Samyak Darshan Part 7 8 (Gujarati). Champabhaina Drastante Jivabhaini Odkhan; Vitragi Santo bolave Chhe: ; Swabhav Rasgholan - Swanubhav Prasad Bhag 2; Moksh Mahelno Maharaja; Shri Dev Shashtra Guru Pratye Bhaktibhavna.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 13

 

Page 48 of 237
PDF/HTML Page 61 of 250
single page version

background image
૪૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જ્ઞાનભાવનાને ઊર્ધ્વ કર.....સંસારના ભાવને અધો કર
– આ રીતે, આત્મસ્વરુપને સાધવું હોય તો તારા ભાવની ગતિ
પલટી નાંખ.....‘‘ઊર્ધ્વગમન કર.’’ ઊર્ધ્વ = સિદ્ધાલય.
જડનાં મમત્વ કરી – કરી પોતાને જડ માનતાં તને શું
સુખ છે? એ રીતે રાગાદિ ભાવમાં પણ સુખ ક્યાં છે? તારો
જ્ઞાનભાવ, તારો આત્મભાવ, તારો આનંદભાવ – તે જ સુખરુપ
છે, તે જ તારું વિશ્રામસ્થાન છે.
આત્મપરિણતિમાં આત્મા છે. ‘હું છું’ એવી
સ્વપરિણતિમાં આત્મા પ્રગટ છે. આત્મામાં પરિણતિ આવી ત્યાં ‘હું
છું’ એમ સ્વપદને સાધ્યું. ‘હું – હું’ એવી સ્વપદની આસ્તિક્યતા તે
સ્વરુપને સાધવાનું સાધન છે. ‘હું – હું’ એવા તે સ્વપદમાં શરીર
નથી, વચન નથી, રાગ કે દુઃખ પણ નથી, તે પદમાં તો સર્વત્ર
આનંદ અને ચેતના ભરી છે. – વારંવાર આવા સ્વપદને સ્વપદમાં
જ શોધ...પ્રાપ્ત છે તેની તને પ્રાપ્તિ થશે, અનુભૂતિ થશે.....ત્યાં
શક્તિસ્વભાવ વ્યક્તરુપ પોતે જ પરિણમી રહ્યો છે.
પરમાત્મતત્ત્વની ભાવના કરતાં – કરતાં પરમાત્મપદ નજીક
આવે છે, ત્યારે તેના પ્રતાપથી પરભાવો મરી ફીટે છે. જેમ શૂરવીર
રાજાના તેજથી કાયર મનુષ્યો સંગ્રામ કર્યા વગર જ ભાગી જાય છે
અને જેમ સૂર્યના તેજ – પ્રતાપ પાસે અંધકાર પહેલેથી દૂર ભાગી
જાય છે; તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં અપાર સ્વતેજના પ્રકાશથી
સ્ફૂરાયમાન થાય છે ત્યાં પરભાવો તેની સામે ઊભા નથી રહેતા,
લડયા વગર જ ભાગી જાય છે. ચૈતન્યપ્રભુનો પ્રતાપ કોઈ અનેરો
છે.....અનુપમ છે.
પરના રસથી પરાંગમુખ થઈ, અત્યંત રસથી સ્વપદને
અવલોકવાનો પ્રયત્ન વારંવાર કર્યા જ કરો.
‘‘સંતની વાત.....ટૂંકી ટચ, સ્વમાં વસ.....પરથી ખસ.’’

Page 49 of 237
PDF/HTML Page 62 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૯
કસ્તુરીમૃગ સુગંધને બહારમાં શોધે તે ક્યાંથી મળે?
આત્મતત્ત્વ નિજપદને પરમાં શોધે તે ક્યાંથી મળે?
સ્વપદનો નિવાસ સ્વપદમાં જ છે; ક્યાંય શોધવું નહીં પડે.
તારે કોને શોધવું છે તે નક્કી કર.....તો તે તારામાં જ છે,
તે તું જ છો.
તું તો છો જ – પછી પોતે પોતાને ઢૂંઢવાની વ્યાકુળતા
શા માટે કરે છે?
ઘણો – ઘણો કાળ તું વ્યાકુળ થયો; હવે તો શાંત થઈને
સુખરસનો આસ્વાદી થા.
પરભાવના નિંદ્યસ્થાનોને છોડીને અત્યંત સુંદર નિજ-
પદમાં બેસ.....
અરે, તારું જ્ઞાન તે પરપદમાં હોય? ના. પરપદને
જાણનારું જ્ઞાન પણ નિજપદ છે. જે – જે જાણપણું છે તે – તે હું
છું એમ જ્ઞાનમાં નિજભાવની દ્રઢતા તે સમ્યક્ત્વ છે; તે સુગમ છે;
તેમાં ખેદ નથી, વિષમતા નથી. એનાથી જ શિવપદ સધાય છે. માટે
સ્વરુપ – રસનો વારંવાર અભ્યાસ કરો. તમારી શક્તિ અપાર છે.
અરે ચિદાનંદરાજ
! અનંત – અપાર જ્ઞાનશક્તિને અંદર સંઘરીને
બેઠો હોવા છતાં તું પોતાને સમ્યક્ત્વકાર્ય માટે પણ નબળો માની
રહ્યો છે – તે આશ્ચર્ય ઉપજાવે છે
! છતી શક્તિને અછતી શા માટે
કરે છે? તારા સ્વરુપના સામ્રાજ્યનો તું હક્કદાર છો, તારા
સ્વરાજ્યને તું ઝટ પ્રાપ્ત કરી લે. જેમ ક્ષુધાતુર બિલ્લી ખોરાક
દેખીને લોટવા લાગે છે તેમ તું તારા સુંદર સ્વરુપમાં લોટવા લાગ.
અત્યાર સુધી તું જેની પાછળ પાગલની જેમ લોટયો – ભટક્યો –
એ તો જડપુદ્ગલ – અચેતનનો ઢગલો છે.....એમ જાણીને
પસ્તાવો કર, ને હવે તારા ચૈતન્યપ્રભુ પાછળ લાગી જા. લોકો ભલે

Page 50 of 237
PDF/HTML Page 63 of 250
single page version

background image
૫૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
તને પાગલ જેવો દેખે પણ તું ડાહ્યો થઈને નિજસ્વરુપમાં આવી જા.
બીજાનું તારે શું કામ છે
? જગતના ડહાપણ કરીકરીને ચાર ગતિના
ભવમાં ભટકી – ભટકીને દુઃખી થવું – એના કરતાં પોતાના
આનંદસ્વરુપમાં શાંતિથી બેસી રહેવું – તેમાં જ મજા છે.
અરે ચેતનમહારાજા! આ શરીર તો પ્રત્યક્ષ જડ લાકડા
જેવું છે – તેમાં સુખ માનતાં તમને શરમ નથી આવતી? તમારી
ચેતનાનો અંશ પણ તેમાં નથી. જરાક નજર ખોલીને જડને જડરુપ
તથા ચેતનને ચેતનરુપ દેખો.
જેમ આંખ ઉપર લૂગડું ઢાંક્યું હોય પણ અંદર તો આંખમાં
પ્રકાશપૂંજ ભર્યો છે, તે માણસને કાંઈ આંધળો તો ન કહેવાય. તેમ
અજ્ઞાનના આવરણથી ઢંકાયેલ છતાં આત્માની અંદર ચેતનામાં
ચૈતન્યપ્રકાશનો પૂંજ ભર્યો છે, તે કાંઈ અચેતન થઈ ગયો નથી. ‘હું
ચેતન છું’ એમ ચેતનપણે પોતાનું સંવેદન કરે તો પોતે પોતાથી
જરાય ગુપ્ત નથી.
અરે અનંતસુખનો ધણી તું, બહારમાંથી સુખ લેવાના
વલખાં મારી – મારીને કેવો દુઃખી થઈ રહ્યો છે! લક્ષ્મીનો દાસ
બની, દીન થઈને દેશોદેશ ફરી રહ્યો છે! શરીર – સ્ત્રી – પુત્રાદિની
ગુલામી કરે છે, અનેક પરિષહ સહે છે, – આટલું – આટલું
કરવા છતાં, અરે તેની પાછળ આખું જીવન ગુમાવી દેતાં પણ,
જરાય સુખ તો તને મળતું નથી. સુખનો નિધાન તો તું
છો.....બાપુ
! એનો વિશ્વાસ કર તો અત્યારે જ તું મહાન સુખી
બની જા. અમે એમ કરીને સુખી થયા પછી તને કહીએ છીએ.
પહેલાં અમે ય તારી જેમ સુખને માટે બહાર ભટકતા હતા; પછી
સંતોએ અમારું સુખનિધાન અમને બતાવ્યું તે પામીને અમે સુખી
થયા.....તું પણ સુખી થા
!

Page 51 of 237
PDF/HTML Page 64 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૧
‘જ્ઞાન વગરનો’ દુઃખી થાય એ તો ઠીક, પણ તું તો પોતે
‘જ્ઞાનવાળો’ થઈને દુઃખી બની રહ્યો છે – એ આશ્ચર્યની વાત છે.
આંખ હોવા છતાં આંધળો થા મા....કૂવામાં પડ મા. રાજા હોવા છતાં
તારી હરામજાદીથી તું ઘરઘરનો ભિખારી થઈને ભટકે છે
! મોહ –
ધતૂરો પીને, ઓલા ‘ચાંપા ભરવાડ’ની જેમ તું પાગલ બન્યો છે.
ચાંપો ભરવાડ એકવાર જંગલમાં મદિરા પીને ભાન ભૂલ્યો,
‘હું ચાંપો છું’ એ પણ તે ભૂલી ગયો.....ઘરે જઈને ડેલીનું બારણું
ખખડાવી પૂછ્યું – ‘ચાંપો ઘરે છે
?’ અંદરથી જવાબ આપ્યો –
‘તમે કોણ છો?’ ત્યારે ચાંપો વિચારમાં પડી ગયો – ‘અરે, હું જ
પોતે ચાંપો છું.’ તેની ભ્રમણા ભાંગી અને સ્વઘરમાં જઈને રહ્યો.
તેમ પોતાને ભૂલેલો શિષ્ય શ્રીગુરુ પાસે જઈને પૂછે છે – પ્રભો
!
મારો આત્મા ક્યાં છે? ત્યારે શ્રીગુરુ તેને કહે છે – આત્માને
શોધનાર ‘તમે કોણ છો?’ ત્યારે શિષ્ય વિચારમાં પડી ગયો – અરે,
હું પોતે જ આત્મા છું.....જાણનાર તત્ત્વ હું પોતે જ છું. – એમ

Page 52 of 237
PDF/HTML Page 65 of 250
single page version

background image
૫૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
પોતે પોતાને જાણતાં મહાન સુખી થયો. – બીજે શોધવાનું
મટયું.....ભટકવાનું મટયું.....સ્વઘરમાં આવી રહ્યો.
આત્મા અનાદિથી ‘અશુદ્ધ’ પરિણમવા છતાં, અનાદિથી તે
‘શુદ્ધ’ પણ છે. જો ‘શુદ્ધ’ ન હોય તો અશુદ્ધતા કોની થાય? માટે
બંને ભાવ (સ્વભાવ અને વિભાવ) અનાદિથી છે. એ બંને ભાવને
જાણનાર પોતે વર્તમાન અપૂર્વ શુદ્ધતારુપે પરિણમી રહ્યો છે. અનાદિ
અશુદ્ધતાની ધારા તૂટી ને અપૂર્વ શુદ્ધતાનો પ્રવાહ શરુ થયો.
શુદ્ધતા અને અશુદ્ધતા બંને અનાદિથી એકબીજાથી વિરુદ્ધ
(વિસંવાદ) ભાવે વર્તતા હતા. પણ અજ્ઞાનભાવે તે બંનેને એક જ
રુપે દેખીને ‘અશુદ્ધઆત્માને જ’ અનુભવતો હતો; હવે બંનેને
સમ્યગ્જ્ઞાનથી જ્યાં ભિન્ન દેખ્યાં ત્યાં ભિન્ન થવાની શરુઆત થઈ,
શુદ્ધ આત્મા અનુભવમાં આવી રહ્યો છે; દ્રવ્ય પર્યાય વિરુદ્ધતા
છોડીને સમભાવી થવા માંડયા છે.
જેમ સોનાની ખાણનું સોનું; પત્થર સાથે મળેલું અશુદ્ધ હોવા
છતાં ‘શુદ્ધસુવર્ણપણું’ તે વખતે જ તેનામાં છે, – તેથી પ્રયોગદ્વારા
તેવું પરિણમન થાય છે. તેમ આત્મામાં સમજવું. આ ‘સમજણ’ તે જ
શુદ્ધતા.
‘દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે’ એમ જે સમજ્યો તે પર્યાયમાં પણ
શુદ્ધ થયો જ છે. તેની શુદ્ધપર્યાયને શુદ્ધદ્રવ્ય સાથે એકતારુપ કાર્ય –
કારણભાવ છે. બંનેમાં એકતા હોવાથી શુદ્ધતા છે. કારણ –
કાર્યપણે દ્રવ્ય – પર્યાયની સંધિનો આ સમ્યક્સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જ
અનુભવે છે – જાણે છે; તેની શુદ્ધ પરિણતિને આત્મા સિવાય બીજા
બધા સાથેનો કારણ – કાર્ય સંબંધ તૂટી ગયો છે, તેથી નિમિત્તરુપે
પણ તે કર્મ – નોકર્મનો કર્તા નથી. ક્રોધાદિભાવો – કે જેમનો
સંબંધ પર સાથે છે – તે ક્રોધાદિભાવને પણ તે શુદ્ધપરિણતિ કરતી

Page 53 of 237
PDF/HTML Page 66 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૩
નથી, તેનાથી જુદી જ રહીને પોતાનું પરિણમન વધારતી જાય છે.
જેમ જેમ શુદ્ધતાનું પરિણમન વધતું જાય છે, તેમ તેમ ક્રોધાદિનું
અસ્તિત્વ મટતું જાય છે. આમ બંને ભાવની અત્યંત ભિન્નતા
પ્રયોગમાં આવી ગઈ છે.
અગ્નિ ઉપર ચડેલા સુવર્ણરસમાં અશુદ્ધતા ક્યાં સુધી રહી
શકે? – તરત જ બળીને ઊડી જાય.
તેમ ભેદજ્ઞાન અને ધ્યાનાગ્નિ ઉપર ચડેલા ચૈતન્યરસમાં
રાગાદિ ક્યાં સુધી રહી શકે? – ક્ષણમાં બળીને અભાવ થઈ જાય.
હે જીવ! તારામાં જ્ઞાનગુણ ન હોય તો અજ્ઞાન ક્યાંથી થાય?
તારામાં સમ્યક્ દર્શનનો ગુણ ન હોય તો મિથ્યાત્વ ક્યાંથી થાય?
તારામાં સુખસ્વભાવ ન હોય તો દુઃખ ક્યાંથી થાય?
તારામાં શાંતિગુણ ન હોય તો અશાંતિ – ક્રોધ ક્યાંથી થાય?
તારામાં અશરીરી સ્વભાવ ન હોય તો શરીર ક્યાંથી ચોંટે?
માટે –
સ્વગુણનું અસ્તિત્વ છે તેને પણ દેખ.....એકલા દોષને ન દેખ.
નિજ – ગુણોની મહાનતા દેખીશ તો દોષ તુરત જ ભાગી જશે.
દોષ તો ઘણીવાર આવ્યા ને ગયા. છતાં ગુણો તો સદાય એના
એ જ અચલપણે ટકી રહ્યા છે, તેથી ગુણોની જ મહાનતા છે. દોષ
ઓછા થઈને નષ્ટ થઈ જશે, ગુણ કદી એક્કેય ઓછો નહિ થાય.
અજ્ઞાન મટશે, મિથ્યાત્વ મટશે, દુઃખ મટશે, અશાંતિ – ક્રોધનો
અભાવ થશે, શરીર છૂટી જશે, પણ જ્ઞાનગુણ – સમ્યક્ત્વગુણ –
સુખસ્વભાવ – શાંતિસ્વભાવ – શરીરરહિત અમૂર્તસ્વભાવ – તે કદી
નહીં છૂટે; – એ બધાય નિજસ્વભાવ છે. –
‘‘નિજભાવને છોડું નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહું.’’

Page 54 of 237
PDF/HTML Page 67 of 250
single page version

background image
૫૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
પ્રત્યેક ગુણ આત્માનો છે તેથી આત્મા સર્વગુણસ્વરુપ છે.
આત્માનો પ્રત્યેક ગુણ તેના સર્વગુણના રસથી ભરેલો છે, એકેક
ગુણનો રસ સર્વગુણને રસબોળ કરી રહ્યો છે : –
‘સત્તા’ : આત્માનો ગુણ છે તેથી એકલો સત્તાગુણ જ સત્રુપ
નથી પણ આખો આત્મા સત્રુપ છે, – તેના
સર્વગુણો સત્રુપ છે.
‘જ્ઞાન’ : આત્માનો ગુણ છે તેથી એકલું જ્ઞાન જ ચેતનરુપ
નથી પણ આખો આત્મા ચેતનરુપ છે, તેના
સર્વગુણો ચેતનરુપ છે.
‘આનંદ’ : આત્માનો ગુણ છે તેથી એકલો આનંદગુણ જ
આનંદરુપ નથી; પણ આખો આત્મા આનંદરુપ છે,
તેના સર્વ ગુણો આનંદરુપ છે.
‘પ્રદેશતા’: આત્માનો ગુણ છે તેથી એકલો પ્રદેશત્વગુણ જ
પ્રદેશરુપ નથી, આખો આત્મા પ્રદેશોરુપ છે, તેના
સર્વગુણો પ્રદેશોરુપ છે.
આમ, કથંચિત્ ગુણભેદ છતાં બધા ગુણો વસ્તુના
સર્વગુણોરુપ છે, જુદા પાડીને એકેક ગુણનો જુદો જુદો સ્વાદ લઈ
શકાતો નથી.
શ્રદ્ધામાં – સ્વાનુભૂતિમાં સર્વગુણો એકસાથે
અભેદરસપણે આત્મરસરુપે સ્વાદમાં આવે છે.....સર્વગુણોનો
એક સાથે રસ આવતો હોવાથી તે આત્મરસનો સ્વાદ મહા
સુંદર છે. (તેમાં વિકલ્પરુપ આકુળતા નથી.)
‘સત્તા’ જો સત્તાગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં સત્તા ન
હોય તો બીજા ગુણો અસત્ ઠરે.
‘જ્ઞાન’જો જ્ઞાનગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં જ્ઞાન –
ચેતના ન હોય તો બીજા ગુણો અચેતન – જડ ઠરે.

Page 55 of 237
PDF/HTML Page 68 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૫
‘આનંદરસ’ જો આનંદગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં
આનંદરસ ન હોય તો બીજા ગુણો આનંદરસ વગરના
નીરસ ઠરે.
‘પ્રદેશતા’જો પ્રદેશત્વગુણમાં જ હોય ને બીજા ગુણોમાં પ્રદેશો ન
હોય તો બીજા ગુણો આકાર વગરના ઠરે. માટે એકેક
ગુણદ્વારા સર્વગુણસમ્પન્ન આખી વસ્તુને જ દેખવી.
અનેકાન્તસ્વભાવ જયવંત છે.
અનંતગુણસ્વરુપ આત્માનો મહિમા અપાર છે. જેનું પ્રીતિથી
શ્રવણ કરતાં પણ મોક્ષસુખના ભણકારા આવે, તે સ્વરુપના સાક્ષાત્
અનુભવનો મહિમા કોણ કહી શકે
? – એને જ્ઞાની જ જાણે છે.
એના એક અંશના સ્વાદમાં પણ અભેદપણે આખાય આત્માનો
સ્વાદ આવે છે. ‘આવો હું છું’ – એવા સમ્યક્ નિશ્ચયનું બળ પણ
એવું મહાન છે કે મોક્ષને અહીં ખેંચી લાવે છે.
વીતરાગી સંતો બોલાવે છે –
૧. અરે આત્મા! તું અનાત્માનો સંગ કેમ કરે છે?
૨. તારું આત્મત્વ મહા સુંદર છે, તેને અનાત્મા વડે બગાડ નહિ.
૩. અનાત્મ – સંગ છોડી, ‘અનુભવી – આત્માનું’ નિમિત્ત લે,
તને મહા આનંદ થશે.
૪. તારી જ્ઞાનચેતનાના એક જ કટાક્ષથી સર્વગુણો વશ થઈ જશે.
૫. મોક્ષનગરીની વીતરાગી સડક સંતોએ ચાલીને કંટકરહિત કરી
દીધી છે.
૬. મોક્ષને આનંદપૂર્વક સાધવો એ તો મારા આત્મસ્વભાવનો
સહજ ખેલ છે.

Page 56 of 237
PDF/HTML Page 69 of 250
single page version

background image
૫૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
૭. કષાયનો અંશ પણ ઉપાડવો મને બોજારુપ છે; રત્નત્રય મારે
માટે સહજ છે.
૮. આહા! મારા શાંતપદમાં ક્લેશ શો? નિજ નિધાનમાં દીનતા
કેવી?
૯. આત્મસ્વરુપના સેવનથી તૃપ્તિ ન થાય તો બીજે ક્યાં તૃપ્તિ
થશે?
૧૦. નિજાત્મરસના આસ્વાદથી જ જેને તૃપ્તિ થઈ તેને કોઈ
બીજાનું શું કામ છે?
ફરી ફરીને તને બોલાવીએ છીએ કે હે જીવ!
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો
! ઉત્તમ થશે.
બધુંય તૈયાર છે.....તું તૈયાર થા !
હે આત્મરસિક મુમુક્ષુ! સમ્યગ્દર્શન અને
સ્વાનુભૂતિને લગતું આ એક જોરદાર સાહિત્ય તારા
હાથમાં આવ્યું છે ને તને તેમાં રસ આવ્યો છે.....તો તે
રસનું ઘોલન નીકટમાં જ તને સ્વાનુભૂતિનું કારણ થશે.
– હા, તેમાં એકવાર કોઈપણ આત્મજ્ઞાનીના સીધા
માર્ગદર્શનની અપેક્ષા તો ખરી જ. પણ તું મુંઝાઈશ
મા.....અત્યારેય ભરતક્ષેત્રમાં અનેક આત્મજ્ઞાની જીવો
વિદ્યમાન છે, ને પંચમકાળના છેડા સુધી અવિચ્છિન્નપણે
રહેવાના છે. તું તૈયાર થા.....એટલે બધુંય તૈયાર છે.

Page 57 of 237
PDF/HTML Page 70 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૭
તું પોતાના આત્માને પ્રભુ સ્થાપ.
પ્રભુમાં શું હોય? – શું ન હોય? તેનો વિચાર કર.
પ્રભુ ‘છે’ તેને પ્રભુ ‘થવામાં’ શી વાર?
(હોવું TO BE........... થવું TO BE)
સર્વ કલ્યાણસ્વરુપ મહાસુંદર તારો આત્મા, એનાથી વધુ
બીજી કઈ વસ્તુ જગતમાં છે – કે જેની પાછળ તું રાગ કરી –
કરીને દોડે છે
! – આત્માને છોડીને બીજે ઉપયોગ ભમાવે છે –
તો શું આત્મા કરતાં બીજું કાંઈ તને સુંદર દેખાય છે? –
ના.....ના.....ના! એટલે તો ઉપયોગ થાકી થાકીને બધેયથી પાછો
વળે છે, ને પોતામાં જ રહેવા મથે છે. એકવાર નિજસ્વરુપમાં
સ્વભાવ – રસઘોલન : સ્વાનુભવ – પ્રસાદ
ભાગ બીજો
સંસાર દુઃખમાં સળગતા આત્માને જીવતો બહાર કાઢવા
હે જીવ ! તું મરણિયો થા.
હે આત્માર્થી! આત્મતત્ત્વને જાણવા માટે તું કુતૂહલ કર, અને
મરણિયો થઈને પણ દેહથી જુદા આત્માને અનુભવમાં લે.

Page 58 of 237
PDF/HTML Page 71 of 250
single page version

background image
૫૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ઉપયોગ પૂરો પ્રવેશી ગયો પછી અનંતકાળેય કદી તેમાંથી બહાર
આવતો નથી, તો કલ્પના કરો કે ઉપયોગને તે સ્વરુપમાં કેટલી બધી
મજા આવતી હશે
! બસ, એ તો ‘સાદિ – અનંત અનંત
સમાધિસુખમાં’ લીન છે.
જડ તો તારી પાછળ નથી પડતું; તું શા માટે જડની પાછળ
દોડે છે? જીવ હોય તો બધુંય શોભે; જીવ ન હોય તો? બધું
સૂનસામ, શબ! તું સ્વયં શોભતો છો.....નકામો કચરો ચોપડી –
ચોપડીને મેલો કેમ થાશ? અરે, તું પોતે લોકેશ્વર – ઇન્દ્ર.....તે
મોહની ઇંદ્રજાળમાં કાં ફસાઈ ગયો? મરણીયો થઈને તારા
આત્માને સંસારના દુઃખાગ્નિમાંથી બહાર કાઢ.
એક માણસને ભ્રમણા થઈ ગઈ કે ‘હું મરી ગયો છું.’
કોઈએ પૂછ્યું : તમે શું કરો છો
?
તેણે કહ્યું – ‘હું મરી ગયો છું.’
– તો આ જવાબ કોણ આપે છે
?
‘હું જવાબ આપું છું.’
– તો તમે જીવતા છો કે મરેલા
?
ત્યારે ભાન થયું કે અરે, ‘હું તો જીવતો છું.’
તેમ જીવને ભ્રમણા થઈ ગઈ હતી કે ‘હું અચેતન – શરીર છું.’
કોઈએ તેને પૂછ્યું : તમે કોણ છો
?
તેણે કહ્યું : ‘હું અચેતન શરીર છું.’
– તો આ શરીરને કોણ જાણે છે
?
તેણે કહ્યું : ‘હું જાણું છું.’
– તો જાણનારા તમે ચેતન છો કે અચેતન
?
ત્યારે વિચાર કરતાં દેહથી ભિન્નતાનું ભાન થયું કે
‘અહા! હું તો ચેતનસ્વરુપ છું.’

Page 59 of 237
PDF/HTML Page 72 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૯
હે જીવ! તારી શુદ્ધતા મહાન છે.....તેથી તેની છાયારુપ
અશુદ્ધતા પણ મહાન લાગે છે. જડ કર્મોની આટલી શક્તિ દેખાય
છે તે બધી શક્તિ તારી અશુદ્ધતા પાસેથી જ મળી છે. તું તારામાં
અશુદ્ધતા ન કર તો જડ કર્મોમાં તો કાંઈ જ શક્તિ રહેતી નથી.
બિચારા વેરવિખેર થઈ જાય છે.
તારી શુદ્ધતા એવી મહાન છે કે એના એક અંશ પાસે પણ
ઇન્દ્રાદિ પદની વિભૂતિ તુચ્છ – વિકારરુપ ભાસે છે. આવું
મહિમાવંત શુદ્ધપદ પોતાની પાસે છે; તો તેની ભાવના કેમ ન
ભાવીએ
! એની ભાવનાથી પરમાત્મપદ તુરત જ પમાય છે.
શુદ્ધપદની ભાવનાથી સ્વસંવેદનરસનો આસ્વાદી થા, એ
જ સર્વજ્ઞના સર્વ ઉપદેશનું રહસ્ય છે. તું સ્વસંવેદનરસ ચાખીશ
પછી દિવ્યધ્વનિની કોઈ વાત તારાથી ગુપ્ત નહીં રહે. આવો
આતમરસ એ જ મોક્ષમાર્ગી સંતોનું ચિહ્ન છે.
જેમ અલોકમાં ઝાડ નથી ઊગતા, તેમ ચેતનરસમાં રાગ
નથી ઊગતો. ચેતનસુખનો સ્વાદ લખ્યે – વાંચ્યે કે સાંભળ્યે ન
આવે, ઓળખતાં સ્વાદ આવે. વારંવાર કહેવા છતાં, હે જીવ
!
આવો અનુભવ તું ક્યારે કરીશ? આટલી બધી વખત તો બાળક
પણ ન કહેવડાવે. તું અનંતજ્ઞાનનો ધણી થઈને અને જિનેશ્વરનાથનો
ઉપાસક થઈને આટલું પણ કાર્ય નથી કરતો. એ અચરજની વાત
છે
! ભાઈ, આ નરભવ કાંઈ કાયમ તો નથી રહેવાનો; અત્યારે
મોક્ષસાધન નહિ કરે તો પછી ક્યારે કરીશ? કર..... કર.... કર....
આજે જ કર.
જેમ મડદા સાથેની કોઈ ક્રિયા શોભે નહિ તેમ અચેતન
શરીર સાથેની કોઈ ક્રિયા ચેતનપ્રભુને શોભતી નથી. ચૈતન્યપ્રભુને
તો રત્નત્રયના ચૈતન્યશણગાર શોભે; જડ – શણગાર એને ન

Page 60 of 237
PDF/HTML Page 73 of 250
single page version

background image
૬૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
શોભે. અહા, તું તારી ચૈતન્યરાજધાનીનો રાજા છો; તારી
સ્વાનુભૂતિના વિલાસથી તારી શોભા છે.
‘‘સુખ’ તો આત્માનો ગુણ છે, આત્મામાંથી જ તેની અનુભૂતિ
થાય છે. શરીરમાંથી સ્પર્શ – રસ – ગંધ – રંગ મળશે, સુખ
એમાંથી નહિ મળે.
ખાનપાન વગેરે સામગ્રી જાય છે શરીરમાં, અને ચેતન
એમ માને છે કે મને એનાથી સુખ થયું – એ તો કેવી ભ્રમણા?
ખાય કો’ક અને ભૂખ મટે કોઈક બીજાની, એ તો કેવી ભ્રમણા?
દેહમાં શું – શું ભર્યું છે તે જોઈ લે, અને તારામાં શું – શું ભર્યું
છે તે જોઈ લે.....પછી દેહ સાથે ભાઈબંધીનો વિચાર પણ તને નહિ
આવે. વિષ્ટાનો ખજાનો જેમાં ભર્યો છે એવા દેહ સાથે સંબંધ
રાખવામાં તમારું શું મહંતપણું છે
? મહંતપણું તો સમ્યક્ત્વાદિ કોઈ
મહાન કાર્ય કરવાથી જ થશે. ગુણનિધાનરુપ તમારા આત્મધન વડે
તમારી મોટાઈ છે, તેને તમે ગ્રહણ કરો. તમે દરિદ્રી નથી – કે
બીજા પાસે સુખની ભીખ માંગો છો
! પાપ કરી – કરીને શરીરની
જૂઠી સેવા કરો મા.....એ તમને કાંઈ સુખ આપવાનું નથી. તમારા
અનંતગુણની મહાન પ્રજાના તમે રાજા છો.....તમને તે સુખ
આપશે. માટે તે તમારા સ્વાધીન રાજપદને ભોગવો.
વિષયકષાયરુપ ચોરને તમારા રાજમાં આવવા ન દ્યો. તમારો
રાજવૈભવ કેવો અદ્ભુત છે
! તે બરાબર નીહાળો.
ત મે છો મો ક્ષ મ હે લ ના મ હા રા જા

Page 61 of 237
PDF/HTML Page 74 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૧
મોક્ષમહેલનો મહારાજા
એક મનુષ્યને જુદા જુદા ૩૬૦ ઝૂંપડા.....દરરોજ એકેક
ઝૂંપડામાં એકેક દિવસ રહે, ને બીજે દિવસે બીજા ઝૂંપડામાં જાય.
જે ઝૂંપડામાં રહેવાનું હોય તે ઝૂંપડાને વાળી – ચોળી સાફસૂફ
કરવા રોકાય; હજી પૂરું સાફ ન કરે ત્યાં તો દિવસ પૂરો થઈ જાય
ને બીજા ઝૂંપડામાં જવાનું થાય. એટલે ઝૂંપડું સાફ કરવાની મહેનત
તો નકામી ગઈ. બીજા ઝૂંપડામાં ગયો તો તે પણ ઘણા દિવસોના
કચરાથી ભરેલું હતું, તેને સાફ કરવા રોકાયો અને દિવસ વીતી
ગયો.....એ સાફસૂફ કરેલું ઝૂંપડું છોડીને ભાઈસાહેબ ચાલ્યા ત્રીજા
ઝૂંપડામાં; ત્યાં પણ એવા જ હાલ...
એ રીતે ૩૬૦ દિવસ સુધી રોજ એકેક ઝૂંપડું સાફ કરી
કરીને થાક્યો, પણ ક્યાંય શાંતિથી રહેવા ન મળ્યું. વર્ષ આખરે
પાછો પહેલા ઝૂંપડામાં આવ્યો, તો તેમાં પણ આખા વરસનો કચરો
ભેગો થઈ ગયેલો – તે સાફ કરવા માંડયો.....એમ ફરીને ચકરાવો
શરુ થયો.
ખરેખર તો તે મનુષ્ય એક રાજા હતો, અને ઉત્તમ
રાજમહેલમાં રહેનારો હતો કે જેમાં કચરો આવે જ નહિ, ઠંડી –
ગરમી પણ ન લાગે; પણ રાજા પોતાના રાજમહેલને ભૂલીને ઝૂંપડે –
ઝૂંપડે ભટકી રહ્યો છે. પોતાના રાજમહેલમાં સ્થિર થઈને રહે તો તેને
કાંઈ ઉપાધિ નથી. સૂના ઘરમાં મફતનો મજુરી કરે છે.....
તેમ મોક્ષમહેલનો વાસી આ ચૈતન્યરાજા નિજઘરને ભૂલીને
શરીરના ઝૂંપડે ઝૂંપડે ભટકી રહ્યો છે. જે શરીરમાં થોડોક કાળ
રહેવાનું થાય તેને જ પોતાનું માનીને સ્નાન – ભોજનાદિ વડે તેને
સાચવવામાં આખી જિંદગી વેડફી નાંખે છે, પણ આત્માની શાંતિ

Page 62 of 237
PDF/HTML Page 75 of 250
single page version

background image
૬૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
માટે વખત લેતો નથી. એક શરીરનું લાલન – પાલન કરે ત્યાં તો
આયુ પૂરું થતાં એકાએક તેને છોડીને બીજા શરીરમાં તેને જવું પડે
છે; પાછો તે બીજા શરીરને પોતાનું માનીને તેની પાછળ જીંદગી
ગુમાવે છે, ને તેને છોડીને ત્રીજા શરીરમાં ચાલ્યો જાય છે; પાછલા
શરીરોને પોષવાની મહેનત તો નકામી ગઈ.....ને શરીર બદલવાનો
ચકરાવો તો ચાલુ જ રહ્યો. (અંતે થાક્યો
!!)
કોઈ હિતેચ્છુએ તેને સમજાવ્યું – બાપુ! આ શરીર ઝૂંપડાનો
રહેવાસી તું નથી, શરીરને ખાતર જીવન ગાળ મા. તું તો
મોક્ષપુરીનો મહારાજા છો, તારો મોક્ષમહેલ તો કચરાના પ્રવેશ
વગરનો અત્યંત સુંદર છે. તેમાં સ્થિર થઈને રહે તો તને મહાન
સુખ થશે.....ને તારે કોઈ ઉપાધિ નહી રહે.
‘‘એ મોક્ષમહેલમાં કેમ જવું? તેનો રસ્તો બતાવો! હા, ચાલો
મારી સાથે! જુઓ, આ ચેતનધ્વજ ફરકી રહ્યો છે તે જ તમારો
મહેલ છે. જ્ઞાનચેતનાનો દોર પકડીને ચાલ્યા આવો. શરીર – વચન
– મન એ ત્રણે બહારના ગઢને ઓળંગીને જ્ઞાનદ્વારે અંદર પ્રવેશ
જ્ઞાન ચેતના
મોક્ષમહેલ

Page 63 of 237
PDF/HTML Page 76 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૩
કરો.....ને ચૌદ પગથિયાની આ સીડીના ચોથા પગથિયા પર પગ
મૂકીને જુઓ કે મહેલમાં શું શું ભર્યું છે
!!
અહા, અહીં તો કોઈ અલૌકિક આનંદ – નિધાન ભર્યા
છે.....જ્ઞાનનો તો પાર નથી, સમ્યક્ત્વરત્નનો મહાન પ્રકાશ સર્વત્ર
અજવાળાં ફેલાવી રહ્યો છે.....શાંતિ તો એવી છે કે જરાય કોલાહલ
નથી. કર્મનો કચરો તો જરાય છે જ નહિ; અપૂર્વ સમતા સર્વત્ર
પ્રસરી રહી છે. મોક્ષમહેલમાં અનંતા સિદ્ધભગવંતોની આટલી બધી
વસ્તી, છતાં ત્યાં ક્લેશ નથી, દુઃખ નથી, કોઈ નાનું – મોટું નથી,
કોઈ અછત નથી, પરમ તૃપ્તિ છે.....બસ, મારે મારા આ
મોક્ષમહેલમાં જલ્દી પહોંચી જવું છે. આ સંસાર સાથે હવે મારે
કાંઈ સંબંધ રાખવો નથી. આ ચેતન – દેહ ઝૂંપડું રહો કે ન રહો,
અમે કાંઈ તેના રહેવાસી નથી.
કુંદકુંદસ્વામી ભાવપ્રાભૃત ગા. ૧૩૨ માં કહે છે કે –
આ શરીરઝૂંપડું વૃદ્ધતા – રોગાગ્નિથી ઝટ બળી જશે,
વળી ઇંદ્રિયો બળહીન થશે, ઝટ સાધી લે નિજઆત્મને.
મને લાગ્યો સંસાર અસાર.....
એ.....રે.....સંસારમાં નહીં રહું.....નહીં રહું.....નહીં રહું રે.
મને લાગ્યું છે સિદ્ધપદ સાર.....
મુક્તિ – મહેલમાં હું ઝટ જાઉં....ઝટ જાઉં.....ઝટ જાઉં રે...
સ્વપદને ઓળખી તેમાં રહેવું તે મુશ્કેલ નથી, સુગમ છે,
પોતાનું જ સ્વરુપ હોવાથી તે સહજ છે. શરીરાદિ પર – પદ
અચેતન જડ, તે રુપે હું છું – એમ પરપદરુપે પોતાને માની –
માનીને અનંતકાળથી થાક્યો, છતાં તે પરપદરુપે થયો નહિ,
ચેતનરુપે જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતુ
નથી. અરે જીવ
! સ્વપદથી બહાર પરપદમાં હજી ક્યાં સુધી તારે

Page 64 of 237
PDF/HTML Page 77 of 250
single page version

background image
૬૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ભટકવું છે!! બસ કર.....બસ કર.....સ્વપદમાં આવ.....સ્વપદમાં
આવ...ને સુખી થા.
હે ચેતનરાજા! નવ – નિધાન પણ દરિદ્ર થઈને તારા ચૈતન્ય
નિધાનની પાછળ ભમે છે; ચક્રવર્તીનાં ચૌદ રત્નો પણ તારા
રત્નત્રયની સેવા કરે છે. આવા તારા નિજવૈભવના
અવલોકનમાત્રથી તું પરમેશ્વર થઈશ.
પરભાવો હું નથી, પણ તેમાં સર્વત્ર જે ચેતનભાવ વસી
રહ્યો છે તે મારું નિજસ્વરુપ છે. ચેતનભાવ અનાદિ – અનંત
એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ
એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. – આ શુદ્ધચેતના
થઈ. કર્મફળ – ચેતના અને કર્મ – ચેતના તે બંને અશુદ્ધ હોવા
છતાં તેમાં પણ ચેતના રહેલી તો છે જ. તે ચેતનાનું ચેતનાપણું
ઓળખતાં રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે, ને
જ્ઞાતા – દ્રષ્ટાસ્વભાવી જીવ અનુભવમાં આવે છે. અહો, એ
અનુભવની શી વાત
!! અતીન્દ્રિય આનંદરુપ એનો પ્રકાશ છે.
જ્ઞાનચેતના શુદ્ધ થતાં હું હવે જાગ્યો.....મોહભાવ ભાગ્યો. હું મારા
સ્વરુપ – હાથી ઉપર આરુઢ થયો. અનુભવમાં આવું વેદન છે પણ
વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી.....આત્મપરિણમન જ તેવું
વર્તે છે. ત્યાં તે પરિણમતો – આત્મા પોતે જ સાધક – સાધ્ય
અભેદ છે, એનાથી બહાર સાધક કે સાધ્ય નથી.
અનુભૂતિમાં દ્રવ્ય – ગુણ – પર્યાય ત્રણેય સ્વભાવજાતિરુપ
થવાથી એકપણે અનુભવાય છે. સ્વભાવ – સંગથી ને સ્વભાવ –
રંગથી સમ્યક્ત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા
સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક પણ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતાને
પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ
કરે છે; થોડોક પણ વીતરાગી આનંદ પૂર્ણ આનંદસ્વભાવને પ્રસિદ્ધ

Page 65 of 237
PDF/HTML Page 78 of 250
single page version

background image
કરે છે. સ્વભાવનો એક અંશ તેવા જ પૂર્ણ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે;
કેમકે તે – તે અંશ, અંશીથી અભેદ છે. અંશી છે તો અંશ છે;
અંશી વગર અંશ કોનો
? નાનકડું જ્ઞાન, તે કાંઈ રાગનો અંશ નથી,
તે પૂર્ણજ્ઞાનનો અંશ છે, પૂર્ણજ્ઞાન જ તે રુપે પરિણમ્યું છે; રાગથી
તો તે જુદું છે. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાણ્યો.
અનાદિથી પરસમયરુપ થતો હતો તે હવે સ્વસમયરુપ પરિણમવા
લાગ્યો. શુદ્ધતત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગવડે થાય
છે.....તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે, – અહા, કેવળજ્ઞાનનો
તે નાનો ભાઈ છે.
✽ ✽ ✽
અથ શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુપ્રત્યે ભક્તિભાવના
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૫
અહોહો કેવળજ્ઞાનને પામેલા
દેવ! તમે મહાન સુંદર છો.....તમને
વ્યક્ત ચેતનારુપ, સર્વગુણ સમ્પન્ન
‘જાણીને’ હું તમારી સેવા કરું છું –
ભક્તિ કરું છું – આદર કરું છું.
મારા ચિત્તમાં તમારા પ્રત્યે પરમ
પ્રીતિ છે. મારું ચિત્ત આપના ગુણમા
જ લાગ્યું છે. બાહ્યમાં પણ આપની મહાન પ્રભાવના ઇચ્છું છું.
અંતરમાં આપનું ધ્યાન, વાણીમાં ગુણવર્ણન, દેહ ચેષ્ટામાં વિનય –
પ્રવર્તન, આપની આજ્ઞાનો પરમ ઉત્સાહ, જરાપણ અવજ્ઞાનો
અભાવ; આપના શુદ્ધસ્વરુપને હું મારા અનંતસુખનું પ્રતિદર્શક જાણું
છું.....મારું અનંતસુખ જોવા માટે જ હું રોજ રોજ આપના દર્શન
કરું છું. મારાં મન – વચન – તન – ધન સર્વકાર્ય આપના

Page 66 of 237
PDF/HTML Page 79 of 250
single page version

background image
૬૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ચરણમાં જ અર્પાયેલા છે.....આ ઇન્દ્રિયઆદિ પ્રાણ તો દુઃખનાં
સાધન છે, જ્યારે આપ તો મને પરમ સુખનાં કારણ છો, તેથી આપ
મને પ્રાણથી પણ અધિક વલ્લભ છો. શુદ્ધસ્વરુપનો અભિલાષી
થઈને હું આપની ભક્તિ કરું છું.
પ્રભો! અતીન્દ્રિય થયા હોવાથી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવા
આપને, સ્થૂલ જીવો ઇન્દ્રિયનો વિષય બનાવવા માગે છે.....તેઓ
આપને સાચા સ્વરુપે ક્યાંથી દેખી શકે
? પ્રભો! મેં તો ઇન્દ્રિયોને
એકકોર મૂકીને અતીન્દ્રિયજ્ઞાનથી આપનું મહાન સ્વરુપ
સાક્ષાત્કારરુપ કરી લીધું છે. મારા જ્ઞાનમાંથી આપ ક્યારેય ખસતાં
નથી. આ બાહ્યચક્ષુ આદિ ઇન્દ્રિયો નહીં હોય તો પણ હું તો
આપનો સાક્ષાત્કાર કર્યા જ કરીશ.....અને તેથી મને મારા
શુદ્ધસ્વરુપનો સાક્ષાત્કાર રહ્યા જ કરશે. કેમકે –
જે જાણતો અરહંતને ચેતનમયી શુદ્ધભાવથી,
તે જાણતો નિજાત્મને, સમ્યક્ત્વ લ્યે આનંદથી.
પ્રભો! આપની વાણી – જિનવાણી પ્રત્યે પણ મને પરમ
ઉત્સાહ આવે છે, કેમકે તે વહાલી માતા અમારા શુદ્ધસ્વરુપના
ગુણગાન સદા અમને સંભળાવ્યા કરે છે, ને શુદ્ધાત્મરસ પીવડાવી

Page 67 of 237
PDF/HTML Page 80 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૭
પીવડાવીને અમારું પોષણ કરે છે. બે નય વડે અમારા બે કાન
પકડીને સદાય જ્ઞાન – વૈરાગ્યમાં અમને જાગૃત રાખે છે. તે
વારંવાર સ્વરુપભાવના કરાવી – કરાવીને સંસારદુઃખથી બીવડાવે
છે ને મોહભાવોમાંથી અમારું રક્ષણ કરીને અમને મોક્ષમાર્ગમાં
સદાય ઉત્સાહિત કરે છે; મોક્ષમાર્ગ અને મોક્ષનું સ્વરુપ તે સદાય
અમને બતાવ્યા કરે છે.
અહો રત્નત્રયધારી શ્રી ગુરુ ભગવાન! ધ્યાનમગ્ન આપની
આ પરમ શાંત મુદ્રા.....વીતરાગતાથી કેવી શોભી રહી છે! તે
વચન બોલ્યા વિના પણ સાક્ષાત્ મોક્ષમાર્ગ ઉપદેશી રહી છે; આપનું
દર્શન એ સાક્ષાત મોક્ષમાર્ગનું જ દર્શન છે. આપના અંતરમાં
ભગવાન વસી રહ્યો છે, આપના શ્રીમુખમાં જિનવાણી વસી રહી
છે, અને રત્નત્રયસ્વરુપ તો સ્વયં આપ પોતે જ છો, તેથી દેવ –
ગુરુ – શાસ્ત્ર – ધર્મ બધુંય આપમાં એકમાં જ સમાઈ જાય છે.
આપ ભવભોગથી સર્વથા ઉદાસ થઈને નિજસ્વરુપની સાધનામાં જ
તત્પર છો.....વારંવાર શુદ્ધોપયોગી થઈ – થઈને જાણે સિદ્ધોના
દેશમાં જઈ આવો છો.....ને પુન: અમને તેડવા માટે પાછા આવો