Page 13 of 370
PDF/HTML Page 41 of 398
single page version
ઉપરથી આચાર્યાદિકોથી અન્ય ગ્રન્થો રચાયાં. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યાં. એ પ્રમાણે
ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરમ્પરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું
છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્યધ્વનિ વા સર્વ ગ્રન્થો
માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા
નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ દીપકનો
માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા
મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશક-
પણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું ‘મોક્ષમાર્ગપ્રકાશક’ એ નામ સાર્થક જાણવું.
તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે, તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે
રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું
સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ.
વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા
હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ
બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં
આવે છે, તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું.
જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો
મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કેઃ
Page 14 of 370
PDF/HTML Page 42 of 398
single page version
શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ
થાય છે, જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન
વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ
કરવા યોગ્ય છે. વળી આ ગ્રન્થનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે, કોઈ
વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું
કલ્યાણ થશે.
Page 15 of 370
PDF/HTML Page 43 of 398
single page version
તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાવ.
કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી
તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત
દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. વળી
સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ
વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે
મને એવો જ રોગ છે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની
તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી
મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે; એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધનયુક્ત
જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે
થાય કે મને એ જ પ્રમાણે કર્મબંધન છે. તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે
બતાવીએ છીએ અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ; એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે.
હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું
કર્તવ્ય છે.
કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિકભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ
અવસ્થામાં અનન્તાનન્ત જીવદ્રવ્ય છે. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. પણ એમ નથી
Page 16 of 370
PDF/HTML Page 44 of 398
single page version
રીતે છે? જેમ મેરુગિરિ આદિ અકૃત્રિમ સ્કંધોમાં અનન્તા પુદ્ગલપરમાણુઓ અનાદિકાળથી
એકબંધાનરૂપ છે, તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે છે, એ પ્રમાણે મળવું
બન્ને અનાદિકાળથી એકબંધાનરૂપ છે. તેમાંથી કોઈ કર્મપરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા
મળે છે. એ પ્રમાણે મળવું
શું પ્રયોજન છે? તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિક વડે જ થાય છે તથા અનાદિ
પુદ્ગલપરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વળી જો અનાદિ વિષે
પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહિ, માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર
શાસ્ત્રની તત્ત્વપ્રદીપિકાવૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞેયાધિકાર છે, ત્યાં કહ્યું છે કે
થંભાવ રહ્યો નહિ. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કેઃ
પણ એમ જ સંભવે છે. જો કર્મનિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો
એક સ્વભાવ થઈ જાય, કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો
સંબંધ અનાદિ જ માનવો.
જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો; પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી
Page 17 of 370
PDF/HTML Page 45 of 398
single page version
કેમ કહ્યો?
કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય
છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા
જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો
અનાદિ સંબંધ છે.
એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી,
તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદાં જુદાં
જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું
જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બન્ને જુદાં જાણવાં.
અમૂર્તિક આત્મા તથા ઇન્દ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો
એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય
જીવોને પણ સમજવો.
Page 18 of 370
PDF/HTML Page 46 of 398
single page version
અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના
સામર્થ્યરૂપ જે વીર્ય
ન સમજવું કે પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી
સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો.
કર્યો?
એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની
અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ.
છૂટી શકતો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે, તથા ગોત્રકર્મવડે ઊંચ
તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્ત જાણવું.
Page 19 of 370
PDF/HTML Page 47 of 398
single page version
એમ તો નથી. સહજ જ નિમિત્ત
મોહનધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો, હવે ત્યાં એ મોહનધૂળને તો જ્ઞાન પણ
નથી તેમ તેમાં બળવાનપણું પણ નથી, છતાં પાગલપણું એ મોહનધૂળ વડે જ થતું જોવામાં
આવે છે. મોહનધૂળનું તો માત્ર નિમિત્તપણું જ છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈ પરિણમે
છે, એવો જ નિમિત્ત
કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે
જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે જ છૂટાં પડે છે. એવો જ નિમિત્ત
મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે; પણ
મેઘપટલજનિત નથી. તેમ જીવનો જ્ઞાન
જ છે, કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી
કદી પણ અભાવ થતો નથી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ
જે દેખવા
છૂટવું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે
વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ
કેમ થાય? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઊપજેલા ભાવો નવીન
કર્મબંધના કારણરૂપ નથી. મોહનીયકર્મના ઉદયવડે જીવને અયથાર્થશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય
છે. તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયભાવ થાય છે; તે જોકે જીવના અસ્તિત્વમય
છે, જીવથી જુદા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય
Page 20 of 370
PDF/HTML Page 48 of 398
single page version
થાય છે. માટે એ જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે. તથા એ ભાવો વડે નવીન
બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે.
જાણવાં.
એકબંધાનરૂપ હોવાની શક્તિ થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ
હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું
તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા
પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વા તેની ઉત્તર પ્રકૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે
સ્વયં વહેંચાઈ જાય છે, અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ
પરિણમી જાય છે.
વિના ઘાતિયાકર્મોની તો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ
પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ આટલું સમજવાનું કે
એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે.
કોઈ પાપપ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે.
માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગદ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું
નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ
Page 21 of 370
PDF/HTML Page 49 of 398
single page version
ઘાતિ
ઘણો અને ઘણો કષાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે.
નીપજે છે. ત્યાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓમાં વા અઘાતિકર્મોની પાપપ્રકૃતિઓમાં અલ્પકષાય હોય
તો અલ્પ અનુભાગ બંધાય છે. અને ઘણો કષાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે.
તથા (અઘાતિકર્મોની)
જઘન્ય અબાધા પોત પોતાની
જઘન્યસ્થિતિથી સંખ્યાતગુણી
અલ્પ હોય છે. તથા આયુ-
કર્મની જઘન્ય અબાધા
આવલીના અસંખ્યાતમા-
ભાગપ્રમાણ તથા કોઈ
આચાર્યના મતે એક અંતર્મુહૂર્ત
પણ હોય છે.
Page 22 of 370
PDF/HTML Page 50 of 398
single page version
છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ
હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં
તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે.
માટે યોગવડે થયેલો પ્રકૃતિબંધ
થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા
કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય
નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ
ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘‘હું આમ પરિણમું’’
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા
વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ
રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની
ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે, એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ
પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું’ તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ
નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત
રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવડે પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ
શક્તિ થાય છે. અહીં વિચારવડે પોતાના ઉદ્યમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી,
પણ તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ
પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું.
Page 23 of 370
PDF/HTML Page 51 of 398
single page version
અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણરૂપ થઈ
અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો
તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ થોડો હતો
તેનું ઉત્કર્ષણ થઈ ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુઓની અવસ્થા પણ
જીવભાવનું નિમિત્ત પામીને પલટાય છે. નિમિત્ત ન બને તો ન પલટાય, જેમની તેમ રહે. એવી
રીતે સત્તારૂપ કર્મો રહે છે.
કાર્ય સ્વયં બની જાય છે. એટલો જ અહીં નિમિત્ત
જાય છે. એનું જ નામ સવિપાકનિર્જરા છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય
છે. કર્મપણું નાશ પામતાં તે પરમાણુ તે જ સ્કંધમાં રહો વા જુદા થઈ જાઓ, એનું કાંઈ પ્રયોજન
જ નથી.
હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક
સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો
અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નીપજે છે, વળી અનેક સમયોમાં
બાંધેલા પરમાણુ બંધસમયથી માંડી ઉદયસમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ
રહે છે. એ પ્રમાણે કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક
સમયપ્રબદ્ધમાત્ર પરમાણુ બંધાય છે, એક સમયપ્રબદ્ધમાત્ર નિર્જરે છે તથા દોઢગુણહાનિવડે
ગુણિત સમયપ્રબદ્ધમાત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ
Page 24 of 370
PDF/HTML Page 52 of 398
single page version
થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ
અને ભાવકર્મથી દ્રવ્યકર્મ
તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ
ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર
ધારા પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી.
તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્યઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છ્વાસ અને વચન એ
શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુદ્ગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા
દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી
જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ
થાય છે ત્યારે તે શરીરનો સંબંધ છૂટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે.
વળી તેના અનન્તર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન
શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યંત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે
મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને
નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જોકે અસંખ્યાત પ્રદેશી
છે તોપણ સંકોચ
તેના પ્રમાણરૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્યઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને
જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી
Page 25 of 370
PDF/HTML Page 53 of 398
single page version
અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નોકર્મની પ્રવૃત્તિ જાણવી.
એ આયુ પૂર્ણ કરીને નિત્યનિગોદશરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત
જીવરાશિ છે, તે અનાદિ કાળથી ત્યાં જ જન્મ
પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય,
ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં વા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે
છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદપર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતરનિગોદ
કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ
કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પમાત્ર છે, બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય
સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક બે હજાર સાગર છે અને ઇતરનિગોદમાં અઢીપુદ્ગલપરાવર્તન
માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઇતરનિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી
ફરી પાછો નિગોદમાં જાય
તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ
કાકતાલીયન્યાયવત્ છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધનરૂપ રોગ થયો છે.
સ્વરૂપપ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ
પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી
Page 26 of 370
PDF/HTML Page 54 of 398
single page version
વા અવધિદર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ.
લગાવવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શકતો નથી. તેમ આત્માનું જ્ઞાન મંદ છે, હવે તે પોતાના
જ્ઞાનવડે જ જાણે છે, પરંતુ દ્રવ્યઇન્દ્રિય વા મનનો સંબંધ થતાં જ જાણે છે, એ વિના નહિ.
વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહિ, થોડું જાણે વા અન્યથા
જાણે. કારણ દ્રવ્યઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિજ્ઞાનને નિમિત્ત
હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય.
તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન
જાણવું. વળી મન્ત્રાદિકના પ્રયોગથી, મદિરા
છે એમ સમજવું.
અન્યથા પ્રકારે જાણે તથા કોઈને કિંચિત્માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી,
એમ એ મતિજ્ઞાન પરાધીનતાપૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઇન્દ્રિયોવડે તો જેટલા
Page 27 of 370
PDF/HTML Page 55 of 398
single page version
જ જાણે છે.
સમીપક્ષેત્રવર્તી રૂપી
અસત્ને જાણે. જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત્ ક્યાંય પણ ન હોય એવા આકારાદિક
ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે
વનસ્પતિરૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઇયળ, શંખ આદિ બેઇન્દ્રિય જીવોને સ્પર્શ અને
રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવોને સ્પર્શ, રસ અને ગંધનું જ્ઞાન છે. ભમરો,
માખી અને પતંગાદિક ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ,
ગાય, કબૂતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ,
વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી તિર્યંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંજ્ઞી છે. તેમાં સંજ્ઞીઓને
તો મનજનિત જ્ઞાન હોય છે પણ અસંજ્ઞીઓને નહિ. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી
જ છે તે સર્વને મનજનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી.
તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇન્દ્રિયની વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે.
ઇન્દ્ર જે આત્મા તેને જાણવાનું જે ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્ર જે કર્મ તેમાંથી નીપજેલી
જાણી શકતો નથી. તેથી જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત છે.
Page 28 of 370
PDF/HTML Page 56 of 398
single page version
જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન
છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તે તો મતિજ્ઞાન છે અને તેના સંબંધથી ‘‘આ હિતકારી
નથી, તેથી ચાલ્યા જવું’’ ઇત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય
પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુતજ્ઞાન હોય છે તથા
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુતજ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા
મતિજ્ઞાનને પણ આધીન છે, વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું.
તથા સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને
તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુદ્ગલોને આધીન છે. અવધિજ્ઞાનના
ત્રણ ભેદ છે
સર્વાવધિ અને મનઃપર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવલજ્ઞાન મોક્ષસ્વરૂપ છે, તેથી
આ અનાદિ સંસારઅવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
નેત્રઇન્દ્રિયવડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ
હોય છે, તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર
વિષયોનો સંબંધ થતાં અવધિજ્ઞાન પહેલાં જે સત્તામાત્રઅવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ
અવધિદર્શન છે. જેને અવધિજ્ઞાન હોય તેને જ આ અવધિદર્શન હોય છે. ચક્ષુ, અચક્ષુ અને
ની સં૦ ટીકા) મતિજ્ઞાન દર્શનોપયોગપૂર્વક થાય છે તેથી શ્રુતદર્શન અને મનઃપર્યયદર્શન
Page 29 of 370
PDF/HTML Page 57 of 398
single page version
દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે, એ પરિણમનનું
નામ જ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનોપયોગ હોય છે વા દર્શનોપયોગ
હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેમ મતિજ્ઞાન હોય ત્યારે
અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને
જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે. વળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ
પ્રવૃત્તિ હોય છે. જેમ ઊષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા રુક્ષાદિને ન જ જાણે. એ પ્રમાણે
એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેય વા દ્રશ્યમાં જ્ઞાન વા દર્શનનું પરિણમન હોય છે. એમ
જ જોવામાં આવે છે.
છે. એ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે. તે જ પ્રમાણે
આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે, પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે જે
વડે સર્વ દ્વારોનું સાધન રહે છે.
શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળજ્ઞાન{દર્શનની હોય છે.
કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો પાંચ ગામોથી અધિક
ગામોમાં તે ગમન કરી શકતો નથી. વળી પાંચ ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં
પર્યાય અપેક્ષાએ છે. તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા
એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા
Page 30 of 370
PDF/HTML Page 58 of 398
single page version
દેખવા
તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોપશમ થયો છે કે
દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું
છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્ત જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડાં આવતાં દેખવું
થાય નહિ, પરંતુ ઘુવડ અને બિલાડાં આદિ પ્રાણીઓને આડાં આવવા છતાં પણ દેખવાનું બને
છે; એ પ્રમાણે આ ક્ષયોપશમની જ વિશેષતા છે. અર્થાત્ જેવો જેવો ક્ષયોપશમ હોય તેવું તેવું
જ દેખવું
વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ
છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ
ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પુદ્ગલદ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત
નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે
Page 31 of 370
PDF/HTML Page 59 of 398
single page version
છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે
તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે, વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ
પુદ્ગલના ગુણો છે, શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા
કરે છે એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે.
સ્વભાવ
મારાં છે’’ પણ એ કોઈ પણ પ્રકારથી પોતાનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાનાં
માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્ત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત
કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે
દર્શનમોહના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય
હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે તથા જ્યારે મંદ ઉદય હોય છે
ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય.
કરીને તે પરિણમનનું બૂરું ઇચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરું થવાની ઇચ્છા તો કરે, પણ બૂરું
થવું તે
તથા પોતાની ઉચ્ચતા ઇચ્છે છે. તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા
વા પોતાને આધીન કરવા ઇચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન
કરવા ઇચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે. બીજો કોઈ
પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય
Page 32 of 370
PDF/HTML Page 60 of 398
single page version
કરે, પણ મહંતતા થવી
અવસ્થાઓ કરે વા બીજા ચેતન
છળ તો કરે છતાં ઇષ્ટસિદ્ધિ થવી
પરંતુ ઇષ્ટપ્રાપ્તિ થવી
એ ચારે કષાયોનો ઉદય રહે છે, કારણ કે તીવ્ર
ઉદય થતાં તીવ્ર ક્રોધાદિ થાય છે તથા મંદ અનુભાગ ઉદય થતાં મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષમાર્ગ
પ્રાપ્ત થતાં એ ચારમાંથી ત્રણ, બે અને એકનો ઉદય રહી અનુક્રમે ચારેનો અભાવ થાય છે.