Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-27 (7. Deshvratodhyotan),1 (8. Siddh Stuti),2 (8. Siddh Stuti),3 (8. Siddh Stuti),4 (8. Siddh Stuti),5 (8. Siddh Stuti),6 (8. Siddh Stuti),7 (8. Siddh Stuti),8 (8. Siddh Stuti),9 (8. Siddh Stuti),10 (8. Siddh Stuti),11 (8. Siddh Stuti),12 (8. Siddh Stuti),13 (8. Siddh Stuti),14 (8. Siddh Stuti),15 (8. Siddh Stuti),16 (8. Siddh Stuti),17 (8. Siddh Stuti),18 (8. Siddh Stuti),19 (8. Siddh Stuti),20 (8. Siddh Stuti),21 (8. Siddh Stuti); 8. Siddh Stuti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 21

 

Page 195 of 378
PDF/HTML Page 221 of 404
single page version

background image
(દેવપૂજા વગેરે) ક્રિયાઓને યોગ્ય વ્રતનું પરિપાલન તો કરવું જ જોઈએ. ૪.
(शार्दूलविक्रीडित)
द्रङ्मूलव्रतमष्टधा तदनु च स्यात्पञ्चधाणुव्रतं
शीलाख्यं च गुणव्रतत्रयमतः शिक्षाश्चतस्रः पराः
रात्रौ भोजनवर्जनं शुचिपटात् पेयं पयः शक्ति तो
मौनादिव्रतमप्यनुष्ठितमिदं पुण्याय भव्यात्मनाम्
।।।।
અનુવાદ : સમ્યગ્દર્શનની સાથે આઠ મૂળગુણ, ત્યાર પછી પાંચ અણુવ્રત અને
ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ રીતે આ સાત શીલવ્રત, રાત્રે ભોજનનો
પરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગાળેલા પાણીનું પીવું, તથા શક્તિ અનુસાર મૌનવ્રત આદિ;
આ બધું આચરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
हन्ति स्थावरदेहिनः स्वविषये सर्वांस्त्रसान् रक्षति
ब्रूते सत्यमचौर्यवृत्तिमबलां शुद्धां निजां सेवते
दिग्देशव्रतदण्डवर्जनमतः सामायिकं प्रोषधं
दानं भोगयुगप्रमाणमुररीकुर्याद्गृहीति व्रती
।।।।
અનુવાદ : વ્રતી શ્રાવક પોતાના પ્રયોજનના વશે સ્થાવર પ્રાણીઓનો ઘાત
કરતો હોવા છતાં પણ સર્વ ત્રસ જીવોની રક્ષા કરે છે, સત્ય વચન બોલે છે, ચૌર્યવૃત્તિ
(ચોરી)નો પરિત્યાગ કરે છે, શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે છે, દિગ્વ્રત અને
દેશવ્રતનું પાલન કરે છે; અનર્થદંડ (પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને
પ્રમાદચર્યા )નો પરિત્યાગ કરે છે; તથા સામાયિક, પ્રૌષધોપવાસ, દાન (અતિથિ
સંવિભાગ) અને ભોગોપભોગ પરિમાણનો સ્વીકાર કરે છે. ૬.
(शार्दूलविक्रीडित)
देवाराधनपूजनादिबहुषु व्यापारकार्येषु सत्-
पुण्योपार्जनहेतुषु प्रतिदिनं संजायमानेष्वपि
संसारार्णवतारणे प्रवहणं सत्पात्रमुद्दिश्य यत्
तद्देशव्रतधारिणो धनवतो दानं प्रकृष्टो गुणः
।।।।

Page 196 of 378
PDF/HTML Page 222 of 404
single page version

background image
અનુવાદ : દેશવ્રતી ધનવાન શ્રાવકને પ્રતિદિન ઉત્તમ પુણ્યોપાર્જનના
કારણભૂત દેવારાધના અનેક જિનપૂજનાદિરૂપ અનેક કાર્યો હોવા છતાં પણ સંસારરૂપી
સમુદ્ર પાર થવામાં નૌકાનું કામ કરનાર જે સત્પાત્રદાન છે તે તેનો મહાન ગુણ છે.
અભિપ્રાય એ છે કે શ્રાવકના સમસ્ત કાર્યોમાં મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. ૭.
(शार्दूलविक्रीडित)
सर्वो वाञ्छनि सौख्यमेव तनुभृत्तन्मोक्ष एव स्फु टं
द्रष्टयादित्रय एव सिध्यति स तन्निर्ग्रन्थ एव स्थितम्
तद्वृत्तिर्वपुषो ऽस्य वृत्तिरशनात्तद्दीयते श्रावकैः
काले क्लिष्टतरे ऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते
।।।।
અનુવાદ : સર્વ પ્રાણી સુખની જ ઇચ્છા કરે છે, તે સુખ સ્પષ્ટપણે મોક્ષમાં
જ છે, તે મોક્ષ સમ્યગ્દર્શનાદિસ્વરૂપ રત્નત્રય થતાં જ સિદ્ધ થાય છે, તે રત્નત્રય
દિગંબર સાધુને જ હોય છે, ઉક્ત સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, તે
શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે અને તે ભોજન શ્રાવકો દ્વારા આપવામાં
આવે છે. આ રીતે આ અતિશય ક્લેશયુક્ત કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ ઘણું
કરીને તે શ્રાવકોના નિમિત્તે જ થઈ રહી છે. ૮.
(शार्दूलविक्रीडित)
स्वेच्छाहारविहारजल्पनतया नीरुग्वपुर्जायते
साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते
कुर्यादौषधपथ्यवारिभिरिदं चारित्रभारक्षमं
यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्
।।।।
અનુવાદ : શરીર ઇચ્છાનુસાર ભોજન, ગમન અને સંભાષણથી નીરોગ રહે
છે. પરંતુ આ પ્રકારની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ સાધુઓને સંભવ નથી. તેથી તેમનું શરીર
ઘણું કરીને અસ્વસ્થ થઈ જાય છે. આવી દશામાં શ્રાવક તે શરીરને ઔષધ, પથ્ય
ભોજન અને જળ દ્વારા વ્રત પરિપાલનને યોગ્ય કરે છે તેથી જ અહીં તે મુનિઓનો
ધર્મ ઉત્તમ શ્રાવકના નિમિત્તે જ ચાલે છે. ૯.

Page 197 of 378
PDF/HTML Page 223 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
व्याख्या पुस्तकदानमुन्नतधियां पाठाय भव्यात्मनां
भक्त्या यत्क्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः
सिद्धे ऽस्मिन् जननान्तरेषु कतिषु त्रैलोक्यलोकोत्सव-
श्रीकारिप्रकटीकृताखिलजगत्कैवल्यभाजो जनाः
।।१०।।
અનુવાદ : ઉન્નત બુદ્ધિના ધારક ભવ્ય જીવોને વાંચવા માટે ભક્તિથી જે
પુસ્તકનું દાન આપવામાં આવે છે અથવા તેમને તત્ત્વનું વ્યાખ્યાન આપવામાં આવે
છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ
ભવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય
છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
सर्वेषामभयं प्रवृद्धकरुणैर्यद्दीयते प्राणिनां
दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्
आहारौषधशास्त्रदानविधिभिः क्षुद्रोगजाडयाद्भयं
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्
।।११।।
અનુવાદ : દયાળુ પુરુષો દ્વારા જે સર્વ પ્રાણીઓને અભય આપવામાં
આવે છે અર્થાત્ તેમનો ભય દૂર કરવામાં આવે છે તે અભયદાન કહેવાય છે.
તેનાથી રહિત બાકીના ત્રણ પ્રકારના દાન વ્યર્થ જાય છે. આહાર, ઔષધ અને
શાસ્ત્રદાનની વિધિથી પાત્રજીવોનો ક્રમે ક્ષુધાનો ભય, રોગનો ભય અને
અજ્ઞાનપણાનો ભય નષ્ટ થાય છે માટે જ તે એક અભયદાન જ શ્રેષ્ઠ છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત ચાર દાનોમાં આ અભયદાન મુખ્ય
છે. કારણ કે શેષ આહારાદિ દાનોની સફળતા આ અભયદાન ઉપર જ અવલંબે છે. એ
સિવાય જો વિચાર કરવામાં આવે તો તે આહારાદિના દાનસ્વરૂપ બાકીના ત્રણ પણ આ
અભયદાનની જ અંદર આવી જાય છે. એનું કારણ એ છે કે અભયદાનનો અર્થ છે પ્રાણીના
સર્વ પ્રકારના ભય દૂર કરીને તેને નિર્ભય કરવા. આહારદાન દ્વારા પ્રાણીની ક્ષુધાનો ભય,
ઔષધદાન દ્વારા રોગનો ભય અને શાસ્ત્રદાન દ્વારા તેના અજ્ઞાનપણાનો ભય જ દૂર કરવામાં
આવે છે. ૧૧.

Page 198 of 378
PDF/HTML Page 224 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
आहारात् सुखितौषधादतितरां नीरोगता जायते
शास्त्रात् पात्रनिवेदितात् परभवे पाण्डित्यमत्यद्भुुतम्
एतत्सर्वगुणप्रभापरिकरः पुंसो ऽभयाद्दानतः
पर्यन्ते पुनरुन्नतोन्नतपदप्राप्तिर्विमुक्तिस्ततः
।।१२।।
અનુવાદ : પાત્રને આપવામાં આવેલા આહારના નિમિત્તે બીજા જન્મમાં સુખ,
ઔષધના નિમિત્તે અતિશય નીરોગતા, અને શાસ્ત્રના નિમિત્તે આશ્ચર્યજનક વિદ્વત્તા
પ્રાપ્ત થાય છે. અભયદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે
તથા અંતે ઉન્નત ઉન્નત પદો (ઇન્દ્ર અને ચક્રવર્તી આદિ)ની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ
પ્રાપ્ત થઈ જાય છે. ૧૨.
(शार्दूलविक्रीडित)
कृत्वा कार्यशतानि पापबहुलान्याश्रित्य खेदं परं
भ्रान्त्वा वारिधिमेखलां वसुमतीं दुःखेन यच्चार्जितम्
तत्पुत्रादपि जीवितादपि धनं प्रेयोऽस्य पन्थाः शुभो
दानं तेन च दीयतामिदमहो नान्येन तत्संगतिः
।।१३।।
અનુવાદ : જે ધન અતિશય ખેદના અનુભવપૂર્વક પાપપ્રચુર સેંકડો ખોટા
કાર્યો કરીને તથા સમુદ્રરૂપ મેખલા સહિત અર્થાત્ સમુદ્રપર્યંત પૃથ્વીનું પરિભ્રમણ
કરીને ઘણા દુઃખથી મેળવાય છે તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ
અધિક પ્યારૂં હોય છે તેને ખરચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા
તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગે (દુર્વ્યસનાદિ) અપવ્યય
કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
दानेनैव गृहस्थता गुणवती लोकद्वयोद्द्योतिका
सैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्
दुर्व्यापारशतेषु सत्सु गृहिणः पापं यदुत्पद्यते
तन्नाशाय शशाङ्कशुभ्रयशसे दानं च नान्यत्परम्
।।१४।।

Page 199 of 378
PDF/HTML Page 225 of 404
single page version

background image
અનુવાદ : દાન દ્વારા જ ગુણયુક્ત ગૃહસ્થાશ્રમ બન્ને લોકને પ્રકાશિત કરે
છે અર્થાત્ જીવને દાનના નિમિત્તે જ આ ભવ અને પરભવ બન્નેમાં સુખ પ્રાપ્ત થાય
છે. એનાથી ઉલ્ટું ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બન્ને લોકને
નષ્ટ કરી નાંખે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય
છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ
છે, તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહિ. ૧૪.
(शार्दूलविक्रीडित)
पात्राणामुपयोगि यत्किल धनं तद्धीमतां मन्यते
येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः
यद्भोगाय गतं पुनर्धनवतस्तन्नष्टमेव ध्रुवं
सर्वासामिति सम्पदां गृहवतां दाने प्रधानं फलम्
।।१५।।
અનુવાદ : જે ધન પાત્રોના ઉપયોગમાં આવે છે તેને જ બુદ્ધિમાન મનુષ્ય
શ્રેષ્ઠ માને છે કારણ કે તે અનંતગુણા સુખનું આપનાર થઈને પરલોકમાં ફરીથી પણ
પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ
થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત્ દાનજનિત પુણ્યના અભાવમાં
તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ
ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૫.
(शार्दूलविक्रीडित)
पुत्रे राज्यमशेषमर्थिषु धनं दत्त्वाभयं प्राणिषु
प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः
मोक्षस्यापि भवेत्ततः प्रथमतो दानं निदानं बुधैः
शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते
।।१६।।
અનુવાદ : પૂર્વકાળમાં અનેક રાજાઓ પુત્રને સમસ્ત રાજ્ય આપી દઈને,
યાચક જનોને ધન આપીને તથા પ્રાણીઓને અભય આપીને ઉત્કૃષ્ટ તપશ્ચરણ દ્વારા
અવિનશ્વર સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત થયા છે. આ રીતે તે દાન મોક્ષનું પણ
પ્રધાન કારણ છે. તેથી સંપત્તિ અને જીવન અતિશય ચપળ અર્થાત્ નશ્વર હોવાથી

Page 200 of 378
PDF/HTML Page 226 of 404
single page version

background image
વિદ્વાન પુરુષોએ શક્તિ પ્રમાણે સર્વદા તે દાન અવશ્ય આપવું જોઈએ. ૧૬.
(शार्दूलविक्रीडित)
ये मोक्ष प्रति नोद्यताः सुनृभवे लब्धेऽपि दुर्बुद्धयः
ते तिष्ठन्ति गृहे न दानमिह चेत्तन्मोहपाशो दृढः
मत्वेदं गृहिणा यथर्द्धि विविधं दानं सदा दीयतां
तत्संसारसरित्पतिप्रतरणे पोतायते निश्चितम्
।।१७।।
અનુવાદ : ઉત્તમ મનુષ્યભવ પામીને પણ જે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષના વિષયમાં
ઉદ્યમ કરતા નથી તેઓ જો ઘરમાં રહેવા છતાં પણ દાન આપતા નથી તો તેમના
માટે તે ઘર મોહદ્વારા નિર્મિત દ્રઢ જાળ જેવું જ છે એમ સમજીને ગૃહસ્થ શ્રાવકે
પોતાની સંપત્તિ અનુસાર સર્વદા અનેક પ્રકારનું દાન આપવું જોઈએ. કારણ એ છે
કે તે દાન નિશ્ચયથી સંસારરૂપી સમુદ્ર પાર થવામાં નાવનું કામ કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
यैर्नित्यं न विलोक्यते जिनपतिर्न स्मर्यते नार्च्यते
न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्त्या परम्
सामर्थ्ये सति तद्गृहाश्रमपदं पाषाणनावा समं
तत्रस्था भवसागरे ऽतिविषमे मज्जन्ति नश्यन्ति च
।।१८।।
અનુવાદ : જે મનુષ્ય પ્રતિદિન જિનેન્દ્રદેવનું ન તો દર્શન કરે છે, ન સ્મરણ
કરે છે, ન પૂજન કરે છે, ન સ્તુતિ કરે છે અને સમર્થ હોવા છતાં પણ ભક્તિથી
મુનિજનોને ઉત્તમ દાન પણ દેતા નથી; તેમનું ગૃહસ્થાશ્રમ પદ પથ્થરની નાવ સમાન
છે. તેના ઉપર બેસીને તે મનુષ્યો અત્યંત ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ગોથા ખાતા
થકા નાશ જ પામવાના છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
चिन्तारत्नसुरद्रुकामसुरभिस्पर्शोपलाद्या भुवि
ख्याता एव परोपकारक रणे दृष्टा न ते केनचित्

Page 201 of 378
PDF/HTML Page 227 of 404
single page version

background image
तैरत्रोपकृतं न केषुचिदपि प्रायो न संभाव्यते
तत्कार्याणि पुनः सदैव विदधद्दाता परं
द्रश्यते ।।१९।।
અનુવાદ : ચિન્તામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ અને પારસ પથ્થર આદિ પૃથ્વીપર
પરોપકાર કરવામાં કેવળ પ્રસિદ્ધ જ છે. તેમને ન તો કોઈએ પરોપકાર કરતા જોયા
છે અને ન તેમણે અહીં કોઈનો ઉપકાર કર્યો પણ છે તથા એવી સંભાવના પણ ઘણું
કરીને નથી. પરંતુ તેમના કાર્યો (પરોપકારાદિ) સદાય કરતા કેવળ દાતા શ્રાવક અવશ્ય
જોવામાં આવે છે. તાત્પર્ય એ છે કે દાની મનુષ્ય તે પ્રસિદ્ધ ચિન્તામણિ આદિથી
પણ અતિશય શ્રેષ્ઠ છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
यत्र श्रावकलोक एष वसति स्यात्तत्र चैत्यालयो
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैर्वतते
धर्मे सत्यघसंचयो विघटते स्वर्गापवर्गाश्रयं
सौख्यं भावि नृणां ततो गुणवतां स्युः श्रावकाः संमताः
२०
અનુવાદ : જે ગામમાં આ શ્રાવકો રહે છે ત્યાં ચૈત્યાલય થાય છે અને
જ્યાં ચૈત્યાલય છે ત્યાં મુનિઓ રહે છે, તે મુનિઓ દ્વારા ધર્મની પ્રવૃત્તિ થાય
છે તથા ધર્મ થતાં પાપના સમૂહનો નાશ થઈને સ્વર્ગ
મોક્ષનું સુખ પ્રાપ્ત થાય
છે. તેથી ગુણવાન મનુષ્યોને શ્રાવકો ઇષ્ટ છે. ૨૦.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જે જિનમંદિરોમાં સ્થિત થઈને મુનિઓ સ્વર્ગ
મોક્ષના સાધનભૂત ધર્મનો પ્રચાર કરે છે તે જિનમંદિર શ્રાવકો દ્વારા જ બનાવાય છે. માટે
જો તે શ્રાવકો જ પરંપરાએ તે સુખના સાધન હોય તો ગુણી જનોએ તે શ્રાવકોનું યથાયોગ્ય
સન્માન કરવું જ જોઈએ. ૨૦
(शार्दूलविक्रीडित)
काले दुःखमसंज्ञके जिनपतेधर्मे गते क्षीणतां
तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति
चैत्ये चैत्यगृहे च भक्तिसहितो यः सोऽपि नो द्रश्यते
यस्तत्कारयते यथाविधि पुनर्भव्यः स वंद्यः सताम् ।।२१।।

Page 202 of 378
PDF/HTML Page 228 of 404
single page version

background image
અનુવાદ : આ દુઃખમા નામના પંચમ કાળમાં જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત
ધર્મ ક્ષીણ થઈ ગયો છે. આમાં જૈનાગમ અથવા જૈનધર્મનો આશ્રય લેનાર માણસો
થોડા અને અજ્ઞાનરૂપ અંધકારનો પ્રચાર ઘણો વધારે છે. એવી અવસ્થામાં જે મનુષ્ય
જિનપ્રતિમા અને જિનગૃહના વિષયમાં ભક્તિ રાખતા હોય તે પણ જોવામાં આવતા
નથી. છતાં પણ જે ભવ્ય વિધિપૂર્વક ઉક્ત જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવે
છે તે સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ૨૧.
(वसंततिलका)
बिम्बादलोन्नतियवोन्नतिमेव भक्त्या
ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च
पुण्यं तदीयमिह वागपि नैव शक्ता
स्तोतुं परस्य किमु कारयितुर्द्वयस्य
।।२२।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિથી કુન્દરૂ વૃક્ષના પાંદડા જેવડા જિનાલય
અને જવ(દાણા)ના જેવડી જિનપ્રતિમાનું નિર્માણ કરાવે છે તેમના પુણ્યનું વર્ણન કરવા
માટે અહીં વાણી (સરસ્વતી) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે ( જિનાલય
અને જિનપ્રતિમા) બન્નેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે
તો અતિશય પુણ્યશાળી છે જ. ૨૨.
વિશેષાર્થ : એનો અભિપ્રાય એ છે કે ભવ્ય પ્રાણી નાનામાં નાના જિનમંદિર અથવા
જિનપ્રતિમાનું પણ નિર્માણ કરાવે છે તે ઘણો જ પુણ્યશાળી થાય છે. તો પછી જે ભવ્ય જીવ વિશાળ
જિનભવનનું નિર્માણ કરાવીને તેમાં મનોહર જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવે છે તેને તો નિઃસંદેહ
અપરિમિત પુણ્યનો લાભ થવાનો છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
यात्राभिः स्नपनैर्महोत्सवशतैः पूजाभिरुल्लोचकैः
नैवेद्यैर्बलिभिर्ध्वजश्च कलशैस्तूर्यत्रिकैर्जागरैः
घंटाचामरदर्पणादिभिरपि प्रस्तार्य शोभां परां
भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये
।।२३।।

Page 203 of 378
PDF/HTML Page 229 of 404
single page version

background image
અનુવાદ : સંસારમાં ચૈત્યાલય થતાં અનેક ભવ્યજીવ યાત્રાઓ,
(જળયાત્રાઆદિ) અભિષેકો, સેંકડો મહાન ઉત્સવો અનેક પ્રકારના પૂજા વિધાનો,
ચંદરવા, નૈવેદ્ય, અન્ય ભેટો, ધ્વજાઓ, કળશો, લૌર્યત્રિકો (ગીત, નૃત્ય, વાદિત્ર),
જાગરણો, ઘંટ, ચામર, દર્પણાદિ દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરીને નિરંતર પુણ્યનું
ઉપાર્જન કરે છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
ते चाणुव्रतधारिणो ऽपि नियतं यान्त्यिेव देवालयं
तिष्ठन्त्येव महर्द्धिकामरपद तत्रैव लब्ध्वा चिरम्
अत्रागत्य पुनः कुले ऽतिमहति प्राप्य प्रकृष्टं शुभा-
न्मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः
।।२४।।
અનુવાદ : તે ભવ્ય જીવ જો અણુવ્રતોના પણ ધારક હોય તોપણ મરીને
પછી સ્વર્ગમાં જ જાય છે અને અણિમા આદિ ૠદ્ધિ સંયુક્ત દેવપદ પ્રાપ્ત કરીને
દીર્ઘકાળ સુધી ત્યાં (સ્વર્ગમાં) જ રહે છે. ત્યાર પછી મહાન્ પુણ્યકર્મના ઉદયથી
મનુષ્યલોકમાં આવીને અને અતિશય પ્રશંસનીય કુળમાં ઉત્તમ મનુષ્ય થઈને વૈરાગ્ય
પ્રાપ્ત થયા થકા તેઓ સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થઈ જાય છે તથા આ ક્રમે
તેઓ અંતે મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. ૨૪.
(शार्दूलविक्रीडित)
पुंसो ऽर्थेषु चतुर्षु निश्चलतरो मोक्षः परं सत्सुखः
शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः
तस्मात्तत्पदसाधनत्वधरणो धर्मोऽपि नो संमतः
यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मन्यते
।।२५।।
અનુવાદ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં કેવળ મોક્ષ
પુરુષાર્થ જ સમીચીન (બાધા રહિત) સુખ યુક્ત હોઈને સદા સ્થિર રહે છે. બાકીના
ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજનોએ
છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપર્યુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે

Page 204 of 378
PDF/HTML Page 230 of 404
single page version

background image
તે પણ આપણને ઇષ્ટ છે. પરંતુ જે ધર્મ કેવળ ભોગાદિનું જ કારણ થાય છે તેને
વિદ્વાનો પાપ જ સમજે છે. ૨૫.
(शार्दूलविक्रीडित)
भव्यानामणुभिर्व्रतैरनणुभिः साध्योऽत्र मोक्षः परं
नान्यत्किंचिदिहैव निश्चयनयाज्जीवः सुखी जायते
सर्वं तु व्रतजातमीद्रशधिया साफल्यमेत्यन्यथा
संसाराश्रयकारणं भवति यत्तद्दुःखमेव स्फु टम् ।।२६।।
અનુવાદ : ભવ્ય જીવોએ અણુવ્રતો અને મહાવ્રતો દ્વારા અહીં કેવળ મોક્ષ
જ સિદ્ધ કરવા યોગ્ય છે, અન્ય કાંઈ પણ સિદ્ધ કરવા યોગ્ય નથી. કારણ એ છે
કે નિશ્ચયનયથી જીવ તે મોક્ષમાં જ સ્થિત થઈને સુખી થાય છે. તેથી આ જાતની
બુદ્ધિથી જે સર્વે વ્રતોનું પરિપાલન કરવામાં આવે છે તે સફળતા પામે છે તથા આનાથી
વિપરીત તેને કેવળ તે સંસારનું કારણ થાય છે જે પ્રત્યક્ષ જ દુઃખ સ્વરૂપ છે. ૨૬.
(शार्दूलविक्रीडित)
यत्कल्याणपरंपरार्पणपरं भव्यात्मनां संसृतौ
पर्यन्ते यदनन्तसौख्यसदनं मोक्षं ददाति ध्रुवम्
तज्जीयादतिदुर्लभं सुनरतामुख्यैर्गुणैः प्रापितं
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं देशव्रतोद्दयोतनम्
।।२७।।
અનુવાદ : શ્રીમાન્ પદ્મનન્દી મુનિ દ્વારા રચવામાં આવેલ જે દેશવ્રતોદ્યોતન
નામનું પ્રકરણ સંસારમાં ભવ્ય જીવોને કલ્યાણ પરંપરા આપવામાં તત્પર છે, અંતે
જે નિશ્ચયથી અનંત સુખના સ્થાનભૂત મોક્ષ આપે છે તથા જે ઉત્તમ મનુષ્ય પર્યાય
આદિ ગુણો વડે પ્રાપ્ત કરાવાય છે; એવું તે દુર્લભ દેશવ્રતોદ્યોતન જયવંત હો. ૨૭
.
આ રીતે દેશવ્રતઉદ્યોતન સમાપ્ત થયું. ૭.

Page 205 of 378
PDF/HTML Page 231 of 404
single page version

background image
૮. સિદ્ધસ્તુતિ
[८. सिद्धस्तुतिः ]
(शार्दूलविक्रीडित)
सूक्ष्मत्वादणुदर्शिनोऽवधिद्रशः पश्यन्ति नो यान् परे
यत्संविन्महिमस्थितं त्रिभुवनं खस्थं भमेकं यथा
सिद्धानामहमप्रमेयमहसां तेषां लघुर्मानुषो
मूढात्मा किमु वच्मि तत्र यदि वा भक्त्या महत्या वशः
।।।।
અનુવાદ : સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા
અવધિજ્ઞાની પણ જોઈ શકતા નથી તથા જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણે લોક આકાશમાં
સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું
વર્ણન શું મારા જેવો મૂર્ખ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી.
છતાં પણ જે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તે અતિશય ભક્તિને વશ
થઈને જ કરી રહ્યો છું. ૧.
(शार्दूलविक्रीडित)
निःशेषामरशेखराश्रितमणिश्रेण्यर्चिताङ्घ्रिद्वया
देवास्ते ऽपि जिना यदुन्नतपदप्राप्त्यै यतन्ते तराम्
सर्वेषामुपरि प्रवृद्धपरमज्ञानादिभिः क्षायिकैः
युक्ता न व्यभिचारिभिः प्रतिदिनं सिद्धान् नमामो वयम्
।।।।
અનુવાદ : જેમના બન્ને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલ મણિઓની
પંક્તિથી પૂજિત છે અર્થાત્ જેમના ચરણોમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે, એવા
તે તીર્થંકર જિનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન

Page 206 of 378
PDF/HTML Page 232 of 404
single page version

background image
કરે છે; જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય
વૃદ્ધિ પામેલા કેવળજ્ઞાનાદિસ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે; તે સિદ્ધોને અમે પ્રતિદિન
નમસ્કાર કરીએ છીએ. ૨.
(शार्दूलविक्रीडित)
ये लोकाग्रविलम्बिनस्तदधिकं धर्मास्तिकायं विना
नो याताः सहजस्थिरामललसद्
द्रग्बोधसन्मूर्तयः
संप्राप्ताः कृतकृत्यतामसद्रशाः सिद्धा जगन्मङ्गलं
नित्यानन्दसुधारसस्य च सदा पात्राणि ते पान्तु वः ।।।।
અનુવાદ : જે સિદ્ધ જીવો લોકશિખરને આશ્રિત છે, આગળ ધર્મ દ્રવ્યનો
અભાવ હોવાથી જે તેનાથી વધારે ઉપર ગયા નથી, જે અવિનશ્વર સ્વાભાવિક
નિર્મળ દર્શન (કેવળદર્શન) અને જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ અનુપમ શરીર ધારણ કરે
છે, જે કૃતકૃત્યસ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અનુપમ છે, જગતને માટે
મંગળસ્વરૂપ છે, તથા અવિનશ્વર સુખરૂપ અમૃતરસના પાત્ર છે; એવા તે સિદ્ધ
સદા તમારી રક્ષા કરો. ૩.
(शार्दूलविक्रीडित)
ये जित्वा निजकर्मकर्कशरिपून् प्राप्ताः पदं शाश्वतं
येषां जन्मजरामृतिप्रभृतिभिः सीमापि नोल्लङ्घयते
येष्वैश्वर्यमचिन्त्यमेकमसमज्ञानादिसंयोजितं
ते सन्तु त्रिजगच्छिखाग्रमणयः सिद्धा मम श्रेयसे
।।।।
અનુવાદ : જે સિદ્ધ પરમેષ્ઠી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને નિત્ય
(મોક્ષ) પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે; જન્મ, જરા અને મરણ આદિ પણ જેમની સીમા
ઓળંગી શકતા નથી, અર્થાત્ જે જન્મ, જરા અને મરણથી મુક્ત થઈ ગયા છે; તથા
જેમનામાં અસાધારણ જ્ઞાનાદિ દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંતચતુષ્ટયસ્વરૂપ
ઐશ્વર્યનો સંયોગ કરાવવામાં આવ્યો છે; એવા તે ત્રણે લોકના ચૂડામણિ સમાન સિદ્ધ
પરમેષ્ઠી મારૂં કલ્યાણ કરો. ૪.

Page 207 of 378
PDF/HTML Page 233 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
सिद्धो बोधमितिः स बोध उदितो ज्ञेयप्रमाणो भवेत्
ज्ञेयं लोकमलोकमेव च वदन्त्यात्मेति सर्वस्थितः
मूषायां मदनोज्झिते हि जठरे याद्रग् नभस्ताद्रशः
प्राक्कायात् किमपि प्रहीण इति वा सिद्धः सदानन्दति ।।।।
અનુવાદ : સિદ્ધ જીવ પોતાના જ્ઞાનપ્રમાણ છે અને તે જ્ઞાન જ્ઞેય (જ્ઞાનના
વિષય) પ્રમાણ કહેવામાં આવ્યું છે. તે જ્ઞેય પણ લોક અને અલોકસ્વરૂપ છે. તેથી
જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. બીબા (જેમાં ઢાળીને પાત્ર અને આભૂષણ વગેરે
બનાવવામાં આવે છે)માંથી મીણ જુદું પડી જતાં તેની અંદર જેવું શુદ્ધ આકાશ બાકી
રહી જાય છે એવા આકારને ધારણ કરનાર તથા પહેલાના શરીરથી કાંઈક અલ્પ
એવા તે સિદ્ધ પરમેષ્ઠી સદા આનંદનો અનુભવ કરે છે.
વિશેષાર્થ : સિદ્ધોનું જ્ઞાન અપરિમિત છે જે સમસ્ત લોક અને અલોકનો વિષય કરે
છે. આ રીતે લોક અને અલોકરૂપ અપરિમિત જ્ઞેયનો વિષય કરનાર તે જ્ઞાનથી આત્મા અભિન્ન
છે
તે સ્વરૂપ છે; આ જ અપેક્ષાએ આત્માને વ્યાપક કહેવામાં આવે છે. વાસ્તવમાં તો તે પૂર્વ
શરીરથી કાંઈક ન્યૂન રહીને પોતાના સીમિત ક્ષેત્રમાં જ રહે છે. પૂર્વના શરીરથી કાંઈક ન્યૂન કહેવાનું
કારણ એ છે કે શરીરના ઉપાંગભૂત જે નાસિકા વગેરેના છિદ્રાદિ હોય છે ત્યાં આત્મપ્રદેશોનો
અભાવ હોય છે. શરીરનો સંબંધ છૂટતાં અમૂર્તિક સિદ્ધાત્માનો આકાર કેવો રહે છે તે બતાવતાં
અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માટી વગેરેથી બનાવેલ પૂતળામાં મીણ ભરી દેવામાં
આવ્યું હોય, અને ત્યાર પછી તેને અગ્નિનાં સંયોગ પ્રાપ્ત થતાં જેમ તે મીણ ગળી જાય અને ત્યાં
તે આકારમાં શુદ્ધ આકાશ બાકી રહી જાય છે તેવી જ રીતે શરીરનો સંબંધ છૂટી જતાં તેના આકારે
શુદ્ધ આત્મપ્રદેશ બાકી રહી જાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
द्रग्बोधौ परमौ तदावृतिहतेः सौख्यं च मोहक्षयात्
वीर्यं विघ्नविघाततो ऽप्रतिहतं मूर्तिर्न नामक्षतेः
आयुर्नाशवशान्न जन्ममरणे गोत्रे न गोत्रं विना
सिद्धानां न च वेदनीयविरहाद्दुःखं सुखं चाक्षजम्
।।।।
અનુવાદ : સિદ્ધોને દર્શનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ દર્શન (કેવળદર્શન),
જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ જ્ઞાન (કેવળજ્ઞાન), મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ,

Page 208 of 378
PDF/HTML Page 234 of 404
single page version

background image
અંતરાયના વિનાશથી અનંતવીર્ય, નામકર્મના ક્ષયથી તેમને મૂર્તિનો અભાવ થઈને
અમૂર્તપણું (સૂક્ષ્મત્વ), આયુષ્ય કર્મ નષ્ટ થઈ જવાથી જન્મ
મરણનો અભાવ થઈ
અવગાહનત્વ, ગોત્ર કર્મ ક્ષીણ થઈ જવાથી ઉચ્ચ અને નીચ ગોત્રોનો અભાવ થઈને
અગુરુલઘુત્વ, તથા વેદનીય કર્મ નષ્ટ થઈ જવાથી ઇન્દ્રિયજન્ય સુખ
દુઃખનો અભાવ
થઈને અવ્યાબાધત્વ ગુણ પ્રગટ થાય છે. ૬.
(शार्दूलविक्रीडित)
यैर्दुःखानि समाप्नुवन्ति विधिवज्जानन्ति पश्यन्ति नो
वीर्यं नैव निजं भजन्त्यसुभृतो नित्यं स्थिताः संसृतौ
कर्माणि प्रहतानि तानि महता योगेन यैस्ते सदा
सिद्धा नित्यचतुष्टयामृतसरिन्नाथा भवेयुर्न किम्
।।।।
અનુવાદ : જે કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા દુઃખો પામ્યા
કરે છે, વિધિવત્ આત્મસ્વરૂપને જાણતો નથી, દેખતો નથી અને પોતાના સ્વાભાવિક વીર્ય
(સામર્થ્ય) નો પણ અનુભવ કરતો નથી; તે કર્મોને જે સિદ્ધોએ મહાન યોગ અર્થાત્
શુક્લધ્યાન દ્વારા નષ્ટ કરી દીધા છે તે સિદ્ધ ભગવાન અવિનશ્વર અનંતચતુષ્ટયરૂપ
અમૃતની નદીના અધિપતિ (સમુદ્ર) શું નહિ થાય? અર્થાત્ અવશ્ય થશે. ૭.
(शार्दूलविक्रीडित)
एकाक्षाद्बहुकर्मसंवृतमतेर्द्वयक्षादिजीवाः सुख-
ज्ञानाधिक्ययुता भवन्ति किमपि क्लेशोपशान्तेरिह
ये सिद्धास्तु समस्तकर्मविषमध्वान्तप्रबन्धच्युताः
सद्बोधाः सुखिनश्च ते कथमहो न स्युस्त्रिलोकाधिपाः
।।।।
અનુવાદ : સંસારમાં જે એકેન્દ્રિય જીવની બુદ્ધિ કર્મના ઘણા આવરણ સહિત
છે તેની અપેક્ષાએ દ્વીન્દ્રિય આદિ જીવ અધિક સુખી અને અધિક જ્ઞાનવાન્ છે કારણ
કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. તો પછી ભાઈ, જે સિદ્ધ જીવ
સમસ્ત કર્મરૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે તે ત્રણે લોકના અધિપતિ
થઈને ઉત્તમ જ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંત સુખ સંપન્ન કેમ ન હોય? અવશ્ય હોય.
વિશેષાર્થ : એકેન્દ્રિય જીવોને જેટલી અધિક માત્રામાં જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ છે
તેનાથી ઉત્તરોત્તર દ્વીન્દ્રિયાદિ જીવોને તે કાંઈક કમ છે. તેથી એકેન્દ્રિયોની અપેક્ષાએ દ્વીન્દ્રિય અને

Page 209 of 378
PDF/HTML Page 235 of 404
single page version

background image
તેની અપેક્ષાએ ત્રીન્દ્રિયાદિ જીવ ઉત્તરોત્તર અધિક જ્ઞાનવાન્ અને સુખી જોવામાં આવે છે. વળી
જો તે જ કર્મોનું આવરણ સિદ્ધોને પૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે તો પછી તેમને અનંતજ્ઞાની અને
અનંતસુખી થઈ જવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી. ૮.
(शार्दूलविक्रीडित)
यः केनाप्यतिगाढगाढमभितो दुःखप्रदैः प्रग्रहैः
बद्धोऽन्यैश्च नरो रुषा घनतरैरापादमामस्तकम्
एकस्मिन् शिथिले ऽपि तत्र मनुते सौख्यं स सिद्धाः पुनः
किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरैर्बन्धनैः
।।।।
અનુવાદ : જે મનુષ્ય કોઈ બીજા મનુષ્યદ્વારા ક્રોધને વશ થઈને પગથી માંડીને
મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દ્રઢતર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય
તે તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતાં સુખનો અનુભવ કરે છે. તો પછી જે
સિદ્ધ જીવ બાહ્ય અને અભ્યંતર બન્નેય બંધનોથી રહિત થઈ ગયા છે તેઓ શું સદા
સુખી નહિ હોય? અર્થાત્ અવશ્ય હશે. ૯.
(शार्दूलविक्रीडित)
सर्वज्ञः कुरुते परं तनुभृतः प्राचुर्यतः कर्मणां
रेणूनां गणनं किलाधिवसतामेकं प्रदेशं घनम्
इत्याशास्वखिलासु बद्धमहसो दुःखं न कस्मान्मह-
न्मुक्त स्यास्य तु सर्वत्रः किमिति नो जायेत सौख्यं परम्
।।१०।।
અનુવાદ : જીવના એક પ્રદેશમાં સઘનરૂપે સ્થિત કર્મોના પ્રચુર
પરમાણુઓની ગણતરી ફક્ત સર્વજ્ઞ જ કરી શકે છે. તો પછી જો બધી
દિશાઓમાં અર્થાત્ સર્વ તરફથી આ જીવનું આત્મતેજ કર્મોથી સંબદ્ધ (રોકાયેલું)
હોય તો તેને મહાન દુઃખ કેમ ન થાય? અવશ્ય થાય. એનાથી વિપરીત જે આ
સિદ્ધ જીવ બધી તરફથી જ ઉક્ત કર્મોથી રહિત થઈ ગયા છે તેમને ઉત્કૃષ્ટ સુખ
ન હોય શું? અર્થાત્ અવશ્ય હોય.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ સંસારી પ્રાણીને એક જ આત્મપ્રદેશે એટલા
બધા કર્મ પરમાણુ બંધાયેલા છે કે તેમની ગણતરી કેવળ સર્વજ્ઞ જ કરી શકે છે, આપણા

Page 210 of 378
PDF/HTML Page 236 of 404
single page version

background image
જેવા કોઈ અલ્પજ્ઞ જીવ નહિ. એવી રીતે આ જીવને બધા જ (અસંખ્યાત) આત્મપ્રદેશ તે
કર્મ પરમાણુઓથી બંધાયેલા છે. હવે ભલા વિચાર કરો કે આટલા અનંતાનંત કર્મ
પરમાણુઓથી બંધાયેલો આ સંસારી જીવ કેટલો બધો દુઃખી અને તે બધાથી રહિત થઈ
ગયેલા સિદ્ધ જીવ કેટલા બધા સુખી હશે. ૧૦.
(शार्दूलविक्रीडित)
येषां कर्मनिदानजन्यविविधक्षुत्तुण्मुखा व्याधयः
तेषामन्नजलादिकौषधगणस्तच्छान्तये युज्यते
सिद्धानां तु न कर्म तत्कृतरुजो नातः किमन्नादिभिः
नित्यात्मोत्थसुखामृताम्बुधिगतास्तृप्तास्त एव ध्रुवम्
।।११।।
અનુવાદ : જે જીવોને કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની ભૂખ
તરસ વગેરે વ્યાધિઓ થયા કરે છે તેમને આ વ્યાધિઓની શાંતિ માટે અન્ન, જળ
અને ઔષધ વગેરે લેવું ઉચિત છે. પરંતુ જે સિદ્ધ જીવોને ન કર્મ છે અને તેથી ન
તેનાથી ઉત્પન્ન થતી વ્યાધિઓ પણ છે તેમને આ અન્નાદિ વસ્તુઓથી શું પ્રયોજન
છે? અર્થાત્ તેમને આનું કાંઈપણ પ્રયોજન રહ્યું નથી. તેઓ તો નિશ્ચયથી અવિનશ્વર
આત્મમાત્રજન્ય (અતીન્દ્રિય) સુખરૂપી અમૃતના સમુદ્રમાં મગ્ન રહીને સદાય તૃપ્ત રહે
છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
सिद्धज्योतिरतीव निर्मलतरज्ञानैकमूर्ति स्फु रद्-
वर्तिर्दीपमिवोपसेव्य लभते योगी स्थिरं तत्पदम्
सद्बुध्याथ विकल्पजालरहितस्तद्रूपतामापतं-
स्ता
द्रग्जायत एव देवविनुतस्त्रैलोक्यचूडामणिः ।।१२।।
અનુવાદ : જેવી રીતે બત્તી દીપકની સેવા કરીને તેનું પદ પ્રાપ્ત કરી લે
છે, અર્થાત્ દીપક સ્વરૂપે પરિણમી જાય છે તેવી જ રીતે અત્યંત નિર્મળ જ્ઞાનરૂપ
અસાધારણ મૂર્તિસ્વરૂપ સિદ્ધજ્યોતિની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર
પદ (સિદ્ધપદ) ને પ્રાપ્ત કરી લે છે. અથવા તે સમ્યગ્જ્ઞાન દ્વારા વિકલ્પોથી રહિત
થયા થકા સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થઈને એવા થઈ જાય છે કે ત્રણે લોકના ચૂડામણિ
રત્ન સમાન તેમને દેવો પણ નમસ્કાર કરે છે. ૧૨.

Page 211 of 378
PDF/HTML Page 237 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
यत्सूक्ष्मं च महच्च शून्यमपि यन्नो शून्यमुत्पद्यते
नश्यत्येव च नित्यमेव च तथा नास्त्येव चास्त्येव च
एकं यद्यदनेकमेव तदपि प्राप्तं प्रतीतिं द्रढां
सिद्धज्योतिरमूर्ति चित्सुखमयं केनापि तल्लक्ष्यते ।।१३।।
અનુવાદ : જે સિદ્ધજ્યોતિ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, શૂન્ય પણ
છે અને પરિપૂર્ણ પણ છે, ઉત્પાદવિનાશવાળી પણ છે અને નિત્ય પણ છે,
સદ્ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે તથા એક પણ છે અને અનેક પણ
છે; એવી તે દ્રઢ પ્રતીતિને પ્રાપ્ત થયેલી અમૂર્તિક, ચેતન અને સુખસ્વરૂપ સિદ્ધજ્યોતિ
કોઈ વિરલા જ યોગી પુરુષદ્વારા દેખવામાં આવે છે.
વિશેષાર્થ : અહીં જે સિદ્ધજ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતાં અનેક ધર્મોથી સંયુક્ત
બતાવવામાં આવેલ છે તે વિવક્ષાભેદથી બતાવેલ છે. જેમ કેતે સિદ્ધજ્યોતિ અતીન્દ્રિય છે માટે
જ સૂક્ષ્મ કહેવાય છે. પરંતુ તેમાં અનંતાનંત પદાર્થ પ્રતિભાસે છે તેથી એ અપેક્ષાએ તે સ્થૂળ પણ
કહેવાય છે. તે પર (પુદ્ગલાદિ) દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય તથા અનંતચતુષ્ટય
સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી
ઉત્પાદ
વિનાશવાળી તથા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે.
પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે સદ્ભાવ સ્વરૂપ તથા પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને
કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાસિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે એવી
તે સિદ્ધજ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન
જ તેનું ચિંતન કરે છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
स्याच्छब्दामृतगर्भितागममहारत्नाकरस्नानतो
धौता यस्य मतिः स एव मनुते तत्त्वं विमुक्तात्मनः
तत्तस्यैव तदेव याति सुमतेः साक्षादुपादेयतां
भेदेन स्वकृतेन तेन च विना स्वं रूपमेकं परम्
।।१४।।
અનુવાદ : ‘સ્યાત્’ શબ્દરૂપ અમૃતથી ગર્ભિત આગમ (અનેકાન્ત સિદ્ધાંત)

Page 212 of 378
PDF/HTML Page 238 of 404
single page version

background image
રૂપી મહાસમુદ્રમાં સ્નાન કરવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે તે જ સિદ્ધ
આત્માનું રહસ્ય જાણી શકે છે. તેથી તે જ સુબુદ્ધિ જીવને જ્યાંસુધી પોતાની જાતે
કરવામાં આવેલા ભેદ (સંસારી અને મુક્ત સ્વરૂપ) વિદ્યમાન છે, ત્યાં સુધી તે જ
સિદ્ધસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) થાય છે. ત્યાર પછી ઉપર્યુક્ત
ભેદબુદ્ધ નષ્ટ થઈ જતાં કેવળ એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિભાસિત થાય
છે
તે વખતે તે ઉપાદાન
ઉપાદેય ભાવ પણ નષ્ટ થઈ જાય છે.
વિશેષાર્થ : આ ભવ્ય જીવ જ્યારે અનેકાન્તમય પરમાગમનો અભ્યાસ કરે છે ત્યારે
તે વિવેકબુદ્ધિ પામીને સિદ્ધોનું યથાર્થ સ્વરૂપ જાણી લે છે. તે વખતે તે પોતાની જાતને કર્મકલંકથી
લિપ્ત જાણીને તે જ સિદ્ધસ્વરૂપને ઉપાદેય (ગ્રાહ્ય) માને છે. પરંતુ જેવું તેને સ્વરૂપાચરણ પ્રગટ
થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિષયક ભેદબુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે
તે વખતે
તેને ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનો ભેદ જ રહેતો નથી. ત્યારે તેને સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત
એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે. ૧૪.
(शार्दूलविक्रीडित)
द्रष्टिस्तत्त्वविदः करोत्यविरतं शुद्धात्मरूपे स्थिता
शुद्धं तत्पदमेकमुल्बणमतेरन्यत्र चान्याद्रशम्
स्वर्णात्तन्मयमेव वस्तु घटितं लोहाच्च मुक्त्यर्थिना
मुक्त्वा मोहविजृम्भितं ननु पथा शुद्धेन संचर्यताम्
।।१५।।
અનુવાદ : નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્ત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિ નિરંતર
શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને એક માત્ર શુદ્ધ આત્મપદ અર્થાત્ મોક્ષપદને કરે
છે. પરંતુ અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મસ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત
થઈને સંસાર વધારે છે. ઠીક છે
સોનામાંથી બનાવાયેલ વસ્તુ (કટકકુંડળ આદિ)
સુવર્ણમય તથા લોઢામાંથી બનાવાયેલ વસ્તુ (છરી આદિ) લોહમય જ હોય છે.
તેથી મુમુક્ષુ જીવે મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ
સમૂહને છોડીને શુદ્ધ મોક્ષમાર્ગમાં
ચાલવું જોઈએ. ૧૫.
(शार्दूलविक्रीडित)
निर्दोषश्रुतचक्षुषा षडपि हि द्रव्याणि द्रष्ट्वा सुधी-
रादत्ते विशदं स्वमन्यमिलितं स्वर्णं यथा धावकः

Page 213 of 378
PDF/HTML Page 239 of 404
single page version

background image
यः कश्चित् किल निश्चिनोति रहितः शास्त्रेण तत्त्वं परं
सोऽन्धो रूपनिरूपणं हि कुरुते प्राप्तो मनःशून्यताम्
।।१६।।
અનુવાદ : જેવી રીતે સોની તાંબા વગેરેથી મિશ્રિત સોનું જોઈને તેમાંથી તાંબા
વગેરેને જુદુ કરીને શુદ્ધ સુવર્ણનું ગ્રહણ કરે છે તેવી જ રીતે વિવેકી પુરુષ નિર્દોષ
આગમરૂપ નેત્રથી છ યે દ્રવ્યોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્ત્વનું ગ્રહણ કરે છે.
જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન
(વિવેક) રહિત હોવા છતાં ય રૂપનું અવલોકન કરવા ઇચ્છનાર અંધ સમાન છે. ૧૬.
(शार्दूलविक्रीडित)
यो हेयेतरबोधसंभृतमतिर्मुञ्चन् स हेयं परं
तत्त्वं स्वीकुरुते तदेव कथितं सिद्धत्वबीजं जिनैः
नान्यो भ्रान्तिगतः स्वतोऽथ परतो हेये परेऽर्थेऽस्य तद्
दुष्प्रापं शुचि वर्त्म येन परमं तद्धाम संप्राप्यते
।।१७।।
અનુવાદ : જેની બુદ્ધિ હેય અને ઉપાદેય તત્ત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે તે
ભવ્ય જીવ હેય પદાર્થ છોડીને ઉપાદેયભૂત ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે કારણ
કે જિનેન્દ્રદેવે તેને જ મુક્તિનું બીજ બતાવ્યું છે. એનાથી વિપરિત જે જીવ હેય અને
ઉપાદેય તત્ત્વના વિષયમાં સ્વતઃ અથવા પરના ઉપદેશથી ભ્રમને પ્રાપ્ત થાય છે, તે
ઉક્ત આત્મતત્ત્વનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તેને તે નિર્મળ મોક્ષમાર્ગ દુર્લભ
થઈ જાય છે કે જેના દ્વારા તે ઉત્કૃષ્ટ મોક્ષપદ પ્રાપ્ત કરાય છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
साङ्गोपाङ्गमपि श्रुतं बहुतरं सिद्धत्वनिष्पत्तये
ये ऽन्यार्थं परिकल्पयन्ति खलु ते निर्वाणमार्गच्युताः
मार्गं चिन्तयतो ऽन्वयेन तमतिक्रम्यापरेण स्फु टं
निःशेषं श्रुतमेति तत्र विपुले साक्षाद्विचारे सति
।।१८।।
અનુવાદ : અંગો અને ઉપાંગો સહિત પુષ્કળ શ્રુત (આગમ) મુક્તિની પ્રાપ્તિનું
સાધન છે. જે જીવ તે શ્રુતની અન્ય સાંસારિક પ્રયોજનો માટે કલ્પના કરે છે તેઓ ખરેખર

Page 214 of 378
PDF/HTML Page 240 of 404
single page version

background image
મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે. તેનું અતિક્રમણ કરીને (અન્ય સાંસારિક પ્રયોજનો છોડીને) અપર
અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા (પરંપરાગત દ્રવ્યશ્રુત વડે) જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન
કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતાં, સમસ્ત શ્રુત સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
निःशेषश्रुतसंपदः शमनिधेराराधनायाः फलं
प्राप्तानां विषये सदैव सुखिनामल्पैव मुक्तात्मनाम्
उक्ता भक्तिवशान्मयाप्यविदुषा या सापि गीः सांप्रतं
निःश्रेणिर्भवतादनन्तसुखतद्धामारुरुक्षोर्मम
।।१९।।
અનુવાદ : જે સમસ્ત શ્રુતરૂપ સંપત્તિ સહિત અને શાંતિના સ્થાનભૂત એવા
આત્મતત્ત્વની આરાધનાના ફળને પ્રાપ્ત થઈને શાશ્વત સુખ પામી ચુક્યા છે એવા તે
મુક્તાત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિવશે થોડું કાંઈક કથન કર્યું છે
તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઇચ્છા કરનાર એવા મારા
માટે નિસરણી સમાન થાવ. ૧૯.
(शार्दूलविक्रीडित)
विश्वं पश्यति वेत्ति शर्म लभते स्वोत्पन्नमात्यन्तिकं
नाशोत्पत्तियुतं तथाप्यविचलं मुक्त्यर्थिनां मानसे
एकीभूतमिदं वसत्यविरतं संसारभारोज्झितं
शान्तं जीवघनं द्वितीयरहितं मुक्तात्मरूपं महः
।।२०।।
અનુવાદ : આ સિદ્ધાત્મારૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે, માત્ર આત્માથી
ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે, નાશ અને ઉત્પાદ યુક્ત હોવા છતાં પણ નિશ્ચળ
(ધ્રુવ) છે, મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, સંસારના ભારરહિત
છે, શાન્ત છે, સઘન આત્મપ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. ૨૦
(शार्दूलविक्रीडित)
त्यक्त्वान्यासनयप्रमाणविवृतीः सर्वं पुनः कारकं
संबन्धं च तथा त्वमित्यहमिति प्रायान् विकल्पानपि