ‘જો કે લોકરૂઢિથી શુભોપયોગ પણ ચારિત્ર’ એ નામથી કહેવામાં આવે છે પણ પોતાની અર્થક્રિયા કરવામાં અસમર્થ છે,


Page 443 of 655
PDF/HTML Page 498 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૩૩ માટે તે નિશ્ચયથી સાર્થક નામવાળું નથી. ૭પ૯. પરંતુ વાસ્તવમાં તે અશુભોપયોગ સમાન બંધનું જ કારણ છે માટે તે શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ તો તે છે જે ઉપકાર-અપકાર કરવાવાળું નથી. ૭૬૦. શુભોપયોગ વિરુદ્ધ કાર્યકારી છે એ વાત વિચાર કરવાથી અસિદ્ધ પણ પ્રતીત થતી નથી, કેમ કે શુભોપયોગ એકાન્તથી બંધનું કારણ હોવાથી તે શુદ્ધોપયોગના અભાવમાં જ હોય છે. ૭૬૧. બુદ્ધિના દોષથી એવી તર્કણા પણ ન કરવી જોઈએ કે શુભોપયોગ એક અંશે નિર્જરાનું કારણ છે, કેમ કે ન તો શુભોપયોગ જ બંધના અભાવનું કારણ છે અને ન તો અશુભોપયોગ જ બંધના અભાવનું કારણ છે અર્થાત્ શુભ-અશુભ ભાવ બેઉ બંધના જ કારણ છે.

ર. સમ્યગ્દ્રષ્ટિના શુભોપયોગથી પણ બંધની પ્રાપ્તિ થાય છે એમ શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રવચનસાર ગા. ૧૧માં કહ્યું છે તેમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય તે ગાથાની સૂચનિકામાં કહે છે કે ‘હવે જેનો ચારિત્ર પરિણામ સાથે સંપર્ક છે એવો જે શુદ્ધ અને શુભ (બે પ્રકાર) પરિણામ છે, તેના ગ્રહણ ત્યાગ માટે (-શુદ્ધ પરિણામના ગ્રહણ અને શુભ પરિણામના ત્યાગ માટે) તેનું ફળ વિચારે છેઃ-

धर्मेण परिणतात्मा यदि शुद्ध संप्रयोगयुतः।
प्राप्नोति निर्वाण सुखं शुभोपयुक्तो वा स्वर्ग सुखम्।। ११।।

અન્વયાર્થઃ– ધર્મથી પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધોપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભોપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે.

ટીકા

જ્યારે આ આત્મા ધર્મપરિણત સ્વભાવવાળો વર્તતો થકો શુદ્ધોપયોગ પરિણતિને વહન કરે છે- ટકાવી રાખે છે ત્યારે, જે વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે પોતાનું કાર્ય કરવાને સમર્થ છે એવા ચારિત્રવાળો હોવાથી, (તે) સાક્ષાત્ મોક્ષને પામે છે; અને જ્યારે તે ધર્મ પરિણત સ્વભાવવાળો હોવા છતાં શુભોપયોગ પરિણતિ સાથે જોડાય છે ત્યારે, જે વિરોધી શક્તિ સહિત હોવાને લીધે સ્વકાર્ય કરવાને અસમર્થ છે અને કથંચિત્ વિરુદ્ધ કાર્ય કરનારું છે. એવા ચારિત્રવાળો હોવાથી, જેમ અગ્નિથી ગરમ થયેલું ઘી જેના ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દાહદુઃખને પામે


Page 444 of 655
PDF/HTML Page 499 of 710
single page version

૪૪૪ ] [ મોક્ષશાસ્ત્ર છે તેમ, સ્વર્ગસુખના બંધને પામે છે. આથી શુદ્ધોપયોગ ઉપાદેય છે અને શુભોપયોગ હેય છે. (પ્રવચનસાર ગા. ૧૧ ની ટીકા)

મિથ્યાદ્રષ્ટિને અથવા સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો બંધનું જ કારણ છે; શુદ્ધસ્વરૂપ પરિણામ માત્રથી જ મોક્ષ છે.

૩. સમયસાર શાસ્ત્રના પુણ્ય-પાપ અધિકાર ૧૧૦ મા કળશમાં આચાર્યદેવ કહે છે કેઃ- “यावत्पाकमुपैति कर्म विरति

અર્થઃ– જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મજ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઇ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. પણ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં અવશપણે (જબર-જસ્તીથી) કે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે તે તો બંધનું કારણ થાય છે. અને મોક્ષનું કારણ તો, જે એક પરમજ્ઞાન છે તે એક જ થાય છે-કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત (અર્થાત્ ત્રણે કાળે પર દ્રવ્યભાવોથી ભિન્ન છે.)

ભાવાર્થઃ– જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે-શુભાશુભકર્મધારા અને જ્ઞાનધારા, તે બન્ને સાથે રહેવામાં કાંઇ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનનો પરસ્પર વિરોધ છે તેમ કર્મ સામાન્યને અને જ્ઞાનને સાથે હોવામાં વિરોધ નથી) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મ બંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર(-વિકલ્પ) પણ બંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦(સમયસાર ગુજરાતી પૃ. ર૬૩-૬૪)

વળી આ કળશનાં અર્થમાં શ્રી રાજમલ્લજીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે- અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે– ‘મિથ્યાદ્રષ્ટિને યતિપણું ક્રિયારૂપ છે તે તો બંધનું કારણ છે; પણ સમ્યગ્દ્રષ્ટિને જે યતિપણું (મુનિપણું) શુભક્રિયારૂપ છે તે મોક્ષનું કારણ છે; કેમકે અનુભવજ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપી ક્રિયા-એ બેઉ મળીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરે છે’-એવી પ્રતીતિ કોઈ અજ્ઞાની જીવ કરે છે, તેનું સમાધાન આ પ્રકારે છે કે-

જે કોઈપણ શુભ-અશુભ ક્રિયા-બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપના વિચાર ઇત્યાદિ છે તે સર્વ કર્મ બંધનું કારણ


Page 445 of 655
PDF/HTML Page 500 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૪પ છે; એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે. તેમાં સમ્યગ્દ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિનો એવો તો કોઈ ભેદ નથી. (અર્થાત્ અજ્ઞાનીના ઉપરોક્ત કથનાનુસાર શુભક્રિયા મિથ્યાદ્રષ્ટિને તો બંધનું કારણ થાય અને તે જ ક્રિયા સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ થાય-એવો તો તેનો ભેદ નથી) એવી ક્રિયાથી તો તેને (સમ્યગ્દ્રષ્ટિવંતને પણ) બંધ છે અને શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. જો કે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ પણ છે; પણ તેમાં જે વિક્રિયારૂપ પરિણામ છે તેનાથી તો માત્ર બંધ થાય છે; તેનાથી કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથી- એવું વસ્તુનું સ્વરૂપ છે; તો પછી ઉપાય શું? તે કાળે જ્ઞાનીને શુદ્ધસ્વરૂપના અનુભવનું અનુભવજ્ઞાન પણ છે, તે વડે તે સમયે કર્મનો ક્ષય થાય છે, તેનાથી તો એક અંશ માત્ર પણ બંધન થતું નથી;- એવું જ વસ્તુનું સ્વરૂપ છે; તે જેવું છે તેવું કહે છે.”

(જુઓ, સમયસાર કળશટીકા રાજમલ્લજી હિન્દી પૃ. ૧રર સુરતથી પ્રકાશિત) ઉપર મુજબ સ્પષ્ટીકરણ કરીને પછી તે કળશનો અર્થ તેમણે જ વિસ્તારપૂર્વક લખ્યો છે; તેમાં તે સંબંધી પણ સ્પષ્ટતા છે તેમાં છેવટે લખે છે કે “શુભ ક્રિયા કદાપિ મોક્ષનું સાધન થઈ શકતી નથી, તે માત્ર બંધન જ કરવાવાળી છે– એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઈને સમ્યગ્જ્ઞાનનો લાભ થશે. મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે.”

૪. શ્રી રાજમલ્લજીકૃત સમયસાર કળશટીકા(સુરતથી પ્રકાશિત) તેમાં પૃ. ૧૧૪ લીટી ૧૭ થી એમ લખ્યું છે કે-“અહીંયા એ વાતને દ્રઢ કરી છે કે કર્મોની નિર્જરાનું સાધન તો માત્ર શુદ્ધજ્ઞાનભાવ છે. જેટલા અંશે કાલિમા છે તેટલા અંશે તો બંધ જ છે, શુભક્રિયા કદી પણ મોક્ષનું સાધન થઇ શકતી નથી. તે કેવળ બંધને જ કરવાવાળી છે, એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઇ સમ્યગ્જ્ઞાનનો લાભ થાય છે.

મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે. જેમકે પુરુષાર્થ સિદ્ધિઉપાયમાં આચાર્યે કહ્યું છે કે “असमग्रं भावयतो ગા. ।। ર૧૧।। યેનાંશેન સુદ્રષ્ટિ।। ર૧ર।। પછી ભાવાર્થમાં લખ્યું છે કે-જ્યાં શુદ્ધભાવની પૂર્ણતા થઈ નથી ત્યાં પણ રત્નત્રય છે પણ જે કાંઈ ત્યાં કર્મોનો બંધ થાય છે તે રત્નત્રયથી થતો નથી, પણ અશુદ્ધતાથી-રાગભાવથી છે, કેમકે જેટલી ત્યાં અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતામાં કમી છે તે મોક્ષનો ઉપાય નથી તે તો કર્મનું બંધન જ કરવાવાળી છે. જેટલા અંશમાં શુદ્ધદ્રષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન સહિત શુદ્ધભાવની પરિણતિ છે તેટલા