PDF/HTML Page 21 of 41
single page version

ભગવાન આત્મા બિરાજે છે. તેથી અભેદપણે એમ જ કહ્યું કે શુદ્ધ આત્મા જ દર્શન–
જ્ઞાન–ચારિત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યત્વાદિ શુદ્ધપર્યાય થઈ – એવો ભેદ ન પાડતાં,
આત્મા જ સમ્યક્ત્વ છે – એમ અભેદપણે કહ્યું છે; કેમકે સમ્યક્ત્વાદિ સર્વ પર્યાયોમાં
શુદ્ધ આત્મા જ આશ્રયપણે છે, બીજું કોઈ નહીં. સ્વસન્મુખી પરિણામને સ્વમાં અભેદ
કર્યાં; પરસન્મુખી વ્યવહારને પરમાં અભેદ કર્યો; –આમ સ્વાશ્રય અને પરાશ્રય
ભાવોની (શુદ્ધતાની અને રાગાદિની) સ્પષ્ટ વહેંચણી કરી નાંખી.
હોય કે નવ તત્ત્વના વિકલ્પો? તારા ચારિત્રમાં તારા આત્મામાં રમણતા હોય કે
છકાય જીવોની દયાનો રાગ હોય? રાગમાં – વિકલ્પોમાં – શબ્દોમાં ક્્યાંય તારા
દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી, તારા શુદ્ધ આત્માના આશ્રયમાં જ તારા દર્શન – જ્ઞાન –
ચારિત્ર છે.
* શુદ્ધાત્માના આશ્રય વગર પરાશ્રિત વ્યવહારભાવો કરે તોપણ ત્યાં જ્ઞાન–
હોવાનો નિયમ ટકતો નથી, તેથી પરના આશ્રયરૂપ વ્યવહાર આદરવા જેવો નથી
પણ છોડવા જેવો છે. આ રીતે નિશ્ચયનયવડે વ્યવહારનો નિષેધ જાણો. આવા
શુદ્ધાત્માની સન્મુખતારૂપ નિશ્ચયનયના આશ્રયે મુનિ ભગવંતો નિર્વાણને પામે છે.
વ્યવહાર પણ જેનો ખોટો છે એની તો વાત જ શી? અરે, નિશ્ચયસહિતનો વ્યવહાર
જેની પાસે છે તેને પણ, જેટલા પરાશ્રિત વ્યવહારભાવો છે તે કોઈ મોક્ષનું કારણ
થતા નથી. શુદ્ધાત્માના આશ્રયરૂપ નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે તે જ મોક્ષનું કારણ
થાય છે.
PDF/HTML Page 22 of 41
single page version

શુદ્ધઆત્માનો આશ્રય છે તેથી જ સમ્યગ્દ્રર્શન છે.
શુદ્ધઆત્માનો આશ્રય છે તેથી જ સમ્યગ્જ્ઞાન છે.
શુદ્ધાત્માનો આશ્રય છે તેથી જ સમ્યક્ચારિત્ર છે.
– આવા નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર હોય ત્યાં તેની સાથે કદાચ ભૂમિકાઅનુસાર
હોય, તોપણ તેનું કર્તૃત્વ ધર્મીને નથી, ને તે વ્યવહારના આશ્રયે કાંઈ ધર્મીના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ટક્યા નથી; તે વખતે અંદર તેનાથી પણ પાર જે શુદ્ધાત્માનો આશ્રય છે તે
વ્યવહારના આશ્રયની બુદ્ધિ છોડાવી, – એમ ભગવાનનો ઉપદેશ છે.
રહે? માટે દ્રવ્યદ્રષ્ટિવંત ધર્માત્માને રાગાદિનું અકર્તાપણું જ છે,
સમ્યક્ત્વાદિ નિર્મળભાવનું જ કર્તાપણું છે. શુદ્ધાત્મા હું – એવા
વેદનમાં ‘રાગ તે હું’ એવું વેદન કેમ આવે? શુદ્ધાત્મામાં જેની
દ્રષ્ટિ નથી ને રાગમાં જ જેની દ્રષ્ટિ છે એવા અજ્ઞાનીને જ
પરાશ્રિત ભાવમાં રાગાદિનું કર્તાપણું છે. જ્ઞાનીને શુદ્ધાત્માની
પરમાત્મા વસ્યા છે, તેમાં રાગ રહી શકે નહીં.
PDF/HTML Page 23 of 41
single page version

આનંદથી ભરેલું સરસ છે. જ્ઞાનનો વીતરાગી આનંદરસ એ જ સાચો રસ છે, બાકી
રાગાદિ તો આકુળતાવાળા નીરસ છે. રાગાદિ બંધને અને જ્ઞાનરૂપ આત્માને જુદા
પાડનારું આવું જ્ઞાન જ મોક્ષનું ખરૂં સાધન છે. બીજા કોઈ સાધનથી મોક્ષ પમાતો નથી.
ભેદજ્ઞાનરૂપ પ્રજ્ઞાવડે જ્ઞાન અને રાગની ભિન્નતાનો વારંવાર અભ્યાસ કરી કરીને જ્ઞાન
જ્યાં રાગથી ભિન્ન પડીને અંતર્મુખ સ્વભાવમાં વળ્યું ત્યાં શુદ્ધઆત્માની અનુભૂતિમાં
રાગનું વેદન ન રહ્યું – એનું નામ ભેદજ્ઞાન છે, તે જ પ્રજ્ઞાછીણી છે, ને તે જ મોક્ષનું
સાધન છે.
ઉપાય થતો નથી. શુભભાવથી બીજા વિકલ્પો છોડીને, કર્મબંધથી છૂટવાના વિચારમાં
ચિત્તને રોક્યા કરે ને તેનાથી મોક્ષ થઈ જશે એમ માને, તો કહે છે કે ભાઈ! બંધન
વગરનો જ્ઞાનસ્વરૂપ તારો આત્મા કેવો છે તેને જાણ્યા વગર તારો બંધનથી છૂટકારો
થાય નહીં. કર્મનો વિચાર કરી કરીને જ્ઞાનને તો તેં રાગમાં જ રોકી દીધું છે, એટલે
શુભરાગને મોક્ષનું સાધન માનીને તારી બુદ્ધિ અંધ થઈ ગઈ છે; માત્ર બંધનના શુભ
વિચારથી મુક્તિ થતી નથી, પણ બંધનને છેદવાથી મુક્તિ થાય છે.
PDF/HTML Page 24 of 41
single page version

જાય છે. નિરાકુળ ચૈતન્યસ્વાદરૂપ જ્ઞાન તો હું છું, ને રાગાદિ આકુળસ્વાદરૂપ બંધ તે હું
નથી, બંનેનું સ્વરૂપ અત્યંત જુદું છે. – આ પ્રમાણે જ્ઞાનનો સ્વભાવ અને બંધનો
સ્વભાવ બંનેને જુદા જુદા ઓળખીને ભેદજ્ઞાન કરતાવેત જ પ્રજ્ઞાછીણી એવી જોરદાર
ચેતનસ્વભાવથી બહાર અજ્ઞાનભાવમાં રાખે છે. રાગાદિભાવોને જ્ઞાનપણું નથી તેથી
તેમને અજ્ઞાનમય કહ્યા. એકકોર જ્ઞાનમય આત્મા, અને જ્ઞાનમયભાવથી જુદા તે બધા
અજ્ઞાનમયભાવો – તે આત્માથી તદ્ન જુદા; આવું ભેદજ્ઞાન કરીને બંધનથી જુદા
ચૈતન્યસ્વભાવરૂપ આત્માને અનુભવવો તે જ મોક્ષનું કારણ છે. ભગવાને આવો
મોક્ષનો માર્ગ કહ્યો છે.
ચૈતન્યપણું નથી, તે તો ચૈતન્યથી ભિન્નપણે ચેત્ય છે. આત્મા ચેતક છે, તેનાથી ભિન્નપણે
રાગાદિ ભાવો ચેત્ય છે. જ્ઞાનને અને રાગને ચેતક – ચેત્યપણું છે પણ તેમને એકપણું
નથી, કર્તાકર્મપણું નથી. બંનેની જાત જ તદ્ન જુદી છે. જેમ ચેતન અને જડને એક
જાતપણું નથી, તદ્ન જુદાપણું છે, તેમ જ્ઞાનને અને રાગને પણ એકસ્વભાવપણું નથી,
થઈને પોતાનો જ્ઞાનસ્વભાવપણે અનુભવ કર્યો, ને રાગથી તે છૂટી પડી – તે જ મોક્ષનું
કારણ છે. અજ્ઞાનથી પર્યાયે રાગાદિમાં તન્મયપણું માન્યું હતું ત્યારે તે પર્યાય અંતરના
સ્વભાવથી વિમુખ થઈને પરિણમતી, તે સંસાર હતો. અને જ્યાં રાગાદિથી ભિન્નતા
જાણીને અંતરમાં જ્ઞાનસ્વભાવપણે આત્માને અનુભવમાં લીધો ત્યાં દ્રવ્ય – પર્યાય
એકબીજાની સન્મુખ થયા, જ્ઞાનપર્યાય અંતરમાં એકાગ્ર થઈને પરિણમી, – ને રાગથી
સર્વથા છૂટી પડી, તે મોક્ષનું કારણ છે, અથવા તે જ્ઞાનપર્યાયમાં બંધન નથી તેથી તે
મુક્ત જ છે. ત્યાં જે રાગને બંધન છે તે કાંઈ જ્ઞાનપર્યાયમાં નથી, જ્ઞાનધારા તો તેનાથી
એકવાર ભેદજ્ઞાન કરીને જ્ઞાનનો સ્વાદ તો ચાખ!
PDF/HTML Page 25 of 41
single page version

ચૈતન્ય બંનેના સ્વાદને સર્વથા જુદા જાણીને, ચૈતન્યસ્વાદપણે પોતાને અનુભવમાં
લઈને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં બંધભાવોથી તે છુંટું પડી ગયું, – આવું જ્ઞાન તે જ
મોક્ષનું સાધન છે; બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં. સાધ્ય ને સાધન એક
જાતના હોય, ભિન્ન જાતના ન હોય. જ્ઞાન અને રાગ તે કાંઈ એક જાતનાં નથી.
તેથી રાગ તે ભેદજ્ઞાનનું કે મોક્ષનું સાધન થઈ શકે નહીં.
ત્યાં તે જ્ઞાન કાંઈ પોતાને રાગપણે પ્રસિદ્ધ નથી કરતું, પણ પોતાને રાગથી ભિન્ન
ચેતકપણે તે પ્રસિદ્ધ કરે છે. રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગમાં ભળી જતું નથી.
ચેતક આત્મા તેનું વ્યાપ્ય તો જ્ઞાનચેતના છે, રાગાદિભાવો કાંઈ ચેતકનું વ્યાપ્ય
નથી. જ્ઞાનનો સ્વભાવ તો રાગ વગરનો છે. રાગ વગરનો આત્મલાભ થઈ શકે
છે, એટલે રાગ વગરનો આત્મા અનુભવમાં આવી શકે છે, કેમકે રાગથી ભિન્ન
ચેતનસ્વભાવી આત્મા ચૈતન્ય વગરનો કદી ન રહી શકે; જ્ઞાન વગરનો આત્મા
અનુભવમાં આવી શકે નહીં. આ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા સર્વપ્રકારે રાગ અને
જ્ઞાનને અત્યંત જુદા અનુભવવા તે અરિહંતદેવનો આદેશ છે, તે જ ભવસમુદ્રના
કિનારે આવવાની નૌકા છે.
પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયપણે ભલે તે નીકટ હો, ક્ષેત્રે ભલે નીકટ હો,
પણ ભાવથી તો તે રાગને જ્ઞાનથી તદ્ન જુદાપણું છે. માટે જ્ઞાન અને રાગને
પ્રજ્ઞાછીણીવડે સર્વથા જ છેદવા. રાગના કોઈ અંશને જ્ઞાનમાં જરાય ન ભેળવવો.
રાગથી ભિન્ન એકલા ચૈતન્યસ્વાદપણે આત્માને અનુભવવો, ને રાગાદિ સર્વે
બંધભાવોને જુદા રાખવા, – આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
અનુભવ્યા છે (
PDF/HTML Page 26 of 41
single page version

ઓળખીને પ્રજ્ઞાછીણીવડે જુદા કરી શકાય છે, એટલે અંતર્મુખ પ્રજ્ઞાવડે રાગથી જુદું
જ્ઞાન અનુભવી શકાય છે. આવો અનુભવ તે જ બંધથી છૂટવાનો ને મોક્ષને
પામવાનો ઉપાય છે.
સાંભળ્યું શું કામનું? બાપુ! તું તો ચૈતન્યદીવો છો. દીવો તો પ્રકાશસ્વરૂપ છે, તેના
પ્રકાશમાં કોઈ મલિન વસ્તુ જણાય તોપણ દીવો કાંઈ મેલો નથી, દીવો તો
પ્રકાશસ્વભાવી દીવો જ છે. તેમ ચૈતન્યદીવો આત્મા છે તે તો પ્રકાશસ્વરૂપ જ છે,
તેના જ્ઞાનપ્રકાશમાં કોઈ રાગાદિ બંધભાવો જ્ઞેયપણે જણાય તેથી કાંઈ જ્ઞાન પોતે
રાગાદિરૂપ મેલું થઈ જતું નથી, જ્ઞાનદીવો તો જ્ઞાનસ્વરૂપ જ છે. જ્ઞાનનો સ્વાદ તો
રાગથી જુદી જાતનો ચૈતન્યમય છે. જ્ઞાનના આવા ભિન્નસ્વાદ વડે આત્માને
રાગાદિથી અત્યંત જુદો અનુભવવો તેનું નામ ભગવતીપ્રજ્ઞા છે, તે જ મોક્ષનું સાધન
તો આત્માને જ્ઞાનસ્વભાવપણે જાહેર કરે છે કે આ જાણનાર સ્વભાવ છે તે આત્મા
છે; – પણ તે કાંઈ એમ જાહેર નથી કરતું કે આ રાગ છે તે આત્માનો સ્વભાવ છે.
રાગને તો તે જ્ઞાનથી ભિન્નપણે જાહેર કરે છે. જ્ઞાન અને રાગની આવી ભિન્નતા
જાણવી તે ખરી તીક્ષ્ણબુદ્ધિ છે; બાકી તો બધા જાણપણા થોથાં છે. અરે, એકવાર તો
પ્રજ્ઞાને અંતર્મુખ કરીને રાગથી જુદા જ્ઞાનનો સ્વાદ લે. તારું જ્ઞાન સર્વે બંધભાવોથી
છૂટું તને અનુભવમાં આવશે.
છે, એટલે રાગને પ્રકાશતાં પણ પોતાને જ્ઞાનપણે જ પ્રસિદ્ધ કરે છે, રાગપણે નહિ;
જ્ઞાનમાં ને રાગમાં એકપણું જરાય પ્રતિભાસતું નથી, સર્વથા જુદાપણું જ ભાસે છે.
આનું નામ ભેદજ્ઞાન; આ ધર્મ છે, ને આ જ મોક્ષનું સાધન છે.
બંધથી
PDF/HTML Page 27 of 41
single page version

એટલે કે જ્ઞાનના અનુભવથી જુદું બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં.
અંતર્મુખ સ્વસંવેદનજ્ઞાનવડે રાગથી જુદા જ્ઞાનસ્વાદપણે આત્મા અનુભવાય છે.
આચાર્યદેવ કહે છે કે આવો અનુભવ અમે કર્યો છે; ભિન્નપણું થઈ શકે છે તે તને કહીએ
છીએ. જ્ઞાન અને રાગ વચ્ચે મોટો લક્ષણભેદ છે, મોટી સાંધ છે, તેથી સૂક્ષ્મજ્ઞાનવડે
તેમને જુદા જાણી શકાય છે. જ્ઞાન અને રાગને એકતા નથી પણ સ્વભાવથી ભિન્નતા છે,
તેઓ બંને સાંધ વગરના નથી પણ તેમની વચ્ચે સાંધ છે – તીરાડ છે, તેથી તેમની
ભિન્નતાનો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનવડે થઈ શકે છે. અહો! આવું અંતરનું ભેદજ્ઞાન
ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં જ છે. અંતરમાં આવું ભેદજ્ઞાન કરે ત્યારે તો હજી
સમ્યગ્દ્રર્શન થાય; – પછી મુનિપણું ને કેવળજ્ઞાન તે તો બહુ ઊંચી ચીજ છે. ભાઈ,
તો અલ્પકાળમાં બંધનથી તારો છૂટકારો થઈ જશે.
પરિણમ્યું, – આનું નામ ભેદજ્ઞાન છે, ને આ જ બંધને છેદનારી સૂક્ષ્મ છીણી છે.
કરી નાંખે છે; પોતે રાગાદિ બંધભાવોથી છૂટું પડીને આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
થાય છે. – આવી જ્ઞાનધારારૂપ ભગવતીપ્રજ્ઞા તે પોતે આનંદમય છે, અને તે જ મોક્ષનું
PDF/HTML Page 28 of 41
single page version

કારણ નથી; અંતરમાં ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને
સર્વત્ર સુખનું કારણ છે. જન્મ – જરા – મરણના રોગને
નીવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી
અમૃત વડે જન્મ – મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે
છે. માટે આવા સમ્યગ્જ્ઞાનની તમે આરાધના કરો.
જાણે છે.
ભાવની મર્યાદા નથી. અહો, આ કેવળજ્ઞાનનો અદ્ભુત – અચિંત્ય મહિમા છે. એની
ઓળખાણ કરતાં પણ જીવને જ્ઞાનસ્વભાવની પ્રતીત સહિત, અતીન્દ્રિય સુખના વેદનથી
ભરેલું સમ્યગ્જ્ઞાન પ્રગટે છે, પ્રવચનસારમાં આચાર્યદેવે તેનો ઘણો મહિમા
PDF/HTML Page 29 of 41
single page version

સમ્યગ્જ્ઞાન મતિ–શ્રુતરૂપ છે તેનો પણ અપૂર્વ મહિમા છે, તે પરમ આનંદમય અમૃત છે,
તે મોક્ષને સાધનારું છે.
જ્યારે આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વસંવેદન કરે છે ત્યારે તેમાં મન કે
ઈંન્દ્રિયનું આલંબન રહેતું નથી, તેટલા અંશે સ્વસંવેદનમાં તે પણ પ્રત્યક્ષ છે. તત્ત્વાર્થસૂત્ર
વગેરેમાં જ્યાં મતિ–શ્રુતજ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કહ્યા છે તેમાં એટલું વિશેષ સમજવું
કે નિર્વિકલ્પ અનુભવદશામાં તો તે જ્ઞાનો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અતીન્દ્રિય છે, મન–
ઈન્દ્રિયના અવલંબન વગરના છે. આવું અતીન્દ્રિય આત્મજ્ઞાન ગૃહસ્થને પણ થાય છે.
પણ જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ – સ્વસંવેદનનો કાળ ક્યારેક જ હોય છે. તેથી
તેની વાત મુખ્ય ન કરતાં સામાન્ય વર્ણનમાં મતિ–શ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યા
છે.
થતી વખતે જ્ઞાનમાં આવું અતીન્દ્રિયપણું થયું ત્યારે તે સમ્યક્ થયું તે જ્ઞાન અતીન્દ્રિય
આનંદના વેદનસહિત છે. એ સિવાયના કાળમાં મતિ–શ્રુતજ્ઞાન પરોક્ષ છે. જેમાં
ઈન્દ્રિયોનું નિમિત્ત હોય તે જ્ઞાનથી તો ઈન્દ્રિયના વિષયભૂત રૂપી પદાર્થો જ જણાય. પણ
કાંઈ અરૂપી આત્મા તેનાથી ન જણાય. ભગવાન ચૈતન્યસૂર્ય પોતે પોતાને પ્રકાશે તેમાં
જડ ઈન્દ્રિયનું નિમિત્ત કેવું? અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ છે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. તે
પોતે ઈન્દ્રિયજ્ઞાનવડે જાણતો નથી, તેમજ ઈન્દ્રિયજ્ઞાનવડે તે જાણવામાં આવે તેવો નથી,
મનના અવલંબને પણ તે જણાય તેવો નથી. મનના અવલંબને તો સ્થૂળ પરવસ્તુ
પરોક્ષ જણાય છે.
વેદન થાય છે. તે અતીન્દ્રિય શાંતિના વેદનકાળમાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને ચોથાગુણસ્થાને
પણ જ્ઞાન અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ છે. સ્વ તરફ ઝુકેલું જ્ઞાન એકલા આત્મસાપેક્ષ
હોવાથી પ્રત્યક્ષ છે, તેમાં બીજા કોઈનું અવલંબન નથી. –આવા અતીન્દ્રિય જ્ઞાન વડે જ
મોક્ષમાર્ગ શરૂ થાય છે.
PDF/HTML Page 30 of 41
single page version

રીતે?
એમ કોણે જાણ્યું? આત્માએ કે બીજા કોઈએ? અંધારાને જાણનારો પોતે કાંઈ
આંધળો નથી, એ તો જાગૃત ચૈતન્યસત્તા છે, ને તે જ આત્મા છે. પહેલાંં
ચૈતન્યવસ્તુ કેવી છે તે બરાબર લક્ષગત કરવી જોઈએ; પછી તેનો અત્યંત રસ અને
અત્યંત મહિમા આવતાં, પરિણામ તેમાં એકાગ્ર થઈને, અનુભવમાં તેનો સાક્ષાત્કાર
થાય છે, ‘આ અંધારું છે’ એમ અંધારાને દેખ્યું કોણે? અંધારું પોતે પોતાને નથી
જાણનારો ‘હું અંધારું છું’ એમ નથી જાણતો પણ ‘આ અંધારું છે’ એમ જાણે છે,
એટલે કે અંધારાને જાણનારો અંધારાથી જુદો છે. બસ! આ જાણનાર તત્ત્વ તે જ
આત્મા છે, અને અંતર્મુખ મતિ–શ્રુતજ્ઞાન વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણી
શકાય છે. બાકી આંખ વગેરેથી આત્મા જણાય નહીં. ભાઈ, જે ચૈતન્યસત્તામાં આ
બધું જણાય છે તે તું જ છો. તેને અંદર વિચારમાં લે. અનાદિથી પોતે પોતાની
ચૈતન્યસત્તાનો વિચાર કર્યો નથી. જાણનારો પોતે ‘હું જાણનાર છું’ એમ પોતાના
અસ્તિત્વને જ ન માને – એ આશ્ચર્ય છે.
માટે અંદર ઉદ્યમ કરવો જોઈએ. બહારમાં પાંચ–પચાસ હજાર રૂપિયા મેળવવા માટે
કેટલા પ્રેમથી મહેનત કરે છે? ઘરબાર છોડીને, ખાવાપીવાની મુશ્કેલી વેઠીને પણ પૈસા
કમાવા પરદેશ જાય છે ને દિનરાત મજૂરી કરે છે. તો આ સાદિઅનંત મહાન સુખ દેનારી
પોતાની અદ્ભુત જ્ઞાનલક્ષ્મી કેવી છે? તેને પ્રાપ્ત કરવા, તેનો અનુભવ કરવા, અંતરમાં
પરમસુખ દેનાર છે; બાકી પૈસા વગેરે તો ધૂળ–રજકણ છે, તે કાંઈ તારી લક્ષ્મી નથી ને
તેમાંથી તને કદી સુખ મળવાનું નથી.
એ વ્યાખ્યા
PDF/HTML Page 31 of 41
single page version

વગેરે પરની અપેક્ષાસહિત જે જ્ઞાન થાય તે તો પરોક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં પરનું
અવલંબન હોતું નથી. અરે, જાણવાનો સ્વભાવ પોતાનો, તેમાં વળી પરના આલંબનની
પરાધીનતા કેવી? પરાલંબી પરોક્ષ–જ્ઞાનવડે આત્મા જણાય નહીં. ઈન્દ્રિયાતીત અને
રાગથી પાર એવા સ્વાધીન અતીન્દ્રિય જ્ઞાનવડે આત્મા જણાય છે. સ્વાધીન કહો,
અતીન્દ્રિય કહો કે પ્રત્યક્ષ કહો, તે જ્ઞાન સ્પષ્ટ છે, તેનો આરંભ ચોથા ગુણસ્થાનથી થઈ
જાય છે, ચોથા ગુણસ્થાને સ્વાનુભૂતિમાં સમ્યક્ મતિ– શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ હોય છે, તેમાં
ઈન્દ્રિય કે મન નિમિત્ત નથી. આવું સ્વાનુભવ પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાન આઠ વર્ષની
બાલિકાને પણ થાય છે. તે સમ્યગ્દ્રષ્ટિ બાલિકાને અંતરમાં ધ્યાનકાળે પોતાના જ્ઞાન–
આનંદમય આત્માનું વેદન, રાગ અને ઈન્દ્રિયોની અપેક્ષા વગરનું છે; તે વખતના
સમ્યગ્જ્ઞાનને અધ્યાત્મ શૈલીમાં પ્રત્યક્ષ કહેવાય છે. તે ધ્યાનમાં હોય ત્યારે સ્વાનુભવમાં
પોતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, ત્યારે બહારમાં બીજા બધાનું લક્ષ છૂટી
જાય છે. આ રીતે જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર થઈને અતીન્દ્રિયપણે આત્માને અનુભવે
છે ત્યારે આત્મામાં અતીન્દ્રિય આનંદરસની ધારા ઉલ્લસે છે. સિંહ વગેરે પશુઓમાં પણ
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય તે જીવને આવું પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ્યું હોય છે. તીર્થંકર
પરમાત્માના સમવસરણમાં નાગ ને વાઘ હાથી ને હરણ સિંહ ને સસલાં વગેરે પશુઓ
પણ આવે છે ને તેમાથી ઘણા જીવો આવા આત્માનું સ્વરૂપ ઓળખીને પ્રત્યક્ષ –
અતીન્દ્રિય જ્ઞાનવડે તેનો અનુભવ કરે છે. મહાવીર ભગવાનના આત્માએ સિંહપર્યાયમાં
આવો અનુભવ કર્યો હતો, ને પાર્શ્વનાથ ભગવાનના આત્માએ હાથીની પર્યાયમાં આવો
અનુભવ કર્યો હતો. તે સિંહને તથા હાથીને પણ આવું પ્રત્યક્ષ – અતીન્દ્રિય જ્ઞાન હતું.
અત્યારે પણ આ મધ્યલોકમાં અસંખ્ય પશુઓ આવા આત્મજ્ઞાન સહિત વર્તે છે.
છો. આવા આત્માનું જ્ઞાન કરવાનો આ અવસર છે. લંકાના મહારાજા રાવણનો મુખ્ય
હાથી ‘ત્રિલોકમંડન, ’ , જેને રામચંદ્રજી પોતાની સાથે અયોધ્યા લાવ્યા હતા, તે હાથીને
પણ આવું આત્મજ્ઞાન થયું હતું, તેમ જ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પણ થયુંહતું – એ
પણ આત્મા છે ને! એનામાંય જ્ઞાનશક્તિ ભરેલી છે; તે પોતે સ્વસંવેદનવડે પ્રત્યક્ષ
અનુભવમાં લઈને તેણે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું.
PDF/HTML Page 32 of 41
single page version

કે મનના નિમિત્ત વગર, અમુક મર્યાદિત ક્ષેત્રમાં રહેલા અમુક જ પદાર્થોને તેના અમુક જ
કાળને અને અમુક ભાવોને જ જાણે છે એટલે કે અધૂરા છે; જેટલું જાણે છે તેટલું તો પ્રત્યક્ષ
જાણે છે, પણ અધૂરું જાણે છે તેથી તેને દેશપ્રત્યક્ષ કહેવાય છે. શ્રુતજ્ઞાનમાં તો બધા
પદાર્થોને પરોક્ષ જાણવાની તાકાત છે–એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનમાં ઘણી તાકાત છે, ને
કેવળજ્ઞાન તો અદ્ભુત અચિંત્ય મહિમાવાળું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. સમ્યક્ મતિ –
શ્રુતજ્ઞાન બધા સમ્યગ્જ્ઞદ્રષ્ટિ–સાધકજીવોને હોય છે; અવધિજ્ઞાન કોઈ કોઈ જીવોને હોય છે.
તેમાં દેશઅવધિજ્ઞાન ચારેગતિમાં હોય છે; નરકમાં ને દેવમાં તો બધા સમ્યગ્દ્રષ્ટિને હોય છે,
ને તિર્યંચમાં તથા મનુષ્યમાં કોઈ કોઈ જીવોને હોય છે. વિશેષ અવધિજ્ઞાન (પરમ અવધિ
અને સર્વઅવધિ) તો કોઈ ખાસ મુનિવરોને જ હોય છે; કુઅવધિરૂપ વિભંગજ્ઞાન તો દેવ–
નારકીમાં બધા જીવોને હોય છે; ઘણા તિર્યંચો તેમજ મનુષ્યોને પણ વિભંગ જ્ઞાન હોય છે,
ને તેના વડે અનેક દ્વીપ–સમુદ્ર વગેરેને જાણી શકે છે; પણ મોક્ષમાર્ગમાં તેની કોઈ કિંમત
નથી; તે કાંઈ વીતરાગ વિજ્ઞાન નથી, તે તો અજ્ઞાન છે. સામાન્ય બળદ વગેરે અજ્ઞાની
પ્રાણી પણ જ્ઞાનના કંઈક ઉઘાડ વડે સામાના મનની વાત જાણી લ્યે ત્યાં અજ્ઞાનીઓને
આશ્ચર્ય ઊપજે છે, પણ અતીન્દ્રિય કેવળજ્ઞાનના અદ્ભુત અચિંત્ય સામર્થ્યની તેને ખબર
નથી, અરે! સમ્યગ્દ્રષ્ટિના સ્વસંવેદનમાં અતીન્દ્રિય મતિ–શ્રુતજ્ઞાનની કોઈ અપાર તાકાત
છે તેની પણ તેને ખબર નથી. જ્ઞાન તો કોને કહેવાય? – કે જે રાગથી પાર થઈને
આનંદરસમાં તરબોળ થયું છે – એવું જ્ઞાન તે જ જ્ઞાન છે, તે વીતરાગવિજ્ઞાન છે ને તે
મોક્ષનું કારણ છે. મનઃપર્યયજ્ઞાન પણ કોઈ વિશિષ્ટ ઋદ્ધિધારી મુનિઓને જ હોય છે, ને
તેમાંય વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન તો ચરમશરીરી મુનિવરોને જ હોય છે. કેવળજ્ઞાનરૂપ
મહા પ્રત્યક્ષ જ્ઞાન અરિહંત અને સિદ્ધભગવંતોને હોય છે. –આ રીતે પાંચ પ્રકારનું
સમ્યગ્જ્ઞાન જાણીને તેની આરાધના કરો.
થયું; એટલે બહિરાત્મપણું છોડીને તેઓ અંતરાત્મા થયા, પછી શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં
લીન થઈને ચારિત્રરૂપ મુનિદશા સાધી. તેમાં કોઈને અવધિ–મન: પર્યયજ્ઞાન પ્રગટે છે ને
કોઈને નથી પણ પ્રગટતા; – તેની સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી. પછી
PDF/HTML Page 33 of 41
single page version

કે તેઓ અરિહંત પરમાત્મા થયા. તે પરમાત્મા દિવ્યશક્તિવાળા કેવળજ્ઞાન વડે
ત્રણલોક–ત્રણકાળને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. ‘નમો અરિહંતાણં’ કહેતા આવા
કેવળજ્ઞાનની પ્રતીત સાથે આવવી જોઈએ, તો જ અરિહંતદેવને સાચા નમસ્કાર
થાય. પંચપરમેષ્ઠીમાં અરિહંતભગવાન તથા સિદ્ધભગવાન કેવળજ્ઞાની છે.
સીમંધરભગવાન વગેરે લાખો અરિહંતભગવંતો અત્યારે પણ આ મનુષ્યલોકમાં
વિચરી રહ્યા છે. આવા કેવળજ્ઞાનની પ્રતીત આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક
થાય છે. એવું કેવળજ્ઞાન કેમ થાય? – કે સર્વજ્ઞસ્વભાવી આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક તેનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે, બીજા કોઈ ઉપાયથી
કેવળજ્ઞાન થતું નથી. પહેલાંં સમ્યગ્જ્ઞાન પણ શુભરાગથી નથી થતું પણ રાગ
વગરના આત્માના અનુભવથી જ થાય છે; ને પછી કેવળજ્ઞાન પણ રાગરહિત
આત્માના અનુભવમાં એકાગ્રતારૂપ શુદ્ધપયોગવડે જ થાય છે. – આમ ઓળખે તો
જ કેવળજ્ઞાનને ઓળખ્યું કહેવાય. રાગવડે જ્ઞાન થવાનું માને તેણે કેવળજ્ઞાનને કે
એકકેય જ્ઞાનને ઓળખ્યું નથી; તેણે તો જ્ઞાન અને રાગની ભેળસેળ કરીને
કેવળજ્ઞાનને પણ રાગવાળું માન્યું; કેમકે રાગને કારણ માન્યું તો તેનું કાર્ય પણ
રાગવાળું જ હોય. – પણ જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા જાણીને
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે જ કેવળજ્ઞાનનું કારણ છે – એમ ધર્મી જીવો
જાણે છે, ને તેઓ જ્ઞાન સાથે રાગની જરાપણ ભેળસેળ કરતા નથી;
વીતરાગવિજ્ઞાનવડે તેઓ કેવળજ્ઞાનને અને મોક્ષસુખને સાધે છે.
સન્મુખતાથી જ થાય છે. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં રાગથી જુદો પડ્યો એટલે
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં સર્વજ્ઞની પણ સાચી ઓળખાણ થઈ.
તે જ્ઞાન સાથે રાગ વગરનું વીતરાગી સુખ પણ ભેગું જ છે. સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન
તે રાગથી ભિન્ન કેવળજ્ઞાનની જાતના જ છે, તેઓ કેવળજ્ઞાન સાથે કેલિ કરનારા
છે.
મરણનાં દુઃખોને મટાડનારું ને મોક્ષસુખ દેનારું પરમ અમૃત છે.
PDF/HTML Page 34 of 41
single page version

જ આ ભયાનક દુઃખ દાવાનળને બુઝાવવાનો ઉપાય છે –
ભયંકર આગ ક્ષણમાત્રમાં ઠરી ગઈ. જ્ઞાન થતાં જ કષાયોથી આત્મા જુદો પડી ગયો ને
ચૈતન્યના પરમ શાંતરસમાં મગ્ન થયો. પછી જે અલ્પ રાગાદિ રહ્યા તે તો જ્ઞાનથી
નથી... આવું અપૂર્વ જ્ઞાન તે પરમ મહિમાવંત છે – એમ મુનિનાથે કહ્યું છે.
અનુભવ–દામિની (વીજળી) દમકન લાગી, સુરતિ ઘટા ઘન છાયો;
સાધકભાવ – અંકૂર ઊઠે બહુ જિત–તિત હરષ છવાયો... અબ મેરે સમકિત૦
છે; મોહની ધૂળ હવે ઊડતી નથી; સ્વાનુભવરૂપી વીજળીના ઝબકારા થાય છે, ને ધર્મના
નવીન આનંદમય અંકૂરા ફૂટયા છે. – આમ ધર્મીને સમ્યગ્જ્ઞાનની મેઘવર્ષા
PDF/HTML Page 35 of 41
single page version

એવો અજ્ઞાની મોહના ઊકળાટમાં બળે છે, તેને તો દુષ્કાળ છે. જ્ઞાનની મેઘવૃષ્ટિ
વગર એને શાંતિ ક્્યાંથી થાય? માટે હે જીવ! તું સમ્યગ્જ્ઞાન કર.
પ્રયત્ન નહીં કર તો તને મોક્ષનો અવસર ક્્યાંથી આવશે? સળગતા સુકા વનની
જેમ રાગની ચાહમાં સળગતો આ સંસાર, તેનાથી છૂટવા માટે તારા
ચૈતન્યગગનમાંથી તું સમ્યગ્જ્ઞાનના શાંત જળની મેઘધારા વરસાવ.
ભિન્ન જાણનારૂં સમ્યગ્જ્ઞાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે, ને આત્માને
શાંતિમાં ઠારે છે.
તે જ્ઞાનથી ઓળખાય છે, રાગથી ભિન્ન જ્ઞાનના અચિંત્ય સુખનો સ્વાદ જેણે
ચાખ્યો છે એવા જ્ઞાની જાણે છે કે – જ્ઞાનથી ભિન્ન એવા જે શુભાશુભ
ઈન્દ્રિયવિષયો તેમાં ક્્યાંય મારા સુખનો છાંટોય નથી; તેમાં પરમાં સુખ માનવું તે
મિથ્યાત્વ છે. જ્યાં સુખ ભર્યું છે એવા સ્વવિષયને ભૂલીને, પરવિષયોમાં
સુખબુદ્ધિને લીધે મિથ્યાદ્રષ્ટિ જીવ વિષયકષાયની ભયંકર આગમાં નિરંતર બળી
રહ્યો છે, – દુઃખી થઈ રહ્યો છે. તારા આત્માને દુઃખમાં બળતો બચાવવા માટે હે
જીવ! તું શીઘ્રપણે વિષયોથી ભિન્ન એવા તારા ચૈતન્યઅમૃતના સમુદ્રને દેખ. એક
વહાલો ભાઈ કે બહેન બળતી હોય, કે ઘર સળગતું હોય તો તેને બચાવવા બીજા
બધા કામ પડતા મુકીને કેવી તાલાવેલી કરે છે! તો અહીં વહાલામાં વહાલો એવો
પોતાનો આત્મા ભયંકર ભવદુઃખના અગ્નિમાં બળી રહ્યો છે તેને બચાવવા હે જીવ!
તું શીઘ્ર તાલાવેલી કર... ને સમ્યગ્જ્ઞાન કર. સમ્યગ્જ્ઞાન થતાં આત્મામાં શાંતરસની
અતીન્દ્રિય મેઘધારા વરસશે. આ સમ્યગ્જ્ઞાન જ ભયંકર સંસાર – દાવાનળથી
બચવાનો એકમાત્ર ઉપાય છે. તેથી મુનિવરોએ સમ્યગ્જ્ઞાનને અત્યંત પ્રશંસ્યું છે.
PDF/HTML Page 36 of 41
single page version

શાંતિના શીતળ ફૂવારા ઊછળે છે, તે શાંતિની ધારા વિષય–કષાયના અગ્નિને બુઝાવી દે
છે. સમ્યગ્જ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે જીવને વિષય–કષાય મટે નહિ ને સુખ–શાંતિ
હવે આ ‘શ્રાવણ માસ આવ્યો છે. ’
બ્રાહ્મણો યજ્ઞમાં પશુવધ કરી રહ્યા હતા; નારદે તેમની સાથે
ઝગડો કરીને તેમને પશુવધ કરતા રોક્યા. તે બધાએ ભેગા
થઈને નારદને માર્યા ને પકડ્યા. આ સમાચાર જાણીને
રાવણને ઘણો ક્રોધ થયો કે અરે, આ શું? મારા રાજ્યમાં
જીવઘાત કરે છે? – તેણે હિંસક જીવોને શિક્ષા કરી ને નારદને
નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે લંકેશ! મને ક્ષમા કરો.
અજ્ઞાનીઓના મિથ્યા ઉપદેશથી હું હિંસામાર્ગમાં પ્રવર્ત્યો હતો,
તેમાંથી ઉદ્ધાર કરીને તમે મને અહિંસામય ધર્મમાં જોડ્યો છે.
.... રાજ્યની મદદથી લાખો પશુહિંસાના જાહેર કારખાના
સ્થપાય છે! રે કાળ!
ના; ત્યાં એવા તિર્યંચજીવો હોતાં નથી; નરકમાં જે સિંહ
કે તે નારકીઓએ અથવા પરમાધામી દેવોએ કરેલી વિક્રિયા છે.
પંચેન્દ્રિયતિર્યંચો કે વિકલેન્દ્રિયજીવો ત્યાં હોતા નથી.
PDF/HTML Page 37 of 41
single page version

મહા ખેદખિન્ન થઈને તે ખેદમાં એકાકાર થઈ જાય, હર્ષ–શોકથી જુદા જ્ઞાનને ભૂલી જાય;
સંયોગ ફરતાં જાણે આત્મા જ ખોવાઈ ગયો! – એ તે કાંઈ વીતરાગના ભક્તને શોભે
નહીં, આત્માનું જ્ઞાન છોડીને તેને હર્ષ–શોક થાય નહીં; હર્ષ–શોકથી જ્ઞાન જુદું ને જુદું
રહે એટલે શાંતિનું વેદન રહે. ઘણા કહે છે કે “અરેરે! અમને ક્યાંય શાંતિ નથી! ’ –
પણ બાપુ! તું પોતાને વીતરાગનો ભક્ત અને જિનેશ્વરનો પુત્ર કહેવડાવે અને તને
શાંતિ કેમ નહીં? વિચાર તો ખરો! વીતરાગનો પુત્ર રાગના ફળમાં અટકે નહિ, એ તો
બંનેનો જ્ઞાતા રહીને, પોતાના જ્ઞાનની અપૂર્વ શાંતિને અનુભવે. હર્ષ – શોકથી પાર
આત્માના આનંદનો સ્વાદ તેણે ચાખ્યો છે.
જ્ઞાનરૂપ જ રહ્યો છો. સંયોગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને લક્ષમાં તો લે. તો તને સંયોગમાં
હર્ષ–શોકની બુદ્ધિ છૂટી જશે, ને જ્ઞાનની ભાવનાથી અપૂર્વ શાંતિનું વેદન થતાં સંસારના
જન્મ–મરણના ફંદા મટી જશે. માટે ભેદજ્ઞાન કરીને આવી જ્ઞાનભાવના નિરંતર કરવી –
તે જ જગતમાં સાર છે. તે જ આત્માની સાચી સંપદા છે.
(ચક્રવર્તીના પુત્રો પ્રભુપાસે જઈને જિનદીક્ષા લેતાં કહે છે કે હે દેવ! આ
આપના માર્ગથી જાણ્યું છે. તેને પૂર્ણ સાંધવા માટે અમે જિનદીક્ષા લેવા માંગીએ
છીએ..)’
PDF/HTML Page 38 of 41
single page version

અધિકાર) વંચાય છે. પરમાગમ–મંદિરનું કામકાજ ચાલુ છે. આવતી સાલમાં
એટલે કે બરાબર વીરનિર્વાણ સંવત ૨પ૦૦ માં, પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન
કરવાનો વિચાર છે. તે ઉપરાંત પરમાગમ–મંદિરમાં ભગવાન મહાવીરપ્રભુની
એક મોટી પ્રતિમા પણ બિરાજમાન કરવાનું નકકી કર્યું છે, એટલે પંચકલ્યાણક–
પ્રતિષ્ઠાનો પણ ભવ્ય મહોત્સવ થશે. પ્રતિમાજી માટે જયપુર ઓર્ડર આપેલ છે.
પ્રતિમાજીની નીચેના ભાગમાં જાણે વીરનાથની વાણીનો પ્રવાહ ઝીલીને
કુંદકુંદાચાર્યદેવ સમયસારમાં ભરી રહ્યા છે – એવું દ્રશ્ય આરસમાં કોતરાશે. આ
રીતે ત્રણ શિખરયુક્ત પરમાગમ મંદિર વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રરૂપ રત્નત્રયથી
શોભી ઊઠશે. એ શોભા નીહાળવા મુમુક્ષુઓ આતૂર છે.
આઠ દિવસો, તેમ જ દશલક્ષણી પર્વના દિવસો દરવર્ષની જેમ જ ઉજવાશે.
સોનગઢમાં બાળકોની પાઠશાળા સુંદર નિયમિત ચાલે છે.
પ્રમુખશ્રી ખેતશીભાઈ પોપટભાઈના શુભ હસ્તે થયું છે.
હતું. તેમાં અનેક વિદ્વાન ભાઈઓ આવ્યા હતા, ને હજારો જિજ્ઞાસુઓએ ખૂબ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બાલશિક્ષણવર્ગમાં પણ પ૦૦ જેટલા બાળકો
ભણતા હતા. – આ ઉપરથી બાળકોને મૂળથી જ ધર્મસંસ્કાર કેટલા જરૂરી છે
તેનો ખ્યાલ આવશે. બાળકોના ધર્મશિક્ષણ માટે હવે સૌરાષ્ટ્રે જાગવાની ખાસ
જરૂર છે. વિદિશામાં ૨૦ દિવસ સુધી જાણે જ્ઞાનનો મેળો ભરાયો હતો. સેંકડો
ધાર્મિકશિક્ષકો પણ તૈયાર થઈ રહ્યા છે; મધ્યપ્રદેશમાં ઠેરઠેર ધાર્મિક પાઠશાળાઓ
ચાલુ થઈ રહી
PDF/HTML Page 39 of 41
single page version

મહાન શ્રુતયાત્રા નીકળી હતી. અગાઉ ચાર વખત મહાન શિક્ષણશિબિરોનું
આયોજન થઈ ગયું હતું, આ પાંચમી શિક્ષણશિબિર પણ ખૂબ પ્રભાવશાળી હતી.
અને હવે પછીની શિક્ષણશિબિર ગુજરાતમાં આવતા વર્ષે કરવાનું ભાઈશ્રી
દીવાળીની રજાઓ વખતે કરવાનું આયોજન ભાઈશ્રી ધન્યકુમારજી બેલોકર કરી
રહ્યા છે. શિક્ષણશિબિરો દ્વારા જે મહાન જ્ઞાનપ્રભાવના થઈ રહી છે – તેને માટે
સૌએ પૂ. ગુરુદેવનો ઉપકાર માન્યો છે.
સોનગઢ રહેતા. સ્વર્ગવાસના થોડા જ વખત પહેલાંં પૂ. ગુરુદેવ તેમને દર્શન દેવા
પધાર્યા હતા, ને શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘનનું શ્રવણ કરાવ્યું હતું, તે તેમણે પ્રેમથી
સાંભળ્યું હતું. પૂ. બેનશ્રી–બેન પણ દર્શન દેવા પધાર્યા હતા.
૧૬–૬–૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
PDF/HTML Page 40 of 41
single page version

ગીરનારધામ ઉપર બેઠાબેઠા પૂ. ગુરુદેવે, ભક્તિભીનસ હૃદયે
નેમિનાથ ભગવાનના સ્મરણપૂર્વક લખેલા આ હસ્તાક્ષર છે.
પ્રભુના દર્શન કરવા આવતા. –આ વાત તો ઘણા વાંચકો જાણતા હશે.... પરંતુ એ વખતે
ગીરનાર ઉપર કેટલા અરિહંત ભગવંતોનો મેળો ભરાતો – એની ઘણાને ઓછી ખબર
હશે. નેમિનાથપ્રભુ તો અરિહંતપદે બિરાજતા જ હતા, તેમની સાથે સમવસરણમાં બીજા
પણ અરિહંતભગવંતો બિરાજતા હતા. – કેટલા ખબર છે? બેપાંચ કે પચીસ–પચાસ
નહીં પણ એક હજાર ને પાંચસો કેવળી અરિહંત ભગવંતો ત્યાં બિરાજતા હતા. વાહ!
ગીરનાર ઉપર દોઢ–દોઢહજાર અરિહંતો એક સાથે બિરાજતા હતા, એ વખતે એ દોઢ
જોતાં એ મધુરા દ્રશ્યોની સ્મૃતિ આહ્લાદ જગાડે છે. અહા, ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કે
જ્યાં એકસાથે દોઢ હજાર જિનેન્દ્રભગવંતો આકાશમાં વિચરતાં હતા!