Padmanandi Panchvinshati (Gujarati). 6. Upasak Sanskar; Shlok: 1-62 (6. Upasak Sanskar),1 (7. Deshvratodhyotan),2 (7. Deshvratodhyotan),3 (7. Deshvratodhyotan),4 (7. Deshvratodhyotan); 7. Deshvratodhyotan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 21

 

Page 175 of 378
PDF/HTML Page 201 of 404
single page version

background image
૬. ઉપાસક સંસ્કાર
[ ६. उपासक संस्कार ]
(अनुष्टुभ् )
आद्यो जिनो नृपः श्रेयान् व्रतदानादिपुरुषौ
एतदन्योन्यसंबन्धे धर्मस्थितिरभूदिह ।।।।
અનુવાદ : આદિ જિન અર્થાત્ ૠષભ જિનેન્દ્ર અને શ્રેયાંસ રાજા આ બન્ને
ક્રમપૂર્વક વ્રતવિધિ અને દાનવિધિના આદિ પ્રવર્તક પુરુષ છે અર્થાત્ વ્રતોનો પ્રચાર
‘સર્વ પ્રથમ ૠષભ જિનેન્દ્ર દ્વારા શરૂ થયો અને દાનવિધિનો પ્રચાર રાજા શ્રેયાંસથી
શરૂ થયો. એમનો પરસ્પર સંબંધ થતાં અહીં ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ. ૧.
(अनुष्टुभ् )
सम्यग्द्रग्बोधचारित्रत्रितयं धर्म उच्यते
मुक्तेः पन्थाः स एव स्यात् प्रमाणपरिनिष्ठितः ।।।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેને ધર્મ
કહેવામાં આવે છે તથા તે જ મુક્તિનો માર્ગ છે જે પ્રમાણથી સિદ્ધ છે. ૨.
(अनुष्टुभ् )
रत्नत्रयात्मके मार्गे संचरन्ति न ये जनाः
तेषां मोक्षपदं दूरं भवेद्दीर्घतरो भवः ।।।।
અનુવાદ : જે જીવ રત્નત્રયસ્વરૂપ આ મોક્ષમાર્ગમાં સંચાર કરતા નથી તેમને
મોક્ષસ્થાન તો દૂર અને સંસાર અતિશય દીર્ઘ થઈ જાય છે. ૩.



Page 176 of 378
PDF/HTML Page 202 of 404
single page version

background image
(अनुष्टुभ् )
सम्पूर्णदेशभेदाभ्यां स च धर्मो द्विधा भवेत्
आद्ये भेदे च निर्ग्रन्थाः द्वितीये गृहिणः स्थिताः ।।।।
અનુવાદ : તે ધર્મ સંપૂર્ણ ધર્મ અને દેશધર્મના ભેદથી બે પ્રકારનો છે. આમાંથી
પ્રથમ ભેદમાં દિગંબર મુનિ અને બીજા ભેદમાં ગૃહસ્થ સ્થિત હોય છે. ૪.
(अनुष्टुभ् )
संप्रत्यपि प्रवर्तेत धर्मस्तेनैव वर्त्मना
तेने तेऽपि च गण्यन्ते गृहस्था धर्महेतवः ।।।।
અનુવાદ : વર્તમાનમાં પણ તે રત્નત્રયસ્વરૂપ ધર્મની પ્રવૃત્તિ તે જ માર્ગે અર્થાત્
પૂર્ણધર્મ અને દેશધર્મ સ્વરૂપે થઈ રહી છે. તેથી તે ગૃહસ્થ પણ ધર્મનું કારણ ગણાય
છે. ૫.
(अनुष्टुभ् )
संप्रत्यत्र कलौ काले जिनगेहे मुनिस्थितिः
धर्मश्च दानमित्येषां श्रावका मूलकारणम् ।।।।
અનુવાદ : અત્યારે અહીં આ કળિકાળ અર્થાત્ પંચમકાળમાં મુનિઓનો નિવાસ
જિનાલયોમાં થઈ રહ્યો છે અને તેમના જ નિમિત્તે ધર્મ અને દાનની પ્રવૃત્તિ છે. આ રીતે
મુનિઓની સ્થિતિ, ધર્મ અને દાન આ ત્રણેયનું મૂળકારણ ગૃહસ્થ શ્રાવક છે. ૬.
(अनुष्टुभ् )
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः
दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ।।।।
અનુવાદ : જિનપૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ અને તપ આ છ કર્મ
ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે અર્થાત્ તે તેમના આવશ્યક કાર્ય છે. ૭.
(अनुष्टुभ् )
समता सर्वभूतेषु संयमे शुभभावना
आर्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।।।।

Page 177 of 378
PDF/HTML Page 203 of 404
single page version

background image
અનુવાદ : સર્વ પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ ધારણ કરવો, સંયમના
વિષયમાં શુભ વિચાર રાખવો અને આર્ત તથા રૌદ્ર ધ્યાનોનો ત્યાગ કરવો, એને
સામાયિકવ્રત માનવામાં આવે છે. ૮.
(अनुष्टुभ् )
सामायिकं न जायेत व्यसनम्लानचेतसः
श्रावकेन ततः साक्षात्त्याज्यं व्यसनसप्तकम् ।।।।
અનુવાદ : જેમનું ચિત્ત જુગાર વગેરે વ્યસનોથી મલિન થઈ રહ્યું હોય તેને
ઉપર્યુક્ત સામાયિકની સંભાવના નથી. તેથી શ્રાવકે સાક્ષાત્ તે સાત વ્યસનોનો
પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. ૯.
(अनुष्टुभ् )
द्यूतमांससुरावेश्याखेटचौर्यपराङ्गनाः
महापापानि सप्तैव व्यसनानि त्यजेद् बुधः ।।१०।।
અનુવાદ : જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી આ સાતે
ય વ્યસન મહાપાપસ્વરૂપ છે. વિવેકી મનુષ્યે એમનો ત્યાગ કરવો જોઈએ. ૧૦.
(अनुष्टुभ् )
धर्मार्थिनो ऽपि लोकस्य चेदस्ति व्यसनाश्रयः
जायते न ततः सापि धर्मान्वेषणयोग्यता ।।११।।
અનુવાદ : ધર્માભિલાષી મનુષ્ય પણ જો તે વ્યસનોનો આશ્રય લે છે તે
એનાથી તેને તે ધર્મ શોધવાની યોગ્યતા પણ ઉત્પન્ન થતી નથી. ૧૧.
(अनुष्टुभ् )
सप्तैव नरकाणि स्युस्तैरेकैकं निरूपितम्
आकर्षयन्नृणामेतद्वयसनं स्वसमृद्धये ।।१२।।
અનુવાદ : નરક સાત જ છે. તેમણે જાણે પોતાની સમૃદ્ધિ માટે મનુષ્યોને
આકર્ષિત કરનાર આ એક એક વ્યસનને નિયુક્ત કર્યું છે. ૧૨.

Page 178 of 378
PDF/HTML Page 204 of 404
single page version

background image
(अनुष्टुभ् )
धर्मशत्रुविनाशार्थं पापाख्यकुपतेरिह
सप्ताङ्गं बलवद्राज्यं सप्तभिर्व्यसनैः कृतम् ।।१३।।
અનુવાદ : આ સાત વ્યસનોએ જાણે ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પાપ
નામથી પ્રસિદ્ધ નિકૃષ્ટ (હલકા) રાજાના સાત રાજ્યાંગો (રાજા, મંત્રી, મિત્ર, ખજાનો,
દેશ, દુર્ગ અને સૈન્ય) થી યુક્ત રાજ્યને બળવાન કર્યું છે.
વિશેષાર્થ : અભિપ્રાય એનો એ છે કે આ વ્યસનોના નિમિત્તે ધર્મનો તો હ્રાસ (નાશ)
થાય છે અને પાપ વધે છે. અહીં ગ્રન્થકર્તાએ આ ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે પાપરૂપી રાજાએ પોતાના
ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પોતાના રાજ્યને આ સાત વ્યસનોરૂપ સાત રાજ્યાંગોથી જ સુસજ્જ
કરી લીધું છે. ૧૩.
(अनुष्टुभ् )
प्रपश्यन्ति जिनं भक्त्या पूजयन्ति स्तुवन्ति ये
ते च द्रश्याश्च पूज्याश्च स्तुत्याश्च भुवनत्रये ।।१४।।
અનુવાદ : જે ભવ્ય પ્રાણી ભક્તિથી જિન ભગવાનના દર્શન, પૂજન અને
સ્તુતિ કરતા રહે છે તે ત્રણે લોકમાં પોતે જ દર્શન, પૂજન અને સ્તુતિ યોગ્ય બની
જાય છે. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ૧૪.
(अनुष्टुभ् )
ये जिनेन्द्रं न पश्यन्ति पूजयन्ति स्तुवन्ति न
निष्फलं जीवितं तेषां तेषां धिक् च गृहाश्रमम् ।।१५।।
અનુવાદ : જે જીવ ભક્તિથી જિનેન્દ્ર ભગવાનના ન દર્શન કરે છે, ન પૂજન
કરે છે અને ન સ્તુતિ પણ કરે છે તેમનું જીવન નિષ્ફળ છે; તથા તેમના ગૃહસ્થાશ્રમને
ધિક્કાર છે. ૧૫.
(अनुष्टुभ् )
प्रातरुत्थाय कर्तव्यं देवतागुरुदर्शनम्
भक्त्या तद्वन्दना कार्या धर्मश्रुतिरुपासकैः ।।१६।।

Page 179 of 378
PDF/HTML Page 205 of 404
single page version

background image
અનુવાદ : શ્રાવકોએ પ્રાતઃકાળે ઉઠીને ભક્તિથી જિનેન્દ્રદેવ તથા નિર્ગ્રન્થ
ગુરુના દર્શન અને તેમની વંદના કરીને ધર્મશ્રવણ કરવું જોઈએ. ૧૬.
(अनुष्टुभ् )
पश्चादन्यानि कार्याणि कर्तव्यानि यतो बुधैः
धर्मार्थकाममोक्षाणामादौ धर्मः प्रकीर्तितः ।।१७।।
અનુવાદ : ત્યાર પછી અન્ય કાર્ય કરવા જોઈએ, કેમ કે વિદ્વાન પુરુષોએ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં ધર્મને પ્રથમ બતાવ્યો છે. ૧૭.
(अनुष्टुभ् )
गुरोरेव प्रसादेन लभ्यते ज्ञानलोचनम्
समस्तं द्रश्यते येन हस्तरेखेव निस्तुषम् ।।१८।।
અનુવાદ : ગુરુની જ પ્રસન્નતાથી તે જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપી નેત્ર પ્રાપ્ત થાય
છે કે જેના દ્વારા સમસ્ત જગત્ હાથની રેખા સમાન સ્પષ્ટપણે દેખાય છે. ૧૮.
(अनुष्टुभ् )
ये गुरुं नैव मन्यन्ते तदुपास्तिं न कुर्वते
अन्धकारो भवेत्तेषामुदिते ऽपि दिवाकरे ।।१९।।
અનુવાદ : જે અજ્ઞાની જન ન તો ગુરુને માને છે અને ન તેની ઉપાસના
ય કરે છે તેમને માટે સૂર્યનો ઉદય હોવા છતાં પણ અંધકાર જેવું જ છે.
વિશેષાર્થ : એ ઉપર કહેવામાં આવી ગયું છે કે જ્ઞાનની પ્રાપ્તિ ગુરુના જ પ્રસાદથી
થાય છે. તેથી જે મનુષ્ય આદરપૂર્વક ગુરુની સેવાશુશ્રૂષા નથી કરતા તે અલ્પજ્ઞાની જ રહે છે.
તેમનું અજ્ઞાન સૂર્યનો પ્રકાશ પણ દૂર નથી કરી શકતો. કારણ કે તે તો કેવળ સીમિત બાહ્ય પદાર્થોના
અવલોકનમાં સહાયક થઈ શકે છે, નહિ કે આત્માવલોકનમાં. આત્માવલોકનમાં તો કેવળ ગુરુના
નિમિત્તે પ્રાપ્ત થયેલું અધ્યાત્મજ્ઞાન જ સહાયક થાય છે. ૧૯.
(अनुष्टुभ् )
ये पठन्ति न सच्छास्त्रं सद्गुरुप्रकटीकृतम्
तेऽन्धाः सचक्षुषोऽपीह संभाव्यन्ते मनीषिभिः ।।२०।।

Page 180 of 378
PDF/HTML Page 206 of 404
single page version

background image
અનુવાદ : જે મનુષ્યો ઉત્તમ ગુરુ દ્વારા પ્રરૂપિત સમીચીન શાસ્ત્ર વાંચતા નથી
તેમને બુદ્ધિમાન મનુષ્ય બન્ને આંખોવાળા હોવા છતાં આંધળા સમજે છે. ૨૦.
(अनुष्टुभ् )
मन्ये न प्रायशस्तेषां कर्णाश्च हृदयानि च
यैरभ्यासे गुरोः शास्त्रं न श्रुतं नावधारितम् ।।२१।।
અનુવાદ : જેમણે ગુરુની સમીપે ન શાસ્ત્ર સાંભળ્યું છે અને ન તેને હૃદયમાં
ધારણ પણ કર્યું છે તેમને ઘણું કરીને ન તો કાન છે અને ન હૃદય પણ છે, એમ
હું સમજું છું.
વિશેષાર્થ : કાનનો સદુપયોગ એમાં જ છે કે તેમના દ્વારા શાસ્ત્રોનું શ્રવણ કરવામાં
આવેતેનાથી સદુપદેશ સાંભળવામાં આવે. તથા મનના લાભનો પણ એ જ સદુપયોગ છે કે તેના
દ્વારા સાંભળેલા શાસ્ત્રનું ચિન્તન કરાયતેનું રહસ્ય ધારણ કરાય. તેથી જે પ્રાણી કાન અને મન
મેળવીને પણ તેમને શાસ્ત્રના વિષયમાં જોડતા નથી તેમના તે કાન અને મન નિષ્ફળ જ છે. ૨૧.
(अनुष्टुभ् )
देशव्रतानुसारेण संयमो ऽपि निषेव्यते
गृहस्थैर्येन तेनैव जायते फलवद्व्रतम् ।।२२।।
અનુવાદ : શ્રાવક જો દેશવ્રત અનુસાર ઇન્દ્રિયોના નિગ્રહ અને
પ્રાણીદયારૂપ સંયમનું પણ સેવન કરે છે તો તેનાથી તેમનું તે વ્રત (દેશવ્રત) સફળ
થઈ જાય છે. અભિપ્રાય એ છે કે દેશવ્રતના પરિપાલનની સફળતા એમાં જ
છે કે તેના પછી પૂર્ણ સંયમ પણ ધારણ કરવામાં આવે. ૨૨.
(अनुष्टुभ् )
त्याज्यं मांसं च मद्यं च मधूदुम्बरपञ्चकम्
अष्टौ मूलगुणाः प्रोक्ताः गृहिणो द्रष्टिपूर्वकाः ।।२३।।
અનુવાદ : માંસ, મદ્ય, મધ અને પાંચ ઉદુમ્બર ફળ (ઉમરડો, કઠુમર, પાકર,
વડ અને પીપળો) નો ત્યાગ કરવો જોઈએ. સમ્યગ્દર્શન સાથે આ આઠ શ્રાવકના
મૂળગુણ કહેવામાં આવે છે.
વિશેષાર્થ : મૂળ શબ્દનો અર્થ જડ થાય છે. જે વૃક્ષના મૂળિયાં ખૂબ ઊંડા અને બળવાન

Page 181 of 378
PDF/HTML Page 207 of 404
single page version

background image
હોય છે તેમની સ્થિતિ ઘણા સમય સુધી રહે છે. પરંતુ જેનાં મૂળિયાં વધારે ઊંડા અને બળવાન
હોતા નથી તેમની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકતી નથી.
તે આંધી આદિ દ્વારા તરત જ ઉખાડી
નખાય છે. બરાબર એ જ રીતે આ ગુણો વિના શ્રાવકના ઉત્તર ગુણો (અણુવ્રતાદિ)ની સ્થિતિ પણ
દ્રઢ રહેતી નથી તેથી આ શ્રાવકના મૂળગુણ કહેવાય છે. એમની શરૂઆતમાં સમ્યગ્દર્શન અવશ્ય
હોવું જોઈએ, કેમકે તેના વિના ઘણું કરીને વ્રત આદિ બધું નિષ્ફળ જ રહે છે. ૨૩.
(अनुष्टुभ् )
अणुव्रतानि पञ्चैव त्रिप्रकारं गुणव्रतम्
शिक्षाव्रतानि चत्वारि द्वादशेति गृहिव्रते ।।२४।।
અનુવાદ : ગૃહિવ્રત અર્થાત્ દેશવ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
શિક્ષાવ્રત; આ રીતે બાર વ્રત હોય છે.
વિશેષાર્થ : હિંસા, અસત્ય વચન, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ સ્થૂળ
પાપોનો પરિત્યાગ કરવો; તેને અણુવ્રત કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારના છે.
અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણાણુવ્રત. મન,
વચન અને કાયા દ્વારા કૃત, કારિત અને અનુમોદનારૂપે (નવ પ્રકારે) જે સંકલ્પપૂર્વક ત્રસ
જીવોની હિંસાનો પરિત્યાગ કરવામાં આવે છે તેને અહિંસાણુવ્રત કહે છે. સ્થૂળ અસત્ય વચન
સ્વયં ન બોલવું, બીજાને એ માટે પ્રેરિત ન કરવા તથા જે સત્ય વચનથી બીજા વિપત્તિમાં
પડતા હોય એવા સત્ય વચન પણ ન બોલવા, તેને સત્યાણુવ્રત કહે છે. મૂકેલું, પડેલું અથવા
ભુલાઈ ગયેલું પરધન આપ્યા વિના લેવું નહિ તે અચૌર્યાણુવ્રત કહેવાય છે. પરસ્ત્રી સાથે ન
તો પોતે સંબંધ રાખવો અને ન બીજાને પણ એ માટે પ્રેરિત કરવા, તેને બ્રહ્મચર્યાણુવ્રત
અથવા સ્વદારસંતોષ વ્રત કહેવાય છે. ધન
ધાન્યાદિ પરિગ્રહનું પ્રમાણ કરીને તેનાથી અધિકની
ઇચ્છા ન કરવી, તેને પરિગ્રહપરિમાણાણુવ્રત કહે છે. ગુણવ્રત ત્રણ છેદિગ્વ્રત, અનર્થદંડવ્રત
અને ભોગોપભોગપરિમાણવ્રત. પૂર્વાદિ દશ દિશાઓમાં પ્રસિદ્ધ કોઈ સમુદ્ર, નદી, વન અને
પર્વત આદિની મર્યાદા કરીને તેની બહાર ન જવાનો મરણ પર્યન્ત નિયમ કરી લેવો તેને
દિગ્વ્રત કહેવાય છે. જે કામોથી કોઈ પ્રકારનો લાભ ન થતાં કેવળ પાપ જ ઉત્પન્ન થાય
છે તે અનર્થદંડ કહેવાય છે. અને તેના ત્યાગને અનર્થદંડવ્રત કહેવાય છે. જે વસ્તુ એક જ
વાર ભોગવવામાં આવે છે તે ભોગ કહેવાય છે
જેમ કે, ભોજનાદિ. તથા જે વસ્તુ એકવાર
ભોગવીને ફરીવાર પણ ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહેવાય છેજેમ કે વસ્ત્રાદિ. આ
ભોગ અને ઉપભોગરૂપ ઇન્દ્રિયવિષયોનું પ્રમાણ કરીને અધિકની ઇચ્છા ન કરવી, તેને
ભોગોપભોગપરિમાણ વ્રત કહે છે. આ ત્રણે વ્રત મૂળગુણોની વૃદ્ધિનાં કારણ છે, તેથી એમને
ગુણવ્રત કહેવામાં આવે છે. દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર

Page 182 of 378
PDF/HTML Page 208 of 404
single page version

background image
શિક્ષાવ્રત છે. દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર પણ કેટલાક સમય માટે કોઈ ઘર, ગામ અને
નગર આદિની મર્યાદા કરીને તેની અંદર જ રહેવાનો નિયમ કરવો તે દેશાવકાશિક વ્રત
કહેવાય છે. નિશ્ચિત સમય સુધી પાંચે પાપોનો પૂર્ણરૂપે ત્યાગ કરવો તેને સામાયિક કહે છે.
આ સામાયિક જિનચૈત્યાલયાદિ રૂપ કોઈ નિર્બાધ એકાન્ત સ્થાનમાં કરવામાં આવે છે.
સામાયિકમાં સ્થિર થઈને એમ વિચાર કરવો જોઈએ કે જે સંસારમાં રહું છું તે અશરણ
છે, અશુભ છે, અનિત્ય છે, દુઃખસ્વરૂપ છે તથા આત્મસ્વરૂપથી ભિન્ન છે. પરંતુ એનાથી
વિપરીત મોક્ષ શરણ છે, નિત્ય છે, નિરાકુળ સુખસ્વરૂપ છે અને આત્મસ્વરૂપથી અભિન્ન
છે; ઇત્યાદિ. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે અન્ન, પાન (દૂધ આદિ), ખાદ્ય (લાડુ
પેંડા
આદિ) અને લેહ્ય (ચાટવા યોગ્ય રાબડી આદિ) આ ચાર પ્રકારના આહારોનો પરિત્યાગ
કરવો; તેને પ્રોષધોપવાસ કહેવાય છે. પ્રોષધોપવાસ એ પદ પ્રોષધ અને ઉપવાસ, આ બે
શબ્દોના સમાસથી નિષ્પન્ન થયું છે. એમાં પ્રોષધ શબ્દનો અર્થ એકવાર ભોજન (એકાશન)
તથા ઉપવાસ શબ્દનો અર્થ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એવો છે. અભિપ્રાય એ
છે કે એકાશનપૂર્વક જે ઉપવાસ કરવામાં આવે છે તે પ્રોષધોપવાસ કહેવાય છે. જેમ કે
જો અષ્ટમીનો પ્રોષધોપવાસ કરવો હોય તો સપ્તમી અને નવમીના દિવસે એકાશન તથા
અષ્ટમીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ રીતે પ્રોષધોપવાસમાં સોળપહોર માટે આહારનો
ત્યાગ કરવામાં આવે છે. પ્રોષધોપવાસના દિવસે પાંચ પાપ, સ્નાન, અલંકાર તથા સર્વ
પ્રકારનો આરંભ છોડીને ધ્યાન અધ્યયનાદિમાં જ સમય વીતાવવો જોઈએ. કોઈ પ્રત્યુપકાર
આદિની અભિલાષા ન રાખતાં જે મુનિ આદિ સત્પાત્રોને દાન આપવામાં આવે છે, તેને
વૈયાવૃત્ય કહે છે. આ વૈયાવૃત્યમાં દાન સિવાય સંયમી જનોની યથાયોગ્ય સેવા
શુશ્રુષા કરીને
તેમનું કષ્ટ પણ દૂર કરવું જોઈએ. કોઈ આચાર્યોના મત પ્રમાણે દેશાવકાશિક વ્રતનો ગુણવ્રતમાં
તથા ભોગોપભોગપરિમાણવ્રતનો શિક્ષાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪.
(अनुष्टुभ् )
पर्वस्वथ यथाशक्ति भुक्ति त्यागादिकं तपः
वस्त्रपूतं पिबेत्तोयं रात्रिभोजनवर्जनम् ।।२५।।
અનુવાદ : શ્રાવકે પર્વના દિવસો (આઠમ અને ચૌદશ આદિ) માં પોતાની
શક્તિ અનુસાર ભોજનના પરિત્યાગ આદિરૂપ (અનશનાદિ) તપ કરવા જોઈએ. એની
સાથોસાથ તેમણે રાત્રિભોજન છોડીને પાણી પણ વસ્ત્રથી ગાળેલું પીવું જોઈએ. ૨૫.
(अनुष्टुभ् )
तं देशं तं नरं तत्स्वं तत्कर्माणि च नाश्रयेत्
मलिनं दर्शनं येन येन च व्रतखण्डनम् ।।२६।।

Page 183 of 378
PDF/HTML Page 209 of 404
single page version

background image
અનુવાદ : જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને
વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો
પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૨૬.
(अनुष्टुभ् )
भोगोपभोगसंख्यानं विधेयं विधिवत्सदा
व्रतशून्या न कर्तव्या काचित् कालकला बुधैः ।।२७।।
અનુવાદ : વિદ્વાન મનુષ્યોએ નિયમાનુસાર સદા ભોગ અને ઉપભોગરૂપ
વસ્તુઓનું પ્રમાણ કરી લેવું જોઈએ. તેમનો થોડોક સમય પણ વ્રત રહિત ન જવો જોઈએ.
વિશેષાર્થ : જે વસ્તુ એક જ વાર ઉપયોગમાં આવતી હોય તેને ભોગ કહેવાય છે
જેમ કે ભોજ્ય પદાર્થ અને માળા વગેરે. એનાથી ઉલ્ટું જે વસ્તુ અનેક વાર ઉપયોગમાં આવતી
હોય તે ઉપભોગ કહેવાય છે.
જેમ કે વસ્ત્ર આદિ. આ બન્નેય પ્રકારના પદાર્થોનું પ્રમાણ કરીને
શ્રાવકે તેનાથી અધિકની ઇચ્છા ન કરવી જોઈએ. ૨૭.
(अनुष्टुभ् )
रत्नत्रयाश्रयः कार्यस्तथा भव्यैरतन्द्रितैः
जन्मान्तरे ऽपि तच्छ्रद्धा यथा संवर्धते तराम् ।।२८।।
અનુવાદ : ભવ્ય જીવોએ આળસ છોડીને રત્નત્રયનો આશ્રય એ રીતે
કરવો જોઈએ કે જે રીતે તેમનું ઉક્ત રત્નત્રયવિષયક શ્રદ્ધાન (દ્રઢતા) બીજા
જન્મમાં પણ અતિશય વૃદ્ધિ પામતું રહે. ૨૮.
(अनुष्टुभ् )
विनयश्च यथायोग्यं कर्तव्यः परमेष्ठिषु
द्रष्टिबोधचरित्रेषु तद्वत्सु समयाश्रितैः ।।२९।।
અનુવાદ : એ ઉપરાંત શ્રાવકોએ જિનાગમના આશ્રિત થઈને અર્હદાદિ પાંચ
પરમેષ્ઠી, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા આ સમ્યગ્દર્શનાદિ ધારણ
કરનાર જીવોનો પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. ૨૯.
(अनुष्टुभ् )
दर्शनज्ञानचारित्रतपःप्रभृति सिध्यति
विनयेनेति तं तेन मोक्षद्वारं प्रचक्षते ।।३०।।

Page 184 of 378
PDF/HTML Page 210 of 404
single page version

background image
અનુવાદ : તે વિનય દ્વારા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને તપ
આદિની સિદ્ધિ થાય છે તેથી જ તેને મોક્ષનું દ્વાર કહેવાય છે. ૩૦.
(अनुष्टुभ् )
सत्पात्रेषु यथाशक्ति दानं देयं गृहस्थितैः
दानहीना भवेत्तेषां निष्फलैव गृहस्थता ।।३१।।
અનુવાદ : ગૃહમાં સ્થિત રહેનાર શ્રાવકોએ શક્તિ પ્રમાણે ઉત્તમ પાત્રોને
દાન આપવું જોઈએ કેમ કે દાન વિના તેમનો ગૃહસ્થાશ્રમ (શ્રાવકપણું) નિષ્ફળ જ
થાય છે. ૩૧.
(अनुष्टुभ् )
दानं ये न प्रयच्छन्ति निर्ग्रन्थेषु चतुर्विधम्
पाशा एव गृहास्तेषां बन्धनायैव निर्मिताः ।।३२।।
અનુવાદ : જે ગૃહસ્થ દિગંબર મુનિઓને ચાર પ્રકારનું દાન આપતા નથી
તેમને બંધનમાં રાખવા માટે તે ઘર જાણે જાળ જ બનાવવામાં આવી છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શ્રાવક ઘરમાં રહીને અસિમષિ આદિરૂપ કર્મો
કરે છે તેમનાથી તેને અનેક પ્રકારના પાપકર્મનો સંચય થાય છે. તેનાથી છૂટકારો મેળવવાનો
ઉપાય કેવળ દાન છે. તેથી જો તે પાત્રદાન કરે નહિ તો પછી તે ઉક્ત સંચિત પાપદ્વારા
સંસારમાં જ પરિભ્રમણ કરવાનો છે. આ રીતે ઉક્ત દાનહીન શ્રાવકને માટે તે બંધનના જ
કારણ બની જાય છે. ૩૨.
(अनुष्टुभ् )
अभयाहारभैषज्यशास्त्रदाने हि यत्कृते
ऋषीणां जायते सौख्यं गृही श्लाध्यः कथं न सः ।।३३।।
અનુવાદ : જેના દ્વારા અભય, આહાર, ઔષધ અને શાસ્ત્રનું દાન
આપવાથી મુનિઓને સુખ ઉત્પન્ન થાય છે તે ગૃહસ્થ કેમ પ્રશંસાને યોગ્ય ન
હોય? અવશ્ય હોય. ૩૩.
(अनुष्टुभ् )
समर्थोऽपि न यो दद्याद्यतीनां दानमादरात्
छिनत्ति स स्वयं मूढः परत्र सुखमात्मनः ।।३४।।

Page 185 of 378
PDF/HTML Page 211 of 404
single page version

background image
અનુવાદ : જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પણ મુનિઓને ભક્તિપૂર્વક
દાન દેતો નથી તે મૂર્ખ પરલોકમાં પોતાના સુખને પોતે જ નષ્ટ કરે છે. ૩૪.
(अनुष्टुभ् )
द्रषन्नावसमो ज्ञेयो दानहीनो गृहाश्रमः
तदारूढो भवाम्भौधौ मज्जत्येव न संशयः ।।३५।।
અનુવાદ : દાનરહિત ગૃહસ્થાશ્રમને પથ્થરની નાવ સમાન સમજવો જોઈએ.
તે ગૃહસ્થાશ્રમરૂપી પથ્થરની નાવ ઉપર બેઠેલો મનુષ્ય સંસારરૂપી સમુદ્રમાં ડૂબે જ
છે, એમાં સંદેહ નથી. ૩૫.
(अनुष्टुभ् )
समयस्थेषु वात्सल्यं स्वशक्त्या ये न कुर्वते
बहुपापावृतात्मानस्ते धर्मस्य पराङ्मुखाः ।।३६।।
અનુવાદ : જે ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર સાધર્મી જનો પ્રત્યે પ્રેમ રાખતા
નથી તે ધર્મથી વિમુખ થઈને પોતાને ઘણા પાપથી આચ્છાદિત કરે છે. ૩૬.
(अनुष्टुभ् )
येषां जिनोपदेशेन कारुण्यामृतपूरिते
चित्ते जीवदया नास्ति तेषां धर्मः कुतो भवेत् ।।३७।।
અનુવાદ : જિન ભગવાનના ઉપદેશથી દયાળુતારૂપ અમૃતથી પરિપૂર્ણ જે
શ્રાવકોના હૃદયમાં પ્રાણીદયા ઉત્પન્ન થતી નથી તેમને ધર્મ ક્યાંથી હોઈ શકે? અર્થાત્
હોઈ શકે નહિ.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે ગૃહસ્થોનું હૃદય જિનાગમનો અભ્યાસ કરવાને
કારણે દયાથી ભીંજાઈ ગયું છે તે જ ગૃહસ્થ વાસ્તવમાં ધર્માત્મા છે. પરંતુ એનાથી વિપરીત જેમનું
ચિત્ત દયાથી ભીંજાયું નથી તેઓ કદી પણ ધર્માત્મા હોઈ શકે નહિ. કારણ કે ધર્મનું મૂળ તો તે
દયા જ છે. ૩૭.
(अनुष्टुभ् )
मूलं धर्मतरोराद्या व्रतानां धाम संपदाम्
गुणानां निधिरित्यङ्गिदया कार्या विवेकिभिः ।।३८।।

Page 186 of 378
PDF/HTML Page 212 of 404
single page version

background image
અનુવાદ : પ્રાણીદયા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, વ્રતોમાં મુખ્ય છે. સંપત્તિઓનું
સ્થાન છે અને ગુણોનો ભંડાર છે. તેથી વિવેકીજનોએ તે અવશય કરવી જોઈએ. ૩૮.
(अनुष्टुभ् )
सर्वे जीवदयाधारा गुणास्तिष्ठन्ति मानुषे
सूत्राधाराः प्रसूनानां हाराणां च सरा इव ।।३९।।
અનુવાદ : મનુષ્યમાં બધા જ ગુણ જેમ પુષ્પોની હાર દોરાના આધારે રહે
છે તેમ જીવદયાના આશ્રયે રહે છે.
વિશેષાર્થ : જેમ ફૂલના હારની પંક્તિઓ દોરાના આશ્રયે સ્થિર રહે છે તેવી જ રીતે
બધા ગુણોનો સમૂહ પ્રાણીદયાના આશ્રયે સ્થિર રહે છે જો માળાની વચ્ચેનો દોરો તૂટી જાય છે
તો જેમ તેના બધા ફૂલ વિખરાઈ જાય છે તેવી જ રીતે નિર્દય મનુષ્યના તે બધા ગુણ પણ દયાના
અભાવમાં વિખરાઈ જાય છે
નષ્ટ થઈ જાય છે. માટે સમ્યગ્દર્શનાદિ ગુણોના અભિલાષી શ્રાવકે
પ્રાણીઓના વિષયમાં દયાળુ અવશ્ય થવું જોઈએ. ૩૯.
(अनुष्टुभ् )
यतीनां श्रावकाणां च व्रतानि सकलान्यपि
एकाहिंसाप्रसिद्धयर्थं कथितानि जिनेश्वरैः ।।४०।।
અનુવાદ : જિનેન્દ્રદેવે મુનિઓ અને શ્રાવકોના બધા જ વ્રત એક માત્ર
અહિંસા ધર્મની જ સિદ્ધિ માટે બતાવ્યા છે. ૪૦.
(अनुष्टुभ् )
जीवहिंसादिसंकल्पैरात्मन्यपि हि दूषिते
पापं भवति जीवस्य न परं परपीडनात् ।।४१।।
અનુવાદ : જીવને કેવળ બીજા પ્રાણીઓને કષ્ટ દેવાથી જ પાપ નથી થતું,
પણ પ્રાણીની હિંસા આદિના વિચાર માત્રથી પણ આત્મા દૂષિત થતાં તે પાપ થાય
છે. ૪૧.
(अनुष्टुभ् )
द्वादशापि सदा चिन्त्या अनुप्रेक्षा महात्मभिः
तद्भावना भवत्येव कर्मणः क्षयकारणम् ।।४२।।

Page 187 of 378
PDF/HTML Page 213 of 404
single page version

background image
અનુવાદ : મહાત્મા પુરુષોએ નિરંતર બારેય અનુપ્રેક્ષાઓનું ચિન્તન કરવું
જોઈએ. કારણ એ છે કે તેમની ભાવના (ચિન્તન) કર્મના ક્ષયનું કારણ થાય છે. ૪૨.
(अनुष्टुभ् )
अध्रुवाशरणे चैव भव एकत्वमेव च
अन्यत्वमशुचित्वं च तथैवास्रवसंवरौ ।।४३।।
निर्जरा च तथा लोको बोधि दुर्लभधर्मता
द्वादशैता अनुप्रेक्षा भाषिता जिनपुङ्गवैः ।।४४।।
અનુવાદ : અધ્રુવ અર્થાત્ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ,
અશુચિત્વ, તેવી જ રીતે આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ આ
જિનેન્દ્ર ભગવાન દ્વારા બાર અનુપ્રેક્ષાઓ કહેવામાં આવી છે. ૪૩
૪૪.
(अनुष्टुभ् )
अध्रुवाणि समस्तानि शरीरादीनि देहिनाम्
तन्नाशे ऽपि न कर्तव्यः शोको दुष्कर्मकारणम् ।।४५।।
અનુવાદ : પ્રાણીઓનાં શરીર આદિ બધું જ નશ્વર છે. તેથી ઉક્ત શરીર
આદિનો નાશ થવા છતાં પણ શોક ન કરવો જોઈએ કારણ કે શોક પાપબંધનું કારણ
છે. આ રીતે વારંવાર વિચાર કરવાનું નામ અનિત્ય ભાવના છે. ૪૫.
(अनुष्टुभ् )
व्याघ्रेणाघ्रातकायस्य मृगशावस्य निर्जने
यथा न शरणं जन्तोः संसारे न तथापदि ।।४६।।
અનુવાદ : જેમ નિર્જન વનમાં સિંહ દ્વારા પકડવામાં આવેલ મૃગના
બચ્ચાની રક્ષા કરનાર કોઈ નથી, તેવી જ રીતે આપત્તિ (મરણ આદિ) પ્રાપ્ત થતાં
તેનાથી જીવનું રક્ષણ કરનાર પણ સંસારમાં કોઈ નથી. આ રીતે વિચાર કરવો તેને
અશરણભાવના કહેવામાં આવે છે. ૪૬.
(अनुष्टुभ् )
यत्सुखं तत्सुखाभासं यद्दुःखं तत्सदाञ्जसा
भवे लोकाः सुख सत्यं मोक्ष एव स साध्यताम् ।।४७।।

Page 188 of 378
PDF/HTML Page 214 of 404
single page version

background image
અનુવાદ : સંસારમાં જે સુખ છે તે સુખનો આભાસ છેયથાર્થ સુખ
નથી, પરંતુ જે દુઃખ છે તે વાસ્તવિક છે અને સદા રહેનાર છે. સાચું સુખ
મોક્ષમાં જ છે. તેથી હે ભવ્યજનો! તેને જ સિદ્ધ કરવું જોઈએ. આ રીતે
સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, એ સંસારભાવના છે. ૪૭.
(अनुष्टुभ् )
स्वजनो वा परो वापि नो कश्चित्परमार्थतः
केवलं स्वार्जितं कर्म जीवेनैकेन भुज्यते ।।४८।।
અનુવાદ : કોઈ પણ પ્રાણી વાસ્તવમાં ન તો સ્વજન (સ્વકીય માતા-પિતા આદિ)
છે અને ન પર પણ છે. જીવ દ્વારા જે કર્મ બાંધવામાં આવ્યું છે તેને જ કેવળ તે એકલો
ભોગવે છે. આ રીતે વારંવાર વિચાર કરવો, તેને એકત્વભાવના કહે છે. ૪૮.
(अनुष्टुभ् )
क्षीरनीरवदेकत्र स्थितयोर्देहदेहिनोः
भेदो यदि ततोऽन्येषु कलत्रादिषु का कथा ।।४९।।
અનુવાદ : જો દૂધ અને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનાર શરીર અને
જીવમાં પણ ભેદ હોય તો પ્રત્યક્ષ જ પોતાનાથી ભિન્ન દેખાતા સ્ત્રી-પુત્ર આદિના વિષયમાં
ભલા શું કહેવું? અર્થાત્ તેઓ તો જીવથી ભિન્ન છે જ. આ રીતે વિચાર કરવો તેનું
નામ અન્યત્વભાવના છે. ૪૯.
(अनुष्टुभ् )
तथाशुचिरयं कायः कृमिधातुमलान्वितः
यथा तस्यैव संपर्कादन्यत्राप्यपवित्रता ।।५०।।
અનુવાદ : ક્ષુદ્ર જંતુ, રસરુધિરાદિ ધાતુઓ તથા મળસંયુક્ત આ શરીર એવું
અપવિત્ર છે કે તેના જ સંબંધથી બીજી (પુષ્પમાળા આદિ) વસ્તુઓ પણ અપવિત્ર
થઈ જાય છે. આ રીતે શરીરના સ્વરૂપનો વિચાર કરવો, એ અશુચિભાવના છે. ૫૦.
(अनुष्टुभ् )
जीवपोतो भवाम्भोधौ मिथ्यात्वादिकरन्ध्रवान्
आस्रवति विनाशार्थं कर्माम्भः सुचिरं भ्रमात् ।।५१।।

Page 189 of 378
PDF/HTML Page 215 of 404
single page version

background image
અનુવાદ : સંસારરૂપી સમુદ્રમાં મિથ્યાત્વાદિરૂપ છેદોથી સંયુક્ત જીવરૂપી નાવ
ભ્રમ (અજ્ઞાન અને પરિભ્રમણ)ના કારણે ઘણા કાળથી આત્મવિનાશ માટે કર્મરૂપી
જળનું ગ્રહણ કરે છે.
વિશેષાર્થ : જેમ છિદ્રયુક્ત નાવ પરિભ્રમણ કરીને છિદ્રદ્વારા જળનું ગ્રહણ કરતી થકી
અંતે સમુદ્રમાં ડૂબીને પોતાને નષ્ટ કરે છે તેવી જ રીતે આ જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો
થકો મિથ્યાત્વાદિ દ્વારા કર્મોનો આસ્રવ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્પર્ય એ
છે કે દુઃખનું કારણ આ કર્મોનો આસ્રવ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું
નામ આસ્રવભાવના છે. ૫૧.
(अनुष्टुभ् )
कर्मास्रवनिरोधोऽत्र संवरो भवति ध्रुवम्
साक्षादेतदनुष्ठान मनोवाक्कायसंवृतिः ।।५२।।
અનુવાદ : કર્મોના આસ્રવને રોકવો, તે નિશ્ચયથી સંવર કહેવાય છે. આ
સંવરનું સાચું અનુષ્ઠાન મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તે જ છે.
વિશેષાર્થ : જે મિથ્યાત્વ અને અવિરતિ આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને
આસ્રવ તથા તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. આસ્રવ જો સંસારનું કારણ છે તો સંવર
મોક્ષનું કારણ છે. તેથી આસ્રવ હેય અને સંવર ઉપાદેય છે. આ રીતે સંવરના સ્વરૂપનો વિચાર
કરવો, એ સંવરભાવના કહેવાય છે. ૫૨.
(अनुष्टुभ् )
निर्जरा शातनं प्रोक्ता पूर्वोपार्जितकर्मणाम्ः
तपोभिर्बहुभिः सा स्याद्वैराग्याश्रित चेष्टितैः ।।५३।।
અનુવાદ : પૂર્વોપાર્જિત કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા, તે નિર્જરા કહેવાય છે,
તે વૈરાગ્યના આલંબનથી પ્રવર્તતા ઘણા તપ દ્વારા થાય છે. આ રીતે નિર્જરાના
સ્વરૂપનો વિચાર કરવો, એ નિર્જરા ભાવના છે. ૫૩.
(अनुष्टुभ् )
लोकः सर्वोऽपि सर्वत्र सापायस्थितिरध्रुवः
दुःखकारीति कर्तव्या मोक्ष एव मतिः सताम् ।।५४।।
અનુવાદ : આ બધો લોક સર્વત્ર વિનાશયુક્ત સ્થિતિ સહિત, અનિત્ય અને

Page 190 of 378
PDF/HTML Page 216 of 404
single page version

background image
દુઃખદાયી છે. તેથી વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી
જોઈએ.
વિશેષાર્થ : આ ચૌદ રાજુ ઊંચો લોક અનાદિનિધન છે, એનો કોઈ કર્તા હર્તા નથી.
જીવ પોતાના કર્મ અનુસાર આ લોકમાં પરિભ્રમણ કરતો થકો કોઈ વાર નારકી, કોઈ વાર તિર્યંચ,
કોઈ વાર દેવ અને કોઈ વાર મનુષ્ય થાય છે. આમાં પરિભ્રમણ કરતા જીવને કદી નિરાકુળ સુખ
પ્રાપ્ત થતું નથી. તે નિરાકુળ સુખ મોક્ષ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે તેથી વિવેકી જીવે ઉક્ત
મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે લોકના સ્વભાવનો વિચાર કરવો, એ
લોકભાવના કહેવાય છે. ૫૪.
(अनुष्टुभ् )
रत्नत्रयपरिप्राप्तिर्बोधिः सातीव दुर्लभा
लब्धा कथं कथंचिच्चेत् कार्यो यत्नो महानिह ।।५५।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ રત્નત્રયની
પ્રાપ્તિનું નામ બોધિ છે. તે અત્યંત દુર્લભ છે. જો તે કોઈ પણ ઉપાયે પ્રાપ્ત થઈ
જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે રત્નત્રયસ્વરૂપ
બોધિની પ્રાપ્તિની દુર્લભતાનો વિચાર કરવો, એ બોધિદુર્લભભાવના છે. ૫૫.
(अनुष्टुभ् )
जिनधर्मोऽयमत्यन्तं दुर्लभो भविनां मतः
तथा ग्राह्यो यथा साक्षादामोक्षं सह गच्छति ।।५६।।
અનુવાદ : સંસારી પ્રાણીઓને માટે આ જૈનધર્મ અત્યંત દુર્લભ માનવામાં
આવ્યો છે. ઉક્ત ધર્મને એ રીતે ગ્રહણ કરવો જોઈએ કે જેથી તે સાક્ષાત્ મોક્ષ
પ્રાપ્ત થતાં સુધી સાથે જ આવે. ૫૬.
(अनुष्टुभ् )
दुःखग्राहगणाकीर्णे संसारक्षारसागरे
धर्मपोतं परं प्राहुस्तारणार्थं मनीषिणः ।।५७।।
અનુવાદ : વિદ્વાન્ પુરુષો દુઃખરૂપી હિંસક જળજંતુઓના સમૂહથી વ્યાપ્ત આ
સંસારરૂપી ખારા સમુદ્રમાં તેનાથી પાર થવા માટે ધર્મરૂપી નૌકાને ઉત્કૃષ્ટ બતાવે છે.

Page 191 of 378
PDF/HTML Page 217 of 404
single page version

background image
આ રીતે ધર્મના સ્વરૂપનો વિચાર કરવો તેને ધર્મભાવના કહેવામાં આવે છે. ૫૭.
(अनुष्टुभ् )
अनुप्रेक्षा इमाः सद्भिः सर्वदा हृदये धृताः
कुर्वते तत्परं पुण्यं हेतुर्यत्स्वर्गमोक्षयोः ।।५८।।
અનુવાદ : સજ્જનો દ્વારા સદા હૃદયમાં ધારણ કરવામાં આવતી આ બાર
અનુપ્રેક્ષાઓ તે ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન કરે છે કે જે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય
છે. ૫૮.
(अनुष्टुभ् )
आद्योत्तमक्षमा यत्र यो धर्मो दशभेदभाक्
श्रावकैरपि सेव्योऽसौ यथाशक्ति यथागमम् ।।५९।।
અનુવાદ : જે ધર્મમાં ઉત્તમ ક્ષમા સૌથી પહેલા છે તથા જે દસ ભેદોથી
સંયુક્ત છે, તે ધર્મનું સેવન શ્રાવકોએ પણ પોતાની શક્તિ અને આગમ અનુસાર કરવું
જોઈએ. ૫૯.
(अनुष्टुभ् )
अन्तस्तत्त्वं विशुद्धात्मा बहिस्तत्त्वं दयाङ्गिषु
द्वयोः सन्मीलने मोक्षस्तस्माद् द्वितयमाश्रयेत् ।।६०।।
અનુવાદ : અભ્યંતર તત્ત્વ કર્મકલંક રહિત વિશુદ્ધ આત્મા અને બાહ્ય તત્ત્વ
પ્રાણીઓ પ્રત્યે દયાભાવ છે. આ બન્ને મળતાં મોક્ષ થાય છે. તેથી તે બન્નેનો આશ્રય
કરવો જોઈએ. ૬૦.
(अनुष्टुभ् )
कर्मभ्यः कर्मकार्येभ्यः पृथग्भूतं चिदात्मकम्
आत्मानं भावयेन्नित्यं नित्यानन्दपदप्रदम् ।।६१।।
અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મો તથા તેના કાર્યભૂત રાગાદિ વિભાવો
અને શરીર આદિથી ભિન્ન છે તે શાશ્વતિક આનંદસ્વરૂપ પદનો અર્થાત્ મોક્ષને
આપનાર આત્માનો સદા વિચાર કરવો જોઈએ. ૬૧.

Page 192 of 378
PDF/HTML Page 218 of 404
single page version

background image
(अनुष्टुभ् )
इत्युपासक संस्कारः कृतः श्रीपद्मनन्दिना
येषामेतदनुष्ठानं तेषां धर्मो ऽतिनिर्मलः ।।६२।।
અનુવાદ : આ રીતે આ ઉપાસક સંસ્કાર અર્થાત્ શ્રાવકનું ચારિત્ર શ્રી પદ્મનંદી
મુનિદ્વારા રચવામાં આવ્યું છે. જે મનુષ્ય આનું આચરણ કરે છે તેમને અત્યંત નિર્મળ
ધર્મ થાય છે. ૬૨.
આ રીતે શ્રાવકાચાર સમાપ્ત થયું. ૬.

Page 193 of 378
PDF/HTML Page 219 of 404
single page version

background image
૭. દેશવ્રતઉદ્યોતન
[ ७. देशव्रतोद्द्योतनम् ]
(शार्दूलविक्रीडित)
बाह्याभ्यन्तरसंगवर्जनतया ध्यानेन शुक्लेन यः
कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चितम्
तेनोक्तानि वचांसि धर्मकथने सत्यानि नान्यानि तत्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा
।।।।
અનુવાદ : જે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ છોડીને તથા શુક્લ ધ્યાન દ્વારા
ચાર ઘાતી કર્મોનો નાશ કરીને નિશ્ચયથી સર્વજ્ઞતાને પ્રાપ્ત થયા છે તેમના દ્વારા ધર્મના
વ્યાખ્યાનમાં કહેવામાં આવેલા વચનો સત્ય છે, એનાથી ભિન્ન રાગ-દ્વેષથી દૂષિત
હૃદયવાળા કોઈ અલ્પજ્ઞના વચનો સત્ય નથી. તેથી જે જીવની બુદ્ધિ ઉક્ત સર્વજ્ઞના
વચનોમાં ભ્રમને પ્રાપ્ત થાય છે તે અતિશય પાપી છે, અથવા તે ભવ્ય જ નથી. ૧.
(शार्दूलविक्रीडित)
एको ऽप्यत्र करोति यः स्थितिमतिप्रीतः शुचौ दर्शने
स श्लाघ्यः खलु दुःखितो ऽप्युदयतो दुष्कर्मणः प्राणभृत्
अन्यैः किं प्रचुरैरपि प्रमुदितैरत्यन्तदूरीकृत-
स्फीतानन्दभरप्रदामृतपथैर्मिथ्यापथे प्रस्थितैः
।।।।
અનુવાદ : જે એક પણ ભવ્ય પ્રાણી અત્યંત પ્રસન્નતાથી અહીં નિર્મળ
સમ્યગ્દર્શનના વિષયમાં સ્થિતિ કરે છે તે પાપકર્મના ઉદયથી દુઃખી હોવા છતાં
પણ નિશ્ચયથી પ્રશંસનીય છે. એનાથી ઉલ્ટું જે મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થઈને મહાન
સુખનું પ્રદાન કરનાર મોક્ષના માર્ગથી બહુ દૂર છે તે જો સંખ્યામાં અધિક અને
સુખી પણ હોય તોપણ તેમનાથી કાંઈ પ્રયોજન નથી. ૨.

Page 194 of 378
PDF/HTML Page 220 of 404
single page version

background image
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જો નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવ એક પણ હોય
તો તે પ્રશંસા યોગ્ય છે. પરંતુ મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થયેલા પ્રાણી સંખ્યામાં જો અધિક હોય
તો પણ તે પ્રશંસનીય નથી
નિન્દનીય જ છે. નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવનું પાપકર્મના ઉદયથી
વર્તમાનમાં દુઃખી રહેવું એટલું હાનિકારક નથી જેટલું મિથ્યાદ્રષ્ટિ જીવનું પુણ્યકર્મના ઉદયથી
વર્તમાનમાં સુખમાં સ્થિત રહેવાનું હાનિકારક છે. ૨.
(शार्दूलविक्रीडित)
बीजं मोक्षतरोद्रर्शं भवतरोर्मिथ्यात्वमाहुर्जिनाः
प्राप्तायां द्रशि तन्मुमुक्षुभिरलं यत्नो विधेयो बुधैः
संसारे बहुयोनिजालजटिले भ्राम्यन् कुकर्मावृतः
क्व प्राणी लभते महत्यपि गते काले हितां तामिह
।।।।
અનુવાદ : જિન ભગવાન્ સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું બીજ તથા
મિથ્યાદર્શનને સંસારરૂપી વૃક્ષનું બીજ બતાવે છે. તેથી તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં
મોક્ષાભિલાષી વિદ્વાનોએ તેના સંરક્ષણ આદિના વિષયમાં મહાન્ પ્રયત્ન કરવો
જોઈએ. કારણ એ છે કે પાપકર્મથી આછન્ન થઈને ઘણી (ચોરાસી લાખ)
યોનિઓના સમૂહથી જટિલ આ સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રાણી દીર્ઘ કાળ
વીતવા છતાં પણ હિતકારક તે સમ્યગ્દર્શન ક્યાં પ્રાપ્ત કરી શકે છે? અર્થાત્
પ્રાપ્ત કરી શકતો નથી. ૩.
(शार्दूलविक्रीडित)
सम्प्राप्ते ऽत्र भवे कथं कथमपि द्राधीयसानेहसा
मानुष्ये शुचिदर्शने च महता कार्यं तपो मोक्षदम्
नो चेल्लोकनिषेधतो ऽथ महतो मोहादशक्तेरथो
सम्पद्येत न तत्तदा गृहवतां षट्कर्मयोग्यं व्रतम्
।।।।
અનુવાદ : અહીં સંસારમાં જો કોઈ પ્રકારે અતિશય દીર્ઘકાળમાં મનુષ્યભવ
અને નિર્મળ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી મહાપુરુષે મોક્ષદાયક તપનું
આચરણ કરવું જોઈએ. પરંતુ જો કુટુંબીજન વગેરેના રોકવાથી, મહામોહથી અથવા
અશક્તિના કારણે તે તપશ્ચચરણ કરી ન શકાય તો પછી ગૃહસ્થ શ્રાવકોના છ આવશ્યક