Page 355 of 378
PDF/HTML Page 381 of 404
single page version
નદી સમાન હોવાથી જેની અંદર પ્રાપ્ત થયેલ આત્માને જરા (વૃદ્ધત્વ) આદિરૂપ
અસહ્ય જ્વાળાવાળી જન્મ (સંસાર) રૂપ તીક્ષ્ણ વનાગ્નિ પ્રાપ્ત થતી નથી; એવી
તે અનંતચતુષ્ટયસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું. ૨.
प्यानन्दः परमात्मसंनिधिगतः किंचित्समुन्मीलति
तामानन्दकलां विशालविलसद्बोधां करिष्यत्यसौ
થાય છે. તે જ બુદ્ધિ થોડો કાળ પામીને અર્થાત્ થોડા જ સમયમાં સમસ્ત શીલ
અને ગુણોના આધારભૂત અને પ્રગટ થયેલ વિપુલ જ્ઞાન (કેવળજ્ઞાન) સંપન્ન તે
આનંદની કળા ઉત્પન્ન કરશે. ૩.
प्रेमाङ्गे ऽपि न मेऽस्ति संप्रति सुखी तिष्ठाम्यहं केवलः
निर्विण्णः खलु तेन तेन नितरामेकाकिता रोचते
સુખી છું. અહીં સંસાર પરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ
થયું છે તેનાથી હું વિરક્ત થયો છું તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત
રુચે છે. ૪.
Page 356 of 378
PDF/HTML Page 382 of 404
single page version
सो ऽहं नापरमस्ति किंचिदपि मे तत्त्वं सदेतत्परम्
श्रुत्वा शास्त्रशतानि संप्रति मनस्येतच्छुतं वर्तते
તત્ત્વ છે. ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જે ક્રોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે
સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેંકડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા
મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૫.
काले दुःख[ष]मसंज्ञके ऽत्र यदपि प्रायो न तीव्रं तपः
मन्तः शुद्धचिदात्मगुप्तमनसः सर्वं परं तेन किम्
તપ પણ સંભવિત નથી, તો પણ એ કોઈ ખેદની વાત નથી, કેમ કે એ અશુભ
કર્મોની પીડા છે. અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને
તે કર્મકૃત પીડાથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નથી. ૬.
यत्तस्मात्पृथगेव स द्वयकृतो लोके विकारो भवेत्
Page 357 of 378
PDF/HTML Page 383 of 404
single page version
છે તે જ હું છું, તેના સિવાય હું બીજું નથી. બરાબર પણ છે
જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કાંઈ વિકાર થાય છે તે બે પદાર્થોના
નિમિત્તે જ થાય છે.
હોતી તે સ્વભાવથી નિર્મળ અને શ્વેતવર્ણનો જ રહે છે. જ્યાં સુધી તેની પાસે કોઈ અન્ય
રંગની વસ્તુ રહે છે ત્યાં સુધી તેમાં બીજો રંગ જોવામાં આવે છે અને તે ત્યાંથી ખસી
જતાં પછી સ્ફટિકમણિમાં તે વિકૃત રંગ રહેતો નથી. બરાબર એ જ રીતે આત્માની સાથે
જ્ઞાનાવરણાદિ અનેક કર્મોનો સંયોગ રહે ત્યાંસુધી જ તેમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ આદિ
વિકારભાવ જોવામાં આવે છે. પરંતુ તે વાસ્તવમાં તેના નથી, તે તો સ્વભાવથી શુદ્ધ જ્ઞાન
ત્યારપછી શીતળતા જ તેમાં રહે છે, જે સદા રહેનારી છે. ૭.
सापत्सुष्ठु गरीयसी पुनरहो यः श्रीमतां संगमः
संपर्कः स मुमुक्षुचेतसि सदा मृत्योरपि क्लेशकृत
છે તે તો તેમને અતિશય મહાન આપત્તિસ્વરૂપ લાગે છે. એ ઉપરાંત સંપત્તિના
અભિમાનરૂપ મદ્યપાનથી વિકળ થઈને ઊંચું મુખ રાખનારા એવા રાજાઓ સાથે જે
સંયોગ થાય છે તે તો તે મોક્ષાભિલાષી સાધુના મનમાં નિરંતર મૃત્યુથી પણ અધિક
કષ્ટકારક હોય છે. ૮.
Page 358 of 378
PDF/HTML Page 384 of 404
single page version
मा किंचिद्धनमस्तु मा वपुरिदं रुग्वर्जितं जायताम्
नित्यानन्दपदप्रदं गुरुवचो जागर्ति चेच्चेतसि
ન આપે તો ન આપો, મારી પાસે કાંઈ પણ ધન ન હોય, આ શરીર રોગ રહિત
ન હો અર્થાત્ રોગવાળુ પણ હો તથા મને નગ્ન જોઈને લોકો નિન્દા પણ કરો; તો
પણ મને તેમાં જરાય ખેદ નહિ થાય. ૯.
नित्यं दुर्गतिपल्लिपातिकुपथे भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम्
જતા કુમાર્ગથી યુક્ત છે, તેમાં સર્વ પ્રાણી સદા પરિભ્રમણ કરે છે. ઉક્ત સંસારરૂપી
વનની અંદર જે મનુષ્ય ઉત્તમ ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે (મોક્ષમાર્ગમાં)
ગમન શરૂ કરી દે છે તે તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ
આપનાર છે, ઉત્કૃષ્ટ છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) પણ છે. ૧૦.
स्तत्कर्मैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः
Page 359 of 378
PDF/HTML Page 385 of 404
single page version
વાત જે યોગી જાણે છે તથા જેમની બુદ્ધિ આ જાતના ભેદની ભાવનાનો આશ્રય
લઈ ચૂકી છે તે યોગીઓના મનમાં ‘હું સુખી છું. અથવા હું દુઃખી છું’ આ પ્રકારના
વિકલ્પથી મલિન કળા ક્યાંથી સ્થાન પ્રાપ્ત કરી શકે? અર્થાત્ તે યોગીઓના મનમાં
તેવો વિકલ્પ કદી ઉત્પન્ન થતો નથી. ૧૧.
सर्वं भक्ति परा वयं व्यवहृते मार्गे स्थिता निश्चयात्
स्फारीभूतमतिप्रबन्धमहसामात्मैव तत्त्वं परम्
નિશ્ચયથી અભેદ (અદ્વૈત)નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્યગુણથી પ્રકાશમાં
આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ
તત્ત્વ રહે છે.
એથી તેને પુણ્યકર્મનો બંધ થાય છે જે નિશ્ચયમાર્ગની પ્રાપ્તિનું સાધન થાય છે. પછી જ્યારે
તે નિશ્ચયમાર્ગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ અભેદ (અદ્વૈત)નો આશ્રય લઈ
લે છે. તે એમ સમજવા લાગે છે કે સ્ત્રી, પુત્ર અને મિત્ર તથા જે શરીર નિરંતર આત્મા
સાથે સંબંધવાળું રહે છે તે પણ મારૂં નથી; હું ચૈતન્યનો એક પિંડ છું
પરતંત્ર રાખે છે. માટે આ દ્રષ્ટિએ તે પૂજ્ય
ત્યાંસુધી તેણે વ્યવહારમાર્ગનું આલંબન લઈને જિનપૂજનાદિ શુભ કાર્યો કરવા જ જોઈએ, નહિ
તો તેનો સંસાર દીર્ઘ થઈ શકે છે. ૧૨.
Page 360 of 378
PDF/HTML Page 386 of 404
single page version
घर्मः शर्महरो ऽस्तु दंशमशकं क्लेशाय संपद्यताम्
र्मोक्षं प्रत्युपदेशनिश्चलमतेर्नात्रापि किंचिद्भयम्
પીડિત કરે, ઘામ (સૂર્યનો તાપ) સુખનું અપહરણ કરે, ડાંસ
શરૂઆત કરી દે; તો પણ એમનો મને કાંઈ પણ ભય નથી. ૧૩.
चेद्रूपादिकृषिक्षमां बलवता बोधारिणा त्याजितः
यत्किंचिद्भवितात्र तेन च भवो ऽप्यालोक्यते नष्टवत्
રૂપાદિ વિષયરૂપ ખેતીની ભૂમિથી ભ્રષ્ટ કરવામાં આવ્યું છે, છતાં પણ જે કાંઈ
થવાનું છે તેના વિષયમાં અત્યારે ચિન્તા કરતો નથી. આ રીતે સંસારને નષ્ટ થયા
સમાન દેખે છે.
જેવું માને છે. છતાં પણ તે ભવિતવ્યને મુખ્ય માનીને તેની કાંઈ ચિંતા કરતો નથી. બરાબર
એ જ પ્રમાણે સર્વ શક્તિમાન આત્માને જ્યારે સમ્યગ્જ્ઞાનરૂપ શત્રુ દ્વારા રૂપ
મરેલું સમજે છે અને તેની કાંઈ પણ ચિંતા કરતો નથી. પરંતુ ત્યારે તે પોતાના સંસારને નષ્ટ
Page 361 of 378
PDF/HTML Page 387 of 404
single page version
વિષયોમાં અનુરાગ રહેતો નથી. તે વખતે તે ઇન્દ્રિયોને નષ્ટ થયા સમાન માનીને મુક્તિને હાથમાં
આવેલી જ સમજે છે. ૧૪.
रात्मैकत्वविशुद्धबोधनिलयो निःशेषसंगोज्झितः
नावद्येन स लिप्यते ऽब्जदलवत्तोयेन पद्माकरे
પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તથા જેમનું મન નિરંતર આત્માની એકતાની ભાવનાને
આશ્રિત રહે છે; તે સંયમી પુરુષ લોકમાં રહેવા છતાં પણ એ રીતે પાપથી લેપાતા નથી
જેવી રીતે તળાવમાં સ્થિત કમળપત્ર પાણીથી લેપાતું નથી. ૧૫.
जातानन्दवशान्ममेन्द्रियसुखं दुःखं मनो मन्यते
यावन्नो सितशर्करातिमधुरा संतर्पिणी लभ्यते
પ્રભાવથી મારૂં મન ઇન્દ્રિયવિષયજનિત સુખને દુઃખરૂપ જ માને છે. બરાબર છે
સુધી જ સ્વાદિષ્ટ લાગે છે જ્યાંસુધી અતિશય મીઠી સફેદ સાકર (મિશ્રી) તૃપ્ત કરનાર
પ્રાપ્ત થતી નથી. ૧૬.
दुर्घ्यानाक्षसुखं पुनः स्मृतिपथप्रस्थाय्यपि स्यात्कुतः
Page 362 of 378
PDF/HTML Page 388 of 404
single page version
च्छीतां प्राप्य च वापिकां विशति कस्तत्रैव धीमान् नरः
થઈ શકે? અર્થાત્ નિર્ગ્રન્થતાજન્ય સુખની સામે ઇન્દ્રિયવિષયજન્ય સુખ તુચ્છ લાગે
છે, તેથી તેની ચાહ નષ્ટ થઈ જાય છે. બરાબર છે
વાવને પ્રાપ્ત કરતો ક્યો બુદ્ધિમાન પુરુષ ફરીથી તે જ જલતા ઘરમાં પ્રવેશ કરે?
અર્થાત્ કોઈ કરતો નથી. ૧૭.
तद्भूतार्थपरिग्रहो भवति किं क्वापि स्पृहालुर्मुनिः
तत्त्वज्ञानपरायणेन सततं स्थात्व्यमग्राहिणा
કરનાર મુનિ શું કોઈ પણ પદાર્થના વિષયમાં ઇચ્છાયુક્ત હોય છે? અર્થાત્ નથી હોતો.
આ રીતે મનમાં ઉપર્યુક્ત વિચાર કરીને શુદ્ધ આત્મા સાથે સંબંધ રાખતા મુનિએ
પરિગ્રહ રહિત થઈને નિરંતર તત્ત્વજ્ઞાનમાં તત્પર રહેવું જોઈએ. ૧૮.
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरे ऽपि च
चिन्तायामपि यातुमिच्छति समं दोषेर्मनः पञ्चताम्
Page 363 of 378
PDF/HTML Page 389 of 404
single page version
ઇન્દ્રિયવિષય વિલીન થઈ જાય છે, શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય
છે, એકાંતમાં મૌન પ્રતિભાસિત થાય છે તથા તેવી દશામાં દોષોની સાથે મન પણ
મરવાની ઇચ્છા કરે છે.
થતો રસ (આનંદ) નીરસ પ્રતિભાસવા લાગે છે. અન્ય ઇન્દ્રિય વિષયોની તો વાત જ શું, પરંતુ
તે વખતે તેને પોતાના શરીર ઉપર પણ અનુરાગ રહેતો નથી. તે એકાંતસ્થાનમાં મૌનપૂર્વક સ્થિત
થઈને આત્માનંદમાં મગ્ન રહે છે અને આ રીતે તે અજ્ઞાનાદિ દોષો અને સમસ્ત માનસિક વિકલ્પોથી
રહિત થઈને અજર-અમર બની જાય છે. ૧૯.
तद्वाच्यं व्यवहारमार्गपतितं शिष्यार्पणे जायते
શિષ્યોને પ્રબોધ કરાવવા માટે વ્યવહારમાર્ગમાં પડીને વચનનો વિષય પણ થાય છે.
તે આત્મતત્ત્વનું વિવરણ કરવા માટે ન તો મારામાં તેવી પ્રતિભાશાલિતા (નિપુણતા)
છે અને ન તે પ્રકારનું જ્ઞાનેય છે. માટે મારા જેવો મન્દબુદ્ધિ મનુષ્ય મૌનનું અવલંબન
લઈને જ સ્થિત રહે છે.
તે માટે વચનોનો આશ્રય લઈને તેમના દ્વારા તેમને બોધ કરાવવામાં આવે છે. આ
વ્યવહારમાર્ગ છે, કારણ કે વાચ્ય
Page 364 of 378
PDF/HTML Page 390 of 404
single page version
બોધ કરાવી શકાય છે તે મારામાં નથી, તેથી હું તેનું વિશેષ વિવરણ ન કરતાં મૌનનો જ
આશ્રય લઉં છું. ૨૦.
Page 365 of 378
PDF/HTML Page 391 of 404
single page version
विष्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
મૂત્રાદિથી પરિપૂર્ણ છે તથા પ્રગટ થયેલ ભૂખ, તરસ આદિ દુઃખોરૂપ ઉંદરોદ્વારા
છિદ્રોવાળી કરવામાં આવી છે; આવી તે શરીરરૂપ ઝૂંપડી જો કે પોતે જ વૃદ્ધત્વરૂપ અગ્નિ
દ્વારા પ્રાપ્ત કરાય છે તો પણ અજ્ઞાની મનુષ્ય તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે.
દ્વારા જે અહીં તહીં છિદ્રો કરવામાં આવે છે તેનાથી તે નબળી થઈ જાય છે. તેમાં જો કદાચ
આગ લાગી જાય તો તે જોતજોતામાં જ ભસ્મ થઈ જાય છે. બરાબર એ જ જાતનું આ શરીર
પણ છે
એ વિશેષતા છે કે તે તો સમય પ્રમાણે નિયમથી વૃદ્ધત્વ (બુઢાપા) થી વ્યાપ્ત થઈને નાશ પામવાનું
છે. પરંતુ તે ઝુંપડી તો કદાચ જ અસાવધાનીને કારણે અગ્નિ આદિથી વ્યાપ્ત થઈને નષ્ટ થાય
Page 366 of 378
PDF/HTML Page 392 of 404
single page version
તેના નિમિત્તે અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. ૧.
शौचस्नानविधानवारिविहितप्रक्षालनं रुग्भूतम्
तत्रान्नं वसनानि पट्टकमहो तत्रापि रागी जनः
રસથી પરિપૂર્ણ છે, પવિત્રતા સૂચક સ્નાનને સિદ્ધ કરનાર જળથી જેને ધોવામાં
આવે છે, છતાં પણ જે રોગોથી પરિપૂર્ણ છે; એવા તે મનુષ્યના શરીરને ઉત્કૃષ્ટ
બુદ્ધિના ધારક વિદ્વાનો નસ સાથે સંબંધવાળા ગૂમડા આદિના જખ્મ સમાન બતાવે
છે. તેમાં અન્ન (આહાર) તો ઔષધ સમાન છે અને વસ્ત્ર પાટા સમાન છે છતાં
પણ આશ્ચર્ય છે કે તેમાં પણ મનુષ્ય અનુરાગ કરે છે.
છે તેવી જ રીતે શરીરમાં પણ તે રહે જ છે. ઘાવમાંથી જો નિરંતર પરૂ અને લોહી વગેરે
વહ્યા કરે છે તો આ શરીરમાંથી પણ નિરંતર પરસેવો વગેરે વહ્યા જ કરે છે. ઘાવને જો
જળથી ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે તો આ શરીરને પણ જળથી સ્નાન કરાવીને સ્વચ્છ
કરવામાં આવે છે, ઘાવ જેમ રોગથી પૂર્ણ છે તેવી જ રીતે શરીર પણ રોગોથી પરિપૂર્ણ છે.
ઘાવને રુઝવવા માટે જો દવા લગાડવામાં આવે છે તો શરીરને ભોજન આપવામાં આવે છે,
તથા જો ઘાવને પાટાથી બાંધવામાં આવે છે તો આ શરીરને પણ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ રીતે શરીરમાં ઘાવની સમાનતા હોવા છતાં પણ આશ્ચર્ય એક એ જ છે કે ઘાવને તો
મનુષ્ય ઇચ્છતો નથી પરંતુ આ શરીરમાં તે અનુરાગ કરે છે. ૨.
Page 367 of 378
PDF/HTML Page 393 of 404
single page version
ચન્દન આદિ દ્વારા પવિત્રતાનો સ્વીકાર કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય
સ્વભાવથી અપવિત્ર તે મનુષ્ય શરીરને સ્નાનાદિ દ્વારા શુદ્ધ માની શકતા નથી. ૩.
स्याच्चेन्मोहकुजन्मरन्ध्ररहितं शुष्कं तपोघर्मतः
तत्तत्तत्र नियोजितं वरमथासारं सदा सर्वथा
(સૂકાયેલ) અને અંદર ગુરુતા રહિત હોય તો સંસારરૂપ નદી પાર કરાવવામાં સમર્થ
થાય છે. માટે તેને મોહ અને કુજન્મરહિત કરીને તપમાં લગાવવું તે ઉત્તમ છે. એ
વિના તે સદા અને સર્વ પ્રકારે નિઃસાર છે.
જો તે તુંબડી છેદ રહિત, તડકામાં સૂકવેલી અને વચમાં ગૌરવ (ભારેપણા) રહિત હોય તો નદીમાં
તરવાના કામમાં આવે છે. બરાબર એ જ રીતે જો આ શરીર પણ મોહ અને દુષ્કુળરૂપ છેદ રહિત,
તપથી ક્ષીણ અને ગૌરવ (અભિમાન) રહિત હોય તો તે સંસારરૂપી નદી પાર થવામાં સહાયક
થાય છે. તેથી જે ભવ્ય પ્રાણી સંસારરૂપ નદીથી પાર થઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે
તેમણે આ દુર્લભ મનુષ્ય શરીરને તપ આદિમાં લગાવવું જોઈએ. નહિતર તેને ફરીથી પ્રાપ્ત કરવું
બહુ મુશ્કેલ થશે. ૪.
भवति यदनुभावादक्षया मोक्षलक्ष्मीः
Page 368 of 378
PDF/HTML Page 394 of 404
single page version
તેનાથી મને કોઈ જાતનો ખેદ નથી. એનું કારણ એ છે કે ઉક્ત ગુરુના ઉપદેશના
પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદના કારણભૂત અવિનશ્વર મોક્ષલક્ષ્મી શીઘ્ર
જ પ્રાપ્ત થાય છે. ૫.
विष्टा स्यादथवा वपुःपरिणतिस्तस्ये
कः पापं कुरुते बुधो ऽत्र भविता कष्टा यतो दुर्गतिः
થઈ જાય છે, તે શરીરનું પરિણમન એવું જ થાય છે. ઔષધિ આદિ દ્વારા પણ નિત્ય
નથી. પરંતુ વિનશ્વર જ છે, તો ભલા ક્યો વિદ્વાન્ મનુષ્ય એના વિષયમાં પાપકાર્ય
કરે? અર્થાત્ કોઈ પણ વિદ્વાન્ તેના નિમિત્તે પાપકર્મ કરતો નથી. કારણ એ છે કે
તે પાપથી નરકાદિ દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૬.
वह्नेर्लोहसमाश्रितस्य घनतो घाताद्यतो निष्ठुरात्
नो भूयो ऽपि ययात्मनो भवकृते तत्संनिधिर्जायते
યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે
ફરીથી ન થઈ શકે.
Page 369 of 378
PDF/HTML Page 395 of 404
single page version
પણ તેની સાથે અનેક પ્રકારના દુઃખ સહેવા પડે છે. તેથી ગ્રન્થકાર કહે છે કે તપ આદિ
દ્વારા તે શરીરને આ રીતે છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. કે જેથી ફરીથી તેની પ્રાપ્તિ ન
થાય. કારણ એ છે કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરીને જો તેના દ્વારા સાધ્ય સંયમ અને
તપ આદિનું આચરણ ન કર્યું તો પ્રાણીને તે શરીર ફરી ફરી પ્રાપ્ત થતું જ રહેશે અને તેથી
શરીરની સાથે કષ્ટો પણ સહન કરવા જ પડશે. ૭.
कालदिष्टजरा करोत्यनुदिनं तज्जर्जरं चानयोः
साक्षात्कालपुरःसरा यदि तदा कास्था स्थिरत्वे नृणाम्
એક પેલી વૃદ્ધાવસ્થા જ વિજયી થાય છે કારણ કે તેની આગળ સાક્ષાત્ કાળ
(યમરાજ) સ્થિત છે. આવી હાલતમાં જ્યાં શરીરની આ સ્થિતિ છે તો પછી
તેની સ્થિરતામાં મનુષ્યોનો ક્યો પ્રયત્ન ચાલી શકે? અર્થાત્ તેનો કોઈ પણ પ્રયત્ન
ચાલી શકતો નથી. ૮.
Page 370 of 378
PDF/HTML Page 396 of 404
single page version
विष्मूत्रादिभृतं रसादिघटितं बीभत्सु यत्पूति च
संकेतैकगृहं नृणां वपुरपां स्नानात्कथं शुद्धयति
સાત ધાતુઓથી રચાયેલું છે, ભયાનક છે; દુર્ગન્ધયુક્ત છે અને જે નિર્મળ આત્માને
પણ મલિન કરે છે; એવું સમસ્ત અપવિત્રતાઓના એક સંકેતગૃહ સમાન આ મનુષ્યોનું
શરીર જળના સ્નાનથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. ૧.
कायश्चाशुचिरेव तेन शुचितामभ्येति नो जातुचित्
तेषां भूजलकीटकोटिहननात्पापाय रागाय च
કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બન્નેય પ્રકારે
સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક,
Page 371 of 378
PDF/HTML Page 397 of 404
single page version
થાય છે.
છે કે ઉક્ત સ્નાન દ્વારા આત્મા તો પવિત્ર થતો નથી કારણ કે તે પોતે જ પવિત્ર છે. વળી તેનાથી
શરીરની શુદ્ધિ થતી હોય, તો એ પણ કહી શકાતું નથી; કારણ કે તે સ્વભાવથી જ અપવિત્ર છે.
જેમ કોલસાને પાણીથી ઘસી ઘસીને ધોવા છતાં પણ તે કદી કાળાપણું છોડી શકતો નથી અથવા
મળથી ભરેલો ઘડો કદી બહાર સાફ કરવાથી શુદ્ધ થઈ શકતો નથી. તેવી જ રીતે મળ
સ્નાનની વ્યર્થતા સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો સ્નાન કરે છે તેઓ જળકાયિક, પૃથ્વીકાયિક
અને અન્ય ત્રસ જીવોનો પણ તેના દ્વારા ઘાત કરે છે; માટે તે કેવળ હિંસાજનિત પાપના ભાગીદાર
થાય છે. તે સિવાય તેઓ શરીરની બાહ્ય સ્વચ્છતામાં રાગ પણ રાખે છે, એ પણ પાપનું જ કારણ
છે. અભિપ્રાય એ છે કે નિશ્ચયદ્રષ્ટિથી વિચાર કરતાં સ્નાન દ્વારા શરીર તો શુદ્ધ થતું નથી, ઉલ્ટું
જીવહિંસા અને આરંભ આદિ જ તેનાથી થાય છે. એ જ કારણે મુનિઓના મૂળગુણોમાં જ તેનો
નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ વ્યવહારની અપેક્ષાએ તે અનાવશ્યક નથી, પરંતુ ગૃહસ્થને માટે
તે આવશ્યક પણ છે. કારણ કે તેના વિના શરીર તો મલિન રહે જ છે. સાથે મન પણ મલિન
રહે છે. સ્નાન વિના જિનપૂજાદિ શુભ કાર્યોમાં પ્રસન્નતા પણ રહેતી નથી. હા, એ અવશ્ય છે કે
બાહ્ય શુદ્ધિની સાથે જ અભ્યંતર શુદ્ધિનું પણ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો અંતરંગમાં મદ
मिथ्यात्वादिमलव्यपायजनकः स्नानं विवेकः सताम्
न्नो धर्मो न पवित्रता खलु ततः काये स्वभावाशुचौ
થાય છે તે જ વાસ્તવમાં સજ્જન પુરુષોનું સ્નાન છે. એનાથી ભિન્ન જે જળકૃત સ્નાન
છે તે પ્રાણીસમૂહને પીડાજનક હોવાથી પાપ કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે
છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૩.
Page 372 of 378
PDF/HTML Page 398 of 404
single page version
नित्यानन्दविशेषशैत्यसुभगे निःशेषपापद्रुहि
शुद्धयर्थं किमु धावत त्रिपथगामालपयासाकुलाः
અવિનશ્વર આનંદવિશેષરૂપ (અનંતસુખ) શૈત્યથી મનોહર છે તથા સમસ્ત પાપોને નષ્ટ
કરનાર છે. તેમાં તમે નિરંતર સ્નાન કરો. વ્યર્થ પરિશ્રમથી વ્યાકુળ થઈને શુદ્ધિ માટે
ગંગા તરફ કેમ દોડો છો? અર્થાત્ ગંગા આદિમાં સ્નાન કરવાથી કાંઈ અંતરંગ શુદ્ધિ
થઈ શકતી નથી, તે તો પરમાત્માના સ્મરણ અને તેના સ્વરૂપ ચિંતન આદિથી જ
થઈ શકે છે, માટે તેમાં જ અવગાહન કરવું જોઈએ. ૪.
तीर्थाभाससुरापगादिषु जडा मज्जन्ति तुष्यन्ति च
નદી પણ ક્યાંક જોતા નથી તેથી તે મૂર્ખાઓ પાપનો નાશ કરવાના વિષયમાં
યથાર્થભૂત આ સમીચીન તીર્થો છોડીને તીર્થ જેવા જણાતા ગંગા આદિ તીર્થાભાસોમાં
સ્નાન કરીને સંતુષ્ટ થાય છે. ૫.
निःशेषाशुचि येन मानुषवपुः साक्षादिदं शुद्धयति
Page 373 of 378
PDF/HTML Page 399 of 404
single page version
शश्वत्तापकरं यथास्य वपुषो नामाप्यसह्यं सताम्
શુદ્ધ થઈ શકે, આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ ( શારીરિક કષ્ટ), ઘડપણ (વૃદ્ધાવસ્થા)
અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપકારક છે કે સજ્જનોને
તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૬.
कर्पूरादिविलेपनैरपि सदा लिप्तं च दुर्गन्धभृत्
यत्तस्माद्वपुषः किमन्यदशुभं कष्टं च किं प्राणिनाम्
સુગંધી લેપો દ્વારા લેપ પણ કરવામાં આવે તો પણ તે દુર્ગન્ધ ધારણ કરે છે તથા
જો એનું પ્રયત્નપૂર્વક રક્ષણ પણ કરવામાં આવે તો પણ તે ક્ષયના માર્ગે જ પ્રસ્થાન
કરશે અર્થાત્ નષ્ટ થશે. આ રીતે જે શરીર સર્વ પ્રકારે દુઃખ આપે છે તેનાથી વધારે
પ્રાણીઓને બીજું ક્યું અશુભ અને કષ્ટ હોઈ શકે? અર્થાત્ પ્રાણીઓને સૌથી અધિક
અશુભ અને કષ્ટ આપનાર આ શરીર જ છે, અન્ય કોઈ નથી. ૭.
पीत्वा कर्णपुटेर्भवन्तु सुखिनः स्नानाष्टकाख्यामृतम्
Page 374 of 378
PDF/HTML Page 400 of 404
single page version
વ્યાકુળ છે, તથા એ જ કારણે જેમની સમ્યગ્દર્શનરૂપ દ્રષ્ટિ અતિશય મંદ થઈ ગઈ
છે તે ભવ્ય જીવ શ્રીમાન્ પદ્મનન્દિ મુનિના મુખરૂપ ચંદ્રબિંબથી ઉત્પન્ન થયેલ આ
ઉત્કૃષ્ટ ‘સ્નાનાષ્ટક’ નામનું અમૃત કાનવડે પીને સુખી થાવ.
જો તે વખતે ચંદ્રબિંબમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની પ્રાપ્તિ થઈ જાય, તો તે તેને પીને વિષરહિત
થયો થકો પૂર્વ ચેતના પ્રાપ્ત કરી લે છે. બરાબર એવી જ રીતે જે પ્રાણી સર્પ સમાન અનેક ભવોમાં
ઉપાર્જિત દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાભાવને પ્રાપ્ત થયેલ જ્ઞાન (મિથ્યાજ્ઞાન) દ્વારા વિવેકશૂન્ય
થઈ ગયા છે તથા જેમનું સમ્યગ્દર્શન મંદ પડી ગયું છે તેઓ જો પદ્મનન્દિ મુનિએ રચેલ આ
‘સ્નાનાષ્ટક’ પ્રકરણ કાનો વડે સાંભળે તો અવિવેક નષ્ટ થઈ જવાથી તેઓ અવશ્યમેવ પ્રબોધ પામે,
કારણ કે આ સ્નાનાષ્ટક પ્રકરણ અમૃત સમાન સુખ આપનાર છે. ૮.