Page 8 of 237
PDF/HTML Page 21 of 250
single page version
પાસેથી
અહિંસા ધર્મનો ઉપદેશ આપીને લાખો – કરોડો જીવોનું કલ્યાણ
કરીશ.
મેં શું કર્યું
ને સાતમી નરકે પણ ગયો; પાછો સિંહ થયો, જીવોને મારી
માંસભક્ષણ કર્યું.....પણ હવે એવા માંસભક્ષણાદિ પાપભાવોને તું
સર્વથા છોડ. હવે ભગવાન થવાની તૈયારી કર. તારો આત્મા રાગ
વગરનો, જ્ઞાનસ્વરુપ છે ને તેમાં જ શાંતિ છે, તેને તું જાણ. અમે
તને આત્મબોધ પમાડવા આવ્યા છીએ; માટે તું અત્યારે જ તારા
આત્માને જાણ ને અનુભવ કર.
Page 9 of 237
PDF/HTML Page 22 of 250
single page version
ને તેમનું શાંતસ્વરુપ મને મારા આત્મસ્વરુપની પ્રતીતિ ઉપજાવતું
હતું.
મને આત્મજ્ઞાન પમાડવા બહુ પ્રેમથી કહેતા હતા કે હે ભવ્ય
ગયું.....આત્મા શાંતરસના સ્વાદથી એકદમ તૃપ્ત થયો; ક્રૂર
કષાયપરિણામો આત્મામાંથી દૂર થઈ ગયા.....ને કષાય વગરનું
શાંત પરમાત્મતત્ત્વ જાણીને હું પરમાત્મપદનો પથિક બન્યો.....બસ,
પછી તો થોડા જ ભવમાં આત્મસાધના પૂરી કરી, મહાવીર –
તીર્થંકર થઈને અત્યારે હું મોક્ષપુરીમાં વસી રહ્યો છું.
Page 10 of 237
PDF/HTML Page 23 of 250
single page version
કાઢી નાંખતો હતો. એવામાં તેણે એક મુનિરાજને દેખ્યા.
મુનિરાજના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલું
જ નહિ, તેમના ઉપદેશથી તેને સમ્યગ્દર્શન થયું.....ગાંડો
હાથી, મુનિરાજના સંગે ધર્માત્મા થઈને પરમાત્મા બન્યો.
તેની સુંદર કથા તેના જ મુખથી સાંભળો : –
Page 11 of 237
PDF/HTML Page 24 of 250
single page version
દેખાય છે તે જ પોતે અરવિંદ રાજા હતા. મારું નામ હતું મરુભૂતિ.
મારા મોટાભાઈ કમઠે મને મારી નાંખ્યો. હું મરીને હાથી થયો, ને
કમઠ મરીને સર્પ થયો. અરવિંદ રાજા દીક્ષા લઈને મુનિ થયા.
હતો. ભવિષ્યમાં જ્યાંથી હું મોક્ષ પામવાનો હતો એવા મહાન
સિદ્ધિધામ પાસે રહેતો હોવા છતાં હજી હું સિદ્ધિના પંથને જાણતો
ન હતો. હું મને તે વનનો રાજા માનતો હતો, તેથી ત્યાંથી પસાર
થતા યાત્રિકોને હું ત્રાસ આપતો.
કોલાહલ સાંભળી હું ગાંડો થયો ને પશુ કે માણસ જે કોઈ
હડફેટમાં આવે તેનો કચ્ચરઘાણ કરવા લાગ્યો. ક્રોધપૂર્વક દોડતો
દોડતો હું ઝાડ નીચે બેઠેલા મુનિરાજની સામે આવ્યો.
સામે ટગર ટગર જોઈ રહ્યો.....મને બહુ જ ગમ્યું. ત્યાં તો મારી
સ્મૃતિ જાગી ઊઠી; પૂર્વભવનું મને ભાન થયું કે અરે, આ તો મારા
અરવિંદરાજા
Page 12 of 237
PDF/HTML Page 25 of 250
single page version
આ ક્રોધ તને શોભતો નથી; તારો મહાન આત્મા ક્રોધથી ભિન્ન,
અત્યંત શાંત ચૈતન્યસ્વરુપ છે, તેને તું ઓળખ.
સામે ટગટગ જોતાં તેમની વાણી સાંભળવા આતુર બન્યો.
ઉપદેશ દેવા લાગ્યા : હે ભવ્ય
આત્મા સાથે એકમેક માનીને તેં ભવચક્રમાં ઘણા ભવ કર્યા ને બહુ
દુઃખી થયો. હવે રાગ અને જ્ઞાનને એકમેક માનવાના અવિવેકને તું
છોડ. તારો આત્મા દેહરુપ કે રાગરુપ થઈ ગયો નથી, ચેતનરુપ જ
રહ્યો છે. – આ જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા, અને સદાય
ઉપયોગસ્વરુપ સ્વતત્ત્વ જ મારું છે એમ અનુભવ કર.
ઉપયોગ તો હર્ષથીયે પાર થઈને ચૈતન્યતત્ત્વના પરમઆનંદનો સ્વાદ
લેવા તરફ ઢળી રહ્યો હતો. પ્રશાંત પરિણામ વડે મારી ચેતના
અંદરમાં ઊંડી ઊતરતાં મેં મારા પરમાત્મસ્વરુપને સાક્ષાત
દેખ્યું.....અહા, પરમ આનંદની અનુભૂતિસહિત આત્માનું સમ્યક્
દર્શન થયું.
Page 13 of 237
PDF/HTML Page 26 of 250
single page version
હતું. ક્ષણમાત્રના આવા અનુભવથી મારો અનંતભવનો થાક ઊતરી
ગયો ને હું મોક્ષમાર્ગનો પથિક બન્યો.’ – સમ્યગ્દર્શન પામેલો હાથી
કહે છે : આત્મઉપયોગ સહજપણે ઝડપથી પોતાના સ્વરુપ તરફ
વળતાં સહજ નિર્વિકલ્પસ્વરુપ અનુભવાયું. ચૈતન્યપ્રભુ પોતાના
એકત્વમાં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા. વાહ, મારું સ્વરુપ
કોઈ અદ્ભુત – અચિંત્ય – આશ્ચર્યકારી છે.’
પરમાત્મપણું મળ્યું. હું પશુ નહિ, હું તો પરમાત્મા
આત્મસ્વરુપને તે પ્રગટ કરે છે. અહા, જેમના ઉપદેશથી મારા
ભવદુઃખનો અંત આવ્યો ને મોક્ષની સાધના શરુ થઈ, જેમણે મને
મારા પરમાત્મનિધાન બતાવ્યા, તે મુનિરાજના ઉપકારીની શી વાત
સ્તુતિ કરી, સૂંઢવડે નમસ્કાર કરીને મેં તેમનો ઉપકાર માન્યો....
મારી આંખમાંથી હરખના આંસુ ઝરતા હતા.
Page 14 of 237
PDF/HTML Page 27 of 250
single page version
સરોવરમાં પાણી પીવા જતાં તે વજ્રઘોષ – હાથી કાદવમાં ખૂંચી
ગયો; ત્યારે એક ભયંકર સર્પ તેને કરડયો.....ને હાથી સમાધિમરણ
કરીને સ્વર્ગમાં ગયો.
પારસનાથ – તીર્થંકર થયા ત્યારે તે સર્પનો જ જીવ ‘સંવરદેવ’ થઈ
ને તેમની જ સમીપમાં સમ્યગ્દર્શન પામીને મોક્ષમાર્ગી થયો.
‘પારસના સંગે લોઢું સોનું બની ગયું.’
Page 15 of 237
PDF/HTML Page 28 of 250
single page version
અનુયોગરુપ છે, ને તે ચારેય અનુયોગ વીતરાગભાવનો જ
ઉપદેશ આપીને આત્માનું હિત કરનાર છે. પુરાણા શાસ્ત્રભંડારોમાં
ચારે અનુયોગના ઘણાંય શાસ્ત્રો છે, પણ તે બધાય નો અભ્યાસ
અતિ વિરલ વિદ્વાનો જ કરી શકે છે.
અધ્યાત્મશૈલીથી લખાયેલ ‘મહાપુરાણ’ વાંચો, – તેમાં
જિનવાણીના ચારેય અનુયોગ ભર્યા છે. તેમાં (૧) તીર્થંકર
ભગવંતોની જીવનકથા છે, (૨) મોક્ષને માટે તે ભગવંતોએ
આચરેલા ઉત્તમ આચરણનું વર્ણન છે, (૩) ચાર ગતિનાં સુખ-
દુઃખ, ગુણસ્થાન વગેરે પરિણામરુપ કરણાનુયોગ પણ તેમાં છે,
અને (૪) તે તીર્થંકરાદિ મહાત્માઓ ક્યારે, કેવા ભાવથી
સમ્યગ્દર્શનાદિ પામ્યા, તેનું વર્ણન તેમજ સ્વાનુભૂતિની અતિ
સુંદર ચર્ચાઓરુપ દ્રવ્યાનુયોગ પણ તેમાં ઠેરઠેર ભરેલો છે. આ
રીતે
અનુભવશો....અને, જો જ્ઞાનીના સત્સંગનું જોર તમારી પાસે હશે
તો, તમે મોક્ષમાર્ગમાં પણ દાખલ થઈ જશો. – ધન્યવાદ !
Page 16 of 237
PDF/HTML Page 29 of 250
single page version
ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ત્યાંના કેદીઓને સદુપદેશનાં
બોધવચનો સંભળાવવા પધાર્યા હતા. ત્યાંના કરુણ અને
વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે
બોધવચન કહ્યા તે અહીં આપવામાં આવ્યા છે. જેલના
કેદીભાઈઓને ગુરુદેવના આ બોધવચનો સાંભળીને
સન્માર્ગમાં જીવન ગાળવાની ભાવના જાગી હતી.
વસ્તુ છે, તે અવિનાશી છે; ને પાપ, હિંસા વગેરે જે દોષ છે, તે
ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે.
ક્રોધ – માન વગેરે દોષ તો આત્મા અજ્ઞાનથી અનાદિનો કરતો જ
આવે છે ને તેથી તે આ સંસારરુપી જેલમાં પૂરાયેલો છે, તેમાંથી
કેમ છૂટાય
પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરુપ નથી,’ એમ
ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા
પ્રગટાવી શકાય છે.
Page 17 of 237
PDF/HTML Page 30 of 250
single page version
તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને
બૂઝાવી નાંખે છે, તેમ આ આત્મા શાંત – શીતળસ્વભાવી છે, ને
ક્રોધાદિ તો અગ્નિ જેવા છે; જો કે પોતાની ભૂલથી જ આત્મા
ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેનો અસલી સ્વભાવ નથી, અસલી
સ્વભાવ તો જ્ઞાન છે, તેનું ભાન કરે તો ક્રોધાદિ ટળી જાય છે ને
શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે, તે દોષ અને પાપના
અંધકારનો નાશ કરી નાંખે છે.
જેલના બંધનમાં આત્મા બંધાયેલો છે; તેમાંથી છૂટવા માટે
આત્માની ઓળખાણ અને સત્સમાગમ કરવા જોઈએ. આવો મોંઘો
મનુષ્ય – અવતાર મળ્યો, તે કાંઈ ફરી ફરીને નથી મળતો; માટે
તેમાં એવું સારું કામ કરવું જોઈએ કે જેથી આત્મા આ ભવબંધનની
જેલમાંથી છૂટે. શ્રીમદ્ રાજચંદ્રજી નાની ઉંમરમાં કહે છે કે –
તોયે અરે, ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો
નહિતર તો આ રત્ન, ચૌટામાં પડેલા રત્નની જેમ ચોરાઈ જશે.
બધાય આત્મામાં (અહીં બેઠા છે તે કેદી – ભાઈઓના દરેક
આત્મામાં પણ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દોષનો
Page 18 of 237
PDF/HTML Page 31 of 250
single page version
નાશ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ ન હોય. બધા આત્મામાં
પ્રભુતા ભરી છે, તેનું પોતે ભાન કરીને તે પ્રગટાવી શકે છે.
આત્માનું ભાન ન થાય. વિચાર કરવો જોઈએ કે અરે
છે, પાપીમાં પાપી જીવ પણ ક્ષણમાં પોતાના વિચાર પલટીને આવું
ભાન કરી શકે છે; ‘સો ઉંદર મારીને બિલ્લી પાટે બેઠી’ – એમ
ઘણાં પાપ કર્યા ને હવે જીવન કેમ સુધારી શકે
સુધારી શકાય છે. આ મનુષ્યભવ પામીને એ કરવા જેવું છે.
આત્મસાધનામાં ભરેલું સૌન્દર્ય કોઈ અચિંત્ય છે.
એકત્વ – નિશ્ચયરુપ થયેલો તે આત્મા સર્વત્ર સુંદર છે.
આત્મસાધનામાં અચલ રહે છે.
Page 19 of 237
PDF/HTML Page 32 of 250
single page version
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ ચોક્કસ થાય છે. તેમાં જરુરીયાત એટલી
કે, આત્માને જાણવાની જે ભાવના જાગી તેમાં પૂરી તાકાત લગાડીને
આગળ ને આગળ વધ્યે જવું. બધી પરિસ્થિતિમાં એને જ મુખ્ય
રાખવું, એટલે એ જ પોતાનું જીવન છે – એમ સમજવું.
જ આખું જગત જાણે મનમાંથી દૂર હટી જાય છે ને સંસારના
બઘાય ભાવોનો થાક ઊતરવા માંડે છે.....એટલે કે ચિત્ત શાંત
થઈને પોતાના આત્માના ચિંતનમાં એકાગ્ર થવા તત્પર થાય છે.
અહીંથી ધ્યાન માટેના (એટલે કે સમ્યગ્દર્શનરુપ આત્મઅનુભવ
માટેના) પ્રયોગની શરુઆત થવા માંડે છે.
રસપૂર્વક પોતાના ચૈતન્યભંડારમાંથી જ શાંતિનું વેદન લેવા
પ્રયત્નશીલ થયું.....શ્રદ્ધા અને જ્ઞાનની બધી તાકાતને તેમાં જ
રોકી.....અનંત તાકાતવાળો આત્મા પોતે જાગીને પોતાને સાધવા
તૈયાર થયો.....ધ્યાતા બનીને પોતે પોતાને જ ધ્યેયરુપ કરવા
માંડયો. આ પ્રયોગની જેટલી ઉગ્રતા, એટલો વિકલ્પોનો અભાવ.
Page 20 of 237
PDF/HTML Page 33 of 250
single page version
બહારની સામગ્રીમાં કે રાગાદિભાવોમાં કદી જે જાતની શાંતિનો
સ્વાદ આવ્યો ન હતો, એવો કોઈ નવીન શાંતિનો સ્વાદ
ચૈતન્યચિંતનમાં તેને આવવા લાગ્યો.....ક્યાંથી આવ્યો આ મધુર
સ્વાદ
ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. તેને શાંતિનું વેદન ચમત્કારિક રીતે
વધતું જાય છે ને વિકલ્પો લગભગ બધા જ શાંત થઈ જાય છે.
છે. જુઓ, અત્યારે થોડીક વાર એવી આત્મભાવના કરી તેમાં પણ
જગતના બધા સુખ – દુઃખો ભૂલાઈને, તમારા ચિત્તમાં શાંતિના
કેવા ભણકાર આવવા લાગ્યા
નથી પણ મારામાં છે, ને હું પોતે જ શાંતિ સ્વરુપ છું.
ભગવંતોની નગરીમાં.....ચૈતન્ય મહેલમાં.....
Page 21 of 237
PDF/HTML Page 34 of 250
single page version
પોકારતું હોય તો –
તું અમારો જ્ઞાતિબંધુ – સાધર્મી છો. અમારા પરિવારનો જ છો.
કષાયનગરીમાં તો તું ભૂલથી ફસાઈ પડયો છો; હવે ત્યાંનો વાસ
છોડીને આપણા બાપદાદાની અસલી નગરી એવી આ શાંતનગરીમાં
અમારી સાથે રહેવા ચાલ્યો આવ
બેઠા છીએ.....આનંદથી તું આવ.....ને અમારી સાથે સદાય સુખથી
રહે; તું અમારો ભાઈ છો, શ્રી પંચપરમેષ્ઠીની આજ્ઞાથી તને
ચૈતન્યનગરીમાં આવવાનું આ આમંત્રણ આપું છું.
Page 22 of 237
PDF/HTML Page 35 of 250
single page version
અત્યાર સુધી અનાદિથી આત્માની શાંતિને ભૂલીને હું
ભગવંતોની શાંતિને દેખીને મને પણ એવી શાંતિ માટે ઘણી જ
ચાહના થઈ છે. તેથી હવે હું આ કષાયની આગમાં એક ક્ષણ પણ
રહી નહીં શકું. એનાથી જલ્દી છૂટીને શાંતરસનો હું પિપાસુ થયો
છું, તેથી હું મુમુક્ષુ છું.
તને બતાવું છું. અમે આ માર્ગે આત્મનગરીમાં
આવ્યા છીએ. તું પણ જલ્દી આવ. તે માટે
પાંચ પગલાં તને બતાવું છું.
Page 23 of 237
PDF/HTML Page 36 of 250
single page version
શાંતિ આપીને મારું દુઃખ મટાડનાર છો. પહેલાં હું કદી તમારી
પાસે નહોતો આવ્યો તેથી કષાયોએ મને હેરાન કર્યો.....હવે હું
તમારી પાસે આવ્યો છું ને મુમુક્ષુ થયો છું; તમે અવશ્ય મને
કષાયોથી છોડાવીને મહાન આત્મશાંતિ દેશો – એવો મારો વિશ્વાસ
છે. અહો ચૈતન્ય પ્રભુ
શાંતરસની શીતળ હવા આવવા લાગી.
દેખ, આપણી આ ચૈતન્યનગરી કેવી મજાની સુંદર છે
મિથ્યાત્વ વગેરે દુષ્ટ ચોર – લોકોનો આ નગરીમાં પ્રવેશ – નિષેધ
છે; માટે હવે તું તે કષાયોની બીક છોડી દે, અને નિર્ભય થઈને આ
શાંતનગરીમાં રહેનારા સર્વે સજ્જન પરિવારનો પરિચય કર
વીતરાગ છે
Page 24 of 237
PDF/HTML Page 37 of 250
single page version
પામી રહ્યા છે; તેઓ એમ સમજાવે છે કે આટલો સૂક્ષ્મ કષાયકણ
પણ જીવને દુઃખ દેનારો છે, તેથી તેને આપણી ચૈતન્યનગરીમાંથી
ભગાડી દેવો જોઈએ..... તો પછી મોટા મોટા કષાયોની તો વાત જ
શું કરવી
તેમણે કષાયોની સામે ઘણી મોટી લડાઈ કરીને તેને પછાડી દીધાં
છે.
લડ.....અને..... લે આ ચેતના – તલવાર.....તેના એક જ ઘાથી
કષાયની અનંત સેના મરી જશે અને તને તારા ચૈતન્યના
આનંદવૈભવથી ભરેલું સ્વરાજ્ય પ્રાપ્ત થશે.....અને તું પણ અમારા
બધા જેવો જ થઈ જઈશ.
દુઃખદાયક એવી કષાયનગરીમાંથી હું ભાગી છૂટયો છું.
Page 25 of 237
PDF/HTML Page 38 of 250
single page version
હું આત્માની શાંતિનગરીમાં આવ્યો છું, છતાં પણ આ
મળતી, – આમ કેમ
પ્રગટ કર્યો નથી, તો પછી તને શાંતિ કેમ મળે
અને કષાય કાંઈ જીવનો ગુણ નથી પણ વિરોધી છે. કષાયનો નાશ
થતાં કાંઈ જીવનો નાશ નથી થતો. કષાય તો કર્મનો મિત્ર છે અને
આત્માનો દુશ્મન છે.
એક વસ્તુના બે ગુણો એકબીજાના વિરોધી હોતા નથી. તેથી જ્ઞાન
અને શાંતિ તો એકસાથે રહે છે – પણ ક્રોધ અને શાંતિ એકસાથે કદી
રહી શકતા નથી. ક્રોધ અને અશાંતિ સદા સાથે હોય છે. આ રીતે,
શાંતિ અને ક્રોધની અત્યંત ભિન્નતા જાણીને હું મારા જ્ઞાનને શાંતિની
સાથે જોડું છું અને ક્રોધને જ્ઞાનમાંથી બહાર કાઢી નાખું છું.
આ જ છે મારી આત્મનગરી.
Page 26 of 237
PDF/HTML Page 39 of 250
single page version
છે, – મારી પાસે પણ એટલો જ ગુણવૈભવ ભરેલો છે; અને
કષાયોને કે અશાંતિને મારા કોઈ પણ ગુણમાં રહેવાનો અધિકાર
નથી. તેથી મારી ચૈતન્યસત્તાનો ઉપયોગ કરીને મેં કષાયોને
દેશનિકાલ કરી દીધા છે.....એટલે હવે હું જોશમાં આવી ગયો છું.
અત્યાર સુધી કષાયોના દબાણને કારણે મારી શાંતિ ખીલતી ન
હતી, તથા મારું જ્ઞાન પણ કષાયવશ થવાથી મારા અતીન્દ્રિય
સ્વભાવને દેખી શકતું ન હતું; હવે મારું જ્ઞાન ને શાંતિ કષાયોથી
ભિન્ન સ્વાધીન થઈ જવાથી, પોતાના અસલી સ્વરુપે પ્રગટ થઈને
મારી મહાન શાંતિ તથા અપૂર્વ જ્ઞાનચેતનાનો અનુભવ કરી રહ્યું છે.
પડી, અને મને ઘણી જ પ્રસન્નતા થઈ.....હવે આવી સુંદર નગરીને
છોડીને હું બીજે ક્યાંય જવાનો નથી.....સદાય આપની સાથે આ
નગરીમાં જ મારા સ્વઘરમાં રહીશ.....ને આપના જેવો જ થઈ
જઈશ.
મહાન આનંદનો લાભ લેવાનો ઉત્તમ અવસર મને મળી ગયો છે
તેથી હવે હું મારા સ્વભાવમાં ઊતરીને, અંતરમાં સ્વાનુભૂતિ કરીને
Page 27 of 237
PDF/HTML Page 40 of 250
single page version
મારું ચિત્ત એવું તલસી રહ્યું છે કે દુનિયાની સામે ક્યાંય દેખવાની
ઇચ્છા થતી નથી. દુનિયાનો કોઈ પણ પ્રસંગ હવે મારી ચેતનાને
મારા સુખથી છોડાવીને મને નથી તો ડરાવી શકતો, કે નથી
લોભાવી શકતો. તેથી હું દુનિયાથી ઉપેક્ષિત થઈને મારા
ચૈતન્યરસના મીઠા સ્વાદમાં જ મશગુલ છું.
આ ચૈતન્યનગરીને દેખતો જાઉં છું તેમ તેમ તેની મહાન અદ્ભુત
વિભૂતિઓ દેખીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. અહા
ચૈતન્યપુરીમાં દેખી.
ફસાઈ પડયો હતો ત્યારે પણ મારી આ આત્મવિભૂતિ મારામાં જ
ભરી હતી, અને છતાં પણ કષાયો તેને નષ્ટ કરી શક્યા ન હતા.
આથી એમ પણ નક્કી થઈ જાય છે કે કષાયોની તાકાત કરતાં મારી
આત્મવિભૂતિની તાકાત ઘણી મહાન છે.