PDF/HTML Page 61 of 110
single page version
સાથે સંબંધ ન થવાને સંવર કહે છે.
તારતમ્યતારૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે.
PDF/HTML Page 62 of 110
single page version
સૂક્ષ્મસાંપરાય, ૧૧ ઉપશાંતમોહ, ૧૨ ક્ષીણમોહ, ૧૩
સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચૌદ ગુણસ્થાન છે.
ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના
નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના
નિમિત્તથી છે. ભાવાર્થઃ પહેલું મિથ્યાત્વગુણસ્થાન
દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના
પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યગ્મિથ્યાત્વ અથવા
ઉભયરૂપ થાય છે.
ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજું ગુણસ્થાન
દર્શનમોહનીય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ
એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા
રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી
પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ
ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં
ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી
શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી
સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી
અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ
અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.
PDF/HTML Page 63 of 110
single page version
સૂક્ષ્મસાંપરાય) એ છ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના
ક્ષયોપશમથી થાય છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપશમિક
ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં સમ્યક્ચારિત્ર પર્યાયની
અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે.
ઔપશમિક ભાવ થાય છે. જોકે અહીં ચારિત્રમોહનીય
કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો
સદ્ભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે
સમ્યક્ચારિત્રમોહનીયના લક્ષણમાં યોગ અને કષાયના
અભાવથી પૂર્ણ સમ્યક્ચારિત્ર થાય છે, એવું લખ્યું છે.
ગુણસ્થાનમાં પણ અગિયારમા ગુણસ્થાનની માફક
સમ્યક્ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યગ્જ્ઞાન ગુણ જોકે ચોથા
ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ચૂક્યો હતો. ભાવાર્થ
રહ્યો છે, તોપણ દર્શન મોહનીય કર્મનો ઉદય થવાથી તે
જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે
દર્શનમોહનીય કર્મના ઉદયનો અભાવ થઈ ગયો, ત્યારે તે
જ આત્માનો જ્ઞાનપર્યાય સમ્યગ્જ્ઞાન કહેવાવા લાગ્યો અને
પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તથી અવધિ,
મનઃપર્યયજ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે
તથાપિ કેવળજ્ઞાન થયા વિના સમ્યગ્જ્ઞાનની પૂર્ણતા થઈ
શકતી નથી, તેથી આ બારમા ગુણસ્થાન સુધી જોકે
સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે (કેમકે ક્ષાયિક સમ્યક્ત્વ
વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણી વગર બારમા
ગુણસ્થાને જાય નહિ.) તોપણ સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી
અત્યારસુધી મોક્ષ થતો નથી.
નિમિત્તથી સયોગ કેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યગ્જ્ઞાનની
પૂર્ણતા થઈ જાય છે, પરંતુ ચારિત્ર ગુણની પૂર્ણતા ન
હોવાથી, મોક્ષ થતો નથી.
PDF/HTML Page 64 of 110
single page version
ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ
ત્રણે ગુણોની પૂર્ણતા થઈ જાય છે, તેથી મોક્ષ પણ હવે દૂર
રહ્યો નથી, અર્થાત્ અ, ઇ, ઉ, ૠ, લૃ, એ પાંચ હ્સ્વ
સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે છે તેટલા જ
વખતમાં મોક્ષ થઈ જાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે
છે અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી.
જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે છે,
તેવી જ રીતે, તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી.
૫ અને સંઘાત ૫ ની અભેદ વિવક્ષાથી પાંચે શરીરોમાં
અંતર્ભાવ થાય છે, તેથી ભેદ વિવક્ષાથી સર્વ ૧૪૮ અને
અભેદ વિવક્ષાથી ૧૨૨ પ્રકૃતિઓ છે, સમ્યગ્મિથ્યાત્વ અને
સમ્યક્પ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી, કેમકે એ
બન્ને પ્રકૃતિઓની સત્તા સમ્યક્ત્વ પરિણામોથી મિથ્યાત્વ
પ્રકૃતિના ત્રણ ખંડ કરવાથી થાય છે, તેથી અનાદિ
મિથ્યાદ્રષ્ટિ જીવની બંધયોગ પ્રકૃતિ ૧૧૭ અને
સત્ત્વયોગપ્રકૃતિ ૧૪૩ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં
તીર્થંકરપ્રકૃતિ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ
ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે એ ત્રણ પ્રકૃતિઓનો
બંધ સમ્યગ્દ્રષ્ટિઓને જ થાય છે, તેથી આ ગુણસ્થાનમાં
૧૨૦માંથી ત્રણ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે.
અને તીર્થંકર પ્રકૃતિ એ પાંચ પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં
PDF/HTML Page 65 of 110
single page version
૧૧૭ પ્રકૃતિઓનો ઉદય પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં
થાય છે.
બાકી રહે, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના
ઉદયથી જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું છે, એવો જીવ
સાસાદનગુણસ્થાનવાળો થાય છે.
પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય, તેને ઉપશમ
ઉત્પન્ન થાય, તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહે છે. અને છ
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્પ્રકૃતિ નામના મિથ્યાત્વના
ઉદયથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ
કહે છે.
મિથ્યાદ્રષ્ટિની પાંચ અને સાદિ મિથ્યાદ્રષ્ટિની પાંચ અને
સાદિ મિથ્યાદ્રષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન
થાય, તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહે છે.
ચતુષ્ટયનું વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને
દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને સમ્યક્ત્વ
પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે.
PDF/HTML Page 66 of 110
single page version
એવી સોળ પ્રકૃતિઓ ઘટાડવાથી ૧૦૧ પ્રકૃતિઓનો બંધ
સાસાદન ગુણસ્થાનમાં થાય છે. તે સોળ પ્રકૃતિનાં નામ
એકેન્દ્રિયજાતિ, વિકલત્રય જાતિ ત્રણ, સ્થાવર, આતાપ,
સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણ એ સોળ છે.
સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા થાય છે.
આગળના કોઈ ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય
અથવા સત્ત્વ હોતાં નથી, તેને વ્યુચ્છિત્તિ કહે છે.
સાધારણ એ પાંચ મિથ્યાત્વ ગુણસ્થાનની વ્યુચ્છિન્ન
પ્રકૃતિઓ બાદ કરવાથી ૧૧૨ રહી, પરંતુ
નરકગત્યાનુપૂર્વીનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી
આ ગુણસ્થાનમાં ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓની સત્તા રહેતી
નથી.
મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતું નથી. પરંતુ મળેલા
દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનું મિશ્ર
પરિણામ થાય છે, તેને મિશ્રગુણસ્થાન કહે છે.
PDF/HTML Page 67 of 110
single page version
માન, માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,
દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, ન્યગ્રોધ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન,
કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ્રનારાચસંહનન,
નારાચસંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિત સંહનન,
અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યગ્ગતિ,
તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ અને ઉદ્યોત) ને બાદ કરવાથી
બાકી રહી ૭૬; પરંતુ આ ગુણસ્થાનમાં કોઈ પણ
આયુકર્મનો બંધ થતો નથી, તેથી ૭૬માંથી મનુષ્યાયુ અને
દેવાયુ એ બંનેને બાદ કરવાથી ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય
છે. નરકાયુ તો પહેલા ગુણસ્થાનમાં અને તિર્યગાયુની બીજા
ગુણસ્થાનમાં જ વ્યુચ્છિતિ થઈ ચૂકી છે.
(અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એકેન્દ્રિયાદિ ૪
અને સ્થાવર ૧)ને બાદ કરવાથી બાકી રહેલી ૧૦૨માંથી
નરકગત્યાનુપૂર્વી વગર (કેમકે તે બીજા ગુણસ્થાનમાં બાદ
કરેલી છે) બાકીની ત્રણ અનુપૂર્વી ઘટાડવાથી કોઈ પણ
અનુપૂર્વીનો ઉદય નથી.) બાકી રહેલી ૯૯ પ્રકૃતિ અને એક
સમ્યગ્મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અહીં આવી મળ્યો, તે
કારણથી આ ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
ક્ષયોપશમથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા,
PDF/HTML Page 68 of 110
single page version
ગુણસ્થાનવર્તી થાય છે.
સહિત ૭૭ પ્રકૃતિઓનો બંધ આ ચોથામાં થાય છે.
કરવાથી ૯૯ રહી, તેમાં ચાર અનુપૂર્વી અને એક
સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓ ઉમેરવાથી ૧૦૪
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન, માયા, લોભના ઉપશમથી
શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર થાય છે, તેને જ દેશવિરત નામે
પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમું આદિ ઉપરનાં સર્વ
ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી
સમ્યગ્જ્ઞાન અવશ્ય થાય છે, એના વિના પાંચમા, છઠ્ઠા
વગેરે ગુણસ્થાનો થતાં નથી.
માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી,
મનુષ્યાયુ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ,
PDF/HTML Page 69 of 110
single page version
પ્રકૃતિઓનો બંધ થાય છે.
ક્રોધ, માન, માયા, લોભ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, દેવાયુ,
નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, વૈક્રિયિકશરીર,
વૈક્રિયિકઅંગોપાંગ, મનુષ્યગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ)ને બાદ કરવાથી બાકી રહેલી
૮૭ પ્રકૃતિઓનો ઉદય છે.
પ્રકૃતિની સત્તા છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિની અપેક્ષાએ
૧૪૦ પ્રકૃતિની જ સત્તા રહે છે.
થાય છે. (જોકે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્ર
ગુણનો વિરોધી છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો
ઉપશમ થવાથી પ્રાદુર્ભૂત સકલ સંયમને ઘાતવામાં સમર્થ
નથી, તેથી ઉપચારથી સંયમનો ઉત્પાદક કહ્યો છે) તેથી
આ ગુણસ્થાનવર્તી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી
કહે છે.
એ ચાર વ્યુચ્છિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી બાકી રહેલી ૬૩
પ્રકૃતિઓનો બંધ થાય છે.
PDF/HTML Page 70 of 110
single page version
ક્રોધ, માન, માયા, લોભ, તિર્યગ્ગતિ, તિર્યગાયુ, ઉદ્યોત અને
નીચગોત્ર) ને ઘટાડવાથી બાકી રહેલી ૭૯ પ્રકૃતિઓમાં
આહારક શરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ
ઉમેરવાથી ૮૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે.
ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમત્તવિરત કહે છે.
સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે.
ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
PDF/HTML Page 71 of 110
single page version
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું વિસંયોજન
કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા
તો દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ થઈ જાય અથવા ત્રણે
પ્રકૃતિઓનો ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય, ત્યારે
શ્રેણી ચઢવાને પાત્ર થાય છે.
છે.
ક્ષપકશ્રેણી ચઢતો નથી.
અને અગિયારમું ઉપશાન્ત મોહ છે.
પરિણામ નિમિત્ત કારણ છે?
PDF/HTML Page 72 of 110
single page version
પરિણામ સદ્રશ તથા વિસદ્રશ હોય, તેને અધઃકરણ કહે છે.
તે અધઃકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે.
પરિણામ સદાય વિસદ્રશ જ હોય અને એક સમયવર્તી
જીવોના પરિણામ સદ્રશ પણ હોય અને વિસદ્રશ પણ હોય,
તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે.
સદ્રશ જ હોય, તેને અનિવૃત્તિકરણ કહે છે. એ જ નવમું
ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોના પરિણામ પ્રતિસમય
અનંતગુણી વિશુદ્ધતા માટે થાય છે.
મનુષ્ય છે, બીજીમાં ૧૬૬, ત્રીજીમાં ૧૭૦, ચોથીમાં ૧૭૪,
પાંચમીમાં ૧૭૮, છઠ્ઠીમાં ૧૮૨, સાતમીમાં ૧૮૬,
આઠમીમાં ૧૯૦, નવમીમાં ૧૯૪, દશમીમાં ૧૯૮,
અગિયારમીમાં ૨૦૨, બારમીમાં ૨૦૬, તેરમીમાં ૨૧૦,
ચૌદમીમાં ૨૧૪, પંદરમીમાં ૨૧૮ અને સોળમીમાં ૨૨૨
મનુષ્ય કામ કરે છે.
એકે એક વધતા ૧૬૨મા મનુષ્યનો પગાર ૧૬૨ છે.
વગેરેના પગારમાંથી એક એક રૂપિયો ક્રમથી વધારતાં ૧૬૬
મનુષ્યનો પગાર રૂા. ૨૦૫ છે.
PDF/HTML Page 73 of 110
single page version
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો પગારમાં વધારતાં
૧૭૦માં મનુષ્યનો પગાર રૂા. ૨૪૯ છે.
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો વધતાં ૧૭૪ મા
મનુષ્યનો પગાર ૨૯૪ રૂપિયા થાય છે; એવી રીતે ક્રમથી
૧૬મી કચેરીમાં જ ૨૨૨ મનુષ્ય નોકર છે, તેમાંથી
પહેલાનો પગાર રૂા. ૬૯૧ અને ૨૨૨મા મનુષ્યનો પગાર
૯૧૨ છે. આ દ્રષ્ટાન્તમાં પહેલી કચેરીમાં ૩૯ મનુષ્યોનો
પગાર, ઉપરની કચેરીઓના કોઈ પણ મનુષ્યના પગાર
સાથે મળતો નથી. તથા છેલ્લા ૫૭ મનુષ્યોનો પગાર
નીચેની કચેરીઓના કોઈપણ મનુષ્યના પગાર સાથે મળતો
નથી. બાકીના પગાર ઉપર નીચેની કચેરીઓના પગારોની
સાથે યથાસંભવ સદ્રશ પણ છે, એવી રીતે યથાર્થમાં પણ
ઉપરના સમય સંબંધી પરિણામો અને નીચેના સમય
સંબંધી પરિણામોમાં સદ્રશતા યથાસંભવ જાણવી. તેનું
વિશેષ સ્વરૂપ ગોમ્મટસારજીના ગુણસ્થાનાધિકારમાં તથા
પાના સુધીમાં જોવું.
અશાતા, અપયસ્કીર્તિ, અરતિ અને શોક)ના ઘટાડવાથી
બાકી રહેલી ૫૭ પ્રકૃતિમાં આહારકશરીર અને આહારક
અંગોપાંગ એ બે પ્રકૃતિઓને ભેળવવાથી ૫૯ પ્રકૃતિઓનો
બંધ થાય છે.
આહારક અંગોપાંગ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ]ના ઘટવાથી બાકી રહેલી ૭૬ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.
PDF/HTML Page 74 of 110
single page version
૧૩૯ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૮ પ્રકૃતિઓનો બંધ થાય છે.
અર્દ્ધનારાચ, કીલક, અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન)ના
ઘટાડવાથી બાકી રહેલી ૭૨ પ્રકૃતિઓનો ઉદય થાય
છે.
માયા, લોભ એ ચારને ઘટાડવાથી દ્વિતીયોપશમ સમ્યગ્દ્રષ્ટિ
ઉપશમશ્રેણીવાળાને તો ૧૪૨ પ્રકૃતિની સત્તા છે, પરંતુ
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ ઉપશમશ્રેણીવાળાને દર્શનમોહનીયની ત્રણ
પ્રકૃતિરહિત ૧૩૯ ની સત્તા રહે છે અને ક્ષપકશ્રેણીવાળાને
સાતમા ગુણસ્થાનની વ્યુચ્છિત્તિપ્રકૃતિ આઠ [અનંતાનુબંધી
ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહનીયની ત્રણ અને
એક દેવાયુ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૩૮ પ્રકૃતિઓની
સત્તા રહે છે.
તીર્થંકર, નિર્માણ, પ્રશસ્ત, વિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ,
તૈજસ શરીર, કાર્માણ શરીર, આહારક શરીર, આહારક
PDF/HTML Page 75 of 110
single page version
અંગોપાંગ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ,
અગુરુલઘુત્વ, ઉપઘાત, પરઘાત, ઉચ્છ્વાસ, ત્રસ, બાદર,
પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભઘ, સુભગ, સુસ્વર, આદેય,
હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય) ઘટાડવાથી બાકી રહેલી ૨૨
પ્રકૃતિઓનો બંધ થાય છે.
શોક, ભય, જુગુપ્સા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૬
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિની અને ક્ષપકશ્રેણીવાળાને
૧૩૪ પ્રકૃતિઓની સત્તા રહે છે.
ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
ક્રોધ, માન, માયા, લોભ)ને ઘટાડવાથી બાકી રહેલી ૧૭
પ્રકૃતિઓનો બંધ થાય છે.
નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા)ને ઘટાડવાથી બાકી
રહેલી ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
PDF/HTML Page 76 of 110
single page version
સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિ અને ક્ષપકશ્રેણીવાળાને નવમા
ગુણસ્થાનમાં જે ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે, તેમાંથી
વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ૩૬ (તિર્યગ્ગતિ ૧, તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧,
વિકલત્રયની ૩, નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૧, સ્ત્યાનગૃદ્ધિ
૧, ઉદ્યોત ૧, આતાપ ૧, એકેન્દ્રિય ૧, સાધારણ ૧, સૂક્ષ્મ
૧, સ્થાવર ૧, અપ્રત્યાખ્યાનાવરણની ૪,
પ્રત્યાખ્યાનાવરણની ૪, નોકષાયની ૯, સંજ્વલન ક્રોધ ૧,
માન ૧, માયા ૧, નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧) ને
ઘટાડવાથી બાકી રહેલી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે.
અગિયારમું ઉપશાંતમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ
નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે.
૫, દર્શનાવરણની ૪, અંતરાયની ૫, યશકીર્તિ ૧, ઉચ્ચગોત્ર
૧, એ સર્વને ઘટાડવાથી બાકી રહેલી એક માત્ર
શાતાવેદનીય પ્રકૃતિનો બંધ થાય છે.
ઘટાડવાથી બાકી રહેલી ૫૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
PDF/HTML Page 77 of 110
single page version
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા રહે છે.
યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારમું
ગુણસ્થાન થાય છે.
વ્યુચ્છિત્તિ પ્રકૃતિઓને ઘટાડવાથી ૫૭ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.
પ્રકૃતિ સંજ્વલન લોભના ઘટાડવાથી બાકીની રહેલી ૧૦૧
પ્રકૃતિઓની સત્તા રહે છે.
નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી, વિકલત્રય ૩, આયુસ્રિક
૩, ઉદ્યોત, અતાપ, એકેન્દ્રિય, સાધારણ, સૂક્ષ્મ અને સ્થાવર
મળીને ૬૩ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક
કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક
અરહંત ભટ્ટારકને સયોગકેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય
જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો
પ્રકાશ કરે છે.
PDF/HTML Page 78 of 110
single page version
૫, અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા અને પ્રચલા) ને
ઘટાડવાથી બાકી રહેલી ૪૧ પ્રકૃતિઓમાં તીર્થંકરની
અપેક્ષાથી એક તીર્થંકર પ્રકૃતિ ગણવાથી ૪૨ પ્રકૃતિઓનો
ઉદય થાય છે.
અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા ૧, પ્રચલા ૧)ને
ઘટાડવાથી બાકી રહેલી ૮૫ પ્રકૃતિઓની સત્તા રહે છે.
છે?
થાય છે. આ ગુણસ્થાનનો કાળ અ, ઈ, ઉ, ૠ, લૃ એ પાંચ
હ્સ્વસ્વરોનો ઉચ્ચાર કરવાની બરાબર છે. પોતાના
ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫
પ્રકૃતિઓમાંથી ૭૨ પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩
પ્રકૃતિઓનો નાશ કરીને, અરંહત ભગવાન મોક્ષધામે
(સિદ્ધશિલાએ) પધારે છે.
કોઈપણ પ્રકૃતિનો બંધ થતો નથી.
PDF/HTML Page 79 of 110
single page version
વજ્રૠષભનારાચ સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર
૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુઃસ્વર ૧, ઔદારિક
શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તૈજસ શરીર ૧, કાર્માણ
શરીર ૧, સમચતુરસ્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧,
કુબ્જક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧,
વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ
૧ અને પ્રત્યેક]ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ
(વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાયુ ૧, પંચેન્દ્રિય જાતિ
૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧,
યશઃકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧)નો ઉદય
થાય છે.
અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને,
અરહંત ભગવાન મોક્ષે પધારે છે.
PDF/HTML Page 80 of 110
single page version