Page 15 of 378
PDF/HTML Page 41 of 404
single page version
भवति तरलचक्षुर्व्याकुलो यः स लोकः
मृगमकृतविकारं ज्ञातदुःखोऽपि हन्ति
પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર
આનંદની ખોજમાં ક્રોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર
ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? ૨૬.
नूनं वञ्चयते स तानपि भृशं जन्मान्तरे ऽप्यत्र च
नित्यं वञ्चनहिंसनोज्झनविधौ लोकाः कुतो मुह्यत
છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માન્તરમાં અને આ જન્મમાં પણ અવશ્ય
ઠગે છે. આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમ જ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે
સાંભળવામાં આવે છે. છતાં લોકો હંમેશાં દગાબાજી અને હિંસાનો ત્યાગ કરવામાં
કેમ મોહ પામે છે? અર્થાત્ તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો
પરિત્યાગ સદા માટે અવશ્ય કરી દેવો જોઈએ. ૨૭.
नूनं ते नरकं व्रजन्ति पुरतः पापव्रजादन्यतः
Page 16 of 378
PDF/HTML Page 42 of 404
single page version
यावान् दुःखभरो नरे न मरणे तावानिह प्रायशः
છે. કારણ એ છે કે પ્રાણીઓમાં પ્રાણ ધનના નિમિત જ રહે છે, ધન નષ્ટ થઈ જતાં
મનુષ્યને જેટલું અધિક દુઃખ થાય છે તેટલું ઘણું કરીને મરતી વખતે પણ થતું નથી. ૨૮.
श्वभ्रे भावि यदग्निदीपितवपुर्लोहाङ्गनालिङ्गनात्
આઘાત, રોગ વેદના અને મરણરૂપ દુઃખ પ્રાપ્ત થાય છે; એ તો દૂર રહો, પરંતુ
પરસ્ત્રી સેવનજનિત પાપના પ્રભાવથી અન્ય જન્મમાં નરકગતિ પ્રાપ્ત થતાં અગ્નિમાં
તપાવેલા લોહમય સ્ત્રીઓના આલિંગનથી જે ચિરકાળ સુધી ઘણું દુઃખ પ્રાપ્ત થવાનું
છે તે તરફ પણ તેનું ધ્યાન જતું નથી, એ કેટલા આશ્ચર્યની વાત છે. ૨૯.
मा भून्मित्रसहायसंपदपि सा तज्जन्म यातु क्षयम्
स्वप्ने ऽपि स्थितिलङ्घनात्परधनस्त्रीषु प्रसक्तं मनः
પૌરુષને ધિક્કાર છે તે અયોગ્ય વિચાર અને તે અયોગ્ય ગુણ દૂર જ રહો, એવા
Page 17 of 378
PDF/HTML Page 43 of 404
single page version
અભિપ્રાય એ છે કે જો ઉપર્યુક્ત સામગ્રી હોતાં લોકોનું મન લોકમર્યાદા
છોડીને પરધન અને પરસ્ત્રીમાં આસક્ત થાય છે તો તે બધી સામગ્રી ધિક્કારવા
યોગ્ય છે. ૩૦.
चारुः कामुकया मृगान्तकतया स ब्रह्मदत्तो नृपः
एकैकव्यसनाहता इति जनाः सर्वैर्न को नश्यति
બ્રાહ્મણ તથા પરસ્ત્રીદોષથી રાવણ; આ રીતે એક એક વ્યસનના સેવનથી આ સાતેય
જણ મહાન કષ્ટ પામ્યા છે. તો પછી જે બધા વ્યસનોનું સેવન કરે છે તેનો વિનાશ
કેમ ન થાય? અવશ્ય થાય.
છે. તેમનું વર્ણન આગળ થઈ ગયું છે. એમાંથી કેવળ એક એક વ્યસનમાં જ તત્પર રહેવાથી જે
યુધિષ્ઠિર આદિ મહાન દુઃખ પામ્યા છે, તેમના નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવ્યો છે.
સંક્ષેપમાં તેમની કથા આ રીતે છે.
અને અંબાથી વિદુર ઉત્પન્ન થયા હતા. એમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન આદિ સો પુત્ર તથા પાંડુને
યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ નામના પાંચ પુત્ર હતા. પાંડુ રાજા સ્વર્ગવાસી થયા
પછી કૌરવો અને પાંડવોમાં રાજ્ય નિમિત્તે પરસ્પર વિવાદ થવા લાગ્યો હતો. એક વખત યુધિષ્ઠિર
દુર્યોધન સાથે ધૃતક્રીડા કરવા તૈયાર થયા. તેઓ તેમાં બધી સંપત્તિ હારી ગયા. અંતે તેમણે દ્રૌપદી
આદિને પણ દાવમાં મૂકી અને દુર્યોધને એને પણ જીતી લીધી. તેથી દ્રૌપદીને અપમાનિત થવું પડ્યું
તથા કુંતી અને દ્રૌપદી સાથે પાંચે ભાઈઓને બાર વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. તે સિવાય તેમને
જુગારના વ્યસનને કારણે બીજા પણ અનેક દુઃખ સહેવા પડ્યા.
Page 18 of 378
PDF/HTML Page 44 of 404
single page version
અષ્ટાહ્નિકા પર્વ આવતાં જીવહિંસા ન કરવાની ઘોષણા કરાવતા હતા. તેણે માંસભક્ષી પોતાના પુત્રની
પ્રાર્થનાથી કેવળ એક પ્રાણીની હિંસાની છૂટ આપીને તેને પણ બીજા પ્રાણીની હિંસા ન કરવાનો
નિયમ કરાવ્યો હતો. તે પ્રમાણે જ તેણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એક વખતે રસોઈયો
માંસ મૂકીને કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ચાલ્યો ગયો હતો. એટલામાં એક બિલાડી તે માંસ ખાઈ
ગઈ હતી. રસોઇયાને તેથી ખૂબ ચિંતા થઈ, તે વ્યાકુળ થઈને માંસની શોધમાં શહેરની બહાર ગયો.
તેણે એક મરેલા બાળકને જમીનમાં દાટતા જોયું. તક મેળવીને તે તેને કાઢી લાવ્યો અને તેનું માંસ
રાંધીને બક રાજકુમારને ખવરાવી દીધું, તે દિવસનું માંસ તેને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું. બકે કોઈ પણ
ઉપાયે રસોઇયા પાસેથી યથાર્થ સ્થિતિ જાણી લીધી. તેણે દરરોજ આ જ પ્રકારનું માંસ ખવરાવવા
માટે રસોઇયાને ફરજ પાડી. બિચારો રસોઇયો રોજ ચણા અને લાડુ વગેરે લઈને જતો અને કોઈ
એક બાળકને ફોસલાવીને લઈ આવતો. તેથી નગરમાં બાળકો ઘટવા માંડ્યા. નગરજનો તેથી ખૂબ
ચિંતાતુર થઈ ગયા હતા. છેવટે એક દિવસે તે રસોઇયાને બાળક સાથે પકડી લેવામાં આવ્યો.
લોકોએ તેને ઢીંકા પાટુ મારવાનું શરૂ કરી દીધું. તેથી ગભરાઈને તેણે સાચી વસ્તુ જણાવી દીધી.
તે દરમ્યાન પિતા દીક્ષિત થઈ જવાથી બકને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ ગઈ હતી. નગરજનોએ મળીને
તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યો. તે શહેરની બહાર રહીને મરેલા મનુષ્યોના મડદા ખાવા લાગ્યો. જ્યારે
કોઈવાર તેને જો જીવતો માણસ મળી જતો તો તે તેને પણ ખાઈ જતો. લોકો તેને રાક્ષસ કહેવા
લાગ્યો હતા. છેવટે તેને કોઈ રીતે વસુદેવે મારી નાખ્યો હતો. તેને માંસ ભક્ષણના વ્યસનથી આ
રીતે દુઃખ સહેવું પડ્યું.
માટે ગિરનાર પર્વત ઉપર પહોંચ્યા હતા, ધર્મશ્રવણના અંતે બળદેવે પૂછ્યું કે ભગવન્! આ
દ્વારકાપુરી કુબેરે બનાવી છે. તેનો નાશ ક્યારે અને કેવી રીતે થશે? ઉત્તરમાં ભગવાન નેમિજિન
બોલ્યા કે આ નગર મદ્યના નિમિત્તે બાર વર્ષમાં દ્વીપાયનકુમાર દ્વારા ભસ્મીભૂત થશે. આ
સાંભળીને રોહિણીનો ભાઈ દ્વીપાયનકુમાર દીક્ષિત થઈ ગયો અને આ અવધિ પૂરી કરવા માટે
પૂર્વદેશમાં જઈને તપ કરવા લાગ્યો. ત્યાર પછી તે દ્વીપાયનકુમાર ભ્રમથી ‘હવે બાર વર્ષ વીતી
ગયા’ એમ સમજીને ફરીથી પાછો આવી ગયો અને દ્વારકાની બહાર પર્વત પાસે તપ કરવા
લાગ્યો. અહીં જિનવચન અનુસાર મદ્યને દ્વારકાદહનનું કારણ સમજીને કૃષ્ણે પ્રજાને મદ્ય અને
તેની સાધનસામગ્રીને પણ દૂર ફેંકી દેવાનો આદેશ આપ્યો હતો. તે પ્રમાણે દારૂ પીનારાઓએ મદ્ય
અને તેના સાધનો કાદંબ પર્વત પાસે એક ખાડામાં ફેંકી દીધા હતા. એ જ સમયે શંબુ આદિ
રાજકુમારો વનક્રીડા માટે ત્યાં ગયા હતા. તેમણે તરસથી પીડાઈને પહેલા ફેંકી દીધેલ તે મદ્યને
Page 19 of 378
PDF/HTML Page 45 of 404
single page version
હતા. તેમણે માર્ગમાં દ્વીપાયન મુનિને ઉભેલા જોઈને તેમને દ્વારિકાના બાળનાર સમજીને તેમના
ઉપર પથ્થર ફેંકવા શરૂ કર્યા. જેથી ક્રોધવશ મરણ પામીને તે અગ્નિકુમાર દેવ થયા. તેણે ચારે
બાજુથી દ્વારિકાપુરીને અગ્નિથી પ્રજ્વલિત કરી દીધી. આ દુર્ઘટનામાં કૃષ્ણ અને બળદેવ સિવાય
બીજું કોઈ પણ પ્રાણી જીવિત રહી શક્યું નહિ. આ બધું મદ્યપાનના દોષથી થયું હતું.
થયો જેનું નામ ચારુદત્ત રાખવામાં આવ્યું, તેને બાળપણમાં જ અણુવ્રતની દીક્ષા આપવામાં આવી
હતી. તેનો વિવાહ મામા સર્વાર્થની પુત્રી મિત્રવતી સાથે થયો હતો. ચારુદત્તને શાસ્ત્રનું વ્યસન હતું,
તેથી પત્ની પ્રત્યે તેને જરા પણ પ્રેમ નહોતો. ચારુદત્તની માતાએ તેને કામભોગમાં આસક્ત કરવા
માટે રુદ્રદત્ત (ચારૂદત્તના કાકા) ને પ્રેરણા કરી. તે કોઈ પણ બહાને ચારુદત્તને કલિંગસેના વેશ્યાને
ત્યાં લઈ ગયો. તેને એક વસન્તસેના નામની સુંદર પુત્રી હતી. ચારુદત્તને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો.
તેનામાં આસક્ત હોવાથી કલિંગસેનાએ વસન્તસેના સાથે ચારૂદત્તના લગ્ન કરી દીધા હતા. તે
વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રહ્યો. તેનામાં અત્યંત આસક્ત હોવાથી જ્યારે ચારૂદત્તે કદી માતા, પિતા
અને પત્નીને પણ યાદ ન કરી તો પછી બીજા કામની બાબતમાં શું કહેવાય? આ દરમ્યાન
કલિંગસેનાને ત્યાં ચારુદત્તના ઘરેથી સોળ કરોડ દીનાર આવી ગઈ હતી. ત્યાર પછી જ્યારે
કલિંગસેનાએ મિત્રવતીના આભૂષણો પણ આવતા જોયા ત્યારે તેણે વસન્તસેનાને ધનહીન ચારુદત્તને
છોડી દેવાનું કહ્યું. માતાના આ વચનો સાંભળીને વસન્તસેનાને અત્યન્ત દુઃખ થયું. તેણે કહ્યું હે
માતા! ચારુદત્ત સિવાય હું કુબેર જેવા સંપત્તિવાન બીજા પુરુષને ચાહતી નથી. માતાએ પુત્રીનો
દુરાગ્રહ જોઈને અન્ય ઉપાય વડે ચારૂદત્તને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તેણે ઘેર
જઈને દુઃખમાં સમય વીતાવતી માતા અને પત્નીને જોઈ તેમને આશ્વાસન આપીને ચારુદત્ત ધન
મેળવવા માટે બીજા દેશમાં ચાલ્યો ગયો. તે અનેક દેશો અને દ્વીપોમાં ગયો, પરંતુ બધે તેને મહાન
કષ્ટોનો સામનો કરવો પડ્યો. અંતે તે પૂર્વના ઉપકારી બે દેવોની સહાયથી મહાન વૈભવ સહિત
ચંપાપુરીમાં પાછો આવી ગયો. તેણે વસન્તસેનાને પોતાને ઘેર બોલાવી લીધી. પછી મિત્રવતી અને
વસન્તસેના આદિ સાથે સુખપૂર્વક કેટલોક કાળ વીતાવીને ચારુદત્તે જિનદીક્ષા લઈ લીધી. આ રીતે
તપશ્ચરણ કરતો થકો તે મરણ પામીને સર્વાર્થસિદ્ધિમાં દેવ થયો. જે વેશ્યા વ્યસનને કારણે ચારુદત્તને
અનેક કષ્ટ સહન કરવા પડ્યા તેને વિવેકી જીવોએ સદાને માટે છોડી દેવા જોઈએ.
ત્યાં એક શિલા ઉપર ધ્યાન સ્થિત મુનિને જોયા. તેથી તેનું શિકારનું કામ નિષ્ફળ થઈ ગયું. તે
બીજે દિવસે પણ ઉક્ત વનમાં શિકાર કરવા માટે ગયો, પરંતુ મુનિના પ્રભાવથી ફરીથી પણ તેને
Page 20 of 378
PDF/HTML Page 46 of 404
single page version
સફળતા ન મળી શકી. તેથી તેને મુનિ ઉપર અતિશય ક્રોધ ઉત્પન્ન થયો. કોઈ એક દિવસ જ્યારે
મુનિ આહાર માટે નગરમાં ગયા હતા ત્યારે બ્રહ્મદત્તે અવસર જોઈને તે શિલાને અગ્નિથી બાળી
નાખી. એ દરમ્યાન મુનિરાજ પણ ત્યાં પાછા આવ્યા અને ઝડપથી તે બળતી શિલા ઉપર બેસી
ગયા. તેમણે ધ્યાન છોડ્યું નહિ, તેથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ અંતઃકૃત્ કેવળી થઈને
મુક્તિ પામ્યા. અહીં બ્રહ્મદત્ત રાજા શિકારના વ્યસન અને મુનિના તીવ્રદ્વેષના કારણે સાતમી
નરકમાં નારકી થયો. ત્યાર પછી વચ્ચે વચ્ચે ક્રૂર હિંસક તિર્યંચ થઈને ક્રમપૂર્વક છઠ્ઠી અને પાંચમી
આદિ બાકીની નરકભૂમિમાં પણ ગયો. શિકારના વ્યસનમાં આસકત હોવાથી પ્રાણીઓને આવા
જ ભયાનક કષ્ટ સહન કરવા પડે છે.
પૃથ્વી પર ‘સત્યઘોષ’ નામે પ્રસિદ્ધ થઈ ગયો હતો. તેણે પોતાની યજ્ઞોપવીતમાં એક છરી બાંધી
રાખી હતી. તે કહ્યા કરતો કે જો હું કદાચ જૂઠું બોલું તો આ છરીથી મારી જીભ કાપી નાખીશ.
આ વિશ્વાસથી ઘણા માણસો એની પાસે સાચવવા માટે પોતાનું ધન રાખતા હતા. કોઈ એક દિવસે
પદ્મપુરથી એક ધનપાળ નામનો શેઠ આવ્યો અને એની પાસે પોતાના અત્યંત કિંમતી ચાર રત્નો
રાખીને વ્યાપાર માટે પરદેશમાં ચાલ્યો ગયો. તે બાર વર્ષ વિદેશમાં રહીને અને ઘણું ધન કમાઈને
પાછો આવી રહ્યો હતો. રસ્તામાં તેની નાવ ડૂબી ગઈ અને બધું ધન નાશ પામ્યું. આ રીતે તે
ધનહીન થઈને બનારસ પાછો પહોંચ્યો. તેણે શિવભૂતિ પુરોહિત પાસે પોતાના ચાર રત્નો પાછા
માગ્યાં. પુરોહિતે ગાંડો ગણાવીને તેને ઘરમાંથી બહાર કઢાવી મૂક્યો. ગાંડો સમજીને જ તેની વાત
રાજા વગેરે કોઈએ પણ ન સાંભળી. એક દિવસ રાણીએ તેની વાત સાંભળવા માટે રાજાને આગ્રહ
કર્યો. રાજાએ તેને પાગલ કહ્યો તે સાંભળીને રાણીએ કહ્યું કે પાગલ તે નથી પણ તમે જ છો.
ત્યાર પછી રાજાની આજ્ઞા પ્રમાણે રાણીએ તેને માટે કાંઈક ઉપાય વિચાર્યો. તેણે પુરોહિત સાથે
જુગાર રમતાં તેની વીંટી અને છરી સહિત યજ્ઞોપવીત પણ જીતી લીધી અને તેને ઓળખાણની
નિશાની તરીકે પુરોહિતની સ્ત્રી પાસે મોકલીને તે ચારેય રત્નો મંગાવી લીધા. રાજાને શિવભૂતિના
આ વ્યવહારથી ખૂબ દુઃખ થયું. રાજાએ તેને છાણનું ભક્ષણ, મુષ્ટિઓનો પ્રહાર અથવા પોતાના
દ્રવ્યનું સમર્પણ આ ત્રણમાંથી કોઈ પણ એક દંડ સહન કરવાની ફરજ પાડી. તે પ્રમાણે તે છાણ
ખાવા તૈયાર થયો પરંતુ ખાઈ ન શક્યો. તેથી મુષ્ટિના પ્રહારની ઇચ્છા પ્રગટ કરી. તે પ્રમાણે મલ્લોએ
મુષ્ટિઓનો પ્રહાર કરતાં તે મરી ગયો અને રાજાના ભંડારમાં સર્પ થયો. આ રીતે તેને ચોરીના
વ્યસનના કારણે આ કષ્ટ સહન કરવું પડ્યું.
Page 21 of 378
PDF/HTML Page 47 of 404
single page version
સફેદ દેખાયો. તેથી તેમને ઘણો વૈરાગ્ય થયો. તેમણે રામચંદ્રને રાજ્ય આપીને જિનદીક્ષા લેવાનો
નિશ્ચય કર્યો. પિતાની સાથે ભરતનો પણ દીક્ષા લેવાનો વિચાર જાણીને તેની માતા કૈકેયી બહુ
દુઃખી થઈ. તેણીએ એનો એક ઉપાય વિચારીને રાજા દશરથ પાસે પૂર્વે અપાયેલું વરદાન માગ્યું.
રાજાનો સ્વીકાર મેળવીને તેણે ભરતને રાજ્ય આપવાની ઇચ્છા પ્રગટ કરી. રાજા વિચારમાં પડી
ગયા. તેમને ખેદખિન્ન જોઈને રામચંદ્રે મંત્રીઓને તેનું કારણ પૂછ્યું અને તેમની પાસેથી ઉપર્યુક્ત
સમાચાર જાણીને પોતે જ ભરતને પ્રસન્નતાથી રાજ્યતિલક કરી દીધું. ત્યાર પછી ‘મારા અહીં
રહેવાથી ભરતની પ્રતિષ્ઠા નહિ રહી શકે’ આ વિચારથી તે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યાથી
બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે જતાં તેઓ દંડકવનની મધ્યમાં પહોંચીને ત્યાં સ્થિર થયા. અહીં
વનની શોભા જોતાં લક્ષ્મણ આમ તેમ ઘૂમી રહ્યા હતા. તેમને એક વાંસોના સમૂહમાં લટકતું
એક ખડ્ગ (ચન્દ્રહાસ) જોવામાં આવ્યું. તેમણે ઝડપીને તે હાથમાં લઈ લીધું અને પરીક્ષા માટે
તે જ વાંસના સમૂહ ઉપર ચલાવ્યું. તેથી વાસના સમૂહ સાથે તેની અંદર બેઠેલા શંબૂકકુમારનું
મસ્તક કપાઈને જુદું થઈ ગયું. આ શંબૂકકુમાર જ તેને અહીં બેસીને બાર વર્ષથી સિદ્ધ કરી
રહ્યો હતો. આ ઘટનાના થોડા જ સમય પછી ખરદૂષણની પત્ની અને શમ્બૂકની માતા સૂર્પનખા
ત્યાં આવી પહોંચી. પુત્રની આવી દશા જોઈને તે વિલાપ કરતી આમ તેમ શત્રુની શોધ કરવા
લાગી. તે થોડે જ દૂર રામચંદ્ર અને લક્ષ્મણને જોઈને તેમના રૂપ ઉપર મોહિત થઈ ગઈ.
તેણીએ એ માટે બંનેને પ્રાર્થના કરી, પરંતુ જ્યારે બન્નેમાંથી કોઈએ પણ તેનો સ્વીકાર ન કર્યો
ત્યારે તે પોતાનું શરીર વિકૃત કરીને ખરદૂષણ પાસે પહોંચી અને તેને યુદ્ધ માટે ઉત્તેજિત કર્યો.
ખરદૂષણ પણ પોતાના સાળા રાવણને એને સૂચના કરાવીને યુદ્ધ માટે નીકળી પડ્યો. સેના
સહિત ખરદૂષણને આવતો જોઈને લક્ષ્મણ પણ યુદ્ધ માટે ચાલી નીકળ્યો. તે જતી વખતે
રામચંદ્રને એમ કહેતા ગયા કે હું વિપત્તિગ્રસ્ત થઈને સિંહનાદ કરૂં તો જ તમે મારી સહાય માટે
આવજો, નહિ તો અહીં સ્થિત રહીને સીતાની રક્ષા કરજો. એ દરમ્યાન પુષ્પકવિમાનમાં બેસીને
રાવણ પણ ખરદૂષણની મદદ માટે લંકાથી અહીં આવી રહ્યો હતો. તે અહીં સીતાને બેઠેલી
જોઈને તેના રૂપ ઉપર મોહિત થઈ ગયો અને તેને ઉપાડી જવાનો ઉપાય વિચારવા લાગ્યો, તેણે
ખાસ વિદ્યાથી જાણીને થોડે દૂરથી સિંહનાદ કર્યો. તેથી રામચંદ્ર લક્ષ્મણને આપત્તિમાં પડેલા
સમજીને તેમને મદદ કરવા માટે ચાલ્યા ગયા. આ રીતે રાવણ તક મેળવીને સીતાને હરીને લઈ
ગયો. આ તરફ લક્ષ્મણ ખરદૂષણને મારીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તે અકસ્માત્
રામચંદ્રને આ તરફ આવતા જોઈને ખૂબ ચિન્તાતુર થયા. તેણે તરત જ રામચંદ્રને પાછા જવા
માટે કહ્યું. તેમને પાછા ફરતાં ત્યાં સીતા જોવામાં આવી નહિ. તેથી તે બહુ વ્યાકુળ થયા. થોડી
વારમાં લક્ષ્મણ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેમને સુગ્રીવ આદિ વિદ્યાધરોનો પરિચય
થયો. કોઈ પણ ઉપાયે હનુમાન લંકા પહોંચી ગયા. તેમણે ત્યાં રાવણના બગીચામાં બેઠેલા
સીતાને અત્યંત વ્યાકુળ જોઈને આશ્વાસન આપ્યું અને તરત જ પાછા આવીને રામચંદ્રને બધી
Page 22 of 378
PDF/HTML Page 48 of 404
single page version
તેમણે સીતાને પાછી આપવા માટે રાવણને બહુ સમજાવ્યો પણ તે સીતાને પાછી આપવા તૈયાર
થયો નહિ. તેને આવી રીતે પરસ્ત્રીમાં આસક્ત જોઈને તેનો પોતાનો ભાઈ વિભીષણ પણ
રીસાઈને રામચંદ્રની સેનામાં આવી મળ્યો. છેવટે બન્ને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું, જેમાં રાવણના
અનેક કુટુંબીઓ અને તે પોતે પણ માર્યો ગયો. પરસ્ત્રીના મોહથી રાવણની બુદ્ધિ નાશ પામી
હતી, તેથી તેને બીજા હિતેચ્છક માણસોના પ્રિય વચનો પણ અપ્રિય જ લાગ્યા અને અંતે તેને
આ જાતનું દુઃખ સહન કરવું પડ્યું. ૩૧.
કરે છે.
છે. કારણ કે મંદબુદ્ધિ મનુષ્ય સન્માર્ગથી ચ્યુત થઇને વિવિધ રીતે કુમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેમની
આ બધી પ્રવૃત્તિઓ વ્યસનમાં જ સમાયેલી તેથી વ્યસનોની આ સાતની સંખ્યા સ્થૂળરૂપે જ સમજવી
જોઈએ. ૩૨.
वज्राणि व्रतपर्वतेषु विषमाः संसारिणां शत्रवः
कर्तव्या न मतिर्मनागपि हितं वाञ्छद्भिरत्रात्मनः
માટે વજ્ર જેવા હોઈને સંસારી જીવો માટે દુર્દમ શત્રુ સમાન જ છે. આ વ્યસનો
જો કે શરૂઆતમાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે કડવા જ છે. તેથી જ અહીં
Page 23 of 378
PDF/HTML Page 49 of 404
single page version
લગાવવી જોઈએ. ૩૩.
गन्तुं मतिर्यदि समुन्नतमार्ग एव
ધર્મના અનુયાયીઓ, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલાઓ, માયાચારીઓ, વ્યસનના પ્રેમીઓ
તથા દુષ્ટ જનોનો સંગ છોડીને ઉત્તમ પુરુષોનો સત્સંગ કરે . ૩૪.
क्षुद्रैः कदाचिदपि पश्यत सर्षपाणाम्
लोकस्य पातयति निश्चितमश्रु नेत्रात्
ગયા પછી પ્રાપ્ત થનાર સરસવની ખોળરૂપ અવસ્થા, બીજા પક્ષે દુષ્ટતા)નો આશ્રય
કરનાર ક્ષુદ્ર સરસવના દાણાનો સ્નેહ (તેલ) પણ સંગ પામીને નિશ્ચયથી લોકોની
આંખમાંથી આંસુ પડાવે છે.
ક્ષુદ્ર મિથ્યાદ્રષ્ટિ આદિ દુષ્ટ પુરુષોના સ્નેહ (પ્રેમ, સંગ)થી થનાર ઐહિક અને પારલૌકિક દુઃખનો
અનુભવ કરનાર પ્રાણીની પણ આંખોમાંથી પશ્ચાત્તાપને કારણે આંસુ નીકળવા લાગે છે. તેથી
આત્મહિત ઇચ્છનાર જીવોએ આવા દુષ્ટ મનુષ્યોના સંગનો પરિત્યાગ કરવો જ જોઈએ . ૩૫.
Page 24 of 378
PDF/HTML Page 50 of 404
single page version
स चाघ्रातः क्षुद्रैः कथमकरुणैर्जीवति चिरम्
बकोटानामाग्रे तरलशफ री गच्छति कियत्
જીવિત રહી શકે? અર્થાત્ રહી શકતા નથી. યોગ્ય જ છે
માછલી કેટલો સમય સુધી ચાલી શકે? અર્થાત્ બહુ લાંબા સમય સુધી તે ચાલી શકતી
નથી, પણ તેના દ્વારા મારીને ખવાઈ જાય છે. ૩૬.
वरमतिविकराले कालवक्त्रे प्रवेशः
न च खलजनयोगाज्जीवितं वा धनं वा
છો, એ જો અહીં બીજા પણ અતિશય કષ્ટ પ્રાપ્ત થાય છે તો તે પણ ભલે થાવ;
પરંતુ દુષ્ટોના સંબંધથી જીવન અથવા ધન ચાહવું શ્રેષ્ઠ નથી. ૩૭.
मिथ्यामोहमदोज्झनं शमदमध्यानाप्रमादस्थितिः
पर्यन्ते च समाधिरक्षयपदानन्दाय धर्मो यतेः
Page 25 of 378
PDF/HTML Page 51 of 404
single page version
મદનો પરિત્યાગ; કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, ધ્યાન, પ્રમાદ રહિત અવસ્થાન,
સંસાર, શરીર અને ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ; ધર્મને વધારનાર અનેક ગુણ, નિર્મળ
રત્નત્રય, તથા અંતે સમાધિમરણ; આ બધા મુનિના ધર્મો છે જે અવિનશ્વર મોક્ષપદના
આનંદ (અવ્યાબાધ સુખ)નું કારણ છે. ૩૮.
संबन्धाय मतिः परे भवति तद्बन्धाय मूढात्मनः
तत्कालादिविनादियुक्ति त इदं तत्त्यागकर्म व्रतम्
કર્મબંધનું કારણ થાય છે. તેથી મહાન પુરુષોએ આ શરીર આદિ સર્વનો ત્યાગ કાળાદિ
વિના પ્રથમ યુક્તિએ કરવો જોઈએ. આ ત્યાગકર્મ વ્રત છે.
બંધ થાય છે અને પછી આનાથી જીવ પરાધીનતાને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપને ઉપાદેય સમજીને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી
કર્મબંધનો અભાવ થઈને જીવને સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. તેથી અહીં એ ઉપદેશ આપવામાં આવ્યો
છે કે જ્યાં સુધી ઉપર્યુક્ત શરીર આદિ રત્નત્રયની પરિપૂર્ણતામાં સહાય કરે છે ત્યાં સુધી જ
મમત્વબુદ્ધિ છોડીને શુદ્ધ આહાર આદિ દ્વારા તેમનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જ્યારે તે અસાધ્ય
રોગાદિના કારણે ઉક્ત રત્નત્રયની પૂર્ણતામાં બાધક બની જાય છે ત્યારે તેના નાશ થવાના કાળ
આદિની અપેક્ષા ન કરતાં ધર્મની રક્ષા કરતાં સંલ્લેખના વિધિથી તેમનો ત્યાગ કરી દેવો જોઈએ.
એ જ ત્યાગકર્મની વિશેષતા છે. ૩૯.
दण्डो मूलहरो भवत्यविरतं पूजादिकं वाञ्छतः
Page 26 of 378
PDF/HTML Page 52 of 404
single page version
रक्षत्यङ्गुलिकोटिखण्डनकरं को ऽन्यो रणे बुद्धिमान्
કારણ કે ઉત્તર ગુણોમાં દ્રઢતા આ મૂળ ગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે તેથી આ
તેનો પ્રયત્ન એવો છે કે જેમ કોઈ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના
અનુપમ પ્રહારની પરવા ન કરતા કેવળ આંગળીના અગ્રભાગના ખંડન કરનાર પ્રહારથી
જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૪૦.
नष्टे व्याकुलचित्तताथ महतामप्यन्यतः प्रार्थनम्
तन्नित्यं शुचि रागहृत् शमवतां वस्त्रं ककुम्मण्डलम्
સિવાય તે વસ્ત્ર નાશ પામતાં મહાન પુરુષોનું મન પણ વ્યાકુળ થઈ જાય છે તેથી
બીજા પાસે તે મેળવવા માટે પ્રાર્થના કરવી પડે છે. જો બીજાઓ દ્વારા કેવળ લંગોટીનું
જ અપહરણ કરવામાં આવે તો ઝટ ક્રોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણે મુનિઓ
સદા પવિત્ર અને રાગભાવને દૂર કરનાર દિશાઓના સમૂહરૂપ અવિનશ્વર વસ્ત્ર
(દિગંબરપણા)નો આશ્રય લે છે. ૪૧.
चित्तक्षेपकृदस्त्रमात्रमपि वा तत्सिद्धये नाश्रितम्
वैराग्यादिविवर्धनाय यतिभिः केशेषु लोचः कृतः
Page 27 of 378
PDF/HTML Page 53 of 404
single page version
વગેરે ઓજારનો પણ આશ્રય લેતા નથી કેમ કે તેનાથી ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થાય
છે. તેથી તેઓ જટા ધારણ કરી લેતા હોય એ પણ શક્ય નથી કેમકે એ અવસ્થામાં
તેમાં ઉત્પન્ન થનાર જૂ આદિ જંતુઓની હિંસા ટાળી શકાતી નથી. તેથી અયાચકવૃત્તિ
ધારણ કરનાર સાધુઓ વૈરાગ્ય આદિ ગુણ વધારવા માટે વાળનો લોચ કરે છે. ૪૨.
न ह्येतेन दिवि स्थितिर्न नरके संपद्यते तद्विना
કરીને ભોજન વિના જ રહીશ; આ રીતે જે યતિ પ્રતિજ્ઞાપૂર્વક પોતાના નિયમમાં દ્રઢ રહે
છે તેનું ચિત્ત શરીરમાં નિઃસ્પૃહ થઈ જાય છે. તેથી તે સદ્બુદ્ધિમાન સાધુ સમાધિમરણના
નિયમોમાં આનંદનો અનુભવ કરે છે. આ રીતે મરીને તે સ્વર્ગમાં સ્થિત થાય છે તથા
આનાથી વિપરીત આચરણ કરનાર બીજા સાધુ નરકમાં સ્થિત થાય છે. ૪૩.
का बाह्यार्थकथा प्रथीयसि तपस्याराध्यमाने ऽपि च
भिन्नं स्वं स्वयमेकमात्मनि धृतं पश्यत्यजस्रं मुनिः
દેખાતા અન્ય બાહ્ય પદાર્થોના વિષયમાં શું કહેવું? અર્થાત્ તેમના મોહથી તો સંસાર
પરિભ્રમણ થશે જ. તેથી મુનિઓ નિરંતર કુહાડી અને હરિત ચંદન એ બન્નેમાંય
Page 28 of 378
PDF/HTML Page 54 of 404
single page version
આત્માને જ આત્મામાં ધારણ કરીને તેની ભિન્નતાનું સ્વયં અવલોકન કરે છે. ૪૪.
सुखं वा दुःखं वा पितृवनमहो सौधमथवा
स्फु टं निर्ग्रंथानां द्वयमपि समं शान्तमनसाम्
તથા મરણ અને જીવન; આ ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં સ્પષ્ટપણે સમાનબુદ્ધિ હોય
છે. અભિપ્રાય એ છે કે તેઓ તૃણ અને શત્રુ આદિ અનિષ્ટ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ રાખતા
નથી તથા તેમનાથી વિપરીત રત્ન અને મિત્ર આદિ ઇષ્ટ પદાર્થોમાં રાગબુદ્ધિ પણ
રાખતા નથી, પરંતુ બન્નેમાં સમાન સમજે છે. ૪૫.
परपरिचयमीताः क्वापि किंचिच्चरामः
स्वकृतमनुभवामो यत्र तत्रोपविष्टाः
થઈને ક્યાંય પણ (કોઈ શ્રાવકને ત્યાં) કાંઈક ભોજન કરીએ છીએ, અહીં એકાન્ત
સ્થાનમાં નિવાસ કરીએ છીએ, પ્રમાદ કરતા નથી, તથા કોઈ પણ જગ્યાએ રહીને
પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મનો અનુભવ કરીએ છીએ. ૪૬.
कति न कति न वारानत्र जातोऽस्मि कीटः
Page 29 of 378
PDF/HTML Page 55 of 404
single page version
जगति तरलरूपे किं मुदा किं शुचा वा
જંતુ પણ નથી થયો? અર્થાત્ અનેક ભવોમાં હું તુચ્છ જંતુ પણ થઈ ચુક્યો છું. આ
પરિવર્તનશીલ સંસારમાં કોઈને ય ન તો સુખ નિયત છે અને ન દુઃખે ય નિયત
છે. એવી દશામાં હર્ષ અથવા વિષાદ કરવાથી શું લાભ છે? કાંઈ પણ નહિ.
સદા સુખી અથવા દુઃખી રહી શકતું નથી. પરંતુ કોઈ વાર તે સુખી પણ થાય છે અને કોઈ વાર દુઃખી
પણ એવી અવસ્થામાં વિવેકી મનુષ્ય ન તો સુખમાં રાગ કરે છે અને ન દુઃખમાં દ્વેષ. ૪૭.
मुनेर्भवति संवरः परमशुद्धिहेतुर्ध्रुवम्
ततो ऽतिनिकटं भवेदमृतधाम दुःखोज्झितम्
કારણરૂપ સંવર થાય છે, જેનાથી નિયમથી પૂર્વકર્મની નિર્જરા થાય છે અને નવા
કર્મનું આગમન પણ થતું નથી. માટે જ ઉક્ત મુનિને દુઃખોથી રહિત અને ઉત્તમ
સુખના સ્થાનભૂત જે મોક્ષપદ છે તે અત્યંત નિકટ થઈ જાય છે. ૪૮.
सुवायुर्यैः प्राप्तो गुरुगणसहायाः प्रणयिनः
किय
Page 30 of 378
PDF/HTML Page 56 of 404
single page version
છે તથા સ્નેહી ગુરુજનો જેમના સહાયક છે; એવા ઉદ્યમશી મહામુનિઓને આ સંસાર-
સમુદ્ર કેવડોક મોટો છે? અર્થાત્ તે તેમને તુચ્છ જ જણાય છે. તથા તેમને માટે તેનો
બીજો કિનારો કેટલો દૂર છે? અર્થાત્ કાંઈ પણ દૂર નથી.
છે તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ જે મહામુનિઓએ નિર્દોષ ઉત્કૃષ્ટ સમ્યગ્જ્ઞાન સાથે વિપુલ
તપ પણ પ્રાપ્ત કરી લીધુ છે તથા સ્નેહી ગુરુઓ જેમના માર્ગદર્શક છે તેમને માટે આ સંસાર-
સમુદ્રથી પાર થવું કાંઈ પણ કઠિન નથી. ૪૯.
क्लेशैश्च किं किमपरैः प्रचुरैस्तपोभिः
કૃશ કરવાથી કાંઈ પણ લાભ નથી. કારણ કે જો ઉક્ત બન્ને નહિ હોય તો પછી
તેમના વિના ઘણા યમ-નિયમોથી, કાયક્લેશોથી અને બીજા પ્રચુર તપોથી કાંઈ પણ
પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. ૫૦.
तितिक्षते प्राप्तपरीषहानपि
કે તે જે સંસારની ધૃ્રણા કરે છે અને પરિષહો પણ સહન કરે છે તે કેવળ માયાચારથી
Page 31 of 378
PDF/HTML Page 57 of 404
single page version
तस्मादेव भयादयो ऽपि नितरां दीर्घा ततः संसृतिः
मुक्त्यर्थी पुनरर्थमाश्रितवता तेनाहतः सत्पथः
છે તથા ઉક્ત ભયાદિથી સંસાર અતિશય દીર્ઘ બને છે. આ રીતે આ સમસ્ત દુઃખનું
કારણ ધન જ છે. એમ સમજીને જે મોક્ષાભિલાષી મુનિએ ધનનો પરિત્યાગ કરી
દીધો છે તે જો ફરીથી ઉક્ત ધનનો આશ્રય લે છે તો સમજવું જોઈએ કે તેણે
મોક્ષમાર્ગનો નાશ કર્યો છે. ૫૨.
शय्याहेतु तृणाद्यपि प्रशमिनां लज्जाकरं स्वीकृतम्
निर्ग्रन्थेष्वपि चेत्तदस्ति नितरां प्रायः प्रविष्टः कलिः
નિર્ગ્રન્થપણું (નિષ્પરિગ્રહપણું) નષ્ટ કરે છે તો પછી ગૃહસ્થને યોગ્ય અન્ય સુવર્ણ
આદિ શું તે નિર્ગ્રન્થપણાના ઘાતક નહિ થાય? અવશ્ય થશે. વળી જો વર્તમાનમાં
નિર્ગ્રંથ કહેવાતા મુનિઓને પણ ઉપર્યુક્ત ગૃહસ્થ યોગ્ય સુવર્ણ આદિ પરિગ્રહ રહે
છે તો સમજવું જોઈએ કે ઘણું કરીને કળિકાળનો પ્રવેશ થઈ ગયો છે. ૫૩.
Page 32 of 378
PDF/HTML Page 58 of 404
single page version
જે બંધ થાય છે તે સદા કાળ થાય છે તેથી જે સાધુઓ પરિગ્રહરૂપી ગ્રહથી પીડાયેલા
છે તેમને ક્યાંય અને કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ૫૪.
विशेषतो मोक्षनिषेधकारी
र्भवेत् किमन्यत्र कृताभिलाषः
આત્મામાં લીન થયેલ મોક્ષના અભિલાષી સાધુ સ્ત્રી-પુત્ર-મિત્રાદિ રૂપ અન્ય બાહ્ય
વસ્તુઓની અભિલાષા કરશે? અર્થાત્ કદી નહિ કરે. ૫૫.
यदीन्द्रियसुखं सुखं तदिह कालकूटः सुधा
भवेऽत्र रमणीयता यदि तदिन्द्रजालेऽपि च
અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી
તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો
તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે.
શકતું નથી; આકાશમાં ચંચળ વિજળી કદી સ્થિર રહી શકતી નથી અને ઇન્દ્રજાળ કદી રમણીય
Page 33 of 378
PDF/HTML Page 59 of 404
single page version
નથી અને આ સંસાર કદી રમણીય હોઈ શકતો નથી. ૫૬.
सकलभुवनमल्लं दह्यमानं विलोक्य
पुनरपि हि समीयुः साधवस्ते जयन्ति
એવી રીતે નષ્ટ થઈ ગયા કે તેમાં તે ફરીથી પ્રવેશી ન શક્યા, તે મુનિઓ જયવંત
વર્તે છે. ૫૭.
શત્રુની પત્નીને વૈધવ્ય પ્રાપ્ત કરાવનાર છે, તે ગુરુ નમસ્કાર કરવા યોગ્ય છે.
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયના ધારક થઈને નિર્ગ્રંથ
Page 34 of 378
PDF/HTML Page 60 of 404
single page version
ते रत्नत्रयधारिणः शिवसुखं कुर्वन्तु नः सूरयः
પાલન કરે છે તથા અન્ય શિષ્યાદિકોને પણ પાલન કરાવે છે જે પરિગ્રહરૂપી ગાંઠ
રહિત એવા મોક્ષમાર્ગને સ્વયં પ્રાપ્ત થઈ ચુક્યા છે તથા જેમણે અન્ય
આત્મહિતૈષીઓને પણ ઉક્ત મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તે રત્નત્રયના ધારક આચાર્ય
પરમેષ્ઠી અમને મોક્ષસુખ પ્રદાન કરે. ૫૯.
पन्थानमेकममृतस्य परं नयन्ति
तेनाप्यहं जिगमिषुर्गुरुनायकेभ्यः
મોક્ષના માર્ગે જ લઈ જાય છે તે અન્ય મુનિઓને સન્માર્ગે લઈ જનાર આચાર્યોને
હું પણ તે જ માર્ગે જવાનો ઇચ્છુક હોઈને નમસ્કાર કરું છું. ૬૦.
અનેકાન્તમય નિર્મળ વચનરૂપી દિવ્ય અંજનથી તેમની અત્યંત શ્રેષ્ઠ દ્રષ્ટિને સ્પષ્ટપણે