Page 48 of 237
PDF/HTML Page 61 of 250
single page version
પલટી નાંખ.....‘‘ઊર્ધ્વગમન કર.’’ ઊર્ધ્વ = સિદ્ધાલય.
છે, તે જ તારું વિશ્રામસ્થાન છે.
છું’ એમ સ્વપદને સાધ્યું. ‘હું – હું’ એવી સ્વપદની આસ્તિક્યતા તે
સ્વરુપને સાધવાનું સાધન છે. ‘હું – હું’ એવા તે સ્વપદમાં શરીર
નથી, વચન નથી, રાગ કે દુઃખ પણ નથી, તે પદમાં તો સર્વત્ર
આનંદ અને ચેતના ભરી છે. – વારંવાર આવા સ્વપદને સ્વપદમાં
જ શોધ...પ્રાપ્ત છે તેની તને પ્રાપ્તિ થશે, અનુભૂતિ થશે.....ત્યાં
શક્તિસ્વભાવ વ્યક્તરુપ પોતે જ પરિણમી રહ્યો છે.
રાજાના તેજથી કાયર મનુષ્યો સંગ્રામ કર્યા વગર જ ભાગી જાય છે
અને જેમ સૂર્યના તેજ – પ્રતાપ પાસે અંધકાર પહેલેથી દૂર ભાગી
જાય છે; તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં અપાર સ્વતેજના પ્રકાશથી
સ્ફૂરાયમાન થાય છે ત્યાં પરભાવો તેની સામે ઊભા નથી રહેતા,
લડયા વગર જ ભાગી જાય છે. ચૈતન્યપ્રભુનો પ્રતાપ કોઈ અનેરો
છે.....અનુપમ છે.
Page 49 of 237
PDF/HTML Page 62 of 250
single page version
તારે કોને શોધવું છે તે નક્કી કર.....તો તે તારામાં જ છે,
છું એમ જ્ઞાનમાં નિજભાવની દ્રઢતા તે સમ્યક્ત્વ છે; તે સુગમ છે;
તેમાં ખેદ નથી, વિષમતા નથી. એનાથી જ શિવપદ સધાય છે. માટે
સ્વરુપ – રસનો વારંવાર અભ્યાસ કરો. તમારી શક્તિ અપાર છે.
અરે ચિદાનંદરાજ
રહ્યો છે – તે આશ્ચર્ય ઉપજાવે છે
દેખીને લોટવા લાગે છે તેમ તું તારા સુંદર સ્વરુપમાં લોટવા લાગ.
અત્યાર સુધી તું જેની પાછળ પાગલની જેમ લોટયો – ભટક્યો –
એ તો જડપુદ્ગલ – અચેતનનો ઢગલો છે.....એમ જાણીને
પસ્તાવો કર, ને હવે તારા ચૈતન્યપ્રભુ પાછળ લાગી જા. લોકો ભલે
Page 50 of 237
PDF/HTML Page 63 of 250
single page version
બીજાનું તારે શું કામ છે
આનંદસ્વરુપમાં શાંતિથી બેસી રહેવું – તેમાં જ મજા છે.
તથા ચેતનને ચેતનરુપ દેખો.
અજ્ઞાનના આવરણથી ઢંકાયેલ છતાં આત્માની અંદર ચેતનામાં
ચૈતન્યપ્રકાશનો પૂંજ ભર્યો છે, તે કાંઈ અચેતન થઈ ગયો નથી. ‘હું
ચેતન છું’ એમ ચેતનપણે પોતાનું સંવેદન કરે તો પોતે પોતાથી
જરાય ગુપ્ત નથી.
કરવા છતાં, અરે તેની પાછળ આખું જીવન ગુમાવી દેતાં પણ,
જરાય સુખ તો તને મળતું નથી. સુખનો નિધાન તો તું
છો.....બાપુ
પહેલાં અમે ય તારી જેમ સુખને માટે બહાર ભટકતા હતા; પછી
સંતોએ અમારું સુખનિધાન અમને બતાવ્યું તે પામીને અમે સુખી
થયા.....તું પણ સુખી થા
Page 51 of 237
PDF/HTML Page 64 of 250
single page version
આંખ હોવા છતાં આંધળો થા મા....કૂવામાં પડ મા. રાજા હોવા છતાં
તારી હરામજાદીથી તું ઘરઘરનો ભિખારી થઈને ભટકે છે
ખખડાવી પૂછ્યું – ‘ચાંપો ઘરે છે
તેમ પોતાને ભૂલેલો શિષ્ય શ્રીગુરુ પાસે જઈને પૂછે છે – પ્રભો
Page 52 of 237
PDF/HTML Page 65 of 250
single page version
મટયું.....ભટકવાનું મટયું.....સ્વઘરમાં આવી રહ્યો.
જાણનાર પોતે વર્તમાન અપૂર્વ શુદ્ધતારુપે પરિણમી રહ્યો છે. અનાદિ
અશુદ્ધતાની ધારા તૂટી ને અપૂર્વ શુદ્ધતાનો પ્રવાહ શરુ થયો.
રુપે દેખીને ‘અશુદ્ધઆત્માને જ’ અનુભવતો હતો; હવે બંનેને
સમ્યગ્જ્ઞાનથી જ્યાં ભિન્ન દેખ્યાં ત્યાં ભિન્ન થવાની શરુઆત થઈ,
શુદ્ધ આત્મા અનુભવમાં આવી રહ્યો છે; દ્રવ્ય પર્યાય વિરુદ્ધતા
છોડીને સમભાવી થવા માંડયા છે.
તેવું પરિણમન થાય છે. તેમ આત્મામાં સમજવું. આ ‘સમજણ’ તે જ
શુદ્ધતા.
કારણભાવ છે. બંનેમાં એકતા હોવાથી શુદ્ધતા છે. કારણ –
કાર્યપણે દ્રવ્ય – પર્યાયની સંધિનો આ સમ્યક્સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જ
અનુભવે છે – જાણે છે; તેની શુદ્ધ પરિણતિને આત્મા સિવાય બીજા
બધા સાથેનો કારણ – કાર્ય સંબંધ તૂટી ગયો છે, તેથી નિમિત્તરુપે
પણ તે કર્મ – નોકર્મનો કર્તા નથી. ક્રોધાદિભાવો – કે જેમનો
સંબંધ પર સાથે છે – તે ક્રોધાદિભાવને પણ તે શુદ્ધપરિણતિ કરતી
Page 53 of 237
PDF/HTML Page 66 of 250
single page version
જેમ જેમ શુદ્ધતાનું પરિણમન વધતું જાય છે, તેમ તેમ ક્રોધાદિનું
અસ્તિત્વ મટતું જાય છે. આમ બંને ભાવની અત્યંત ભિન્નતા
પ્રયોગમાં આવી ગઈ છે.
નિજ – ગુણોની મહાનતા દેખીશ તો દોષ તુરત જ ભાગી જશે.
ઓછા થઈને નષ્ટ થઈ જશે, ગુણ કદી એક્કેય ઓછો નહિ થાય.
અજ્ઞાન મટશે, મિથ્યાત્વ મટશે, દુઃખ મટશે, અશાંતિ – ક્રોધનો
અભાવ થશે, શરીર છૂટી જશે, પણ જ્ઞાનગુણ – સમ્યક્ત્વગુણ –
સુખસ્વભાવ – શાંતિસ્વભાવ – શરીરરહિત અમૂર્તસ્વભાવ – તે કદી
નહીં છૂટે; – એ બધાય નિજસ્વભાવ છે. –
Page 54 of 237
PDF/HTML Page 67 of 250
single page version
ગુણનો રસ સર્વગુણને રસબોળ કરી રહ્યો છે : –
સર્વગુણો સત્રુપ છે.
સર્વગુણો ચેતનરુપ છે.
તેના સર્વ ગુણો આનંદરુપ છે.
સર્વગુણો પ્રદેશોરુપ છે.
શકાતો નથી. શ્રદ્ધામાં – સ્વાનુભૂતિમાં સર્વગુણો એકસાથે
અભેદરસપણે આત્મરસરુપે સ્વાદમાં આવે છે.....સર્વગુણોનો
એક સાથે રસ આવતો હોવાથી તે આત્મરસનો સ્વાદ મહા
સુંદર છે. (તેમાં વિકલ્પરુપ આકુળતા નથી.)
‘સત્તા’ જો સત્તાગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં સત્તા ન
ચેતના ન હોય તો બીજા ગુણો અચેતન – જડ ઠરે.
Page 55 of 237
PDF/HTML Page 68 of 250
single page version
નીરસ ઠરે.
હોય તો બીજા ગુણો આકાર વગરના ઠરે. માટે એકેક
ગુણદ્વારા સર્વગુણસમ્પન્ન આખી વસ્તુને જ દેખવી.
અનુભવનો મહિમા કોણ કહી શકે
સ્વાદ આવે છે. ‘આવો હું છું’ – એવા સમ્યક્ નિશ્ચયનું બળ પણ
એવું મહાન છે કે મોક્ષને અહીં ખેંચી લાવે છે.
૩. અનાત્મ – સંગ છોડી, ‘અનુભવી – આત્માનું’ નિમિત્ત લે,
૫. મોક્ષનગરીની વીતરાગી સડક સંતોએ ચાલીને કંટકરહિત કરી
Page 56 of 237
PDF/HTML Page 69 of 250
single page version
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો
હાથમાં આવ્યું છે ને તને તેમાં રસ આવ્યો છે.....તો તે
રસનું ઘોલન નીકટમાં જ તને સ્વાનુભૂતિનું કારણ થશે.
– હા, તેમાં એકવાર કોઈપણ આત્મજ્ઞાનીના સીધા
માર્ગદર્શનની અપેક્ષા તો ખરી જ. પણ તું મુંઝાઈશ
મા.....અત્યારેય ભરતક્ષેત્રમાં અનેક આત્મજ્ઞાની જીવો
વિદ્યમાન છે, ને પંચમકાળના છેડા સુધી અવિચ્છિન્નપણે
રહેવાના છે. તું તૈયાર થા.....એટલે બધુંય તૈયાર છે.
Page 57 of 237
PDF/HTML Page 70 of 250
single page version
કરીને દોડે છે
Page 58 of 237
PDF/HTML Page 71 of 250
single page version
આવતો નથી, તો કલ્પના કરો કે ઉપયોગને તે સ્વરુપમાં કેટલી બધી
મજા આવતી હશે
કોઈએ પૂછ્યું : તમે શું કરો છો
– તો આ જવાબ કોણ આપે છે
– તો તમે જીવતા છો કે મરેલા
તેમ જીવને ભ્રમણા થઈ ગઈ હતી કે ‘હું અચેતન – શરીર છું.’
કોઈએ તેને પૂછ્યું : તમે કોણ છો
– તો આ શરીરને કોણ જાણે છે
– તો જાણનારા તમે ચેતન છો કે અચેતન
Page 59 of 237
PDF/HTML Page 72 of 250
single page version
છે તે બધી શક્તિ તારી અશુદ્ધતા પાસેથી જ મળી છે. તું તારામાં
અશુદ્ધતા ન કર તો જડ કર્મોમાં તો કાંઈ જ શક્તિ રહેતી નથી.
બિચારા વેરવિખેર થઈ જાય છે.
મહિમાવંત શુદ્ધપદ પોતાની પાસે છે; તો તેની ભાવના કેમ ન
ભાવીએ
પછી દિવ્યધ્વનિની કોઈ વાત તારાથી ગુપ્ત નહીં રહે. આવો
આતમરસ એ જ મોક્ષમાર્ગી સંતોનું ચિહ્ન છે.
આવે, ઓળખતાં સ્વાદ આવે. વારંવાર કહેવા છતાં, હે જીવ
ઉપાસક થઈને આટલું પણ કાર્ય નથી કરતો. એ અચરજની વાત
છે
તો રત્નત્રયના ચૈતન્યશણગાર શોભે; જડ – શણગાર એને ન
Page 60 of 237
PDF/HTML Page 73 of 250
single page version
સ્વાનુભૂતિના વિલાસથી તારી શોભા છે.
એમાંથી નહિ મળે.
છે તે જોઈ લે.....પછી દેહ સાથે ભાઈબંધીનો વિચાર પણ તને નહિ
આવે. વિષ્ટાનો ખજાનો જેમાં ભર્યો છે એવા દેહ સાથે સંબંધ
રાખવામાં તમારું શું મહંતપણું છે
તમારી મોટાઈ છે, તેને તમે ગ્રહણ કરો. તમે દરિદ્રી નથી – કે
બીજા પાસે સુખની ભીખ માંગો છો
અનંતગુણની મહાન પ્રજાના તમે રાજા છો.....તમને તે સુખ
આપશે. માટે તે તમારા સ્વાધીન રાજપદને ભોગવો.
વિષયકષાયરુપ ચોરને તમારા રાજમાં આવવા ન દ્યો. તમારો
રાજવૈભવ કેવો અદ્ભુત છે
Page 61 of 237
PDF/HTML Page 74 of 250
single page version
જે ઝૂંપડામાં રહેવાનું હોય તે ઝૂંપડાને વાળી – ચોળી સાફસૂફ
કરવા રોકાય; હજી પૂરું સાફ ન કરે ત્યાં તો દિવસ પૂરો થઈ જાય
ને બીજા ઝૂંપડામાં જવાનું થાય. એટલે ઝૂંપડું સાફ કરવાની મહેનત
તો નકામી ગઈ. બીજા ઝૂંપડામાં ગયો તો તે પણ ઘણા દિવસોના
કચરાથી ભરેલું હતું, તેને સાફ કરવા રોકાયો અને દિવસ વીતી
ગયો.....એ સાફસૂફ કરેલું ઝૂંપડું છોડીને ભાઈસાહેબ ચાલ્યા ત્રીજા
ઝૂંપડામાં; ત્યાં પણ એવા જ હાલ...
પાછો પહેલા ઝૂંપડામાં આવ્યો, તો તેમાં પણ આખા વરસનો કચરો
ભેગો થઈ ગયેલો – તે સાફ કરવા માંડયો.....એમ ફરીને ચકરાવો
શરુ થયો.
ગરમી પણ ન લાગે; પણ રાજા પોતાના રાજમહેલને ભૂલીને ઝૂંપડે –
ઝૂંપડે ભટકી રહ્યો છે. પોતાના રાજમહેલમાં સ્થિર થઈને રહે તો તેને
કાંઈ ઉપાધિ નથી. સૂના ઘરમાં મફતનો મજુરી કરે છે.....
રહેવાનું થાય તેને જ પોતાનું માનીને સ્નાન – ભોજનાદિ વડે તેને
સાચવવામાં આખી જિંદગી વેડફી નાંખે છે, પણ આત્માની શાંતિ
Page 62 of 237
PDF/HTML Page 75 of 250
single page version
આયુ પૂરું થતાં એકાએક તેને છોડીને બીજા શરીરમાં તેને જવું પડે
છે; પાછો તે બીજા શરીરને પોતાનું માનીને તેની પાછળ જીંદગી
ગુમાવે છે, ને તેને છોડીને ત્રીજા શરીરમાં ચાલ્યો જાય છે; પાછલા
શરીરોને પોષવાની મહેનત તો નકામી ગઈ.....ને શરીર બદલવાનો
ચકરાવો તો ચાલુ જ રહ્યો. (અંતે થાક્યો
મોક્ષપુરીનો મહારાજા છો, તારો મોક્ષમહેલ તો કચરાના પ્રવેશ
વગરનો અત્યંત સુંદર છે. તેમાં સ્થિર થઈને રહે તો તને મહાન
સુખ થશે.....ને તારે કોઈ ઉપાધિ નહી રહે.
– મન એ ત્રણે બહારના ગઢને ઓળંગીને જ્ઞાનદ્વારે અંદર પ્રવેશ
Page 63 of 237
PDF/HTML Page 76 of 250
single page version
મૂકીને જુઓ કે મહેલમાં શું શું ભર્યું છે
અજવાળાં ફેલાવી રહ્યો છે.....શાંતિ તો એવી છે કે જરાય કોલાહલ
નથી. કર્મનો કચરો તો જરાય છે જ નહિ; અપૂર્વ સમતા સર્વત્ર
પ્રસરી રહી છે. મોક્ષમહેલમાં અનંતા સિદ્ધભગવંતોની આટલી બધી
વસ્તી, છતાં ત્યાં ક્લેશ નથી, દુઃખ નથી, કોઈ નાનું – મોટું નથી,
કોઈ અછત નથી, પરમ તૃપ્તિ છે.....બસ, મારે મારા આ
મોક્ષમહેલમાં જલ્દી પહોંચી જવું છે. આ સંસાર સાથે હવે મારે
કાંઈ સંબંધ રાખવો નથી. આ ચેતન – દેહ ઝૂંપડું રહો કે ન રહો,
અમે કાંઈ તેના રહેવાસી નથી.
વળી ઇંદ્રિયો બળહીન થશે, ઝટ સાધી લે નિજઆત્મને.
એ.....રે.....સંસારમાં નહીં રહું.....નહીં રહું.....નહીં રહું રે.
મને લાગ્યું છે સિદ્ધપદ સાર.....
મુક્તિ – મહેલમાં હું ઝટ જાઉં....ઝટ જાઉં.....ઝટ જાઉં રે...
અચેતન જડ, તે રુપે હું છું – એમ પરપદરુપે પોતાને માની –
માનીને અનંતકાળથી થાક્યો, છતાં તે પરપદરુપે થયો નહિ,
ચેતનરુપે જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતુ
નથી. અરે જીવ
Page 64 of 237
PDF/HTML Page 77 of 250
single page version
રત્નત્રયની સેવા કરે છે. આવા તારા નિજવૈભવના
અવલોકનમાત્રથી તું પરમેશ્વર થઈશ.
એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ
એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. – આ શુદ્ધચેતના
થઈ. કર્મફળ – ચેતના અને કર્મ – ચેતના તે બંને અશુદ્ધ હોવા
છતાં તેમાં પણ ચેતના રહેલી તો છે જ. તે ચેતનાનું ચેતનાપણું
ઓળખતાં રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે, ને
જ્ઞાતા – દ્રષ્ટાસ્વભાવી જીવ અનુભવમાં આવે છે. અહો, એ
અનુભવની શી વાત
સ્વરુપ – હાથી ઉપર આરુઢ થયો. અનુભવમાં આવું વેદન છે પણ
વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી.....આત્મપરિણમન જ તેવું
વર્તે છે. ત્યાં તે પરિણમતો – આત્મા પોતે જ સાધક – સાધ્ય
અભેદ છે, એનાથી બહાર સાધક કે સાધ્ય નથી.
રંગથી સમ્યક્ત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા
સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક પણ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતાને
પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ
કરે છે; થોડોક પણ વીતરાગી આનંદ પૂર્ણ આનંદસ્વભાવને પ્રસિદ્ધ
Page 65 of 237
PDF/HTML Page 78 of 250
single page version
કેમકે તે – તે અંશ, અંશીથી અભેદ છે. અંશી છે તો અંશ છે;
અંશી વગર અંશ કોનો
તો તે જુદું છે. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાણ્યો.
અનાદિથી પરસમયરુપ થતો હતો તે હવે સ્વસમયરુપ પરિણમવા
લાગ્યો. શુદ્ધતત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગવડે થાય
છે.....તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે, – અહા, કેવળજ્ઞાનનો
તે નાનો ભાઈ છે.
‘જાણીને’ હું તમારી સેવા કરું છું –
ભક્તિ કરું છું – આદર કરું છું.
મારા ચિત્તમાં તમારા પ્રત્યે પરમ
પ્રીતિ છે. મારું ચિત્ત આપના ગુણમા
અંતરમાં આપનું ધ્યાન, વાણીમાં ગુણવર્ણન, દેહ ચેષ્ટામાં વિનય –
પ્રવર્તન, આપની આજ્ઞાનો પરમ ઉત્સાહ, જરાપણ અવજ્ઞાનો
અભાવ; આપના શુદ્ધસ્વરુપને હું મારા અનંતસુખનું પ્રતિદર્શક જાણું
છું.....મારું અનંતસુખ જોવા માટે જ હું રોજ રોજ આપના દર્શન
કરું છું. મારાં મન – વચન – તન – ધન સર્વકાર્ય આપના
Page 66 of 237
PDF/HTML Page 79 of 250
single page version
સાધન છે, જ્યારે આપ તો મને પરમ સુખનાં કારણ છો, તેથી આપ
મને પ્રાણથી પણ અધિક વલ્લભ છો. શુદ્ધસ્વરુપનો અભિલાષી
થઈને હું આપની ભક્તિ કરું છું.
આપને સાચા સ્વરુપે ક્યાંથી દેખી શકે
સાક્ષાત્કારરુપ કરી લીધું છે. મારા જ્ઞાનમાંથી આપ ક્યારેય ખસતાં
નથી. આ બાહ્યચક્ષુ આદિ ઇન્દ્રિયો નહીં હોય તો પણ હું તો
આપનો સાક્ષાત્કાર કર્યા જ કરીશ.....અને તેથી મને મારા
શુદ્ધસ્વરુપનો સાક્ષાત્કાર રહ્યા જ કરશે. કેમકે –
તે જાણતો નિજાત્મને, સમ્યક્ત્વ લ્યે આનંદથી.
ગુણગાન સદા અમને સંભળાવ્યા કરે છે, ને શુદ્ધાત્મરસ પીવડાવી
Page 67 of 237
PDF/HTML Page 80 of 250
single page version
પકડીને સદાય જ્ઞાન – વૈરાગ્યમાં અમને જાગૃત રાખે છે. તે
વારંવાર સ્વરુપભાવના કરાવી – કરાવીને સંસારદુઃખથી બીવડાવે
છે ને મોહભાવોમાંથી અમારું રક્ષણ કરીને અમને મોક્ષમાર્ગમાં
સદાય ઉત્સાહિત કરે છે; મોક્ષમાર્ગ અને મોક્ષનું સ્વરુપ તે સદાય
અમને બતાવ્યા કરે છે.
દર્શન એ સાક્ષાત મોક્ષમાર્ગનું જ દર્શન છે. આપના અંતરમાં
ભગવાન વસી રહ્યો છે, આપના શ્રીમુખમાં જિનવાણી વસી રહી
છે, અને રત્નત્રયસ્વરુપ તો સ્વયં આપ પોતે જ છો, તેથી દેવ –
ગુરુ – શાસ્ત્ર – ધર્મ બધુંય આપમાં એકમાં જ સમાઈ જાય છે.
આપ ભવભોગથી સર્વથા ઉદાસ થઈને નિજસ્વરુપની સાધનામાં જ
તત્પર છો.....વારંવાર શુદ્ધોપયોગી થઈ – થઈને જાણે સિદ્ધોના
દેશમાં જઈ આવો છો.....ને પુન: અમને તેડવા માટે પાછા આવો