Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 413-449 ; Dvadasha Tapanu Varnan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 17

 

Page 237 of 297
PDF/HTML Page 261 of 321
single page version

અર્થઃકારણ કે પુણ્યની વાંચ્છાથી કાંઈ પુણ્યબંધ થતો નથી,
પરંતુ વાંચ્છા રહિત પુરુષને પુણ્યબંધ થાય છે એટલા માટે પણ અર્થાત્
એમ જાણીને પણ હે યતીશ્વર! તમે પુણ્યમાં પણ વાંચ્છા
આદર ન કરો!
ભાવાર્થઃઅહીં મુનિજનોને ઉપદેશ્યા છે કેપુણ્યની
વાંચ્છાથી પુણ્યબંધ થતો નથી, પુણ્યબંધ તો આશા મટતાં બંધાય છે.
માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની
આશા કરો.
पुण्णं बंधदि जीवो मंदक साएहि परिणदो संतो
तम्हा मंदकसाया हेऊ पुण्णस्स ण हि वंछा ।।४१३।।
पुण्यं बध्नाति जीवः मन्दकषायैः परिणतः सन्
तस्मात् मन्दकषायाः हेतुः पुण्यस्य न हि वांछा ।।४१३।।
અર્થઃમંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે
પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંચ્છા પુણ્યબંધનું કારણ નથી.
પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પુણ્યબંધની) વાંચ્છા છે તે તો
તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાંચ્છક પુરુષને પુણ્યબંધ થાય
છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને
ચાહવિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
પ્રશ્નઃઅધ્યાત્મગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે અને
પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે; માટે અમે તો એમ જાણીએ છીએ
કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ
મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના
ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરક-નિગોદમાં જાય, ત્યાં
મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન
કરવી?
સમાધાનઃએ કહ્યું તે તો સાચું છે, પરંતુ માત્ર ભોગના અર્થે
પુણ્યની વાંચ્છાનો અત્યંત નિષેધ છે. કારણ કે ભોગના અર્થે પુણ્યની

Page 238 of 297
PDF/HTML Page 262 of 321
single page version

વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અને
તપશ્ચરાણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ
તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક
નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું
સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ
સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની
જ વાંચ્છા થઈ
પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન
કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય
તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના
માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ
પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં
પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં
પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ
સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક
શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય
જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુઃખ માફક જાણે એટલે તેઓની
કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપ - દુઃખરૂપ
જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને
પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ
માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંકિતાદિ આઠ
અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં
પ્રથમ નિઃશંકિતઅંગ કહે છેઃ
किं जीवदया धम्मो जण्णे हिंसा वि होदि किं धम्मो
इच्चेवमादिसंका तदकरणं जाण णिस्संका ।।४१४।।

Page 239 of 297
PDF/HTML Page 263 of 321
single page version

किं जीवदया धर्मः यज्ञे हिंसा अपि भवति किं धर्मः
इत्येवमादिशंका तदकरणं जानीहि निःशंका ।।४१४।।
અર્થઃઆમ વિચાર કરે કેશું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં
પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય
થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંકિત (ગુણ) છે.
ભાવાર્થઃઅહીં ‘આદિ’ શબ્દથી એમ કહ્યું છે કેદિગંબર
યતિનો જ મોક્ષ છે કે તાપસનોપંચાગ્નિ આદિ તપ કરે છે તેમનો
પણ છે? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે?
અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી કરતા? અથવા સ્ત્રીનો મોક્ષ
છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે
કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશંકિત અંગ છે.
दयभावो वि य धम्मो हिंसाभावो ण भण्णदे धम्मो
इदि संदेहाभावो णिस्संका णिम्मला होदि ।।४१५।।
दयाभावः अपि च धर्मः हिंसाभावः न भण्यते धर्मः
इति सन्देहाभावः निःशंका निर्मला भवति ।।४१५।।
અર્થઃનિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ
કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય છે, તે જ
નિર્મલ નિઃશંકિતગુણ છે.
ભાવાર્થઃઅન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા
તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું
તે નિઃશંકિતગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ
થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છેઃ
जो सग्गसुहणिमित्तं धम्मं णायरदि दूसहतवेहिं
मोक्खं समीहमाणो णिक्कंक्खा जायदे तस्स ।।४१६।।

Page 240 of 297
PDF/HTML Page 264 of 321
single page version

यः स्वर्गसुखनिमित्तं धर्मं न आचरति दुःसहतपोभिः
मोक्षं समीहमानः निःकाङ्क्षा जायते तस्य ।।४१६।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં
સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે
તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
ભાવાર્થઃજે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ
કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને
નિઃકાંક્ષિતગુણ હોય છે.
હને નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ
दहविहधम्मजुदाणं सहावदुग्गंधअसुइदेहेसु
जं णिंदणं ण कीरदि णिव्विदिगिंछागुणो सो हु ।।४१७।।
दशविधधर्मयुतानां स्वभावदुर्गन्धाशुचिदेहेषु
यत् निन्दनं न क्रियते निर्विचिकित्सागुणः सः स्फु टम् ।।४१७।।
અર્થઃપ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગન્ધઅશુચિમય છે
અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિદુર્ગન્ધરૂપ
દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને
તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિપુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહ તો સ્વભાવથી જ અશુચિ
દુર્ગન્ધરૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? તેમના રત્નત્રય
(સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ
ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યક્ત્વગુણ
પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે
છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
હવે અમૂઢદ્રષ્ટિગુણ કહે છેઃ

Page 241 of 297
PDF/HTML Page 265 of 321
single page version

भयलज्जालाहादो हिंसारंभो ण मण्णदे धम्मो
जो जिणवयणे लीणो अमूढदिट्ठी हवे सो हु ।।४१८।।
भयलज्जालाभात् हिंसारम्भः न मन्यते धर्मः
यः जिनवचने लीनः अमूढदृष्टिः भवेत् सः स्फु टम् ।।४१८।।
અર્થઃજે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના
આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદ્રષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે?
જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ
શ્રદ્ધા યુક્ત છે.
ભાવાર્થઃઅન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે તેને
રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજજાથી વા કોઈ
ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ
એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને
અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ
-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય
એમ સમજવું.
હવે ઉપગૂહનગુણ કહે છેઃ
जो परदोसं गोवदि णियसुकयं णो पयासदे लोए
भवियव्वभावणरओ उवगूहणकारओ सो हु ।।४१९।।
यः परदोषं गोपयति निजसुकृतं नो प्रकाशयते लोके
भवितव्यभावनारतः उपगूहनकारकः सः स्फु टम् ।।४१९।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ પરના દોષને ઢાંકેગોપવે તથા પોતાના
સુકૃત અર્થાત્ પુણ્યગુણો લોકમાં પ્રકાશે નહિકહેતો ફરે નહિ, પણ
આવી ભાવનામાં લીન રહે કે ‘જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે’
તે ઉપગૂહનગુણવાળો છે.
ભાવાર્થઃ‘જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ
છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે’ એવી ભાવના સમ્યગ્દ્રષ્ટિને

Page 242 of 297
PDF/HTML Page 266 of 321
single page version

રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી.
વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો
તેને છુપાવે
ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની
અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો.
ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે
તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
હવે સ્થિતિકરણગુણ કહે છેઃ
धम्मादो चलमाणं जो अण्णं संठवेदि धम्मम्मि
अप्पाणं पि सुदिढयदि ठिदिकरणं होदि तस्सेव ।।४२०।।
धर्मतः चलन्तं यः अन्यं संस्थापयति धर्मे
आत्मानं अपि सुद्रढयति स्थितिकरणं भवति तस्य एव ।।४२०।।
અર્થઃધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો
તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દ્રઢ કરવો.
તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થઃધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં
નિશ્ચયવ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી
ઉપદેશથી વા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેઃ
जो धम्मिएसु भत्तो अणुचरणं कुणदि परमसद्धाए
पियवयणं जंपंतो वच्छल्लं तस्स भव्वस्स ।।४२१।।
यः धार्मिकेषु भक्तः अनुचरणं करोति परमश्रद्धया
प्रियवचनं जल्पन् वात्सल्यं तस्य भव्यस्य ।।४२१।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિશ્રાવક
મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓના અનુસારે પ્રવર્તે
તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.

Page 243 of 297
PDF/HTML Page 267 of 321
single page version

ભાવાર્થઃવાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે.
ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિઅનુરાગ હોય, તેઓમાં
પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજનગમનઆગમન આદિ
ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાયવાછરડા જેવી પ્રીતિ
રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
હવે પ્રભાવનાગુણ કહે છેઃ
जो दसभेयं धम्मं भव्वजणाणं पयासदे विमलं
अप्पाणं पि पयासदि णाणेण पहावणा तस्स ।।४२२।।
यः दशभेदं धर्मं भव्यजनानां प्रकाशयति विमलम्
आत्मानं अपि प्रकाशयति ज्ञानेन प्रभावना तस्य ।।४२२।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા
દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશપ્રકારરૂપ
ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થઃધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં
ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ
દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ
હોય છે.
जिणसासणमाहप्पं बहुविहजुत्तीहिं जो पयासेदि
तह तिव्वेण तवेण य पहावणा णिम्मला तस्स ।।४२३।।
जिनशासनमाहात्म्यं बहुविधयुक्तिभिः यः प्रकाशयति
तथा तीव्रेण तपसा च प्रभावना निर्मला तस्य ।।४२३।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની
યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ,
અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના
દ્વારા અનેક

Page 244 of 297
PDF/HTML Page 268 of 321
single page version

પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશયચમત્કાર
પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાત્મ્ય
પ્રગટ કરે તેને પ્રભાવનાગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થઃઆ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક
જીવોને ધર્મની અભિરુચિશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને
(પ્રભાવનાગુણ) અવશ્ય હોય છે.
હવે ‘નિઃશંકિતાદિ ગુણો કેવા પુરુષને હોય છે?’ તે કહે છેઃ
जो ण कुणदि परतत्तिं पुणु पुणु भावेदि सुद्धमप्पाणं
इंदियसुहणिरवेक्खो णिस्संकाई गुणा तस्स ।।४२४।।
यः न करोति परतप्तिं पुनः पुनः भावयति शुद्धं आत्मानम्
इन्द्रियसुखनिरपेक्षः निःशंकादयः गुणाः तस्य ।।४२४।।
અર્થઃજે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર
ચિંતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષાવાંચ્છારહિત હોય તેને
નિઃશંકિતાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે.
ભાવાર્થઃઅહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય એ છે કે જે
પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૂહન, સ્થિતિકરણ તથા
વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર
ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા
સંદેહ
હોય તથા મૂઢદ્રષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ કયાંથી
ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને
અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને
ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ
ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે
આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ
આદિમાં પણ સમજવાઃ

Page 245 of 297
PDF/HTML Page 269 of 321
single page version

णिस्संकापहुडिगुणा जह धम्मे तह य देवगुरुतच्चे
जाणेहि जिणमयादो सम्मत्तविसोहया एदे ।।४२५।।
निःशंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे
जानीहि जिनमतात् सम्यक्त्वविशोधकाः एते ।।४२५।।
અર્થઃજેમ આ નિઃશંકિતાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય
છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્યપંચાસ્તિકાય
સાતતત્ત્વનવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચનસિદ્ધાન્તથી
સમજવા. આ આઠ ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થઃદેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ
શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન
લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને
ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ
કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવું
એ આઠ ગુણ તેમાં (દેવગુરુ
તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા
જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી
સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે ‘આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે’ એમ
કહે છેઃ
धम्मं ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्ठेण
काउं तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो ।।४२६।।
धर्मं न जानाति जीवः अथवा जानाति कथमपि कष्टेन
कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः ।।४२६।।
અર્થઃઆ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી,
વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ
પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.

Page 246 of 297
PDF/HTML Page 270 of 321
single page version

ભાવાર્થઃઅનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ
પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના
સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને
આચરવો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દ્રષ્ટાન્તપૂર્વક કહે છેઃ
जह जीवो कुणइ रइं पुत्तकलत्तेसु कामभोगेसु
तह जइ जिणिंदधम्मे तो लीलाए सुहं लहदि ।।४२७।।
यथा जीवः करोति रतिं पुत्रकलत्रेषु कामभोगेषु
तथा यदि जिनेन्द्रधर्मे तत् लीलया सुखं लभते ।।४२७।।
અર્થઃજેમ આ જીવ પુત્રકલત્રમાં તથા કામભોગમાં રતિ
પ્રીતિ કરે છે તેમ જો જિનેન્દ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર
અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃઆ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં
પ્રીતિ છે, તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ
થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી
હોય?
लच्छिं वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणइ
बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिप्पत्ती ।।४२८।।
लक्ष्मीं वांछति नरः नैव सुधर्मेषु आदरं करोति
बीजेन विना कुत्र अपि किं दृश्यते सस्यनिष्पत्तिः ।।४२८।।
અર્થઃઆ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેન્દ્રના કહેલા
મુનિશ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો
ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે? જેમ બીજ વિના ધાન્યની
ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.

Page 247 of 297
PDF/HTML Page 271 of 321
single page version

ભાવાર્થઃજેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના
સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃ
जो धम्मत्थो जीवो सो रिउवग्गे वि कुणदि खमभावं
ता परदव्वं वज्जइ जणणिसमं गणइ परदारं ।।४२९।।
यः धर्मस्थः जीवः सः रिपुवर्गे अपि करोति क्षमाभावम्
तावत् परद्रव्यं वर्जयति जननीसमं गणयति परदारान् ।।४२९।।
અર્થઃજે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર
પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છેઅંગીકાર કરતો નથી તથા
પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
ता सव्वत्थ वि कित्ती ता सव्वत्थ वि हवेइ वीसासो
ता सव्वं पिय भासइ ता सुद्धं माणसं कुणइ ।।४३०।।
तावत् सर्वत्र अपि कीर्तिः तावत् सर्वत्र अपि भवति विश्वासः
तावत् सर्वं प्रियं भाषते तावत् शुद्धं मानसं करोति ।।४३०।।
અર્થઃજે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ
(પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને
પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને
પરના દિલને શુદ્ધ
ઉજ્જ્વળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી
નથી, તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકમાં ધર્મ સર્વ
પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહાત્મ્ય કહે છેઃ
उत्तमधम्मेण जुदो होदि तिरिक्खो वि उत्तमो देवो
चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि ।।४३१।।
उत्तमधर्मेण युतः भवति तिर्यञ्चः अपि उत्तमः देवः
चण्डालः अपि सुरेन्द्रः उत्तमधर्मेण संभवति ।।४३१।।

Page 248 of 297
PDF/HTML Page 272 of 321
single page version

અર્થઃસમ્યક્ત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો
તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ
ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
अग्गी वि य होदि हिमं होदि भुयंगो वि उत्तमं रयणं
जीवस्स सुधम्मादो देवा वि य किंकरा होंति ।।४३२।।
अग्निः अपि च भवति हिमं भवति भुजङ्गः अपि उत्तमं रत्नम्
जीवस्य सुधर्मात् देवाः अपि च किंकराः भवन्ति ।।४३२।।
અર્થઃઆ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ
થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે
તે કિંકર
દાસ બની જાય છે.
तिक्खं खग्गं माला दुज्जयरिउणो सुहंकरा सुयणा
हालाहलं पि अमियं महापया संपया होदि ।।४३३।।
तीक्ष्णः खङ्गः माला दुर्जयरिपवः सुखंकराः सुजनाः
हालाहलं अपि अमृतं महापदा सम्पदा भवति ।।४३३।।
અર્થઃઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડ્ગ પણ ફૂલની
માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ
કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે
તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા
પણ સંપદા બની જાય છે.
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती
धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि ।।४३४।।
अलीक वचनं अपि सत्यं उद्यमरहिते अपि लक्ष्मीसंप्राप्तिः
धर्मप्रभावेण नरः अनयः अपि सुखंकरः भवति ।।४३४।।
અર્થઃધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય થઈ
જાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય

Page 249 of 297
PDF/HTML Page 273 of 321
single page version

પણ સુખ કરવાવાળાં થાય છે.
ભાવાર્થઃઅહીં આ અર્થ સમજવો કે જો પૂર્વે ધર્મ સેવ્યો હોય
તો તેના પ્રભાવથી અહીં જૂઠ બોલે તે પણ સાચ બની જાય છે, ઉદ્યમ
વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે
છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો
થઈ જાય છે તથા ‘અન્યાય કર્યો’ એમ લોકો કહે છે, તો ત્યાં
ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું.
હવે ધર્મ રહિત જીવની નિંદા કહે છેઃ
देवो वि धम्मचत्तो मिच्छत्तवसेण तरुवरो होदि
चक्की वि धम्मरहिओ णिवडइ णरए ण संदेहो ।।४३५।।
देवः अपि धर्मत्यक्तः मिथ्यात्ववशेन तरुवरः भवति
चक्री अपि धर्मरहितः निपतति नरके न सन्देहः ।।४३५।।
અર્થઃધર્મ રહિત જીવ છે તે મિથ્યાત્વવશ દેવ પણ
વનસ્પતિકાય એકેન્દ્રિય બની જાય છે, તથા ધર્મ રહિત ચક્રવર્તી પણ
નરકમાં પડે છે; તેમાં કોઈ સંદેહ નથી.
धम्मविहीणो जीवो कुणइ असक्कं पि साहसं जइ वि
तो ण वि पावदि इट्ठं सुठ्ठु अणिठ्ठं परं लहदि ।।४३६।।
धर्मविहीनः जीवः करोति अशक्यं अपि साहसं यद्यपि
तत् न अपि प्राप्नोति इष्टं सुष्ठु अनिष्ठं परं लभते ।।४३६।।
અર્થઃધર્મરહિત જીવ જોકે મોટું, બીજાથી ન થઈ શકે તેવું,
સાહસિક પરાક્રમ કરે તોપણ તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પણ
ઉલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃપાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ
જગપ્રસિદ્ધ છે.

Page 250 of 297
PDF/HTML Page 274 of 321
single page version

इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं
धम्मं आयरह सया पावं दूरेण परिहरइ ।।४३७।।
इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयोः विविधमाहात्म्यम्
धर्मं आचरत सदा पापं दूरेण परिहरत ।।४३७।।
અર્થઃહે પ્રાણી! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક
પ્રકારનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને
દૂરથી જ છોડો!
ભાવાર્થઃદશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદેવે અધર્મનું
ફળ પણ બતાવ્યું; અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે, હે પ્રાણી!
ધર્મ
અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આચરો તથા પાપને
છોડો! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી,
માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી
પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન
પૂજન યોગ્ય છે. એ પ્રમાણે
યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
(દોહરો)
મુનિશ્રાવકના ભેદથી, ધર્મ બે પરકાર,
તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર.
ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત.

Page 251 of 297
PDF/HTML Page 275 of 321
single page version

દ્વાદશતપનું વર્ણન
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં
તપવિધાનનું નિરૂપણ કરે છેઃ
बारसभेओ भणिओ णिज्जरहेऊ तवो समासेण
तस्स पयारा एदे भणिज्जमाणा मुणेयव्वा ।।४३८।।
द्वादशभेदं भणितं निर्जराहेतुः तपः समासेन
तस्य प्रकाराः एते भण्यमानाः ज्ञातव्याः ।।४३८।।
અર્થઃજિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું
છે તપ? કર્મ નિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે જાણવા.
ભાવાર્થઃનિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશૈયાસન
અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે.
તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને
ચાર ગાથામાં કહે છેઃ
उवसमणो अक्खाणं उववासो वण्णिदो मुणिंदेहि
तम्हा भुंजंता वि य जिदिंदिया होंति उववासा ।।४३९।।
उपशमनम् अक्षाणां उपवासः वर्णितः मुनीन्द्रैः
तस्मात् भुञ्जमानाः अपि च जितेन्द्रियाः भवन्ति उपवासाः ।।४३९।।
અર્થઃઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા
દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ
કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ,
ઉપવાસ સહિત જ કહ્યો છે.

Page 252 of 297
PDF/HTML Page 276 of 321
single page version

ભાવાર્થઃઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે
ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે
તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
जो मणइंदियविजई इहभवपरलोयसोक्खणिरवेक्खो
अप्पाणे वि य णिवसइ सज्झायपरायणो होदि ।।४४०।।
कम्माण णिज्जरट्ठं आहारं परिहरेइ लीलाए
एगदिणादिपमाणं तस्स तवं अणसणं होदि ।।४४१।।
यः मनःइन्द्रियविजयी इहभवपरलोकसौख्यनिरपेक्षः
आत्मनि एव निवसति स्वाध्यायपरायणः भवति ।।४४०।।
कर्मणां निर्जरार्थं आहारं परिहरति लीलया
एकदिनादिप्रमाणं तस्य तपः अनशनं भवति ।।४४१।।
અર્થઃજે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ
પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત્ વાંચ્છા કરતો નથી,
પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા
કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ
આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થઃઉપવાસનો એવો અર્થ છે કેઇન્દ્રિય તથા મન
વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોક
પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા
આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસસ્વાધ્યાયમાં મન
લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ ક્લેશ ન ઊપજે એવી
રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ
કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
उववासं कुव्वाणो आरंभं जो करेदि मोहादो
तस्स किलेसो अवरं कम्माणं णेव णिज्जरणं ।।४४२।।

Page 253 of 297
PDF/HTML Page 277 of 321
single page version

उपवासं कुर्वाणः आरम्भं यः करोति मोहतः
तस्य क्लेशः अपरं कर्मणां नैव निर्जरणम् ।।४४२।।
અર્થઃજે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભગૃહ
કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો ક્લેશ તો હતો જ અને બીજો
આ ભોજન વિના ક્ષુધા
તૃષાનો ક્લેશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો
ક્લેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થઃજે આહારને તો છોડે પણ વિષયકષાયઆરંભને
ન છોડે તેને પહેલાં તો ક્લેશ હતો જ અને હવે આ બીજો ક્લેશ ભૂખ
-તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા ક્યાંથી થાય? કર્મ નિર્જરા
તો સર્વ ક્લેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે. એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છેઃ
आहारगिद्धिरहिओ चरियामग्गेण पासुगं जोग्गं
अप्पयरं जो भुंजइ अवमोदरियं तवं तस्स ।।४४३।।
आहारगृद्धिरहितः चर्यामार्गेण प्रासुकं योग्यम्
अल्पतरं यः भुंक्ते अवमौदर्यं तपः तस्य ।।४४३।।
અર્થઃજે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં
કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ
ગ્રહણ કરે તેને અવમોદર્યતપ હોય છે.
ભાવાર્થઃમુનિરાજ આહારના છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય
ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે
ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર
લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં
યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતપ છે.
जो पुण कित्तिणिमित्तं मायाए मिट्ठभिक्खलाहट्ठं
अप्पं भुंजदि भोज्जं तस्स तवं णिप्फलं बिदियं ।।४४४।।

Page 254 of 297
PDF/HTML Page 278 of 321
single page version

यः पुनः कीर्तिनिमित्तं मायया मिष्टभिक्षालाभार्थम्
अल्पं भुंक्ते भोज्यं तस्य तपः निष्फलं द्वितीयम् ।।४४४।।
અર્થઃજે મુનિ કીર્તિને માટે વા માયાકપટ કરી વા મિષ્ટ
ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે તેનું
આ બીજું અવમોદર્યતપ નિષ્ફળ છે.
ભાવાર્થઃજે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી
પ્રસંશા થશે, તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન
સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિષ્ટરસ સહિત ભોજન મળશે
એવા અભિપ્રાયથી ઊણોદરતપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ
નથી પણ પાખંડ છે.
હવે વૃત્તિપરિસંખ્યાનતપ કહે છેઃ
एगादिगिहपमाणं किच्चा संकप्पकप्पियं विरसं
भोज्जं पसु व्व भुंजदि वित्तिपमाणं तवो तस्स ।।४४५।।
एकादिगृहप्रमाणं कृत्वा संकल्पकल्पितं विरसम्
भोज्यं पशुवत् भुंक्ते वृत्तिप्रमाणं तपः तस्य ।।४४५।।
અર્થઃમુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં
આવી મર્યાદા કરી નીકળે કેઆજ એક ઘરે વા બે ઘરે વા ત્રણ ઘરે
જ આહાર મળી જાય તો લેવો, નહિ તો પાછા ફરવું. વળી એક રસની,
આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી
પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ
નીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો એમ આહારની પણ
મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યાગણનામર્યાદા મનમાં વિચારી એ
જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી, આહાર
લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમ
તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ (મુનિ
આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.

Page 255 of 297
PDF/HTML Page 279 of 321
single page version

ભાવાર્થઃભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ
કરવામાં આવે છે, કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ
દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છેઃ
संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो
णीरसभोज्जं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।।४४६।।
संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः
नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।।४४६।।
અર્થઃજે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે
છે કેઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ
થાય છે પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી
જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભવાર્થરસ છ પ્રકારના છેઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ
અને દૂધ એવો તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો
એ પણ રસ છે.
તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્ કોઈ એક
જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે
રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્નઃકોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ
કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને
આમાં તફાવત શો?
સમાધાનઃવૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા
છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી એ પણ
खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं
तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।।
મૂલાચારપંચાચારાધિકાર, ગા. ૧૫૫

Page 256 of 297
PDF/HTML Page 280 of 321
single page version

વિશેષતા છે કેરસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય છે અને તેને
શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છેઃ
जो रायदोसहेदू आसणसिज्जादियं परिच्चयइ
अप्पा णिव्विसय सया तस्स तवो पंचमो परमो ।।४४७।।
यः रागद्वेषहेतुः आसनशय्यादिकं परित्यजति
आत्मा निर्विषयः सदा तस्य तपः पञ्चमं परमम् ।।४४७।।
અર્થઃજે મુનિ રાગ-દ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને
છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય
અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું
વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થઃબેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે
શૈયા છે તથા ‘આદિ’ શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ
ત્રણે એવાં હોય કે જ્યાં રાગ
દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા
વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસેસૂવે, કારણ કે મુનિજનોને તો
પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે
એકાન્તસ્થાન કહ્યું છે.
पूयादिसु णिरवेक्खो संसारसरीरभोगणिव्विण्णो
अब्भंतरतवकुसलो उवसमसीलो महासंतो ।।४४८।।
जो णिवसेदि मसाणे वणगहणे णिज्जणे महाभीमे
अण्णत्थ वि एयंते तस्स वि एदं तवं होदि ।।४४९।।
पूजादिषु निरपेक्षः संसारशरीरभोगनिर्विण्णः
आभ्यन्तरतपःकुशलः उपशमशीलः महाशान्तः ।।४४८।।
यः निवसति स्मशाने वनगहने निर्जने महाभीमे
अन्यत्र अपि एकान्ते तस्य अपि एतत् तपः भवति ।।४४९।।