Page 168 of 237
PDF/HTML Page 181 of 250
single page version
૪૭ પદમાં ગૂંથ્યા છે; તેની આ સ્વાધ્યાય અને આ અર્થો દ્વારા
મહાવીર ભગવાનના ઉપકારની પ્રસિદ્ધિ ચાલે છે, તેમાં હવે ૨૯ મું
પદ છે. –
આંખ ખોલી ત્યાં દીઠું જગ અતિ ભિન્ન જો;
વૈરાગ વૈરાગ છાયા છવાઈ ઘેરલી,
ચિત્ત ચોંટે નહી ચેતનથી કહીં બાહ્ય જો...
દેખ્યું, એ અતીન્દ્રિયચક્ષુથી આત્માને દેખતી વખતે આ જગતના
અસ્તિત્વ ઉપર કોઈ લક્ષ ન હતું. જ્યારે સ્વાનુભૂતિ પૂરી થઈ,
સ્વાનુભૂતિની ધૂનમાં અમુક ટાઈમ રહ્યા પછી જ્યારે વિચારમાં
આવ્યો અને જોયું કે અહો, આ શી અદ્ભુતતા છે
અને પહેલીવાર આંખ ખોલીને બહાર નજર ગઈ ત્યારે એમ લાગ્યું
કે અરે, આ જગત મારાથી કેટલું દૂર છે
ઘણું દૂરપણું હોય, એકબીજા સાથે કાંઈ સંબંધ ન હોય, એવા
ભિન્નપણે આ જગતના બાહ્ય તત્ત્વોને પણ મેં પહેલી જ વાર દેખ્યા.
પૂર્વે બાહ્ય તત્ત્વોને દેખતો’તો, પરંતુ ચૈતન્યની સ્વસત્તાથી ભિન્નપણે
Page 169 of 237
PDF/HTML Page 182 of 250
single page version
ત્યારે તો અજ્ઞાનભાવથી એકત્વબુદ્ધિપૂર્વક જ એ પદાર્થોને જોતો’તો;
એટલે એ પદાર્થોનું ભિન્નપણું, એ પદાર્થોનું મારાથી અત્યંત દૂરપણું
મને ખરેખર દેખાતું ન હતું. હવે મારું સ્વતત્ત્વ મેં જોયું અને આ
સ્વતત્ત્વની પાસે પરતત્ત્વો, જગતના બધા તત્ત્વો કેટલા બધા દૂર છે,
કેટલા બધા અપરિચિત છે, એ હવે મને ભેદજ્ઞાનદ્રષ્ટિથી સ્પષ્ટ
દેખાય છે. જેમ સ્વતત્ત્વને જીવનમાં પહેલીવાર જોયું તેમ પરતત્ત્વને
પરરુપે પણ ખરેખર તો જીવનમાં પહેલીવાર જ જોયા.
ભેદજ્ઞાનસહિતનું જ્ઞાન, ભેદજ્ઞાનસહિતનું સ્વ – પરનું જ્ઞાન, હવે જ
શરુ થયું. અને આવું ભેદજ્ઞાન થતાં પરતત્ત્વો પોતાનાથી એટલા
બધા દૂર, એટલા બધા જુદા, એટલા બધા વિજાતીય દેખાયા, અને
સ્વતત્ત્વની ગંભીરતા, સ્વતત્ત્વનું અંતરમાં ઊંડાણ એટલું બધું દેખાયું
કે પરમ વૈરાગ્ય થઈ ગયો. સ્વતત્ત્વના એકત્વમાં લીનતા, અને
પરતત્ત્વોથી ભિન્નતારુપ પરમ વૈરાગ્ય, એવી વૈરાગ્યની ઘેરી છાયા
મારી પરિણતિમાં છવાઈ ગઈ; ચૈતન્યભાવ રાગ વગરનો થઈ
ગયો, એટલે પોતે જ એકાંત – વૈરાગ્યરુપ, એકાંત શુદ્ધચેતનારુપ
તે પરિણતિ થઈ ગઈ. આવી ઘેરી વૈરાગ્યની છાયાપૂર્વક હવે જે
કાંઈ જણાય છે તેમાં પણ એ વૈરાગ્યભાવ ભેગો જ છે, એટલે
ક્યાંય કોઈપણ પરતત્ત્વમાં મોહભાવ થતો નથી, એકત્વબુદ્ધિ થતી
નથી, ભિન્નપણાનું ભાન ખસતું નથી; અને સ્વતત્ત્વ જે અતિ અપૂર્વ
ચૈતન્યભાવસહિત દેખ્યું, એ ચૈતન્યભાવમાં ચોંટેલું મારું ચિત્ત હવે
ત્યાંથી કદી ખસતું નથી અને ચૈતન્યથી બહારના કોઈ પદાર્થમાં
મારું ચિત્ત હવે ચોંટતું નથી.
Page 170 of 237
PDF/HTML Page 183 of 250
single page version
ભગવાનના અવતારનો દિવસ.....
કરું
બિરાજમાન એવા આપને હું ફરીફરીને નમસ્કાર કરું છું.
Page 171 of 237
PDF/HTML Page 184 of 250
single page version
Page 172 of 237
PDF/HTML Page 185 of 250
single page version
વાત
ઘટના કોઈ અદ્ભુત અચિંત્ય અપૂર્વ જો;
વચનાતીત શાંતિમાં તરબોળ હું થયો,
આનંદ – આનંદ – આનંદની શી વાત જો.....
વખતે તો કોઈ આશ્ચર્યભાવ ન હતો; પરંતુ સ્વાનુભૂતિના કાળ પછી,
– પછી પણ અમુક ટાઈમ તો એની ધૂનમાં રહ્યા, ત્યારપછી, –
અદ્ભુતતાનો વિચાર આવ્યો કે અહા, આ શું અદ્ભુતતા થઈ
અપૂર્વ ભાવો થઈ ગયા. પરમ ગંભીર અનુભૂતિનું વર્ણન તો શું
કરીએ
ભાવનાથી પરમ ભક્તિ – બહુમાનપૂર્વક સંતોની સેવા કરતો હતો,
એ સંતોની સેવાના ફળરુપે, એ સ્વાનુભૂતિની ઝંખનાની પૂર્ણતારુપે
અંતરમાં જે સ્વાનુભૂતિ થઈ અને એમાં જે અદ્ભુત આનંદ આવ્યો,
– અહા
બની રહ્યો છે.....વચનાતીત એવા શાંતભાવમાં રસબોળ આત્મા
થયો. આત્મા પોતાના ચૈતન્યરસમાં એવો મગ્ન થયો કે એમાં બસ,
આનંદ – આનંદ ને આનંદ જ હતો. અહો, એ આનંદ – આનંદની
Page 173 of 237
PDF/HTML Page 186 of 250
single page version
સ્વઉપયોગમાં બસ, આનંદ – આનંદ ને આનંદ જ હતો. ।।૩૦।।
સર્વે છૂટયો પર તણો સંબંધ જો;
એક જ આ બસ
કે જે છેલ્લા થોડા વખતથી તો એકદમ મંદ – મંદ થતો જતો હતો,
એકદમ એની ધારા તૂટતી જતી હતી – એવો તે અનાદિ મિથ્યા
ભાવનો પ્રવાહ સર્વથા છૂટી ગયો, અને પરનો સંબંધ – પર સાથેના
એકત્વનો સંબંધ પણ છૂટી ગયો; અને સ્વાનુભૂતિમાં તો બસ, એક
મારા પોતાના આત્મા સાથે જ સંબંધ હતો. – ‘સંબંધ’ પણ શું
કહેવો
એકલો જ પોતાના સ્વરુપની અદ્ભુતતાથી જ, પોતાના આનંદથી,
પોતાની જ્ઞાનદશાથી, પોતાની વૈરાગ્યપરિણતિથી અત્યંત – અત્યંત
શોભી રહ્યો છે. આવી અનુભૂતિમાં શોભતો મારો આત્મા
સાધકભાવ જગાડીને સિદ્ધિધામ તરફ ઊપડયો, સિદ્ધિનગરી
તરફનો એનો પ્રવાસ ચાલુ થઈ ગયો. અહો
Page 174 of 237
PDF/HTML Page 187 of 250
single page version
અરિહંતો ને સંતોનું પણ ઇષ્ટ જો;
સાધકજ્ઞાની સરવે જે સુખિયા અહો,
સર્વેની થઈ સાચે સાચી પીછાન જો.....
કેવું હશે
પોતાના આત્મામાંથી પ્રગટેલું સુખ અનુભવમાં આવ્યું. આહા
સુખ એ પણ આવું જ છે. સાધક જ્ઞાનીઓ – સંતો – મુનિઓ એ
બધાય આવા જ સુખને વેદી રહ્યા છે. એ સર્વે જે સુખને વેદી રહ્યા
છે તે સુખ કેવું છે તેની હવે સાચી ઓળખાણ થઈ.
સ્વાનુભૂતિ થતાં, એવા સુખને હું પણ વેદું છું.....એવા સુખના
Page 175 of 237
PDF/HTML Page 188 of 250
single page version
ચૈતન્ય – સુખ
અતીન્દ્રિય સુખ મને મારા સ્વસંવેદનમાં આવ્યું; તેથી આપના પૂર્ણ
સુખની પણ હવે મને સાચી પ્રતીત થઈ. આપ જે સુખમાં લીન છો,
સાદિઅનંતકાળ આપ જે સુખને વેદી રહ્યા છો, તે સુખનું હવે મને
ભાન થયું, તેની ઓળખાણ થઈ, તેનો સ્વાદ ચાખ્યો, અને હવે તે
પૂર્ણ સુખની પ્રાપ્તિ તરફ હું આવી રહ્યો છું. અહા, દુઃખથી છૂટયો;
કેવું ભયંકર દુઃખ
આનંદનો જાણે મોટો ધરતીકંપ જો;
ચૈતન્ય – પાતાળ ઊંડેથી ઉલ્લસી રહ્યું,
મોહપર્વતના ફૂરચા ઊડયા દૂર જો.....
Page 176 of 237
PDF/HTML Page 189 of 250
single page version
અવસર છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળ એવા આ જન્મકલ્યાણકનો
કાળ, અને એની સાથે મારી મંગળ સ્વાનુભૂતિ, – અહો પ્રભો
આનંદનો મોટો ખળભળાટ થાય છે. અહો, એ અનુભૂતિ વખતે
આખા આત્માનું ચૈતન્ય – પાતાળ ઊંડીઊંડી શાંતિથી ઉલ્લસતું હતું;
મોહનો પર્વત ક્યાંય દેખાતો ન હતો, એના તો ફૂરચેફૂરચા ઊડીને
ક્યાંય ને ક્યાંય દૂર ઊડી ગયા હતા; અને આખો ચૈતન્ય પર્વત,
અસંખ્ય પ્રદેશોમાં ઉલ્લસતો આત્મા, પોતાના આનંદના ધરતીકંપમાં
વર્તતો હતો.
પણ ડોલી ઊઠે છે; – એવો આનંદનો ધરતીકંપ બહારમાં એક
પુણ્યપ્રતાપે પણ થાય છે. આજે એવા જન્મકલ્યાણકનો પ્રસંગ છે.
તેમ અહીં આત્મામાં પણ, ચૈતન્યમાં ચૈતન્યપ્રભુનો પોતાનો જન્મ
થયો, ચૈતન્યપ્રભુ પોતે પોતાની સ્વાનુભૂતિમાં અવતર્યા, અને એના
પ્રતાપે આનંદનો જે ધરતીકંપ થયો....અતીન્દ્રિય આનંદના
ઊછાળાથી ચૈતન્યની ધરતી ધ્રુજી ઊઠી, એ આનંદમય ધરતીકંપની
શી વાત
ધરતીકંપ, એમાં દુઃખમાંથી સુખ થયું, કષાયોમાંથી શાંતિ થઈ,
અજ્ઞાનમાંથી જ્ઞાન થયું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું, આત્મા
Page 177 of 237
PDF/HTML Page 190 of 250
single page version
દુઃખના માર્ગથી છૂટીને મોક્ષસુખ તરફ ચાલવા લાગ્યો; અહો, જે
ધરતીકંપમાં આવા સુંદર – મહાન – અનંતકાર્યો એક સાથે થાય
છે એવી સ્વાનુભૂતિની શી વાત
મોટા ખાડા બની જાય, અને જ્યાં ઊંડાઊંડા ખાડા હોય ત્યાં
ઊછળીને મોટા પહાડ દેખાવા માંડે – એવું ધરતીકંપમાં બને છે;
તેમ આ ચૈતન્યમાં સ્વાનુભૂતિના ધરતીકંપનો એક મહાન ઊછાળો
થતાં, આત્મામાં જ્યાં દુઃખનાં પહાડ હતા તે પહાડ તૂટીને ગંભીર
ચૈતન્યની શાંતિના દરિયા બની ગયા, જ્યાં ભવસમુદ્ર હતો તે સમુદ્ર
પુરાઈને તેની જગ્યાએ આનંદનો પહાડ રચાઈ ગયો. અહો, આવો
ધરતીકંપ, આવી સ્વાનુભૂતિ, ચૈતન્યના પાતાળમાંથી સ્વયં ઉલ્લસેલું
આત્માનું સુખ, એનો ઉલ્લાસ, એનો આહ્લાદ – એ પ્રસંગની શી
વાત
આનંદથી ધ્રુજી ઊઠી, તેમ અમારા આત્મામાં મંગલ સ્વાનુભૂતિનો
અવતાર થતાં અમારી ચૈતન્યપૃથ્વી – અમારા અસંખ્યપ્રદેશો
અતીન્દ્રિય આનંદના ઝણઝણાટથી ધ્રુજી રહ્યા છે.....એ ઝણઝણાટી
વડે આપના ઉપકારના મંગલ ગીત ગવાય છે.
Page 178 of 237
PDF/HTML Page 191 of 250
single page version
જીવન મારા આત્મકાર્યની સિદ્ધિથી તૃપ્ત અને કૃતાર્થ બન્યું છે : –
કાર્યસિદ્ધિથી થયો અતિશય તૃપ્ત જો;
દુઃખોના રે ભડાકાથી જીવ છૂટિયો,
અદ્ભુત શાંતિ – શાંતિમાં થયો લીન જો...
આવ્યા રે આવ્યા..ચેતન પ્રભુજી અંતરે..
હતો, શું કરું – એની કાંઈ સૂઝ ન હતી, કેવું સ્વરુપ છે એનું કોઈ
વેદન ન હતું, અને પોતાના સ્વરુપને જાણવા માટે જ્ઞાનીના
સત્સંગમાં ખૂબ – ખૂબ ઝંખતો હતો, અહો, મારા સ્વરુપનું સમ્યક્
દર્શન મને થાય, મારા સ્વરુપના સુખનું વેદન મને થાય, – એને
માટે આ આત્મા અતૃપ્તપણે ખૂબ – ખૂબ દિવસ – રાત ઝંખતો
હતો, એની વેદના ખૂબ જ થતી હતી.....હવે.....
સુખનું, એની શાંતિનું, એના અનંત સ્વભાવોનું વેદન થતાં, આ
આત્મા અતિશય તૃપ્ત થયો, કૃતકૃત્ય થયો. આહા
Page 179 of 237
PDF/HTML Page 192 of 250
single page version
મારાથી છૂટું પડવાનું નથી – એવી મને પરમ તૃપ્તિ થઈ. અત્યાર
સુધી, સ્વાનુભૂતિ થયા પહેલાં આ આત્મા અનેકવાર અનેક
પ્રસંગોમાં દુઃખના ભડકામાં બળતો હતો, વારંવાર અનેક પ્રકારના
સુખ – દુઃખના પ્રસંગો – એમાં પણ સુખ કરતાં દુઃખના પ્રસંગો
ઝાઝા, અનેક તીવ્ર માન – અપમાનના પ્રસંગો, – એવા અનેક
પ્રસંગોમાં આ જીવ દુઃખના ભડકામાં બળતો હતો; વચ્ચે ક્યારેક
કોઈ કોઈવાર જ્ઞાની ધર્માત્માઓના સત્સંગથી થોડીથોડી શાંતિ
મળતી હતી, પરંતુ ચૈતન્યની શાંતિ વગર દુઃખના ભડકામાં આ
જીવ શેકાતો હતો. આહા
નથી. આવી અદ્ભુત શાંતિ, – એ શાંતિ પણ કેટલી
શાંતસ્વભાવમાં હું હવે લીન થયો. મારી શાંતિનું વેદન – એમાં હું
એકત્વપણે પરિણમ્યો, એટલે હું પોતે જ શાંતિસ્વરુપ થયો. આ
શાંતિથી હું હવે કદી છૂટવાનો નથી, નથી. અહો વીરનાથ ભગવાન
આપના શાસનનું સમ્યગ્દર્શન, – એ મહાન કલ્યાણકારી છે.
આજના આપના કલ્યાણકના મહાન દિવસે.....ચૈત્ર સુદ તેરસે હું
આપને, આપના શાસનને, સ્વાનુભૂતિ સહિત અપૂર્વ ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું. ।।૩૪।।
Page 180 of 237
PDF/HTML Page 193 of 250
single page version
વીરપ્રભુના ઉપકારની પ્રસિદ્ધિરુપે જે પદરચના થયેલ છે તેમાં, આ
૩૫ મું પદ છે –
વરતે નહીં કો’ મુજમાં પરનો ભાવ જો;
હું તો જ્ઞાયક.....જ્ઞાયક.....જ્ઞાયક ભાવ છું,
સુખી સ્વયં હું જગથી તો અતિ દૂર જો.....
– સુખી સ્વયં હું દુઃખથી તો અતિ દૂર જો.....
સ્વાનુભૂતિના ભાવો તે અનુભૂતિમાં જ સમાય છે; એની ગંભીરતા
એવી છે કે પોતાની આત્મઅનુભૂતિમાં જ તે સમાઈ શકે છે, એ
ગંભીરતા બહારમાં દેખી શકાતી નથી. એ ચૈતન્યભાવો, એ આનંદ,
એ શાંતિ, એ અપૂર્વતા, એ દુઃખથી છૂટકારાની પરમ તૃપ્તિનો
ભાવ, – એ બધા અનંત ગંભીરતાથી ભરેલા પોતાના
ચૈતન્યભાવો.....એ તો મારા વેદનમાં જ સમાઈ ગયા. અહો, હું તો
બસ
પરંતુ જ્ઞાયકથી વિરુદ્ધ, જ્ઞાયકથી ભિન્ન જાતિના એવા કોઈ પણ
ભાવો મારા વેદનમાં – મારી અનુભૂતિમાં નથી – નથી.
Page 181 of 237
PDF/HTML Page 194 of 250
single page version
અનંતભાવોને સમાવેલો હું પોતે સ્વયં સુખી છું. અને જગતથી,
જગતસંબંધી દુઃખોથી, રાગદ્વેષના ભાવોથી તો હું અત્યંત દૂરદૂર
થયો છું, એનાથી હું છૂટો પડયો છું, મારી પરિણતિનું પરિણમન એ
દુઃખરુપ હવે થતું નથી; મારી ચેતના હવે સ્વયં સુખરુપે પરિણમે
છે, તે દુઃખરુપે થતી નથી, તે પરભાવોને કરતી નથી, જગત સાથે
સંબંધ ધરાવતી નથી; જગતથી અત્યંત દૂર, અત્યંત અલિપ્ત એવી
મારી ચૈતન્યમય ચેતના, તે મારી અનુભૂતિમાં જ સમાય છે, અને
હું પણ તે ચેતનામાં જ સમાઉં છું. આમ પરમ ચેતનસ્વરુપે થયેલો
હું હવે પરમ સુખી છું, મોક્ષનો સાધક છું; હું હવે મહાવીરનાથનો
સાચો અનુયાયી છું અને એક રીતે કહીએ તો હું નાનકડો મહાવીર
છું. – (જિનેશ્વરકે લઘુનંદન)
છે તે રચના પરમ સિદ્ધક્ષેત્ર ગીરનારધામમાં થયેલી છે. ગીરનારમાં
જઈને લગભગ એકમાસ રહેલ, તે વખતે જેઠ સુદ ત્રીજ
લગભગમાં આ રચના થયેલી છે.
છઠ્ઠું – સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ પરમ ચૈતન્યઅનુભૂતિ પ્રગટ
કરી, જ્યાં મનઃપર્યયજ્ઞાન પ્રગટ કર્યું; ત્યારપછી અનેક વિહાર
Page 182 of 237
PDF/HTML Page 195 of 250
single page version
સાતિશય અનુભૂતિ ઉપરાંત આગળ વધીને ચૈતન્યની શ્રેણીમાં
આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, દસમું ગુણસ્થાન, પછી સીધું
બારમું વીતરાગી ગુણસ્થાન અને પછી.....અહો
સહેસાવનમાં બેઠોબેઠો હું પણ મારી સ્વાનુભૂતિને યાદ કરીકરીને
મહાન આનંદિત થાઉં છું. આ સહેસાવનમાં નેમપ્રભુના ખોળામાં
બેઠો હોઉં.....એવા પરમ શાંત વાતાવરણમાં, સ્વાનુભૂતિ પછી
આવીને હું બેઠો છું અને સ્વાનુભૂતિના પદની ગૂંથણી કરું છું.
એટલે તો આત્મસાધનાનો મોટો ઢગલો
ગીરનારતીર્થ, એને જોતાં સંતોની સાધના યાદ આવે છે, અને
સંતોની સાધના યાદ આવતાં આ આત્માની સાધના પણ યાદ આવે
છે, એટલું જ નહીં – એનું વેદન તાજું થાય છે અને જીવને
આનંદિત કરે છે. ।।૩૫।।
આ ગીરનાર પણ ગુણ રે જેનાં ગાય જો;
જેના પ્રતાપે પૂજ્ય બન્યા આ પર્વતો,
એ તો છે આ સ્વાનુભૂતિનો પ્રતાપ જો...
Page 183 of 237
PDF/HTML Page 196 of 250
single page version
ખરેખર તો ચૈતન્યની સ્વાનુભૂતિના પ્રતાપે જ છે. ચૈતન્યની
સ્વાનુભૂતિવાળા સાધક જીવો જ્યારે આ ગીરનારમાં વિચર્યા ત્યારે
તે સાધક જીવોના ચરણના પ્રતાપે જ આ ગીરનારના પથ્થરોને પણ
તીર્થપણું પ્રાપ્ત થયું છે. એ રીતે જે સ્વાનુભતિના પ્રતાપે આ પર્વતો
પણ પૂજ્ય – તીર્થ બન્યા ને આ પથ્થર એ પણ પરમાત્માની જેમ
પૂજાવા લાગ્યા, અહો! એ સ્વાનુભૂતિના પ્રતાપની શી વાત! અને
પહાડ છે. ।।૩૬।।
સર્વે તીર્થો સ્વાનુભૂતિમાં સમાય જો;
સ્વાનુભૂતિનું આનંદ – તીરથ છોડીને
જતો નથી હું બહાર સંસાર – ધામ જો.....
પ્રસંગવશાત તીર્થપણું પ્રાપ્ત થાય છે, પરંતુ આ ચૈતન્યની સ્વાનુભૂતિ
તો સદાય તીર્થસ્વરુપ છે. અને એ સ્વાનુભૂતિના તીર્થમાં બધા તીર્થો
સમાય છે. જગતની કોઈપણ જગ્યા હોય પણ જો ત્યાં
સ્વાનુભૂતિવાળો જીવ હોય તો તે જગ્યા તીર્થ જ છે, કેમકે
સ્વાનુભૂતિ તે પોતે આનંદમય તીર્થ છે. સ્વાનુભૂતિરુપ થયેલો આ
મારો આત્મા હવે પોતાની સ્વાનુભૂતિના તીર્થને છોડીને બીજે ક્યાંય
જતો નથી. બાહ્યદ્રષ્ટિએ ભલે ગમે તે સ્થાન હો – ગીરનાર હો કે
Page 184 of 237
PDF/HTML Page 197 of 250
single page version
સ્વાનુભૂતિ – તીર્થ મારી સાથે જ વર્તી રહ્યું છે. હું પોતે તીર્થસ્વરુપ
છું. આવા મારા ચૈતન્યભાવરુપ તીર્થને છોડીને સંસારના ભાવમાં હું
જતો નથી. સંસારધામને છોડીને હું મારા મોક્ષધામમાં વસ્યો છું;
તેથી હું સદાય તીર્થમાં જ રહેનારો છું; સદા મોક્ષની તીર્થયાત્રા જ
હું કરી રહ્યો છું. ।।૩૭।।
સંબંધરુપ દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ તે બધા પણ માંગળિક જ
છે. જુઓને, આજે આ ચૈત્રસુદ તેરસ, – ભલેને મહાવીર
ભગવાનના જન્મને તો ૨૫૭૨ વર્ષ થઈ ગયા, છતાં એ આત્મા
મંગળરુપ હતો તો તેમના પ્રતાપે આજનો આ દિવસ પણ (આજે
૨૫૭૨ વર્ષ પછી પણ) માંગળિક તરીકે ઉજવાય છે. આ રીતે
મંગળરુપ આત્માના પ્રતાપે બધું મંગળ જ છે. –
બન્યા છે મુજ ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ મુજમાં વર્તતા,
અહો, અહો, આ સમ્યક્નો જ પ્રતાપ જો.....
જ્યાં જશે આ આતમરામી જીવડો,
બની જશે તે ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ જે પીછાણશે,
તેને મંગળ સર્વ પ્રકારે થાય જો.....
Page 185 of 237
PDF/HTML Page 198 of 250
single page version
આ આત્મદ્રવ્ય, તેને ઓળખતાં મારા ભાવ પણ હવે મંગળરુપ થયા
છે.
મારું સ્વક્ષેત્ર પણ હવે માંગળિક છે.
આત્માને ત્રિકાળ મંગળસ્વરુપે વર્ણવ્યો છે; તે ત્રિકાળ મંગળપણું
મારામાં જાણીને મને જે આનંદ – ઉલ્લાસ થયેલો તે
આનંદઉલ્લાસના બળે આગળ વધતાં, અહો
તેને વર્તમાન ભાવમાં પણ મંગળ હોય છે : આ એક અપૂર્વ ન્યાય
ષટ્ખંડાગમ – સિદ્ધાન્તમાં ભગવાન વીરસેન સ્વામીએ જે રીતે
સમજાવ્યો છે, અને મિથ્યાત્વને અમંગલ કહીને આત્માથી છૂટું પાડી
દીધું છે, અને એ જ વખતે ચૈતન્યભાવને મંગળરુપ કહીને
મિથ્યાત્વથી છૂટો પાડી દીધો છે, આ રીતે ભેદજ્ઞાન કરાવીને
આત્માને સમ્યક્ત્વરુપ માંગળિક કર્યો છે.....અહો
આવો મંગળરુપ થયેલો મારો આત્મા હવે જ્યાં જશે ત્યાં બહારનું
Page 186 of 237
PDF/HTML Page 199 of 250
single page version
ગણાશે; એના સંબંધવાળા દ્રવ્યો તે પણ મંગળ છે; આ રીતે બધું
જ આત્માનું મંગળ છે.....મંગળ છે. (૩૮)
અનંતકાળે પણ નહીં છૂટે આ રત્ન જો;
આવું અમૂલ્ય જ રત્ન દીધું છે મુજને,
કેવા મારા ચૈતન્ય પ્રભુ દાતાર જો.....
સુખસ્વભાવ વિદ્યમાન તો હતો પરંતુ એની ખબર ન હતી;
શ્રીગુરુપ્રતાપે એ ચૈતન્યસુખની વાર્તા જૈનશાસનમાં જ્યારે
સાંભળવા મળી, વીરનાથ ભગવાનના શાસનમાં એ આત્મિકસુખના
અનુભવનો માર્ગ જ્યારે સાંભળ્યો, ત્યારે અંતરમાં તે માર્ગ જાણ્યો
અને તે માર્ગે અંતરમાં આત્માના સુખનો અનુભવ થયો; અહો
સમ્યગ્દર્શનના પ્રતાપે પામ્યો. આવું સમ્યગ્દર્શન, આવો આનંદ,
આવું સુખ, આવું જૈનશાસન, એનો દાતાર આ મારો ચૈતન્યપ્રભુ
આત્મા પોતે જ છે. અહા, ચૈતન્યપ્રભુ કેટલો મહાન દાતાર છે
અનંત શાંતિ, અનંતકાળ સુધી સદાય આપ્યા જ કરે – એવો અપૂર્વ
મહાન દાતાર મારો આત્મા, તે આત્માની અનુભૂતિ મને થઈ.....
અહો, એની શી વાત
Page 187 of 237
PDF/HTML Page 200 of 250
single page version
અપૂર્વ આત્મિક અનુભૂતિ છે તે અનુભૂતિ તમે કરો.....કરો.....કરો.
(૩૯)
પૂર્ણ સુખરુપે પરિણમી રહ્યા છો એવા જ સુખરુપે મારો આત્મા
અંશે – અંશે પરિણમવા માંડયો. આ રીતે ભાવઅપેક્ષાએ આપ
અને હું બંને જુદા નથી. જેવો ચૈતન્યભાવ આપના આત્મામાં છે
તેવો જ ચૈતન્યભાવ આ આત્મામાં પણ છે, – એમ આપણે બંને
હવે એક જ હોઈએ એમ અંતરમાં વેદાય છે : –
પ્રભુમય બન્યો છું હું જ સ્વયં જો;
પ્રભુતા જ્યાં પ્રગટી છે આત્મસ્વરુપની
પામરતા કે દીનતાનું નહીં નામ જો.....
ભેદ હતો, .....હવે.....; અથવા બીજી રીતે કહીએ તો મારો