Page 346 of 655
PDF/HTML Page 401 of 710
single page version
અ. પ સૂત્ર ૩૧ ] [ ૩૪પ
રાગદોષ મોહ મૃષા મદિરા અચૌન હૈ।। ૬૧।।
અર્થઃ– શિષ્ય કહે છેઃ- સ્વામી! રાગદ્વેષપરિણામનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. પુદ્ગલકર્મ કે ઇન્દ્રિયોનો ભોગ કે ધન કે ઘરના માણસો કે મકાન?
શ્રીગુરુ સમાધાન કરે છે કે છએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા અસહાય પરિણમે છે. કોઈ દ્રવ્યનું કોઈ દ્રવ્ય કદી પણ પ્રેરક નથી. રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વરૂપી મદિરાનું પાન છે. ।। ૩૦।।(સમયસાર નાટક. પા. ૩પ૧)
અર્થઃ– [तद् भाव अव्ययं] તત્ ભાવથી જે અવ્યય છે તે [नित्यम्] નિત્ય છે.
(૧) જે પહેલાં સમયે હોય તે જ બીજા સમયે હોય તેને તદ્ભાવ કહે છે; તે નિત્ય હોય છે. અવ્યય = અવિનાશી.
(૨) દ્રવ્યનું સ્વરૂપ ‘નિત્ય’ છે એમ આ અધ્યાયના ચોથા સૂત્રમાં કહ્યું છે. તેની વ્યાખ્યા આ સૂત્રમાં આપી છે.
(૩) પ્રત્યભિજ્ઞાનના હેતુને તદ્ભાવ કહે છે. જેમ કે દ્રવ્યને પહેલા સમયમાં દેખ્યા પછી બીજા આદિ સમયોમાં દેખવાથી “આ તે જ છે કે જેને પહેલાં દીઠું હતું” એવું જોડરૂપ જ્ઞાન છે તે દ્રવ્યનું નિત્યપણું જણાવે છે; પરંતુ આ નિત્યતા કથંચિત્ છે, કેમ કે તે સામાન્યસ્વરૂપની અપેક્ષાએ હોય છે. પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અનિત્ય છે. એ રીતે આ જગતમાં બધાં દ્રવ્યો નિત્યાનિત્યરૂપ છે. એ પ્રમાણદ્રષ્ટિ છે.
(૪) આત્મામાં સર્વથા નિત્યતા માનવાથી મનુષ્ય, નરકાદિરૂપ સંસાર તથા સંસારથી અત્યંત છૂટવારૂપ મોક્ષ બની શકશે નહિ. સર્વથા નિત્યતા માનવાથી સંસારસ્વરૂપનું વર્ણન અને મોક્ષ ઉપાયનું કથન કરવામાં વિરોધતા આવે છે; માટે સર્વથા નિત્ય માનવું ન્યાયસર નથી. ।। ૩૧।।
અર્થઃ– [अर्पित] પ્રધાનતા અને [अनर्पित] ગૌણતાથી [सिद्धेः] પદાર્થોની સિદ્ધિ થાય છે.
Page 347 of 655
PDF/HTML Page 402 of 710
single page version
૩૪૬ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) દરેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે, એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદ્વાદ દ્વારા કહ્યો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે; તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતા-ને ‘અર્પિત’ કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને ‘અનર્પિત’ કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા છે એમ જ્ઞાની જાણે છે.
(૨) જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ વખતે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે ‘અનિત્યતા’ કહી નથી પણ ગર્ભિત રાખી છે. તેમ જ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે ‘નિત્યતા’ કહી નથી; કારણ કે બન્ને ધર્મો એકી સાથે કહી શકાતા નથી.
(૩) અર્પિત અને અનર્પિત કથનદ્વારા અનેકાન્તસ્વરૂપ
અનેકાંતની વ્યાખ્યા આ પ્રમાણે છે-“એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમ કે જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે અર્થાત્ જે અસ્તિ છે તે જ નાસ્તિ છે; જે એક છે તે જ અનેક છે; જે નિત્ય છે તે જ અનિત્ય છે-વગેરે. (જુઓ, સમયસાર-ગુજરાતી પા. ૪૮૮)
અર્પિત અને અનર્પિતનું સ્વરૂપ સમજવા માટે અહીં કેટલાક દ્રષ્ટાંતોની જરૂર છે તે નીચે આપવામાં આવે છેઃ-
૧. ‘જીવ ચેતન છે’ એમ કહેતાં ‘જીવ અચેતન નથી’ એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં ‘જીવ ચેતન છે’ એ કથનઅર્પિત થયું અને ‘જીવ અચેતન નથી’ એ કથન અનર્પિત થયું.
૨. ‘અજીવ જડ છે’ એમ કહેતાં ‘અજીવ ચેતન નથી’ એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં પહેલું કથન અર્પિત છે અને તેમાં ‘અજીવચેતન નથી’ એ ભાવ અનર્પિતપણે આવી ગયો એટલે કે કહ્યા વિના પણ તેમાં ગર્ભિત છે-એમ સમજી લેવું.
૩. ‘જીવ પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે સત્ છે’ એમ કહેતાં તેમાં કહ્યા વગર
Page 348 of 655
PDF/HTML Page 403 of 710
single page version
અ. પ સૂત્ર ૩૨ ] [ ૩૪૭ પણ ‘જીવ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસત્ છે’ એમ આવી ગયું છે. પહેલું કથન ‘અર્પિત’ અને બીજું ‘અનર્પિત’ છે.
૪. ‘જીવ દ્રવ્યે એક છે’ એમ કહેતાં જીવ ગુણ અને પર્યાયે અનેક છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ અને બીજું ‘અનર્પિત’ છે.
પ. ‘જીવ દ્રવ્યે-ગુણે નિત્ય છે’ એમ કહેતા ‘જીવ પર્યાયે અનિત્ય છે’ એમ આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત છે.
૬. ‘જીવ સ્વથી તત્ (Identical) છે’ એમ કહેતાં ‘જવ પરથી અતત્ છે’ એમ તેમાં અવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૭. ‘જીવ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભિન્ન છે’ એમ કહેતાં ‘જીવ પર દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી ભિન્ન છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૮. ‘જીવ પોતાના પર્યાયનો કર્તા થઈ શકે’ એમ કહેતાં જીવ પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ’ એણ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૯. ‘દરેક દ્રવ્ય પોતાના પર્યાયનું ભોક્તા થઈ શકે’ એમ કહેતાં ‘કોઈ દ્રવ્ય પરનું ભોક્તા ન થઈ શકે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે, અને બીજું ‘અનર્પિત’ છે.
૧૦. ‘કર્મનો વિપાક કર્મમાં આવી શકે’ એમ કહેતાં ‘કર્મનો વિપાક જીવમાં આવી શકે નહિ’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૧. ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ કહેતા ‘પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તે મોક્ષમાર્ગ નથી’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૨. ‘શરીર પર દ્રવ્ય છે’ એમ કહેતાં ‘જીવ શરીરની કોઈ ક્રિયા કરી શકે નહિ, તેને હલાવી-ચલાવી શકે નહિ, તેની સંભાળ રાખી શકે નહિ કે તેનું બીજું કાંઈ કરી શકે નહિ તેમજ શરીરની ક્રિયાથી જીવને સુખ-દુઃખ થાય નહિ’ એમ તેમાં આવી ગયું, પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૩. ‘નિમિત્ત પરદ્રવ્ય છે’ એમ કહેતાં ‘નિમિત્ત પરદ્રવ્યને કાંઈ કરી શકે નહિ, તેને સુધારી કે બગાડી શકે નહિ, માત્ર તે અનુકૂળ સંયોગપણે હોય’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
Page 349 of 655
PDF/HTML Page 404 of 710
single page version
૩૪૮ ] [ મોક્ષશાસ્ત્ર
૧૪. ‘ઘીનો ઘડો’ એમ કહેતાં ‘ઘડો ઘી-મય નથી પણ માટીમય છે. ઘડો ઘીનો છે એ તો માત્ર વ્યવહારકથન છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧પ. ‘મિથ્યાત્વકર્મના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે’ એમ કહેતાં ‘જીવ તે વખતની પોતાની ઊંધી શ્રદ્ધાને લીધે મિથ્યાદ્રષ્ટિ થાય છે, ખરી રીતે મિથ્યાત્વકર્મના ઉદયના કારણે જીવ મિથ્યાદ્રષ્ટિ થતો નથી; મિથ્યાત્વકર્મના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે-એ તો વ્યવહારકથન છે, ખરેખર જીવ પોતે મિથ્યાશ્રદ્ધારૂપે પરિણમ્યો ત્યારે મિથ્યાદર્શનકર્મનાં જે રજકણો તે વખતે પકવરૂપ થયાં તેના ઉપર નિર્જરાનો આરોપ ન આવતાં ઉદયનો આરોપ આવ્યો’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૬. ‘જીવ જડકર્મના ઉદયથી અગિયારમા ગુણસ્થાનકેથી પડયો’ એમ કહેતાં ‘જીવ પોતાના પુરુષાર્થની નબળાઈથી પડયો, જડકર્મ પરદ્રવ્ય છે તેથી તેના ઉદયે જીવ પડે નહિ. પણ જીવ પોતાના પુરુષાર્થની નબળાઈથી જે વખતે પડયો તે વખતે જે જડકર્મો પકવરૂપ થયાં હતાં તેના ઉપર “ઉદય” નો આરોપ આવ્યો’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૭. ‘જીવ પંચેન્દ્રિય છે’ એમ કહેતાં ‘જીવ ચેતનમય છે પણ જડ ઇન્દ્રિયોમય નથી; પાંચ ઇન્દ્રિયો જડ છે તેનો તેને માત્ર સંયોગ છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૮. ‘નિગોદનો જીવ કર્મનો ઉદય મંદ થતાં ઊંચે ચડે છે’ એમ કહેતાં ‘નિગોદનો’ જીવ પોતે પોતાના પુરુષાર્થ વડે મંદકષાય કરતાં ચડે છે, કર્મ પરદ્રવ્ય છે તેથી તેની અવસ્થાના કારણે જીવ ચડી શકે નહિ’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
૧૯. ‘કર્મના ઉદયથી જીવ અસંયમી થાય છે કારણ કે ચારિત્રમોહના ઉદય વિના તેની અનુપપત્તિ છે’ એમ કહેતાં ‘જીવ પોતાના ચારિત્રગુણના વિકારને ટાળતો નથી તેથી તે અસંયમી થાય છે, તે વખતે ચારિત્રમોહનાં કર્મો જોકે નિર્જરી જાય છે તોપણ તે વિકારના નિમિત્તે નવાં કર્મ સ્વયં બંધાય છે તેથી જૂનાં ચારિત્રમોહનાં કર્મો ઉપર ઉદયનો આરોપ આવે છે’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
Page 350 of 655
PDF/HTML Page 405 of 710
single page version
અ. પ સૂત્ર ૩૨ ] [ ૩૪૯
૨૦. ‘કર્મના ઉદયથી જીવ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યક્લોકમાં જાય છે કારણ કે આનુપૂર્વિ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે’ એમ કહેતાં ‘જીવની ક્રિયાવતીશક્તિની તે વખતની તેવી લાયકાત છે તેથી જીવ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યક્લોકમાં જાય છે, તે વખતે તેને અનુકૂળ આનુપૂર્વિ નામકર્મનો ઉદય સંયોગપણે હોય છે. કર્મ પરદ્રવ્ય છે, તેથી તે જીવને કોઈ જગ્યાએ લઈ જઈ શકે નહિ’ એમ તેમાં આવી ગયું. પહેલું કથન ‘અર્પિત’ છે અને બીજું ‘અનર્પિત’ છે.
ઉપરના દ્રષ્ટાંતો ધ્યાનમાં રાખીને, શાસ્ત્રમાં કોઈ પણ કથન કર્યું હોય તેના નીચે મુજબ અર્થો કરવા-
પ્રથમ શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કર્યું છે તે નક્કી કરવું. તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન ‘અર્પિત’ છે એમ સમજવું; અને સિદ્ધાંત અનુસાર, ગૌણપણે બીજા જે ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય છે તે ભાવ જોકે ત્યાં શબ્દોમાં કહ્યા નથી તોપણ તે ભાવ પણ ગર્ભિતપણે કહ્યા છે એમ સમજી લેવું; આ ‘અનર્પિત’ કથન છે. આ પ્રમાણે અર્પિત અને અનર્પિત બન્ને પડખાંને સમજીને જે જીવ અર્થ કરે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય. જો બન્ને પડખાં યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનયરૂપ છે. પ્રમાણને અનેકાંત પણ કહેવામાં આવે છે.
અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.
જગતનાં છએ દ્રવ્યો અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યાં છે, તે પોતપોતામાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે-સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. જો એક દ્રવ્ય બીજાને સ્પર્શે તો તે પરદ્રવ્યરૂપ થઈ જાય અને પરરૂપ થઈ જાય તો નીચેના દોષો આવે-
બે દ્રવ્યો એકરૂપ થઈ જાય તો સંકર દોષ આવે.
सर्वेषाम् युगपत्प्राप्ति संकर-અનેક દ્રવ્યોના એકરૂપપણાની પ્રાપ્તિ તે સંકર દોષ છે. જીવ અનાદિથી અજ્ઞાનદશામાં શરીરને, શરીરની ક્રિયાને, દ્રવ્ય ઇન્દ્રિયોને, ભાવ ઇન્દ્રિયોને
Page 351 of 655
PDF/HTML Page 406 of 710
single page version
૩પ૦ ] [ મોક્ષશાસ્ત્ર તથા તેમના વિષયોને પોતાથી એકરૂપ માને છે તે જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ છે. આ સૂત્રમાં કહેલા અનેકાંતસ્વરૂપને સમજતાં-એટલે કે જીવ જીવરૂપે છે અને કર્મરૂપે નથી તેથી કર્મ, ઇન્દ્રિયો, શરીર, જીવની વિકારી અને અપૂર્ણ દશા તે જ્ઞેય છે પણ જીવનું સ્વરૂપ (જ્ઞાન) નથી એમ સમજી ભેદવિજ્ઞાન પ્રગટ કરે ત્યારે-જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ ટળે છે, અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટતાં જ આ દોષ ટળે છે.
જીવ જેટલાં અંશે રાગ-દ્વેષ સાથે જોડાઈને દુઃખ ભોગવે છે તે ભાવ્ય-ભાવક સંકર દોષ છે; તે દોષ ટળવાની શરૂઆત સમ્યગ્દર્શન પ્રગટતાં થાય છે અને સર્વથા કષાયભાવ ટળતાં તે સંકરદોષ સર્વથા ટળે છે.
જો જીવ જડનું કાંઈ કાર્ય કરે કે જડ કર્મ અગર શરીર જીવનું કાંઈ ભલું-ભૂંડું કરે તો જીવ જડરૂપે થઈ જાય અને જડ ચેતનરૂપ થઈ જાય, તથા જો એક જીવને બીજા જીવો કાંઈ ભલું-ભૂંડું કરે તો એક જીવ બીજા જીવરૂપ થઈ જાય. આ પ્રમાણે એકનો વિષય બીજામાં ચાલ્યો જાય તેથી વ્યતિકર દોષ આવે –परस्पर विषयगमनं व्यतिकर।
જડકર્મો હળવાં થાય અને માર્ગ આપે તો જીવને ધર્મ થાય અને જડકર્મો બળવાન હોય તો જીવ ધર્મ કરી શકે નહિ-એમ માનવામાં સંકર અને વ્યતિકર બન્ને દોષ આવે છે.
જીવ મોક્ષનો-ધર્મનો પુરુષાર્થ ન કરે અને અશુભભાવમાં રહે ત્યારે તેને ભારે કર્મી જીવ કહેવાય છે અથવા તો ‘તેને કર્મનો તીવ્ર ઉદય છે તેથી તે ધર્મ કરતો નથી’ એમ કહેવાય છે. તે જીવનું લક્ષ સ્વ ઉપર નથી પણ પરવસ્તુ ઉપર છે એટલું બતાવવા માટે તે વ્યવહારકથન છે. પરંતુ જડકર્મ જીવને નુકસાન કરે અથવા તો જીવ જડકર્મનો ક્ષય કરે એમ ખરેખર માનવાથી ઉપરના બન્ને દોષ આવે છે.
જો જીવ શરીરનું કાંઈ કરી શકે, તેને હલાવી-ચલાવી શકે કે બીજા જીવનું કાંઈ કરી શકે તો તે બન્ને દ્રવ્યોનું અધિકરણ (સ્વક્ષેત્રરૂપ આધાર) એક થઈ જાય અને તેથી ‘અધિકરણ’ દોષ આવે.
જીવ પોતાની અપેક્ષાએ સત્ છે અને કર્મ પરવસ્તુ છે તેની અપેક્ષાએ જીવ અસત્ છે, તથા કર્મ તેની પોતાની અપેક્ષાએ સત્ છે અને જીવની અપેક્ષાએ કર્મ અસત્ છે. આમ હોવા છતાં જીવ કર્મને બાંધે-છોડે-તેનો ક્ષય કરે તેમ જ જડ કર્મ નબળાં પડે તો જીવ ધર્મ કરી શકે-એમ માનવું તેમાં ‘પરસ્પરાશ્રય’ દોષ છે. જીવ,
Page 352 of 655
PDF/HTML Page 407 of 710
single page version
અ. પ સૂત્ર ૩૨ ] [ ૩પ૧ કર્મો વગેરે બધાં દ્રવ્યો સ્વતંત્ર છે અને પોતપોતાથી સ્વતંત્રપણે કાર્ય કરે છે એમ માનવાથી ‘પરસ્પર આશ્રય’ દોષ આવતો નથી.
જીવ પોતાના વિકારભાવને જાણી શકે છે છતાં તેને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને એમ માને કે ‘કર્મનો ઉદય પાતળો પડે અને માર્ગ આપે તો ધર્મ થઈ શકે’ તો તે અજ્ઞાન છે. પોતે જડ કર્મને તો દેખતો નથી, તેમ જ તેના રસને કે ઉદયને પણ દેખતો નથી. સમયે સમયે દરેક દ્રવ્યની અવસ્થા પોતપોતાના કારણે બદલતી જાય છે; ત્યાં, ‘જડ કર્મ બળવાન હોય તો જીવ પડી જાય’ એમ જે માને તેને પડી જવાનો ભય ટળે નહિ અને તેથી તેનો સંશય ટળે નહિ. સંશય તે સમ્યગ્જ્ઞાનનો દોષ છે, તે ટાળ્યા સિવાય જીવ સ્વતંત્ર પુરુષાર્થ કરી શકે નહિ અને પુરુષાર્થ વગર તે જીવને કદી ધર્મ કે સમ્યગ્દર્શન થાય નહિ. આ પ્રમાણે ઉપર્યુક્ત માન્યતામાં ‘સંશય’ દોષ આવે છે, તે ટાળવો જોઈએ.
જીવ પોતાનાં પરિણામનો જ કર્તા છે અને પોતાનું પરિણામ તેનું કર્મ છે. સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવનો અભાવ છે, તેથી જીવને અજીવની સાથે કાર્ય-કારણપણું સિદ્ધ થતું નથી. જો એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે, બીજું દ્રવ્ય ત્રીજાનું કાર્ય કરે-એમ પરંપરા કહીએ તો અનંત દ્રવ્યો છે તેમાંથી કયું દ્રવ્ય કયા દ્રવ્યનું કાર્ય કરે તેનો કોઈ નિયમ રહે નહિ અને તેથી ‘અનવસ્થા’ દોષ આવે. પરંતુ જો દરેક દ્રવ્ય પોતાનું જ કાર્ય કરે અને પરનું કાર્ય ન કરી શકે એવો નિયમ સ્વીકારીએ તો વસ્તુની યથાર્થ વ્યવસ્થા જળવાઈ રહે છે. અને તેમાં કાંઈ અનવસ્થા દોષ આવતો નથી.
દરેક દ્રવ્યનું દ્રવ્યપણું-ક્ષેત્રપણું-કાળપણું (-પર્યાયપણું) અને ભાવપણું (- ગુણો) જે પ્રકારે છે તે પ્રકારે તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જીવ શું કરી શકે અને શું ન કરી શકે, તેમ જ જડ દ્રવ્યો શું કરી શકે અને શું ન કરી શકે-તેનું જ્ઞાન ન કરવું અને તત્ત્વજ્ઞાન કરવાની ના પાડવી તે ‘અપ્રતિપત્તિ’ દોષ છે.
એક દ્રવ્ય પોતે પોતાથી સત્ છે અને તે દ્રવ્ય પરથી પણ સત્ છે એમ જો માનીએ તો ‘વિરોધ’ દોષ આવે છે. કેમ કે જીવ પોતાનું કાર્ય કરે અને પરદ્રવ્યનું- કર્મ તેમ જ પર જીવો વગેરેનું પણ કાર્ય કરે-એમ હોય તો વિરોધ દોષ લાગુ પડે છે.
Page 353 of 655
PDF/HTML Page 408 of 710
single page version
૩પ૨ ] [ મોક્ષશાસ્ત્ર
જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો તે દ્રવ્યનો નાશ થાય અને એક દ્રવ્યનો નાશ થાય તો ક્રમે ક્રમે સર્વ દ્રવ્યોનો નાશ થાય, એ પ્રમાણે તેમાં ‘અભાવ’ દોષ આવે છે.
આ બધા દોષો ટાળીને વસ્તુનું અનેકાંતસ્વરૂપ સમજવા માટે આચાર્યભગવાને આ સૂત્ર જણાવ્યું છે.
જ્ઞાન સમજાવવા તથા તેનું કથન કરવા માટે કોઈ વખતે ઉપાદાનને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે નિમિત્તને, કોઈ વખતે દ્રવ્યને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે પર્યાયને, કોઈ વખતે નિશ્ચયને મુખ્ય કહેવામાં આવે છે અને કોઈ વખતે વ્યવહારને. આ પ્રમાણે જ્યારે કોઈ એક પડખાને મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બીજા ગૌણ રહેતા પડખાનું યથાયોગ્ય જ્ઞાન કરી લેવું જોઈએ. આ મુખ્ય-ગૌણતા જ્ઞાનઅપેક્ષાએ સમજવી.
-પરંતુ સમ્યગ્દર્શનની અપેક્ષાએ હંમેશા દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરીને ઉપદેશ આપવામાં આવે છે. દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતામાં કદી પણ વ્યવહારની મુખ્યતા થતી નથી; ત્યાં પર્યાયદ્રષ્ટિના ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. ભેદદ્રષ્ટિમાં રોકાતાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાંસુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. દર્શનની અપેક્ષાએ વ્યવહાર, પર્યાય કે ભેદ હંમેશાં ગૌણ રાખવામાં આવે છે; તેને કદી મુખ્ય કરવામાં આવતા નથી. ।। ૩૨।।
અર્થઃ– [स्निग्धरूक्षत्वात] ચીકાશ અને લૂખાશને કારણે [बन्धः] બે, ત્રણ વગેરે પરમાણુઓનો બંધ થાય છે.
(૧) પુદ્ગલમાં અનેક ગુણો છે પણ તેમાંથી સ્પર્શ ગુણ સિવાય બીજા ગુણોના પર્યાયોથી બંધ થતો નથી, તેમજ સ્પર્શના આઠ પર્યાયમાંથી પણ સ્નિગ્ધ અને રુક્ષ નામના પર્યાયોના કારણે જ બંધ થાય છે અને બીજા છ પ્રકારના પર્યાયોથી બંધ થતો નથી
Page 354 of 655
PDF/HTML Page 409 of 710
single page version
અ. પ સૂત્ર ૩૪ ] [ ૩પ૩ એમ અહીં જણાવ્યું છે. સ્નિગ્ધ અને રુક્ષ અવસ્થા કેવા પ્રકારની હોય ત્યારે બંધ થાય તે ૩૬ મા સૂત્રમાં કહેશે અને કયા પ્રકારે હોય ત્યારે બંધ ન થાય તે ૩૪-૩પ મા સૂત્રમાં કહેશે. બંધ થતાં કેવી જાતનું પરિણમન થાય તે સૂત્ર ૩૭ માં કહેશે.
(૨) બંધ-અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન કરાવવાળા સંબંધ વિશેષને બંધ કહે છે.
(૩) બંધ ત્રણ પ્રકારના થાય-૧. પુદ્ગલોનો-સ્પર્શગુણના કારણે, ૨. જીવનો-પોતાના રાગાદિ ભાવ સાથે, ૩. જીવ-પુદ્ગલોનો-અન્યોન્ય અવગાહના કારણે. (જુઓ, પ્રવચનસાર ગાથા-૧૭૭) તેમાંથી પુદ્ગલોનો બંધ આ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) સ્નિગ્ધ અને રુક્ષપણાના જે અવિભાગપ્રતિચ્છેદ છે તેને ‘ગુણ’ x કહે છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે તથા સંખ્યાત, અસંખ્યાત કે અનંત સ્નિગ્ધ ગુણરૂપે તથા રુક્ષ ગુણરૂપે એક પરમાણુ પરિણમે છે.
(પ) સ્નિગ્ધ સ્નિગ્ધ સાથે, રુક્ષ રુક્ષ સાથે તથા એકબીજા સાથે બંધ થાય છે.।। ૩૩।।
અર્થઃ– [जघन्यगुणानाम्] જઘન્ય ગુણસહિત પરમાણુઓનો [न] બંધ થતો નથી.
(૧) ‘ગુણ’ની વ્યાખ્યા સૂત્ર ૩૩ ની ટીકામાં આપી છે. ‘જઘન્ય ગુણસહિત પરમાણુ’ એટલે કે જે પરમાણુમાં સ્નિગ્ધતા કે રુક્ષતાનો એક અવિભાગી અંશ હોય તેને જઘન્ય ગુણસહિત પરમાણુ કહે છે. જઘન્ય ગુણ એટલે એક ગુણ સમજવો.
(૨) પરમ ચૈતન્યભાવમાં પરિણતિ રાખવાવાળાને પરમાત્મસ્વરૂપની ભાવનારૂપ ધર્મધ્યાન અને શુક્લધ્યાનના બળથી જ્યારે જઘન્ય ચીકણાઈને સ્થાને રાગ ક્ષીણ થઇ જાય છે, તથા જઘન્ય રુક્ષતાને સ્થાને દ્વેષ ક્ષીણ થઈ જાય છે ત્યારે, જેમ જળ અને રેતીનો બંધ થતો નથી તેમ, જઘન્ય સ્નિગ્ધ કે રુક્ષ શક્તિધારી પરમાણુનો પણ કોઈની સાથે બંધ થતો નથી. (પ્રવચનસાર-અધ્યાય ૨. ગાથા ૭૨, શ્રી જયસેન આચાર્યની સંસ્કૃત ટીકા, હિંદી પુસ્તક પા. ૨૨૭) જળ અને રેતીના દ્રષ્ટાંતે જેમ જીવોના રાગદ્વેષ _________________________________________________________________
x દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે છે તે ‘ગુણ’ અહીં ન સમજવો પરંતુ ‘ગુણ’ નો અર્થ ‘સ્નિગ્ધ-રુક્ષપણાની શક્તિનું માપ કરવાનું સાધન’ એમ સમજ્વે.
Page 355 of 655
PDF/HTML Page 410 of 710
single page version
૩પ૪ ] [ મોક્ષશાસ્ત્ર પરમાનંદમય સ્વસંવેદન ગુણના બળથી હીયમાન થઈ જાય છે અને કર્મની સાથે બંધ થતો નથી તેમ જે પરમાણુમાં જઘન્ય ચીકાશ કે રુક્ષતા હોય છે તેને કોઈથી બંધ થતો નથી (હિંદી પ્રવચનસાર-ગાથા ૭૩, પા. ૨૨૮.)
(૩) શ્રી પ્રવચનસાર-અધ્યાય ૨, ગાથા ૭૧ થી ૭૬ સુધી તથા ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૧૪ તથા તે નીચેની ટીકા માં પુદ્ગલોમાં બંધ ક્યારે ન થાય અને ક્યારે થાય તે જણાવ્યું છે, માટે તે વાંચવું.
(૧) દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી, પણ પોતામાં દ્વૈત-બેપણું થાય ત્યારે બંધ થાય છે. આત્મા એક-ભાવસ્વરૂપ છે, પરંતુ મોહ-રાગ- દ્વેષરૂપ પરિણમનથી દ્વૈતભાવરૂપ થાય છે અને તેથી બંધ થાય છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭પની ટીકા.) આત્મા તેના ત્રિકાળી સ્વરૂપે શુદ્ધ ચૈતન્યમાત્ર છે. પર્યાય (વર્તમાન અવસ્થા) માં જો તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ આપે તો દ્વૈતપણું થતું નથી, તેથી બંધ થતો નથી-એટલે કે મોહ-રાગ-દ્વેષમાં અટકતો નથી. આત્મા મોહ-રાગ-દ્વેષમાં અટકે તે જ ખરો બંધ છે. અજ્ઞાનતાપૂર્વકના રાગદ્વેષ તે જ ખરેખર સ્નિગ્ધ અને રુક્ષપણાના સ્થાને હોવાથી બંધ છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭૬ ની ટીકા.) એ પ્રમાણે આત્મામાં બેપણું થાય ત્યારે બંધ થાય છે અને તેનું નિમિત્ત પામીને દ્રવ્યબંધ થાય છે.
(૨) આ સિદ્ધાંત પુદ્ગલમાં લાગુ પડે છે. જો પુદ્ગલ પોતાના સ્પર્શમાં એક ગુણરૂપે પરિણમે તો તેને પોતામાં જ બંધની શક્તિ (ભાવબંધ) પ્રગટ નહિ હોવાથી બીજા પુદ્ગલ સાથે બંધ થતો નથી. પણ જો તે પુદ્ગલના સ્પર્શમાં બેગુણપણું આવે તો બંધની શક્તિ (ભાવબંધશક્તિ) હોવાથી બીજા ચાર ગુણ સ્પર્શવાળા સાથે બંધાય છે; આ દ્રવ્યબંધ છે. બંધ થવામાં બેપણું-દ્વૈત એટલો ભેદ હમેશાં રહેવો જ જોઈએ.
(૩) દ્રષ્ટાંતઃ- દશમા ગુણસ્થાને સૂક્ષ્મસાંપરાય છે-જઘન્ય લોભ-કષાય છે તો પણ મોહકર્મનો બંધ થતો નથી. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ તથા પુરુષવેદ જે નવમા ગુણસ્થાને બંધાતો હતો તેની ત્યાં વ્યુચ્છિત્તિ થઈ-એટલે કે તેનો બંધ ત્યાં અટક્યો. (જુઓ, અધ્યાય ૬, સૂત્ર ૧૪ ની ટીકા)
દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંતઃ- (૧) જીવનો જઘન્ય લોભકષાય વિકાર છે પણ તે જઘન્ય હોવાથી કાર્માણવર્ગણાને લોભરૂપે પરિણમવામાં નિમિત્તકારણ થયું નહિ. (૨) તે સમયે સંજ્વલન લોભકર્મની પ્રકૃતિ ઉદયરૂપ હોવા છતાં તેની જઘન્યતા નવા
Page 356 of 655
PDF/HTML Page 411 of 710
single page version
અ. પ સૂત્ર ૩પ-૩૬ ] [ ૩પપ મોહ કર્મના બંધનું નિમિત્તકારણ થતું નથી, (૩) જો જઘન્ય વિકાર કર્મબંધનું કારણ થાય તો કોઈ જીવ અબંધ થઈ શકે નહિ. ।। ૩૪।।
અર્થઃ– [गुणसाम्ये] ગુણોની સમાનતા હોય ત્યારે [सद्रशानाम्] સમાનજાતિવાળા પરમાણુની સાથે બંધ થતો નથી. જેમ કે-બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુનો બીજા બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થતો નથી અથવા તેવા સ્નિગ્ધ પરમાણુનો તેટલા જ ગુણવાળા રુક્ષ પરમાણુ સાથે બંધ થતો નથી. ‘न - (બંધ થતો નથી)’ એ શબ્દ આ સૂત્રમાં કહ્યો નથી પરંતુ ઉપરના સૂત્રમાં કહેલ ‘न’ શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.
(૧) સૂત્રમાં ‘सद्रशानाम्’ પદથી એ પ્રગટ થાય છે કે ગુણોની વિષમતામાં સમાનજાતિવાળા તથા ભિન્નજાતિવાળા પુદ્ગલોનો બંધ થાય છે.
(૨) બે કે વધારે ગુણ સ્નિગ્ધતા તેમ જ બે કે વધારે ગુણ રુક્ષતા સમાનપણે હોય ત્યારે બંધ થતો નથી, એમ બતાવવા માટે ‘गुणसाम्ये’ પદ આ સૂત્રમાં લીધું છે. ।। ૩પ।। (જુઓ, સર્વાર્થસિદ્ધિ, સંસ્કૃત-હિંદી, અધ્યાય પ. પાનું-૧૨૩.)
અર્થઃ– [द्वि अधिक] બે અધિક ગુણ હોય [आदि] એવા પ્રકારના [गुणानां तु] ગુણવાળા સાથે જ બંધ થાય છે.
જ્યારે એક પરમાણુથી બીજા પરમાણુમાં બે અધિક ગુણ હોય ત્યારે જ બંધ થાય છે. જેમ કે બે ગુણવાળા પરમાણુનો બંધ ચાર ગુણવાળા પરમાણુ સાથે થાય; ત્રણ ગુણવાળા પરમાણુનો પાંચ ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય; પરંતુ તેનાથી અધિક કે ઓછા ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય નહિ. આ બંધ સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, રુક્ષનો રુક્ષ સાથે, સ્નિગ્ધનો રુક્ષ સાથે તથા રુક્ષનો સ્નિગ્ધ સાથે પણ થાય છે. ।। ૩૬।।
Page 357 of 655
PDF/HTML Page 412 of 710
single page version
૩પ૬ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– [च] અને [बंधे] બંધરૂપ અવસ્થામાં [अधिकौ] અધિક ગુણવાળા પરમાણુઓ જેટલા ગુણરૂપે [पारिणामिकौ] ઓછા ગુણવાળા પરમાણુઓનું પરિણમન થાય છે.
અલ્પગુણધારક જે પરમાણુઓ હોય તે જ્યારે અધિકગુણધારક પરમાણુઓ સાથે બંધ અવસ્થા પામે ત્યારે તે અલ્પગુણધારક પરમાણુઓ પોતાની પૂર્વ અવસ્થાને છોડીને બીજી અવસ્થા પ્રગટ કરે છે અને એક સ્કંધ થઈ જાય છે એટલે કે અધિકગુણધારક પરમાણુની જાતનો અને તેટલા ગુણવાળો સ્કંધ થાય છે. ।। ૩૭।।
અર્થઃ– [गुणपर्ययवत्] ગુણ-પર્યાયવાળું [द्रव्यम्] દ્રવ્ય છે.
(૧) ગુણ-૧. દ્રવ્યના અનેક પર્યાય પલટવા છતાં પણ જે દ્રવ્યની કદી પૃથક્ ન થાય, નિરંતર દ્રવ્યની સાથે સહભાવી રહે તે ગુણ કહેવાય; ૨. દ્રવ્યના પૂરા ભાગમાં તથા તેની બધી હાલતમાં જે રહે તેને ગુણ કહે છે. (જૈનસિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૧૧૩). ૩. દ્રવ્યમાં શક્તિની અપેક્ષાએ જે ભેદ કરવામાં આવે તે ગુણ શબ્દોનો અર્થ છે. (તત્ત્વાર્થસાર-અ. ૩. ગાથા ૯, પા. ૧૩૧). ગુણની વ્યાખ્યા સૂત્રકાર સૂત્ર ૪૧ માં આપશે.
(૨) પર્યાય-૧. ક્રમથી થતી વસ્તુની-ગુણની અવસ્થાને પર્યાય કહે છે; ૨. ગુણના વિકારને (વિશેષ કાર્યને) પર્યાય કહે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૧૪૮.) ૩. દ્રવ્યમાં જે વિક્રિયા થાય-અથવા જે અવસ્થા બદલે તે પર્યાય કહેવાય. (જુઓ, તત્ત્વાર્થસાર અ. ૩. ગાથા ૯. પા. ૧૩૧)
પર્યાયની વ્યાખ્યા સૂત્રકાર ૪૨ મા સૂત્રમાં આપશે. (૩) આગળ સૂત્ર ૨૯-૩૦ માં કહેવામાં આવેલા લક્ષણથી આ લક્ષણ જુદું નથી,
Page 358 of 655
PDF/HTML Page 413 of 710
single page version
અ. પ સૂત્ર ૩૮-૩૯ ] [ ૩પ૭ શબ્દભેદ છે, પરંતુ ભાવભેદ નથી. પર્યાયથી ઉત્પાદ-વ્યયથી અને ગુણથી ધ્રૌવ્યની પ્રતીતિ થઈ જાય છે.
(૪) ગુણને અન્વય, સહવર્તી પર્યાય કે અક્રમવર્તી પર્યાય પણ કહેવાય છે તથા પર્યાયને વ્યતિરેકી અથવા ક્રમવર્તી કહેવાય છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાયરૂપ છે, એમ સૂત્રમાં કહીને દ્રવ્યનું અનેકાંતપણું સિદ્ધ કર્યું.
(પ) દ્રવ્ય, ગુણ અને પર્યાય વસ્તુપણે અભેદ-અભિન્ન છે. નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ભેદ છે, પરંતુ પ્રદેશથી અભેદ છે, એમ વસ્તુનું ભેદાભેદસ્વરૂપ સમજવું.
(૬) સૂત્રમાં ‘वत्’ શબ્દ વાપર્યો છે તે કથંચિત્ ભેદાભેદપણું સૂચવે છે.
(૭) જે ગુણ વડે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યથી દ્રવ્યાંતર છે’ એમ જણાય તેને વિશેષગુણ કહે છે. તે વડે તે દ્રવ્યનું વિધાન કરવામાં આવે છે. જો એમ ન હોય તો દ્રવ્યોની સંકરતા-એકતાને પ્રસંગ આવે અને એક દ્રવ્ય પલટીને બીજું થઈ જાય તો વ્યતિકરદોષનો પ્રસંગ આવે. માટે એ દોષો રહિત વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું. ।। ૩૮।।
અર્થઃ– [कालः] કાળ [च] પણ દ્રવ્ય છે.
(૧) ‘च’ નો અન્વય ‘द्रव्याणि’ આ અધ્યાયના બીજા સૂત્રની સાથે છે.
(૨) કાળ ઉત્પાદ-વ્યય-ધ્રુવ તેમ જ ગુણ-પર્યાય સહિત છે માટે તે દ્રવ્ય છે. (૩) કાળદ્રવ્યોની સંખ્યા અસંખ્યાત છે. તેઓ રત્નોના રાશિની માફક એકબીજાથી પૃથક્ લોકાકાશના સમસ્ત પ્રદેશો પર સ્થિત છે. તે દરેક કાલાણુ જડ, એકપ્રદેશી અને અમૂર્તિક છે. તેનામાં સ્પર્શ ગુણ નથી તેથી એક બીજાની સાથે મળીને સ્કંધરૂપ થતા નથી. કાળમાં મુખ્યપણે કે ઉપચારપણે પ્રદેશમૂહની કલ્પના થઈ શકતી નથી. તેથી તેને અકાયપણું છે. તે નિષ્ક્રિય છે એટલે કે એક પ્રદેશથી બીજા પ્રદેશે જતું નથી.
(૪) મુખ્ય કાળનું લક્ષણ વર્તના સૂત્ર ૨૨ માં કહ્યું. વ્યવહારકાળનું લક્ષણ તે જ સૂત્રમાં પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ કહ્યું. એ વ્યવહારકાળના અનંત સમયો છે એમ હવે પછીના સૂત્રમાં કહે છે. ।। ૩૯।।
Page 359 of 655
PDF/HTML Page 414 of 710
single page version
૩પ૮ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– [सः] તે કાળદ્રવ્ય [अनन्त समयः] અનંત સમયવાળું છે. કાળનો પર્યાય તે સમય છે. જો કે વર્તમાનકાળ એક સમયમાત્ર જ છે, તોપણ ભૂત- ભવિષ્યની અપેક્ષાથી તેના અનંત સમયો છે.
(૧) સમય-મંદગતિથી ગમન કરનાર એક પુદ્ગલ પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ પર જતાં જેટલો વખત લાગે તે એક સમય છે. તે કાળનો પર્યાય હોવાથી વ્યવહાર છે. સમયોના સમૂહથી જ આવલિ, ઘડી, કલાક આદિ વ્યવહારકાળ છે. વ્યવહારકાળ નિશ્ચયકાળનો પર્યાય છે.
નિશ્ચયકાળદ્રવ્ય-લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર રત્નોના રાશિની માફક કાળાણુ સ્થિત હોવાનું સૂત્ર ૩૯ ની ટીકામાં કહ્યું છે; તે દરેક નિશ્ચયકાળદ્રવ્ય છે. તેનું લક્ષણ વર્તના છે; તે સૂત્ર ૨૨ માં કહેવામાં આવ્યું છે.
(૨) એક સમયે અનંત પદાર્થોની પરિણતિ-જે અનંત પ્રકારની છે; તેને એક કાલાણુનો પર્યાય નિમિત્ત હોય છે, તે અપેક્ષાએ એક કાલાણુને ઉપચારથી ‘અનંત’ કહેવામાં આવે છે.
(૩) સમય તે નાનામાં નાનો વખત છે તેથી તેના વિભાગ પડી શકતા નથી. ।। ૪૦।।
આ પ્રમાણે છ દ્રવ્યોનું વર્ણન પૂરું થયું. હવે બે સૂત્રો દ્વારા ગુણનું અને પર્યાયનું લક્ષણ જણાવીને આ અધિકાર પૂરો થશે.
અર્થઃ– [द्रव्याश्रयाः] જેઓ દ્રવ્યના આશ્રયે હોય અને [निर्गुणाः] પોતે બીજા ગુણોથી રહિત હોય [गुणाः] તે ગુણો છે.
(૧) જ્ઞાનગુણ જીવદ્રવ્યને આશ્રયે રહે છે, તથા જ્ઞાનમાં કોઈ બીજો ગુણ રહેતો નથી. જો તેમાં ગુણ રહે તો તે ગુણ મટીને ગુણી (-દ્રવ્ય) થઈ જાય, પણ તેમ બને નહિ. ‘आश्रयाः’ શબ્દ ભેદાભેદ બન્ને સૂચવે છે.
Page 360 of 655
PDF/HTML Page 415 of 710
single page version
અ. પ સૂત્ર ૪૨ ] [ ૩પ૯
(૨) પ્રશ્નઃ– પર્યાય પણ દ્રવ્યને આશ્રયે છે અને ગુણ રહિત છે માટે પર્યાયમાં પણ ગુણપણું આવી જશે, અને તેથી આ સૂત્રમાં કહેલા લક્ષણને અતિવ્યાપ્તિ દોષ લાગશે?
ઉત્તરઃ– ‘દ્રવ્યાશ્રયાઃ’ પદ હોવાથી નિત્ય દ્રવ્યનો આશ્રય કરી વર્તે છે તેની વાત છે; તે ગુણ છે, પર્યાય નથી. તેથી ‘દ્રવ્યાશ્રયાઃ’ પદથી પર્યાય તેમાં આવતો નથી. પર્યાય એક જ સમયવર્તી છે.
દરેક ગુણ પોતપોતાના દ્રવ્યને આશ્રયે રહે છે તેથી એક દ્રવ્યનો ગુણ બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ, તેમ જ બીજા દ્રવ્યને પ્રેરણા, અસર કે સહાય કરી શકે નહિ. પરદ્રવ્ય નિમિત્તપણે હોય છે પણ એક દ્રવ્ય પરદ્રવ્યમાં અકિંચિત્કર છે (સમયસાર ગાથા ૨૬૭ ની ટીકા. ગુજરાતી પા. ૩૨૮). પ્રેરણા, સહાય, મદદ, ઉપકાર વગેરે શબ્દો નિમિત્તને ઉદ્દેશીને વાપરવામાં આવે છે, પણ તે ઉપચારમાત્ર છે એટલે કે નિમિત્તનું જ્ઞાનમાત્ર કરાવવા માટે છે. ।। ૪૧।।
અર્થઃ– [तत् भावः] દ્રવ્યનો સ્વભાવ (નિજભાવ, નિજતત્ત્વ) [परिणामः] તે પરિણામ છે.
(૧) દ્રવ્ય જે સ્વરૂપે હોય છે તથા જે સ્વરૂપે પરિણમે છે તે તદ્ભાવ પરિણામ છે.
(૨) પ્રશ્નઃ– ગુણ અને દ્રવ્ય સર્વથા ભિન્ન છે, એમ કોઈ કહે છે તે ખરું છે? ઉત્તરઃ– ના; ગુણ અને દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે એટલે કે ભિન્નાભિન્ન છે. સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-વિષયાદિ ભેદથી ભિન્ન છે, વસ્તુપણે- પ્રદેશપણે અભિન્ન છે, કેમ કે ગુણ દ્રવ્યનો જ પરિણામ છે.
(૩) બધાં દ્રવ્યોને અનાદિ અને આદિમાન પરિણામ હોય છે. પ્રવાહરૂપે અનાદિ પરિણામ છે; પર્યાય ઊપજે-વિણસે છે માટે તે આદિ સહિત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યના અનાદિ તથા આદિમાન પરિણામ આગમગમ્ય છે તથા જીવ અને પુદ્ગલના અનાદિ પરિણામ આગમગમ્ય છે પણ તેના આદિમાન પરિણામ કથંચિત્ પ્રત્યક્ષ પણ છે.
Page 361 of 655
PDF/HTML Page 416 of 710
single page version
૩૬૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૪) ગુણને સહવર્તીપર્યાય અથવા અક્રમવર્તીપર્યાય કહેવામાં આવે છે અને પર્યાયને ક્રમવર્તીપર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્ય, ગુણ ને પર્યાય-એમ વસ્તુના ત્રણ ભેદ કહ્યા છે, પરંતુ નય તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ કહ્યા છે, ત્રીજો ‘ગુણાર્થિક’ નય કહ્યો નથી, તેનું શું કારણ છે? તેમ જ ગુણો કયા નયના વિષયમાં આવે છે? તેનો ખુલાસો પૂર્વે અધ્યાય ૧ સૂત્ર ૬ ની ટીકા પા. ૩૧-૩૨ માં આપ્યો છે.
પર્યાયાર્થિકનયને ભાવાર્થિકનય પણ કહેવામાં આવે છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર કૃત મોક્ષમાળા પાઠ-૯૧)
સૂત્ર ૪૧ માં જે સિદ્ધાંત કહ્યો છે તે જ પ્રમાણે તે અહીં પણ લાગુ પડે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના ભાવે પરિણમે છે, પરના ભાવે પરિણમતું નથી; તેથી એમ સિદ્ધ થયું કે દરેક દ્રવ્ય પોતાનું કામ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ.।। ૪૨।।
આ પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વનું મુખ્યપણે કથન છે. અજીવતત્ત્વનું કથન કરતાં, તેનો જીવતત્ત્વ સાથે સંબંધ બતાવવાની જરૂર જણાતાં જીવનું સ્વરૂપ પણ અહીં જણાવવામાં આવ્યું છે. વળી છએ દ્રવ્યોનું સામાન્યસ્વરૂપ જીવ અને અજીવને લાગુ પડતું હોવાથી તે પણ કહ્યું છે. એ રીતે આ અધ્યાયમાં નીચેના વિષયો આવ્યા છે.
(૧) છએ દ્રવ્યોને એકસરખી રીતે લાગુ પડતા નિયમોનું સ્વરૂપ, (૨) દ્રવ્યોની સંખ્યા અને તેનાં નામો, (૩) જીવનું સ્વરૂપ (૪) અજીવનું સ્વરૂપ, (પ) સ્યાદ્વાદ સિદ્ધાંત અને (૬) અસ્તિકાય.
૧. દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ-હોવાપણું (સત્) છે. (સૂત્ર ૨૯) ૨. હોવાપણાનું (-સત્નું) લક્ષણ ત્રણે કાળ ટકીને દરેક સમયે જૂની અવસ્થા ટાળી નવી અવસ્થા ઉત્પન્ન કરવી તે છે (સૂત્ર ૩૦). ૩. દ્રવ્ય પોતાના ગુણ અને અવસ્થાવાળું હોય છે, ગુણ દ્રવ્યને આશ્રયે રહે છે અને ગુણમાં ગુણ હોતા નથી. તે પોતાના જે ભાવ છે તે ભાવે પરિણમે છે. (સૂ. ૩૮, ૪૨). ૪. દ્રવ્યના પોતાના ભાવનો નાશ થતો નથી માટે નિત્ય છે અને તે પરિણમે છે માટે અનિત્ય છે. (સૂત્ર ૩૧, ૪૨)
દ્રવ્યો અનેક છે. (સૂત્ર ૨). તેનાં નામો-૧. જીવો (સૂત્ર ૩), ૨. પદ્ગલો,
Page 362 of 655
PDF/HTML Page 417 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૬૧ ૩. એક ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, પ. એક આકાશ (સૂત્ર ૧), ૬. કાળ, (સૂત્ર ૨૨, ૩૯).
૧. જીવો અનેક છે (સૂત્ર ૩), દરેક જીવના અસંખ્યાત પ્રદેશો છે (સૂત્ર ૮), તે લોકાકાશમાં જ રહે છે (સૂત્ર ૧૨), જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે, તેથી લોકના અસંખ્યાતમા ભાગથી લઈને આખા લોકને અવગાહે છે. (સૂત્ર પ, ૧પ), લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ જીવના પ્રદેશો છે. એક જીવના, ધર્મદ્રવ્યના અને અધર્મદ્રવ્યના પ્રદેશોની સંખ્યા સરખી છે (સૂત્ર ૮); પરંતુ જીવના અવગાહ અને ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યના અવગાહમાં ફેર છે. ધર્મ-અધર્મ દ્રવ્ય આખા લોકાકાશને અવગાહે છે જ્યારે જીવના પ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. (સૂત્ર ૧૩, ૧૬).
૨. જીવને વિકારી અવસ્થામાં, સુખ-દુઃખ તથા જીવન-મરણમાં પુદ્ગલ દ્રવ્યો નિમિત્ત છે; જીવ દ્રવ્યો પણ પરસ્પર તે કાર્યોમાં નિમિત્ત થાય છે. સંસારી જીવોને સંયોગરૂપે કાર્મણાદિ શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસ હોય છે (સૂત્ર ૧૯, ૨૦, ૨૧).
૩. જીવ ક્રિયાવાન છે, તેની ક્રિયાવતી શક્તિનો પર્યાય કોઈવાર ગતિરૂપ અને કોઈ વાર સ્થિતિરૂપ થાય છે; જ્યારે ગતિરૂપ હોય ત્યારે ધર્મદ્રવ્ય અને જ્યારે સ્થિતિરૂપ હોય ત્યારે અધર્મદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર-૧૭).
૪. જીવને પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૨૨), અને અવગાહનમાં આકાશ નિમિત્ત છે (સૂત્ર ૧૮).
પ. જીવ દ્રવ્યે નિત્ય છે, તેની સંખ્યા એક સરખી રહેનારી છે અને તે અરૂપી છે (સૂત્ર ૪).
નોટઃ- છએ દ્રવ્યોનું જે સ્વરૂપ ઉપર નં. (૧) માં ચાર બોલથી જણાવ્યું છે તે જ સ્વરૂપ દરેક જીવ દ્રવ્યને પણ લાગુ પડે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે એમ જીવને લગતા અધિકારમાં અધ્યાય ૨. સૂત્ર ૮ માં કહેવાઈ ગયું છે.
જ્ઞાન રહિત એવા અજીવ દ્રવ્યો પાંચ છે-૧. એક ધર્મ, ૨. એક અધર્મ ૩. એક આકાશ, ૪. અનેક પુદ્ગલો તથા પ. અસંખ્યાત કાળાણું (સૂત્ર ૧, ૩૯). હવે પાંચ પેટા વિભાગ દ્વારા તે પાંચ દ્રવ્યનું સ્વરૂપ કહેવાય છે.
Page 363 of 655
PDF/HTML Page 418 of 710
single page version
૩૬૨ ] [ મોક્ષશાસ્ત્ર
ધર્મદ્રવ્ય એક, અજીવ, બહુપ્રદેશી છે (સૂત્ર ૧, ૨, ૬). તે નિત્ય, અવસ્થિત અરૂપી અને હલનચલન રહિત છે (સૂત્ર ૪, ૭). તેના લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો છે અને તે આખા લોકાકાશમાં વ્યાપક છે. (સૂત્ર ૮, ૧૩). તે પોતે હલનચલન કરતા જીવ તથા પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે (સૂત્ર ૧૭). તેને અવગાહનમાં આકાશ નિમિત્ત છે અને પરિણમનમાં કાળ નિમિત્ત છે (સૂત્ર ૧૮, ૨૨) અરૂપી (સૂક્ષ્મ) હોવાથી ધર્મ અને અધર્મદ્રવ્યો લોકાકાશમાં એકસરખી રીતે (એકબીજાને વ્યાઘાત પહોંચાડયા વિના) વ્યાપી રહ્યાં છે. (સૂત્ર ૧૩).
ઉપર કહેલી બધી બાબતો અધર્મદ્રવ્યને પણ લાગુ પડે છે. વિશેષતા એટલી જ કે ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે ત્યારે અધર્મ જીવ-પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્ત છે.
આકાશદ્રવ્ય એક, અજીવ, અનંતપ્રદેશી છે (સૂત્ર ૧, ૨, ૬, ૯). નિત્ય, અવસ્થિત, અરૂપી અને હલનચલન રહિત છે (સૂત્ર ૪, ૭). બીજા પાંચેય દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત છે (સૂત્ર ૧૮). તેને પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે (સૂ. ૨૨).
કાળદ્રવ્ય દરેક અણુરૂપ, અરૂપી, અસ્તિપણે પણ કાય રહિત, નિત્ય અને અવસ્થિત અજીવ પદાર્થ છે. (સૂત્ર ૨, ૩૯, ૪). તે બધાં દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે (સૂત્ર ૨૨). કાળદ્રવ્યને અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે. (સૂત્ર ૧૮). એક આકાશપ્રદેશે રહેલાં અનંત દ્રવ્યોને પરિણમનમાં એક કાલાણુ નિમિત્ત થાય છે તે કારણે ઉપચારથી તેને અનંત સમય કહેવામાં આવે છે, તથા ભૂત- ભવિષ્યની અપેક્ષાએ અનંત છે. કાળના એક પર્યાયને સમય કહે છે (સૂત્ર ૪૦).
૧. આ પુદ્ગલ દ્રવ્યો અનંતાનંત છે. તે દરેક એક પ્રદેશી છે. (સૂત્ર ૧, ૨, ૧૦, ૧૧,) તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે (સૂત્ર ૨૩, પ.) તે વિશેષ ગુણોમાંથી સ્પર્શ ગુણની સ્નિગ્ધ કે રુક્ષની અમુક પ્રકારની
Page 364 of 655
PDF/HTML Page 419 of 710
single page version
અ. પ ઉપસંહાર ] [ ૩૬૩ અવસ્થા થાય ત્યારે બંધ થાય છે (સૂત્ર ૩૩). બંધ પ્રાપ્ત પુદ્ગલોને સ્કંધ કહેવામાં આવે છે. તેમાંથી જીવને સંયોગરૂપ થતા સ્કંધો શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસપણે પરિણમે છે (સૂત્ર ૨પ, ૧૯). કેટલાક સ્કંધો જીવને સુખ, દુઃખ, જીવન અને મરણમાં નિમિત્ત થાય છે. (સૂત્ર ૨૦).
૨. સ્કંધરૂપે પરિણમેલા પરમાણુઓ સંખ્યાત, અસંખ્યાત, અનંત હોય છે. તથા બંધની વિશિષ્ટતા એવી છે કે એક પ્રદેશમાં અનેક રહે છે, અનેક સ્કંધો સંખ્યાતપ્રદેશોને અને અનેક સ્કંધો અસંખ્યાત પ્રદેશોને રોકે છે તેમજ એક મહાસ્કંધ લોકપ્રમાણ અસંખ્યાત આકાશના પ્રદેશોને રોકે છે (સૂત્ર ૧૦, ૧૪, ૧૨.)
૩. જે પુદ્ગલની સ્નિગ્ધતા કે રુક્ષતા જઘન્યપણે હોય તે બંધને પાત્ર નથી. તેમ જ એક સરખા ગુણવાળા પુદ્ગલોનો બંધ થતો નથી (સૂત્ર ૩૪-૩પ). જઘન્ય ગુણ છોડીને બે અંશ જ અધિક હોય ત્યાં (પછી એકી ગુણ હોય કે બેકી ગુણ હોય) સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, રુક્ષનો રુક્ષ સાથે તથા સ્નિગ્ધ રુક્ષનો પરસ્પર બંધ થાય છે અને જેના ગુણો અધિક હોય તે-રૂપે આખો સ્કંધ થાય છે (સૂત્ર ૩૬, ૩૭). સ્કંધની ઉત્પત્તિ પરમાણુઓના ભેદ (છૂટા પડવાથી), સંઘાત (મળવાથી) અથવા એકી વખતે બન્ને રૂપે (ભેદ-સંઘાત) થવાથી થાય છે (સૂત્ર ૨૬), અને અણુની ઉત્પત્તિ ભેદથી થાય છે (સૂત્ર ૨૭). ભેદ-સંઘાત બન્નેથી મળી ઉત્પન્ન થયેલ સ્કંધ ચક્ષુઇન્દ્રિયગમ્ય હોય છે. (સૂત્ર ૨૮).
૪. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતપ અને ઉદ્યોત -એ બધા પુદ્ગલના પર્યાયો (અવસ્થા) છે.
પ. પુદ્ગલ દ્રવ્યને હલનચલનમાં ધર્મદ્રવ્ય અને સ્થિતિમાં અધર્મદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૧૭), અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે અને પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે (સૂત્ર ૧૮, ૨૨).
૬. પુદ્ગલ સ્કંધોને શરીર, વચન, મન અને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમવામાં જીવ નિમિત્ત છે (સૂત્ર ૧૯); બંધરૂપ થવામાં પરસ્પર નિમિત્ત છે (સૂત્ર ૩૩).
નોંધઃ- સ્નિગ્ધતા અને રુક્ષતાના અનંત અવિભાગપ્રતિચ્છેદ થાય છે. તેમાંના એક અવિભાગી અંશને ‘ગુણ’ કહે છે, એમ અહીં ‘ગુણ’ શબ્દનો અર્થ છે.
દરેક દ્રવ્ય ગુણ-પર્યાયાત્મક છે; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત છે; સપ્તભંગસ્વરૂપ છે. એ રીતે દ્રવ્યમાં ત્રિકાળી અખંડ સ્વરૂપ અને દરેક સમયે વર્તતી અવસ્થા-એમ બે
Page 365 of 655
PDF/HTML Page 420 of 710
single page version
૩૬૪ ] [ મોક્ષશાસ્ત્ર પડખાં પડે છે. વળી પોતે પોતાથી અસ્તિરૂપ છે. અને પરથી નાસ્તિરૂપ છે. તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય બધું *અનેકાંતાત્મક (-અનેક ધર્મરૂપે) છે. અપૂર્ણ મનુષ્ય કોઈ પણ પદાર્થનો વિચાર કરતાં આખા પદાર્થને એકી સાથે વિચારમાં લઈ શકે નહિ; પરંતુ વિચારવામાં આવતા પદાર્થનો એક પડખાનો વિચાર કરી શકે અને પછી બીજા પડખાનો વિચાર કરી શકે; એમ તેના વિચારમાં અને કથનમાં ક્રમ પડયા વિના રહે નહિ. તેથી જે વખતે ત્રિકાળી ધ્રુવ પડખાનો વિચાર કરે ત્યારે બીજું પડખું વિચાર માટે મુલતવી રહે. તેથી જેનો વિચાર કરવામાં આવે તેને મુખ્ય અને વિચારમાં જે બાકી રહ્યું તેને ગૌણ કરવામાં આવે. આ પ્રકારે વસ્તુના અનેકાંતસ્વરૂપનો નિર્ણય કરવામાં ક્રમ પડે છે. એ અનેકાંત સ્વરૂપનું કથન કરવા માટે તથા તે સમજવા માટે ઉપર કહેલી પદ્ધતિ ગ્રહણ કરવી તેનું નામ ‘સ્યાદ્વાદ’ છે; અને તે આ અધ્યાયના ૩૨ મા સૂત્રમાં આપી છે. જે વખતે જે પડખાને (અર્થાત્ ધર્મને) જ્ઞાનમાં લેવામાં આવે તેને ‘અર્પિત’ કહેવાય છે, અને તે જ વખતે જે પડખાં અર્થાત્ ધર્મો જ્ઞાનમાં ગૌણ રહ્યા હોય તેને ‘અનર્પિત’ કહેવાય છે. એ રીતે આખા સ્વરૂપની સિદ્ધિ-પ્રાપ્તિ-સાબિતી-જ્ઞાન થઈ શકે છે. તે આખા પદાર્થના જ્ઞાનને પ્રમાણ અને એક પડખાના જ્ઞાનને નય કહે છે અને ‘સ્યાત્ અસ્તિ-નાસ્તિ’ ના ભેદો દ્વારા તે જ પદાર્થના જ્ઞાનને ‘સપ્તભંગી’ સ્વરૂપ કહેવામાં આવે છે.
છ દ્રવ્યોમાંથી જીવ, ધર્મ, અધર્મ આકાશ અને પુદ્ગલ એ પાંચ અસ્તિકાય છે (સૂત્ર ૧, ૨, ૩); અને કાળ અસ્તિ છે (સૂત્ર ૨-૩૯) પણ કાય (-બહુપ્રદેશી) નથી (સૂત્ર ૧).
૧. ‘જીવ’ એક પદ છે અને તેથી તે જગતની કોઈ વસ્તુને-પદાર્થને સૂચવે છે, માટે તે શું છે એ આપણે વિચારીએ. એ વિચારવામાં આપણે એક મનુષ્યનું ઉદાહરણ લઈએ; જેથી વિચારવામાં સુગમતા પડે.
૨. એક મનુષ્યને આપણે જોયો. ત્યાં સર્વ પ્રથમ આપણી દ્રષ્ટિ તેના શરીર ઉપર પડશે, તથા તે મનુષ્ય જ્ઞાનસહિત પદાર્થ પણ છે એમ જણાશે. શરીર છે એમ નક્કી કરવામાં આવ્યું તે ઇન્દ્રિયદ્વારા નક્કી થયું પણ તે મનુષ્યને જ્ઞાન છે એમ જે નક્કી કર્યું તે ઇન્દ્રિયદ્વારા નક્કી કર્યું નથી; કેમકે અરૂપી જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી, પણ તે મનુષ્યના _________________________________________________________________
*અનેકાંત = અનેક + અંત (-ધર્મ) = અનેક ધર્મો.