PDF/HTML Page 21 of 57
single page version
બહારની તો કોઈ ચીજ દુકાન–મકાન–શરીર વગેરે આત્માની નથી, પણ અંદર જે રાગ–
દ્વેષના ભાવ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી, તેનો નાશ કરીને આત્મા મુક્તિ
પામે છે. ભાઈ, તને જડ–શરીરની અને પુણ્યના ઠાઠની કિંમત લાગે છે. તેનો મહિમા
અને રસ તને આવે છે, પણ અનંત સુખથી ભરપૂર, પુણ્ય–પાપ વગરની ને શરીર
વગરની ચીજ એવો જે તારો આત્મા તેની કિંમત, તેનો મહિમા, તેનો રસ અંતરમાં
જગાડ તો ધર્મ થાય ને મુક્તિ મળે. બહારનો મહિમા કરી કરીને તું સંસારમાં રખડયો
પણ જે અનંત જ્ઞાનસમુદ્ર પોતામાં છે તેની સામું જોયું નહીં. અહીં તેને સમજાવે છે કે
ભાઈ! આત્મા તો જ્ઞાનનો સિંધુ છે, જ્ઞાન ને આનંદનો દરિયો આત્મા છે, પણ તે કાંઈ
રાગનો કે પુણ્યનો દરિયો નથી; જડનો ને રાગનો તો ચૈતન્યસમુદ્રમાં અભાવ છે. પણ
જ્ઞાન અને આનંદથી તે ભરેલો છે. આત્માના જ્ઞાન ને આનંદ છે તો પોતામાં–પણ
ભૂલીને શોધે છે બહારમાં; જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધે તો તે મળે. પણ વસ્તુ હોય
ઘરમાં ને શોધે બહાર–તો ક્યાંથી મળે? તેમ ચૈતન્યવસ્તુને ચૈતન્યમાં શોધે તો મળે, પણ
ચૈતન્યવસ્તુને રાગમાં કે જડનાં ઢગલામાં શરીરની ક્રિયામાં શોધે તો ક્્યાંથી મળે?–કદી
ન મળે. જેમ માતા બાળકને તેનાં ગાણાં સંભળાવે તેમ આ જિનવાણીમાતા જીવને તેના
ગુણનાં ગાણાં સંભળાવે છે કે ભગવાન! તું અનંત ગુણનો ભંડાર છો, તું શુદ્ધ છો, તું
બુદ્ધ છો, જ્ઞાનનો સમુદ્ર તું પોતે છો. આવા આત્માને લક્ષગત કરતાં ચૈતન્યસમુદ્ર પોતે
તળીયેથી ઊલ્લસીને પર્યાયમાં જ્ઞાનની ને સુખની ભરતી આવે છે. આવા આત્માની
સમજણનો વેપાર કરવા જેવું છે. સમજણનો વેપાર એટલે કે અંતર્મુખ થઈને આત્માને
સમજવાનો વારંવાર અભ્યાસ કરવો, તે લાભનો વેપાર છે.
સ્વરૂપના વિચાર, અંતરમાં શાંત થઈને વિવેકપૂર્વક કરવા. અને એવા અંર્તવિચાર વડે
આત્માનું સ્વરૂપ સમજતાં સર્વે સિદ્ધાંતનો સાર અનુભવમાં આવી જાય છે. જ્ઞાનનો
સમુદ્ર તો આત્મા પોતે છે; પણ પુણ્ય–પાપની તરણાં જેવી લાગણીઓને પોતાનું સ્વરૂપ
માનીને ભ્રમણાથી તેમાં અટકી રહ્યો છે
PDF/HTML Page 22 of 57
single page version
કોણ મુક્તિ પામે છે?
જેઓ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તેઓ જ મુક્તિ
જેઓ શુદ્ધઆત્માનો અનુભવ નથી કરતા ને પરનો
કેમકે વ્યવહારનો આશ્રય તે પરનો આશ્રય છે, ને પરનો
કારણ છે. માટે બંધથી જેણે છૂટવું હોય તેણે પરાશ્રિત વ્યવહારને
છોડવો.
કેમકે નિશ્ચય તે સ્વદ્રવ્યના આશ્રયે છે, તેનો આશ્રય
કરવો.
PDF/HTML Page 23 of 57
single page version
મહારાષ્ટ્રમાં આકોલાથી ૪પ માઈલ દૂર આવેલ શિરપુર આઠેક હજારની
PDF/HTML Page 24 of 57
single page version
રાગતણું પણ નહીં આલંબન, સ્વયંજ્યોતિ છો આનંદધામ.
રત્નત્રય આભૂષણ સાચું જડ–આભૂષણનું નહીં કામ,
ત્રણલોકના મુગટ સ્વયં છો.....શું છે સ્વર્ણમુગટનું કામ?
PDF/HTML Page 25 of 57
single page version
તરત પારસનગરના પ્રાંગણમાં જૈન ઝંડારોપણ થયું હતું. ઝંડારોપણની ઉછામણી
ભાઈશ્રી ધન્યકુમારજી મોતીરામજી બેલોકર (ઢલાસા) એ લીધી હતી.
ગુજરાતીભાષાઓ સમજવામાં પરસ્પર થોડી કઠિણાઈ હોવા છતાં, હજારો શ્રોતાજનો
એકાગ્રચિત્તે અધ્યાત્મવાણી સાંભળતા હતા. રાત્રે શરૂના બે દિવસ સુંદર અધ્યાત્મચર્ચા
ચાલતી હતી. આ પ્રતિષ્ઠા પ્રસંગે વિશેષ જ્ઞાનપ્રચાર અર્થે ‘જૈનબાળપોથી’ ની મરાઠી
આવૃત્તિની દશહજાર નકલ આબાલ–વૃદ્ધ સૌને ભેટ આપવામાં આવી હતી,–જેનો પ્રારંભ
ગુરુદેવના સુહસ્તે થયો હતો. મહોત્સવના પ્રારંભમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું
પૂજનવિધાન થયું હતું.
પાર્શ્વનાથપ્રભુના થયા હતા. પિતા–માતાની સ્થાપનાનું સૌભાગ્ય ખેરાગઢના શેઠશ્રી
ખેમરાજ કપુરચંદ તથા તેમના ધર્મપત્ની શ્રી ઝનકારીબેનને પ્રાપ્ત થયું હતું આની
ખુશાલીમાં તેમના તરફથી રૂા. ૧૧, ૧૧૧/–શિરપુર પ્રતિષ્ઠાફંડમાં આપવામાં આવ્યા
હતા. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની બોલીમાં પ્રથમ સૌધર્મ ઈન્દ્રની બોલીમાં રૂા. ૨૭, ૦૦૧/–
થયા હતા. ધન્યકુમારજીના ભાઈ મંગલચંદજી મોતીરામજી બેલોકર તથા તેમના
ધર્મપત્ની સૌ. ચેલનાદેવી, તેઓ સૌધર્મ ઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી થયા હતા. પ્રવચન
પછી ઈન્દ્રોનું વિશાળ સરઘસ ધામધૂમથી નગરીમાં ફરીને જિનેન્દ્રદેવના દર્શન–પૂજન
કરવા આવ્યું હતું. બપોરે યાગમંડલ વિધાનદ્વારા ઈન્દ્રોએ નવ દેવતાનું (અરિહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવાણી, જિનાલય, જિનબિંબ–એ નવ પૂજ્ય
દેવોનું) ખાસ પૂજન કર્યું હતું.
મહિમા, સ્ત્રીપર્યાયની હીનતા છતાં તેને જ તીર્થંકરની માતા થવાની મહત્તાનું સૌભાગ્ય,
વગેરેનું વર્ણન થયું, અને છમાસ પછી ભરતક્ષેત્રમાં અવતરનારા ૨૩મા
PDF/HTML Page 26 of 57
single page version
(૨) પાર્શ્વનાથ ભગવાન (૪
PDF/HTML Page 27 of 57
single page version
આશ્ચર્યમાં પડી જતા હતા અને ઉત્સવમાં રથયાત્રા વગેરે સર્વે પ્રસંગે સત્યધર્મ પ્રત્યે...
વીતરાગધર્મ પ્રત્યે...આત્મહિતના માર્ગ પ્રત્યે...સાચા દેવ–ગુરુ પ્રત્યે જે હર્ષોલ્લાસ
આનંદ–ભક્તિ–બહુમાન–અર્પણતા હજાર–હજાર ભક્તોના હૈયામાં ઉછળતા હતા અને
જૈનધર્મના જયજયકારથી આકાશ ગાજતું હતું–તે દ્રશ્ય તીર્થંકરના જીવંત માર્ગને
જગતમાં પ્રસિદ્ધ કરતું હતું...જૈનધર્મનું આવું ગૌરવ દેખીને ધર્મોલ્લાસથી હૃદય ઊછળતું
હતું. આવા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સવારે પ્રવચન પછી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ
સમક્ષ પૂ. બેનશ્રી–બેને સમૂહપૂજન અને ભક્તિ કરાવ્યા હતા....સાધકસંતો દ્વારા થતી એ
જિનોપાસના નિષ્પરિગ્રહી વીતરાગી ભગવાન જ ઝીલી શકે.....ને ભગવાન તો આવા
ભક્તોના જ હોય.–ધન્ય વીતરાગમાર્ગ! ધન્ય તેના દેવ! ને ધન્ય તેના ઉપાસકો.–એમ
અદ્ભુત ભાવો ઉલ્લસતા હતા પારસપ્રભુના ભક્તિ–પૂજનમાં.
ગુરુનું વીતરાગી સ્વરૂપ સમજાવતા હતા. બપોરે ઘટ્યાત્રા નીકળી હતી. રાત્રે કારંજા
બાલમંદિરના નાના બાળકોએ (શિક્ષિકાબેનોની ઉત્તમ દોરવણીપૂર્વક) ‘નમસ્કાર
મંત્રનો મહિમા’ અથવા ‘અમરકુમારની અમર કહાની’ નામનો અભિનય કર્યો હતો, તે
ખૂબ જ પ્રશંસનીય, ધર્મપ્રેરક ને વૈરાગ્યપ્રેરક હતો. બાલમંદિરના નાનકડા બાળકો પણ,
જો તેમને ધાર્મિક સંસ્કારો આપવામાં આવે તો કેટલું સુંદર કાર્ય કરી શકે છે ને
ધર્મપ્રભાવનામાં કેટલો મોટો ફાળો આપી શકે છે,–તે આ દ્રશ્યોમાં નજરે દેખાતું હતું.
નાના નાના બાળકો દ્વારા રજુ થતી ધાર્મિકભાવનાઓ દેખીને પંદરહજાર માણસોની
સભા વાહવાહ પોકારી ઊઠી હતી. ભારતભરની જૈન સંસ્થાઓ લાખો બાળકોમાં
ધાર્મિકસંસ્કારોનું સીંચન કરવા કોઈપણ જાતના પ્રતિબંધ વગર મુક્તહૈયે કટિબદ્ધ બને,
તો જૈનધર્મની સૌથી મહાન સેવા થાય. એક મંદિર કે એક મૂર્તિ માટે આપણે જેટલો
પ્રયત્ન કરીએ છીએ તેનાથી હજારગણો પ્રયત્ન આપણા લાખો બાળકોને ધાર્મિકસંસ્કાર
આપવા માટે કરવાની જરૂર છે. આ બાબતમાં કારંજાના કંકુબાઈ શ્રાવિકાશ્રમને અને
અભિનય કરનારા નાનકડા બાલુડાંઓને ધન્યવાદ! (“અમરકુમારની અમર કહાની’
નો ટૂંકસાર આગામી અંકમાં આપીશું.)
PDF/HTML Page 28 of 57
single page version
છવાઈ ગયો...ઘંટનાદ થયા....વાજાં વાગ્યા...હજારો લોકોનાં ટોળાએ બનારસી નગરી
તરફ પ્રભુજીનો જન્મોત્સવ જોવા દોડ્યા...દેવીઓ મંગલ–ગીત ગાતી ગાતી હર્ષાનંદથી
નાચવા લાગી...ઈન્દ્રોનુ ઈન્દ્રાસન કંપી ઊઠયું...અવધિજ્ઞાનથી તીર્થંકરજન્મ જાણીને ઈન્દ્રે
આનંદ પૂર્વક સિંહાસનથી ઊતરીને પ્રભુને નમસ્કાર કર્યા...એ નમસ્કાર દ્વારા પ્રસિદ્ધ કર્યું
કે જગતમાં પુણ્યફળરૂપ આ ઈન્દ્રપદનો મહિમા અમને નથી પણ ધર્મતીર્થના પ્રણેતા
એવા તીર્થંકરનો અપાર મહિમા છે, એટલે હે જીવો! તમે પુણ્ય કરતાં વીતરાગધર્મને
શ્રેષ્ઠ જાણીને તેની ભક્તિથી ઉપાસના કરો.
થતાં જાણે મોક્ષનો જ સ્પર્શ થયો...એવા આનંદથી તે ઈન્દ્રાણી પણ એકાવતારી બની
ગઈ. પ્રભુને ગોદમાં લઈને ઈન્દ્રને આપ્યા, ઈન્દ્ર તો આશ્ચર્યથી જોઈ જ રહ્યા, ફરી ફરીને
જોઈ જ રહ્યા; એ ક્ષાયકસમ્યગ્દ્રષ્ટિ બાળકને જોતાં એનાં હજાર નેત્રો તૃપ્ત તૃપ્ત થયાં.
અને ઐરાવત ઉપર બિરાજમાન કરીને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી...સવારીનો
શરૂનો ભાગ જ્યારે મેરુ ઉપર પહોંચી ગયો ત્યારે તેનો છેડો હજી મંડપ પાસે હતો.
આખીયે શિરપુરનગરી આ જન્માભિષેકની સવારીથી છવાઈ ગઈ હતી. આશ્ચર્યકારી
હતી એ પ્રભુસવારી, અને અદ્ભુત હતો ભક્તોનો ઉલ્લાસ! પંદર હજાર ભક્તોની
વણઝાર વિધવિધ ભાષામાં સત્યધર્મના એટલે કે દિગંબર જૈનધર્મના જયઘોષ ગજાવતી
હતી,–“પારસપ્રભુના પગલે ચાલવા...ભક્તો સૌ તૈયાર છે; જિનશાસનની રક્ષા કરવા...
શિર દેવા તૈયાર છે”–એવા ધર્મપ્રેમથી નગરી ગાજતી હતી.
જન્માભિષેક શરૂ થયો. અદ્ભુત હતું એ દ્રશ્ય! અદભુત હતો એ જિનેન્દ્રમહિમા! ગામના
ઘણા લોકો સમજતા નહીં હોય કે આ શું થાય છે?–પણ ધર્મનું આ કાંઈક સારૂં કામ
થાય છે એવી ભાવભીની લાગણીથી તેઓ હોંશેહોંશે દર્શન કરતા હતા. શ્રી કાનજી
સ્વામીએ પણ જિનેન્દ્ર અભિષેક કર્યો હતો; એ વખતે જાણે ઉત્તમ ભૂત–ભાવિનું મિલન
થતું હોય એવું દ્રશ્ય હતું. આસપાસના ગામોની જનતાએ ઉલ્લાસથી સવા હજાર જેટલા
કળશો
PDF/HTML Page 29 of 57
single page version
હતી. ચારેકોર આનંદ–ભક્તિ–નૃત્ય અને જયજયકારના મંગલ કોલાહલ વચ્ચે
જન્માભિષેક પૂરો થયો ને ઈન્દ્રાણીએ દિવ્ય વસ્ત્રાભરણથી એ બાલતીર્થંકરને શણગાર્યા;
જિનેન્દ્ર પ્રભુની સવારી મેરુથી પાછી કાશી નગરીમાં આવી પહોંચી. માતાજીની ગોદમાં
તેમના પુત્રને સોંપીને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ આનંદમય નૃત્ય કર્યું, સાથે હજારો ભક્તો
આનંદથી નાચી ઊઠયા.
સમક્ષ દોઢ દોઢ કલાક સુધી પ્રવચન આપી શકે છે, ધાર્મિક પ્રશ્નોના પણ સારા જવાબ
આપે છે. ગુરુદેવ સમક્ષ લગભગ અડધી કલાક તેને વાતચીત થઈ. પંડિતો પણ પ્રસન્ન
થયા. વિશેષતા એ છે કે આ બધું તેને કોઈના શીખવ્યા વગર આવડે છે. તેને એક પ્રશ્ન
એવો પૂછયો કે ભગવાનની પૂજા કરવી તે શું છે? તો કહે કે તે શુભ છે. પછી પૂછયું–
પુણ્ય અને ધર્મમાં શું ફેર? તો કહે કે–શુભ તે પુણ્ય છે, અશુભ તે પાપ છે; પણ મોક્ષમેં
જાનેકે લિયે ઉસકા કોઈ ઉપયોગ નહીં.–આવા નાનકડા સંસ્કારી બાળકો પણ જે પ્રેમથી
જૈનધર્મને ઉપાસી રહ્યા છે તે એક ગૌરવની વાત છે.
હાલરડું ગાતા હતા. રાત્રે પારસકુમારને રાજતિલક કરીને રાજદરબાર ભરાયો હતો.
સમસ્ત જનતા પણ હર્ષવિભોર બની ગઈ હતી. નગરના મુખ્ય આગેવાનોએ સભામાં
આવીને ગુરુદેવનો સત્કાર કર્યો હતો અને એવી ભાવના વ્યક્ત કરી હતી કે મંદિર ઔર
મૂર્તિ જો કિ દિગંબરોંકા હૈ વહ ઉનકો મિલ જાના ચાહિએ. તભી શાંતિ હો સકતી હૈ કિ–
જિસકી જો ચીજ હૈ વહ ઉસકો મિલ જાય.’ અદ્્ભુત ઉત્સાહ દેખીને એક ભાઈએ તો કહ્યું
કે ઐસી ભક્તિ દેખકર પારસપ્રભુઓ ફિર અપને અસલી દિગંબરરૂપકો ધારણ કરના
પડેગા. જો ઉપરનો બનાવટી લેપ ઉખડી જાય તો પ્રભુની પ્રતિમા સ્વયં સાક્ષી આપીને
સાબિત કરી આપશે કે મૈ દિગંબરી હૂં; ઔર રેતી અને ગોબરકી નહીં અપિતુ પાષાણકી
બની હૂઈ હૂં. (અંતરીક્ષ પાર્શ્વનાથનું જે મંદિર છે તેમાં બધી જ વેદીઓમાં
PDF/HTML Page 30 of 57
single page version
મતભેદ છે–જે પ્રતિમા માટે શ્વેતાંબરભાઈઓ કહે છે કે તે રેતી અને છાણની બનેલી છે,
ત્યારે દિગંબરભાઈઓ કહે છે કે તે પાષાણની જ છે. ઉપરનો બનાવટી લેપ દૂર કરવામાં
આવે તો ભગવાનનું અસલી સ્વરૂપ તરત સ્પષ્ટ થઈ જાય અને ઝગડાનો નીકાલ આવી
જાય. વ્યવહારકુશળ જૈનસમાજને માટે આટલી સુગમ વાત પણ કેમ દુર્ગમ બની રહી છે
તે ખેદની વાત છે! અંતરીક્ષ–પાર્શ્વનાથ તરીકે ઓળખાતી આ પ્રતિમા બાબતમાં બીજો
એક ખુલાસો એ છે કે, ભૂતકાળમાં ગમે તેમ હો પણ હાલમાં આ પ્રતિમા જમીનથી ઊંચે
અધરપધર નથી બિરાજતી, જમણા હાથ તરફનો ભાગ તેમજ ડાબી તરફ પાછળનો
થોડોક ભાગ એમ બે ઠેકાણેથી તે જમીનને સ્પર્શેલી છે, બાકીના ભાગમાં પોલાણને લીધે
તે જમીનને સ્પર્શતી નથી. બીજું મંદિર જે પવળી મંદિર તરીકે ઓળખાય છે તે પાંચસો
વર્ષથી વધુ પ્રાચીન છે. તેના થાંભલે થાંભલે પ્રાચીન દિગંબરમૂર્તિઓ કોતરેલી છે, જેમાં
બિરાજમાન બધી મૂર્તિઓ દિગંબર છે, જેના ખોદકામમાંથી નીકળેલી બધી મૂર્તિઓ
(કેટલીક મોટી–મોટી ખંડિત મૂર્તિ છે તે પણ) દિગંબરી જ છે, અને પાંચસો વર્ષ પ્રાચીન
શિલાલેખમાં
કળિકાળ! સો વર્ષનો અહીંનો ઈતિહાસ જાણનારા ને નજરે જોનારા નગરજનો (જેમાં
સો વર્ષ જેવડા વયોવૃદ્ધ પણ છે–) પણ સ્પષ્ટ કહે છે કે મૂળ મંદિર દિગંબરોનું જ છે.
અહીં પહેલેથી દિગંબર જૈનો જ રહે છે. શ્વેતાંબરભાઈઓ તો અહીં હતા જ નહીં, તેઓ
તો પાછળથી આવ્યા છે.
આવે છે ને અયોધ્યાનગરીના વૈભવનું, ત્યાં થયેલ ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થંકરોનું
વર્ણન કરે છે ત્યારે તે સાંભળીને પારસકુમાર વૈરાગ્ય પામે છે.
પંચકલ્યાણક વગેરેમાં ક્્યાંય નથી આવતા, માત્ર ભગવાનની દીક્ષાપ્રસંગે જ આવે છે.)
PDF/HTML Page 31 of 57
single page version
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો!
PDF/HTML Page 32 of 57
single page version
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ જો,
દેહથી ભિન્ન આત્મા અંદર ચૈતન્યમૂર્તિ છે. તેનું ભાન કરવું તે મંગળ છે. જેમ
PDF/HTML Page 33 of 57
single page version
(પાર્શ્વપ્રભુના દશ ભવનું પુસ્તક–કે જે અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ લખવાનું
પ્રારંભ કરેલ છે તે છપાઈને થોડા વખતમાં પ્રસિદ્ધ થશે.)
પ્રસંગ બન્યો. આહારદાનનો લાભ કારંજાના શેઠશ્રી ઋષભદાસજી શાહૂ તથા
સનાવદવાળા શેઠશ્રી કુંવરચંદજીને મળ્યો હતો; હજારો ભક્તોએ અનુમોદના કરી હતી;
અને પછી મુનિરાજના પગલે પગલે તેમની સાથે જઈને શ્રાવકોએ પરમ ભક્તિ કરી
હતી. આવી અદ્ભુત મુનિભક્તિ હૃદયમાં પ્રસન્નતા ઉપજાવતી હતી.
ગુરુદેવ પણ ઉપસ્થિત હતા. શેઠશ્રી તરફથી રૂા. પચીસહજાર ને એક ધર્મશાળા માટેના
ફંડમાં જાહેર કરવામાં આવ્યા હતા; તેમજ મુંબઈવાળા શેઠ કાન્તિભાઈ તરફથી રૂા.
પચીસ હજાર ને એક જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂ. કાનજી સ્વામીએ
જિનભક્તિપૂર્વક ભગવાનશ્રી પાર્શ્વનાથ વગેરે અનેક જિનબિંબો ઉપર મંત્રાક્ષર લખીને
અંકન્યાસ કર્યું હતું. પછી કેવળજ્ઞાનકલ્યાણક તથા સમવસરણ–રચના થઈ હતી. પ્રવચન
બાદ સાહૂ શાંતિપ્રસાદજી શેઠની અધ્યક્ષતામાં તીર્થક્ષેત્ર કમિટિની સભા થઈ હતી; તેમાં
આપણા તીર્થોની રક્ષા માટે, ઉદ્ધાર માટે અને ઉન્નતિ માટે આખા જૈન સમાજે
જાગૃતિપૂર્વક ઘણું કરવાનું છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા
રેડિયોની નાગપુર શાખાના પ્રતિનિધિઓ આ ઉત્સવનો તથા પ્રવચનનો અહેવાલ લેવા
માટે આવ્યા હતા.
પછી તરત જિનાલયોમાં જિનબિંબોનું સ્થાપન થયું હતું. સોનગઢમાં સીમંધર પ્રભુની
પ્રતિષ્ઠાનો દિવસ પણ આજે જ હતો; ને સોનગઢના સંત આજે અહીં જિનેન્દ્ર–પ્રતિષ્ઠા
કરી રહ્યા છે. હજારો ભક્તોના ઉલ્લાસ વચ્ચે ગુરુકહાને સુહસ્તે પારસ પરમાત્માની
પ્રતિષ્ઠા કરી, કમળ ઉપર પાર્શ્વનાથ ભગવાન અત્યંત વીતરાગભાવ
PDF/HTML Page 34 of 57
single page version
PDF/HTML Page 35 of 57
single page version
ઉપર પ્રવચનો થતા હતા; તેમાં સમ્યગ્દર્શન શું અને
શ્રાવકની ભૂમિકામાં સમ્યક્ત્વસહિત કેવા ભાવો હોય,
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ પૂજા–બહુમાન વગેરે કેવા
ભાવો હોય તેનું સુંદર વિવેચન થતું હતું; તેનો થોડો ભાગ
અહીં આપ્યો છે.
એટલી ઉગ્ર થઈ ગઈ છે કે વસ્ત્રધારણ કરવા જેટલો રાગ ત્યાં રહ્યો નથી. આમ છતાં,
મુનિદશામાં થોડા પણ વસ્ત્ર અંગીકાર કરવાનું જે માને તેને વીતરાગી મુનિદશાની
ખબર નથી; મુનિની દશામાં સંવર–નિર્જરા કેટલા તીવ્ર છે, આસ્રવ–બંધ કેટલા મંદ થઈ
ગયા છે, તેની તેને ખબર નથી; એટલે બધા તત્ત્વોમાં તેની ભૂલ છે.
શુભભાવ કેવો હોય? તેનું વર્ણન આ ઉપાસક સંસ્કાર અધિકારમાં છે.
વીતરાગતાને અનુરૂપ તેમની પ્રતિકૃતિ સ્થાપે છે. ભગવાનની પ્રતિમા પણ ભગવાન
જેવી વીતરાગ હોય, તેને વસ્ત્ર–આભૂષણ ન હોય. દિનેદિને પહેલાં પરમાત્માને યાદ
કરીને તેમના દર્શન–પૂજન કરે, એ શ્રાવકનું કર્તવ્ય છે. વીતરાગતા જેને વહાલી છે તે
સૌથી પહેલાં વીતરાગ પરમાત્માને યાદ કરીને પછી બીજા કામમાં જોડાય છે.
સર્વજ્ઞ–વીતરાગની સ્તુતિ કરવાનું મને વ્યસન છે. ધર્મીને સર્વજ્ઞ પરમાત્માનો પ્રેમ
જાગ્યો તે કદી છૂટતો નથી.
PDF/HTML Page 36 of 57
single page version
અભવ્યજીવ–મિથ્યાદ્રષ્ટિજીવ આપને ભજી શક્તા નથી, કેમકે એને સર્વજ્ઞ–
ભગવાનની ભક્તિ–પૂજાનો શુભભાવ આવે છે, પણ તે રાગ તેને અતન્મયપણે આવે
છે, રાગમાં તેને તન્મયબુદ્ધિ નથી, તન્મયબુદ્ધિ તો પોતાના શુદ્ધસ્વરૂપમાં જ છે. પોતાના
શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય કોઈ પરભાવમાં ધર્મી જીવ તન્મયપણું માનતા નથી.
પણ કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવનનો તો વિકલ્પ પણ ધર્મીને આવે નહીં. જોકે સાચા
વીતરાગી દેવગુરુની પૂજા ભક્તિનો ભાવ પણ શુભરાગ છે, તે ધર્મ નથી, તેમ તે રાગ તે
મિથ્યાત્વ પણ નથી; ધર્મીને તેનો ભાવ આવે છે, પણ કુદેવાદિનું સેવન તે તો મિથ્યાત્વ
છે, તેનું સેવન તો શ્રાવકને હોય જ નહીં.
નિર્ગ્રંથગુરુઓને પૂજે છે. મુનિ ન મળે તો?–તો તેમનું સ્મરણ કરીને ભાવના કરવી; પણ
વિપરીતરૂપે મુનિદશા ન માનવી. મુનિદશા મોક્ષની સાક્ષાત્ સાધક, તેનું સ્વરૂપ વિપરીત
ન મનાય. સાચા ગુરુનું એટલે નિર્ગ્રંથ મુનિનું સ્વરૂપ બરાબર ઓળખીને, તેનાથી
વિપરીતની શ્રદ્ધા શ્રાવક છોડે છે. ભલે મુનિ હાજર ન દેખાય પણ તેના સ્વરૂપની શ્રદ્ધા
તો બરાબર કરવી જોઈએ. સાચા મુનિ ન દેખાય તો ગમે તેને મુનિ માની લેવાય
નહીં. સ્વયંભૂરમણ સમુદ્રમાં તો અસંખ્ય માછલા પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક છે;
ત્યાં મુનિ ક્યાં છે?–ભલે ન હો, પણ તેનું સ્વરૂપ જેવું છે તેવું તે સમજે છે, તે વિપરીત
માનતા નથી. અંદરમાં આત્માનું ભાન છે ને સાચા દેવ–ગુરુની સ્થિતિ કેવી હોય તેનું
પણ ભાન છે.
કહ્યો છે (
PDF/HTML Page 37 of 57
single page version
* મેરુ પર્વતથી ઊંચું મધ્યલોકમાં બીજું કાંઈ નથી, તેથી તે જૈનધર્મનું સૌથી
યોજન ઊંચા છે, બીજી બધી બાબતમાં તે સુદર્શન મેરુ જેવા જ લાગે છે; આ
રીતે મુખ્ય મેરુ પર્વતને ચાર નાના ભાઈ છે.
PDF/HTML Page 38 of 57
single page version
ચીમનભાઈ શાહ; આત્મધર્મ વાંચીને બીજે જ દિવસે તેમણે નિબંધ લખી મોકલ્યો એ
તેમની તત્પરતા છે. બીજો નિબંધ લખનાર ગીતાબેન ગાંડાલાલ ચાવડા, તેઓ પણ
ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કર્યા છે તે તેમના લખાણ ઉપરથી જણાઈ આવે છે.
તેવું લખાણ લખી મોકલશો–જેથી અરસપરસ એકબીજાના ઉત્તમ વિચારો જાણીને સૌને
પ્રોત્સાહન મળે. નાના બાળકોનું ટૂંકું લખાણ પણ સ્વીકારવામાં આવશે. મળેલા બધા જ
આ અંકમાં એવા બે નિબંધોનો સાર આપીએ છીએ.
PDF/HTML Page 39 of 57
single page version
સદા ઉદ્યમવંત છે.
પ્રવાહમાં નહીં ખેંચાતા પોતાના આત્માની મસ્તીમાં જ મસ્ત રહે છે.
આપણા ‘આત્મધર્મ’ ના અંકો જ તે સામગ્રીથી ભરપૂર હોય છે.
આવું આનંદમય જીવન એ જ ઉત્તમ જીવન છે.
ઉત્તમ જીવન જીવવાનો સર્વોત્તમ માર્ગ છે.
(આ વ્યવહારશુદ્ધી)
PDF/HTML Page 40 of 57
single page version
અને રાગ–દ્વેષના ત્યાગનો ઉદ્યમ કરીશું.–એમ કરીને વીતરાગભાવરૂપ ઉત્તમ જીવન
જીવશું.
કરીશું. કંદમૂળ વગેરે જે અભક્ષ છે તેનો ત્યાગ કરીશું. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે
જિનદેવે પ્રરૂપેલા સાચા તત્ત્વનો અભ્યાસ કરી આત્માનું સ્વરૂપ સમજશું.–એ જ ઉત્તમ
જીવન જીવવાની રીત છે.
ભાગ્યે મળ્યો છે. તેમાં જો આત્મકલ્યાણ ન કર્યું તો ફરીને તેની પ્રાપ્તિ દુર્લભ છે. માટે
આ અવસરને ન ગુમાવતાં આત્માના સ્વરૂપની ઓળખાણ કરીને જીવનને સફળ કરવું.
પદાર્થો માત્ર જ્ઞેય છે; તેમાં કોઈને અનુકૂળ કે પ્રતિકૂળ માનવા તે જીવની ભૂલ છે.
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જીવને સુખ–દુઃખનાં કારણ નથી. પુણ્યના ફળમાં પણ હર્ષ
ન કરવો, કેમ કે તે આત્માથી ભિન્ન જાત છે, તેમાં પણ સુખ નથી.
રત્નત્રયવડે છોડવા.) વચનવિકલ્પ છોડીને (ગુપ્તિપૂર્વક) અત્યંત નિર્મળ
વીતરાગતાપૂર્ણ ધ્યાન કરવું, આત્મસ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને લીન થવું.
આવું જે જાણે છે તે જ ઉત્તમ જીવન જીવે છે. તેથી કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે–