Page 180 of 660
PDF/HTML Page 201 of 681
single page version
ખરતાં રહ્યાં અને ચાલતી વખતે તે દ્વારે ઊભી હતી, તેનું મુખકમળ વિરહના દાહથી
કરમાઈ ગયું હતું, મેં તેને સંપૂર્ણ લાવણ્યસંપદા રહિત જોઈ. હવે તેનાં નીલકમળ સમાન
દીર્ધ નેત્ર મારા હૃદયને બાણની પેઠે ભેદી નાખે છે માટે એવો ઉપાય કર કે જેથી મારો
તેની સાથે મેળાપ થાય. હે સજ્જન! જો મેળાપ નહિ થાય તો અમારા બન્નેનું મરણ
થશે. ત્યારે પ્રહસ્તે ક્ષણવારમાં વિચાર કરીને કહ્યું કે તમે માતાપિતાની આજ્ઞા લઈને
શત્રુને જીતવા નીકળ્યા છો માટે પાછા જવું યોગ્ય નથી અને અત્યાર સુધી તમે કદી પણ
અંજનાસુંદરીને યાદ કરી નથી અને હવે અહીં બોલાવીએ તો શરમ લાગે માટે છાનામાના
જવું અને છાનામાના જ પાછા આવતા રહેવું, ત્યાં રહેવું નહિ. તેને જોઈને, તેની સાથે
આનંદની વાતો કરીને, આનંદપૂર્વક તરત જ પાછા આવી જવું. તો જ તમારું ચિત્ત
નિશ્ચળ થશે. ખૂબ ઉત્સાહથી નીકળવું, શત્રુને જીતવાનો નિશ્ચય કર્યો છે તો આ જ ઉપાય
છે. પછી મુદ્ગર નામના સેનાપતિને સૈન્યની રક્ષા કરવાનું સોંપીને મેરુની વંદનાના બહાને
મિત્ર પ્રહસ્ત સહિત સુગંધાદિ સામગ્રી લઈ ગુપ્તપણે આકાશમાર્ગે ચાલ્યા. સૂર્યાસ્ત પણ
થઈ ગયો હતો અને સંધ્યાનો પ્રકાશ પણ અદ્રશ્ય થયો હતો. રાત્રિ પ્રગટ થઈ. તે બન્ને
અંજનાસુંદરીના મહેલમાં પહોંચી ગયા. પવનકુમાર તો બહાર ઊભા રહ્યા અને પ્રહસ્ત
ખબર આપવા અંદર ગયો. દીપકનો પ્રકાશ મંદ હતો. અંજના બોલીઃ કોણ છે?
વસંતમાલા પાસે જ સૂતી હતી તેને જગાડી. સર્વ બાબતોમાં નિપુણ તેણે ઊઠીને
અંજનાનો ભય દૂર કર્યો. પ્રહસ્તે નમસ્કાર કરી જ્યારે પવનંજયના આગમનની વાત કરી
ત્યારે તે સુંદરીને પ્રાણનાથનો સમાગમ સ્વપ્ન સમાન લાગ્યો. તે પ્રહસ્તને ગદગદ વાણીથી
કહેવા લાગીઃ હે પ્રહસ્ત! હું પુણ્યહીન, પતિની કૃપાથી વંચિત છું. મારા એવા જ
પાપકર્મનો ઉદય આવ્યો છે. તું શા માટે મારી મશ્કરી કરે છે? પતિનો નિરાદર પામનારની
કોણ અવજ્ઞા ન કરે? હું અભાગિની દુઃખી અવસ્થા પામી છું, મને સુખ ક્યાંથી મળે?
ત્યારે પ્રહસ્તે હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરીઃ હે કલ્યાણરૂપિણી! હે પતિવ્રતે!
અમારો અપરાધ માફ કરો. હવે બધાં અશુભ કર્મ ટળી ગયાં છે. તમારા પ્રેમરૂપ ગુણથી
પ્રેરાઈને તમારા પ્રાણનાથ આવ્યા છે. તમારા પ્રત્યે અત્યંત પ્રસન્ન થયા છે. તેની
પ્રસન્નતાથી ક્યો આનંદ નહિ મળે? જેમ ચંદ્રમાના યોગથી રાત્રિની અતિશય શોભા વધે
છે તેમ. ત્યારે અંજનાસુંદરી ક્ષણેક નીચી નજર ઢાળી રહી. ત્યારે વસંતમાલાએ પ્રહસ્તને
કહ્યું-હે ભદ્ર! જ્યારે મેઘ વરસે ત્યારે સારું જ છે. માટે પ્રાણનાથ એના મહેલમાં પધાર્યા તે
એનું મહાન ભાગ્ય અને અમારું પુણ્યરૂપ વૃક્ષ ફળ્યું. આ વાત ચાલતી હતી તે જ સમયે
આનંદનાં આંસુઓથી જેનાં નેત્ર ભરાઈ ગયાં હતાં તે કુમાર પધાર્યા, જાણે કે કરુણારૂપ
સખી જ પ્રીતમને પ્રિયાની પાસે લઈ આવી. ત્યારે ભયભીત હરિણીનાં જેવાં સુંદર
નેત્રવાળી પ્રિયા પતિને જોઈને સન્મુખ જઈ, હાથ જોડી, મસ્તક નમાવી પગમાં પડી.
પ્રાણનાથે પોતાના હાથથી તેનું મસ્તક ઊંચું કરી ઊભી કરી, અમૃત સમાન વચન કહ્યાં કે
હે દેવી! કલેશનો બધો ખેદ છોડો. સુંદરી હાથ જોડીને પતિની પાસે ઊભી હતી. પતિએ
પોતાના હાથથી તેનો હાથ
Page 181 of 660
PDF/HTML Page 202 of 681
single page version
પોતાના સ્થાન પર જઈને બેઠી. પવનંજયકુમારે પોતાના અજ્ઞાનથી લજ્જિત થઈને
સુંદરીને વારંવાર કુશળતા પૂછી અને કહ્યું કે હે પ્રિયે! મેં અશુભ કર્મના ઉદયથી તમારો
નકામો અનાદર કર્યો તો ક્ષમા કરો. સુંદરીએ નીચું મુખ રાખી મંદ મંદ વચને કહ્યું, હે
નાથ! આપે કોઈ અપમાન કર્યું નથી, કર્મનો એવો જ ઉદય હતો. હવે આપે કૃપા કરી છે,
અત્યંત સ્નેહ બતાવ્યો છે એટલે મારા સર્વ મનોરથ સિદ્ધ થયા છે. આપના ધ્યાનથી
સંયુક્ત મારા હૃદયમાં આપ સદાય બિરાજતા હતા. આપનો અનાદર પણ આદર સમાન
જ ભાસ્યો છે. આ પ્રમાણે અંજનાસુંદરીએ કહ્યું ત્યારે પવનંજયકુમાર હાથ જોડીને કહેવા
લાગ્યા કે કહે પ્રાણપ્રિય! મેં મિથ્યા અપરાધ કર્યો છે. બીજાના દોષથી તમને દોષ દીધો છે,
તમે અમારા બધા અપરાધ માફ કરો, ભૂલી જાવ. હું મારા અપરાધની માફી માગવા માટે
તમારા પગમાં પડું છું, તમે મારા પર ખૂબ પ્રસન્ન થાવ. આમ કહીને પવનંજયકુમારે
અધિક સ્નેહ બતાવ્યો. અંજનાસુંદરી પતિનો આવો સ્નેહ જોઈને બહુ રાજી થઈ અને
પતિને પ્રિય વચન કહેવા લાગી કે હે નાથ! હું અત્યંત પ્રસન્ન છું, હું તો આપના
ચરણારવિંદની રજ છું, અમારા પ્રત્યે આટલી નમ્રતા બતાવવી આપના માટે યોગ્ય નથી.
આમ કહીને સુખપૂર્વક શય્યા પર બિરાજમાન કર્યા. પ્રાણનાથની કૃપાથી પ્રિયાનું મન ખૂબ
રાજી થયું. શરીર કાંતિ કરવા લાગ્યું, બન્ને પરસ્પર અત્યંત સ્નેહથી એકચિત્ત થયાં,
આનંદમાં જાગતાં જ રહ્યાં. પાછલા પહોરે અલ્પનિદ્રા આવી. પ્રભાતનો સમય થયો ત્યારે
આ પ્રતિવ્રતા શય્યા પરથી ઊઠીને પતિના પગ દાબવા લાગી. રાત્રિ વીતી ગઈ તે સુખમાં
જાણ્યું નહિ. સવારમાં ચંદ્રનાં કિરણો ફિક્કં પડી ગયાં. કુમાર આનંદના ભારથી ભરાઈ
ગયા. સ્વામીની આજ્ઞા ભૂલી ગયા. ત્યારે કુમારનું હિત જેના ચિત્તમાં છે તે મિત્ર પ્રહસ્તે
ઊંચો અવાજ કરી વસંતમાલાને જગાડી અને અંદર મોકલી. પોતે ધીમે ધીમે સુગંધિત
મહેલમાં મિત્રની પાસે ગયો અને કહેવા લાગ્યો, હે સુંદર! ઊઠો, હવે સૂઈ કેમ રહ્યા છો?
ચંદ્રમાં પણ તમારા મુખની કાંતિથી રહિત થઈ ગયો છે. આ વચન સાંભળી પવનંજય
જાગ્રત થયો. તેનું શરીર શિથિલ હતું, બગાસું ખાતાં, નિદ્રાના આવેશથી લાલ નેત્રવાળા,
ડાબા હાથની તર્જની આંગળીથી કાન ખંજોળતાં, જમણો હાથ સંકોચીને અરિહંતનું નામ
લઈને કુમાર શય્યામાંથી ઊઠયા, પ્રાણપ્યારી પોતાના જાગવા પહેલાં જ શય્યામાંથી
ઊતરીને જમીન પર બેઠી છે, લજ્જાથી તેનાં નેત્ર નીચે ઢળ્યાં છે. ઊઠતાં જ પ્રીતમની
નજર પ્રિયા પર પડી. પછી પ્રહસ્તને જોઈને, “આવો મિત્ર” એમ બોલીને તે પથારીમાંથી
ઊભા થયા. પ્રહસ્તે મિત્રને રાત્રિની કુશળતા પૂછી, પાસે બેઠો, નિતિશાસ્ત્રના વેત્તા મિત્રે
કુમારને કહ્યું, હે મિત્ર! હવે ઊઠ, પ્રિયાજીનું સન્માન હવે આવીને કરજો, અત્યારે કોઈ ન
જાણે તેમ સૈન્યમાં જઈ પહોંચીએ, નહિતર શરમાવા જેવું થશે. રથનૂપુરના રાજા,
કિન્નરગીત નગરના રાજા રાવણ પાસે જવા ઇચ્છે છે તે તમારી રાહ જુએ છે. જો તે
આગળ આવે તો આપણે ભેગા થઈને જઈએ. રાવણ નિરંતર મંત્રીઓને પૂછે છે કે
પવનંજયકુમારનો પડાવ ક્યાં છે, તે ક્યારે
Page 182 of 660
PDF/HTML Page 203 of 681
single page version
આવશે? માટે હવે આપ શીઘ્ર રાવણ પાસે પધારો. પ્રિયાજીની વિદાય માગો. તમારે પિતાની
અને રાવણની આજ્ઞા અવશ્ય પાળવાની છે. કુશળતાપૂર્વક કાર્ય કરીને પાછા આવીશું ત્યારે
પ્રાણપ્રિયાને અધિક પ્રેમ કરજો. ત્યારે પવનંજયે કહ્યુંઃ હે મિત્ર! એમ જ કરીએ. આમ કહીને
મિત્રને બહાર મોકલ્યો અને પોતે પ્રાણવલ્લભાને અતિસ્નેહથી છાતીએ લગાડીને કહેવા
લાગ્યોઃ હે પ્રિયે! હવે હું જાઉં છું. તેમ ઉદ્વેગ ન કરશો. થોડા જ દિવસોમાં સ્વામીનું કામ
કરીને હું આવીશ. તમે આનંદમાં રહેજો. ત્યારે અંજનાસુંદરી હાથ જોડીને કહેવા લાગી, હે
મહારાજકુમાર! મારો ઋતુનો સમય છે તેથી મને અવશ્ય ગર્ભ રહેશે અને અત્યારે સુધી
આપની કૃપા નહોતી એ સર્વ જાણે છે તેથી માતાપિતાને મારા કલ્યાણના હેતુથી ગર્ભનો
વૃત્તાંત કહીને જાવ. તમે દીર્ધદર્શી સર્વમાં પ્રસિદ્ધ છો. જ્યારે પ્રિયાએ આમ કહ્યું ત્યારે તેણે
પ્રાણવલ્લભાને કહ્યું, હે પ્યારી! હું માતાપિતાની વિદાય લઈને નીકળ્યો હતો એટલે હવે
તેમની પાસે જવાય નહિ, મને લજ્જા આવે છે. લોકો મારી વાત જાણીને હસશે, માટે જ્યાં
સુધી તારો ગર્ભ પ્રગટ ન થાય તે પહેલાં જ હું આવી જઈશ. તમે પ્રસન્ન ચિત્ત રાખો;
અને કોઈ કહે તો આ મારા નામની મુદ્રિકા રાખો, હાથનાં કડાં રાખો. તમને સંપૂર્ણ શાંતિ
રહેશે આમ કહીને મુદ્રિકા આપીને, વસંતમાલાને આજ્ઞા આપી કે આમની સેવા ખૂબ
સાંભળથી કરજે. પોતે શય્યામાંથી ઊભા થયા. શય્યા પર સંયોગના યોગથી હારનાં મોતી
વિખરાઈને પડયાં હતાં, પુષ્પોની સુગંધથી ભમરા જ્યાં ગુંજારવ કરતા હતા, ક્ષીરસાગરના
તરંગ સમાન અતિ ઉજ્જવળ પટ જ્યાં પાથર્યા હતા, પોતે ઊઠીને મિત્રસહિત વિમાન પર
બેસી આકાશમાર્ગે ચાલ્યા ગયા. અંજનાસુંદરીએ અમંગળ થવાના ભયથી આંસુ ન પાડયાં.
હે શ્રેણિક! કોઈ વાર આ લોકમાં ઉત્તમ વસ્તુના સંયોગથી કિંચિત સુખ થાય છે તે
ક્ષણભંગુર છે અને દેહધારીઓને પાપના ઉદયથી દુઃખ થાય છે. સુખદુઃખ બન્ને વિનશ્વર છે
માટે હર્ષવિષાદ કરવાં નહિ. હે પ્રાણીઓ! જીવોને નિરંતર સુખ આપનાર અને દુઃખરૂપ
અંધકાર દૂર કરનાર જિનવર ભાષિત ધર્મરૂપ સૂર્યના પ્રતાપથી મોહ-તિમિરને દૂર કરો.
વર્ણવનાર સોળમું પર્વ પૂર્ણ થયું.
તે ચાલતી હતી, જાણે કે મદોન્મત્ત દિગ્ગજ વિચરતા હોય. સ્તનયુગલ ખૂબ ઉન્નત થયાં,
તેના અગ્રભાગ શ્યામ બન્યા, આળસથી વચન મંદ મંદ નીકળતાં, આંખોની ભ્રમર કંપતી
રહેતી. આ લક્ષણો જોઈને તેની સાસુ તેને ગર્ભિણી જાણીને પૂછવા લાગી કે આ કર્મ
કોનાથી થયું? ત્યારે તેણે
Page 183 of 660
PDF/HTML Page 204 of 681
single page version
થઈ નિષ્ઠુર વચનોથી તેને પીડા ઉપજાવતી કહેવા લાગીઃ હે પાપિણી! મારો પુત્ર તારાથી
અત્યંત વિરક્ત છે, તારો પડછાયો જોવા પણ ઇચ્છતો નથી, તારાં વચન કાન પર લેતો નથી,
તે તો માતાપિતાની વિદાય લઈને રણસંગ્રામ માટે બહાર ગયો છે, તે ધીર તારા મહેલમાં કેવી
રીતે આવે? હે નિર્લજ્જ! તાર પાપને ધિક્કાર! ચંદ્રમાના કિરણ સમાન ઉજ્જવળ વંશને દોષ
લગાડનારી, બન્ને લોકોમાં નિંદ્ય અશુભ ક્રિયા તેં આચરી છે; અને આ તારી સખી
વસંતમાલાએ તને આવી બુદ્ધિ આપી છે, કુલટાની પાસે વેશ્યા રહે પછી કયું ભલું થાય?
અંજનાએ મુદ્રિકા અને કડાં દેખાડયાં તો પણ તેણે ન માન્યું. ગુસ્સે થઈને એક ક્રૂર નામના
નોકરને બોલાવ્યો તે આવીને નમસ્કાર કરીને ઊભો રહ્યો. પછી ક્રોધ કરીને કેતુમતીએ લાલ
આંખોથી કહ્યું, હે ક્રૂર! આને સખી સહિત ગાડીમાં બેસાડી મહેન્દ્રનગરની પાસે છોડી આવ.
કેતુમતીની આજ્ઞાથી ક્રૂર સખીસહિત અંજનાને ગાડીમાં બેસાડી મહેન્દ્રનગર તરફ ચાલ્યો.
અંજનાસુંદરીનું શરીર ખૂબ કંપે છે, પવનથી ઊખડી ગયેલ વેલી સમાન તે નિરાશ્રય છે,
દુઃખરૂપ અગ્નિથી તેનું શરીર બળી રહ્યું છે, સાસુને તેણે કાંઈ ઉત્તર ન આપ્યો, તેની આંખો
સખી તરફ લંબાયેલી છે, મનમાં પોતાના અશુભ કર્મને તે વારંવાર નિંદી રહી છે, આંખમાંથી
આંસુની ધારા ચાલી જાય છે, તેનું ચિત્ત અસ્થિર છે. દિવસના અંતે મહેન્દ્રનગર સમીપ
પહોંચાડીને ક્રૂર મધુર વચન કહેવા લાગ્યો. કે દેવી! મેં મારી સ્વામિનીની આજ્ઞાથી આપને
માટે દુઃખરૂપ કાર્ય કર્યું છે, તો ક્ષમા કરશો, આમ કહી સખી સહિત સુંદરીને ગાડીમાંથી ઉતારી,
ગાડી લઈને પોતાની સ્વામિની પાસે ચાલ્યો. ત્યાં પહોંચીને વિનંતી કરી કે આપની આજ્ઞા
પ્રમાણે તેમને ત્યાં પહોંચાડી આવ્યો છું.
આંખો લાલ થઈ ગઈ છે એવી અંજનાનાં નેત્રોની લાલાશથી પશ્ચિમ દિશા લાલ થઈ ગઈ,
અંધકાર ફેલાઈ ગયો, રાત્રિ થઈ. અંજનાના દુઃખથી નીકળેલાં આંસુની ધારારૂપ મેઘથી દશે
દિશા શ્યામ થઈ ગઈ, પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા, જાણે કે અંજનાના દુઃખથી દુઃખી
થઈને કકળાટ કરતા હોય. અંજના અપવાદરૂપ દુઃખના સાગરમાં ડૂબેલી ક્ષુધાદિક દુઃખ ભૂલી
ગઈ. તે આંસુ સારતી અને રૂદન કરતી. વસંતમાલા તેને ધૈર્ય રાખવાનું સમજાવતી. રાત્રે
પાંદડાની પથારી પાથરી દીધી, પણ એને જરાય ઊંઘ આવી નહિ. નિરંતર અશ્રુપાત કરતી,
જાણે કે દાહના ભયથી નિદ્રા પણ ભાગી ગઈ. વસંતમાલા પગ દાબતી, ખેદ દૂર કરતી,
દિલાસો આપતી. આમ દુઃખના કારણે એક રાત્રિ એક વર્ષ બરાબર લાગી. સવારમાં પથારી
છોડીને જાતજાતના સંકલ્પ-વિકલ્પ કરતી, શંકા સહિત વિહ્વળ થઈને પિતાના ઘર તરફ
ચાલી. સખી છાયાની જેમ સાથે જ ચાલી. પિતાના મહેલના દ્વારે પહોંચી. તેને અંદર દાખલ
થતાં દ્વારપાળે રોકી, કારણ કે દુઃખના યોગથી તેનું રૂપ બદલાઈ ગયું હતું તેથી ઓળખાણ ન
પડી. ત્યો સખીએ બધી હકીકત કહી તે જાણીને
Page 184 of 660
PDF/HTML Page 205 of 681
single page version
શિલાકપાટ નામના દ્વારપાળે દ્વાર પર પોતાની જગ્યાએ એક માણસને મૂકીને પોતે રાજા
પાસે જઈ નમસ્કાર કરી વિનંતી કરી. પુત્રીના આગમનના સમાચાર આપ્યા. રાજાની
પાસે તેનો પ્રસન્નકીર્તિ નામનો પુત્ર બેઠો હતો તેને રાજાએ આજ્ઞા કરી કે તું સામે જઈને
શીઘ્ર એને અંદર લાવ. નગરની શોભા કરાવો. તું પહેલાં જા અને અમારું વાહન તૈયાર
કરાવ. હું પણ પાછળ આવું છું. ત્યારે દ્વારપાળે હાથ જોડી નમસ્કાર કરી યથાર્થ વિનંતી
કરી. રાજા મહેન્દ્ર લજ્જાનું કારણ સાંભળીને ખૂબ ગુસ્સે થયો અને પુત્રને આજ્ઞા કરી કે
પાપિણીને નગરમાંથી કાઢી મૂકો, તેની વાત સાંભળીને મારા કાન વજ્રથી હણાઈ ગયા છે.
ત્યાં રાજાનો અત્યંત પ્રિય, મહોત્સાહ નામનો એક મોટો સામંત કહેવા લાગ્યો કે હે નાથ!
આવી આજ્ઞા કરવી ઉચિત નથી, વસંતમાલાએ બધું યોગ્ય કહ્યું છે. કેતુમતી અતિ ક્રૂર છે,
જિનધર્મથી પરાઙમુખ છે, લૌકિક સૂત્ર અને નાસ્તિકમતમાં પ્રવીણ છે, તેણે વિચાર કર્યા
વિના ખોટો આરોપ મૂક્યો છે, આ ધર્માત્મા શ્રાવક વ્રતની ધારક, કલ્યાણ આચારમાં
તત્પર અંજનાને પાપી સાસુએ કાઢી મૂકી છે અને આપ પણ કાઢી મૂકશો તો તે કોના
શરણે જશે? જેમ પારધીની દ્રષ્ટિથી ત્રાસ પામેલી હરણી ગીચ વનનું શરણ લે તેમ આ
ભોળી નિષ્કપટ સાસુથી શંકિત થઈને આપના શરણે આવી છે, જાણે જેઠના સૂર્યનાં
કિરણોના સંતાપથી દુઃખી થઈને મહાવૃક્ષરૂપ આપના આશ્રયે આવી છે. આ દીન, જેનો
આત્મા વિહ્વળ છે એવી, કલંકરૂપ આતાપથી પીડિત આપના આશ્રયે પણ શાતા ન પામે
તો ક્યાં પામે? જાણે કે સ્વર્ગમાંથી લક્ષ્મી જ આવી છે. દ્વારપાળે રોકી તેથી અત્યંત
શરમાઈને, માથું ઢાંકીને બારણે ખડી છે, આપના સ્નેહની સદા પાત્ર છે માટે આપ દયા
કરો, એ નિર્દોષ છે, મહેલમાં એને પ્રવેશ કરાવો. કેતુમતીની ક્રૂરતા પૃથ્વી પર પ્રસિદ્ધ છે.
મહોત્સાહ સામંતે આવાં ન્યાયરૂપ વચનો કહ્યાં તેને રાજાએ કાને ન ધર્યાં. જેમ કમળના
પાન પર જળનું બૂંદ ન ટકે તેમ રાજાના ચિત્તમાં આ વાત ટકી નહિ. રાજા સામંતને
કહેવા લાગ્યા કે આ સખી વસંતમાલા સદા એની પાસે રહે છે અને એના પ્રત્યેના સ્નેહને
કારણે કદાચ સાચું ન બોલતી હોય તો અમને નિશ્ચય કેવી રીતે થાય? માટે એના શીલ
વિષે શંકા રહે છે, તેથી તેને નગરમાંથી બહાર કાઢી મૂકો. જ્યારે આ વાત પ્રગટ થશે
ત્યારે અમારા નિર્મળ કુળ પર કલંક લાગશે. જે મોટા કુળની બાલિકા નિર્મળ છે,
વિનયવાન છે, ઉત્તમ ચેષ્ટાવાળી છે તે પિયરમાં અને સાસરે સર્વત્ર સ્તુતિ કરવા યોગ્ય
છે. જે પુણ્યાધિકારી મહાન પુરુષ જન્મથી જ નિર્મળ શીલ પાળે છે, બ્રહ્મચર્ય ધારણ કરે છે
અને સર્વ દોષના મૂળ એવી સ્ત્રીને અંગીકાર કરતા નથી તે ધન્ય છે. બ્રહ્મચર્ય સમાન
બીજું કોઈ વ્રત નથી અને સ્ત્રીને અંગીકાર કરતાં એ સફળ થતું નથી. જો પુત્ર કે પુત્રી
કુપુત હોય અને તેમના અવગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ થાય તો પિતાને ધરતીમાં દટાઈ જવું
પડે છે. આખા કુળને લજ્જા થાય છે. મારું મન આજે અત્યંત દુઃખી થઈ રહ્યું છું. મેં આ
વાત અનેક વાર સાંભળી હતી કે અંજના તેના પતિને અપ્રિય છે અને તે આને આંખથી
પણ જોતા નહિ, તો તેનાથી ગર્ભની ઉત્પત્તિ કેવી રીતે થઈ? માટે આ નિશ્ચયથી દોષિત
છે. જે કોઈ એને
Page 185 of 660
PDF/HTML Page 206 of 681
single page version
નહિ એ રીતે એને બારણેથી કાઢી મૂકી. દુઃખપીડિત અંજના સખી સહિત રાજાનાં પોતાનાં
સગાઓને ત્યાં જ્યાં જ્યાં આશ્રય માટે ગઈ ત્યાં આવવા ન દીધી, બારણાં, બંધ કર્યાં.
જ્યાં બાપ જ ગુસ્સે થઈને કાઢી મૂકે ત્યાં કુટુંબની શી આશા હોય? તે બધા તો રાજાને
આધીન છે. આમ નિશ્ચય કરીને બધાથી ઉદાસ થઈને સખીને તે કહેવા લાગીઃ હે પ્રિયે!
અહીં બધાનાં ચિત્ત પાષાણનાં છે, અહીં વાસ કેવો? માટે વનમાં ચાલો, અપમાનથી તો
મરવું ભલું છે. આમ બોલીને તે સખી સહિત વનમાં ગઈ. તેનું શરીર આંસુઓથી
ભીંજાઈ ગયું હતું, જાણે કે તે સિંહથી બીધેલી હરણી હોય! શીત, ઉષ્ણ અને પવનના
ખેદથી પીડાતી તે વનમાં બેસી ઘોર રુદન કરવા લાગી. હાય હાય! હું કમભાગી
પૂર્વોપાર્જિત કર્મથી અત્યંત કષ્ટ પામી. હવે કોને શરણે જાઉં? કોણ મારું રક્ષણ કરશે?
દુર્ભાગ્યના આ સાગરમાં હું કયા કર્મથી આવી પડી? નાથ! મારા અશુભ કર્મના પ્રેર્યા તમે
ક્યાંથી આવ્યા? શા માટે ગર્ભ રહ્યો? બન્ને ઠેકાણે મારો અનાદર થયો. માતાએ પણ
મારું રક્ષણ ન કર્યું. તે શું કરે? પોતાના પતિની આજ્ઞાકારી પતિવ્રતાનો એ જ ધર્મ છે
અને મારા પતિ મને એમ કહીને ગયા હતા કે તારા ગર્ભની વૃદ્ધિ પહેલાં જ હું આવીશ.
હે નાથ! દયાવાન થઈને આ વચન કેમ ભૂલી ગયા? સાસુએ પરીક્ષા કર્યા વિના મારો
ત્યાગ કેમ કર્યો? જેના શીલમાં શંકા હોય તેની પરીક્ષા કરવાના અનેક ઉપાય છે. હું
પિતાને બચપણથી જ અત્યંત લાકડી હતી, હમેશાં ગોદમાં બેસાડી ખવડાવતા હતા તેમણે
પણ પરીક્ષા કર્યા વિના મારો અનાદર કર્યો. એમને એવી બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ?
માતાએ મને ગર્ભમાં રાખી પ્રતિપાલન કર્યું હતું, અત્યારે એમણે મોઢામાંથી એક શબ્દ પણ
ન કાઢયો કે એના ગુણદોષનો નિશ્ચય કરીએ. એક માતાના ઉદરથી ઉત્પન્ન થયેલ ભાઈ
પણ મને દુઃખિનીને ન રાખી શક્યો, બધાં જ કઠોર ચિત્તવાળાં થઈ ગયાં. જ્યાં માતા,
પિતા અને ભાઈની જ આ દશા હોય ત્યાં કાકા, દાદાના પિતરાઈ ભાઈ તથા પ્રધાન
સામંત શું કરે? અથવા એ બધાનો શો દોષ ગણવો? મારું જે કર્મરૂપ વૃક્ષ ફળ્યું છે તે
અવશ્ય ભોગવવું. આ પ્રમાણે અંજના વિલાપ કરે છે અને સખી પણ તેની સાથે વિલાપ
કરે છે. તેના મનમાંથી ધીરજ ખૂટી ગઈ. અત્યંત દીન બનીને તે ઊંચા સ્વરે રુદન કરવા
લાગી, હરણી પણ તેની દશા જોઈને આંસુ સારવા લાગી. ઘણો વખત રોવાથી તેની
આંખો લાલ થઈ ગઈ. ત્યારે તેની મહાવિચિક્ષણ સખી તેને છાતી સાથે દાબીને કહેવા
લાગીઃ હે સ્વામીની! ઘણું રૂદન કરવાથી શો લાભ થવાનો? તમે જે કર્મ બાંધ્યાં છે તે
અવશ્ય ભોગવવાનાં છે. બધાં જ જીવોને કર્મ આગળપાછળ લાગેલાં જ છે તે કર્મના
ઉદયનો શોક શો? હે દેવી! સ્વર્ગના જે દેવો સેંકડો અપ્સરાઓનાં નેત્રોથી દર્શનાપાત્ર બને
છે તે જ પુણ્યનો અંત આવતાં પરમદુઃખ પામે છે. મનમાં વિચારીએ છીએ કાંઈક અને
થઈ જાય છે કાંઈક બીજુ. જગતના લોકો ઉદ્યમમાં પ્રવર્તે છે તેમને પૂર્વોપાર્જિત કર્મનો
ઉદય જ કારણ છે. જે હિતકારી વસ્તુ આવીને પ્રાપ્ત થઈ હોય તે અશુભ કર્મના ઉદયથી
ચાલી જાય છે અને જે વસ્તુ મનથી
Page 186 of 660
PDF/HTML Page 207 of 681
single page version
અગોચર છે તે આવી મળે છે. કર્મોની ગતિ વિચિત્ર છે તેથી હે દેવી! તમે ગર્ભના ખેદથી
પિડાવ છો, વૃથા કલેશ ન કરો, તમે તમારું મન દ્રઢ કરો. તમે જે પૂર્વજન્મમાં કર્મ
ઉપાર્જ્યા છે તેનાં ફળ ટાળવાથી ટળતાં નથી અને તમે તો મહાન બુદ્ધિશાળી છો. તમને
હું શી શિખામણ આપું? જો તમે ન જાણતા હો તો હું કહું, એમ કહીને તેના નેત્રમાં આંસુ
પોતાના વસ્ત્રથી લૂછયાં, વળી કહેવા લાગી કે હે દેવી! આ સ્થળ આશ્રયરહિત છે, માટે
ઊઠો આગળ ચાલીએ અથવા પહાડની નજીક કોઈ ગુફા હોય, જ્યાં દુષ્ટોનો પ્રવેશ ન
થાય ત્યાં જઈએ. તમારી પ્રસૂતિનો સમય નજીક આવ્યો છે તેથી કેટલાક દિવસ
સાવચેતીથી રહેવું જોઈએ. ત્યારે તે ગર્ભના ભારથી આકાશમાર્ગે પણ ચાલવાને અશક્ત
હતી તો પણ ભૂમિ પર સખીની સાથે ગમન કરવા લાગી, મહાકષ્ટથી તે પગલાં ભરતી.
વન અનેક અજગરોથી ભરેલું છે, દુષ્ટ જીવોના નાદથી અત્યંત ભયાનક છે, અતિ ગીચ
છે, જાતજાતનાં વૃક્ષોથી સૂર્યનાં કિરણોનો પણ ત્યાં સંચાર થતો નથી, સોયની અણી જેવી
ડાભની અણી અતિતીક્ષ્ણ છે, ખૂબ કાંકરા છે, મત્ત હાથીઓ અને ભીલો પણ ઘણા છે,
વનનું નામ માતંગમાલિની છે. જ્યાં મનની પણ ગતિ નથી ત્યાં તનની ગતિ ક્યાંથી
થાય? સખી આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, પણ આ ગર્ભના ભારથી ચાલવા સમર્થ
નથી તેથી સખી તેના પ્રેમના બંધનથી બંધાયેલી શરીરની છાયાની જેમ તેની સાથે સાથે
ચાલે છે. અંજના વનને અતિભયાનક જોઈને કંપે છે, દિશા પણ ભૂલી જાય છે ત્યારે
વસંતમાલા એને અતિવ્યાકુળ જાણી તેનો હાથ પકડી કહેવા લાગી, હે સ્વામિની! તમે ડરો
નહિ, મારી પાછળ પાછળ ચાલ્યા આવો.
વેગથી વહેતા પાણીના ઝરણાને કષ્ટપૂર્વક પાર કરતી, પોતાના અતિનિર્દય સર્વ સ્વજનોને
યાદ કરી અશુભ કર્મને વારંવાર નિંદતી, ભયભીત હરણીની જેમ વેલોને પકડતી, શરીરે
પરસેવાના રેલા વહાવતી, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાય ત્યારે માંડ છોડાવતી, જેના પગ
લોહીથી લાલ થઈ ગયા છે એવી, શોકરૂપ અગ્નિના દાહથી કાળી પડી ગયેલી, પાંદડાં હલે
તો પણ ફફડતી, વારંવાર વિશ્રામ લેતી, ધીરેધીરે અંજના પહાડની તળેટી આવી ત્યાં
આંસુભરેલી બેસી ગઈ. સખી તેને પ્રિય વચનોથી ધૈર્ય આપવા લાગી. તે સખીને કહેવા
લાગી કે હવે મારામાં એક ડગલું ભરવાની પણ શક્તિ નથી, હું અહીં જ રહીશ, મરણ
થાય તો ભલે થાય. સખી તેને અત્યંત પ્રેમથી, મનોહર વચનોથી શાંતિ પમાડતી નમસ્કાર
કરીને કહેવા લાગીઃ હે દેવી! આ ગુફા નજીક જ છે, કૃપા કરીને અહીંથી ઊઠીને ત્યાં
સૂખપૂર્વક બેસો. અહીં ક્રૂર જીવો વિચરે છે, તમારે ગર્ભની રક્ષા કરવાની છે, માટે હઠ ન
કરો. ત્યારે તે આતાપની ભરેલી સખીના વચનથી અને ગાઢ વનના ભયથી ચાલવા માટે
ઊભી થઈ અને સખી તેને હાથનો ટેકો આપીને, વિષમ ભૂમિમાંથી બહાર લાવી ગુફાના
દ્વાર પર લઈ ગઈ. વગર વિચાર્યે ગુફામા બેસવામાં ભય છે એમ સમજી
Page 187 of 660
PDF/HTML Page 208 of 681
single page version
વિરાજતા ચારણમુનિને જોયા. તેમણે પલ્યંકાસન ધર્યું હતું, તેમના શ્વાસોચ્છવાસ નિશ્ચળ
હતા, નાકની અણી પર તેમની દ્રષ્ટિ હતી, શરીર થાંભલાની જેમ સ્થિર હતું, ખોળામાં
ડાબા હાથ જમણા હાથ પર મૂકેલો હતો, સમુદ્ર સમાન ગંભીર, અનેક ઋદ્ધિસંયુક્ત,
આત્મસ્વરૂપ, જેવું જિનશાસનમાં બતાવ્યું છે તેવું ધ્યાનમાં લેતા, પવન જેવા અસંગ,
આકાશ જેના નિર્મળ, જાણે કે પહાડનું શિખર જ હોય તેવા તેમને બન્નેએ જોયા. એ
બન્ને મુનિની સમીપમાં આવી. તેમનું બધું દુઃખ ભુલાઈ ગયું. ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ
જોડી નમસ્કાર કર્યા. મુનિ પરમ બાંધવ મળ્યા. જે સમયે જેની પ્રાપ્તિ થવાની હોય તે
થાય. મુનિનાં ચરણારવિંદ તરફ પોતાનાં અશ્રુપાતરહિત સ્થિર નેત્ર કરી, એ બન્ને હાથ
જોડી વિનંતી કરવા લાગીઃ હે ભગવાન! હે કલ્યાણરૂપ! હે ઉત્તમ ચેષ્ટાના ધારક! આપનું
શરીર કુશળ છે? આપનો દેહ તો સર્વ વ્રતતપ સાધવાનું મૂળ કારણ છે. હે ગુણસાગર!
જેમને ઉપરાઉપરી તપની વૃદ્ધિ થઈ રહી છે, હે ક્ષમાવાન! શાંતભાવના ધારક! મન-
ઇન્દ્રિયના વિજેતા! આપનો વિહાર જીવોના કલ્યાણના નિમિત્તે જ છે, આપના જેવા પુરુષ
તો સર્વ જીવોના કુશળનું કારણ છે તેથી આપની કુશળતા શું પૂછવી? પરંતુ પૂછવાનો
શિષ્ટાચાર છે એટલે પૂછી છે. આમ કહીને વિનયથી નમ્રીભૂત થયેલ શરીરવાળી ચૂપ થઈ
ગઈ અને મુનિના દર્શનથી તેમનો સર્વ ભય ચાલ્યો ગયો.
ભોગવે છે. જુઓ કર્મની વિચિત્રતા, આ રાજા મહેન્દ્રની પુત્રીને વિના અપરાધે કુટુંબના
લોકોએ કાઢી મૂકી છે. મુનિ મહાજ્ઞાની છે, કહ્યા વિના જ બધી વાતો જાણનારા છે. તેમને
નમસ્કાર કરીને વસંતમાલા પૂછવા લાગી-હે નાથ! કયા કારણથી આના પતિ એનાથી
ઘણા દિવસ સુધી ઉદાસ રહ્યા? એ કયા કારણે અનુરાગી થયા તથા મહાસુખયોગ્ય આ
અંજના વનમાં કયા કારણથી આટલું દુઃખ પામી? એના ગર્ભમાં ક્યો મંદભાગી જીવ
આવ્યો છે કે જેનાથી આને જીવવાની પણ શંકા પડી? ત્યારે ત્રણ જ્ઞાનના ધારક
અમિતગતિ સ્વામી સર્વ વૃત્તાંત યથાર્થપણે કહેવા લાગ્યા. મહાપુરુષોની એ જ વૃત્તિ હોય
છે કે જે બીજાઓને ઉપકાર કરે છે. મુનિ વસંતમાલાને કહે છેઃ હે પુત્રી! આના ગર્ભમાં
ઉત્તમ બાળક આવ્યો છે. પ્રથમ તો તેના ભવ સાંભળ. પછી તેણે પૂર્વ ભવમાં જે પાપનું
આચરણ કર્યું હતું અને જેના કારણે આ અંજના આવું દુઃખ પામી તે સાંભળ.
કલ્યાણરૂપ જે દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણોનો ધારક હતો. એક દિવસ વસંતઋતુમાં
Page 188 of 660
PDF/HTML Page 209 of 681
single page version
નંદનવનતુલ્ય વનમાં નગરના લોકો ક્રીડા કરવા લાગ્યા. દમયંતે પણ પોતાના મિત્રો સાથે
ખૂબ ક્રીડા કરી. અબીલાદિ સુગંધી શરીરવાળા અને કુંડળાદિ આભૂષણ પહેરેલા તેણે તે
સમયે એક મહામુનિ જોયા. મુનિએ આકાશરૂપી વસ્ત્ર ધારણ કર્યું હતું, તપ જ તેમનું ધન
હતું. ધ્યાન, સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં તે ઉદ્યમી હતા. દમયંત પોતાના મિત્રોને ક્રીડા
કરતા છોડીને મુનિઓની મંડળીમાં આવ્યો, વંદના કરીને ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું,
સમ્યગ્દર્શન પામ્યો, શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં, અનેક પ્રકારના નિયમ લીધા. એક દિવસ
તેણે દાતાના સાત ગુણ અને નવધા ભક્તિપૂર્વક સાધુને આહારદાન આપ્યું. કેટલાક
દિવસો પછી સમાધિમરણ કરીને સ્વર્ગલોકમાં જન્મ્યો. નિયમ અને દાનના પ્રભાવથી તે
અદ્ભુત યોગ પામ્યો. સેંકડો દેવાંગનાઓનાં નેત્રોની કાંતિરૂપ નીલકમળની માળાથી
અર્ચિત ચિરકાળ સુધી તેણે સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને જંબુદ્વીપમાં
મૃગાંક નામના નગરમાં હરિચંદ નામના રાજાની પ્રિયંગુલક્ષ્મી નામની રાણીને પેટે સિંહચંદ
નામનો પુત્ર થયો. અનેક કલા અને ગુણોમાં પ્રવીણ તે અનેક વિવેકીઓનાં હૃદયમાં
વસ્યો. ત્યાં પણ દેવો જેવા ભોગ ભોગવ્યા, સાધુઓની સેવા કરી. પછી સમાધિમરણ
કરીને દેવલોકમાં ગયો. ત્યાં મનવાંછિત અતિઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કર્યાં. દેવીઓનાં વદનરૂપી
કમળના જ્યાં વનને પ્રફુલ્લિત કરવાને તે સૂર્ય સમાન હતો. ત્યાંથી ચ્યવીને આ
ભરતક્ષેત્રમાં વિજ્યાર્ધ પર્વત પર અરુણપુર નગરમાં રાજા સુકંઠની રાણી કનકોદરીની કૂખે
સિંહવાહન નામનો પુત્ર થયો. પોતાના ગુણોથી સમસ્ત પ્રાણીઓનાં મન હરનાર તેણે ત્યાં
દેવ જેવા ભોગ ભોગવ્યા, અપ્સરા સમાન સ્ત્રીઓનાં મનનો તે ચોર હતો. તેણે ઘણો
સમય રાજ્ય કર્યું. શ્રી વિમળનાથજીના સમોસરણમાં તેને આત્મજ્ઞાન અને સંસારથી
વૈરાગ્ય થયો તેથી લક્ષ્મીવાહન નામના પુત્રને રાજ્ય આપી, સંસારને અસાર જાણી,
લક્ષ્મીતિલક મુનિના શિષ્ય થયા. શ્રી વીતરાગદેવના કહેલા મહાવ્રતરૂપ યતિનો ધર્મ
અંગીકાર કર્યો. અનિત્યાદિ બાર ભાવનાનું ચિતંન કરી જ્ઞાનચેતનારૂપ થયા. જે તપ
કોઈથી ન બને તેવું તપ કર્યું. રત્નત્રયરૂપ પોતાના નિજભાવોમાં સ્થિર થયા. પરમ
તત્ત્વજ્ઞાનરૂપ આત્માના અનુભવમાં મગ્ન થયા. તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી. સર્વ
વાતે સમર્થ હતા. તેમના શરીરને સ્પર્શીને આવતા પવનથી પ્રાણીઓનાં અનેક દુઃખ-રોગ
દૂર થતાં, પરંતુ પોતે કર્મની નિર્જરા અર્થે બાવીસ પરીસહ સહન કરતા. પછી આયુષ્ય
પૂર્ણ કરીને ધર્મ-ધ્યાનના પ્રસાદથી જ્યોતિષચક્રને ઓળંગી સાતમા લાંતવ નામના સ્વર્ગમાં
મોટા ઋદ્ધિધારી દેવ થયા. ચાહે તેવું રૂપ કરતા, ચાહે ત્યાં જતા, જે વચનથી વર્ણવી શકાય
નહિ. આવાં અદ્ભુત સુખ ભોગવ્યાં, પરંતુ સ્વર્ગનાં સુખમાં મગ્ન ન થયા. જેને
પરમધામની ઇચ્છા છે એવા તે ત્યાંથી ચ્યવીને અંજનાની કુક્ષિમાં આવ્યા છે. તે પરમ
સુખના ભાજન છે. હવે તે દેહ ધારણ કરશે નહિ, અવિનાશી સુખ પામશે, તે ચરમશરીરી
છે. આ તો પુત્રનો ગર્ભમાં આવવાનો વૃત્તાંત કહ્યો. હવે હે કલ્યાણ ચેષ્ટાવાળી! એને જે
કારણથી પતિનો વિરહ અને કુટુંબનો નિરાદર થયો તે વૃત્તાંત સાંભળ. આ
અંજનાસુંદરીએ પૂર્વભવમાં દેવાધિદેવ
Page 189 of 660
PDF/HTML Page 210 of 681
single page version
બહાર કાઢી નાખી, તે જ સમયે એક સંયમશ્રી નામની અર્જિકા તેને ઘેર આહાર માટે
આવ્યા હતા, તે તપથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતા, તેમણે અંજના દ્વારા શ્રીજીની મૂર્તિનો
અવિનય થયો જોઈ પારણું ન કર્યું. પાછા ચાલ્યા ગયા અને આને અજ્ઞાની જાણી,
દયાભાવથી ઉપદેશ દેતા ગયા. જે સાધુ પુરુષ છે તે તો સૌનું ભલું જ ઈચ્છે છે. જીવોને
સમજાવવા માટે ન પૂછવા છતાં પણ સાધુજન શ્રી ગુરુની આજ્ઞાથી ધર્મોપદેશ આપે છે.
આમ જાણીને શીલ, સંયમરૂપ આભૂષણ ધારણ કરનાર તે સંયમશ્રીએ પટરાણીને
મહામધુર અનુપમ વચનો કહ્યાં કે હે ભોળી! સાંભળ, તું રાજાની પટરાણી છે, અત્યંત
રૂપવતી છે, રાજા તને ખૂબ સન્માન આપે છે, તું ભોગોનું સ્થાન છે, તારું આ શરીર
પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે. આ જીવ ચાર ગતિમાં ભટકે છે, મહાદુઃખ પામે છે, અનંત
કાળમાં કોઈક જ વાર પુણ્યના યોગથી મનુષ્યદેહ પામે છે. હે શોભને! તું કોઈ પુણ્યના
યોગે મનુષ્યદેહ પામી છો માટે આવું નિંદ્ય આચરણ તું ન કર, યોગ્ય ક્રિયા કરવી ઉચિત
છે. આ મનુષ્યદેહ પામીને જે સુકૃત કરતો નથી તે હાથમાં આવેલું રત્ન ગુમાવી દે છે.
મન, વચન, કાયાના યોગથી શુભ ક્રિયાનું સાધન કરવું તે શ્રેષ્ઠ છે, અશુભ ક્રિયાનું સાધન
છે તે દુઃખનું મૂળ છે. જે પોતાના હિત માટે સુકૃતમાં પ્રવર્તે છે તે જ ઉત્તમ છે, લોક
મહાનિંદ્ય અનાચારથી ભરેલો છે. જે સંત સંસારસાગરથી પોતે તરે છે, બીજાઓને તારે
છે, ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપે છે તેના સમાન બીજું કોઈ નથી, તે કૃતાર્થ છે, તે
મુનિઓના નાથ, સર્વ જગતના નાથ, ધર્મચક્રી શ્રી અરિહંતદેવના પ્રતિબિંબનો જે અવિનય
કરે છે તે અનેક ભવમાં કુગતિનાં મહાદુઃખ પામે છે. તે દુઃખોનું કોણ વર્ણન કરી શકે?
જોકે શ્રી વીતરાગદેવ રાગદ્વેષરહિત છે, જે સેવા કરે તેમના પ્રત્યે રાગ નથી અને જે નિંદા
કરે તેમના પ્રત્યે દ્વેષ નથી, મધ્યસ્થભાવ ધારે છે. પરંતુ જે જીવ સેવા કરે તે સ્વર્ગ-મોક્ષ
પામે અને જે નિંદા કરે તે નરક-નિગોદ પામે. કયા કારણે? જીવોને પોતાનાં શુભ-
અશુભ પરિણામોથી સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ અગ્નિના સેવનથી શીતનું
નિવારણ થાય છે અને ખાનપાનથી ક્ષુધાતૃષાની પીડા મટે છે તેમ જિનરાજની પૂજાથી
સ્વયંમેવ સુખ થાય છે અને અવિનયથી પરમદુઃખ થાય છે. હે શોભને! સંસારમાં જે દુઃખ
દેખાય તે સર્વ પાપનાં ફળ છે અને જે સુખ છે તે ધર્મનાં ફળ છે. તું પૂર્વ પુણ્યના ઉદયથી
મહારાજની પટરાણી થઈ છો, ખૂબ સંપત્તિ મેળવી છે, તારો પુત્ર અદ્ભુત કાર્ય કરનાર
છે, હવે તું એવું કર કે જેથી સુખ પામે. મારાં વચનથી તારું કલ્યાણ કર. હે ભવ્યે! સૂર્ય
અને નેત્ર હોવા છતાં તું કૂવામાં ન પડ. જો આવાં કાર્ય કરીશ તો ઘોર નરકમાં પડીશ.
દેવગુરુશાસ્ત્રનો અવિનય કરવો એ અનંત દુઃખનું કારણ છે અને આવા દોષ જોઈને જો હું
તને ન સંબોધું તો મને પ્રમાદનો દોષ લાગે છે તેથી તારા કલ્યાણના નિમિત્તે મેં ધર્મોપદેશ
આપ્યો છે. જ્યારે શ્રી અર્જિકાજીએ આમ કહ્યું ત્યારે તેણે નરકથી ડરી, સમ્યગ્દર્શન ધારણ કર્યું,
શ્રાવિકાનાં વ્રત આદર્યાં, શ્રીજીની પ્રતિમા મંદિરમાં પધરાવી અને અનેક વિધાનથી અષ્ટપ્રકારી
Page 190 of 660
PDF/HTML Page 211 of 681
single page version
પૂજા કરાવી. આ પ્રમાણે રાણી કનકોદરીને અર્જિકા ધર્મનો ઉપદેશ આપી, પોતાના સ્થાનકે
ગયા અને તે કનકોદરી શ્રી સર્વજ્ઞદેવના ધર્મનું આરાધન કરીને સમાધિમરણ કરીને
સ્વર્ગલોકમાં ગઈ. ત્યા સ્વર્ગનાં સુખ ભોગવ્યાં અને સ્વર્ગમાંથી ચ્યવીને મહેન્દ્રની રાણી
મનોવેગાની અંજનાસુંદરી નામની તું પુત્રી થઈ. પુણ્યના પ્રભાવથી રાજકુળમાં જન્મી,
ઉત્તમ વર મળ્યો અને જે જિનેન્દ્રદેવની પ્રતિમાને એક ક્ષણ મંદિરની બહાર રાખી હતી
તેના પાપથી ધણીનો વિયોગ અને કુટુંબનો અનાદર પામી. વિવાહના ત્રણ દિવસ પહેલાં
પવનંજય ગુપ્ત રીતે આવ્યા હતા, રાત્રે તારા મહેલના ઝરૂખામાં મિત્ર પ્રહસ્ત સાથે બેઠા
હતા તે વખતે સખી મિશ્રકેશીએ વિદ્યુતપ્રભનાં વખાણ કર્યાં અને પવનંજયની નિંદા કરી
તે કારણે પવનંજયને દ્વેષ થયો. પછી યુદ્ધ માટે ઘેરથી નીકળ્યા, માનસરોવર પર પડાવ
કર્યો ત્યાં ચકવીનો વિરહ જોઈ કરુણા ઉપજી, તે કરુણા જ જાણે કે સખીનું રૂપ લઈને
કુમારને સુંદરી પાસે લાવી અને તને ગર્ભ રહ્યો. કુમાર છાનામાના જ પિતાની આજ્ઞા
સાધવા માટે રાવણની પાસે ગયા. આમ કહીને ફરીથી મુનિએ અંજનાને કહ્યુંઃ હે બાલિકે!
તું કર્મના ઉદયથી આવું દુઃખ પામી માટે આવું નિંદ્ય કર્મ કરીશ નહિ. સંસારસમુદ્રથી
તારનાર જિનેન્દ્રદેવની ભક્તિ કર. પૃથ્વી ઉપર જે સુખ છે તે સર્વ જિનભક્તિના પ્રતાપે
મળે છે. પોતાના ભવની આવી વાત સાંભળી અંજના વિસ્મય પામી અને પોતાના કરેલા
કર્મની નિંદા કરતી ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગી. ત્યારે મુનિએ કહ્યું, હે પુત્રી! હવે તું
તારી શક્તિ પ્રમાણે નિયમ લે અને જિનધર્મનું સેવન કર, યતિ-વ્રતીઓની ઉપાસના કર.
તેં એવાં કર્મ કર્યાં હતાં કે તું અધોગતિ પામત, પરંતુ સંયમશ્રી અર્જિકાએ કૃપા કરીને
ધર્મનો ઉપદેશ આપ્યો અને હાથનો ટેકો આપી કુગતિના પતનથી બચાવી, અને જે બાળક
તારા ગર્ભમાં આવ્યો છે તે મહાકલ્યાણનું ભાજન છે. પુત્રના પ્રભાવથી તું પરમસુખ
પામીશ, તારો પુત્ર અખંડવીર્ય છે, દેવોથી પણ ન જિતાય તેવો થશે. હવે થોડા જ
દિવસોમાં તારા પતિનો તને મેળાપ થશે. માટે હે ભવ્યે! તું તારા મનમાં ખેદ ન કર,
શુભ ક્રિયામાં પ્રમાદરહિતપણે ઉદ્યમી થા. મુનિનાં આ વચન સાંભળીને અંજના અને
વસંતમાલા ખૂબ રાજી થઈ અને મુનિને વારંવાર નમસ્કાર કર્યા. મુનિરાજે એમને
ધર્મોપદેશ આપીને આકાશમાર્ગે વિહાર કર્યો. જેમનું ચિત્ત નિર્મળ છે એવા સંયમીઓને
માટે એ જ ઉચિત છે કે તે નિર્જન સ્થાનકમાં નિવાસ કરે અને તે પણ અલ્પકાળ જ રહે.
આ પ્રમાણે અંજના પોતાના ભવ સાંભળીને પાપકર્મથી અત્યંત ડરી અને ધર્મમાં સાવધાન
થઈ. તે ગુફા મુનિના બિરાજવાથી પવિત્ર થઈ હતી તેથી ત્યાં અંજના વસંતમાલા સાથે
પુત્રની પ્રસૂતિનો સમય જોઈને રહી.
કરતી. પતિવ્રતા અંજના પ્રિય વિના જંગલમાં એકલી હતી તેનું દુઃખ જાણે કે સૂર્ય ન જોઈ
શક્યો, તેથી અસ્ત થવા લાગ્યો. એનાં દુઃખથી સૂર્યનાં કિરણો મંદ થઈ ગયાં. પહાડના
શિખર પર અને વૃક્ષોની
Page 191 of 660
PDF/HTML Page 212 of 681
single page version
આકાશમંડળ લાલ થઈ ગયું, જાણે કે ક્રોધે ભરાયેલા સિંહનાં લાલ નેત્રોની લાલાશ ફેલાઈ
ગઈ છે. પછી શીઘ્ર અંધકાર સ્વરૂપ રાત્રિ પ્રગટ થઈ, જાણે કે રાક્ષસી જ રસાતાળમાંથી
નીકળી છે. સંધ્યા સમયે પક્ષીઓ ચીંચીં કરતાં ગહન વનમાં શબ્દરહિત થઈ વૃક્ષોની ટોચે
બેસી ગયાં, રાત્રિનું શ્યામ સ્વરૂપ ડરામણું લાગવાથી ચૂપ થઈ ગયાં. શિયાળના ભયાનક
અવાજ આવવા લાગ્યા, જાણે કે આવનારા ઉપસર્ગનો ઢોલ જ વાગી રહ્યો હોય.
છે, તેના ભયાનક શબ્દથી વન ગુંજી રહ્યું છે, મુખમાંથી પ્રલયકાળના અગ્નિની જ્વાળા
સમાન જીભ લબકારા મારે છે, તીક્ષ્ણ દાઢ અત્યંત કુટિલ છે, પ્રલયકાળના ઉગતા સૂર્ય
જેવા તેજ ધારણ કરતાં નેત્રો છે. તે સિંહે પૂછની અણી મસ્તક ઉપર ઊંચી કરી હતી,
નખની અણીથી ધરતી ખોદતો હતો, મૃત્યુનું સાક્ષાત્ સ્વરૂપ હોય તેવો યમનો પણ યમ
હોય તેવો જોઈને વનમાં બધાં જીવ ડરી ગયાં. તેના નાદથી ગુફા ગાજી ઊઠી, જાણે
ભયંકર પહાડ રોવા લાગ્યો. તેનો નિષ્ઠુર અવાજ વનના જીવોના કાનને ભયંકર મુદ્ગરના
ઘાત જેવો લાગ્યો. તેનાં લાલ નેત્રોના ભયથી હરણો જાણે ચિત્ર જેવા બની ગયાં હતાં.
મદોન્મત્ત હાથીનો મદ ઉતરી ગયો હતો, બધાં પશુઓ પોતપોતાનાં બચ્ચાઓને લઈ
ભયથી ધ્રૂજતાં વૃક્ષોને આશરે આવી રહ્યાં. સિંહની ગર્જના સાંભળી અંજનાએ એવી
પ્રતિજ્ઞા કરી કે જો ઉપસર્ગથી મારું શરીર જાય તો મારે અનશન વ્રત છે, ઉપસર્ગ ટળશે
તો ભોજન લઈશ. સખી વસંતમાલા હાથમાં ખડ્ગ લઈને કોઈ વાર આકાશમાં જતી,
કોઈ વાર ભૂમિ પર આવતી, અતિવ્યાકુળ થઈ પક્ષિણીની જેમ ભટકતી હતી. એ બન્નેને
ભયભીત અને ધ્રૂજતી જોઈને તે ગુફાના નિવાસી મણિચૂલ નામના ગંધર્વની પત્ની
રત્નચૂલા દયા લાવીને કહેવા લાગીઃ હે દેવ! જુઓ, આ બન્ને સ્ત્રીઓ સિંહથી
અતિભયભીત અને વિહ્વળ છે, તમે એની રક્ષા કરો. ગંધર્વને દયા આવી. તેણે તત્કાળ
વિક્રિયા કરીને અષ્ટાપદનું સ્વરૂપ રચ્યું. ત્યાં સિંહ અને અષ્ટાપદના ભયંકર અવાજો
આવવા લાગ્યા. અંજના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગી અને વસંતમાલા
સારસની જેમ વિલાપ કરતી રહી. હાય અંજના!! પહેલાં તો તું પતિને અપ્રિય દુર્ભાગી
બની, કોઈ પણ પ્રકારે પતિનું આગમન થયું તો તેનાથી તને ગર્ભ રહ્યો અને સાસુએ
સમજ્યા વિના ઘરમાંથી કાઢી, પછી માતાપિતાએ પણ ન રાખી અને મહાભયાનક વનમાં
આવી. ત્યાં પુણ્યના યોગે મુનિનાં દર્શન થયાં, મુનિએ ધૈર્ય બંધાવ્યું, પૂર્વભવની કથા કહી,
ધર્મોપદેશ આપી આકાશમાર્ગે ગયા અને તું પ્રસૂતિના હેતુથી ગુફામાં રહી. હવે આ સિંહના
મુખમાં પ્રવેશ કરીશ. હાય! હાય! એક રાજપુત્રી નિર્જન વનમાં મરણ પામી રહી છે. હવે
આ વનના દેવ, દયા કરીને રક્ષા કરો. મુનિએ કહ્યું હતું કે તારાં બધાં દુઃખો ટળી ગયાં તો શું
મુનિનું વચન અન્યથા થાય? આમ વિલાપ કરતી વસંતમાલા હીંચકે ઝૂલતી હોય તેમ એક
Page 192 of 660
PDF/HTML Page 213 of 681
single page version
જગાએ સ્થિર રહેતી નહિ. ક્ષણમાં તે અંજનાસુંદરી પાસે આવતી અને ક્ષણમાં બહાર જતી.
સિંહ અને અષ્ટપદના યુદ્ધનું ચરિત્ર જોઈને વસંતમાલા ગુફામાં અંજનાસુંદરી પાસે આવી,
પલ્લવથી પણ કોમળ હાથથી વિશ્વાસ આપતી રહી, જાણે નવો જન્મ મળ્યો, હિતકારી
વાતચીત કરવા લાગી. જેને એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી હતી એવી એ બન્ને
કોઈવાર કુટુંબના નિર્દયપણાની વાત કરતી તો કોઈ વાર ધર્મકથા કરતી. અષ્ટાપદે સિંહને
એવો ભગાડી મૂકયો, જેમ હાથીને સિંહ અને સર્પને ગરુડ ભગાડી મૂકે. પછી તે ગંધર્વદેવ
ખૂબ આનંદમાં આવીને ગાવા લાગ્યો. તેનું ગાન દેવોનું પણ મન મોહી લે તો મનુષ્યોની
તો શી વાત? અર્ધરાત્રિ થઈ અને બધા શાંત થઈ ગયા ત્યારે તે ગાવા લાગ્યો, વીણા
વગાડવા લાગ્યો. બીજાં પણ તંબૂર, મંજીરાં, મૃદંગ, બંસરી આદિ વાજિંત્રો વગાડવા લાગ્યો,
ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ સાત સ્વરોમાં તેણે ગાયું.
આ સાત સ્વરોના ત્રણ ગ્રામ શીઘ્ર, મધ્ય અને વિલંબિત તથા એકવીસ મૂર્છના છે તે
ગંધર્વોમાં જે મોટા દેવની પેઠે તેણે ગાન કર્યું. ગાનવિદ્યામાં ગંધર્વદેવ પ્રસિદ્ધ છે. રાગને
ઓગણપચાસ સ્થાનક છે તે બધા ગંધર્વદેવ જાણે છે. તેણે ભગવાન શ્રી જિનેન્દ્રદેવના
ગુણ સુંદર અક્ષરોમાં ગાયા. હું શ્રી અરિહંતદેવને ભક્તિથી વંદું છે. ભગવાન દેવ અને
દૈત્યોથી પૂજનીય છે. દેવ એટલે સ્વર્ગવાસી, દૈત્ય એટલે જ્યોતિષી, વ્યંતર અને
ભવનવાસી; આ ચતુર્નિકાયના દેવ છે અને ભગવાન બધા દેવોના દેવ છે, જેમને સુર,
નર-વિદ્યાધર અષ્ટદ્રવ્યથી પૂજે છે. તે ત્રણ ભુવનમાં અતિપ્રવીણ અને પવિત્ર છે. શ્રી
મુનિસુવ્રતનાથ ભગવાનના ચરણયુગલમાં હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, જેમના
ચરણારવિંદના નખની કાંતિ ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતનો પ્રકાશ કરે છે, આવાં ગીત
ગંધર્વદેવે ગાયાં. તેથી વસંતમાલા ખૂબ પ્રસન્ન થઈ. તેણે આવા રાગ કદી સાંભળ્યા
નહોતા, વિસ્મયથી જેનું મન ભરાઈ ગયું છે એવી તે ગીતની અત્યંત પ્રશંસા કરવા
લાગી. વસંતમાલા અંજનાને કહેવા લાગી કે ધન્ય છે આ ગીત! આ મનોહર ગીતથી
મારું હૃદય અમૃતથી જાણે ભીંજાઈ ગયું છે. આ કોઈ દયાળું દેવ છે, જેણે અષ્ટાપદનું રૂપ
ધારણ કરી સિંહને ભગાડ્યો અને આપણી રક્ષા કરી અને એણે જ આપણા આનંદ માટે
આ મનોહર ગીત ગાયાં છે. હે દેવી! હે શોભને! હે શીલવંતી! તારા ઉપર બધા જ દયા
રાખે છે. જે ભવ્ય જીવ છે તેમને મહાભયંકર વનમાં દેવ મિત્ર થાય છે. આ ઉપસર્ગના
વિનાશથી ચોક્ક્સ તારા પતિનો મેળાપ થશે અને તને અદ્ભુત પરાક્રમી પુત્ર થશે.
મુનિનાં વચન અન્યથા થતાં નથી. પછી મુનિના ધ્યાનથી જે ગુફા પવિત્ર બની હતી તેમાં
શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમા પધરાવી બન્નેએ સુગંધી દ્રવ્યોથી પૂજા કરી. બન્નેનાં
મનમાં એક જ વિચાર હતો કે પ્રસૂતિ સુખપૂર્વક થાય. વસંતમાલા જુદી જુદી રીતે
અંજનાના ચિત્તને પ્રસન્ન કરે છે અને તે કહેવા લાગી કે હે દેવી! આ વન અને ગિરિ
તમારા અહીં પધારવાથી પરમ
Page 193 of 660
PDF/HTML Page 214 of 681
single page version
વૃક્ષો ફળોના ભારથી નીચે ઝૂકી રહ્યાં છે, કોમળ પાંદડાં અને વિખરાયેલાં ફૂલો દ્વારા જાણે
હર્ષ પામ્યાં છે. આ મોર, પોપટ, મેના કોયલ આદિ મધુર અવાજ કરી રહ્યાં છે તે જાણે કે
વન-પહાડ સાથે વાર્તાલાપ કરે છે. આ પર્વત નાના પ્રકારની ધાતુની ખાણ છે. આ ગીચ
વૃક્ષોના સમૂહ આ પર્વતરૂપ રાજાના સુંદર વસ્ત્ર છે, અહીં જાતજાતનાં રત્ન છે તે આ
પર્વતનાં આભૂષણો છે, આ પર્વતમાં સારી સારી ગુફાઓ છે, અનેક જાતનાં સુગંધી પુષ્પો
છે, મોટાં મોટાં સરોવરો છે, તેમાં સુગંધી કમળો ખીલી રહ્યાં છે. હે કલ્યાણરૂપિણી! ચિંતા
ન કર, ધૈર્ય ધારણ કર, આ વનમાં બધું સારું થશે. દેવ સેવા કરશે. તું પુણ્યાધિકારિણી છે,
તારું શરીર નિષ્પાપ છે. હર્ષથી પક્ષી અવાજ કરે છે, જાણે તારી પ્રસંશા જ કરે છે. આ
વૃક્ષ શીતળ, મંદ, સુગંધી પવનના પ્રેરવાથી પત્રોના સરસરાટથી જાણે તારા આવવાથી
આનંદ પામીને નૃત્ય જ કરે છે. હવે સવારનો સમય થયો છે, પહેલાં તો લાલ સંધ્યા થઈ
તે જાણે કે સૂર્યે તારી સેવા કરવા સખી મોકલી છે. હવે સૂર્ય પણ તારાં દર્શન કરવા માટે
ઊગવા તૈયાર થયો છે. પોતાને પ્રસન્ન રાખવા માટે વસંતમાલાએ જ્યારે આ વાત કહી
ત્યારે અંજનાસુંદરી કહેવા લાગીઃ હે સખી! તારા હોતાં મારી પાસે આખું કુટુંબ છે અને
આ વન પણ તારા પ્રસાદથી નગર છે. જે આ પ્રાણીને આપત્તિમાં સહાય કરે છે તે જ
પરમ બાંધવ છે અને જે બાંધવ દુઃખ આપે છે તે જ પરમશત્રુ છે. આ પ્રમાણે પરસ્પર
મિષ્ટ વાતચીત કરતી આ બન્ને ગુફામાં રહેલી શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમાનું પૂજન
કરતી. વિદ્યાના પ્રભાવથી વસંતમાલા ખાનપાનાદિ બધી વસ્તુઓ તૈયાર કરતી. તે ગંધર્વ
દેવ દુષ્ટ જીવોથી એમની સર્વ પ્રકારે રક્ષા કરતા અને નિરંતર ભક્તિથી ભગવાનના અનેક
ગુણ જાતજાતના રાગની રચના કરીને ગાતા.
સમય છે, તું આનંદ પામ. પછી એના માટે કોમળ પલ્લવોની શય્યા બનાવી. તેના ઉપર
એણે પુત્રને જન્મ આપ્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ આણે હનુમાનને પ્રગટ
કર્યો. પુત્રના જન્મથી ગુફાનો અંધકાર જતો રહ્યો, ગુફા પ્રકાશમય થઈ ગઈ, જાણે
સુવર્ણમય જ થઈ ગઈ. પછી અંજના પુત્રને છાતીએ વળગાડીને દીનતાપૂર્વક કહેવા લાગી
કે હે પુત્ર! તું ગહન વનમાં જન્મ્યો. તારા જન્મનો ઉત્સવ કેવી રીતે કરું? જો તારા દાદા
કે નાનાને ઘેર જન્મ થયો હોત તો જન્મનો મોટો ઉત્સવ ઉજવાયો હોત. તારા મુખરૂપ
ચંદ્રને જોતાં કોને આનંદ ન થાય? હું શું કરું? હું મંદભાગિની સર્વ વસ્તુરહિત છું.
પૂર્વોપાર્જિત કર્મે મને દુઃખદશામાં મૂકી છે. હું કાંઈ કરવાને સમર્થ નથી, પરંતુ પ્રાણીઓને
બધા કરતાં દીર્ઘાયું થવું દુર્લભ છે. હે પુત્ર! તું ચિરંજીવી થા. તું છે તો મારે સર્વ છે. આ
પ્રાણને હરી લે તેવું ગહન વન છે એમાં હું જીવું છું તે તારા
Page 194 of 660
PDF/HTML Page 215 of 681
single page version
વસંતમાલા કહેવા લાગી કે હે દેવી! તું કલ્યાણપૂર્ણ છે તેં આવો પુત્ર પ્રાપ્ત કર્યો. એ સુંદર
લક્ષણોવાળો શુભરૂપ દેખાય છે. એ મહાન ઋદ્ધિધારક થશે. તારા પુત્રના ઉત્સવથી જાણે આ
વેલીરૂપ વનિતા નૃત્ય કરે છે, તેનાં પાંદડાં ડોલી રહ્યાં છે અને ભમરાં ગુંજારવ કરે છે તે
જાણે કે સંગીત કરે છે. આ બાળક પૂર્ણ તેજસ્વી છે તેથી એના પ્રભાવથી તારું બધું મંગળ
થશે. તું નકામી ચિંતા ન કર. આ પ્રમાણે બન્નેના વચનાલાપ થયા.
કોઈ નિષ્કારણ વેરી મારા પુત્રને લઈ જશે અથવા મારો કોઈ ભાઈ છે. તેનો વિલાપ
સાંભળીને વિદ્યાધરે વિમાન રોક્યું, દયા લાવીને તે આકાશમાંથી નીચે ઉતર્યો. ગુફાના દ્વાર
પર વિમાનને રોકી, મહાનીતિમાન, મહાવિવેકી શંકા ધરતો પોતાની સ્ત્રી સહિત અંદર
પ્રવેશ્યો. વસંતમાલાએ તેને જોઈને આદર આપ્યો. એ શુભ મનથી બેઠો, થોડી વાર પછી
મધુર અને ગંભીર વાણીથી વસંતમાલાને પૂછવા લાગ્યો. તેનાં વચન એવાં ગંભીર હતાં કે
જાણે મોરને આનંદ આપનાર મેઘ જ ગરજતા હોય. મર્યાદાવાળી આ બાઈ કોની દીકરી
છે, કોને તે પરણી છે, કયા કારણથી તે જંગલમાં રહે છે, એ મોટા ઘરની પુત્રી કયા
કારણે કુટુંબથી વિખૂટી પડી છે, અથવા આ લોકમાં રાગદ્વેષ રહિત જે ઉત્તમ જીવ છે તેના
પૂર્વકર્મના પ્રેરાયેલા જીવો વિના કારણે વેરી થાય છે. ત્યારે વસંતમાલાએ દુઃખના ભારથી
રૂંધાયેલા કંઠે, આંસુ સારતાં, નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું કે હે મહાનુભાવ! આપનાં વચનથી
જ આપના મનની શુદ્ધતા જણાઈ આવે છે. જેમ રોગ અને મૃત્યુનું મૂળ જે વિષવૃક્ષ તેની
છાયા સુંદર હોય છે અને જેમ બળતરાનો નાશ કરનાર જે ચંદનવૃક્ષ તેની છાયા પણ
સુંદર લાગે છે તેમ આપના જેવા ગુણવાન પુરુષ છે તે શુદ્ધ ભાવ પ્રગટ કરવાના સ્થાન
છે. આપ મહાન છો, દયાળુ છો. જો આપને આનું દુઃખ સાંભળવાની ઈચ્છા હોય તો
સાંભળો. હું કહું છું. આપના જેવા મોટા પુરુષને કહેવાથી દુઃખ મટે છે. આપ દુઃખ
મટાડનાર પુરુષ છો, આપદામાં સહાય કરવાનો આપનો સ્વભાવ જ છે. હવે હું કહું તે
સાંભળો. આ અંજનાસુંદરી રાજા મહેન્દ્રની પુત્રી છે. તે રાજા પૃથ્વી પર પ્રસિદ્ધ મહા
યશવાન, નીતિવાન અને નિર્મળ સ્વભાવવાળા છે. રાજા મહેન્દ્રના પુત્ર પવનંજય ગુણોના
સાર છે તેની પ્રાણથી પણ અધિક પ્યારી પત્ની છે. પવનંજય એક વખતે પિતાની
આજ્ઞાથી રાવણ પાસે વરુણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા હતા. તે માન સરોવરથી રાત્રે
આના મહેલમાં છાનામાના આવ્યા અને તે કારણે આને ગર્ભ રહ્યો. એની સાસુ ક્રૂર
સ્વભાવવાળી, દયારહિત અને મહામૂર્ખ હતી. તેના મનમાં ગર્ભ બાબત ભ્રમ થયો તેથી
તેણે એને એના પિતાને ઘેર મોકલી દીધી. આ તો સર્વ દોષરહિત, મહાસતી, શીલવંતી,
નિર્વિકાર છે છતાં પિતાએ પણ અપકીર્તિના ભયથી તેને રાખી નહિ. જે સજ્જન પુરુષ છે
તે જૂઠા દોષથી પણ ડરે છે. આ ઊંચા કુળની પુત્રી કોઈના આલંબન વિના
Page 195 of 660
PDF/HTML Page 216 of 681
single page version
છીએ, વિશ્વાસપાત્ર અને કૃપાપાત્ર છીએ. આજે આ વનમાં એની પ્રસૂતિ થઈ છે. આ
વન અનેક પ્રકારના ઉપસર્ગોનું નિવાસસ્થાન છે, કોણ જાણે કેવી રીતે એને સુખ મળશે?
હે રાજન! આની સંક્ષિપ્ત હકીકત આપને કહી છે અને બધાં દુઃખો ક્યાં સુધી વર્ણવું. આ
રીતે સ્નેહપૂર્ણ વસંતમાલાના હૃદયનો રાગ અંજનાના તાપરૂપ અગ્નિથી પીગળીને શરીરમાં
ન સમાવાથી તેના વચનદ્વારે બહાર નીકળ્યો. ત્યારે તે હનૂરુહ નામના દ્વીપના સ્વામી
રાજા પ્રતિસૂર્ય વસંતમાલાને કહેવા લાગ્યા-હે ભવ્યે! હું રાજા ચિત્રભાનુ અને રાણી
સુંદરમાલિનીનો પુત્ર છું. આ અંજના મારી ભાણેજ છે. મેં ઘણા દિવસે જોઈ તેથી ઓળખી
નહિ. આમ કહીને અંજનાની બાલ્યાવસ્થાથી લઈને બધો વૃત્તાંત કહીને ગદ્ગદ્ વાણીથી
વાત કરીને આંસુ સારવા લાગ્યા. પૂર્ણ વૃત્તાંત સાંભળવાથી અંજનાએ એને મામા જાણીને
ગળે વળગીને ખૂબ રુદન કર્યું અને જાણે કે બધું દુઃખ રુદન સાથે નીકળી ગયું. આ
જગતની રીત છે કે પોતાના હિત કરનારને જોવાથી આંસુ પડે છે. તે રાજા પણ રુદન
કરવા લાગ્યા. તેની રાણી પણ રોવા લાગી. વસંતમાલા પણ ખૂબ રડી. આ બધાના
રુદનથી ગુફામાં ગુંજારવ થયો, જાણે કે પર્વતે પણ રુદન કર્યું. પાણીનાં ઝરણાં એ જ
આંસુઓ હતાં. તેનાથી આખું વન અવાજમય બની ગયું. વનના પશુઓ મૃગાદિ પણ
રુદન કરવા લાગ્યાં. રાજા પ્રતિસૂર્યે પાણીથી અંજનાનું મુખ ધોવરાવ્યું અને પોતે પણ
પોતાનું મુખ ધોયું. વન પણ નિઃશબ્દ થઈ ગયું, જાણે એની વાત સાંભળવા ઈચ્છતું હોય.
અંજના પ્રતિસૂર્યની સ્ત્રી સાથે વાત કરવા લાગી. મોટાની એ રીત છે કે દુઃખમાં પણ
કર્તવ્ય ન ભુલે. પછી અંજનાએ મામાને કહ્યું કે હે પૂજ્ય! મારા પુત્રનું સમસ્ત શુભાશુભ
વૃત્તાંત જ્યોતિષીને પૂછો. સાંવત્સર નામનો જ્યોતિષી સાથે હતો તેને પૂછયું ત્યારે
જ્યોતિષી બોલ્યો કે બાળકનાં જન્મનો સમય કહો. વસંતમાલાએ કહ્યું કે આજે અર્ધરાત્રિ
વીત્યા પછી જન્મ થયો છે. પછી લગ્ન સ્થાપીને બાળકના શુભ લક્ષણ જાણી જ્યોતિષી
કહેવા લાગ્યો કે આ બાળક મુક્તિનું ભાજન છે. હવે જન્મ ધારણ નહિ કરે. જે તમારા
મનમાં સંદેહ છે તે હું સંક્ષેપમાં કહું તે સાંભળો. ચૈત્ર વદી આઠમની તિથિ છે અને શ્રવણ
નક્ષત્ર છે. સૂર્ય મેઘના ઉચ્ચ સ્થાનમાં બેઠો છે અને ચંદ્રમા વૃષનો છે, મકરનો મંગળ છે,
બુધ મીનનો છે, બૃહસ્પતિ કર્કનો છે તે ઉચ્ચ છે. શુક્ર, શનિ બન્ને મીનના છે, સૂર્ય પણ
પૂર્ણ દ્રષ્ટિથી શનિને દેખે છે, મંગળ દશ વિશ્વા સૂર્યને દેખે છે. બૃહસ્પતિ પંદર વિશ્વા સૂર્યને
દેખે છે, સૂર્ય બૃહસ્પતિને દશ વિશ્વા દેખે છે, ચંદ્રમાને પૂર્ણ દ્રષ્ટિથી બૃહસ્પતિ દેખે છે,
બૃહસ્પતિને ચંદ્રમા દેખે છે, બૃહસ્પતિ શનિશ્વરને પંદર વિશ્વા દેખે છે. શનિશ્વર બૃહસ્પતિને
દશ વિશ્વા દેખે છે બૃહસ્પતિ શુક્રને પંદર વિશ્વા દેખે છે અને શુક્ર બૃહસ્પતિને પંદર વિશ્વા
દેખે છે. આના બધા જ ગ્રહ બળવાન બેઠા છે. સૂર્ય અને મંગળ આનું અદ્ભૂત રાજ્ય
નિરૂપણ કરે છે, બૃહસ્પતિ અને શનિ મુક્તિને આપનાર યોગીન્દ્રપદનો નિર્ણય કરે છે. જો
એક બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને બેઠો હોય તો સર્વ કલ્યાણની
Page 196 of 660
PDF/HTML Page 217 of 681
single page version
પ્રાપ્તિનું કારણ છે અને બ્રહ્મ નામનો યોગ છે, મુહૂર્ત શુભ છે તેથી અવિનાશી સુખનો
સમાગમ એને થશે. આ પ્રમાણે બધા જ ગ્રહો અતિબળવાન બેઠા છે તેથી તે સર્વ
દોષરહિત થશે. પછી પ્રતિસૂર્યે જ્યોતિષીને ખૂબ દાન આપ્યું અને ભાણેજને ખૂબ આનંદ
આપ્યો. તેને કહ્યું કે વત્સે! હવે આપણે હનૂરુહ દ્વીપ જઈએ ત્યાં બાળકનો જન્મોત્સવ
સારી રીતે થશે. પછી અંજના ભગવાનને વંદન કરી, પુત્રને ગોદમાં લઈ ગુફાના
અધિપતિ ગંધર્વ દેવને વારંવાર ક્ષમા કરાવીને પ્રતિસૂર્યના પરિવાર સાથે ગુફામાંથી બહાર
નીકળી વિમાનની પાસે આવીને ઊભી રહી. જાણે સાક્ષાત્ વનલક્ષ્મી જ હોય. વિમાનમાં
મોતીના હાર લટકે છે, પવનથી પ્રેરાયેલી ઘંટીઓ વાગી રહી છે, સરસરાટ કરતી રત્નોની
ઝાલરથી વિમાન શોભી રહ્યું છે, સૂર્યના કિરણના સ્પર્શથી પ્રકાશિત થઈ રહ્યું છે, નાના
પ્રકારના રત્નની પ્રભાથી પ્રકાશનું મંડળ બની ગયું છે, જાણે કે ઇન્દ્રધનુષ જ થઈ ગયું છે,
રંગબેરંગી સેંકડો ધજા ફરકી રહી છે, વિમાન કલ્પવૃક્ષ સમાન મનોહર, જાતજાતનાં
રત્નોથી બનેલું, જાતજાતના આકાર ધારણ કરતું, જાણે સ્વર્ગમાંથી આવ્યું છે. તે વિમાનમાં
પુત્ર સાથે અંજના વસંતમાલા અને રાજા પ્રતિસૂર્યનો સકળ પરિવાર બેસીને આકાશમાર્ગે
ચાલ્યા. ત્યાં બાળક કૌતુક કરીને મલકતું માતાની ગોદમાંથી ઊછળીને પર્વત પર જઈ
પડયું. માતા હાહાકાર કરવા લાગી અને રાજા પ્રતિસૂર્યના બધા માણસો પણ અરે અરે
કરવા લાગ્યા. રાજા પ્રતિસૂર્ય બાળકને ગોતવા આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવ્યા.
અંજના અત્યંત દીન બનીને વિલાપ કરવા લાગી. તેનો વિલાપ સાંભળીને તિર્યંચોનું મન
પણ કરુણાથી કોમળ થઈ ગયું. અરે પુત્ર! શું થયું, દૈવે આ શું કર્યું? મને રત્નનો ખજાનો
બતાવીને ખૂંચવી લીધો, પતિના વિયોગના દુઃખથી વ્યાકુળ એવી મને જીવનનું અવલંબન
જે બાળક થયું હતું તે પણ કર્મે છીનવી લીધું. માતા આમ વિલાપ કરે છે અને પુત્ર જે
પર્વત પર પડયો હતો તે પર્વતના હજારો ટુકડા થઈ ગયા અને મોટો અવાજ થયો.
પ્રતિસૂર્ય જુએ છે તો બાળક એક શિલા ઉપર સુખપૂર્વક બિરાજે છે, પોતે જ પોતાનો
અંગૂઠો ચૂસે છે, ક્રીડા કરે છે અને મલકે છે, અતિ શોભાયમાન સીધો પડયો છે, તેના
પગ સરસરાટ કરે છે. જેનું શરીર સુંદર છે, તે કામદેવપદના ધારક છે તેમને કોની ઉપમા
આપીએ? મંદ મંદ પવનથી લહેરાતાં રક્તકમલોના વન સમાન તેની પ્રભા છે અને
પોતાના તેજથી જેણે પહાડના ખંડ ખંડ કરી નાખ્યા છે. આવા બાળકને દૂરથી જોઈને
રાજા પ્રતિસૂર્ય અત્યંત આશ્ચર્ય પામ્યા. બાળકનું શરીર નિષ્પાપ છે, ધર્મસ્વરૂપ, તેજપુંજ
એવા પુત્રને જોઈ માતા બહુ વિસ્મય પામી, તેને ઊંચકીને તેનું મસ્તક ચૂમ્યું અને તેને
છાતી સાથે ભીડી દીધો. ત્યારે અંજનાને પ્રતિસૂર્યે કહ્યું, હે બાલિકે! તારો આ પુત્ર
સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજ્રવૃષભનારાચસંહનનનો ધારક વજ્રસ્વરૂપ છે. જેના પડવાથી
પહાડ પણ ચૂર્ણ ચૂર્ણ થઈ ગયો. જ્યારે આની બાલ્યાવસ્થામાં જ દેવ કરતાં અધિક શક્તિ
છે તો યૌવન અવસ્થાની તેની શક્તિની તો શી વાત કરવી? આ નિશ્ચયથી ચરમશરીરી છે,
તદ્ભવ મોક્ષગામી છે, હવે પછી એ દેહ ધારણ નહિ કરે. એની આ જ પર્યાય સિદ્ધપદનું
Page 197 of 660
PDF/HTML Page 218 of 681
single page version
સહિત બાળકને નમસ્કાર કરવા લાગ્યા. આ બાળક મંદ મંદ મલકતો, રમણીક લાગતો સૌ
નરનારીઓનાં મન હરતો હતો. રાજા પ્રતિસૂર્ય પુત્ર સહિત અંજના-ભાણેજને વિમાનમાં
બેસાડી પોતાના સ્થાનકે લઈ આવ્યો. તેનું નગર ધજા-તોરણોથી શોભાયમાન છે, રાજાને
આવેલા સાંભળીને નગરનાં સર્વ લોક નાના પ્રકારનાં મંગળ દ્રવ્યો સહિત સામે આવ્યાં.
રાજા પ્રતિસૂર્યે નગરમાં પ્રવેશ કર્યો, વાજિંત્રોના નાદથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ, વિદ્યાધરે
બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેમ સ્વર્ગમાં ઇન્દ્રની ઉત્પત્તિનો ઉત્સવ દેવો કરે છે
તેમ. બાળકનો જન્મ પર્વત પર થયો હતો અને વિમાનમાંથી પડીને પર્વતના ચૂરા કરી
નાખ્યા હતા તેથી તેનું નામ માતા અને રાજા પ્રતિસૂર્યે શ્રીશૈલ પાડયું અને તેનો જન્મોત્સવ
હનૂરુહ દ્વીપમાં થયો તેથી હનુમાન એ નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે શ્રીશૈલ (હનુમાન)
હનૂરુહ દ્વીપમાં રમતા. દેવની પ્રભા જેવી કાંતિવાળા, જેની શરીરની ક્રિયા મહા ઉત્સવરૂપ
હતી, સર્વ લોકોનાં મન અને નેત્રને હરનાર હનુમાન પ્રતિસૂર્યના નગરમાં બિરાજે છે.
છે અને મહા આતાપ ઉપજાવનાર અગ્નિ ચંદ્રમાનાં કિરણ સમાન અને વિસ્તીર્ણ
કમલિનીના વન સમાન શીતળ થાય છે અને મહાતીક્ષ્ણ ખડ્ગની ધારા મહામનોહર
કોમળ લતા સમાન થાય છે. આમ જાણીને જે વિવેકી જીવ છે તે પાપથી વિરક્ત થાય છે.
પાપ દુઃખ દેવામાં પ્રવીણ છે. તમે જિનરાજના ચરિત્રમાં અનુરાગી થાવ. જિનરાજનું
ચરિત્ર સારભૂત મોક્ષનું સુખ આપવામાં ચતુર છે, આ સમસ્ત જગત નિરંતર જન્મ-જરા-
મરણરૂપ સૂર્યના આતાપથી તપેલું છે, તેમાં હજારો વ્યાધિ છે તે સૂર્યનાં કિરણોનો સમૂહ છે.
સત્તરમું પર્વ પૂર્ણ થયું.
સાંભળ. પવનંજય પવનની પેઠે શીઘ્ર રાવણ પાસે આવ્યા અને રાવણની આજ્ઞા લઈ
વરુણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી જાતજાતનાં શસ્ત્રોથી વરુણ અને
પવનંજય વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં પવનંજયે વરુણને બાંધી લીધો. તેણે જે ખરદૂષણને
બાંધ્યો હતો તેને છોડાવ્યો અને વરુણને રાવણની
Page 198 of 660
PDF/HTML Page 219 of 681
single page version
સમીપ લાવ્યો, વરુણે રાવણની સેવા અંગીકાર કરી, રાવણ પવનંજય પ્રત્યે અત્યંત પ્રસન્ન
થયા. પવનંજય રાવણની વિદાય લઈને અંજનાના સ્નેહથી શીઘ્ર ઘર તરફ ઉપડયા. રાજા
પ્રહલાદે સાંભળ્યું કે પુત્ર વિજય કરીને આવ્યો છે એટલે ધજા, તોરણ, માળાદિકોથી
નગરની શોભા કરી, બધાં જ સગાં-સ્નેહીઓ અને નગરજનો સામે આવ્યાં. નગરનાં સર્વ
નરનારીઓએ એમના પરાક્રમની પ્રશંસા કરી. તેમને રાજમહેલના દ્વાર પર અર્ધ્યાદિક વડે
ખૂબ સન્માન આપીને મહેલમાં લઈ ગયા. સારભૂત મંગળ વચનો દ્વારા કુંવરની બધાએ
પ્રશંસા કરી. કુંવર માતાપિતાને પ્રણામ કરી, બધાના નમસ્કાર ઝીલી થોડીવાર સભામાં
બધાની સાથે વાતચીત કરી, પોતે અંજનાના મહેલે પધાર્યા. મિત્ર પ્રહસ્ત સાથે હતો. જેમ
જીવ વિના શરીર સુંદર લાગતું નથી તેમ અંજના વિના તે મહેલ મનોહર લાગ્યો નહિ.
તેનું મન નારાજ થઈ ગયું. તે પ્રહસ્તને કહેવા લાગ્યા કે હે મિત્ર! અહીં તે કમળનયની
પ્રાણપ્રિયા દેખાતી નથી, તે ક્યાં હશે? તેના વિના આ મહેલ મને ઉજ્જડ જેવો લાગે છે
અથવા આકાશ સમાન શૂન્ય લાગે છે. માટે તમે તપાસ કરો કે તે ક્યાં છે? પછી પ્રહસ્તે
અંદરના માણસો સાથે વાતચીત કરીને બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી તેનું હૃદય ક્ષોભ
પામ્યું. તે માતાપિતાને પૂછયા વિના જ મિત્ર સાથે રાજા મહેન્દ્રના નગરમાં ગયા. તેનું
ચિત્ત ઉદાસ હતું. જ્યારે તે રાજા મહેન્દ્રના નગર સમીપ પહોંચ્યા ત્યારે મનમાં એમ હતું કે
આજે પ્રિયાનો મેળાપ થશે. તેણે મિત્રને કહ્યું કે હે મિત્ર! જુઓ, આ નગર મનોહર
દેખાય છે, જ્યાં તે સુંદર કટાક્ષવાળી સુંદરી બિરાજે છે. જેમ કૈલાસ પર્વતનાં શિખર શોભે
છે તેમ મહેલનાં શિખર રમણીક દેખાય છે, વનનાં વૃક્ષો એવાં સુંદર છે કે જાણે
વર્ષાકાળની સઘન ઘટા જ હોય. મિત્ર સાથે આમ વાતો કરતાં તે નગર પાસે જઈ
પહોંચ્યા. મિત્ર પણ ખૂબ પ્રસન્ન હતો. રાજા મહેન્દ્રે સાંભળ્યું કે પવનંજયકુમાર વિજય
કરી, પિતાને મળીને અહીં આવ્યા છે એટલે નગરની ખૂબ શોભા કરાવી અને પોતે
અર્ધ્યાદિ સામગ્રી લઈ સામે આવ્યા. નગરજનોએ ખૂબ આદરથી તેમનાં ગુણગાન કર્યાં.
કુંવર રાજમહેલમાં આવ્યા. થોડીવાર સસરા સાથે બેઠા, બધાનું સન્માન કર્યું અને
પ્રસંગોચિત વાતો કરી. પછી રાજાની આજ્ઞા લઈ સાસુને વંદન કર્યા. પછી પ્રિયાના
મહેલમાં પધાર્યા. કુમારને કાંતાને દેખવાની તીવ્ર અભિલાષા છે. ત્યાં પણ પત્નીને જોઈ
નહિ એટલે વિરહાતુર થઈને કોઈને પૂછયુંઃ હે બાલિકે! અમારી પ્રિયા ક્યાં છે? ત્યારે
તેણે જવાબ આપ્યો કે દેવ! અહીં આપની પ્રિયા નથી. તેના વચનરૂપી વજ્રથી તેનું હૃદય
ચૂરેચૂરા થઈ ગયું. કાનમાં જાણે ઊના ઊના ખારજળનું સીંચન થયું. જીવરહિત મૃતક
કલેવર હોય તેવું શરીર થઈ ગયું, શોકરૂપી દાહથી તેનું મુખ કરમાઈ ગયું. એ સસરાના
નગરમાંથી નીકળીને પૃથ્વી પર સ્ત્રીની શોધ માટે ભટકવા લાગ્યો, જાણે વાયુકુમારને
વાયુનો સપાટો લાગ્યો. તેને અતિઆતુર જોઈને તેનો મિત્ર પ્રહસ્ત એના દુઃખથી ખૂબ
દુઃખી થયો અને એને કહેવા લાગ્યો, હે મિત્ર! શા માટે ખિન્ન થાય છે? તારું ચિત્ત
નિરાકુળ કર. આ પૃથ્વી કેવડીક છે? જ્યાં હશે ત્યાંથી ગોતી કાઢીશું. પછી કુમારે મિત્રને
કહ્યું કે તમે આદિત્યપુર મારા
Page 199 of 660
PDF/HTML Page 220 of 681
single page version
મારું જીવન નહિ રહે. હું આખી પૃથ્વી પર ભ્રમણ કરું છું અને તમે પણ યોગ્ય કરો. પછી
મિત્ર આ વૃત્તાંત કહેવા આદિત્યપુર નગરમાં આવ્યો. તેણે પિતાને બધી વાત કરી અને
પવનંજયકુમાર આકાશમાં ચાલતા હાથી પર બેસીને પૃથ્વી પર ફરવા લાગ્યા. તે મનમાં
વિચારવા લાગ્યા કે તે સુંદરીનું શરીર કમળ સમાન કોમળ છે, શોકના આતાપથી તે
સંતાપ પામીને ક્યાં ગઈ હશે? જેના હૃદયમાં મારું જ ધ્યાન રહે છે તેવી તે દીન
વિરહરૂપ અગ્નિથી પ્રજ્વલિત વિષમ વનમાં કઈ દિશામાં ગઈ હશે? સત્ય બોલનારી,
કપટરહિત, જેને ગર્ભનો ભાર ઉપાડવો પડે છે તે વસંતમાલાથી જુદી તો કદાપિ ન પડે. તે
પતિવ્રતા, શ્રાવકના વ્રત પાળનારી, રાજાની પુત્રી, શોકથી જેનાં બન્ને નેત્ર અંધ થયાં છે
તે વિકટ વનમાં ફરતી, ભૂખથી પીડિત, અજગરયુક્ત અંધકૂપમાં પડી હોય અથવા તે
ગર્ભવતી દુષ્ટ પશુઓના ભયંકર અવાજ સાંભળીને પ્રાણરહિત જ થઈ ગઈ હશે? તે
ભોળી કદાચ ગંગા નદીમાં ઊતરી હોય અને ત્યાં જાતજાતનાં પ્રવાહોને લીધે તે પાણીમાં
તણાઈ ગઈ હશે? અથવા અતિકોમળ શરીરવાળી તેના દાભની અણીથી પગમાં છેદ પડી
ગયા હશે? આ ભયંકર અરણ્યમાં ભૂખતરસથી તેના કંઠ અને તાળવું સુકાઈ ગયા હશે
તેથી પ્રાણરહિત થઈ ગઈ હશે? તે ભોળી કદાચ ગંગામાં ઊતરી હોય. ત્યાં જાતજાતના
મગર રહે છે તે પાણીમાં તણાઈ ગઈ હશે? અથવા દુઃખથી તેને ગર્ભપાત થયો હોય અને
કદાચ તે જિનધર્મને સેવનારી મહાવિરક્ત થઈને આર્યા થઈ હોય? આમ ચિંતવન કરતા
પવનંજયકુમાર પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. તો પણ તેણે પોતાની પ્રાણવલ્લભાને
જોઈ નહિ. ત્યારે વિરહથી પીડિત તે સર્વજગતને શૂન્ય દેખવા લાગ્યા, તેણે મરવાનો
નિશ્ચય કર્યો. પર્વતમાં, મનોહર વૃક્ષોમાં, કે નદીના તટ પર કોઈપણ જગાએ પ્રાણપ્રિયા
વિના તેનું મન ઠર્યું નહિ. વિવેકરહિત થઈને તે સુંદરીની વાર્તા વૃક્ષોને પૂછતા. ભટકતાં
ભટકતાં તે ભૂતરવ વનમાં આવ્યા. ત્યાં હાથી ઉપરથી નીચે ઊતર્યા અને જેમ મુનિ
આત્માનું ધ્યાન કરે તેમ તે પ્રિયાનું ધ્યાન કરવા લાગ્યા. પોતાના હથિયાર અને બખ્તર
પૃથ્વી પર ફેંકી દીધા અને હાથીને કહેવા લાગ્યા, હે ગજરાજ! હવે તમે વનમાં સ્વચ્છંદપણે
ઘૂમો. હાથી વિનયથી પાસે ઊભો છે તેને પોતે કહે છે હે ગજેન્દ્ર! નદીના કિનારે શલ્યનું
વન છે તેનાં પાંદડાંઓ ખાતાં ખાતાં ફરો અને અહીં હાથણીઓનો સમૂહ છે તેના તમે
નાયક થઈને વિચરો. કુંવરે આમ કહ્યું તો પણ પોતાના સ્વામીના સ્નેહમાં પ્રવીણ તે કૃતજ્ઞ
હાથીએ કુંવરનો સંગ છોડયો નહિ, જેમ સજ્જન ભાઈ ભાઈનો સંગ છોડતો નથી તેમ.
કુંવર અત્યંત શોકથી એવો વિકલ્પ કરે છે કે અત્યંત મનોહર તે સ્ત્રીને જો નહિ જોઉં તો
આ વનમાં પ્રાણત્યાગ કરીશ. પ્રિયાના વિચારમાં જેનું મન લાગેલું છે તેવા પવનંજયને તે
વનમાં રાત્રિ વિતાવતાં ચાર પહોર વર્ષ જેવડા લાગ્યા. તે જાતજાતના વિકલ્પો કરીને
વ્યાકુળ થયો. અહીં આમ બન્યું અને પેલી તરફ તેનો મિત્ર તેના પિતા પાસે ગયો અને
પિતાને બધી વાત કરી. પિતા સાંભળીને ખૂબ શોક પામ્યા. બધાને શોક થયો. માતા કેતુમતી