Page 26 of 655
PDF/HTML Page 81 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૨૩ પ્રવર્તે-એમ બે પરદ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે.
પ્રત્યક્ષઃ કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રમાણ તે સાચું જ્ઞાન છે, તેના પાંચ ભેદો છે-મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત મુખ્યપણે પરોક્ષ છે, અવધિ અને મનઃપર્યય એ વિકલ (અંશ) પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
નય બે પ્રકારના છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં જે દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે અને જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિકનય છે.
શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો વાપર્યા છે, પણ ‘ગુણાર્થિકનય’ એમ ક્યાંય વાપરવામાં આવ્યું નથી, તેનું કારણ શું? તે કહેવાય છેઃ-
તર્કઃ– ૧. દ્રવ્યાર્થિકનય કહેતાં તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિકનય કહેતાં તેનો વિષય પર્યાય, તથા એ બન્ને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય, આ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે-તો એ બરાબર નથી. કેમકે એકલા ગુણ તે દ્રવ્યાર્થિકનયનો વિષય નથી.
તર્કઃ– ર. દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય, તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી ગયા, એ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે-તો તેમ પણ નથી. કેમકે પર્યાયમાં આખો ગુણ આવી જતો નથી.
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય એ બે જ નયો વાપરવામાં આવ્યા છે, તે બે નયોનું ખરૂં સ્વરૂપ એ છે કે-
પર્યાયાર્થિકનયનો વિષય જીવનો અપેક્ષિત બંધ-મોક્ષનો પર્યાય છે, અને તે રહિત (બંધ-મોક્ષની અપેક્ષા રહિત) ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત ત્રિકાળી જીવદ્રવ્યસામાન્ય તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે-આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક
Page 27 of 655
PDF/HTML Page 82 of 710
single page version
૨૪] [મોક્ષશાસ્ત્ર અને પર્યાયાર્થિકનય વાપરવામાં આવ્યા છે, એટલે ગુણાર્થિકનયની જરૂર રહેતી નથી. જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ત્રિકાળી ધ્રુવસ્વરૂપમાં તેના ગુણ સમાઈ જાય છે માટે જુદા ગુણાર્થિકનયની જરૂર નથી.
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય વાપરે છે તેમાં ઊંડું રહસ્ય છે. દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયનો વિષય ક્ષણિક પર્યાય છે. દ્રવ્યાર્થિકનયના વિષયમાં જુદો ગુણ નથી કેમકે ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે અને વિકલ્પ તે પર્યાયાર્થિકનયનો વિષય છે. +
દ્રવ્યાર્થિકનયને-નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ધ્રુવ, અભેદ અને સ્વલક્ષી નય કહેવામાં આવે છે.
પર્યાયાર્થિકનયને-વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ, પરાલંબી પરાશ્રિત, પરતંત્ર, નિમિત્તાધીન, ક્ષણિક, ઉત્પન્નધ્વંસી ભેદ અને પરલક્ષી નય કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ, શુદ્ધદ્રષ્ટિ, ધર્મદ્રષ્ટિ, નિશ્ચયદ્રષ્ટિ, પરમાર્થદ્રષ્ટિ, અંતરાત્મા વગેરે નામો આપવામાં આવે છે.
મિથ્યાદ્રષ્ટિને પર્યાયબુદ્ધિ, સંયોગીબુદ્ધિ, પર્યાયમૂઢ, વ્યવહારદ્રષ્ટિ, વ્યવહારમૂઢ, સંસારદ્રષ્ટિ, પરાવલંબીબુદ્ધિ, પરાશ્રિતદ્રષ્ટિ, બહિરાત્મા વગેરે નામો આપવામાં આવે છે.
વ્યવહારનય સ્વદ્રવ્ય=પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે તેથી એવાં જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવો.
નિશ્ચયનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને યથાવત્ નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવાં જ શ્રદ્ધાનથી _________________________________________________________________ + નયનું વિશેષ સ્વરૂપ જાણવું હોય તેણે પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયો આપ્યા છે તેનો
Page 28 of 655
PDF/HTML Page 83 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૨પ સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. એ બન્ને નયોને સમકક્ષી (સરખી હદના) માનવા તે મિથ્યાત્વ છે.
વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દ્રષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે; તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ગ્રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બન્નેથી બચાવી જીવને શુદ્ધભાવમાં-મોક્ષમાં લઈ જાય છે, તેનું દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ છે કે જે નિયમા (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે.
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિઃ- જૈનશાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છેઃ નિશ્ચયનય અને વ્યવહારનય.
(૧) નિશ્ચયનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું તે; માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું અને-
(ર) વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય-જેમકે ‘ઘીનો ઘડો.’ ઘડો તે ઘીનો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બન્ને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ‘ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે’ એમ સમજવું.
બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહારકથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદિ બતાવનારૂં તે કથન છે-એમ સમજવું.
આ પ્રમાણે બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને નયોનું ગ્રહણ છે. બન્નેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવાલાયક ગણવું જોઈએ.
_________________________________________________________________
Page 29 of 655
PDF/HTML Page 84 of 710
single page version
૨૬] [મોક્ષશાસ્ત્ર
જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે-તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે.
જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે; તેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે.
નય ‘રાગવાળા’ તથા ‘રાગવગરના’ એમ બે પ્રકારના છે; તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય તે રાગસહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે, પણ જો રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે છે તેથી તે નય રાગરહિત નય છે; તેને ‘શુદ્ધ નયનો આશ્રય અથવા શુદ્ધનયનું અવલંબન’ પણ કહેવામાં આવે છે; તે દશાને ‘નયાતિક્રાંત’ પણ કહેવામાં આવે છે, તેને જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે અને ‘આત્માનો અનુભવ’ પણ તેને જ કહેવામાં આવે છે.
સપ્તભંગી બે પ્રકારની છે. આ સાત ભંગનું સ્વરૂપ ચોથા અધ્યાયના ઉપસંહારમાં આપેલ છે ત્યાંથી જાણી લેવું. બે પ્રકારની સપ્તભંગી છે, તેમાં જે સપ્તભંગીથી એક ગુણ કે પર્યાય દ્વારા આખું દ્રવ્ય જાણવામાં આવે તે પ્રમાણ- સપ્તભંગી છે; અને જે સપ્તભંગીથી કહેવામાં આવેલ ગુણ અથવા પર્યાય દ્વારા તે ગુણ કે પર્યાયનું જ્ઞાન થાય તે નયસપ્તભંગી છે. આ સપ્તભંગીનું જ્ઞાન કરતાં, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ-એવી ખાતરી થવાથી, અનાદિની જીવની ઊંધી માન્યતા ટળી જાય છે.
Page 30 of 655
PDF/HTML Page 85 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૨૭ માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનુું નિરૂપણ કર્યું છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે; તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે-તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહારનયથી કથન છે, કેમકે તેમાં જિજ્ઞાસુઓને સમજાવવા માટે ભેદો અને નિમિત્તોના વર્ણન દ્વારા કથન કરવામાં આવ્યું છે. એ લક્ષમાં રાખવું કે વ્યવહારનયનાં શાસ્ત્રો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદદ્વારા અભેદ આત્માને સમજાવે છે. તેથી તેને વ્યવહાર શાસ્ત્રો કહેવામાં આવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો વસ્તુસ્વરૂપ સમજી શકે નહિ, માટે ભેદો દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે.
જૈનશાસ્ત્રોમાં અનેકાન્ત સાચા જીવાદી તત્ત્વોનું નિરૂપણ છે, તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે; માટે જો જીવ તેની ઓળખાણ કરે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ, તેમાં વીતરાગભાવ પોષવાનું જ પ્રયોજન છે, પણ રાગભાવ (પુણ્ય- પાપભાવ) પોષવાનું પ્રયોજન નથી; માટે જેઓ રાગથી-પુણ્યથી ધર્મ થાય એમ માને છે તેઓ જૈનશાસ્ત્રના મર્મને જાણતા નથી.
જે મનુષ્યશરીરને પોતાનું માને, હું મનુષ્ય છું એમ માને, શરીર તે હું છું અથવા શરીર મારું છે એમ માને છે એટલે કે શરીરનું કાંઈ કાર્ય જીવ કરી શકે એમ માને છે તે આત્મા અને અનંત રજકણોને એકરૂપ માનતો હોવાથી (અર્થાત્ ‘અનંત’ના મેળાપને ‘એક’ માનતો હોવાથી) મિથ્યાદ્રષ્ટિ છે; અને તેનું જ્ઞાન તે નિશ્ચયકુનય છે. હું મનુષ્ય છું એવી માન્યતા પૂર્વક વર્તન કરવું તે તેનો (મિથ્યાદ્રષ્ટિનો) વ્યવહાર છે તેથી તે વ્યવહાર-કુનય છે. ખરી રીતે તો તે વ્યવહારને નિશ્ચય ગણે છે જેમકે-‘શરીર તે હું.’-આ દ્રષ્ટાંતમાં શરીર પર છે, તે જીવ સાથે માત્ર એકક્ષેત્રાવગાહે છે છતાં તેને પોતારૂપ માન્યું તેથી તેણે વ્યવહારને નિશ્ચય ગણ્યો. ‘હું તે શરીર’ એમ પણ તે માને છે, તેથી તેણે નિશ્ચયને વ્યવહાર ગણ્યો છે. પર દ્રવ્યોનું પોતે કરી શકે અને પર પોતાને લાભ-નુકશાન કરી શકે એમ માનતા હોવાથી તેઓ મિથ્યા એકાંતી છે.
Page 31 of 655
PDF/HTML Page 86 of 710
single page version
૨૮] [મોક્ષશાસ્ત્ર
સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યક્ અનેકાન્તદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના એકરૂપ-ધ્રુવસ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય-સુનય છે, અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધપર્યાય) જે પ્રગટ થાય તે તેનો વ્યવહાર-સુનય છે.
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યગ્જ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય એ બન્ને છે. સમ્યક્ચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે.
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે તે વસ્તુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે-એમ જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્તસ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્યપુરૂષો અનેકાન્ત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે.
નોંધઃ– (૧) અનેકાન્તને સમજાવવાની રીતને ‘સ્યાદ્વાદ’ કહેવામાં આવે છે. (ર) સમ્યક્-અનેકાન્તને પ્રમાણ કહેવામાં આવે છે તે ટૂંકું કથન છે; ખરી રીતે સમ્યક્-અનેકાન્તનું જ્ઞાન તે પ્રમાણ છે. તેમ જ સમ્યક્ એકાંતને નય કહેવામાં આવે છે તે ટૂંકું કથન છે, ખરી રીતે સમ્યક્ એકાંતનું જ્ઞાન તે નય છે.
મિથ્યા એકાંતદ્રષ્ટિને વીતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક્ અનેકાન્તદ્રષ્ટિ વડે દૂર થઈ શકે છે.
Page 32 of 655
PDF/HTML Page 87 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૨૯ પણ વપરાય છે; જેમ કે સર્વ જીવો દ્રવ્યઅપેક્ષાએ સિદ્ધસમાન છે, ૧ આત્માના સિદ્ધ પર્યાયને ‘નિશ્ચયપર્યાય’ર કહેવામાં આવે છે, અને આત્મામાં થતાં વિકારી ભાવને ‘નિશ્ચયબંધ’૩ કહેવામાં આવે છે.
પોતાના દ્રવ્ય કે પર્યાયને જ્યારે નિશ્ચય કહેવામાં આવે છે ત્યારે, આત્માની સાથે પરદ્રવ્યનો જે સંબંધ હોય તેને આત્માના કહેવામાં આવે તે વ્યવહાર છે-તે ઉપચાર-કથન છે; જેમ કે જડ-કર્મને આત્માનાં કહેવાં તે વ્યવહાર છે; જડ કર્મ તે પરદ્રવ્યની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી-છતાં તેને આત્માનાં કહેવામાં આવે છે, તે કથન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે હોવાથી તે વ્યવહારનય છે- ઉપચારકથન છે.
આ અધ્યાયના ૩૩ મા સૂત્રમાં આપેલા નય તે આત્માને તથા દરેક દ્રવ્યને લાગુ પડતા હોવાથી તેને વ્યવહારશાસ્ત્રમાં નિશ્ચયનયના વિભાગ ગણવામાં આવે છે. એ સાત નયોમાંથી પહેલા ત્રણ, દ્રવ્યાર્થિકનયના વિભાગ છે અને પછીના ચાર, પર્યાયાર્થિકનયના વિભાગ છે; પણ તે સાતે નયો ભેદ હોવાથી, અને તેના લક્ષે રાગ થતો હોવાથી અને તે રાગ ટાળવા યોગ્ય હોવાથી અધ્યાત્મ શાસ્ત્રોમાં તે બધાને વ્યવહારનયના પેટા વિભાગો ગણવામાં આવે છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે-અહીં (ત્રિકાળ શુદ્ધ કહેવામાં) વર્તમાન વિકારી પર્યાય ગૌણ કરવામાં આવે છે. તે વિકારી પર્યાયઅવસ્થા હોવાથી તે પર્યાયાર્થિકનયનો વિષય છે; અને જ્યારે તે વિકારી દશા આત્મામાં થાય છે એમ બતાવવું હોય ત્યારે, તે વિકારી પર્યાય અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે. તે પર્યાય પરદ્રવ્યના સંયોગે થાય છે એમ બતાવવું હોય ત્યારે તે વિકારી પર્યાય વ્યવહારનયનો વિષય થાય છે.
આત્માનો અધૂરો પર્યાય પણ વ્યવહારનો વિષય છે, ત્યાં વ્યવહારનો અર્થ ભેદ થાય છે-એમ સમજવું.
રત્નત્રય જીવથી અભિન્ન છે એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે તથા રત્નત્રય જીવથી ભિન્ન છે એમ જ્ઞાન કરવું તે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે, અને રત્નત્રયમાં અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે, તથા ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે.
Page 33 of 655
PDF/HTML Page 88 of 710
single page version
૩૦] [મોક્ષશાસ્ત્ર
નિશ્ચયરત્નત્રયનું જે સમર્થન કરવામાં આવે છે તેનું તાત્પર્ય એ છે કે- ભેદપ્રવૃત્તિ તે વ્યવહારરત્નત્રય છે અને અભેદ પ્રવૃત્તિ તે નિશ્ચયરત્નત્રય છે.
હે જીવ! પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહિ તે નક્કી કર. જો ધર્મ કરવો હોય તો ‘પરને આશ્રયે મારો ધર્મ નથી’ એવી શ્રદ્ધા દ્વારા પરાશ્રય ઉપર અભિપ્રાયમાં પ્રથમ કાપ મૂક. પરથી જે જે પોતામાં થતું માન્યું છે તે તે માન્યતાને સાચા ભાનવડે બાળી નાખ. જેમ સાત (પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વોને જાણી તેમાંથી જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, તેમ અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેને જાણી, તેમાંથી એક જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે અને તે જ સમ્યગ્દર્શન છે- એમ સમજવું. ૬.
સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન-તેનાથી પણ સમ્યગ્દર્શનાદિ તથા જીવાદિક તત્ત્વોનો વ્યવહાર થાય છે.
૧–નિર્દેશ-વસ્તુસ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. ર–સ્વામિત્વ-વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વ કહે છે. ૩–સાધન-વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન કહે છે. ૪–અધિકરણ-વસ્તુના આધારને અધિકરણ કહે છે. પ–સ્થિતિ-વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. ૬–વિધાન-વસ્તુના ભેદોને વિધાન કહે છે. ઉપર કહ્યા તે છ પ્રકારે સમ્યગ્દર્શનનું વર્ણન નીચે પ્રમાણે છેઃ ૧–નિર્દેશ-જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્માનો પ્રતિભાસ-વિશ્વાસ-પ્રતીતિ.
૩–સાધન-સાધનના બે ભેદ છે-અંતરંગ અને બાહ્ય. અંતરંગ સાધન
Page 34 of 655
PDF/HTML Page 89 of 710
single page version
અ. ૧ સૂત્ર ૭] [૩૧ (અંતરંગકારણ) તો પોતાના શુદ્ધાત્માના ત્રિકાળી જ્ઞાયકભાવ (પારિણામિકભાવ) નો આશ્રય છે; અને બાહ્ય કારણ જુદા જુદા પ્રકારના હોય છે. તિર્યંચ અને મનુષ્યગતિમાં ૧-જાતિસ્મરણ, ર-ધર્મશ્રવણ અગર ૩-જિનબિંબદર્શન-એ નિમિત્તો હોય છે; દેવગતિમાં બારમા સ્વર્ગ પહેલાં ૧-જાતિસ્મરણ, ર-ધર્મશ્રવણ, ૩-જિન- કલ્યાણકદર્શન અગર ૪-દેવઋદ્ધિદર્શન હોય છે અને તેનાથી આગળ સોળમા સ્વર્ગ સુધી ૧-જાતિ સ્મરણ, ૨-ધર્મશ્રવણ અગર ૩-જિનકલ્યાણક દર્શન હોય છે. નવ ગ્રૈવેયકોમાં ૧-જાતિસ્મરણ અગર ર-ધર્મ-શ્રવણ હોય છે. નરકગતિમાં ત્રીજી નરક સુધી જાતિસ્મરણ, ધર્મ-શ્રવણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે અને ચોથાથી સાતમી નરક સુધી જાતિસ્મરણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે.
નોંધઃ– ઉપર જે ધર્મશ્રવણ જણાવ્યું છે તે ધર્મશ્રવણ સમ્યગ્જ્ઞાનીઓ પાસેથી કર્યું હોવું જોઈએ.
શંકાઃ– સર્વે નારકી જીવો વિભંગજ્ઞાન દ્વારા એક, બે યા ત્રણાદિ ભવ જાણે છે તેથી બધાને જાતિસ્મરણ થાય છે માટે બધા નારકી જીવો સમ્યગ્દ્રષ્ટિ થઈ જવા જોઈએ ને?
સમાધાનઃ– સામાન્યરૂપે ભવસ્મરણ દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, પણ પૂર્વભવમાં ધર્મબુદ્ધિથી કરેલાં અનુષ્ઠાનો ઊંધાં (વિફળ) હતાં એવી પ્રતીતિ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે, એ લક્ષમાં રાખી ભવસ્મરણને સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. નારકી જીવોને પૂર્વભવનું સ્મરણ હોવા છતાં ઉપર કહેલા ઉપયોગનો ઘણાને અભાવ હોય છે. ઉપર કહેલા પ્રકારવાળું જાતિસ્મરણ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે.
શંકાઃ– નારકી જીવોને ધર્મશ્રવણ કેવી રીતે સંભવે છે, ત્યાં તો ઋષિઓના (સાધુઓના) ગમનનો અભાવ છે?
સમાધાનઃ– પોતાના પૂર્વભવના સંબંધીઓને ધર્મ ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત અને તમામ બાધાઓ રહિત સમ્યગ્દ્રષ્ટિ દેવોનું ત્યાં (ત્રીજી નરક સુધી) ગમન હોય છે.
શંકાઃ– જો વેદનાનો અનુભવ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ હોય તો બધા નારકીઓને વેદનાનો અનુભવ છે માટે બધાને સમ્યક્ત્વ થવું જોઈએ ને?
સમાધાનઃ– વેદના સામાન્ય સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ નથી; પણ જે જીવોને એવો ઉપયોગ હોય છે કે-આ વેદના મિથ્યાત્વને કારણે ઉત્પત્તિ થઇ છે-તે જીવોને વેદના સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે; બીજા જીવોને વેદના, સમ્યકત્વની
Page 35 of 655
PDF/HTML Page 90 of 710
single page version
૩૨] [મોક્ષશાસ્ત્ર ઉત્પત્તિનું કારણ થતું નથી. (શ્રી ધવલા પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪રર-૪ર૩)
સમાધાનઃ– જિનબિંબદર્શનથી
વાળે તેને) નિધત્ત અને નિકાચિતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય દેખવામાં આવે છે; તેથી જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. (શ્રી ધવલા. પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪ર૭-૪ર૮]
૪–અધિકરણઃ– સમ્યગ્દર્શનનું આભ્યંતર અધિકરણ આત્મા છે અને બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. [લોકાકાશની મધ્યમાં ચૌદ રાજુ લાંબી અને એક રાજુ પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.)
પ–સ્થિતિઃ– ત્રણે પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ઔપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે, ક્ષાયોપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ સાદિ-અનંત છે, તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતર્મુહૂર્ત સહિત આઠ વર્ષ કમ-બે ક્રોડીપૂર્વ છે.
૬–વિધાનઃ– સમ્યગ્દર્શન એક પ્રકારે, અથવા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ પ્રકારે-ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક; અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ-અવગાઢ એમ દશ પ્રકારે છે.।। ૭।।
સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે.
સત્ અને સંખ્યા–તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સત્ત્વની અપેક્ષાએ પેટા ભેદ છે. સત્ સામાન્ય છે, સંખ્યા વિશેષ છે.
કાળ અને અંતર–તે કાળના પેટા ભેદ છે. કાળ સામાન્ય છે, અંતર વિશેષ છે.
Page 36 of 655
PDF/HTML Page 91 of 710
single page version
અ. ૧ સૂત્ર ૮] [૩૩
ભાવ અને અલ્પબહુત્વ–તે ભાવના પેટા ભેદ છે. ભાવ સામાન્ય છે, અલ્પબહુત્વ વિશેષ છે.
સત્–વસ્તુના અસ્તિત્વને સત્ કહે છે. સંખ્યા–વસ્તુના પરિમાણોની ગણતરીને સંખ્યા કહે છે. ક્ષેત્ર–વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. સ્પર્શન–વસ્તુના ત્રણેકાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. કાળ–વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. અંતર–વસ્તુના વિરહકાળને અંતર કહે છે. ભાવ–ગુણને અથવા ઔપશમિક, ક્ષાયિક આદિ પાંચ ભાવોને ભાવ કહે છે. અલ્પબહુત્વ–અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા-અધિકતાના વર્ણનને અલ્પબહુત્વ કહે છે.
અનુયોગ–ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. સમ્યક્જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે.
જો ‘સત્’ શબ્દ સામાન્યથી સમ્યગ્દર્શનાદિનું હોવાપણું કહેનારો હોય તો નિર્દેશમાં તેનો સમાવેશ થઈ જાય, પણ ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ વગેરે ચૌદ માર્ગણાઓ છે તેમાં કઈ જગ્યાએ ક્યા પ્રકારનું સમ્યગ્દર્શન છે અને ક્યા પ્રકારનું નથી તે પ્રકારના વિશેષનું જ્ઞાન ‘સત્’થી થાય છે, ‘નિર્દેશ’થી એ જ્ઞાન થતું નથી; એ પ્રમાણે સત્ અને નિર્દેશમાં તફાવત છે.
‘સત્’ શબ્દનું એવું સામર્થ્ય છે કે, તે અનધિકૃત પદાર્થોનું (જેનો અધિકાર ન હોય તેવા પદાર્થોનું) પણ જ્ઞાન કરાવી શકે છે. જો ‘સત્’ શબ્દ ન વાપર્યો હોત તો આગલા સૂત્રમાં સમ્યગ્દર્શન વગેરે તથા જીવ આદિ સાત તત્ત્વોનું જ અસ્તિત્વ (‘નિર્દેશ’ શબ્દને કારણે) છે એવું જ્ઞાન થાત, અને જીવના ક્રોધ, માન આદિ પર્યાય તથા પુદ્ગલના વર્ણ, ગંધ આદિ તથા ઘટ પટ આદિ પર્યાય-જેનો આ અધિકાર નથી- તેનું અસ્તિત્વ નથી-એવો અર્થ થાત; માટે જીવમાં ક્રોધાદિ છે તથા પુદ્ગલમાં વર્ણાદિ છે એવા અનધિકૃત પદાર્થો છે એવું જ્ઞાન કરાવવા માટે ‘સત્’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.
Page 37 of 655
PDF/HTML Page 92 of 710
single page version
૩૪] [મોક્ષશાસ્ત્ર
પ્રકારની ગણના તે વિધાન છે અને તે ભેદની ગણનાને (ભેદને) સંખ્યા કહે છે; જેમકે સમ્યગ્દ્રષ્ટિના ત્રણ પ્રકાર છે-(૧) ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ (ર) ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ અને (૩) ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ. એ ત્રણ તો પ્રકાર છે, તેની ગણતરી કરવી કે ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા, ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા અથવા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા-એ ભેદગણના છે. આ વિશેષતાનું જ્ઞાન ‘સંખ્યા’ શબ્દથી થાય છે; ભેદોની ગણતરીની વિશેષતા જણાવવાનું જે કારણ થાય છે, તે ‘સંખ્યા’ છે.
‘વિધાન’ શબ્દમાં મૂળ પદાર્થના ભેદો ગ્રહણ કરવા જ માન્યા છે, તેથી ભેદોના અનેક પ્રકારના ભેદોનું ગ્રહણ કરવા માટે ‘સંખ્યા’ શબ્દ વપરાય છે.
‘વિધાન’ કહેવાથી ભેદ-પ્રભેદ આવી જાય એમ ગણવામાં આવે તો, વિશેષ સ્પષ્ટતા માટે ‘સંખ્યા’ શબ્દ વાપરવામાં આવ્યો છે એમ સમજવું.
‘અધિકરણ’ શબ્દ થોડીક જગ્યા સૂચવે છે તેથી તે વ્યાપ્ય છે. ‘ક્ષેત્ર’ શબ્દ વ્યાપક છે, તે અધિક જગ્યા સૂચવે છે. ‘અધિકરણ’ કહેવાથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થતું નથી. ક્ષેત્ર કહેવાથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થાય છે; માટે સમસ્ત પદાર્થોના જ્ઞાન માટે ‘ક્ષેત્ર’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.
‘ક્ષેત્ર’ શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે, તો પણ તે એકદેશનો વિષય કરે છે અને ‘સ્પર્શન’ શબ્દ સર્વદેશનો વિષય કરે છે. જેમ-કોઈએ પૂછયું કે ‘રાજા ક્યાં રહે છે?’ ઉત્તર આપ્યો કે ‘અમુક નગરમાં રહે છે.’ અહીં સંપૂર્ણ નગરમાં રાજા રહેતો નથી પરંતુ નગરના એક દેશમાં રહે છે તેથી રાજાનો નિવાસ નગરના એકદેશમાં હોવાથી ‘નગર’ ક્ષેત્ર છે. કોઈએ પૂછયું કે ‘તેલ ક્યાં છે?’ ઉત્તર આપ્યો કે ‘તેલ તલમાં રહે છે.’ અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તલ તે તેલનું સ્પર્શન છે; એવી રીતે ક્ષેત્ર અને સ્પર્શન વચ્ચે એક તફાવત છે.
ક્ષેત્ર વર્તમાન કાળનો વિષય છે, સ્પર્શન ત્રિકાળગોચર વિષય છે. વર્તમાન અપેક્ષાએ જળ ઘડામાં છે, પણ તે ત્રિકાળ નથી. ત્રણેકાળ જે જગ્યાએ પદાર્થની સત્તા રહે તેનું નામ સ્પર્શન છે; એવી રીતે ક્ષેત્ર અને સ્પર્શનનો બીજો તફાવત છે.
Page 38 of 655
PDF/HTML Page 93 of 710
single page version
અ. ૧ સૂત્ર ૮] [૩પ શબ્દ વ્યાપક છે, તે બધા પદાર્થોની મર્યાદા બતાવે છે. ‘સ્થિતિ’ થોડા જ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘કાળ’ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ‘કાળ’ના બે પ્રકાર છે- (૧) નિશ્ચયકાળ, (ર) વ્યવહારકાળ. નિશ્ચયકાળ તે મુખ્યકાળ છે, અને પર્યાયવિશિષ્ટ પદાર્થોની હદ બતાવનારો અર્થાત્ કલાક, ઘડી, પળ આદિ વ્યવહારકાળ છે-એમ ‘કાળ’ શબ્દ બતાવે છે. ‘સ્થિતિ’નો અર્થ કાળની મર્યાદા છે અર્થાત્ ‘અમુક પદાર્થ અમુક જગ્યાએ આટલો કાળ રહે’ તે વાતને ‘સ્થિતિ’ શબ્દ બતાવે છે; એટલે કાળ અને સ્થિતિ એ બેમાં તફાવત છે.
‘ભાવ’ શબ્દ નિક્ષેપના સૂત્રમાં છે છતાં અહીં શા માટે?
નિક્ષેપના સૂત્ર (સૂત્ર-પ) માં ‘ભાવ’નો અર્થ એવો છે કે-વર્તમાનમાં જે અવસ્થા મોજૂદ હોય તેને ભાવનિક્ષેપ જાણવો અને ભવિષ્યમાં જે અવસ્થા થવાની હોય તેને વર્તમાનમાં છે-એમ કહેવું તે દ્રવ્યનિક્ષેપ છે; અને અહીં(સૂત્ર-૮ માં) ‘ભાવ’ શબ્દના ઉલ્લેખથી ઔપશમિક, ક્ષાયિક આદિ ભાવોનું ગ્રહણ છે. જેમકે ઔપશમિક પણ સમ્યગ્દર્શન અને ક્ષાયિક આદિ પણ સમ્યગ્દર્શન કહેવાય છે; એમ બન્ને ઠેકાણે (સૂત્ર પ માં તથા સૂત્ર ૮ માં) ‘ભાવ’ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે.
કેટલાક શિષ્યો તો થોડું કહેવાથી વિશેષ તાત્પર્ય સમજી લે છે; અને કેટલાક શિષ્યો એવા હોય છે કે જ્યારે વિસ્તારથી કહેવામાં આવે ત્યારે તે સમજી શકે. પરમ કલ્યાણમય આચાર્યનો ઉદ્દેશ હરેકને તત્ત્વોનું સ્વરૂપ સમજાવવાનો છે. પ્રમાણ-નયથી જ સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઇ શકે છે છતાં વિસ્તારકથનથી સમજી શકે તેવા જીવોને નિર્દેશ આદિ તથા સત્ સંખ્યાદિનું જ્ઞાન કરાવવા માટે જુદાં જુદાં સૂત્રો કહ્યાં છે; માટે ‘એક સૂત્રમાં બીજાનો સમાવેશ થઇ જાય છે માટે વિસ્તાર વ્યર્થ છે’ એવી શંકા વ્યાજબી નથી.
પ્રશ્નઃ– જિનબિંબ(જિનપ્રતિમા) ના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ફળ થવું શાસ્ત્રમાં કહ્યું છે તો દર્શન કરનાર બધાંને તે ફળ થવું જોઇએ, છતાં બધાંને એ ફળ કેમ થતું નથી?
ઉત્તરઃ– સર્વજ્ઞની સત્તા (હોવાપણા) નો જેણે નિર્ણય કર્યો હોય છે તેને જિનપ્રતિમાના દર્શનથી સમ્યગ્દર્શન ફળ થાય છે, બીજાને થતું નથી બીજાઓએ સર્વજ્ઞનો નિશ્ચય તો કર્યો નથી, પણ માત્ર કુળપદ્ધતિથી, સંપ્રદાયના આશ્રયથી અગર મિથ્યાધર્મબુદ્ધિથી દર્શન-પૂજનાદિરૂપ તેઓ પ્રવર્ત છે, કેટલાક મતપક્ષના હઠાગ્રહીપણાથી અન્યદેવને માનતા નથી, માત્ર જિનદેવાદિના સેવક બની રહ્યા છે. એ બધાને નિયમથી પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી.
Page 39 of 655
PDF/HTML Page 94 of 710
single page version
૩૬] [મોક્ષશાસ્ત્ર
પ્રશ્નઃ– સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તેથી શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજનાદિ કરવાં અફળ થોડાં જ જાય છે?
ઉત્તરઃ– કિંચિત્ મંદકષાયરૂપ પરિણતિ થશે તો પુણ્યબંધ થશે, પરંતુ જિનમતમાં તો દેવના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારે નહિ થાય. તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રને આશ્રયે સર્વજ્ઞની સત્તાનો તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે; પણ જેઓ તત્ત્વનિર્ણય તો નથી કરતાં અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાય કાર્યો અસત્ય છે. માટે સત્ આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર સદ્ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિ દેવ ચાર કારણોથી પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રગટ કરે છે, એમ કહ્યું-તેમાં એક કારણ ‘જિનમહિમા’ કહ્યું છે, પણ જિનબિંબદર્શન ન કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃ– જિનબિંબદર્શનનો જિનમહિમાદર્શનમાં સમાવેશ થઈ જાય છે કેમકે જિનબિંબ વિના જિનમહિમાની ઉત્પત્તિ થતી નથી.
પ્રશ્નઃ– સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમા જિનબિંબ વિના કરવામાં આવે છે તેથી જિનમહિમાદર્શનમાં જિનબિંબપણાનું અવિનાભાવીપણું ન આવ્યું?
ઉત્તરઃ– સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમામાં પણ ભાવી જિનબિંબનું દર્શન થાય છે. બીજી રીતે જોતાં એ મહિમામાં ઉત્પન્ન થતું પ્રથમ સમ્યકત્વ માટે જિનબિંબદર્શન નિમિત્ત નથી પણ જિનગુણશ્રવણ નિમિત્ત છે.
પ્રશ્નઃ– દેવઋદ્ધિદર્શનમાં જાતિસ્મરણનો સમાવેશ કેમ ન થાય? ઉત્તરઃ– પોતાની અણિમાદિક ઋદ્ધિઓને દેખીને જ્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે-આ ઋદ્ધિઓ જિનભગવાને ઉપદેશેલા ધર્માનુષ્ઠાનથી ઉત્પન્ન થઈ છે, ત્યારે પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જાતિસ્મરણનિમિત્ત થાય છે; પણ જ્યારે સૌધર્માદિક દેવોની મહાઋદ્ધિઓ દેખીને એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે-સમ્યગ્દર્શન સહિતના સંયમના ફળથી-શુભભાવથી-તે ઉત્પન્ન થઈ છે અને હું સમ્યકત્વરહિતના દ્રવ્યસંયમના ફળથી વાહનાદિક નીચ દેવોમાં ઉત્પન્ન થયો છું ત્યારે પ્રથમ સમ્યકત્વનું ગ્રહણ દેવઋદ્ધિદર્શન નિમિત્તક થાય છે, આ રીતે જાતિસ્મરણ અને દેવઋદ્ધિદર્શન એ બે કારણોમાં ફેર છે.
Page 40 of 655
PDF/HTML Page 95 of 710
single page version
અ. ૧ સૂત્ર ૯] [૩૭
નોંધઃ– નારકીઓમાં જાતિસ્મરણ અને વેદનારૂપ કારણોમાં પણ આ વિવેક લાગુ પાડી લેવો.
પ્રશ્નઃ– આણત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચાર કલ્પોના મિથ્યાદ્રષ્ટિ દેવોને પ્રથમ સમ્યકત્વમાં દેવઋદ્ધિદર્શન કારણ કેમ કહ્યું નથી?
ઉત્તરઃ– એ ચાર કલ્પોમાં મહાઋદ્ધિવાળા ઉપરના દેવોનું આગમન હોતું નથી, તેથી ત્યાં મહાઋદ્ધિદર્શનરૂપ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું નથી, તે જ કલ્પોમાં સ્થિત દેવોની મહાઋદ્ધિનું દર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું નિમિત્ત થતું નથી; કેમકે તે ઋદ્ધિઓને વારંવાર જોવાથી વિસ્મય થતું નથી. વળી તે કલ્પોમાં શુક્લલેશ્યાના સદ્ભાવને કારણે મહાઋદ્ધિના દર્શનથી કોઈ સંકલેશભાવ ઉત્પન્ન થતો નથી.
નવ ગ્રૈવેયકોમાં મહાઋદ્ધિદર્શન નથી, કેમકે ત્યાં ઉપરના દેવોના આગમનનો અભાવ છે. જિનમહિમાદર્શન પણ ત્યાં નથી, કેમકે તે વિમાનવાસી દેવો નંદીશ્વરાદિક મહોત્સવ જોવા જતા નથી. અવધિજ્ઞાનથી જિનમહિમાઓ તેઓ દેખે છે, તોય તે દેવોને રાગ ઓછો હોવાથી જિનમહિમાદર્શનથી તેમને વિસ્મય ઉત્પન્ન થતો નથી.
જિજ્ઞાસુ જીવોએ જીવાદિ દ્રવ્યો તથા તત્ત્વોને પિછાણવાં; ત્યાગવાયોગ્ય એવાં મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવાં સમ્યક્દર્શનાદિકનું સ્વરૂપ ઓળખવું, પ્રમાણ-નયોવડે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, તથા નિર્દેશ, સ્વામિત્વાદિવડે અને સત્- સંખ્યાદિવડે તેમના વિશેષો જાણવા. ૮.
मतिश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानम्।। ९।।
મનઃપર્યય અને કેવળ એ પાંચ [ज्ञानम्] જ્ઞાન છે.
મતિજ્ઞાન– પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે.
શ્રુતજ્ઞાન–મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે.
Page 41 of 655
PDF/HTML Page 96 of 710
single page version
૩૮] [મોક્ષશાસ્ત્ર
અવધિજ્ઞાન–જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાસહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે.
મનઃપર્યયજ્ઞાન–જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે.
કેવળજ્ઞાન–જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એક સાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે.
જ્ઞાનગુણ એક છે; તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે; તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહિ, તેથી એ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે.
સમ્યગ્જ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક હોય છે; સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે. સમ્યગ્જ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, આત્માથી કોઈ જુદી તે ચીજ નથી. સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ-
જ્ઞાનમાં એ ત્રણે શરતો પૂરી પડતી હોય તે સમ્યગ્જ્ઞાન છે; અર્થાત્ જો જ્ઞાનમાં વિષયપ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે.
શ્રી જિનેન્દ્રદેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેદને જાણીને, પરભાવોને છોડીને, નિજસ્વરૂપમાં સ્થિર થઈ, જીવ-જે ચૈતન્યચમત્કાર માત્ર છે-તેમાં જે પ્રવેશે છે તે તુરત જ મોક્ષને પામે છે. ૯.
(સાચાં જ્ઞાન) છે.
Page 42 of 655
PDF/HTML Page 97 of 710
single page version
અ. ૧ સૂત્ર ૧૦] [૩૯
નવમા સૂત્રમાં કહ્યાં તે પાંચ જ્ઞાન જ પ્રમાણ છે, બીજાં કોઈ પણ પ્રમાણ-જ્ઞાન નથી. તેના (પ્રમાણના) બે ભેદ છે-(૧) પ્રત્યક્ષ અને (ર) પરોક્ષ. ઈન્દ્રિયો કે ઈન્દ્રિયો અને પદાર્થોનો સંબંધ (સન્નિકર્ષ) એ કોઈ પ્રમાણ નથી-એમ સમજવું; એટલે કે ઈન્દ્રિયોથી જ્ઞાન થતું નથી અગર તો ઈન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી પણ ઉપર કહેલાં મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે.
પ્રશ્નઃ– ઈન્દ્રિયો પ્રમાણ છે કેમકે તે વડે જ્ઞાન થાય છે? ઉત્તરઃ– નહિ, ઈન્દ્રિયો જડ છે અને જ્ઞાન તો ચેતનનો પર્યાય છે તે જડ નથી; માટે આત્મા વડે જ જ્ઞાન થાય છે.
પ્રશ્નઃ– સામો જ્ઞેય પદાર્થ હોય તેનાથી જ્ઞાન થાય-એ તો ખરું ને? ઉત્તરઃ– તે સાચું નથી; જો સામો પદાર્થ (જ્ઞેય) અને આત્મા એ બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય એ બન્નેનું ફળ જ્ઞાન થયું-તો બન્નેને જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી.
ઉપાદાન અને નિમિત્ત એ બે થઈને એક કાર્ય કરે તો ઉપાદાન અને નિમિત્તનું સ્વતંત્રપણું રહ્યું નહિ; ઉપાદાન નિમિત્તને કાંઈ કરે નહિ અને નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે નહિ. તે વખતે એકબીજાને અનુકૂળ દરેક પોતપોતાથી પોતપોતાને કારણે પોતા માટે હાજર હોય છે. ઉપાદાન નિમિત્ત બન્ને ભેગાં થઈને કામ કરે તો બન્ને ઉપાદાન થઈ જાય-પણ તેમ બને નહિ.
આ બાબતમાં એવો નિયમ છે કે-અપૂર્ણ જ્ઞાનનો ઉઘાડ જે વખતે પોતાનો વ્યાપાર કરે ત્યારે તેને લાયક બાહ્ય પદાર્થો એટલે કે ઈન્દ્રિયો, અજવાળું, જ્ઞેય પદાર્થો, ગુરુ, શાસ્ત્ર વગેરે (પર દ્રવ્યો) પોતપોતાને કારણે હાજર હોય જ, જ્ઞાનને તેની વાટ જોવી પડે નહિ. નિમિત્ત-૧ નૈમિત્તિકનો તથા રઉપાદાન-નિમિત્તનો એવો મેળ હોય છે.
પ્રશ્નઃ– સમ્યગ્જ્ઞાનનું ફળ તમે અધિગમ કહો છો, પણ તે (અધિગમ) તો જ્ઞાન _________________________________________________________________
૧. જે કાર્ય થયું તેને નિમિત્ત અપેક્ષાએ કહેવું હોય ત્યારે તે કાર્ય નૈમિત્તિક કહેવાય છે. ર. જે કાર્ય થયું તેના નિશ્ચય અને વ્યવહાર કારણો બતાવવાં હોય ત્યારે ‘ઉપાદાન-નિમિત્ત’ કહેવાય છે.
Page 43 of 655
PDF/HTML Page 98 of 710
single page version
૪૦] [મોક્ષશાસ્ત્ર
જ છે, તેથી સમ્યગ્જ્ઞાનનું કાંઈ ફળ ન હોય તેમ લાગે છે? ઉત્તરઃ– આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યગ્જ્ઞાનનું ફળ છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૩૩૪)
નવમા સૂત્રમાં કહેલાં પાંચ સમ્યગ્જ્ઞાન એ જ પ્રમાણ છે, તે સિવાય બીજાઓ જુદાં જુદાં પ્રમાણો કહે છે પણ તે વાત ખરી નથી. જે જીવને સમ્યગ્જ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યક્ત્વ થયાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. ૧૦.
પરોક્ષ પ્રમાણ છે.
અહીં પ્રમાણ અર્થાત્ સાચાં જ્ઞાનના ભેદોમાંથી શરૂઆતના બે એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળાં કે ભૂલવાળાં છે-એમ માનવું નહિ; એ તો તદ્ન સાચાં જ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યાં છે, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારનાં જ્ઞાન પ્રત્યક્ષ છે.
પ્રશ્નઃ– ત્યારે સમ્યક્મતિજ્ઞાનવાળો જીવ પોતાને સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન છે એમ જાણી શકે?
ઉત્તરઃ– જ્ઞાન સમ્યક્ છે માટે પોતાને સમ્યગ્જ્ઞાન થયાનો નિર્ણય બરાબર કરી શકે, અને સમ્યગ્જ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન અવિનાભાવી છે માટે તેનો નિર્ણય કરી શકે જ. જો નિર્ણય ન કરી શકે તો પોતાનો અનિર્ણય એટલે અનધ્યવસાય થયો, અને એમ થાય તો તેવું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
પ્રશ્નઃ– સમ્યક્મતિજ્ઞાની દર્શનમોહનીય પ્રકૃતિના પુદ્ગલોને પ્રત્યક્ષ જોઈ શકતો નથી અને તેનાં પુદ્ગલો ઉદયરૂપ હોય અને જીવ તેમાં જોડાતો હોય તો તેની ભૂલ ન થાય?
Page 44 of 655
PDF/HTML Page 99 of 710
single page version
અ. ૧ સૂત્ર ૧૧] [૪૧
ઉત્તરઃ– જો ભૂલ થાય તો જ્ઞાન વિપરીત થયું અને તેથી તે જ્ઞાન ‘સમ્યક્’ ન કહેવાય. જેમ શરીર બગડતાં અશાતાવેદનીયનો ઉદય છે અને શાતાવેદનીયનો ઉદય નથી તેવું કર્મના રજકણો પ્રત્યક્ષ દેખ્યા વગર શ્રુતજ્ઞાનના બળવડે સાચું જાણી શકે છે, તેમ પોતાના જ્ઞાન-અનુભવથી શ્રુતજ્ઞાનના બળ વડે દર્શનમોહનીય કર્મ ઉદયરૂપ નથી એમ સમ્યક્ (યથાર્થ) જાણી શકે છે.
પ્રશ્નઃ– સમ્યક્મતિજ્ઞાન બીજો જીવ ભવ્ય છે કે અભવ્ય છે તે જાણી શકે? ઉત્તરઃ– આ બાબતમાં શ્રી ધવલાશાસ્ત્રમાં (પુસ્તક છઠ્ઠું-પાનું ૧૭) નીચે પ્રમાણે જણાવ્યું છેઃ-
“અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે ‘ઈહા’ છે. જેમ કોઈ પુરુષને દેખી ‘શું આ ભવ્ય છે કે અભવ્ય છે?’ એ પ્રકારની વિશેષ પરીક્ષા કરવાને ‘ઈહાજ્ઞાન’ કહે છે. ઈહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમકે ઈહાત્મક વિચારબુદ્ધિથી સંદેહનો વિનાશ થઈ જાય છે. સંદેહથી ઉપર અને અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચારબુદ્ધિનું નામ ઈહા છે.
ઈહાજ્ઞાનથી જાણેલા પદાર્થવિષયક સંદેહનું દૂર થઈ જવું તે ‘અવાય’ (નિર્ણય) છે. પહેલાં ઈહાજ્ઞાનથી ‘શું આ ભવ્ય છે કે અભવ્ય છે’ એ પ્રકારે જે સંદેહરૂપી બુદ્ધિ દ્વારા વિષય કરવામાં આવેલો જીવ છે તે ‘અભવ્ય નથી, ભવ્ય જ છે, કેમકે તેમાં ભવ્યત્વના અવિનાભાવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ પ્રગટયા છે’-એ પ્રકારે ઉત્પન્ન થયેલ ‘ચય’ (નિશ્ચય) જ્ઞાનનું નામ ‘અવાય’ છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે સમ્યક્મતિજ્ઞાન પોતાને તથા પરને સમ્યગ્દર્શન છે-એમ યથાર્થપણે નક્કી કરી શકે છે.
આ મોક્ષશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર હોવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવનો ઉપયોગ પર તરફ રોકાયો હોય ત્યારે જે મતિ-શ્રુતજ્ઞાન થાય છે તે સંબંધનું આ સૂત્ર છે.
સમ્યગ્દ્રષ્ટિનો તે વખતનો જ્ઞાન-ઉપયોગ પરોક્ષ છે. ગૌણપણે તે બન્ને જ્ઞાનો નિર્વિકલ્પતા વખતે પ્રત્યક્ષ છે એ તેમાં આવી જાય છે. સમ્યગ્દ્રષ્ટિ જે વખતે પોતાના ઉપયોગમાં જોડાયો હોય ત્યારે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ દશા ચોથા ગુણસ્થાનથી હોય છે. મતિ-શ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ વખતે વિશેષ દશાવાળું છે, છતાં શ્રેણિસમાન તો નહિ પણ પોતાની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ હોય છે; તેથી મતિ-શ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ સમયે પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. મતિ-શ્રુતજ્ઞાન
Page 45 of 655
PDF/HTML Page 100 of 710
single page version
૪૨] [મોક્ષશાસ્ત્ર વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેનું આ કારણ છે. (અવધિ-મનઃપર્યયજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે છે.) [પંચાધ્યાયી ભાગ પહેલો, ગાથા ૭૦૮ થી ૭૧૯ સુધી આ સૂત્રની ચર્ચા કરી છે. દેવકીનંદન શાસ્ત્રીકૃત પંચાધ્યાયી પાનું ૩૬૩ થી ૩૬૮]
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાનને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ પણ કહેવામાં આવે છે. “ઘડાના રૂપને મેં પ્રત્યક્ષ દીઠું” એમ લોકો કહે છે તેથી તે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે.
શ્રુતજ્ઞાનમાં ત્રણ પ્રકાર પડે છે-(૧) સંપૂર્ણ પરોક્ષ, (ર) અંશે પરોક્ષ અને (૩) પરોક્ષ બિલકુલ નહિ પણ પ્રત્યક્ષ.
(૧) શબ્દરૂપ શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે; તેમ જ દૂર એવાં સ્વર્ગ-નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે.
(ર) આભ્યંતરમાં સુખ-દુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે, અથવા “હું અનંત જ્ઞાનાદિરૂપ છું” એવું જે જ્ઞાન તે ઈષત્-પરોક્ષ છે. (ઈષત્ = કિંચિત).
(૩) જે નિશ્ચય ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખસંવિત્તિ (જ્ઞાન) સ્વરૂપ છે. તે જ્ઞાન જોકે પોતાને જાણે છે તો પણ ઈન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે; (અભેદનયે) તેને ‘આત્મજ્ઞાન’ શબ્દથી ઓળખવામાં આવે છે; તે જોકે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ છદ્મસ્થોને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી, ક્ષાયોપશમિક હોવા છતાં તેને ‘પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– આ સૂત્રમાં મતિ અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહેલ છે છતાં ઉપર તમે તેને ‘પ્રત્યક્ષ’ કેમ કહો છો?
ઉત્તરઃ– આ સૂત્રમાં શ્રુતને પરોક્ષ કહ્યું છે તે સામાન્ય કથન છે; ઉપર જે ભાવશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું તે વિશેષ કથન છે. પ્રત્યક્ષનું કથન વિશેષની અપેક્ષાએ છે એમ સમજવું.
આ સૂત્રમાં જો ઉત્સર્ગ કથન ન હોત તો મતિજ્ઞાનને પરોક્ષ ન કહેત; મતિજ્ઞાન જો પરોક્ષ જ હોત તો તર્કશાસ્ત્રમાં તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કેમ કહેત? તેથી જેમ વિશેષ કથનમાં તે મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે તેમ જ નિજ આત્મ-