Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 27,28,29 dharm-adhramanu phaL,30 kudevadi samyagdrashtithi koi rite vandniy nathi,31 mokshamArgma samyagdarshanni mukhyatA,32 mokshamargma samyagdarshannaA utkrustpaNanu karaN,33 samyagdarshanani utkrushtAnu biju karaN,34 samyagdarshanani utkrushtAnu anya kAraN,35 samyagdrashti jiv kya upajato naThi.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 17

 

Page 77 of 315
PDF/HTML Page 101 of 339
single page version

ननु कुलैश्वर्यादिसम्पन्नैः स्मयः कथं निषेद्धुं शक्य इत्याह
यदि पापनिरोधोऽन्यसम्पदा किं प्रयोजनम्
अथ पापास्रवोऽस्त्यन्यसम्पदा किं प्रयोजनम् ।।२७।।

‘पापं’ ज्ञानावरणाद्यशुभं कर्म निरुद्ध्यते येनासौ ‘पापनिरोधो’ रत्नत्रयसद्भावः स यद्यस्ति तदा ‘अन्यसम्पदा’ अन्यस्य कुलैश्वर्यादेः सम्पदा सम्पत्त्या किं प्रयोजनं ? न किमपि प्रयोजनं तन्निरोधेऽतोऽप्यधिकाया विशिष्टतरायास्तत्सम्पदः सद्भावमवबुद्ध्यमानस्य तन्निबन्धनस्मयस्यानुत्पत्तेः ‘अथ पापास्रवोऽस्ति’ पापस्याशुभकर्मणः आस्रवो मिथ्या- હોતો નથી. (તેથી ધાર્મિક પુરુષોનો તિરસ્કાર કરતાં પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે. ધર્મ અને ધર્મીને અવિનાભાવ સંબંધ છે.) ૨૬.

કુળઐશ્વર્યાદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો શી રીતે શક્ય છે? તે કહે છે

ધાાર્મિક પુરુષોનો તિરસ્કાર ઉચિત નથી.
શ્લોક ૨૭

અન્વયાર્થ :[यदि ] જો [पापनिरोधः ] પાપનો (મિથ્યાત્વનો) નિરોધ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિનું [किं प्रयोजनम् ] શું પ્રયોજન? અથવા જો [पापास्रव अस्ति ] પાપનો આસ્રવ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિથી [किं प्रयोजनम् ] શું પ્રયોજન?

ટીકા :पाप निरोधः’ पापंજ્ઞાનાવરણાદિ અશુભ કર્મ જેનાથી (જે ભાવથી) નિરોધ થાય એવા પાપનો નિરોધ અર્થાત્ મિથ્યાત્વનો અભાવ હોય અર્થાત્ જો રત્નત્રયનો સદ્ભાવ હોય તો अन्य सम्पदा’ અન્ય (કુળ-ઐશ્વર્યાદિની) સંપદાથીવિભૂતિથી किं प्रयोजनम्’ શો લાભશું પ્રયોજન? કાંઈ પણ પ્રયોજન નથી; કારણ કે તેનો (પાપનો) નિરોધ થતાં આથી (આ સંપદાથી) પણ અધિક વિશિષ્ટતર રત્નત્રયની એ સંપદાનો સદ્ભાવ માનનારને તે સંબંધી ગર્વની અનુત્પત્તિ (ગર્વનો અભાવ) છે. अथ पापास्रवः अस्ति’ અગર જો પાપનોઅશુભ કર્મનો આસ્રવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી १. ननु कुलबलैश्वर्यसम्पत्तौ घ०


Page 78 of 315
PDF/HTML Page 102 of 339
single page version

त्वाविरत्यादिरस्ति तथाप्यन्यसंपदा किं प्रयोजनं अग्रे दुर्गतिगमनादिकं अवबुद्ध्यमानस्य तत्सम्पदा प्रयोजनाभावतस्तत्स्मयस्य कर्तुमनुचितत्वात् ।।२७।।

अमुमेवार्थं प्रदर्शयन्नाह

सम्यग्दर्शनसम्पन्नामपि मातङ्गदेहजम्
देवा देवं विदुर्भस्मगूढांगारान्तरौजसम् ।।२८।।

‘देवं’ आराध्यं ‘विदु’र्मन्यन्ते के ते ? ‘देवा’ ‘‘देवा वि तस्स णमंति जस्स धम्मे सया मणो’’ इत्याभिधानात् कमपि ? ‘मातंगदेहजमपि’ चांडालमपि कथंभूतं ? अन्य सम्पदा किं प्रयोजनम्’ (ક્ષણસ્થાયી) ઐશ્વર્યાદિ સંપદા જ આગળ દુર્ગતિ ગમનાદિનું કારણ છેએવું સમજનારને તે ઐશ્વર્યાદિ સંપદાથી પ્રયોજનનો અભાવ હોય છે. (તેનાથી તે કાંઈ લાભ માનતો નથી.) તેથી તેને ગર્વ કરવો અનુચિત લાગે છે.

ભાવાર્થ :મિથ્યાત્વના અભાવમાં સમ્યગ્દ્રષ્ટિ અન્ય ક્ષણસ્થાયી વિભૂતિઓથી લાભ માનતો નથી, તેથી તેનો તે ગર્વ કરતો નથી. મિથ્યાદ્રષ્ટિને પૂર્વોપાર્જિત પુણ્યને લીધે અન્ય વિભૂતિઓ મળી આવે પણ તે મિથ્યાત્વને લીધે તેનો ગર્વ કરી તેમાં રચ્યોપચ્યો રહે છે; તેથી તે વિભૂતિઓ તેને લાભદાયક નહિ થતાં દુર્ગતિગમનના કારણભૂત થઈ પડે છે. ૨૭.

આ જ અર્થને દર્શાવતાં કહે છે

શ્લોક ૨૮

અન્વયાર્થ :[देवाः ] ગણધરાદિ દેવો [सम्यग्दर्शन संपन्नम् ] સમ્યગ્દર્શનથી યુક્ત [मातङ्गदेहजम् अपि ] ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ [भस्मगूढांगारान्तरौजसम् ] કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજવાળું છે, તેને [देवम् ] દેવ [विदुः ] કહે છે.

ટીકા :देवम्’ આરાધ્ય (આરાધવા યોગ્ય) દેવ विदुः’ માને છે. કોણ તેઓ? देवाः’ દેવો. ‘‘देवा वि तस्स णमंति जस्स धम्मे सया मणो’’ જેનું મન સદા ધર્મમાં છે તેને દેવો પણ નમે છે. એવા કથનાનુસાર (માને છે.) કોને પણ? मातङ्गदेहजम् अपि’ १. धम्मो मंगलमुद्दिट्ठं अहिंसा संयमो तवो

देवा वि तस्स पणमंति जस्स धम्मे सया मणो ।। श्रावक-प्रतिक्रमण


Page 79 of 315
PDF/HTML Page 103 of 339
single page version

‘सम्यग्दर्शनसम्पन्नं’ सम्यग्दर्शनेन सम्पन्नं युक्तं अतएव ‘भस्मगूढाङ्गारान्तरौजसं’ भस्मना गूढः प्रच्छादितः स चासावङ्गारश्च तस्य अन्तरं मध्यं तत्रैव ओजः प्रकाशो निर्मलता यस्य ।।२८।।

एकस्य धर्मस्य विविधं फलं प्रकाश्येदानीमुभयोर्धर्माधर्मयोर्यथाक्रमं फलं दर्शयन्नाह

श्वापि देवोऽपि देवः श्वा जायते धर्मकिल्विषात्
कापि नाम भवेदन्या सम्पद्धर्माच्छरीरिणाम् ।।२९।।

‘श्वापि’ कुक्करोऽपि ‘देवो’ जायते ‘देवोऽपि’ देवः ‘श्वा’ जायते कस्मात् ? ચાંડાલને પણ. કેવા (ચાંડાલને)? सम्यग्दर्शनसंपन्नम्’ સમ્યગ્દર્શનથી યુક્ત એવા, તેથી જ भस्मगूढांगारान्तरौजसम्’ જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશવાળો અર્થાત્ નિર્મળતાવાળો છે એવા.

ભાવાર્થ :અહીં ઉપમાઉપમેય ભાવથી કથન છે. ભસ્મસમાન ચાંડાલનું શરીર છે, અંગાર (અગ્નિ) સમાન જીવ છે અને પ્રકાશ સમાન સમ્યગ્દર્શન છે. ભસ્મ, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે અને શરીર, જીવ અને સમ્યગ્દર્શનતે ઉપમેય છે. ભસ્મથી આચ્છાદિત અગ્નિના તેજ સમાન સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલના દેહધારી જીવને પણ ‘દેવ’ કહે છે; કેમ કે તેને સાચા સમ્યગ્દર્શનરૂપ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે. ૨૮.

(અત્યાર સુધી સમ્યગ્દ્રષ્ટિના) એક ધર્મનું (શુભ ભાવનું) વિવિધ ફળ પ્રકાશીને હવે ધર્મ અને અધર્મ બંનેનું યથાક્રમે ફળ દર્શાવતાં કહે છે

ધાર્મઅધાર્મનું ફળ
શ્લોક ૨૯

અન્વયાર્થ :[धर्मकिल्विषात् ] ધર્મથી અને પાપથી (અનુક્રમે) [श्वापि ] કૂતરો પણ [देवः ] દેવ અને [देवः ] દેવ પણ [श्वा ] કૂતરો [जायते ] થાય છે; [नाम ] ખરેખર [धर्मात् ] ધર્મથી [शरीरिणाम् ] પ્રાણીઓનેસંસારી જીવોને, [कापि अन्या ] કોઈક અદ્વિતીય [सम्पद् ] સંપત્તિ [भवेत् ] પ્રાપ્ત થાય છે.

ટીકા :श्वापि’ કૂતરો પણ देवः’ દેવ जायते’ થાય છે. देवोऽपि’ દેવ પણ


Page 80 of 315
PDF/HTML Page 104 of 339
single page version

‘धर्मकिल्विषात्’ धर्ममाहात्म्यात् खलु श्वापि देवो भवति किल्विषात् पापोदयात् पुनर्देवोऽपि श्वा भवति यत एवं, ततः ‘कापि’ वाचामगोचरा ‘नाम’ स्फु टं ‘अन्या’ अपूर्वाऽद्वितीया ‘सम्पद्’ विभूतिविशेषो ‘भवेत्’ कस्मात् ? धर्मात् केषां ? ‘शरीरिणां’ संसारिणां यत एवं, ततो धर्म एव प्रेक्षावतानुष्ठातव्यः ।।२९।।

तथानुतिष्ठता दर्शनम्लानता मूलतोऽपि न कर्तव्येत्याह श्वा’ કૂતરો जायते’ થાય છે. શા કારણે? धर्मकिल्विषात्’ ધર્મના માહાત્મ્યથી ખરેખર કૂતરો પણ દેવ થાય છે અને किल्विषात् પાપના ઉદયથી દેવ પણ કૂતરો થાય છે. એ પ્રમાણે છે તેથી, कापि’ કોઈ (વચન અગોચર) नाम’ ખરેખર अन्या’ અપૂર્વ અદ્વિતીય सम्पद्’ વિભૂતિ વિશેષ પ્રાપ્ત થાય છે. શાથી? धर्मात्’ ધર્મથી. કોને? शरीरिणां’ સંસારીઓને. એમ છે તેથી આત્મહિત ઇચ્છનારે નિશ્ચય ધર્મનું અનુષ્ઠાન કરવું.

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ જીવને અંશે શુદ્ધતા હોય છે, તેનાથી સંવરનિર્જરા થાય છે અને સહચરરૂપે જેટલી અશુદ્ધતા છે, તેનાથી આસ્રવબંધ થાય છે.

સમ્યગ્દ્રષ્ટિ તો શુભભાવ અને તેના ફળમાં રાચતો નથી પણ તેનો અભાવ કરી, શુદ્ધભાવમાં રમવાની ઝંખના જ કરે છે.

મિથ્યાદ્રષ્ટિનો શુભભાવ ઉત્તરોત્તર અધોગતિનું કારણ છે, કારણ કે શુભભાવ અને તેના ફળમાં તે એટલો બધો રચ્યોપચ્યોઆસક્ત રહે છે કે તેને તીવ્ર પાપબંધ અવશ્ય થાય છે. જેના ફળસ્વરૂપ તેને નીચ ગતિ જ પ્રાપ્ત થાય છે.

સમ્યગ્દ્રષ્ટિને શુભભાવ આવે છે, પણ તેનો તેને આદર નથી; તેમાં તેની હેયબુદ્ધિ છે. તેને પોતાના ચારિત્રમાં એક કલંક સમાન ગણે છે. અશુભવંચનાર્થે હેયબુદ્ધિએ આવો શુભભાવ સમ્યગ્દ્રષ્ટિને તેની સાધકદશામાં આવે છે અને તેનાથી અલ્પબંધ પણ થાય છે, પરંતુ મિથ્યાદ્રષ્ટિને જેવો તીવ્રબંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. ૨૯.

સમ્યગ્દર્શનનું પાલન કરનાર જીવે પ્રારંભથી જ સમ્યગ્દર્શનમાં મલિનતા લાવવી જોઈએ નહિ તે કહે છે


Page 81 of 315
PDF/HTML Page 105 of 339
single page version

भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम्
प्रणामं विनयं चैव न कुर्य्युः शुद्धदृष्टयः ।।३०।।

‘शुद्धदृष्टयो’ निर्मलसम्यक्त्वाः न कुर्युः कं ? ‘प्रणामं’ उत्तमाङ्गेनोपनतिं ‘विनयं चैव’ करमुकुलप्रशंसादिलक्षणं केषां ? कुदेवागमलिंगिनां कस्मादपि ? ‘भयाशास्नेह- लोभाच्च’ भयं राजादिजनितं, आशा च भाविनोऽर्थस्य प्राप्त्याकांक्षा, स्नेहश्च मित्रानुरागः, लोभश्च वर्तमानकालेऽर्थप्राप्तिगृद्धिः, भयाशास्नेहलोभं तस्मादपि च शब्दोऽप्यर्थः ।।३०।।

કુદેવાદિ સમ્યગ્દ્રષ્ટિથી કોઇ રીતે વંદનીય નથી
શ્લોક ૩૦

અન્વયાર્થ :[शुद्धदृष्टयः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવોએ, [भयाशास्नेहलोभात् च ] ભય, આશા, સ્નેહ અને લોભથી પણ [कुदेवागमलिंगिनाम् ] કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને (કુગુરુઓને) [प्रणामं विनयं चैव ] પ્રણામ અને તેમનો વિનય પણ [न कुर्युः ] ન કરવાં જોઈએ.

ટીકા :शुद्धदृष्टयः’ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવોએ भयाशास्नेहलोभात् च’ રાજાદિ જનિત ભયથી, ભાવિ અર્થની પ્રાપ્તિની આકાંક્ષાથી, મિત્ર પ્રત્યેના અનુરાગરૂપ સ્નેહથી અને વર્તમાનકાળમાં અર્થપ્રાપ્તિની ગૃદ્ધિથી (અતિ લાલસાથી)ભય, આશા, સ્નેહ અને લોભથી પણ कुदेवागमलिंगिनाम्’ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુને प्रणामं’ ઉત્તમ અંગથીમસ્તકથી નમસ્કાર विनयं चैव’ અને હસ્તાંજલિ, પ્રશંસાદિરૂપ (હાથ જોડીને નમસ્કાર કરવારૂપ, પ્રશંસાદિનાં વચના કહેવારૂપ) તેમનો વિનય न कुर्युः’ કરવાં જોઈએ નહિ. અહીં च’ શબ્દ अपि’ના અર્થમાં છે.

ભાવાર્થ :શુદ્ધ (નિર્મળ), પચીસ દોષ રહિત, સમ્યગ્દ્રષ્ટિ જીવે રાજાદિના ભયના કારણે, કોઈ આર્થિક આશાના કારણે, મિત્રાદિ પ્રત્યેના સ્નેહને કારણે, યા પૈસાના અતિ લોભના કારણે પણ કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને (ખોટા વેશધારી ગુરુઓને) પ્રણામ કરવા જોઈએ નહિ; તેમનો વિનયસત્કાર કરવો જોઈએ નહિ.

વિશેષ

મોક્ષપાહુડ ગાથા ૯૨માં કહ્યું છે કે


Page 82 of 315
PDF/HTML Page 106 of 339
single page version

‘‘જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિક દેવધર્મલિંગને વંદન કરે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.’’

‘‘.....માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમથી જ કુદેવકુધર્મ અને કુગુરુનો ત્યાગી થાય. સમ્યક્ત્વના પચીસ મળદોષોના ત્યાગમાં પણ મૂઢદ્રષ્ટિ વા છ અનાયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.’’

‘‘વળી કુદેવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે, કારણ કે એના ફળમાં નિગોદનરકાદિ પર્યાય પ્રાપ્ત થાય છે. ત્યાં અનંત કાળ સુધી મહા સંકટ પામે છે તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે.’’

‘‘માટે હે ભવ્ય! કિંચિત્ માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર, કારણ કે તેનાથી અનંત કાળ સુધી મહા દુઃખ સહન કરવું પડે છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય નથી. જૈન ધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી તે મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે.’’

‘‘માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાડવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. નિંદાપ્રશંસાદિના વિચારથી શિથિલ થવું યોગ્ય નથી.’’

પ્રશ્નઃકોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુસેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું?

ઉત્તરઃજેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ, કારણ કે તે જીવાદિ તત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિનો નિષેધ કરવાની શ્રદ્ધા કરે છે. વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે; તેથી જેનામાં વીતરાગતા હોય એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે પણ જેનામાં १.कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं य वंदए जोदु

लज्जाभयगारवदो, मिच्छादिट्ठी हवे सो हु ।।९२।। ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૧૯૧, અધ્યાય ૬.


Page 83 of 315
PDF/HTML Page 107 of 339
single page version

ननु मोक्षमार्गस्य रत्नत्रयरूपत्वात् कस्माद्दर्शनस्यैव प्रथमतः स्वरूपाभिधानं कृतमित्याह

दर्शनं ज्ञानचारित्रात्साधिमानमुपाश्नुते
दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे प्रचक्षते ।।३१।।

રાગાદિક હોય તેને નિષેધ્ય જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.’’

ભાવાર્થ :મિથ્યાત્વ તે મૂળ પાપ છે. મિથ્યાત્વના પ્રભાવથી બીજા સ્વર્ગ સુધીના દેવો એકેન્દ્રિયમાં ઊપજે છે. અનંતાનંતકાળ ત્રસસ્થાવરોમાં પરિભ્રમણ કરતા ફરે છે.

બારમા સ્વર્ગ સુધીના દેવો પણ મિથ્યાત્વના પ્રભાવથી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઊપજે છે.

માટે મિથ્યાત્વભાવ મહા અનર્થકારી જાણી, સમ્યક્ત્વમાં જ યત્ન કરવો યોગ્ય છે.

(સદાસુખદાસજી કૃત ટીકા, પાનું૫૮ સસ્તી ગ્રંથમાળા.)

ગાથા ૨૮ સમ્યગ્દર્શનના માહાત્મ્યની છે, તેના અનુસંધાનમાં ગાથા ૯ સમ્યગ્દ્રષ્ટિના શુભભાવની છે અને ત્યાર પછીની ગાથા ૩૦ થી ૪૧ સુધીની બધી ગાથાઓ સમ્યગ્દર્શનનો મહિમા બતાવે છે. સમ્યગ્દ્રષ્ટિને તેની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ સાથે અશુદ્ધિ હોય છે અને તે અશુદ્ધિમાં શુભભાવની મુખ્યતા હોય છે. ૩૦.

મોક્ષમાર્ગ તો રત્નત્રયસ્વરૂપ છે, તો પછી સૌથી પ્રથમ સમ્યગ્દર્શનના જ સ્વરૂપનું કથન કેમ કર્યું તે કહે છે

મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની મુખ્યતા
શ્લોક ૩૧

અન્વયાર્થ :[दर्शनम् ] સમ્યગ્દર્શન [ज्ञानचारित्रात् ] જ્ઞાન અને ચારિત્ર કરતાં [साधिमानम् उपाश्नुते ] અધિક છે, (ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે) [ततः ] તેથી [दर्शनम् ] સમ્યગ્દર્શન [मोक्षमार्गे ] મોક્ષમાર્ગમાં [कर्णधारम् ] કર્ણધાર (ખેવટિયો) [प्रचक्षते ] કહેવાય છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૧૯૮, અધ્યાય ૬.


Page 84 of 315
PDF/HTML Page 108 of 339
single page version

‘दर्शनं’ कर्तु ‘उपाश्नुते’ प्राप्नोति कं ? ‘साधिमानं’ साधुत्वमुत्कृष्टत्वं वा कस्मात् ? ज्ञानचारित्रात् यतश्च साधिमानं तस्माद्दर्शनमुपाश्नुते ‘तत्’ तस्मात् ‘मोक्षमार्गे’ रत्नत्रयात्मके ‘दर्शनं कर्णधारं’ प्रधानं प्रचक्षते यथैव हि कर्णधारस्य नौखेवटकस्य कैवर्तकस्याधीना समुद्रपरतीरगमने नावः प्रवृत्तिः तथा संसारसमुद्रपर्यंतगमने सम्यग्दर्शनकर्णधाराधीना मोक्षमार्गनावः प्रवृत्तिः ।।३१।।

ટીકા :दर्शनं’ સમ્યગ્દર્શન (કર્તા ) उपाश्नुते’ પ્રાપ્ત છે. કોને? साधिमानं’ સમીચીનપણાનેઉત્કૃષ્ટપણાને. કોનાથી? ज्ञानचारित्रात्’જ્ઞાન અને ચારિત્રથી (અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર કરતાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત છે.) तत्’તેથી मोक्षमार्गे’ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગમાં दर्शनं कर्णधारं’ સમ્યગ્દર્શન કર્ણધાર અથવા પ્રધાન प्रचक्षते’ કહેવાય છે. કર્ણધાર (ખેવટિયા)ની નૌકાની જેમ; અર્થાત્ જેમ સમુદ્રમાં બીજે કાંઠે જવામાં નૌકાની (નાવની) પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપ નાવની પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપ કર્ણધારને (ખેવટિયાને) આધીન છે.

ભાવાર્થ :જેમ નાવની પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, અર્થાત્ નાવને સમુદ્રના અન્ય તટે લઈ જવામાં ખેવટિયો જ મુખ્ય છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપી ખેવટિયાને આધીન હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન જ મુખ્ય (ઉત્કૃષ્ટ) છે, અર્થાત્ જ્ઞાન અને ચારિત્રથી સમ્યક્ત્વની ઉત્તમતા છે.

વિશેષ

પં. દોલતરામજીએ ‘છઢાળા’માં કહ્યું છે કે

मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा
सम्यक्ता न लहै, सो दर्शन धारो भव्य पवित्रा ।। (ढाळ ३१७.)

‘‘સમ્યગ્દર્શન જ મોક્ષ - મહેલની પ્રથમ સીડી છે. તે વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા હોય છે. તે સમ્યક્ (સાચાં) મનાતાં નથી, માટે હે ભવ્ય! પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો.’’

વળી કહ્યું છે કે

तीनलोक तिहुंकाल मांहि नहिं, दर्शन सौ सुखकारी
सकल धरमको मूल यही, इस बिन करनी दुखकारी ।। (३१६)


Page 85 of 315
PDF/HTML Page 109 of 339
single page version

ત્રણ લોક, ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવી સુખકારી બીજી કોઈ વસ્તુ નથી; તે સર્વ ધર્મોનું મૂળ છે. એના વિના ધર્મના નામે થતી બધી ક્રિયા દુઃખકારી છે.

પ્રસ્તુત શ્લોક ૩૧ દર્શાવે છે કે શ્રાવકને પાંચમા ગુણસ્થાનકે અંશે નિશ્ચય મોક્ષમાર્ગ હોય છે, કેમ કે તેને જઘન્ય રત્નત્રય મોક્ષમાર્ગ ન હોય તો તેને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર હોઈ શકે નહિ.

વળી તે ત્રણેમાં સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતા બતાવવા માટે આચાર્યે મૂળ શ્લોકમાં साधिमान’ અને कर्णधार’ શબ્દો વાપર્યા છે અને ટીકાકારે તેને માટે ‘ઉત્કૃષ્ટ’ અને ‘પ્રધાન’ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

ભગવાન કુંદકુંદાચાર્યે પણ શ્રી પ્રવચનસાર ગાથા ૬માં સમ્યગ્દર્શનને મોક્ષમાર્ગમાં ‘પ્રધાન’ કહ્યું છે.

પ્રધાન કહેવાનું કારણ એ છે કે સંસારસમુદ્રને પાર કરવા માટે સમ્યગ્દર્શનરૂપી કર્ણધારને આધીન મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી સમ્યગ્દર્શનરૂપી કર્ણધાર વિના મોક્ષમાર્ગરૂપી નૌકા કેમ ચાલી શકે? ન જ ચાલી શકે.

વળી શ્રાવકને પોતાને સમ્યગ્દર્શન થયું છે એવી જાણ ન હોય તો તે મોક્ષમાર્ગી કેવી રીતે હોઈ શકે? માટે સિદ્ધ થયું કે સમ્યગ્દર્શનની જાણ શ્રાવકને અવશ્ય હોય જ છે.

કરણાનુયોગના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સમ્યગ્દર્શન વિના સાચો સંયમ હોઈ શકે નહિ. શ્રી ધવલ પુસ્તક ૧, પૃષ્ઠ ૧૪૪, શ્લોક ૪ની ટીકામાં લખ્યું છે કે

‘‘સંયમન કરવાને સંયમ કહે છે. સંયમનું આ પ્રકારનું લક્ષણ કરવાથી દ્રવ્યયમ અર્થાત્ ભાવચારિત્રશૂન્ય દ્રવ્યચારિત્ર, સંયમ હોઈ શકતો નથી. કારણ કે સંયમ શબ્દમાં ગ્રહણ કરવામાં આવેલા ‘સં’ શબ્દથી તેનું નિરાકરણ કરી દીધું છે.’’

‘‘પૃષ્ઠ ૩૬૯માં પણ અભેદની અપેક્ષાએ પર્યાયનું પર્યાયીરૂપથી કથન કર્યું છે. सम्’ ઉપસર્ગ સમ્યક્ અર્થનો વાચી છે, તેથી સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક यताः’ અર્થાત્ જેઓ બહિરંગ અને અંતરંગ આસ્રવોથી વિરત છે તેમને સંયત કહે છે.’’

(શ્રી ધવલ પુસ્તક ૧, પૃષ્ઠ ૩૬૯ શ્લોક ૧૨૩ની ટીકા)

વળી ધવલ પુસ્તક ૧૩ પૃષ્ઠ ૨૮૮માં શંકાસમાધાન દ્વારા કહ્યું છે કે

શંકાઃચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા કયા કારણથી છે?


Page 86 of 315
PDF/HTML Page 110 of 339
single page version

ननु चास्योत्कृष्टत्वे सिद्धे कर्णधारत्वं सिद्धयति तच्च कुतः सिद्धमित्याह

विद्यावृत्तस्य संभूतिस्थितिवृद्धिफलोदयाः
न सन्त्यसति सम्यक्त्वे बीजाभावे तरोरिव ।।३२।।

‘सम्यक्त्वेऽसति’ अविद्यमाने ‘न सन्ति’ के ते ? संभूतिस्थितिवृद्धिफलोदयाः कस्य ? विद्यावृत्तस्य अयमर्थःविद्याया मतिज्ञानादिरूपायाः वृत्तस्य च सामायिकादिचारित्रस्य या संभूतिः प्रादुर्भावः, स्थितिर्यथावत्पदार्थपरिच्छेदकत्वेन कर्मनिर्जरादि-

સમાધાનઃકારણ કે શ્રુતજ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી, તેથી ચારિત્રની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે.

આથી સ્પષ્ટ છે કે જેમ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા છે, તેમ ચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે. ૩૧.

તેનું (સમ્યગ્દર્શનનું) ઉત્કૃષ્ટપણું સિદ્ધ થતાં તેનું કર્ણધારપણું (ખેવટિયાપણું) સિદ્ધ થાય છે, તો તે (ઉત્કૃષ્ટતા) કેવી રીતે સિદ્ધ છે તે કહે છે

મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનના ઉત્કૃષ્ટપણાનું કારણ
શ્લોક ૩૨

અન્વયાર્થ :[बीजाभावे ] બીજ વિના [तरोः ] વૃક્ષની [संभूतिस्थिति- वृद्धिफलोदयाः इव ] ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ જેમ [न सन्ति ] હોતાં નથી તેમ, [सम्यक्त्वे असति ] સમ્યક્ત્વ વિના [विद्यावृत्तस्य ] સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ) [न सन्ति ] હોઈ શકતી નથી..

ટીકા :सम्यक्त्वे असति’ સમ્યક્ત્વ વિના न सन्ति’ હોતાં નથી. શું તે? संभूतिस्थितिवृद्धिफलोदयाः’ ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની ઉત્પત્તિ. કોની? विद्यावृत्तस्य’ વિદ્યા (જ્ઞાન) અને ચારિત્રની. તેનો અર્થ આ છેમતિજ્ઞાનાદિરૂપ વિદ્યાની (જ્ઞાનની) અને ચારિત્રની અર્થાત્ સામાયિકાદિ ચારિત્રની જે ઉત્પત્તિ (પ્રાદુર્ભાવ), સ્થિતિ અર્થાત્ યથાર્થપણે પદાર્થના પરિચ્છેદકપણાથી અને કર્મનિર્જરાના હેતુપણાથી અવસ્થાનટકવું ૧. જુઓ દર્શનપાહુડ ગાથા ૧૦ અને ૧૧.


Page 87 of 315
PDF/HTML Page 111 of 339
single page version

हेतुत्वेन चावस्थानं, वृद्धिरुत्पन्नस्य परतर उत्कर्षः फलोदयो देवादिपूजायाः स्वर्गापवर्गादेश्च फलस्योत्पत्तिः कस्याभावे कस्येव ते न स्युरित्याहबीजाभावे तरोरिव बीजस्य मूलकारणस्याभावे यथा तरोस्ते न सन्ति तथा सम्यक्त्वस्यापि मूलकारण- તે, વૃદ્ધિ અર્થાત્ ઉત્પન્ન થયેલાનો અધિકતર ઉત્કર્ષ, ફળની ઉત્પત્તિ અર્થાત્ દેવાદિની પૂજા દ્વારા સ્વર્ગમોક્ષાદિરૂપ ફળની ઉત્પત્તિ, કોના અભાવમાં, કોની જેમ તે ન હોઈ શકે? તે કહે છે.

बीजाभावे तरोरिव’ બીજનામૂળકારણના અભાવમાં જેમ વૃક્ષનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોદય) હોતાં નથી, તેમ મૂળ કારણભૂત સમ્યક્ત્વના અભાવમાં પણ સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની પ્રાપ્તિ) હોતાં નથી.

ભાવાર્થ :જેમ મૂળકારણ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ હોતી નથી, તેમ મોક્ષમાર્ગમાં મૂળકારણ સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ (અર્થાત્ પદાર્થનું યથાર્થ જ્ઞાન અને કર્મનિર્જરા આદિનું કારણપણું ), વૃદ્ધિ અને ફલોત્પત્તિ (અર્થાત્ દેવોની પૂજ્યતાથી સ્વર્ગમોક્ષાદિની પ્રાપ્તિ) હોઈ શકતાં નથી. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને પામે છે, તેથી તે ત્રણેમાં સમ્યગ્દર્શન જ ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે.

વિશેષ

મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા સંબંધી શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘શ્રી પુરુષાર્થસિદ્ધિ - ઉપાય’માં કહ્યું છે કે

‘‘એ ત્રણેમાં (સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં) પ્રથમ સઘળા પ્રયત્નથી સમ્યગ્દર્શનનો સારી રીતે આશ્રય કરવો જોઈએ (તેનો અંગીકાર કરવો જોઈએ), કારણ કે તે હોતાં જ જ્ઞાન સમ્યગ્જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ચારિત્ર થાય છે.’’

‘‘સમ્યક્ત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી, અંતિમ ગ્રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યક્ત્વ સહિત જે કાંઈપણ જાણપણું હોય તે બધું સમ્યગ્જ્ઞાન १. तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन

तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चारित्रं च ।।२१।। (પુરુષાર્થસિદ્ધિ - ઉપાય શ્લોક ૨૧)


Page 88 of 315
PDF/HTML Page 112 of 339
single page version

भूतस्याभावे विद्यावृत्तस्यापि ते न सन्तीति ।।३२।। નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક્ચારિત્ર નામ પામે. જેમ અંક સહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે (સંખ્યાની ગણતરીમાં આવે), એક વિના શૂન્ય શૂન્ય જ રહે; તેમ સમ્યક્ત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યક્ત્વ અંગીકાર કરી, પછી બીજું સાધન કરવું.’’

વળી શ્રી ગુણભદ્રાચાર્યે ‘આત્માનુશાસન’માં કહ્યું છે કે

‘‘(સમ્યક્ત્વ વિના) શમ (કષાયની મંદતા), બોધ (જ્ઞાન), વૃત્ત (તેર પ્રકારનું દુર્ધર ચારિત્ર) અને તપ (ઘોર તપ)એ પુરુષને પાષાણની જેમ ભારરૂપ છે, પરંતુ તે જ (શમાદિ) સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિ (ચિન્તામણિ)ની જેમ પૂજ્યતાને પ્રાપ્ત થાય છે.’’

‘‘સમ્યક્ત્વસહિત અલ્પ શમભાવ, અલ્પ જ્ઞાન, અલ્પ ચારિત્ર અને અલ્પ તપભાવથી જીવ કલ્પવાસી ઇન્દ્રાદિકોમાં ઊપજી જન્મમરણ રહિત પરમાત્મપદને પામે છે (પ્રાપ્ત કરે છે). અને સમ્યક્ત્વ વિના બહુ શમભાવ, અગિયાર અંગ સુધીનું બહુ જ્ઞાન, બહુ ઉજ્જ્વળ ચારિત્ર અને ઘોર તપક્રિયાજો કષાયની મંદતા હોય તોભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી તથા અલ્પ ૠદ્ધિધારી કલ્પવાસી દેવમાં ઊપજી ફરીથી ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી સમ્યક્ત્વ સહિત જ શમ, જ્ઞાન, ચારિત્ર અને તપ જીવને આત્મકલ્યાણરૂપ છે.’’

दंसणमूलो धम्मोસમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. (દર્શનપાહુડ ગાથા૨) અને चारित्रं खलु धम्मोસમ્યક્ચારિત્ર એ ખરેખર ધર્મ છે. (પ્રવચનસાર ગાથા૭) સમ્યગ્દર્શનરૂપી મૂળ વિના સમ્યક્ચારિત્રરૂપી વૃક્ષ ફાલીફળી શકે જ નહિ, કારણ કે मूलं नास्ति कुतः शाखाમૂળ જ ન હોય તો થડ, શાખા વગેરે ક્યાંથી હોય? ન જ હોય.

‘‘જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, દર્શનથી ભ્રષ્ટ થયેલાને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ થયેલો છે ૧. શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી અનુવાદ શ્લોક ૨૧નો ભાવાર્થ.

જુઓ, દર્શનપાહુડ ગાથા ૪૫.

२. शमबोधवृत्ततपस पाषाणस्यैव गौरवं पुंसः

पूज्यं महामणेरिव तदेव सम्यक्त्व संयुक्तम् ।।१५।। (આત્માનુશાસન શ્લોક ૧૫ અને ભાવાર્થ)


Page 89 of 315
PDF/HTML Page 113 of 339
single page version

यतश्च सम्यग्दर्शनसम्पन्नो गृहस्थोऽपि तदसम्पन्नान्मुनेरुत्कृष्टतरस्ततोऽपि सम्यग्दर्शनमेवोत्कृष्टमित्याह તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી.’’

જો વૃક્ષનાં મૂળનો નાશ કરવામાં આવે તો વૃક્ષનાં થડ, ડાળાં, પાંદડાં વગેરે થોડા સમય પછી સૂકાઈને નાશ પામે છે, તેમ સમ્યગ્દર્શનના અભાવમાં સંયમ પાળવા છતાં તે નિષ્ફળ જાય છે. પણ મૂળને સુરક્ષિત રાખી થડ, ડાળાં વગેરે કાપી નાખવામાં આવે તો તે વૃક્ષ ફરીથી વૃદ્ધિ પામી પલ્લવિત આદિ થાય છે, તેમ જો સમ્યગ્દર્શનરૂપી મૂળ સુરક્ષિત હોય તો ચારિત્રથી ભ્રષ્ટ થયેલો પુરુષ ફરીથી ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

સમ્યગ્દર્શન ઉત્કૃષ્ટ અને કર્ણધાર હોવાથી તે પ્રથમ ધારણ કરવું જોઈએ. તે ચોથા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે અને શ્રાવકનું ચારિત્ર પાંચમા ગુણસ્થાને ધારણ કરી શકાય છે, તેથી પાંચમા ગુણસ્થાન યોગ્ય ચારિત્રક્રિયા પહેલી અને સમ્યગ્દર્શન ભવિષ્યમાં પ્રાપ્ત થાય તેવી સમજણ અને માન્યતા જૈનતત્ત્વથી વિરુદ્ધ છે.

‘‘......કોઈ જીવ એવું માને છે કેજાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. એવું વિચારીને તેઓ વ્રતતપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે, પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી. હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયત સમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્ય સાધન કરવાં.’’

શ્રી યોગેન્દ્રદેવ કૃત શ્રાવકાચારમાં કહ્યું છે કે

दंसणभूमिह बाहिरा जिय वयरुक्ख ण होंति ।

અર્થઃહે જીવ! આ સમ્યગ્દર્શન ભૂમિ વિના વ્રતરૂપ વૃક્ષ ન થાય, માટે સમ્યગ્દર્શન પ્રથમ પ્રાપ્ત કરવું જોઈએ. ૩૨.

કારણ કે સમ્યગ્દર્શનયુક્ત ગૃહસ્થ પણ તેનાથી (સમ્યગ્દર્શનથી) અસંપન્નરહિત મુનિથી ઉત્કૃષ્ટ છે, તે કારણથી પણ સમ્યગ્દર્શન જ ઉત્કૃષ્ટ છે એમ કહે છે १. दंसण भट्टा भट्टा दंसण भट्टस्स णत्थि णिव्वाणं

सिज्झं ते चरियभट्टा दंसण भट्टा ण सिज्झंते ।।।। (दर्शनपाहुड गाथा ३)

૨. જુઓ चारित्रपाहुड ગાથા ૧૦. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૪૨, અધ્યાય ૭.


Page 90 of 315
PDF/HTML Page 114 of 339
single page version

गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान्
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।।३३।।

‘निर्मोहो’ दर्शनप्रतिबन्धकमोहनीयकर्मरहितः सद्दर्शनपरिणत इत्यर्थः इत्थंभूतो गृहस्थ मोक्षमार्गस्थो भवति ‘अनगारो’ यतिः पुनः ‘नैव’ मोक्षमार्गस्थो भवति किंविशिष्टः ? ‘मोहवान्’ दर्शनमोहोपेतः मिथ्यात्वपरिणत इत्यर्थः यत एवं ततो गृही गृहस्थो यो निर्मोहः स ‘श्रेयान्’ उत्कृष्टः कस्मात् ? मुनेः कथंभूतान् ? ‘मोहिनो’ दर्शनमोह- युक्तात् ।।३३।।

સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ સહિત બીજું કારણ.

શ્લોક ૩૩

અન્વયાર્થ :[ निर्मोह ] દર્શનમોહ રહિત (સમ્યગ્દ્રષ્ટિ) [गृहस्थः ] ગૃહસ્થ [मोक्षमार्गस्थः ] મોક્ષમાર્ગમાં સ્થિત છે, કિન્તુ [मोहवान् ] દર્શનમોહસહિત (મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી) [अनगारः ] મુનિ [मोक्षमार्गस्थः ] મોક્ષમાર્ગમાં સ્થિત [न एव ] નથી જ. તેથી [मोहितः ] મિથ્યાત્વી (દ્રવ્યલિંગી) [मुनेः ] મુનિ કરતાં [निर्मोहः ] મિથ્યાત્વરહિત (સમ્યગ્દ્રષ્ટિ) [गृही ] ગૃહસ્થ [श्रेयान् ] શ્રેષ્ઠ છે.

ટીકા :निर्मोहो’ દર્શનના (સમ્યગ્દર્શનના) પ્રતિબંધક મોહનીય કર્મથી રહિત, સમ્યગ્દર્શનરૂપ પરિણત એવો ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પરંતુ अनगारो’ યતિ (મુનિ) પણ नैव’ મોક્ષમાર્ગમાં સ્થિત નથી જ. કેવો મુનિ? मोहवान्’ દર્શનમોહ યુક્ત મિથ્યાત્વરૂપ પરિણત એવો. તેથી જે ગૃહસ્થ નિર્મોહ (દર્શનમોહરહિત) છે તે श्रेयान्’ ઉત્કૃષ્ટ છે. કોનાથી? મુનિથી. કેવા (મુનિથી)? मोहिनो’ દર્શનમોહ સહિત (મુનિથી).

ભાવાર્થ :દર્શનમોહ વિનાનોઅર્થાત્ સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, મોક્ષ તરફ જઈ રહ્યો છે, પણ મોહવાન (મિથ્યાદ્રષ્ટિ) અણગાર (મુનિ) મોક્ષમાર્ગી નથી, તે તો સંસારના માર્ગે જઈ રહ્યો છે.

જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી એવો અસંયત સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે, કારણ કે સાતઆઠ દેવમનુષ્યના ભવ ગ્રહણ કરી નિયમથી તે મોક્ષ જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદ્રષ્ટિ સાધુ થયો છે તોપણ મરીને ભવનત્રયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે.


Page 91 of 315
PDF/HTML Page 115 of 339
single page version

શ્રાવક ગૃહસ્થ પંચમ ગુણસ્થાનવર્તી છે અને સમ્યગ્દર્શન રહિત મુનિ મિથ્યાદ્રષ્ટિ હોવાથી પ્રથમ ગુણસ્થાનવર્તી છે. મિથ્યાદ્રષ્ટિ મુનિથી સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. કારણથી પણ સમ્યગ્દર્શન સર્વોત્કૃષ્ટ છે.

વિશેષ

શ્રી કુંદકુંદાચાર્યે દર્શનપાહુડમાં કહ્યું છે કે

જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, કારણ કે તે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, અનંતકાળે પણ નિર્વાણને પામતો નથી; પરંતુ જે સમ્યગ્દર્શન યુક્ત છે પણ ચારિત્રથી ભ્રષ્ટ થયો છે, તે દેવમનુષ્યના થોડાક ભવ કરી નિયમથી નિર્વાણ પામે છે.

‘‘અસંયતદેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી અને દ્રવ્યલિંગીને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યગ્દ્રષ્ટિથી પણ તેને અધિક કષાય છે.

‘‘વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે અને અઘાતિ કર્મોમાં પુણ્ય-પાપ બંધનો ભેદ શુભ-અશુભ યોગોને અનુસારે છે, માટે તે અંતિમ ગ્રૈવેયક સુધી પહોંચે છે. પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે અઘાતિ કર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા-નીચા પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્ય સંયોગો માત્ર સંસારદશાના સ્વાંગ છે અને પોતે તો આત્મા છે, માટે આત્મગુણના ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. હવે ઘાતિકર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કષાય અનુસાર છે, તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને ઘતિકર્મોનો બંધ થોડો હોય છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયાં કર્મોનો બંધ ઘણી સ્થિતિ-અનુભાગ સહિત હોય છે, ત્યારે અસંયતદેશસંયત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ, તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ-અનુભાગ સહિત હોય છે.

‘‘દ્રવ્યલિંગીને ગુણશ્રેણિ નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યગ્દ્રષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ-સકળ સંયમ થતાં નિરંતર થાય છે, માટે મોક્ષમાર્ગી થયો છે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયતદેશસંયત સમ્યગ્દ્રષ્ટિથી હીન કહ્યો છે.......’’૩૩. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨૫૨.


Page 92 of 315
PDF/HTML Page 116 of 339
single page version

यत एवं ततः

न सम्यक्त्वसमं किञ्चित्त्रैकाल्ये त्रिजगत्यपि
श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ।।३४।।

‘तनूभृतां’ संसारिणां ‘सम्यक्त्वसमं’ सम्यक्त्वेन समं तुल्यं ‘श्रेयः’ श्रेष्ठमुत्तमोपकारकं ‘किंचित्’ अन्यवस्तु नास्ति यतस्तस्मिन् सति गृहस्थोऽपि यतेरप्युत्कृष्टतां प्रतिपद्यते कदा तन्नास्ति ? ‘त्रैकाल्ये’ अतीतानागतवर्तमानकालत्रये तस्मिन् क्व तन्नास्ति ? ‘त्रिजगत्यपि’ आस्तां तावन्नियतक्षेत्रादौ तन्नास्ति अपितु त्रिजगत्यपि त्रिभुवनेऽपि तथा ‘अश्रेयो’ अनुपकारकं मित्यात्वसमं किंचिदन्यन्नास्ति यतस्तत्सद्भावे यतिरपि व्रतसंयमसम्पन्नो गृहस्थादपि तद्विपरीतादपकृष्टतां व्रजतीति ।।३४।।

તેથી

સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતાનું અન્ય કારણ
શ્લોક ૩૪

અન્વયાર્થ :[त्रैकाल्ये ] ત્રણે કાળમાં અને [त्रिजगति ] ત્રણ લોકમાં [तनूभृताम् ] દેહધારી જીવોને [सम्यक्त्वसमम् ] સમ્યક્ત્વ સમાન [किंचित् ] કોઈ [अन्यत् ] અન્ય [श्रेयः ] શ્રેયરૂપઉપકારક [न ] નથી, [च ] અને [मिथ्यात्वसमम् ] મિથ્યાત્વસમાન [किंचित् ] કોઈ [अन्यत् ] અન્ય [अश्रेयः ] અકલ્યાણકારકઅનુપકારક [न ] નથી.

ટીકા :तनूभृतां’ સંસારી જીવોને सम्यक्त्वसमं’ સમ્યક્ત્વસમાન श्रेयः’ શ્રેષ્ઠઉત્તમ ઉપકારક किंचित्’ કોઈ અન્ય વસ્તુ નથી, કારણ કે તેની (સમ્યક્ત્વની) હયાતીમાં (સદ્ભાવમાં) ગૃહસ્થ પણ મુનિથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. ક્યારે તે (ઉત્કૃષ્ટ) નથી? त्रैकाल्ये’ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળએ ત્રણે કાળમાં. તે કાળે તે ક્યાં ઉત્કૃષ્ટ નથી? त्रिजगतिअपि’ નિયત ક્ષેત્રાદિમાં તે ઉત્કૃષ્ટ નથી. એ વાત તો જવા દો, પરંતુ ત્રણ લોકમાં પણત્રણ ભુવનોમાં પણ (તે ઉત્કૃષ્ટ નથી) અને अश्रेयो’ મિથ્યાત્વસમાન અનુપકારક કોઈ અન્ય નથી, કારણ કે મિથ્યાત્વના સદ્ભાવમાં વ્રત અને સંયમથી યુક્ત મુનિ પણ, ગૃહસ્થી પણ, દર્શનની વિપરીતતાને લીધે નીચી દશાને પ્રાપ્ત થાય છે. १. अन्यद्वस्तु घ०


Page 93 of 315
PDF/HTML Page 117 of 339
single page version

इतोऽपि सद्दर्शनमेव ज्ञानचारित्राभ्यामुत्कृष्टमित्याह

(आर्यागीतिछन्दः)

सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि

दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च वज्रन्ति नाप्यव्रतिकाः ।।३५।।

ભાવાર્થ :ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક્ત્વ સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી; અર્થાત્ ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રી, નારાયણ, બલભદ્ર અને તીર્થંકરાદિક સમસ્ત ચેતન પદાર્થો અને મણિમંત્ર, ઔષધાદિક સમસ્ત અચેતન પદાર્થો સમ્યક્ત્વ સમાન ઉપકારક નથી, કારણ કે તેના સદ્ભાવમાં અવ્રતી ગૃહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતાં ઉત્તમ ગણાય છે. વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ દેવમનુષ્યના થોડાક ભવ કરીઅર્થાત્ સ્વર્ગાદિકનાં સુખ ભોગવી, નિયમથી મોક્ષ પામે છે; અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી, કારણ કે તેના સદ્ભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થથી હીન મનાય છે.

વળી દોલતરામજી કૃત ‘છઢાળા’માં કહ્યું છે કે

तीनलोक तिहुंकालमांहि नहिं दर्शन सौ सुखकारी ।
सकल धरमको मूल यही इस बिन करनी दुःखकारी ।। (छहढाला ३
/१६)

ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક્ત્વ સમાન અન્ય કોઈ સુખકારી નથી, તે સર્વ ધર્મોનું મૂળ છે, તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયાબધું વૃથા છે અને દુઃખનું કારણ છે.

તેથી મોક્ષમાર્ગમાં સમ્યક્ત્વની જ ઉત્તમતા છે. ૩૪. આથી પણ સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રથી ઉત્કૃષ્ટ છે એમ કહે છે

સમ્યગ્દ્રષ્ટિ જીવ સમ્યગ્દ્રષ્ટિ જીવ કકાાં કાાં ©પજતો નથી?ાાં કાાં ©પજતો નથી?
શ્લોક ૩૫

અન્વયાર્થ :[सम्यग्दर्शनशुद्धाः ] સમ્યગ્દર્શનથી શુદ્ધ (સમ્યગ્દ્રષ્ટિ) જીવો [अव्रतिकाः ] વ્રત રહિત હોવા છતાં પણ [नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि ] નારકપણાને, તિર્યંચપણાને, નપુંસકપણાને અને સ્ત્રીપણાને તથા [दुष्कुलविकृताल्पायुर्दरिद्रताम् ] નીચકુલીનતાને, શરીરની બેડોળતાને, અલ્પાયુતાને અને દરિદ્રતાને [न व्रजन्ति ] પ્રાપ્ત


Page 94 of 315
PDF/HTML Page 118 of 339
single page version

‘सम्यग्दर्शनशुद्धा’ सम्यग्दर्शनं शुद्धं निर्मलं येषां ते सम्यग्दर्शनलाभात्पूर्वं बद्धायुष्कान् विहाय अन्ये ‘न व्रजन्ति’ न प्राप्नुबन्ति कानि ‘नारकतिर्यंङ्नपुंसक- स्त्रीत्वानि’ त्वशब्दः प्रत्येकमभिसम्बध्यते नारकत्वं तिर्यक्त्वं नपुंसकत्वं स्त्रीत्वमिति केवलमेतान्येव न व्रजन्ति किन्तु ‘दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च’ अत्रापि ताशब्दः प्रत्येकमभिसम्बध्यते ये निर्मलसम्यक्त्वाः ते न भवान्तरे दुष्कुलतां दुष्कुले उत्पत्तिं विकृततां काणकुंठादिरूपविकारं अल्पायुष्कतामन्तर्मुहूर्ताद्यायुष्कोत्पत्तिं, दरिद्रतां दारिद्रयोपेतकुलोत्पत्तिं कथंभूता अपि एतत्सर्वं न व्रजन्ति ‘अव्रतिका अपि’ अणुव्रतरहिता अपि કરતા નથી. (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવો વ્રતરહિત હોવા છતાં નારકી, તિર્યંચ, નપુંસક અને સ્ત્રીમાં ઊપજતા નથી, નીચ કુળમાં જન્મતા નથી તથા તેમને શરીરની વિકલાંગતા, અલ્પાયુતા અને દરિદ્રતા પ્રાપ્ત થતી નથી.)

ટીકા :सम्यग्दर्शनशुद्धाः’ જેમનું સમ્યગ્દર્શન શુદ્ધ અર્થાત્ નિર્મળ છે તે (જીવો) અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જેમનાં આયુનો બંધ થઈ ગયો હોય તે સિવાયના બીજા (જીવો) न व्रजन्ति’ પ્રાપ્ત કરતા નથી. શું (પ્રાપ્ત કરતા નથી?) नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि’त्व’ શબ્દનો સંબંધ પ્રત્યેક સાથે છેજેમ કે नारकत्वं’ નારકપણું, तिर्यंक्त्वं’તિર્યંચપણું, नपुंसकत्वं’નપુંસકપણું અને स्त्रीत्वं’સ્ત્રીપણું એ (સર્વને પ્રાપ્ત કરતા નથી). ફક્ત તેમને જ પ્રાપ્ત કરતા નથી, એટલું જ નહિ, પરંતુ दुष्कुल विकृताल्पायुर्दरिद्रतां च’અહીં પણ ता’ શબ્દનો પ્રત્યેક સાથે સંબંધ છે. જે શુદ્ધનિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ બીજા ભવમાં दुष्कुलतां’ ખરાબ કુળમાંનીચ કુળમાં જન્મવું, विकृततां’ કાણાકુબડા આદિ કુરૂપને પામવું, अल्पायुष्यतां’ અલ્પ આયુષ્યનુંઅંતર્મુહૂર્ત આદિ આયુષ્યનુંપામવું, दरिद्रतां’ ગરીબ કુળમાં જન્મવું સર્વને પણ પ્રાપ્ત કરતા નથીનીચ કુળમાં જન્મતા નથી, કુબડાં આદિ કુરૂપને પામતાં નથી, અલ્પ આયુષ્યને પામતાં નથી અને ગરીબ કુળમાં જન્મતા નથી.) કેવા હોવા છતાં તે સર્વને પ્રાપ્ત કરતા નથી? अव्रतिका अपि’ અણુવ્રત રહિત હોવા છતાં તે પ્રાપ્ત કરતા નથી.

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ મર્યા પછી નારકી, તિર્યંચ, નપુંસક, સ્ત્રી, નીચ કુળવાન, વિકલાંગી, અલ્પ આયુષી અને દરિદ્રએ આઠ રૂપ થતો નથી; પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જો કોઈ આગળની ગતિના આયુનો બંધ થઈ જાય (આ આયુબંધની પૂર્વે જ સમ્યક્ત્વ છૂટી જાય) તો તેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, કિન્તુ સમ્યક્ત્વના પ્રભાવથી


Page 95 of 315
PDF/HTML Page 119 of 339
single page version

ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય છે, કે સાતમા નરકનો આયુબંધ કર્યો હોય તો તે પ્રથમ નારકનો નારકી થાય, એકેન્દ્રિય નિગોદનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિમાં પંચેન્દ્રિય તિર્યંચ થાય, લબ્ધ્યપર્યાપ્તક મનુષ્યનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિનો મનુષ્ય થાય, વ્યંતરાદિક નીચ દેવોનો આયુબંધ કર્યો હોય તો તે કલ્પવાસી મહર્દ્ધિક દેવ થાય, અન્ય સ્થાનોમાં ઊપજે નહિ.

‘છઢાળા’માં ૩/૧૬માં કહ્યું છે કે

‘‘પ્રથમ નરક વિન ષટ્ ભૂ જ્યોતિષ, વાન ભવન ષંઢ નારી,
થાવર વિકલત્રય પશુમેં નહિં, ઉપજત સમ્યક્ધારી.’’

સમ્યગ્દ્રષ્ટિ જીવ પ્રથમ નરક સિવાય (નરકાયુના બંધ પછી સમ્યક્ત્વ પામે તો) બાકીના છ નરકોમાં, જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી દેવોમાં, નપુંસકની પર્યાયમાં, સ્ત્રી પર્યાયમાં, સ્થાવર જીવોમાં, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવોમાં તથા પશુની પર્યાયમાં ઉત્પન્ન થતો નથી.

વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિને એકતાલીસ કર્મપ્રકૃતિઓનો નવીન બંધ થતો નથી. (જુઓ, ગોમ્મટસારકર્મકાણ્ડ ગાથા ૯૫૯૬)

વિશેષ

આ ગાથામાં સમ્યગ્દર્શન સાથે ‘શુદ્ધ’ વિશેષણ છે અને તેનો અર્થ ટીકાકારે ‘નિર્મળ’ કર્યો છે. તેથી તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે.

અહીં શુદ્ધ નિશ્ચય નયનો વિષય શુદ્ધ પર્યાય છે. સમ્યગ્દર્શન શુદ્ધ કહો, નિર્મળ કહો, પવિત્ર કહો કે નિશ્ચય સમ્યગ્દર્શન કહોતે એક જ છે.

તેથી સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાનમાં અવ્રતી હોવા છતાં તેને નિશ્ચય સમ્યગ્દર્શન હોય છે.

એવા નિશ્ચય સમ્યગ્દર્શન સાથે ચોથા ગુણસ્થાનમાં સાચા દેવશાસ્ત્રગુરુની વ્યવહાર શ્રદ્ધા હોય છે, પરંતુ તે શ્રદ્ધાગુણનો પર્યાય નથી; પણ તે ચારિત્રગુણનો શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧૫૭ અને તેની ટીકા). ૧.જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.


Page 96 of 315
PDF/HTML Page 120 of 339
single page version

વ્યવહાર સમ્યગ્દર્શન તે શુભાશુભ હોવાથી બંધનું કારણ છે અને નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ પર્યાય હોવાથી સંવરનિર્જરાનું કારણ છે, તેથી ઉપરોક્ત એકતાલીસ પ્રકૃતિઓનો બંધ થતો નથી, તેનો સંવર થાય છે.

વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ નરકાદિને પ્રાપ્ત થતો નથી, તેનું કારણ એ છે કે મિથ્યાદ્રષ્ટિને જેવા અનન્તાનુબંધી તીવ્ર કષાયો હોય છે, તેવા તીવ્ર કષાયો તેને હોતા નથી. તેને આર્ત્ત અને રૌદ્ર પરિણામ થાય છે, પણ મિથ્યાદ્રષ્ટિની જેમ તેઓ તેને તિર્યંચ કે નરકગતિનું કારણ થતા નથી, કારણ કે ‘નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે’એવી ભાવના તેને નિરંતર વર્તે છે.

બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૮ની સંસ્કૃત ટીકામાં કહ્યું છે કે

‘‘........આર્ત્તધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી પ્રમત્ત ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. આ આર્ત્તધ્યાન, જોકે મિથ્યાદ્રષ્ટિ જીવોને, તિર્યંચ ગતિના બંધનું કારણ થાય છે, તથાપિ જે જીવોને સમ્યક્ત્વ પ્રાપ્તિની પહેલાં તિર્યંચ આયુનો બંધ થઈ ચૂક્યો હોય તે સિવાય અન્ય સમ્યગ્દ્રષ્ટિને તે આર્ત્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી.

શંકાઃસમ્યગ્દ્રષ્ટિને આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ કેમ થતું નથી?

ઉત્તરઃકારણ કે ‘નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે’એવી વિશિષ્ટ ભાવનાના બળથી સમ્યગ્દ્રષ્ટિ જીવોને તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ પરિણામોનો અભાવ હોય છે.

રૌદ્રધ્યાન મિથ્યાદ્રષ્ટિથી પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. તે મિથ્યાદ્રષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે, છતાં પણ જે જીવે સમ્યક્ત્વની પહેલાં નરકાયુનો બંધ કરી લીધો હોય, તેના સિવાય અન્ય સમ્યગ્દ્રષ્ટિઓને એ રૌદ્રધ્યાન નરક ગતિનું કારણ થતું નથી.

પ્રશ્નઃસમ્યગ્દ્રષ્ટિને રૌદ્રધ્યાન નરકગતિનું કારણ કેમ થતું નથી?

ઉત્તરઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિઓને ‘નિજ શુદ્ધાત્મ તત્ત્વ જ ઉપાદેય છે’એવા ૧. तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । (શ્રી પ્રવચનસાર)

જુઓતત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯, સૂત્ર ૩૪.

૨.......रौद्रमविरत देशविरतयोः । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯, સૂત્ર ૩૫)