Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 450-482.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 17

 

Page 257 of 297
PDF/HTML Page 281 of 321
single page version

અર્થઃજે મહામુનિ પૂજાઆદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્
પોતાનાં પૂજામાહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસારદેહભોગથી
વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન
અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્
મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી
અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં,
ગહનવનમાં, જ્યાં લોકની આવ
જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં,
મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે
છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે.
ભાવાર્થઃમહામુનિ વિવિક્તશૈયાસનતપ કરે છે. ત્યાં એવા
એકાન્તસ્થાનમાં તેઓ સૂવેબેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા
કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર,
ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન
વસ્તિકાદિક, દેવમંદિર તથા
મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે,
કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને
પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે. એવા મુનિ વિવિક્તશૈયાસનતપ
સંયુક્ત છે.
હવે કાયક્લેશતપ કહે છેઃ
दुस्सहउवसग्गजई आतावणसीयवायखिण्णो वि
जो ण वि खेदं गच्छदि कायकिलेसो तवो तस्स ।।४५०।।
दुस्सहोपसर्गजयी आतापनशीतवातखिन्नः अपि
यः न अपि खेदं गच्छति कायक्लेशं तपः तस्य ।।४५०।।
અર્થઃજે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપ
શીતવાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા
ચિત્તમાં ક્ષોભક્લેશ ન ઊપજતો હોય તે મુનિને કાયક્લેશ નામનું તપ
હોય છે.

Page 258 of 297
PDF/HTML Page 282 of 321
single page version

ભાવાર્થઃગ્રીષ્મકાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં
સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિશિલાદિક
પણ તપ્તાયમાન છે ત્યાં મહામુનિ આતાપનયોગ ધારણ કરે છે,
શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં જ્યાં અતિ ઠંડી
પડવાથી વૃક્ષ પણ બળી જાય ત્યાં ઉભા રહે છે, તથા ચોમાસામાં વર્ષા
વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ
મચ્છર ચટકા ભરતા
હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે; તથા અનેક વિકટ
આસન કરે છે. એ પ્રમાણે કાયક્લેશનાં અનેક કારણો મેળવે છે છતાં
સામ્યભાવથી ડગતા નથી, અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવાવાળા છે
છતાં ચિત્તમાં જેમને ખેદ ઊપજતો નથી, ઊલટા પોતાના સ્વરૂપધ્યાનમાં
નિમગ્ન રહે છે, તેમને (એવા મુનિને) કાયક્લેશતપ હોય છે. જેને કાયા
તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે, પરંતુ આ
મુનિ તો એ બધાયથી નિસ્પૃહ વર્તે છે, તેમને શાનો ખેદ હોય? એ
પ્રમાણે છ પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું.
હવે છ પ્રકારનાં અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ
પ્રાયશ્ચિત્ત નામનું તપ કહે છે.
दोसं ण करेदि सयं अण्णं पि ण कारएदि जो तिविहं
कुव्वाणं पि ण इच्छदि तस्स विसोही परा होदि ।।४५१।।
दोषं न करोति स्वयं अन्यं अपि न कारयति यः त्रिविधम्
कुर्वाणं अपि न इच्छति तस्य विशुद्धिः परा भवति ।।४५१।।
અર્થઃજે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા
પાસે દોષ કરાવે નહિ તથા કોઈ દોષ કરતો હોય તેને ઇષ્ટભલો જાણે
નહિ તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે.
ભાવાર્થઃઅહીં ‘વિશુદ્ધિ’ નામ પ્રાયશ્ચિત્તનું છે. ‘પ્રાયઃ’
શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે અર્થાત્ એવું ચારિત્ર જેને હોય
તેને ‘પ્રાયઃ’ કહે છે. અથવા સાધુલોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને

Page 259 of 297
PDF/HTML Page 283 of 321
single page version

પ્રાયશ્ચિત્ત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત્ત છે. વળી
(પ્રાયશ્ચિત્ત શબ્દનો) બીજો અર્થ એવો પણ છે કે
‘પ્રાયઃ’ નામ
અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પ્રાયશ્ચિત્ત કહીએ
છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે
પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત
-અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ
જ પ્રાયશ્ચિત્ત
નામનું તપ છે.
अह कह वि पमादेण य दोसो जदि एदि तं पि पयडेदि
णिद्दोससाहुमूले दसदोसविवज्जिदो होदुं ।।४५२।।
अथ कथमपि प्रामदेन च दोषः यदि एति तं अपि प्रकटयति
निर्दोषसाधुमूले दशदोषविवर्जितः भवितुम् ।।४५२।।
અર્થઃઅથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ
આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુઆચાર્યની નિકટ દશ દોષ
રહિતપણે પ્રગટ કરેઆલોચન કરે.
ભાવાર્થઃપ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો
આચાર્ય પાસે જઈ દશ દોષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર
કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે
તેના પંદર ભેદ છે
(વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા (૩૭૫૦૦)
ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.
યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે યથાઃ
आलोयणपडिकमणं उभय विवेगो तहा विउस्सग्गो
तवछेदो मूलं पि य परिहरो चेव सद्दहणं ।।
મૂલાચારપંચાચારાધિકાર ગા. ૧૬૫
विकहा तहा कसाया इंदियणिद्दा तहेव पणओ य
चदु चदु पणमेगेगं होंति पमादा हु पण्णरस ।।
ગો. જી. ગા. ૩૪

Page 260 of 297
PDF/HTML Page 284 of 321
single page version

વળી આલોચનાના દશ દોષ છે. તેનાં નામઆકંપિત,
અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દ્રષ્ટ, પ્રચ્છન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત
અને તત્સેવી
એ દશ દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કેઃ
૧. આચાર્યને ઉપકરણાદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી
જાણે કે ‘આમ કરવાથી મને પ્રાયશ્ચિત્ત થોડું આપશે’ એમ વિચારી
આલોચના કરે તે આકંપિતદોષ છે.
૨. વચન દ્વારા જ આચાર્યનાં વખાણ આદિ કરી આલોચના કરે
તે એવા અભિપ્રાયથી કે ‘આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત્ત
થોડું આપશે’; તે અનુમાનિતદોષ છે.
૩. પ્રત્યક્ષ દેખાતા દોષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે
તે દ્રષ્ટદોષ છે.
૪. સ્થૂલમોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ છે.
૫. ‘સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે’ એવા
માયાચારથી જે સૂક્ષ્મદોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે.
૬. છુપાવીને કહે, તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી
દીધો હોય ત્યારે જ કહે કે ‘એવો જ દોષ મને લાગ્યો છે’ પણ દોષનું
નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્નદોષ છે.
૭. ‘રખે કોઈ સાંભળી ન જાય!’ એવા અભિપ્રાયથી ઘણાં
શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિતદોષ છે.
૮. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ
પાસે પણ આલોચના કરે તે આવા અભિપ્રાયથી કે ‘આનું પ્રાયશ્ચિત્ત
आकंपिय अणुमाणिय जं दिट्ठं बादरं च सुहुमं च
छण्णं सद्दाउलियं बहुजणमव्वत्त तस्सेवी ।।
(ભગવતી આરાધના પૃષ્ઠ ૨૫૭ તથા
મૂલાચાર ભા. ૨ શીલગુણાધિકારગા. ૧૫)

Page 261 of 297
PDF/HTML Page 285 of 321
single page version

અન્ય ગુરુ શું બતાવે છે?’ એ બહુજનદોષ છે.
૯. ‘આ દોષ છુપાવ્યો છુપાવાનો નથી માટે કહેવો જ જોઈએ’
એમ વિચારી પ્રગટવ્યક્ત દોષ હોય તે કહે, તે અવ્યક્ત દોષ છે.
૧૦. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી, કોઈ
અન્ય મુનિએ પ્રાયશ્ચિત્ત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ
દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહિ કરતાં પોતાની મેળે
પ્રાયશ્ચિત્ત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય, તે
તત્સેવીદોષ છે.
આવા દશ દોષરહિત સરળચિત્ત બની બાળકની માફક આલોચના
કરે.
जं किं पि तेण दिण्णं तं सव्वं सो करेदि सद्धाए
णो पुणु हियए संकदि किं थोवं किं पि बहुयं वा ।।४५३।।
यत् किमपि तेन दत्तं तत् सर्वंः सः करोति श्रद्धया
नो पुनः हृदये शंकते किं स्तोकं किमपि बहुकं वा ।।४५३।।
અર્થઃદોષની આલોચના કર્યા પછી આચાર્યે જે કાંઈ પ્રાયશ્ચિત્ત
આપ્યું હોય તે બધુંય શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે પણ હૃદયમાં એવી શંકા
સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત્ત થોડું છે કે ઘણું છે?
ભાવાર્થઃતત્ત્વાર્થસૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદ કહ્યા છે
આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર
અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત્ કહેવો તે આલોચના છે, દોષને
મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે, આલોચન
પ્રતિક્રમણ બંને કરાવવાં તે
તદુભય છે, ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, કાયોત્સર્ગ કરાવવો
તે વ્યુત્સર્ગ છે, અનશનાદિ તપ કરાવવો તે તપ છે, દીક્ષા છેદન કરવી
અર્થાત્ ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે, સંઘ
બહાર કરવો તે પરિહાર છે, તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે
ઉપસ્થાપના છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નવ પ્રકારથી છે તથા તેમના પણ

Page 262 of 297
PDF/HTML Page 286 of 321
single page version

અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન
જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત્ત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે
પણ તેમાં સંશય ન કરે.
पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं
एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि ।।४५४।।
पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम्
एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति ।।४५४।।
અર્થઃલાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લઈને પાછો તે દોષને કરવા
ન ઇચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરેએવા
નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત્ત નામનું તપ હોય છે.
ભાવાર્થઃચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ
થઈ જાય તોપણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે
પ્રાયશ્ચિત્તતપ છે.
जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी
विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स ।।४५५।।
यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी
विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य ।।४५५।।
અર્થઃજે જ્ઞાની મુનિ આત્માને વારંવારફરી ફરી જ્ઞાનસ્વરૂપ
ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર
સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
ભાવાર્થઃનિશ્ચયપ્રાયશ્ચિત્ત એ છે કેજેમાં સર્વ પ્રાયશ્ચિત્તના
ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ
આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે
પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છેઃ

Page 263 of 297
PDF/HTML Page 287 of 321
single page version

विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य
बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ ।।४५६।।
विनयः पंचप्रकारः दर्शनज्ञाने तथा चारित्रे च
द्वादशभेदे तपसि उपचारः बहुविधः ज्ञेयः ।।४५६।।
અર્થઃવિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો,
બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય.
दंसणणाणचरित्ते सुविशुद्धो जो हवेइ परिणामो
बारसभेदे वि तवे सो च्चिय विणओ हवे तेसिं ।।४५७।।
दर्शनज्ञानचारित्रे सुविशुद्धः यः भवति परिणामः
द्वादशभेदे अपि तपसि सः एव विनयः भवेत् तेषाम् ।।४५७।।
અર્થઃદર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે
વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે.
ભાવાર્થઃસમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ
થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ
અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ
પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે
તપોનાં ભેદોને નિરખી
દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે.
रयणत्तयजुत्ताणं अणुकूलं जो चरेदि भत्तीए
भिच्चो जह रायाणं उवयारो सो हवे विणओ ।।४५८।।
रत्नत्रययुक्तानां अनुकूलं यः चरति भक्त्या
भृत्यः यथा राज्ञां उपचारः सः भवेत् विनयः ।।४५८।।
અર્થઃસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું
અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ
પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે.
ભાવાર્થઃજેમ રાજાનો ચાકરકિંકરલોક રાજાને અનુકૂળ

Page 264 of 297
PDF/HTML Page 288 of 321
single page version

પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને
પ્રત્યક્ષ જોઈ ઉભા થઈ
સન્મુખ જવુંહાથ જોડવાપ્રણામ કરવાતે
ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવુંઅને તેના પોષકાદિ ઉપકરણ
સંભાળવાં (એ આદિ જેમ તે ચાકર કરે છે) તેમ જ મુનિજનોની
ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા
થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ
પાછળ ચાલવું તથા તેમનાં ઉપકરણ સંભાળવાં ઇત્યાદિક તેમનો વિનય
કરવો તે ઉપચારવિનય છે.
હવે બે ગાથામાં વૈયાવૃત્ત્યતપ કહે છેઃ
जो उवयरदि जदीणं उवसग्गजराइखीणकायाणं
पूयादिसु णिरवेक्खं वेज्जावच्चं तवो तस्स ।।४५९।।
यः उपचरित यतीनां उपसर्गजरादिक्षीणकायानाम्
पूजादिषु निरपेक्षं वैयावृत्त्यं तपः तस्य ।।४५९।।
અર્થઃકોઈ મુનિ-યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા
વા રોગાદિકથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા
અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વૈયાવૃત્ત્ય નામનું તપ હોય છે. તે કેવી
રીતે કરે? પોતે પોતાનાં પૂજા
મહિમાદિની અપેક્ષાવાંચ્છા રહિત જેમ
બની શકે તેમ કરે.
ભાવાર્થઃપોતે નિસ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે
વૈયાવૃત્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કૂલ, સંઘ,
સાધુ અને મનોજ્ઞ એ દશ પ્રકારના યતિપુરુષો વૈયાવૃત્ત્ય કરવા યોગ્ય કહ્યા
છે. તેમનું યથાયોગ્ય, પોતાની શક્તિની વૃદ્ધિ માટે વૈયાવૃત્ત્ય કરે.
जो वावरइ सरूवे समदमभावम्मि सुद्धिउवजुत्तो
लोयववहारविरदो वेज्जावच्चं परं तस्स ।।४६०।।
यः व्यावृणोति स्वरूपे शमदमभावे शुद्धयुपयुक्तः
लोकव्यवहारविरतः वैयावृत्त्यं परं तस्य ।।४६०।।

Page 265 of 297
PDF/HTML Page 289 of 321
single page version

અર્થઃજે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં
શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય
વૈયાવૃત્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્ય હોય છે
ભાવાર્થઃશમ એટલે રાગ-દ્વેષરહિત સામ્યભાવ તથા દમ
એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે શમદમરૂપ પોતાના
આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે, તેમને લોકવ્યવહારરૂપ બાહ્ય-
વૈયાવૃત્ત્ય શા માટે હોય? તેમને તો નિશ્ચયવૈયાવૃત્ય જ હોય છે.
શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.
હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છેઃ
परतत्तीणिरवेक्खो दुट्ठवियप्पाण णासणसमत्थो
तच्चविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो ।।४६१।।
परतातिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः
तत्त्वविनिश्चयहेतुः स्वाध्यायः ध्यानसिद्धिकरः ।।४६१।।
અર્થઃજે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છેવાંચ્છારહિત છે તથા
મનના દુષ્ટખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો
નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય
નામનું તપ હોય છે.
ભાવાર્થઃજે પરનિંદા કરવામાં પરિણામ રાખે છે તથા મનમાં
આર્ત્તરૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી
શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે
સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ
શુક્લધ્યાનની સિદ્ધિ થાય.
એવું સ્વાધ્યાયતપ છે.
पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए
कम्ममलसोहणट्ठं सुयलाहो सुहयरो तस्स ।।४६२।।
पूजादिषु निरपेक्षः जिनशास्त्रं यः पठति भक्त्या
कर्ममलशोधनार्थं श्रुतलाभः सुखकरः तस्य ।।४६२।।

Page 266 of 297
PDF/HTML Page 290 of 321
single page version

અર્થઃજે મુનિ પોતાનાં પૂજામાહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ
હોયવાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે,
શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થઃજે પોતાના પૂજામહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ
કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય
અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
जो जिणसत्थं सेवदि पंडियमाणी फलं समीहंतो
साहम्मियपडिकूलो सत्थं पि विसं हवे तस्स ।।४६३।।
यः जिनशास्त्रं सेवते पण्डितमानी फलं समीहन्
साधर्मिकप्रतिकूलः शास्त्रं अपि विषं भवेत् तस्य ।।४६३।।
અર્થઃજે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજા
લાભસત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મીસમ્યગ્દ્રષ્ટિજૈનજનોથી પ્રતિકૂળ
છે તે પંડિતંમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને
છે તેને પંડિતંમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે.
ભાવાર્થઃજે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી
તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા
પંડિતંમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તો પણ તેને
વેષધારી
પાખંડી જ કહીએ છીએ.
जो जुद्धकामसत्थं रायदोसेहिं परिणदो पढइ
लोयावंचणहेदुं सज्झाओ णिप्फलो तस्स ।।४६४।।
यः युद्धकामशास्त्रं रागद्वेषाभ्यां परिणतः पठति
लोकवञ्चनहेतुं स्वाध्यायः निष्फलः तस्य ।।४६४।।
અર્થજે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગ-દ્વેષ
પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થઃજે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્રજ્યોતિષ

Page 267 of 297
PDF/HTML Page 291 of 321
single page version

-વૈદિક આદિનાં લૌકિકશાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય
શાનો? અહીં કોઈ પ્રશ્ન કરે કે
મુનિ અને પંડિતપુરુષો તો બધાંય
શાસ્ત્રો ભણે છે; જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તેનું
સમાધાન
અહીં રાગ-દ્વેષથી પોતાના વિષયઆજીવિકાદિક પોષવા માટે,
લોકોને ઠગવા માટે, જે ભણે છે તેનો નિષેધ છે. પણ જે ધર્માર્થી થયો
થકો કાંઈક (પારમાર્થિક) પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન
વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય
પાપનો વિશેષ નિર્ણય કરવા
માટે, સ્વ-પરમતની ચર્ચા જાણવા માટે, અને પંડિત હોય તો ધર્મની
પ્રભાવના થાય તેથી અર્થાત્ ‘જૈનમતમાં આવા પંડિત છે’ ઇત્યાદિ
પ્રયોજન માટે, એવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ
અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે.
जो अप्पाणं जाणदि असुइसरीरादु तच्चदो भिण्णं
जाणगरूवसरूवं सो सत्थं जाणदे सव्वं ।।४६५।।
यः आत्मानं जानाति अशुचिशरीरात् तत्त्वतः भिन्नम्
ज्ञायकरूपस्वरूपं सः शास्त्रं जानाति सर्वम् ।।४६५।।
અર્થજે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને
પરમાર્થે ભિન્નજ્ઞાયકસ્વરૂપ જાણે છે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં.
ભાવાર્થઃજે મુનિ શાસ્ત્રાભ્યાસ અલ્પ પણ કરે છે, પરંતુ જો
પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન, જ્ઞાયક
(દેખવા
જાણવાવાળું) શુદ્ધોપયોગસ્વરૂપ છે એમ જાણે છે તો તે બધાંય
શાસ્ત્રો જાણે છે, પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહિ અને ઘણાં
શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું?
जो णवि जाणदि अप्पं णाणसरूवं सरीरदो भिण्णं
सो णवि जाणदि सत्थं आगमपाढं कुणंतो वि ।।४६६।।
यः न अपि जानाति आत्मानं ज्ञानस्वरूपं शरीरतः भिन्नम्
सः न अपि जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि ।।४६६।।

Page 268 of 297
PDF/HTML Page 292 of 321
single page version

અર્થજે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી
ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી.
ભાવાર્થઃજે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ
છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો એ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગ
-દ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે
શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ
છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે
પાંચે પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના
માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર
થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છેેઃ
जल्लमललित्तगत्तो दुस्सहवाहीसु णिप्पडीयारो
मुहधोवणादिविरओ भोयणसेज्जादिणिरवेक्खो ।।४६७।।
ससरूवचिंतणरओ दुज्जणसुयणाण जो हु मज्झत्थो
देहे वि णिम्ममत्तो काओसग्गो तवो तस्स ।।४६८।।
जल्लमललिप्तगात्रः दुःसहव्याधिषु निःप्रतीकारः
मुखधोवनादिविरतः भोजनशय्यादिनिरपेक्षः ।।४६७।।
स्वस्वरूपचिन्तनरतः दुर्जनसज्जनानां यः स्फु टं मध्यस्थः
देहे अपि निर्ममत्वः कायोत्सर्गः तपः तस्य ।।४६८।।
અર્થજે મુનિ જલ્લ અર્થાત્ પરસેવો તથા મળથી લિપ્ત
શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ
તેનો પ્રતિકાર
ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન
કરે, ભોજનશૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપચિંતવનમાં રત
લીન હોય, દુર્જનસજ્જનમાં મધ્યસ્થ હોય, શત્રુમિત્ર બંનેને બરાબર

Page 269 of 297
PDF/HTML Page 293 of 321
single page version

જાણે, ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ
નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ
બાહ્યાભ્યંતરપરિગ્રહનો ત્યાગ કરી, સર્વ બાહ્ય આહારવિહારાદિ ક્રિયાથી
પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી, માત્ર પોતાના જ્ઞાનસ્વરૂપ
આત્મામાં રાગ-દ્વેષરહિત શુદ્ધોપયોગરૂપ થઈ તલ્લીન થાય છે; તે વેળા
ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય,
છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગ-દ્વેષ ઊપજાવતા
નથી; તેમને કાયોત્સર્ગતપ કહે છે.
जो देहपालणपरो उवयरणादीविसेससंसत्तो
बाहिरववहाररओ काओसग्गो कुदो तस्स ।।४६९।।
यः देहपालनपरः उपकरणादिविशेषसंसक्तः
बाह्यव्यवहाररतः कायोत्सर्गः कुतः तस्य ।।४६९।।
અર્થજે મુનિ દેહપાલનમાં તત્પર હોય, ઉપકરણાદિમાં વિશેષ
આસક્ત હોય, લોકરંજન કરવા માટે બાહ્યવ્યવહારમાં લીન હોયતત્પર
હોય તેને કાયોત્સર્ગતપ ક્યાંથી હોય?
ભાવાર્થઃજે મુનિ ‘લોકો જાણે કે આ મુનિ છે’ એમ વિચારી
બાહ્યવ્યવહાર પૂજાપ્રતિષ્ઠાદિ તથા ઇર્યાસમિતિ આદિ ક્રિયામાં તત્પર
હોય, આહારાદિ વદે દેહપાલન કરવું, ઉપકરણાદિની વિશેષ સારસંભાળ
કરવી, તથા શિષ્યજનાદિથી ઘણી મમતા રાખી પ્રસન્ન થવું ઇત્યાદિમાં
લીન હોય, પણ જેને પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ નથી તથા
તેમાં કદી પણ તલ્લીન થતો જ નથી, અને કાયોત્સર્ગ પણ કરે તો ઊભા
રહેવું આદિ બાહ્યવિધાન પણ કરી લે છતાં તેને કાયોત્સર્ગતપ કહેતા નથી
(કારણ કે
) નિશ્ચય વિનાનો બાહ્યવ્યવહાર નિરર્થક છે.
હવે ધ્યાન નામના તપનું વિસ્તારથી વર્ણન કરે છેઃ
अंतोमुहुत्तमेत्तं लीणं वत्थुम्मि माणसं णाणं
झाणं भण्णदि समए असुहं च सुहं च तं दुविहं ।।४७०।।

Page 270 of 297
PDF/HTML Page 294 of 321
single page version

अन्तर्मुहूर्त्तमात्रं लीनं वस्तुनि मानसं ज्ञानम्
ध्यानं भण्यते समये अशुभं च शुभं च तत् द्विविधम् ।।४७०।।
અર્થમનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવું
એકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ
એવા બે પ્રકારનું કહ્યું છે.
ભાવાર્થઃપરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે,
અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર એકાગ્ર સ્થિર
થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.
હવે શુભઅશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છેઃ
असुहं अट्ट-रउद्दं धम्मं सुक्कं च सुहयरं होदि
अट्टं तिव्वकसायं तिव्वतमकसायदो रुद्दं ।।४७१।।
अशुभं आर्त-रौद्रं धर्म्यं शुक्लं च शुभकरं भवति
आर्त्तं तीव्रकषायं तीव्रतमकषायतः रौद्रम् ।।४७१।।
અર્થઆર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન
અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન
તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે.
मंदकषायं धम्मं मंदतमकसायदो हवे सुक्कं
अकसाए वि सुयड्ढे केवलणाणे वि तं होदि ।।४७२।।
मन्दकषायं धर्म्यं मन्दतमकषायतः भवेत् शुक्लम्
अकषाये अपि श्रुताढये केवलज्ञाने अपि तत् भवति ।।४७२।।
અર્થ
ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન
મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય મંદકષાયથી થાય છે, તથા
કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની
ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા
કેવળજ્ઞાનીસયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.

Page 271 of 297
PDF/HTML Page 295 of 321
single page version

ભાવાર્થઃપંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મ-
સ્વરૂપમાં વ્યક્ત (પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે, ત્યારે
તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા
શુક્લધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના
અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ) શ્રેણી ચઢે
છે ત્યાં આત્મપરિણામ ઉજ્જ્વલ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી
તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત્ અતિશય મંદ કષાયથી તે
હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.
હવે આર્ત્તધ્યાન કહે છેઃ
दुक्खयरविसयजोए केम इमं चयदि इदि विचिंतंतो
चेट्ठदि जो विक्खित्तो अट्टज्झाणं हवे तस्स ।।४७३।।
मणहरविसयविओगे कह तं पावेमि इदि वियप्पो जो
संतावेण पयट्टो सो च्चिय अट्टं हवे झाणं ।।४७४।।
दुःखकरविषययोगे कथं इमं त्यजति इति विचिन्तयन्
चेष्टते यः विक्षिप्तः आर्त्तध्यानं भवेत् तस्य ।।४७३।।
मनोहरविषयवियोगे कथं तत् प्राप्नोमि इति विकल्पः यः
सन्तापेन प्रवृत्तः तत् एव आर्त्तं भवेत् ध्यानम् ।।४७४।।
અર્થદુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન
કરે કે ‘આ મારાથી કેવી રીતે દૂર થાય?’ વળી તેના સંયોગથી
વિક્ષિપ્તચિત્તવાળો થયો થકો ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને
આર્ત્તધ્યાન હોય છે. વળી જે મનોહર
વહાલી વિષયસામગ્રીનો વિયોગ
થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે‘તેને હવે હું શી રીતે પામું?’ એમ
તેના વિયોગથી સંતાપરૂપદુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.
ભાવાર્થઃસામાન્યપણે દુઃખકલેશરૂપ પરિણામ છે તે
આર્ત્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા
(જાગ્રતિ) જ રહે નહિ. એ આર્ત્તધ્યાન બે પ્રકારથી કહ્યું છેઃ પ્રથમ તો

Page 272 of 297
PDF/HTML Page 296 of 321
single page version

દુઃખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું
ઇષ્ટ
સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન
ધ્યાન રહે તે આર્ત્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે
ઇષ્ટવિયોગનું ચિંતવન, અનિષ્ટસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા
નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારેય ગર્ભિત થઈ જાય છે.
અનિષ્ટસંયોગ દૂર કરવામાં પીડા
ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને
મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ
છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્મા પુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છેઃ
हिंसाणंदेण जुदो असच्चवयणेण परिणदो जो दु
तत्थेव अथिरचित्तो रुद्दं झाणं हवे तस्स ।।४७५।।
हिंसानन्देन युतः असत्यवचनेन परिणतः यः तु
तत्र एव अस्थिरचित्तः रौद्रं ध्यानं भवेत् तस्य ।।४७५।।
અર્થજે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ
પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિપ્તચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થઃજીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ
હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, પરને વિઘ્ન થતાં અતિ
સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ
નિરંતર દેખ્યા કરે
કહ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન
છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના) બીજા બે ભેદ કહે છેઃ
परविसयहरणसीलो सगीयविसए सुरक्खणे दक्खो
तग्गयचिंताविट्ठो णिरंतरं तं पि रुद्दं पि ।।४७६।।
परविषयहरणशीलः स्वकीयविषये सुरक्षणे दक्षः
तद्गतचिन्ताविष्टः निरन्तरं तदपि रौद्रं अपि ।।४७६।।

Page 273 of 297
PDF/HTML Page 297 of 321
single page version

અર્થઃજે પુરુષ પરની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો
હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને
કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન
જ છે.
ભાવાર્થઃપરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ
માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા
કરીને ખુશી થાય; એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે
ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના
યોગથી થાય છે
મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે.
ધર્માત્મા પુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને
ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી
ઉલટો હર્ષ માને
સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો
અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છેઃ
बिण्णि वि असुहे झाणे पावणिहाणे य दुक्खसंताणे
णच्चा दूरे वज्जह धम्मे पुण आयरं कुणह ।।४७७।।
द्वे अपि अशुभे ध्याने पापनिधाने च दुःखसन्ताने
ज्ञात्वा दूरे वर्जत धर्मे पुनः आदरं कुरुत ।।४७७।।
અર્થઃહે ભવ્યપ્રાણી! આ બંને આર્તરૌદ્રધ્યાન અશુભ છે.
એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ
કરો અને ધર્મધ્યાનમાં આદર કરો!
ભાવાર્થઃઆર્ત્તરૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં
છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે; માટે એનો ત્યાગ
કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃ

Page 274 of 297
PDF/HTML Page 298 of 321
single page version

धम्मो वत्थुसहावो खमादिभावो य दसविहो धम्मो
रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो ।।४७८।।
धर्मः वस्तुस्वभावः क्षमादिभावः च दशविधः धर्मः
रत्नत्रयं च धर्मः जीवानां रक्षणं धर्मः ।।४७८।।
અર્થઃવસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે
દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ
પ્રકારના ક્ષમાદિ ભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય
છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થઃઅભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ
છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી
ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી
પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું
તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ
ક્લેશરૂપ ન
કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ
ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છેઃ
धम्मे एयग्गमणो जो णवि वेदेदि पंचहा-विसयं
वेरग्गमओ णाणी धम्मज्झाणं हवे तस्स ।।४७९।।
धर्मे एकाग्रमनाः यः नैव वेदयति पंचधाविषयम्
वैराग्यमयः ज्ञानी धर्मध्यानं भवेत् तस्य ।।४७९।।
અર્થઃજે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે
ઇન્દ્રિયોના વિષયોને ન વેદે (અનુભવે) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને
ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થઃધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે
છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને

Page 275 of 297
PDF/HTML Page 299 of 321
single page version

વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસાર
દેહભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું
નથી.
सुविसुद्धरायदोसो बाहिरसंकप्पवज्जिओ धारो
एयग्गमणो संतो जं चिंतइ तं पि सुहज्झाणं ।।४८०।।
सुविशुद्धरागद्वेषः बाह्यसंकल्पवर्जितः धीरः
एकाग्रमनाः सन् यत् चिन्तयति तदपि शुभध्यानम् ।।४८०।।
અર્થઃજે પુરુષ રાગ-દ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી,
ધીરચિત્તથી એકાગ્રમનવાળો થઈ જે ચિંતવન કરે છે, તે પણ શુભધ્યાન
છે.
ભાવાર્થઃજે રાગ-દ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડી
કોઈનો ચળાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે
તે પણ શુભધ્યાન છે.
ससरूवसमुब्भासो णट्ठममत्तो जिदिंदिओ संतो
अप्पाणं चिंतंतो सुहझाणरओ हवे साहू ।।४८१।।
स्वस्वरूपसमुद्भासः नष्टममत्वः जितेन्द्रियः सन्
आत्मानं चिन्तयन् शुभध्यानरतः भवेत् साधुः ।।४८१।।
અર્થઃજે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુદ્ભાસ એટલે
પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ
જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું
ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે.
ભાવાર્થઃજેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે
પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે
જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને
શુભ ધ્યાન હોતું નથી.

Page 276 of 297
PDF/HTML Page 300 of 321
single page version

वज्जियसयलवियप्पो अप्पसरूवे मणं णिरुंधंतो
जं चिंतदि साणंदं तं धम्मं उत्तमं झाणं ।।४८२।।
वर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन्
यत् चिन्तयति सानन्दं तत् धर्म्यं उत्तमं ध्यानम् ।।४८२।।
અર્થઃજે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને
રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થઃસમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને
સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન કહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે.
અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે;
તેને સંક્ષેપમાં લખીએ છીએઃ
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયવિચય,
વિપાકવિચય, તથા સંસ્થાનવિચય. ત્યાં જીવાદિક છ દ્રવ્ય, પંચાસ્તિકાય,
સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ
વિશિષ્ટ ગુરુના
અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય
એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે ‘જે
સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે’ એ પ્રમાણે આજ્ઞા માની
તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન
છે.
‘અપાય’ નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ
ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિધ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે
અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે
તે અપાયવિચય છે.
‘વિપાક’ નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય થાય
તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.
१.सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते
आज्ञासिद्धं तु तद्गाह्यं नान्यथावादिनो जिनाः ।।