Page 135 of 378
PDF/HTML Page 161 of 404
single page version
પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું
વડનું બીજ પણ સેંકડો શાખાઓ સંયુક્ત વડવૃક્ષ રૂપે વિસ્તાર પામે છે તેથી જ આવો
અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૨૭.
મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે?
અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે તો એક બીજા મરતાં
શોક કરવો ઉચિત નથી. ૨૮.
જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે
તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય
છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય
એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એકે
બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિત નથી. ૨૯.
मनुभवति च पातं सोऽपि देवो दिनेशः
Page 136 of 378
PDF/HTML Page 162 of 404
single page version
वसति हृदि विषादः सत्स्ववस्थान्तरेषु
સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે ત્યારે જન્મમરણાદિ
પણ વિષાદ ન કરવો જોઈએ. ૩૦.
भूपृष्ठ एव शकटप्रमुखाश्चरन्ति
सर्वत्र कुत्र भविनां भवति प्रयत्नः
કરે છે. પરંતુ યમ(મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી
સંસારી પ્રાણીઓનો પ્રયત્ન ક્યાં થઈ શકે? અર્થાત્ કાળ જો બધા સંસારી પ્રાણીઓનો
કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો
પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૩૧.
किं मन्त्रं किमुताश्रयः किमु सुहृत् किं वा स गन्धो ऽस्ति सः
यैः सर्वैरपि देहिनः स्वसमये कर्मोदितं वार्यते
પણ એવા શક્તિશાળી છે જે બધાય પોતાના ઉદય પામેલા કર્મને રોકી શકે? અર્થાત્
Page 137 of 378
PDF/HTML Page 163 of 404
single page version
નથી. ૩૨.
ध्वस्तास्ते ऽपि परम्परेण स परस्तेभ्यः कियान् राक्षसः
रामो ऽप्यन्तकगोचरः समभवत् को ऽन्यो बलीयान् विधेः
છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઇન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો.
વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો.
અંતે તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા.
બરાબર છે
मुग्धास्तत्र वधूमृगीगतधियस्तिष्ठन्ति लोकैणकाः
तस्माज्जीवति नो शिशुर्न च युवा वृद्धोऽपि नो कश्चन
આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વ્યાધ (શિકારી) સામે આવેલ
આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે. તેનાથી ન કોઈ બાળક બચે
છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૩૪.
पुत्रादिप्रियपल्लवो रतिसुखप्रायैः फलैराश्रितः
Page 138 of 378
PDF/HTML Page 164 of 404
single page version
પૌત્રાદિરૂપી મનોહર પર્ણોથી રમણીય તથા વિષયભોગજનિત સુખ જેવા ફળોથી
પરિપૂર્ણ હોય છે; તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનળથી વ્યાપ્ત ન હોત તો વિદ્વાનો
બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય
જ છે. આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત્ત થતા નથી એ ખેદની
વાત છે. ૩૫.
नूनं मृत्युमुपाश्रयन्ति मनुजास्तत्राप्यतो बिभ्यति
दुःखोर्मिप्रचुरे पतन्ति कुधियः संसारघोरार्णवे
ડરે છે. આ રીતે તે દુર્બુદ્ધિ મનુષ્યો હૃદયમાં ઇચ્છા (સુખની અભિલાષા) અને ભય
(મૃત્યુનો ભય) ધારણ કરતાં થકાં અજ્ઞાનથી અનેક દુઃખોરૂપી લહેરોવાળા સંસારરૂપી
ભયાનક સમુદ્રમાં નકામા જ પડે છે. ૩૬.
प्रसृतधनजरोरुप्राल्लसज्जालमध्ये
भवसरसि वराको लोकमीनौघ एषः
Page 139 of 378
PDF/HTML Page 165 of 404
single page version
આપત્તિઓના સમૂહને પણ દેખતો નથી.
આવેલી જાળનું પણ ધ્યાન રહેતું નથી તેથી તેમને તેમાં ફસાઈને મરણનું કષ્ટ સહન કરવું
પડે છે. બરાબર એવી જ રીતે બિચારા આ પ્રાણીઓ પણ સંસારમાં શાતાવેદનીયજનિત અલ્પ
સુખમાં એટલા અધિક મગ્ન થઈ જાય છે કે તેને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર વૃદ્ધત્વની પ્રાપ્તિ
થઈ જવા છતાં પણ તેનું ભાન નથી રહેતું અને તેથી અંતે તે કાળનો કોળિયો બનીને અસહ્ય
દુઃખ સહે છે. ૩૭.
मोहादेव जनस्तथापि मनुते स्थैर्यं परं ह्यात्मनः
तद्वध्नात्यधिकाधिकं स्वमसकृत्पुत्रादिभिर्बन्धनैः
મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ
તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ
બંધનોથી અત્યન્તપણે બાંધે છે. ૩૮.
सापायस्थिति दोषधातुमलवत्सर्वत्र यन्नश्वरम्
तच्चित्रं स्थिरता बुधैरपि वपुष्यत्रापि यन्मृग्यते
Page 140 of 378
PDF/HTML Page 166 of 404
single page version
પરિપૂર્ણ છે; અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા),
રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી.
પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન્ મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા
શોધે છે. ૩૯.
प्राप्तास्ते विषया मनोहरतराः स्वर्गे ऽपि ये दुर्लभाः
श्लिष्टं भोज्यमिवातिरम्यमपि धिग्मुक्ति : परं मृग्यताम्
તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ
મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા
છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૪૦.
क्रुद्धो धावति नैव सन्मुखमितो यत्नो विधेयो बुधैः
મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી
વિદ્વાન્ પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે જ
પ્રયત્ન કરવો જોઈએ. ૪૧.
Page 141 of 378
PDF/HTML Page 167 of 404
single page version
सर्वव्याधिविवर्जितो ऽपि तरुणो ऽप्याशु क्षयं गच्छति
संसारे स्थितिरी
પદાર્થોના વિષયમાં તો શું કહેવું? પણ જે લક્ષ્મી અને જીવન બન્ને ય સંસારમાં શ્રેષ્ઠ
ગણવામાં આવે છે તેમની પણ જો આવી (ઉપર્યુક્ત) સ્થિતિ છે તો વિદ્વાન્ મનુષ્યે
બીજા કોના વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત્ અભિમાન કરવા યોગ્ય કોઈ
પદાર્થ અહીં સ્થાયી નથી. ૪૨.
तृष्णार्तो ऽथ मरीचिकाः पिबति च प्रायः प्रमत्तो भवन्
यः सम्पत्सुतकामिनीप्रभृतिभिः कुर्यान्मदं मानवः
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો
નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી (જળ રહિત) નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
જ રીતે જે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો દેખતા દેખતા જ નષ્ટ થનારા છે તેમના વિષયમાં
અભિમાન કરવું એ પણ મનુષ્યનું અજ્ઞાન પ્રગટ કરે છે. કારણ કે જો ઉક્ત પદાર્થો ચિરસ્થાયી
હોત તો તેમના વિષયમાં અભિમાન કરવું ઉચિત કહી શકાતું હતું, પણ તેમ તો છે નહિ. ૪૩.
Page 142 of 378
PDF/HTML Page 168 of 404
single page version
पुत्रादीनपरान् मृगानतिरुषा निघ्नन्ति सेर्ष्यं किल
नो पश्यन्ति समीपमागतमपि क्रुद्धं यमं लुब्धकम्
મૃગોનો ઘાત કરે છે. તેઓ તે યમરૂપી શિકારીએ ઘણી આપત્તિઓ રૂપી ધનુષ્યને
સુસજ્જ કરીને તેની ઉપર સંહાર કરનાર બાણ રાખી મૂક્યું છે તથા જે પોતાની સમીપે
આવી ગયો છે એવા તે ક્રોધે ભરાયેલા યમરૂપી શિકારીને પણ દેખતા નથી.
તરફ જોતા નથી કે જે તેમનો વધ કરવા માટે ધનુષ્ય-બાણથી સુસજ્જ થઈને સમીપમાં આવી
પહોચ્યો છે. બરાબર એવી જ રીતે રાજાઓ ચંચળ રાજ્યલક્ષ્મીના નિમિત્તે ક્રુદ્ધ બનીને
બીજાઓની તો શું વાત પણ પુત્રાદિનો પણ ઘાત કરે છે, પરંતુ તેઓ તે યમરાજ (મૃત્યુ)
ને જોતા નથી કે જે અનેક આપત્તિઓમાં નાખીને તેમને ગ્રહણ કરવા માટે સમીપમાં આવી
ગયો છે. તાત્પર્ય એ છે કે જે ધન
ય નશ્વર સમજીને કલ્યાણના માર્ગમાં લાગી જવું જોઈએ. ૪૪.
नो गन्धोऽपि गुणस्य तस्य बहवो दोषाः पुनर्निश्चितम्
पापं रुक् च मृतिश्च दुर्गतिरथ स्याद्दीर्घसंसारिता
છે; એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે; ધર્મ, અર્થ, કામ અને
Page 143 of 378
PDF/HTML Page 169 of 404
single page version
(અશાતાવેદનીય) કર્મનો બંધ પણ થાય છે. રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ
પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર પરિભ્રમણ લાંબુ થઈ
જાય છે. ૪૫.
ભયથી દુઃખી થશે? અર્થાત્ કોઈ નહિ થાય.
એ જ રીતે જ્યાં સંસારનું સ્વરૂપ જ આપત્તિમય છે ત્યાં ભલા એવા સંસારમાં
રહીને કોઈ આપત્તિ આવતાં ખેદખિન્ન થવું, એ પણ અતિશય અજ્ઞાનપણાનું જ
દ્યોતક છે. ૪૬.
भ्रान्तोऽथ वा किमु जनः किमथ प्रमत्तः
विद्युच्चलं तदपि नो कुरुते स्वकार्यम्
સમાન ચંચળ છે’ આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે; તો પણ પોતાનું
કાર્ય (આત્મહિત) કરતો નથી. ૪૭.
Page 144 of 378
PDF/HTML Page 170 of 404
single page version
नो कुर्याच्छुचमेवमुन्नतमतिर्लोकान्तरस्थे निजे
बन्धाश्चर्मविनिर्मिताः परिलसद्वर्षाम्बुसिक्ता इव
શોક કરતા નથી. કારણ કે મૃત્યુ પાસે આવતાં પ્રાણીઓના બધા પ્રયત્નો એવી રીતે
શિથિલ થઈ જાય છે જેમ ચામડાના બનાવેલા બંધન વરસાદના પાણીમાં ભીંજાઈને
શિથિલ થઈ જાય છે. અર્થાત્ મૃત્યુથી બચવા માટે કરવામાં આવતો પ્રયત્ન કદી
કોઈનો સફળ થતો નથી. ૪૮.
समाघ्रातः साक्षाच्छरणरहिते संसृतिवने
वदन्नेवं मे मे पशुरिव जनो याति मरणम्
‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે. આ દ્રવ્ય મારું છે, અને આ ઘર પણ મારું
છે.’ આમ ‘મારું મારું કહેતો મરણ પામી જાય છે.
વશીભૂત થઈને આ મનુષ્ય તે મૃત્યુ તરફ ધ્યાન ન દેતાં જે સ્ત્રી
છે આદિ) કરતો થકો નકામો સંક્લેશ પામે છે. ૪૯.
Page 145 of 378
PDF/HTML Page 171 of 404
single page version
विहन्यमानस्य निजायुषो भृशम्
त्वमात्यन्यभिमन्यते जडः
માને છે. ૫૦.
का वार्तान्यजनस्य कीटस
कालः क्रीडति नात्र येन सहसा तत्किंचिदन्विष्यताम्
વાત જ શી? અર્થાત્ તે તો નિઃસંદેહ મરણ પામશે જ તેથી હે ભવ્ય જીવ! કોઈ
અત્યંત પ્રિય મનુષ્ય મરણ પામતાં વ્યર્થ મોહ ન કર. પરંતુ કોઈ એવો ઉપાય શોધ
કે જેથી તે કાળ (મૃત્યુ) સહસા અહીં ક્રીડા ન કરી શકે. ૫૧.
सम्पच्चेद्विपदा सुखं यदि तदा दुःखेन भाव्यं ध्रुवम्
वेषान्यत्वनटीकृताङ्गिनि सतः शोको न हर्षः क्वचित्
Page 146 of 378
PDF/HTML Page 172 of 404
single page version
પણ અવશ્ય હોવું જોઈએ, જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ,
તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે
ઇષ્ટસંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટવિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ.
સંપત્તિ અને વિપત્તિ તથા સુખ અને દુઃખ આદિમાં અંતઃકરણપૂર્વક હર્ષ અને વિષાદ પામતો
નથી. કારણ કે તે પોતાની યથાર્થ અવસ્થા અને ગ્રહણ કરેલા તે કૃત્રિમ વેશોમાં તફાવત
સમજે છે. તેવી જ રીતે વિવેકી મનુષ્ય પણ ઉપર્યુક્ત સંયોગ
જ જન્મ
કોઈ વાર સંપત્તિશાળી થાય છે તો કોઈ વાર તે અશુભ કર્મના ઉદયથી વિપત્તિગ્રસ્ત પણ
જોવામાં આવે છે. તેથી તેમાં હર્ષ અને વિષાદ પામવો બુદ્ધિમત્તા નથી. ૫૨.
कुर्यात्सा भवितव्यतागतवती तत्तत्र यद्रोचते
रागद्वेषविषोज्झितैरिति सदा सद्भिः सुखं स्थीयताम्
રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક
વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૫૩.
वाताहतध्वजपटाग्रचलं समस्तम्
Page 147 of 378
PDF/HTML Page 173 of 404
single page version
धर्मे मतिं कुरुत किं बहुभिर्वचोभिः
તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં
બુદ્ધિ જોડો. ૫૪.
श्रीपद्मनन्दिवदनाम्बुधरप्रसूतिः
पञ्चाशदुन्नतधियाममृतैक वृष्टिः
વિદ્વાનોને માટે પુત્રાદિના શોકરૂપી અગ્નિને શાન્ત કરીને સમ્યગ્જ્ઞાનરૂપ ધાન્ય ઉત્પન્ન
કરે છે તે જયવંત હો. ૫૫.
Page 148 of 378
PDF/HTML Page 174 of 404
single page version
કરવા માટે સદા નમસ્કાર કરૂં છું. ૧.
દેવોના ઇન્દ્રોથી પૂજ્ય છે એવી તે ચૈતન્યસ્વરૂપ ઉત્કૃષ્ટ જ્યોતિને હું નમસ્કાર કરું
છું. ૨.
Page 149 of 378
PDF/HTML Page 175 of 404
single page version
ઘૂમે છે અર્થાત્ વિષયભોગજનિત સુખને જ વાસ્તવિક સુખ માનીને તેને પ્રાપ્ત
કરવા માટે જ પ્રયત્નશીલ રહે છે. ૪.
આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અગ્નિ સમાન જાણતા નથી. ૫.
સાંભળતા ય નથી. ૬.
Page 150 of 378
PDF/HTML Page 176 of 404
single page version
એવી જ રીતે કેટલાય મંદબુદ્ધિ મનુષ્યો એકાંતવાદીઓ દ્વારા પ્રકાશિત ખોટા શાસ્ત્રોના
અભ્યાસથી પદાર્થને સર્વથા એકરૂપ જ માનીને તેના અનેક ધર્માત્મક (અનેકાન્તાત્મક)
સ્વરૂપને જાણતા નથી અને તેથી તે વિનાશ પામે છે.
પણ આવતો નથી. એવી જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહે છે. પરંતુ કેટલાય એકાન્તવાદી તેમની
અપેક્ષાકૃત સત્યતા ન સમજતાં તેમનામાં પરસ્પર વિરોધ બતાવે છે. તેમનું કહેવું એમ છે કે જેવી
રીતે કોઈ એક જ પદાર્થમાં એક સાથે શીતપણું અને ઉષ્ણપણું આ બન્ને ધર્મ રહી શકતા નથી તેવી
જ રીતે એક જ પદાર્થમાં નિત્યપણું - અનિત્યપણું, - અપૃથકત્વ તથા એકત્વ - અનેકત્વ આદિ
કરવામાં આવે તો ઉક્ત ધર્મો રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ પ્રતિભાસતો નથી. જેમ
રહેવામાં, એક જ વસ્તુમાં શીતપણું અને ઉષ્ણપણું રહેવામાં જે વિરોધ બતાવવામાં આવે છે તેમાં
પ્રત્યક્ષરૂપે બાધા આવે છે કેમકે ચિપિયા આદિમાં એક સાથે તે બન્ને (આગલા ભાગની અપેક્ષાએ
ઉષ્ણપણું અને પાછલા ભાગની અપેક્ષાએ શીતપણું) ધર્મ પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. એ જ રીતે
ઘટ
કાંઈ નિરન્વય નાશ થતો નથી. પરંતુ જે પુદ્ગલ દ્રવ્ય ઘટ પર્યાયમાં હતું તેનું પુદ્ગલપણું તે નષ્ટ થઈ
જતાં ઉત્પન્ન થયેલ ઠીકરાઓમાં પણ ટકી કહે છે. તેથી પર્યાયની અપેક્ષાએ જ તેનો નાશ કહેવાશે
નહિ કે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પણ. એવી જ રીતે અન્ય ધર્મોના સંબંધમાં પણ સમજવું જોઈએ.
આ રીતે જે જડબુદ્ધિ પદાર્થમાં અનેક ધર્મો પ્રતીતિસિદ્ધ હોવા છતાં પણ તેમનામાંથી કોઈ એક જ
ધર્મનો દુરાગ્રહ વશ થઈને સ્વીકાર કરે છે તેઓ પોતે જ પોતાનું અહિત કરે છે. ૭.
અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. ૮.
Page 151 of 378
PDF/HTML Page 177 of 404
single page version
તેથી મનુષ્યોએ તેનું (ધર્મનું) પરીક્ષાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. ૯.
માનવામાં આવે છે.
ધર્મ પ્રમાણ હોઈ શકે નહિ. પરંતુ જે પુરુષ સર્વજ્ઞ હોવાની સાથોસાથ રાગ-દ્વેષથી રહિત પણ થઈ
ગયા છે તેમનો જ કહેલો ધર્મ પ્રમાણ માની શકાય છે. ૧૦.
Page 152 of 378
PDF/HTML Page 178 of 404
single page version
થઈ ગયો છે.
લબ્ધિ થાય છે.
પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ તથા અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓના અબંધનું કારણ
થાય છે તેને વિશુદ્ધિ કહે છે. આ વિશુદ્ધિની પ્રાપ્તિનું નામ વિશુદ્ધિલબ્ધિ છે.
ગ્રહણ, ધારણ અને વિચાર કરવાની શક્તિની પ્રાપ્તિને પણ દેશનાલબ્ધિ કહે છે.
દ્વિસ્થાનીય (ઘાતિયા કર્મોને લતા અને લાકડારૂપ તથા અન્ય પાપ પ્રકૃતિઓને લીંબડા અને
કાંજી રૂપ) અનુભાગમાં સ્થાપિત કરવાને પ્રાયોગ્યલબ્ધિ કહેવામાં આવે છે.
(વિશેષ જાણવા માટે જુઓ ષટ્ખંડાગમ પુ. ૬, પૃ. ૨૧૪ વગેરે). પ્રત્યેક સમયે ઉત્તરોત્તર
જે અપૂર્વ અપૂર્વ પરિણામ થાય છે તે અપૂર્વકરણ પરિણામ કહેવાય છે. આમાં ભિન્ન સમયવર્તી
જીવોના પરિણામ સર્વથી વિસદ્રશ અને એક સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ અને વિસદ્રશ
પણ હોય છે. જે પરિણામ એક સમયવર્તી જીવોના સર્વથા સદ્રશ તથા ભિન્ન સમયવર્તી જીવોના
સર્વથા વિસદ્રશ જ હોય છે તેમને અનિવૃત્તિકરણ પરિણામ કહેવામાં આવે છે. પ્રથમોપશમ
સમ્યક્ત્વની પ્રાપ્તિ આ ત્રણ પ્રકારના પરિણામોના અંતિમ સમયે થાય છે. ઉપર્યુક્ત પાંચ
લબ્ધિઓમાં પૂર્વની ચાર લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બન્નેનેય સમાનરૂપે થાય છે. પરંતુ પાંચમી
કરણલબ્ધિ સમ્યક્ત્વ સન્મુખ થયેલા ભવ્ય જીવને જ હોય છે. ૧૨.
Page 153 of 378
PDF/HTML Page 179 of 404
single page version
પ્રયત્ન કરવો જોઈએ. ૧૩.
સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેનો સંયોગ મોક્ષનું કારણ થાય છે. ૧૪.
આત્માથી અભિન્ન છે. તેથી તેમનામાં ભેદની કલ્પના પણ થઈ શકતી નથી. ૧૫.
ઉપયોગ થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિમાં કેવળ એક શુદ્ધ આત્મા જ
Page 154 of 378
PDF/HTML Page 180 of 404
single page version
જ પ્રતિભાસિત થાય છે. ૧૬.
પૃથક્ પૃથક્ સ્વરૂપે દેખું છું. ૧૭.
છે, તે જ અમૃત અર્થાત્ મોક્ષના માર્ગે સ્થિત થાય છે, તે જ મોક્ષપદને પ્રાપ્ત કરે
છે તથા તે જ અર્હન્ત, ત્રણે લોકના સ્વામી, પ્રભુ અને ઇશ્વર કહેવાય છે. ૧૮-૧૯.
અને તેને સાંભળતાં બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી
લેતાં બધું જ જણાઈ ગયું છે, તેને દેખી લેતાં બધું જ દેખવામાં આવી ગયું છે