Page 68 of 237
PDF/HTML Page 81 of 250
single page version
ભક્તિભાવના છે.
નિરતિશયરુપ એમ બબ્બે પ્રકારનાં હોય છે : –
સાધે છે.
સાધી શકતો નથી.
તેને તો પાપની જ પ્રધાનતા છે.....એની વાત લેતા નથી.
કરે – આત્માના વિચાર કરે, પણ તે ત્રણે પ્રકારના શુભ વિકલ્પના
રસમાં જ રોકાઈ રહે, ઉપયોગને વિકલ્પથી અધિક ન કરે,
વિકલ્પથી જુદું ચેતનસ્વરુપ લક્ષગત ન કરે, તો એવા જીવના
શુભોપયોગમાં કોઈ સાતિશયતા નથી; એવા નિરતિશય શુભભાવ
અજ્ઞાની જીવો પૂર્વે પણ કરી ચૂક્યા છે, એમાં જીવના હિતનો પ્રસંગ
નથી. સાતિશય વગરના આ શુભોપયોગમાં ‘ઉપયોગ’ બળવાન
Page 69 of 237
PDF/HTML Page 82 of 250
single page version
છે તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી. – હા, એટલું ખરું કે
શુભને લીધે તેને શુભનિમિત્તો મળ્યા કરશે, તેથી ભવિષ્યમાં
‘કદાચિત્’ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થશે તો તે વખતે
તેમાં સાતિશયપણું આવી જશે.
જરુર પોતાના સ્વભાવને સાધે જ છે. એ ધ્યાન રાખવું કે ‘શુભ –
ઉપયોગ’ તેમાંથી સાધકપણું ‘ઉપયોગ’માં છે, ‘શુભ’માં નહીં.
શુભરાગ અને ઉપયોગ બંને ભિન્ન ભિન્ન (એકબીજાથી વિરુદ્ધ)
કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય ત્યારે
તેને ‘સાતિશય’ કહીએ છીએ.
હોય, એટલે કે ઉપયોગની અધિકતા ને શુભરાગથી ભિન્નતાનું લક્ષ
વર્તતું હોય, તો તે શુભોપયોગ સાતિશય છે, – સમ્યક્ત્વ સાથે તે
સંબંધવાળો છે. શુભોપયોગનું આ સાતિશયપણું બે પ્રકારે છે –
સાતિશયપણું એટલા માટે કહ્યું કે તે રાગની સાથે તે કાળે જે
ઉપયોગ છે તે, રાગ કરતાં અધિક – બળવાન થયો છે. રાગ કરતાં
તેની વિશેષતા છે – અતિશયતા છે, તેથી તે ઉપયોગની અપેક્ષાએ
તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. આવી અતિશયતા ઉચ્ચ
Page 70 of 237
PDF/HTML Page 83 of 250
single page version
પછીના શુભોપયોગમાં પણ તે હોય છે.
સમ્યક્સ્વભાવને તે પકડી લેશે; તે શુભરાગમાં અટકી નહીં રહે. તેને
રાગ કરતાં ઉપયોગનું બળ ક્ષણે ક્ષણે વધી રહ્યું છે. – આવું આત્મ-
બળ નિરતિશય ઉપયોગમાં નથી, તે તો રાગથી દબાઈ ગયેલ છે.
સમ્યક્ પરિણમન, તેવો પુરુષાર્થ, દેશનાલબ્ધિ, કાળલબ્ધિ,
કર્મઅભાવ વગેરે નિમિત્તો, – એ બધાયે એકસાથે જ પોતપોતાનું
કામ કર્યું છે. – એ બધાનું એકસાથે જ્ઞાન કરવું જોઈએ. એકનો
સ્વીકાર ને બીજાનો નિષેધ – એમ નહિ, પ્રસંગ અનુસાર મુખ્ય –
ગૌણ ભલે થાય. (તત્ત્વાર્થ રાજવાર્તિક અ. ૧ સૂત્ર ૩ ની ટીકામાં
આ સંબંધી પ્રકરણ છે.)
તલવાર, પુરુષાર્થવડે પ્રહાર કરવામાં આવતાં મોહશત્રુને છેદી નાંખે
છે. માટે હે ભવ્ય
સ્વાનુભૂતિનું જ સાધન બનાવ. – તો જ તું જિનવાણીનો સાચો
સેવક છો. એ જ રીતે ગુરુને અને ભગવાનને પણ વીતરાગ ભાવમાં
જ નિમિત્ત બનાવ.
Page 71 of 237
PDF/HTML Page 84 of 250
single page version
પમાય છે.
સાધવો.
જે સાધે તેને અત્યારે પણ સુગમ છે. આજે જ સાચા દિલથી સાધવા
લાગી જા.....તારે માટે આજે પણ સુગમ છે.
છોડી વિષયકષાય કરતાં તને શરમ નથી આવતી
પછી જોઈ લે કે આત્માનો અનુભવ કેવો સુગમ છે
– નાની ઉંમરમાં, પ્રતિકૂળતાની વચ્ચે પણ એવો અનુભવ કર્યો છે.
તું પણ હવે કર. અત્યાર સુધી તો ભૂલ્યો પણ હવે ગુરુપ્રતાપે
જૈનધર્મ પામીને જાગ. સંસારના બીજા કામોમાં ચતુરાઈ કરે છે –
તો આત્માને સાધવાના કામમાં ચતુરાઈ કર. નવરો થઈ – થઈને
વિકથા કર્યા કરે છે તે છોડીને દિન – રાત હોંશે – હોંશે આત્માની
કથા કર....તેના અનુભવની વાર્તા સંતો પાસે જઈ – જઈને પૂછ્યા
Page 72 of 237
PDF/HTML Page 85 of 250
single page version
કામ જરુર થશે ને તું ભવદુઃખથી છૂટીશ.
સ્વાનુભવ. – એ મારાથી દૂર નથી, બહાર નથી, હું જ એ સ્વાદરુપ
છું. જેમ મીઠાસ્વાદરુપ સાકર પોતે છે તેમ ચૈતન્યસ્વાદરુપ હું પોતે
છું. ‘સાકર પોતાનો મીઠો સ્વાદ લ્યે છે’ – એમ શું કહેવું? તેમ હું
મારા ચૈતન્યરસનો સ્વાદ લઉં છું – એવો ભેદ શું કહેવો
કમાણી કરી લ્યો. ક્રોધને – માનને – માયાને – લોભને, વિષયોની
ભાવનાને, બધા પરભાવોને એકકોર આઘે – આઘે મૂકી,
ચૈતન્યપ્રભુની એકદમ નજીક આવી, શાંત – શાંત ભાવે ભેદ મટાડીને
એને ભાવો. એવો ભાવો કે ભાવ્ય – ભાવક એક થઈ જાય.
નિર્વિકલ્પરસની આનંદધારા ઊછળશે ને તમે અપૂર્વ આશ્ચર્ય પામશો.
હાથમાં પડે, તે છાયા વડે ઇચ્છા – સિદ્ધિ કરવા માગે તો ક્યાંથી
થાય
કલ્પી, તેના વડે સુખી થવા માગે – તે સુખ ક્યાંથી થાય
Page 73 of 237
PDF/HTML Page 86 of 250
single page version
પણ ત્યારે જ પ્રગટયું. અપૂર્વ મહા આનંદ થયો. એ અનુભવદશાનાં
ઘણાં નામ છે. આત્માના સ્વાદરુપ આનંદઅનુભવ તે મુખ્ય છે,
સર્વગુણનો મીઠો રસ એ અનુભવમાં સમાઈ જાય છે.
સ્વાનુભવ રહેવાનો કાળ વધુ છે, ને થોડા જ કાળના અંતરે થાય છે;
મુનિવરોને સ્વાનુભવ દીર્ઘ અંતર્મુહૂર્ત સુધી રહે છે ને બહુ થોડા
કાળના અંતરે વારંવાર થયા કરે છે.
જોવામાં આવ્યું નથી; તથા વર્તમાનગોચર સ્વાનુભવી –
સાધર્મીજનો સાથે આ વિષયની ચર્ચાથી પણ તે કાળનું કોઈ ચોક્કસ
પ્રમાણ નિશ્ચિત થઈ શક્યું નથી. પણ આ સંબંધમાં એક વિશેષતા
મુમુક્ષુઓએ ખાસ જાણવાયોગ્ય – સમજવાયોગ્ય મહત્ત્વની છે કે –
સ્વાનુભૂતિના નિર્વિકલ્પકાળમાં જે સમ્યક્ત્વ થયું છે, તે સમ્યક્ત્વ,
સ્વાનુભૂતિ બહાર બીજે ઉપયોગ વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને એવું ને
એવું ટકી રહે છે; સમ્યગ્જ્ઞાનચેતના ચાલુ જ રહે છે; તે સમ્યગ્દર્શન
અને જ્ઞાનચેતના તો તે વખતેય વિકલ્પ વગરના, નિર્વિકલ્પ છે,
વિકલ્પથી જુદું જ તેનું પરિણમન વર્તી રહ્યું છે.....અતીન્દ્રિયસુખનું
પરિણમન પણ ચાલી જ રહ્યું છે. શ્રદ્ધા – જ્ઞાન – સુખના આ બધા
નિર્વિકલ્પચૈતન્યભાવોને તમે ઓળખતા શીખો તો જ સમ્યગ્દ્રષ્ટિને
તમે ઓળખી શકશો.....ને ત્યારે, સમ્યગ્દ્રષ્ટિમાં વિકલ્પદશા ને
નિર્વિકલ્પદશા વચ્ચે તમને જે મોટો ભેદ દેખાય છે તે મટી
જશે.....તમને વિકલ્પ અને જ્ઞાન જુદા પાડતાં આવડી જશે.
Page 74 of 237
PDF/HTML Page 87 of 250
single page version
– પણ આનંદની ધારા અને મોક્ષની સાધના તો ચાલુ જ રહે છે.
સાતમું ગુણસ્થાન આવે – એટલે છઠ્ઠાગુણસ્થાનનો કાળ ૦।। સેકંડથી
વધુ ન જ હોય ને સાતમાનો તેનાથી પણ અડધો હોય
અનુભવ – યુક્તિથી પણ તે સત્ય ભાસતી નથી. ચોથા – પાંચમા
ગુણસ્થાને પણ સ્વાનુભવ કરનાર જાણે છે કે અનુભૂતિનો કાળ
વિશેષ છે. – તો મુનિવરોની સ્વાનુભૂતિનો કાળ તો અમારાથી પણ
વિશેષ હોય જ છે. જીવ અડધી સેકંડથી વધુકાળ છઠ્ઠાગુણસ્થાનમાં
રહે તો તેને મુનિદશા જ ન રહે – એમ માનવામાં અજાણપણે પણ
મુનિભગવંતોનો અવર્ણવાદ થઈ જાય છે.
સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે જ સ્વસમય છે, તે જ જીવનું
જીવન છે; સ્વાનુભવમાં જ શાંતિ છે, તેમાં જ તૃપ્તિ છે; સ્વાનુભવ
તે જ કલ્યાણ છે, તે જ મોક્ષરાહ છે; જૈનધર્મ પામવાની સફળતા
સ્વાનુભવથી જ છે. સ્વાનુભવ થતો હોય તો મૃત્યુનેય ગણકારીશ
નહિ, કે માન – અપમાન જોવા રોકાઈશ નહીં. સ્વાનુભવ જેવું
સન્માન બીજું કોઈ નથી, એના જેવી મોટાઈ બીજે ક્યાંય નથી.
Page 75 of 237
PDF/HTML Page 88 of 250
single page version
કોઈની ગુલામી કરવી પડતી નથી. વાહ રે વાહ
આવે છે તે સ્વાનુભવનો સાક્ષાત્ આનંદ કેવો મજાનો હશે
રહેવાનો ઉદ્યમ રાખ્યા કર.
વડે જેમ જેમ વિશુદ્ધતા વધે તેમ તેમ સુખ વધતું જાય છે.
મતિશ્રુતજ્ઞાનની સ્વસન્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય
છે. આ રીતે સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. સવિકલ્પ અને
નિર્વિકલ્પ બંને પ્રકારનાં ચારિત્રપરિણામ ધર્મી જીવે પોતામાં દીઠાં
છે ને તેનો સ્વાદભેદ જાણ્યો છે. તેથી જેમ પરિણામની સ્થિરતા વધે
તેમ ઉદ્યમ રાખે છે.....ને વિકલ્પપરિણામ રહી જાય તોપણ પોતાની
સમ્યક્ત્વ – ચેતનાને વિકલ્પથી અલિપ્ત જ રાખીને બેઠો હોવાથી
તે ગભરાતો નથી, નિજ – સ્વાનુભવમાં શંકાશીલ થતો નથી.
જે વિશેષતા છે તે બધી વિશેષતા સ્વાનુભવમાં સિદ્ધ થઈ જાય છે.
સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આ આત્મા વચ્ચે કોઈ જ
તફાવત દેખાતો નથી.
યાતેં અનુભવ સારિખો, ઓર દૂસરો નાંહી.
પંચ પરમગુરુ જે થયા, ને થાશે જગમાંહિ,
તે અનુભવ – પ્રસાદથી, એમાં ધોખો નાંહી.
Page 76 of 237
PDF/HTML Page 89 of 250
single page version
છે.....સ્વાનુભવનો આનંદ સિદ્ધભગવાન જેવો છે. અનાદિથી
આત્મ પ્રદેશ ઉપર બેઠેલા આઠકર્મો સ્વાનુભવ થતાં ભાગી જાય છે.
સ્વાનુભવીને કર્મો પોતાનું ફળ આપી શકતા નથી; નવાં કર્મો
બંધાતાં નથી. કર્મો કદાચિત આવે તો તે સ્વાનુભવીની સેવા કરવા
જ આવે છે. સ્વાનુભવીને કોઈ ભયો રહ્યા નથી કે જગત પાસેથી
કાંઈ લેવાની વાંછા નથી. સ્વાનુભવીએ રત્નત્રયને પોતાના સ્વજન
બનાવ્યા છે, તેનો પરમ પ્રેમ છે.
થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો. આ શરીર
જડ – મડદું તે હું છું એટલે કે હું મડદું છું – એમ કહેતાં તમને
શરમ નથી આવતી
નથી. રાગ – દ્વેષ – ક્રોધ થઈ – થઈને મરી ગયા, છતાં તમે કાંઈ
મરી નથી ગયા, તમે તો આ જીવતા રહ્યા. તો જીવંતભાવને –
ચેતનભાવને દેખો – અનુભવો, તમારું મરણ કદી નહીં
થાય.....અમરપદને પામી જશો.
Page 77 of 237
PDF/HTML Page 90 of 250
single page version
પરવસ્તુને તેં જાણી, આજે તે વસ્તુ તો ચાલી ગઈ છતાં તેનું જ્ઞાન
તારામાં રહ્યું છે.....તે જ્ઞાન ક્યાં રહ્યું છે
અત્યારે તને ‘જ્ઞાન’ છે – પણ તેવો ક્રોધ જ્ઞાન સાથે અત્યારે થતો
નથી; આ રીતે ક્રોધ અને જ્ઞાન જુદા છે; એમ નક્કી કરીને,
ક્રોધાદિથી જુદા ચેતનરુપ ઉપયોગભાવને શોધી લે. (તારામાં જે
વેદાઈ જ રહ્યો છે તે ભાવને ઓળખી લે.) એટલે તારી વસ્તુ તને
જડી જશે – સ્વસંવેદનમાં આવી જશે.
જાતની જ કોઈ શાંતિ ઝાંખી – ઝાંખી વેદાય છે.....ઝાંખી – ઝાંખી
હોવા છતાં આવી શાંતિ તેં પહેલાં કોઈ વસ્તુમાં વેદી ન હતી.....તો
આવી શાંતિનું વેદન ક્યાંથી આવે છે
જ તું પોતે જ છો; તારામાં જ એ બધી ક્રિયાઓ થાય છે. તારી વસ્તુ
મહાન શાંતિથી ભરેલી છે, એટલે તેનો વિચાર કરતાં પણ તે શાંતિની
સુગંધ આવવા માંડે છે.....એ શાંતિનો દોર પકડીને ઊંડે – ઊંડે
ચાલ્યો જા તો શાંતિનો આખો સમુદ્ર તારામાં ઊછળતો તને દેખાશે.
થોડી વાર લાગે તો ગભરાઈને પાછો આવીશ મા.....અમે જોયેલી
વસ્તુ તને બતાવીએ છીએ; કોઈ કલ્પિત વસ્તુનું વર્ણન નથી કરતા.
ઉપયોગરુપ થઈને બધાને જાણે છે. ‘હું જાણું છું’ એવું જાણપણું
જીવ વગર કેમ હોય
Page 78 of 237
PDF/HTML Page 91 of 250
single page version
છતાં તેની કેમ ના પાડો છો
અસ્તિત્વ તમને દેખાશે.....સ્વાધીન અસ્તિત્વ દેખતાવેંત તમને
મહાન આનંદ થશે.....નવું જ જીવન પ્રાપ્ત થશે.
Page 79 of 237
PDF/HTML Page 92 of 250
single page version
પરના ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ પરમાં છે.
આમ સ્વ-પરને અત્યંત ભિન્નતા છે, કાંઈ જ ભેળસેળ નથી.
ભિન્નતા હોવાથી એકલા – એકલા આત્માને શુદ્ધતા જ છે.
પરસંગ છોડીને પોતાના એકત્વમાં રહેનારને કોઈ અશુદ્ધતા નથી.
આ રીતે હું એક છું.....શુદ્ધ છું.....મારામાં જ પરિપૂર્ણ છું.
સ્વરુપની ઓળખાણથી આત્માનું સાચું સ્વરુપ ઓળખાય છે, અને
તેઓ જે માર્ગે – જે ભાવથી મોક્ષપદ પામ્યા તે માર્ગ – તે ભાવ
તેમણે આપણને ઉપદેશ્યા છે. –
નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી,
નિર્વૃત્ત થયા; નમું તમને.
Page 80 of 237
PDF/HTML Page 93 of 250
single page version
થાય છે કે આત્મા રાગસ્વરુપ નથી. આવું મારું સ્વરુપ સમજતાં હું
પણ રાગ મટાડીને વીતરાગ થઈશ. આમ રાગ અને આત્મસ્વરુપનું
ભેદજ્ઞાન તે પરમાત્માના દર્શનનું સત્ફળ છે.
આવા અરિહંત પરમાત્મા મનુષ્યલોકમાં સદાય વિદ્યમાન વિચરે છે,
મોક્ષમાર્ગ પણ જગતમાં સદાય છે; ને તે મોક્ષમાર્ગમાં ચાલનારા
મુમુક્ષુઓ પણ સદાય છે. વીરપ્રભુનું શાસન પામીને હું પણ
મોક્ષમાર્ગના આ પ્રવાહમાં જોડાઈ ગયો છું. પ્રવાહધારા અખંડ છે
– નવા નવા જીવો તેમાં જોડાતા જાય છે. તમે પણ આવો ને પ્રભુના
માર્ગમાં જોડાવ.
અજ્ઞાનપરિણામ ક્યાંથી થાત
રાગમય નથી પણ વીતરાગસ્વભાવી છો, તેથી રાગ મટીને
વીતરાગતા થઈ જાય છે; તેમ તમે પોતાને જ્ઞાનસ્વભાવી જાણો તો
અજ્ઞાન કાંઈ છે જ નહીં. ‘અજ્ઞાન’ એ કોઈ શક્તિ નથી, શક્તિ તો
‘જ્ઞાન’ છે; – તેને સંભાળો. જ્ઞાનમાં અજ્ઞાન નથી. જો કે જ્ઞાન
વિના અજ્ઞાન નથી પરંતુ અજ્ઞાન વિના તો જ્ઞાન છે. – માટે
Page 81 of 237
PDF/HTML Page 94 of 250
single page version
રાગ વિના તો આત્માનું અસ્તિત્વ છે; માટે આત્મા રાગસ્વરુપ નથી.
આત્મા તો રાગથી મોટો છે, તેથી રાગ વગર તે જીવી શકે છે.
શકતું નથી, જ્ઞાન ખુલ્લુ તો રહે જ છે. માટે જ્ઞાનાવરણકર્મથી જ્ઞાન
મોટું છે. જ્ઞાન પોતાની મહાન – શક્તિ સંભાળીને જાગશે ત્યારે
આવરણને તોડીને એવું ખીલશે કે આખા જગતને પોતાનું જ્ઞેય
બનાવી દેશે. આવરણ વખતેય જ્ઞાનની નિજશક્તિ ચાલી ગઈ નથી.
બધાને આનંદસહિત એક સાથે જાણવાની મારા જ્ઞાનની તાકાત છે,
– એમ જ્ઞાનશક્તિનું સંવેદન કરતાં અજ્ઞાન તો અલોપ થઈ ગયું.
ત્રણે જુદા જુદા નથી. દ્રવ્યમાં ગુણ – પર્યાયો રહેલાં છે;
ગુણપર્યાયોમાં દ્રવ્ય રહેલું છે. કથંચિત્ સ્વરુપભેદ હોવા છતાં
વસ્તુત: અભેદપણે જે ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે, જે દ્રવ્ય છે
તે જ ગુણ – પર્યાય છે. બધું એક જ સત્ છે. દ્રવ્ય વગર ગુણ –
પર્યાય ન હોય; ગુણપર્યાય વગર દ્રવ્ય ન હોય. ત્રણેની પરસ્પર
સિદ્ધિ છે. ગુણ – પર્યાયો વગર દ્રવ્યની સિદ્ધિ ન થાય; દ્રવ્ય વગર
ગુણ – પર્યાયની સિદ્ધિ ન થાય. વસ્તુના પરિણામ પ્રત્યેક સમયે
ઉત્પાદ – વ્યય – ધ્રુવતાને ધારે છે.....ને એવો પ્રવાહ ત્રિકાળ છે,
એટલે ઉત્પાદ – વ્યય – ધ્રુવતા એ સત્વસ્તુનું ત્રિકાળીસ્વરુપ છે.
Page 82 of 237
PDF/HTML Page 95 of 250
single page version
પરજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય પરમાં જ છે.
મારો કોઈ અંશ પરમાં, કે પરનો કોઈ અંશ મારામાં નથી, તેથી
સમસ્ત પરજ્ઞેયો પ્રત્યે મને અત્યંત ઉદાસીનતારુપ સમભાવ છે,
મારા સ્વજ્ઞેયરુપ જ્ઞાનતત્ત્વમાં જ હું અત્યંત તૃપ્ત સંતુષ્ટ છું.
ગાથા ૧૯૨ – ૧૯૩ માં સમજાવીને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય બતાવ્યો છે : –
માનું હું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચલ ધ્રુવ છે.
લક્ષ્મી, શરીર, સુખ – દુઃખ અથવા શત્રુ – મિત્ર જનો અરે
તત્ત્વથી સર્વથા જુદું અનુભવાય છે; એ જ રીતે રાગરુપ પુણ્ય –
પાપ – આસ્રવ – બંધતત્ત્વો મારા શુદ્ધ જીવતત્ત્વથી જુદા રહી જાય
છે, ને ચેતનારુપ સંવર – નિર્જરા – મોક્ષ તત્ત્વો મારા શુદ્ધતત્ત્વમાં
અભેદ અનુભવાય છે; આ રીતે નવતત્ત્વોનો વિભાગ થતાં
ભૂતાર્થપણે મારું એક શુદ્ધ – જીવતત્ત્વ જ ચૈતન્યભાવમય પ્રકાશે
છે. એ અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે, એમાં મને મારા આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન નથી; આવા મારા સ્વતત્ત્વનો મને કદી
વિયોગ નથી, તેથી મારે માટે હું પોતે ધ્રુવ છું; સર્વ સ્વભાવસંપન્ન
હું મહાન પદાર્થ છું. શુદ્ધાત્મતત્ત્વની આવી ભાવનાથી સમ્યક્ત્વાદિ
શુદ્ધતારુપ પરિણમન થાય છે.
Page 83 of 237
PDF/HTML Page 96 of 250
single page version
જે ભાવના પ્રમાણે કાર્ય ન થઈ શકે તે ભાવના સાચી નથી. જેમકે
નથી; આત્મા કદી જડ થઈ શકતો નથી, જડ કદી ચેતન થઈ શકતું
નથી; માટે તે ભાવના મિથ્યા છે, નિરર્થક છે.
જુદા પડે છે.
મોક્ષમાંય આત્મા પર્યાયરુપ તો રહે જ છે, આત્માને પર્યાય વગરનો
કદી કરી શકાતો નથી.....માટે તેમના ભેદની ભાવના સાચી નથી.
સમ્યક્ત્વરુપ પરિણમીને તેને જ સદા ભાવું છું.
અનુભવરુપ શુદ્ધનય છે. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે, સમ્યગ્દર્શનરુપ
છે. (આ શુદ્ધનય શુદ્ધસ્વભાવ અને અશુદ્ધતાને જુદા પાડે છે; પરંતુ
Page 84 of 237
PDF/HTML Page 97 of 250
single page version
એક ધર્મને ગ્રહણ કરે છે. (પરવસ્તુમાં પણ પર્યાય ગૌણ કરીને
દ્રવ્યને દેખવું તે દ્રવ્યાર્થિકનય છે.)
એકેક ભાગના ગ્રહણ વડે વસ્તુનું સાચું સ્વરુપ અનુભવમાં આવતું
નથી. આ બાબતમાં હાથી અને છ અંધનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે :
હાથીની સૂંઢ – પૂંછડી – કાન – પગ વગેરે એકેક અંગને જ
પકડીને તેને જ આખો હાથી માની લેનાર આંધળાને સાચા હાથીનું
જ્ઞાન થતું નથી. બધા અંગ સહિત આખા હાથીને જે જાણે છે તેને
જ સાચા હાથીનું જ્ઞાન થાય છે; તેમ આત્મામાં સમજવું.
કોઈ સ્વભાવને છોડી દેતો નથી. શુદ્ધનયરુપ જ્ઞાનપર્યાય છે તે પણ
વસ્તુનો સ્વભાવ છે, તેથી અભેદઅનુભૂતિમાં ‘શુદ્ધનય ભૂતાર્થ છે’
એમ કહ્યું. ‘ભૂતાર્થ’માં શુદ્ધપર્યાયનો અભાવ નથી. ‘પર્યાયના ભેદનો’
અભાવ છે. દ્રવ્ય – ગુણ – પર્યાય એવા ત્રણેય ભેદ અભૂતાર્થ છે, તે
ભેદવડે પરમાર્થ જીવનું ગ્રહણ થતું નથી – એ વાત ‘અલિંગગ્રહણ’
ના અર્થોમાં (૧૮ – ૧૯ – ૨૦ બોલમાં) આચાર્યદેવે સ્પષ્ટ
સમજાવી છે. ત્યાં આચાર્યદેવે આત્મા અને તેની શુદ્ધપર્યાય વચ્ચેના
ભેદનો વિકલ્પ મટાડવા ‘શુદ્ધપર્યાય તે આત્મા છે’ એમ કહ્યું છે, પણ
Page 85 of 237
PDF/HTML Page 98 of 250
single page version
તન્મય છે. દ્રવ્ય – પર્યાયના ભેદ વડે પરમાર્થ આત્માનું ગ્રહણ થતું
નથી એટલે કે તે અનુભવમાં આવતો નથી.
છે. આવા નિજધર્મનો ધારક જીવ પરમ શુદ્ધ છે, તે નિશ્ચય છે.
પરના એક પણ ધર્મને પોતાના માનીશ મા.
કોઈપણ પરના ધર્મનું ગ્રહણ કરવા જઈશ તો દુઃખી થઈશ.
જાણે – જુએ જે સર્વ, તે હું – એમ જ્ઞાની ચિંતવે.
એવો અભેદભાવ છે કે જે દ્રવ્ય છે તે જ ગુણ – પર્યાય છે, ને જે
ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે. આવા અભેદભાવમાં આખો
આત્મા સમાય છે; અભેદઅનુભૂતિ તે આત્માનું સર્વસ્વ છે.
Page 86 of 237
PDF/HTML Page 99 of 250
single page version
જે પોતાના આત્માથી અભેદ ભાવે છે તેને જ રત્નત્રય-ધર્મનું સાચું
વાત્સલ્ય છે; રત્નત્રયને જે આત્માથી જુદો માને તેને તેનું સાચું
વાત્સલ્ય નથી એટલે તેની પાસે સમ્યક્ત્વાદિ ગુણો જ નથી.
આત્માની અવસ્થામાં ‘બીજા’ રાગદિ વિભાવ પણ છે. આમ
શુદ્ધભાવ અને વિભાવ બંને ભાવની ધારા તે આત્મામાં એકસાથે
વર્તતી હોવાથી તેને મિશ્રભાવવાળો કહીએ છીએ.
રાગવાળાં અશુદ્ધ થઈ જતાં નથી. તે શુદ્ધભાવોની જ સાધકને
પ્રધાનતા છે, ને તે જ તેનું ચિહ્ન છે. સાધકપણું અને મોક્ષમાર્ગ તે
શુદ્ધભાવની ધારાવડે જ સધાય છે. એટલે સાધક – જ્ઞાનીની
ભૂમિકામાં યત્કિંચિત્ રાગાદિ દેખો ત્યારે પણ તેની રાગથી અલિપ્ત
જ્ઞાનચેતનાને ભૂલશો નહિ. રાગ જેને ડગાવી શકતો નથી એવી તે
અચલ છે. જુઓ, ભરતચક્રીએ ક્રોધપૂર્વક બાહુબલી – પોતાના
ભાઈને મારવા ચક્ર છોડયું – તે વખતેય તે ક્રોધ તે ધર્માત્માના
સમ્યક્ત્વને કે તેની જ્ઞાનચેતનાને ડગાવી શક્યો નથી, મલિન કરી
શક્યો નથી, નષ્ટ કરી શક્યો નથી. ક્રોધ સામે અડગપણે ટકી
રહેવાનું અપાર સામર્થ્ય તે સમ્યક્ત્વચેતનામાં છે.....તે મહાન છે.
Page 87 of 237
PDF/HTML Page 100 of 250
single page version
ઓળખતાં જ જ્ઞાનીનું હૃદય ઓળખાય છે, ને પોતાનેય ભેદજ્ઞાન
થાય છે. ‘ – અમને એમ થયું છે.’ (જુઓ પાનું : ૨૦૩)
સુખધારા વર્તી રહી છે; ને જેટલી કષાય – કર્મધારા છે તેટલું દુઃખ
છે; પણ મોક્ષને સાધવાનું તે વખતેય ચાલુ હોવાથી તે ધર્મીને
દુર્ગતિનું કે વિશેષ વ્યાકુળતાનું કારણ થતી નથી. પ્રતીતમાં –
જ્ઞાનમાં આત્મસ્વરુપ બરાબર આવ્યું છે, પણ પરિણમનમાં હજી
પૂરું આવ્યું નથી, શુદ્ધતાનું પરિણમન શરુ થયું છે પણ હજી પૂરું
નથી થયું. જુઓને, ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ તો ક્ષાયિક થઈ ગયું
છતાં હજી રાગ તો રહ્યો; – એક સાથે ક્ષાયિકભાવ ને ઉદયભાવ
બંને વર્તે છે. સમ્યક્ત્વગુણ સર્વગુણોમાં ફેલાયેલો છે તેથી તેના
પ્રતાપે સર્વ ગુણોમાં થોડી થોડી તો શુદ્ધતા થઈ છે. એકેક ગુણ
પોતાનો સ્વાદ બધા ગુણોને આપે છે. – પણ વિકારભાવને કોઈ
ગુણો સાથ આપતા નથી, તેને જુદો જ રાખે છે; ગુણના આધાર
વિનાનો તે નિરાધાર છે, લાંબુ જીવી શકતો નથી.
થઈ છે, કેટલોક વિકાર પણ છે. જેટલા અંશે રત્નત્રયની શુદ્ધતા છે
તે તો મોક્ષની જ સાધક છે, તેના વડે કર્મબંધન થતું નથી. જેટલા
અંશે રાગાદિ – અશુદ્ધતા છે તેટલો અપરાધ છે, તે બંધનું કારણ
થાય છે, તે મોક્ષનું કારણ થતું નથી. – આમ બંને ધારા
પોતપોતાનું કામ કરે છે; એકબીજાનું કામ કરતી નથી, ને
એકબીજાનું કામ રોકતીય નથી. ચોથા ગુણસ્થાનનો રાગ તેના
સમ્યક્ત્વને નથી બગાડતો, અને ચોથા ગુણસ્થાનનું સમ્યક્ત્વ ત્યાંના