Page 115 of 378
PDF/HTML Page 141 of 404
single page version
શકતો નથી પણ કેવળ તેનું રક્ષણ જ કરે છે. બરાબર એ જ રીતે તે ધનવાન મનુષ્ય પણ
જ્યારે તે ધન પોતાના ઉપભોગમાં ખરચતો નથી અને પાત્રદાનાદિ પણ કરતો નથી ત્યારે
ભલા તે નોકરની અપેક્ષાએ આનામાં શું વિશેષતા રહે છે? કાંઈ પણ નહિ. ૩૬.
दाने च संयतजनस्य सुदुःखिते च
मात्मीयमन्यदिह कस्यचिदन्यपुंसः
દુઃખી પ્રાણીઓને પણ દયાપૂર્વક દાન આપવામાં તથા પોતાના ઉપભોગમાં પણ કામ
આવે છે. તેને જ નિશ્ચયથી પોતાનું ધન સમજવું જોઈએ. તેનાથી વિપરીત જે ધન
આ ઉપર્યુક્ત કામોમાં ખરચવામાં આવતું નથી તેને કોઈ બીજા જ મનુષ્યનું ધન
સમજવું જોઈએ. ૩૭.
लक्ष्मीरतः कुरुत संततपात्रदानम्
दाकृष्यमाणमपि वर्धत एव नित्यम्
ચારે તરફથી કાઢવામાં આવતું હોવા છતાં પણ પાણી હંમેશા વધતું જ રહે છે. ૩૮.
सर्वस्य पूज्यजनपूजनहानिहेतुः
Page 116 of 378
PDF/HTML Page 142 of 404
single page version
मेकत्र जन्मनि परं प्रथयन्ति लोकाः
કોઈ વિવાહાદિ કાર્યોમાં કરવામાં આવે તો લોકો કેવળ એક જન્મમાં જ તેના
દોષમાત્રને પ્રસિદ્ધ કરે છે.
દાનાદિથી ઉત્પન્ન થનાર પુણ્ય રહિત હોવાના કારણે સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતે જે
વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં લોભ કરે છે તે બન્નેય લોકમાં પોતાનું અહિત કરે છે. એનાથી
વિપરીત જે મનુષ્ય કેવળ વિવાહાદિરૂપ ગૃહસ્થના કાર્યોમાં લોભ કરે છે તેવો માણસ કૃપણ
આદિ શબ્દો દ્વારા ફક્ત આ જન્મમાં જ તિરસ્કાર કરી શકે છે પરંતુ પરલોક તેનો સુખમય
જ વીતે છે. તેથી જ ગૃહસ્થના કાર્યોમાં કરવામાં આવતો લોભ એટલો નિન્દ્ય નથી જેટલો
ધાર્મિક કાર્યોમાં કરવામાં આવતો લોભ નિંદનીય છે. ૩૯.
रङ्कः कलङ्करहितो ऽप्यगृहीतनामा
शब्दः समुच्चलति नो जगति प्रकामम्
અર્થાત્ તેનો મનુષ્ય જન્મ લેવો વ્યર્થ થાય છે. કારણ કે તે લક્ષ્મી પ્રાપ્ત કરીને
પણ દરિદ્રી જેવો રહે છે તથા દોષોથી રહિત હોવા છતાં પણ યશસ્વી થઈ શકતો
નથી. ૪૦.
कर्मोपनीतविधिना विदधाति पूर्णम्
Page 117 of 378
PDF/HTML Page 143 of 404
single page version
मेतत्फलं यदिह संततपात्रदानम्
કરવાનું અહીં એ જ પ્રયોજન છે કે નિરંતર પાત્રદાન આપવામાં આવે. ૪૧.
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
બીજી વિપત્તિઓ જ છે એમ સાધુપુરુષો કહે છે.
ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પણ એનાથી ઉલ્ટું જો તેનો દુરુપયોગ ખોટા વ્યસનાદિમાં કરવામાં
આવે અથવા દાન અને ભોગરહિત કેવળ તેનો જ સંચય જ કરવામાં આવે તો તે મનુષ્યોને
વિપત્તિજનક જ થાય છે. એનું કારણ એ છે કે સુખનું કારણ જે પુણ્ય છે તેનો જ સંચય તેમણે
પાત્રદાનાદિરૂપ સત્કાર્યો દ્વારા કદી કર્યો જ નથી. ૪૨.
व्यावर्तते पितृववान्ननु बन्धुवर्गः
पुण्यं भविष्यति ततः क्रियतां तदेव
Page 118 of 378
PDF/HTML Page 144 of 404
single page version
હે ભવ્ય જીવો! તમે તે જ પુણ્યનું ઉપાર્જન કરો. ૪૩.
विद्यावपुर्धनगृहाणि कुले च जन्म
तस्मात् किमत्र सततं क्रियते न यत्नः
દ્વારા જ પ્રાપ્ત થાય છે. તો પછી હે ભવ્ય જન! તમે તે પાત્રદાનની બાબતમાં નિરંતર
પ્રયત્ન કેમ નથી કરતા? ૪૪.
रर्थेन तावदिह कारयितव्यमास्ते
संचिन्तयन्नपि गृही मृतिमेति मूढः
વધારે ધન થશે તો ધર્મના નિમિત્તે દાન કરીશ. આમ વિચાર કરતા કરતા જ
તે મૂર્ખ ગૃહસ્થ મરણ પામી જાય છે. ૪૫.
निर्भोगदानधनबन्धनबद्धमूर्तेः
र्व्याहूतकाककुल एव बलिं स भुङ्क्ते
Page 119 of 378
PDF/HTML Page 145 of 404
single page version
કાંઈ પણ લાભ નથી. તેની અપેક્ષાએ તો તે કાગડો જ સારો છે જે ઊંચા અનેક
વચનો (કા, કા) દ્વારા બીજા કાગડાઓને બોલાવીને જ બલિ (શ્રાદ્ધમાં અપાયેલું દ્રવ્ય)
ખાય છે. ૪૬.
व्यावर्तनप्रसृतखेदभरातिखिन्नाः
पूर्णा इवानिशमबाधमतिस्वपन्ति
મનુષ્યના ઘરને પ્રાપ્ત કરીને અનંત
પુણ્યથી પ્રાપ્ત થયેલ તે ધનનો ઉપયોગ ન તો પાત્રદાનમાં કરે છે અને ન પોતાના ઉપયોગમાં ય.
તે કેવળ તેનું સંરક્ષણ જ કરે છે. આ બાબતમાં ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે કે તે ધન એમ વિચારી
જ જાણે કે ‘મને દાની પુરુષોને ત્યાં વારંવાર જવા
નિશ્ચિન્ત રીતે સૂવે છે. ૪૭.
मध्यं व्रतेन रहितं सु
युग्मोज्झितं नरमपात्रमिदं च विद्धि
Page 120 of 378
PDF/HTML Page 146 of 404
single page version
કરનાર મનુષ્યોને કુપાત્ર અને બન્ને (સમ્યગ્દર્શન તથા વ્રત) થી રહિત મનુષ્યને અપાત્ર
સમજો. ૪૮.
मेतद्विशेषणविशिष्टमदुष्टभावात्
થાય છે (જુઓ પાછળના શ્લોક ૨૦૪નો વિશેષાર્થ). અથવા ઘણું કહેવાથી શું? અન્ય
પ્રકારના અર્થાત્ દૂષિત હૃદયમાં પણ તે દાનનું ફળ સ્વભાવથી અનેક પ્રકારનું પ્રાપ્ત
થાય છે. ૪૯.
दानानि तानि कथितानि महाफलानि
दानानि निश्चितमवद्यकराणि यस्मात्
ગાય, સોનું, પૃથ્વી, રથ અને સ્ત્રી આદિનાં દાન મહાન ફળ આપનાર નથી; કેમ
કે તે નિશ્ચયથી પાપ ઉત્પાદક છે. ૫૦.
तत्तत्र संस्कृतिनिमित्तमिह प्ररूढम्
Page 121 of 378
PDF/HTML Page 147 of 404
single page version
जैनं च शासनमतः कृतमस्ति दातुः
સુધી રહે છે. તેથી તે દાતા દ્વારા જૈન શાસન જ કરવામાં આવ્યું છે. ૫૧.
कार्पण्यपूर्णहृदयाय न रोचते ऽदः
तेजो रवेरिव सदा हतकौशिकाय
મનુષ્ય)ને કદી રુચતો નથી. જેમ દોષો અર્થાત્ રાત્રિના સંસર્ગ રહિત હોવાને લીધે
સમસ્ત પ્રાણીઓને સુખ આપનાર સૂર્યનું તેજ નિન્દનીય ઘુવડને રુચિકર લાગતું
નથી. ૫૨.
मासन्नभव्यपुरुषस्य न चेतरस्य
दिन्दीवरं हसति चन्द्रकरैर्न चाश्मा
જ રીતે ચન્દ્રકિરણો દ્વારા શ્વેત કમળ પ્રફુલ્લિત થાય છે, પરંતુ પથ્થર પ્રફુલ્લિત થતો
નથી. ૫૩.
Page 122 of 378
PDF/HTML Page 148 of 404
single page version
पद्मद्वयस्मरणसंजनितप्रभावः
पञ्चाशतं ललितवर्णचयं चकार
મુનિએ લલિત વર્ણોના સમૂહથી સંયુક્ત આ બે અધિક દાનપંચાશત્ અર્થાત્ બાવન
પદ્યોવાળા દાનપ્રકરણની રચના કરી છે. ૫૪.
Page 123 of 378
PDF/HTML Page 149 of 404
single page version
પણ મોહ રૂપી શત્રુનો ઘાત કરવા માટે તીક્ષ્ણ તલવારનું કામ કરે છે તે જિન ભગવાન
જયવંત હો .૧.
विद्रात्यम्बुजपत्रवद्दहनतो ऽभ्यासस्थिताद्यद्ध्रुवम्
भ्रातः कात्र शरीरके स्थितिमतिर्नाशेऽस्य को विस्मयः
કમળના પાંદડાની જેમ મ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ
દ્વારા અકસ્માત્ નાશ પામે છે; હે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ
ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્ચર્ય જ શું છે? અર્થાત્
Page 124 of 378
PDF/HTML Page 150 of 404
single page version
જોઈએ. ૨.
विण्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે, તે
ક્લેશયુક્ત શરીરરૂપી ઝુંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે
પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૩.
दुर्वाताहतवारिवाहस
तस्मादेतदुपप्लवाप्तिविषये शोकेन किं किं मुदा
વાદળાઓ સમાન જોત જોતામાં જ વિલીન થઈ જાય છે; તથા ઇન્દ્રિયવિષયજન્ય સુખ
સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં
શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.
અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી અને પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન
પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને
વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૪.
Page 125 of 378
PDF/HTML Page 151 of 404
single page version
संबन्धो यदि विग्रहेण यदयं संभूतिधात्र्येतयोः
येनास्य प्रभवः पुरः पुनरपि प्रायो न संभाव्यते
મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ
નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાયઃ (ઘણું કરીને)
સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૫.
यच्छोकं कुरुते तदत्र नितरामुन्मत्तलीलायितम्
नश्यन्त्येव नरस्य मूढमनसो धर्मार्थकामादयः
છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ
થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ
નષ્ટ થાય છે. ૬.
शरीरमेत्तन्ननु सर्वदेहिनाम्
करोति कः शोकमतः प्रबुद्धधीः
Page 126 of 378
PDF/HTML Page 152 of 404
single page version
પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક
કરે? અર્થાત્ તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી.
વિષયમાં શોક કરવો વિવેકહીનતાનું દ્યોતક છે. ૭.
ઉત્પન્ન થાય છે તેઓ મરે પણ છે. તો પછી બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં
હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. ૮.
यच्छोकः क्रियते तदत्र तमसि प्रारभ्यते नर्तनम्
निर्धूताखिलदुःखसंततिरहो धर्मः सदा सेव्यताम्
સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે, એમ ઉત્તમ બુદ્ધિદ્વારા જાણીને સમસ્ત
દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો.
Page 127 of 378
PDF/HTML Page 153 of 404
single page version
સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરાવે છે તેનું જ આરાધન કરવું જોઈએ. ૯.
तज्जायेत तदैव तस्य भविनो ज्ञात्वा तदेतद्ध्रुवम्
सर्पे दूरमुपागते किमिति भोस्तद्घृष्टिराहन्यते
મરણ થવા છતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો.
ઠીક છે
सा माभूदथवा स्वकर्मवशतस्तस्मान्न ते ता
ये कुर्वन्ति शुचं मृते सति निजे पापाय दुःखाय च
ન યે થાય તોપણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ખોને મૂર્ખોમાં શ્રેષ્ઠ
અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને
દુઃખના નિમિત્તભૂત શોકને દૂર કરે છે.
એટલા બધા જડ (મૂર્ખ) ગણવામાં આવતા નથી. પરંતુ જે મનુષ્ય કોઈ ઇષ્ટ જનનો વિયોગ થતાં
શોક કરે છે તેમને મૂર્ખ જ નહિ પણ મૂર્ખશિરોમણિ (અતિશય જડ) ગણવામાં આવે છે. કારણ
એ છે કે મૂર્ખ સમજવામાં આવતા તે પ્રાણીઓ તો આવેલું દુઃખ દૂર કરવા માટે જ કાંઈ ને કાંઈ
Page 128 of 378
PDF/HTML Page 154 of 404
single page version
ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એનું પણ કારણ એ છે કે તે શોકથી
निःशेषं जगदिन्द्रजालस
तत्किंचित्कुरु येन नित्यपरमानन्दास्पदं गच्छसि
સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો,
સાંભળો છો અને પ્રત્યક્ષપણે દેખો છો. તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી
મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન
કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૧૨.
प्राप्ते पुनस्त्रिभुवने ऽपि न रक्षकोऽस्ति
पूत्कृत्य रोदिति वने विजने स मूढः
મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂમો પાડીને રુદન કરે છે.
અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રુદન કરનારના
રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઇષ્ટ જન મૃત્યુ પામતાં,
તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પરંતુ તેથી દુઃખદાયક
નવીન કર્મોનો જ બંધ થાય છે. ૧૩.
Page 129 of 378
PDF/HTML Page 155 of 404
single page version
पापेन तद्भवति जीव पुराकृतेन
पापस्य तौ न भवतः पुरतोऽपि येन
તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બન્ને (ઇષ્ટ વિયોગ
અને અનિષ્ટસંયોગ) ન થઈ શકે. ૧૪.
तल्लाभो ऽथ यशोऽथ सौख्यमथ वा धर्मो ऽथ वा स्याद्यदि
प्रायस्तत्र सुधीर्मुधा भवति कः शोकोग्ररक्षोवशः
શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે
ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી ક્યો
બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ
નહીં. ૧૫.
प्रातः प्रयान्ति सहसा सकलासु दिक्षु
लोकाः श्रयन्ति विदुषा खलु शोच्यते कः
Page 130 of 378
PDF/HTML Page 156 of 404
single page version
જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો
આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૧૬.
तस्मिन् दुर्गतिपल्लिपातिकुपथैर्भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
प्राप्यालोक्य च सत्पथं सुखपदं याति प्रबुद्धो ध्रुवम्
ખોટા માર્ગે પરિભ્રમણ કરે છે. તે (સંસાર
સમીચીન માર્ગ જોઈને નિશ્ચયથી સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
દીવો પ્રાપ્ત થઈ જાય છે તો તે તેના સહારે યોગ્ય માર્ગની ખોજ કરીને તેના દ્વારા ઇષ્ટ સ્થાનમાં
પહોંચી જાય છે. બરાબર એવી જ રીતે આ સંસારી પ્રાણી પણ દુઃખોથી ભરેલા આ અજ્ઞાનમય
સંસારમાં મિથ્યાદર્શનાદિને વશીભૂત થઈને નરકાદિ દુર્ગતિઓમાં પહોંચે છે અને ત્યાં અનેક પ્રકારના
કષ્ટો સહે છે. તેને જ્યારે નિર્મળ સદ્ગુરુનો ઉપદેશ મળે છે ત્યારે તે તેમાંથી પ્રબુદ્ધ થઈને
મોક્ષમાર્ગનો આશ્રય કરે છે અને તેના દ્વારા મુક્તિપુરીમાં જઈ પહોંચે છે. ૧૭.
स्तत्रैव याति मरणं न पुरो न पश्चात्
शोकं परं प्रचुरदुःखभुजो भवन्ति
Page 131 of 378
PDF/HTML Page 157 of 404
single page version
મરે છે અને ન પછી, પણ છતાં ય મૂર્ખ મનુષ્યો પોતાના કોઈ સંબંધીનું મૃત્યુ
થતાં અતિશય શોક કરીને બહુ જ દુઃખ ભોગવે છે. ૧૮.
जीवा यान्ति भवाद्भवान्तरमिहाश्रोन्तं तथा संसृतौ
प्रायः प्रारभते ऽधिगम्य मतिमानस्थैर्यमित्यङ्गिनाम्
પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપર્યુક્ત પ્રકારે
પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતા
નથી અને તેનું મૃત્યુ થતાં શોક પામતાં નથી. ૧૯.
मानुष्यं यदि दुष्कुले तदघतः प्राप्तं पुनर्नश्यति
द्राग्बाल्ये ऽपि ततो ऽपि नो वृष इति प्राप्ते प्रयत्नो वरः
પર્યાય ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી
લે છે તો પણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક
જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ય ઉત્પન્ન થયો તોપણ ત્યાં
તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા
બાલ્યાવસ્થામાં પણ શીધ્ર મરણ પામી જાય છે. તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ
Page 132 of 378
PDF/HTML Page 158 of 404
single page version
વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૨૦.
प्रतिक्षणमिदं जगज्जलदकूटवन्नश्यति
प्रियेऽपि किमहो मुदा किमु शुचा प्रबुद्धात्मनः
અને નષ્ટ પણ અવશ્ય થાય છે. આ કારણે અહીં જ્ઞાની જીવને કોઈ પ્રિયજનનો જન્મ
થતાં હર્ષ અને તેનું મરણ થતાં શોક કેમ થવો જોઈએ? અર્થાત્ ન થવો જોઈએ. ૨૧.
सा वेला तु मृतेर्नृपक्ष्मचलनस्तोकापि देवैरपि
कः सर्वत्र दुरन्तदुःखजनकं शोकं विदध्यात् सुधीः
પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટ જનનું મૃત્યુ થતાં ક્યો બુદ્ધિમાન
મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે?
અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન્ શોક કરતો નથી. ૨૨.
जाते यच्च मुदं तदुन्नतधियो जल्पन्ति वातूलताम्
मृत्यूत्पत्तिपरम्परामयमिदं सर्वं जगत्सर्वदा
Page 133 of 378
PDF/HTML Page 159 of 404
single page version
ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી
પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતા કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી
સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૨૩.
संसारे बहुदुःखजालजटिले शोकीभवत्यापदि
कः कृत्वा भयदादमङ्गलकृते भावाद्भवेच्छङ्कितः
છે. બરાબર છે
કદી શંકિત થાય? અર્થાત્ ન થાય.
જોઈએ. છતાં જો એવી આપત્તિઓ આવતાં પ્રાણી શોકાદિથી સંતપ્ત થાય છે તો એમાં તેની
અજ્ઞાનતા જ કારણ છે કેમ કે જ્યારે સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તો આપત્તિઓનું આવવું
જવું તો રહેવાનું જ. તો પછી એમાં રહેતા થકા ભલા હર્ષ અને વિષાદ કરવાથી ક્યું પ્રયોજન સિદ્ધ
થવાનું? ૨૪.
लभत उदयमस्तं पूर्णतां हीनतां च
स्तनुमिह तनुतस्तत्कात्र मुत्कश्च शोकः
Page 134 of 378
PDF/HTML Page 160 of 404
single page version
અને કળાઓની હાનિ
રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ
ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી
પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં
સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવો જોઈએ?
અર્થાત્ ન કરવા જોઈએ . ૨૫.
किमिति तदभिघाते खिद्यते बुद्धिमद्भिः
व्यभिचरति कदाचित्सर्वभावेषु नूनम्
છે? અર્થાત્ તેમનો નશ્વર સ્વભાવ જાણીને તેમણે ખેદખિન્ન ન થવું જોઈએ. જેવી
રીતે ઉષ્ણતા અગ્નિનો વ્યભિચાર કરતી નથી અર્થાત્ તે સદા અગ્નિ હોય ત્યાં હોય
છે અને તેના અભાવમાં કદી પણ નથી હોતી; બરાબર એવી જ રીતે સ્થિતિ (ધ્રૌવ્ય),
ઉત્પાદ અને વ્યય પણ નિશ્ચયથી પદાર્થો હોય ત્યાં અવશ્ય હોય છે અને તેમના
અભાવમાં કદી પણ હોતા નથી. ૨૬.
जनयति तदसातं कर्म यच्चाग्रतो ऽपि
वट इव तनुबीजं त्यज्यतां स प्रयत्नात्