Pravachan Ratnakar (Gujarati). Gatha: 80-82.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 47 of 210

 

PDF/HTML Page 921 of 4199
single page version

ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. એનું ભાન જેને થયું એવા જ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધા-શાંતિના જે પરિણામ થયા તે એનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. પરંતુ સાથે વ્યવહારનો જે રાગ છે તે એનું કાર્ય અને જ્ઞાન (આત્મા) એનો કર્તા એમ નથી. તથા વ્યવહારના-રાગના પરિણામ કર્તા અને જીવની સ્વપરપ્રકાશક જાણવાની જે પર્યાય તે કાળે થઈ એ તેનું કાર્ય-એમ પણ નથી. જાણવાના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા પોતે છે. આવા જે ધર્મીના જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ તેને રાગ કર્તા થઈને ઉત્પન્ન કરી શકતો નથી. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને ભાન થયું એવા ધર્મી જીવના પરિણમનમાં જે સ્વપરને જાણવા-દેખવાના પરિણામ થયા તેનો તે પોતે કર્તા છે, પણ તે કાળે જે વ્યવહારનો રાગ છે તે રાગ એનો કર્તા છે એમ નથી. બાપુ! આ તો અધ્યાત્મની અંતરની વાત છે. તે કાંઈ વાદવિવાદથી પાર પડે એવી ચીજ નથી.

હવે કહે છે-‘પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતો નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી.’

ઉત્પન્ન કરી શકતું નથી તે નિર્વર્ત્ય, પરિણમાવી શકતું નથી તે વિકાર્ય અને ગ્રહી શકતું નથી તે પ્રાપ્ય-એટલે કે જીવના જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામ તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. અહાહા...! ભગવાન આત્મા અનંત-અનંત-અનંત જ્ઞાન, આનંદ, શાંતિ આદિ શક્તિનો સાગર પ્રભુ છે. એની દ્રષ્ટિ અને આશ્રય થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-શાંતિના પરિણામ થયા તેને આત્મા ઉત્પન્ન કરે છે, તે આત્માનું પ્રાપ્ય છે, પણ તે, તે કાળે જે રાગની મંદતા છે તેનું પ્રાપ્ય નથી. અહા! એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની આદિમાં તે વખતની રાગની મંદતા છે એમ નથી, તેની આદિમાં તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. બાપુ! આ તો પોતે સમજીને અંદર (આત્મામાં) સમાઈ જવાની વાત છે. અંદર જ્ઞાનસ્વરૂપી ચિદાનંદ ભગવાન છે ત્યાં તું જા અને તને અતીન્દ્રિય આનંદની અપૂર્વ અલૌકિક દશા થશે એમ અહીં કહે છે.

જુઓ આ જિનવરનો-જિનેશ્વરદેવનો માર્ગ! ભાઈ! એ તારો જ માર્ગ છે. તુંજ નિશ્ચયથી જિન અને જિનવર છે. જિન અને જિનવરમાં કાંઈ ફરક નથી. ‘જિન અને જિનવરમાં કિંચિત્ ફેર ન જાણ’-એમ શાસ્ત્રમાં આવે છે અહા! આવું પોતાનું માહાત્મ્ય અને મોટપ જેને પર્યાયમાં બેઠી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે. એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની ઉત્પત્તિમાં રાગની કિંચિત્ અપેક્ષા નથી એમ અહીં કહ્યું છે. નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે. અહા! જુઓ તો ખરા! ચારેય બાજુથી એક જ વાત સિદ્ધ થાય છે. ભાઈ! આ સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એ


PDF/HTML Page 922 of 4199
single page version

બહારની પંડિતાઈની ચીજ નથી. આ તો આત્માનો-ચૈતન્ય ભગવાનનો અંતર અનુભવ થઈને પંડિતાઈ પ્રગટે તે માર્ગ છે.

સંસારનો-જન્મમરણની પરંપરાનો અંત આવે એવી આ વાત છે. જેમાં સંસાર અને સંસારનો ભાવ નથી એવી ચીજ પ્રભુ આત્માને દ્રષ્ટિમાં અને અનુભવમાં લેતાં નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે એવા ધર્મીની અહીં વાત લીધી છે. કહે છે કે જ્ઞાનીને મોક્ષમાર્ગની પર્યાયમાં, તેની આદિમાં દ્રવ્ય વસ્તુ આત્મા પોતે છે. રાગ જાણતો નથી માટે રાગ તેની આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને સમકિત આદિને ઉત્પન્ન કરે છે એમ નથી. અહા! કેટલું ચોક્ખેચોક્ખું સ્પષ્ટ કર્યું છે!

લોકો કહે છે કે ‘વ્યવહારથી થાય, વ્યવહારથી થાય’-અહીં કહે છે કે-ના, એમ નથી. વ્યવહારથી થાય એ તો નિમિત્તનું કથન છે. ભાઈ! વીતરાગનાં વચન પૂર્વાપર વિરોધરહિત હોય છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. એટલે કે શુભભાવરૂપ જે રાગ છે તે આત્માની મોક્ષમાર્ગની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી. અંધકાર પ્રકાશને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? રાગ છે તે અંધકાર છે. વ્યવહારરત્નત્રયનો રાગ અંધકાર છે, ભાઈ! નિશ્ચય અને વ્યવહારની જાત જ જુદી છે. એક ચૈતન્યપ્રકાશમય છે, અને બીજું અંધકારમય. ગાથા ૭૨માંરાગનેજડ કહ્યો છે. એનામાં જાણવાની શક્તિ નથી એટલે એને અચેતન જડ કહ્યો છે. એને ચિદ્વિકાર કહો, અંધકાર કહો કે જડ કહો-બધું એક જ છે. અહીં તો એ સિદ્ધ કર્યું છે કે રાગ છે તે પુદ્ગલના પરિણામ છે અને તે શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉત્પન્ન કરી શકતો નથી.

પ્રશ્નઃ– અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ હોય છે એનાથી સમ્યગ્દર્શન થાય છે ને?

ઉત્તરઃ– ભાઈ! ખરેખર એમ નથી. કરણલબ્ધિના પરિણામ હોય છે એનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિની આદિમાં શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેની આદિમાં કરણલબ્ધિના પરિણામ નથી. ગોમ્મટસારમાં આવે છે કે પાંચલબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે. પણ ભાઈ! એ તો પૂર્વે પાંચ લબ્ધિ હતી તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. લબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ એનો અર્થ નથી. અહાહા...! દિવ્યશક્તિનો ભંડાર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા-તે પોતાની પરિણતિમાં બીજાનો (રાગનો) આધાર કેમ લે? અહીં તો સ્પષ્ટ કહે છે કે ભેદરત્નત્રયનો રાગ અભેદરત્નત્રય ઉત્પન્ન કરી શકતો નથી. શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનીને ભેદાભેદરત્નત્રયનો આરાધક કહ્યો છે ત્યાં ખરેખર તે એક નિર્મળ અભેદરત્નત્રયનો જ કરનારો અને સેવનારો એવો આરાધક છે. તે કાળે સાથે જે ભેદરત્નત્રયનો -રાગની મંદતાનો ભાવ છે તેને સહચર વા નિમિત્ત દેખીને ઉપચારથી તેનો સાધક કહ્યો છે એમ સમજવું. બાપુ! આ તો વસ્તુ સ્થિતિની વાત છે.


PDF/HTML Page 923 of 4199
single page version

કેટલાક કહે છે કે-દાન આપો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, શાસ્ત્ર છપાવો, શાસ્ત્ર સસ્તા ભાવે વેચી પ્રચાર કરો-ઇત્યાદિ; તેથી તમારું કલ્યાણ થશે. પરંતુ ભાઈ! એ તો બધા વિકલ્પ છે. આ શ્રવણનો ભાવ છે તે વિકલ્પ છે. એ વિકલ્પની આદિમાં પુદ્ગલ છે, આત્મા નહિ. તેનાથી આત્માનું કલ્યાણ થાય એમ કેમ બને? ગજબ વાત છે! તારી બલિહારી છે. નાથ! નાથ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની-રાગની અપેક્ષા કેમ હોય? તારી ખાણમાં જ પરિપૂર્ણ વીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. (રાગને ભરોસે નહિ થાય).

કેટલાક કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, વીતરાગ સમકિત ન હોય. અરે ભગવાન! શું કહે છે તું આ? સરાગ સમકિત તો કોઈચીજ (સમકિત) જ નથી. એતો આરોપિત ચીજ છે. સમકિતની વીતરાગી પર્યાય જેને પ્રગટ છેએને તે કાળે જે દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો મંદ રાગછે તેને આરોપ કરીને સરાગ સમકિત કહ્યું છે. પણ વીતરાગ સમકિત વિના સરાગ સમકિતની (આરોપની) અસ્તિ કેવી? ભાઈ! આ માન્યતા તારી મોટી ભૂલછે. અંદર ચિદાનંદઘનવસ્તુ વીતરાગસ્વરૂપે વિરાજે છે. તેનો આશ્રય લેતાં ચોથા ગુણસ્થાને સમકિત પ્રગટ થાય છે અને તે વીતરાગી પર્યાય છે. અહીં કહે છે કે-તે કાળે રાગની મંદતા છે માટે સમકિત એનાથી થયું એવું કર્તાકર્મપણું છે જ નહિ. અહો! સંતોએ સત્નો ઢંઢેરો પીટયો છે! આત્મા અકષાયસ્વરૂપ ભગવાન છે. તેને અકષાય પરિણામ થાય તે પોતાના કારણે થાય છે. રાગ મંદ હોય એનાથી અકષાય પરિણામ થાય એમ છે જ નહિ.

પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. રાગ અન્ય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ જીવનું સ્વદ્રવ્ય છે. માટે રાગની દશા, જીવની નિર્મળ દર્શાને ઉત્પન્ન કરે એવો કર્તાકર્મસંબંધ નથી. ભાવ તો ઘણા સૂક્ષ્મ છે; પણ કથન શૈલી સાદી છે. તેથી સમજાય એવી જ આ વાત છે.

* * *

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ પ૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

એકલાં અમૃત ભર્યાં છે આ કળશમાં; શું કહે છે? કે ‘ज्ञानी’ જ્ઞાની તો ‘इमां स्वपरपरिणतिम्’ પોતાની અને પરની પરિણતિને ‘जानन् अपि’ જાણતો પ્રવર્તે છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જેને આત્માનું ભાન થયું છે. જેને ધર્મની વીતરાગી દશા પ્રગટ થઈ છે તેને અહીં જ્ઞાની રહ્યો છે. એ જ્ઞાની પોતાની અને પરની પરિણતિ જાણતો પ્રવર્તે છે. જુઓ, પરિણતિ શબ્દ વાપર્યો છે પણ પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણતો


PDF/HTML Page 924 of 4199
single page version

પ્રવર્તે છે તથા કર્મના (પરના) દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેને જાણતો પ્રવર્તે છે એમ સમજવું. ધર્મી એને કહીએ જે પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. ‘च’ અને ‘पुद्गलः अपि अजानन्’ પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે.

જુઓ, જાણનાર એવો ભગવાન આત્મા પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ દ્રવ્ય-ગુણ- પર્યાયને જાણતો અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતો પ્રવર્તે છે, પણ પરને કરતો પ્રવર્તે છે એમ નથી. રાગને કરતો જ્ઞાની પ્રવર્તે છે એમ નથી. તથા રાગ જ્ઞાનની અવસ્થાને (આત્માને) કરતો પ્રવર્તે છે એમ પણ નથી. અહા! આત્મા સ્વ અને પરને જાણવાની દશામાં પ્રવર્તે છે અને પુદ્ગલ જે રાગ તે સ્વ અને પરને નહિ જાણતું પ્રવર્તે છે.

હવે કહે છે-‘नित्यम् अत्यन्त–भेदात्’ આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, ‘अन्तः’ તે બન્ને પરસ્પરઅંતરંગમાં ‘व्याप्तृव्याप्यत्वम्’ વ્યાપ્યવ્યાપકભાવને ‘कलयितुम् असहौ’ પામવા અસમર્થ છે. એટલે કે રાગની પર્યાય તે વયાપક અને જ્ઞાનની પર્યાય તે વ્યાપ્ય અથવા જ્ઞાનની પર્યાય તે વ્યાપક અને રાગની પર્યાય તે વ્યાપ્ય એમ પરસપર વ્યાપ્યવ્યાપકભાવ અસંભવિત છે. ભાઈ! આ પોતાના હિતની વાત અંતરમાં વિચાર કરીને નક્કી કરવી પડશે.

ધર્મી જીવ પોતાના જ્ઞાન અને આનંદના પરિણામને ઉત્પન્ન કરતો અને જાણતો, તથા રાગાદિને ઉત્પન્ન નહિ કરતો અને જાણતો પ્રવર્તે છે. સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે તે રાગને જાણતું પરિણમ્યું છે તોપણ તે રાગના કારણે જાણવાનું થયું છે એમ નથી. રાગને અને પોતાને જાણતું જ્ઞાન પ્રવર્તે છે તેથી તે રાગનું કર્તા છે અને રાગ એનું કર્મ છે એમ નથી. તથા રાગપરિણામ (પુદ્ગલના પરિણામ) છે તે આત્માની નિર્મળ પર્યાયને (જ્ઞાનને) ઉત્પન્ન કરે છે એમ પણ નથી.

જુઓ, ઊંડે ઊંડે લઈ જાય છે જ્યાં નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ આત્મા વિરાજે છે. કહે છે-ત્યાં જા ને! તને તેથી સુખ થશે. રાગ છે એ તો પુદ્ગલના પરિણામ-દુઃખના પરિણામ છે. તે પરિણામ આત્માની જ્ઞાન અને આનંદની પરિણતિને કેમ કરે? અહા! જે દુઃખ છે તે આનંદની દશાને કેમ કરે? રાગ જે અજાણ છે તે જ્ઞાનની પર્યાયને કેમ ઉત્પન્ન કરે?

શુભોપયોગ છે તે કાંઈ ધર્મ નથી. તે ધર્મનું કારણ પણ નથી, શુભોપયોગ તો અનાદિથી કરે છે. ધર્મ તો ચૈતન્યની નિર્મળ પરિણતિ છે અને તે શુભોપયોગના કારણે થતી નથી. જ્ઞાનની સ્વપરને જાણવાની પર્યાય રાગમાં ભળીને કેવી રીતે થાય? રાગ તો પરદ્રવ્ય છે અને જાણવા-દેખવાની પર્યાય સ્વદ્રવ્યની દશા છે, સ્વદ્રવ્ય છે. પુણ્ય-પાપ અધિકારમાં આવે છે કે આત્માની મોક્ષમાર્ગની પર્યાયમાં દ્રવ્યાતંરનો સહારો નથી.


PDF/HTML Page 925 of 4199
single page version

રાગાદિભાવ દ્રવ્યાતંર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. જ્ઞેયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી.

રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા ૮૨માં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ-અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડયો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. આ પ્રમાણે રાગને અને સ્વપરને જાણનાર પ્રભુ આત્માને અત્યંત ભેદ છે. રાગને અને જ્ઞાનની પર્યાયને પરસ્પર અત્યંત ભેદ હોવાથી તેમને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. રાગ છે તે પુદ્ગલ છે અને જ્ઞાનની નિર્મળ દશા છે તે આત્મા છે. બન્ને ભિન્ન છે. તેથી તેમને વ્યાપ્યવ્યાપકપણું નથી, તેથી કર્તાકર્મપણું પણ નથી.

હવે કહે છે-‘अनयोः कर्तृकर्मभ्रममतिः’ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણં છે એવી ભ્રમબુદ્ધિ ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘तावत् भाति’ ત્યાંસુધી ભાસે છે કે ‘यावत्’ જ્યાંસુધી ‘विज्ञानार्चिः’ વિજ્ઞાનજ્યોતિ ‘क्रकचवत् अदयं’ ક્રકચની જેમ નિર્દય રીતે ‘सद्यः भेदम् उत्पाद्य’ જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને ‘न चकास्ति’ પ્રકાશિત થતી નથી.

રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે ત્યારે તેને પરનું કર્તાકર્મપણું છૂટી જાય છે. શબ્દો તો થોડા છે પણ ભાવ ઘણા ઊચાં અને ગંભીર ભરીદીધા છે. દ્રષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાનજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપુ ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો! શું કળશ અને શું ટીકા! આચાર્યદેવે ગજબ કામ કર્યું છે.

દયા, દાન, વ્રત આદિના ભાવથી આત્મા ભિન્ન છે. માટે વ્રતના જે વિકલ્પ છે


PDF/HTML Page 926 of 4199
single page version

એનાથી અહીં ચારિત્ર પ્રગટ થયું છે એમ નથી. તેમને પરસ્પર કર્તાકર્મપણું છે જ નહિ. ભગવાન આત્મા પોતાના નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે અને તે રાગને પણ કરે એમ નથી. વળી રાગ રાગને કરે અને રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનને પણ કરે એમ પણ નથી. ભાઈ! આ અંતરના મર્મની વાત છે; બહારની પંડિતાઈ આમાં ન ચાલે.

જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને-એટલે રાગથી જ્યાં ભિન્ન પડયો અને ભગવાન આત્માની સન્મુખ થયો કે તરત જ રાગ અને ચૈતન્યની ભિન્નતા થઈ ગઈ અને ચૈતન્યમૂર્તિ ભગવાન પ્રકાશમાં આવ્યો, ચૈતન્યની પરિણતિ પ્રકાશિત થઈ ગઈ. આવે ધર્મ કહેવામાં આવે છે. આ ભગવાન સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મા અને દિગંબર મુનિવરોનાં વચન છે. આવી વાત અન્યત્ર કયાંય છે જ નહિ.

ભાઈ! તું જન્મ-મરણના ચોરાસીના ફેરા રાગની એકતાબુદ્ધિના કારણે કરી રહ્યો છે. તે રાગથી ભિન્ન પડી સ્વભાવસન્મુખ થતાં અવતાર થતા નથી. તિર્યંચ પણ સ્વભાવને પકડીને સમ્યગ્દર્શન પામે છે. નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે પણ આત્માના સ્વભાવને પકડી અનુભવ કરતાં તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને તે સંવર છે; તથા જેના આશ્રયે સ્વાદ આવ્યો તે ચૈતન્યસ્વભાવમય જીવ છે-એમ તેને ભાવ-ભાસન થાય છે. આ અંતરની ચીજ છે તે કાંઈ વાદવિવદાથી પાર પડે એમ નથી. નિયમસારમાં સ્વસમય અને પરસમય સાથે વાદવિવાદે ચઢવાની ના પાડી છે. જેમ ગરીબને બે પાંચ કરોડની નિધિ મળી જાય તો તે પછી પોતાના વતનમાં આવી તે નિધિ એકલો ભોગવે તેમ જ્ઞાનનિધિની પ્રાપ્તિ થઈ હોય તો તેને એકલો ભોગવજે પણ વાદવિવાદ ન કરીશ. કેમકે જીવના કર્મ ઘણા પ્રકારના, જાત પણ ઘણી અને તેમના ઉઘાડ પણ દરેકના ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. માટે આ વાત એના જ્ઞાનમાં ન બેસે તો વાદવિવાદ કરીશ મા.

* કળશ પ૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. શરીર, મન, વાણી, કર્મ ઇત્યીદ જડની દશા સાથે જીવને અજ્ઞાનપણે પણ કર્તાકર્મપણું નથી. અહીં પુદ્ગલ એટલે રાગ સમજવું. વ્યવહારનો જે રાગ છે એનાથી જ્ઞાનસ્વભાવી આત્મા ભિન્ન છે એવું જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જીવ-પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. અહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ નિશ્ચયનો આશ્રય લઈને રાગને જ્યાં જુદો પાડયો ત્યાં શરીર, મન, વાણી ઇત્યાદિનું કર્તાપણું તો કયાંય રહ્યું, અંદર દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ છે તેની સાથે જીવને કર્તાકર્મપણાની બુદ્ધિ ખલાસ થઈ જાય છે.

ત્યારે કોઈવળી એમ કહે છે કે વ્યવહારને આપ સર્વથા હેય કહો છો એ એકાંત છે, મિથ્યાત્વ છે. તેને કહે છે કે વ્યવહારના, દયા, દાન આદિ પુણ્યના પરિણામનો


PDF/HTML Page 927 of 4199
single page version

હું કર્તા અને તે મારું કર્મ એવી જે બુદ્ધિ છે એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. ભાઈ! વ્યવહારના રાગથી ભેદ કરી તેને હેય ગણીને એક નિજ જ્ઞાયકસ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદજ્ઞાન છે. અને ત્યારે જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મપણાનો ભાવ દૂર થાય છે. અરે ભગવાન! આવો જ વીતરાગનો માર્ગ છે.

જુઓને, આજે સવારે કેવો ગમખ્વાર પ્રસંગ બની ગયો? પંદર વર્ષના છોકરાને હડકાયું કુતરું કરડવાથી હડકવા ઉપડયો. રબારીનો દીકરો, હજુ થોડા જ વખત પહેલાં લગ્ન થયેલાં. એનું દુઃખ જોનારા ઊભા ઊભા રડે, પણ પરદ્રવ્યમાં જીવ શું કરી શકે? પરદ્રવ્યમાં તો આત્મા અજ્ઞાનપણે પણ કાંઈ ન કરી શકે. એને બિચારાને સાંકળે બાંધ્યો. અરરર! કેવું દુઃખ! જોયું ન જાય. થોડીવારમાં જ એનો દેહ છૂટી ગયો. દેહ કયાં એનો હતો તે સાથે રહે. ભાઈ! આવાં મરણ જીવે આત્માના ભાન વિના અનંતવાર કર્યાં છે. બાપુ! રાગને પો્રતાનો માની જે રાગમાં અટકયો છે એવા અજ્ઞાનીને વિના ભેદજ્ઞાન આવાં અનંત દુઃખ આવી પડે છે. રાગને હેય કરી જે આત્માને અનુભવે તે ભેદજ્ઞાન છે. પ્રભુ! એ ભેદજ્ઞાન તને શરણ છે. અન્ય કાંઈ શરણ નથી. જે રાગને હેય માની તેની રુચિ છોડે નહિ તેને આત્માની રુચિ કયાંથી થાય? એક મ્યાનમાં બે તલવાર ન રહે, ભાઈ! દયા, દાન, વ્રતાદિનો રાગ હેય છે એમ પ્રથમ હા તો પાડ.

આ શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા-એ બધું ધૂળ-ધાણી છે. એની વાત તો કયાંય રહી, પણ અંદર જે શુભરાગ થાય છે તેથી રુચિ છોડવી પડશે. પ્રભુ! હિત કરવું હોય તો આ જ માર્ગ છે. નહિતર મરીને કયાંય ચાલ્યો જઈશે. અહા! તારાં દુઃખ જે તેં સહન કર્યાં તેને જોનારા પણ રોયા એવાં પારવાર દુઃખ તેં અજ્ઞાનભાવે ભોગવ્યાં છે.

આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસંપદાથી પૂર્ણ ભરેલો અંદર ત્રિકાળ પડયો છે. અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે, ભગવાન! રાગ આસ્રવ અને બંધ તત્ત્વ છે, જ્યારે તું નિરાળો જ્ઞાયક અબંધ તત્ત્વ છે, રાગ અચેતન છે, જ્યારે તું ચૈતન્યમય ભગવાનસ્વરૂપ છે. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદજ્ઞાન છે. પ્રભુ! તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતાં છૂટી જશે. દેહ કયાં તારી ચીજ છે તે સાથે રહે, અને રાગ પણ કયાં તારો છે તે સાથે રહે! આ મારગડા જુદા છે. પ્રભુ! દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં પોતામાં મેળ ખાય એમ છે.

રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થાય ત્યારે જે રાગ છે તેને જાણે તેને વ્યવહાર કહેવાય છે. રાગથી ભેદ પાડયા વિના જે રાગમાં રહે છે એ તો વ્યવહારવિમૂઢ છે. સમયસાર ગાથા ૪૧૩ માં તેને માટે ત્રણ શબ્દો કહ્યા છે. જે અનાદિરૂઢ, વ્યવહારમૂઢ,


PDF/HTML Page 928 of 4199
single page version

નિશ્ચયમાં અનારૂઢ છે તે ભગવાન સમયસારને અનુભવતા નથી એમ ત્યાં કહ્યું છે. અહો! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ભગંવતોએ અપાર કરુણા કરી છે. તેમને કરુણાનો વિકલ્પ ઊઠયો અને કોઈ ધન્ય પળે આ શાસ્ત્રો લખાઈ ગયાં છે. ભવ્ય જીવોનાં મહાભાગય કે આવી ચીજ ભરતમાં રહી ગઈ.

એમાં કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેનાથી જ્ઞાનસ્વરૂપ મારી ચીજ ભિન્ન છે એમ જે જાણે છે તેને જીવ-પુદ્ગલના કર્તા-કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. પુદ્ગલનો અર્થ અહીં રાગ થાય છે. ૭પ મી ગાથામાં જડની દશા અને રાગ એ બધાને પુદ્ગલપરિણામ કહ્યા છે. ધર્મી જીવને ભેદજ્ઞાન થયું છે તેથી રાગ જે થાય તેને તે જાણે છે, પણ રાગ મારુ કાર્ય છે અને હું તેનો કર્તા છું એમ તે માનતો નથી.

જુઓ, એક શેઠ હતા. તેમને રોજ ચુરમાના લાડુ જ ખાવાની ટેવ. એકવાર ઘરમાં જુવાન દીકરાનું મરણ નીપજયું. રોટલા-રોટલી શેઠને જરાય અનુકૂળ નહિ. એટલે ઘરનાં કુટુંબીઓ કહે કે ભાઈ! તમારા સ્વાસ્થ્યને લાડુ સિવાય બીજું કાંઈ અનુકૂળ નથી માટે લાડુ જમો. અહા! એક બાજુ જુવાન દીકરો મરી ગયો છે, આંખમાં આંસુની ધારા છે અને એ ચુરમાના લાડુ ખાય છે. પણ તે વખતે લાડુ ઉપર પ્રેમ નથી. એમ ધર્મીને રાગ આવે પણ એ રાગનો એને પ્રેમ નથી. પરનો પ્રેમ તો હોય જ શેનો? અહાહા...! અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપ અનંત આનંદની સંપદાથી ભરેલો પ્રભુ છે. એની રુચિમાં જ્ઞાનને રાગથી જુદું પાડયું છે તેથી રાગ મારું કર્તવ્ય અને રાગનો હું કર્તા એવી બુદ્ધિ એને ઉડી ગઈ છે. ભાઈ! આ ભવમાં સમજવાનું અને કરવાનું આ છે.

પ્રશ્નઃ– આપ વ્યવહાર બધો કરો છો અને વળી વ્યવહારને હેય પણ કહો છો એ કેવી રીતે છે?

ઉત્તરઃ– અરે ભગવાન વ્યવહાર કોણ કરે? તથાપિ વ્યવહાર આવે તો ખરો ને? ભગવાનનાં પૂજા-ભક્તિ કરવાં, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું ઇત્યાદિ યથાસંભવ હોય તો ખરાં પણ એ બધું હેયબુદ્ધિએ હોય છે એમ વાત છે. જુઓને, કેટલું કહ્યું છે! રાગ સાથે એકતાબુદ્ધિ રહે ત્યાં સુધી રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એવી મિથ્યા માન્યતા હોય છે. પરંતુ રાગથી ભિન્ન પડીને જ્યાં શુદ્ધ આત્માને-ભગવાન જ્ઞાયકને જાણ્યો ત્યાં ભેદજ્ઞાનના કાળમાં જીવ અને પુદ્ગલ એટલે રાગ સાથે એને કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી. ભાઈ! રાગ ધર્મીને હોય ખરો, પણ રાગનો પ્રેમ-આદર એને હોતાં નથી. માટે હે ભાઈ! વ્યવહારથી લાભ (ધર્મ) થશે એવી માન્યતા તું છોડી દે. વ્યવહારની રુચિ જ્યાં લગી છૂટશે નહિ ત્યાં લગી ભેદજ્ઞાન પ્રગટ થશે નહિ.

બંધ અધિકારમાં કળશ ૧૭૩ માં આવે છે કે-“સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે


PDF/HTML Page 929 of 4199
single page version

એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ તો પછી, આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી?” હું બીજાને જીવાડું, મારું, સુખી-દુઃખી કરું-એવો જે અધ્યવસાન છે તે બધોય જિનભગવાનોએ ત્યાગવા યોગ્ય કહ્યો છે. બીજાને જીવાડી શકું, મારી શકું, સુખ-દુઃખના સંયોગ આપી શકું-એવી માન્યતા છે એ તો મિથ્યાત્વ છે કેમકે તું પરનું કાંઈ કરી શકતો જ નથી એ સિદ્ધાંત છે. તારો આ અધ્યવસાન મિથ્યા છે તેથીએ માન્યતા પણ મિથ્યા છે. આચાર્યદેવ કહે છે કે જિનભગવાનોએ અધ્યવસાન સઘળાય ત્યાગવાયોગ્ય કહ્યા છે માટે અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ પરાશ્રયભાવ હોવાથી છોડવ્યો છે. આવી વાત છે ત્યાં બીજી વાત (વ્યવહારથી લાભ થાય એવી વાત) કઈ રીતે કરવી ભાઈ?

શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો પર છે. એને આત્મા નિશ્ચયથી ગ્રહતોય નથી અને છોડતોય નથી. આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે એવી ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની આત્મામાં એક શક્તિ છે. માટે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત છે. માટે પરના ગ્રહણ-ત્યાગનો જે રાગ છે એ મિથ્યાબુદ્ધિ છે. અહાહા...! અનંતા તીર્થંકરોએ આમ કહ્યું છે. કહ્યુંછે ને કે વ્યવહાર સઘળોય જિનદેવોએ છોડાવ્યો છે તો સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? નિષ્કંપપણે એટલે અતિ દ્રઢપણે પોતાના સ્વરૂપમાં કેમ સ્થિરતા કરતા નથી? પરાશ્રયથી લાભ થશે એ વાત હવે જવા દે ભાઈ! તારો માર્ગ આ એક જ છે પ્રભુ! કે જ્ઞાનાનંદસ્વરૂપ નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તેમાં સ્થિતિ કર.

શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ પણ આ જ કહ્યું છે કે-‘નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.’ હવે આમાં વ્યવહાર આદરણીય છે એ વાત કયાં રહી? પૂર્ણ વીતરાગભાવ ન થાય ત્યાં સુધી નિશ્ચયની સાથે વ્યવહારનો રાગ હોય ખરો, પણ તે આદરણીય છે કે તેનાથી લાભ થાય છે-એમ વાત જ નથી.

પહેલાં સાંભળ્‌યું ન હોય એટલે ઘણાને આ માર્ગ નવો લાગે છે, પણ આ તો અનાદિથી ચાલ્યો આવતો માર્ગ છે. અનંતા જિન ભગવાનોએ કહેલો એ આ જ માર્ગ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પાન ૨પપ પર કહ્યું છે કે- ‘જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.’ અહા! રાગના ભાવમાં જે જાગ્રતપણે ઊભા છે તે નિજકાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વળી ત્યાં કહ્યું છે કે-‘વ્યવહારનય


PDF/HTML Page 930 of 4199
single page version

સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.’ શુભરાગથી આત્માને લાભ થાય, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ વ્યવહારનય કથન કરે પણ એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે એમ ત્યાં કહ્યું છે. માટે એવું શ્રદ્ધાન ત્યાગવું.

જુઓ, રાગના વિકલ્પથી ભિન્ન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એનો અનુભવ થતાં ભેદજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનીને પુદ્ગલ એટલે રાગ સાથે કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી; તથાપિ જ્યાંસુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાંસુધી જીવને અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે. અહા! જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા અને રાગભાવ એ બેની જ્યાંસુધી જીવને એકત્વબુદ્ધિ છે ત્યાંસુધી રાગ મારું કર્તવ્ય અને હું એનો કર્તા એવું અજ્ઞાનપૂર્વક જીવ માને છે. ભાઈ! આ તો સીધી વાત છે. પોતાનો દુરાગ્રહ છોડી દે તો પકડાય એમ છે. આવું અનાદિનું અજ્ઞાન છે તે ભેદજ્ઞાન પ્રગટ કરી દૂર કરવું જોઈએ એમ અહીં આશય છે.

[પ્રવચન નં. ૧૩પ શેષ ૧૩૬, ૧૩૭ * દિનાંક ૨૪-૭-૭૬ થી ૨૬-૬-૭૬]
*

PDF/HTML Page 931 of 4199
single page version

ગાથા ૮૦–૮૧–૮૨

जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह–

जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति।
पोग्गलकम्मणिमित्तं तहेव
जीवो वि परिणमदि।। ८०।।
ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे।
अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण
दोण्हं पि।। ८१।।
एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण।
पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं।। ८२।।
जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति।
पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।। ८०।।
नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव
जीवगुणान्।
अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि।। ८१।।
एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन।
पुद्गलकर्मकृतानां न तु कर्ता
सर्वभावानाम्।। ८२।।

જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્તમાત્રપણું છે તોપણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છેઃ-

જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે;
એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ
તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી;
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.

ગાથાર્થઃ– [पुद्गलाः] પુદ્ગલો [जीवपरिणामहेतुं] જીવના પરિણામના નિમિત્તથી [कर्मत्वं] કર્મપણે [परिणमन्ति] પરિણમે છે, [तथा एव] તેમ જ [जीवः अपि] જીવ


PDF/HTML Page 932 of 4199
single page version

પણ [पुद्गलकर्मनिमित्तं] પુદ્ગલકર્મના નિમિત્તથી [परिणमति] પરિણમે છે. [जीवः] જીવ [कर्मगुणान्] કર્મના ગુણોને [न अपि करोति] કરતો નથી [तथा एव] તેમ જ [कर्म] કર્મ [जीवगुणान्] જીવના ગુણોને કરતું નથી; [तु] પરંતુ [अन्योऽन्यनिमित्तेन] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેના [परिणामं] પરિણામ [जानीहि] જાણો. [एतेन कारणेन तु] આ કારણે [आत्मा] આત્મા [स्वकेन] પોતાના જ [भावेन] ભાવથી [कर्ता] કર્તા (કહેવામાં આવે) છે [तु] પરંતુ [पुद्गलकर्मकृतानां] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [सर्वभावानाम्] સર્વ ભાવોનો [कर्ता न] કર્તા નથી.

ટીકાઃ– ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે’-એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.

ભાવાર્થઃ– જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.

* * *
સમયસાર ગાથા ૮૦–૮૧–૮૨ઃ મથાળું

જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય નિમિત્તપણું છે તોપણ કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે. અહીં અજ્ઞાનીની વાત છે. આગળની ગાથાઓમાં ભેદજ્ઞાનીની વાત હતી. અહીં જીવના પરિણામ કહેતાં વિકારી પરિણામની વાત છે. પહેલાંની ગાથાઓમાં જીવના પરિણામ એટલે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી.

પહેલાં ‘પોતાના પરિણામને જાણતો આત્મા’-એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી; અને‘પુદ્ગલ પરના પરિણામને જાણતું નથી’-એમ કહેલું ત્યાં પણ પરના પરિણામ એટલે જીવના નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. આ વાત ગાથા ૭પ થી ૭૯ સુધીમાં આવી ગઇ છે.


PDF/HTML Page 933 of 4199
single page version

અહીં અજ્ઞાનીની વાત છે. એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને અહીં જીવના પરિણામ કહ્યા છે; અને પુદ્ગલ પરિણામ એટલે જડ કર્મની દશાની વાત છે. તે બન્નેને પરસ્પર નિમિત્તમાત્રપણું છે. એટલે જીવના વિકારી પરિણામ તે પુદ્ગલકર્મના પરિણામનું નિમિત્ત છે અને પુદ્ગલકર્મનો ઉદય તે જીવના રાગ-દ્વેષ પરિણામનું નિમિત્ત છે. છતાં તે બન્નેને કર્તાકર્મપણું નથી એમ કહે છે.

કર્મ બંધાય એમાં જીવનું (વિકારનું) નિમિત્તપણું છે. પણ નિમિત્તપણું એટલે શું? કે નિમિત્ત હોય છે, બસ. નિમિત્ત છે માટે કર્મ બંધાય છે એમ એનો અર્થ નથી. કર્મના પરમાણુઓનો પરિણમન-કાળ છે તેથી તે કર્મરૂપે પરિણમે છે ત્યાર જીવના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે ભિન્નપણે ઉપસ્થિત છે.

પંચાસ્તિકાય ગાથા ૬૨માં એમ કહ્યું છે કે સમય સમયના જીવના વિકારી પરિણામ સ્વયં પોતાના ષટ્કારકથી થાય છે. તેમાં પર કારકોની અપેક્ષા નથી. જીવના વિકારી પરિણામ પોતે પોતાથી-પોતાના ષટ્કારકરૂપ પરિણમન થાય છે એમાં જડકર્મના કારકની બીલકુલ અપેક્ષા નથી. આ વિષય પર વર્ષા પહેલાં ચર્ચા ચાલેલી. તો સામે પક્ષેથી કહે કે એ તો અભિન્ન કારકની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? ભાઇ! વિકારી પરિણામ પોતે પોતાથી સ્વતંત્ર થાય છે એમ એનો અર્થ છે. લોકોને સ્વતંત્રપણું બેસે નહિ એટલે શું થાય? ભાઇ! સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. નિમિત્ત છે માટે જીવ વિકારપણે પરિણમે છે એમ નથી. અહીં તો નિમિત્તપણું છે બસ એટલું જ સિદ્ધ કરવું છે.

* ગાથા ૮૦–૮૧–૮૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે.’

જુઓ કર્મરૂપે પરિણમવાનો પુદ્ગલનો કાળ હતો તેજ વખતે અહીં જીવમાં જે શુભાશુભ રાગના પરિણામ હતા તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તે તેને પરિણમાવ્યા છે એમ નથી. જો નિમિત્ત પરિણમાવી દે તો નિમિત્ત નિમિત્ત રહે નહિ, પણ ઉપાદાન થઇ જાય. કર્મ અને આત્મા બન્ને એક થઇ જાય. અહીં જે જીવ પરિણામ કહ્યા છે તે વિકારી પરિણામની વાત છે. ગાથા ૭પ થી ૭૮માં જે જીવપરિણામ કહ્યા હતા તે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. ત્યાં ભેદજ્ઞાનીના પરિણામની વાત હતી. આ અજ્ઞાનીના પરિણામની વાત છે. જ્યાં જે જે જેમ છે ત્યાં તે તેમ સમજવું જોઇએ. અહીં કહે છે કે જીવના પરિણામને નિમિત્ત કરીને એટલે કે જીવના જે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ છે તેને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. પરમાણુઓ જે


PDF/HTML Page 934 of 4199
single page version

અકર્મ અવસ્થાએ હતા તે કર્મઅવસ્થારૂપે થયા એ પરમાણુઓનો સ્વકાળ છે, એ એની નિજ ક્ષણ છે, જન્મક્ષણ છે. નિમિત્તને લઇને એટલે વિકારને લઇને પુદ્ગલોના પરિણમનનો કાળ થયો છે એમ નથી.

જીવમાં પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ થવાની નિજક્ષણ છે, અને ત્યારે કર્મનો ઉદય કહેવાય છે. જીવને વિકારભાવે પરિણમવાનો કાળ છે ત્યારે કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. કર્મનો ઉદય(નિમિત્ત) હતો માટે જીવમાં રાગ-દ્વેષના વિકારી પરિણામ થવા અથવા માટે જીવને રાગદ્વેષભાવે પરિણમવું પડયું એમ છે જ નહિ. જો એમ હોય તો નિમિત્ત અને ઉપાદાન એટલે કે કર્મ અને જીવ બન્ને એક થઇ જાય.

અહાહા...! આત્મા અદ્ભુત ચૈતન્યચમત્કારરૂપ હીરલો છે. એની જેને કિંમત જણાઇ નથી એ જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષપણે પરિણમે છે. તે વિકારી ભાવનું જ્યારે હાજરપણું છે તે વખતે પુદ્ગલની જે કર્મરૂપ અવસ્થા થાય છે તે પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન છે. ત્યારે કોઇ કહે કે રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મબંધ ન થાત? પણ ભાઇ! એ પ્રશ્ન જ કયાં છે? (એક અવસ્થામાં બીજી અવસ્થાની કલ્પનાનો પ્રશ્ન જ કયાં છે?) અહીં તો એમ વાત છે કે જીવે રાગ-દ્વેષ કર્યા માટે પુદ્ગલને કર્મરૂપે પરિણમવું પડયું એમ છે જ નહિ.

જીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે. અહીં ‘નિમિત્ત કરીને’-એમ શબ્દ વાપર્યો છે. પણ એનો અર્થ શું? નિમિત્ત છે માટે પુદ્ગલ કર્મપણે પરિણમે છે એમ અર્થ નથી. શું એને ખબર છે કે જીવમાં રાગ છે માટે કર્મપણે પરિણમું? અહીં રાગ છે માટે પુદ્ગલો દર્શનમોહપણે પરિણમે છે એમ છે જ નહિ. તે કાળે પરમાણુની લાયકાતથી તે તે કર્મની પર્યાય થાય છે. અને ત્યારે જીવના વિકારી પરિણામ એનું નિમિત્ત કહેવામાં આવે છે.

તેવી રીતે પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. એટલે કે જીવ સ્વયં સ્વાધીનપણે રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્રપણે છે. કર્મનો ઉદય નિમિત્ત છે માટે જીવ રાગદ્વેષપણે પરિણમે છે એમ નથી. તે કાળે જીવને રાગદ્વેષરૂપે થવાનો સ્વકાળ છે અને ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. નિમિત્ત કરીને એટલે કે ત્યાં નિમિત્તપણું છે, હાજરી છે બસ એટલી વાત છે. જુઓ બન્નેનો કાળ એક જ છે. તો પછી આ છે તો આ થયું એમ કયાં રહ્યું? ફકત નિમિત્ત છે એટલી વાત છે. જીવના પરિણામ એક સમયનું સત્ પોતાથી છે. કર્મપરિણામનો ઉત્પાદ થયો માટે છે એમ નથી. અને જીવના રાગદ્વેષના પરિણામનો ઉત્પાદ થયો માટે તે કાળે કર્મના પરિણામ થયા એમ પણ નથી. ‘નિમિત્ત કરીને’ જે કહ્યું છે એનો અર્થ એટલો જ છે કે નિમિત્ત હોય છે.

જેટલા પ્રમાણમાં જીવને રાગદ્વેષ પરિણામ હોય તેટલા પ્રમાણમાં ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. મિથ્યાત્વના પણ અનંત રસ છે. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વનો ભાવ


PDF/HTML Page 935 of 4199
single page version

હોય તેટલા પ્રમાણમાં દર્શનમોહ કર્મ બંધાય છે. છતાં આને લઇને કર્મ બંધાય છે એમ નથી. હવે કહે છે-‘એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોઇને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે. જીવ-પુદ્ગલના પરિણામનો પરસ્પર નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે જીવ વિકાર કરે તે વ્યાપક અને જડ કર્મની અવસ્થા થાય તે વ્યાપ્ય એમ નથી. તે જ પ્રમાણે કર્મનો ઉદય તે વ્યાપક અને જીવના પરિણામ તે એનું વ્યાપ્ય એમ પણ નથી. પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી જીવને પુદ્ગલ પરિણામ સાથે અને પુદ્ગલને જીવપરિણામ સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કર્મનું નિમિત્ત છે તેણે જીવને રાગ કરાવ્યો અને જીવે રાગ કર્યો માટે જડકર્મ બંધાયું-એમ કર્તાકર્મ ભાવનો બન્નેને અરસપરસ અભાવ છે. માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નથી. એકબીજાને નિમિત્તનૈમિત્તિકભાવ છે. અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્ને ના પરિણામ થાય છે. પ્રથમ પોતાની વસ્તુ સ્વતંત્ર છે એની ખબર વિના ધર્મ કેમ થાય? ધર્મ કરનારને પ્રથમ ખ્યાલ હોવો જોઇએ કે અજ્ઞાનભાવે જેટલા વિકારી પરિણામ થાય છે તે મારાથી સ્વતંત્ર થાય છે; અને તે કાળે જડ કર્મની પરિણતિનું કાર્ય પુદ્ગલથી ત્યાં સ્વતંત્ર થાય છે. મને રાગ- દ્વેષ થયા માટે ત્યાં જડકર્મનું પરિણમન થાય છે એમ નથી. પ્રથમ પર્યાયમાં વિકારની સ્વતંત્રતા મારાથી છે અને કર્મની પર્યાયમાં કર્મની સ્વતંત્રતા છે એમ લક્ષમાં આવવું જાઇએ. જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. તેથી એકબીજાના નિમિત્તપણાનો ઉલ્લેખ એટલે કથન હોવા છતાં પરસ્પર કર્તાકર્મભાવ નથી. જીવના રાગ-દ્વેષ કર્મમાં નિમિત્ત હો, તેમ કર્મનો ઉદય જીવના રાગદ્વેષનું નિમિત્ત હો; પરંતુ જીવે જે વિકારી પરિણામ કર્યા તે કર્મબંધનની પર્યાયનો કર્તા છે એમ નથી તથા કર્મનો ઉદય વિકારી ભાવનો કર્તા છે એમ પણ નથી. જીવે પોતાના મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કર્યા ત્યારે પુદ્ગલ સ્વયં સ્વતંત્રપણે કર્મપર્યાયપણે થયા છે. તે જ પ્રમાણે કર્મ પોતે સ્વતંત્રપણે ઉદયરૂપ થયા ત્યારે જીવ સ્વતંત્રપણે મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમ્યો છે. આમ બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. ભાઇ! હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે? પોતાની જે પ્રગટ પર્યાય તે સ્વતંત્ર છે, પરને લઇને નથી.


PDF/HTML Page 936 of 4199
single page version

અને કર્મનું બંધન થાય તે કર્મને લઇને છે, જીવને લઇને નથી. આવી સમયસમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવની સ્વતંત્રતા દ્રષ્ટિમાં નહિ બેસે અને તેને સમ્યગ્દર્શન પ્રગટ નહિ થાય. જે પ્રગટ દશા છે એનો કર્તા પર છે એમ માને એને પર્યાયના સ્વતંત્ર પરિણમનની ખબર નથી. અહીં તો અજ્ઞાનપણામાં જીવ પોતે વિકારી પરિણામનો સ્વતંત્ર કર્તા થઇને તે પરિણામને કરે છે અને એ વાત સિદ્ધ કરી છે. ભેદજ્ઞાન થયા પછી આત્મા રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવી કર્તાકર્મબુદ્ધિ રહેતી નથી.

શ્રી કુંદકુંદાચાર્યદેવની બાર અનુપ્રેક્ષામાં આવે છે કે કર્મના આસ્રવનું (નિમિત્ત) કારણ એવો જે વિકારીભાવ તેના કારણે આત્મા સંસારમાં ડૂબે છે. શુભભાવથી પણ જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે. દયા, દાન આદિ પુણ્યના ભાવ છે તે આસ્રવ છે અને તે મોક્ષનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનની જેટલી બાહ્ય ક્રિયા છે તે સઘળી સંસારમાં રખડવાની ક્રિયા છે. આસ્રવભાવ તો નિંદનીય જ છે, અનર્થનું કારણ છે.

પ્રશ્નઃ– જિનવાણીમાં વ્યવહારને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?

ઉતરઃ– હા, પણ કોને? જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એના મંદરાગના પરિણામને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જેને અનુભવમાં જ્ઞાન અને આનંદની દશા પ્રગટી છે તેના શુભભાવમાં અશુભ ટળ્‌યો છે અને હવે પછી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વનો ઉગ્ર આશ્રય લઇને શુભને પણ ટાળી મોક્ષપદ પામશે તેથી તેના શુભ રાગને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ મિથ્યાદ્રષ્ટિને કે સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ છે જ નહિ.

સમયસાર નાટકમાં પંડિત બનારસીદાસે કહ્યું છે કે છઠ્ઠાગુણસ્થાને પંચમહાવ્રતનો કે સમિતિ, ગુપ્તિ ઇત્યાદિનો જે રાગભાવ થાય તે સંસારપંથ છે, જગપંથ છે.

“તા કારણ જગપંથ ઇત, ઉત સિવમારગ જોર;
પરમાદી જગકો ધુકૈ, અપરમાદી સિવ ઓર.”

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ધારક સાચા સંત મુનિરાજને જે શુભરાગ છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે, મોક્ષપંથ નથી. અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી જે વીતરાગતા પ્રગટી છે તે મોક્ષપંથ છે. અહાહા...! છઠ્ઠેગુણસ્થાને મુનિરાજને જે વ્રતાદિનો વિકલ્પ છે તે જગપંથ છે. ભાઇ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી ઊભો થાય છે, રાગથી નહિ, રાગ તો સંસાર ભણી ઝુકે છે. અહા! જ્ઞાનીને તો રાગ સાથે કર્તાકર્મભાવનો અભિપ્રાય જ નથી, છતાં જે રાગ છે તે જગપંથ છે. આ જિનવચન છે.


PDF/HTML Page 937 of 4199
single page version

પંડિત બનારસીદાસજીએ જિનવાણી વિષે કાવ્ય લખ્યું છે. એમાં કહે છે કે-

‘એસૌ ઓમકારકો અમૂલ ચૂલ મૂલ રસ
બનારસદાસજીકે વદન
વિલાસ હૈ.’

આ ૐકારવાણી-જિનવાણી અમૂલ્ય છે, ચૂલ એટલે મનોહર છે અને સાંભળનારને આનંદરસની દેનારી છે. આ ૐધ્વનિ મુખની શોભા છે.

‘બનારસીદાસ અંગ દ્વાદશ વિચાર યામેં
ઐસે ૐકાર કંઠ પાઠ તોહિ આયો હૈ.’

જે ૐકારધ્વનિમાં બાર અંગના વિચાર ભર્યો છે એ ભગવાનની વાણી એમ કહે છે કે-જીવના વિકારી પરિણામ પોતાથી સ્વતંત્ર થાય છે ત્યારે તે કાળે પુદ્ગલો સ્વયં જડકર્મની પર્યાયપણે પરિણમે છે. વિકારી પરિણામ તેમાં નિમિત્તમાત્ર છે, પરંતુ એ નિમિત્તને લઇને કર્મબંધન થયું છે એમ નથી, કર્તાકર્મભાવ નથી.

તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે છ પ્રકારના પરિણામ જીવ કરે એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એનો અર્થ એ છે કે જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલે કે કર્મબંધનની પરિણતી સ્વકાળે પોતાથી થઇ તો રાગદ્વેષના પરિણામ ત્યાં નિમિત્ત છે-બસ એટલી વાત છે. પરંતુ જીવને રાગદ્વેષ થયા માટે કર્મબંધન થયું એમ નથી. ભાઇ! ૐકાર ધ્વનિમાં આવેલી વાત છે.

કહે છે કે માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે. આત્મા કર્મરૂપ પુદ્ગલના ગુણોને કરતો નથી, તેવી રીતે કર્મ આત્માના રાગદ્વેષાદિ શુભાશુભ ભાવોને કરતું નથી. બન્નેના પરિણામ પરસ્પર નિમિત્તમાત્ર થવાથી જ થાય છે, કર્તા નહિ. જીવના વિકારી પરિણામમાં કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે, કર્તા નહિ.

પ્રશ્નઃ– કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે ને?

ઉત્તરઃ– કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે એ માન્યતા યથાર્થ નથી. શ્રી જયસેનાચાર્યની ટીકામાં (પ્રવચનસાર ગાથા ૪પમાં) આવ્યું છે કે કર્મનો ઉદય હોવા છતાં શુદ્ધ ઉપાદાનપણે આત્મા પરિણમે તો કર્મનો ઉદય છૂટી જાય છે, નવીન બંધ થતો નથી. જીવ સ્વભાવ સન્મુખતા કરે, સ્વમાં ઝુકે તો કર્મનો ઉદય હોવા છતાં કર્મની નિર્જરા થઇ જાય છે. જો કર્મના ઉદયથી બંધ થાય તો સંસારીઓનો કર્મનો ઉદય સદાય રહેતો હોવાથી સદા બંધ જ રહે, મોક્ષ ન થાય; પણ એમ નથી.

હવે કહે છે-‘તે કારણે, જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ


PDF/HTML Page 938 of 4199
single page version

માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.’

જુઓ, જેટલા પ્રમાણમાં રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છતાં રાગ કર્મની અવસ્થાનો કર્તા નથી. આ આંગળી ઊંચી નીચી થાય તે એની પોતાની પર્યાયથી થાય છે, એમાં વિકલ્પ નિમિત્ત છે; પણ વિકલ્પના (નિમિત્તના) કારણે એ કાર્ય ત્યાં જડમાં થયું છે એમ નથી. લોકો માને છે કે-અમે દેશસેવાનાં કામ કરીએ છીએ, સમાજને સુધારી દઇએ છીએ, કુટુંબને ઊંચુ લાવીએ છીએ. પણ એ બધું કોણ કરે, ભાઇ? તને ખબર નથી કે જીવ કર્તા થઇને કદાચિત્ પોતાના વિકારી પરિણામને કરે પણ પરનો કર્તા થઇ શકે નહિ. અજ્ઞાની વિકારી પરિણામ તે મારું કાર્ય એમ માને પણ પરનો કર્તા થઇ શકે નહિ. જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાના વિકારી ભાવનો જીવ કર્તા છે. અહીં વિકારી ભાવ જીવના છે એમ સિદ્ધ કરીને પછી જ્ઞાનભાવ સિદ્ધ કરવો છે.

પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી-એટલે કે વિકારી ભાવ જીવમાં પોતાથી થાય છે. પરને લઇને તે થતો નથી. શાસ્ત્રમાં એમ પણ આવે છે કે સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા નથી. એ તો ત્યાં પર્યાયદ્રષ્ટિ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાની વાત છે. જ્યારે અહીં અજ્ઞાનીની મુખ્યતાથી વાત છે. માટે જીવ અજ્ઞાનપણે પોતાના વિકારી ભાવનો કર્તા છે એમ કહ્યું છે. અહીં વિકારી ભાવનો અજ્ઞાની કર્તા છે એમ સિદ્ધ કરવાની વાત છે.

પરનો કર્તા આત્મા નથી. વળી રાગનો કર્તા જે પોતાને માને તે પણ વાસ્તવમાં જૈન નથી. જે રાગનો કર્તા પોતાને માને તે મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નથી. ધર્મી જૈન તો આનંદનો કર્તા થઇને આનંદને ભોગવે, અનુભવે છે. ભાઇ! જૈન કોઇ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. કહ્યું છે ને કે- ‘જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ,

યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ’

વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. એની જ્યાં દ્રષ્ટિ અને અનુભવ થયો તો જ્ઞાની રાગનો કર્તા થતો નથી, પરંતુ તેનો જાણનાર જ્ઞાતા રહે છે; અને તે જૈન છે.

રાગ સમકિતીને, મુનિને થાય છે ખરો, પણ તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. બારમી ગાથામાં તે આવે છે કે તે તે કાળે જે જે પ્રકારના રાગની દશા છે તેને તે તે પ્રકારે જ્ઞાન પોતાથી જાણે છે. રાગ છે માટે જાણે છે એમ નહિ, પણ પરને પણ જાણવાનું પોતાના જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન છે માટે જાણે છે.


PDF/HTML Page 939 of 4199
single page version

અહીં કહે છે કે-જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે. વિકારી ભાવનો કર્તા કદાચિત્ જીવ છે. કદાચિત્ એટલે જ્યાંસુધી રાગથી ભિન્ન પડી સમ્યગ્દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી અજ્ઞાનભાવે અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે. કદાચિત્ એટલે અજ્ઞાનદશામાં જીવ રાગનો કર્તા છે. (સમ્યગ્દર્શન થયા પછી જ્ઞાની ધર્મી જીવ જ્ઞાન પરિણામનો કર્તા થાય છે).

અરે જીવ! તું કેટકેટલા દુઃખમાં અનાદિથી ઘેરાઇ ગયો છે! ભાવપાહુડમાં તો એમ કહ્યું છે કે-પ્રભુ! અજ્ઞાનના કારણે તારાં એટલાં મરણ થયાં કે તારા મરણના કાળે તારાં દુઃખ જોઇને તારી માતાએ રડીને જે આસું સાર્યાં તે એકઠાં કરીએ તો દરિયાના દરિયા ભરાય. આવા તો મનુષ્યપણાના અનંત ભવ કર્યા. તેમ નરકમાં, સ્વર્ગમાં, ઢોરમાં, તિર્યંચમાં, નિગોદાદિમાં અનંત-અનંત ભવ કર્યા. અહા! દુઃખ જ દુઃખમાં તારો અનંતકાળ નિજસ્વરૂપના ભાન વિના ગયો. અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છેે; તેની દ્રષ્ટિ કરી નહિ અને મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવ કરી કરીને તેં અનંત દુ‘ખ સહ્યાં. એ દુઃખની વાત કેમ કરવી! માટે હે ભાઇ! તું અંતર્દષ્ટિ કર, જિનભાવના ભાવ.

વળી, જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી, જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. માટી પોતાનો ભાવ એટલે ઘડાની પર્યાયને કરે છે, પણ માટી વડે કપડું કરી શકાતું નથી. માટી કર્તા અને કપડું એનું કાર્ય એમ બનતું નથી. કેવું દ્રષ્ટાંત આપ્યું છે! તેમ જીવ વિકારના ભાવને કરે પણ કર્મની પર્યાયને કરે એ અશકય છે. તેમ જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ કરાવો અશકય છે. સીમંધર ભગવાનની પૂજામાં આવે છે કે-

‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઇ;
અગ્નિ સહૈ ઘનઘાત, લોહકી સંગતિ પાઇ.’

એકલી અગ્નિને કોઇ મારતું નથી, પણ લોહનો સંસર્ગ કરે તો અગ્નિને ઘણના ઘા ખાવા પડે છે. તેમ એકલો આત્મા, પરનો સંબંધ કરી રાગ-દ્વેષ ન કરે તો દુઃખને પાપ્ત ન થાય. પણ નિમિત્તના સંગે પોતે રાગ દ્વેષ કરે તો ચારગતિના દુઃખના ઘણ ખાવા પડે, ચારગતિમાં રઝળવું પડે. અરે ભાઇ! રાગદ્વેષની એકતાનું અનંત દુઃખ છે અને એવાં અનંત દુઃખ તેં ભોગવ્યાં છે.

અહીં તો સ્પષ્ટ વાત છે કે આત્મા પોતાના ભાવને કરતો હોવાથી વિકારીભાવોનો કર્તા અજ્ઞાનપણે આત્મા છે. પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારીભાવ વડે કર્મબંધન થતું નથી. તેવી જ રીતે જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ


PDF/HTML Page 940 of 4199
single page version

થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ થતો નથી. કર્મને લઇને જીવમાં વિકાર થાય અને વિકારને લઇને કર્મબંધન થાય એમ કેેટલાક માને છે પણ એ યથાર્થ નથી.

પંચાસ્તિકાય ગાથા ૬૨માં તો એમ કહ્યું છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં પરના ષટ્કારકની અપેક્ષ નથી. આ વાત સાંભળીને લોકોને ખળભળાટ થઇ જાય છે. તેઓ એમ કહે છે કે કર્મથી વિકાર ન થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય છે. અરે ભાઇ! એમ નથી. વિકાર પર્યાયમાં પોતાથી થાય છે. પરની અપેક્ષા તો નહિ, પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા વિના સ્વતંત્રપણે એક સમયની પર્યાયમાં ષટ્કારકનું પરિણમન થઇને વિકાર સ્વયંસિદ્ધ થાય છે, પરથી નહિ. જેમ માટીથી કપડું ન થાય તેમ કર્મના ઉદયથી વિકાર ન થાય અને વિકારના કારણે કર્મ બંધ ન થાય. જીવના પોતાના વિકારના પરિણમનમાં બીજી ચીજ (કર્મનો ઉદય) નિમિત્ત હો ભલે, પણ નિમિત્તને લઇને વિકાર થયો છે એમ નથી. અહીં પોતામાં પોતાથી વિકાર થયો ત્યાર બીજી ચીજને (કર્મના ઉદયને) નિમિત્ત કહેવામાં આવે છે. વિકાર પરથી થાય એમ જે માને તેને અંદર એકલો આનંદઘન પ્રભુ જ્ઞાનસ્વભાવનો રસકંદ સ્વયંજ્યોતિ ભગવાન પડયો છે એ કેમ બેસે?

અહાહા...! માટી વડે જેમ કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારી ભાવ વડે પરભાવનું કરાવું, કર્મબંધનનું કરાવું અશકય છે. ગજબ વાત છે! સ્થૂળબુદ્ધિવાળાને સમજવું કઠણ પડે. વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ રાગમાં જે હોંશ કરી ઉત્સાહથી રોકાઇ રહ્યો છે તેને અહીં કહે છે કે ભાઇ! પૂજાના શબ્દોની ભાષાનો કર્તા આત્મા નથી તને શુભભાવનો વિકલ્પ આવે છે માટે ‘સ્વાહા’ ઇત્યાદિ શબ્દો બોલાય છે એમ નથી. ભાઇ! માટી વડે ઘડો થાય, પણ માટી વડે શું કપડું થાય? ન થાય. તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય, પણ પોતાના ભાવ વડે શું પરનો ભાવ થાય? ન થાય. પહેલાં અસ્તિથી કહ્યું છે કે પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાય છે અને હવે નાસ્તિથી કહ્યું કે પોતાના ભાવ વડે પરનો ભાવ કદી કરી શકાતો નથી. ભાઇ! આ આંગળી હલે છે એનો કર્તા આત્મા નથી. ભાષા બોલતી વેળા હોઠ હલે એનો કર્તા આત્મા નથી. એક રજકણની પણ જે સમયે જે પર્યાય થવાની યોગ્યતા છે તે તેનાથી સ્વતંત્રપણે થાય છે, એને આત્મા કરે એમ ત્રણકાળમાં છે નહિ.

અજ્ઞાની જીવ પોતાના રાગ વડે રાગને કરે, પણ રાગ વડે ભાષા કરે કે આંગળી હલાવે એમ છે નહિ. પરમાં લેવા-દેવાનું કાર્ય થયું તે એને રાગ છે માટે થયું એમ નથી. કોઇને અનાજ આપવાનો શુભરાગ થયો માટે એ ભાવથી બીજાને અનાજ આપી શકાય એમ છે નહિ. પરના કાર્યમાં પ્રભુ આત્મા પાંગળો છે, કેમકે તે પરનું કાર્ય કરી શકતો નથી. શુભાશુભભાવ થયો એનાથી કર્મ બંધાયું અને એનાથી ગતિ પ્રાપ્ત થઇ એમ વ્યવહારથી કહેવાય છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી.