Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Lok Anupreksha, 35 : Lokanu Varnan, 35 : Adholokanu Varnan, 35 : Manushyalokanu Varnan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 15

 

Page 129 of 272
PDF/HTML Page 141 of 284
single page version

background image
વચન પ્રમાણે દુઃખ ઉત્પન્ન થવાના સમયે જે ધર્મના પરિણામ ઉત્પન્ન થાય છે તેને, દુઃખ
ચાલ્યું જવા છતાં પણ, ભૂલી જતા નથી, અને તેથી નિજ પરમાત્માના અનુભવના બળથી
નિર્જરા માટે દ્રષ્ટ
શ્રુતઅનુભૂત ભોગાકાંક્ષાદિરૂપ વિભાવપરિણામના પરિત્યાગરૂપ સંવેગ
વૈરાગ્ય પરિણામોમાં વર્તે છે.
સંવેગ અને વૈરાગ્યનું લક્ષણ કહે છે. ‘धम्मे य धम्मफलह्नि दंसणे य हरिसो य हुंति
संवेगो संसारदेहभोगेसु विरत्तभावो य वैरग्गं ।। (ધર્મમાં, ધર્મના ફળમાં અને દર્શનમાં જે હર્ષ
થાય છે તે સંવેગ છે; સંસાર, દેહ તથા ભોગોમાં જે વિરક્તભાવ છે તે વૈરાગ્ય છે.)’
એ પ્રમાણે નિર્જરા - અનુપ્રેક્ષા પૂરી થઈ. ૯.
હવે, લોક - અનુપ્રેક્ષાનું પ્રતિપાદન કરે છે. તે આ રીતેઅનંતાનંત આકાશના
બિલકુલ મધ્યપ્રદેશમાં ઘનોદધિ, ઘનવાત અને તનુવાત નામના ત્રણ વાયુઓથી વીંટળાયેલો,
અનાદિનિધન, અકૃત્રિમ, નિશ્ચળ, અસંખ્યાતપ્રદેશી લોક છે. તેનો આકાર કહે છેઃ નીચા
મુખે મૂકેલાં અર્ધા મૃદંગ ઉપર આખું મૃદંગ મૂકવામાં આવે છે અને જેવો આકાર થાય
તેવો આકાર લોકનો છે; પરંતુ મૃદંગ ગોળાકાર હોય છે અને લોક ચોરસ છે, એટલો
તફાવત છે. અથવા પગ પહોળા કરીને, કેડ ઉપર હાથ મૂકીને ઊભેલા પુરુષનો જેવો આકાર
હોય છે તેવો લોકનો આકાર છે. હવે તેની જ ઊંચાઈ
લંબાઈવિસ્તારનું કથન કરે છે.
ચૌદ રાજુ ઊંચો, ઉત્તરદક્ષિણ બધે સાત રાજુ પહોળો છે. પૂર્વપશ્ચિમમાં નીચેના ભાગમાં
दुःखे गतेऽपि न विस्मरति ततश्च निजपरमात्मानुभूतिबलेन निर्जरार्थं दृष्टश्रुतानुभूत-
भोगाकांक्षादिविभावपरिणामपरित्यागरूपैः संवेगवैराग्यपरिणामैर्वर्त्तत इति संवेगवैराग्यलक्षणं
कथ्यते‘‘धम्मे य धम्मफलह्मि दंसणे य हरिसो य हुंति संवेगो संसारदेहभोगेसु
विरत्तभावो य वैरग्गं ’’ इति निर्जरानुप्रेक्षागता ।।।।
अथ लोकानुप्रेक्षां प्रतिपादयति तद्यथाअनंतानंताकाशबहुमध्यप्रदेशे
घनोदधिघनवाततनुवाताभिधानवायुत्रयवेष्टितानादिनिधनाकृत्रिमनिश्चलासंख्यातप्रदेशो लोको-
ऽस्ति
तस्याकारः कथ्यतेअधोमुखार्द्धमुरजस्योपरि पूर्णे मुरजे स्थापिते यादृशाकारो भवति
तादृशाकारः, परं किन्तु मुरजो वृत्तो लोकस्तु चतुष्कोण इति विशेषः अथवा प्रसारितपादस्य
कटितटन्यस्तहस्तस्य चोर्ध्वस्थितपुरुषस्य यादृशाकारो भवति तादृशः इदानीं
तस्यैवोत्सेधायामविस्ताराः कथ्यन्तेचतुर्दशरज्जुप्रमाणोत्सेधस्तथैव दक्षिणोत्तरेण सर्वत्र
सप्तरज्जुप्रमाणायामो भवति पूर्वपश्चिमेन पुनरधोविभागे सप्तरज्जुविस्तारः ततश्चाधोभागात्

Page 130 of 272
PDF/HTML Page 142 of 284
single page version

background image
સાત રાજુ પહોળો છે, તે અધોભાગથી પહોળાઈ ક્રમે ક્રમે ઘટતાં જ્યાં મધ્યલોક છે, ત્યાં
એક રાજુ પહોળાઈ રહે છે. પછી મધ્યલોકથી ઊંચે ક્રમે ક્રમે વધે છે અને બ્રહ્મલોકના
અંતે પાંચ રાજુની પહોળાઈ થાય છે, પછી તેનાથી આગળ ફરીથી ઘટે છે અને લોકના
છેડે તે એક રાજુની પહોળાઈવાળો રહે છે. તે જ લોકના મધ્યભાગમાં, ખાંડણિયામાં
વચ્ચોવચ નીચે છિદ્રવાળી એક વાંસની નળી મૂકી હોય તેવી, એક ચોરસ ત્રસ નાડી છે.
તે એક રાજુ લાંબી
- પહોળી અને ચૌદ રાજુ ઊંચી છે. તેના નીચેના ભાગમાં જે સાત રાજુ
છે તે અધોલોક સંબંધી છે. ઊર્ધ્વભાગમાં મધ્યલોકની ઊંચાઈ સંબંધી એક લાખ
યોજનપ્રમાણ સુમેરુ પર્વતની ઊંચાઈ સહિત સાત રાજુ ઊર્ધ્વલોક સંબંધી છે.
હવે પછી, અધોલોકનું કથન કરે છેઃઅધોભાગમાં સુમેરુ પર્વતને આધારભૂત
રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી છે. તે રત્નપ્રભા પૃથ્વીની નીચે નીચે એકેક રાજુપ્રમાણ
આકાશમાં ક્રમપૂર્વક શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને
મહાતમપ્રભા નામની છ ભૂમિ છે. તેની નીચે એક રાજુપ્રમાણ ભૂમિરહિત ક્ષેત્રમાં નિગોદાદિ
પાંચ સ્થાવરો ભર્યા છે. રત્નપ્રભા આદિ પ્રત્યેક પૃથ્વીને ઘનોદધિ, ઘનવાત અને તનુવાત
એ ત્રણ વાયુ આધારભૂત છે એમ જાણવું. કઈ પૃથ્વીમાં કેટલા નરકનાં બિલ (ઉત્પન્ન
થવાનાં સ્થાન) છે તે ક્રમપૂર્વક કહે છે. પહેલી ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ,
ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં નવાણુ હજાર
क्रमहानिरूपेण हीयते यावन्मध्यलोक एकरज्जुप्रमाणविस्तारो भवति ततो मध्यलोकादूर्ध्वं
क्रमवृद्ध्या वर्द्धते यावद् ब्रह्मलोकान्ते रज्जुपञ्चकविस्तारो भवति ततश्चोर्ध्वं पुनरपि हीयते
यावल्लोकांते रज्जुप्रमाणविस्तारो भवति तस्यैव लोकस्य मध्ये पुनरुदूखलस्य मध्याधोभागे
छिद्रे कृते सति निक्षिप्तवंशनालिकेव चतुष्कोणा त्रसनाडी भवति सा चैकरज्जुविष्कम्भा
चतुर्दशरज्जूत्सेधा विज्ञेया तस्यास्त्वधोभागे सप्तरज्जवोऽधोलोकसंबन्धिन्यः ऊर्ध्वभागे
मध्यलोकोत्सेधसंबन्धिलक्षयोजनप्रमाणमेरूत्सेधः सप्तरज्जव ऊर्ध्वलोकसम्बन्धिन्यः
अतः परमधोलोकः कथ्यते अधोभागे मेरोराधारभूता रत्नप्रभाख्या प्रथम पृथिवी
तस्या अधोऽधः प्रत्येकमेकैकरज्जुप्रमाणामाकाशं गत्वा यथाक्रमेण शर्करावालुकापङ्क-
धूमतमोमहातमः संज्ञा षड् भूमयो भवन्ति
तस्मादधोभागे रज्जुप्रमाणं क्षेत्रं भूमिरहितं
निगोदादिपञ्चस्थावरभृतं च तिष्ठति रत्नप्रभादिपृथिवीनां प्रत्येकं घनोदधिघनवात-
तनुवातत्रयमाधारभूतं भवतीति विज्ञेयम् कस्यां पृथिव्यां कति नरकबिलानि सन्तीति प्रश्ने
यथाक्रमेण कथयतितासु त्रिंशत्पञ्चविंशतिपञ्चदशदशत्रिपञ्चोनैकनरकशतसहस्राणि पञ्च

Page 131 of 272
PDF/HTML Page 143 of 284
single page version

background image
નવસો પંચાણુ અને સાતમીમાં પાંચ;એ રીતે બધા મળીને ચોર્યાસી લાખ બિલ
છે.
હવે, રત્નપ્રભા આદિ પૃથ્વીનું ક્રમપૂર્વક પિંડપ્રમાણ કેટલું છે તે કહે છે. પિંડ
એટલે શું? ઊંડાઈ અથવા જાડાઈ. પ્રથમ પૃથ્વીના એક લાખ એંસી હજાર, બીજીના
બત્રીસ હજાર, ત્રીજીના અઠાવીસ હજાર, ચોથીના ચોવીસ હજાર, પાંચમીના વીસ
હજાર, છઠ્ઠીના સોળ હજાર અને સાતમીના આઠ હજાર યોજન પિંડ જાણવા. તે
પૃથ્વીઓનો તિર્યક્ વિસ્તાર ચારે દિશાઓમાં જોકે ત્રસ નાડીની અપેક્ષાએ એક રાજુ
પ્રમાણ છે, તોપણ ત્રસરહિત ત્રસનાડીના બહારના ભાગમાં લોકના અંત સુધી છે.
તે જ કહ્યું છે
‘‘અંતને સ્પર્શતી પૃથ્વીઓનું પ્રમાણ બધી દિશાઓમાં લોકના અંત
સુધીનું છે.’’ અહીં વિસ્તારમાં તિર્યક્ લોક સુધીની, ઊંડાઈમાં મેરુપર્વતની અવગાહના
જેવડી એક હજાર યોજન પહોળી ચિત્રા નામની પૃથ્વી મધ્યલોકમાં છે, તે પૃથ્વીની
નીચે સોળહજાર યોજન પહોળો ખરભાગ છે. તે ખરભાગની નીચે ચોર્યાસી હજાર
યોજન પહોળો પંકભાગ છે, તેનાથી પણ નીચે એંસી હજાર યોજન પહોળો અબ્બહુલ
ભાગ છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વી ત્રણ ભેદવાળી જાણવી. તે ખરભાગમાં અસુરકુળ
સિવાય નવ પ્રકારના ભવનવાસી દેવોના અને રાક્ષસકુળ સિવાયના સાત પ્રકારના
વ્યંતર દેવોના આવાસ જાણવા. પંકભાગમાં અસુરકુમારોના અને રાક્ષસોના નિવાસ છે.
અબ્બહુલ ભાગમાં નારકીઓ છે.
चैव यथाक्रमम् ८४००००० अथ रत्नप्रभादिपृथिवीनां क्रमेण पिण्डस्य प्रमाणं कथयति
पिण्डस्य कोऽर्थः ? मन्द्रत्वस्य बाहुल्यस्येति अशीतिसहस्राधिकैकलक्षं तथैव
द्वात्रिंशदष्टाविंशतिचतुर्विंशतिविंशतिषोडशाष्टसहस्रप्रमितानि योजनानि ज्ञातव्यानि
तिर्यग्विस्तारस्तु चतुर्दिग्विभागे यद्यपि त्रसनाडयपेक्षयैकरज्जुप्रमाणस्तथापि त्रसरहितबहिर्भागे
लोकान्तप्रमाणमिति
तथाचोक्तं ‘‘भुवामन्ते स्पृशन्तीनां लोकान्तं सर्वदिक्षु च’’ अत्र
विस्तारेण तिर्यग्विस्तारपर्यन्तमन्द्रत्वेन मंदरावगाहयोजनसहस्रबाहुल्या मध्यलोके या चित्रा
पृथिवी तिष्ठति तस्या अधोभागे षोडशसहस्रबाहुल्यः खरभागस्तिष्ठति
तस्मा-
दप्यधश्चतुरशीतियोजनसहस्रबाहुल्यः पङ्कभागः तिष्ठति ततोऽप्यधोभागे अशीतिसहस्रबाहुल्यो
अब्बहुलभागस्तिष्ठतीत्येवं रत्नप्रभा पृथिवी त्रिभेदा ज्ञातव्या तत्र खरभागेऽसुरकुलं विहाय
नवप्रकारभवनवासिदेवानां तथैव राक्षसकुलं विहाय सप्तप्रकारव्यन्तरदेवानां आवासा ज्ञातव्या
इति
पङ्कभागे पुनरसुराणां राक्षसानां चेति अब्बहुलभागे नारकास्तिष्ठन्ति

Page 132 of 272
PDF/HTML Page 144 of 284
single page version

background image
ત્યાં અનેક ભૂમિકાવાળા મહેલ જેવા નીચે નીચે સર્વ પૃથ્વીઓમાં પોતપોતાની
પહોળાઈ પ્રમાણે નીચે અને ઉપર એક એક હજાર યોજન છોડીને મધ્યભાગમાં ભૂમિના
ક્રમ પ્રમાણે પટલ હોય છે. ભૂમિના ક્રમ પ્રમાણે તે પટલ પહેલી નરક પૃથ્વીમાં તેર,
બીજીમાં અગિયાર, ત્રીજીમાં નવ, ચોથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં ત્રણ અને
સાતમીમાં એક; એવી રીતે કુલ ઓગણપચાસ પટલ છે. ‘પટલ’ એટલે શું? ‘પટલ’ નો
અર્થ પ્રસ્તાર, ઇન્દ્રક અથવા અંતર્ભૂમિ છે. ત્યાં રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીના સીમન્ત
નામના પ્રથમ પટલમાં મનુષ્ય લોક જેવું સંખ્યાત ભોજન (પીસ્તાળીસ લાખ યોજન)
વિસ્તારવાળું મધ્ય બિલ છે, તેનું નામ ઇન્દ્રક છે. તેની (ઇન્દ્રકની) ચારે દિશાઓમાં પ્રત્યેક
દિશામાં અસંખ્યાત યોજન વિસ્તારવાળાં હારબંધ ઓગણપચાસ બિલ છે; તેવી જ રીતે ચારે
વિદિશાઓમાંની પ્રત્યેક દિશામાં હારબંધ જે અડતાળીસ અડતાળીસ બિલ છે તે પણ
અસંખ્યાત યોજન વિસ્તારવાળાં છે. તેમની ‘શ્રેણીબદ્ધ’ સંજ્ઞા છે. ચાર દિશા અને ચાર
વિદિશાઓની વચ્ચે પંક્તિરહિત વિખરાયેલ ફૂલોની પેઠે કેટલાંક સંખ્યાત યોજન અને
કેટલાંક અસંખ્યાત યોજન વિસ્તારવાળાં જે બિલ છે તેમની ‘પ્રકીર્ણક’ સંજ્ઞા છે. એ પ્રમાણે
ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણકરૂપ ત્રણ પ્રકારના નરક છે. આ રીતે પ્રથમ પટલનું વ્યાખ્યાન
જાણવું. તેવી જ રીતે પૂર્વોક્ત ઓગણપચાસ પટલોમાં બિલોના વ્યાખ્યાનનો એવો જ ક્રમ
છે, પણ પ્રત્યેક પટલમાં આઠે દિશાઓનાં શ્રેણીબદ્ધ બિલોમાં એકેક બિલ ઘટતું જાય છે.
तत्र बहुभूमिकाप्रासादवदधोऽधः सर्वपृथिवीषु स्वकीयस्वकीयबाहुल्यात् सकाशादध
उपरि चैकैकयोजनसहस्रं विहाय मध्यभागे भूमिक्रमेण पटलानि भवन्ति
त्रयोदशैकादशनवसप्तपञ्चत्र्येकसंख्यानि, तान्येव सर्वसमुदायेन पुनरेकोनपञ्चाशत्प्रमितानि
पटलानि
पटलानि कोऽर्थः ? प्रस्तारा इन्द्रका अंतर्भूमयः इति तत्र रत्नप्रभायां सीमंतसंज्ञे
प्रथमपटलविस्तारे नृलोकवत् यत्संख्येययोजनविस्तारवत् मध्यबिलं तस्येन्द्रकसंज्ञा तस्यैव
चतुर्दिग्विभागे प्रतिदिशं पंक्तिरूपेणासंख्येययोजनविस्ताराण्येकोनपञ्चाशद्बिलानि तथैव
विदिक्चतुष्टये प्रतिदिशं पंक्तिरूपेण यान्यष्टचत्वारिंशद्बिलानि तान्यप्यसंख्यात-
योजनविस्ताराणि
तेषामपि श्रेणीबद्धसंज्ञा दिग्विदिगष्टकान्तरेषु पंक्तिरहितत्वेन
पुष्पप्रकरवत्कानिचित्संख्येययोजनविस्ताराणि कानिचिदसंख्येययोजनविस्ताराणि यानि तिष्ठन्ति
तेषां प्रकीर्णक संज्ञा
इतीन्द्रकश्रेणीबद्धप्रकीर्णकरूपेण त्रिधा नरका भवन्ति इत्यनेन
क्रमेण प्रथमपटलव्याख्यानं विज्ञेयम् तथैव पूर्वोक्तैकोनपञ्चाशत्पटलेष्वयमेव
व्याख्यानक्रमः किन्त्वष्टकश्रेणिष्वेकैकपटलं प्रत्येकैकं हीयते यावत् सप्तमपृथिव्यां

Page 133 of 272
PDF/HTML Page 145 of 284
single page version

background image
તેથી, સાતમી પૃથ્વીમાં ચારે દિશાઓમાં એક એક બિલ રહે છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓના નારકીના શરીરની ઊંચાઈનું કથન કરવામાં આવે છે.
પ્રથમ પટલમાં ત્રણ હાથની ઊંચાઈ છે, પછી ક્રમે ક્રમે વધતા વધતા તેરમા પટલમાં સાત
ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની ઊંચાઈ છે. પછી બીજી પૃથ્વી આદિના અંતિમ ઇન્દ્રક
બિલોમાં બમણી બમણી કરવાથી સાતમી પૃથ્વીમાં પાંચસો ધનુષ્યની ઊંચાઈ થાય છે.
ઉપરના નરકોમાં જે ઉત્કૃષ્ટ ઊંચાઈ છે તેનાથી કાંઈક અધિક નીચેના નરકોમાં જઘન્ય
ઊંચાઈ છે, તેવી જ રીતે પટલોમાં પણ જાણવું. નારકી જીવોના આયુષ્યનું પ્રમાણ કહે
છે. પ્રથમ પૃથ્વીના પ્રથમ પટલમાં જઘન્ય દસ હજાર વર્ષનું આયુષ્ય છે, ત્યારપછી
આગમમાં કહેલી ક્રમિક વૃદ્ધિ પ્રમાણે છેલ્લા પટલમાં એક સાગરપ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય
છે. ત્યારપછી બીજી વગેરે પૃથ્વીઓમાં ક્રમપૂર્વક ત્રણ સાગર, સાત સાગર, દસ સાગર,
સત્તર સાગર, બાવીસ સાગર અને તેત્રીસ સાગરપ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ છે. પહેલી
પૃથ્વીમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેનાથી એક સમય અધિક બીજીમાં જઘન્ય આયુષ્ય છે.
તેવી જ રીતે પહેલા પટલમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેનાથી એક સમય અધિક બીજા
પટલમાં જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી જાણવું. સ્વશુદ્ધાત્મના
સંવેદનરૂપ નિશ્ચયરત્નત્રયથી વિલક્ષણ તીવ્ર મિથ્યાદર્શન
જ્ઞાન
ચારિત્રરૂપે પરિણમેલ અસંજ્ઞી
પંચેન્દ્રિય, ઘો વગેરે, પક્ષી, સર્પ, સિંહ અને સ્ત્રીઓને ક્રમપૂર્વક રત્નપ્રભા આદિ છ પૃથ્વીઓ
સુધી જવાની શક્તિ છે. સાતમી પૃથ્વીમાં કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય અને મત્સ્યોને
चतुर्दिग्भागेष्वेकं बिलं तिष्ठति
रत्नप्रभादिनारकदेहोत्सेधः कथ्यते प्रथमपटले हस्तत्रयं ततः क्रमवृद्धि-
वशात्त्रयोदशपटले सप्तचापानि हस्तत्रयमङ्गुलषट्कं ततो द्वितीयपृथिव्यादिषु चरमेन्द्रकेषु
द्विगुणद्विगुणे क्रियमाणे सप्तमपृथिव्यां चापशतपञ्चकं भवति उपरितने नरके य उत्कृष्टोत्सेधः
सोऽधस्तने नरके विशेषाधिको जघन्यो भवति, तथैव पटलेषु च ज्ञातव्यः आयुः प्रमाणं
कथ्यते प्रथमपृथिव्यां प्रथमे पटले जघन्येन दशवर्षसहस्राणि तत आगमोक्त-
क्रमवृद्धिवशादन्तपटले सर्वोत्कर्षेणैकसागरोपमम् ततः परं द्वितीयपृथिव्यादिपु क्रमेण
त्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपममुत्कृष्टजीवितम् यच्च प्रथमपृथिव्यामुत्कृष्टं
तद्द्वितीयायां समयाधिकं जघन्यं, तथैव पटलेषु च एवं सप्तमपृथिवीपर्यन्तं ज्ञातव्यम्
स्वशुद्धात्मसंवित्तिलक्षणनिश्चयरत्नत्रयविलक्षणैस्तीव्रमिथ्यात्वदर्शनज्ञानचारित्रैः परिणतानाम-
संज्ञिपञ्चेन्द्रियसरटपक्षिसर्पसिंहस्त्रीणां क्रमेण रत्नप्रभादिषु षट्पृथिवीषु गमनशक्तिरस्ति

Page 134 of 272
PDF/HTML Page 146 of 284
single page version

background image
જ જવાની શક્તિ છે. વિશેષજો કોઈ જીવ સતત નરકમાં જાય તો પ્રથમ પૃથ્વીમાં આઠ
વાર, બીજીમાં સાત વાર, ત્રીજીમાં છ વાર, ચોથીમાં પાંચ વાર, પાંચમીમાં ચાર વાર,
છઠ્ઠીમાં ત્રણ વાર અને સાતમીમાં બે વાર જ જઈ શકે છે. પરંતુ સાતમી નરકમાંથી
નીકળેલો જીવ ફરી એકવાર તે જ અથવા બીજી કોઈ નરકમાં જાય છે એવો નિયમ છે.
નરકમાંથી નીકળેલા જીવો બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તી નામના શલાકા
પુરુષો થતા નથી. ચોથી નરકમાંથી નીકળેલ જીવ તીર્થંકર, પાંચમીમાંથી નીકળેલ જીવ
ચરમશરીરી, છઠ્ઠીમાંથી નીકળેલ જીવ ભાવલિંગી મુનિ અને સાતમીમાંથી નીકળેલ જીવ
શ્રાવક થતો નથી. તો શું થાય છે? ‘‘
નરકમાંથી આવેલા જીવો કર્મભૂમિમાં સંજ્ઞી, પર્યાપ્ત
તથા ગર્ભજ મનુષ્ય કે તિર્યંચ થાય છે. સાતમી નરકમાંથી આવેલો જીવ તિર્યંચ જ થાય
છે.’’
હવે, નારકીઓનાં દુઃખનું કથન કરે છેઃતે આ પ્રમાણેવિશુદ્ધ જ્ઞાનદર્શન
જેનો સ્વભાવ છે, એવા નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઅનુષ્ઠાનની ભાવનાથી
ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદરહિત અને
પાંચ ઇન્દ્રિયના વિષયસુખના આસ્વાદમાં લંપટ એવા મિથ્યાદ્રષ્ટિ જીવોએ જે નરક
- આયુ
અને નરક - ગતિ આદિ પાપકર્મ ઉપાર્જિત કર્યું હોય છે, તેના ઉદયથી તે નરકમાં ઉત્પન્ન
થઈને ચાર પૃથ્વીઓમાં તીવ્ર ઉષ્ણતાનું દુઃખ, પાંચમી નરકના ઉપરના ત્રણ ચતુર્થાંશ
सप्तम्यां तु कर्मभूमिजमनुष्याणां मत्स्यानामेव किञ्चयदि कोऽपि निरन्तरं नरके गच्छति
तदा पृथिवीक्रमेणाष्टसप्तषट्पञ्चचतुस्त्रिद्विसंख्यवारानेव किन्तु सप्तमनरकादागताः पुनरप्येक-
वारं तत्रान्यत्र वा नरके गच्छन्तीति नियमः नरकादागता जीवा बलदेववासुदेवप्रतिवासुदेव-
चक्रवर्तिसंज्ञाः शलाकापुरुषाः न भवन्ति चतुर्थपञ्चमषष्ठसप्तमनरकेभ्यः समागताः क्रमेण
तीर्थंकरचरमदेहभावसंयतश्रावका न भवन्ति तर्हि किं भवन्ति ? ‘‘णिरयादो णिस्सरिदो
णरतिरिए कम्मसण्णिपज्जत्ते गब्भभवे उप्पज्जदि सत्तमणिरयादु तिरिएव ।।।।’’
इदानीं नारकदुःखानि कथ्यन्ते तद्यथाविशुद्धज्ञानदर्शनस्वभावनिजपरमात्मतत्त्व-
सम्यक्श्रद्धानज्ञानानुष्ठानभावनोत्पन्ननिर्विकारपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादरहितैः
पञ्चेन्द्रियविषयसुखास्वादलम्पटैर्मिथ्यादृष्टिजीवैर्यदुपार्जितं नरकायुर्नरकगत्यादिपापकर्म तदुदयेन
नरके समुत्पद्य पृथिवीचतुष्टये तीव्रोष्णदुःखं, पञ्चम्यां पुनरुपरितनत्रिभागे तीव्रोष्ण-
૧. ત્રિલોકસાર ગાથા. ૨૦૩.૨.ત્રિલોકસાર ગાથા. ૨૦૭.

Page 135 of 272
PDF/HTML Page 147 of 284
single page version

background image
ભાગમાં તીવ્ર ઉષ્ણતાનું દુઃખ અને નીચેના એક ચતુર્થાંશ ભાગમાં તીવ્ર ઠંડીનું દુઃખ, તથા
છઠ્ઠી અને સાતમી નરકમાં અત્યંત શીતથી ઉત્પન્ન થતું દુઃખ અનુભવે છે. તેમજ છેદન,
ભેદન, કરવતથી વિદારણ, ઘાણીમાં પીલાવાનું, શૂળી પર ચઢાવવા વગેરેનું તીવ્ર દુઃખ સહન
કરે છે. કહ્યું છે કેઃ
‘‘નરકમાં નારકીઓને રાત અને દિવસ દુઃખરૂપી અગ્નિમાં શેકાતા
આંખના પલકારા જેટલું પણ સુખ નથી, પરંતુ સદા દુઃખ જ લાગ્યું રહે છે. ૧.’’ પહેલી
ત્રણ પૃથ્વીઓ સુધી અસુરકુમાર દેવોની ઉદીરણા વડે થતું દુઃખ પણ ભોગવે છે
એમ
જાણીને નરકનાં દુઃખનો વિનાશ કરવા માટે ભેદાભેદ રત્નત્રયની ભાવના કરવી. આ રીતે
સંક્ષેપમાં અધોલોકનું વ્યાખ્યાન જાણવું.
ત્યારપછી મધ્યલોકનું વર્ણન કરે છેગોળાકારવાળા જંબૂદ્વીપાદિ શુભ નામવાળા
દ્વીપો અને લવણાદિ શુભ નામવાળા સમુદ્રો બમણા બમણા વિસ્તારથી પહેલા પહેલાના
દ્વીપને સમુદ્ર અને સમુદ્રને દ્વીપ
એ ક્રમથી વીંટળાઈને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ત્રાંસા
( તિર્યક્ ) વિસ્તારમાં ફેલાયેલા છે, તે કારણે તેને તિર્યક્ લોક કહે છે અને મધ્યલોક પણ
કહે છે. તે આ પ્રમાણે
તે સાડા ત્રણ ઉદ્ધાર સાગરોપમ લોમ (વાળ)ના ટુકડા જેટલા
અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં જંબૂદ્વીપ છે. તે જાંબૂના વૃક્ષથી ઓળખાતા અને
મધ્યભાગમાં આવેલા મેરુ પર્વતસહિત ગોળાકાર એક લાખ યોજનના વિસ્તારવાળો છે
અને તે બમણા વિસ્તારવાળા બે લાખ યોજનપ્રમાણ ગોળાકાર લવણ સમુદ્રવડે બહારના
दुःखमधोभागे तीव्रशीतदुःखं, षष्ठीसप्तम्योरतिशीतोत्पन्नदुःखमनुभवन्ति तथैव छेदनभेदन-
क्रकचविदारणयंत्रपीडनशूलारोहणादितीव्रदुःखं सहंते तथा चोक्तं‘‘अच्छिणिमीलणमेत्तं
णत्थि सुहं दुःखमेव अणुबद्धं णिरये णेरयियाणं अहोणिसं पञ्चमाणाणं ।।।।’’ प्रथमपृथिवी-
त्रयपर्यंतमसुरोदीरितं चेति एवं ज्ञात्वा, नारकदुःखविनाशार्थं भेदाभेदरत्नत्रयभावना कर्तव्या
संक्षेपेणाधोलोक-व्याख्यानं ज्ञातव्यम्
अतः परं तिर्यक्लोकः कथ्यतेजम्बूद्वीपादिशुभनामानो द्वीपः लवणो
दादिशुभनामानः समुद्राश्च द्विगुणद्विगुणविस्तारेण पूर्वं पूर्वं परिवेष्टय वृत्ताकाराः
स्वयम्भूरमणपर्यन्तास्तिर्यग्विस्तारेण विस्तीर्णास्तिष्ठन्ति यतस्तेन कारणेन तिर्यग् लोको भण्यते,
मध्यलोकाश्च
तद्यथातेषु सार्द्धतृतीयोद्धारसागरोपमलोमच्छेदप्रमितेष्वसंख्यातद्वीपसमुद्रेषु
मध्ये जम्बूद्वीपस्तिष्ठति स च जम्बूवृक्षोपलक्षितो मध्यभागस्थितमेरुपर्वतसहितो वृत्ताकारलक्ष-
योजनप्रमाणस्तद्द्विगुणविष्कम्भेण योजनलक्षद्वयप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे लवणसमुद्रेण
૧. ત્રિલોકસાર ગાથા. ૨૦૭.

Page 136 of 272
PDF/HTML Page 148 of 284
single page version

background image
ભાગમાં વીંટળાયેલો છે. તે લવણ સમુદ્ર પણ તેનાથી બમણા વિસ્તારવાળા ચાર લાખ
યોજનપ્રમાણ ગોળાકારે બહારના ભાગમાં ધાતકીખંડ નામના દ્વીપથી વીંટળાયેલો છે. તે
ધાતકીખંડ દ્વીપ પણ બાહ્યભાગમાં પોતાનાથી બમણા વિસ્તારવાળા આઠ લાખ
યોજનપ્રમાણ ગોળાકાર કાલોદક સમુદ્રથી વીંટળાયેલો છે. તે કાલોદક સમુદ્ર પણ
બાહ્યભાગમાં પોતાનાથી બમણા વિસ્તારવાળા સોળલાખ યોજનપ્રમાણ ગોળાકાર
પુષ્કરદ્વીપથી વીંટળાયેલો છે. એ પ્રમાણે બમણો બમણો વિસ્તાર સ્વયંભૂરમણદ્વીપ અને
સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવો. જેવી રીતે જંબૂદ્વીપ એક લાખ યોજન અને લવણ સમુદ્ર
બે લાખ યોજન પહોળો છે. એ બન્નેનો સરવાળો ત્રણ લાખ યોજન છે. તેનાથી એક લાખ
યોજન અધિક અર્થાત્ ચાર લાખ યોજન ધાતકીખંડ છે. તેવી જ રીતે અસંખ્ય દ્વીપ
સમુદ્રોના વિસ્તારથી એક લાખ યોજન અધિક વિસ્તાર સ્વયંભૂરમણ સમુદ્રનો જાણવો.
આવા પૂર્વોક્ત લક્ષણોવાળા અસંખ્ય દ્વીપ
સમુદ્રોમાં પર્વત આદિ ઉપર વ્યંતરદેવોના
આવાસ, નીચેની પૃથ્વીના ભાગમાં ભવન તેમજ દ્વીપ અને સમુદ્ર આદિમાં પુર છે.
પરમાગમમાં કહ્યા પ્રમાણે તેમનાં ભિન્ન
ભિન્ન લક્ષણો છે. તેવી જ રીતે ખરભાગ અને
પંકભાગમાં રહેલા પ્રતરના અસંખ્યાતમા ભાગપ્રમાણ અસંખ્ય વ્યંતરદેવોના આવાસ છે
અને સાત કરોડ બોંતેર લાખ ભવનવાસી દેવોનાં ભવન અકૃત્રિમ જિન ચૈત્યાલયસહિત
છે. આ રીતે અત્યંત સંક્ષેપમાં મધ્યલોકનું વ્યાખ્યાન કર્યું.
वेष्टितः सोऽपि लवणसमुद्रस्तद्द्विगुणविस्तारेण योजनलक्षचतुष्टयप्रमाणेन वृत्ताकारेण
बहिर्भागे धातकीखण्डद्वीपेन वेष्टितः सोऽपि धातकीखण्डद्वीपस्तद्द्विगुणविस्तारेण
योजनाष्टलक्षप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे कालोदकसमुद्रेण वेष्टितः सोऽपि कालोदक-
समुद्रस्तद्द्विगुणविस्तारेण षोडशयोजनलक्षप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे पुष्करद्वीपेन वेष्टितः
इत्यादिद्विगुणद्विगुणविष्कम्भः स्वयम्भूरमणद्वीपस्वयम्भूरमणसमुद्रपर्यन्तो ज्ञातव्यः यथा
जम्बूद्वीपलवणसमुद्रविष्कम्भद्वयसमुदयाद्योजनलक्षत्रयप्रमितात्सकाशाद्धातकीखण्ड एकलक्षेणा-
धिकस्तथैवासंख्येयद्वीपसमुद्रविष्कम्भेभ्यः स्वयम्भूरमणसमुद्रविष्कम्भ एकलक्षेणाधिको ज्ञातव्यः
एवमुक्तलक्षणेष्वसंख्येयद्वीपसमुद्रेषु व्यन्तरदेवानां पर्वताद्युपरिगता आवासाः, अधोभूभागगतानि
भवनानि तथैव द्वीपसमुद्रादिगतानि पुराणि च, परमागमोक्तभिन्नलक्षणानि
तथैव
खरभागपङ्कभागस्थितप्रतरासंख्येयभागप्रमाणासंख्येयव्यन्तरदेवावासाः, तथैव द्वासप्ततिलक्षाधिक-
कोटिसप्तप्रमितभवनवासिदेवसंबन्धिभवनानि अकृत्रिमजिनचैत्यालयसहितानि भवन्ति
एवमतिसंक्षेपेण तिर्यग्लोको व्याख्यातः

Page 137 of 272
PDF/HTML Page 149 of 284
single page version

background image
હવે, તિર્યક્લોકની વચ્ચે રહેલા મનુષ્યલોકનું વ્યાખ્યાન કરે છે. તે મનુષ્યલોકની
વચ્ચે રહેલ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવે છે. દક્ષિણ દિશાથી શરૂ કરીને ભરત,
હૈમવત, હરિ, વિદેહ, રમ્યક્, હૈરણ્યવત અને ઐરાવત નામનાં સાત ક્ષેત્રો છે. ક્ષેત્રનો શું
અર્થ છે? ક્ષેત્ર શબ્દનો અર્થ વર્ષ, વંશ, દેશ અથવા જનપદ છે. તે ક્ષેત્રોના વિભાગ કરનાર
છ કુલાચલ છે. દક્ષિણ દિશા તરફથી શરૂ કરીને તેમનાં નામ હિમવત્, મહા હિમવત્,
નિષધ, નીલ, રુકિમ અને શિખરિ છે. પૂર્વ
પશ્ચિમ ફેલાયેલા આ છ પર્વતો ભરતાદિ સાત
ક્ષેત્રોની વચમાં છે. પર્વતનો શું અર્થ છે? પર્વતનો અર્થ વર્ષધર પર્વત અથવા સીમા પર્વત
છે. તે પર્વતોની ઉપર હ્દોનું ક્રમથી કથન કરે છે. પદ્મ, મહાપદ્મ, તિગિંછ, કેસરિ,
મહાપુંડરીક અને પુંડરીક નામનાં અકૃત્રિમ છ હ્દ છે. હ્દ એટલે શું? હ્દનો અર્થ સરોવર
છે. તે પદ્માદિ છ સરોવરોમાંથી આગમકથિત ક્રમ પ્રમાણે જે ચૌદ મહા નદીઓ નીકળી
છે, તેમનું કથન કરે છે. તે આ પ્રમાણે
હિમવત્ પર્વત પર સ્થિત પદ્મ નામના મહાહ્દના
પૂર્વ તોરણ દ્વારથી અર્ધો કોશ ઊંડી, અને છ યોજન એક કોશ પહોળી ગંગા નદી નીકળીને
તે જ પર્વતની ઉપર પૂર્વ દિશામાં પાંચસો યોજન સુધી જાય છે, પછી ત્યાંથી ગંગાકૂટની
પાસે દક્ષિણ તરફ વળીને ભૂમિમાં સ્થિત કુંડમાં પડે છે. ત્યાંથી દક્ષિણ દ્વારમાંથી નીકળીને
ભરતક્ષેત્રના મધ્યભાગમાં સ્થિત લંબાઈમાં પૂર્વ
પશ્ચિમ સમુદ્રને સ્પર્શનાર વિજયાર્ધ પર્વતની
अथ तिर्यग्लोकमध्यस्थितो मनुष्यलोको व्याख्यायतेतन्मध्यस्थितजम्बूद्वीपे
सप्तक्षेत्राणि भण्यन्ते दक्षिणदिग्विभागादारभ्य भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतसंज्ञानि
सप्तक्षेत्राणि भवन्ति क्षेत्राणि कोऽर्थः ? वर्षा वंशा देशा जनपदा इत्यर्थः तेषां क्षेत्राणां
विभागकारकाः षट् कुलपर्वताः कथ्यन्तेदक्षिणदिग्भागमादीकृत्य हिमवन्महाहिमवन्निषध-
नीलरुक्मिशिखरिसंज्ञा भरतादिसप्तक्षेत्राणामन्तरेषु पूर्वापरायताः षट् कुलपर्वताः भवन्ति
पर्वता इति कोऽर्थः ? वर्षधरपर्वताः सीमापर्वता इत्यर्थः तेषां पर्वतानामुपरि क्रमेण ह्दा
कथ्यन्ते पद्ममहापद्मतिगिञ्छकेसरिमहापुण्डरीकपुण्डरीकसंज्ञा अकृत्रिमा षट् ह्दा भवन्ति
ह्दा इति कोऽर्थः ? सरोवराणीत्यर्थः तेभ्यः पद्मादिषड्ह्देभ्यः सकाशादागमकथितक्रमेण
निर्गता याश्चतुर्दशमहानद्यस्ताः कथ्यन्ते तथाहिहिमवत्पर्वतस्थपद्मनाम-
महाह्दादर्धक्रोशावगाहक्रोशाधिकषट्योजन प्रमाणविस्तारपूर्वतोरणद्वारेण निर्गत्य तत्पर्वत-
स्यैवोपारि पूर्वदिग्विभागेन योजनशतपञ्चकम् गच्छति ततो गङ्काकूटसमीपे दक्षिणेन व्यावृत्य
भूमिस्थकुण्डे पतति तस्माद् दक्षिणद्वारेण निर्गत्य भरतक्षेत्रमध्यभागस्थितस्य दीर्घत्वेन
१ ‘क्रोशार्धाधिक षट् योजन’ इति पाठान्तरं

Page 138 of 272
PDF/HTML Page 150 of 284
single page version

background image
ગુફામાં દ્વારમાંથી નીકળીને આર્યખંડના અર્ધભાગમાં પૂર્વ તરફ વળીને પ્રથમ ઊંડાઈ કરતાં
દશગણી અર્થાત્ પાંચ કોશ ઊંડી તેમજ પ્રથમની પહોળાઈ કરતાં દશગણી અર્થાત્ સાડી
બાસઠ યોજન પહોળી ગંગા નદી પૂર્વ સમુદ્રમાં પ્રવેશ કરે છે. આ ગંગાની જેમ સિંધુ નદી
પણ તે જ હિમવત્ પર સ્થિત પદ્મહ્દમાંથી પર્વતની ઉપર જ પશ્ચિમ દ્વારમાંથી નીકળીને
પછી દક્ષિણ દિશા તરફ આવીને વિજયાર્ધ પર્વતની ગુફાના દ્વારમાંથી નીકળીને આર્યખંડના
અર્ધભાગમાં પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કરે છે. આ રીતે દક્ષિણ દિશા
તરફ આવેલી ગંગા અને સિંધુ
બે નદીઓથી અને પૂર્વ
પશ્ચિમ વિસ્તરેલા વિજયાર્ધ પર્વતથી
ભરતક્ષેત્રના છ ખંડ થયા.
હવે, મહા હિમવાન પર્વત પર સ્થિત મહાપદ્મ હ્દની દક્ષિણ દિશામાંથી હૈમવત્
ક્ષેત્રની મધ્યમાંથી આવીને ત્યાં રહેલ નાભિગિરિ પર્વતથી અર્ધો યોજન દૂર રહેતી, તે જ
પર્વતની અર્ધી પ્રદક્ષિણા કરીને રોહિત નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. એવી જ રીતે
હિમવત્ પર્વત ઉપર રહેલા પદ્મ હ્દમાંથી ઉત્તર તરફ આવીને, તે જ નાભિગિરિથી અર્ધો
યોજન દૂર રહીને, તેની જ અર્ધી પ્રદક્ષિણા કરીને રોહિતાસ્યા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં
ગઈ છે. આવી રીતે રોહિત અને રોહિતાસ્યા નામની બે નદીઓ હૈમવત નામના જઘન્ય
पूर्वापरसमुद्रस्पर्शिनो विजयार्द्धस्य गुहाद्वारेण निर्गत्य, तत आर्यखण्डार्द्धभागे पूर्वेण व्यावृत्य
प्रथमावगाहापेक्षया दशगुणेन गव्यूतिपञ्चकावगाहेन तथैव प्रथमविष्कम्भापेक्षया दशगुणेन
योजनार्द्धसहितद्विषष्टियोजनप्रमाणविस्तारेण च पूर्वसमुद्रे प्रविष्टा गङ्गा
तथा गङ्गावत्सिन्धुरपि
तस्मादेव हिमवत्पर्वतस्थपद्मह्दात्पर्वतस्यैवोपरि पश्चिमद्वारेण निर्गत्य पश्चाद्दक्षिणदिग्विभागेनागत्य
विजयार्द्धगुहाद्वारेण निर्गत्यार्यखण्डार्द्धभागे पश्चिमेन व्यावृत्य पश्चिमसमुद्रे प्रविष्टेति
एवं
दक्षिणदिग्विभागसमागतगङ्गासिन्धुभ्यां पूर्वापरायतेन विजयार्द्धपर्वतेन च षट्खण्डीकृतं
भरतक्षेत्रम्
अथ महाहिमवत्पर्वतस्थमहापद्मह्दाद्दक्षिणदिग्विभागेन हैमवतक्षेत्रमध्ये समागत्य
तत्रस्थनाभिगिरिपर्वतं योजनार्द्धेनास्पृशन्ती तस्यैवार्धे प्रदक्षिणं कृत्वा रोहित्पूर्वसमुद्रम् गता
तथैव हिमवत्पर्वतस्थितपद्मह्दादुत्तरेणागत्य तमेव नाभिगिरिं योजनार्धेनास्पृशन्ती
तस्यैवार्द्धप्रदक्षिणं कृत्वा रोहितास्या पश्चिमसमुद्रं गता
इति रोहिद्रोहितास्यासंज्ञं नदीद्वन्द्वं
हैमवतसंज्ञजघन्यभोगभूमिक्षेत्रे ज्ञातव्यम् अथ निषधपर्वतस्थिततिगिञ्छनामह्दाद्दक्षिणेनागत्य
नाभिगिरिपर्वतं योजनार्धेनास्पृशन्ती तस्यैवार्धप्रदक्षिणं कृत्वा हरित्पूर्वसमुद्रम् गता तथैव

Page 139 of 272
PDF/HTML Page 151 of 284
single page version

background image
ભોગભૂમિના ક્ષેત્રમાં જાણવી. નિષધ પર્વત ઉપરના તિગિંછ નામના હ્દમાંથી દક્ષિણ તરફ
આવીને નાભિગિરિ પર્વતથી અર્ધો યોજન દૂર રહીને, તેની જ અર્ધી પ્રદક્ષિણા કરીને હરિત્
નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે મહા હિમવાન પર્વત ઉપર રહેલા મહાપદ્મ
નામના હ્દમાંથી ઉત્તર દિશા તરફ આવીને, તે જ નાભિગિરિથી અર્ધો યોજન દૂર રહીને,
તેની જ અર્ધી પ્રદક્ષિણા કરીને હરિકાન્તા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં ગઈ છે. આવી
રીતે હરિત્ અને હરિકાન્તા નામની બે નદીઓ હરિ નામના મધ્યમ ભોગભૂમિ ક્ષેત્રમાં
જાણવી. નીલ પર્વતસ્થિત કેસરિ નામના હ્દમાંથી દક્ષિણ તરફ આવીને ઉત્તરકુરુ નામના
ઉત્કૃષ્ટ ભોગભૂમિના ક્ષેત્રની વચ્ચે થઈને મેરુની પાસે ગજદંત પર્વતને ભેદીને, મેરુની
પ્રદક્ષિણાથી અર્ધો યોજન દૂર રહીને પૂર્વ ભદ્રશાલ વન અને પૂર્વ વિદેહની મધ્યમાં થઈને
શીતા નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે નિષધ પર્વત ઉપરના તિગિંછ નામના
હ્દમાંથી ઉત્તર તરફ આવીને, દેવકુરુ નામના ઉત્તમ ભોગભૂમિ ક્ષેત્રની વચ્ચે થઈને મેરુની
પાસે ગજદંત પર્વતને ભેદીને અને મેરુની પ્રદક્ષિણાથી અર્ધો યોજન દૂર રહીને, પશ્ચિમ
ભદ્રશાલ વન અને પશ્ચિમ વિદેહની મધ્યમાં થઈને શીતોદા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં
ગઈ છે. આ રીતે શીતા અને શીતોદા નામની બે નદીઓ વિદેહ નામના કર્મભૂમિના ક્ષેત્રમાં
જાણવી. પહેલાં જે ગંગા અને સિંધુ
એ બે નદીઓના વિસ્તાર અને અવગાહનું પ્રમાણ
કહ્યું છે; તેનાથી બમણા બમણા વિસ્તાર વગેરે, પ્રત્યેક ક્ષેત્રમાં, બબ્બે નદીઓના, વિદેહ
ક્ષેત્ર સુધી જાણવા. ગંગા નદી ચૌદ હજાર પરિવાર નદીઓ સહિત છે, સિંધુ પણ એવડી
महाहिमवत्पर्वतस्थमहापद्मनामह्दादुत्तरदिग्विभागेनागत्य तमेव नाभिगिरिं योजनार्धेनास्पृशन्ती
तस्यैवार्धेप्रदक्षिणं कृत्वा हरिकान्तानामनदी पश्चिमसमुद्रम् गता
इति हरिद्धरिकांतासंज्ञं
नदीद्वयं हरिसंज्ञमध्यमभोगभूमिक्षेत्रे विज्ञेयम् अथ नीलपर्वतस्थितकेसरिनाम-
ह्दाद्दक्षिणेनागत्योत्तरकुरुसंज्ञोत्कृष्टभोगभूमिक्षेत्रे मध्येन गत्वा मेरुसमीपे गजदन्तपर्वतं भित्वा
च प्रदक्षिणेन योजनार्धेन मेरुं विहाय पूर्वभद्रशालवनस्य मध्येन पूर्वविदेहस्य च मध्येन
शीतानामनदी पूर्वसमुद्रं गता
तथैव निषधपर्वतस्थिततिगिञ्छह्दादुत्तरदिग्विभागेनागत्य
देवकुरुसंज्ञोत्तमभोगभूमिक्षेत्रमध्येन गत्वा मेरुसमीपे गजदन्तपर्वतं भित्वा च प्रदक्षिणेन
योजनार्धेन मेरुं विहाय पश्चिमभद्रशालवनस्य मध्येन पश्चिमविदेहस्य च मध्येन शीतोदा
पश्चिमसमुद्रं गता
एवं शीताशीतोदासंज्ञं नदीद्वयं विदेहाभिधाने कर्मभूमिक्षेत्रे ज्ञातव्यम्
यत्पूर्वं गङ्गासिन्धुनदीद्वयस्य विस्तारावगाहप्रमाणं भणितं तदेव क्षेत्रे क्षेत्रे नदीयुगलं प्रति
विदेहपर्यन्तं द्विगुणं द्विगुणं ज्ञातव्यम्
अथ गङ्गा चतुर्दशसहस्रपरिवारनदीसहिता, सिन्धुरपि

Page 140 of 272
PDF/HTML Page 152 of 284
single page version

background image
જ છે, તેનાથી બમણી સંખ્યાના પરિવારવાળી રોહિત અને રોહિતાસ્યા એ બે નદીઓ છે,
હરિત્ અને હરિકાન્તાનો એનાથી પણ બમણો વિસ્તાર છે, તેનાથી બમણો વિસ્તાર શીતા
અને શીતોદાનો છે. દક્ષિણથી ઉત્તર પાંચસો છવીસ પૂર્ણાંક છ ઓગણીસાંશ યોજનપ્રમાણ
કર્મભૂમિ ભરતક્ષેત્રનો વિસ્તાર છે, તેનાથી બમણો હિમવત્ પર્વતનો, હિમવત્ પર્વતથી બમણો
હૈમવત્ ક્ષેત્રનો, એવી રીતે બમણો બમણો વિસ્તાર વિદેહ ક્ષેત્ર સુધી જાણવો. પદ્મ હ્દ
એક હજાર યોજન લાંબું, તેનાથી અર્ધું પહોળું અને દશ યોજન ઊંડું છે, તેમાં એક યોજનનું
કમળ છે, તેનાથી બમણું મહાપદ્મમાં અને તેનાથી બમણું તિગિંછ હ્દમાં છે.
જેવી રીતે ભરત ક્ષેત્રમાં હિમવાન પર્વતમાંથી ગંગા અને સિંધુએ બે નદીઓ
નીકળે છે. તેવી જ રીતે ઉત્તર દિશામાં ઐરાવત ક્ષેત્ર નામની કર્મભૂમિના શિખરિ પર્વતમાંથી
નીકળતી રક્તા અને રક્તોદા નામની બે નદીઓ છે. જેવી રીતે હૈમવત્ નામની જઘન્ય
ભોગભૂમિના ક્ષેત્રમાં મહા હિમવત્ અને હિમવત્ નામના બે પર્વતોમાંથી ક્રમશઃ નીકળતી
રોહિત અને રોહિતાસ્યા
એ બે નદીઓ છે. તેવી જ રીતે ઉત્તરમાં હૈરણ્યવત નામના જઘન્ય
ભોગભૂમિ ક્ષેત્રમાં શિખરિ અને રુક્મિ નામના પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી સુવર્ણકૂલા અને
રૂપ્યકૂલા
એ બે નદીઓ છે. તેવી જ રીતે જેમ હરિ નામક મધ્યમ ભોગભૂમિ ક્ષેત્રમાં
નિષધ અને મહાહિમવાન નામના બે પર્વતોમાંથી ક્રમશઃ નીકળતી હરિત અને હરિકાન્તા
નામની બે નદીઓ છે, તેમ ઉત્તરમાં રમ્યક નામના મધ્યમ ભોગભૂમિના ક્ષેત્રમાં રુક્મિ અને
तथा, तद्द्विगुणसंख्यानं रोहिद्रोहितास्याद्वयम्, ततोऽपि द्विगुणसंख्यानं हरिद्धरिकान्ताद्वयम्,
तद्द्विगुणं शीताशीतोदाद्वयमिति
तथा षड्विंशत्यधिकयोजनशतपञ्चकमेकोनविंशति-
भागीकृतैकयोजनस्य भागषट्कं च यद्दक्षिणोत्तरेण कर्मभूमिसंज्ञभरतक्षेत्रस्य विष्कम्भप्रमाणं,
तद्द्विगुणं हिमवत्पर्वते, तस्माद्द्विगुणं हैमवतक्षेत्रे, इत्यादि द्विगुणं द्विगुणं विदेहपर्यन्तं
ज्ञातव्यम्
तथा पद्मह्दो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो दशयोजनावगाहो योजनैक-
प्रमाणपद्मविष्कम्भस्तस्मान्महापद्मे द्विगुणस्तस्मादपि तिगिंछे द्विगुण इति
अथ यथा भरते हिमवत्पर्वतान्निर्गतं गङ्गासिन्धुद्वयं, तथोत्तरे कर्मभूमिसंज्ञैरावतक्षेत्रे
शिखरिपर्वतान्निर्गतं रक्तारक्तोदानदीद्वयम् यथा च हैमवतसंज्ञे जघन्यभोगभूमिक्षेत्रे
महाहिमवद्धिमवन्नामपर्वतद्वयात्क्रमेण निर्गतं रोहितरोहितास्यानदीद्वयं, तथोत्तरे हैरण्यवत-
संज्ञजघन्यभोगभूमिक्षेत्रे शिखरिरुक्मिसंज्ञपर्वतद्वयात्क्रमेण निर्गतं सुवर्णकूलारूप्यकूलानदीद्वयम्
तथैव यथा हरिसंज्ञमध्यमभोगभूमिक्षेत्रे निषधमहाहिमवन्नामपर्वतद्वयात्क्रमेण निर्गतं
हरिद्धरिकान्तानदीद्वयं, तथोत्तरे रम्यकसंज्ञमध्यमभोगभूमिक्षेत्रे रुक्मिनीलनामपर्वतद्वयात्क्रमेण

Page 141 of 272
PDF/HTML Page 153 of 284
single page version

background image
નીલ નામના બે પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી નારી અને નરકાન્તાબે નદીઓ જાણવી.
સુષમ સુષમાદિ છ કાળ સંબંધી પરમાગમમાં કહ્યા પ્રમાણે આયુષ્ય, શરીરની ઊંચાઈ આદિ
સહિત દસ ક્રોડાક્રોડ સાગરપ્રમાણ અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ જેવો ભરતમાં વર્તે છે, તેવો
જ ઐરાવત ક્ષેત્રમાં વર્તે છે. આટલું વિશેષ છે કે ભરત અને ઐરાવતના મલેચ્છ ખંડોમાં
અને વિજયાર્ધ પર્વતમાં ચોથા કાળના આદિ અને અંત જેવો કાળ વર્તે છે, બીજો કાળ હોતો
નથી. વિશેષ શું કહેવું? જેમ ખાટનો એક ભાગ જાણી લેવાથી તેનો બીજો ભાગ તેવો જ
હોય, એમ જાણી લેવાય છે તેમજ જંબૂદ્વીપનાં ક્ષેત્ર, પર્વત, નદી, હ્દ આદિનું જે દક્ષિણ
દિશા સંબંધી વ્યાખ્યાન છે, તે જ ઉત્તર દિશા સંબંધી પણ જાણવું.
હવે, શરીરના મમત્વના કારણરૂપ મિથ્યાત્વ અને રાગાદિ વિભાવોથી રહિત અને
કેવળજ્ઞાન, કેવળદર્શન, સુખાદિ અનંતગુણ સહિત નિજ પરમાત્મદ્રવ્યમાં સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ ભાવના કરીને મુનિઓ જ્યાંથી વિગતદેહ અર્થાત્ દેહરહિત થઈને
પ્રચુરપણે (અધિકપણે) મોક્ષ પ્રાપ્ત કરે છે, તેને વિદેહક્ષેત્ર કહે છે. તે જંબૂદ્વીપની મધ્યમાં
આવેલા વિદેહક્ષેત્રનું કાંઈક વર્ણન કરે છે. તે આ પ્રમાણે
નવાણું હજાર યોજન ઊંચો,
એક હજાર યોજન ઊંડો અને શરૂઆતમાં ભૂમિતળ ઉપર દસ હજાર યોજન ગોળ
વિસ્તારવાળો તથા ઉપર ઉપર અગિયારમાં ભાગની હાનિક્રમે ઘટતાં ઘટતાં શિખર ઉપર
એક હજાર યોજનના વિસ્તારવાળો આગમકથિત અકૃત્રિમ ચૈત્યાલય, દેવવન તથા દેવોના
निर्गतं नारीनरकान्तानदीद्वयमिति विज्ञेयम् सुषमसुषमादिषट्कालसंबंधिपरमागमोक्ता-
युरुत्सेधादिसहिता दशसागरोपमकोटिप्रमितावसर्पिणी तथोत्सर्पिणी च यथा भरते वर्त्तते
तथैवैरावते च
अयन्तु विशेषः, भरतैरावतम्लेच्छखण्डेषु विजयार्धनगेषु च चतुर्थ-
कालसमयाद्यन्ततुल्यकालोऽस्ति नापरः किं बहुना, यथा खट्वाया एकभागे ज्ञाते
द्वितीयभागस्तथैव ज्ञायते तथैव जम्बूद्वीपस्य क्षेत्रपर्वतनदीह्दादीनां यदेव दक्षिणविभागे
व्याख्यानं तदुत्तरेऽपि विज्ञेयम्
अथ देहममत्वमूलभूतमिथ्यात्वरागादिविभावरहिते केवलज्ञानदर्शनसुखाद्यनन्तगुणसहिते
च निजपरमात्मद्रव्ये यया सम्यग्दर्शनज्ञानचारित्रभावनया कृत्वा विगतदेहा देहरहिताः सन्तो
मुनयः प्राचुर्येण यत्र मोक्षं गच्छन्ति स विदेहो भण्यते
तस्य जम्बूद्वीपस्य मध्यवर्त्तिनः किमपि
विवरणं क्रियते तद्यथानवनवतिसहस्रयोजनोत्सेध एकसहस्रावगाह आदौ भूमितले
दशयोजनसहस्रवृत्तविस्तार उपर्युपरि पुनरेकादशांशहानिक्रमेण हीयमानत्वे सति मस्तके
योजनसहस्रविस्तार आगमोक्ताकृत्रिमचैत्यालयदेववनदेवावासाद्यागमकथितानेकाश्चर्यसहितो

Page 142 of 272
PDF/HTML Page 154 of 284
single page version

background image
આવાસ આદિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનાં અનેક આશ્ચર્યોવાળો મહામેરુ નામનો પર્વત
વિદેહક્ષેત્રની મધ્યમાં છે. તે જ જાણે હાથી હોય તેમ તે મેરુપર્વતરૂપી હાથીમાંથી ઉત્તર
દિશામાં બે દાંતના આકારવાળા બે પર્વતો નીકળ્યા છે, તેમનું નામ ‘બે
ગજદંત’ છે,
તેઓ ઉત્તર ભાગમાં જે નીલપર્વત છે તેમાં જોડાયેલા છે. તે બેગજદંત પર્વતની વચ્ચે
જે ત્રિકોણાકાર ઉત્તમ ભોગભૂમિરૂપ ક્ષેત્ર છે, તેનું નામ ‘ઉત્તરકુરુ’ છે. તેની વચમાં
મેરુપર્વતની ઇશાન દિશામાં શીતા નદી અને નીલ પર્વતની વચ્ચે પરમાગમમાં વર્ણવેલ
અનાદિ
અકૃત્રિમ, પૃથ્વીકાયિક જંબૂવૃક્ષ છે. તે જ શીતા નદીના બન્ને કિનારા ઉપર
યમકગિરિ નામના બે પર્વત જાણવા. તે બે પર્વતથી દક્ષિણ દિશામાં થોડે દૂર જતાં શીતા
નદીની વચ્ચે થોડે થોડે અંતરે પદ્મ આદિ પાંચ હ્દ છે. તે હ્દોનાં બન્ને પડખે
લોકાનુયોગના વ્યાખ્યાન અનુસાર, સુવર્ણ અને રત્નમય જિન ચૈત્યાલયોથી શોભતા દસ
દસ સુવર્ણપર્વતો છે. એવી જ રીતે નિશ્ચય
- વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્રોને
પરમ ભક્તિથી આપેલા આહારદાનના ફળથી ઉત્પન્ન તિર્યંચ અને મનુષ્યોને ચક્રવર્તીના
ભોગસુખથી પણ અધિક એવું, વિવિધ પ્રકારનું પંચેન્દ્રિયસંબંધી ભોગોનું સુખ
કે જે
(ભોગસુખ) સ્વશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થતા, નિર્વિકાર, સદા આનંદ જેનું એક
લક્ષણ છે; એવા સુખામૃતના રસાસ્વાદથી વિલક્ષણ છે એવું ભોગસુખ
આપનારાં
જ્યોતિરંગ, ગૃહાંગ, દીપાંગ, તૂર્યાંગ, ભોજનાંગ, વસ્ત્રાંગ, માલ્યાંગ, ભાજનાંગ, ભૂષણાંગ
અને રાગ તથા મદ ઉત્પન્ન કરનાર રસાંગ નામનાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ ભોગભૂમિના
विदेहक्षेत्रमध्ये महामेरुर्नाम पर्वतोस्ति स च गजो जातस्तस्मान्मेरुगजात्सकाशादुत्तरमुखे
दन्तद्वयाकारेण यन्निर्गतं पर्वतद्वयं तस्य गजदन्तद्वयसंज्ञेति, तथोत्तरे भागे नीलपर्वते लग्नं
तिष्ठति
तयोर्मध्ये यत्त्रिकोणाकारक्षेत्रमुत्तमभोगभूमिरूपं तस्योत्तरकुरुसंज्ञा तस्य च मध्ये
मेरोरीशानदिग्विभागे शीतानीलपर्वतयोर्मध्ये परमागमवर्णितानाद्यकृत्रिमपार्थिवो जम्बू-
वृक्षस्तिष्ठति
तस्या एव शीताया उभयतटे यमकगिरिसंज्ञं पर्वतद्वयं विज्ञेयम्
तस्मात्पर्वतद्वयादक्षिणभागे कियन्तमध्वानं गत्वा शीतानदीमध्ये अन्तरान्तरेण पद्मादिह्द-
पञ्चकमस्ति
तेषां ह्दानामुभयपार्श्वयोः प्रत्येकं सुवर्णरत्नमयजिनगृहमण्डिता लोकानुयोग-
व्याख्यानेन दश दश सुवर्णपर्वता भवन्ति तथैव निश्चयव्यवहाररत्नत्रयाराधकोत्तम-
पात्रपरमभक्तिदत्ताहारदानफलेनोत्पन्ननां तिर्यग्मनुष्याणां स्वशुद्धात्मभावनोत्पन्ननिर्विकारस-
दानन्दैकलक्षणसुखामृतरसास्वादविलक्षणस्य चक्रवर्त्तिभोगसुखादप्यधिकस्य विविधपञ्चेन्द्रिय-
भोगसुखस्य प्रदायका ज्योतिर्गृहप्रदीपतूर्यभोजनवस्त्रमाल्यभाजनभूषणरागमदोत्पादकरसांगसंज्ञा

Page 143 of 272
PDF/HTML Page 155 of 284
single page version

background image
ક્ષેત્રમાં સ્થિત છે. ઇત્યાદિ પરમાગમ કથિત પ્રકારે અનેક આશ્ચર્યો સમજવાં. તે જ
મેરુગજમાંથી દક્ષિણ દિશામાં જે ‘બે
ગજદંત’ છે, તેની વચમાં દેવકુરુ નામની ઉત્તમ
ભોગભૂમિનું ક્ષેત્ર ઉત્તરકુરુની જેમ જાણવું.
તે જ મેરુપર્વતની પૂર્વ દિશામાં પૂર્વપશ્ચિમ બાવીસ હજાર યોજનના
વિસ્તારવાળું વેદીસહિત ભદ્રશાલ વન છે. તેનાથી પૂર્વ દિશામાં કર્મભૂમિ નામનું પૂર્વ
વિદેહ છે. ત્યાં નીલ નામના કુલાચલની દક્ષિણ દિશામાં અને શીતા નદીની ઉત્તરે
મેરુ ફરતાં જે ક્ષેત્રો છે, તેમના વિભાગોનું કથન કરવામાં આવે છે. તે આ રીતે
છે
મેરુની પૂર્વ દિશામાં જે પૂર્વ ભદ્રશાલ વનની વેદિકા છે, તેની પૂર્વ દિશામાં પ્રથમ
ક્ષેત્ર છે, ત્યાર પછી દક્ષિણઉત્તર લંબાયેલો વક્ષાર નામનો પર્વત છે, ત્યાર પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે, તેની આગળ ક્ષેત્ર છે, તેની આગળ વક્ષાર
પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પણ વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર
છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી
ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પૂર્વ સમુદ્રની પાસે જે
દેવારણ્ય નામનું વન છે, તેની વેદિકા છે. એવી રીતે નવ ભીંતો વડે આઠ ક્ષેત્રો
જાણવાં. તેમનાં ક્રમપૂર્વક નામ કહેવામાં આવે છે
કચ્છા, સુકચ્છા, મહાકચ્છા,
दशप्रकारकल्पवृक्षाः भोगभूमिक्षेत्रं व्याप्य तिष्ठन्तीत्यादिपरमागमोक्तप्रकारेणानेकाश्चर्याणि
ज्ञातव्यानि
तस्मादेव मेरुगजाद्दक्षिणदिग्विभागेन गजदन्तद्वयमध्ये देवकुरुसंज्ञमुत्तमभोग-
भूमिक्षेत्रमुत्तरकुरुवद्विज्ञेयम्
तस्मादेव मेरुपर्वतात्पूर्वस्यां दिशि पूर्वापरेण द्वाविंशतिसहस्रयोजनविष्कम्भं सवेदिकं
भद्रशालवनमस्ति तस्मात्पूर्वदिग्भागे कर्मभूमिसंज्ञः पूर्वविदेहोऽस्ति तत्र
नीलकुलपर्वताद्दक्षिणभागे शीतानद्या उत्तरभागे मेरोः प्रदक्षिणेन यानि क्षेत्राणि तिष्ठन्ति तेषां
विभागः कथ्यते
तथाहिमेरोः पूर्वदिशाभागे या पूर्वभद्रशालवनवेदिका तिष्ठति तस्याः
पूर्वदिग्भागे प्रथमं क्षेत्रं भवति, तदनन्तरं दक्षिणोत्तरायतो वक्षारनामा पर्वतो भवति, तदनन्तरं
क्षेत्रं तिष्ठति, ततोऽप्यनन्तरं विभङ्गा नदी भवति, ततोऽपि क्षेत्रं, तस्मादपि
वक्षारपर्वतस्तिष्ठति, ततश्च क्षेत्रं, ततोऽपि विभङ्गा नदी, तदनन्तरं क्षेत्रं, ततः परं
वक्षारपर्वतोऽस्ति, तदनन्तरं क्षेत्रं, ततो विभङ्गा नदी, ततश्च क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं,
तदनन्तं पूर्वसमुद्रसमीपे यद्देवारण्यं तस्य वेदिका चेति नवभित्तिभिरष्टक्षेत्राणि ज्ञातव्यानि
तेषां क्रमेण नामानि कथ्यन्तेकच्छा १, सुकच्छा २, महाकच्छा ३, कच्छावती ४,

Page 144 of 272
PDF/HTML Page 156 of 284
single page version

background image
કચ્છાવતી, આવર્ત્તા, લાંગલાવર્ત્તા, પુષ્કલા, પુષ્કલાવતી.
હવે, ક્ષેત્રોની મધ્યમાં જે નગરીઓ છે તેમનાં નામ કહે છેઃ ક્ષેમા, ક્ષેમપુરી, રિષ્ટા,
રિષ્ટપુરી, ખડ્ગા, મંજૂષા, ઔષધિ અને પુંડરીકિણી.
હવે પછી, શીતા નદીની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની ઉત્તરે જે આઠ ક્ષેત્રો છે,
તેનું કથન કરે છે. તે આ પ્રમાણેપૂર્વોક્ત જે દેવારણ્યની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર
છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે, પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે,
ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી
છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી મેરુની પૂર્વ દિશાના
પૂર્વભદ્રશાલ વનની વેદી છે. એવી રીતે નવ ભીંત વચ્ચે આઠ ક્ષેત્રો જાણવાં.
હવે, તેમનાં નામ ક્રમપૂર્વક કહે છેવચ્છા, સુવચ્છા, મહાવચ્છા, વચ્છાવતી,
રમ્યા, રમ્યકા, રમણીયા અને મંગલાવતી.
હવે, તેમની મધ્યમાં આવેલી નગરીઓનાં નામ કહે છેઃ સુસીમા, કુંડલા,
અપરાજિતા, પ્રભાકરી, અંકા, પદ્મા, શુભા અને રત્નસંચયા.એ પ્રમાણે પૂર્વવિદેહક્ષેત્રના
आवर्त्ता ५, लाङ्गलावर्त्ता ६, पुष्कला ७, पुष्कलावती ८ चेति इदानीं क्षेत्रमध्य-
स्थितनगरीणां नामानि कथ्यन्तेक्षेमा १, क्षेमपुरी २, रिष्टा ३, रिष्टपुरी ४, खङ्गा ५,
मञ्जूषा ६, औषधी ७, पुण्डरीकिणी ८ चेति
अत ऊर्ध्वं शीताया दक्षिणविभागे निषधपर्वतादुत्तरविभागे यान्यष्टक्षेत्राणि तानि
कथ्यन्ते तद्यथापूर्वोक्ता या देवारण्यवेदिका तस्याः पश्चिमभागे क्षेत्रमस्ति, तदनन्तरं
वक्षारपर्वतस्ततः परं क्षेत्रं, ततो विभङ्गा नदी, ततश्च क्षेत्रं, तस्माद्वक्षारपर्वतस्ततश्च क्षेत्रं, ततो
विभङ्गा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतः, ततः क्षेत्रं, ततो विभङ्गा नदी, तदनन्तरं क्षेत्रं,
ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो मेरुदिग्भागे पूर्वभद्रशालवनवेदिका भवतीति नवभित्ति-
मध्येऽष्टौ क्षेत्राणि ज्ञातव्यानि
इदानीं तेषां क्रमेण नामानि कथ्यन्तेवच्छा १, सुवच्छा
२, महावच्छा ३, वच्छावती ४, रम्या ५, रम्यका ६, रमणीया ७, मङ्गलावती ८ चेति
इदानीं तन्मध्यस्थितनगरीणां नामानि कथ्यन्तेसुसीमा १, कुण्डला २, अपराजिता ३,
प्रभाकरी ४, अङ्का ५, पद्मा ६, शुभा ७, रत्नसंचया ८ चेति, इति पूर्वविदेहक्षेत्रविभाग-

Page 145 of 272
PDF/HTML Page 157 of 284
single page version

background image
વિભાગોનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે, મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં પૂર્વપશ્ચિમ બાવીસ હજાર યોજન લાંબા
પશ્ચિમ ભદ્રશાલ વન પછી પશ્ચિમ વિદેહક્ષેત્ર છે, ત્યાં નિષધ પર્વતની ઉત્તરે અને શીતોદા
નદીની દક્ષિણે જે ક્ષેત્રો છે, તેના વિભાગ કહે છે
મેરુપર્વતની પશ્ચિમ દિશામાં જે પશ્ચિમ
ભદ્રશાલ વનની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર છે, ત્યાર પછી દક્ષિણથી ઉત્તરે લંબાયેલો
વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી
વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત
છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી પશ્ચિમ સમુદ્રની પાસે જે ભૂતારણ્ય નામનું વન છે તેની વેદિકા છે.
આવી રીતે નવ ભીંતોની વચ્ચે આઠ ક્ષેત્ર છે. તેમનાં નામ કહે છે
પદ્મા, સુપદ્મા,
મહાપદ્મા, પદ્મકાવતી, શંખા, નલિના, કુમુદા, સલિલા. તેની વચ્ચે આવેલી નગરીઓનાં
નામ કહે છે
અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયાપુરી, અરજાપુરી, વિરજાપુરી,
અશોકાપુરી અને વિશોકાપુરી.
હવે શીતોદાની ઉત્તરે અને નીલકુલાચલની દક્ષિણે જે ક્ષેત્રો છે, તેમના વિભાગભેદનું
व्याख्यानं समाप्तम्
अथ मेरोः पश्चिमदिग्भागे पूर्वापरद्वाविंशतिसहस्रयोजनविष्कम्भो पश्चिमभद्रशाल-
वनानन्तरं पश्चिमविदेहस्तिष्ठति तत्र निषधपर्वतादुत्तरविभागे शीतोदानद्यादक्षिणभागे यानि
क्षेत्राणि तेषां विभाग उच्यते तथाहिमेरुदिग्भागे या पश्चिमभद्रशालवनवेदिका तिष्ठति
तस्याः पश्चिमभागे क्षेत्रं भवति, ततो दक्षिणोत्तरायतो वक्षारपर्वतस्तिष्ठति, तदनन्तरं क्षेत्रं,
ततो विभङ्गा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततः विभङ्गा नदी, ततः क्षेत्रं,
ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततः विभङ्गा नदी, ततः क्षेत्रं, ततः वक्षारपर्वतस्ततः क्षेत्रं,
तदनन्तरं पश्चिमसमुद्रे समीपे यद्भूतारण्यवनं तिष्ठति तस्य वेदिका चेति नवभित्तिषु मध्येऽष्टौ
क्षेत्राणि भवन्ति
तेषां नामानि कथ्यन्तेपद्मा १, सुपद्मा २, महापद्मा ३, पद्मकावती
४, शंखा ५, नलिना ६, कुमुदा ७, सलिला ८ चेति तन्मध्यस्थितनगरीणां नामानि
कथयन्तिअश्वपुरी १, सिंहपुरी २, महापुरी ३, विजयापुरी ४, अरजापुरी ५, विरजापुरी
६, अशोकापुरी ७, विशोकापुरी ८ चेति
अत ऊर्ध्वं शीतोदाया उत्तरभागे नीलकुलपर्वताद्दक्षिणे भागे यानि क्षेत्राणि तिष्ठन्ति

Page 146 of 272
PDF/HTML Page 158 of 284
single page version

background image
કથન કરે છે. પૂર્વે કહેલી જે ભૂતારણ્યવનવેદિકા છે તેની પૂર્વે ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર
પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત
છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર
છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી
મેરુપર્વતની પશ્ચિમ દિશામાં પશ્ચિમ ભદ્રશાલ વનની વેદિકા છે. આવી રીતે નવ ભીંતોની
વચ્ચે આઠ ક્ષેત્રો છે. તેમનાં ક્રમથી નામ કહે છે
વપ્રા, સુવપ્રા, મહાવપ્રા, વપ્રકાવતી, ગંધા,
સુગંધા, ગંધિલા, ગંધમાલિની. તેની મધ્યમાં સ્થિત નગરીઓનાં નામ કહેવાય છેવિજયા,
વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખડ્ગપુરી, અયોધ્યા અને અવધ્યા.
હવે, જેમ ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ એ બે નદીઓથી તથા વિજયાર્ધ પર્વતથી
પાંચ મ્લેચ્છ ખંડ અને એક આર્યખંડ એમ છ ખંડ થયા, તેમ પૂર્વોક્ત બત્રીસ વિદેહક્ષેત્રોમાં
ગંગા અને સિંધુ જેવી બે નદીઓ અને વિજયાર્ધ પર્વતથી પ્રત્યેક ક્ષેત્રના છ ખંડ જાણવા.
વિશેષ એ છે કે; આ બધાં ક્ષેત્રોમાં સદાય ચોથા કાળની આદિ જેવો કાળ રહે છે. ત્યાં
ઉત્કૃષ્ટ આયુષ્ય કરોડ પૂર્વનું છે અને શરીરની ઊંચાઈ પાંચસો ધનુષ્યની છે. પૂર્વનું માપ
કહે છે. ‘‘પૂર્વનું પ્રમાણ સિત્તેર લાખ, છપ્પન હજાર કરોડ વર્ષ જાણવું.’’
तेषां विभागभेदं कथयति पूर्वभणिता या भूतारण्यवनवेदिका तस्याः पूर्वभागे क्षेत्रं भवति
तदनंतरं वक्षारपर्वतस्तदनंतरं क्षेत्रं, ततो विभंगा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतः, ततश्च
क्षेत्रं, ततश्च विभंगा नदी, ततोऽपि क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो विभंगा नदी,
ततः क्षेत्रं, ततश्च वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो मेरुदिशाभागे पश्चिमभद्रशालवनवेदिका चेति
नवभित्तिषुं मध्येऽष्टौ क्षेत्राणि भवन्ति
तेषां क्रमेण नामानि कथ्यन्तेवप्रा १, सुवप्रा २,
महावप्रा ३, वप्रकावती ४, गन्धा ५, सुगन्धा ६, गन्धिला ७, गन्धमालिनी ८ चेति
तन्मध्यस्थितनगरीणां नामानि कथ्यन्तेविजया १, वैजयंती २, जयंती ३, अपराजिता
४, चक्रपुरी ५, खड्गपुरी ६, अयोध्या ७, अवध्या ८ चेति
अथ यथाभरतक्षेत्रेगङ्गासिंधुनदीद्वयेन विजयार्धपर्वतेन च म्लेच्छखण्डपञ्चकमार्यखण्डं
चेति षट् खण्डानि जातानि तथैव तेषु द्वात्रिंशत्क्षेत्रेषु गङ्गासिंधुसमाननदीद्वयेन विजयार्धपर्वतेन
च प्रत्येकं षट् खण्डानि ज्ञातव्यानि अयं तु विशेषः एतेषु क्षेत्रेषु सर्वदैव
चतुर्थकालादिसमानकालः उत्कर्षेणं पूर्वकोटिजीवितं, पञ्चशतचापोत्सेधश्चेति विज्ञेयम्
पूर्वप्रमाणं कथ्यते ‘‘पुव्वस्स हु परिमाणं सदरिं खलु सदसहस्सकोडीओ छष्पण्णं च सहस्सा

Page 147 of 272
PDF/HTML Page 159 of 284
single page version

background image
આ રીતે સંક્ષેપથી જંબૂદ્વીપનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
જેવી રીતે બધા દ્વીપ અને સમુદ્રોમાં, દ્વીપ અને સમુદ્રની હદ આંકનારી આઠ યોજન
ઊંચી વજ્રની દિવાલ હોય છે, તેવી રીતે જંબૂદ્વીપમાં પણ છે; એમ જાણવું. તે વેદિકાની
બહાર બે લાખ યોજન પહોળો, ગોળાકાર, આગમમાં કહ્યા પ્રમાણે સોળ હજાર યોજન
જળની ઊંડાઈ આદિ અનેક આશ્ચર્યો સહિત લવણ સમુદ્ર છે, તેની બહાર ચાર લાખ યોજન
ગોળ વિસ્તારવાળો ધાતકીખંડ દ્વીપ છે, ત્યાં દક્ષિણ ભાગમાં લવણોદધિ અને કાલોદધિ એ
બે સમુદ્રોની વેદિકાને સ્પર્શનાર દક્ષિણ
ઉત્તર પથરાયેલો, એક હજાર યોજનના
વિસ્તારવાળો, ચારસો યોજન ઊંચો ઇક્ષ્વાકાર નામનો પર્વત છે. તેવી જ રીતે ઉત્તર ભાગમાં
પણ એક ઇક્ષ્વાકાર પર્વત છે. તે બે પર્વતોથી વિભાજિત, પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ
ધાતકીખંડ એવા બે ભાગ જાણવા. પૂર્વ ધાતકીખંડ દ્વીપની વચમાં ચોરાસી હજાર યોજન
ઊંચો અને એક હજાર યોજન ઊંડો નાનો મેરુ છે. તથા પશ્ચિમ ધાતકીખંડમાં પણ એક
નાનો મેરુ છે. જેવી રીતે જંબૂદ્વીપના મહામેરુના ભરતાદિક્ષેત્ર, હિમવત્ આદિ પર્વત, ગંગા
આદિ નદી અને પદ્મ આદિ હ્દોનું દક્ષિણ અને ઉત્તર દિશા સંબંધી વર્ણન કર્યું છે, તેમ
આ પૂર્વ ધાતકીખંડના અને પશ્ચિમ ધાતકીખંડના મેરુ સંબંધી પણ જાણવું. તેથી ધાતકીખંડમાં
જંબૂદ્વીપની અપેક્ષાએ સંખ્યામાં ભરતક્ષેત્રાદિ બમણા થાય છે, પરંતુ લંબાઈ
પહોળાઈની
बोधव्या वासगणनाओ ।।।।’’ इति संक्षेपेण जम्बूद्वीपव्याख्यानं समाप्तम्
तदनन्तरं यथा सर्वद्वीपेषु सर्वसमुद्रेषु च द्वीपसमुद्रमर्यादाकारिका योजनाष्टकोत्सेधा
वज्रवेदिकास्ति तथा जम्बूद्वीपेप्यस्तीति विज्ञेयम् यद्बहिर्भागे योजनलक्षद्वयवलयविष्कम्भ
आगमकथितषोडशसहस्रयोजनजलोत्सेधाद्यनेकाश्चर्य सहितो लवणसमुद्रोऽस्ति तस्मादपि
बहिर्भागे योजनलक्षचतुष्टयवलयविष्कम्भो धातकीखण्डद्वीपोऽस्ति तत्र च दक्षिणभागे
लवणोदधिकालोदधिसमुद्रद्वयवेदिकास्पर्शी दक्षिणोत्तरायामः सहस्रयोजनविष्कम्भः
शतचतुष्टयोत्सेध इक्ष्वाकारनामपर्वतः अस्ति
तथोत्तरविभागेऽपि तेन पर्वतद्वयेन खण्डीकृतं
पूर्वापरधातकीखण्डद्वयं ज्ञातव्यम् तत्र पूर्वधातकीखण्डद्वीपमध्ये चतुरशीतिसहस्रयोजनोत्सेधः
सहस्रयोजनावगाहः क्षुल्लकमेरुरस्ति तथा पश्चिमधातकीखण्डेऽपि यथा जम्बूद्वीपमहामेरोः
भरतादिक्षेत्रहिमवदादिपर्वतगङ्गादिनदीपद्मादिह्दानां दक्षिणोत्तरेण व्याख्यानं कृतं तथात्र
पूर्वधातकीखण्डमेरौ पश्चिमधातकीखण्डमेरौ च ज्ञातव्यम्
अत एव जम्बूद्वीपापेक्षया संख्यां प्रति
द्विगुणानि भवन्ति भरतक्षेत्राणि, न च विस्तारायामापेक्षया कुलपर्वताः पुनर्विस्तारापेक्षयैव

Page 148 of 272
PDF/HTML Page 160 of 284
single page version

background image
અપેક્ષાએ બમણા નથી. કુલપર્વતો વિસ્તારની અપેક્ષાએ બમણા છે, પણ લંબાઈની અપેક્ષાએ
બમણા નથી. તે ધાતકીખંડ દ્વીપમાં જેવા ચક્રના આરા હોય છે, તેવા આકારના કુલાચલ
છે. જેમ ચક્રના આરામાં છિદ્રો અંદરની તરફ સાંકડા હોય છે અને બહારની તરફ પહોળા
હોય છે, તેમ ક્ષેત્રોનો આકાર જાણવો.
આ પ્રકારના ધાતકીખંડ દ્વીપને આઠ લાખ યોજનનો ગોળ વિસ્તારવાળો કાલોદક
સમુદ્ર વીંટળાયેલો છે. તે કાલોદક સમુદ્રની બહાર આઠ લાખ યોજન ચાલતાં
પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં, ગોળાકારે, ચારે દિશાઓમાં માનુષોત્તર નામનો પર્વત છે.
તે પુષ્કરાર્ધદ્વીપમાં પણ ધાતકીખંડ દ્વીપની પેઠે દક્ષિણ અને ઉત્તર દિશામાં ઇક્ષ્વાકાર નામના
બે પર્વત છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશામાં બે નાના મેરુ છે. એવી જ રીતે ભરતાદિ
ક્ષેત્રોના વિભાગ જાણવા. પરંતુ જંબૂદ્વીપના ભરતાદિની સંખ્યાની અપેક્ષાએ અહીં ભરતાદિ
ક્ષેત્ર બમણાં છે, ધાતકીખંડ દ્વીપના ભરતાદિની સંખ્યાની અપેક્ષાએ નહિ. કુલાચલોની
ઊંચાઈ તથા પહોળાઈ ધાતકીખંડના કુલાચલોની અપેક્ષાએ બમણી છે. દક્ષિણમાં વિજયાર્ધ
પર્વતની ઊંચાઈનું પ્રમાણ પચીસ યોજન, હિમવત્ પર્વતની ઊંચાઈ સો યોજન, મહા હિમવત્
પર્વતની ઊંચાઈ બસો યોજન અને નિષધ પર્વતની ઊંચાઈ ચારસો યોજન છે. ઉત્તર
ભાગમાં પણ પર્વતોની ઊંચાઈનું પ્રમાણ તેવી જ રીતે છે. મેરુની સમીપમાં ગજદંતોની
ઊંચાઈ પાંચસો યોજન છે અને નીલ તથા નિષધ પર્વતોની પાસે ગજદંતોની ઊંચાઈ ચારસો
द्विगुणा, नत्वायामं प्रति तत्र धातकीखण्डद्वीपे यथा चक्रस्यारास्तथाकाराः कुलपर्वता
भवन्ति यथा चाराणां विवराणि छिद्राणि मध्यान्यभ्यन्तरे सङ्कीर्णानि बहिर्भागे विस्तीर्णानि
तथा क्षेत्राणि ज्ञातव्यानि
इत्थंभूतं धातकीखण्डद्वीपमष्टलक्षयोजनवलयविष्कम्भः कालोदकसमुद्रः परिवेष्ट्य
तिष्ठति तस्माद्बहिर्भागे योजनलक्षाष्टकं गत्वा पुष्करवरद्वीपस्य अर्द्धे वलयाकारेण
चतुर्दिशाभागे मानुषोत्तरनामा पर्वतस्तिष्ठति तत्र पुष्करार्धेऽपि धातकीखण्डद्वीप-
वद्दक्षिणोत्तरेणेक्ष्वाकारनामपर्वतद्वयं पूर्वापरेण क्षुल्लकमेरुद्वयं च तथैव भरतादिक्षेत्रविभागश्च
बोधव्यः परं किन्तु जम्बूद्वीपभरतादिसंख्यापेक्षया भरतक्षेत्रादिद्विगुणत्वं, न च
धातकीखण्डापेक्षया कुलपर्वतानां तु धातकीखण्डकुलपर्वतापेक्षया द्विगुणो विष्कम्भ
आयामश्च उत्सेधप्रमाणं पुनः दक्षिणभागे विजयार्धपर्वते योजनानि पञ्चविंशतिः हिमवति
पर्वते शतं, महाहिमवति द्विशतं, निषधे चतुःशतं, तथोत्तरभागे च मेरुसमीपगजदन्तेषु