PDF/HTML Page 3521 of 4199
single page version
અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન છું એમ નિજ ચૈતન્યસત્તાનો જે અંદર સ્વામી થયો તે ભલે બહાર રાજપાટમાં પડયો હોય, છતાં જ્ઞાનચેતનાનો તેને નિરંતર સદ્ભાવ છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી તેને દયા, દાન, પૂજા આદિના ને રાજકાજના ભાવ આવે તે કર્મચેતના છે. છતાં જ્ઞાનચેતનાને મુખ્ય ગણી, કર્મચેતનાને ગૌણ કરી તે નથી એમ કહેવામાં આવ્યું છે. સમકિતીને (પુણ્ય-પાપનું) પરિણમન છે, પણ એનું સ્વામિત્વ નથી. બહારમાં ક્યાંય કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ કરતો નથી. આવી વાત!
અરે ભાઈ! ચારગતિ ને ચોરાસીના અવતારમાં રઝળી-રઝળીને તેં પારાવાર દુઃખ ભોગવ્યાં છે. તારા દુઃખની શું વાત કરીએ? એ દુઃખના જોનારાઓને આંખમાં આંસુ આવી જાય એવા નરક-નિગોદનાં અકથ્ય દુઃખ તેં મિથ્યા-શ્રદ્ધાનના ફળમાં ભોગવ્યાં છે. એ મિથ્યાશ્રદ્ધાન છૂટીને સમ્યક્ શ્રદ્ધાન થાય એ મહા અલૌકિક ચીજ છે. અને પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને તો ઓર કોઈ આનંદની અલૌકિક દશા પ્રગટ થાય છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાની સહજ અદ્ભુત ઉદાસીન અવસ્થા તેને પ્રગટ થઈ હોય છે. અહો! એ કેવી અંતરદશા!
હવે કહે છે- ‘અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.
-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ- જુઓ, ભૂતકાળના પુણ્ય-પાપના ભાવનું મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે. શું કીધું? દયા, દાન આદિ જે શુભ કે અશુભ વિકલ્પ છે તેનાથી પાછો ફરીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તે આત્મા પ્રતિક્રમણ છે. હું તો એક જ્ઞાતા-દ્રષ્ટા આતમરામ-એમ અંતર એકાગ્ર થઈ સ્વરૂપમાં લીન થઈ રમણતા કરે તેને પ્રતિક્રમણ કહીએ અહો! આવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ-મરણનો અંત કરનારું છે. અનંત અનંત ભૂતકાળ વીતી ગયો તેમાં જે પુણ્ય-પાપના ભાવ થયા તેનાં પ્રત્યેનું મમત્વ છોડે કે-તે ભાવ હું નહિ, હું તો જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ પ્રભુ છું-એમ જાણી તેમાં જ અંતર્લીન રમે તેને ભગવાન જિનેન્દ્રદેવે પ્રતિક્રમણ કહ્યું છે.
ભવિષ્યનાં કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એનું નામ પ્રત્યાખ્યાન એટલે પચખાણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ તથા હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભભાવ કરવા નહિ એવી પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં રમવું તેનું નામ પ્રત્યાખ્યાન છે.
PDF/HTML Page 3522 of 4199
single page version
ભવિષ્યનાં શુભાશુભ કર્મ મને ન જોઈએ, મારે તો એક સ્વરૂપમાં જ ઠરવું છે-એમ પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં લીનતા-રમણતા કરે તેને પ્રત્યાખ્યાન કહે છે.
વર્તમાનમાં ઉદયમાં આવેલું જે કર્મ તેનું જે મમત્વ છોડે છે તે આત્મા આલોચના છે. નિજ જ્ઞાનાનંદ-પરમાનંદમય સ્વરૂપને જાણીને તેમાં જ લીન થઈ જાય તે સંવર છે, આલોચના છે. હવે આમાં લોકોને લાગે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. હા, નિશ્ચયની વાતો છે; પણ નિશ્ચય એટલે સત્યાર્થ છે. આવું નિશ્ચય ચારિત્ર હોય ત્યાં પ્રતિક્રમણાદિનો જે શુભભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણાદિ કહીએ, પણ એ છે તો પુણ્યબંધનનું જ કારણ, એ કાંઈ મોક્ષમાર્ગ નથી, અને આ જે નિશ્ચય પ્રતિક્રમણાદિ છે તે સંવર છે, નિર્જરાનું કારણ છે અને તે મોક્ષનો મારગ છે.
આ સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય-પાપના ભાવ છૂટી જાય તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય-પાપથી છૂટવું, ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને ભગવાન ચારિત્ર કહે છે.
સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. આવા ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે. આવું ચારિત્ર મુનિરાજોને નિરંતર હોય છે. પંચમહાવ્રતના પરિણામ તે ચારિત્ર-એમ નહિ; સ્વરૂપની રમણતા તે ચારિત્ર, અને તે મુનિરાજને નિરંતર હોય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
PDF/HTML Page 3523 of 4199
single page version
तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं।। ३८३।।
कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं ।
तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा।। ३८४।।
जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं ।
तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा।। ३८५।।
णिच्चं पच्चक्खाणं कुव्वदि णिच्चं पडिक्कमदि जो य ।
णिच्चं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा।। ३८६।।
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. -આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ-
તેથી નિવર્તે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩.
શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે,
તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪.
શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે,
તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮પ.
પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે,
નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
PDF/HTML Page 3524 of 4199
single page version
तस्मान्निवर्तते यः प्रत्याख्यानं भवति चेतयिता।। ३८४।।
यच्छुभमशुभमुदीर्ण सम्प्रति चानेकविस्तरविशेषम् ।
तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता।। ३८५।।
नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च
ગાથાર્થઃ– [पूर्वकृतं] પૂર્વે કરેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्] અનેક પ્રકારના વિસ્તારવાળું [शुभाशुभम् कर्म] (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ [तस्मात्] તેનાથી [यः] જે આત્મા [आत्मानं तु] પોતાને [निवर्तयति] *નિવર્તાવે છે, [सः] તે આત્મા [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.
[भविष्यत्] ભવિષ્ય કાળનું [यत्] જે [शुभम् अशुभम् कर्म] શુભ-અશુભ કર્મ [यस्मिन् भावे च] તે જે ભાવમાં [बध्यते] બંધાય છે [तस्मात्] તે ભાવથી [यः] જે આત્મા [निवर्तते] નિવર્તે છે, [सः चेतयिता] તે આત્મા [प्रत्याख्यानं भवति] પ્રત્યાખ્યાન છે.
[सम्प्रति च] વર્તમાન કાળે [उदीर्ण] ઉદયમાં આવેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्] અનેક પ્રકારના વિસ્તારવાળું [शुभम् अशुभम्] શુભ-અશુભ કર્મ [तं दोषं] તે દોષને [यः] જે આત્મા [चेतयते] ચેતે છે-અનુભવે છે-જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છોડે છે), [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [आलोचनम्] આલોચના છે.
[यः] જે [नित्यं] સદા [प्रत्याख्यानं करोति] પ્રત્યાખ્યાન કરે છે, [नित्यं प्रतिक्रामति च] સદા પ્રતિક્રમણ કરે છે અને [नित्यम् आलोचयति] સદા આલોચના કરે છે, [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [चरित्रं भवति] ચારિત્ર છે.
ટીકાઃ– જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે; તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને _________________________________________________________________ * નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.
PDF/HTML Page 3525 of 4199
single page version
प्रकाशते ज्ञानमतीव शुद्धम्।
अज्ञानसञ्चेतनया तु धावन्
बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। २२४।।
પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો; આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ- જ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને- ચેતતો (અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.
ભાવાર્થઃ– ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [नित्यं ज्ञानस्य सञ्चेतनया एव ज्ञानम् अतीव शुद्धम् प्रकाशते] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [तु] અને [अज्ञानसञ्चेतनया] અજ્ઞાનની સંચેતનાથી [बन्धः धावन्] બંધ દોડતો થકો [बोधस्य शुद्धिं निरुणद्धि] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
PDF/HTML Page 3526 of 4199
single page version
ભાવાર્થઃ– કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (- કર્મ અને કર્મફળ તરફ જ-) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ૨૨૪.
-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ-
‘જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને (ભૂતકાળના કર્મને) પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે;...’
જુઓ, અહીં એમ સિદ્ધ કરવું છે કે વર્તમાન દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ થાય તે દોષ છે, તે આત્માની દશા નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્યાર્થ છે. શું? કે છ કાયાના જીવોની રક્ષાના પરિણામ ને પાંચ મહાવ્રત પાળવાના પરિણામ થાય તે દોષ છે, ગુણ નથી. એ દોષથી ખસીને નિજ અંતરસ્વરૂપમાં- જ્ઞાનાનંદસ્વરૂપમાં રમે તેને ચારિત્ર કહીએ. હવે આવો વીતરાગનો અનાદિનો સનાતન ધર્મ છે.
અહાહા...! ભગવાન આત્મા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રકાશ ને વીતરાગના સ્વભાવથી અંદર પૂરણ ભરેલો પ્રભુ છે. અંદર પૂરણ સ્વભાવ ન ભર્યો હોય તો અરિહંત અને સિદ્ધદશા પ્રગટે કયાંથી? પણ એને આ બેસવું કઠણ પડે છે. અંદર વિશ્વાસ આવવો એ દુર્લભ ચીજ છે; અશકય નથી પણ સમ્યગ્દર્શન થવું એ દુર્લભ તો અવશ્ય છે; કેમકે હું કોણ છું? -એનો એણે કોઈ દિ’ વિચાર જ કર્યો નથી.
અહીં કહે છે-પુદ્ગલકર્મના વિપાકથી થતા ભાવોથી જે પોતાને નિવર્તાવે છે. તે આત્મા પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જે પ્રતિક્રમણ છે. આઠ કર્મ છે તે જડ માટી ધૂળ છે, રજ છે. લોગસ્સમાં આવે છે ને કે- ‘વિહુયરયમલા’ -અર્થાત્ ભગવાન
PDF/HTML Page 3527 of 4199
single page version
અહીં કહે છે-પૂર્વનું બંધાયેલું કર્મ પડયું છે એનો ઉદય આવતાં થતા પુણ્ય-પાપના જે ભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જ પ્રતિક્રમણ છે. અહા! જૈન પરમેશ્વરની દિવ્ય દેશનામાં આવેલું તત્ત્વ જે અહીં દિગંબર સંતો આડતિયા થઈને જાહેર કરે છે કે તે આ છે ભાઈ! રુચે એવું છે, તને રુચે તો લે. કહે છે-પૂર્વ બાંધેલાં કર્મ છે તેના ઉદયના નિમિત્તે થતા જે શુભ- અશુભભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે અર્થાત્ તે શુભાશુભ ભાવને જે છોડે છે અને અંદર નિજસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમતો થકો પોતે જે પ્રતિક્રમણ છે.
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ શુભ છે, ને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિના ભાવ અશુભ છે. તે ભાવો બધા પૂર્વકર્મના ઉદયના નિમિત્તે થયેલા ભાવો છે. સ્વસ્વરૂપમાં રમણતા દ્વારા તે વિકારી ભાવોથી જે આત્મા પાછો ફરે છે તે, તે ભાવના કારણભૂત પૂર્વકર્મથી પાછો ફરે છે. આનું નામ પ્રતિક્રમણ છે. અહાહા...! સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ દ્વારા જે પુણ્ય-પાપના ભાવોથી નિવર્તે છે તે તે ભાવોના કારણભૂત પૂર્વકર્મથી નિવર્તે છે અને એને ભૂતકાળના કર્મથી પ્રતિક્રમ્યો-પાછો ફર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...! અહાહા...! એકેક શબ્દે કેટલું ભર્યું છે!
ભાઈ! જિંદગી ચાલી જાય છે હોં. અત્યારે (આ અવસરમાં) આ સમજવાનું કરવાનું છે. બાકી આ દેહના ભરોસે રહેવા જેવું નથી. જોતજોતામાં આ છાતીનાં પાટિયાં ભીંસાઈ જશે અને ક્ષણમાં હાર્ટફેલ થઈ જશે. આ દેહ ક્ષણમાં જ ફૂ થઈને ઉડી જશે. માટે જાગ ભાઈ જાગ! દેહ છૂટી જાય તે પહેલાં સમજણ કરી લે. સ્વસ્વરૂપની સમજણ કરી હશે તો કલ્યાણ થશે, નહિ તો મરીને ક્યાં જઈશ ભાઈ! ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ, ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
અહાહા...! આત્મા શુભાશુભ ભાવથી ખસીને અતીન્દ્રિય ઉગ્ર આનંદની દશામાં આવ્યો તે પોતે જ પ્રતિક્રમણ છે. પુણ્ય અને પાપના બન્ને ભાવ દુઃખ અને આકુળતા છે. તેનાથી છૂટીને અનાકુળ આનંદસ્વરૂપમાં-નિજાનંદરસમાં પ્રવૃત્ત થઈ લીન થયો તે પૂર્વના કર્મથી નિવર્તતો થકો પોતે જ પ્રતિક્રમણમય છે. પ્રતિક્રમણની વિધિ તો આ છે બાપુ! તું બીજી રીતે માન પણ એથી તને સંસાર સિવાય કાંઈ લાભ નથી. સમજાણું કાંઈ...! આ એક વાત થઈ
PDF/HTML Page 3528 of 4199
single page version
હવે બીજી વાતઃ- ‘તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે... ,
આ પુણ્ય-પાપના જે ભાવ તેના કાર્યભૂત ભવિષ્યકાળનાં કર્મ છે. તેને સ્વરૂપની સ્થિરતા દ્વારા પચખતો થકો તે આત્મા જ પ્રત્યાખ્યાન છે. પુણ્ય-પાપના ભાવ આકુળતારૂપ હતા. તેનાથી ખસી નિરાકુળ આનંદની દશામાં સ્થિર થયો તેને વીતરાગતા પ્રગટી તે હવે પુણ્ય-પાપના કાર્યભૂત ભવિષ્યના કર્મથી ખસી ગયો છે અને તેને પ્રત્યાખ્યાન કહે છે. ભાઈ! પ્રત્યાખ્યાન કાંઈ આત્માથી બીજી ચીજ નથી.
એક જ સમયમાં ત્રણ વાતઃ જે સમયે આત્મા પુણ્ય-પાપના ભાવથી નિવર્ત્યો તે જ સમયે તે ભાવોનાં કારણભૂત જે પૂર્વકર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રતિક્રમણ છે, વળી તે જ સમયે તે ભાવોનાં કાર્યભૂત જે ભવિષ્યનાં કર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રત્યાખ્યાન છે અને તે જ સમયે વર્તમાન કર્મના ઉદયથી નિવર્તે છે માટે પોતે જ આલોચના છે. આનું નામ ચારિત્ર છે. ભાઈ! જે શુભાશુભ ભાવ છે તે અચારિત્ર છે, અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે, આસ્રવભાવ છે. તેનાથી ખસીને સ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે-રમે તે ભાવસંવર છે, ચારિત્ર છે, પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. આવી વાત છે.
હવે ત્રીજી વાતઃ ‘તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, આલોચના છે.’
અહાહા...! જોયું? તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકથી ભિન્ન પોતાને અનુભવતો થકો પોતે જ આલોચના છે. આ તો સિદ્ધાંત બાપા! પોતાનું સ્વરૂપ તો એકલો આનંદ અને શાન્તિ છે. અહાહા...! વર્તમાન કર્મવિપાકથી ખસી, પુણ્ય-પાપથી ખસી, અંદર સ્વરૂપમાં ઠરી જવું તે આલોચના છે, સંવર છે. આ એક સમયની સ્વરૂપ-સ્થિતિની દશા છે; તેને પૂર્વકર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ કહે છે. ભવિષ્યના કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રત્યાખ્યાન કહે છે, અને વર્તમાન કર્મવિપાકથી નિવર્તવાની અપેક્ષા આલોચના કહે છે; અને તે ચારિત્ર છે.
આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર કોને હોય? કે જેને પ્રથમ આત્મદર્શન થયું છે તેને ચારિત્ર હોય છે. આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ પરમસ્વભાવભાવ છે તેની સન્મુખ થઈને જે જ્ઞાન (સ્વસંવેદન) થાય તે સમ્યગ્જ્ઞાન છે, અને તેનું જે શ્રદ્ધાન થાય તે સમ્યગ્દર્શન છે. આવાં જ્ઞાન-શ્રદ્ધાન પૂર્વક જ ચારિત્ર હોય છે. તેની વિધિ શું છે તેની આ વાત છે. વિના સમ્યગ્દર્શન ચારિત્ર સંભવિત નથી. કોઈ સમ્યગ્દર્શન રહિત ગમે તેવાં વ્રત, તપ આદિ આચરે પણ તે ચારિત્ર નથી.
પ્રશ્નઃ– પણ એ સંયમ તો છે ને?
PDF/HTML Page 3529 of 4199
single page version
ઉત્તરઃ– સંયમ? સંયમ નથી; એ અસંયમ જ છે. અરે ભાઈ! સંયમ કોને કહેવાય એની તને ખબર જ નથી. ‘સંયમ’ શબ્દમાં તો ‘સમ્+ યમ્’ શબ્દો છે. -સમ્ નામ સમ્યક્ પ્રકારે યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવભાવમાં જ વિશેષ-વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે, ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. આવી વાત છે. ભાઈ! તને રાગની ક્રિયામાં સંયમ ભાસે છે તે મિથ્યાભાવ છે.
સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધ રત્નત્રય તે મોક્ષમાર્ગ છે. નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું છે કે-માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારે જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. માર્ગ શુદ્ધ રત્નત્રય છે અને તેને વ્યવહારની કોઈ અપેક્ષા નથી એવો તે નિરપેક્ષ છે. અંદર ચૈતન્યસ્વરૂપ પરમાનંદ પ્રભુ છે તેનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતા થાય તે નિરપેક્ષ નિશ્ચય રત્નત્રય છે અને તે મોક્ષમાર્ગ છે.
જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે તેને હજુ અસ્થિરતાના ભાવ છે. આ અસ્થિરતાથી ખસીને-નિવર્તીને સ્વભાવમાં પ્રવર્તવું-રમવું-લીન થવું તે આલોચના છે અને તે જ ભૂત અને ભાવિ કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વિધિ છે. ભાઈ! વ્રત, ભક્તિ, દયા ઇત્યાદિ પાળવારૂપ જે ભાવ થાય છે તે અસ્થિરતા છે. તેનાથી તો ખસવાની-નિવર્તવાની વાત છે. તેને જ તું સંયમ ને ચારિત્ર માનવા લાગે એ તો મહા વિપરીતતા છે. મુનિરાજને નિશ્ચય ચારિત્ર સાથે તે વ્યવહાર સહચરપણે ભલે હો, પણ તે ચારિત્ર નથી, તે ચારિત્રનું કારણ પણ વાસ્તવમાં નથી. ખરેખર તો તે અસ્થિરતાથી ખસી સ્વરૂપ-સ્થિરતા જે થાય તે જ ચારિત્ર છે.
લોકોને એમ લાગે કે આ તો ‘નિશ્ચય, નિશ્ચય, નિશ્ચય’ની જ વાત છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય, વ્યવહાર તો ઉપચારમાત્ર છે. નિશ્ચય સાથે વ્યવહાર હો ભલે, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ મુક્તિમાર્ગ કે મુક્તિમાર્ગનું કારણ નથી. વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ માને એ તો વિપરીતતા છે ભાઈ! અહીં તો ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ સત્ય સાહ્યબો પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર જે વિરાજ્યો છે તેનું ભાન થયા પછી જે અસ્થિરતાના પુણ્ય-પાપના ભાવ છે તેનાથી નિવર્તી અંદર સ્વરૂપમાં લીનતા-જમાવટ કરે છે તે આત્મા પોતે ચારિત્રરૂપ થાય છે એમ વાત છે. ધીમે ધીમે સમજવું ભાઈ! અરે! અનંતકાળમાં એ સત્ય સમજ્યો નથી! શું થાય? સમજવાનાં ટાણાં આવ્યાં તો શુભમાં રોકાઈ પડયો!
પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું, આલોચના કરું એવા જે વિકલ્પ છે એ તો
PDF/HTML Page 3530 of 4199
single page version
રાગ છે, એ ચારિત્ર નથી, આત્માનું એ શુદ્ધ સ્વરૂપેય નથી. અહા! પોતાના શુદ્ધસ્વરૂપના- ચૈતન્યસ્વરૂપના આશ્રયે રાગની એકતા તોડીને હવે જે અસ્થિરતાના રાગથીય નિવર્તે છે અને સ્વભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે આત્મા પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, સંવર છે. આનું નામ ચારિત્ર છે.
પુણ્ય-પાપ ભલા છે, મારા છે એમ જે માને છે તેને ‘મિચ્છામિ દુક્કડમ્’ હોઈ શહે નહિ. પુણ્ય-પાપના ભાવ જે વર્તમાન થાય છે તેનાથી અત્યંત ભેદ કરી, જુદો પડી સ્વસ્વરૂપમાં લીન થઈ જાય તેને સંવર છે અને તેનું નામ આલોચના છે. તેનાં દુષ્કૃત મિથ્યા થાય છે. અહો! આવી વાત! પણ એને કયાં ફુરસદ છે? ભાઈ! આનું વાંચન, વિચાર ને ખૂબ મંથન રોજ રોજ હોવું જોઈએ. આના સંસ્કાર આ અવસરે પડી ગયા તો તે કલ્યાણનું કારણ થશે. બાકી તો સમજવા જેવું છે. એકલા પાપના સેવનમાં રહેનારા તો મરીને કયાંય નરક ને ઢોરની ગતિમાં ખોવાઈ જશે. સમજાણું કાંઈ...!
હવે કહે છે- ‘એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ-જ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે).
અહાહા...! રાગથી-પુણ્ય-પાપના ભાવોથી પાછો ફરીને પોતાના સ્વરૂપમાં ઠર્યો છે તે ધર્માત્મા પુરુષ સદાય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના કરે છે. તેને સદાય ચારિત્રદશા વર્તે છે. આ દેહની ક્રિયા થાય તે પ્રતિક્રમણ અને ચારિત્ર એમ નહિ. દેહ તો માટીનો ઘડો ભગવાન! એ તો ઘડીકમાં ફૂટી જશે; તે ક્યાં તારી ચીજ છે? અહીં તો પૂર્વકર્મનું કાર્ય અને ઉત્તરકર્મનું કારણ એવા જે પુણ્ય-પાપ આદિ ભાવ ધર્માત્માને પોતાની દશામાં થાય છે તેનાથી પાછા ફરી સ્વસ્વભાવ એવા જ્ઞાનસ્વભાવમાં વર્તવું-રમવું-ઠરવું- ચરવું એને ચારિત્ર કહ્યું છે. અહાહા...! પરભાવોથી નિવૃત્ત થયો થકો એક જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો-વિચરતો થકો પોતે જ ચારિત્રસ્વરૂપ છે. અહો! દિગંબર સંતોની વાણી સચોટ રામબાણ છે. ભાઈ! તું નિર્ણય તો કર કે મારગ આ જ છે.
અહાહા...! કહે છે- ‘જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો’...., અહા! જ્ઞાનસ્વભાવ તો જાણવારૂપ છે પ્રભુ! જેની સત્તામાં એ જાણવું થાય છે તે ચેતન છે ખરેખર તે ચેતનની સત્તાને જ જાણે છે. અહા! જેની સત્તામાં પદાર્થોનું હોવાપણું જણાય છે તે ચેતનસત્તા છે. અહાહા...! જાણનારો છે તે ચેતન છે, અને જે જણાય છે તે પણ ચેતન
PDF/HTML Page 3531 of 4199
single page version
છે (કેમકે ચેતનની પર્યાયમાં જ જાણવું થાય છે). આમ જાણનારો જાણનારને જ જાણે છે અને જાણતો થકો તેમાં જ ચરે છે, ઠરે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ...? સમયસાર નાટકમાં આવે છે કે-
વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
જુઓ, આ જીવનું વાસ્તવિક પરિણમન-વિલાસ બતાવ્યું છે. અહાહા...! ભૂત, વર્તમાન, ભાવિ કર્મથી ખસી એક જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ ઉપયોગ તેમાં જ સ્થિર થાય છે તે ચારિત્ર છે. તે ચારિત્રસ્વરૂપ સદાય પોતે પરિણમી રહ્યો છે. તેને વ્યવહાર પ્રતિક્રમણાદિનો કદીક વિકલ્પ ઉઠે છે, પણ તે દોષ છે. હવે આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી દિવ્યધ્વનિમાં આવી છે. પણ એને બેસે તો ને! ભાઈ! તું તો ચેતનારો-જાણનારો છો ને પ્રભુ! કોને? પોતાને અહા! પોતાને જાણીને પછી તું પોતામાં જ ઠરે-રમે તે ચારિત્ર છે, તે મોક્ષમાર્ગ છે. આવો અલૌકિક મારગ છે.
પ્રશ્નઃ– તો મુખ્યપણે ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે ને? સમ્યગ્દર્શન-જ્ઞાન તો મોક્ષમાર્ગનું કારણ છે.
ઉત્તરઃ– ભાઈ! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર-એમ ત્રણ ભેદ તો સમજાવવા માટે છે, પણ છે તો ત્રણે સાથે એક સમયમાં. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે એમ યર્થાથ સમજવું.
અહીં ચારિત્રની વ્યાખ્યા કરે છે. તો કહે છે-જ્ઞાનસ્વભાવ છે એ તો અબંધસ્વભાવ છે, ને પુણ્ય-પાપના ભાવ છે તે બંધસ્વભાવ છે, કર્મસ્વભાવ છે; કેમકે તેઓ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, ને પોતે નવાં કર્મનું નિમિત્ત છે. તેથી પુણ્ય-પાપથી નિવર્તી, ત્રણે કાળના કર્મથી પાછા ફરી એક જ્ઞાનસ્વભાવમાં ચરવું-વિચરવું તે ચારિત્ર છે અને તે મોક્ષમાર્ગ છે. હવે આવી વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાં છે? સંપ્રદાયમાં કેટલાક કહે છે કે તમારે-અમારે કાંઈ ફેર નથી; પણ મોટો ફેર છે ભાઈ! અહાહા...! આ દિગંબર સંતોની વાણી તો જુઓ! એક એક ગાથામાં કેટલું ભર્યું છે!
૧. વર્તમાન પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં પૂર્વના કર્મથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ છે.
૨. પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં તેનું કાર્ય જે કર્મ તેનાથી પાછો ફર્યો તે પ્રત્યાખ્યાન છે.
PDF/HTML Page 3532 of 4199
single page version
૩. વર્તમાનમાં પુણ્ય-પાપનું કારણ જે કર્મનો વિપાક તેનાથી પાછો ફર્યો તે આલોચના છે.
આ રીતે તે આત્મા સદા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરતો થકો, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચરતો હોવાથી ચારિત્ર છે, અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે.
નિયમસારના આરંભના એક શ્લોકમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે-હે પરમાત્મા! તું હોતાં હું ઓલા મોહમુગ્ધ અને સંસારીઓ જેવા કામી બુદ્ધ અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? ને જ પૂજું. હું તો જેણે ભવોને જીત્યા છે, જન્મ- મરણનો નાશ કર્યો છે એવા તને વંદું છું. જુઓ આ મુનિરાજ! કે જેમને ભવ જીતવાની ભાવના છે.
વળી આગળ જતાં તેઓ કહે છે-હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિની ફરી ફરીને અત્યંત પ્રેરીત થયું છે એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્ય વૃત્તિ’ નામની આ ટીકા રચાય છે. જુઓ એકલી નગ્નદશા ને બહારમાં મહાવ્રતનું પાલન કરે એ કાંઈ દિગંબર નથી, પણ અંતરમાં નિર્મળાનંદનો નાથ જ્ઞાનસ્વભાવી પ્રભુ પોતે છે તેને ઓળખી તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરે તે દિગંબર છે. અહાહા...! નાગા બાદશાહથી આઘા. તેને સમાજની કાંઈ પડી નથી. દુનિયાને આ ગમશે કે નહિ એની એને કાંઈ પડી નથી. દુનિયાનું દુનિયા જાણે; અમે તો મોક્ષમાર્ગી છીએ. અમે તો અંદર આત્માની રુચિ અને જ્ઞાન-ધ્યાનમાં છીએ અને કહીએ તો એ જ (મારગ) કહીએ છીએ.
અહાહા...! મુનિરાજ તો નિર્મળાનંદ પ્રભુ આત્મામાં રમણ કરનારા ને તેમાં ચરનારા-વિચરનારા છે. તેઓ નિત્ય અતીન્દ્રિય આનંદનું ધરાઈને ભોજન કરનારા છે. અહાહા...! જેમને આકુળતાની ગંધેય નથી એવા અનાકુળ સુખના ઢગલા છે એવા ચારિત્રવંત મુનિને અંદર નિત્ય અતીન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. કોઈને થાય કે મુનિને વનમાં અનેક પરિષહ સહન કરવાના થતાં કેવાં દુઃખ વેઠવાં પડે? તેને કહીએ કે ભાઈ! મુનિરાજને દુઃખ વેઠવું પડે એ તારી વાત ખોટી છે, કેમકે મુનિરાજને અકષાયી શાંતિ પ્રગટી હોવાથી તેઓ નિરંતર અતીન્દ્રિય આનંદની મોજમાં મસ્ત હોય છે. તેને અહીં ચારિત્ર કહ્યું છે અને તે મોક્ષમાર્ગ છે.
કોઈને લાગે કે વ્યવહારની તો વાત જ કરતા નથી. તેને કહીએ છીએ કે-ભાઈ! વ્યવહાર હોય છે. જ્યાંસુધી પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર મુનિરાજને હોય છે, પણ એ બધો રાગ છે, દુઃખ છે, બંધનનું કારણ છે, મુનિરાજને એ કર્તવ્ય છે એમ નથી. તેમાં કાંઈ આત્માની શાન્તિ
PDF/HTML Page 3533 of 4199
single page version
પ્રશ્નઃ– હા, પણ તેને વ્યવહાર કરવો તો પડે છે ને? નિશ્ચયનું એ સાધન તો છે ને?
ઉત્તરઃ– વ્યવહાર આવે છે ભાઈ! એ કરે છે એમ ક્યાં છે? એ તો માત્ર એને જાણે છે બસ, -કે આ રાગ છે, બીજી ચીજ છે. તું એને નિશ્ચયનું સાધન માન, પણ ધૂળેય સાધન નથી સાંભળને, કેમકે વ્યવહાર-રાગ છે એ તો કર્મસ્વભાવ છે, બંધસ્વભાવ છે અને નિશ્ચય અબંધસ્વભાવ છે, વીતરાગસ્વભાવ છે. (એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે)
અહો! શું એ વીતરાગી ચારિત્ર દશા! મહાવંદનીક દશા છે એ; એ તો પરમેષ્ઠીપદ છે ભાઈ! મુનિરાજ નિત્ય આવી ચારિત્રદશાએ વર્તે છે,
હવે કહે છે- ‘અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને-ચેતતો (અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.’
જુઓ, આ સરવાળો કીધો. એમ કે પુણ્ય-પાપનું-ઝેરનું વેદન ત્યાગીને, ચારિત્રસ્વરૂપ થયો થકો એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ વેદતો હોવાથી પોતે જ જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના ને કર્મફળચેતના નથી એમ વાત છે.
‘ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે.’
જુઓ, આ વ્યવહારની વાત કરી છે. આમાં અશુભને ટાળી દોષથી નિવર્તાવવાનો શુભ વિકલ્પ હજુ છે. પૂર્વે લાગેલા દોષોથી આત્માને હું નિવર્તાવું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણ તે શુભભાવ છે. તેવી રીતે ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરું-એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે, તેય શુભભાવ છે, તથા વર્તમાન દોષથી આત્માને જુદો કરું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર આલોચના છે. આ વ્યવહાર પ્રતિક્રમણાદિમાં અશુભથી છૂટી શુભમાં આવે છે તે વ્યવહાર છે, પણ તે આત્મરૂપ નથી. હવે એ જ કહે છે-
‘અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો,
PDF/HTML Page 3534 of 4199
single page version
જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે.’
જુઓ, અહીં નિશ્ચયચારિત્ર -વીતરાગી ચારિત્રની પ્રધાનતા છે, અર્થાત્ વ્યવહારની ક્રિયા અહીં ગૌણ છે. અહીં તો શુભાશુભ બન્નેય દોષોથી નિવૃત્ત થઈ આત્મા રૂપ થઈ જવું, ઉપયોગને સ્વરૂપલીન કરવો તે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના છે. પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પ હોય છે ખરા, પણ તેમાં અશુભથી નિવર્તે બસ; આ મર્યાદા છે. જ્યારે નિશ્ચયથી વિચારતાં જે આત્મા ત્રણે કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે તે પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે.
વ્યવહાર પ્રતિક્રમણાદિમાં પાપથી નિવર્તીને શુભભાવમાં-પુણ્યભાવમાં આવ્યો એટલી વાત છે, પણ એ શુભભાવ કાંઈ આત્મપરિણામ નથી. એય દોષ જ છે. તેથી શુભાશુભ સર્વ દોષથી પોતાને ભિન્ન જાણી ઉપયોગને સ્વરૂપમાં રમાવવો, સ્થિર કરવો એ વાસ્તવિક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને તે આત્મરૂપ છે. કહ્યું ને કે- પુણ્ય-પાપના ભાવથી ખસી સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે. અહીં તો આત્માથી ભિન્ન કોઈ પ્રતિક્રમણાદિ છે એમ વાત જ નથી. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે એમ આવ્યું ને ગાથામાં (૩૪ ગાથામાં). મતલબ કે-રાગનો નાશ કર્યો એમ કહેવું એ તો કથનમાત્ર છે. પોતે જ્ઞાનસ્વરૂપથી છૂટી કદી રાગસ્વરૂપ થયો જ નથી, સદાય જ્ઞાનસ્વરૂપમાં જ રહ્યો છે- એમ જાણી એવા જ્ઞાનસ્વરૂપમાં જ લીન-સ્થિર થવું, તેમાં જ જામી જવું તે નિશ્ચય પચખાણ છે. આવી વાત છે.
‘એમ પ્રતિક્રમણસ્વરૂપ પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય આત્મા પ્રગટ થાય છે.’
લ્યો આ નિશ્ચય ચારિત્ર તે જ જ્ઞાનચેતના, અને તે જ જ્ઞાનચેતનાથી સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહો! આ તો અલૌકિક વાત છે ભાઈ!
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતના અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ-
PDF/HTML Page 3535 of 4199
single page version
‘नित्यं ज्ञानस्य सञ्चेतनया एव ज्ञानं अतीव शुद्धम् प्रकाशते’ નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; ‘तु’ અને ‘अज्ञान–सञ्चेतनया’ અજ્ઞાનની સંચેતનાથી ‘बन्धः धावन्’ બંધ દોડતો થકો ‘बोधस्य शुद्धिं निरुणद्धि’ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, અહીં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું એમ બન્નેનું ફળ કહ્યું છે, શું કહે છે? કે ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા....! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે અર્થાત્ તેને પવિત્રતાની-શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કીધું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી -ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બન્ને સાથે છે હોં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવર અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. અહીં આ ચારિત્રની વિશેષ દશાની વાત છે. અહો! આચાર્યદેવે બહુ ટૂંકામાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
કહે છે-શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા છે, તેમાં સમ્યક્ પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. જુઓ, ‘જ્ઞાનની સંચેતનાથી જ’ - ‘संञ्चेतनया एव’ એમ શબ્દો છે. મતલબ કે કોઈ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના શુભ વિકલ્પથી શુદ્ધિની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે એમ નહિ, પણ અનાકુળ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈ તેમાં જ રમણતા કરવાથી ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જુઓ, આ સમકિતીને ચારિત્ર થવાની વિધિ બતાવી છે.
વળી કહે છે- અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે - જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, શું કહે છે? કે ‘અજ્ઞાનની સંચેતનાથી...’ અહાહા...! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાનચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષયવાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે, બંધ જ થાય છે.
પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે; અને તેનું ફળ જે સુખ-દુઃખ તે
PDF/HTML Page 3536 of 4199
single page version
કર્મફળચેતના છે. બન્ને અજ્ઞાનચેતના છે. અહા! તેમાં જે એકાગ્ર થાય તેને, કહે છે, બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે. અહા! તેને તત્કાલ જ દર્શનમોહનીય કર્મ બંધાય છે. સમજાણું કાંઈ....?
ભાઈ! કોઈ દસ-વીસ લાખ રૂપિયાનું દાન કરે, જિનમંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તો, અહીં કહે છે, તેને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શનમોહનીયનો બંધ થાય છે.
તો શું તેને પુણ્યબંધ પણ નથી થતો? ભાઈ! દાનમાં કદાચિત્ મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય પણ સાથે જ રાગમાં એકાગ્રતા-એકત્વ વર્તતું હોવાથી દર્શનમોહનો બંધ તત્કાલ જ થાય છે અને એ દીર્ઘ સંસારનું મૂળ છે. બાપુ! સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વીતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફેર છે, ઉગમણો-આથમણો ફેર છે. શુભરાગમાં એકાગ્ર થતાં ધર્મ થાય એ વાત તો દૂર રહો, એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે.
ત્યારે કોઈ વળી કહે છે-દયા, દાન, વ્રતાદિના વિકલ્પ તે ધર્મનું સાધન છે. અરે ભાઈ! એ વાતની અહીં ના પાડે છે. તું જો તો ખરો શું કહે છે? કે જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, અને અજ્ઞાન સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાઈ! આ જૈન પરમેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે. અંદર ભાગવતસ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ જ્ઞાન નિર્મળ પ્રકાશે છે, ધર્મ પ્રગટ થાય છે અને અજ્ઞાન નામ રાગાદિમાં-દયા, દાન, વ્રતાદિમાં-એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ મિથ્યાત્વનો બંધ થાય છે. હવે આવી વાત છે છતાં વ્રતાદિ પરિણામથી ધર્મ થાય એમ તું માને એ તારી મોહજનિત હઠ સિવાય બીજું કાંઈ નથી. ભાઈ! જે કોઈ પરિણામમાં સ્વભાવનો અનાદર થાય તે પરિણામથી બંધ જ દોડતો આવે છે. તેનાથી ધર્મ થતો જ નથી.
અરે ભાઈ! અંદર તું પવિત્રતાનો પિંડ જ્ઞાનાનંદનો દરિયો છો ને પ્રભુ! અહાહા...! તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. અહા! રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ-વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમાનંદસ્વરૂપ પરમપદ પ્રાપ્ત થશે. અહા! પણ આવા નિજસ્વભાવનો ત્યાગ કરીને તું શુભરાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો, આચાર્ય ફરમાવે છે, તને બંધ દોડતો આવશે, અર્થાત્ તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. અહો! બહું ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા ને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર.
અરેરે! સ્વરૂપની સમજણ વિના જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે. અરે!
PDF/HTML Page 3537 of 4199
single page version
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. -અપૂર્વ૦
અહા! તારો આત્મા રાગ અને રજકણથી ભિન્ન અંદર બિરાજી રહ્યો છે. પ્રભુ! તેમાં તું જાને! તેમાં એકાગ્ર થઈને ત્યાં જ રમને પ્રભુ! તને શુદ્ધિ ઉત્પન્ન થઈને શુદ્ધિની વૃદ્ધિ થશે. ભગવાને એને ચારિત્ર કહ્યું છે. ભાઈ! આ તારાં અનંત અનંત દુઃખ નિવારવાનો ઉપાય છે. બાકી તું ત્યાગી થાય, સાધુ થાય અને બહારમાં નગ્ન દિગંબર દશાને ધારે પણ વ્રતાદિના રાગમાં એકત્વ કરે તો, કહે છે, બંધ દોડતો થકો શુદ્ધિને રોકી દે છે. ભાઈ! બહારમાં પંચમહાવ્રત પાળે માટે ચારિત્ર પ્રગટ થાય એમ માર્ગ નથી. લોકોને વાત બહુ આકરી લાગે પણ માર્ગ જ જ્યાં આવો છે ત્યાં શું કરીએ? માટે રાગની- વ્રતાદિના રાગની ભાવના છોડીને શુદ્ધોપયોગની ભાવના કર. અંદર ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પૂરણ પ્રગટ વિરાજી રહ્યો છે તેની ભાવના કર, તેમાં એકાગ્ર થા, અને તેમાં જ રમણતા કર. આ મારગ છે ભાઈ! ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનો ઇન્દ્રો અને ગણધરોની સભામાં આ પોકાર છે. અહાહા.....!
અંતરકી લચ્છીસૌં અજાચી લચ્છપતિ હૈં ,
દાસ ભગવંત કૈ ઉદાસ રહૈ જગતસૌં ,
સુખિયા સદૈવ ઐસેં જીવ સમકિતી હૈં .
અહા! તારી સર્વ રિદ્ધિ, સિદ્ધિ અને વૃદ્ધિનું સ્થાન અંદર ભગવાન આત્મા પ્રગટ છે પ્રભુ! અહાહા....! સમકિતી ધર્મી જીવ એ જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીના લક્ષ વડે સહજ જ લક્ષપતિ છે, તેમને કોઈની અપેક્ષા નથી. બીજે માગ્યા વિના જ લક્ષ-પતિ છે. અહાહા....! ભગવાનના દાસ તેઓ જગતથી ઉદાસ એવા સદાય સુખી છે. સુખનો આ મારગ છે ભાઈ! સ્વરૂપનું લક્ષ કરવું ને તેમાં ઠરી જવું.
અરે ભાઈ! રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી, તારા હિતરૂપ નથી. અહાહા....! જ્ઞાનાદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો તેને ધર્મ થયો, મોક્ષનો મારગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને
PDF/HTML Page 3538 of 4199
single page version
છોડીને ભલે કોઈ રાજ્ય છોડે, રણવાસ છોડે, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તેને મોહકર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે.
અહાહા....! રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સમકિતી છે અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્રવંત છે. આવો મારગ છે.
‘કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું નામ સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે, અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન ઉપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.’
કળશમાં ‘સંચેતન’ શબ્દ પડયો છે ને? તેનો ભાવ શું? તો કહે છે-વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો-સ્વાદ લેવો તેનું નામ સંચેતન છે. જ્ઞાન અર્થાત્ ભગવાન આત્મા પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને અર્થાત્ ઉપયોગને તેમાં જ જોડીને તેના પ્રતિ જ ચેત રાખવી વા તેમાં જ જાગ્રત રહેવું, તેના જ સ્વાદમાં લીન રહેવું તે જ્ઞાનનું સંચેતન નામ જ્ઞાનચેતના છે. સમ્યગ્દર્શનપૂર્વક ઉપયોગની અંતર-એકાગ્રતા થાય તેને અહીં જ્ઞાનની સંચેતના કહી છે. તેનાથી, કહે છે, જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે.
હવે આવું સ્વરૂપ સમજ્યા વગર વ્રત, તપ ને ઉપવાસ કરવા મંડી પડે પણ એથી શું? એ કાંઈ નથી, એ તો એકલો રાગ છે બાપા! અને એનીય પાછી પ્રસિદ્ધિ કરે, છાપામાં આવે કે આને આટલા ઉપવાસ કર્યાં, પણ ભાઈ! એ ઉપવાસ નહિ પણ અપવાસ નામ માઠા વાસ છે, પ્રભુ! અને એની પ્રસિદ્ધિ એ તારી પાગલપણાની પ્રસિદ્ધિ છે. સમજાણું કાંઈ....? રાગમાં રોકાઈને પોતાની નિર્મળ ચૈતન્યની દશાને રુંધી રાખી છે એવા પાગલપણાની પ્રસિદ્ધિ છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીન થવું તે જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અહાહા....! જેમ મોર ગેલમાં આવી કળા કરે ત્યારે એનાં પીંછાં ખીલે છે, તેમ ભગવાન આત્મા નિજ સ્વભાવમાં એકાગ્ર થઈને રમે-પ્રવર્તે ત્યારે પર્યાયમાં જ્ઞાન અને આનંદની કળા ખીલી નીકળે છે, જ્ઞાનચેતના ખીલી નીકળે છે, અને તે વૃદ્ધિગત થઈ જેમ પૂનમનો ચંદ્ર સર્વ કળાએ ખીલી નીકળે તેમ જ્ઞાનચેતના કેવળજ્ઞાનપણે ખીલી ઊઠે છે. આવી વાત! સ્વસ્વરૂપમાં લીન થઈને ત્યાં જ રમે તેને કેવળજ્ઞાન ખીલી ઊઠે છે; અને ત્યારે સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
PDF/HTML Page 3539 of 4199
single page version
હવે કહે છે- ‘અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે.’
જુઓ શું કહે છે આ? કે પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે; અને તેથી કર્મનો બંધ થાય છે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. હવે આવી ચોખ્ખી વાત છે. ભાઈ! શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. ભગવાન જિનચંદ્ર ચૈતન્યપ્રકાશનો પુંજ પોતે છે તેને ભૂલીને વ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડે છે, તેનું સંસાર-પરિભ્રમણ મટતું નથી. સમજાણું કાંઈ....!
PDF/HTML Page 3540 of 4199
single page version
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८७।।
वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८८।।
वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८९।।
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८७।।
वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम् ।
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८८।।
હવે આ કથનને ગાથા દ્વારા કહે છેઃ-
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને; ૩૮૭.
જે કર્મફળને વેદતો જાણે ‘કરમફળ મેં કર્યું’,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને; ૩૮૮.
જે કર્મફળને વેદતો આત્મા સુખી–દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને. ૩૮૯.
ગાથાર્થઃ– [कर्मफलम् वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्] કર્મફળને [आत्मानं करोति] પોતારૂપ કરે છે (-માને છે), [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्