Page 55 of 378
PDF/HTML Page 81 of 404
single page version
शुद्धे ऽन्या
तद्वन्दे विपुलप्रमोदसदनं चिद्रूपमेकं महः
તથા ચન્દ્ર, સૂર્ય અને અગ્નિની પ્રભાની અપેક્ષાએ અનંતગુણી પ્રભાથી યુક્ત છે;
તે ચૈતન્યરૂપ તેજનો અનુભવ થઈ જતાં આશ્ચર્ય છે કે અન્ય સમસ્ત પર પદાર્થ
શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે અર્થાત્ તેમનો પછી વિકલ્પ જ રહેતો નથી. અતિશય
આનંદ ઉત્પન્ન કરનાર તે એક ચૈતન્યરૂપ તેજને હું નમસ્કાર કરૂં છું. ૧૦૮.
जाता यत्र न कर्मकायघटना नो वाग् न च व्याधयः
र्नित्यं तत्पदमाश्रिता निरुपमाः सिद्धाः सदा पान्तु वः
રહી નથી, જ્યાં કેવળ નિર્મળજ્ઞાનરૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી
આત્મા જ સદા પ્રકાશમાન છે; તે મોક્ષપદ પામેલા અનુપમ સિદ્ધ પરમેષ્ઠી સર્વદા
આપની રક્ષા કરો. ૧૦૯.
ब्रूमः किंचिदिह प्रबोधनिधिभिर्ग्राह्यं न किंचिच्छलम्
Page 56 of 378
PDF/HTML Page 82 of 404
single page version
છીએ. સમ્યગ્જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનોએ આમાં કાંઈ છળ નહીં
સમજવું જોઈએ. કારણ કે સર્વ કર્મોના અધિપતિસ્વરૂપ મોહ, શક્તિશાળી
અંતરાયરૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન
હોય ત્યારે મારા જેવા અલ્પજ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોઈ શકે? ૧૧૦.
शृङ्गारादिरसैः प्रमोदजनकं व्याख्यानमातन्वते
येभ्यस्तत्परमात्मतत्त्वविषयं ज्ञानं तु ते दुर्लभाः
વિસ્તાર કરીને તેમને મુગ્ધ કરે છે તે કવિઓ તો અહીં ઘરે ઘરે અનેક છે. પણ જેમની
પાસેથી પરમાત્મતત્ત્વ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો દુર્લભ જ છે. ૧૧૧.
मोहात्सर्वजनस्य चेतसि सदा सत्सु स्वभावादपि
शृङ्गारादिरसं तु सर्वजगतो मोहाय दुःखाय च
કરે છે. ઉક્ત દોષોનો નાશ કરવા તથા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રચવામાં
આવેલું કવિનું કાવ્ય સફળ થાય છે. એનાથી વિપરીત શૃંગારાદિ રસપ્રધાન કાવ્ય
તો સર્વ જીવોને મોહ અને દુઃખ જ ઉત્પન્ન કરનાર થાય છે. ૧૧૨.
Page 57 of 378
PDF/HTML Page 83 of 404
single page version
मार्गं न पश्यति जनो जगति प्रशस्तम्
તેની આંખમાં મિથ્યા ઉપદેશરૂપ ધૂળ પણ ફેંકે છે. તો પછી એવી હાલતમાં તેનું ગમન
અનિશ્ચિત ખોટા માર્ગે કેમ ન થાય? અર્થાત્ અવશ્ય થાય. ૧૧૩.
शुक्रासृग्वरयोषितामपि तनुर्मातुः कुगर्भे ऽजनि
चित्रं चन्द्रमुखीति जातमतिभिर्विद्वद्भिरावर्ण्यते
વીર્ય અને રજથી નિર્મિત શરીર ઉત્પન્ન થયું છે. તે ઉત્તમ સ્ત્રી પણ ક્લેશજનક રસ
આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. છતાં પણ આશ્ચર્ય છે કે તેને
પ્રતિભાશાળી વિદ્વાન્ ચન્દ્રમુખી (ચન્દ્ર જેવા મુખવાળી) બતાવે છે. ૧૧૪.
कुचौ मांसोच्छ्रायौ जठरमपि विष्ठादिघटिका
तदाधारस्थूणे किमिह किल रागाय महताम्
Page 58 of 378
PDF/HTML Page 84 of 404
single page version
તુચ્છ ઘડા સમાન છે જઘન મળ છોડવાના યંત્ર સમાન છે અને બન્ને પગ તે યંત્રના
આધારભૂત સ્તંભો સમાન છે; આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ
થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. ૧૧૫.
અનુરાગરૂપી અગ્નિમાં રાંધે છે, એ ઘણા ખેદની વાત છે.
વિષયભોગોથી સંતપ્ત કરે છે. ૧૧૬.
येनैते प्रतिजन्तु हन्तुमनसः क्रोधादयो दुर्जयाः
तज्जानीहि समस्तदोषविषमं स्त्रीरूपमेतद्ध्रुवम्
શત્રુ પ્રત્યેક પ્રાણીના ઘાતમાં તત્પર રહે છે તથા જેના દ્વારા આ સંસારરૂપી નદી
પાર કરવી અશક્ય બની જાય છે. હે ભાઈ! તું તે સ્ત્રીના સૌન્દર્યને નિશ્ચયથી
સમસ્ત દોષોવાળું હોવાને કારણે કષ્ટદાયક સમજ. ૧૧૭.
पाशाः पङ्कजलोचनादिविषयाः सर्वत्र सज्जीकृताः
Page 59 of 378
PDF/HTML Page 85 of 404
single page version
हा कष्टं परजन्मने ऽपि न विदः क्कापीति धिङ्मूर्खताम्
સ્ત્રી આદિ વિષયરૂપી જાળો તૈયાર કરી લીધી છે. આ મૂર્ખ પ્રાણી તે ઇન્દ્રિય
વિષયરૂપી જાળમાં ફસાઈ જાય છે અને તે વિષય ભોગોને ઉત્તમ અને સ્થાયી
સમજીને પરલોકમાં પણ તેમની ઇચ્છા કરે છે, એ ઘણા ખેદની વાત છે. પરંતુ
વિદ્વાન્ પુરુષ તેમની અભિલાષા આ લોક અને પરલોકમાંથી ક્યાંય પણ કરતા
નથી. તે મૂર્ખતાને ધિક્કાર છે. ૧૧૮.
पश्यत्येेष जनो ऽसमञ्जसमसद्बुधिर्ध्रुवं व्यापदे
यत् शश्वत्सुखसागरानिव सतश्चेतःप्रियान् मन्यते
દુઃખદાયક વિષયસુખને સુખદાયક માને છે. પરંતુ વાસ્તવમાં તે નિશ્ચયથી આપત્તિજનક
જ છે. જે આ વિષયભોગ નરકમાં અનંત દુઃખ આપનાર અને અસ્થિર છે તેમને
તે સર્વદા ચિત્તને પ્રિય લાગનારા સુખના સમુદ્ર સમાન માને છે. ૧૧૯.
क्रोधाद्याश्च तदीयपेटकमिदं तत्संनिधौ जायते
न स्वं चेतयते लभेत विपदं ज्ञातुः प्रभोः कथ्यताम्
Page 60 of 378
PDF/HTML Page 86 of 404
single page version
આવેલા પ્રયોગથી વ્યાકુળ થયેલ પ્રાણી તેને વશ થઈને પોતાના આત્મસ્વરૂપનો વિચાર
કરતા નથી, તેથી તે વિપત્તિને પ્રાપ્ત થાય છે. તે મોહરૂપ ઠગથી પ્રાણીની રક્ષા કરનાર
જ્ઞાતા પ્રભુ (સર્વદા) છે તેથી જ તે જ્ઞાતા પ્રભુની જ પ્રાર્થના કરવી. ૧૨૦.
सर्वेषां टिरिटिल्लितानि पुरतः पश्यन्ति नो ब्यापदः
मन्यन्ते यदहो तदत्र विषमं मोहप्रभोः शासनम्
જોતા નથી. આશ્ચર્ય છે કે જે પુત્ર અને પત્ની આદિ વિજળી સમાન ચંચળ (અસ્થિર)
છે તેમને તે લોકો સ્થિર માને છે તથા પ્રત્યક્ષ પર (ભિન્ન) દેખાવા છતાં તેમને સ્વકીય
સમજે છે આ મોહરૂપી રાજાનું વિષમ શાસન છે. ૧૨૧.
कुतो लभ्या लक्ष्मीः क इह नृपतिः सेव्यत इति
अपि ज्ञातार्थनामिह महदहो मोहचरितम्
કરવી? ઇત્યાદિ વિકલ્પોનો સમૂહ અહીં તત્ત્વજ્ઞ સજ્જન પુરુષોના મનને પણ જડ
બનાવી દે છે, એ શોચનીય છે. આ બધી મોહની મહાલીલા છે. ૧૨૨.
कुरुध्वं तत्तूर्णं किमपि निजकार्यं ऐबत बुधाः
Page 61 of 378
PDF/HTML Page 87 of 404
single page version
पुनः स्यान्न स्याद्वा किमपरवचोडम्बरशतैः
ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચનોના બાહ્ય ડોળથી તમારું કાંઈ પણ
ઇષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ સ્વહિત સાધક
સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કાંઈ નક્કી નથી.
અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૧૨૩.
रागद्वेषादिदोषैरुपह्रतमनसो नेतरस्यानृतत्वात्
मुक्ते र्मूलं तमेकं भ्रमत किमु बहुष्वन्धवदुःपथेषु
કોઈનું વચન પ્રમાણ હોઈ શકતું નથી કારણ કે તે સત્યથી રહિત છે એવો મનમાં નિશ્ચય
કરીને હે બુદ્ધિમાન્ સજ્જનો! જે સર્વજ્ઞ થઈ જવાથી મુક્તિનું મૂળ કારણ છે તે જ એક
જિનેન્દ્રદેવનો તમે સમસ્ત તત્ત્વોના પરિજ્ઞાન માટે આશ્રય કરો, આંધળાની જેમ અનેક
કુમાર્ગોમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી. ૧૨૪.
संदिह्य तत्त्वमसमञ्जसमात्मबुद्धया
Page 62 of 378
PDF/HTML Page 88 of 404
single page version
વિવાદ કરનાર આંધળા સમાન આચરણ કરે છે. ૧૨૫.
પદાર્થોને હેયરૂપે બતાવેલ છે.
૧૦. પ્રશ્નવ્યાકરણાંગ ૧૧. વિપાકસૂત્રાંગ અને ૧૨. દ્રષ્ટિવાદાંગ આમાં દ્રષ્ટિવાદ પણ પાંચ
પ્રકારના છે
૯. પ્રત્યાખ્યાનનામધેય ૧૦. વિદ્યાનુપ્રવાદ ૧૧. કલ્યાણનામધેય ૧૨. પ્રાણાવાય ૧૩. ક્રિયાવિશાળ
અને ૧૪ લોકબિન્દુસાર. અંગબાહ્ય દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ ભેદથી અનેક પ્રકારના
છે. છતાં પણ તેના મુખ્યપણે નીચેના ચૌદ ભેદ બતાવ્યા છે
વ્યવહાર ૧૦. કલ્પ્યાકલ્પ્ય ૧૧. મહાકલ્પ્ય ૧૨. પુંડરીક ૧૩. મહાપુંડરીક અને ૧૪. નિષિદ્ધિકા
(વિશેષ જાણકારી માટે ષટ્ખંડાગમ
શ્રુતના અભ્યાસનું પ્રયોજન પણ એ જ છે, અન્યથા અગિયાર અંગ નવ પૂર્વોનો અભ્યાસ કરીને
પણ દ્રવ્યલિંગી મુનિ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ૧૨૬.
Page 63 of 378
PDF/HTML Page 89 of 404
single page version
આ કારણે તેમણે અહીં એટલા જ શ્રુતનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જે
મોક્ષનું બીજભૂત થઈને આત્માનું હિત કરનાર હોય. ૧૨૭.
कार्यः सोऽपि प्रमाणं वदत किमपरेणालकोलाहलेन
भो भो भव्या यतध्वं
જ પ્રમાણ માનવા જોઈએ. બીજા વ્યર્થ કોલાહલથી શું પ્રયોજન સિદ્ધ થશે, એ
આપ જ બતાવો. તેથી છદ્મસ્થ (અલ્પજ્ઞ) અવસ્થા વિદ્યમાન હોવા છતાં સિદ્ધાંતના
માર્ગે પ્રાપ્ત થયેલ આત્માનુભવવડે પ્રબોધને પામીને આપ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનની નિધિસ્વરૂપ આત્માના વિષયમાં પ્રીતિયુક્ત થઈને પ્રયત્ન કરો
છે, પ્રમાણ માનવા જોઈએ. જો કે વર્તમાનમાં તે અહી વિદ્યમાન નથી તોપણ પરંપરાપ્રાપ્ત તેમના
વચન (જિનાગમ) તો વિદ્યમાન છે જ. તેના દ્વારા પ્રબોધ પ્રાપ્ત કરીને ભવ્ય જીવ આત્મકલ્યાણ
કરવામાં પ્રયત્નશીલ થઈ શકે છે. ૧૨૮.
નિશ્ચિતપણે યથાર્થસ્વરૂપે પ્રતિભાસે છે. ૧૨૯.
Page 64 of 378
PDF/HTML Page 90 of 404
single page version
स्वीकुर्वन् कृतसंवरः स्थिरमना ज्ञानी तु तत्तत्क्षणात्
नेयं तन्नयति प्रभुं स्फु टतरज्ञानैकसूतोज्झितः
થતા થકા તત્ક્ષણ અર્થાત્ ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે. તે યોગ્ય જ છે
સારથી વિનાનો હોય તો તે પોતાના લઈ જવા યોગ્ય પ્રભુ (આત્મા અને રાજા) ને
ઇષ્ટ સ્થાને લઈ જઈ શકતો નથી.
સમ્યગ્જ્ઞાન વિના કરવામાં આવેલું તપ દુઃસહ કાયકલેશોથી સંયુક્ત હોવા છતાં પણ આત્માને
મોક્ષપદમાં પહોંચાડી શકતું નથી. એ જ કારણે જે કર્મો અજ્ઞાની જીવ કરોડો ભવોમાં પણ નષ્ટ
કરી શકતો નથી તેમનો સમ્યક્જ્ઞાની જીવ ક્ષણમાત્રમાં જ નાશ કરી નાખે છે. એનું કારણ એ છે
કે અજ્ઞાની જીવને નિર્જરાની સાથો સાથ નવા કર્મોનો આસ્રવ પણ થયા કરે છે, તેથી તે કર્મરહિત
થઈ શકતો નથી. પરંતુ એનાથી ઉલ્ટું જ્ઞાની જીવને જ્યાં નવા કર્મનો આસ્રવ અટકી જાય છે ત્યાં
પૂર્વસંચિત કર્મની નિર્જરા પણ થાય છે. તેથી જ તે શીઘ્ર કર્મોથી રહિત થઈ જાય છે. ૧૩૦.
भ्राम्यन्नक्रादिकीर्णे मृतिजननलसद्वाडवावर्तगर्ते
જળજંતુઓથી પરિપૂર્ણ છે, તથા મૃત્યુ અને જન્મરૂપી વડવાગ્નિ અને વમળના ખાડારૂપ
Page 65 of 378
PDF/HTML Page 91 of 404
single page version
શક્તિરહિત છે
પાર કોઈ પણ રીતે પામી શકતો નથી. ૧૩૧.
जैनी वागमलप्रदीपकलिका न स्याद्यदि द्योतिका
प्राप्तित्यागकृते पुनस्तनुभृतां दूरे मतिस्ता
હોય તો પદાર્થોનું સારી રીતે જ્ઞાન જ થઈ શકતું નથી તો પછી એવી અવસ્થામાં
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિત્યાગ માટે પ્રાણીઓને તે પ્રકારની બુદ્ધિ કેવી રીતે
થઈ શકે? થઈ શકે નહિ. ૧૩૨.
लब्धवा स्वास्थ्यं कथमपि लसद्योगमुद्रावशेषम्
दुद्धृत्य स्वं सुखमयपदे धारयत्यात्मनैव
પ્રકારે પ્રાપ્ત કરીને આ આત્મા દુઃખોથી પરિપૂર્ણ સંસારરૂપ ખાડામાંથી પોતાને કાઢીને
પોતાની જાતે જ સુખમય પદ અર્થાત્ મોક્ષમાં ધારણ કરે છે તેથી તે આત્મા જ ધર્મ
કહેવાય છે.
Page 66 of 378
PDF/HTML Page 92 of 404
single page version
થવાથી પ્રાપ્ત થયેલી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સામગ્રી દ્વારા અનંતચતુષ્ટયરૂપ સ્વાસ્થ્યનો લાભ થાય
છે. આ અવસ્થામાં એક માત્ર ધ્યાનમુદ્રા જ બાકી રહે છે. બાકીના બધા સંકલ્પ-વિકલ્પ છૂટી જાય
છે. હવે આત્મા પોતાને પોતા દ્વારા જ સંસારરૂપ ખાડામાંથી કાઢીને મોક્ષમાં પહોંચાડી દે છે. તેથી
ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે વાસ્તવમાં આત્માનું નામ જ ધર્મ છે
नैको न क्षणिको न विश्वविततो नित्यो न चैकान्ततः
संयुक्तः स्थिरताविनाशजननैः प्रत्येकमेकक्षणे
છે અને ન નિત્ય પણ છે. પરંતુ ચૈતન્ય ગુણના આશ્રયભૂત તે આત્મા પ્રાપ્ત થયેલ
શરીર પ્રમાણે થતો થકો સ્વયં જ કર્તા અને ભોક્તા પણ છે. તે આત્મા પ્રત્યેક ક્ષણે
સ્થિરતા (ધ્રૌવ્ય), વિનાશ (વ્યય) અને જનન (ઉત્પાદ)થી યુક્ત રહે છે.
નિરાકરણ કરવા માટે અહીં
જેવો માને છે. સંસાર અવસ્થામાં પણ તેઓ તેને સ્વયં ચેતન નથી માનતા પણ ચેતન જ્ઞાનના
સમવાયથી તેને ચેતન સ્વીકારે છે. જે ઔપચારિક છે. આવી અવસ્થામાં તે સ્વરૂપથી જડ જ
કહેવાશે. તેમના આ અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે અહીં
માને છે. તેમના અભિપ્રાય પ્રમાણે તેનું અસ્તિત્વ ગર્ભથી મરણ પર્યન્ત જ રહે છે.
Page 67 of 378
PDF/HTML Page 93 of 404
single page version
સ્વીકાર કરીને તેના સિવાય સમસ્ત પદાર્થોનો નિષેધ કરે છે. લોકમાં જે વિવિધ પ્રકારના પદાર્થ
જોવામાં આવે છે તેનું કારણ અવિદ્યાજનિત સંસ્કાર છે. એમના ઉપર્યુક્ત મતનું નિરાકરણ કરતાં
અહીં
તેમના મતને દોષપૂર્ણ બતાવીને અહીં
ઠરાવીને અહીં
કર્મોનો કર્તા અને તેમના ફળનો ભોક્તા પણ છે. પ્રકૃતિ કર્તા અને પુરુષ ભોક્તા છે, આ સાંખ્ય
સિદ્ધાંત અનુસાર કર્તા એક (પ્રકૃતિ) અને ફળનો ભોક્તા બીજો (પુરુષ) હોય; એમ સંભવતું નથી.
જીવાદિ છ દ્રવ્યોમાંથી પ્રત્યેક ક્ષણે ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. કોઈ પણ દ્રવ્ય
સર્વથા ક્ષણિક અથવા નિત્ય નથી. ૧૩૪.
नित्वा नाशमुपायतस्तदखिलं जानाति ज्ञाता प्रभुः
જે કોઈ પણ છે તેણે આત્મા જાણવો જોઈએ. કારણ કે આ પ્રકારની બુદ્ધિ અન્ય
(જડ)ને થઈ શકતી નથી. વિશેષતા કેવળ એટલી છે કે આત્માને ઉત્પન્ન થયેલો
ઉપર્યુક્ત વિચાર અશુભ કર્મના ઉદયથી ભ્રાંતિયુક્ત છે. આ ભ્રાન્તિનો પ્રયત્નપૂર્વક નાશ
કરીને જ્ઞાતા સમસ્ત વિશ્વને જાણે છે.
Page 68 of 378
PDF/HTML Page 94 of 404
single page version
ંઅહીં એમ બતાવ્યું છે કે જે કોઈનેય ઉપર્યુક્ત સંદેહ થાય છે, વાસ્તવમાં તે જ આત્મા છે કારણ
કે એવો વિકલ્પ શરીર આદિ જડ પદાર્થને થઈ શકતો નથી. તે તો
થઈ શકે છે. એટલું અવશ્ય છે કે જ્યાં સુધી મિથ્યાત્વ આદિ અશુભ કર્મોનો ઉદય રહે છે ત્યાં
સુધી જીવને ઉપર્યુક્ત ભ્રાંતિ રહી શકે છે. ત્યાર પછી તે તપશ્ચરણાદિ દ્વારા જ્ઞાનાવરણાદિને નષ્ટ
કરીને પોતાના સ્વભાવાનુસાર અખિલ પદાર્થોનો જ્ઞાતા (સર્વજ્ઞ) બની જાય છે. ૧૩૫.
प्राप्तोऽपि स्फु रति स्फु टं यदहमित्युल्लेखतः संततम्
मन्तः पश्यत निश्चलेन मनसा तं तन्मुखाक्षव्रजाः
થાવ છો? ગુરુની આજ્ઞાથી પણ ભ્રમ છોડો અને અભ્યંતરમાં નિશ્ચળ મનથી તે
આત્માનું અવલોકન કરો. ૧૩૬.
भूतानन्वयतो न भूतजनितो ज्ञानी प्रकृत्या यतः
तत्रैकत्वमपि प्रमाण
જોવામાં આવતો નથી તથા તે સ્વભાવથી જ્ઞાતા પણ છે. તેને સર્વથા નિત્ય અથવા
ક્ષણિક સ્વીકારવાથી તેમાં કોઈ પ્રકારે અર્થ ક્રિયા બની શકતી નથી. તેમાં એકત્વ પણ
Page 69 of 378
PDF/HTML Page 95 of 404
single page version
જો આત્મા વ્યાપક હોય તો તેની પ્રતીતિ કેવળ શરીરમાં જ કેમ થાય? બીજે પણ થવી જોઈતી
હતી. પરંતુ શરીર સિવાય બીજે ક્યાંય પણ તેની પ્રાપ્તિ થતી નથી. તેથી નિશ્ચિત છે કે આત્મા
શરીર પ્રમાણ જ છે, નહિ કે સર્વવ્યાપક. ‘આત્મા પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો છે’ આ ચાર્વાક
મતને દૂષિત બતાવતાં અહીં એમ કહ્યું છે કે આત્મા સ્વભાવથી જ જ્ઞાતા દ્રષ્ટા છે તેથી તે
ભૂતજનિત નથી. જો એમ હોય તો આત્મામાં સ્વભાવથી ચૈતન્યગુણ પ્રાપ્ત થવો જોઈતો ન હતો.
એનું પણ કારણ એ છે કે કાર્ય પ્રાયઃ પોતાના ઉપાદાન કારણ અનુસાર જ ઉત્પન્ન થાય છે,
જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘડામાં માટીના જ ગુણ (મૂર્તિકપણું અને અચેતનપણું આદિ)
પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થયો હોત તો તેમાં ભૂતના ગુણ
અચેતનપણું આદિ જ પ્રાપ્ત થવા જોઈતા હતા, નહિ કે સ્વાભાવિક ચેતનત્વ આદિ. પરંતુ તેમાં
અચેતનપણાની વિરુદ્ધ ચેતનપણું જ પ્રાપ્ત થાય છે, માટે સિદ્ધ છે કે તે આત્મા પૃથ્વી આદિ
ભૂતોથી ઉત્પન્ન થયો નથી. આત્માને સર્વથા નિત્ય અથવા ક્ષણિક માનતાં તેમાં ઘટની જળધારણ
આદિ અર્થક્રિયાની જેમ કાંઈ પણ અર્થક્રિયા ન થઈ શકે. જેમ - જો આત્માને કૂટસ્થ નિત્ય (ત્રણે
પરિસ્પન્દનરૂપ) થઈ શકે નહિ. એવી અવસ્થામાં કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણનો અભાવ કેવી
રીતે કહી શકાશે? કારણ કે જ્યાં આત્મામાં કદી કોઈ પ્રકારનો વિકાર સંભવિત જ નથી ત્યાં
તે આત્મા જેવો ભોગરૂપ કાર્ય કરતી વખતે હતો તેવો જ તે તેના પહેલાં પણ હતો. તો પછી
શું કારણ છે કે પહેલાં પણ ભોગરૂપ કાર્ય ન હોય? કારણ હોવાથી તે હોવું જ જોઈતું હતું
અને જો તે પહેલાં ન હોય તો પછી પાછળથી પણ ઉત્પન્ન ન થવું જોઈએ. કેમ કે ભોગરૂપ
ક્રિયાનો કર્તા આત્મા સદા એકરૂપ જ રહે છે. નહિ તો તેની કૂટસ્થ નિત્યતાનો વિઘાત અવશ્ય
થાય. કારણ કે પહેલાં જે તેની અકર્તાપણારૂપ અવસ્થા હતી તેનો વિનાશ થઈને કર્તાપણારૂપ
નવી અવસ્થાનો ઉત્પાદ થયો છે. આ જ કૂટસ્થ નિત્યતાનો વિઘાત છે. એ જ રીતે જો આત્માને
સર્વથા ક્ષણિક જ માનવામાં આવે તો પણ કોઈ પ્રકારની અર્થક્રિયા થઈ શકશે નહિ કારણ કે
કોઈ પણ કાર્ય કરવા માટે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, અને ઇચ્છા આદિનું રહેવું આવશ્યક હોય છે.
તે આ ક્ષણિક એકાન્ત પક્ષમાં સંભવ નથી. એનું પણ કારણ એ છે કે જેણે પહેલાં કોઈ પદાર્થને
પ્રત્યક્ષ કરી લીધો હોય તેને જ પાછળથી તેનું સ્મરણ થાય છે અને ત્યાર પછી જ તેના ઉક્ત
અનુભૂત પદાર્થના સ્મરણપૂર્વક ફરીથી પ્રત્યક્ષ થતાં પ્રત્યભિજ્ઞાન પણ થાય છે. પરંતુ જો આત્મા
સર્વથા ક્ષણિક જ હોય તો જે ચિત્તક્ષણને પ્રત્યક્ષ થયું હતું તે તો તે જ ક્ષણે નષ્ટ થઈ ગયું
છે. એવી હાલતમાં તેના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સંભાવના કેવી રીતે કરી શકાય? તથા
ઉક્ત સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરવું અસંભવ છે. આ રીતે ક્ષણિક
Page 70 of 378
PDF/HTML Page 96 of 404
single page version
નિત્ય અથવા ક્ષણિક ન માનતાં કથંચિત્ (દ્રવ્યદ્રષ્ટિએ) નિત્ય અને કથંચિત્ (પર્યાયદ્રષ્ટિએ)
અનિત્ય સ્વીકારવા જોઈએ. જે પુરુષાદ્વૈતવાદી આત્માને પરબ્રહ્મસ્વરૂપમાં સર્વથા એક સ્વીકારીને
વિભિન્ન આત્માઓ અને અન્ય સર્વ પદાર્થોનો નિષેધ કરે છે તેમના મતનું નિરાકરણ કરતાં
અહીં એમ બતાવ્યું છે કે સર્વથા એકત્વની કલ્પના પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. જ્યાં વિવિધ
પ્રાણીઓ અને ઘટ-પટાદિ પદાર્થોની જુદી જુદી સત્તા પ્રત્યક્ષ જ સ્પષ્ટપણે દેખવામાં આવે છે
ત્યાં ઉપર્યુક્ત સર્વથા એકત્વની કલ્પના ભલા કેવી રીતે યોગ્ય કહી શકાય છે? કદાપિ નહિ.
એ જ રીતે શબ્દાદ્વૈત, વિજ્ઞાનાદ્વૈત અને ચિત્રાદ્વૈત આદિની કલ્પના પણ પ્રત્યક્ષાદિથી બાધિત
હોવાના કારણે ગ્રાહ્ય નથી; એવો નિશ્ચય કરવો જોઈએ. ૧૩૭.
सातासातगतानुभूतिकलनादात्मा न चान्या
मुक्तौ ज्ञान
પણ તેને જ થાય છે. આનાથી ભિન્ન આત્માનું બીજું સ્વરૂપ હોઈ જ શકે નહિ.
સ્થિતિ (ધ્રૌવ્ય), જન્મ (ઉત્પાદ) અને ભંગ (વ્યય) સહિત જે ચેતન આત્મા સંસાર
અવસ્થામાં કર્મોના આવરણ સહિત હોય છે તે જ મુક્તિ અવસ્થામાં કર્મમળ રહિત
થઈને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર સંયુક્ત થયો થકો ત્રણે લોકમાં ચૂડામણિ રત્ન
સમાન શ્રેષ્ઠ થઈ જાય છે.
ભોક્તા પણ થાય છે. કર્તા એક અને ફળનો ભોક્તા અન્ય જ હોય, એ કલ્પના યુક્તિ સંગત
નથી. એ સિવાય અહીં જે બે વાર
ઇશ્વર પ્રેરણાથી થાય છે તેવું જૈન સિદ્ધાંત અનુસાર સંભવિત નથી. જૈનમત પ્રમાણે આત્મા
સ્વયં કર્તા અને પોતે જ તેમના ફળનો ભોક્તા પણ છે. તથા તે જ પુરુષાર્થ પ્રગટ કરીને
કર્મમળ રહિત થયો થકો સ્વયં પરમાત્મા પણ બની જાય છે. અહીં સર્વથા નિત્યપણું અથવા
Page 71 of 378
PDF/HTML Page 97 of 404
single page version
પદાર્થ સદા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘટમાં
માટીરૂપ પૂર્વપર્યાયનો વ્યય, ઘટરૂપ નવીન પર્યાયનો ઉત્પાદ તથા પુદ્ગલ દ્રવ્ય ઉક્ત બન્નેય
અવસ્થામાં ધ્રુવ સ્વરૂપે સ્થિત રહે છે. ૧૩૮.
निक्षेपकादिभिरभिश्रयतैकचित्ताः
ગંભીર આ સંસારરૂપ સમુદ્રથી પાર થવાની ઇચ્છા રાખતા હો તો પછી એકાગ્રચિત્ત
થઈને ઉપર્યુક્ત આત્માનો આશ્રય કરો.
કહેવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદથી બે પ્રકારના છે. જે દ્રવ્યની મુખ્યતાથી
વસ્તુને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે
પર્યાયાર્થિકનય કહેવાય છે. એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે
તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનય કહેવાય છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત
ભેદરૂપ વસ્તુને ગ્રહણ કરે છે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય કહેવામાં આવે છે. જે સંગ્રહ અને
વ્યવહાર આ બન્નેય નયોના પરસ્પર ભિન્ન બન્ને (અભેદ અને ભેદ) વિષયોને ગ્રહણ કરે છે તેનું
નામ નૈગમનય છે. પર્યાયાર્થિક નય ચાર પ્રકારનો છે
તે ૠજુસૂત્રનય છે. જે લિંગ, સંખ્યા (વચન), કાળ, કારક અને પુરુષ (ઉત્તમાદિ) આદિનો
વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શબ્દનય કહે છે. લિંગવ્યભિચાર
શબ્દનયની દ્રષ્ટિએ અગ્રાહ્ય નથી. જે એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શબ્દનય
કહે છે. જેમ એક જ વ્યક્તિ ઇન્દન (શાસન) ક્રિયાના નિમિત્તે ઇન્દ્ર, શકન (સામર્થ્યરૂપ) ક્રિયાથી
Page 72 of 378
PDF/HTML Page 98 of 404
single page version
શબ્દોનો પ્રયોગ અગ્રાહ્ય છે કેમકે એક અર્થનો બોધક એક જ શબ્દ હોય છે.
તે જ સ્વરૂપે ગ્રહે છે તેને એવંભૂતનય કહે છે. આ નયની અપેક્ષાએ ઇન્દ્ર જ્યારે શાસનક્રિયામાં
પરિણત હોય ત્યારે જ તે ઇન્દ્ર શબ્દનું વાચ્ય થાય, નહિ કે અન્ય સમયમાં પણ. પ્રમાણ સમ્યગ્જ્ઞાનને
કહેવામાં આવે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારનું છે. જે જ્ઞાન ઇન્દ્રિય, મન, પ્રકાશ
અને ઉપદેશાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. તેના બે ભેદ
છે
શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ત્રણ પ્રકારનું છે.
અને તેનાથી સંબદ્ધ સંસારી પ્રાણી) પદાર્થનું ગ્રહણ કરે છે તેને અવધિજ્ઞાન કહે છે. જે જીવોના
મનોગત પદાર્થને જાણે છે તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે. સમસ્ત વિશ્વને યુગપદ ગ્રહણ કરનાર
જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. આ ત્રણેય જ્ઞાન અતીન્દ્રિય છે. નિક્ષેપ શબ્દનો અર્થ મૂકવું થાય છે.
પ્રત્યેક શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયા કરે છે. તેમાંથી ક્યા વખતે ક્યો અર્થ ઇષ્ટ છે, એ
બતાવવું તે નિક્ષેપ વિધિનું કાર્ય છે. તે નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના
છે. વસ્તુમાં વિવક્ષિત ગુણ અને ક્રિયા આદિ ન હોવા છતાં પણ કેવળ લોકવ્યવહાર માટે તેનું નામ
રાખવાને નામનિક્ષેપ કહેવાય છે. - જેમ કોઈ વ્યક્તિનું નામ લોકવ્યવહાર માટે દેવદત્ત (દેવ દ્વારા
છે’ એ પ્રકારની જે કલ્પના કરવામાં આવે છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. તે બે પ્રકારનો છે
અન્ય વસ્તુમાં જે તેની સ્થાપના કરવામાં આવે છે તેને સદ્ભાવ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે
છે
સ્થાપના નિક્ષેપ કહેવાય છે,
વસ્તુના કથનને ભાવનિક્ષેપ કહેવામાં આવે છે. આ રીતે આ નિક્ષેપોના વિધાનથી અપ્રકૃતનું નિરાકરણ
અને પ્રકૃતનું ગ્રહણ થાય છે. ૧૩૯.
तव विनिहितधामा कर्मसंश्लेषदोषः
Page 73 of 378
PDF/HTML Page 99 of 404
single page version
झटिति शिवसुखार्थी यत्नतस्तौ जहीहि
છે. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષસુખનો
અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બન્નેને છોડી દે. ૧૪૦.
संबन्धस्तेन सार्घं तदसति सति वा तत्र कौ रोषतोषौ
देवंनिश्चित्य हंस स्वबलमनुसर स्थायि मा पश्य पार्श्वम्
ભોગવવું પડે છે. તમારો તે લોક સાથે ભલા શું સંબંધ છે? અર્થાત્ કાંઈ પણ નથી.
તો પછી લોક ન હોય તો વિષાદ અને તે હોય તો હર્ષ શા માટે કરો છો? એવી
જ રીતે શરીરમાં રાગદ્વેષ ન કરવો જોઈએ, કેમ કે તે જડ (અચેતન) છે. તથા શરીર
સાથે સંબંધવાળા ઇન્દ્રિયવિષય ભોગજનિત સુખાદિકમાં પણ તમારે રાગ-દ્વેષ કરવો
ઉચિત નથી, કેમ કે તે વિનશ્વર છે. આ રીતે નિશ્ચય કરીને તમે તમારી સ્થિર
આત્મશક્તિનું અનુસરણ કરો. તે નિકટવર્તી લોકને સ્થાયી ન સમજો.
વિયોગમાં ખેદખિન્ન થવું યોગ્ય નથી. બીજું તો શું કહીએ? જે શરીર સદા આત્માની સાથે
જ રહે છે તેનો પણ સંબંધ આત્મા સાથે કાંઈ પણ નથી; કારણ કે આત્મા ચેતન છે અને
શરીર અચેતન છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો સંબંધ પણ તે જ શરીર સાથે છે, નહિ કે તે ચેતન
આત્મા સાથે. ઇન્દ્રિયવિષયભોગોથી ઉત્પન્ન થનારૂં સુખ વિનશ્વર છે
Page 74 of 378
PDF/HTML Page 100 of 404
single page version
देवत्वेऽपि न शान्तिरस्ति भवतो रम्ये ऽणिमादिश्रिया
तत्तन्नित्यपदं प्रति प्रतिदिनं रे जीव यत्नं कुरु
રમણીય દેવગતિમાં પણ તને શાન્તિ નથી. કારણ કે ત્યાંથી પણ તું મૃત્યુકાળ દ્વારા
બળજોરીથી નીચે પડાય છે. તેથી તું પ્રતિદિન તે નિત્યપદ અર્થાત્ અવિનશ્વર મોક્ષ
પ્રત્યે પ્રયત્ન કર. ૧૪૨.
प्राप्ते यत्र समस्तदुःखविरमाल्लभ्येत नित्यं सुखम्
છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યગ્જ્ઞાનના
આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત
દુઃખોથી છૂટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૧૪૩.
समस्ति यदि कौतुकं किल तवात्मनो दर्शने
कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु