Tattvagyan Tarangini (Gujarati). Adhyay-9 : Shuddh Chidrupna Dhyanne Mate Mohtyagni Aavashyakta; Adhyay-10 : Shuddh Chidrupna Dhyanarthe Ahankar Mamakarna Tyagno Updesh; Adhyay-11 : Shuddh Chidrupna Upasakoni Viraltanu Varnan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 9

 

Page 73 of 153
PDF/HTML Page 81 of 161
single page version

અધ્યાય-૮ ][ ૭૩
અર્થ :જેમ ગરુડ પાસે આવી પહોંચતાં સર્પો ચંદનવૃક્ષને
છોડીને જતાં રહે છે તેમ ભેદજ્ઞાનની પ્રાપ્ત થતાં દેહ, કર્મ આત્માને
છોડીને દૂર થઈ જાય છે. ૨૧.
भेदज्ञानबलात् शुद्धचिद्रूपं प्राप्य केवली
भवेद्देवाधिदेवोऽपि तीर्थकर्त्ता जिनेश्वरः ।।२२।।
ભેદ જ્ઞાનનારે બલથી પામીને, કેવલી ચિદ્રૂપ શુદ્ધ,
તીર્થંકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવોના પ્રસિદ્ધ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૨.
અર્થ :ભેદજ્ઞાનના બળથી જીવ શુદ્ધ ચિદ્રૂપને પામીને
કેવળજ્ઞાની, તીર્થંકર, જિનેશ્વર અને દેવાધિદેવ પણ થાય છે. ૨૨.

Page 74 of 153
PDF/HTML Page 82 of 161
single page version

અધયાય ૯ મો
[શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનને માટે મોહત્યાગની આવશ્યકતા]
अन्यदीया मदीयाश्च पदार्थाश्चेतनेतराः
एतेऽदश्चिंतनं मोहो यतः किंचिन्न कस्यचित् ।।।।
જM ચેતનરુપ સર્વ પદાર્થો, એ મારા કે અન્યતણા;
એવું ચિંતન મોહમાત્ર છે, જહાં કોઇનું કિંચિત્ ના. ૧.
અર્થ :આ ચેતન તથા જડપદાર્થો મારા તથા અન્યના છે,
આવું ચિંતવન તે મોહ છે, કારણ કે કાંઈ પણ કોઈનું ય નથી. ૧.
दत्तो मानोऽपमानो मे जल्पिता कीर्त्तिरुज्ज्वला
अनुज्ज्वलापकीर्त्तिर्वा मोहस्तेनेति चिंतनं ।।।।
માન મªયું અપમાન થયું મુજ, ઉજ્જ્વલ યશ ફેલ્યો આજે,
મુજ અપયશ આણે વિસ્તાર્યો, મોહ ચિંતના એ ગાજે. ૨.
અર્થ :તેણે મારું માન કે અપમાન કર્યું, મારો ઉજ્જ્વળ યશ
અથવા મલિન અપયશ ફેલાવ્યો; આ પ્રકારનું ચિંતન કરવું તે મોહ
છે. ૨.
किं करोमि क्व यामीदं क्व लभेय सुखं कृतः
किमाश्रयामि किं वच्मि मोहचिंतनमीदृशं ।।।।
શું કરું? કાાં જ.? આ કાાં પામું ? સુખ કાાંથી? એ વિકલ્પ ઘાણા,
રહુ આશ્રયે કોના કહું શું ? એ સૌ ચિંતન મોહતણાં.
૩.
અર્થ :(હું) શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી આ પામું? (મને)
ક્યાંથી સુખ મળે? (મળશે) કોનો આશ્રય કરું? (હું) શું બોલું? આવા
પ્રકારનું ચિંતન (પણ) મોહ છે. ૩.

Page 75 of 153
PDF/HTML Page 83 of 161
single page version

અધ્યાય-૯ ][ ૭૫
चेतनाचेतने रागो द्वेषो मिथ्यामतिर्मम
मोहरूपमिदं सर्वंचिद्रूपोऽहं हि केवलः ।।।।
જM ચેતનરુપ સર્વ અન્યમાં રાગ-દ્વેષ મિથ્યામતિ તે,
એ સૌ મોહરુપ હું કેવલ ચિદ્રૂપ તેથી સ્મરું અતિ તે. ૪.
અર્થ :ચેતન અને જડ પદાર્થોમાં રાગ અને દ્વેષ (કરવા તે)
મારી મિથ્યાબુદ્ધિ છે; આ બધું મોહનું સ્વરૂપ છે, હું કેવળ ચિદ્રૂપ જ
છું. ૪.
देहोऽहं मे स वा कर्मोदयोऽहं वाप्यसौ मम
कलत्रादिरहं वा मे मोहोऽदश्चिंतनं किल ।।।।
શરીર હું છું; તે મારું છે, કર્મ ઉદય હું, તે મારો,
સ્ત્રી આદિકમાં હું મારું, એ ચિંતન જાણો મોહ ખરો. ૫.
અર્થ :હું શરીર છું, અથવા તે મારું છે, હું કર્મનો ઉદય છું,
અથવા તે પણ મારો છે, સ્ત્રી આદિ હું છું અથવા તે મારાં છે. આવું
ચિંતન (કરવું તે) ખરેખર મોહ છે. ૫.
तज्जये व्यवहारेण संत्युपाया अनेकशः
निश्चयेनेति मे शुद्धचिद्रूपोऽहं स चिंतनं ।।।।
તે જય કરવા કાજ ઉપાયો છે બહુવિધિા વ્યવહાર કહે;
હું નિર્મલ ચિદ્રૂપ, તે મારું, ચિંતન નિશ્ચય એ જ ગ્રહે. ૬.
અર્થ :તેના જયમાં વ્યવહારથી અનેક ઉપાયો છે (પણ)
નિશ્ચયથી ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’, ‘તે જ મારું છે’, એવું ચિંતન એ એક
જ ઉપાય છે. ૬.
धर्मोद्धारविनाशनादि कुरुते कालो यथा रोचते
स्वस्यान्यस्य सुखासुखं वरखजं कर्मैव पूर्वार्जितं

Page 76 of 153
PDF/HTML Page 84 of 161
single page version

૭૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अन्ये येऽपि यथैव संति हि तथैवार्थाश्च तिष्ठंति ते
तच्चिंतामिति मा विधेहि कुरु ते शुद्धात्मनश्चिंतनं
।।।।
ધાર્મ ઉન્નતિ કે નાશાદિ કાલ પ્રમાણે થયા કરે,
£ન્દ્રિય સુખ દુઃખ સૌ નિજપરનાં પૂર્વ ઉપાર્જિત કર્મ ખરે;
અન્ય પદાર્થો પણ જે જેવા તે તેવા જ રહે ત્યારે,
ચિંતા વ્યર્થ તજી તેની કર શુદ્ધ આત્મ-ચિંતન પ્યારે. ૭.
અર્થ :જેમ કાળને ગમે છે તેમ ધર્મનો ઉદ્ધાર વિનાશ આદિ
(તે) કરે છે. પોતાનું અને અન્યનું ઉત્તમ ઇન્દ્રિયજનિત સુખ-દુઃખ (મળે
છે તે) પૂર્વે ઉપાર્જેલું કર્મ જ છે, બીજા પદાર્થો પણ જે જેમ છે તે તેમ
જ રહે છે, માટે આવી (સ્વ-પર સંયોગી પદાર્થોને ફેરવવાની) ચિંતા ન
કર. (ફક્ત) તારા શુદ્ધ આત્માનું ચિંતન (તું) કર. ૭.
दुर्गंधं मलभाजनं कुविधिना निष्पादितं धातुभि-
रंगं तस्य जनैर्निजार्थमखिलैराख्या धृता स्वेच्छया
तस्याः किं मम वर्णनेन सतत किं निंदनेनैव च
चिद्रूपस्य शरीरकर्मजनिताऽन्यस्याप्यहो तत्त्वतः
।।।।
અશુભ કર્મકૃત સાત ધાાતુમય મલભાજન દુર્ગંધા ભર્યું,
આ તન, તેનું વર્ણન સૌએ સ્વાર્થ કાજ સ્વેચ્છિત કર્યું;
તે વર્ણન સ્તુતિ કે નિન્દાનું, કાંઇ પ્રયોજન શું મારે ?
શરીર કર્મકૃત સર્વવિકારો, જM, મુજ ચિદ્રૂપ ભિન્ન ખરે. ૮.
અર્થ :શરીર દુર્ગંધવાળું, મલનું સ્થાન, સાત ધાતુ વડે અશુભ
કર્મે રચેલું છે, સર્વ જનોએ તેની કથા પોતપોતાના સ્વાર્થ માટે પોતાની
કલ્પના પ્રમાણે કરી છે. પણ અહો! નિશ્ચયથી (તત્ત્વદ્રષ્ટિએ) શરીર, કર્મ
અને તેનાથી થતા સર્વ વિકારોથી ભિન્ન ચિદ્રૂપ એવા મને તેના (તે
પ્રશંસાના) સતત વર્ણનથી અને નિંદાથી શું પ્રયોજન છે? ૮.

Page 77 of 153
PDF/HTML Page 85 of 161
single page version

અધ્યાય-૯ ][ ૭૭
कीर्तिं वा पररंजनं खविषयं केचिन्निजं जीवितं
संतानं च परिग्रहं भयमपि ज्ञानं तथा दर्शनं
अन्यस्याखिलवस्तुनो रुगयुतिं तद्धेतुमुद्दिश्य च
कर्युः कर्म विमोहिनो हि सुधियश्चिद्रूपलब्ध्यै परं
।।।।
વિષયો, પરરંજન, યશપ્રાપ્તિ, નિજ જીવન રક્ષા કરવા,
પુત્ર પરિગ્રહ પ્રાપ્તિ કાજે કિંવા દર્શન જ્ઞાન થવા;
ભય વ્યાધિા પરિહરવા અથવા સર્વ અન્ય વસ્તુ અર્થે,
કરે કર્મ મોહી જીવ કિન્તુ પ્રાજ્ઞ કરે સૌ આત્માર્થે. ૯.
અર્થ :કેટલાક મોહી જીવો કીર્તિને, પરરંજનને, ઇન્દ્રિયના
વિષયને, પોતાના જીવનને, સંતાન અને પરિગ્રહને, ભયને, જ્ઞાન તથા
દર્શનને, અન્ય વસ્તુની પ્રાપ્તિને, રોગના વિયોગને અને તેના હેતુને
ઉદ્દેશીને કાર્ય કરતા હોય છે, પરંતુ ખરેખર બુદ્ધિમાનો ચિદ્રૂપની પ્રાપ્તિ
માટે કાર્ય કરે (છે). ૯.
कल्पेशनागेशनरेशसंभवं चित्ते सुखं मे सततं तृणायते
कुस्त्रीरमास्थानकदेहदेहजात् सदेतिचित्रं मनुतेऽल्पधीः सुखं ।।१०।।
સર્વ નરેન્દ્ર ચક્રવર્ત્યાદિક કે ધારણેન્દ્ર સુરેન્દ્રતણાં,
દિવ્ય સુખો તૃણ તુલ્ય નિરંતર, ભાસે મુજને તુચ્છ ઘાણાં;
કાંતા કનક ભૂમિ ગૃહ તનકે તનયાદિ દુઃખરુપ બધાાં,
છતાં અલ્પબુદ્ધિ સુખરુપ તે માને એ આશ્ચર્ય સદા. ૧૦.
અર્થ :મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઇન્દ્રને, નાગેન્દ્રને,
નરેન્દ્રને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુચ્છ લાગે છે, અલ્પ
બુદ્ધિમાન હંમેશાં ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, ઘર, શરીર, પુત્રથી સુખ માને છે;
એ આશ્ચર્યકારક છે. ૧૦.
न बद्धः परमार्थेन बद्धो मोहवशाद् गृही
शुकवद् भीमपाशेनाथवा मर्कटमुष्टिवत् ।।११।।

Page 78 of 153
PDF/HTML Page 86 of 161
single page version

૭૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરમાર્થે નહિ બદ્ધ બેMીથી, પણ બંધાાયા દ્રઢ પાશે,
શુકવત્ કે મર્કટમુષ્ટિવત્ અહો ! ગૃહસ્થો મોહવશે. ૧૧.
અર્થ :ગૃહસ્થ મોહવશે પોપટની માફક ભયંકર પાશથી
અથવા વાંદરાની મૂડીની જેમ બંધાયેલો છે, છતાં તે પરમાર્થે બંધાયેલો
નથી. ૧૧.
श्रद्धानां पुस्तकानां जिनभवनमठांतेनिवास्यादिकानां
कीर्त्तेरक्षार्थकानां भुवि झटिति जनो रक्षणे व्यग्रचितः
यस्तस्य क्वात्मचिंता क्व च विशदमतिः शुद्धचिद्रूपकाप्तिः
क्व स्यात्सौख्यं निजोत्थं क्व च मनसि विचिंत्येति कुर्वंतु यत्नं
।।१२।।
ધાર્મ કાર્ય પુસ્તક જિનમંદિર આશ્રમવાસ સુકીર્તિ ચહે,
તેનાં રક્ષણમાં તત્પર જીવ જગમાં નિત્ય ઉપાધિા વહે;
એમ જનોનાં વ્યગ્ર ચિત્ત ત્યાં આત્મચિંતના કાાં થાયે ?
મતિ નિર્મળતા ભેદજ્ઞાન કે ચિદ્રૂપ કદી ન પ્રગટાયે,
તો તે વિણ નિજ સ્વાત્મિક સુખનો કાાં આસ્વાદ કદી આવે ?
એમ વિચારી જન અતિ યત્ને મનમાં ચિદ્રૂપને ધયાવે. ૧૨.
અર્થ :જગતમાં સંઘ સમુદાયના, પુસ્તકોના, જિનમંદિર, મઠ,
અંતેવાસી શિષ્ય આદિના, કીર્તિની રક્ષાના હેતુના રક્ષણ કરવામાં જે જીવો
શીઘ્ર વ્યાકુળ મનવાળા હોય છે તેને આત્મચિંતન ક્યાંથી હોય? નિર્મળ
મતિ ક્યાંથી હોય? શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી હોય? અને આત્માથી
ઉત્પન્ન થતું સુખ પણ ક્યાંથી હોય? એમ મનમાં વિચારીને પુરુષાર્થ
કરો. ૧૨.
अहं भ्रांतः पूर्वं तदनु च जगत् मोहवशतः
परद्रव्ये चिंतासततकरणादाभवमहो
परद्रव्यं मुक्त्वा विहरति चिदानंदनिलये
निजद्रव्ये यो वै तमिह पुरुषं चेतसि दधे
।।१३।।

Page 79 of 153
PDF/HTML Page 87 of 161
single page version

અધ્યાય-૯ ][ ૭૯
પરદ્રવ્યોની સતત ચિંતના, કરી મોહવશ અહો ! અપાર !
ભમ્યો પૂર્વથી આ ભવ સુધાી હું, જગત જીવ પણ મુજ અનુસાર;
ચિદાનંદ મંદિર નિજદ્રવ્યે, જે વિહરે કરીને પરત્યાગ,
આતમરામી પુરુષ હવે હું, ચિત્ત ધારું કરી પ્રેમ અથાગ. ૧૩.
અર્થ :અહો! મોહને વશ થઈને હું પરદ્રવ્યમાં સતત ચિંતા
કરતાં પૂર્વથી માંડીને આ ભવપર્યંત ભટક્યો અને મોહને વશ થઈને
જગત પણ તે પ્રકારે ભટક્યું. ખરેખર જે પરદ્રવ્યથી મુક્ત થઈને ચૈતન્ય
આનંદના ધામ એવા નિજ આત્મદ્રવ્યમાં વિહાર કરે છે, તે પુરુષને હવે
હું ચિત્તમાં ધારણ કરું છું. ૧૩.
हित्वा यः शुद्धचिद्रूपस्मरणं हि चिकीर्षति
अन्यत्कार्यमसौ चिंतारत्नमश्मग्रहं कुधीः ।।१४।।
स्वाधीनं च सुखं ज्ञानं परं स्यादात्मचिंतनात्
तन्मुक्त्वाः प्राप्तुमिच्छंति मोहतस्तद्विलक्षणं ।।१५।।
નિર્મળ ચિદ્રૂપ સ્મરણ તજીને, અન્ય કાર્ય કરવા મન થાય,
તજી ચિંતામણિ તે દુર્બુદ્ધિ, પથ્થર ગ્રહવાને લલચાય;
સુખ સ્વાધાીન વર જ્ઞાન અનંતું, આત્મચિંતનાથી પ્રગટાય,
તે છોMીને મોહવશે, જીવ તેનાથી વિપરીત દુઃખ ચહાય. ૧૪-૧૫.
અર્થ :જે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ તજીને અન્ય કાર્યને કરવા ઇચ્છે
છે, તે દુર્બુદ્ધિ ચિંતામણિ રત્ન તજીને પથ્થરનું ગ્રહણ કરવા ચાહે છે. ૧૪.
આત્મચિંતનથી સ્વાધીન સુખ અને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય છે. મોહથી
તે તજીને તેનાથી વિપરીત મેળવવા જીવ ઇચ્છે છે. ૧૫.
यावन्मोहो बली पुंसि दीर्घसंसारतापि च
न तावत् शुद्धचिद्रूपे रुचिरत्यंतनिश्चला ।।१६।।
મોહ હોય બલવાન જીવને ને જો દીર્ધા હજુ સંસાર,
તો ત્યાં સુધાી નિશ્ચલરુચિ જાગે નહિ નિર્મલ ચિદ્રૂપ મોIાર. ૧૬.

Page 80 of 153
PDF/HTML Page 88 of 161
single page version

૮૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જ્યાં સુધી મનુષ્યમાં મોહ બળવાન છે અને દીર્ઘ-
સંસારીપણું પણ છે, ત્યાં સુધી શુદ્ધ ચિદ્રૂપમાં અત્યંત નિશ્ચળ રુચિ થતી
નથી. ૧૬.
अंधे नृत्यं तपोऽज्ञे गदविधिरतुला स्वायुषो वाऽवसाने
गीतं बाधिर्ययुक्ते वपनमिह यथाऽप्यूषरे वार्यतृष्णे
स्निग्धे चित्राण्यभव्ये रुचिविधिरनघः कुंकुमं नीलवस्त्रे
नात्मप्रीतौ तदाख्या भवति किल वृथा निः प्रतीतौ सुमंत्रः
।।१७।।
નૃત્ય નકામું અંધા પાસ, તપ અજ્ઞાનીનું ગણ વિપરીત,
વ્યર્થ ઔષધિા આયુષ્ય અંતે, બહેરા આગળ સુર સંગીત;
ઉખર ભૂમિમાં બી શું વાવે ? તૃષા નહિ ત્યાં જળ શું કામ ?
કથન અભવિને ધાર્મરુચિનું, ચીકણી વસ્તુ પર ચિત્રામ;
કાળા વસ્ત્રે રંગ ન બેસે, મંત્ર ફળે ના વિણ શ્રદ્ધાન,
આત્મામાં પ્રીતિ નહિ જેને, શું તેની પાસે આખ્યાન ? ૧૭.
અર્થ :આ લોકમાં જેમ આંધળા આગળ નૃત્ય, અજ્ઞાનીમાં
તપ, પોતાના આયુષ્યના અંતે અતુલ ઔષધપ્રયોગ, બહેરા મનુષ્ય પાસે
ગાયેલું ગીત અને ઉખર જમીનમાં બીની વાવણી, તરસ્યો ન હોય તેની
આગળ ધરેલું પાણી, ચીકણી વસ્તુ ઉપર ચિત્રો, અભવ્ય પાસે ધર્મની
રુચિનું કથન, નીલરંગના વસ્ત્રો ઉપર કંકુનો રંગ, શ્રદ્ધાહીનને (આપેલ)
ઉત્તમ મંત્ર ખરેખર નકામો જાય છે, તેવી રીતે આત્મામાં જેને પ્રેમ નથી
એવા મનુષ્ય પાસે તેની કથા નિષ્ફળ જાય છે. ૧૭.
स्मरंति परद्रव्याणि मोहान्मूढाः प्रतिक्षणं
शिवाय स्वं चिदानंदमयं नैव कदाचन ।।१८।।
પરદ્રવ્યોને ક્ષણ ક્ષણ સમરે મોહમૂઢ થઇ જીવ સદાય,
ચિદાનંદમય નિજ ચિદ્રૂપને મોક્ષાર્થે ના સ્મરે કદાય. ૧૮.

Page 81 of 153
PDF/HTML Page 89 of 161
single page version

અધ્યાય-૯ ][ ૮૧
અર્થ :મૂઢ જીવો, મોહને લીધે પ્રતિક્ષણ પર દ્રવ્યોને તો
યાદ કરે છે, પરંતુ મોક્ષ માટે ચિદાનંદરૂપ પોતાને કદાપિ યાદ કરતા
નથી. ૧૮.
मोह एव परं वैरी नान्यः कोऽपि विचारणात्
ततः स एव जेतव्यो बलवान् धीमताऽऽदरात् ।।१९।।
મોહ એ જ શત્રુ બલવન્તો, વિચારતાં નહિ અન્ય મહાન;
માત્ર એ જ જય કરવો યત્ને, ધાીમંતે થઇ અતિ બલવાન. ૧૯.
અર્થ :મોહ એ જ મોટો વેરી છે, વિચાર કરતાં બીજો કોઈ
પણ નથી, (માટે) બુદ્ધિમાને તે જ બળવાનને પ્રયત્ન કરીને જીતવા યોગ્ય
છે. ૧૯.
भवकूपे महामोहपंकेऽनादिगतं जगत्
शुद्धचिद्रूपसद्धयानरज्जवा सर्वं समुद्धरे ।।२०।।
અનાદિથી ભવકૂપે ખૂંચ્યું જગત મોહ કાદવ મોIાર;
નિર્મલ ચિદ્રૂપ ધયાન રજ્જુએ એ સઘાળાનો કરું ઉદ્ધાર. ૨૦.
અર્થ :સંસારરૂપ કૂવામાં, મહામોહરૂપ કાદવમાં અનાદિથી
પડેલા સર્વ જગતને શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ દોરડા વડે સારી રીતે
બહાર કાઢું. ૨૦.
शुद्धचिद्रूपसद्धयानादन्यत्कार्यं हि मोहजं
तस्माद् बंधस्ततो दुःखं मोह एव ततो रिपुः ।।२१।।
નિર્મલ ચિદ્રૂપ ધયાન વિના જે અવર કાર્ય તે મોહજનિત;
તેથી બંધાન ને દુઃખ તેથી મોહ શત્રુ ગણ તેથી ખચિત. ૨૧.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી બીજું કામ ખરેખર
મોહજન્ય છે, તેથી બંધ થાય છે, તેથી દુઃખ થાય છે માટે મોહ જ શત્રુ
છે. ૨૧.

Page 82 of 153
PDF/HTML Page 90 of 161
single page version

૮૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मोहं तज्जातकार्याणि संगं हित्वा च निर्मलं
शुद्धचिद्रूपसद्धयानं कुरु त्यक्त्वान्यसंगतिं ।।२२।।
(વસંતતિલકા)
રે મોહને સકલ મોહજનિત કામો!
સાથે સમસ્ત તજી સંગ હવે વિરામો;
ચિદ્રૂપ નિર્મલતણું શુચિ ધયાન ધાારો,
સૌ અન્ય સંગતિ તજી નિજ કાર્ય સારો. ૨૨.
અર્થ :મોહ તથા તેનાથી થતા કાર્યોને, સંગને છોડીને તેમજ
બીજાની સંગતિ તજીને નિર્મળ, શુદ્ધચિદ્રૂપનું સદ્ધ્યાન તું ધારણ
કર. ૨૨.

Page 83 of 153
PDF/HTML Page 91 of 161
single page version

અધયાય ૧૦ મો
[ શુદ્ધ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર મમકારના
ત્યાગનો ઉપદેશ ]
निरंतरमहंकारं मूढाः कुर्वंति तेन ते
स्वकीयं शुद्धचिद्रूपं विलोकंते न निर्मलं ।।।।
મોહમૂઢ જન મગ્ન નિરંતર અહંકારમાં રહે સદાય,
ત્યાં નિર્મલ નિજ ચિદ્રૂપ પ્રત્યે દ્રષ્ટિ દે નહિ અહા જરાય ! ૧.
અર્થ :મૂઢજનો નિરંતર અહંકાર કરે છે તેથી તેઓ પોતાનાં
શુદ્ધ ચિદ્રૂપને અન્ય દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ જોતા નથી. ૧.
देहोऽहं कर्मरूपोऽहं मनुष्योऽहं कृशोऽकृशः
गौरोऽहं श्यामवर्णोऽहमद्विऽजोहं द्विजोऽथवा ।।।।
अविद्वानप्यहं विद्वान् निर्धनो धनवानहं
इत्यादि चिंतनं पुंसामहंकारो निरुच्यते ।।।।युग्मं।।
કાયા હું આ કર્મરુપ હું, હું માનવ હું કૃશ હું સ્થૂલ,
હું ગોરો, હું શ્યામ વર્ણ હું, દ્વિજ અદ્વિજ વિચારો ભૂલ;
અભણ અરે ! હું, પિંMત હું તો, હું નિર્ધાન હું ધાનિક મહાન,
£ત્યાદિ ચિંતન માનવનું અહંકાર ભાખે વિદ્વાન. ૩.
અર્થ :હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દૂબળો
કે જાડો છું, હું ગોરો છું, શ્યામવર્ણવાળો છું, હું અદ્વિજ છું અથવા હું
દ્વિજ છું. ૨.
વળી હું વિદ્વાન્અવિદ્વાન્, નિર્ધનધનવાન છુંઆ પ્રકારનું
મનુષ્યનું ચિંતન અહંકાર કહેવાય છે. ૩.

Page 84 of 153
PDF/HTML Page 92 of 161
single page version

૮૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ये नरा निरहंकारं वितन्वंति प्रतिक्षणं
अद्वैतं ते स्वचिद्रूपं प्राप्नुवंति न संशयः ।।।।
ક્ષણ ક્ષણ નિરહંકાર ભાવની વૃદ્ધિ કરે જે જન મતિમાન;
તે અદ્વૈત સ્વરુપ નિજ ચિદ્રૂપને પામે નિઃસંશય દ્યુતિમાન. ૪.
અર્થ :જે મનુષ્યો ક્ષણે ક્ષણે અહંકારરહિત ભાવ વધારે છે,
તેઓ અદ્વૈતસ્વરૂપ પોતાના ચિદ્રૂપને પામે છે, તેમાં સંશય નથી. ૪.
न देहोऽहं न कर्माणि न मनुष्यो द्विजोऽद्विजः
नैव स्थूलो कृशो नाहं किंतु चिद्रूपलक्षणः ।।।।
चिंतनं निरहंकारो भेदविज्ञानिनामिति
स एव शुद्धचिद्रूपलब्धये कारणं परं ।।।। युग्मं ।।
શરીર નહ{ હું કર્મ નહ{ હું ના હું દ્વિજ અદ્વિજ મનુષ્ય,
સ્થૂળ કૃશ પણ હું નહિં કિંતુ ચિદ્રૂપ લક્ષણ હું પ્રત્યક્ષ;
ચિંતન નિરહંકાર ગણ્યું એ ભેદજ્ઞાનીનું ભૂષણ જાણ,
તે જ શુદ્ધ ચિદ્રૂપ લબ્ધિાનું કારણ શ્રેÌ લહો વિદ્વાન. ૫-૬.
અર્થ :હું દેહ નથી, કર્મો નથી, મનુષ્ય નથી, દ્વિજ કે અદ્વિજ
નથી, સ્થૂળ, કૃશ નથી; પરંતુ હું ચિદ્રૂપ લક્ષણવાળો છું. ૫.
ભેદજ્ઞાનીઓનું આ જાતનું ચિંતન નિરહંકાર છે. શુદ્ધ ચિદ્રૂપની
પ્રાપ્તિ માટે તે જ ઉત્તમ કારણ છે. ૬.
ममत्वं ये प्रकुर्वंति परवस्तुषु मोहिनः
शुद्धचिद्रूपसंप्राप्तिस्तेषां स्वप्नेऽपि नो भवेत् ।।।।
મોહવશે મમતા વિસ્તારે પર વસ્તુમાં જન જે કોય;
કદી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સ્વપ્ને પણ નહિ તેને હોય. ૭.
અર્થ :જે મોહીજીવો પર વસ્તુઓમાં મમતા કરે છે, તેમને
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સ્વપ્નમાં પણ થતી નથી. ૭.

Page 85 of 153
PDF/HTML Page 93 of 161
single page version

અધ્યાય-૧૦ ][ ૮૫
शुभाशुभानि कर्माणि मम देहोऽपि वा मम
पिता माता स्वसा भ्राता मम जायात्मजात्मजः ।।।।
गौरश्वोऽजो गजो रा विरापणं मंदिरं मम
पूः राजा मम देशश्च ममत्वमिति चिंतनम् ।।।।युग्मं।।
કર્મ શુભાશુભ તે સૌ મારાં, શરીર પણ મુજ, મારું નામ,
માતપિતાદિ ભગિની ભ્રાતા સ્ત્રી પુત્રાદિ મુજ તમામ;
ગાય અશ્વ અજ ગજ ધાન, પક્ષી દુકાન મંદિર મારાં ધાામ,
મારાં દેશ નગર નૃપ આદિ મમત્વ એ ચિંતનનું નામ. ૮-૯
અર્થ :શુભાશુભ કર્મ તે મારાં છે, અથવા શરીર પણ મારું
છે. માતા-પિતા, ભાઈ-બહેન મારાં છે. પુત્ર-પુત્રી-સ્ત્રી મારાં છે. ગાય,
અશ્વ, બકરો, હાથી, ધન, પક્ષી, દુકાન, મકાન વગેરે મારાં છે. નગર
મારું છે. રાજા, દેશ મારાં છે; એવું ચિંતવન તે મમત્વ છે. ૮-૯.
निर्ममत्वेन चिद्रूपप्राप्तिर्जाता मनीषिणां
तस्मात्तदर्थिना चिंत्यं तदेवैकं मुहूर्मुहुः ।।१०।।
નિર્મમતાથી ચિદ્રૂપ પ્રાપ્તિ પામ્યા પૂર્વે બહુ મતિમાન;
તેથી નિર્મમતા ચિંતવવા ક્ષણક્ષણ આત્માર્થી દે ધયાન. ૧૦.
અર્થ :વિદ્વાનોને નિર્મમત્વભાવ વડે ચિદ્રૂપની પ્રાપ્તિ થઈ છે,
માટે તેના અર્થીએ તે જ એકેને વારંવાર ચિંતવવું જોઈએ. ૧૦.
शुभाशुभानि कर्माणि न मे देहोऽपि नो मम
पिता माता स्वसा भ्राता न मे जायात्मजात्मजः ।।११।।
गौरश्वो गजो रा विरापणं मंदिरं न मे
पू राजा मे न देशो निर्ममत्वमिति चितनं ।।१२।।युग्मं।।
કર્મ શુભાશુભ તે નહિ મારાં, શરીર પણ નહિ મારું કાંઇ,
માત પિતા કે ભગિની ભ્રાતા, સ્ત્રી પુત્રાદિ મારાં નાંહિ;

Page 86 of 153
PDF/HTML Page 94 of 161
single page version

૮૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ગાય અશ્વ ગજ ધાન પક્ષી દુકાન મંદિર નહિ મુજ ધાામ,
દેશ નગર નૃપ પણ મારાં નહિ નિર્મમત્વ ચિંતન એ પામ. ૧૧-૧૨.
અર્થ :શુભાશુભ કર્મો મારાં નથી, શરીર પણ મારું નથી.
પિતા, માતા, બહેન, ભાઈ, સ્ત્રી, પુત્ર, પુત્રી મારાં નથી. ગાય, અશ્વ,
હાથી, ધન, પક્ષી, બજાર, ઘર મારાં નથી. નગર, રાજા, દેશ મારાં નથી;
એવું ચિંતવન તે નિર્મમત્વ છે. ૧૧-૧૨
ममेति चिंतनाद् बंधो मोचनं न ममेत्यतः
बंधनं द्वयक्षराभ्यां च मोचनं त्रिभिरक्षरैः ।।१३।।
निर्ममत्वं परं तत्त्वं ध्यानं चापि व्रतं सुखं
शीलं खरोधनं तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१४।।
‘મારું’ એ ચિંતનથી બંધાન, મોક્ષ ‘ન મારું’ જો દ્રઢ થાય,
બંધાન બે અક્ષરથી, મુકિત ત્રણ અક્ષરથી એમ સધાાય;
નિર્મમતા એ પરમતત્ત્વ છે, ધયાન વળી વ્રત એ સુખસાર,
શીલ પરમ £ન્દ્રિયનિગ્રહ એ, તેથી ચિંતન એ ઉર ધાાર. ૧૩-૧૪.
અર્થ :મારું એવા ચિંતવનથી બંધન અને મારું નહિ એવા
ચિંતવનથી મોક્ષ થાય છે, માટે બે અક્ષરો વડે બંધન અને (ન મમ)
ત્રણ અક્ષરોથી મોક્ષ થાય છે. ૧૩.
નિર્મમતા તે શ્રેષ્ઠ તત્ત્વ છે, (તે જ) ધ્યાન અને વ્રત, સુખ, શીલ,
(તેમ જ) ઇન્દ્રિયનિરોધ છે, માટે નિર્મમતાનું ચિંતવન કર્તવ્ય છે. ૧૪.
याता ये यांति यास्यंति भदंता मोक्षमव्ययं
निर्ममत्वेन ते तस्मान्निमर्मत्वं विचिंतयेत् ।।१५।।
निर्ममत्वे तपोऽपि स्वादुत्तमं पंचमं व्रतं
धर्मोऽपि परमस्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१६।।
પામ્યા અવ્યય મુકિત પામે, વળી પામશે મુનિ ત્રિકાળ:
તે સૌ નિર્મમતાથી, માટે નિર્મમતાચિંતન ઉર ધાાર.

Page 87 of 153
PDF/HTML Page 95 of 161
single page version

અધ્યાય-૧૦ ][ ૮૭
નિર્મમતાથી તપ ને પંચમવ્રત પરિગ્રહ ત્યાગ ઉદાર;
પરમ ધાર્મ પણ પ્રગટે માટે નિર્મમતાચિંતન ઉર ધાાર. ૧૫-૧૬.
અર્થ :જે મુનિઓ અવિનાશી મોક્ષપદ પામ્યા છે, પામે છે
(અને) પામશે, તેઓ નિર્મમત્વથી (પામ્યા છે, પામે છે અને પામશે),
માટે (મોક્ષાભિલાષીઓએ) નિર્મમત્વનું જ ચિંતવન કરવું યોગ્ય છે. ૧૫.
નિર્મમતામાં ઉત્તમ તપ અને પાંચમું અપરિગ્રહ વ્રત પણ આવી
જશે તેમ જ પરમધર્મ પણ આવી જશે, માટે નિર્મમત્વનું જ ચિંતવન
કરવું. ૧૬.
निर्ममत्वाय न क्लेशो नान्ययांचा न चाटनं
न चिंता न व्ययस्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१७।।
नास्रवो निर्ममत्वेन न बंधोऽशुभकर्मणां
नासंयमो भवेत्तस्मान्निर्मभत्वं विचिंतयेत् ।।१८।।
કલેશ નહ{ નિર્મમતા માટે, યાચન અવર ખુશામત નાંહિ;
નહિ ચિંતા નહિ ધાન કંઇ બેસે નિર્મમતા ચિંતવ ઉર માંહિ.
નિર્મમતાથી આuાવ નાંહી, અશુભ કર્મ કંઇ ના બંધાાય;
નહ{ અસંયમ પણ કં£ તેથી નિર્મમતા ચિંતવ ઉરમાંય. ૧૭-૧૮
અર્થ :નિર્મમત્વભાવનું ચિંતવન કરવામાં ક્લેશ થતો નથી,
બીજાની પાસે યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામદ કરવી પડતી
નથી, કાંઈ ચિંતા થતી નથી, કાંઈ ખર્ચ થતું નથી; માટે નિર્મમત્વભાવનું
ચિંતવન કરવું. ૧૭.
નિર્મમત્વથી કર્મના આગમનરૂપ આસ્રવ થતો નથી, અશુભકર્મનો
બંધ થતો નથી, અસંયમ થતો નથી, માટે નિર્મમત્વભાવનું ચિંતવન
કરવું. ૧૮.
सद्दृष्टिर्ज्ञानवान् प्राणी निर्ममत्वेन संयमी
तपस्वी च भवेत् तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१९।।

Page 88 of 153
PDF/HTML Page 96 of 161
single page version

૮૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
रागद्वेषादयो दोषा नश्यंति निर्ममत्वतः
शाम्यार्थी सततं तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।२०।।
નિર્મમતાથી સમ્યગ્દ્રષ્ટિ ને જ્ઞાની સંયમી જીવ થાય;
થાય તપસ્વી પણ તે તેથી, નિર્મમતા ચિંતવ સુખદાય,
સર્વ રાગ-દ્વેષાદિ દોષો, નિર્મમતાથી થાય વિનાશ;
શામ્યાર્થીએ તેથી સતત આ નિર્મમતા ચિંતવવી ખાસ. ૧૯-૨૦.
અર્થઃનિર્મમત્વ વડે, જીવ સમ્યગ્દ્રષ્ટિ, યથાર્થ જ્ઞાની, સંયમી
અને તપસ્વી થાય છે, માટે નિર્મમત્વને જ ચિંતવવું. ૧૯.
નિર્મમત્વથી રાગ-દ્વેષ આદિ દોષોનો નાશ થઈ જાય છે, માટે
સામ્ય ઇચ્છનારાઓએ નિર્મમત્વનું સતત ચિંતવન કરવું. ૨૦.
विचार्यत्थमहंकारममकारौ विमुंचति
यो मुनिः शुद्धचिद्रूपध्यानं स लभते त्वरा ।।२१।।
(ત્રોટક)
મુનિ એમ વિચારી અહંકૃતિને,
મમકાર અનાદિ અજાગૃતિને;
તજી આત્મિક જાગૃતિ શીઘા્ર ધારે,
નિજ નિર્મલ ચિદ્રૂપ ધયાન વરે. ૨૧.
અર્થ :જે મુનિ આ પ્રમાણે વિચારીને અહંકાર અને મમકારનો
ત્યાગ કરે છે, તે ત્વરાથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન પામે છે. ૨૧.

Page 89 of 153
PDF/HTML Page 97 of 161
single page version

અધયાય ૧૧ મો
[શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન]
शांताः पांडित्ययुक्ता यमनियमबलत्यागरैवृत्तवंतः
सद्गोशीलास्तपोर्चानुतिनतिकरणा मौनिनः संत्यसंख्याः
श्रोतारश्चाकृतज्ञा व्यसनखजयिनोऽत्रोपसर्गेऽपिधीराः
निःसंगाः शिल्पिनः कश्चन तु विरलः शुद्धचिद्रूपरक्तः
।।।।
ઘાણા જગતમાં યમ નિયમ બલ દાન વિત્ત વ્રતવંતાજી,
પિંMત શાંત અસંગી તપ શીલ પૂજા નતિ નુતિ યુકતાજી,
મૌની શ્રોતા વિષયિવિજેતા, ધાીર અકૃતઘન પ્રવકતાજી,
કિંતુ કોઇ વિરલ જીવ જગતમાં, નિર્મલ ચિદ્રૂપ રકતાજી. ૧.
અર્થ :આ સંસારમાં શાંત ચિત્તવાળા, પંડિતાઈવાળા, યમ,
નિયમ, બળ, ત્યાગ અને ચારિત્રવાળા, ઉત્તમવાણીવાળા, શીલવાન, તપ,
પૂજા, સ્તુતિ, પ્રણામ કરનારા, મૌન પાળનારા, શ્રવણ કરનારા, ઉપકારને
ન ભૂલનારા, વ્યસનો અને ઇન્દ્રિયોને જીતનારા, ઉપસર્ગના સમૂહને
સહન કરવામાં ધીર, પરિગ્રહ રહિત અને કળાકારો અગણિત છે; પરંતુ
શુદ્ધ ચિદ્રૂપમાં અનુરક્ત કોઈક જ ભાગ્યે જ હોય છે. ૧.
ये चैत्यालयचैत्यदानमहसद्यात्रा कृतौ कौशला
नानाशास्त्रविदः परीषहसहा रक्ताः परोपकृतौ
निःसंगाश्च तपस्विनोपि बहवस्ते संति ते दुर्लभा
रागद्वेषविमोहवर्जनपराश्चित्तत्त्वलीनाश्च ये
।।।।
મંદિર પ્રતિમા સ્થાપન તીરથ યાત્રા દાન પ્રવીણાજી,
ઘાણા શાસ્ત્રના જ્ઞાતા પરિષહજય પરહિતમાં લીનાજી;

Page 90 of 153
PDF/HTML Page 98 of 161
single page version

૯૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ઘાણા દીસે નિઃસંગી તપસ્વી પણ કો વિરલ વિલીનાજી,
રાગ-દ્વેષ વિમોહ વર્જને, નિજ ચિદ્રૂપ તલ્લીનાજી. ૨.
અર્થ :જેઓ દેવ મંદિર, પ્રતિમા, દાન, ઉત્સવ, તીર્થયાત્રા
આદિ કાર્યોમાં પ્રવીણ છે, અનેક શાસ્ત્રોના જાણકાર છે, પરિષહ સહન
કરવામાં સમર્થ છે, પરોપકારના કામમાં રત છે, પરિગ્રહ રહિત છે અને
તપસ્વીઓ પણ છે એવા ઘણા છે અને જે રાગ-દ્વેષ-મોહને તજવામાં
કુશળ થયેલા તેમ જ આત્મતત્ત્વમાં લીન તે દુર્લભ છે. ૨.
गणकचिकित्सकतार्किकपौराणिकवास्तु शब्दशास्त्रज्ञाः
संगीतादिषु निपुणाः सुलभा न हि तत्त्ववेत्तारः ।।।।
सुरूपबललावण्यधनापत्यगुणान्विताः
गांभीर्यधैर्यधौरेयाः संत्यसंख्या न चिद्रताः ।।।।
જ્યોતિષી, વૈદ્યક, ન્યાય, પુરાણો, શબ્દશાસ્ત્ર વિખ્યાતાજી,
સંગીત કે વિજ્ઞાન નિપુણ બહુ, વિરલ તત્ત્વના જ્ઞાતાજી. ૩.
સુંદર રુપ લાવણ્ય કનક બલ અપત્ય ગુણગણયુકતાજી,
ધાીર વીર ગંભીર ઘાણાયે, પણ નહિ ચિદ્રૂપ રકતાજી. ૪.
અર્થ :ગણિતશાસ્ત્રી, જ્યોતિષી, વૈદ્ય, નૈયાયિક, પુરાણોના
જ્ઞાતા, વાસ્તુશાસ્ત્રના જ્ઞાતા (ઇજનેર), વ્યાકરણ શાસ્ત્રના જાણનાર,
સંગીત આદિમાં નિપુણ મળવા સહેલા છે, પરંતુ તત્ત્વને જાણનારા મળવા
સહેલા નથી. ૩.
સારું રૂપ, બળ, લાવણ્ય, ધન, સંતાન, ગુણાદિથી યુક્ત, ગાંભીર્ય
અને ધૈર્યના ધારક, અસંખ્ય છે પણ આત્મસ્વરૂપમાં રક્ત ઘણા
નથી. ૪.
जलद्यूतवनस्त्रीवियुद्धगोलकगीतिषु
क्रीडंतोऽत्र विलोक्यंते घनाः कोऽपि चिदात्मनि ।।।।

Page 91 of 153
PDF/HTML Page 99 of 161
single page version

અધ્યાય-૧૧ ][ ૯૧
सिंहसर्पगजव्याघ्राहितादीनां वशीकृतौ
रताः संत्यत्र बहवो न ध्याने स्वचिदात्मनः ।।।।
જલ વન વનિતા દ્યુત પંખી કે યુદ્ધકળા સંગીતેજી;
દીસે ઘાણા રમતા પણ વિરલા ચિદ્રૂપમાં દ્રઢ પ્રીતેજી,
સિંહ સર્પ ગજ વ્યાઘા્ર અહિતકર અરિ વશ કરવા વર્તેજી,
બહુ અહા! અહ{ પણ નિજ ચિદ્રૂપ-ધયાને વિરલ પ્રવર્તેજી. ૫-૬.
અર્થ :જળ, જુગાર, વન, સ્ત્રી, પક્ષી, યુદ્ધ, ગોળીથી નિશાન
વિંધવાની વિદ્યા અને સંગીતમાં ઘણા આ જગતમાં રમતા દેખાય છે,
પરંતુ ચૈતન્યમય આત્મામાં રમતા કોઈક જ છે. ૫.
અહીં સિંહ, સર્પ, હાથી, વાઘ, શત્રુ આદિને વશ કરવામાં રક્ત
ઘણા છે, (પણ) ચિદાત્માના ધ્યાનમાં રક્ત નથી. ૬.
जलाग्निरोगराजाहिचौरशत्रुनभस्वतां
दृश्यंते स्तंभने शक्ताः नान्यस्य स्वात्मचिंतया ।।।।
प्रतिक्षणं प्रकुर्वति चिंतनं परवस्तुनः
सर्वे व्यामोहिता जीवाः कदा कोऽपि चिदात्मनः ।।।।
અગ્નિ રોગ જલ નૃપ અરિ વાયુ ચોર થંભવા શૂરાજી;
બહુ અહા! પણ આત્મધયાનથી કર્મ ન કરતા ચૂરાજી.
મોહવશે નિજ ભાન ભૂલેલા, ક્ષણક્ષણ ચિંતન કરતાજી;
સર્વ અન્ય વસ્તુનું, વિરલ કો, નિજ ચિંતન મન ધારતાજી. ૭-૮.
અર્થ :(જીવો) જળ, અગ્નિ, રોગ, રાજા, સર્પ, ચોર, શત્રુ
અને પવનને રોકવામાં સમર્થ જણાય છે, (પણ) સ્વાત્મધ્યાનથી પરને
(કર્મને) રોકવામાં સમર્થ જણાતા નથી. ૭.
સર્વે વ્યામોહ પામેલા જીવો પરવસ્તુના ચિંતનને ક્ષણે ક્ષણે કરે છે,
પરંતુ ચિદાત્માનું ચિંતન કોઈ વાર કોઈક જ કરે છે. ૮.

Page 92 of 153
PDF/HTML Page 100 of 161
single page version

૯૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
दृश्यंते बहवो लोके नानागुणविभूषिताः
विरलाः शुद्धचिद्रूपे स्नेहयुक्ता व्रतान्विताः ।।।।
દીસે જગતમાં બહુજન નાના ગુણગણ ભૂષિત આજેજી,
પણ નિર્મલ ચિદ્રૂપમાં પ્રેમી, વ્રતયુત વિરલ વિરાજેજી. ૯.
અર્થ :લોકમાં અનેક પ્રકારના ગુણોથી શોભતા ઘણા દેખાય
છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં પ્રીતિવાળા, વ્રતવાળા સંયમીઓ વિરલા જ
દેખાય છે. ૯.
एकेन्द्रियादसंज्ञाख्यापूर्णंपर्यंतदेहिनः
अनंतानंतमाः संति तेषु न कोऽपि तादृशः ।।१०।।
पंचाक्षिसंज्ञिपूर्णेषु केचिदासन्नभव्यतां
नृत्वं चालभ्य तादृक्षा भवंत्यार्याः सुबुद्धयः ।।११।।
એકેન્દ્રિયથી માંMી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યંતાજી;
જીવ અનંતાનંત છતાં ના કોઇ સ્વરુપ રુચિવંતાજી.
પંચેન્દ્રિય મનસહિત જીવોમાં નિકટભવી નરદેહેજી;
આર્ય કોઇ વિરલા સદ્બુદ્ધિ વર્તે ચિદ્રુપ સ્નેહેજી. ૧૦-૧૧.
અર્થ :એકેન્દ્રિય જીવોથી માંડીને અસંજ્ઞિ (મનરહિત) નામથી
ઓળખાતા પર્યાપ્ત જીવો સુધી અનંતાનંત છે, તેમાં તેવો (આત્મ-
રુચિવાળો) કોઈ પણ (જીવ) નથી. ૧૦.
મનવાળા પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં કેટલાક આસન્નભવ્યપણું
(તરત મોક્ષ પામવાની યોગ્યતા) અને નરભવ ન પામીને તેવા (અયોગ્ય)
છે. આર્ય, સમ્યક્, બુદ્ધિવાળા કોઈક જ તેવી યોગ્યતાવાળા થાય છે. ૧૧.
शुद्धचिद्रूपसंलीनाः सव्रता न कदाचन
नरलोकबहिर्भागेऽसंख्यातद्वीपवार्धिषु ।।१२।।
અઢી દ્વીપ નર લોક મૂકીને દ્વીપ સમુદ્ર અગણિતાજી;
કદી કોઇ ત્યાં નિર્મલ ચિદ્રૂપ તલ્લીન નહિ વ્રત સહિતાજી. ૧૨.