Page 72 of 170
PDF/HTML Page 101 of 199
single page version
भूयो भ्रान्तिं गतोऽसौ कथं तां त्यजेदित्याह –
टीका — इदं शरीरादिकं दृश्यमिन्द्रियैः प्रतीयमानं । अचेतनं जडं रोषतोषादिकं कृतं न जानातीत्यर्थः । यच्चेतनमात्मस्वरूपं तददृश्यमिन्द्रियग्राह्यं न भवति । ततः यतो रोषतोषविषयं दृश्यं शरीरादिकमचेतनं चेतनं स्वात्मस्वरूपमदृश्यत्वात्तद्विषयमेव न भवति ततः क्व रुष्यामि क्व રાગ – દ્વેષ થઈ જાય છે, તેથી તેને જ્ઞાનચેતના સાથે કદાચિત્ કર્મચેતના અને કર્મફલ – ચેતનાનો પણ સદ્ભાવ માનવામાં આવ્યો છે, પણ તે કર્મચેતના અને કર્મફળચેતનાનો જ્ઞાતા – દ્રષ્ટા રહે છે. વાસ્તવમાં તે બંને ચેતનાઓ જ્ઞાનચેતના જ છે.૧
અંતરાત્માને પૂર્વના સંસ્કારોને લીધે નીચેની ભૂમિકામાં જે ભ્રાન્તિ થાય છે તે મિથ્યાત્વજનિત નથી, પરંતુ અસ્થિરતાજનિત છે; તેથી તેને રાગ – દ્વેષ થવા છતાં તેના સમ્યક્ત્વમાં કાંઈ દોષ આવતો નથી. ૪૫.
ફરીથી ભ્રાન્તિ પામેલો તે (અન્તરાત્મા) તેને (ભ્રાન્તિને) કેવી રીતે છોડે તે કહે છેઃ —
અન્વયાર્થ : (इदं दृश्यं) આ શરીરાદિ દ્રશ્ય પદાર્થ (अचेतनं) ચેતનારહિત – જડ છે અને જે (चेतनं) ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે (अदृश्यं) ઇન્દ્રિયોદ્વારા દેખાય તેવો નથી; (ततः) તેથી (क्व रुष्यामि) હું કોના ઉપર રોષ કરું? અને (क्व तुष्यामि) કોના ઉપર રાજી થાઉં? (अतः अहं मध्यस्थः भवामि) એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું – એમ અન્તરાત્મા વિચારે છે.
ટીકા : આ એટલે શરીરાદિક, જે દ્રશ્ય એટલે ઇન્દ્રિયોદ્વારા દેખાવા યોગ્ય છે – પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતન – જડ છે; તે કરેલા રોષ – તોષાદિકને જાણતું નથી – એવો અર્થ છે. જે ચેતન – સ્વાત્મસ્વરૂપ છે, તે અદ્રશ્ય છે એટલે ઇન્દ્રિયોદ્વારા ગ્રાહ્ય નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર તોષ કરું? કારણ કે દ્રશ્ય શરીરાદિક અચેતન ૧. જુઓ – શ્રી પંચાધ્યાયી – ઉત્તરાર્દ્ધ ગુ. આવૃત્તિ – ગાથા ૨૦૫, ૨૭૬, ૪૧૯
Page 73 of 170
PDF/HTML Page 102 of 199
single page version
तुष्याम्यहं । अतः यतो रोषतोषयोः कश्चिदपि विषयो न घटते अतः मध्यस्थ उदासीनोऽहं भवामि ।।४६।।
इदानीं मूढत्मनोऽन्तरात्मनश्च त्यागोपादानविषयं प्रदर्शयन्नाह —
છે અને ચેતન – આત્મસ્વરૂપ અદ્રશ્ય છે, માટે હું મધ્યસ્થ – ઉદાસીન થાઉં છું, કારણ કે રોષ – તોષનો વિષય કોઈપણ ઘટતો નથી.
ભાવાર્થ : પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાન્તિરૂપ સંસ્કારો જાગૃત થાય છે ત્યારે અંતરાત્મા સમાધાનરૂપે વિચારે છે કે, ‘‘શરીરાદિક પદાર્થો જે દ્રષ્ટિગોચર છે તે અચેતન છે – જડ છે; તેના ઉપર હું રાગ – દ્વેષ કરું તો તે વ્યર્થ છે. આત્મા જે ચેતન છે, રાગ – દ્વેષભાવને જાણી શકે છે, તે તો અદ્રશ્ય છે – દ્રષ્ટિગોચર નથી, તેથી તે પણ મારા રાગ – દ્વેષનો વિષય બની શકતો નથી; માટે કોઈના ઉપર રાગ – દ્વેષ નહિ કરતાં, સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ (વીતરાગી) ભાવ ધારણ કરવો યોગ્ય છે, અર્થાત્ પર પ્રત્યે ઉદાસીનતા સેવી, તેના કેવળ જ્ઞાતા – દ્રષ્ટા રહી, આત્મતત્ત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો અને તેમાં જ સ્થિર થવું તે ઉચિત છે.’’
જ્ઞાનીને અલ્પ રાગ – દ્વેષ થાય પણ ભેદ – જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરી પોતાના જ્ઞાનના વિષયને તુરત પલટી નાખે છે અને જ્ઞાનાનંદસ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. તેની વારંવાર ભાવના ભાવતાં રાગ – દ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. ૪૬.
હવે બહિરાત્મા અને અન્તરાત્માના ત્યાગગ્રહણના વિષયને સ્પષ્ટ કરતાં કહે છેઃ —
અન્વયાર્થ : (मूढः) મૂર્ખ બહિરાત્મા (बहिः) બાહ્ય પદાર્થોનો (त्यागादाने करोति) ત્યાગ અને ગ્રહણ કરે છે, (आत्मवित्) આત્માના સ્વરૂપને જાણનાર અન્તરાત્મા (अध्यात्मं
Page 74 of 170
PDF/HTML Page 103 of 199
single page version
टीका — मूढो बहिरात्मा त्यागोपादाने करोति । क्व ? बहिर्बाह्ये हि वस्तुनि द्वेषोदयादभिलाषाभावान्मूढात्मा त्यागं करोति रागोदयात्तत्राभिलाषोत्पत्तेरुपादामिति । आत्मवित् अन्तरात्मा पुनरध्यात्मनि स्वात्मरूप एव त्यागोपादाने करोति । तत्र हि त्यागोरागद्वेषादेरन्तर्जल्पविकल्पादेर्वा । स्वीकारश्चिदानन्दादेः । यस्तु निष्ठितात्मा कृतकृत्यात्मा तस्य अन्तर्बहिर्वा नोपादानं तथा न त्यागोऽन्तर्बहिर्वा ।।४७।। त्यागादाने करोति) અંતરંગ રાગ – દ્વેષનો ત્યાગ અને સમ્યક્રત્નત્રયરૂપ આત્મસ્વરૂપનું ગ્રહણ કરે છે, પરંતુ (निष्ठितात्मनः) શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્માને (अन्तः बहिः) અંતરંગ અને બહિરંગ કોઈપણ પદાર્થનો (न त्यागः) ન તો ત્યાગ હોય છે અને (न उपादानं) ન તો ગ્રહણ હોય છે.
ટીકા : મૂઢ બહિરાત્મા ત્યાગ – ગ્રહણ કરે છે, શામાં (કરે છે)? બહારમાં એટલે બાહ્ય વસ્તુમાં; દ્વેષના ઉદયને લીધે અભિલાષાના અભાવના કારણે મૂઢાત્મા (બહિરાત્મા) તેનો (બાહ્ય વસ્તુનો) ત્યાગ કરે છે અને રાગનો ઉદય થતાં તેની અભિલાષાની ઉત્પત્તિના કારણે તેનું (બાહ્ય વસ્તુનું) ગ્રહણ કરે છે; પરંતુ આત્મવિદ્ એટલે અન્તરાત્મા આત્મામાં જ અર્થાત્ આત્મસ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. ત્યાં ત્યાગ તો રાગ – દ્વેષાદિનો કે અન્તર્જલ્પરૂપ વિકલ્પાદિનો અને સ્વીકાર (ગ્રહણ) ચિદાનંદાદિનો હોય છે.
જે નિષ્ઠિતાત્મા અર્થાત્ કૃતકૃત્ય આત્મા છે તેને અન્તરાત્મા કે બાહ્યમાં (કાંઈ) ગ્રહણ નથી તથા અંતરમાં કે બાહ્યમાં (કાંઈ) ત્યાગ નથી.
ભાવાર્થ : બહિરાત્મા, જે પદાર્થ ઇષ્ટ લાગે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે અને જે પદાર્થ અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવા ઇચ્છે છે. વાસ્તવમાં૧ કોઈ જ્ઞાની કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના ગ્રહણ – ત્યાગ કરી શકતો જ નથી, છતાં બહિરાત્મા તેના ગ્રહણ – ત્યાગ કરવાનું માને છે, એ તેની મૂઢતા છે.
અંતરાત્મા આત્મસ્વરૂપમાં જ ગ્રહણ – ત્યાગ કરે છે, અર્થાત્ તે બાહ્ય પદાર્થોથી ચિત્તવૃત્તિ હઠાવી સ્વસન્મુખ થઈ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ કરે છે; તેમ કરતાં રાગ – દ્વેષાદિનો કે વિકલ્પાદિનો સ્વયં ત્યાગ થઈ જાય છે. રાગાદિની અનુત્પત્તિ તે જ ત્યાગ છે.
શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્મા (નિષ્ઠિતાત્મા) કૃતકૃત્ય હોવાથી તેને બાહ્ય યા અંતરંગ કોઈ પણ વિષયમાં ગ્રહણ – ત્યાગની પ્રવૃત્તિ હોતી નથી. તે તો પોતાના ચિદાનંદસ્વરૂપમાં સદા સ્થિર રહે છે. ૧. જુઓ – શ્રી સમયસાર, ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬ અને ‘સમાધિતંત્ર’ શ્લોક ૨૦નો ‘વિશેષ’ પૃ. ૩૮
Page 75 of 170
PDF/HTML Page 104 of 199
single page version
अन्तस्त्यागोपादाने वा कुर्वाणोऽन्तरात्मा कथं कुर्यादित्याह –
टीका — आत्मानं युञ्जीत सम्बद्धं कुर्यात् । केन सह ? मनसा मानसज्ञानेन
બહિરાત્માને અંદરના ચૈતન્ય – તત્ત્વનું જ્ઞાન નથી. તેને સ્વ – પરનું ભેદજ્ઞાન નથી; જે બાહ્ય પદાર્થો દેખે છે તેની સાથે એકતાબુદ્ધિ કરે છે. તેમાં ઇષ્ટ – અનિષ્ટની કલ્પના કરી રાગ – દ્વેષભાવથી તેનાં ગ્રહણ – ત્યાગ કરવા ઝંખે છે, પરંતુ બાહ્ય પદાર્થોનાં ગ્રહણ – ત્યાગ તેને આધીન નથી. તે પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે. ઊંધી માન્યતાને લીધે તેનાં બાહ્ય ગ્રહણ – ત્યાગ રાગ – દ્વેષગર્ભિત છે. તેના અભિપ્રાયમાં આત્મસ્વભાવનો ત્યાગ અને વિભાવ તથા પરભાવોનું ગ્રહણ છે.
અંતરાત્માને અભિપ્રાયમાં – માન્યતામાં પર પદાર્થોનાં ગ્રહણ – ત્યાગ જ નથી. અસ્થિરતાને લીધે થોડી રાગ – દ્વેષની વૃત્તિ ઊઠે, પણ તેને તેની સાથે એકતા નથી – સ્વામીપણું નથી. આ વૃત્તિ પણ, આત્મસ્વરૂપનું ગ્રહણ થતાં – તેમાં સ્થિર થતાં, સ્વયં શમી જાય છે – નષ્ટ થાય છે. ૪૭.
અંતરમાં ત્યાગ – ગ્રહણ કરનાર અન્તરાત્મા કેવી રીતે કરે તે કહે છેઃ —
અન્વયાર્થ : અંતરાત્મા (आत्मानं) આત્માને (मनसा) ભાવમન સાથે (युञ्जीत) યોજે (જોડે) અને (वाक्कायाभ्याम्) વચન અને કાયાથી (वियोजयेत्) અલગ કરે (तु) અને (वाक्काययोजितम्) વાણી અને કાયાથી યોજાયેલા (व्यवहार) વ્યવહારને (मनसा) ભાવમનથી (त्यजेत्) તજે અર્થાત્ તેમાં મન લગાવે નહિ.
ટીકા : (તે અન્તરાત્મા) આત્માને યોજે એટલે સંબંધ કરે, કોની સાથે? મન સાથે એટલે માનસજ્ઞાન (ભાવમન) સાથે, – ‘મન તે આત્મા છે’ એવો અભેદરૂપ અધ્યવસાય (માન્યતા) કરે,
Page 76 of 170
PDF/HTML Page 105 of 199
single page version
चित्तमात्मेत्यभेदेनाध्यवसेदित्यर्थः । वाक्कायाभ्यां तु पुनर्वियोजयेत् पृथक्कुर्यात् वाक्काययोरात्माभेदाध्यवसायं न कुर्यादित्यर्थः । एतच्च कुर्वाणो व्यवहारं तु प्रतिपाद्यप्रतिपादकभावलक्षणं प्रवृत्तिनिवृत्तिरूपं वा । वाक्काययोजितं वाक्कायाभ्यां योजितं सम्पादितं । केन सह ? मनसा सह मनस्यारोपितं व्यवहारं मनसा त्यजेत् चित्तेन न चिन्तयेत् ।।४८।। એવો અર્થ છે – અને વાણી તથા કાયથી તેને (આત્માને) વિયુક્ત કરે – પૃથક્ કરે, અર્થાત્ વાણી અને કાયામાં આત્માનો અભેદરૂપ અધ્યવસાય કરે નહિ – એવો અર્થ છે; અને તેમ કરનાર, વાક્ – કાયયોજિત અર્થાત્ વાણી – કાયદ્વારા યોજિત અર્થાત્ સમ્પાદિત ‘પ્રતિપાદ્ય’ પ્રતિપાદકભાવરૂપ (શિષ્ટ – ગુરુ સંબંધરૂપ) પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારને, કોની સાથે (યોજિત)? મન સાથે અર્થાત્ મનમાં આરોપિત વ્યવહારને, મનથી તજે અર્થાત્ મનમાં ચિંતવે નહિ.
ભાવાર્થ : અંતરાત્મા ભાવમનને વાણી અને દેહની ક્રિયા તરફથી (પ્રવૃત્તિથી) વિયુક્ત કરીને – અલગ કરીને આત્મસ્વરૂપમાં લગાડે અર્થાત્ તેની સાથે અભેદ કરે – તલ્લીન કરે અને વાણી તથા કાય – દ્વારા યોજિત પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારને મનમાંથી તજે અર્થાત્ તેનો વિચાર છોડી દે.
વાણી – કાયની પ્રવૃત્તિ તે જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. અન્તરાત્માને ભેદજ્ઞાન છે, તેથી તે પોતાના ઉપયોગને વાણી – કાયની ક્રિયા તરફથી હઠાવી પોતાના આત્મસ્વરૂપમાં રોકે છે.
જ્યાં સુધી જીવ વચન – કાયથી ક્રિયા સાથે એકતાબુદ્ધિ કરે – તેને આત્માની ક્રિયા સમજે, ત્યાં સુધી તેનો ઉપયોગ ત્યાંથી છૂટી સ્વસન્મુખ વળે નહિ અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય નહિ.
ઉપયોગદ્વારા સ્વનું ગ્રહણ કરવામાં જ સમસ્ત પરદ્રવ્યોનો અને પરભાવોનો સ્વયં ત્યાગ થઈ જાય છે.
નીચલી ભૂમિકામાં જ્ઞાનીનો ઉપયોગ કદાચિત્ અસ્થિરતાને લીધે વાણી કાયની ક્રિયાદ્વારા પર સાથેના વ્યવહારમાં જોડાય છે, પણ તેમાં તેને કર્તૃત્વબુદ્ધિનો અભાવ છે – અભિપ્રાયમાં તેનો નિષેધ છે. જેમ રોગીને કડવી દવા પ્રત્યે અરુચિ હોય છે, તેમ તેને તે પ્રત્યે ઉદાસીનતા હોય છે; તેથી જ્ઞાનીનો ઉપયોગ શરીરાદિની ક્રિયામાં જોડાયેલો દેખાય, છતાં તે નહિ જોડાયેલા સમાન છે.
શરીર – વાણીની ક્રિયા વિષે એકતા બુદ્ધિનો – આત્મબુદ્ધિનો ત્યાગ અને શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ તે અંતરાત્માનાં અંતરંગ ત્યાગ ગ્રહણ છે.
Page 77 of 170
PDF/HTML Page 106 of 199
single page version
ननु पुत्रकलत्रादिना सह वाक्कयव्यवहारे तु सुखोत्पत्तिः प्रतीयते कथं तत्त्यागो युक्त इत्याह —
टीका — देहात्मदृष्टिनां बहिरात्मनां जगत् पुत्रकलत्रादिप्राणिगणो विश्वास्यमवञ्चकं । रम्यमेव च रमणीयमेव प्रतिभाति । स्वात्मन्येव स्वस्वरूपे एवात्मदृष्टिनां अन्तरात्मनां क्व विश्वासः क्व वा रतिः ? न क्वापि पुत्रकलत्रादौ तेषां विश्वासो रतिर्वा प्रतिभातीत्यर्थः ।।४९।।
અહીં વ્યવહારના ત્યાગનો આચાર્યે નિર્દેશ કર્યો છે. તે એમ સૂચવે છે કે આત્મકાર્ય માટે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. ૪૮.
પુત્ર – સ્ત્રી આદિ સાથેના વાણી – કાયના વ્યવહારમાં તો સુખની ઉત્પત્તિની પ્રાપ્તિ થાય છે, તો તેનો (વ્યવહારનો) ત્યાગ કેવી રીતે યોગ્ય છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : (देहात्मदृष्टिनां) દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યાદ્રષ્ટિ બહિરાત્માઓને (जगत्) સ્ત્રી – પુત્ર – મિત્રાદિના સમૂહરૂપ જગત્ (विश्वास्यं) વિશ્વાસ કરવા યોગ્ય (च) અને (रम्यं एव) રમણીય જ ભાસે છે. પરંતુ (स्वात्मनि एवात्मदृष्टिनां) પોતાના આત્મામાં જ આત્મદ્રષ્ટિ રાખનાર સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્માને (क्व विश्वासः) સ્ત્રી – પુત્રાદિરૂપ જગત્માં કેમ વિશ્વાસ હોઈ શકે? (वा) અથવા (क्व रतिः) કેમ રતિ હોઈ શકે? કદી પણ નહિ.
ટીકા : દેહમાં આત્મદ્રષ્ટિવાળા બહિરાત્માઓને પુત્ર – ભાર્યાદિ પ્રાણીસમૂહરૂપ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય અર્થાત્ અવંચક (નહિ ઠગનારું) તથા રમ્ય જ એટલે રમણીય જ પ્રતિભાસે છે.
સ્વાત્મામાં જ એટલે સ્વસ્વરૂપમાં જ આત્મદ્રષ્ટિવાળા અન્તરાત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? તેમને પુત્ર – સ્ત્રી આદિમાં ક્યાંય પણ વિશ્વાસ કે રતિ પ્રતિભાસતી નથી – એવો અર્થ છે.
Page 78 of 170
PDF/HTML Page 107 of 199
single page version
नन्वेवमाहारादावप्यन्तरात्मनः कथं प्रवृत्तिः स्यादित्याह —
ભાવાર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રી – પુત્ર – મિત્રાદિરૂપ જગત્ જ વિશ્વાસયોગ્ય અને રમ્ય – સુખદાયક લાગે છે અને તેથી તે તેમની સાથે વાણી કાયનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે.
જ્ઞાનીને સ્ત્રી – પુત્રાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી અને તે વિશ્વાસયોગ્ય તથા રમણીય લાગતા નથી, તેથી તેને તેમની સાથે વચન – વ્યવહાર અને શરીર – વ્યવહારનો, અભિપ્રાયમાં, ત્યાગ વર્તે છે. આત્મા જ તેને વિશ્વાસ કરવા યોગ્ય અને રમ્ય જણાય છે અને તેમાં જ વાસ્તવિક સુખ ભાસે છે. તેથી તે જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કેમ કરે? ન જ કરે.
અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટતાં યા તેનો વિયોગ થતાં તેના કલ્પેલા સુખનો અંત આવે છે. એ રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાય – ઠગાય છે. વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં ક્યાંય સુખ નથી, છતાં તેમાં સુખ માની ઠગાઈ જાય છે.
જ્ઞાનીને પોતાનો આત્મા જ ઇષ્ટ છે – વહાલો છે. તેને જગત – જગતના પદાર્થો વહાલા – સુખરૂપ લાગતા નથી. સમકિતી ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓ વગેરેનો સંયોગ હોય છે, પણ તેમાં તેને સુખ માટે સ્વપ્નેય વિશ્વાસ નથી. તેને તો પોતાના ચૈતન્યાત્માનો જ વિશ્વાસ છે અને તેમાં જ સુખ ભાસે છે. તેને ‘જગત ઇષ્ટ નહિ આત્મથી.’ ૪૯.
એવી રીતે હોય તો આહારાદિમાં પણ અન્તરાત્માની પ્રવૃત્તિ કેમ થાય? તે કહે છેઃ —
અન્વયાર્થ : અન્તરાત્મા (आत्मज्ञानात् परं) આત્મજ્ઞાનથી ભિન્ન (कार्यं) કોઈ કાર્યને
Page 79 of 170
PDF/HTML Page 108 of 199
single page version
टीका — चिरं बहुतरं कालं बुद्धौ न धारयेत् । किं तत् ? कार्य । कथम्भूतम् ? परमन्यत् । कस्मात् ? आत्मज्ञानात् । आत्मज्ञानलक्षणमेव कार्यं बुद्धौ चिरं धारयेदित्यर्थः । परमपिकिञ्चिद् भोजनव्याख्यानादिकं वाक्कायाभ्यां कुर्यात् । कस्मात् ? अर्थवशात् स्वपरोपकारलक्षणप्रयोजनवशात् । किं विशिष्टः ? अतत्परस्तदनासक्तः ।।५०।। (चिरं) લાંબા સમય સુધી (बुद्धौ) પોતાની બુદ્ધિમાં (न धारयेत्) ધારણ કરે નહિ. જો (अर्थवशात्) પ્રયોજનવશાત્ (वाक्कायाभ्याम्) વચન – કાયથી (किंचित् कुर्यात्) કંઈપણ કરવાનો વિકલ્પ કરે તો તે (अतत्परः) અનાસક્ત થઈ કરે.
ટીકા : ચિરકાળ સુધી એટલે બહુ લાંબાકાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે. શું તે? કાર્ય. કેવું (કાર્ય)? પર એટલે અન્ય. કોનાથી (અન્ય)? આત્મજ્ઞાનથી (અન્ય). આત્મજ્ઞાનરૂપ કાર્યને જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે એવો અર્થ છે, પરંતુ બીજું કિંચિત્ અર્થાત્ ભોજન – વ્યાખ્યાનાદિકરૂપ કાર્યને વચન – કાયદ્વારા કરે. શાથી? પ્રયોજનવશ અર્થાત્ સ્વ – પરના ઉપકારરૂપ પ્રયોજનવશ (કરે). કેવા થઈને (તે કરે)? અતત્પર થઈને અર્થાત્ તેમાં અનાસક્ત થઈને કરે.
ભાવાર્થ : જ્ઞાની પોતાના ભાવમનને (ઉપયોગને) આત્મ – જ્ઞાનના કાર્યમાં જ રોકે છે; આત્મજ્ઞાનથી કોઈ અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી રોકતો નથી. કદાચ પ્રયોજનવશાત્ અર્થાત્ સ્વ – પરના ઉપકારાર્થે અસ્થિરતાને લીધે વચન – કાય દ્વારા આહાર – ઉપદેશાદિ કાર્ય કરવાનો વિકલ્પ આવે, તો તેમાં તેને અતન્મયભાવ વર્તે છે.
ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને પ્રયોજનવશાત્ આહાર – ઉપદેશાદિનો વિકલ્પ આવે, તો તે કાર્ય અનાસક્તિ ભાવે (અતન્મય ભાવે) થાય છે. તે કરવાને તેને મનમાં ઉત્સાહ નથી – ભાવના નથી. કાર્યને અંગે શરીર – વાણીની જે ક્રિયા થાય છે તેમાં તેને એકતા – બુદ્ધિ કે કર્તા – બુદ્ધિ તો નથી જ, પણ તે ક્રિયા કરવાના વિકલ્પને પણ તે ભલો માનતો નથી. વિકલ્પને તોડી સ્વરૂપમાં સ્થિર થઈ હું શુદ્ધાત્માને ક્યારે અનુભવું, એવી તેને નિરંતર ભાવના હોય છે, આ ભાવનાના બળથી તેનો ઉપયોગ બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી, ત્યાંથી હઠી તુરત સ્વ તરફ વળે છે.
જ્ઞાનીને નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લીધે રાગ હોય છે અને વચન – કાયની ક્રિયા પ્રત્યે લક્ષ જાય છે, પણ પોતાના જ્ઞાન – સ્વભાવને ભૂલે તેવી તેનામાં આસક્તિ હોતી નથી.
Page 80 of 170
PDF/HTML Page 109 of 199
single page version
कुतः पुनरात्मज्ञानमेव बुद्धौ धारयेन्नशरीरादिकमित्याह —
टीका — यच्छरीरादिकमिन्द्रियैः पश्यामि तन्मे नास्ति मदीयं रूपं तन्न भवति तर्हि किं तव रुपम् ? तदस्तु ज्योतिरुत्तमं ज्योतिर्ज्ञानमुत्तममतीन्द्रियम् । तथा सानन्दं
જ્ઞાનીને બાહ્ય વચન – કાયની પ્રવૃત્તિ હોવા છતાં, તેને અંતરંગમાં દ્રઢ માન્યતા છે કેઃ —
‘‘હું દેહ – મન – વાણી નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર નથી કે અનુમોદનાર નથી......હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે; માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.’’૧
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને જ્ઞાનચેતનાનું નિરંતર પરિણમન હોય છે, તેથી તે ખાવા – પીવામાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં લડાઈ વગેરે સંસારના કાર્યોમાં, બાહ્યદ્રષ્ટિએ રોકાયેલા લાગે, છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાં તે જલ – કમલવત્ ન્યાયે રહે છે. ૫૦.
અનાસક્ત (અંતરાત્મા) આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે, શરીરાદિકને નહિ, એમ કેમ બને? તે કહે છેઃ —
અન્વયાર્થ : (यत्) જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ (इन्द्रियैः) ઇન્દ્રિયોદ્વારા (पश्यामि) હું દેખું છું (तत्) તે (मे न अस्ति) મારા નથી – મારું સ્વરૂપ નથી, પણ (नियतेन्द्रियः) ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી (यत्) જે (उत्तमं) ઉત્કૃષ્ટ અતીન્દ્રિય (सानन्दं ज्योति) આનંદમય જ્ઞાન – જ્યોતિને (अन्तः) અંતરંગમાં (पश्यामि) હું દેખું છું – તેનો અનુભવ કરું છું, (तत् मे) તે મારું વાસ્તવિક સ્વરૂપ (अस्तु) હો!
ટીકા : જે એટલે શરીરાદિને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ તે મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હો – જ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે ૧. જુઓ — શ્રી પ્રવચનસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૧૬૦ અને ટીકા.
Page 81 of 170
PDF/HTML Page 110 of 199
single page version
परमप्रसत्तिसमुद्भूतसुखसमन्वितम् । एवं विधिं ज्योतिरत्नः पश्यामि स्वसंवेदनेनानुभवामि यत्तन्मे स्वरूपमस्तु भवतु । किं विशिष्टः पश्यामि ? नियतेन्द्रियो नियन्त्रितेन्द्रियः ।।५१।।
ननु सानन्दं ज्योतिर्यद्यात्मनोरूपं स्यात्तदेन्द्रियनिरोधं कृत्वा तदनुभवतः कथं दुःखं स्यादित्याह — અતીન્દ્રિય તથા આનંદમય એટલે પરમ પ્રસન્નતા (પ્રશાંતિ)થી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત (છે) એવા પ્રકારની જે જ્યોતિને (જ્ઞાન – પ્રકાશને) અંતરંગમાં હું જોઉં છું – સ્વસંવેદનથી હું અનુભવું છું, તે મારું સ્વરૂપ અસ્તુ – હો. હું કેવો થઈને જોઉં છું? ઇન્દ્રિયોને સંયમિત કરીને (બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતે સ્વાધીન થઈને અર્થાત્ ઇન્દ્રિયોને કાબુમાં રાખીને (હું જોઉં છું).
ભાવાર્થ : અન્તરાત્મા વિચારે છે કેઃ —
‘ઇન્દ્રિયો દ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી. તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતીન્દ્રિય આનંદમય જ્ઞાન – જ્યોતિ છે. જ્યારે હું ભાવ – ઇન્દ્રિયોને નિયન્ત્રિત કરીને અર્થાત્ બાહ્ય વિષયોથી હઠાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાનસ્વરૂપ આત્માને જોઈ શકું છું – સ્વસંવેદનથી અનુભવી શકું છું.’
જે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે આત્માનું સ્વરૂપ નથી. તે તો જડનું – પુદ્ગલનું સ્વરૂપ છે. તે આત્મા નથી, અનાત્મા છે. આત્મા અનાત્માના ભેદ – વિજ્ઞાન દ્વારા જ્ઞાની, શરીરાદિક પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરી, ઉપયોગને ત્યાંથી હઠાવી સ્વસન્મુખ કરે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતાં તે અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.
જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન હોવાથી તે આત્મ – વિષયમાં જ રમવાની ભાવના કરે છે; બાહ્ય વિષયોમાં વિચરવાનું પસંદ કરતો નથી.
માટે અંતરાત્માને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અનાસક્તિ હોય છે. તે જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે. ૫૧.
જો આનંદમય જ્યોતિ (જ્ઞાન) તે આત્માનું સ્વરૂપ હોય, તો ઇન્દ્રિયોનો નિરોધ કરીને તેનો અનુભવ કરનારને દુઃખ કેવી રીતે હોઈ શકે? તે કહે છેઃ —
Page 82 of 170
PDF/HTML Page 111 of 199
single page version
टीका — बहिर्बाह्यविषये सुखं भवति । कस्य ? आरब्धयोगस्य प्रथममात्मस्वरूपभावनोद्यतस्य । अथ आह । आत्मनि आत्मस्वरूपे दुःखं तस्य भवति । भावितात्मनो यथावद्विदितात्मस्वरूपे कृताभ्यासस्य । बहिरेव बाह्यविषयेष्वेवाऽसुखं भवति । अथ आह । सौख्यं अध्यात्मं तस्याध्यात्मस्वरूप एव भवति ।।५२।।
અન્વયાર્થ : — (आरब्धयोगस्य) યોગનો અભ્યાસ શરૂ કરનારને (बहिः) બાહ્ય વિષયોમાં (सुखं) સુખ લાગે છે, (अथ) અને (आत्मनि) આત્મસ્વરૂપને વિષે (दुःखं) દુઃખ પ્રતીત થાય (भावितात्मनः) આત્મસ્વરૂપને યથાર્થપણે જાણનારને – સારા અભ્યાસીને (बहिः एव) બાહ્ય પદાર્થોમાં જ (असुखं) દુઃખ થાય છે અને (अध्यात्मं) આત્મસ્વરૂપમાં (सौख्यम्) સુખનો અનુભવ થાય છે.
ટીકા : — બહાર એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે. કોને? યોગનો આરંભ કરનારને અર્થાત્ પ્રથમ વાર આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસીને, અને કહે છે – આત્મામાં એટલે આત્મસ્વરૂપમાં (તેની ભાવનામાં) દુઃખ (મુશ્કેલી) લાગે છે, પણ ભાવિતાત્મને એટલે યથાવત્ જાણેલા આત્મસ્વરૂપના ( – તેની ભાવનાના) અભ્યાસીને, બાહ્યમાં જ એટલે બાહ્ય વિષયોમાં જ અસુખ (દુઃખ) ભાસે છે; અને કહે છે – આત્મામાં એટલે તેના અધ્યાત્મસ્વરૂપમાં જ ( – તેની ભાવનામાં જ) સુખ લાગે છે.
ભાવાર્થ : — યોગનો એટલે આત્મસ્વરૂપનો પ્રથમ વાર અનુભવ કરવાનો આરંભ કરનારને બાહ્ય વિષયોમાં સુખ જેવું લાગે છે અને આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસમાં દુઃખ જેવું જણાય છે, પરંતુ જ્યારે તેની પરિપક્વ અભ્યાસથી આત્મસ્વરૂપનું યથાર્થપણે જ્ઞાન થાય છે ત્યારે તેને બાહ્ય વિષયો અસુખરૂપ પ્રતીત થાય છે અને આત્મસ્વરૂપમાં જ સુખ પ્રતિભાસે છે.
યોગનો અભ્યાસ શરૂ કરનારને, પૂર્વના સંસ્કારને લીધે, બાહ્ય વિષયો તરફનું વલણ જલદી છૂટતું નથી અને તેથી તેને આત્મસ્વરૂપમાં રમવું મુશ્કેલ લાગે છે.
Page 83 of 170
PDF/HTML Page 112 of 199
single page version
तद्भावना चेत्थं कुर्यादित्याह —
टीका — तत् आत्मस्वरूपं ब्रूयात् परं प्रति प्रतिपादयेत् । तदात्मस्वरूपं परान् विदितात्मस्वरूपान् पृच्छेत् । तथा तदात्मस्वरूपं इच्छेत् परमार्थतः सन् मन्येत् । तत्परो भवेत्
આત્મ – ભાવનાનો અભ્યાસ જ્યારે તેને પરિપક્વ થાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. હવે તેને બાહ્ય વિષયો બધા નીરસ લાગે છે; તેને તે ઉપરથી રુચિ ઊઠી જાય છે અને આત્મસ્વરૂપમાં જ વિહરવું ગમે છે.
માટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પણ જિજ્ઞાસુ જીવને ઉદ્દેશીને કહે છેઃ —
‘‘હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થા અને શરીરાદિક મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ, તેમનાથી ભિન્ન એવા તારા આત્માનો અનુભવ કર; તારા આત્માના ચૈતન્ય – વિલાસને દેખતાં જ આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલો દ્રવ્યો સાથે એકપણાનો તારો મોહ છૂટી જશે.’’૧ ૫૨.
તે ભાવના આ રીતે કરવી – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (तत् ब्रूयात्) તે એટલે આત્મસ્વરૂપની વાત કરવી, (तत् परान् पृच्छेत्) તે સંબંધી આત્માનુભવી પુરુષોને પૂછવું, (तत् इच्छेत्) તેની ઇચ્છા કરવી – તેની પ્રાપ્તિને પોતાનું ઇષ્ટ બનાવવું અને (तत्परः भवेत्) તેમાં એટલે આત્મસ્વરૂપની ભાવનામાં તત્પર – સાવધાન રહેવું, (येन) જેથી (अविद्यामयं रूपं) અજ્ઞાનમય બહિરાત્મરૂપનો (त्यक्त्वा) ત્યાગ કરીને (विद्यामयं व्रजेत्) જ્ઞાનમયરૂપની એટલે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાય.
ટીકા : — તે આત્મસ્વરૂપ કહેવું એટલે બીજાને સમજાવવું; બીજાઓને એટલે જેમણે આત્મસ્વરૂપ જાણ્યું હોય તેમને તે આત્મસ્વરૂપ પૂછવું તથા તે આત્મસ્વરૂપની ઇચ્છા કરવી અર્થાત્ પરમાર્થસ્વરૂપે તેને માનવું, તેમાં તત્પર રહેવું અર્થાત્ આત્મસ્વરૂપની ભાવનાનો આદર ૧. જુઓઃ શ્રી સમયસાર – કલશ ૨૩
Page 84 of 170
PDF/HTML Page 113 of 199
single page version
आत्मस्वरूपभावनादरपरो भवेत् । येनात्मस्वरूपेणेत्थं भावितेन । अविद्यामयं स्वरूपं बहिरात्मस्वरूपम् त्यक्त्वा विद्यामयं रूपं व्रजेत् ।।५३।। કરવો; જેથી, એટલે આવી રીતે આત્મસ્વરૂપની ભાવના કરવાથી, અવિદ્યામય સ્વરૂપનો એટલે બહિરાત્મસ્વરૂપનો ત્યાગ કરીને વિદ્યામય રૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાય.
ભાવાર્થ : — આત્મસ્વરૂપની ભાવના કેવી રીતે કરવી? તે પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય આત્માર્થીને ઉદ્દેશીને કહે છે કેઃ —
આત્મસ્વરૂપ બીજાઓને સમજાવવું, જેમણે આત્મસ્વરૂપ જાણ્યું છે તેમને તેના જ વિષે પૂછી તે જાણવું, તેની જ ઇચ્છા રાખવી અર્થાત્ તેને એકને જ પરમાર્થ સત્ય માનવું અને આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર લાગ્યા રહેવું. આમ કરવાથી બહિરાત્મસ્વરૂપનો – અવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. પરમાત્મ – સ્વરૂપની એટલે જ્ઞાનમય સ્વરૂપની પ્રાપ્તિ થશે.
(૧) આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. તેમ કરવાથી બહારમાં ભમતો તારો ઉપયોગ તત્ત્વ – નિર્ણય તરફ વળશે.
(૨) આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ; તેથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દ્રઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે.
(૩) આત્મ – પ્રાપ્તિની જ ભાવના કર, બીજા કોઈ પર પદાર્થની કે ઇન્દ્રિય – વિષયના સુખની ઇચ્છા ન કર; એમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય – સુખની પાછળ થતી નિરર્થક આકુળતા મટી જશે.
(૪) આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન. આવી રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં અને આચારમાં એક આત્માને જ વિષય બનાવ; બીજા કોઈ બાહ્ય પદાર્થને તારા જ્ઞાનનો વિષય ન બનાવ. શ્રીમદ્ રાજચન્દ્રે કહ્યું છે કેઃ —
આત્મા જ એક પ્રયોજનભૂત વસ્તુ છે. તેની પ્રાપ્તિ જ કરવા યોગ્ય છે. તે સિવાય અન્ય પદાર્થોનો વિચાર મનના રોગ સમાન છે.
એવી રીતે સમજીને ધગશ અને ઉત્સાહપૂર્વક જો તું આત્મ – ભાવના કરીશ, તો અવિદ્યાનો – અજ્ઞાનતાનો નાશ થશે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. ૧. જુઓ – શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘આત્મસિદ્ધિ’.
Page 85 of 170
PDF/HTML Page 114 of 199
single page version
ननु वाक्यायव्यतिरिक्तस्यात्मनोऽसम्भवात् तद्ब्रूयादित्याद्ययुक्तमिति वदन्तं प्रत्याह —
‘‘તે જ્ઞાનસ્વભાવરૂપ જ્યોતિ અવિદ્યાનો – અજ્ઞાનનો નાશ કરનાર છે તથા મહાન ઉત્કૃષ્ટ અને જ્ઞાનમય છે; માટે મુમુક્ષુઓએ તેના વિષયમાં જ પૂછવું, તેની પ્રાપ્તિની અભિલાષા કરવી તથા તેનો અનુભવ કરવો.’’૧
વળી શ્રી અમિતગતિ આચાર્યકૃત ‘યોગસાર’માં કહ્યું છે કેઃ —
‘‘જે પુરુષ વિદ્વાન છે તેને તે આત્મ – પદાર્થનું નિશ્ચલ મનથી અધ્યયન કરવું યોગ્ય છે; તે ધ્યાન કરવા યોગ્ય, આરાધના કરવા યોગ્ય, પૂછવા યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસ યોગ્ય, ઉપાર્જન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, કહેવા યોગ્ય, પ્રાર્થના યોગ્ય, શિક્ષાયોગ્ય, દેખવા યોગ્ય અને સ્પર્શવા યોગ્ય છે, કારણ કે તેમ કરવાથી આત્મા સદા સ્થિરપણાને પામે છે.’’૨ ૫૩
વાણી – શરીરથી ભિન્ન આત્માનો અસંભવ હોવાથી તેને વિષે બોલવું (પૃચ્છા કરવી) ઇત્યાદિ યોગ્ય નથી – એમ બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (वाक्शरीरयोः भ्रान्तः) વચન અને શરીરમાં જેને આત્મભ્રાન્તિ છે તેવો બહિરાત્મા, (वाचि शरीरे च) વચન અને શરીરમાં (आत्मानं संधत्ते) આત્માનું આરોપણ કરે છે અર્થાત્ વચન અને શરીરને આત્મા માને છે; (पुनः) પરંતુ (अभ्रान्तः) વચન અને ૧. જુઓ – ઇષ્ટોપદેશ – શ્લોક ૪૯
२. अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं
दृश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वम् ।।४९।। [શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસાર – શ્લોક ૪૯]
Page 86 of 170
PDF/HTML Page 115 of 199
single page version
टीका — सन्धत्ते आरोपयति । कं आत्मानम् । क्व ? शरीरे वाचि च । कोऽसौ मूढः ? वाक्शरीरयोर्भ्रान्तो वागात्मा शरीरमात्मेत्येव विपर्यस्तो बहिरात्मा । तयोरभ्रान्तो यथावत्स्वरूपरिच्छेदकोऽन्तरात्मा पुनः एतेषां वाक्शरीरमात्मानं तत्त्वं स्वरूपं पृथक् परस्परभिन्नं निबुद्धयते निश्चिनोति ।।५४।। કાયમાં આત્મભ્રાન્તિ નહિ કરનાર અન્તરાત્મા (एषां तत्त्वं) તેમના (આત્મા અને વાણી – કાયના) સ્વરૂપને (पृथक्) એકબીજાથી ભિન્ન (निबुध्यते) જાણે છે.
ટીકા : — સંધાન કરે છે એટલે આરોપે છે. કોને? આત્માને. શામાં? શરીર અને વાણીમાં. તે મૂઢ કોણ છે? વાણી અને શરીરમાં ભ્રાન્તિવાળો અર્થાત્ વાણી તે આત્મા, શરીર તે આત્મા એવી વિપરીત માન્યતાવાળો બહિરાત્મા છે; પરંતુ તે બન્નેમાં જેને ભ્રાન્તિ નથી અર્થાત્ (તે બંનેના) સ્વરૂપને યથાર્થપણે જાણે છે તે અન્તરાત્મા, તેમના એટલે વાણી, શરીર અને આત્માના તત્ત્વને એટલે સ્વરૂપને પૃથક્ એટલે એકબીજાથી ભિન્ન જાણે છે નક્કી કરે છે.
ભાવાર્થ : — વાસ્તવમાં શરીર અને વાણી એ પુદ્ગલની રચના છે, તે મૂર્તિક – જડ છે અને આત્મસ્વરૂપથી વિપરીત લક્ષણવાળાં છે, છતાં અજ્ઞાની બહિરાત્મા તેમાં આત્મ – બુદ્ધિ કરે છે, તેને આત્મા માને છે. એ એનો ભ્રમ છે. આ ભ્રાન્તિને લીધે તે શરીરાદિકની જ ભાવના કરે છે, આત્માની ભાવના કરતો નથી.
જ્ઞાની અંતરાત્માને જડ શરીરાદિક અને ચેતન આત્માના સ્વરૂપનું યથાર્થ ભેદજ્ઞાન છે. તે આત્માને શરીરાદિકથી ભિન્ન જાણે છે. તેને શરીરાદિકમાં આત્મપણાની ભ્રાન્તિ નથી. તે શરીરને શરીર અને આત્માને આત્મા જ સમજે છે, એકનો બીજામાં મેલાપ કરતો નથી. તેને આત્માના અલગ અસ્તિત્વનું ભાન છે; તેથી તે નિરંતર આત્માની જ ભાવના કરે છે.
‘દેહાદિ પર પદાર્થ છે તે પર જ છે. તેને પોતાના માનવાથી દુઃખ થાય છે, કિન્તુ આત્મા આત્મા જ છે અર્થાત્ આત્મા પદાર્થ પોતાનો છે, તે કદાચિત્ પણ દેહાદિરૂપ થઈ શકશે નહિ. તેના આશ્રયે જ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મહાપુરુષો તેને માટે જ ઉદ્યમશીલ હોય છે.’૧
‘હું એક છું, શુદ્ધ છું, અરૂપી જ્ઞાન – દર્શનમય છું, બીજું કંઈ – એક પરમાણુમાત્ર પણ મારું નથી,૨ એમ જ્ઞાની વિચારે છે.’ ૧. જુઓ – ઇષ્ટોપદેશ – ૪૫. ૨. ‘‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
Page 87 of 170
PDF/HTML Page 116 of 199
single page version
एवमवबुद्ध्यमानो मूढात्मा येषु विषयेष्वासक्तचित्तो न तेषु मध्ये किञ्चित्तस्योपकारकमस्तीत्याह —
टीका — इन्द्रियार्थेषु पंचेन्द्रियविषयेषु मध्ये न तत्किञ्चिदस्ति यत् क्षेमङ्करमुपकारम् । कस्य ? आत्मनः । तथापि यद्यपि क्षेमङ्करं किञ्चिन्नास्ति । रमते रतिं करोति कोऽसौ ? बालो बहिरात्मा तत्रैव इन्द्रियार्थेष्वेव । कस्मात् ? अज्ञानभावनात् मिथ्यात्वसंस्कारवशात् । अज्ञानं भाव्यते जन्यते येनासावज्ञानभावनो मिथ्यात्वसंस्कारस्तस्मात् ।।५५।।
આવી રીતે જ્ઞાની ભેદજ્ઞાન કરી પર પદાર્થોથી ઉદાસીન થાય છે અને આત્માને તેનાથી પૃથક્ સમજી આત્મસ્વરૂપની ભાવના ભાવે છે. ૫૪.
આવી રીતે (આત્મસ્વરૂપ) નહિ જાણનાર બહિરાત્મા, જે વિષયોમાં તેનું ચિત્ત આસક્ત હોય છે, તેમાં (તે વિષયોમાં) કોઈપણ (વિષય) તેને ઉપકારક નથી. તે કહે છેઃ —
અન્વયાર્થ : — (इन्द्रियार्थेषु) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં (तत्) એવો કોઈ પદાર્થ (न अस्ति) નથી (यत्) જે (आत्मनः) આત્માને (क्षेमंकर) હિતકારી – લાભકારી હોય; (तथापि) તેમ છતાં (बालः) અજ્ઞાની બહિરાત્મા (अज्ञानभावनात्) મિથ્યાત્વના સંસ્કારને લીધે (तत्र एव) તેમાં જ એટલે તે ઇન્દ્રિયોના વિષયોમાં જ (रमते) રમે છે – આસક્ત થાય છે.
ટીકા : — ઇન્દ્રિયોના પદાર્થોમાં એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયો મધ્યે એવું કાંઈ પણ નથી એ ક્ષેમંકર (સુખકર) અર્થાત્ ઉપકારક હોય. કોને? આત્માને; તેમ છતાં અર્થાત્ જો કે કંઈ સુખકર નથી છતાં (તેમાં) રમે છે – રતિ કરે છે. કોણ તે? બાલ (અજ્ઞાની) અર્થાત્ બહિરાત્મા તેમાં જ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ (રમે છે), શાથી? (રમે છે)? અજ્ઞાન – ભાવનાથી અર્થાત્ મિથ્યાત્વના સંસ્કારવશ (રમે છે), જેનાથી અજ્ઞાન જન્મે – પેદા થાય તે અજ્ઞાનભાવને એટલે મિથ્યાત્વના સંસ્કાર – તેનાથી (ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે).
Page 88 of 170
PDF/HTML Page 117 of 199
single page version
ભાવાર્થ : — ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય, તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા, અનાદિકાળના અવિદ્યાના સંસ્કારને લીધે, તેમાં રતિ કરે છે – આસક્ત રહે છે.
ઇન્દ્રિય – વિષયોનું સુખ તે સુખ નથી. વાસ્તવમાં તે દુઃખ છે, કારણ કે તે પરાધીન છે, આકુળતાવાળું છે, અસ્થિર છે, ક્ષણભંગુર છે, વિચ્છિન્ન છે, પરિણામે દુઃસહ છે અને બંધનું કારણ છે;૧ તેમ છતાં અનાદિ મિથ્યાત્વના સંસ્કારવશ અજ્ઞાની તેની રુચિ કરે છે અને તેની પ્રાપ્તિ માટે ચિંતા કરી રાતદિન તેની પાછળ લાગ્યો રહે છે.
વિષયો હિતકારી કે સુખદાયી નથી. તેઓ ‘અકિંચિત્કર’ છે. ‘‘સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો ‘અકિંચિત્કર’ છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે.’’૨
‘‘જેમને વિષયોમાં રતિ છે, તેમને દુઃખ સ્વાભાવિક જાણો; કારણ કે જો દુઃખ (તેમનો) સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય.’’૩
‘‘અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે, તેના ગ્રહણની નિરંતર ઇચ્છાથી સદા આકુલવ્યાકુલ રહે છે. આ આકુળતાનું દુઃખ તેને કેટલીક વખત એટલું અસહ્ય લાગે છે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. એ બતાવે છે કે મૃત્યુના દુઃખ કરતાં આકુળતાનું દુઃખ વધારે છે.’’૪
એ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં વાસ્તવિક સુખ નહિ હોવા છતાં, અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે અજ્ઞાની તેમાં રત રહે છે. ૫૫. ૧. જુઓ – શ્રી પ્રવચનસાર ગાથા – ૭૬ અને ટીકા – ભાવાર્થ (ગુ. આવૃત્તિ)
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. (૭૬)
૨. શ્રી પ્રવચનસાર – ગા. ૬નો ભાવાર્થ. ૩. વિષયો વિષે રતિ જેમને, દુઃખ છે સ્વભાવિક તેમને;
૪. જુઓઃ મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૫૧.
Page 89 of 170
PDF/HTML Page 118 of 199
single page version
तथा अनादिमिथ्यात्वसंस्कारे सत्येवम्भूता बहिरात्मनो भवन्तीत्याह —
टीका — चिरमनादिकालं मूढात्मानो बहिरात्मानः सुषुप्ता अतीव जडतां गताः । केषु ? कुयोनिषु नित्यनिगोदादिचतुरशीतिलक्षयोनिष्वधिकरणभूतेषु । कस्मिन् सति ते सुषुप्ताः ? तमसि अनादिमिथ्यात्वसंस्कारे सति । एवम्भूतास्ते यदि संज्ञिषूत्पद्य कदाचिद्दैववशाद् बुध्यन्ते तदा ममाहमिति जाग्रति ? केषु ? अनात्मीयात्मभूतेषु – अनात्मीयेषु परमार्थतोऽनात्मीयभूतेषु पुत्रकलत्रादिषु ममैते इति
અનાદિ મિથ્યાત્વના સંસ્કારને લીધે આવા (પ્રકારના) બહિરાત્માઓ થાય છે – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (मूढात्मनः) મૂર્ખ અજ્ઞાની જીવો (तमसि) મિથ્યાત્વરૂપી અંધકારવશ (चिरं) અનાદિ કાળથી (कुयोनिषु) નિત્ય નિગોદાદિ કુયોનિઓમાં (सुषुप्ताः) સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. જો કદાચિત્ તેઓ પંચેન્દ્રિય સંજ્ઞી થાય તો (अनात्मीयात्मभूतेषु) ‘અનાત્મીયભૂત’માં એટલે વાસ્તવમાં જે પોતાનાં નથી તેવાં સ્ત્રી – પુત્ર વગેરેમાં (मम) ‘એ મારાં છે’, અને ‘અનાત્મભૂત’માં એટલે શરીરાદિમાં (अहं) હું છું-હું એ રૂપ છું’ (इति जाग्रति) એવો અધ્યવસાય કરે છે.
ટીકા : — ચિરકાલથી – અનાદિ કાળથી મૂઢાત્માઓ એટલે બહિરાત્માઓ સૂઈ રહ્યા છે અર્થાત્ અતિ જડતાને પ્રાપ્ત થયા છે. ક્યાં (સૂઈ રહ્યા છે)? કુયોનિઓમાં અર્થાત્ નિત્ય નિગોદાદિ ચોરાશી લક્ષ યોનિસ્થાનોમાં શું થતાં તે તેમાં સૂતા છે? અંધકાર અર્થાત્ અનાદિ મિથ્યાત્વના સંસ્કાર ( – ને વશ) થતાં (સૂતા છે). એવા થયેલા (સૂતેલા) તે (બહિરાત્માઓ) જો સંજ્ઞી (જીવોમાં) ઉત્પન્ન થઈ કદાચિત્ એટલે દૈવવશાત્ જાગૃત થાય, તો તેઓ ‘મારું – હું’ એવો અધ્યવસાય કરે છે. શામાં? અનાત્મીયભૂતમાં અને અનાત્મભૂતમાં – અર્થાત્ અનાત્મીયમાં એટલે વાસ્તવમાં અનાત્મીયભૂત અર્થાત્ પોતાનાં નથી તેવા પુત્ર – સ્ત્રી આદિમાં ‘એ મારાં છે’ એવું માને છે એટલે એવો અધ્યવસાય કરે છે, અને અનાત્મભૂત જે શરીરાદિ
Page 90 of 170
PDF/HTML Page 119 of 199
single page version
जाग्रति अध्यवस्यन्ति । अनात्मभूतेषु शरीरादिषु अहमेवैते इति जाग्रति अध्यवस्यन्ति ।।५६।।
ततो बहिरात्मसवरूपं परित्यज्य स्वपरशरीरमित्थं पश्येदित्याह — તેમાં ‘તે હું જ છું’ એવો અધ્યવસાય કરે છે – એવી ઊંધી માન્યતા કરે છે.
ભાવાર્થ : — અનાદિકાળથી આ અજ્ઞાની જીવ, મિથ્યાત્વના સંસ્કારવશ નિત્ય નિગોદાદિ નિંદ્ય પર્યાયોમાં – ચોરાશી લક્ષ યોનિસ્થાનોમાં – જ્ઞાનની અત્યંત હીનદશામાં અર્થાત્ જડવત્ મૂર્છિત અવસ્થામાં પડી રહ્યો છે. કદાચિત્ જો તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરે અને થોડી જ્ઞાનશક્તિ જાગૃત થાય, તો તે અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે, સ્ત્રી – પુત્ર – મિત્રાદિ જે પોતાથી પ્રત્યક્ષ ભિન્ન છે અર્થાત્ ‘અનાત્મીય’ છે તેમાં ‘આ મારાં’ એવી મમકારબુદ્ધિ કરે છે અને શરીરાદિ જે પોતાનું સ્વરૂપ નથી, જે ‘અનાત્મ’ અર્થાત્ જડ છે, તેમાં ‘આ હું છું’ એવી આત્મબુદ્ધિ કરે છે.
શરીર, શુભાશુભ રાગાદિ ભાવકર્મ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. વાસ્તવમાં તે બધાં આત્માથી ભિન્ન છે – આત્મસ્વરૂપ નથી; માટે તેઓ ‘અનાત્મભૂત’ છે; છતાં અજ્ઞાની તેને પોતાનાં માને છે.
સ્ત્રી – પુત્ર – મિત્રાદિનો આત્મા સાથે પ્રત્યક્ષ ભિન્ન સંયોગ સંબંધ છે. વાસ્તવમાં તેઓ જીવનાં પોતાનાં નથી; તેથી તેઓ ‘અનાત્મીયભૂત’ છે.
અજ્ઞાની, આ અનાત્મભૂત અને અનાત્મીયભૂત પદાર્થોમાં મમકારબુદ્ધિ અને આત્મબુદ્ધિ કરી પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલી અનાદિકાળથી ભવ – ભ્રમણ કરી રહ્યો છે. ભવ – ભ્રમણનું મૂલ કારણ જીવનો મિથ્યાત્વભાવ જ છે.
‘‘જે આત્મા એ રીતે જીવ અને પુદ્ગલના (પોતપોતાના) નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વ સ્વભાવ વડે સ્વ – પરનો વિભાગ દેખતો નથી. તે જ આત્મા ‘આ હું છું આ મારું છે’ એમ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે; બીજો નહિ.....’’૧ ૫૬.
તેથી બહિરાત્મસ્વરૂપનો ત્યાગ કરી સ્વ – પરના શરીરને આવી રીતે જોવું – તે કહે છેઃ — ૧. પરને સ્વને નહિ જાણતો, એ રીત પામી સ્વભાવને,
Page 91 of 170
PDF/HTML Page 120 of 199
single page version
टीका — आत्मनो देहमात्मसम्बन्धिशरीरं अनात्मचेतसा इदं ममात्मा न भवतीति बुद्ध्या अन्तरात्मा पश्येत् । निरन्तरं सर्वदा । तथा अन्येषां देहं परेषामात्मा न भवतीति बुद्ध्या पश्येत् । किं विशिष्टः ? आत्मतत्त्वे व्यवस्थितः आत्मस्वरूपनिष्ठः ।।५७।।
અન્વયાર્થ : — જ્ઞાનીએ (आत्मतत्त्वे) આત્મસ્વરૂપમાં (व्यवस्थितः) સ્થિત થઈ (आत्मनः देहं) પોતાના શરીરને (अनात्मचेतसा) ‘આ મારો આત્મા નથી’ એવી બુદ્ધિથી (निरंतरं पश्येत्) નિરંતર જોવું – અનુભવવું અને (अन्येषां) બીજા જીવોના શરીરને પણ (अपरात्मधिया) ‘આ બીજાનો આત્મા નથી’ એવી બુદ્ધિથી (पश्येत्) સદા અવલોકવું.
ટીકા : — પોતાના શરીરને એટલે આત્મા સાથે સંબંધ રાખનાર શરીરને, અનાત્મબુદ્ધિએ અર્થાત્ ‘આ મારો આત્મા નથી’ એવી બુદ્ધિએ અન્તરાત્માએ નિરંતર – સર્વદા દેખવું (અનુભવવું) તથા બીજાઓના દેહને, ‘એ પરનો આત્મા નથી’ એવી બુદ્ધિએ જોવું. કેવા થઈને (તેમ કરવું)? આત્મતત્ત્વમાં, વ્યવસ્થિત થઈને એટલે આત્મસ્વરૂપમાં સ્થિત થઈને (તેમ કરવું).
ભાવાર્થ : — જ્ઞાનીએ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને પોતાના શરીરને અનાત્મબુદ્ધિએ નિરંતર જોવું – અનુભવવું અર્થાત્ ‘આ શરીર તે મારો આત્મા નથી’ એવી ભેદબુદ્ધિથી સદા જાણવું. બીજાના શરીરને પણ તેવી ભેદબુદ્ધિથી દેખવું – અર્થાત્ બીજાનું શરીર તે તેનો આત્મા નથી એમ ભેદબુદ્ધિએ સદા દેખવું.
આચાર્ય ઉપદેશરૂપે કહે છેઃ —
‘હે જીવ, તું અનાદિથી શરીરાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ કરી સંસારમાં રખડી દુઃખી થયો, પણ હવે સુખી થવું હોય તો દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં સ્થિર થા, અર્થાત્ બહિરાત્મપણું છોડી દઈ હવે અન્તરાત્મા બન. તારો આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને તારું શરીર તો અચેતન છે. એ તારું સ્વરૂપ નથી, છતાં તું તેને તારો આત્મા માને છે અને