Moksha Marg Prakashak (Gujarati). Antrayakarmodayjanya Avastha; Vedaniy Karmodayjanya Avastha; Aayukarmodayjanya Avastha; Namkarmodayjanya Avastha; Gotrakarmodayjanya Avastha; Adhikar Trijo; Sansar Ane Mokshasukha Nirupan; Duhkhanu Mool Karan Mithyadarshan, Agyan, Asanyam; Mithyatvanu Swaroop; Mohajanit Vishyabhilasha; Upar Kahel Dukhani Nivruttina Upayonu Juthapanu; Dukhanivruttino Sacho Upay; Darshanamohana Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu; Charitramohathi Dukha Ane Tena Upayonu Juthapanu; Antarayakarmana Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu; Vedniykarmna Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu; Aayukarmna Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 20

 

Page 33 of 370
PDF/HTML Page 61 of 398
single page version

વળી એ ક્રોધાદિ ચાર કષાયમાંથી એક કાળમાં કોઈ એક જ કષાયનો ઉદય હોય છે.
એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કારણકાર્યપણું વર્તે છે. કોઈ વેળા ક્રોધથી માનાદિ થઈ
જાય છે, કોઈ વેળા માનથી ક્રોધાદિ થઈ જાય છે; તેથી પરસ્પર એ કષાયોમાં કોઈ વેળા ભિન્નતા
ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી એ પ્રમાણે કષાયરૂપ પરિણમન થાય છે.
વળી ચારિત્રમોહના ઉદયથી નોકષાય થાય છે. હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઇષ્ટપણું માની
પ્રફુલ્લિત થાય છેહર્ષ માને છે, રતિના ઉદયથી કોઈને ઇષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છેત્યાં
આસક્ત થાય છે, અરતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છેત્યાં ઉદ્વેગરૂપ થાય
છે, શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છેખેદ માને છે, ભયના ઉદયથી
કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છેતેનો સંયોગ ઇચ્છતો નથી, જુગુપ્સાના ઉદયથી કોઈ પદાર્થને
અનિષ્ટ માની તેની ઘૃણાતિરસ્કાર કરે છેતેનો વિયોગ થવો ઇચ્છે છે, એમ હાસ્યાદિ છ જાણવા.
તથા વેદના ઉદયથી તેને કામપરિણામ થાય છે, ત્યાં સ્ત્રીવેદના ઉદયથી પુરુષ સાથે રમવાની ઇચ્છા
થાય છે, પુરુષવેદના ઉદયથી સ્ત્રી સાથે રમવાની ઇચ્છા થાય છે અને નપુંસકવેદના ઉદયથી
એકસાથે બંનેની સાથે રમવાની ઇચ્છા થાય છે. એ પ્રમાણે એ નવ નોકષાય છે. ક્રોધાદિ જેવા
એ બળવાન નથી તેથી તેને ઇષત્કષાય અર્થાત્ નોકષાય કહેવામાં આવે છે. અહીં ‘‘નો’’ શબ્દ
ઇષત્વાચક જાણવો. એ નોકષાયનો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે.
એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્રમોહના ઉદયથી મિથ્યાત્વભાવ તથા કષાયભાવ
થાય છે. એ જ સંસારનાં મૂળ કારણ છે. વળી વર્તમાનકાળે પણ જીવ એનાથી જ દુઃખી થાય
છે, તથા ભાવી સંસારના કારણરૂપ કર્મબંધનનું મૂળ કારણ પણ એ જ છે. એનું જ બીજું નામ
મોહ તથા રાગ
દ્વેષ છે. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મસાવધાનતાનો અભાવ
હોય છે. વળી માયાલોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણે પ્રકારના વેદ એ બધાનું
નામ રાગ છે, કારણ કે ત્યાં ઇષ્ટબુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધમાન એ બે કષાય
અને અરતિ, શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે, કારણ કે ત્યાં અનિષ્ટબુદ્ધિ થઈ દ્વેષ
વર્તે છે. સામાન્યપણે એ રાગ
દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે, કારણ કે એ બધાયમાં
સર્વત્ર અસાવધાનતા જ હોય છે.
અંતરાયકર્મોદયજન્ય અવસ્થા
અંતરાયકર્મના ઉદયથી જીવ ઇચ્છે છે તે થતું નથી. દાન આપવા ઇચ્છે પણ આપી શકે
નહિ, વસ્તુની પ્રાપ્તિ ઇચ્છે પણ થાય નહિ, ભોગ ભોગવવા ઇચ્છે પણ ભોગવી શકે નહિ,
ઉપભોગ લેવા ઇચ્છે પણ લેવાય નહિ, અને પોતાની જ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવા ઇચ્છે પણ
તે પ્રગટ થઈ શકે નહિ. એ પ્રમાણે અંતરાયના ઉદયથી પોતે જે ઇચ્છે તે થતું નથી. તથા એના
ક્ષયોપશમથી કિંચિત્માત્ર ઇચ્છેલું પણ પ્રાપ્ત થાય છે. ઇચ્છા તો ઘણી જ છે, પરંતુ એ ઇચ્છેલું

Page 34 of 370
PDF/HTML Page 62 of 398
single page version

પણ કિંચિત્માત્ર મળે છે. ઘણું દાન દેવા ઇચ્છે છે પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઇચ્છે
પણ થોડો જ લાભ થાય. જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણોની જરૂર
પડે છે. એ પ્રમાણે ઘાતિ કર્મોના ઉદયથી આત્માની અવસ્થા થાય છે.
વેદનીયકર્મોદયજન્ય અવસ્થા
અઘાતિ કર્મોમાં વેદનીયકર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખદુઃખનાં કારણો નીપજે છે.
શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ,
પીડા ઇત્યાદિ સુખ
દુઃખનાં કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ૠતુ
પવનાદિક વા ઇષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ તથા અણગમતાં ૠતુપવનાદિક વા અનિષ્ટ સ્ત્રી,
પુત્ર, શત્રુ, દારિદ્ર્ય, વધ, બંધનાદિક સુખદુઃખનાં કારણો મળી આવે છે. એ બાહ્યકારણો કહ્યાં
તેમાં કોઈ કારણ તો એવાં છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખદુઃખનું કારણ હોય
છે, અને એ જ સુખદુઃખનું કારણ થાય છે. વળી કોઈ કારણ એવાં છે કે પોતે જ સુખ
દુઃખનું કારણ થાય છે. એ પ્રમણે કારણોનું મળવું વેદનીયકર્મના ઉદયથી થાય છે. ત્યાં
સાતાવેદનીયના ઉદયથી સુખનાં કારણો મળી આવે છે તથા અસાતાવેદનીયના ઉદયથી દુઃખનાં
કારણો મળી આવે છે. અહીં એમ સમજવા યોગ્ય છે કે
એ કારણો જ કાંઈ સુખદુઃખ ઉપજાવતાં
નથી, પણ મોહકર્મના ઉદયથી આત્મા પોતે જ સુખદુઃખ માને છે. વેદનીયકર્મના ઉદયને અને
મોહનીયકર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે
તો સુખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે તથા જ્યારે અસાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે
ત્યારે દુઃખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને
દુઃખનું કારણ થાય છે. જેમ કોઈને સાતાવેદનીયના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય
છે તેવું વસ્ત્ર કોઈને અસાતાવેદનીયના ઉદયથી મળતાં દુઃખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ
તો સુખ
દુઃખનું નિમિત્ત માત્ર છે. સુખ
દુઃખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી
મુનિજનોને અનેક ૠદ્ધિ આદિ તથા પરિષહ આદિ કારણો મળવા છતાં પણ સુખદુઃખ ઊપજતું
નથી, તથા મોહી જીવને કારણ મળો વા ન મળો તોપણ પોતાના સંકલ્પથી જ સુખદુઃખ થયા
કરે છે. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતાં તીવ્ર સુખદુઃખ થાય છે તે જ કારણો મળતાં
મંદ મોહીને મંદ સુખદુઃખ થાય છે. માટે સુખદુઃખ થવાનું મૂળ બળવાન કારણ
મોહકર્મનો ઉદય છે અન્ય વસ્તુ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના
પરિણામોને નિમિત્તનૈમિત્તિકની મુખ્યતા હોય છે, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ
દુઃખનું કારણ માને છે. એ પ્રમાણે વેદનીયકર્મના ઉદયથી સુખદુઃખનાં કારણો નીપજે છે.
આયુકર્મોદયજન્ય અવસ્થા
આયુકર્મના ઉદયવડે મનુષ્યાદિ પર્યાયોની સ્થિતિ રહે છે. જ્યાંસુધી આયુકર્મનો ઉદય રહે

Page 35 of 370
PDF/HTML Page 63 of 398
single page version

છે ત્યાંસુધી રોગાદિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી, તથા જ્યારે
આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી. પણ
તે જ વખતે આત્મા અને શરીર જુદાં થઈ જાય છે. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું
કારણ આયુકર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય
છે. વળી ત્યાં પણ જ્યાંસુધી આયુનો ઉદય રહે ત્યાંસુધી તે પર્યાયરૂપ પ્રાણોના ધારણથી જીવવું
થાય છે અને આયુનો ક્ષય થતાં એ પર્યાયરૂપ પ્રાણોના છૂટવાથી મરણ થાય છે. સહજ જ એવું
આયુકર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો નથી
એવો નિશ્ચય કરવો. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે પછી તેને છોડી
કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ
કરી રહે પછી તેને છોડી અન્ય શરીર ધારણ કરે છે. માટે શરીરસંબંધની અપેક્ષાએ જન્માદિક
છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય જ છે, તોપણ મોહી જીવને ભૂત
ભવિષ્યનો વિચાર નથી,
તેથી પામેલ પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે
છે. એ પ્રમાણે આયુકર્મ વડે પર્યાયની સ્થિતિ જાણવી.
નામકર્મોદયજન્ય અવસ્થા
નામકર્મના ઉદયથી આ જીવને મનુષ્યાદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. તે પર્યાયરૂપ પોતાની
અવસ્થા થાય છે. ત્યાં ત્રસસ્થાવરાદિક ભેદ હોય છે. તથા ત્યાં એકેન્દ્રિયાદિ જાતિને ધારણ
કરે છે. એ જાતિકર્મના ઉદયને અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્તનૈમિત્તિકપણું જાણવું.
જેવો ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે. વળી શરીરનો સંબંધ હોય છે, ત્યાં શરીરના પરમાણુ
અને આત્માના પ્રદેશોનું એક બંધાન થાય છે, તથા સંકોચ
વિસ્તારરૂપ થઈને આત્મા શરીરપ્રમાણ
રહે છે. નોકર્મરૂપ શરીરમાં અંગોપાંગાદિકનાં યોગ્ય સ્થાન પ્રમાણસહિત હોય છે. એ વડે જ
સ્પર્શન, રસના આદિ દ્રવ્યઇન્દ્રિયો નીપજે છે. વા હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળા ખીલેલા
કમળના આકાર જેવું દ્રવ્યમન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિના વિશેષ વા વર્ણાદિકના
વિશેષ હોવા છતાં સ્થૂલસૂક્ષ્મત્વાદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરિણમેલા
પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોચ્છ્વાસ અથવા સ્વર નીપજે છે એ પણ પુદ્ગલના
પિંડ છે તથા એ શરીરથી એક બંધાનરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે.
શ્વાસોચ્છ્વાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ
જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યંતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય
રહે. માટે શ્વાસોચ્છ્વાસ જીવિતવ્યનું કારણ છે. જેમ આ શરીરમાં હાડ
માંસાદિક છે તેમ પવન
પણ છે. વળી જેમ હાથ વગેરે વડે કાર્ય કરીએ છીએ તેમ પવન વડે પણ કાર્ય કરીએ છીએ.
મોઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ અને મળાદિક પણ પવનથી જ બહાર કાઢીએ
છીએ. એમ અન્ય પણ જાણવું.

Page 36 of 370
PDF/HTML Page 64 of 398
single page version

નાડી, વાયુરોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરનાં અંગ જાણવાં. વળી
સ્વર છે તે શબ્દ છે; તે જેમ વીણાની તાંતને હલાવતાં ભાષારૂપ હોવા યોગ્ય પુદ્ગલસ્કંધો છે
તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે; તેમ તાળુ, હોઠ ઇત્યાદિ અંગોને હલાવતા
ભાષાપર્યાપ્તિમાં ગ્રહેલા જે પુદ્ગલસ્કંધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે. વળી
શુભ
અશુભ ગમનાદિક થાય છે ત્યાં એમ જાણવું કે જેમ બે પુરુષોને એકદંડી બેડી હોય ત્યાં
એક પુરુષ ગમનાદિક કરવા ઇચ્છે તો ગમનાદિ ન થઈ શકે, પણ બીજો ગમનાદિ કરે તો જ
ગમનાદિક થઈ શકે, પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમનાદિ થઈ શકે નહિ. તથા બંનેમાંથી
એક બળવાન હોય તો તે બીજાને પણ ઘસડી જાય. તેમ આત્માને અને શરીરાદિરૂપ પુદ્ગલને
એકક્ષેત્રાવગાહરૂપ બંધાન છે. ત્યાં આત્મા હલન
ચલનાદિ કરવા ઇચ્છે અને પુદ્ગલ એ શક્તિવડે
રહિત બની હલનચલન ન કરે વા પુદ્ગલમાં શક્તિ હોવા છતાં પણ આત્માની ઇચ્છા ન હોય
તો હલનચલનાદિ થઈ શકે નહિ તથા એ બંનેમાં પુદ્ગલ બળવાન થઈ હાલવાચાલવા લાગે
તો તેની સાથે ઇચ્છા વિના પણ આત્મા હાલવાચાલવા લાગે. એ પ્રમાણે હલનચલનાદિ ક્રિયા
થાય છે. વળી તેને અપયશ આદિ બાહ્ય નિમિત્ત બને છે, એમ એ કાર્ય નીપજે છે. એ વડે
મોહ અનુસાર આત્મા સુખી
દુઃખી પણ થાય છે. એમ નામકર્મના ઉદયથી સ્વયમેવ નાના
પ્રકારરૂપ રચના થાય છે, અન્ય કોઈ કરવાવાળો નથી. તીર્થંકરાદિ પ્રકૃતિ તો (આ કાળે) અહીં
છે જ નહીં.
ગોત્રકર્મોદયજન્ય અવસ્થા
ગોત્રકર્મથી નીચઊંચ કુળોમાં ઊપજવું થાય છે, ત્યાં પોતાનું હીનઅધિકપણું પ્રાપ્ત થાય
છે. મોહના નિમિત્તથી આત્મા સુખીદુઃખી પણ થાય છે.
એ પ્રમાણે અઘાતિ કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. એમ આ અનાદિ સંસારમાં
ઘાતિઅઘાતિ કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. હે ભવ્ય! તારા અંતરંગમાં
તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહિ? વિચાર કરતાં તો તને એમ જ પ્રતિભાસશે. જો
એમ જ છે તો તું એમ માન કે ‘‘મને અનાદિ સંસારરોગ છે તેના નાશનો મારે ઉપાય કરવો
આવશ્યક છે.’’ એ વિચારથી તારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર વિષે
સંસારઅવસ્થા નિરૂપક બીજો અધિકાર સમાપ્ત

Page 37 of 370
PDF/HTML Page 65 of 398
single page version

અધિકાર ત્રીજો
સંસારદુઃખ અને મોક્ષસુખ નિરુપણ
જે નિજ ભાવ સદા સુખદ, નિજનો કરો પ્રકાશ;
જે બહુ વિધિ ભવ દુઃખતણી, કરે છે સત્તા નાશ.
હવે એ સંસાર-અવસ્થામાં નાના પ્રકારનાં દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ. કારણ કે
જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ? આ સંસારમાં અનેક
પ્રકારનાં દુઃખ છે એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ
વૈદ્ય રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી
પછી તેનો ઇલાજ કરવાની રુચિ કરાવે છે તેમ અહીં પણ પ્રથમ સંસારરોગનું નિદાન તથા એ
સંસારરોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી સંસારી જીવને સંસારરોગનો નિશ્ચય કરાવી તેનો ઉપાય
કરવાની રુચિ કરાવે છે.
જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરન્તુ તેનું મૂળ કારણ જાણે નહિ, સાચો
ઉપાય જાણે નહિ અને દુઃખ પણ સહ્યું જાય નહિ ત્યારે પોતાને ભાસે એવા જ ઉપાય કર્યા
કરે, પણ એથી દુઃખ દૂર થાય નહિ. એટલે તરફડી-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન
કરે છે, એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી તેને જેમ વૈદ્ય દુઃખનું મૂળ કારણ બતાવે , દુઃખનું
સ્વરૂપ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ બતાવે ત્યારે જ સાચો ઉપાય કરવાની
રોગીને રુચિ થાય; તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું
મૂળ કારણ જાણતો નથી, સાચો ઉપાય પણ જાણતો નથી. અને દુઃખ સહ્યું પણ જતું નથી,
ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, પણ એથી દુઃખ દૂર થાય નહિ એટલે તરફડી
-તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે. એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ
બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ અને તેના ઉપાયોનું જુઠાપણું બતાવીએ તો તેને સાચો ઉપાય
કરવાની રુચિ થાય. એ વર્ણન કરીએ છીએ.
દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ
સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શનમોહના ઉદયથી
થયેલા અતત્ત્વશ્રદ્ધાનમિથ્યાદર્શન છે તેનાથી વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતાં અન્યથા પ્રતીતિ
થાય છે. વળી એ મિથ્યાદર્શનના નિમિત્તથી ક્ષયોપશમરૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે,
જેથી વસ્તુસ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતાં અન્યથા જ જાણવું થાય છે. ચારિત્રમોહના
ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન

Page 38 of 370
PDF/HTML Page 66 of 398
single page version

પ્રવર્તતાં અન્યથા પ્રવર્તે છે. એ પ્રમાણે એ મિથ્યાદર્શનાદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ
છે. એ કેવી રીતે? તે અહીં કહીએ છીએ.
મિથ્યાત્વનું સ્વરુપ
મિથ્યાદર્શનાદિકથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. પોતે એક આત્મા તથા
અનંત પુદ્ગલપરમાણુમય શરીરએના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નીપજે છે તે પર્યાયને જ
પોતાનું સ્વરૂપ માને છે. આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત્ જાણવુંદેખવું થાય
છે, કર્મઉપાધિથી થયેલા ક્રોધાદિભાવરૂપ પરિણમન થાય છે, અને શરીરનો સ્પર્શ, રસ, ગંધ,
વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્થૂલ
કૃષાદિકસ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય
છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે,
તેથી આ જીવ માને છે કેત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધા મારાં અંગ
છે, એ વડે હું દેખુંજાણું છું, એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં પ્રીતિ હોય છે.
મોહજનિત વિષયઅભિલાષા
મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ત્યાં એ
વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કૂતરો
હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે ‘‘આ હાડનો સ્વાદ
આવે છે,’’ તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ
માનવા લાગે કે ‘‘આ વિષયનો સ્વાદ છે,’’ પણ વિષયમાં તો સ્વાદ છે જ નહિ. પોતે જ ઇચ્છા
કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ ‘‘હું અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા
છું’’ એવો નિઃકેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ ‘‘ મેં નૃત્ય દીઠું,
રાગ સાંભળ્યો, ફૂલ સૂંઘ્યું, પદાર્થ સ્પર્શ્યો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યાં, મારે આ જાણવું
જોઈએ’’ એ પ્રકારના જ્ઞેયમિશ્રિત જ્ઞાનના અનુભવવડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ
પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે.
હવે ઇચ્છા ત્રિકાલવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે કે ‘‘હું સર્વને સ્પર્શું, સર્વને
સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને દેખું, સર્વને સાંભળું અને સર્વને જાણું.’’ એટલી બધી ઇચ્છા હોવા
છતાં શક્તિ તો એટલી જ છે કે
ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને
શબ્દમાંથી કોઈને કિંચિત્માત્ર ગ્રહણ કરે વા સ્મરણાદિકવડે મનથી કિંચિત્ જાણે, અને તે પણ
બાહ્ય અનેક કારણ મળતાં જ સિદ્ધ થાય. તેથી કોઈ કાળે એની ઇચ્છા પૂર્ણ થતી નથી. કારણ
કે એવી ઇચ્છા તો કેવળજ્ઞાન થતાં જ સંપૂર્ણ થાય પણ ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયદ્વારા તો કદી પણ
ઇચ્છા પૂર્ણ થાય નહિ, અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયગ્રહણની
નિરંતર ઇચ્છા રહ્યા જ કરવાથી આ જીવ આકુલ
વ્યાકુલ બની દુઃખી થઈ રહ્યો છે.

Page 39 of 370
PDF/HTML Page 67 of 398
single page version

એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો
નથી. જેમ હાથીને કપટની હાથણીનું શરીર સ્પર્શવાની, મચ્છને જાળમાં લગાવેલું માંસ ચાખવાની,
ભમરાને કમળની સુગંધ સૂંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની
એવી ઇચ્છા હોય છે કે તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે
છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયોની
પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતુ
મૂકે તેમ, વિષયોમાં ઝંપાપાત કરે છે. નાના પ્રકારનાં કષ્ટવડે ધન ઉપજાવે અને વિષયને અર્થે
તેને ગુમાવે. વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય, નરકાદિકના કારણરૂપ
જે હિંસાદિક કાર્ય તેને પણ કરે વા ક્રોધાદિક કષાયો ઉપજાવે. બિચારો શું કરે? ઇન્દ્રિયોની પીડા
ન સહન થવાથી તેને અન્ય કાંઈ વિચાર આવતો નથી. એ પીડાથી જ પીડિત થઈ ઇન્દ્રાદિક
દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ
આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ
ઇન્દ્રિયરોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે. પીડા ન હોય
તો તેઓ શા માટે વિષયસેવન કરે? એ પ્રમાણે જ્ઞાનાવરણ
દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું
ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છાસહિત બની દુઃખનું કારણ થયું
છે. હવે એ દુઃખ દૂર થવાનો ઉપાય આ જીવ કેવો કરે છે તે કહીએ છીએ.
ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું જૂLાપણું
ઇન્દ્રિયોવડે વિષયોનું ગ્રહણ થતાં મારી ઇચ્છા પૂર્ણ થશે એમ જાણી પ્રથમ તો નાના
પ્રકારનાં ભોજનાદિકો વડે ઇન્દ્રિયોને પ્રબલ કરે છે, તથા એમ જ જાણે છે કેજો ઇન્દ્રિયો
પ્રબળ રહે તો મને વિષય ગ્રહણ કરવાની શકિત વધે. તેમાં અનેક બાહ્ય કારણોની જરૂર
હોવાથી તેનું નિમિત્ત મેળવે છે. પોતાને સન્મુખ થયેલા વિષયોને ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે
તેથી અનેક બાહ્ય ઉપાયો વડે વિષયોનો અને ઇંદ્રિયોનો સંયોગ મેળવે છે. નાના પ્રકારનાં
વસ્ત્રાદિક, ભોજનાદિક, પુષ્પાદિક, મંદિર
આભૂષણાદિક વા ગાયકવાજિંત્રાદિકનો સંયોગ
મેળવવા માટે ઘણો જ ખેદખિન્ન થાય છે. જયાંસુધી એ વિષયો ઇન્દ્રિયસન્મુખ રહે ત્યાંસુધી
તો તેનું કિંચિત્ સ્પષ્ટ જાણપણું રહે, પણ પછી મન દ્વારા સ્મરણમાત્ર જ રહે અને કાળ વ્યતીત
થતાં એ સ્મરણ પણ મંદ થતું જાય છે તેથી તે વિષયોને પોતાને આધીન રાખવાનો ઉપાય
કરે છે અને શીઘ્ર શીઘ્ર તેનું ગ્રહણ કર્યા કરે છે. વળી ઇન્દ્રિયોવડે તો એક કાળમાં કોઈ એક
જ વિષયનું ગ્રહણ થાય છે, પણ આ જીવ ઘણા ઘણા વિષયો ગ્રહણ કરવા ઇચ્છે છે તેથી
ઉતાવળો બની જલદી જલદી એક વિષયને છોડી અન્યને ગ્રહણ કરે છે, વળી તેને છોડી અન્યને
ગ્રહણ કરે છે. એ પ્રમાણે વિષયને અર્થે વલખાં મારે છે અને પોતાને જે ભાસે તેવા ઉપાય
કર્યા કરે છે, પણ એ ઉપાય જૂઠા છે, કારણ કે પ્રથમ તો એ બધાનું એ જ પ્રમાણે થવું પોતાને

Page 40 of 370
PDF/HTML Page 68 of 398
single page version

આધીન નથી, મહા કઠણ છે. કદાચિત્ કર્મઉદયાનુસાર એ જ પ્રમાણે વિધિ મળી જાય તોપણ
ઇન્દ્રિયોને પ્રબળ કરવાથી કાંઈ વિષયગ્રહણની શક્તિ વધતી નથી, એ તો જ્ઞાન
દર્શન વધવાથી
જ વધે. પણ એ કર્મના ક્ષયોપશમને આધીન છે. જુઓ, કોઈનું શરીર પુષ્ટ હોવા છતાં તેનામાં
એવી શક્તિ ઓછી જોવામાં આવે છે, તથા કોઈનું શરીર દુર્બળ હોવા છતાં તેનામાં એવી શક્તિ
અધિક જોવામાં આવે છે. માટે ભોજનાદિક વડે ઇન્દ્રિયો પુષ્ટ કરવાથી કાંઈ સિદ્ધિ થતી નથી,
પરંતુ કષાયાદિક ઘટવાથી કર્મનો ક્ષયોપશમ થતાં જ્ઞાન
દર્શન વધે છે અને ત્યારે જ વિષય-
ગ્રહણની શક્તિ વધે છે.
વળી વિષયોનો સંયોગ મેળવે છે, પણ તે ઘણા વખત સુઘી ટકતો નથી અથવા સર્વ
વિષયોનો સંયોગ મળતો જ નથી તેથી એ આકુળતા રહ્યા જ કરે છે. વળી એ વિષયોને
પોતાના આધીન રાખી જલદી જલદી ગ્રહણ કરવા ઇચ્છે છે પણ તે પોતાના આધીન રહેતા
નથી, કારણ કે એ જુદાં જુદાં દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે વા કર્મોદય આધીન
પરિણમે છે. હવે એવા પ્રકારના કર્મનો બંધ યથાયોગ્ય શુભભાવ થતાં જ થાય અને પછી
ઉદયમાં આવે છે, એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. જુઓ, અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના
નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપત્
ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ
જીવ એવાં વલખા મારે છે, પણ પરિણામે શું સિદ્ધિ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ
મળ્યો પણ તેથી તેની ભૂખ મટે? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું
ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઇચ્છા મટ્યા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા
ઉપાય જૂઠા છે.
પ્રશ્નઃએ ઉપાયથી કોઈ જીવને સુખી થતાં જોઈએ છીએ, છતાં તમે સર્વથા
જૂઠા કેમ કહો છો?
ઉત્તરઃસુખી તો થતાં નથી, ભ્રમથી સુખ માને છે. જો સુખી થયો હોય તો તેને
અન્ય વિષયોની ઇચ્છા કેમ રહે? જેમ રોગ મટ્યા પછી અન્ય ઔષધ કોઈ શા માટે ઇચ્છે?
તેમ દુઃખ મટ્યા પછી અન્ય વિષયોને શા માટે ઇચ્છે? જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઇચ્છા
શાંત થાય
અટકી જાય તો અમે પણ સુખ માનીએ, પણ અહીં તો ઇચ્છિત વિષયનું ગ્રહણ
જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તો તે વિષયની ઇચ્છા રહ્યા કરે છે તથા જે સમયે એ વિષયનું
ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષયગ્રહણની ઇચ્છા થતી જોવામાં આવે છે, તેને સુખ માનવું
એ કેવું છે? જેમ કોઈ મહાક્ષુધાવાન રંક પોતાને કદાચિત્ એક અન્નનો કણ તેનું ભક્ષણ કરી
ચેન માને તેમ આ મહાતૃષ્ણાવાન જીવ પોતાને કોઈ એક વિષયનું નિમિત્ત મળતાં તેનું ગ્રહણ
કરી સુખ માને છે પણ વાસ્તવિકપણે એ સુખ નથી.
7

Page 41 of 370
PDF/HTML Page 69 of 398
single page version

પ્રશ્નઃજેમ કણ કણ વડે પોતાની ભૂખ મટે છે, તેમ એક એક વિષયનું ગ્રહણ
કરી પોતાની ઇચ્છા પૂર્ણ કરે તો શો દોષ?
ઉત્તરઃજો બધા કણ ભેળા થાય તો એમ જ માનીએ, પરંતુ બીજો કણ મળતાં
પ્રથમના કણનું નિર્ગમન થઈ જાય તો ભૂખ કેમ મટે? એ જ પ્રમાણે જાણવામાં વિષયોનું
ગ્રહણ ભેળું થતું જાય તો ઇચ્છા પૂર્ણ થઈ જાય, પરંતુ જ્યારે બીજો વિષય ગ્રહણ કરે ત્યારે
પૂર્વે જે વિષય ગ્રહણ કર્યો હતો તેનું જાણપણું રહેતું નથી તો ઇચ્છા કેવી રીતે પૂર્ણ થાય?
ઇચ્છા પૂર્ણ થયા વિના આકુળતા પણ મટતી નથી અને આકુળતા મટ્યા વિના સુખ પણ કેમ
કહી શકાય?
વળી એક વિષયનું ગ્રહણ પણ આ જીવ મિથ્યાદર્શનાદિકના સદ્ભાવપૂર્વક કરે છે અને
તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મો બાંધે છે, તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી તેમ
ભાવિ સુખનું કારણ પણ નથી, માટે એ દુઃખ જ છે. એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે
યથા
सपरं बाधासहियं विच्छिण्णं बंधकारणं विसमं
जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ।।७६।।
અર્થઃઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ પરાધીન, બાધા સહિત, વિનાશિક, બંધનું
કારણ તથા વિષમ છે; તેથી એ સુખ ખરેખર દુઃખ જ છે.
દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય
એ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા. તો સાચો ઉપાય
શો છે? જ્યારે ઇચ્છા દૂર થાય અને સર્વ વિષયોનું એક સાથે ગ્રહણ રહ્યા કરે તો એ દુઃખ
મટે. હવે ઇચ્છા તો મોહ જતાં જ મટે અને સર્વનું એક સાથે ગ્રહણ કેવળજ્ઞાન થતાં જ
થાય, તેનો ઉપાય સમ્યગ્દર્શનાદિક છે, એ જ સાચો ઉપાય જાણવો. એ પ્રમાણે મોહના
નિમિત્તથી જ્ઞાનાવરણ
દર્શનાવરણનો ક્ષયોપશમ પણ દુઃખદાયક છે, તેનું વર્ણન કર્યું.
પ્રશ્નઃજ્ઞાનાવરણ-દર્શનાવરણના ઉદયથી જે જાણવું થતું નથી તેને તો દુઃખનું
કારણ તમે કહો, પરંતુ ક્ષયોપશમને શા માટે કહો છો?
ઉત્તરઃજાણવું ન બને એ જો દુઃખનું કારણ હોય તો પુદ્ગલને પણ દુઃખ ઠરે.
પણ દુઃખનું મૂળ કારણ તો ઇચ્છા છે અને તે ક્ષયોપશમથી જ થાય છે માટે ક્ષયોપશમને
પણ દુઃખનું કારણ કહ્યું. વાસ્તવિક રીતે ક્ષયોપશમ પણ દુઃખનું કારણ નથી પણ મોહથી

Page 42 of 370
PDF/HTML Page 70 of 398
single page version

વિષયગ્રહણની જે ઇચ્છા છે તે જ દુઃખનું કારણ જાણવું. તથા મોહનો ઉદય છે તે દુઃખરૂપ
જ છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂLાપણું
દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે. જે વડે જેવું તેને શ્રદ્ધાન છે તેવું
પદાર્થસ્વરૂપ નથી. તથા જેવું પદાર્થસ્વરૂપ છે તેવું એ માનતો નથી, તેથી તેને વ્યાકુળતા જ
રહ્યા કરે છે. જેમ કોઈ બહાવરાને કોઈએ વસ્ત્ર પહેરાવ્યું, તે બહાવરો તે વસ્ત્રને પોતાનું અંગ
જાણી પોતાને, શરીરને અને વસ્ત્રને એકરૂપ માને છે, પણ એ વસ્ત્ર તો પહેરાવનારને આધીન
છે. એ પહેરાવનાર કોઈ વેળા તે વસ્ત્રને ફાડે, કોઈ વેળા જોડે, કોઈ વેળા લઈ લે તથા કોઈ
વેળા નવીન પહેરાવે, ઇત્યાદિ ચરિત્ર કરે ત્યારે આ બહાવરો એ વસ્ત્રની પરાધીન ક્રિયા થવા
છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. તેમ આ જીવને કર્મોદયથી શરીરનો
સંબંધ થયો છે.
હવે આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને
છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃષ થાય, કોઈ વેળા સ્થૂળ થાય, કોઈ વેળા
નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઉપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન
ક્રિયા થવા છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. વળી જેમ કોઈ બહાવરો
બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યા, તે સર્વને
આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ
આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે
એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા
છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ
જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને
સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાના જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ
આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે
એમ તેની પરાધીન ક્રિયા હોય છે,
તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.
પ્રશ્નઃકોઈ વેળા શરીરની વા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી
જોવામાં આવે છે. એ વેળા તો જીવ સુખી થાય છે?
ઉત્તરઃશરીરાદિકની, ભવિતવ્યની અને જીવની ઇચ્છાનીએ ત્રણેની વિધિ મળતાં
કોઈ પ્રકારે જેમ એ ઇચ્છે તેમ કોઈ પરિણમવાથી કોઈ કાળમાં તેના વિચારાનુસાર સુખ જેવો
આભાસ થાય, પરંતુ એ બધાય સર્વ પ્રકારે (કિંચિત્ પણ) એ ઇચ્છે તેમ તો પરિણમતાં નથી

Page 43 of 370
PDF/HTML Page 71 of 398
single page version

તેથી અભિપ્રાયમાં તો અનેક આકુળતા નિરંતર રહ્યા જ કરે છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે
પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ કોઈ ઠેકાણે આ જીવ, એ શરીર
પુત્રાદિકમાં અહંકાર
મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે
નિરંતર વ્યાકુળ રહે છે નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે. વળી જે
વિષયોની ઇચ્છા થાય છે તે કષાયભાવ છે, બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે, અન્યથા
ઉપાયો કરે છે, સાચા ઉપાયનું શ્રદ્ધાન કરતો નથી તથા અન્ય કલ્પના કરે છે, એ બધાનું
મૂળ કારણ એક મિથ્યાદર્શન છે. તેનો નાશ થતાં એ સર્વનો નાશ થાય છે. માટે
સર્વ દુઃખોનું
મૂળ એ મિથ્યાદર્શન છે. તેના નાશનો ઉપાય પણ કાંઈ કરતો નથી. અન્યથા શ્રદ્ધાને સત્ય
શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે?
વળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઈ વેળા તત્ત્વનિશ્ચય કરવાનો ઉપાય વિચારે છતાં ત્યાં
અભાગ્યથી, કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્ત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ
જાય. તે તો જાણે કે
એનાથી મારું ભલું થશે પરંતુ એ એવા ઉપાય કરે કેજેથી આ અચેત
બની જાય. વસ્તુસ્વરૂપ વિચારવાનો ઉદ્યમી થાય છતાં વિપરીત વિચારમાં દ્રઢ થઈ જાય છે
અને તેથી વિષયકષાયની વાસના વધવાથી વધારે દુઃખી થાય છે.
કદાચિત્ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનું નિમિત્ત પણ બની જાય તો ત્યાં તેમના નિશ્ચય
ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહારશ્રદ્ધાવડે તે અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે. ત્યાં
જો મંદ કષાય હોય તથા વિષયની ઇચ્છા ઘટે તો થોડો દુઃખી થાય પણ પાછો જેવો ને
તેવો બની જાય. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે.
વળી આ સંસારી જીવનો એક આ ઉપાય છે કેપોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને
પરિણમાવવા ઇચ્છે છે. હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ
જાય,
પરંતુ અનાદિનિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદાપૂર્વક પરિણમે છે,
કોઈ કોઈને આધીન નથી તેમ કોઈ (પદાર્થ) કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી,
છતાં તેને આ જીવ પોતાની ઇચ્છાનુસાર પરિણમાવવા ઇચ્છે છે એ કોઈ ઉપાય નથી, એ
તો મિથ્યાદર્શન જ છે, તો સાચો ઉપાય શો છે?
જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. જેમ કોઈ
મોહમુગ્ધ બની મડદાંને જીવતું માને વા તેને જીવાડવા ઇચ્છે તો તેથી પોતે જ દુઃખી થાય.
પણ તેને મડદું માનવું વા તે જીવાડ્યું જીવવાનું નથી એમ માનવું એ જ એ દુઃખ દૂર થવાનો
ઉપાય છે. તેમ મિથ્યાદ્રષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા પરિણમાવવા ઇચ્છે તો પોતે
જ દુઃખી થાય.
પણ તેને યથાર્થ માનવા અને એ મારા પરિણમાવ્યા અન્ય પ્રકારે
પરિણમવાના નથી એમ માનવું એ જ એ દુઃખ દૂર થવાનો ઉપાય છે. ભ્રમજનિત

Page 44 of 370
PDF/HTML Page 72 of 398
single page version

દુઃખનો ઉપાય ભ્રમ દૂર કરવો એ જ છે. ભ્રમ દૂર થવાથી સમ્યક્શ્રદ્ધા થાય એ
જ સાચો ઉપાય જાણવો.
ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
ચારિત્રમોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ કષાયરૂપ વા હાસ્યાદિ નોકષાયરૂપ થાય
છે ત્યારે આ જીવ ક્લેશવાન બની દુઃખી થતો વિહ્વલ થઈ નાના પ્રકારનાં કુકાર્યોમાં પ્રવર્તે
છે
એ અહીં દર્શાવીએ છીએ.
જ્યારે ક્રોધ ઊપજે ત્યારે અન્યનું બૂરું કરવાની ઇચ્છા થાય અને એ અર્થે અનેક ઉપાય
વિચારે. મર્મચ્છેદકગાળી પ્રદાનાદિરૂપ વચન બોલે, પોતાનાં અંગોવડે વા શસ્ત્રપાષાણાદિકવડે
ઘાત કરે, અનેક કષ્ટ સહન કરી, ધનાદિ ખર્ચ કરી વા મરણાદિ વડે પોતાનું પણ બૂરું કરી
અન્યનું બૂરું કરવાનો ઉદ્યમ કરે અથવા અન્ય દ્વારા બૂરું થવું જાણે તો એનું અન્ય દ્વારા
બૂરું કરાવે. તેનું સ્વયં બૂરું થાય તો પોતે અનુમોદન કરે, બૂરું થતાં પોતાનું કાંઈ પણ પ્રયોજન
સિદ્ધ ન થતું હોય તોપણ તેનું બૂરું કરે, ક્રોધ થતાં કોઈ પૂજ્ય વા ઇષ્ટજન વચ્ચે આવે તો
તેમને પણ બૂરું કહે
મારવા લાગી જાય, ક્રોધના આવેશમાં કાંઈ વિચાર જ રહેતો નથી. વળી
અન્યનું બૂરું ન થાય તો પોતાના અંતરંગમાં પોતે જ ઘણો સંતાપવાન થાય, પોતાનાં જ અંગોનો
ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એ આદિ અવસ્થા ક્રોધ થતાં થાય છે.
માન કષાય ઊપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય.
એ અર્થે અનેક ઉપાયો વિચારે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે, અનેક પ્રકારે અન્યનો
મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે, ઘણાં ઘણાં કષ્ટ વડે ધનાદિનો સંગ્રહ કર્યો હોય
તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે વા દેવું કરીને પણ ખર્ચે, મરણ પછી મારો યશ
રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહિમા વધારવા પ્રયત્ન કરે, જો કોઈ
પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુઃખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે.
માનનો ઉદય થતાં કોઈ પૂજ્ય હોય
મોટા હોય તેમનું પણ સન્માન ન કરે, કાંઈ વિચાર જ
રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાના
અંતરંગમાં પોતે ઘણો જ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ
કરી મરણ પામે; એ આદિ અવસ્થા માન થતાં થાય છે.
માયા કષાય ઊપજે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છા થાય. એ અર્થે અનેક
ઉપાય વિચારે, નાના પ્રકારનાં કપટના વચન કહે, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે, બાહ્ય
વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છળ કરે, કપટ પ્રગટ
થતાં પોતાનું ઘણું બૂરું થાય
મરણાદિક થાય તેને પણ ગણે નહિ, કોઈ પૂજ્ય વા ઇષ્ટ જનનો

Page 45 of 370
PDF/HTML Page 73 of 398
single page version

સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છળ કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી છળ
કરવા છતાં પણ કાર્યસિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં
અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એવી એવી અવસ્થા માયા થતાં
થાય છે.
લોભ કષાય ઊપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા થાય છે અને તેના અર્થે અનેક
ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણાં કષ્ટ સહન કરે,
સેવા
ચાકરી કરે, વિદેશગમન કરે, જે વડે પોતાનું મરણ થતું જાણે એવાં કાર્ય પણ કરે,
જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે, લોભ થતાં પૂજ્ય વા ઇષ્ટજનનું કાર્ય હોય ત્યાં
પણ પોતાનું પ્રયોજન સાધે. કાંઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઇષ્ટ વસ્તુની અનેક
પ્રકારે રક્ષા કરે, તથા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઇષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં
ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે;
એવી એવી અવસ્થા લોભ થતાં થાય છે.
એ પ્રમાણે કષાયો વડે પીડિત થતો જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. વળી એ
કષાયોની સાથે નોકષાય થાય છે. ત્યાંઃ
જ્યારે હાસ્ય નોકષાય થાય ત્યારે પોતે વિકસિત થાયપ્રફુલ્લિત થાય; તે એવું જાણવું
કેજેમ સન્નિપાતના રોગીનું હસવું! પોતે નાના પ્રકારનાં રોગથી પીડિત છતાં કોઈ કલ્પના
વડે હસવા લાગી જાય છે તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પનાવડે
પોતાને સુહાવતું કાર્ય માની હર્ષ માને છે. પણ વાસ્તવિકપણે તો એ દુઃખી જ છે. સુખી
નથી. સુખી તો કષાયરોગ મટતાં જ થશે.
જ્યારે રતિ નોકષાય ઊપજે ત્યારે ઇષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે. જેમ
બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહિ,
તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાને અભિપ્રાય સહિત એ આસક્તતા હોય
છે માટે તે દુઃખી જ છે.
જ્યારે અરતિ નોકષાય ઊપજે ત્યારે તે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય
છે. અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા
માટે તરફડે છે, તેથી તે દુઃખ જ છે.
જ્યારે શોક નોકષાય ઊપજે ત્યારે ઇષ્ટનો વિયોગ વા અનિષ્ટનો સંયોગ થતાં અતિ
વ્યાકુળ બની દુઃખી થાય, રડે, પોકાર કરે અને અસાવધાન બની પોતાનો અંગઘાત કરીને પણ
મરણ પામે. પણ તેથી કાંઈ સિદ્ધિ થતી નથી, માત્ર પોતે જ મહાદુઃખી થાય છે.

Page 46 of 370
PDF/HTML Page 74 of 398
single page version

જ્યારે ભય નોકષાય ઊપજે ત્યારે કોઈ અન્યનાં ઇષ્ટ વિયોગઅનિષ્ટ સંયોગનાં કારણો
જાણી ડરવા લાગે, અતિ વિહ્વલ બની ત્યાંથી ભાગે, છૂપાય વા શિથિલ થઈ જાય, દુઃખ થવાના
જ ઠેકાણે પ્રાપ્ત થાય વા મરણ પામે, તેથી એ ભય નોકષાય પણ દુઃખરૂપ જ છે.
જ્યારે જુગુપ્સા નોકષાય ઊપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે, જેનો સંયોગ થયો
તેનાથી પોતે ઘૃણા કરી ભાગવા ઇચ્છેતેને દૂર કરવા ઇચ્છે અને ખેદખિન્ન બની મહાદુઃખી
થાય, તેથી એ જુગુપ્સા નોકષાય પણ દુઃખરૂપ જ છે.
જ્યારે ત્રણ પ્રકારના વેદ નોકષાય ઊપજે ત્યારે કામ ઊપજે છે. ત્યાં પુરુષવેદથી
સ્ત્રીસહિત રમવાની, સ્ત્રીવેદથી પુરુષસહિત રમવાની તથા નપુંસકવેદથી બંનેની સાથે રમવાની
ઇચ્છા થાય છે. એ વડે જીવ અતિ વ્યાકુળ થાય છે. આતાપ ઊપજે છે, નિર્લજ્જ થાય છે,
ધન ખર્ચે છે, અપયશને પણ ગણતો નથી, પરંપરાએ દુઃખી થાય છે તથા દંડાદિક થાય છે તેને
પણ ગણતો નથી. કામપીડાથી બહાવરો બની જાય છે, મરણ પામે છે. રસગ્રંથોમાં કામજન્ય
દશ પ્રકારની અવસ્થાઓ કહી છે ત્યાં કામીનું બહાવરા બની જવું
મરણ થવું પણ લખ્યું છે.
વૈદકશાસ્ત્રોમાં જ્વરના ભેદોમાં એક કામજ્વર પણ મરણનું કારણ કહ્યો છે. કામવડે મરણ
પર્યંતનાં દુઃખો થતાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. કામાંધને કાંઈ વિચાર જ રહેતો નથી. પિતા,
પુત્રી, મનુષ્ય કે તિર્યંચણી ઇત્યાદિથી પણ તે રમવા લાગી જાય છે. એવી કામની પીડા છે તે
મહાદુઃખરૂપ છે.
એ પ્રમાણે કષાયો વા નોકષાયો વડે અવસ્થાઓ થાય છે.
અહીં એમ વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાદિક
પીડા કરે છે તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ થાય છે. હવે મરણ
પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે પણ ક્રોધાકદિની પીડા સહન કરવી કબૂલ કરતો
નથી તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે.
જ્યારે તેને કષાયનો ઉદય થાય ત્યારે તેનાથી કષાય કર્યા વિના રહ્યું જતું નથી.
કષાયનાં બાહ્ય કારણો મળે તો તેના આશ્રયે કષાય કરે તથા ન મળે તો પોતે જાતે જ કારણ
બનાવે. જેમ વ્યાપારાદિક કષાયના કારણો ન હોય તો જુગારાદિ ખેલવા, ક્રોધાદિના કારણરૂપ
અન્ય અનેક ખેલ
તમાસા કરવા, વા કોઈ દુષ્ટકથા કહેવીસાંભળવી ઇત્યાદિક કારણ બનાવે
છે. કામક્રોધાદિક પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધિ
આદિ અન્ય અનેક ઉપાય કરે. એમ છતાં કદાચિત્ કોઈ પણ કારણ બને જ નહિ તો પોતાના
ઉપયોગમાં એ કષાયોના કારણભૂત પદાર્થોનું ચિંતવન કરી પોતે જાતે જ કષાયરૂપ પરિણમે.
એ પ્રમાણે આ જીવ કષાયભાવો વડે પીડિત બની મહાદુઃખી થાય છે.

Page 47 of 370
PDF/HTML Page 75 of 398
single page version

વળી જે પ્રયોજન અર્થે કષાયભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ
દુઃખ દૂર થઈ મને સુખ થાય, એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય
કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે.
હવે કષાયભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુઃખી
થઈ રહ્યો છે, પરંતુ એ દુઃખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે
તે અહીં કહીએ છીએ.
ક્રોધમાં અન્યનું બૂરું કરવાનો, માનમાં અન્યને હલકો પાડી પોતે ઊંચો થવાનો,
માયામાં છળપ્રપંચ વડે કાર્ય સિદ્ધ કરવાનો, લોભમાં ઇષ્ટ વસ્તુને મેળવવાનો, હાસ્યમાં
વિકસિત (પ્રફુલ્લિત) થવાનાં કારણો બન્યાં રાખવાનો, રતિમાં ઇષ્ટ વસ્તુનો સંયોગ બન્યો
રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકનાં કારણ મટાડવાનો, ભયમાં
ભયનાં કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાનાં કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે
રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે રમવાનો તથા નપુંસકવેદમાં સ્ત્રી
પુરુષ બંનેની સાથે રમવાનો
ઉપાય કરે છે એ પ્રયોજન તેને હોય છે.
હવે એ પ્રયોજનોની સિદ્ધિ થાય તો કષાય ઉપશમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય,
પરંતુ એ પ્રયોજનોની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી પણ ભવિતવ્યઆધીન
છે, કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ
ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી પરંતુ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો
કરવાની ઇચ્છા છતાં એક પણ ઉપાય ન બની શકતો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ.
કદાચિત્ કાકતાલીય ન્યાયાનુસાર જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય
અને તેવો જ ઉપાય બની જાય તો તેથી એ કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી એ
કાર્યસંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાંસુધી એ
કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાંસુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય
સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક સમયમાત્ર પણ જીવ નિરાકુળ
રહેતો નથી. જેમ કોઈ ક્રોધવડે અન્યનું બૂરું થવું ઇચ્છતો હતો, તેનું બૂરું થતાં પાછો કોઈ
અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બૂરું ઇચ્છવા લાગ્યો. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે
તો તે પોતાનાથી નાનાઓનું બૂરું ચાહતો હતો, અને ઘણી શક્તિ થતાં પોતાનાથી મોટાઓનું
બૂરું ચાહવા લાગ્યો, એ જ પ્રમાણે માન
માયાલોભાદિ વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ
થતાં કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઇચ્છા કરવા લાગ્યો. જ્યારે
થોડી શક્તિ હતી ત્યારે નાનાં નાનાં કાર્યોને સિદ્ધ કરવા ઇચ્છતો હતો અને ઘણી શક્તિ થતાં
મોટાં મોટાં કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થયો. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો

Page 48 of 370
PDF/HTML Page 76 of 398
single page version

તે કાર્યની સિદ્ધિ થતાં જીવ સુખી થાય, પણ પ્રમાણ તો કોઈ છે જ નહિ, માત્ર ઇચ્છા જ
વધતી જાય છે.
શ્રી આત્માનુશાસનમાં કહ્યું છે કે
आशागर्तः प्रतिप्राणी यस्मिन् विश्वमणूपमम्
कस्य किं कियदायाति वृथा वो विषयैषिता ।।३६।।
અર્થઃઆશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. અનંતાનંત જીવ છે તે સર્વને આશા
હોય છે, તે આશા રૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુસમાન છે. લોક
તો એક જ છે, તો હવે અહીં કહો કે કોને કેટલો હિસ્સામાં આવે? માટે જ તમારી જે
આ વિષયની ઇચ્છા છે તે વૃથા જ છે.
ઇચ્છા પૂર્ણ તો થતી જ નથી, તેથી કોઈ કાર્ય સિદ્ધ થતાં પણ દુઃખ દૂર થતું નથી
અથવા કોઈ કષાય મટતાં તે જ વેળા અન્ય કષાય થાય છે. જેમ કોઈને મારવાવાળા ઘણા
હોય. હવે, જ્યારે કોઈ એક તેને ન મારે ત્યારે કોઈ અન્ય તેને મારવા લાગી જાય; એમ
જીવને દુઃખ આપવાવાળા અનેક કષાયો છે. જ્યારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય,
તથા જ્યારે માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય, એ પ્રમાણે કષાયનો સદ્ભાવ રહ્યા જ
કરે છે. કોઈ એક સમય પણ જીવ કષાય રહિત હોતો નથી, તેથી કોઈ કષાયનું કોઈ કાર્ય
સિદ્ધ થતાં પણ દુઃખ કેવી રીતે દૂર થાય? વળી તેનો અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ
પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એમ થાય તો જ તે સુખી થાય, પરંતુ એમ તો કદી પણ બની
શકે નહિ, માટે અભિપ્રાયમાં તો તે સદાય દુઃખી જ રહ્યા કરે છે. એટલે કષાયોના પ્રયોજનને
સાધી દુઃખ દૂર કરી
સુખી થવાની ઇચ્છા રાખે છે, પણ એ ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનજ્ઞાનવડે વાસ્તવિક શ્રદ્ધાનજ્ઞાન થાય
તો ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ મટે, અને તેના જ બળથી ચારિત્રમોહનો અનુભાગ ઓછો થાય. એમ
થતાં કષાયોનો અભાવ થાય ત્યારે એ કષાયજન્ય પીડા દૂર થાય અને ત્યારે પ્રયોજન કાંઈ
રહે નહિ. નિરાકુલ થવાથી તે મહાસુખી થાય. માટે સમ્યગ્દર્શનાદિક જ એ દુઃખ મટાડવાનો
સાચો ઉપાય છે.
અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
વળી આ જીવને મોહ વડે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ
ઊપજે છે, પરંતુ અંતરાયના ઉદયથી તે બની શકતું નથી ત્યારે પરમ વ્યાકુળતા થાય છે તેથી
એ દુઃખરૂપ જ છે. તેના ઉપાયમાં વિઘ્નનાં બાહ્ય કારણો પોતાને જે દેખાય તેને જ દૂર
8

Page 49 of 370
PDF/HTML Page 77 of 398
single page version

કરવાનો ઉદ્યમ કરે છે, પણ એ ઉપાય જૂઠા છે. કારણ કે ઉપાય કરવા છતાં પણ
અંતરાયકર્મનો ઉદય હોવાથી વિઘ્ન થતાં જોઈએ છીએ અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થતાં,
વિના ઉપાય પણ વિઘ્ન થતાં નથી. માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે.
વળી જેમ મનુષ્યના હાથમાં રહેલી લાકડી કૂતરાને વાગતાં તે લાકડી પ્રત્યે નિરર્થક
દ્વેષ કરે છે તેમ અંતરાય વડે નિમિત્તભૂત કરેલાં એવાં બાહ્ય ચેતનઅચેતન દ્રવ્યો વડે વિઘ્ન
થાય ત્યાં આ જીવ એ બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે. કારણ કે અન્ય દ્રવ્ય તેને વિઘ્ન
કરવા ઇચ્છે છતાં વિઘ્ન થતું નથી તથા અન્ય દ્રવ્ય વિઘ્ન કરવા ન ઇચ્છે છતાં તેને વિઘ્ન
થાય છે, તેથી જણાય છે કે
વિઘ્ન થવું ન થવું અન્ય દ્રવ્યને જરાય વશ નથી. તો જેના વશ
નથી તેનાથી શા માટે લડવું? માટે એ ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? મિથ્યાદર્શનાદિકથી ઇચ્છા વડે જે ઉત્સાહ ઊપજતો હતો
તે સમ્યગ્દર્શનાદિક વડે જ દૂર થાય તથા સમ્યગ્દર્શનાદિક વડે જ અંતરાયકર્મનો અનુભાગ
ઘટતાં ઇચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય જેથી એ દુઃખ દૂર થઈ નિરાકુલ સુખ
ઊપજે.
માટે સમ્યગ્દર્શનાદિક જ દુઃખ મટાડવાના સાચા ઉપાય છે.
વેદનીયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
વેદનીયકર્મના ઉદયથી દુઃખસુખનાં કારણોનો સંયોગ થાય છે. તેમાં કોઈ તો શરીરમાં
જ એવી અવસ્થા થાય છે, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા
કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે. ત્યાં અશાતા વેદનીયકર્મના ઉદયથી શરીરમાં ભૂખ,
તરસ, ઉચ્છ્વાસ, પીડા અને રોગાદિક થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય
અતિ ટાઢ, તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે તથા બાહ્ય શત્રુ
કુપુત્રાદિક વા
કુવર્ણાદિ સહિત પુદ્ગલસ્કંધોનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને અનિષ્ટબુદ્ધિ
થાય છે. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં
મહાવ્યાકુળ થઈને તે સર્વને દૂર કરવા ઇચ્છે, અને જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાંસુધી તે
દુઃખી થાય. હવે એ બધાના હોવાથી તો સર્વ દુઃખ જ માને છે.
વળી શાતાવેદનીયકર્મના ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઇત્યાદિક થાય
છે. શરીરની ઇષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાનપાનાદિક વા રુચિકર પવનાદિકનો સંયોગ
થાય છે. તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકરચાકર, હાથી, ઘોડા, ધન, ધાન્ય, મકાન
અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને ઇષ્ટબુદ્ધિ થાય છે, જ્યારે
એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં તે સુખ માને,
એ સર્વની રક્ષા ઇચ્છે તથા જ્યાંસુધી તે રહે ત્યાંસુધી સુખ માને છે. પણ એ સુખની
માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણાં રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો તેને કોઈ

Page 50 of 370
PDF/HTML Page 78 of 398
single page version

ઉપચારવડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કંઈક ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની
અપેક્ષાએ પોતાને સુખી માને, પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. તેમ આ જીવ ઘણાં દુઃખોવડે
ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુઃખની કંઈક કાળ પૂરતી
કિંચિત્ ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે
સુખી નથી.
વળી અશાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં તો દુઃખ ભાસે તેથી તેને દૂર કરવાનો
ઉપાય કરે તથા શાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે તેથી તેને રાખવાનો ઉપાય
કરે, પણ એ બધા ઉપાયો જૂઠા છે.
કારણપ્રથમ તો તેનો ઉપાય આ જીવને આધીન નથી, પરંતુ વેદનીયકર્મના ઉદયને
આધીન છે, કારણ કે અશાતા મટાડવા માટે અને શાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન
કરી રહ્યા છે છતાં કોઈને થોડો પ્રયત્ન કરતાં વા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ
જાય છે અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં કાર્યસિદ્ધિ થતી નથી. તેથી જણાય છે કે એનો
ઉપાય આ જીવને આધીન નથી.
વળી કદાચિત્ એ ઉપાયો કરતાં તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પ કાળ કિંચિત્
કોઈ પ્રકારે અશાતાનું કારણ મટે વા શાતાનું કારણ પ્રાપ્ત થાય ત્યાં પણ મોહના સદ્ભાવથી
તેને ભોગવવાની ઇચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થતાં
તે વસ્તુ જ્યાંસુધી ન મળે ત્યાંસુધી તો તેની ઇચ્છા વડે વ્યાકુળ થાય છે તથા એ વસ્તુ મળતાં
તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે. જેમ
કોઈને સ્વાદ લેવાની ઇચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો
સ્વાદ લેવાની વા સ્પર્શનાદિ કરવાની ઇચ્છા ઉપજે છે.
અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઇચ્છા થાય તે જ્યાંસુધી ન
મળે ત્યાંસુધી તો તેની વ્યાકુળતા રહે તથા એ ભોગ થયો તે જ સમય તેને અન્ય પ્રકારે
ભોગવવાની ઇચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઇચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી
તે જ સમયે તેની સાથે રમવાની ઇચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતાં પણ
તેને અન્ય ઉપાય કરવાની ઇચ્છા થાય તો તેને છોડી એ અન્ય ઉપાય કરવા લાગી જાય.
ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા હોય છે.
જુઓએક ધનપ્રાપ્તિનો ઉપાય કરવામાં વ્યાપારાદિક કરતાં તથા તેની રક્ષા કરવામાં
સાવધાની કરતાં કરતાં કેટલી વ્યાકુળતા થાય છે? વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મળ,
શ્લેષ્માદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને પણ એ
સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાંસુધી ક્ષુધાદિક રહે ત્યાં સુધી તેને

Page 51 of 370
PDF/HTML Page 79 of 398
single page version

મટાડવાની ઇચ્છાએ કરીને વ્યાકુળતા થાય અને એ મટતાં કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેની
વ્યાકુળતા થાય. વળી પાછી ક્ષુધાદિ થતાં તેની વ્યાકુળતા થઈ આવે.
એ પ્રમાણે તેને ઉપાય કરતાં કદાચિત્ અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા
જ રહ્યા કરે છે અને તેથી દુઃખ જ રહે છે.
વળી એ શાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતાંકરતાં જ કોઈ
અશાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહિ, તથા તેની ઘણી પીડા
થાય એ સહી જાય નહિ ત્યારે તેની વ્યાકુળતા વડે વિહ્વલ બની મહા દુઃખી થાય.
હવે આ સંસારમાં શાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત્ જ
હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અશાતાનો જ ઉદય રહે છે. માટે એ ઉપાય કરે છે
તે બધા ઉપાય જૂઠા છે.
અથવા બાહ્ય સામગ્રીથી સુખદુઃખ માનીએ છીએ એ જ ભ્રમ છે. સુખદુઃખ તો
શાતાઅશાતાનો ઉદય થતાં મોહના નિમિત્તથી થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક
લક્ષાધિપતિ હજાર રૂપિયાનું નુકશાન થતાં દુઃખી થાય છે તથા સો રૂપિયાની મૂડીવાળો હજાર
રૂપિયા થતાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતાં
નવાણુંગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઇચ્છા છે તો તે દુઃખી જ છે
તથા સો રૂપિયાની મૂડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં
પણ ત્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. જેમ કોઈને જાડું વસ્ત્ર મળવું દુઃખકારી
થાય છે ત્યારે કોઈને સુખકારી થાય છે. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઇષ્ટનો વિયોગ
અનિષ્ટનો સંયોગ થતાં કોઈને ઘણું દુઃખ થાય છે, કોઈને થોડું દુઃખ થાય છે તથા કોઈને
કંઈ પણ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખદુઃખ નથી પણ શાતાઅશાતાનો ઉદય
થતાં મોહપરિણામોના નિમિત્તથી જ સુખદુઃખ માને છે.
પ્રશ્નઃબાહ્ય સામગ્રી માટે તો તમે કહો છોએમ જ છે, પરંતુ શરીરમાં પીડા
થતાં જીવ દુઃખી જ થાય છે તથા પીડા ન થતાં સુખી થાય છે. હવે એ તો શરીરની
અવસ્થાને આધીન સુખ
દુઃખ ભાસે છે?
ઉત્તરઃસંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે, અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે.
હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતાં તેની સાથે જ મોહભાવ હોય
તો શરીરની અવસ્થા વડે સુખ-દુઃખ વિશેષ જાણીએ છીએ. જુઓ પુત્ર
ધનાદિની સાથે અધિક
મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર
ધનાદિકને દુઃખ થતાં વા તેનો સંયોગ મટતાં ઘણું દુઃખ માને છે. અને મુનિજનો છે તે

Page 52 of 370
PDF/HTML Page 80 of 398
single page version

શરીરની પીડા થતાં પણ કાંઈ દુઃખ માનતા નથી, માટે સુખદુઃખ માનવું એ મોહના જ
આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેથી શાતાઅશાતાના
ઉદયથી સુખદુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત
થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખદુઃખ
ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખદુઃખનું માનવું થાય છે, પણ અન્ય
દ્વારા સુખદુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતાઅશાતાનો ઉદય પણ છે તથા
સુખદુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર
પણ સુખદુઃખ થતું નથી, માટે સુખદુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને
દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઇચ્છે છે, પણ
એ બધા ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખદુઃખ
ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખદુઃખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે
પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખીદુઃખી ન થાય તેમ સાધન કરે. એ
સમ્યગ્દર્શનાદિની ભાવનાથી જ મોહ મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક
કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ
દુઃખ થાય નહિ. ત્યારે એક શાંતદશારૂપ નિરાકુળ
બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુઃખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી
થવાનો સાચો ઉપાય છે.
આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે તથા ધારણ કરેલો પર્યાય
છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યાદર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપરૂપે
અનુભવે છે તેથી એ જીવિતવ્ય રહેતાં પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતાં પોતાનો
અભાવ થવા માને છે. આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે તે ભયથી સદા
આકુળતા રહે છે. જેને મરણનાં કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, કદાચિત્ તેનો સંયોગ
બની જાય તો મહાવિહ્વળ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુઃખી રહ્યા કરે છે.
એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણનાં કારણોને દૂર રાખે છે વા
પોતે તેનાથી દૂર ભાગે છે, ઔષધાદિકનું સાધન કરે છે, ગઢકોટ આદિ બનાવે છે; એ આદિ
અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કેઆયુ પૂર્ણ થતાં તો અનેક
ઉપાયો કરે તથા અનેક સહાયી હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમયમાત્ર પણ
જીવતો નથી. તથા જ્યાંસુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાંસુધી અનેક કારણો મળવા છતાં
પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું નથી. વળી આયુની