Page 95 of 378
PDF/HTML Page 121 of 404
single page version
धारावेश्मसमो हि संसृतिपथे धर्मो भवेद्देहिनः
લાંબા સમયથી માર્ગના શ્રમથી પીડા પામ્યો છે તેને જેમ તરત જ હિમાલયની
લત્તાઓથી બનેલ અને ઉત્કૃષ્ટ ફુવારાઓથી શોભાયમાન ધારાગૃહ પ્રાપ્ત થતાં અપૂર્વ
સુખનો અનુભવ થાય છે તેવી જ રીતે સંસારમાર્ગમાં ચાલતા પ્રાણીને ધર્મથી અભૂતપૂર્વ
સુખનો અનુભવ થાય છે. ૧૯૨.
तुङ्गोर्मिभ्रमितोरुनक्रमकरग्राहादिभिर्भीषणे
ज्जन्तोःखे ऽपि विमानमाशु कुरुते धर्मः समालम्बनम्
મગર અને ગ્રાહ આદિ હિંસક જળજંતુઓથી ભય ઉત્પન્ન કરનાર છે તથા કંપિત
તીક્ષ્ણ વાડવાગ્નિની જ્વાળાથી ભયાનક છે એવા તે સમુદ્રમાં પડતા જીવોને ધર્મ
શીઘ્રતાથી આકાશમાં પણ આલંબનભૂત વિમાન કરી દે છે. ૧૯૩.
र्गीयन्ते किन्नरीभिर्ललितपदलसद्गीतिभिर्भक्तिरागात्
लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम्
Page 96 of 378
PDF/HTML Page 122 of 404
single page version
લલિત પદોથી શોભાયમાન ગીતો દ્વારા તેમના ભક્તિપૂર્વક ગુણગાન કરે છે તથા
તેમનો યશ પ્રત્યેક દિશામાં વારંવાર ભ્રમણ કરે છે અર્થાત્ તેમની કીર્તિ બધી
જ દિશામાં ફેલાઈ જાય છે. અથવા તેમને કઈ પ્રશસ્ત લક્ષ્મી પ્રાપ્ત થતી નથી?
અર્થાત્ તેમને બધા જ પ્રકારની શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. ૧૯૪.
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्
धर्मो भ्रातरुपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः
અથવા ચિન્તામણિ સમાન ઇષ્ટ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ
સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત
સમાન છે. તેથી હે ભાઈ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની
આરાધના કરો. ૧૯૫.
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः संपदः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्
તેમને ત્રણ લોકમાં કઈ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી? યોગ્ય જ છે. ઉત્તમ જળ પીવા
અને તેમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારૂં સુખ તો દૂર રહો, પરંતુ તળાવના શીતળ
Page 97 of 378
PDF/HTML Page 123 of 404
single page version
બનાવી દે છે. ૧૯૬.
लग्नैः शिरस्यमलबोधकलावतारः
स श्रीगुरुर्दिशतु मे मुनिवीरनन्दी
શ્રીમુનિ વીરનન્દી ગુરુ મને મોક્ષ પ્રદાન કરો. ૧૯૭.
प्रायो दुर्लभमत्र कर्णपुटकैर्भव्यात्मभिः पीयताम्
स्तोकं यद्यपि सारताधिकमिदं धर्मोपदेशामृतम्
જીવ કાનોરૂપ અંજલિથી પીઓ અર્થાત્ કાનો દ્વારા તેનું શ્રવણ કરો. મુનિ
પદ્મનન્દિના મુખરૂપ ચંદ્રમાંથી નીકળેલ આ ઉપદેશામૃત જો કે અલ્પ છે તોપણ
શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે અધિક છે.
જીવોના સંસાર પરિભ્રમણનું દુઃખ દૂર થઈ જાય છે અને તેમને અનંત સુખનો લાભ થાય
Page 98 of 378
PDF/HTML Page 124 of 404
single page version
ઉત્પન્ન થાય છે તો આ ઉપદેશ તે ચન્દ્રમા સમાન મુનિ પદ્મનન્દીના મુખમાંથી ઉત્પન્ન થયો
છે તથા જેમ અમૃત થોડું હોય તોપણ તે અધિક લાભકારી થાય છે તેવી જ રીતે જ આ
ગ્રંથપ્રમાણની અપેક્ષાએ આ ઉપદેશ જો કે થોડો છે છતાં પણ તે લાભપ્રદ અધિક છે. આ
રીતે આ ઉપદેશને અમૃત સમાન હિતકારી જાણીને ભવ્ય જીવોએ તેનુ નિરન્તર મનન કરવું
જોઈએ. ૧૯૮.
Page 99 of 378
PDF/HTML Page 125 of 404
single page version
श्रेयो नृपश्च कुरुगोत्रगृहप्रदीपः
सारक्रमे परमधर्मरथस्य चक्रे
જિનેન્દ્ર અને કુરુવંશરૂપ ગૃહના દીપક સમાન રાજા શ્રેયાંસ પણ જયવંત હો.
તેઓ દસ પ્રકારના કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા યથેચ્છ ભોગ ભોગવતા થકા કાળ
નિર્ગમન કરતા હતા, કાળક્રમે જ્યારે તૃતીય કાળમાં પલ્યનો આઠમો ભાગ
અનુભવ થયો તેને યથાક્રમે ઉત્પન્ન થનાર પ્રતિશ્રુતિ આદિ ચૌદ કુલકરોએ દૂર કર્યો હતો. તેમાં
અંતિમ કુલકર નાભિરાજ હતા. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ તેમના જ પુત્ર હતા. અત્યાર
સુધી જે વ્રતોનો પ્રચાર નહોતો તેને ભગવાન આદિનાથે પોતે જ પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરીને
પ્રચલિત કર્યો. એ જ પ્રમાણે અત્યાર સુધી કોઈને દાનવિધિનું પણ પરિજ્ઞાન નહોતું. એ જ કારણે
છ માસના ઉપવાસ પરિપૂર્ણ કરીને ભગવાન આદિ જિનેન્દ્રને પારણાના નિમિત્તે બીજા પણ છ માસ
પર્યંત ઘૂમવું પડ્યું. અંતે રાજા શ્રેયાંસને જાતિસ્મરણ દ્વારા આહાર-દાનની વિધિનું પરિજ્ઞાન થયું.
Page 100 of 378
PDF/HTML Page 126 of 404
single page version
આહારાદિ દાનોની વિધિનો પણ પ્રચાર શરૂ થઈ ગયો. આ રીતે ભગવાન આદિનાથે વ્રતોનો પ્રચાર
કરીને તથા શ્રેયાંસ રાજાએ દાનવિધિનો પણ પ્રચાર કરીને જગતનું કલ્યાણ કર્યું છે. તેથી ગ્રંથકાર
શ્રી પદ્મનંદી મુનિએ અહીં તીર્થના પ્રવર્તક સ્વરૂપે ભગવાન આદિ જિનેન્દ્રનું તથા દાનતીર્થના પ્રવર્તક
સ્વરૂપે શ્રેયાંસ રાજાનું સ્મરણ કર્યું છે. ૧.
भ्राम्यद्यशोभृतजगत्रितयस्य तस्य
त्रैलोक्यवन्दितपदेन जिनेश्वरेण
ધવળ યશ ત્રણે લોકમાં ફેલાયો તે શ્રેયાંસ રાજાનું કેટલું વર્ણન કરવું? ૨.
આકાશમાંથી તે રત્નવૃષ્ટિ થઈ કે જેના દ્વારા આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવી
સાર્થક સંજ્ઞા પામી હતી; તે શ્રેયાંસ રાજા જયવંત હો.
જય શબ્દનો પ્રસાર (૪) સુગંધી વાયુનો સંચાર અને (૫) પુષ્પોની વર્ષા. (જુઓ તિ. પ.
ગાથા ૪, ૬૭૧ થી ૬૭૪). તે પ્રમાણે ભગવાન આદિનાથે જ્યારે રાજા શ્રેયાંસને ઘેર પ્રથમ
પારણું કર્યું હતું. ત્યારે તેના ઘરમાં પણ રત્નોનો વરસાદ વરસ્યો હતો. તેનો જ નિર્દેશ અહીં
શ્રી પદ્મનંદી મુનિએ કર્યો છે. ૩.
Page 101 of 378
PDF/HTML Page 127 of 404
single page version
स्वप्नेन्द्रजालस
कारुण्यतः खलु तदुद्धरणाय किंचित्
લોભરૂપ અંધકારયુક્ત કૂવામાં પડેલા છે તેમના ઉદ્ધાર માટે દયાળુ બુદ્ધિથી અહીં
કેટલુંક દાનનું વર્ણન કર્યું છે. ૪.
ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત
ગુણોમાં શ્રેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે.
નષ્ટ કરવાનો જો તેની પાસે કોઈ ઉપાય હોય તો તે દાન જ છે. આ દાન સંસારરૂપી સમુદ્રથી
પાર થવાને માટે જહાજ સમાન છે. ૫.
सत्पात्रदानविधिरेव गृहस्थतायाः
नावः समुद्र इव कर्मठकर्णधारः
Page 102 of 378
PDF/HTML Page 128 of 404
single page version
સત્પાત્રદાનની વિધિ જ છે જેમ સમુદ્રથી પાર થવા માટે ચતુર નાવિકથી સંચાલિત
નાવ કારણ છે.
પાત્ર, વિકળ ચારિત્ર (દેશવ્રત) ધારણ કરનાર શ્રાવકને મધ્યમ પાત્ર અને વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિને
જઘન્ય પાત્ર સમજવા જોઈએ. આ પાત્રોને જો મિથ્યાદ્રષ્ટિ જીવ આહારાદિ આપે છે તો તે યથાક્રમે
(ઉત્તમ પાત્ર આદિ અનુસાર) ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભોગભૂમિના સુખ ભોગવીને ત્યાર પછી
યથા સંભવ દેવપર્યાયને પ્રાપ્ત કરે છે, પણ જો ઉપર્યુક્ત પાત્રોને જ સમ્યગ્દ્રષ્ટિ જીવ આહાર આદિ
આપે છે તો તે નિયમથી ઉત્તમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ એ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને
એક માત્ર દેવાયુનો જ બંધ થાય છે. આમના સિવાય જે જીવ સમ્યગ્દર્શનથી રહિત હોવા છતાં
પણ વ્રતોનું પરિપાલન કરે છે તે કુપાત્ર કહેવાય છે. કુપાત્રદાનના પ્રભાવથી પ્રાણી કુભોગભૂમિઓ
(અંતરદ્વીપો)માં કુમનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. જે પ્રાણી ન તો સમ્યગ્દ્રષ્ટિ છે, અને ન વ્રતોનું
પણ પાલન કરે છે તે અપાત્ર કહેવાય છે અને એવા અપાત્રને આપવામાં આવેલું દાન વ્યર્થ જાય
છે
આપવામાં આવેલું દાન (દયાદત્તિ) વ્યર્થ નથી જતું. પરંતુ તેનાથી ય યથાયોગ્ય પુણ્ય કર્મનો બંધ
અવશ્ય થાય છે. ૬.
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
જ થાય છે, એનાથી વિરુદ્ધ દુર્વ્યસનાદિમાં તેનો ઉપયોગ કરવાથી પ્રાણીને કષ્ટ
જ ભોગવવા પડે છે; એવું સાધુજનોનું કહેવું છે. ૭.
Page 103 of 378
PDF/HTML Page 129 of 404
single page version
नष्टा रमापि पुनरेति कदाचिदत्र
क्षेत्रस्थबीजमिव कोटिगुणं वटस्थ
આપવામાં આવેલ દાનની વિધિથી વ્યય પામેલી સંપત્તિ ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય
છે. જેમ ઉત્તમ ભૂમિમાં વાવેલું વડવૃક્ષનું બીજ કરોડગણું ફળ આપે છે. ૮.
भक्त्याश्रितः शिवपथे न धृतः स एव
मुच्चैः पदं व्रजति तत्सहितोऽपि शिल्पी
તેણે મોક્ષમાર્ગમાં લગાવી છે. બરાબર જ છે
આપનાર ગૃહસ્થ પણ ઉક્ત મુનિની સાથે જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. ૯.
बुद्धिः प्रयच्छति जनो मुनिपुंगवाय
क्षेत्रे न किं भवति भूरि कृषीवलस्य
Page 104 of 378
PDF/HTML Page 130 of 404
single page version
पात्राय यच्छति जनो ननु भुक्ति मात्रम्
पुण्ये हरिर्भवति सोऽपि कृताभिलाषः
કારણસ્વરૂપ પુણ્યના વિષયમાં તે ઇન્દ્ર પણ અભિલાષા યુક્ત હોય છે. અભિપ્રાય એમ
છે કે એનાથી જે તેને પુણ્યની પ્રાપ્તિ થવાની છે તેને ઇન્દ્ર પણ ઇચ્છે છે. ૧૧.
तद्धार्यते मुनिभिरङ्गबलात्तदन्नात्
तस्माद्धृतो गृहिजनेन विमुक्ति मार्गः
ભોજનથી પ્રાપ્ત થાય છે અને તે ભોજન અતિશય ભક્તિપૂર્વક ગૃહસ્થ દ્વારા આપવામાં
આવે છે. એ જ કારણે વાસ્તવમાં તે મોક્ષમાર્ગ ગૃહસ્થોએ જ ધારણ કર્યો છે. ૧૨.
खञ्जीकृतानि गृहिणो न तथा व्रतानि
प्रीत्यातिशुद्धमनसा कृतपात्रदानम्
Page 105 of 378
PDF/HTML Page 131 of 404
single page version
અનેક ઝંઝટોથી ઉત્પન્ન થયેલ પાપ સમૂહો દ્વારા કૂબડા અર્થાત્ શક્તિહીન કરવામાં
આવેલા ગૃહસ્થના વ્રત કરતા નથી. ૧૩.
यावच्छिवं सरिदिवानिशमासमुद्रम्
સાથે નિરંતર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી થકી મોક્ષપર્યંત જાય છે
છે.
જ ક્રમે વધતા જાય છે. તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવની ધન
તેના પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થવા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામતી જાય છે. તેની સાથે જ ઉક્ત
દાતા શ્રાવકની કીર્તિનો પ્રસાર પણ વધતો જાય છે. ૧૪.
शुद्धात्मनो भुवि यतः पुरुषार्थसिद्धिः
सा लीलयैव कृतपात्रजनानुषंगात्
Page 106 of 378
PDF/HTML Page 132 of 404
single page version
આવેલ ચાર પ્રકારના દાનથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. ૧૫.
राशु क्षयं व्रजति तद्दुरितं समस्तम्
संसारमुत्तरति सोऽत्र नरो न चित्तम्
ભોજન, ઔષધ અને મઠ (ઉપાશ્રય) આદિ દ્વારા ઉપકાર કરે છે તે જો સંસારથી
પાર થઈ જાય છે તો તેમાં ભલા આશ્ચર્ય જ શું છે? કાંઈ પણ નહિ. ૧૬.
नित्यं पवित्रितधराग्रशिरःप्रदेशाः
નથી તે ઘર શું છે? અર્થાત્ એવા ગૃહોનું કાંઈ પણ મહત્ત્વ નથી. એ જ રીતે સ્મરણ
વશે પોતાના ચરણ જળ દ્વારા શ્રાવકોના શિર પ્રદેશોને પવિત્ર કરનાર તે મુનિઓ
જે શ્રાવકોનાં મનમાં સંચાર કરતા નથી તે શ્રાવક પણ શું છે? અર્થાત્ તેમનું કાંઈ
પણ મહત્ત્વ નથી.
મનથી ચિંતન કરે છે તથા તેમને આહારાદિ આપવામાં સદા ઉત્સુક રહે છે તે જ ગૃહસ્થ
પ્રશંસાને યોગ્ય છે. ૧૭.
Page 107 of 378
PDF/HTML Page 133 of 404
single page version
धर्मः स किं न करुणाङ्गिषु यत्र मुख्या
सा किं विभूतिरिह यत्र न पात्रदानम्
તેને શું ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જેમાં સમ્યગ્જ્ઞાન નથી તે શું તપ અને
ગુરુ હોઈ શકે છે? હોઈ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું
નથી તે સંપત્તિ શું સફળ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૮.
सा किं विभूतिरथ या न वशं प्रयाति
धर्मो जगत्त्रयवशीकरणैकमन्त्रः
એવા ક્યા ગુણ છે જે તેના વશ ન થઈ શકે? તે ક્યું સુખ છે જે તેને પ્રાપ્ત ન
થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા
મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેવ પ્રાપ્ત
થઈ જાય છે. ૧૯.
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः
दागामिकालफलदायि न तस्य किंचित्
Page 108 of 378
PDF/HTML Page 134 of 404
single page version
પ્રથમ મનુષ્યની અપેક્ષાએ દ્વિતીય મનુષ્ય દરિદ્ર જ છે કારણ કે તેની પાસે
આગામી કાળમાં ફળ આપનાર કાંઈ પણ બાકી નથી.
સુખી રહેશે. પણ જે વ્યક્તિએ એવા પુણ્યનો સંચય કર્યો નથી તે વર્તમાનમાં રાજ્યલક્ષ્મીથી સંપન્ન
હોવા છતાં પણ ભવિષ્યમાં દુઃખી જ રહેશે. ૨૦.
नैवं श्रुतं च परमोपशमाय नित्यम्
संसारदुःखमृतिजातिनिबन्धनाय
મરણ અને જન્મના કારણભૂત મરણ માટે જ હોય છે.
વારંવાર જન્મ-મરણ ધારણ કરતો સાંસારિક દુઃખ જ સહન કર્યા કરે છે. ૨૧.
संसारसागरसमुत्तरणैकसेतुः
देवे गुरौ शमिनि पूजनदानहीना
Page 109 of 378
PDF/HTML Page 135 of 404
single page version
એવો વૈભવ એક માત્ર બંધનું જ કારણ થાય છે. ૨૨.
कार्यानुबन्धविधुराश्रितचित्तवृत्तिः
दुलँङ्घदुर्गतिकरी न पुनविभूतिः
વિપુલ અને તીવ્ર દુઃખોથી પરિપૂર્ણ દુર્લંઘ્ય નરકાદિરૂપ દુર્ગતિ કરનારી વિભૂતિ શ્રેષ્ઠ
નથી. ૨૩.
दानं न संयतजनाय च भक्ति पूर्वम्
शीघ्रं जलाञ्जलिरगाधजले प्रविश्य
તે ગૃહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીઘ્ર ડૂબાડી ન દેવી જોઈએ?
અર્થાત્ અવશ્ય ડૂબાડી દેવી જોઈએ. ૨૪.
मानुष्यजन्मनि चिरादतिदुःखलब्धे
जायेत चेदहरहः किल पात्रदानम्
Page 110 of 378
PDF/HTML Page 136 of 404
single page version
જો કદાચ તે તપ ન કરી શકાય તો અણુવ્રતી જ થઈ જવું જોઈએ કે જેથી પ્રતિદિન
પાત્રદાન થઈ શકે. ૨૫.
पाथेयमुन्नततरं स सुखी मनुष्यः
दानेन चार्जितशुभं सुखहेतुरेकम्
બીજા જન્મમાં પ્રવેશવાને માટે પ્રવાસ કરનાર આ જીવને વ્રત અને દાનથી કમાયેલું
એક માત્ર પુણ્ય જ સુખનું કારણ થાય છે. ૨૬.
दैवादिह व्रजति निष्फलतां कदाचित्
कुर्यादसत्यपि हि पात्रजने प्रमोदात्
દાનના અનુષ્ઠાનમાં કરવામાં આવેલો કેવળ સંકલ્પ પણ પુણ્ય કરે છે. ૨૭.
कुर्वन्ति मानमतुलं वचनासनाद्यैः
पात्रे मुदा महति किं क्रियते न शिष्टैः
Page 111 of 378
PDF/HTML Page 137 of 404
single page version
बाधाकरं बत यथा मुनिदानशून्यम्
पुंसा कृते तु मनुते मतिमाननिष्टम्
બરાબર છે
તેને અનિષ્ટ માને છે.
કે જે કોઈ પણ પ્રકારે ટાળી શકાતો નથી. પરંતુ તેને ત્યાં જો કોઈ દિવસ સાધુ પુરુષને આહારદાન
આપવામાં આવતું નથી તો તે એના માટે પશ્ચાત્તાપ કરે છે. એનું કારણ એ છે કે તે તેની
અસાવધાનીથી થયું છે, એમાં દૈવ કાંઈ બાધક થયું નથી. જો તેણે સાવધાન રહીને દ્વાર પાસે પ્રતીક્ષા
આદિ કરી હોત તો મુનિદાનનો સુયોગ તેને પ્રાપ્ત થઈ શક્યો હોત. ૨૯.
स्त्यागेन ते धनयुतस्य भवन्ति सत्याः
श्चन्द्रोपलाः किल लभन्त इह प्रतिष्ठाम्
Page 112 of 378
PDF/HTML Page 138 of 404
single page version
જ્યારે ઉક્ત ભવનમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ
એમ સમજી લે છે કે ઉક્ત ભવન ચન્દ્રકાન્ત મણિથી બનાવેલ છે, તેથી તે તેમની પ્રશંસા કરે
છે. બરાબર એ જ રીતે વિવેકી દાતા જિનમંદિર આદિનું નિર્માણ કરાવીને પોતાની સંપત્તિનો
સદુપયોગ કરે છે. તે જો કે પોતે પોતાની પ્રતિષ્ઠા ઇચ્છતા નથી છતાં પણ ઉક્ત જિનમંદિર
આદિનું અવલોકન કરનાર અન્ય મનુષ્યો તેની પ્રશંસા કરે છે. આ તો થઈ આ જન્મની વાત.
આની સાથે જ પાત્રદાનાદિ ધર્મકાર્યો દ્વારા જે તેને પુણ્યલાભ થાય છે તેનાથી તે પર જન્મમાં
પણ સંપન્ન અને સુખી થાય છે. ૩૦.
सत्यात्मनो वदति धार्मिकतां च यत्तत्
या जायते तडिदमुत्र सुखाचलेषु
પરલોકમાં તેના સુખરૂપી પર્વતોના વિનાશ માટે વીજળીનું કામ કરે છે. ૩૧.
तस्यापि संततमणुव्रतिना यथर्द्धि
द्रव्यं भविष्यति सदुत्तमदानहेतुः
Page 113 of 378
PDF/HTML Page 139 of 404
single page version
જે ઉત્તમ પાત્રદાનનું કારણ થઈ શકે, એ કાંઈ પણ કહી શકાતું નથી.
રાખીને અહીં એમ કહેવામાં આવ્યું છે કે ઘણું કરીને ઇચ્છાનુસાર દ્રવ્ય કદી કોઈને પણ
પ્રાપ્ત થતું નથી માટે પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય છે તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે પ્રતિદિન થોડું
દાન આપવું જ જોઈએ. ૩૨.
सर्वाणि तत्र विदधाति न किं सु
સર્વ પ્રકારના ઇચ્છિત પદાર્થો આપે છે. તો પછી જો સમ્યગ્દ્રષ્ટિ તે પાત્રદાનમાં રુચિ
રાખે તો તેને શું પ્રાપ્ત ન થાય? અર્થાત્ તેને તો નિશ્ચિતપણે જ વાંછિત ફળ પ્રાપ્ત
થાય છે. ૩૩.
तद्योग्यसपदि गृहाभिमुखे च पात्रे
रत्नं करोति विमतिस्तलभूमिभेदम्
દુર્બુદ્ધિ ખાણમાંથી પ્રાપ્ત થયેલ અતિશય મૂલ્યવાન રત્ન છોડી દઈને પૃથ્વીનું
તળિયું વ્યર્થ ખોદે છે. ૩૪.
Page 114 of 378
PDF/HTML Page 140 of 404
single page version
न्नासाद्य चारुनरतार्थजिनेश्वराज्ञाः
सच्छिद्रनावमधिरुह्य गृहीतरत्नः
મૂર્ખ રત્નો લઈને છિદ્રવાળી નૌકામાં બેસીને સમુદ્રમાં પ્રવેશ કરે છે.
પ્રાપ્ત થઈ જાય અને છતાં પણ જો તે દાનાદિ શુભ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તો સમજવું જોઈએ
કે જેવી રીતે કોઈ મનુષ્ય ખૂબ મૂલ્યવાન રત્નો સાથે લઈને છિદ્રવાળી નાવમાં બેસે છે અને તેથી
તે તે રત્નો સાથે પોતે પણ સમુદ્રમાં ડૂબી જાય છે, આવી જ અવસ્થા ઉક્ત મનુષ્યની પણ થાય
છે. કારણ કે ભવિષ્યમાં સુખી થવાનું સાધન જે દાનાદિ કાર્યોથી ઉત્પન્ન થનારું પુણ્ય હતું તેને તેણે
મનુષ્ય પર્યાયની સાથે તેને યોગ્ય સંપત્તિ મેળવીને પણ કર્યું જ નહિ. ૩૫.
मस्मिन् परत्र च भवे यशसे सुखाय
क्षिप्तः स सेवकनरो धनरक्षणाय
પુણ્યશાળી મનુષ્ય દ્વારા ધનના રક્ષણ માટે સેવકના રૂપમાં જ રાખવામાં આવ્યો છે.
સંપત્તિનો ન તો સ્વયં ઉપભોગ કરે છે અને ન પાત્રદાન પણ કરે છે તે મનુષ્ય અન્ય ધનવાન
મનુષ્ય દ્વારા પોતાના ધનની રક્ષા માટે રાખવામાં આવેલ નોકર સમાન જ છે. કારણ કે જેવી