Padmapuran (Gujarati). Parva 119 - Shree Ramnu Suvrat Swami pasey jai diksha grahan; Parva 120 - Shree Ramnu ahar nimitey nagarma agman aney antray thavana karaney pacha javu; Parva 121 - Shree Ramno vanchariyano abhigraha aney vanmaaj aharno yog malva; Parva 122 - Sitana jivnu svargmathi avi Ramney mohit karva matey upsarg karvo aney Ramney kevalgnanni utpati thavi; Parva 123 - Sitana jivnu narakma jainey Laxman aney Ravanney sambodhan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 34 of 35

 

Page 640 of 660
PDF/HTML Page 661 of 681
single page version

background image
૬૪૦એકસો અઢારમું પર્વપદ્મપુરાણ
છે અને આપણું પાતાળલંકાનું રાજ્ય પડાવી લીધું છે અને તે વિરાધિતને આપ્યું છે.
વાનરવંશીઓનો શિરોમણિ સુગ્રીવ સ્વામીદ્રોહી થઈને રામને મળી ગયો તેથી રામ સમુદ્ર
ઓળંગીને લંકામાં આવ્યા, રાક્ષસદ્વિપને ઉજ્જડ કર્યો, રામને સીતાનું અતિદુઃખ હતું તેથી
લંકા લેવા તે અભિલાષી થયા અને સિંહવાહિની તથા ગરુડવાહિની, બે મહાવિદ્યા રામ-
લક્ષ્મણને મળી તેનાથી ઇન્દ્રજિત, કુંભકરણને કેદ કર્યા. લક્ષ્મણના હાથમાં ચક્ર આવ્યું
તેનાથી રાવણની હત્યા કરી. હવે કાળચક્રથી લક્ષ્મણ મર્યા તેથી વાનરવંશીઓનો પક્ષ
તૂટયો છે, વાનરવંશીઓ લક્ષ્મણની ભુજાઓના આશ્રયથી ઉન્મત્ત થઈ રહ્યા હતા, હવે તે
શું કરશે, તે પક્ષ (મદદ) વિનાના થયા. રામને અગિયાર પખવાડિયાં થઈ ગયા, બારમું
પખવાડિયું થયું છે. તે મૂઢ બની ગયા છે, ભાઈના મડદાને ઉપાડીને ફરે છે, આવો મોહ
કોને હોય? જોકે રામ જેવા યુદ્ધા પૃથ્વી પર બીજા કોઈ નથી. તે હળ-મૂશળના ધારક
અજિતીય મલ્લ છે તો પણ ભાઈના શોકરૂપ કીચડમાં ફસાયેલા બહાર નીકળવા સમર્થ
નથી. તેથી અત્યારે રામ તરફના વેરનો બદલો લેવાની તક છે, જેના ભાઈએ આપણા
વંશના ઘણાનો સંહાર કર્યો છે. શંબૂકના ભાઈના પુત્રે જ્યારે ઇન્દ્રજિતના પુત્રને આ વાત
કરી ત્યારે તે ક્રોધથી પ્રજ્વલિત થયો, મંત્રીઓને આજ્ઞા આપી, રણભેરી વગડાવી સેના
ભેગી કરી શંબૂકના ભત્રીજા સાથે અયોધ્યા તરફ ચાલ્યો. સેનારૂપ સમુદ્ર લઈ પ્રથમ તો
તેણે સુગ્રીવ પર કોપ કર્યો કે સુગ્રીવને મારી અથવા પકડી તેનો દેશ પડાવી લઈએ, પછી
રામ સાથે લડીએ. ઇન્દ્રજિતના પુત્ર વજ્રમાલિએ આ વિચાર કર્યો અને સુંદરના પુત્ર
સહિત ચડાઈ કરી. આ સમાચાર સાંભળી રામના જે સેવક વિદ્યાધરો હતો તે બધા
રામચંદ્રની પાસેય અયોધ્યામાં આવી ભેગા થયા. જેવી ભીડ અયોધ્યામાં લવણ-અંકુશના
આવવાના દિવસે થઈ હતી તેવી થઈ. વેરીઓની સેના અયોધ્યાની સમીપે આવેલી
સાંભળીને રામચંદ્ર લક્ષ્મણને ખભા ઉપર લઈને જ ધનુષબાણ હાથમાં સંભાળીને
વિદ્યાધરોને સાથે લઈ પોતે બહાર નીકળ્‌યા. તે વખતે કૃતાંતવક્રનો જીવ અને જટાયુ
પક્ષીનો જીવ ચોથા સ્વર્ગમાં દેવ થયા હતા તેમનાં આસન કંપ્યાં. કૃતાંતવક્રનો જીવ સ્વામી
અને જટાયું પક્ષીનો જીવ સેવક હતો. કૃતાંતવક્રના જીવે જટાયુના જીવને કહ્યું-હે મિત્ર!
આજે તમે ગુસ્સે કેમ થયા છો? ત્યારે તેણે કહ્યું કે હું ગીધ પક્ષી હતો ત્યારે રામે મને
વહાલા પુત્રની જેમ રક્ષ્યો હતો અને જિનધર્મનો ઉપદેશ આપ્યો હતો. મરણસમયે ણમોકાર
મંત્ર આપ્યો હતો. તેથી હું દેવ થયો છું. અત્યારે તે તો ભાઈના શોકથી તપ્ત છે અને
શત્રુની સેના તેના ઉપર ચડી આવી છે. ત્યારે કૃતાંતવક્રનો જીવ જે દેવ હતો તેણે
અવધિજ્ઞાનથી જોઈને કહ્યું-હે મિત્ર! મારા એ સ્વામી હતા, હું તેમનો સેનાપતિ હતો,
તેમણે મને ખૂબ લાડ કર્યા છે, ભાઈ અને પુત્રોથી પણ અધિક ગણ્યો હતો. મારું એમને
વચન આપેલું છે કે તમે જ્યારે ખેદ પામશો ત્યારે તમારી પાસે હું આવીશ. આમ પરસ્પર
વાત કરીને ચોથા સ્વર્ગના વાસી તે બન્ને દેવ સુંદર આભૂષણ પહેરી, અયોધ્યા તરફ
ચાલ્યા. બન્ને વિચિક્ષણ, પરસ્પર બન્નેએ મસલત કરી લીધી. કૃતાંતવક્રના જીવે જટાયુના
જીવને કહ્યું કે તમે શત્રુઓની સેના તરફ જાવ,

Page 641 of 660
PDF/HTML Page 662 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ ૬૪૧
તેમની બુદ્ધિ હરી લ્યો અને હું રઘુનાથની સમીપે જાઉં છું. પછી જટાયુનો જીવ શત્રુ તરફ
ગયો. કામદેવના રૂપથી તેમને મોહિત કર્યા અને તેમને એવી માયા બતાવી કે અયોધ્યાની
આગળ અને પાછળ દુર્ગમ પહાડ પડયા છે, અયોધ્યા અપાર છે, આ અયોધ્યા કોઈથી
જિતાય તેમ નથી. આ કૌશલપુરી સુભટોથી ભરેલી છે, કોટ આકાશને અડે તેટલો ઊંચો
છે અને નગરની બહાર-અંદર દેવ, વિદ્યાધરો ભર્યા છે, એમને ખબર નહોતી કે આ
નગરી મહાવિષમ છે, જમીન ઉપર કોઈએ કે આકાશમાં જોઈએ તો દેવ વિદ્યાધરો
ઊભરાઈ રહ્યા છે. હવે કેવી રીતે આપણા પ્રાણ બચી શકે, કેવી રીતે જીવતા પાછા ઘેર
જઈએ, જ્યાં શ્રી રામદેવ બિરાજે છે તે નગરી અમારાથી કેવી રીતે જીતી શકાય, આવી
વિક્રિયાશક્તિ વિદ્યાધરોમાં ક્યાંથી હોય? અમે વિચાર્યા વિના આ કામ કર્યું છે. જો
આગિયો સૂર્ય સાથે વેર કરવાનું વિચારે તો શું કરી શકે. હવે જો ભાગીએ તો કયા રસ્તે
ભાગીએ, માર્ગ જ નથી. આ પ્રમાણે અંદરોઅંદર વાતો કરતાં ધ્રુજવા લાગ્યા, સમસ્ત
શત્રુઓની સેના વિહ્વળ થઈ ગઈ. પછી જટાયુએ (જટાયુના જીવે) દેવવિક્રિયાની ક્રીડા
કરીને તેમને દક્ષિણ તરફ ભાગવાનો માર્ગ આપ્યો. તે બધા પ્રાણરહિત થઈને ધૂ્ર્રજતા
ધૂ્ર્રજતા ભાગ્યા જેમ બાજ પક્ષી પાસેથી પારેવા ભાગે. આગળ જઈને ઇન્દ્રજિતના પુત્રે
વિચાર્યું કે આપણે વિભીષણને શો ઉત્તર આપીશું અને લોકોને મોઢું કેવી રીતે બતાવીશું?
આમ વિચાર કરી લજ્જિત થઈને સુંદરના પુત્ર, ચારે રત્નો સહિત અને વિદ્યાધરો સહિત
ઇન્દ્રજિતના પુત્ર વજ્રમાલી રતિવેગ નામના મુનિની નિકટ મુનિ થયા. ત્યારે આ જટાયુનો
જીવ દેવ તે સાધુઓનાં દર્શન કરી પોતાનો સકળ વૃત્તાંત કહી ક્ષમા કરાવી અયોધ્યા
આવ્યો, જ્યાં રામ ભાઈના શોકથી બાળક જેવી ચેષ્ટા કરતા હતા. તેમને સંબોધવા માટે
તે બન્ને દેવે પ્રયત્ન કર્યો અને જટાયુનો જીવ મૃત બળદની વડે હળ ચલાવવાનો યત્ન
કરવા લાગ્યો અને પથ્થર ઉપર બીજ વાવવા લાગ્યો તો પણ આ દ્રષ્ટાંતો રામના મનમાં
આવ્યાં નહિ. પછી કૃતાંતવક્રનો જીવ રામની આગળ ઘી મેળવવા માટે પાણી વલોવવા
લાગ્યો અને જટાયુનો જીવ તેલ મેળવવા માટે રેતીને ઘાણીમાં પીલવા લાગ્યો. આ
દ્રષ્ટાંતોથી પણ રામને પ્રતિબોધ ન થયો. બીજાં પણ અનેક કાર્યો આ પ્રમાણે દેવોએ કર્યાં
ત્યારે રામે કહ્યું કે તમે સાવ મૂઢ છો, સૂકા વૃક્ષને સીંચવાથી શું કામ? અને મરેલા
બળદથી હળ હાંકો છો તે શું છે? શિલા ઉપર બીજ વાવવાનો શો અર્થ? અને પાણી
વલોવવા તથા રેતી પીલવાનાં ઇત્યાદિ કામ કર્યાં તે શા માટે? ત્યારે તે બન્નેએ કહ્યું-તમે
ભાઈના મૃત શરીરને નકામા લઈને ફરો છો, તે બાબતમાં આપ શું કહો છો? આ વચન
સાંભળી લક્ષ્મણને છાતી સાથે મજબૂતપણે ચાંપીને પૃથ્વીપતિ રામે ક્રોધથી તેમને કહ્યું-હે
કુબુદ્ધિમાનો! મારો ભાઈ પુરુષોત્તમ છે, તેને માટે અમંગળના વચનો કેમ કહો છો? આવા
શબ્દો બોલવાથી તમને દોષ ઉપજશે. આ પ્રમાણે કૃતાંતવક્રના જીવ અને રામની વચ્ચે
વિવાદ થાય છે તે જ સમયે જટાયુનો જીવ મરેલા મનુષ્યનું કલેવર લાવી રામની પાસે
આવ્યો. તેને જોઈ રામ બોલ્યો-મડદાને ખભે ઊંચકીને શા માટે ફરો છો? ત્યારે તેણે
કહ્યું-તમે પ્રવીણ હોવા છતાં પ્રાણરહિત લક્ષ્મણના શરીરને

Page 642 of 660
PDF/HTML Page 663 of 681
single page version

background image
૬૪રએકસો અઢારમું પર્વપદ્મપુરાણ
લઈને કેમ ફરો છો? બીજાનો અણુમાત્ર પણ દ્રોષ જુઓ છો ને પોતાને મેરુ જેવડો દો્રષ
દેખતા નથી. સરખેસરખા વચ્ચે પ્રીતિ થાય છે તેથી તમને મૂઢ જોઈને અમને અધિક
પ્રીતિ ઉપજી છે. અમે નિરર્થક કાર્ય કરનારા તેમાં તમે મુખ્ય છો. અમે ઉન્મત્તપણાની ધજા
લઈને ફરીએ છીએ ત્યાં તમને અતિઉન્મત્ત જોઈને તમારી પાસે આવ્યા છીએ.
આ પ્રમાણે તે બન્ને મિત્રોનાં વચન સાંભળી રામ મોહરહિત થયા, શાસ્ત્રોનાં વચન
યાદ કરીને સચેત થયા. જેમ સૂર્ય મેઘપટલમાંથી નીકળીને પોતાનાં કિરણોથી દેદીપ્યમાન
ભાસે તેમ ભરતક્ષેત્રના પતિ રામરૂપી સૂર્ય મોહરૂપ મેઘપટલમાંથી નીકળીને જ્ઞાનરૂપી
કિરણો વડે પ્રકાશવા લાગ્યા. જેમ શરદઋતુમાં કાળી ઘટારહિત આકાશ નિર્મળ શોભે છે
તેમ રામનું મન શોકરૂપ કર્દમરહિત નિર્મળ થવા લાગ્યું. રામ સમસ્ત શાસ્ત્રોમાં પ્રવીણ છે
તે અમૃત સમાન જિનવચનને યાદ કરી ખેદરહિત થયા. તે ધીરતાના અવલંબનથી એવા
શોભે છે, જેવો ભગવાનના અભિષેકમાં સુમેરુ શોભે. જેમ અત્યંત શીતળ પવનના
સ્પર્શરહિત કમળોનું વન શોભે અને ખીલે તેમ શોકરૂપ કલુષતારહિત રામનું ચિત્ત
વિકસિત થયું. જેમ કોઈ રાત્રીના અંધકારમાં માર્ગ ભૂલી ગયો હોય અને સૂર્યોદય થતાં
માર્ગ હાથ આવતાં રાજી થાય, અત્યંત ક્ષુધાથી પીડિત મનવાંછિત ભોજન કરી અત્યંત
આનંદ પામે અને જેમ કોઈ સમુદ્ર તરવાનો અભિલાષી વહાણ મળતાં હર્ષરૂપ થાય અને
વનમાં માર્ગ ભૂલી નગરનો માર્ગ મળતાં રાજી થાય, તૃષાથી પીડિત સરોવર પ્રાપ્ત થતાં
સુખી થાય, રોગપીડિતજન રોગહરણ ઔષધિ મળતાં અત્યંત આનંદ પામે અને પોતાના
દેશમાં જવા ચાહનારને સાથીદાર જોઈ પ્રસન્નતા થાય, જે બંદીગૃહમાંથી છૂટવા ચાહતો હોય
તેની બેડી કપાય અને તે જેવો હર્ષિત થાય તેમ રામચંદ્ર પ્રતિબોધ પામીને પ્રસન્ન થયા.
જેમનું હૃદયકમળ ખીલ્યું છે, પરમ કાંતિ ધરતાં તે પોતાને સંસારના અંધારિયા કૂવામાંથી
નીકળેલો માનવા લાગ્યા. તેમણે મનમાં જાણ્યું કે હું નવો જન્મ પામ્યો છું. શ્રી રામ
વિચારે છે-અહો દર્ભની અણી પર પડેલું ઝાકળનું બિંદુ જેવું ચંચળ છે તેના જેવું
મનુષ્યજીવન છે, તે ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતાં
મેં અત્યંત કષ્ટથી મનુષ્યશરીર પ્રાપ્ત કર્યું અને વૃથા ખોયું. કોના ભાઈ, કોના પુત્ર, કોનો
પરિવાર, કોનું ધન, કોની સ્ત્રી? આ સંસારમાં આ જીવે અનંત સંબંધી મેળવ્યા, એક
જ્ઞાન દુર્લભ છે. આ પ્રમાણે શ્રી રામ પ્રતિબુદ્ધ થયા. ત્યારે તે બન્ને દેવ પોતાની માયા દૂર
કરી લોકોને આશ્ચર્ય ઉપજાવનાર સ્વર્ગની વિભૂતિ પ્રગટ દેખાડવા લાગ્યા. શીતળ, મંદ,
સુગંધી વાયુ વાવા લાગ્યો. આકાશમાં દેવોનાં વિમાનો જ વિમાનો દેખાવાં લાગ્યાં,
દેવાંગના ગાવા લાગી, વીણા, બાંસુરી, મૃદંગાદિ વાગવા લાગ્યાં. તે બન્ને દેવોએ રામને
પૂછયું-આપે આટલા દિવસ રાજ્ય કર્યું તો શું સુખ મેળવ્યું? ત્યારે જવાબ આપ્યો-
રાજ્યમાં સુખ શાનું? જ્યાં અનેક વ્યાધિ હોય, જે એને તજીને મુનિ થયા તે સુખી છે.
વળી હું તમને પુછું છું તે અતિસૌમ્ય વદનવાળા તમે કોણ છો અને કયા કારણે મને
આટલું મોટું હિત બતાવ્યું? ત્યારે જટાયુના જીવે કહ્યું કે હે પ્રભો! હું તે ગીધ

Page 643 of 660
PDF/HTML Page 664 of 681
single page version

background image
પદ્મપુરાણએકસો ઓગણીસમું પર્વ ૬૪૩
પક્ષી છું. જ્યારે આપે મુનિઓને આહાર આપ્યો હતો, ત્યાં હું પ્રતિબુદ્ધ થયો હતો. આપે
મને નિકટ રાખ્યો, પુત્રની જેમ પાળ્‌યો અને લક્ષ્મણ તથા સીતા મારા ઉપર ખૂબ કૃપા
વરસાવતાં. સીતાને રાવણ હરી ગયો તે દિવસે મેં રાવણ સાથે યુદ્ધ કર્યું. મારા પ્રાણ
ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યા તે સમયે આવી આપે મને પંચ નમોકાર મંત્ર
આપ્યો. હું તમારી કૃપાથી ચોથા સ્વર્ગમાં દેવ થયો. સ્વર્ગના સુખથી મોહિત થયો. અત્યાર
સુધી આપની પાસે આવ્યો નહિ. અત્યારે અવધિજ્ઞાનથી તમને લક્ષ્મણના શોકથી વ્યાકુળ
જાણીને તમારી પાસે આવ્યો છું. પછી કૃતાંતવક્રત્રના જીવે કહ્યું હે નાથ! હું કૃતાંતવક્ર
આપનો સેનાપતિ હતો, આપે મને ભાઈઓ અને પુત્રોથી પણ અધિક માન્યો હતો અને
મને વૈરાગ્ય થતાં આપે આજ્ઞા કરી હતી કે જો તમે દેવ થાવ તો જ્યારે મને ચિંતા ઉપજે
ત્યારે યાદ કરજો. આપને લક્ષ્મણના મરણની ચિંતા જાણી અમે તમારી પાસે આવ્યા
છીએ. ત્યારે રામે બન્ને દેવોને કહ્યું-તમે મારા પરમમિત્ર છો, મહાપ્રભાવના ધારક ચોથા
સ્વર્ગમાં દેવ મને સંબોધવાને આવ્યા. તમારે માટે એ જ યોગ્ય છે. એમ કહીને રામે
લક્ષ્મણના શોકથી રહિત થઈ લક્ષ્મણના શરીરને સરયૂ નદીના તીરે અગ્નિસંસ્કાર કર્યા. શ્રી
રામે જે આત્મસ્વભાવના જ્ઞાતા છે, ધર્મની મર્યાદા પાળવા માટે ભાઈ શત્રુઘ્નને કહ્યું-હે
શત્રુઘ્ન! હું મુનિનાં વ્રત ધારણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કરવા ચાહું છું. તું પૃથ્વીનું રાજ્ય કર.
ત્યારે શત્રુઘ્ને કહ્યું-હે દેવ! હું ભોગોનો લોભી નથી, જેને રાગ હોય તે રાજ્ય કરે, હું
તમારી સાથે જિનરાજનાં વ્રત ધારણ કરીશ, મને બીજી અભિલાષા નથી. મનુષ્યોના શત્રુ
આ કામ, ભોગ, મિત્ર, બાંધવ, જીવન એ બધાથી કોણ તૃપ્ત થયું છે? કોઈ જ તૃપ્ત થયું
નથી. તેથી આ બધાંનો ત્યાગ જ જીવને કલ્યાણકારી છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણની દગ્ધક્રિયા અને
મિત્રદેવોના આગમનનું વર્ણન કરનાર એકસો અઢારમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો ઓગણીસમું પર્વ
(શ્રી રામનું સુવ્રર્ત સ્વામી પાસે જઈ દીક્ષાગ્રહણ)
પછી શ્રી રામચંદ્રે શત્રુઘ્નનાં વૈરાગ્યવચન સાંભળી તેને નિશ્ચયથી રાજ્યથી
પરાઽમુખ જાણી ક્ષણેક વિચાર કરી અનંગલવણના પુત્રને રાજ્ય આપ્યું. તે પિતાતુલ્ય
ગુણોની ખાણ, કુળની પરંપરા જાળવનાર, જેને સમસ્ત સામંતો નમે છે, તે રાજ્યગાદીએ
બેઠો. પ્રજાનો તેના પ્રત્યે ખૂબ અનુરાગ છે, તે પ્રતાપીએ પૃથ્વી પર આજ્ઞા પ્રવર્તાવી.
વિભીષણ લંકાનું રાજ્ય પોતાના પુત્ર સુભૂષણને આપી વૈરાગ્ય માટે તૈયાર થયા. સુગ્રીવ
પણ પોતાનું રાજ્ય અંગદને આપી સંસાર શરીરભોગથી ઉદાસ થયા. રામના આ બધા
મિત્રો રામની સાથે ભવસાગર તરવા તૈયાર

Page 644 of 660
PDF/HTML Page 665 of 681
single page version

background image
૬૪૪એકસો ઓગણીસમું પર્વપદ્મપુરાણ
થયા. રાજા દશરથના પુત્ર રામે ભરત ચક્રવર્તીની જેમ રાજ્યનો ભાર તજ્યો. કેવા છે
રામ? જે વિષયસુખને વિષસહિત અન્ન સમાન જાણે છે અને સમસ્ત વિભૂતિને કુલટા
સ્ત્રી સમાન માને છે, એક કલ્યાણનું કારણ, મુનિઓને સેવવાયોગ્ય સુર-અસુરોથી પૂજ્ય
શ્રી મુનિ સુવ્રતનાથનો ભાખેલો માર્ગ તેમણે હૃદયમાં ધારણ કર્યો, જન્મ-મરણના ભયથી
જેમનું હૃદય કંપી ઊઠયું છે, જેમણે કર્મબંધ ઢીલાં કર્યાં છે, જેમણે રાગાદિક કલંક ધોઈ
નાખ્યાં છે, જેમનું ચિત્ત વૈરાગ્યરૂપ છે, તે કલેશભાવથી રહિત મેઘપટલરહિત ભાનુ જેવા
ભાસવા લાગ્યા, મુનિવ્રત ધારવાનો જેમનો અભિપ્રાય છે. તે સમયે અરહદાસ શેઠ આવ્યા.
શ્રી રામે તેમને ચતુર્વિધ સંઘના કુશળ પૂછયા. તેમણે કહ્યું-હે દેવ! તમારા કષ્ટથી
મુનિઓનાં મન પણ અનિષ્ટ સંયોગ પામ્યા. તેઓ વાત કરે છે અને સમાચાર આવ્યા છે
કે મુનિસુવ્રતનાથના વંશમાં ઉપજેલા ચાર ઋદ્ધિના ધારક સ્વામી સુવ્રત, મહાવ્રતના ધારક-
કામક્રોધના નાશક આવ્યા છે. આ વાત સાંભળી અતિઆનંદથી ભરાઈ ગયેલા રામ,
જેમના શરીરે રોમાંચ થઈ ગયાં છે, જેમનાં નેત્રો ખીલી ઊઠયાં છે, અનેક ભૂચર, ખેચર
રાજાઓ સહિત જેમ પ્રથમ બળભદ્રવિજય સ્વર્ણકુંભ સ્વામી પાસે જઈ મુનિ થયા હતા
તેમ મુનિ થવા સુવ્રત મુનિની પાસે ગયા. તે શ્રેષ્ઠ ગુણોના ધારક, જેમની આજ્ઞા હજારો
મુનિ માને છે, તેમની પાસે જઈ પ્રદક્ષિણા દઈ હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા.
સાક્ષાત્ મુક્તિનું કારણ એવા મહામુનિના દર્શન કરીને અમૃતના સાગરમાં મગ્ન થયા. પરમ
શ્રદ્ધાથી રામચંદ્રે મુનિરાજને જિનચંદ્રની દીક્ષા આપવાની વિનંતી કરી-હે યોગીશ્વરોના
ઇન્દ્ર! હું ભવપ્રપંચથી વિરક્ત થયેલો તમારું શરણ ગ્રહવા ચાહું છું. તમારા પ્રસાદથી
યોગીશ્વરોના માર્ગમાં વિહાર કરું. આ પ્રમાણે રામે પ્રાર્થના કરી. રામે સમસ્ત રાગદ્વેષાદિક
કલંક ધોઈ નાખ્યાં છે. ત્યારે મુનીન્દ્રે કહ્યું-હે નરેન્દ્ર! તમે આ કાર્ય માટે યોગ્ય જ છો, આ
સંસાર ક્યો પદાર્થ છે? એને તજી તમે જિનધર્મરૂપ સમુદ્રનું અવગાહન કરો, આ માર્ગ
અનાદિસિદ્ધ, બાધારહિત અવિનાશી સુખ આપનાર છે તેને તમારા જેવા બુદ્ધિમાન જ
આદરે છે. મુનિએ આમ કહ્યું એટલે સંસારથી વિરક્ત મહાપ્રવીણ રામ જેમ સૂર્ય સુમેરુની
પ્રદક્ષિણા કરે તેમ મુનીન્દ્રની પ્રદક્ષિણા કરવા લાગ્યા. જેમને જ્ઞાન પ્રગટયું છે, તેમણે
વૈરાગ્યરૂપ વસ્ત્ર પહેરી કર્મોના નાશ માટે કમર કસી, આશારૂપ પાશ તોડી, સ્નેહનું પીંજરું
બાળી, સ્ત્રીરૂપ બંધનથી છૂટી, મોહનું માન મારીને, હાર, કુંડળ, મુગટ, કેયૂર, કટિમેખલાદિ
સર્વ આભૂષણો ફેંકી દઈ બધાં વસ્ત્રો ત્યાંજ્યાં. જેમનું મન પરમતત્ત્વમાં લાગ્યું છે તેમણે
જેમ શરીરને તજે તેમ વસ્ત્રાભરણનો ત્યાગ કર્યો, પોતાના સુકુમાર કરથી કેશલોચ કર્યો,
પદ્માસન ધારણ કરીને બેઠા. શીલના મંદિર આઠમા બળભદ્ર સમસ્ત પરિગ્રહ તજીને રાહુ
રહિત સૂર્યની જેવા શોભવા લાગ્યા. તેમણે પાંચ મહાવ્રત લીધાં, પાંચ સમિતિ અંગીકાર
કરી, ત્રણ ગુપ્તિરૂપ ગઢમાં બિરાજ્યા, મનદંડ, વચનદંડ, કાયદંડને નષ્ટ કરનાર છ કાયના
મિત્ર સાત ભયરહિત, આઠ કર્મના રિપુ, નવ વાડે બ્રહ્મચર્ય પાળનાર, દશલક્ષણધર્મધારક,
શ્રીવત્સલક્ષણથી શોભિત જેમનું ઉરસ્થળ છે એવા ગુણભૂષણ સકળદૂષણરહિત તત્ત્વજ્ઞાનમાં દ્રઢ

Page 645 of 660
PDF/HTML Page 666 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ઓગણીસમું પર્વ ૬૪પ
રામચંદ્ર મહામુનિ થયા. દેવોએ પંચાશ્ચર્ય કર્યા, દુંદુભિ વાજિંત્રો વાગ્યાં. કૃતાંતનો જીવ અને
જટાયુનો જીવ એ બન્ને દેવોએ મહાન ઉત્સવ કર્યો. જ્યારે પૃથ્વીપતિ રામ પૃથ્વીને તજીને
નીકળ્‌યા ત્યારે ભૂમિગોચરી વિદ્યાધર બધા જ રાજા આશ્ચર્ય પામ્યા, વિચારવા લાગ્યા કે
આવી વિભૂતિ, આવા રત્ન, આ પ્રતાપ ત્યજીને રામદેવ મુનિ થયા તો અમારે બીજો ક્યો
પરિગ્રહ છે કે જેના લોભથી ઘરમાં બેસી રહીએ. વ્રત વિના અમે આટલા દિવસ એમ જ
ગુમાવ્યા છે. આમ વિચારીને અનેક રાજા ગૃહબંધનથી છૂટી, રાગમય ફાંસી કાપીને, દ્વેષરૂપ
વેરીનો નાશ કરી, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી મુનિ ભાઈ શત્રુઘ્ન પણ મુનિ થયા અને
વિભીષણ, સુગ્રીવ, નળ, નીલ, ચંદ્રનખ, વિરાધિત ઈત્યાદિ અનેક રાજા મુનિ થયા.
વિદ્યાધરો સર્વ વિદ્યાનો ત્યાગ કરી બ્રહ્મવિદ્યા પામ્યા. કેટલાકને ચારણઋદ્ધિ ઉત્પન્ન થઈ.
આ પ્રમાણે રામને વૈરાગ્ય થતાં સોળ હજારથી થોડા અધિક રાજાઓ મુનિ થયા અને
સત્તાવીસ હજાર રાણીઓ શ્રીમતી આર્યિકાની પાસે આર્યિકા થઈ.
પછી શ્રી રામ ગુરુની આજ્ઞા લઈ એકલવિહારી થયા. જેમણે સમસ્ત વિકલ્પો
છોડયા છે તે પર્વતોની ગુફામાં, પર્વતોનાં શિખર પર અને વિષમ વનમાં જ્યાં દુષ્ટ જીવો
ફરે છે ત્યાં શ્રી રામ જિનકલ્પી થઈ ધ્યાન ધરવા લાગ્યા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું
તેનાથી પરમાણું પર્યંત દેખતા હતા, તેમને જગતના સકળ મૂર્તિક પદાર્થ ભાસતા હતા.
તેમણે લક્ષ્મણના અનેક ભવ જાણ્યા, મોહનો સંબંધ તો નથી તેથી મન મમત્વ ન પામ્યું.
હવે રામના આયુષ્યનું વર્ણન સાંભળો. કુમારકાળ ૧૦૦ વર્ષ, મંડળિક પદ ૩૦૦ વર્ષ,
દિગ્વિજય ૪૦ વર્ષ અને ૧૧, પ૬૦ વર્ષ સુધી ત્રણ ખંડનું રાજ્ય કરી પછી મુનિ થયા.
લક્ષ્મણનું મરણ એ જ પ્રમાણે હતું. તેમાં દેવોનો દ્રોષ નહોતો અને ભાઈના મરણના
નિમિત્તે રામને વૈરાગ્યનો ઉદય હતો. અવધિજ્ઞાનના પ્રતાપથી રામે પોતાના અનેક ભવ
ગણ્યા. અત્યંત ધૈર્ય ધારી વ્રતશીલના પહાડ, શુક્લલેશ્યાથી યુક્ત, અતિગંભીર, ગુણોના
સાગર, મોક્ષલક્ષ્મીમાં તત્પર શુદ્ધોપયોગના માર્ગમાં પ્રવર્ત્યા. ગૌતમસ્વામી રાજા શ્રેણિક
આદિ સકળ શ્રોતાઓને કહે છે કે જેમ રામચંદ્ર જિનેન્દ્રના માર્ગમાં પ્રવર્ત્યા તેમ તમે સૌ
પ્રવર્તો, તમારી શક્તિ પ્રમાણે અત્યંત ભક્તિથી જિનશાસનમાં તત્પર થાવ, જિન નામનાં
અક્ષય (કદી નાશ ન પામે તેવાં) રત્નોને પામી હે પ્રાણીઓ! મિથ્યા આચરણ તજો.
દુરાચાર મહાન દુઃખનો દાતા છે, મિથ્યા શાસ્ત્રોથી જેનો આત્મા મોહિત છે અને જેમનું
ચિત્ત પાખંડક્રિયાથી મલિન છે તે કલ્યાણનો માર્ગ ત્યજી જન્માંધની જેમ કુમાર્ગમાં પ્રવર્તે
છે. કેટલાક મૂર્ખ સાધુનો ધર્મ જાણતા નથી અને સાધુને નાના પ્રકારનાં ઉપકરણ બતાવે
છે અને તેમને નિર્દોષ માની ગ્રહણ કરે છે તે વાચાળ છે. જે કુલિંગ એટલે ખોટા વેશ
મૂઢજનોએ આચર્યા છે તે વૃથા ખેદ પામે છે, તેમનાથી મોક્ષ નથી, જેમ કોઈ મૂર્ખ
મડદાનો ભાર વહે તે વૃથા ખેદ પામે છે. જેમને પરિગ્રહ નથી અને કોઈની પાસે યાચના
કરતા નથી તે ઋષિ છે. નિર્ગ્રંથ ઉત્તમ ગુણોથી મંડિત હોય તે પંડિતોએ સેવવાયોગ્ય છે.
આ મહાબલી બળદેવના વૈરાગ્યનું વર્ણન સાંભળી સંસારથી વિરક્ત થાવ, જેનાથી
ભવતાપરૂપ સૂર્યનો આતાપ પામો નહિ.

Page 646 of 660
PDF/HTML Page 667 of 681
single page version

background image
૬૪૬ એકસો વીસમું પર્વ પદ્મપુરાણ
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામના વૈરાગ્યનું વર્ણન કરનાર
એકસો ઓગણીસમું પર્વ પૂર્ણ થયું
* * *
એકસો વીસમું પર્વ
(શ્રી રામનું આહાર નિમિત્તે નગરમાં આગમન અને અંતરાય થવાનાં કારણે પાછા જવું)
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે ભવ્યોત્તમ! રામચંદ્રના અનેક ગુણો
ધરણેન્દ્ર પણ અનેક જીભથી ગાવાને સમર્થ નથી, તે મુનિશ્વર જગતના ત્યાગી, મહાધીર,
જેમને પાંચ ઉપવાસની પ્રતિજ્ઞા છે તે ઈર્યા સમિતિ પાળતાં નંદસ્થલી નામની નગરીમાં
પારણા માટે આવ્યા. ઉગતા સૂર્ય સમાન દીપ્તિવાળા તે જાણે ચાલતા પહાડ જ છે.
સ્ફટિકમણિ જેવું જેમનું શુદ્ધ હૃદય છે તે પુરુષોત્તમ
જાણે મૂર્તિમંત ધર્મ જ છે, જાણે ત્રણ
લોકનો આનંદ એકત્ર કર્યો હોય તેવી રામની મૂર્તિ નીપજી છે. કાંતિના પ્રવાહથી પૃથ્વીને
પવિત્ર કરતાં જાણે આકાશમાં અનેક રંગોથી કમળોનું વન વિસ્તારતાં નગરમાં પ્રવેશ
કરવા લાગ્યા. તેમનું રૂપ જોઈ નગરનાં સર્વજનો ક્ષોભ પામ્યા. લોકો પરસ્પર વાતો કરે
છે-અહો, જુઓ! આ અદ્ભુત આકાર જગતમાં દુર્લભ છે, કદી જોવા ન મળે. આ
મહાપુરુષ અપૂર્વ નર બન્ને હાથ લંબાવીને આવે છે. ધન્ય આ ધૈર્ય, ધન્ય આ પરાક્રમ,
ધન્ય આ રૂપ, ધન્ય આ કાંતિ, ધન્ય આ દીપ્તિ, ધન્ય આ શાંતિ અને ધન્ય આ
નિર્મમત્વતા. આ કોઈ મનોહર પુરાણપુરુષ છે, આવો બીજો કોઈ ન હોય, ધોંસરી પ્રમાણ
ધરતીને જોતાં, જીવદયા પાળતાં, શાંતદ્રષ્ટિ, સમાધાનચિત્ત, જૈનના યતિ ચાલ્યા આવે છે.
એવું કોનું ભાગ્ય હશે કે જેના ઘેર આ પુણ્યાધિકારી આહાર કરશે? કોને પવિત્ર કરશે?
જેમના ઘેર એ આહાર લે તેનાં મહાન ભાગ્ય. આ ઇન્દ્ર સમાન રઘુકુળના તિલક અક્ષોભ
પરાક્રમી, શીલના પહાડ રામચંદ્ર પુરુષોત્તમ છે, એમનાં દર્શનથી નેત્ર સફળ થાય, મન
નિર્મળ થાય, જન્મસફળ થાય, શરીર પામવાનું ફળ ચારિત્રનું પાલન છે. આ પ્રમાણે
નગરનાં લોકો રામનાં દર્શનથી આશ્ચર્ય પામ્યા. નગરમાં રમણીક ધ્વનિ થયો. શ્રી રામ
નગરમાં પ્રવેશ્યા અને સમસ્ત ગલી અને માર્ગ સ્ત્રીપુરુષોથી ઊભરાઈ ગયા. નરનારીઓ
જેમના ઘેર નાના પ્રકારનાં ભોજનો તૈયાર છે તે પ્રાસુક જળની ઝારી ભરીને દ્વારે ઊભા
રહી પ્રતીક્ષા કરે છે. નિર્મળ જળ બતાવી, પવિત્ર ધોતી પહેરી નમસ્કાર કરે છે. હે
સ્વામી! અહીં ઊભા રહો, અન્નજળ શુદ્ધ છે. આ પ્રમાણે વચન બોલે છે. જેમનાં હૃદયમાં
હર્ષ સમાતો નથી. હે મુનિન્દ્ર! જયવંત રહો, હે પુણ્યના પહાડ! આનંદો, પધારો, આવી
વાણીથી દશે દિશાઓ ભરાઈ ગઈ. ઘરઘરમાં લોકો પરસ્પર વાત કરે છે. સોનાનાં
પાત્રોમાં દૂધ, દહીં, શેરડીનો રસ, દાળ, ભાત, ખીર, શીઘ્ર તૈયાર કરી રાખો-સાકર, મોદક,
કપૂરયુક્ત જળ, પુરી, શ્રીખંડ સારી રીતે વિધિપૂર્વક તૈયાર રાખો. આ

Page 647 of 660
PDF/HTML Page 668 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો એકવીસમું પર્વ ૬૪૭
જાતનાં સ્ત્રી પુરુષોનાં વચનાલાપથી આખું નગર શબ્દરૂપ થઈ ગયું. ઉતાવળના માર્યા
લોકો પોતાનાં બાળકોને સાચવી શક્યાં નહિ. માર્ગમાં લોકો દોડે છે, કોઈના ધક્કાથી કોઈ
પડી જાય છે. આ પ્રમાણે લોકોના કોલાહલથી હાથી ખૂંટા ઉખાડી નાખવા લાગ્યા અને
ગામમાં દોડવા લાગ્યા, તેમના કપોળમાંથી મદ ઝરવાથી માર્ગમાં જળનો પ્રવાહ થઈ ગયો,
હાથીઓના ભયથી ઘોડા ઘાસ છોડી બંધન તોડાવી ભાગ્યા અને હણહણાટી કરવા લાગ્યા.
આ પ્રમાણે હાથી-ઘોડાના ધમસાણથી લોકો વ્યાકુળ થયા. તે વખતે દાનમાં તત્પર રાજા
કોલાહલ સાંભળીને મકાનની ઉપર આવીને ઊભા રહ્યા, દૂરથી મુનિનું રૂપ જોઈ મોહિત
થયા. રાજાને મુનિ પ્રત્યે રાગ વિશેષ છે, પરંતુ વિવેક નથી તેથી અનેક સામંતો દોડાવ્યા
અને આજ્ઞા કરી કે સ્વામી પધારે છે તેથી તમે જઈ પ્રણામ કરી ખૂબ ભક્તિથી વિનંતી
કરી અહીં આહાર માટે લાવો. સામંતો પણ મૂર્ખ છે તેથી જઈને પગે પડીને કહેવા લાગ્યા
હે પ્રભો! રાજાને ઘેર ભોજન કરો, ત્યાં પવિત્ર શુદ્ધ ભોજન છે અને સામાન્ય લોકોને ઘેર
આહાર રસહીન છે, આપને લેવાયોગ્ય નથી. અને તેમણે લોકોને રોકયા કે તમે આપવાનું
શું જાણો? આ વચન સાંભળી, મહામુનિ પોતાને અંતરાય થયેલો જાણી નગરમાંથી પાછા
ચાલ્યા ગયા ત્યારે બધા લોકો ખૂબ વ્યાકુળ બન્યા. મહાપુરુષ જિનઆજ્ઞાના પ્રતિપાલક,
આચારાંગ સૂત્રપ્રમાણ જેમનું આચરણ છે, તે આહારને અર્થે નગરમાં આવી અંતરાય
જાણી નગરમાંથી પાછા વનમાં ચાલ્યા ગયા, ચિદ્રૂપના ધ્યાનથી મગ્ન કાયોત્સર્ગ ધરીને
બેઠા. તે અદ્ભુત, અદ્વિતીય, સૂર્ય, મન અને નેત્રને પ્યારા લાગે તેવા રૂપવાળા નગરમાંથી
આહાર લીધા વિના બહાર ગયા તેથી બધા જ ખૂબ ખેદખિન્ન થયાં.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિનું આહારાર્થે નગરમાં
આગમન અને લોકોના કોલાહલનો અંતરાય, વનમાં પાછા ગમન કરવાનું વર્ણન કરનાર
એકસો વીસમું પર્વ પૂર્ણ થયું
* * *
એકસો એકવીસમું પર્વ
(શ્રી રામનો વનચર્યાનો અભિગ્રહ અને વનમાંજ આહારનો યોગ મળવો)
ત્યારપછી મુનિઓમાં શ્રેષ્ઠ રામે પંચોપવાસના પ્રત્યાખ્યાન કર્યા અને અભિગ્રહ
કર્યો કે વનમાં કોઈ શ્રાવક શુદ્ધ આહાર આપે તો લેવો, નગરમાં ન જવું. આ પ્રમાણે
વનચર્યાની પ્રતિજ્ઞા કરી. એક રાજા પ્રતિનંદને કોઈ દુષ્ટ તુરંગ લઈને ભાગ્યો તે લોકોની
નજરમાંથી દૂર ચાલ્યો ગયો. રાજાની પટરાણી પ્રભવા અતિ ચિંતાતુર થઈ શીઘ્રગામી અશ્વ
પર બેસી રાજાની પાછળ સુભટો સાથે ચાલી. જે તુરંગ રાજાને ઉપાડી ગયો હતો તે
વનના સરોવરમાં કીચડમાં ફસાઈ ગયો. એટલામાં પટરાણી ત્યાં પહોંચી ગઈ. રાજા રાણી
પાસે આવ્યો. રાણી હસતાં હસતાં રાજાને

Page 648 of 660
PDF/HTML Page 669 of 681
single page version

background image
૬૪૮ એકસો બાવીસમું પર્વ પદ્મપુરાણ
કહેવા લાગી કે હે મહારાજ! જો આ અશ્વે આપનું હરણ કર્યું ન હોત તો આનંદવન જેવું
વન અને માનસરોવર જેવું સરોવર કેવી રીતે જોવા મળત? ત્યારે રાજાએ કહ્યું-હે રાણી!
હવે વનયાત્રા સફળ થઈ, કારણ કે તારા દર્શન થયા. આ પ્રમાણે દંપતી પરસ્પર પ્રીતિની
વાતો કરી સખીઓ સહિત સરોવરના તીરે બેસી નાના પ્રકારની જળક્રીડા કરી બન્ને
ભોજનની તૈયારી કરવા લાગ્યાં. તે સમયે શ્રી રામ મુનિરાજ વનચર્યા કરનાર આ તરફ
આહાર માટે પધાર્યા. તેમને જોઈ સાધુની ક્રિયામાં પ્રવીણ રાજાને હર્ષથી રોમાંચ થયો.
રાણી સહિત સન્મુખ જઈ નમસ્કાર કરી એવા શબ્દો કહ્યા-હે ભગવાન! અહીં પધારો,
અન્નજળ પવિત્ર છે. પ્રાસુક જળથી રાજાએ મુનિના પગ ધોયા, નવધા ભક્તિથી સપ્તગુણ
સહિત મુનિને પવિત્ર ખીરનો આહાર આપ્યો. સુવર્ણના પાત્રમાં લઈ મહાપાત્ર મુનિના
કરપાત્રમાં પવિત્ર અન્ન ભોજન આપ્યું. નિરંતરાય આહાર થયો તેથી દેવોએ આનંદિત
થઈ પંચાશ્ચર્ય પ્રગટ કર્યા અને પોતે અક્ષીણ મહાઋદ્ધિના ધારક હોવાથી તે દિવસે રસોઈનું
અન્ન અખૂટ થઈ ગયું. પંચાશ્ચર્યના નામઃ-પંચવર્ણનાં રત્નોની વર્ષા તથા સુગંધી
કલ્પવૃક્ષોની પુષ્પની વર્ષા, શીતળ મંદ સુગંધ પવન, દુંદુભિનાદ, જયજય શબ્દ, ધન્ય આ
દાન, ધન્ય આ પાત્ર, ધન્ય આ વિધિ, ધન્ય આ દાતા. બહુ સારું થયું, સારું થયું, આનંદ
પામો, વૃદ્ધિ પામો, ફૂળોફળો-આ પ્રકારના શબ્દો આકાશમાં દેવો બોલવા લાગ્યા. હવે
નવધા ભક્તિનાં નામ-મુનિને પડગાહન, ઊંચા સ્થાને બિરાજમાન કરવા, ચરણારવિંદનું
પ્રક્ષાલન ચરણોદક માથે ચડાવવું, પૂજા કરવી, મન શુદ્ધ, વચન શુદ્ધ, કાય શુદ્ધ, આહાર
શુદ્ધ, શ્રદ્ધા, શક્તિ, નિર્લોભતા, દયા, ક્ષમા, ઈર્ષ્યાનો અભાવ, હર્ષસહિત-આ દાતાનાં સાત
ગુણ છે. રાજા પ્રતિનંદ મુનિદાનથી દેવો વડે પૂજાયો અને તેણે શ્રાવકનાં વ્રત લીધાં. જેનું
સમ્યકત્વ નિર્મળ છે એવો તે પૃથ્વી પર પ્રસિદ્ધિ પામ્યો, તેનો ખૂબ મહિમા થયો.
પંચાશ્ચર્યમાં જુદા જુદા પ્રકારનાં રત્નો અને સુવર્ણની વર્ષા થઈ, દશે દિશામાં ઉદ્યોત થયો,
પૃથ્વીનું દારિધ્ર ગયું, રાજા રાણી સહિત વિનયભક્તિથી નમ્રીભૂત મહામુનિને વિધિપૂર્વક
નિરંતરાય આહાર આપી પ્રબોધ પામ્યો. પોતાનો મનુષ્યજન્મ સફળ માનવા લાગ્યો. રામ
મહામુનિ તપને અર્થે એકાંતમાં રહ્યા. બાર પ્રકારનાં તપ કરનારા તપઋદ્ધિથી અદ્વિતીય,
પૃથ્વી પર અદ્વિતીય સૂર્ય વિહરતા હતા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિના નિરંતરાય
આહારદર્શનનું વર્ણન કરનાર એકસો એકવીસમું પર્વ પૂર્ણ થયું
* * *
એકસો બાવીસમું પર્વ
(સીતાના જીવનું સ્વર્ગમાંથી આવી રામને મોહિત કરવા માટે
ઉપસર્ગ કરવો અને રામને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવી)
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે રાજન્! તે આત્મારામમુનિ બળદેવ સ્વામી,

Page 649 of 660
PDF/HTML Page 670 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બાવીસમું પર્વ ૬૪૯
જેમણે રાગદ્વેષને શાંત કર્યા છે, બીજા મનુષ્યોથી ન થઈ શકે એવું તપ કરવા લાગ્યા.
મહાવનમાં વિહાર કરતા, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરતા,
શાસ્ત્રવેત્તા, જિતેન્દ્રિય, જેમને જૈનધર્મમાં અનુરાગ છે, સ્વાધ્યાયધ્યાનમાં સાવધાન, જેમને
અનેક ઋદ્ધિઓ પ્રગટી છે, પરંતુ ઋદ્ધિઓની ખબર નથી, નિર્વિકાર, બાવીસ પરીષહના
જીતનાર, તેમના તપના પ્રભાવથી વનનાં સિંહ, વાઘ, મૃગાદિનાં ટોળાં તેમની નિકટ
આવીને બેસે છે, જીવોનો જાતિવિરોધ (દ્વેષ) મટી ગયો છે, રામનું શાંતસ્વરૂપ જોઈને તે
શાંતરૂપ બન્યાં છે. શ્રી રામનું ચિત્ત ચિદાનંદમાં છે, પરવસ્તુની તેમને વાંછા નથી, જે
કર્મકલંક દૂર કરવાનો પ્રયત્ન કરે છે, નિર્મળ શિલા પર બેસી આત્મધ્યાનમાં પ્રવેશ કર્યો,
જેમ રવિ મેઘમાળામાં પ્રવેશ કરે તેમ. તે પ્રભુ સુમેરુ સમાન અચળ ચિત્ત કરી અચળ
પવિત્ર સ્થાનમાં કાયોત્સર્ગ કરી નિજસ્વરૂપનું ધ્યાન કરતા હતા. કોઈ વાર વિહાર કરે છે
તો ઈર્યા સમિતિનું પાલન કરે છે, દેવદેવાંગનાથી તે પૂજાય છે. તે આત્મજ્ઞાની
જિનઆજ્ઞાના પાલક એવું તપ કરતા તે પંચમ કાળમાં કોઈથી ચિંતવી પણ ન શકાય,
એક દિવસ વિહાર કરતાં તે કોટિશિલા પાસે આવ્યા. જેને લક્ષ્મણે નમોકારમંત્રનો જાપ
કરીને ઊંચકી હતી, કોટિશિલા પર ધ્યાન ધરીને બેઠા, તેમનું મન ક્ષપકશ્રેણી ચડવાનું અને
કર્મોને ખપાવવામાં ઉદ્યમી હતું.
હવે અચ્યુત સ્વર્ગનો પ્રતીન્દ્ર સીતાનો જીવ સ્વયંપ્રભ નામવાળો અવધિજ્ઞાનથી
જાણીને વિચારવા લાગ્યો કે રામનો અને પોતાનો પરમ સ્નેહ હતો, પોતાના અનેક જીવ,
જિનશાસનનું માહાત્મ્ય, રામનું મુનિ થવું. કોટિશિલા પર ધ્યાન ધરી બેસવું વગેરેનો
વિચાર કરતાં તેણે જાણ્યું કે તે મનુષ્યોના ઇન્દ્ર, મનુષ્યલોકમાં મારા પતિ હતા, હું તેમની
સ્ત્રી સીતા હતી. જુઓ કર્મની વિચિત્રતા! હું તો વ્રતના પ્રભાવથી સ્વર્ગલોક પામી અને
લક્ષ્મણ રામના ભાઈ તેમને પ્રાણથી પ્રિય તે પરલોકમાં ગયા. રામ એકલા રહી ગયા.
જગતને આશ્ચર્ય પમાડનાર બન્ને ભાઈ બળભદ્ર નારાયણ કર્મના ઉદયથી જુદા પડી ગયા.
શ્રી રામ, હળ મૂશળના ધારક મહાબલી બળદેવે વાસુદેવના વિયોગથી જિનદેવની દીક્ષા
અંગીકાર કરી. રાજ્ય અવસ્થામાં શસ્ત્રોથી સર્વત્ર શત્રુને જીત્યા અને મુનિ થઈને મન-
ઇન્દ્રિયના વિજેતા થયા. હવે શુક્લધ્યાનથી કર્મશત્રુને જીતવા ચાહે છે, એવું જો થાય કે
મારી દેવમાયાથી કાંઈક એમનું મન મોહમાં આવે, તે શુદ્ધોપયોગથી ચ્યૂત થઈ
શુભોપયોગમાં આવી અહીં અચ્યૂત સ્વર્ગમાં આવે તો મારે ને એમને ગાઢ પ્રેમ છે તેથી હું
અને તે મેરુ નંદીશ્વરાદિકની યાત્રા કરીએ અને બાવીસ સાગર પર્યંત ભેગા રહીએ,
મિત્રતા વધારીએ અને બન્ને મળી લક્ષ્મણને જોઈએ-મળીએ. આવો વિચાર કરીને
સીતાનો જીવ પ્રતીન્દ્ર જ્યાં રામ ધ્યાનારૂઢ હતા ત્યાં આવ્યો. એમને ધ્યાનથી ભ્રષ્ટ કરવા
માટે દેવમાયા રચી. વનમાં વસંતઋતુ પ્રગટ કરી. નાના પ્રકારનાં ફૂલો ખીલ્યાં, સુગંધી
પવન વાવા લાગ્યો, પક્ષીઓ મનોહર અવાજ કરવા લાગ્યાં. ભમરા ગુંજારવ કરે છે,
કોયલ બોલે છે, મેના-પોપટ જાતજાતના અવાજ કરે છે. આંબા પર મોર આવ્યા, કામનાં
બાણ એવાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, કર્ણકારનાં

Page 650 of 660
PDF/HTML Page 671 of 681
single page version

background image
૬પ૦ એકસો બાવીસમું પર્વ પદ્મપુરાણ
વૃક્ષો ફૂલ્યાંફાલ્યાં છે તેનાથી વન પીળું બની ગયું છે, જાણે કે વસંતરાજ-ઋતુરાજ
પીતાંબર પહેરી ક્રીડા કરી રહ્યો છે, મૌલશ્રીની વર્ષા થઈ રહી છે. આવી વસંતની લીલાથી
તે પ્રતીન્દ્ર પોતે જાનકીનું રૂપ ધારણ કરી રામની સમીપે આવ્યો. તે મનોહર વનમાં બીજું
કોઈ મનુષ્ય નથી. ઋતુઋતુનાં જાતજાતનાં વૃક્ષો ખીલ્યાં છે, તે સમયે રામની સમીપે સીતા
સુંદરી કહેવા લાગી-હે નાથ! પૃથ્વી પર ભ્રમણ કરતાં કોઈ પુણ્યના યોગથી તમને જોયા,
વિયોગરૂપ તરંગોથી ઊછળતા સ્નેહરૂપ સમુદ્રમાં હું ડૂબું છું તો મને બચાવો, રોકો, આમ
અનેક પ્રકારે રાગનાં વચન કહ્યાં, પરંતુ મુનિ અકંપ છે. તે સીતાનો જીવ મોહના ઉદયથી
કોઈ વાર જમણી તરફ, કોઈ વાર ડાબી તરફ ફર્યા કરે છે. કામરૂપ જ્વરના યોગથી તેનું
શરીર અને તેના અતિસુંદર અધર કંપે છે. તે આ પ્રમાણે કહેવા લાગી-હે દેવ! મેં વિચાર
કર્યા વિના તમારી આજ્ઞા વિના દીક્ષા લીધી. મને વિદ્યાધરોએ ઉશ્કેરી, હવે મારું મન
તમારામાં છે. આ દીક્ષા અત્યંત વૃદ્ધોને માટે યોગ્ય છે. ક્યાં આ યૌવન અવસ્થા અને
ક્યાં આ દુર્ધર વ્રત? અત્યંત કોમળ ફૂલ દાવાનળની જ્વાળા કેવી રીતે સહન કરી શકે?
અને હજારો વિદ્યાધરોની કન્યા તમને વરવા ચાહે છે તે મને આગળ કરીને લાવી છે. તે
કહે છે કે તમારા આશ્રયે અમે બળદેવને વરીએ. તે વખતે હજારો દિવ્ય કન્યાઓ
જાતજાતનાં આભૂષણો પહેરી રાજહંસિની જેવી ચાલવાળી પ્રતીન્દ્રની વિક્રિયાથી મુનીન્દ્રની
સમીપે આવી, તે કોયલ કરતાં પણ અધિક મધુર બોલતી હતી. જાણે સાક્ષાત્ લક્ષ્મી જ
હોય એવી શોભતી હતી. તે મનને આહ્લાદ ઉપજાવે અને કાનને અમૃત સમાન લાગે
એવાં દિવ્ય ગીત ગાવા લાગી, વીણા, બંસરી, મૃદંગ બજાવવા લાગી. ભ્રમર સરખા શ્યામ
કેશ, વીજળીના ચમકારા જેવી સુકુમાર પાતળી કેડ, અતિ કઠોર ઉન્નત સ્તનવાળી સુંદર
શૃંગાર કરે, નાના, વર્ણકે વસ્ત્ર પહેરે, હાવભાવ, વિલાસ વિભ્રમ ધરતી, મુખ મલકાવતી
પોતાની કાંતિથી આકાશને વ્યાપ્ત કરતી, મુનિની ચારે બાજુ બેસીને પ્રાર્થના કરવા
લાગી-હે દેવ! અમારું રક્ષણ કરો. વળી કોઈ એકાદ પૂછતી કે હે દેવ! આ કઈ વનસ્પતિ
છે? તો બીજી કોઈ માધવી લતાના પુષ્પને પકડવાને બહાને હાથ ઊંચો કરીને પોતાનું
અંગ દેખાડવા લાગી, કોઈ ભેગી થઈને તાળી દેતી રાસમંડળ રચવા લાગી, પલ્લવ
સમાન કરવાળી કેટલીક પરસ્પર જળકેલિ કરવા લાગી. આ રીતે જાતજાતની ક્રીડા કરીને
મુનિનું મન ડગાવવાનો પ્રયત્ન કરવા લાગી. હે શ્રેણિક! જેમ પવનથી સુમેરુ ન ડગે તેમ
શ્રી રામચંદ્ર મુનિનું મન ડગ્યું નહિ. આત્મસ્વરૂપના અનુભવી રામદેવ જેમની દ્રષ્ટિ સરળ
છે, જેમનો આત્મા શુદ્ધ છે તે પરીષહરૂપ વજ્રપાતથી ન ડગ્યા, ક્ષપક શ્રેણી ચડી
શુક્લધ્યાનના પ્રથમ પાયામાં પ્રવેશ કર્યો. રામચંદ્રનો ભાવ આત્મામાં જોડાઈને અત્યંત
નિર્મળ થયો તેથી તેમનું જોર ચાલ્યું નહિ. મૂઢજન અનેક ઉપાય કરે, પણ જ્ઞાની પુરુષોનું
ચિત્ત ચળે નહિ. તે આત્મસ્વરૂપમાં એવા દ્રઢ થયા કે કોઈ પ્રકારે ડગ્યા નહિ. પ્રતીન્દ્રદેવે
માયાથી રામનું ધ્યાન ડગાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ જ ઉપાય ચાલ્યો
નહિ. તે ભગવાન પુરુષોત્તમ અનાદિકાળનાં કર્મોની વર્ગણા બાળવા તૈયાર થયા. પહેલા
પાયાના પ્રસાદથી મોહનો

Page 651 of 660
PDF/HTML Page 672 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પ૧
નાશ કરી બારમા ગુણસ્થાનમાં ચડયા. ત્યાં શુક્લધ્યાનના બીજા પાયાના પ્રસાદથી
જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો નાશ કર્યો. માઘ શુક્લ બારસની પાછલી રાત્રે
કેવળજ્ઞાન પામ્યા. ત્યારે ઇન્દ્રાદિક દેવોનાં આસન કંપ્યાં. ભગવાન રામને કેવળજ્ઞાન
ઉપજ્યાનું અવધિજ્ઞાનથી જાણીને કેવળ કલ્યાણકની પૂજા માટે આવ્યા, મહાવિભૂતિ સંયુક્ત
દેવોના સમૂહસહિત શ્રધ્ધાળુ બધા જ ઇન્દ્રો આવ્યા. ઘાતીકર્મના નાશક અર્હંત પરમેષ્ઠીને
ચારણમુનિ અને ચતુરર્નિકાયના દેવ બધા જ પ્રણામ કરવા લાગ્યા. તે ભગવાન છત્ર,
ચમર, સિંહાસનાદિથી શોભિત ત્રણ લોકથી વંદવાયોગ્ય સયોગ કેવળીની ગંધકુટિ દેવો
રચવા લાગ્યા. દિવ્ય ધ્વની ખર્યા, બધાએ શ્રવણ કર્યું, અને વારંવાર સ્તુતિ કરવા લાગ્યા,
સીતાનો જીવ સ્વયંપ્રભ નામનો પ્રતીન્દ્ર કેવળીની પૂજા કરી ત્રણ પ્રદક્ષિણા કરી વારંવાર
ક્ષમા માગવા લાગ્યો કે હે ભગવાન! મેં દુર્બુદ્ધિએ જે દોષ કર્યા છે તેને ક્ષમા કરો. ગૌતમ
સ્વામી કહે છે-હે શ્રેણિક! તે ભગવાન બળદેવ અનંત લક્ષ્મીકાંતિથી સંયુક્ત આનંદમૂર્તિ
કેવળીની ઇન્દ્રાદિક દેવો અનાદિ રીતિ-પ્રમાણ પૂજા-સ્તુતિ કરીને વિનંતી કરવા લાગ્યા.
કેવળીએ વિહાર કર્યો ત્યારે દેવો પણ ચાલવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને કેવળજ્ઞાનની ઉત્પત્તિનું
વર્ણન કરનાર એકસો બાવીસમું પર્વ પૂર્ણ થયું
* * *
એકસો તેવીસમું પર્વ
(સીતાના જીવનું નરકમાં જઈને લક્ષ્મણ અને રાવણને સંબોધન)
પછી સીતાનો જીવ પ્રતીન્દ્ર લક્ષ્મણના ગુણોને યાદ કરી જ્યાં લક્ષ્મણનો જીવ હતો
અને ખરદૂષણનો પુત્ર શંબૂક અસુરકુમાર જાતિનો દેવ હતો, ત્યાં ગયો અને તેને
સમ્યગ્જ્ઞાનનું ગ્રહણ કરાવ્યું. તે ત્રીજા નરકમાં નારકીઓને બાધા કરાવે, હિંસાનંદ
રૌદ્રધ્યાનમાં તત્પર, નારકીઓને પરસ્પર લડાવે, આગળ અસુરકુમાર ન જાય, નારકી જ
પરસ્પર લડે. જ્યાં કેટલાકને અગ્નિકુંડમાં નાખે અને નારકીઓ પોકાર પાડે. કેટલાકને
કાંટાવાળા શાલ્મલી વૃક્ષ પર ચડાવી ઘસડે છે, કેટલાકને લોઢાની મોગરીથી કૂટે છે. જે પૂર્વે
માંસાહારી પાપી હતા તેમને તેમનું જ માંસ કાપીને ખવડાવે છે અને પ્રજ્વલિત લોઢાના
ગોળા મારી મારીને તેમના મોઢામાં નાખે છે. કેટલાક મારના માર્યા ભૂમિ પર આળોટે છે,
માયામયી કૂતરાં, બિલાડાં, સિંહ, વાઘ, દુષ્ટ પક્ષીઓ તેમનું ભક્ષણ કરે છે, ત્યાં તિર્યંચ નથી,
નરકની વિક્રિયા છે. કેટલાકને શૂળીએ ચડાવે છે, વજ્રની મોગરીથી મારે છે, કેટલાકને તાંબુ
ગરમ કરી ઓગાળીને પાય છે અને કહે છે કે આ મદિરાપાનનાં ફળ છે. કેટલાકને
લાકડાંમાં બાંધીને કરવતથી ચીરે છે, કેટલાકને કુહાડીથી કાપે છે, કેટલાકને ઘાણીમાં પીલે
છે, કેટલાકની આંખો કાઢી લે છે, કેટલાકની જીભ કાઢી લે છે, દાંત તોડી નાખે છે ઈત્યાદિ

Page 652 of 660
PDF/HTML Page 673 of 681
single page version

background image
૬પર એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ
નારકીઓને અનેક દુઃખ છે. અવધિજ્ઞાનથી પ્રતીન્દ્રે નારકીઓની પીડા જોઈ શંબૂકને
સમજાવવા માટે ત્રીજી ભૂમિમાં ગયો. ત્યાં અસુરકુમાર જાતિના દેવો ક્રિડા કરતા હતા તે તો
આના તેજથી ડરી ગયા. શંબૂકને પ્રતીન્દ્રે કહ્યું-અરે પાપી, નિર્દયી, આ તેં શું માંડયું છે કે
જીવોને દુઃખ આપે છે? હે નીચ દેવ! ક્રૂર કર્મ છોડ, ક્ષમા રાખ. આ અનર્થ કરનારા કર્મથી
શો લાભ છે? આ નરકનાં દુઃખ સાંભળીને જ ભય ઉપજે છે, તું પ્રત્યક્ષ નારકીઓને પીડા
કરે છે, કરાવે છે, તેનો તને ત્રાસ નથી. પ્રતીન્દ્રનાં આ વચન સાંભળી શંબૂક શાંત થયો.
બીજા નારકી તેજ સહન કરી શક્યા નહિ, રોવા લાગ્યા અને ભાગવા લાગ્યા. ત્યારે પ્રતીન્દ્રે
કહ્યું કે હે નારકીઓ! મારાથી ડરો નહિ, જે પાપ વડે નરકમાં આવ્યા છો તેમનાથી ડરો.
પ્રતીન્દ્રે આમ કહ્યું ત્યારે તેમનામાં કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે અમે હિંસા, જૂઠું,
ચોરી, પરસ્ત્રીગમન, બહુ આરંભ-પરિગ્રહમાં પ્રવર્ત્યા હતા, રોદ્રધ્યાની થયા હતા, તેનું આ
ફળ છે. અમે ભોગોમાં આસક્ત થયા, ક્રોધાદિક તીવ્રતાથી ખોટા કર્મ કર્યાં, તેના કારણે
આવું દુઃખ પામ્યાં. જુઓ, આ સ્વર્ગલોકના દેવ પુણ્યના ઉદયથી નાના પ્રકારના વિલાસ કરે
છે. રમણીક વિમાનમાં બેસી જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જાય છે. આ પ્રમાણે નારકી
વિચારવા લાગ્યા અને શંબૂકનો જીવ જે અસુરકુમાર હતો તેને જ્ઞાન પ્રગટયું. પછી રાવણના
જીવે પ્રતીન્દ્રને પૂછયું કે તમે કોણ છો? ત્યારે તેણે બધી હકીકત કહી. તેણે કહ્યું કે હું
સીતાનો જીવ તપના પ્રભાવથી સોળમા સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો છું અને શ્રી રામચંદ્ર
મહામુનીન્દ્ર થઈ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય કર્મનો નાશ કરી કેવળી થયા
છે તે ધર્મોપદેશ આપતાં જગતને તારતાં ભરતક્ષેત્રમાં વિચરે છે, બાકીના ચાર
અઘાતીકર્મોનો અંત કરી પરમધામ પધારશે. તું વિષયવાસનાથી વિષમ ભૂમિમાં પડયો છે,
હજી પણ ચેત જેથી કૃતાર્થ થવાય. ત્યારે રાવણનો જીવ પ્રતિબોધ પામ્યો. તેને પોતાના
સ્વરૂપનું જ્ઞાન ઉપજ્યું. તેણે અશુભકર્મ બૂરાં માન્યાં, તે મનમાં વિચારવા લાગ્યો-મેં
મનુષ્યભવ પામીને અણુવ્રત, મહાવ્રત ન લીધાં તેથી આ અવસ્થા પામ્યો. અરેરે! મેં શું કર્યું
કે મને દુઃખસમુદ્રમાં નાખ્યો. આ મોહનું માહાત્મ્ય છે કે જીવ આત્મહિત કરી શકતો નથી.
રાવણ પ્રતીન્દ્રને કહે છે-હે દેવ! તમે ધન્ય છો, તમે વિષયની વાસના તજી, જિનવચનરૂપ
અમૃત પીને દેવોના નાથ થયા. ત્યારે પ્રતીન્દ્રે દયાળુ થઈને કહ્યું-તમે ડરો નહિ, ચાલો મારા
સ્થાનમાં ચાલો, એમ કહીને તેને ઊંચકવાને તૈયાર થયો ત્યાં રાવણના જીવના શરીરના
પરમાણુ વિખરાઈ ગયા, જેમ અગ્નિથી માખણ ઓગળી જાય તેમ. કોઈ પણ ઉપાયથી તેને
લઈ જવાને સમર્થ ન થયો, જેમ દર્પણમાં રહેલી છાયા પકડાતી નથી. ત્યારે રાવણના જીવે
કહ્યું-હે પ્રભો! તમે દયાળુ છો તેથી તમને દયા ઉપજે જ. પરંતુ આ જીવોએ પૂર્વે જે કર્મ
ઉપાર્જ્યાં છે તેનું ફળ તે અવશ્ય ભોગવે છે. વિષયરૂપ માંસના લોભી દુર્ગતિનું આયુષ્ય
બાંધે છે અને આયુષ્ય પર્યંત દુઃખ ભોગવે છે. આ જીવ કર્મોને આધીન છે એને દેવ શું
કરે? અમે અજ્ઞાનવશ અશુભકર્મ ઉપાર્જ્યાં છે એનું ફળ અવશ્ય ભોગવીશું, આપ અમને
છોડાવવાને સમર્થ નથી. તેથી કૃપા કરીને એવો ઉપદેશ આપો

Page 653 of 660
PDF/HTML Page 674 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પ૩
કે જેથી ફરીથી દુર્ગતિનાં દુઃખ ન મળે. હે દયાનિધે! તમે પરમઉપકારી છો. ત્યારે દેવે
કહ્યું-પરમકલ્યાણનું મૂળ સમ્યગ્જ્ઞાન છે તે જિનશાસનનું રહસ્ય છે, અવિવેકીઓને અગમ્ય
છે, ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે. આત્મા અમૂર્તિક સિદ્ધ સમાન છે તેને સમસ્ત પરદ્રવ્યોથી જુદો
જાણો. જિનધર્મના નિશ્ચય વડે આ સમ્યગ્દર્શન જે કર્મોનું નાશક અને શુદ્ધ પવિત્ર
પરમાર્થનું મૂળ છે તેને જીવોએ પ્રાપ્ત ન કર્યું તેથી અનંતભવ થયા. આ સમ્યગ્દર્શન
અભવ્યોને અપ્રાપ્ય છે, ભવ્યોને કલ્યાણરૂપ છે, જગતમાં દુર્લભ છે, સકળમાં શ્રેષ્ઠ છે.
તેથી જો તું આત્મકલ્યાણ ચાહતો હો તો તેને અંગીકાર કર, જેથી મોક્ષ પામે. તેનાથી
ચડિયાતું બીજું કાંઈ છે નહિ, થયું નથી કે થશે નહિ, એનાથી જ બધા સિદ્ધ થયા છે અને
થશે. જે અર્હંત ભગવાને જીવાદિક નવ પદાર્થ ભાખ્યા છે તેની દ્રઢ શ્રદ્ધા કરવી, તેને
સમ્યગ્દર્શન કહે છે-ઈત્યાદિ વચનોથી રાવણના જીવને પ્રતીન્દ્રે સમ્યક્ત્વ ગ્રહણ કરાવ્યું
અને તેની દશા જોઈને વિચારવા લાગ્યો કે જુઓ, રાવણના ભવમાં આની કેવી કાંતિ
હતી, અતિસુંદર લાવણ્યરૂપ શરીર હતું તે અત્યારે કેવું થઈ ગયું છે, જેવું નવું વન
અગ્નિથી બળી જાય. જેને જોઈને આખો લોક આશ્ચર્ય પામતો તે જ્યોતિ ક્યાં ગઈ?
પછી તેને કહ્યું-કર્મભૂમિમાં તમે મનુષ્ય થયા હતા ત્યારે ઇન્દ્રિયોના ક્ષુદ્ર સુખને માટે
દુરાચાર કરી આવા દુઃખરૂપ સમુદ્રમાં ડૂબ્યા. પ્રતીન્દ્રના ઉપદેશનાં વચનો સાંભળી તેનું
સમ્યગ્દર્શન દ્રઢ થયું અને મનમાં વિચારવા લાગ્યો કે કર્મોના ઉદયથી દુર્ગતિનાં દુઃખ પ્રાપ્ત
થયાં તેમને ભોગવી અહીંથી છૂટી મનુષ્યદેહ પામી જિનરાજનું શરણ ગ્રહીશ. પ્રતીન્દ્રને
તેણે કહ્યું કે-હે દેવ! તમે મારું મહાન હિત કર્યું કે મને સમ્યગ્દર્શનમાં લગાડયો. હે પ્રતીન્દ્ર
મહાભાગ્ય! હવે તમે જાવ, ત્યાં અચ્યૂત સ્વર્ગમાં ધર્મનાં ફળથી સુખ ભોગવી મનુષ્ય થઈ
શિવપુરને પ્રાપ્ત થાવ. જ્યારે તેણે આમ કહ્યું ત્યારે પ્રતીન્દ્ર તેને સમાધાનરૂપ કરી કર્મોના
ઉદયને વિચારતા થકા સમ્યગ્દ્રષ્ટિ ત્યાંથી ઉપર આવ્યા. સંસારની માયાથી જેનો આત્મા
ભયભીત છે; અર્હંત્, સિદ્ધ, સાધુ જિનધર્મના શરણમાં જેવું મન તત્પર છે તેણે ત્રણવાર
પંચમેરુની પ્રદક્ષિણા કરી, ચૈત્યાલયોનાં દર્શન કરી, નારકીઓના દુઃખોથી કંપાયમાન છે
ચિત્ત જેનું, સ્વર્ગલોકમાં પણ ભોગાવિલાષી ન થયા, જાણે કે નારકીઓના ધ્વનિ સાંભળે
છે, સોળમા સ્વર્ગના દેવને છઠ્ઠી નરક સુધી અવધિજ્ઞાનથી દેખાય છે, ત્રીજા નરકમાં
રાવણના જીવને અને શંબૂકના જીવને જે અસુરકુમાર દેવ હતો તેને સંબોધી સમ્યકત્વ
પ્રાપ્ત કરાવ્યું. હે શ્રેણિક! ઉત્તમ જીવોથી પરોપકાર બને છે. વળી તે સ્વર્ગલોકમાંથી
ભરતક્ષેત્રમાં શ્રી રામના દર્શન માટે આવ્યા, પવનથી પણ શીઘ્રગામી વિમાનમાં બેસી
અનેક દેવોને સાથે લઈ નાના પ્રકારનાં વસ્ત્રો પહેરી હાર, માળા, મુગટ વગેરેથી શોભતા
શક્તિ, ગદા, ખડ્ગ, ધનુષ, બરછી, શતર્ધ્ની ઈત્યાદિ અનેક આયુધો ધારણ કરી ગજ,
તુરંગ, સિંહ ઈત્યાદિ અનેક વાહન પર બેસી મૃદંગ, બંસરી, વીણા વગેરે વાજિંત્રોના
અવાજથી દશે દિશાઓને પૂર્ણ કરતાં કેવળી પાસે આવ્યા. દેવોના વાહન ગજ, તુરંગ,
સિંહાદિક તિર્યંચ નથી, દેવોની વિક્રિયા છે, સીતાનો જીવ પ્રતીન્દ્ર શ્રી રામને હાથ જોડી,
શિર નમાવી, વારંવાર પ્રણામ કરી સ્તુતિ કરવા

Page 654 of 660
PDF/HTML Page 675 of 681
single page version

background image
૬પ૪એકસો તેવીસમું પર્વપદ્મપુરાણ
લાગ્યો-હે સંસારસાગરના તારક! તમે ધ્યાનરૂપ પવનથી જ્ઞાનરૂપ અગ્નિ જલાવી સંસારરૂપ
વનને ભસ્મ કર્યું અને શુદ્ધ લેશ્યારૂપ ત્રિશૂળથી મોહરિપુને હણ્યો, વૈરાગ્યરૂપ વજ્રથી દ્રઢ
સ્નેહરૂપ પિંજરાના ચૂરા કર્યા. હે નાથ! હે ભવસૂદન! સંસારરૂપ વનથી જે ડરે છે તેમને
માટે તમે શરણ છો. હે સર્વજ્ઞ! કૃતકૃત્ય, જગતગુરુ, જેમણે પ્રાપ્ત કરવા યોગ્ય પદની પ્રાપ્તિ
કરી લીધી છે એવા હે પ્રભો! મારી રક્ષા કરો. મારું મન સંસારના ભ્રમણથી અત્યંત
વ્યાકુળ છે. તમે અનાદિનિધન જિનશાસનનું રહસ્ય જાણી પ્રબળ તપથી સંસારસાગરથી
પાર થયા. હે દેવાધિદેવ! આ તમને શું યોગ્ય છે કે મને ભવવનમાં તજી આપ એકલા
વિમળપદ પામ્યા? ત્યારે ભગવાને કહ્યું- હે પ્રતીન્દ્ર! તું રાગ તજ. જે વૈરાગ્યમાં તત્પર છે
તેમની જ મુક્તિ થાય છે. રાગી જીવ સંસારમાં ડૂબે છે. જેમ કોઈ શિલાને ગળે બાંધી
ભુજાઓ વડે નદીને તરી શકે નહિ તેમ રાગાદિના ભારથી ચતુર્ગતિરૂપ નદી તરી શકાય
નહિ. જે જ્ઞાન, વૈરાગ્ય, શીલ, સંતોષના ધારક છે તે જ સંસારને તરે છે. જે શ્રી ગુરુનાં
વચનથી આત્માનુભવના માર્ગમાં લાગ્યા છે તે જ ભવભ્રમણથી છૂટયા છે, બીજો ઉપાય
નથી. કોઈના લઈ જવાથી કોઈ લોકશિખરે જઈ શકે નહિ, એકમાત્ર વીતરાગભાવથી જ
જાય. આ પ્રમાણે શ્રીરામ ભગવાને સીતાના જીવને કહ્યું. આ વાત ગૌતમ સ્વામીએ રાજા
શ્રેણિકને કહી અને ઉમેર્યું કે હે નૃપ! સીતાના જીવ પ્રતીન્દ્રે જે કેવળીને પૂછયું અને એમણે
જવાબ આપ્યો તે તું સાંભળ. પ્રતીન્દ્રે પૂછયું-હે નાથ! દશરથાદિક ક્યાં ગયા અને લવ-
અંકુશ ક્યાં જશે? ત્યારે ભગવાને કહ્યું-દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા અને
જનકનો ભાઈ, કનક આ બધા તપના પ્રભાવથી તેરમા દેવલોકમાં ગયા છે, એ બધા જ
સમાન ઋદ્ધિના ધારક દેવ છે અને લવ-અંકુશ મહાભાગ્યવાન કર્મરૂપ રજથી રહિત થઈ
આ જ જન્મમાં વિમળપદને પામશે. આ પ્રમાણે કેવળીની વાણી સાંભળી ફરીથી પૂછયું-હે
પ્રભો! ભામંડળ ક્યાં ગયો? ત્યારે તેમણે કહ્યું-હે પ્રતીન્દ્ર! તારો ભાઈ રાણી સુંદરમાલિની
સહિત મુનિદાનના પ્રભાવથી દેવકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યના આયુષ્યનો ભોક્તા
ભોગભૂમિમાં થયો છે. તેના દાનની વાત સાંભળ-અયોધ્યામાં એક બહુકોટિ શેઠ કુલપતિ
રહેતો. તેની સ્ત્રીનું નામ મકરા હતું. તેને રાજાઓ જેવો પરાક્રમી પુત્ર હતો. જ્યારે
કુલપતિએ સાંભળ્‌યું કે સીતાને વનમાં મોકલી દેવામાં આવી છે ત્યારે તેણે વિચાર્યું-તે
મહાગુણવતી, શીલવતી, સુકુમાર અંગવાળી, નિર્જન વનમાં એકલી કેવી રીતે રહેશે?
ધિક્કાર છે સંસારની ચેષ્ટાને! આમ વિચારીને ચિત્તમાં દયા લાવી દ્યુતિ ભટ્ટારકની સમીપે
મુનિ થયો. તેને બે પુત્ર અશોક અને તિલક નામના હતા. આ બન્ને પણ મુનિ થયા.
દ્યુતિ ભટ્ટારક સમાધિમરણ કરી નવમી ગ્રૈવેયકમાં અહમિન્દ્ર થયા અને આ પિતા અને
બેય પુત્રો તામ્રચૂર્ણ નામના નગરમાં કેવળીની વંદના કરવા ગયા. માર્ગમાં પચાસ
યોજનની એક અટવી આવી ત્યાં ચાતુર્માસ કરીને રહ્યા. એક વૃક્ષ નીચે ત્રણે સાધુ
બિરાજ્યા, જાણે સાક્ષાત્ રત્નત્રય જ છે. ત્યાં ભામંડળ આવી ચડયો, અયોધ્યા આવતો
હતો, તેણે વિષમ વનમાં મુનિઓને જોઈ વિચાર કર્યો કે આ મહાપુરુષ જિનસૂત્રની
આજ્ઞા-પ્રમાણ નિર્જન વનમાં બિરાજ્યા છે.

Page 655 of 660
PDF/HTML Page 676 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પપ
ચોમાસામાં મુનિઓનો વિહાર થાય નહિ. હવે એ આહાર કેવી રીતે કરશે? તેથી વિદ્યાની
પ્રબળ શક્તિથી નજીકમાં એક નગર બનાવ્યું, જ્યાં બધી સામગ્રી પૂર્ણ હતી, બહાર
જાતજાતના બગીચા, સરોવર, અનાજનાં ખેતરો અને નગરમાં મોટી જનસંખ્યા, ખૂબ
સંપત્તિ ચાર મહિના પોતે પણ પરિવાર સહિત તે નગરમાં રહ્યો અને મુનિઓની વૈયાવૃત્ય
કરી. તે વન એવું હતું કે જેમાં જળ નહોતું તેથી અદ્ભુત નગર વસાવ્યું, જ્યાં
અન્નજળની બાહુલ્યતા હતી. તે નગરમાં મુનિઓનો આહાર થયો. બીજાં પણ દુઃખી અને
ભૂખ્યા પ્રાણીઓને જાતજાતનાં દાન આપ્યાં. સુંદરમાલિની રાણી સહિત પોતે મુનિઓને
અનેક વાર નિરંતરાય આહાર આપ્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. મુનિઓએ વિહાર કર્યો અને
ભામંડળ અયોધ્યા આવી ફરી પોતાના સ્થાનકે ગયો. એક દિવસ સુંદરમાલિની રાણીસહિત
તે સુખમાં સૂતો હતો તે મહેલ ઉપર વિજળી પડી. રાજા-રાણી બન્ને મરીને મુનિદાનના
પ્રભાવથી સુમેરુ પર્વતની જમણી તરફ દેવકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યનાં આયુષ્યના
ભોક્તા યુગલ ઉપજ્યાં. તે દાનના પ્રભાવથી સુખ ભોગવે છે. જે સમ્યક્ત્વરહિત છે અને
દાન કરે છે તે સુપાત્રદાનના પ્રભાવથી ઉત્તમગતિના સુખ પામે છે તેથી આ પાત્રદાન
મહાસુખનો દાતા છે. આ વાત સાંભળી ફરીથી પ્રતીન્દ્રે પૂછયું-હે નાથ! રાવણ ત્રીજી
નરકમાંથી નીકળી ક્યાં ઉત્પન્ન થશે અને હું સ્વર્ગમાંથી ચ્યવીને ક્યાં ઉપજીશ. મારા,
લક્ષ્મણના અને રાવણના કેટલા ભવ બાકી છે તે કહો.
ત્યારે સર્વજ્ઞદેવે કહ્યું-હે પ્રતીન્દ્ર સાંભળ. તે બન્ને વિજયાવતી નગરીમાં સુનંદ
નામના સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં અરહદાસ અને ઋષિદાસ નામના
પુત્ર થશે. બન્ને ભાઈ ગુણવાન, નિર્મળ મનવાળા, ઉત્તમ ક્રિયાના રક્ષક શ્રાવકનાં વ્રત
આરાધી સમાધિમરણ કરી જિનરાજનું ધ્યાન ધરી સ્વર્ગમાં દેવ થશે. ત્યાં સાગરો પર્યંત
સુખ ભોગવી સ્વર્ગમાંથી ચ્યવી તે જ નગરમાં મોટા કુળમાં જન્મ લેશે. તે મુનિઓને દાન
આપી મધ્યમ ભોગભૂમિ હરિક્ષેત્રમાં યુગલિયા થઈ બે પલ્યનું આયુષ્ય ભોગવી સ્વર્ગમાં
જશે. પછી તે જ નગરીમાં રાજા કુમારકીર્તિ અને રાણી લક્ષ્મીના જયકાંત અને જયપ્રભ
નામના પરાક્રમી પુત્રો થશે. પછી તપથી સાતમા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. દેવલોકનાં સુખ
ભોગવશે અને તું સોળમાં અચ્યૂત સ્વર્ગમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં રત્નસ્થળપુર
નગરમાં ચૌદ રત્નનો સ્વામી, છ ખંડ પૃથ્વીનો સ્વામી, ચક્ર નામનો ચક્રવર્તી થઈશ ત્યારે
તે સાતમા સ્વર્ગમાંથી ચ્યવીને તારા પુત્રો થશે. રાવણના જીવનું નામ ઇન્દ્રસ્થ અને
વાસુદેવના જીવનું નામ મેઘરથ. બન્ને મહાન ધર્માત્મા થશે. તેમના વચ્ચે પરસ્પર ગાઢ
સ્નેહ થશે. અને તારો તેમના પ્રત્યે ઊંડો સ્નેહ થશે. રાવણે નીતિથી ત્રણ ખંડ પૃથ્વીનું
અખંડ રાજ્ય કર્યું હતું અને જન્મપર્યંત એ પ્રતિજ્ઞા નિભાવી હતી કે જે પરસ્ત્રી મને નહિ
ઈચ્છે તેને નહિ સેવું તેથી રાવણનો જીવ ઇન્દ્રરથ ધર્માત્મા કેટલાક શ્રેષ્ઠ ભવ ધરી તીર્થંકર
દેવ થશે, ત્રણ લોક તેને પૂજશે એ તું ચક્રવર્તી રાજ્યપદ તજી મુનિવ્રતધારી થઈ
પંચોત્તરમાં વૈજયંત નામના વિમાનમાં તપના પ્રભાવથી અહમિન્દ્ર થઈશ. ત્યાંથી ચ્યવી
રાવણના જીવ તીર્થંકરના પ્રથમ

Page 656 of 660
PDF/HTML Page 677 of 681
single page version

background image
૬પ૬ એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ
ગણધર થઈ નિર્વાણપદ પામીશ. પ્રતીન્દ્ર આ કથા ભગવાન રામના મુખે સાંભળી અત્યંત
હર્ષ પામ્યો. પછી સર્વજ્ઞદેવે કહ્યું-હે પ્રતીન્દ્ર! તારા ચક્રવર્તીપદનો બીજો પુત્ર મેઘરથ કેટલાક
ઉત્તમ ભવ કરીને પુષ્કરદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં શતપત્ર નામના નગરમાં પંચકલ્યાણકના
ધારક તીર્થંકરદેવ ચક્રવર્તીપદ ધરીને થશે. તે સંસારનો ત્યાગ કરી કેવળજ્ઞાન ઉપજાવીને
અનેકોને તારશે અને પોતે પરમધામ પધારશે. આ તને વાસુદેવના ભવ કહ્યા. હું હવે
સાત વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી લોકશિખરે જઈશ, જ્યાંથી ફરી આવવાનું નથી. જ્યાં
અનેક તીર્થંકરો ગયા અને જશે, જ્યાં અનંત કેવળી પહોંચ્યા, જ્યાં ઋષભાદિ ભરતાદિ
બિરાજે છે તે અવિનાશીપુર ત્રિલોકના શિખરે અનંત સિદ્ધો છે, ત્યાં હું રહીશ. આ વચન
સાંભળી પ્રતીન્દ્ર પદ્મનાભ શ્રી રામચંદ્ર સર્વજ્ઞ વીતરાગને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો.
તેણે મધ્યલોકનાં સર્વ તીર્થોની વંદના કરી, ભગવાનનાં કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો અને
નિર્વાણક્ષેત્રોની સર્વત્ર પૂજા કરી અને નંદીશ્વરદ્વીપમાં અંજનગિરિ, દધિમુખ રતિકર
ચૈત્યાલયોની મહાન વિધાનથી અષ્ટાહ્નિકાની પૂજા કરી. દેવાધિદેવ શ્રી અરિહંત સિદ્ધનું
ધ્યાન કર્યું. કેવળીનાં આ વચન સાંભળી એવો નિશ્ચય થયો કે હું કેવળી થઈ ગયો, અલ્પ
ભવ છે. ભાઈના સ્નેહથી ભોગભૂમિમાં જ્યાં ભામંડળનો જીવ છે ત્યાં તેને જોયો અને
તેને કલ્યાણનો ઉપદેશ કર્યો. પછી પોતાના સ્થાન સોળમા સ્વર્ગમાં ગયો, જ્યાં હજારો
દેવાંગનાઓ સાથે માનસિક ભોગ ભોગવવા લાગ્યો. શ્રી રામચંદ્રજી સત્તર હજાર વર્ષનું
આયુષ્ય, સોળ ધનુષ્યની ઊંચી કાયા ધરાવતા હતા તે કેટલાક જન્મનાં પાપોથી રહિત
થઈ સિદ્ધ થયા. તે પ્રભુ ભવ્ય જીવોનું કલ્યાણ કરો. તે જન્મ, જરા, મરણરૂપ મહારિપુને
જીતીને પરમાત્મા થયા. જેમનો મહિમા જિનશાસનમાં પ્રગટ છે તે જન્મ, જરા, મરણનો
વિચ્છેદ કરી અખંડ અવિનાશી પરમ અતીન્દ્રિય સુખ પામ્યા, સુર, અસુર મુનિવરોના
અધિપતિઓથી સેવવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, દોષોના વિનાશક પચ્ચીસ વર્ષ તપ
કરી, મુનિવ્રત પાળી કેવળી થયા તે આયુષ્યપર્યંત કેવળી દશામાં ભવ્યોને ધર્મોપદેશ દઈ
ત્રણ લોકના શિખર પર જે સિદ્ધપદ છે ત્યાં સિધાવ્યા.
સિદ્ધપદ સકળ જીવોનું તિલક છે, રામ સિદ્ધ થયા, તમે રામને મસ્તક નમાવી
નમસ્કાર કરો. રામ સુર, નર મુનિઓ દ્વારા આરાધવા યોગ્ય છે, જેમના શુદ્ધ ભાવ છે,
સંસારનાં કારણ રાગદ્વેષમોહાદિકથી રહિત છે, પરમ સમાધિનું કારણ છે, મહામનોહર છે,
જેમણે પોતાના પ્રતાપથી તરુણ સૂર્યના તેજને જીતી લીધું છે અને તેમના જેવી કાંતિ
શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રમામાં નથી, સર્વ ઉપમારહિત અનુપમ વસ્તુ છે. આત્મસ્વરૂપમાં
આરૂઢ, જેમનું ચિત્ર શ્રેષ્ઠ છે એવા શ્રી રામ યતીશ્વરોના ઈશ્વર, દેવોના અધિપતિ
પ્રતીન્દ્રની માયાથી મોહિત ન થયા. જીવોના હિતુ, પરમઋદ્ધિથી યુક્ત, આઠમા બળદેવ,
અનંતવીર્યના ધારી, અતુલ મહિમામંડિત, નિર્વિકાર, અઢાર દોષરહિત, અઢાર હજાર
શીલના ભેદથી પૂર્ણ, અતિ ઉદાર, અતિ ગંભીર, જ્ઞાનદીપક, જેમનો પ્રકાશ ત્રણ લોકમાં
પ્રગટ છે, આઠ કર્મને બાળનાર ગુણોના સાગર ક્ષોભરહિત સુમેરુ જેવા અચળ, ધર્મના
મૂળ, કષાયરૂપ રિપુના નાશક, સમસ્ત વિકલ્પ રહિત, નિર્દ્વંદ્વ, જિનેન્દ્ર શાસનનું

Page 657 of 660
PDF/HTML Page 678 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પ૭
રહસ્ય પામીને અંતરાત્મામાંથી પરમાત્મા થયા, તેમણે ત્રૈલોક્યપૂજ્ય પરમેશ્વરપદ મેળવ્યું,
તેમની તમે પૂજા કરો. જેમણે કર્મરૂપ મળ ધોઈ નાખ્યા છે, કેવળજ્ઞાન, કેવળદર્શનમય,
યોગીશ્વરોના નાથ, સર્વ દુઃખોને મટાડનાર, મન્મથને મથનાર તેમને પ્રણામ કરો. આ શ્રી
બળદેવનું ચરિત્ર મહામનોજ્ઞ છે તેને જે ભાવ ધરીને વાંચશે, સાંભળશે, શીખશે, શીખવશે,
શંકારહિત થઈને અત્યંત હર્ષપૂર્વક રામની કથાનો અભ્યાસ કરશે તેમના પુણ્યની વૃદ્ધિ થશે
અને વેરી હાથમાં ખડ્ગ લઈને મારવા આવ્યો હોય તે શાંત થઈ જશે. આ ગ્રંથના
શ્રવણથી ધર્મના અર્થી ઈષ્ટ ધર્મ પામે છે, યશના અર્થી યશ પામે છે, રાજ્યભ્રષ્ટ થયા
હોય તે રાજ્યકામનાવાળાને રાજ્ય મળે છે, એમાં સંદેહ નથી. ઈષ્ટસંયોગના અર્થી
ઈષ્ટસંયોગ મેળવે, ધનના ઈચ્છક ધન મેળવે, વિજયના ઈચ્છક વિજય મેળવે, સ્ત્રીના
ઈચ્છક સ્ત્રી પામે, લાભના અર્થી લાભ પામે, સુખના અર્થી સુખ પામે ને કોઈના પ્રિયજન
વિદેશ ગયા હોય અને તેના આવવા માટે આકુળતા સેવતા હોય તો તે સુખેથી ઘરે આવે.
મનમાં જે અભિલાષા હોય તે જ સિદ્ધ થાય, સર્વ વ્યાધિ શાંત થાય, ગ્રામના, નગરના,
વનના, જળના દેવ પ્રસન્ન થાય અને નવ ગ્રહોની બાધા ન થાય, ક્રૂર ગ્રહો શાંત થઈ
જાય. જે પાપ ચિંતવનમાંય ન આવે તે ક્ષય પામે અને સકળ અકલ્યાણ રામની કથાથી
ક્ષય પામે. જેટલા મનોરથો હોય છે તે બધાં રામકથાના પ્રસાદથી પ્રાપ્ત થાય,
વીતરાગભાવ દ્રઢ થાય તેનાથી હજારો ભવનાં ઉપર્જેલાં પાપોને પ્રાણી દૂર કરે, કષ્ટરૂપ
સમુદ્રને તરીને શીઘ્ર જ સિદ્ધપદ પ્રાપ્ત કરે. આ ગ્રંથ મહાપવિત્ર છે, જીવોને સમાધિ
ઉપજાવવાનું કારણ છે. જુદા જુદા જન્મમાં જીવે મહાકલેશના કારણ પાપ ઉપાર્જ્યાં હોય
તેમનો નાશ કરે છે અને અનેક પ્રકારનાં આખ્યાનોથી સહિત છે. જે મોટા પુરુષોની કથા
છે તે ભવ્યજીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરે છે, સકળ લોકથી નમસ્કાર કરવા યોગ્ય છે.
શ્રી વર્ધમાન ભગવાને ગૌતમને અને ગૌતમે શ્રેણિકને કહ્યું તે જ પ્રમાણે કેવળી,
શ્રુતકેવળી કહેતા હતા. રામચંદ્રનું ચરિત્ર સાધુઓની વૃદ્ધિનું કારણ, સર્વોત્તમ, મહામંગળરૂપ
મુનિઓની પરિપાટીથી પ્રગટ થતું રહ્યું, જેમાં સુંદર વચનો છે, સમીચીન અને અતિ
અદ્ભુત, ઇન્દ્રગુરુ નામના મુનિ, તેમના શિષ્ય દિવાકરસેન, તેમના શિષ્ય લક્ષ્મણસેન
તેમના શિષ્ય રવિષેણ, તેમણે જિન-આજ્ઞાનુસાર કહ્યું છે. આ રામનું પુરાણ સમ્યગ્દર્શનની
સિદ્ધિનું કારણ, મહાકલ્યાણ કરનાર, નિર્મળ જ્ઞાન આપનાર, વિચક્ષણ જીવોએ નિરંતર
સાંભળવા યોગ્ય છે. અતુલ પરાક્રમી અદ્ભુત આચરણના ધારક, મહાસુકૃતિ,
દશરથનંદનનો મહિમા ક્યાં સુધી કહું? આ ગ્રંથમાં બળભદ્ર નારાયણ અને પ્રતિનારાયણનું
વિસ્તારરૂપ ચરિત્ર છે. જે આમાં બુદ્ધિ જોડશે તે અકલ્યાણરૂપ પાપોનો ત્યાગ કરી શિવ
એટલે કે મુક્તિને પોતાની કરશે. જીવ વિષયની વાંછાથી અકલ્યાણ પામે છે.
વિષયાભિલાષા કદી પણ શાંતિનું કારણ નથી. જુઓ, વિદ્યાધરોનો અધિપતિ રાવણ
પરસ્ત્રીની અભિલાષાથી કષ્ટ પામ્યો, કામના રાગથી હણાયો. આવા પુરુષોની જો આ દશા
હોય તો બીજાં પ્રાણીઓ વિષયવાસનાથી કેવી રીતે સુખ પામે? રાવણ હજારો સ્ત્રીઓથી
મંડિત સુખ ભોગવતો હતો તે તૃપ્ત

Page 658 of 660
PDF/HTML Page 679 of 681
single page version

background image
૬પ૮ એકસો તેવીસમું પર્વ પદ્મપુરાણ
ન થયો, તેણે પરદારાની કામના કરી અને વિનાશ પામ્યો. આ વ્યસનોથી જીવ કેવી રીતે
સુખી થાય? જે પાપી પરસ્ત્રીનું સેવન કરે તે કષ્ટસાગરમાં પડે અને શ્રી રામચંદ્ર
મહાશીલવાન, પરદારા-પરાઙમુખ, જિનશાસનના ભક્ત ધર્માનુરાગી ઘણો કાળ, રાજ્ય
ભોગવી સંસારને અસાર જાણી, વીતરાગના માર્ગમાં પ્રવર્ત્યા, પરમપદ પામ્યા. બીજાઓ પણ
જે વીતરાગના માર્ગે પ્રવર્તશે તે શિવપુર પહોંચશે. તેથી જે ભવ્ય જીવ છે તે જિનમાર્ગની દ્રઢ
પ્રતીતિ કરીને પોતાની શક્તિ પ્રમાણે વ્રતનું આચરણ કરો. જો પૂર્ણ શક્તિ હોય તો મુનિ
થાવ અને ન્યૂન શક્તિ હોય તો અણુવ્રતના ધારક શ્રાવક થાવ. આ પ્રાણી ધર્મના ફળથી
સ્વર્ગમોક્ષનાં સુખ પામે છે અને પાપના ફળથી નરક નિગોદનાં ફળ પામે છે, એમ નિઃસંદેહ
જાણો. અનાદિકાળની આ જ રીત છે-ધર્મ સુખદાયક અને અધર્મ દુઃખદાયક છે, પાપ કોને
કહેવાય અને પુણ્ય કોને કહેવાય તે હૃદયમાં નક્કી કરો. ધર્મના જેટલા ભેદ છે તેમાં સમ્યક્ત્વ
મુખ્ય છે અને જેટલા પાપના ભેદ છે તેમાં મિથ્યાત્વ મુખ્ય છે. તે મિથ્યાત્વ એટલે શું?
અતત્ત્વની શ્રદ્ધા અને કુદેવ, કુગુરુ, કુધર્મનું આરાધન, પરજીવને પીડા પહોંચાડવી. ક્રોધ, માન,
માયા, લોભની તીવ્રતા, પાંચ ઈન્દ્રિયોના વિષય, સાત વ્યસનનું સેવન, મિત્રદ્રોહ,કૃતઘ્નપણું,
વિશ્વાસઘાત, અભક્ષ્યભક્ષણ, અગમ્યવિષગમન, મર્મચ્છેદક વચન, દુર્જનતા ઈત્યાદિ પાપના
અનેક ભેદ છે તે બધા છોડવા. દયા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શીલ પાળવું,
તૃષ્ણા છોડવી, કામલોભ તજવા, શાસ્ત્રનો અભ્યાસ કરવો, કોઈને કુવચન ન કહેવા, ગર્વ ન
કરવો, પ્રપંચ ન કરવો, અદેખા ન થવું, શાંતભાવ રાખવા, પરઉપકાર કરવો, પરદારા,
પરધન, પરદ્રોહ તજવા, પરપીડાનાં વચન ન કહેવાં; બહુ આરંભ, બહુ પરિગ્રહનો ત્યાગ
કરવો, દાન દેવું, તપ કરવું, પરદુઃખહરણ ઈત્યાદિ જે અનેક પુણ્યોના ભેદ છે તે અંગીકાર
કરવા. હે પ્રાણીઓ! શુભ સુખદાતા છે અને અશુભ દુઃખદાતા છે, દારિધ્રય, દુઃખ, રોગ, પીડા,
અપમાન, દુર્ગતિ આ બધાં અશુભના ઉદયથી થાય છે. સુખ, સંપત્તિ, સુગતિ એ બધાં
શુભના ઉદયથી થાય છે. શુભ-અશુભ જ સુખદુઃખનાં કારણ છે. કોઈ દેવ, દાનવ, માનવ,
સુખદુઃખના દાતા નથી. પોતપોતાનાં ઉપાર્જેલાં કર્મના ફળ બધા ભોગવે છે. બધા જીવો પ્રત્યે
મૈત્રી રાખવી, કોઈ પ્રત્યે વેર ન રાખવું, કોઈને દુઃખ ન દેવું, બધા જ સુખી થાય એવી
ભાવના મનમાં રાખવી. પ્રથમ અશુભને તજી શુભમાં આવવું. પછી શુભાશુભથી રહિત થઈ
શુદ્ધપદને પ્રાપ્ત થવું. ઘણું કહેવાથી શો લાભ? આ પુરાણનું શ્રવણ કરીને એક શુદ્ધ
સિદ્ધપદમાં આરૂઢ થવું, તેના ભેદ, કર્મોનો વિલય કરી આનંદરૂપ રહેવું. હે પંડિતો!
પરમપદના ઉપાય નિશ્ચયથી જિનશાસનમાં કહ્યા છે, તે પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરો
જેથી ભવસાગરથી પાર થાવ. આ શાસ્ત્ર અતિમનોહર, જીવોને શુદ્ધતા આપનાર, રવિ
સમાન સકળ વસ્તુનું પ્રકાશક છે તે સાંભળીને પરમાનંદ સ્વરૂપમાં મગ્ન થાવ. સંસાર અસાર
છે, જિનધર્મ સાર છે, જેનાથી સિદ્ધપદ પામીએ છીએ, સિદ્ધપદ સમાન બીજો પદાર્થ નથી.
જ્યારે શ્રી ભગવાન ત્રણ લોકના સૂર્ય વર્દ્ધમાન દેવાધિદેવ સિદ્ધલોકમાં સિધાવ્યા ત્યારે ચોથા
કાળનાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતાં. ભગવાન મુક્ત થયા પછી
પંચમકાળમાં ત્રણ કેવળી અને પાંચ શ્રુતકેવળી થયા તેથી ત્યાં સુધી તો પુરાણ પૂર્ણ

Page 659 of 660
PDF/HTML Page 680 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેવીસમું પર્વ ૬પ૯
રહ્યું. જેવું ભગવાને ગૌતમ ગણધરને કહ્યું અને ગૌતમે શ્રેણિકને કહ્યું તેવું શ્રુતકેવળીએ
કહ્યું. શ્રી મહાવીર પછી બાસઠ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું અને કેવળી પછી સો વર્ષ સુધી
શ્રુતકેવળી રહ્યા. પાંચમા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીની પછી કાળના દોષથી જ્ઞાન
ઘટતું ગયું ત્યારે પુરાણનો વિસ્તાર ઘટતો ગયો. શ્રી ભગવાન મહાવીરને મુક્તિ પધાર્યા
પછી બારસો સાડા ત્રણ વર્ષ થયાં ત્યારે રવિષેણાચાર્યે અઢાર હજાર અનુષ્ટુપ શ્લોકોમાં
વ્યાખ્યાન કર્યું. આ રામનું ચરિત્ર સમ્યક્ત્વ-ચારિત્રનું કારણ કેવળી શ્રુતકેવળી પ્રણીત સદા
પૃથ્વી પર પ્રકાશ કરો. જિનશાસનના સેવક દેવો જિનભક્તિપરાયણ જિનધર્મી જીવોની
સેવા કરે છે. જે જિનમાર્ગના ભક્ત છે તેમની પાસે બધા સમ્યગ્દ્રષ્ટિ દેવો આવે છે,
નાનાવિધ સેવા કરે છે, અતિ આદરપૂર્વક સર્વ ઉપાયોથી આપદામાં સહાય કરે છે,
અનાદિકાળથી સમ્યગ્દ્રષ્ટિ દેવોની આવી જ રીત છે. જૈનશાસ્ત્ર અનાદિ છે, કોઈએ કર્યા
નથી, વ્યંજન, સ્વર બધું અનાદિસિદ્ધ છે, રવિષેણાચાર્ય કહે છે કે મે કાંઈ કર્યું નથી. શબ્દ,
અર્થ, અકૃત્રિમ છે, અલંકાર-શબ્દ-આગમ નિર્મળચિત્ત થઈને સારી રીતે જાણવા. આ
ગ્રંથમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ છે. અઢાર હજાર ત્રેવીસ શ્લોક પ્રમાણ
પદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથ છે, એના ઉપર આ ભાષા વચનિકા થઈ તે જયવંત વર્તો,
જિનધર્મની વૃદ્ધિ થાવ, રાજા-પ્રજા સુખી થાવ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાની ગુજરાતી અનુવાદમાં શ્રી રામની મોક્ષપ્રાપ્તિનું વર્ણન
કરનાર એકસો ત્રેવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *