Page 526 of 655
PDF/HTML Page 581 of 710
single page version
અ. ૯ ભૂમિકા ] [ પ૨૭
“કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.”
(૪) વળી ગાથા ર૩૬ ની ટીકા તથા ભાવાર્થ માં કહ્યું છે કેઃ- ટીકાઃ- કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– પ્રભાવ એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
(પ) આ પ્રમાણે અનેકાંત દ્રષ્ટિમાં સ્પષ્ટપણે સર્વાંગ વ્યાખ્યા કહેવામાં આવે છે. જ્યાં વ્યવહારનયે વ્યાખ્યા કરવામાં આવે ત્યાં ‘જૂના વિકારનું નથા જૂનાં કર્મનું ખરી જવું’ એવો નિર્જરાનો અર્થ કહેવામાં આવે છે. પણ તેમાંય ‘શુદ્ધિની વૃદ્ધિ તે નિર્જરા’ એવો અર્થ ગર્ભિતપણે કહ્યો છે એમ સમજવું.
(૬) અષ્ટપાહુડમાં ભાવપ્રાભૃતની ૧૪૪ મી ગાથાના ભાવાર્થમાં સંવર, નિર્જરા તથા મોક્ષની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે-
‘પાંચમું સંવરતત્ત્વ છે. રાગ-દ્વેષ-મોહરૂપ જીવના વિભાવનું ન હોવું અને દર્શનજ્ઞાનરૂપ ચેતનાભાવનું સ્થિર થવું તે સંવર છેઃ તે જીવનો પોતાનો ભાવ છે અને તેનાથી પુદ્ગલકર્મ જનિત ભ્રમણ મટે છે. એ રીતે એ તત્ત્વોની ભાવનામાં આત્મતત્ત્વની ભાવના પ્રધાન છે; તેનાથી કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. આત્માના ભાવ અનુક્રમે શુદ્ધ થવા તે નિર્જરાતત્ત્વ છે અને સર્વ કર્મનો અભાવ થવો તે મોક્ષતત્ત્વ છે.’
(૭) એ રીતે સંવરતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયનું પ્રગટવું હોય છે અને નિર્જરાતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયની વૃદ્ધિ થાય છે. આ શુદ્ધ પર્યાયને એક શબ્દથી ‘શુદ્ધોપયોગ’ કહેવાય છે, બે શબ્દોથી કહેવું હોય તો ‘સંવર, નિર્જરા’ કહેવાય છે અને ત્રણ શબ્દોથી કહેવું હોય તો ‘સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર’ કહેવાય છે. સંવરનિર્જરામાં અંશે શુદ્ધ પર્યાય હોય છે એમ સમજવું.
આ શાસ્ત્રમાં જ્યાં જ્યાં સંવર-નિર્જરાનું વિવરણ હોય ત્યાં ત્યાં આત્માની પર્યાય
Page 527 of 655
PDF/HTML Page 582 of 710
single page version
પ૨૮ ] [ મોક્ષશાસ્ત્ર જે અંશે શુદ્ધ છે તે સંવર-નિર્જરા છે એમ સમજવું. વિકલ્પ રાગ કે શુભભાવ તે સંવર-નિર્જરા નથી. પરંતુ તેનો નિરોધ થવો અને જુની અશુદ્ધિનું ખરી જવું તે સંવર-નિર્જરા છે.
(૮) મોક્ષના બીજરૂપ સંવર-નિર્જરાભાવ અનાદિથી અજ્ઞાની જીવે કદી પ્રગટ કર્યા નથી અને તેનું યથાર્થ સ્વરૂપ પણ સમજ્યો નથી, સંવર-નિર્જરા પોતે ધર્મ છે; તેનું સ્વરૂપ સમજ્યા વગર ધર્મ કેમ થાય? માટે મુમુક્ષુ જીવોએ તેનું સ્વરૂપ સમજવાની ખાસ જરૂર છે; આચાર્ય દેવ આ અધ્યાયમાં તેમનું વર્ણન ટૂંકમાં કરે છે. તેમાં પ્રથમ સંવરનું સ્વરૂપ વર્ણવે છે.
અર્થઃ– [आस्रवनिरोधः] આસ્રવને રોકવા તે [संवरः] સંવર છે અર્થાત્ આત્મામાં જે કારણોથી કર્મોનો આસ્રવ થાય છે તે કારણોને દૂર કરવાથી કર્મોનું આવવું અટકી જાય છે તેને સંવર કહે છે.
૧. સંવરના બે ભેદ છે-ભાવસંવર અને દ્રવ્યસંવર. તે બન્નેની વ્યાખ્યા ભૂમિકાના ત્રીજા પારાના (૭) મા પેટાભેદમાં આપી છે.
ર. સંવર તે ધર્મ છે; સંવરની શરૂઆત જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે થાય છે; સમ્યગ્દર્શન વગર કદી પણ સાચો સંવર હોતો નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાતતત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે વિપરીત અભિનિવેશરહિત જાણવું જોઈએ.
૩. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી જીવને અંશે વીતરાગભાવ અને અંશે સરાગભાવ હોય છે; ત્યાં વીતરાગભાવ વડે સંવર થાય છે અને સરાગભાવ વડે બંધ થાય છે એમ સમજવું.
૪. અહિંસા વગેરે શુભાસ્રવને ઘણા જીવો સંવર માને છે, પણ તે ભૂલ છે. શુભાસ્રવથી તો પુણ્યબંધ થાય છે. જે ભાવ વડે બંધ થાય તે જ ભાવ વડે સંવર થાય નહિ.
પ. આત્માને જેટલે અંશે સમ્યગ્દર્શન છે તેટલે અંશે સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે; જેટલે અંશે સમ્યગ્જ્ઞાન છે તેટલે અંશે
Page 528 of 655
PDF/HTML Page 583 of 710
single page version
અ. ૯ સૂત્ર ૧] [પ૨૯ સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે; તથા જેટલે અંશે સમ્યક્ચારિત્ર છે તેટલે અંશે સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે- (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૧૨ થી ર૧૪)
૬. પ્રશ્નઃ– સમ્યગ્દર્શન તે સંવર છે અને બંધનું કારણ નથી તો પછી અ. ૬. સૂ. ર૧ માં સમ્યકત્વને પણ દેવાયુકર્મના આસ્રવનું કારણ કેમ કહ્યું? તેમજ અ. ૬. સૂ. ર૪ માં દર્શનવિશુદ્ધથી તીર્થંકરનામકર્મનો આસ્રવ થાય છે એમ કેમ ક્હ્યું?
ઉત્તરઃ– તીર્થંકરનામકર્મનો બંધ ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી થાય છે; અને ત્રણે પ્રકારના સમ્યકત્વની ભૂમિકામાં તે બંધ થાય છે. ખરેખર (ભૂતાર્થનયથી) સમ્યગ્દર્શન પોતે કદી પણ બંધનું કારણ નથી, પણ તે ભૂમિકામાં રહેલા રાગથી જ બંધ થાય છે. તીર્થંકરનામકર્મના બંધનું કારણ પણ સમ્યગ્દર્શન પોતે નથી, પરંતુ સમ્યગ્દર્શનની ભૂમિકામાં રહેલો રાગ તે બંધનું કારણ છે. જ્યાં સમ્યગ્દર્શનને આસ્રવ કે બંધનું કારણ કહ્યું હોય ત્યાં માત્ર ઉપચારથી વ્યવહારથી કથન છે એમ સમજવું; તેને અભૂતાર્થનયનું કથન પણ કહેવાય છે. સમ્યગ્જ્ઞાન વડે નય વિભાગના સ્વરૂપને યથાર્થ જાણનારા જ આ કથનના આશયને અવિરુદ્ધપણે સમજે છે.
પ્રશ્નમાં જે સૂત્રનો આધાર આપવામાં આવ્યો છે તે સૂત્રોની ટીકામાં પણ ખુલાસો કર્યો છે કે સમ્યગ્દર્શન પોતે બંધનું કારણ નથી.
૭. સમ્યગ્દ્રષ્ટિ જીવો બે પ્રકારના છે-સરાગી અને વીતરાગી. તેમાંથી સરાગસમ્યગ્દ્રષ્ટિ જીવો રાગ સહિત હોવાથી રાગના કારણે તેમને કર્મપ્રકૃતિઓનો આસ્રવ થાય છે; તે જીવોને સરાગસમ્યક્ત્વ છે એમ પણ કહેવાય છે; પરંતુ ત્યાં એમ સમજવું કે જે રાગ છે તે સમ્યક્ત્વનો દોષ નથી પણ ચારિત્રનો દોષ છે. જે સમ્યગ્દ્રષ્ટિ જીવોને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યક્ત્વ કહેવાય છે. ખરેખર એ બે જીવોના સમ્યગ્દર્શનમાં ભેદ નથી પણ ચારિત્રના ભેદની અપેક્ષાએ એ બે ભેદ છે. જે સમ્યગ્દ્રષ્ટિ જીવ ચારિત્રના દોષસહિત છે તેમને સરાગસમ્યક્ત્વ છે એમ કહેવાય છે અને જે જીવને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યક્ત્વ છે એમ કહેવાય છે; એ રીતે ચારિત્રની સદોષતા કે નિર્દોષતાની અપેક્ષાએ તે ભેદ છે. સમ્યગ્દર્શન પોતે સંવર છે અને તે તો શુદ્ધભાવ જ છે તેથી તે આસ્રવ કે બંધનું કારણ નથી. (જુઓ, પા.) ।। ૧।।
Page 529 of 655
PDF/HTML Page 584 of 710
single page version
પ૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः।। २।।
બાર અનુપ્રેક્ષા, [परीषहजय चारित्रैः] બાવીસ પરિષહજય અને પાંચ ચારિત્ર એ છ કારણોથી [सः] તે સંવર થાય છે.
૧. જે જીવને સમ્યગ્દર્શન હોય તેને જ સંવરના આ છ કારણો હોય છે; મિથ્યાદ્રષ્ટિને આ છ કારણોમાંથી એક પણ સાચું હોતું નથી. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને તેમજ સાધુને આ છ એ કારણો યથાસંભવ હોય છે (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૦૩, ટીકા) સંવરના આ છ કારણોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર સંવરનું સ્વરૂપ સમજવામાં પણ જીવની ભૂલ થયા વગર રહે નહિ. માટે આ છ કારણોનું યથાર્થસ્વરૂપ સમજવું જોઈએ.
(૧) મન-વચન-કાયાની ચેષ્ટા મટે, પાપચિંતવન ન કરે, મૌન ધારે તથા ગમનાદિ ન કરે તેને કેટલાક જીવો ગુપ્તિ માને છે; પણ તે ગુપ્તિ નથી; કેમ કે જીવને મનમાં ભક્તિ વગેરે પ્રશસ્તરાગાદિના ઘણા પ્રકારના વિકલ્પો થાય છે અને વચન- કાયાની ચેષ્ટા રોકવાનો ભાવ તે તો શુભપ્રવૃત્તિ છે; પ્રવૃત્તિમાં ગુપ્તિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-કાયાની ચેષ્ટા થાય નહિ ત્યાં સાચી ગુપ્તિ છે. ખરી રીતે ગુપ્તિનો એક જ પ્રકાર છે અને તે વીતરાગભાવરૂપ છે. ગુપ્તિના ત્રણ પ્રકાર નિમિત્તની અપેક્ષાએ કહ્યા છે. મન-વચન-કાયા એ તો પરદ્રવ્ય છે, તેની કોઈ ક્રિયા બંધનું કે અબંધપણાનું કારણ નથી. વીતરાગભાવ થતાં જેટલે અંશે મન- વચન-કાયા તરફ જીવ જોડાતો નથી તેટલે અંશે નિશ્ચયગુપ્તિ છે, અને તે જ સંવરનું કારણ છે.
(ર) નયોના રાગને છોડી, જે જીવો પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે જીવોને ગુપ્તિ હોય છે. તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે અને તેઓ સાક્ષાત્ અમૃતરસ પીએ છે. આ સ્વરૂપગુપ્તિની શુદ્ધક્રિયા છે. જેટલા અંશે વીતરાગદશા થઈને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે તેટલા અંશે ગુપ્તિ છે; તે દશામાં ક્ષોભ મટે છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે (જુઓ, શ્રી સમયસાર કલશ ૬૯, પા. ૧૭પ).
(૩) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પૂર્વક લૌકિક વાંછારહિત થઈને યોગોનો યથાર્થ નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. યોગોના નિમિત્તથી આવનારા કર્મોનું આવવું
Page 530 of 655
PDF/HTML Page 585 of 710
single page version
અ. ૯ સૂત્ર ૨] [ પ૩૧ બંધ પડી જવું તે સંવર છે (જુઓ, તત્ત્વાર્થસાર અ. ૬, ગાથા પ, પા. ૩૪૦).
(૪) આ અધ્યાયના ચોથા સૂત્રમાં ગુપ્તિનું લક્ષણ કહ્યું છે. તેમાં જણાવ્યું છે કે ‘સમ્યક્ યોગનિગ્રહ’ તે ગુપ્તિ છે. આમાં સમ્યક્ શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શન વગર યોગોનો યથાર્થ નિગ્રહ હોતો નથી એટલે કે સમ્યગ્દર્શનપૂર્વક જ યોગોનો નિગ્રહ હોઈ શકે છે.
(પ) પ્રશ્નઃ– યોગ ચૌદમાં ગુણસ્થાને અટકે છે; તેરમા ગુણસ્થાન સુધી તો તે હોય છે; તો પછી નીચલી ભૂમિકાવાળાને ‘યોગનો નિગ્રહ’ (ગુપ્તિ) ક્યાંથી થાય?
ઉત્તરઃ– મન-વચન-કાયા તરફ આત્માનો ઉપયોગ જેટલો ન જોડાય તેટલો યોગનો નિગ્રહ થયો કહેવાય છે. અહીં યોગ શબ્દનો અર્થ ‘પ્રદેશોનું કંપન’ એમ સમજવાનો નથી. પ્રદેશોના કંપનનો નિગ્રહ થાય તેને ગુપ્તિ કહેવામાં આવતી નથી પણ તેને તો અકંપપણું કે અયોગપણું કહેવામાં આવે છે, તે ચૌદમા ગુણસ્થાને પ્રગટે છે. અને ગુપ્તિ તો કેટલેક અંશે ચોથે ગુણસ્થાને પણ હોય છે.
(૬) ખરેખર આત્માનું સ્વરૂપ (નિજરૂપ) જ પરમ ગુપ્તિ છે, તેથી આત્મા જેટલે અંશે પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર રહે તેટલે અંશે ગુપ્તિ છે. (જુઓ શ્રી સમયસાર કળશ ૧પ૮, પા. ર૯૧) .
૩. આત્માનો વીતરાગભાવ એકરૂપ છે અને નિમિત્ત અપેક્ષાએ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર એવા જુદા જુદા ભેદો પાડીને સમજાવવામાં આવે છે; તે ભેદો દ્વારા પણ અભેદતા બતાવી છે. સ્વરૂપની અભેદતા તે સંવર-નિર્જરાનું કારણ છે.
૪. ગુપ્તિ, સમિતિ વગેરેના સ્વરૂપનું વર્ણન ચોથા સૂત્રથી શરુ કરીને ક્રમે ક્રમે કહેવામાં આવશે. ।। ૨।।
અર્થઃ– [तपसा] તપથી [निर्जरा च] સંવર અને નિર્જરા પણ થાય છે.
૧. દશ પ્રકારના ધર્મમાં તપનો સમાવેશ થઈ જાય છે, તોપણ તેને અહીં જુદું કહેવાનું કારણ એ છે કે, તે સંવર અને નિર્જરા બન્નેનું કારણ છે; અને તેમાં સંવરનું તે પ્રધાન કારણ છે.
Page 531 of 655
PDF/HTML Page 586 of 710
single page version
પ૩૨ ] [ મોક્ષશાસ્ત્ર
૨. અહીં જે તપ કહ્યું છે તે સમ્યક્તપ છે, કેમ કે તે તપ જ સંવર નિર્જરાનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને જ સમ્યક્તપ હોય છે. મિથ્યાદ્રષ્ટિના તપને બાળતપ કહેવામાં આવે છે અને તે આસ્રવ છે, એમ અ. ૬ સૂ. ૧ર ની ટીકામાં કહ્યું છે. તે સૂત્રમાં આપેલા ‘આદિ’ શબ્દમાં બાળતપનો સમાવેશ થાય છે. જેઓ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનથી રહિત છે એવા જીવો ગમે તેટલું તપ કરે તોપણ તેના બધા તપને બાળતપ (અર્થાત્ અજ્ઞાનતપ, મૂર્ખતાવાળો તપ) કહેવાય છે (જુઓ, સમયસાર, ગાથા ૧પ૨, પા. ૧૯૮). સમ્યગ્દર્શન પૂર્વકના તપને ઉત્તમ તપ તરીકે આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં વર્ણવ્યો છે.
શ્રી પ્રવચનસાર, ગાથા ૧૪ માં તપનો અર્થ આ પ્રમાણે આપ્યો છે- ‘स्वरूपविश्रांतनिस्तरंगचैतन्यप्रतपनाच्च तपः અર્થાત્ સ્વરૂપમાં વિશ્રાંત, તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન તે તપ છે.
(૧) ઘણા જીવો અનશનાદિને તપ માને છે અને તે તપથી નિર્જરા માને છે, પણ બાહ્ય તપથી નિર્જરા થાય નહિ. નિર્જરાનું કારણ તો શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગમાં જીવની રમણતા થતાં અનશન વગેરે ‘શુભ-અશુભ ઇચ્છાનો નિરોધ થાય છે’ તે સંવર છે. જો બાહ્ય દુઃખ સહન કરવું તે નિર્જરા હોય તો તિર્યંચાદિક પણ ભૂખ-તરસાદિક દુઃખ સહન કરે છે તેથી તેને પણ નિર્જરા થાય.
(ર) પ્રશ્નઃ– તિર્યંચાદિક તો પરાધીનપણે ભૂખ-તરસાદિ સહન કરે છે, પણ જે સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસાદિરૂપ તપ કરે તેને તો નિર્જરા થાય ને?
ઉત્તરઃ– ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે પણ ત્યાં ઉપયોગ અશુભ, શુભ કે શુદ્ધરૂપ જેમ પરિણમે તે અનુસાર જ બંધ કે નિર્જરા થાય છે. જો અશુભ કે શુભરૂપ ઉપયોગ હોય તો બંધ થાય છે અને સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધોપયોગ હોય તો ધર્મ થાય છે. જો બાહ્ય ઉપવાસથી નિર્જરા થતી હોય તો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય અને થોડા કરતાં થોડી થાય-એવો નિયમ ઠરે, તથા નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ જ ઠરે. પણ એમ તો બને નહિ; કેમકે બાહ્ય ઉપવાસાદિ કરવા છતાં જો દ્રુષ્ટપરિણામ કરે તો તેને નિર્જરા કેમ થાય? આથી એમ સિદ્ધ થાય છે કે અશુભ, શુભ કે શુદ્ધરૂપે જેવો ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ કે નિર્જરા થાય છે; તેથી ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ નથી, પણ અશુભ તથા શુભ પરિણામ એ બન્ને બંધનાં કારણ છે અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે.
Page 532 of 655
PDF/HTML Page 587 of 710
single page version
અ. ૯ સૂત્ર ૪] [ પ૩૩
(૩) પ્રશ્નઃ– જો એમ છે તો આ સૂત્રમાં ‘તપથી નિર્જરા પણ થાય છે’ એમ કહ્યું?
ઉત્તરઃ– બાહ્ય ઉપવાસાદિ તે તપ નથી પણ તપની વ્યાખ્યા એમ છે કે ‘इच्छानिरोधस्तपः’ અર્થાત્ ઇચ્છાને રોકવી તે તપ છે. શુભ-અશુભ ઇચ્છા તે તપ નથી પણ શુભ-અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે તે સમ્યક્તપ છે અને તે તપથી જ નિર્જરા થાય છે.
પ્રશ્નઃ– આહારાદિ લેવારૂપ અશુભભાવની ઇચ્છા દૂર થતાં તપ થાય પણ ઉપવાસાદિ કે પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે જ ને?
ઉત્તરઃ– જ્ઞાની પુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી પણ એક શુદ્ધોપયોગની જ ભાવના છે. જ્ઞાની પુરુષો, ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધારે છે; પણ જ્યાં ઉપવાસાદિથી શરીરની કે પરિણામોની શિથિલતા વડે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે ત્યાં આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થતી હોય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ તીર્થંકરો દીક્ષા લઈને બે ઉપવાસ જ કેમ ધારણ કરે? સાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
(પ) પ્રશ્નઃ– જો એમ છે તો અનશનાદિને તપસંજ્ઞા કેમ કહી છે? ઉત્તરઃ– અનશનાદિને બાહ્યતપ કહ્યાં છે. બાહ્ય એટલે બહારમાં બીજાઓને દેખાય કે આ તપસ્વી છે. છતાં ત્યાં પણ પોતે જેવા અંતરંગ પરિણામ કરશે તેવું જ ફળ પામશે. શરીરની ક્રિયા જીવને કાંઈ ફળદાતા નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવને વીતરાગતા વધે છે તે ખરું તપ છે, અનશનાદિને નિમિત્તઅપેક્ષાએ ‘તપ’ સંજ્ઞા આપવામાં આવી છે.
સમ્યગ્દ્રષ્ટિને તપ કરતાં નિર્જરા થાય છે અને સાથે પુણ્યકર્મનો બંધ પણ થાય છે; પણ જ્ઞાનીઓને તપનું પ્રધાનફળ નિર્જરા છે તેથી આ સૂત્રમાં સાચા તપથી નિર્જરા થાય- એમ કહ્યું. જેટલી તપમાં (અર્થાત્ શુદ્ધોપયોગમાં) ન્યૂનતા હોય છે તેટલો પુણ્યકર્મનો બંધ થઈ જાય છે; આ અપેક્ષાએ પુણ્યનો બંધ થવો તે તપનું ગૌણ ફળ કહેવાય છે. જેમ ખેતી કરવાનું પ્રધાન ફળ તો ધાન્ય ઉત્પન્ન કરવું તે છે, પણ રાડાં વગેરે ઉત્પન્ન થવું તે તેનું ગૌણ ફળ છે; તેમ અહીં એટલું સમજવું કે સમ્યગ્દ્રષ્ટિને તપનો જે વિકલ્પ આવે છે તે રાગ હોવાથી તેના ફળમાં પુણ્ય બંધાઈ જાય છે અને જેટલો રાગ તૂટીને વીતરાગભાવ- શુદ્ધોપયોગ વધે છે તે નિર્જરાનું કારણ છે. આહાર પેટમાં જવો કે ન જવો તે બંધ કે નિર્જરાનું કારણ નથી કેમ કે તે પરદ્રવ્ય છે અને
Page 533 of 655
PDF/HTML Page 588 of 710
single page version
પ૩૪ ] [ મોક્ષશાસ્ત્ર પરદ્રવ્યનું પરિણમન આત્માને આધીન નથી તેથી તેના પરિણમનથી આત્માને લાભ કે નુકશાન નથી. જીવને પોતાના પરિણામથી જ લાભ કે નુકશાન થાય છે.
૬. અ. ૮. સૂ. ૨૩ માં પણ નિર્જરા સંબંધી વર્ણન હોવાથી તે સૂત્રની ટીકા અહીં પણ વાંચવી. તપના બાર ભેદ કહ્યા છે તે સંબંધી વિશેષ ખુલાસો આ અધ્યાયના સૂત્ર. ૧૯-૨૦ માં કરવામાં આવ્યો છે માટે ત્યાંથી જોઈ લેવો.।। ૩।।
અર્થઃ– [सम्यक् योगनिग्रहो] સમ્યક્ પ્રકારે યોગનો નિગ્રહ તે [गुप्तिः] ગુપ્તિ છે.
૧. આ સૂત્રમાં સમ્યક્ શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શનપૂર્વક જ ગુપ્તિ હોય છે; અજ્ઞાનીને ગુપ્તિ હોતી નથી. તથા જેને ગુપ્તિ હોય તે જીવને વિષયસુખની અભિલાષા હોતી નથી એમ પણ ‘સમ્યક્’ શબ્દ બતાવે છે. જો જીવને સંકલેશતા (આકુળતા) થાય તો તેને ગુપ્તિ હોતી નથી. બીજા સૂત્રની ટીકામાં ગુપ્તિનું સ્વરૂપ જણાવ્યું છે તે અહીં પણ લાગુ પડે છે.
(૧) જીવના ઉપયોગનું મન સાથે જોડાણ તે મનોયોગ છે. વચન સાથે જોડાણ તે વચનયોગ છે અને કાય સાથે જોડાણ તે કાયયોગ છે, તથા તેનો અભાવ તે અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. આ રીતે નિમિત્તના અભાવની અપેક્ષાએ ગુપ્તિના ત્રણ ભેદ છે.
પર્યાય શુદ્ધોપયોગની હીનાધિકતા હોવા છતાં તેમાં શુદ્ધતા તો એક જ પ્રકારની છે; નિમિત્ત અપેક્ષાએ તેના અનેક પ્રકાર કહેવામાં આવે છે.
જીવ જ્યારે વીતરાગભાવ વડે પોતાની સ્વરૂપગુપ્તિમાં રહે ત્યારે મન, વચન ને કાયા તરફનું લક્ષ છૂટી જાય છે; તેથી તેની નાસ્તિ અપેક્ષાએ ત્રણ ભેદ પડે છે; એ બધા ભેદ નિમિત્તના છે એમ જાણવું.
(ર) સર્વ મોહ-રાગ-દ્વેષને દુર કરીને ખંડરહિત અદ્વૈત પરમ ચૈતન્યમાં સારી રીતે સ્થિત થવું તે નિશ્ચયમનોગુપ્તિ છે; સંપૂર્ણ અસત્ય ભાષાને એવી રીતે ત્યાગવી કે (અથવા એવી રીતે મૌનવ્રત રાખવું કે) મૂર્તિક દ્રવ્યમાં, અમૂર્તિક દ્રવ્યમાં કે બન્નેમાં
Page 534 of 655
PDF/HTML Page 589 of 710
single page version
અ. ૯ સૂત્ર પ] [ પ૩પ વચનની પ્રવૃત્તિ અટકે અને જીવ પરમ ચૈતન્યમાં સ્થિર થાય, તે નિશ્ચયવચનગુપ્તિ છે. સંયમધારી મુનિ જ્યારે પોતાના આત્મસ્વરૂપ ચૈતન્યમય શરીરથી જડ શરીરનું ભેદજ્ઞાન કરે છે (અર્થાત્ શુદ્ધાત્માના અનુભવમાં લીન થાય છે) ત્યારે અંતરંગમાં પોતાના આત્માની ઉત્કૃષ્ટ મૂર્તિનું નિશ્ચલપણું થવું તે કાયગુપ્તિ છે.
(જુઓ, શ્રી નિયમસાર ગાથા ૬૯-૭૦ તથા તેની ટીકા પાનું ૮૪-૮પ)
(૩) અનાદિ અજ્ઞાની જીવોએ કદી સમ્યગ્ગુપ્તિ ધારણ કરી નથી. અનેકવાર દ્રવ્યલિંગી મુનિ થઇને જીવે શુભોપયોગરૂપ ગુપ્તિ- સમિતિ વગેરે નિરતિચાર પાળી, પણ તે સમ્યક્ ન હતી. સમ્યગ્દર્શન પ્રાપ્તિ કર્યા વગર કોઇ જીવને સમ્યગ્ગુપ્તિ થઇ શકે નહિ અને તેનું ભવભ્રમણ ટળે નહિ. માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને ક્રમે ક્રમે આગળ વધીને સમ્યગ્ગુપ્તિ પ્રગટ કરવી જોઇએ.
(જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૧૭૨, ટીકા; મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૪૭).
(૪) છઠ્ઠા ગુણસ્થાનવર્તી સાધુને શુભભાવરૂપ ગુપ્તિ પણ હોય છે, પણ તે આત્માનું સ્વરૂપ નથી; તે શુભ વિકલ્પ છે તેથી તે જ્ઞાનીને હેયબુદ્ધિએ હોય છે, કેમ કે તેનાથી બંધ થાય છે. તેને વ્યવહારગુપ્તિ કહેવાય છે. તે ટાળીને સાધુ નિર્વિકલ્પદશામાં સ્થિર થાય છે; તે સ્થિરતાને નિશ્ચયગુપ્તિ કહેવાય છે, તે નિશ્ચયગુપ્તિ સંવરનું કારણ છે. (જુઓ, શ્રી પ્રવચનસાર અ.૩ ગાથા ૨) ।। ૪।।
બીજા સૂત્રમાં સંવરના છ કારણો બતાવ્યા છે; તેમાંથી ગુપ્તિનું વર્ણન પૂરું થયું. હવે સમિતિનું વર્ણન કરે છે.
ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः ।। ५।।
સમ્યક્ એષણા, સમ્યક્ આદાનનિક્ષેપ અને સમ્યક્ ઉત્સર્ગ-એ પાંચ [समितयः] સમિતિ છે. (ચોથા સૂત્રનો ‘સમ્યક્’ શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.)
(૧) પરજીવોની રક્ષાર્થે યત્નાચાર પ્રવૃત્તિને ઘણા જીવો સમિતિ માને છે, પણ તે યથાર્થ નથી. કેમ કે હિંસાના પરિણામોથી તો પાપ થાય છે, અને જો રક્ષાના પરિણામોથી સંવર થાય છે એમ માનવામાં આવે તો પુણ્યબંધનું કારણ કોણ ઠરશે?
Page 535 of 655
PDF/HTML Page 590 of 710
single page version
પ૩૬ ] [ મોક્ષશાસ્ત્ર વળી એષણાસમિતિમાં પણ તે અર્થ ઘટતો નથી, કેમ કે ત્યાં દોષ ટળે છે, પણ કાંઈ પર જીવની રક્ષાનું પ્રયોજન નથી.
(ર) પ્રશ્નઃ– તો પછી સમિતિનું ખરું સ્વરૂપ શું? ઉત્તરઃ– મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે; ત્યાં તે ક્રિયામાં અતિ આસક્તિના અભાવથી તેમને પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરીને પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે; એ પ્રમાણે સાચી સમિતિ છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૩૨).
अ. અભેદ, ઉપચારરહિત જે રત્નત્રયનો માર્ગ તે માર્ગરૂપ પરમધર્મદ્વારા પોતાના આત્મસ્વરૂપમાં ‘સમ’ અર્થાત્ સમ્યક્ પ્રકારે ‘ઇતા’ અર્થાત્ ગમન તથા પરિણમન તે સમિતિ છે. અથવા ब. પોતાના આત્માના પરમતત્ત્વમાં લીન સ્વાભાવિક પરમજ્ઞાનાદિ પરમધર્મોની એકતા તે સમિતિ છે. આ સમિતિ સંવર- નિર્જરારૂપ છે (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૬૧).
(૩) સમ્યગ્દ્રષ્ટિ જીવો જાણે છે કે આત્મા પર જીવોને હણી શકે નહિ, પરદ્રવ્યોનું કાંઈ કરી શકે નહિ, ભાષા બોલી શકે નહિ, શરીરનું હલન-ચલનાદિ કરી શકે નહિ; શરીર ચાલવા લાયક હોય ત્યારે સ્વયં ચાલે, પરમાણુઓ ભાષારૂપે પરિણમવાના હોય ત્યારે સ્વયં પરિણમે; પર જીવ તેના આયુષ્યની યોગ્યતા પ્રમાણે જીવે કે મરે; પણ તે કાર્યો વખતે પોતાની યોગ્યતાનુસાર જીવને રાગ હોય છે એટલો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી નિમિત્ત અપેક્ષાએ સમિતિના પાંચ પ્રકાર પડે છે. ઉપાદાનમાં તો ભેદ પડતા નથી.
(૪) ગુપ્તિ નિવૃત્તિસ્વરૂપ છે અને સમિતિ પ્રવૃત્તિસ્વરૂપ છે. સમ્યગ્દ્રષ્ટિને સમિતિમાં જેટલે અંશે વીતરાગભાવ છે તેટલે અંશે સંવર છે અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે.
(પ) મિથ્યાદ્રષ્ટિ જીવ તો એમ માને છે કે હું પર જીવોને બચાવી શકું તથા હું પરદ્રવ્યોનું કરી શકું, તેથી તેને સમિતિ હોતી જ નથી. દ્રવ્યલિંગી મુનિને શુભોપયોગરૂપ સમિતિ હોય છે પણ તે સમ્યક્સમિતિ નથી અને સંવરનું કારણ નથી; વળી તે તો શુભોપયોગને ધર્મ માને છે, તેથી તે મિથ્યાત્વી છે (જુઓ, શ્રી પંચાસ્તિકાય, ગાથા. ૧૭૨ ટીકા).
અ. ૬. સૂ. પ. માં પચીસ પ્રકારની ક્રિયાઓને આસ્રવનું કારણ કહ્યું છે; ત્યાં
Page 536 of 655
PDF/HTML Page 591 of 710
single page version
અ. ૯ સૂત્ર ૬ ] [ પ૩૭ ગમન વગેરેમાં થતી ક્રિયા તે ઇર્યાપથ ક્રિયા છે અને તે પાંચ સમિતિરૂપ છે એમ જણાવ્યું છે અને તેને બંધના કારણોમાં ગણી છે. પરંતુ અહીં સમિતિને સંવરના કારણમાં ગણી છે તેનું કારણ એ છે કે, જેમ સમ્યગ્દ્રષ્ટિને પાંચ સમિતિ સંવરનું કારણ થાય છે તેમ તેને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તે આસ્રવનું પણ કારણ થાય છે. અહીં સંવર અધિકારમાં સંવરની મુખ્યતા હોવાથી સમિતિને સંવરના કારણરૂપે વર્ણવી છે અને છઠ્ઠા અધ્યાયમાં આસ્રવની મુખ્યતા હોવાથી ત્યાં સમિતિમાં જે રાગ છે તેને આસ્રવના કારણરૂપ વર્ણવેલ છે.
૩. ઉપર પ્રમાણે સમિતિ તે મિશ્રભાવરૂપ છે; એવા ભાવ સમ્યગ્દ્રષ્ટિને હોય છે; તેમાં અંશે વીતરાગતા છે અને અંશે રાગ છે. જે અંશે વીતરાગતા છે તે અંશ વડે તો સંવર જ છે તથા જે અંશે સરાગતા છે તે અંશ વડે બંધ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને આવા મિશ્રરૂપ ભાવથી તો સંવર અને બંધ એ બન્ને કાર્ય બને, પણ એકલા રાગ વડે એ બે કાર્ય બને નહિ; તેથી ‘એકલા પ્રશસ્ત રાગ’ થી પુણ્યાસ્રવ પણ માનવો અને સંવર-નિર્જરા પણ માનવા તે ભ્રમ છે. મિશ્રરૂપ ભાવમાં પણ, આ સરાગતા છે અને આ વીતરાગતા છે એવી યથાર્થ ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેથી તેઓ બાકી રહેલા સરાગભાવને હેયરૂપ શ્રદ્ધે છે. મિથ્યાદ્રષ્ટિને સરાગભાવ અને વીતરાગભાવની યથાર્થ ઓળખાણ નથી, તેથી તે સરાગભાવને સંવરરૂપ માને છે અને પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેયરૂપ શ્રદ્ધે છે, તે ભ્રમ છે-અજ્ઞાન છે.
સાધુ જ્યારે ગુપ્તિરૂપ પ્રવર્તનમાં સ્થિર રહી શકતા નથી ત્યારે ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં તેઓ પ્રવર્તે છે; ત્યારે અસંયમના નિમિત્તે બંધાતા કર્મ બંધાતા નથી તેટલો સંવર થાય છે.
આ સમિતિ મુનિ અને શ્રાવકો બન્ને યથાયોગ્ય પાળે છે. (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૨૦૩. ભાવાર્થ) પાંચ સમિતિની વ્યાખ્યા નીચે મુજબ છે- ઇર્યાસમિતિ– ચાર હાથ આગળ ભૂમિ જોઈને શુદ્ધમાર્ગમાં ચાલવું તે
ભાષાસમિતિ– હિત, મિત અને પ્રિય વચન બોલવાં તે ભાષાસમિતિ છે. એષણાસમિતિ– દિવસમાં એક જ વાર નિર્દોષ આહાર લેવો તે એષણાસમિતિ છે.
Page 537 of 655
PDF/HTML Page 592 of 710
single page version
પ૩૮ ] [ મોક્ષશાસ્ત્ર
આદાનનિક્ષેપસમિતિ– સાવધાનીપૂર્વક જોઈને વસ્તુ રાખવી, મૂકવી, તથા
ઉત્સર્ગસમિતિ– જીવરહિત સ્થળમાં મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું તે
આ વ્યવહાર-વ્યાખ્યા છે; તે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ બતાવે છે, પરંતુ જીવ પરદ્રવ્યનો કર્તા છે અને પરદ્રવ્યની અવસ્થા જીવનું કર્મ છે- એમ સમજવું નહિ.।। પ।।
બીજા સૂત્રમાં સંવરનાં છ કારણો જણાવ્યાં છે. તેમાંથી સમિતિ અને ગુપ્તિનું વર્ણન પૂરું થયું. હવે દશ ધર્મનું વર્ણન કરે છે.
અર્થઃ– [उत्तम क्षमा मार्दव आर्जव शौच सत्य] ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, [संयम तपः त्याग आकिंचन्य ब्रह्मचर्याणि] ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય [धर्मः] એ દશ ધર્મો છે.
૧. પ્રશ્નઃ– આ દશ પ્રકારનો ધર્મ શા માટે કહ્યો? ઉત્તરઃ– પ્રવૃત્તિને રોકવા માટે પ્રથમ ગુપ્તિ જણાવી; તે ગુપ્તિમાં પ્રવર્તવા જીવ જ્યારે અસમર્થ હોય ત્યારે પ્રવૃત્તિનો ઉપાય કરવા માટે સમિતિ કહી. એ સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રમાદ દૂર કરવા માટે આ દશ પ્રકારનો ધર્મ જણાવ્યો છે.
૨. ઉત્તમઃ– આ સૂત્રમાં જણાવેલો ‘ઉત્તમ’ શબ્દ ક્ષમા વગેરે દશે બોલોને લાગુ પડે છે; તે શબ્દ ગુણવાચક છે. ઉત્તમ ક્ષમાદિ કહેવાથી અહીં રાગરૂપ ક્ષમા ન લેવી પણ સ્વરૂપના ભાનસહિત ક્રોધાદિ કષાય અભાવરૂપ ક્ષમા સમજવી. ઉત્તમક્ષમાદિ ગુણો પ્રગટતાં ક્રોધાદિ કષાયનો અભાવ થાય છે; તેથી આસ્રવની નિવૃત્તિ થાય છે, એટલે કે સંવર થાય છે.
Page 538 of 655
PDF/HTML Page 593 of 710
single page version
અ. ૯ સૂત્ર ૬ ] [ પ૩૯
રાગ-દ્વેષ નહિ, પુણ્ય નહિ, કષાય નહિ, ઓછું-અધુરું કે વિકારીપણું નહિ; એવા પૂર્ણ વીતરાગ જ્ઞાયકમાત્ર એકરૂપ સ્વભાવની પ્રતીતિ, લક્ષ અને તેમાં ટકવું તે ધર્મ છે, તે વીતરાગની આજ્ઞા છે. (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૪૮૭)
ઘણા જીવો એમ માને છે કે, બંધાદિકના ભયથી અથવા તો સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ ન કરવા તે ધર્મ છે. પરંતુ તેમની એ માન્યતા ખોટી છે; કેમ કે તેનો ક્રોધાદિક કરવાનો અભિપ્રાય તો ટળ્યો નથી. જેમ કોઈ મનુષ્ય રાજાદિકના ભયથી કે મહંતપણાના લોભથી પરસ્ત્રી સેવતો નથી, તો તેથી તેને ત્યાગી કહી શકાય નહિ; તે જ પ્રમાણે ઉપર્યુક્ત માન્યતાવાળા જીવો પણ ક્રોધાદિકના ત્યાગી નથી; તેમને ધર્મ થતો નથી.
પ્રશ્નઃ– તો ક્રોધાદિકનો ત્યાગ કેવી રીતે થાય? ઉત્તરઃ– પદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઉપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે.
ક્ષમા-નિંદા, ગાળ, હાસ્ય, અનાદર, માર, શરીરનો ઘાત વગેરે થતાં અથવા તો તે પ્રસંગ નજીક આવતાં દેખીને ભાવોમાં મલિનતા ન થવી તે ક્ષમા છે.
(ર) માર્દવ– જાતિ વગેરે આઠ પ્રકારના મદના આવેશથી થતા અભિમાનનો અભાવ તે માર્દવ છે, અથવા તો પરદ્રવ્યનું હું કરી શકું એવી માન્યતારૂપ અહંકારભાવને જડ મૂળ્ાથી ઉખેડી નાખવો તે માર્દવ છે.
(૩) આર્જવ –માયા-કપટથી રહિતપણું, સરળતા, સીધાપણું તે આર્જવ છે. (૪) શૌચ– લોભથી ઉત્કૃષ્ટપણે ઉપરામ પામવું-નિવૃત્ત થવું તે શૌચ- પવિત્રતા છે.
(પ) સત્ય– સત્ જીવોમાં-પ્રશંસનીય જીવોમાં સાધુવચન (સરળ વચન) બોલવાનો ભાવ તે સત્ય છે.
[પ્રશ્નઃ– ઉત્તમ સત્ય અને ભાષા સમિતિમાં શું તફાવત છે?
ઉત્તરઃ– સમિતિરૂપે પ્રવર્તનાર મુનિને સાધુ અને અસાધુ પુરુષો પ્રત્યે વચન વ્યવહાર હોય છે અને તે હિત, પરિમિત વચન છે. તે મુનિને શિષ્યો તથા તેમના ભક્તો (-શ્રાવકો) માં ઉત્તમસત્ય, જ્ઞાન, ચારિત્રનાં લક્ષણાદિક શીખવા-શીખવવામાં ઘણો ભાષા વ્યવહાર કરવો પડે છે તેને ઉત્તમસત્યધર્મ કહેવાય છે.]
Page 539 of 655
PDF/HTML Page 594 of 710
single page version
પ૪૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૬) સંયમ–સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રાણીઓને પીડા કરવાનો ત્યાગ છે તે સંયમ છે.
(૭) તપ– ભાવકર્મના નાશ માટે પોતાની શુદ્ધતાનું પ્રતપન તે તપ છે. (૮) ત્યાગ– સંયમી જીવોને યોગ્ય જ્ઞાનાદિક દેવાં તે ત્યાગ છે. (૯) આકિંચન્ય– વિદ્યમાન શરીરાદિમાં પણ સંસ્કારના ત્યાગ માટે, ‘આ મારું છે’ એવા અનુરાગની નિવૃત્તિ તે આકિંચન્ય છે. આત્મસ્વરૂપથી ભિન્ન એવા શરીરાદિકમાં કે રાગાદિકમાં મમત્વરૂપ પરિણામોનો અભાવ તે આકિંચન્ય છે.
(૧૦) બ્રહ્મચર્ય– સ્ત્રી માત્રનો ત્યાગ કરી. પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેવું તે બ્રહ્મચર્ય છે. પૂર્વે ભોગવેલી સ્ત્રીઓના ભોગનું સ્મરણ તથા તેની કથા સાંભળવાના ત્યાગથી તથા સ્ત્રીઓ પાસે બેસવાનું છોડવાથી અને સ્વછંદ પ્રવર્તન રોકવા માટે ગુરુકુળમાં રહેવાથી બ્રહ્મચર્ય પરિપૂર્ણ પળાય છે.
આ દશે બોલમાં ‘ઉત્તમ’ શબ્દ લગાડતાં ‘ઉત્તમક્ષમા’ વગેરે દશ ધર્મ થાય છે. ઉત્તમક્ષમા વગેરે કહેતાં તે શુભરાગરૂપ ન સમજવા પણ કષાયરહિત શુદ્ધભાવરૂપ સમજવા.
ક્ષમાના નીચે મુજબ પાંચ પ્રકાર છે- (૧) જેમ નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે તેમ, ‘હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે’ એવા ભાવથી ક્ષમા રાખવી તે. આ ક્ષમામાં ‘હું ક્રોધરહિત ત્રિકાળ સ્વભાવે શુદ્ધ છું’ એવું ભાન ન આવ્યું પણ રાગભાવ આવ્યો તેથી તે ખરી ક્ષમા નથી, તે ધર્મ નથી.
(ર) ક્ષમા કરું તો બીજા તરફથી મને નુકશાન ન થાય પણ લાભ થાય- એવા ભાવથી શેઠ વગેરેનો ઠપકો સહન કરે, સામો ક્રોધ ન કરે, પણ તે ખરી ક્ષમા નથી; તે ધર્મ નથી.
(૩) હું ક્ષમા કરું તો કર્મબંધન અટકે, ક્રોધ કરવાથી નરકાદિ હલકી ગતિમાં જવું પડશે માટે ક્રોધ ન કરું-એવા ભાવે ક્ષમા કરે પણ તે સાચી ક્ષમા નથી; તે ધર્મ નથી; કેમ કે તેમાં ભય છે, નિર્ભયતા-નિસંદેહતા નથી.
(૪) ક્રોધાદિ ન કરવા એવી વીતરાગની આજ્ઞા છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે મારે ક્ષમા રાખવી જોઈએ, જેથી મને પાપ નહિ થાય અને લાભ થશે એવા ભાવે
Page 540 of 655
PDF/HTML Page 595 of 710
single page version
અ. ૯ સૂત્ર ૬ ] [ પ૪૧ શુભપરિણામ રાખે અને તેને વીતરાગની આજ્ઞા માને તે પણ સાચી ક્ષમા નથી; કારણ કે તે પરાધીન ક્ષમા છે, તે ધર્મ નથી.
(પ) ‘સાચી ક્ષમા’ અર્થાત્ ‘ઉત્તમ ક્ષમા’ નું સ્વરૂપ એ છે કે, આત્મા અવિનાશી, અબંધ, નિર્મળ જ્ઞાયક જ છે, મારી વર્તમાન દશામાં ભૂલને કારણે શુભાશુભ ભાવ થાય છે તેનું કર્તાપણું છોડી શુદ્ધનયદ્વારા પોતે જેવો છે તેવો પોતાને જાણીને, માનીને તેમાં ઠરવું તે વીતરાગની આજ્ઞા છે અને તે ધર્મ છે. આ પાંચમી ક્ષમા તે ક્રોધમાં નહિ નમવું, ક્રોધનો પણ જ્ઞાતા એવો સહજ અકષાય ક્ષમાસ્વરૂપ છે. નિજસ્વભાવમાં, શુદ્ધસ્વરૂપમાં રહેવું તે ઉત્તમ ક્ષમા છે. ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે’ એમ કહેવાય છે ત્યાં આ જ ક્ષમા સમજવી. પદાર્થ ઇષ્ટાનિષ્ટ ભાસતાં કોધાદિ થાય છે જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે જ્ઞાતાસ્વભાવમાં ધૈર્ય-સાવધાન રહેવાથી સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે.
નોંધઃ– અહીં જેમ ક્ષમાના પાંચ પ્રકાર જણાવ્યા તથા તેમાં પાંચમા પ્રકારને ઉત્તમક્ષમાધર્મ જણાવ્યો, તે જ પ્રમાણે માર્દવ, આર્જવાદિ સર્વ બોલોમાં એ પાંચ પ્રકાર સમજવા અને તે દરેકમાં પાંચમો પ્રકાર ધર્મ છે એમ સમજવું.
૬. ક્ષમાના શુભ વિકલ્પનો હું કર્તા નથી એમ સમજીને રાગ-દ્વેષથી છૂટી સ્વરૂપની સાવધાની કરવી તે સ્વની ક્ષમા છે. ‘ક્ષમા કરવી, સરળતા રાખવી’ એમ નિમિત્તની ભાષામાં બોલાય તથા લખાય, પણ તેનો અર્થ એમ સમજવો કે-શુભ કે શુદ્ધપરિણામ કરવાના વિકલ્પ કરવા તે પણ નિત્ય સહજ સ્વભાવનો ક્ષમાગુણ નથી. ‘હું સરળતા રાખું, ક્ષમા કરું’ -એમ ભંગરૂપ વિકલ્પ તે રાગ છે, તે નિત્ય જ્ઞાયકતત્ત્વને ગુણ કરતો નથી; કેમ કે તે પુણ્ય પરિણામ પણ બંધભાવ છે; તેનાથી અબંધ અરાગી તત્ત્વને ગુણ થાય નહિ. ।। ૬।।
બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ત્રણ કારણોનું વર્ણન પૂરું થયું. હવે ચોથું કારણ બાર અનુપ્રેક્ષા છે. તેનું વર્ણન કરે છે.
दुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः।। ७।।
Page 541 of 655
PDF/HTML Page 596 of 710
single page version
પ૪૨ ] [ મોક્ષશાસ્ત્ર એકત્વ, અન્યત્વ, [अशुचि आस्रव संवर निर्जरा] અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, [लोक बोधिदुर्लभ धर्म] લોક, બોધિદુર્લભ અને ધર્મ [स्वाख्यातत्त्वानुचितनं अनुप्रेक्षाः] - એ બારના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે.
૧. અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી-હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા છે એમ કેટલાક માને છે, પણ તે યથાર્થ નથી; એ તો, જેમ પહેલાં કોઈ મિત્ર હોત ત્યારે તેનો પ્રત્યે રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ ઉદાસીન થયો તેમ પહેલાં શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યપણું વગેરે અવગુણ દેખીને ઉદાસીન થયો, તેની એ ઉદાસીનતા દ્વેષરૂપ છે, તે સાચી અનુપ્રેક્ષા નથી.
પ્રશ્નઃ– તો સાચી અનુપ્રેક્ષાનું સ્વરૂપ શું છે? ઉત્તરઃ– જેવો પોતાનો અને શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખીને ભ્રમ છોડવો અને તે શરીરાદિકને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો; આવી સાચી ઉદાસીનતા અર્થે અનિત્યત્વ વગેરેનું યથાર્થ ચિંતવન કરવું તે જ સાચી અનુપ્રેક્ષા છે. તેમાં જેટલી વીતરાગતા વધે છે તેટલો સંવર છે અને જે રાગ રહે છે તે બંધનું કારણ છે. આ અનુપ્રેક્ષા સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે કેમ કે અહીં સમ્યક્અનુપ્રેક્ષા જણાવી છે. અનુપ્રેક્ષાનો અર્થ (અનુ+પ્રેક્ષા) આત્માને અનુસરીને તેને જોવો-એમ થાય છે.
૨. જેમ અગ્નિથી તપાવવામાં આવતાં લોઢાનો પિંડ તન્મય (-અગ્નિમય) થઈ જાય છે, તેમ જ્યારે આત્મા ક્ષમાદિકમાં તન્મય થઈ જાય છે ત્યારે ક્રોધાદિક ઉત્પન્ન થતા નથી. તે સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અનિત્ય વગેરે બાર ભાવનાઓનું વારંવાર ચિંતવન કરવાની જરૂરીયાત છે. તે બાર ભાવનાઓ આચાર્યદેવે આ સૂત્રમાં જણાવી છે.
(૧) અનિત્ય અનુપ્રેક્ષા– સંવરના દ્રશ્યમાન, સંયોગી એવા શરીરાદિ સમસ્ત પદાર્થો ઇન્દ્ર-ધનુષ, વીજળી અથવા પરપોટા સમાન શીઘ્ર નાશ થઈ જાય તેવા છે; એવો વિચાર કરવો તે અનિત્ય અનુપ્રેક્ષા છે.
શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ દેવ, અસુર, અને મનુષ્યના વૈભવાદિથી
Page 542 of 655
PDF/HTML Page 597 of 710
single page version
અ. ૯ સૂત્ર ૭ ] [ પ૪૩ વ્યતિરિક્ત છે, આત્મા જ્ઞાનસ્વરૂપી સદા શાશ્વત છે અને સંયોગી ભાવો અનિત્ય છે- એમ ચિંતવવું તે અનિત્યભાવના છે.
(૨) અશરણ અનુપ્રેક્ષા– જેમ નિર્જન વનમાં ભૂખ્યા સિંહે પકડેલા હરણના બચ્ચાને કોઈ શરણ નથી, તેમ સંસારમાં જીવને કોઈ શરણભૂત નથી. જો જીવ પોતે પોતાના સ્વભાવને ઓળખીને શુદ્ધભાવથી ધર્મનું સેવન કરે તો તે દુઃખથી બચી શકે છે, નહિ તો તે સમયે સમયે ભાવમરણથી દુઃખી છે-એમ ચિંતવવું તે અશરણ અનુપ્રેક્ષા છે.
આત્મામાં જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ રહે છે; તેથી આત્મા જ શરણભૂત છે અને તેનાથી પર બધું અશરણ છે-એમ ચિંતવવું તે અશરણભાવના છે.
(૩) સંસાર અનુપે્રક્ષા–આ ચતુર્ગતિરૂપ સંસાર વિષે ભ્રમણ કરતાં જીવ જેનો પિતા હતો તેનો જ પુત્ર, જેનો પુત્ર હતો તેનો જ પિતા, જેનો સ્વામી હતો તેનો જ દાસ, જેનો દાસ હતો તેનો જ સ્વામી થઈ જાય છે અથવા તો પોતે પોતાનો જ પુત્ર થઈ જાય છે; ઇત્યાદિ પ્રકારે સંસારના સ્વરૂપનો અને તેના કારણરૂપ વિકારીભાવોના સ્વરૂપનો વિચાર કરવો તે સંસાર અનુપ્રેક્ષા છે.
જો કે આત્મા કર્મના નિમિત્તે થતા રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ ભાવોથી સંસારરૂપ ધોર વનમાં ભટકયા કરે છે-તોપણ નિશ્ચયનયે આત્મા વિકારીભાવોથી અને કર્મોથી રહિત છે-એમ ચિંતવવું તે સંસાર ભાવના છે.
(૪) એકત્વ અનુપ્રેક્ષા– જીવ પોતે એકલો જ છે, પોતે પોતાથી જ વિકાર કરે છે, પોતે પોતાથી જ ધર્મ કરે છે, પોતે પોતાથી જ સુખી-દુઃખી થાય છે. જીવમાં પરદ્રવ્યોનો અભાવ છે માટે કર્મ કે પરદ્રવ્યો જીવને કાંઈ લાભ-નુકશાન કરે નહિ- એવું ચિંતવન કરવું તે એકત્વ અનુપ્રેક્ષા છે.
હું એક છું, મમતારહિત છું, શુદ્ધ છું, જ્ઞાનદર્શનલક્ષણ છું, કાંઈ અન્ય પરમાણુમાત્ર પણ મારું નથી, શુદ્ધ એકત્વ જ ઉપાદેય છે-એમ ચિંતવવું તે એકત્વ ભાવના છે.
(પ) અન્યત્વ અનુપ્રેક્ષા– આત્મા અને સર્વ પદાર્થો ભિન્ન છે; તેઓ દરેક પોતપોતાનું કાર્ય કરે છે. જીવ પરપદાર્થોને કાંઈ કરી શકતો નથી અને પર પદાર્થો જીવને કાંઈ કરી શકતા નથી. જીવના વિકારી ભાવો પણ જીવના સ્વભાવથી અન્ય છે કેમ કે તેઓ જીવથી છૂટા પડી જાય છે. વિકારી ભાવ તીવ્ર હોય કે મંદ હોય તોપણ તેનાથી આત્માને લાભ થાય નહિ. પરદ્રવ્યોથી અને વિકારથી આત્માને અન્યત્વપણું છે
Page 543 of 655
PDF/HTML Page 598 of 710
single page version
પ૪૪ ] [ મોક્ષશાસ્ત્ર એવા તત્ત્વજ્ઞાનની ભાવનાપૂર્વક વેરાગ્યની વૃદ્ધિ થવાથી છેવટે મોક્ષ થાય છે- આ પ્રમાણે ચિંતવન કરવું તે અન્યત્વ અનુપ્રેક્ષા છે.
આત્મા જ્ઞાનદર્શનસ્વરૂપ છે અને શરીરાદિ જે બાહ્ય દ્રવ્ય તે સર્વે આત્માથી ભિન્ન છે. પર દ્રવ્ય છેદાય કે ભેદાય, કોઈ લઈ જાય કે નષ્ટ થઈ જાય અથવા તો ગમે તેમ થાવ પણ પરદ્રવ્યનો પરિગ્રહ મારો નથી- એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના છે.
(૬) અશુચિત્વ અનુપ્રેક્ષા– શરીર સ્વભાવથી જ અશુચિમય છે અને જીવ સ્વભાવથી શુચિમય (શુદ્ધસ્વરૂપી) છે; શરીર લોહી, માંસ વગેરેથી ભરેલું છે, તે કદી પવિત્ર થઈ શકતું નથી; ઇત્યાદિ પ્રકારે આત્માની શુદ્ધતાનું અને શરીરની અશુચિનું જ્ઞાન કરીને શરીર ઉપરનું મમત્વ તથા રાગ છોડવાં અને આત્માનું લક્ષ વધારવું. શરીર પ્રત્યે દ્વેષ કરવો તે અનુપ્રેક્ષા નથી પણ શરીર પ્રત્યેના રાગ-દ્વેષ મટાડવા અને આત્માના પવિત્ર સ્વભાવ તરફ લક્ષ કરવું તથા સમ્યગ્દર્શનાદિકની ભાવના વડે આત્મા અત્યંત પવિત્ર થાય છે- એવું વારંવાર ચિંતવન કરવું તે અશુચિત્વ અનુપ્રેક્ષા છે.
આત્મા દેહથી જુદો, કર્મરહિત, અનંત સુખનું પવિત્ર ધામ છે એની નિત્ય ભાવના કરવી અને વિકારી ભાવો અનિત્ય દુઃખરૂપ અશુચિમય છે એમ જાણીને તેનાથી પાછા ફરવાની ભાવના કરવી તે અશુચિ ભાવના છે.
(૭) આસ્રવ અનુપ્રેક્ષા– મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ ભાવોથી સમયે સમયે નવા વિકારી ભાવો ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ તે મુખ્ય આસ્રવ છે કેમકે તે સંસારની જડ છે; માટે તેનું સ્વરૂપ જાણીને તેને છોડવાનું ચિંતવન કરવું તે આસ્રવ અનુપ્રેક્ષા છે.
મિથ્યાત્વ, અવિરતિ આદિ આસ્રવના ભેદ કહ્યાં છે તે આસ્રવો નિશ્ચયનયે જીવને નથી. દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના આસ્રવરહિત શુદ્ધ આત્માનું ચિંતવન કરવું તે આસ્રવ ભાવના છે.
(૮) સંવર અનુપ્રેક્ષા– મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ ભાવો અટકવા તે ભાવ સંવર છે; તેનાથી નવા કર્મનું આવવું અટકી જાય તે દ્રવ્યસંવર છે. પ્રથમ તો આત્માના શુદ્ધસ્વરૂપના લક્ષે મિથ્યાત્વ અને તેના સહગામી અનંતાનુબંધી કષાયનો સંવર થાય છે. સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ તે સંવર છે અને તેનાથી આત્માનું કલ્યાણ થાય છે- એવું ચિંતવન કરવું તે સંવર અનુપ્રેક્ષા છે.
પરમાર્થનયે શુદ્ધભાવે આત્મામાં સંવર જ નથી; તેથી સંવરભાવ રહિત શુદ્ધ આત્માને નિત્ય ચિંતવવો તે સંવરભાવના છે.
Page 544 of 655
PDF/HTML Page 599 of 710
single page version
અ. ૯ સૂત્ર ૭ ] [ પ૪પ
(૯) નિર્જરા અનુપ્રેક્ષા– અજ્ઞાનીને સવિપાક નિર્જરાથી આત્માનું કાંઇ પણ ભલું થતું નથી; પણ આત્માનું સ્વરૂપ જાણીને તેના ત્રિકાળી સ્વભાવના લક્ષે શુદ્ધતા પ્રગટ કરવાથી જે નિર્જરા થાય છે તેનાથી આત્માનું કલ્યાણ થાય છે-એ વગેરે પ્રકારે નિર્જરાના સ્વરૂપનું ચિંતવન કરવું તે નિર્જરા અનુપ્રેક્ષા છે.
સ્વકાળ પકવ નિર્જરા (સવિપાક નિર્જરા) ચારે ગતિવાળાને હોય છે પણ તપકૃત નિર્જરા (અવિપાક નિર્જરા) સમ્યગ્દર્શન પૂર્વક વ્રતધારીઓને જ હોય છે એમ ચિંતવવું તે નિર્જરા ભાવના છે.
(૧૦) લોક અનુપ્રેક્ષા– અનંત લોકાલોકોની મધ્યમાં ચૌદ રાજુ પ્રમાણ લોક છે. તેનો આકાર તથા તેની સાથે જીવનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ વિચારવો. અને પરમાર્થદ્રષ્ટિએ આત્મા પોતે જ પોતાનો લોક છે માટે પોતે પોતામાં જ જોવું તે લાભદાયક છે; આત્માની અપેક્ષાએ પર વસ્તુ તેનો અલોક છે, માટે આત્માને તેના તરફ લક્ષ કરવાની જરૂર નથી. પોતાના આત્મસ્વરૂપ લોક (દેખવા જાણવારૂપ સ્વભાવમાં) માં સ્થિર થતાં પર વસ્તુઓ જ્ઞાનમાં સહેજે જણાય છે-આવું ચિંતવન કરવું તે લોક અનુપ્રેક્ષા છે; તેનાથી તત્ત્વજ્ઞાનની શુદ્ધિ થાય છે.
આત્મા પોતાના અશુભભાવથી નરક તથા તિર્યંચગતિ પામે છે, શુભ ભાવથી દેવ તથા મનુષ્યગતિ પામે છે. અને શુદ્ધ ભાવથી મોક્ષ પામે છે. -એમ ચિંતવવું તે લોક ભાવના છે.
(૧૧) બોધિદુર્લભ અનુપ્રેક્ષા– રત્નત્રયરૂપ બોધિ પ્રાપ્ત કરવામાં ઘણા પુરુષાર્થની જરૂર છે, માટે તે માટેનો પુરુષાર્થ વધારવો અને તેનું ચિંતવન કરવું તે બોધિદુર્લભ અનુપ્રેક્ષા છે.
નિશ્ચયનયે જ્ઞાનમાં હેય ઉપાદેયપણાનો વિકલ્પ નથી માટે મુનિઓએ સંસારથી વિરક્ત થવાનું ચિંતવન કરવું તે બોધિદુર્લભ ભાવના છે.
(૧ર) ધર્મ અનુપ્રેક્ષાઃ– સમ્યગ્ધર્મના યથાર્થ તત્ત્વોનું વારંવાર ચિંતવન કરવું; ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે; આત્માનો શુદ્ધસ્વભાવ તે પોતાનો ધર્મ છે તથા આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ અથવા દશલક્ષણરૂપ ધર્મ અથવા સ્વરૂપની હિંસા નહિ કરવારૂપ અહિંસાધર્મ આત્માને ઇષ્ટસ્થાને (સંપૂર્ણ પવિત્રદશાએ) પહોંચાડે છે; ધર્મ જ પરમ રસાયન છે. ધર્મ જ ચિંતામણીરત્ન છે, ધર્મ જ કલ્પવૃક્ષ છે, ધર્મ જ કામધેનું ગાય છે, ધર્મ જ મિત્ર છે, ધર્મ જ સ્વામી છે, ધર્મ જ બંધુ, હિતુ, રક્ષક અને સાથે રહેનારો છે. ધર્મ જ શરણ છે, ધર્મ જ ધન છે, ધર્મ જ અવિનાશી છે,
Page 545 of 655
PDF/HTML Page 600 of 710
single page version
પ૪૬ ] [ મોક્ષશાસ્ત્ર ધર્મ જ સહાયક છે, જિનેશ્વરભગવાને ઉપદેશેલો ધર્મ તે જ ધર્મ છે-એ પ્રકારે ચિંતવન કરવું તે ધર્મ અનુપ્રેક્ષા છે.
નિશ્ચયનયે આત્મા શ્રાવકધર્મ કે મુનિધર્મથી ભિન્ન છે, માટે માધ્યસ્થભાવ અર્થાત્ રાગદ્વેષરહિત શુદ્ધાત્માનું ચિંતવન કરવું તે ધર્મ ભાવના છે.
આ બારે ભેદો નિમિત્ત અપેક્ષાએ છે. ધર્મ તો વીતરાગભાવરૂપ એક જ છે; તેમાં ભેદ પડતા નથી. જ્યાં રાગ હોય ત્યાં ભેદ પડે છે.
૪. આ બાર ભાવના જ પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિ છે, માટે નિરંતર અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું જોઈએ. (ભાવના અને અનુપ્રેક્ષા એ બન્ને એકાર્થ વાચક છે.)
પ. આ અનુપ્રેક્ષાઓનું ચિંતવન કરવાવાળા જીવો ઉત્તમક્ષમાદિ ધર્મો પાળે છે અને પરિષહોને જીતે છે તેથી તેનું કથન બન્નેની વચ્ચે કરવામાં આવ્યું ।। ૭।।
બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ચાર કારણોનું વર્ણન પુરું થયું. હવે પાંચમું કારણ પરિષહજય છે તેનું વર્ણન કરે છે.
मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परिषहाः।। ८।।
કર્મોની નિર્જરાને માટે [परिसोढव्याः परिषहाः] બાવીસ પરિષહો સહન કરવા યોગ્ય છે. (આ સંવરનું વર્ણન ચાલતું હોવાથી. આ સૂત્રમાં કહેલા ‘मागं’ શબ્દનો અર્થ ‘સંવરનો માર્ગ’ એમ સમજવો.)
૧. અહીંથી શરૂ કરીને સત્તરમા સૂત્ર સુધી પરિષહનું વર્ણન છે. આ વિષયમાં જીવોની ઘણી ભૂલો થાય છે, માટે તે ભૂલો ટાળવા પરિષહજયનું યથાર્થ સ્વરૂપ અહીં જણાવ્યું છે. આ સૂત્રમાં પહેલો શબ્દ ‘मार्ग अच्यवन’ વાપર્યો છે તેનો અર્થ માર્ગથી ચ્યુત ન થવા માટે’ એવો થાય છે. જે જીવ માર્ગથી (સમ્યગ્દર્શનાદિથી) ચ્યુત થઈ જાય તેને સંવર ન થાય પણ બંધ થાય, કેમ કે તેણે પરિષહજય ન કર્યો પરંતુ પોતે વિકારથી હણાઈ ગયો. હવે પછીના સૂત્ર ૯-૧૦-૧૧ ની સાથે આ સૂત્રને મેળવવાની ખાસ જરૂર છે.