Page 88 of 237
PDF/HTML Page 101 of 250
single page version
સાથે રહેવામાં વિરોધ છે, પણ બીજા કષાયોને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ નથી. – આમ મિશ્રભાવોમાં પણ બંને
પ્રકારના ભાવોની ભિન્નતા જાણો. સાધકને આત્મા સ્વસંવેદનમાં
પ્રત્યક્ષ થયો છે, જ્ઞાનચેતના પ્રગટી છે; પણ સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વગર પરમાત્મા થવાતું નથી. બારમાગુણસ્થાને સંપૂર્ણ જ્ઞાન વગર
તેને પરમાત્મા ન કહ્યા, અંતરાત્મા કહ્યા; ત્યાંસુધી સાધકભાવ કહ્યો;
કેવળજ્ઞાન થતાં સાધક મટીને સ્વયં સાધ્ય – પરમાત્મા થયા.
છો. છતાં જેઓ આપને ઇન્દ્રિયનો વિષય બનાવવા માંગે છે તેઓ
ખરેખર આપના પરમાત્મસ્વરુપને ઓળખતા નથી. અરે, શું એક
સૂક્ષ્મ જડપરમાણુ કરતાંય આપ સ્થૂળ છો કે ઇન્દ્રિયગમ્ય બનો
છે કે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ શકતો નથી, અતીન્દ્રિયજ્ઞાનનો જ
તે વિષય છે; તો પછી અમૂર્ત જ્ઞાન – આનંદમય અતીન્દ્રિય –
પરમાત્મા તો ઇન્દ્રિયજ્ઞાનના વિષય કેમ થાય
વિષય કહો છો
પરમાત્માની સ્તુતિ કરતાં આવડતી નથી. પરમાત્મા – સર્વજ્ઞને
ઇન્દ્રિયના વિષય કહેવા તે તેમની સ્તુતિ નથી અપિ તુ અવર્ણવાદ
છે; તે જ્ઞાનસ્વભાવી પરમાત્માને અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રહણ કરવા તે
જ તેમની પરમાર્થ સ્તુતિ છે. એ વાત કુંદકુંદસ્વામીએ સમયસાર
Page 89 of 237
PDF/HTML Page 102 of 250
single page version
જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વસંવેદન તે જ કેવળી ભગવાનની પરમાર્થ
સ્તુતિ છે. તે સ્તુતિ રાગવડે કે ઇન્દ્રિયજ્ઞાનવડે થઈ શકતી નથી.
અતીન્દ્રિયચેતનારુપ ને અતીન્દ્રિય સુખરુપ થયેલા ભગવાન
અર્હંતદેવને વિકલ્પાતીત જ્ઞાનવડે ઓળખતાં આત્માનું પરમાર્થ
સ્વરુપ ઓળખાય છે ને સમ્યગ્દર્શન થાય છે.
તે તમને ચૈતન્યની પ્રાપ્તિનો ઉપાય બતાવશે.
કરાવો.
તમે મહાન જિજ્ઞાસુ છો ને પરાક્રમી છો તેથી ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ
માટે અહીં સુધી આવ્યા છો; તેથી તમે અમારું કામ જરુર કરશો;
Page 90 of 237
PDF/HTML Page 103 of 250
single page version
થશે. મહાજનની રીત છે કે દુઃખીને મદદ કરે; માટે તમે પાણી
લાવીને મારી તરસ મટાડો.....હું તમને ચિદાનંદ વસ્તુ પ્રત્યક્ષ
બતાવીને તેની પ્રાપ્તિ કરાવીશ.
જુઓ.....પાણી ભર્યું જ છે.
ચૈતન્યસ્વરુપ છો, છતાં ચૈતન્યને બહાર શોધવા કેમ નીકળ્યા છો
જાણો.
Page 91 of 237
PDF/HTML Page 104 of 250
single page version
જ્ઞાનભાવ મટી ગયો નથી, જ્ઞાનસમુદ્રમાંથી તમે બહાર નીકળી ગયા
નથી. સ્વયં પોતે જ્ઞાનસ્વરુપ છો, જ્ઞાન પોતે પોતાને બીજે શોધે તે
આશ્ચર્ય છે. ‘હે જીવ
પણ તેના ઉપદેશના પડઘા હજી સંભળાય છે.....
છે.
હું જ આનંદ છું, – આનંદસ્વરુપમાં તન્મય થઈને ભેટવા
Page 92 of 237
PDF/HTML Page 105 of 250
single page version
પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવના છોડું છું; રાગ – દ્વેષરુપ સમસ્ત
ચિંતા મટાડીને, નિજાનંદી પ્રભુએ એકને જ ધ્યાનમાં ધ્યાવી –
ચિંતવી – તેમાં જ ઉપયોગને લીન કરી, મારા સમસ્ત
દ્રવ્યગુણપર્યાયને આનંદમય કરી દઉં છું. – આ મારી સ્વસમયરુપ
સમાધિ છે.
એકરસતા થઈ છે કે બહારના કોઈપણ પરિષહની વેદના તેમાં ઘૂસી
શકતી નથી. આનંદરસના આસ્વાદમાં તૃપ્ત આત્માને બહારની કોઈ
અપેક્ષા જ રહી નથી, – એટલે બહારમાં ઇન્દ્રપદની સમ્પદા હો
કે કોઈ ઘોર ઉપદ્રવ હો, – બંને તેને તો સરખા જ છે, – પોતાથી
બાહ્ય જ છે. અહા, ચિત્ત તો પરમેશ્વરમાં લીન થયું છે – ત્યાં
પરમાનંદની શી વાત
આનંદ થયો છે; દ્રવ્ય – ગુણ – પર્યાય – પ્રદેશો બધાય આનંદરસમાં
તરબોળ છે. અહા, આત્મસાધનાના પહેલા પગલામાં જ આવી મજા
છે. પછી તેમાં લીનતારુપ સમાધિ થાય ત્યારે તો બહારમાં દુઃખાદિ
પ્રસંગની વેદનાને પણ આત્મા વેદતો નથી, જ્ઞાન પોતાના સહજ
સુખના વેદનમાં જ મગ્ન છે. એ રીતે આત્મસમાધિવડે જ્ઞાન – સુખનું
વેદન વધતાં – વધતાં, સર્વ આવરણને તોડીને આત્મા પોતે
પરમસુખી પરમાત્મા થઈ જશે. – તેને હવે તો થોડીક જ વાર છે. –
તે માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ.
Page 93 of 237
PDF/HTML Page 106 of 250
single page version
આત્મા’’ એવો ગુણ – ગુણીભેદ કાંઈ જડમાંથી નથી ઊઠયો,
રાગમાંથી પણ નથી ઊઠયો, પણ જ્યાં ગુણ અને ગુણીનું અસ્તિત્વ
છે એવી એક ચૈતન્યવસ્તુમાંથી તે ભેદ ઊઠયો છે; ને તે વસ્તુને
અનુભવતાં તે બંને ભેદ તેમાં જ સમાઈ જાય છે.
જા.....તો ભેદદ્વારા તને અભેદની પ્રાપ્તિ થશે, ગુણદ્વારા વસ્તુની
પ્રાપ્તિ થશે. ગુણસ્વરુપ તો વસ્તુ જ છે, – બીજું કોઈ નથી. આ
રીતે ગુણનો ભેદ અભેદવસ્તુને જાણવામાં કારણ છે ( – વ્યવહાર
છે તે પરમાર્થનો પ્રતિપાદક છે) : ગુણ સાધન છે, વસ્તુ સાધ્ય છે.
ગુણ – ગુણીની એકતાદ્વારા ભાવશ્રુતરસ ઝરે છે....તેને પી – પીને
આત્મા અમર થાય છે.
રાગદ્વેષનું પણ ઉત્થાન થઈ શકતું નથી, એટલે રાગદ્વેષથી પણ
આત્માને જુદો રાખે છે; અને ‘જ્યાં ચેતન ત્યાં સર્વગુણ’ – જ્યાં
એક ગુણ છે ત્યાં સર્વ ગુણ છે – એ ન્યાયે અનંતગુણસંપન્ન
અવિકારી આત્માની સ્વાનુભૂતિ કરાવે છે. અહા, જૈનધર્મના
વ્યવહારમાં પણ પરમાર્થ કેવો સમાયેલો છે
Page 94 of 237
PDF/HTML Page 107 of 250
single page version
છે; પછી ઊંડે ઉતરતા ‘‘અહં’’ એવા વિચાર છૂટીને અસ્મિ ‘હું છું’
એવો ભાવ વેદાય છે.....‘હું દર્શનજ્ઞાનમય છું, – એવા સ્થૂળ
ભેદભાવ ત્યાં રહેતાં નથી; – અત્યંત સૂક્ષ્મ વિચાર હોય છે; પછી
તે સૂક્ષ્મ વિચારને પણ ઓળંગી જઈને; વિકલ્પ – વિચાર વગર,
સ્વરુપ – સત્તામાત્રનો સ્વસંવેદનભાવ રહે છે, – તે નિર્વિકલ્પ
આનંદસમાધિ છે. ત્યાં આત્મા પોતાના એકસ્વરુપમાં જ એકરસ
છે, બીજો કોઈ રસ નથી, કોઈ ભેદવિચાર નથી. સ્વરુપ આખું
સત્તામાત્ર પોતે પોતામાં પરિણમી રહ્યું છે. વિકલ્પો – ભેદો બધા
થાકીને બહાર અધવચ્ચે અટકી ગયા, મન પણ થાક્યું, પરમ
શાંતિમય ચૈતન્ય ઉપયોગ એકલો અંદર પોતાના ઉત્પત્તિસ્થાન સુધી
પહોંચીને તેમાં એવો તન્મય થયો કે
દ્રવ્ય-પર્યાય જરાય જુદા અનુભવાતા નથી. – આ
પરમાત્માનો વિલાસ છે.... સ્વરુપની સિદ્ધિ છે.....સર્વે
ધર્માત્માઓની અનુભૂતિ છે ને પરમાત્માની સાક્ષી છે.
આનંદરસનો ફૂવારો ઊછળશે. થાકશો નહિ, હતાશ થાશો
નહિ. શંકા કરશો નહિ, એક જ લગનથી ચૈતન્ય –
સ્વરુપમાં લાગ્યા રહેજો, દિનરાત ક્ષણ – પળ પ્રયત્ન કયા
Page 95 of 237
PDF/HTML Page 108 of 250
single page version
આવશે.....ને આનંદની સિદ્ધિ થશે.....
ખોલી નાંખજો.....તે જ્ઞાનીની એક જ દ્રષ્ટિ – મીઠીમધુરી ચૈતન્યની
વાત તમારી હતાશાને તરત જ ખંખેરી નાંખશે ને તમારા આત્માને
સ્વરુપ સાધવાની અખંડધારામાં જોડી દેશે.
જૈનશાસન અને જ્ઞાનીજનો તમારી પાસે જ છે.
તત્ક્ષણ ‘સ્વાનુભૂતિનો પ્રકાશ’ કરો. (આશીષ
જ્ઞાનસ્વાદને ભૂલી જાય છે ને અજ્ઞાનનો સ્વાદ લ્યે છે.....અજ્ઞાનનો
સ્વાદ એટલે મોહનો સ્વાદ તે દુઃખ છે.
જ્ઞાનસ્વભાવથી હું પોતે પોતામાં જ જ્ઞાનરુપે પરિણમી રહ્યો છું; તે
જ્ઞાનનો સ્વાદ મહા આનંદરુપ છે. આવું જ્ઞાનવેદન તે સુખ છે; તેમાં
મોહ નથી. એટલે જડને કે વિભાવને જાણવા છતાં તેમાં ક્યાંય તે
Page 96 of 237
PDF/HTML Page 109 of 250
single page version
નથી; પોતાનો ચૈતન્યસ્વાદ પોતામાં જ લીધા કરે છે.
જડમાં તો કોઈ સ્વાદ જ નથી, અથવા જડસ્વાદ છે.
ઉપયોગ જ હું છું.
ચેતનઅસ્તિત્વ છે. જ્યાં જ્યાં રાગદ્વેષ દેખાય ત્યાં ત્યાં પહેલાં
ચેતનને તું જોઈ લે. તે ચેતન તને મહાન દેખાશે; પછી મહાન ચેતન
સાથે વિજાતીય રાગાદિકનો સંબંધ કરતાં તને શરમ થશે, એટલે તું
એ રાગદ્વેષનો સંબંધ તોડી તારા ચેતનભાવમાં જ રહીશ. – આ
જ ભેદજ્ઞાન છે.
Page 97 of 237
PDF/HTML Page 110 of 250
single page version
તું વિદ્યમાન ન હો તો રાગાદિક કેવી રીતે થાય
ચેતનસ્વભાવનું એકલું અસ્તિત્વ રાગાદિ વિકાર વગરનું
અનુભવાશે; પણ એકલા રાગાદિ, ચેતનના અસ્તિત્વ વગર કદી
નહીં અનુભવાય.
પાપનો સ્વાદ કેમ લ્યે છે
જ છે, છતાં તમે તેમાં મોહિત થઈ, પોતાનું હિત ચૂકી નરકાદિનાં
કર્મો કેમ બાંધો છો
સાંભળો છો – વાંચો છો, છતાં મોહ કેમ નથી મૂકતા
Page 98 of 237
PDF/HTML Page 111 of 250
single page version
થતો હતો, પણ ઉપયોગ જ્યાં મોહાગ્નિથી છૂટો પડયો ત્યાં શાંત
થઈ ગયો, તેમાં કોઈ ફદફદાટ ન રહ્યો. – એ જ મારું અસલી
શાંત સ્વરુપ છે. – આમ વારંવાર અત્યંત શાંતચિત્તે પોતાના
સ્વરુપની ભાવના કરવી. ત્યાં સ્વભાવ પ્રગટે છે ને સાચો આનંદ
વેદાય છે. – એનો સાક્ષી આત્મા પોતે જ છે.
ચેતનપણું, એકલું ચેતનપણું, અનંતભાવથી ભરેલું ચેતનપણું, દ્રવ્ય
– પર્યાયરુપ ચેતનપણું – તે જ તું છો. તું ચૈતન્યરસમાં ચડી જા.
થઈ સ્વાનુભૂતિ કરી લ્યે છે, તે ધન્ય છે, મોક્ષના સાધક છે.
સ્વરુપના અનુભવ વખતે તે પોતાના સિદ્ધસમાન આત્મતત્ત્વને
સ્વસંવેદનરુપ કરીને પ્રત્યક્ષ દેખે છે. – આવો અનુભવ પૂજ્ય છે,
સર્વે સંતોએ એની પ્રશંસા કરી છે; સર્વશાસ્ત્રોમાં એનો જ મહિમા
ભર્યો છે.
આશા સર્વથા મટાડી, તારા ચેતનના સ્વરસથી તૃપ્ત થા. તારા
ચેતનરસનો સ્વાદ જ કોઈ એવો અપૂર્વ છે કે તે ચાખતાં પરમ તૃપ્તિ
ઊપજે છે, – એવી તૃપ્તિ ઊપજે છે કે પછી બીજું કાંઈ રસવાળું
લાગતું નથી. ચૈતન્યરસ પાસે જગત નીરસ લાગે છે. એ ચૈતન્યરસ
ચાખતાં જ વિષયભાવરુપ સર્વે વ્યાધિ મટી જાય છે.
Page 99 of 237
PDF/HTML Page 112 of 250
single page version
મહાજનો જે પંથ પકડી પાર થયા તે જ અવિનાશી – પુરીનો પંથ
તું પકડ. એ મહાજનોના માર્ગે ચાલતાં તારું અનંત કલ્યાણ થશે.
આ જ સાચો સ્વ – અર્થ છે, બાકી બધો અનર્થ છે.
તેનું ગ્રહણ તે પરમાર્થ છે.
અન્ય અર્થનું ગ્રહણ તે અનર્થ છે.
બાહ્ય વિષયો તો ઉજ્જડ વેરાન છે; ત્યાં કોઈ ગુણની વસ્તી નથી,
એમાં ક્યાંય આનંદ નથી, એનો કોઈ રાજા નથી; એ મોહ લૂટારાનો
જંગલી પ્રદેશ છે, એમાં તું જઈશ મા. – નહિતર તારા ગુણનિધાન
લૂંટાઈ જશે. ચૈતન્યની રાજધાનીમાં રહેજે, ને નિશ્ચિતપણે તારા
ગુણનિધાનને ભોગવજે.
તો જાત જ જુદી છે. તારો જ્ઞાનકણિયો કષાયપૂંજથી જુદો રહી,
જ્ઞાનપિંડમાં તન્મય રહી તને કહે છે ‘હું જ્ઞાનમય છું.’ – માટે
જ્ઞાનને બીજા સ્વરુપે જોવાની ભ્રમણા છોડ. સુખ પણ જ્ઞાનમાં જ
છે, બીજે ક્યાંય નથી. જ્ઞાનથી બહાર બીજે તારું અસ્તિત્વ જ નથી,
માટે બીજે ક્યાંય ખોજીશ નહીં. ઘણાકાળથી સ્વપદને તું ભૂલ્યો
હોવાથી વારંવાર કહેવું પડે છે. હવે સ્વપદને સંભારી એવો જાગી
Page 100 of 237
PDF/HTML Page 113 of 250
single page version
Page 101 of 237
PDF/HTML Page 114 of 250
single page version
હોતું નથી.
– મારા જીવનનું એ કોઈ સાધન નથી.
બીજે ક્યાંયથી લાવવું નથી; હું પોતે જ સુખપિંડ છું.
Page 102 of 237
PDF/HTML Page 115 of 250
single page version
.....ત્યાં તો એક સિદ્ધ ભગવાનને મેં જોયા.....આહા,
‘પંચમકાળમાં હાલતા – ચાલતા સિદ્ધ...’ અહો, આશ્ચર્ય...આશ્ચર્ય
ચૈતન્યતત્ત્વની અદ્ભુતતા દેખીને મારું હૃદય ભક્તિથી નમી પડયું.
વનમાં વિચરતા ને મહા આનંદમાં ઝૂલતા એ મુનિરાજનો વીતરાગ
Page 103 of 237
PDF/HTML Page 116 of 250
single page version
ઇંદ્રિયો થંભી ગઈ, વિકલ્પો શાંત થઈ ગયા.....અહો, આશ્ચર્ય
અંતરમાં પ્રવેશતાં સર્વે વિકલ્પો મટીને નિર્વિકલ્પ – શાંતિ થશે, તેવી
પ્રતીતિ થઈ.....અને મેં જ્ઞાનદ્વારા એમના હૃદયમાં પ્રવેશ કર્યો.
જેઓ આત્મ – આનંદના જોરદાર અનુભવમાં રત છે. અરે, ક્ષણે
ક્ષણે જેઓ આશ્ચર્યકારી આનંદસાગરમાં ડૂબકી મારે છે ને સિદ્ધ
જેવો જ આનંદ અનુભવી લ્યે છે; – પછી તેમને સિદ્ધ કેમ ન
કહેવાય
ચૈતન્યની અનુભૂતિ તેમને સતત સુલભ છે, ને બાહ્ય વિષયોનો
પરિચય તેમને છૂટી ગયો છે. રાગમાત્રને દુશ્મન સમજીને તેનાથી
તેઓ સાવધાન છે, અને અંતરમાં ઉલ્લસતી સુખસાગરની છોળ
પીવામાં મગ્ન છે.....ધન્ય છે – આ મુનિરાજ
મિલન થતાં જાણે સિદ્ધનું મિલન થયું. પરમાત્માનો સાક્ષાત્કાર થયો.
જેમ દરિયામાં ડૂબતાને નાની નૌકા મળી જાય કે રણમાં તરસ્યાને
મીઠા પાણીનું નાનકડું ઝરણું દેખાય ને હર્ષિત થાય તેમ
પંચમકાળમાં નાનકડા સિદ્ધ જેવા આ મુનિરાજના દર્શનથી મારું
Page 104 of 237
PDF/HTML Page 117 of 250
single page version
છે. સમુદ્ર જેટલી શાહીથી અને પૃથ્વી જેટલા કાગળ પર લખવામાં
આવે તો પણ જેમના મહિમાનું પૂરું વર્ણન થતું નથી, તેની શું વાત
ધ્યાનમુદ્રા ચૈતન્યભાવની પ્રેરક હતી.
તરફ જોયું અહા
ભોગવતો આવ્યો છું; હવે આ ભવમાં આવા મુનિરાજ મળ્યા તો
તેમના સમાગમવડે તેમના માર્ગે જઈને અનાદિના દુઃખનો અંત કરું
ને સાદિ અનંતના મહાન સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરું
તેઓ કેવી રીતે આવો આનંદ પામ્યા
ગયો છું. મહાભાગ્યે મને આપ મળ્યા છો. આપ ખરેખરા સુખી છો
ને સુખનો માર્ગ જાણો છો; તો તે સુખની પ્રાપ્તિનો ઉપાય કૃપા
કરીને મને બતાવો.’
Page 105 of 237
PDF/HTML Page 118 of 250
single page version
આત્માને જાણ
સુખની બુદ્ધિ છોડ. અનાદિથી સ્વપણે માનેલ એવા શરીરાદિ જડમાં
રાચીને, તેમાં રાગદ્વેષ કરીને તું દુઃખી થયો, તેમાં ક્યાંય તને સુખ
ન મળ્યું; હવે તેમાં સ્વબુદ્ધિ છોડી દે; સુખ તેમાં નથી, સુખ તારામાં
પોતામાં છે, તારી સામે જો.
છે
કામભોગબંધનની, એટલે વિષય – કષાયની કલંકિની કથા
સાંભળીને તેનો પ્રેમ કર્યો, તેનો જ વારંવાર પરિચય કર્યો; તેથી
તારું સુખ (તારા અંતરમાં વિદ્યમાન હોવા છતાં) તને અનુભવમાં
ન આવ્યું ને તું દુઃખી થયો. પણ ભાઈ
આદરપૂર્વક પ્રેમથી તે સાંભળજે, સમજજે, ને એવા આત્માને
અનુભવમાં લેજે. તારા સર્વ દુઃખ દૂર થશે ને તને અપૂર્વ સુખનું
વેદન થશે. આત્મા પોતે ભગવાન છે તે અનુભૂતિસ્વરુપ એટલે
જ્ઞાનસ્વરુપ છે; આવા તારા આત્માની વાત તું પ્રસન્નચિત્ત
અપૂર્વભાવે સાંભળી, વિચારી અને પોતાના અનુભવમાં લઈને
પ્રમાણ કરજે.
Page 106 of 237
PDF/HTML Page 119 of 250
single page version
જ્ઞાનસ્વભાવી ભગવાન છો. પામર નથી; ચૈતન્યની પરમેશ્વરતાથી
ભરેલા તને પામરપણું ન શોભે. હે ચેતનરાજા
પરદ્રવ્યમાંથી કે રાગમાંથી તને સુખ કદી નહીં મળે. માટે તેમાં
આત્મબુદ્ધિ છોડ. ભાઈ
નથી, તું તો શાંતરસથી ભરેલો છો. તું ક્રોધાદિ રહિત છો, પણ
જ્ઞાનસહિત છો. ક્રોધાદિ વિભાવ છે; જ્ઞાન તારો સ્વભાવ છે.
ચમત્કારી અસર કરી રહ્યો છે. મેં પૂછ્યું : –
જણાતું, પણ ‘હું જ્ઞાન છું ને આ રાગાદિ મારાં પરજ્ઞેય છે, તે
જ્ઞાનથી ભિન્ન છે’ – એમ તે પરજ્ઞેયપણે જણાય છે, ને રાગાદિથી
જુદું જ્ઞાન જ સ્વપણે અનુભવાય છે. એ જ્ઞાનપણે જે અનુભવાય છે
તે પોતે જ તું આત્મા છો. જેમ સ્વચ્છ દર્પણમાં કોલસો જણાતી
વખતે પણ દર્પણ પોતે સ્વચ્છપણે જ રહે છે. તેમ તારા જ્ઞાનમાં
Page 107 of 237
PDF/HTML Page 120 of 250
single page version
જ્ઞાનમાં તે તન્મય વર્તે છે. આ રીતે જ્ઞાનસ્વરુપ આત્માને જાણતાં
સમ્યક્ ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. માટે હે ભવ્ય
એકવાર તું તારા સ્વરુપનો સ્વાદ લઈશ પછી જ્ઞાનમાં રાગાદિ
જણાવા છતાં તું તેના કર્તાપણામાં નહીં અટક કારણ કે તે ભાવોમાં
જ્ઞાનરસ નથી – ચેતનતા નથી, તે ભાવો ચેતના વગરના છે; તેનું
કર્તાપણું ( – તેમાં તન્મયપણું) જ્ઞાનધારામાં નથી. માટે જ્ઞાનરસના
જ બનેલા એવા તારા અખંડ સત્દ્રવ્યનો વિચાર કર; તેનો વિચાર
કરી ઉપયોગને તેમાં જ એકાગ્ર કર.
પણ સર્વ પરભાવોથી દૂર થઈને, અંતરમાં મારા પરમાત્મતત્ત્વને
દેખવા જઈ રહ્યું હતું.....અને બીજી જ ક્ષણે તો હું મને પોતાને
પરમાત્મસ્વરુપે અનુભવી રહ્યો હતો. પરમાત્માના સાક્ષાત્કારનો
કોઈ મહા અપૂર્વ આનંદ અંદર વેદાતો હતો. આશ્ચર્યકારી,
અદ્ભુતથી પણ અદ્ભુત, એ વચનાતીત અનુભૂતિના પૂરા ગાણાં
કોણ ગાઈ શકે
જોરે હું પણ તે મુનિવરોની સાથે – સાથે મોક્ષપંથમાં ચાલવા
માંડયો. આવી અનુભૂતિમાંથી બહાર આવીને જોયું ત્યાં તો એ
નિસ્પૃહ મુનિરાજ ગગનમાર્ગે અન્યત્ર વિહાર કરી ગયા હતા ને
મારા હૃદયમાં એક પરમાત્મતત્ત્વ મૂકતા ગયા હતા.